Shree Nishkulanand Kavya in Gujarati Spiritual Stories by MB (Official) books and stories PDF | Shree Nishkulanand Kavya

Featured Books
Categories
Share

Shree Nishkulanand Kavya

ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન

-ઃ પુરુષોત્તમપ્રકાશ :-

દ ા ે હ ા - ભ િ ક્ ત ધ મર્ સ ુ ત શ્ર ી હ િ ર , સ હ જા ન ં દ સ ુ ખ રૂ પ ।

વિનય સહિત વંદન કરું, પાવન પરમ અનૂપ ।।૧।।

ચિંતવિ ચરણનખચંદ છટા, લખી ઉર અમિત૨ પ્ર ત ા પ ।

વંદુ વિઘ્ન વિનાશકર, હરણ વિપત અણમાપ ।।૨।।

સ્ વ ા િ મ ન ા ર ા ય ણ સ ુ ખ દ , પ્ર ગ ટ િ વ િ દ ત જ ગ સ ૂ ર ।

ત્રિવિધ તાપ અજ્ઞાન તમ, કળિમળ મત કર ચૂર ।।૩।।

અ ા પ ા ે વ ા ણ ી ર સ ભ ર ી , િ વ મ ળ મ િ ત અ િ વ ન ા શ ।

ચરણ વંદી આદર કરું, પુરુષોત્તમપ્રકાશ ।।૪।।

ચોપાઇ=રચુ ગ્રંથ પ્રગટ ગુણ જાુક્તરે,કૃપા કરો હરિજન મુક્તરે ।

આ ગ્રંથ પ્રગટ પર જાણીરે, લેજ્યો પ્રગટ મહિમા ઉર આણીરે ।।૫।।

નામ પુરુષોત્તમ પ્રકાશ રે, પુરુષોત્તમ મહિમા નિવાસ રેે ।

પુરુષોત્તમ પરમ દયાળ રે, તેજ ભક્તિ ધર્મના બાળ રે ।।૬।।

એ છે દિવ્ય સદા સાકાર રે, એના મહિમાનો વાર ન પાર રેે ।

નવ પો’ચે મન વાણી વિચાર રે, એવા અગમ શ્રી ધર્મકુમાર રે ।।૭।।

જેને નિગમ નેતિ નેતિ કહે રે, અલ્પબુદ્ધિ પાર કેમ લહે રેે ।

એના ચરણ કમળ પરતાપ રે, કરું કંઇક અમાપનો માપ રે ।।૮।।

લખું દિશમાત્ર તે વિચારી રે, કૃપા કરજ્યો સંત સુખકારી રે ।

જ્યાં રે’છે સદા સુખકારી રે, વરણવું ધામ તે મૂર્તિ સંભારી રે ।।૯।।

શ્રીગોલોક ધામ મોઝાર રે, અક્ષરધામ છે હરિનું સાર રે ।

કોટિ રવિ શશિ તડિત અનળ રે, તેમના તેજથી અતિ નિર્મળ રે ।।૧૦।।

એ છે પરમ દિવ્ય અતિશ્વેત રે, સચ્ચિદાનંદ રૂપનિકેત રે ।

જેને બ્રહ્મપુર કહે અમૃતધામ રે, પરમપદ આદિ અનંત નામ રે ।૧૧।।

જેને કે’છે બ્રહ્મ ચિદાકાશ રે, એમાં સદાય શ્રીહરિનો વાસ રે ।

એ શ્રીકૃષ્ણનું અક્ષરધામ રે, પરમ પાવન પૂરણ કામ રે ।।૧૨।।

એમાં સદાય શ્રીહરિ વિરાજે રે, નિરખિ કોટિ કામ છબિ લાજે રે ।

એ છે પુરુષોત્તમ અધિરાય રે, વાસુદેવ નારાયણ કે’વાય રે ।।૧૩।।

પરમાત્મા પરબ્રહ્મ નામ રે, બ્રહ્મ ઇશ્વર પરમેશ્વર શ્યામ રે ।

કહે વિષ્ણુ વૈકુંઠપતિ સ્વામી રે, એ છે અનંત નામના નામી રે ।।૧૪।।

એ છે અક્ષરપર અવિનાશ રે, સર્વકર્તા નિયંતા નિવાસ રે ।

કારણકારણ કળા વિકાશ રે, અંતરજામી નિર્ગુણ સ્વયંપ્રકાશ રે ।૧૫।।

એ છે સ્વતંત્ર સર્વાધાર રે, એવા ભક્તિ ધર્મના કુમાર રે ।

અનંત કોટી મુક્ત બ્રહ્મરૂપ રે, તેમને ઉપાસ્યા યોગ્ય અનુપ રે ।।૧૬।।

અનંત કોટિ બ્રહ્માંડની જેહ રે, ઉત્પત્તિ સ્થિતિ લય કહિએ તેહ રે ।

એવી લીળા જેની અતિ સાર રે, એવા ધર્મકુંવર કિરતાર રે ।।૧૭।।

માયા પુરુષ કૃતાંત અનાદિ રે, પ્રધાનપુરુષ મહત્તત્ત્વ આદિ રે ।

એ આદિ અનંત શક્તિધાર રે, એના પ્રેરક ધર્મકુમાર રે ।।૧૮।।

અનંત કોટી બ્રહ્માંડના જેહ રે, સ્વામી રાજાધિરાજ છે તેહ રે ।

સદા કિશોરમૂર્તિ શોભાધામ રે, પરમ પાવન પૂરણકામ રે ।।૧૯।।

દેખી કોટિ રતિપતિ૫ લાજે રે, મેઘ નવીન શ્યામ છબી છાજે રે ।

ભક્તવત્સલ મહા ભયહારી રે, એવા ધર્મકુંવર સુખકારી રે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ

વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે પ્રથમઃ પ્રકારઃ ।।૧।।

દ ા ે હ ા - સ ુ ં દ ર મ ૂ ર્િ ત શ્ર ી હ િ ર , લ ા વ ણ્ ય ત ા ન ુ ં ધ ા મ ।

દયાસુધા પૂરિત નયન, નટવર છબી ઘનશ્યામ ।।૧।।

શ ા ે ભ ા ક ી ર િ ત ઉ દ ા ર ત ા , અ ન ં ત ભ ુ વ ન ન ી અ ા ય ।

ઉમંગ ભરિ ઉદે થઇ, નવ નીરદ તનમાંય ।।૨।।

ન વ ર સ ન વ મ ૂ ર્િ ત ધ િ ર , અ ા િ ણ અ ન ુ પ મ હ ે ત ।

સજલ જલદ શ્યામ તનુ, મન કર્મ કર્યું નિકેત ।।૩।।

વ સ્ ય ા વ ા સ જ ુ ક ત ે ક િ ર , ન વ ર સ ન વ ે પ્ર ક ા ર ।

ભ્રકુટિ નેત્ર મુખહાસ ગતિ, ઉર તન બાહુ ઉદાર ।।૪।।

ચોપાઇ-નવ રસને જાણિ નિજ દાસરે, આપ્યો નિજ તનમાંહિ નિવાસરે

રૂદ્ર વીર ભયાનક તિનરે, વસે ભ્રકુટિમાંહિ પ્રવિન રે ।।૫।।

રસ શૃંગાર વસે તનમાંઇ રે, કરુણા શાંતિ નેણે સુખદાઇ રે ।

રસ હાસ્યને અદ્‌ભુત કા’વે રે, હરે ચિત્ત હરિ હેતે બોલાવે રે ।।૬।।

રસવિષે અસુર રહ્યા મોઇ રે, હરિનાં દિવ્ય ચરિત્રને જોઇ રે ।

એમ રસને અમિત અલંકાર રે, ધર્યા નિજ ઇચ્છાએ અપાર રે ।।૭।।

રસ અલંકાર તે વિનાય રે, હરિનું રમણીય રૂપ સદાય રે ।

દિવ્ય અમાયિક અભિરામ રે, હરિનું રૂપ સદા છબિધામ રે ।।૮।।

કરે ગ્રણ જ્યારે કિરતાર રે, શોભા પામે રસ ને અલંકાર રે ।

વસ્ત્ર ભૂષણ વાહન જેહ રે, કરે ગ્રહણ શોભે ત્યારે તેહ રે ।।૯।।

સદા પુરણકામ મોરાર રે, કરે ભક્તભાવે અંગીકાર રે ।

ઉપમા અલંકાર દેવાની રીત રે, ભક્તભાવ જણાયે પ્રીત રે ।।૧૦।।

કોટિ કામતણી છબિ છાજે રે, હરિનું હસવું જરા જોઇ લાજે રે ।

હરિનાં દિવ્ય વસ્ત્રને જોઇ રે, લાજે તડિત ચામીકર દોઇ રે ।।૧૧।।

હરિનાં અમૂલ્ય આભૂષણ જોઇ રે, રહ્યા સુર નર મુનિ મન મોઇ રે ।

કરણે કુંડળ મકરાકાર રે, મહાતેજતણો અંબાર રે ।।૧૨।।

નિરખિ લાજ પામ્યા વારમવાર રે, વસ્યા રવિ શશિ ગગન મોઝારરે ।

શોભાસાગર શોભાના ધામ રે, ભક્તવત્સલ દીનબંધુ નામ રે ।।૧૩।।

રસરૂપ ગુણાકર દેવ રે, મહામુક્ત કરે જેની સેવ રે ।

સર્વ સુખમય મૂર્તિને જાણિ રે, મહામુક્ત ધારે ઉર આણિરે ।।૧૪।।

જોઇ રૂપછટા સુખદાઇ રે, રમા રાધા કરે સેવકાઇ રે ।

તજી ચંચળતા રમા પ્યારી રે, સેવે સ્થિર થઇ સુકુમારી રે ।।૧૫।।

શું હું વર્ણવું રસના એક રે, અલ્પ બુદ્ધિ વિચાર વિવેક રે ।

સહસ્રવદન પાર નહિ પાવે રે, શુક નારદ નિગમ નિત્ય ગાવે રે ।।૧૬।।

એવા કૃષ્ણ કમળ દલ નેણ રે, મુખ મધુર મનોહર વેણ રે ।

અઘમોચન લોચન વિશાળ રે, કૃપાસિંધુ શ્રીકૃષ્ણ કૃપાળ રે ।।૧૭।।

ચાલે સુંદર ગજગતી ચાલ રે, લાજે નિરખીને રાજ મરાલ રે ।

કર લટકાં જોઇને જન રે, પામે આનંદ સ્થિર થાય મન રે ।।૧૮।।

એવા દિવ્યવિગ્રહ દીનાનાથ રે, ભેટે મુક્ત મુનિને ભરિ બાથ રે ।

સદા પ્રસન્ન પ્રપન્ન પ્રતિપાળ રે, કરે ચરિત્ર દીનદયાળ રે ।।૧૯।।

વા’લો અક્ષરધામના ધામી રે, અસંખ્ય મુક્તતણા એક સ્વામી રે ।

સદા સ્વતંત્ર સ્વરાટ વિરાજે રે, સર્વોપરિ શ્રીહરિ છાજે રે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવકનિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે દ્વિતીયઃ પ્રકારઃ ।।૨।।

દોહા - શોભા સાગર સુખ સદન, રમા રમણ ઘનશ્યામ ।

કંદર્પ દર્પ વિમોચન, પરમપુરુષ અભિરામ ।।૧।।

રાજત મસ્તક દિવ્ય અતિ, કિરીટ મુગટ કમનીય ।

અતિ ચતુરાઇએ જુક્ત છે, શોભા સરસ બનીય ।।૨ ।।

ન ા ન ા ર ત્ ન વ ૈ દ ૂ યર્ મ િ ણ , ક ા ૈ સ્ ત ુ ભ સ્ ફ િ ટ ક પ ી ત ।

ઇંદ્રનીલ મર્કતમણી, મણિગણ કણ અગણિત ।।૩।।

ગ જ મ ા ે ત ી ગ ણ છ ી પ સ ુ ત , પ ન્ન્ ા ા પ ી ર ા ે જા લ ા લ ।

વર પોખર માણિક મધ્યે, કંચન જડીત પ્રવાલ ।।૪।।

ચોપાઇ-એવી શોભા મુગટની જોઇ રે, રહ્યાં મુક્ત તણા મન મોઇ રે।

એવો મુગટ ધર્યો છે માથ રે, રૂડા શોભે છે મુક્તોના નાથ રે ।।૫।।

કર્યું કેસર તિલક ભાલ રે, વચ્ચે કુંકુમ ચંદ્રક લાલ રે ।

શોભે અધર અરુણ પ્રવાલ રે, મૃગમદની ટીબકડી છે ગાલ રે ।।૬।।

શરદઋતુ તણું જે કમળ રે, પરમ પુનિત અરુણ અમળ રે ।

તેની પાંખડી સરખાં શોભિત રે, અણીયાળાં લોચન ચોરે ચિત્ત રે ।૭

નેણે વરષે અમૃત અવિનાશ રે, કરે પાન નિત્યે નિજ દાસ રે ।

નિરખી નેણાં તૃપ્ત ન થાય રે, તેમને કલ્પ પલક સમ જાય રે ।।૮।।

શોભે ગલુબંધ કૌસ્તુભ મણિ રે, શોભા સરસ જોયા જેવી બણિ રે ।

રૂડું સરસ સુગંધીમાન રે, એવું શિતળ ચંદન ગુણવાન રે ।।૯।।

તેણે ચરચ્યાં છે સર્વે અંગ રે, નિરખિ લાજે કોટિ અનંગ રે ।

એવી શોભાને ધરતા શ્યામ રે, પુરુષોત્તમ પૂરણકામ રે ।।૧૦।।

આજાનુ ભુજા અભિરામ રે, બાંધ્યા બાજુ શોભે સુખધામ રે ।

મણિનંગ જડીત બાજુ રાજે રે, જોઇ કોટી રવિ શશિ લાજે રે ।।૧૧।।

કર પોંચી કનક કડાં શોભે રે, વેઢ વીંટી જોઇ મન લોભે રે ।

ઉર ઉતરી મોતિની માળા રે, શોભે રાજીવ નેણ રૂપાળાં રે ।।૧૨।।

જોઇ શોભા અંગોઅંગ તણી રે, થયો મૂર્છિત રતિનો ધણી રે ।

મલ્લિકા માલતી રાય વેલી રે, જાઇ જુઇ ને ચંપા ચંમેલી રે ।।૧૩।।

ક ુ ં દ ક ે ત ક ી બ ક ુ લ ન ે ન ુ ત ર ે , પ ા ે પ પ ા િ ર જા ત પ્ર સ ૂ ત ર ે ।

નવ કંજ કેસર સેવતિ રે, ગુલછવિ ગુલદાવદી અતિ રે ।।૧૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

એવાં પુષ્પ સુગંધિ સાર રે, ગણતાં ન આવે વાર ને પાર રે ।

એનાં ભૂષણ રચિ અતિ ભારી રે, પૂજે રાધા રમા સુકુમારી રે ।।૧૫।।

એવી શોભાને ધરતા દયાળ રે, શોભે ભક્તતણા પ્રતિપાળ રે ।

ગ્રહિ કર વર વેણુ મુરારી રે, ધરી અધર મધુર સ્વર કારી રે ।।૧૬।।

કરે મધુરે મધુરે સ્વર ગાન રે, સુણી શ્રવણ છુટ્યાં મુનિ ધ્યાન રે ।

સપ્ત સ્વર સરસ ત્રણ ગ્રામ રે, એકવીસ મુર્છના વિશ્રામ રે ।।૧૭।।

તાળ કાળ માન ગતિ જાણિ રે, બાવિશ સુરતિના ભેદ આણિ રે ।

આરોહિ અવરોહિ લેછે રે, અસ્તાઇ સચાઇ કે’છે રે ।।૧૮।।

છો રાગ ને બત્રિશ રાગણિ રે, છત્રીશ કે’છે કવિ ભણિ રે ।

તેના નામ રીતુ સ્વર તાલ રે, વસ્ત્ર ભૂષણ રૂપ રસાલ રે ।।૧૯।।

એમ વેણુમાં ગાયે વિહારી રે, સુખ આપે છે શ્રી ગિરિધારિ રે ।

એમ ગોપ ગોપીના નાથ રે, શ્રીદામાદિ સખા છે સાથ રે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવકનિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે તૃતીયઃ પ્રકારઃ ।।૩।।

દ ા ે હ ા - ચ ક્ર સ ુ દ ર શ ન અ ા િ દ જ ે , અ ા ય ુ ધ મ ૂ ર્િ ત મ ા ન ।

દિવ્ય દેહે સેવે સદા, પ્રભુપદ પરમ સુજાન ।।૧।।

ન ં દ સ ુ ન ં દ શ્ર ી દ ા મ વ ર , શ ક્ર ભ ા ન ુ શ િ શ ભ ા ન ।

એ આદિક અસંખ્ય ગણ, રૂપ ગુણ શીલવાન ।।૨।।

સ ે વ ત પ્ર ભ ુ પ દ પ્ર ી ત ક ર ી , પ ા ષ્ ાર્ દ પ ર મ પ્ર િ વ ર ।

રાજત સદા સમીપમાં, મહા સુભટ રણધીર ।।૩।।

ક ા ે િ ટ ચ ં દ્ર ર િ વ સ મ દ્ય ુ િ ત , ન વ ન ી ર દ ત ન મ ા ં ય ।

નિરખિ નાથ શોભાનિધિ, આનંદ ઉર ન સમાય ।।૪।।

ચોપાઇ-અનંતકોટિ કલ્યાણકારી ગુણરે, તેણે યુક્ત છે મૂરતિ તરુણરે।

ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય આદિ રે, નવ નિધિ સિદ્ધિ અણિમાદિ રે ।।૫।।

એ આદિક ઐશ્વર્ય અપાર રે, સેવે પ્રભુપદ કરી પ્યાર રે ।

મૂર્તિમાન વેદ ચારે ગાય રે, હરિનાં ચરિત્ર કીર્તિ મહિમાય રે ।।૬।।

વાસુદેવાદિ વ્યૂહ અનુપ રે, કેશવાદિક ચોવીશ રૂપ રે ।

વારાહાદિક બહુ અવતાર રે, એ સર્વના હરિ ધરનાર રે ।।૭।।

એવા શ્રીહરિકૃષ્ણ ભગવાન રે, પુરુષોત્તમ કૃપાનિધાન રે ।

આજે ઐશ્વર્ય સર્વે કે’વાય રે, તેણે યુક્ત થકા હરિરાય રે ।।૮।।

ભુવિપર એકાંતિક ધર્મ રે, તેને પ્રવર્તાવવો એ છે મર્મ રે ।

બદ્રિકાશ્રમને માંઇ રે, થયો શાપ અતિ દુઃખદાઇ રે ।।૯।।

ઋષિ દુર્વાસાને શાપે કરી રે, ભુવિ પ્રગટ્યા મનુષ્ય તનુ ધરી રે ।

નિજ એકાંતિક ભક્ત જાણી રે, ભક્તિ ધર્મ ઉપર હેત આણિ રે ।૧૦

વળિ મરિચ્યાદિક ઋષિરાજ રે, હરિના એકાંતિક ભક્ત સમાજ રે ।

અસુરગુરુ રૂપ થકી ભારી રે, તેમની રક્ષા કરવાને મુરારી રે ।।૧૧।।

ભક્તિ ધર્માદિકને દયાળ રે, સુખ આપવા પરમ કૃપાળ રે ।

નિજ પ્રબળ પ્રતાપે કરિ રે, અસુરગુરુ નૃપનો મદ હરિ રે ।।૧૨।।

એમનો નાશ કરવાને કાજ રે, શસ્ત્ર ધાર્યા વિના મહારાજ રે ।

કરવા નાશ તે સર્વે ઉપાય રે, નિજ બુદ્ધિબળે મુક્તરાય રે ।।૧૩।।

ગ્રહિ કળીબળને વારમવાર રે, પામ્યો અધર્મ વૃદ્ધિ અપાર રે ।

તેનો કરવા અતિશે નાશ રે, કરવા સુખિયા સર્વે નિજદાસ રે ।।૧૪।।

નિજ દર્શ સ્પર્શાદિકે કરી રે, વળી રચી વચનરૂપ પતરી રે ।

કરવા અનેક જીવનોે ઉદ્ધાર રે, ઇચ્છા કરી ધરવા અવતાર રે ।।૧૫।।

નિજધામ પમાડવા સારુ રે, દેવા અખંડ સુખ ઉદારુ રે ।

ઉર ધારી અચળ એવી ટેક રે, એવા પરમ દયાળ છે એક રે ।।૧૬।।

કરવા કરુણા કળિમધ્યે ભારી રે, દીનબંધુ દયા દિલ ધારી રે ।

મોટો અર્થ વિચાર્યો છે એહ રે, કરવા અભય નારી નર તેહ રે ।।૧૭।।

એમ પૂર્ણ પુરુષોત્તમ રાય રે, દિધો કોલ વૃંદાવનમાંય રે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

ભક્તિ ધર્મને આપ્યું વચન રે, સત્ય કીધું તે જગજીવન રે ।।૧૮।।

કોશળદેશ અયોધ્યા પ્રાંત રે, પ્રભુ પ્રગટ થયા કરી ખાંત રે ।

ધર્યો નર વિગ્રહ સ્વછંદ રે, પરમ પાવન પરમાનંદ રે ।।૧૯।।

શ્રીનારાયણ ઋષિરૂપ રે, થયા પ્રગટ તે પરમ અનુપ રે ।

થયા ભક્તિ ધર્મના બાળ રે, શ્રીકૃષ્ણ ભક્ત પ્રતિપાળ રે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચતુર્થઃ પ્રકારઃ ।।૪।।

દોહા - ભક્તિ ધર્મને ભુવને, થયા પ્રગટ પૂરણ બ્રહ્મ ।

આપ ઇચ્છાએ આવિયા, જેને નેતિ કહે નિગમ ।।૧।।

સ ુ ં દ ર દ ે શ સ ર વ ા ર મ ા ં , છ પ ૈ ય ા છ બ ી ન ુ ં ધ ા મ ।

તિયાં પ્રભુજી પ્રગટ્યા, પુરુષોત્તમ પૂરણકામ ।।૨।।

સંવત અઢાર સાડત્રિશના, ચૈત્રશુદિ નવમીને દિન ।

તે દિન જીવન જનમ્યા, ભક્ત ભયહારિ ભગવન ।।૩।।

વસંત ઋતુ વિરોધિ સંવત્સર, ઉત્તરાયણ અર્ક અનૂપ ।

શુક્લ પક્ષ પુષ્ય નક્ષત્રે, સોમવાર તે સુખરુપ ।।૪।।

ચોપાઇ-વૃશ્ચિક લગ્ન ને કૌલવ કરણરે, યોગ શુક્રમાં દુઃખ હરણરે

દશ ઘડી રૂડી રાત્ય જાતાં રે, સુખ સેજમાં સુતાં’તાં માતા રે ।।૫।।

તે સમે પ્રગટ્યા મહારાજ રે, કરવા અનેક જીવનાં કાજ રે ।

વ્યોમે વિબુધ વાજાં વજાવિ રે, કરે દર્શન વિમાન લાવિ રે ।।૬।।

સુરવનિતા ગાય વધાઇ રે, અતિ મોદ ભરી મનમાંઇ રે ।

મંદ સુગંધ શીતળ વાય રે, વાયુ સુંદર જન સુખદાય રે ।।૭।।

સ્વર્ગ શોભી રહ્યું છે અપાર રે, થાય જયજય શબ્દ ઉચ્ચાર રે ।

કરે પુષ્પ વૃષ્ટિ પુરંદર રે, વર્ષે સુગંધિ સુમન સુંદર રે ।।૮।।

તાંડવ નૃત્યે ત્રોડે શિવ તાન રે, ગાયે ગાંધર્વ અપ્સરા ગાન રે ।

થયા નિર્ધૂમ યજ્ઞ હુતાશન રે, હવાં નિર્મળ જનનાં મન રે ।।૯।।

એમ અમર પામ્યા આનંદ રે, તેમ ભૂમિ મગન જનવૃંદ રે ।

ગાય ઘરઘર મંગળ વધાઈ રે, હરષ ભરી માનિની મનમાંઇ રે ।।૧૦।।

રહ્યો ચૌદિશે આનંદ છાઇ રે, પ્રભુ પધારિયા ભૂમિમાંઇ રે ।

કરવા કોટિકોટિનાં કલ્યાણ રે, પોતે પધાર્યા પરમ સુજાણ રે ।।૧૧।।

માત તાત પામ્યાં છે આનંદ રે, જોઇ પુત્ર તે પૂરણ ચંદ રે ।

મનોહર મૂર્તિ મરમાળી રે, થાયે મન મગન જન ભાળી રે ।।૧૨।।

જેજે જુવે છે નયણાં ભરિને રે, તેનાં મન ચિત્ત લેછે હરિને રે ।

મુખ મૃગાંકસમ સુખ દેણ રે, શોભે કર ચરણ ચારુ નેણ રે ।।૧૩।।

અંગોઅંગ શોભા છે અનૂપ રે, નખ શિખ છબી સુખરૂપ રે ।

જોઇ સફળ કરે જન જન્મ રે, એવિ રૂપાળી મૂર્તિ છે રમ્ય રે ।।૧૪।।

જુવે હેતે જે જન હુલસિ રે, તેના અંતરમાં જાયે વસિ રે ।

પછી વિસાર્યા પણ ન વિસરે રે, સુતાં બેઠાં સદાયે સાંભરે રે ।।૧૫।।

એવી મૂર્તિ આજ અલૌકિક રે, ધરી બહુની ટાળવા બીક રે ।

સહુ ભક્તજનને સુખ દેવા રે, આપે અક્ષરપતિ થયા એવા રે ।।૧૬।।

દિન દિન પ્રત્યે જો દયાળ રે, વધે નિત્ય ચંદ્ર જેમ બાળ રે ।

મુખહાસે જુક્ત છે હમેશ રે, શોભે છે બહુ બાલુડે વેષ રે ।।૧૭।।

રુવે નહિ રાજી રહે ઘણું રે, તેણે મન હરેછે સહુતણું રે ।

સુખમય મૂર્તિ મહારાજ રે, આવ્યા સૌને સુખ દેવા કાજ રે ।।૧૮।।

મોટે ભાગ્યે આવ્યા ભગવાન રે, દેવા સૌ જનને અભેદાન રે ।

જેમ આવ્યા છે ધામથી ધારી રે, તેમ તારશે નર ને નારી રે ।।૧૯।।

સહુ જનને કરવા છે સુખી રે, નથી રાખવા કોઇને દુઃખી રે ।

સહુ જીવની લેવીછે સંભાળ રે, એહ અર્થે આવ્યા છે દયાળ રે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચમઃ પ્રકારઃ ।।૫।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

દોહા - જનમિ જનક જનની ઘરે, રહ્યા દયા કરી કાંઇક દિન ।

રમ્યા જમ્યા રૂડિ રીત્યશું, ભક્તિ ધર્મને ભવન ।।૧।।

ત્યાં બાળચરિત્ર બહુ કર્યાં, પછી આઠમે વર્ષે આપ ।

પિતાથકી તે પામિયા, ઉપવીત અતિ નિષ્પાપ ।।૨।।

ત્રણ વર્ષ તપાસિને રહ્યા, તાતભવન શ્રીઅવિનાશ ।

પછી પ્રભુજી પધારિયા, જઇ કર્યો વનમાંહિ વાસ ।।૩।।

સાત વરષ વન વેઠિયું, વળતો વાલમે કર્યો વિચાર ।

જે અર્થે આ અવતાર છે, તે કરું હવે નિરધાર ।।૪।।

ચોપાઇ-પછી જોગી ગોપાળને મળીરે, કરી એની ઇચ્છા પૂરી વળી રે

મળ્યા પ્રભુજી પૂરણ કામ રે, તજી તન ગયા અક્ષરધામ રે ।।૫।।

પછી નવલખે પર્વત પધાર્યા રે, બહુ જોગીને મુદ વધાર્યા રે ।

જોગી નવલાખ જોઇ જીવન રે, થયા નાથ નિરખિને મગન રે ।।૬।।

તેપણ તન તજી નિરધાર રે, અવધે ગયા અક્ષર મોઝાર રે ।

એમ જીવ ઉદ્ધારવા કાજ રે, ફરે હદ્ય બેહદ્યે મહારાજ રે ।।૭।।

જેજે જીવ આવે છે નજરે રે, તેને ધામના નિવાસી કરે રે ।

દરશે સ્પરશે કોઇ દેહધારી રે, થાય અક્ષરના અધિકારી રે ।।૮।।

નર અમર ને જે અસુર રે, પામે પ્રભુ પેખે બ્રહ્મપુર રે ।

એમ જીવ જક્તના જેહરે, પામે અક્ષરધામને તેહરે ।।૯।।

તીર્થ શહેર પુર નગ્ર ગ્રામ રે, ફર્યા જેજે ધરણિપર ધામ રે ।

ત્યાં ત્યાં જેણે નિરખ્યા ઘનશ્યામરે, તેતે પામિયા અક્ષરધામરે।।૧૦।।

ગિરિ ગુફામાં જે ગેબ હતા રે, કઇ સમુદ્ર તટ સેવતા રે ।

તેનું કર્યું છે પરમ કલ્યાણ રે, પોતે મળી પ્રગટ પ્રમાણ રે ।।૧૧।।

નિજ મૂર્તિ પ્રતાપે મહારાજ રે, કર્યાં અનેક જીવનાં કાજરે ।

એમ ઉદ્ધારતા બહુ જન રે, આવ્યા સોરઠમાં ભગવન રે ।।૧૨।।

સોરઠદેશે સોયામણું ગામ રે, મન લોભે શોભે લોજ નામ રે ।

તિયાં અલબેલો આવી રહ્યા રે, કરી બહુ જીવપર દયા રે ।।૧૩।।

એમ પધારિયા પ્રાણનાથ રે, પછી સંભારિયો મુક્તસાથ રે ।

કરી સુરત્યને જોયા સંભાળી રે, મુનિ મુક્તની મંડળી રૂપાળી રે ।૧૪

જ્યારે નાથે કર્યું ચિંતવન રે, આવ્યા જ્યાં હતા ત્યાંથી જન રે ।

આવી મળ્યા મહારાજ સંગ રે, મુક્ત મંડળ અતિ ઉછરંગ રે ।।૧૫।।

લાગ્યા પાયે જોડી જુગ પાણ રે, બોલ્યા વિનતિ કરી મુખ વાણ રે ।

આવ્યાં હર્ષનાં નયણે નીર રે, જોઇ બોલીયા શ્યામ સુધીર રે ।।૧૬।।

મુનિ સર્વે સુખી છો તમે રે, તમે મળે રાજી થયા અમે રે ।

પછી મરિચ્યાદિ મુનિ સાથ રે, રહ્યા પ્રભુ પાસે જોડી હાથ રે ।।૧૭।।

પછી મુનિ કહે મહારાજ રે, જેમ કો’ તેમ કરિએ આજ રે ।

ત્યારે નાથ કે’ તારવા જંત રે, દેશો દેશ ફરો બુદ્ધિવંત રે ।।૧૮।।

અહિંસાદિક નિયમ પળાવો રે, જન્મ મર્ણનાં ખાતાં વળાવો રે ।

વળિ અન્ન જળ દેશે જે તમને રે, તે સહુ પ્રાણી પામશે અમને રે ૧૯

દરશ સ્પરશ કરી પડશે પાય રે, તેની જરૂર કરીશ હું સા’ય રે ।

તમારા ને મારા જે મળેલ રે, તેને થાશે કહું બહુ સે’લ રે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવકનિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે ષષ્ઠઃ પ્રકારઃ ।।૬।।

દોહા - વળતા મુનિ બોલિયા, શું શું ધરાવિએ વ્રતમાન ।

કયી પેર્યે ભજન કરાવિએ, કયી પેર્યે ધરાવિએ ધ્યાન ।।૧।।

કેવિ રીતે અમે વરતિએ, કેવો રાખીએ વળિ વેષ ।

કેવી રીતે વાત કરીએ, કેવો આપીએ ઉપદેશ ।।૨।।

જગમાં જે જિજ્ઞાસુ જન, નર નારી હશે અપાર ।

કે’શું નરને કલ્યાણનું, નહિ કહિએ નારીને નિરધાર ।।૩।।

મ ુ ક્ ત ન ે મ ા િ ન ન ી મ િ ળ , વ િ ળ ક ર ે પ ર સ્ પ ર વ ા ત ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

દર્શ સ્પર્શ દારા હાસ્યથી, થાય નરને જ્ઞાનની ઘાત ।।૪।।

ચોપાઇ-માટે નર આગે નિરધારરે, કે’શું વાત કરી અતિ પ્યારરે ।

પુરુષ પ્રમોદશું બહુ પેરરે, ફરી દેશોદેશ ગ્રામ શહેરરે ।।૫।।

રુડો રહસ્ય પુરુષને કે’શું રે, દારા સંગ થકી દૂર રે’શુંરે ।

આજ મોર્યની અમે સાંભળિરે, ખાધી મોટે મોટે ખોટ વળિરે ।।૬।।

બ્રહ્મા ભુલ્યા તનયા તન જોઇરે, તેણે ખરી લાજ વળી ખોઇરે ।

શિવ મોહિની જોઇ મન મોહ્યુંરે, તેણે જોગકળા બળ ખોયુંરે ।।૭।।

ઇંદ્ર અહલ્યા રૂપ નિહાળીરે, થયો ભ્રષ્ટ હતો ભાગ્યશાળીરે ।

જોઇ મોહિની રૂપને અસુરરે, નેણે વેણે થયા ચકચુરરે ।।૮।।

પરાશર ઋષિ તપોધનરે, મોહ્યા મત્સ્યગંધા જોઇ મનરે ।

એકલશ્રુંગી વસે વનમાંઇરે, જેને ભામિની ભાન ન કાંઇરે ।।૯।।

દેખી સુંદરીને દિલે ડૂલ્યારે, જેણે જ્ઞાન ધ્યાન નિ’મ ભૂલ્યારે ।

ઋષિ સૌભરિ શફરી સંગરે, જોઇ તર્ત વ્રત કર્યું ભંગરે ।।૧૦।।

નારદ પર્વતે નિરખી સુંદરીરે, ઇચ્છા બેઉએ વરવા કરીરે ।

દેવગુરુ ભૂલ્યા દિશ પોતેરે, નિજ અનુજવધૂ રૂપ જોતેરે ।।૧૧।।

યયાતિ સુંદરી સુખ આશરે, માગ્યું જોબન પુત્રને પાસરે ।

આગ્નિધ્ર ને દીર્ઘતમા જેવારે, એહ આદ્ય બીજા કઈ એવારે ।।૧૨।।

નર અમર નારીને સંગેરે, કોય રહ્યા નહિ શુદ્ધ અંગેરે ।

જોગી જતિ તપસી સંન્યાસીરે, વનવાસી નિરાશી ઉદાસીરે ।।૧૩।।

ડાહ્યા શાણા ચતુર સુજાણરે, કવિ કોવિદ નારીના વેચાણરે ।

ભટ પંડિત પ્રવીણ પુરાણીરે, જેની સુધા સમાન છે વાણીરે ।।૧૪।।

હોય જશ જગતમાં જેનોરે, નારી ન મળી ત્યાં લગી તેનોરે ।

ઋષીશ્વર મુનીશ્વર મનેરે, ડરી વનિતાથી વસે વનેરે ।।૧૫।।

જાણે એનો સંગ છે એવો રે, ભારે હેડ્યબેડી બન્ધ જેવો રે ।

માટે એથી ઉગારી લેજોરે, બિજું કેવું ઘટે તે સુખે કે’જોરે ।।૧૬।।

નથી એવું કઠણ કાંઇ કામ રે, તમે કો’ને ન થાય ઘનશ્યામરે ।

જેજે કહો તેતે અમે કરીયેરે, સર્વે વચન શિશપર ધરિયેરે ।।૧૭।।

તન મનના સુખને ત્યાગીરે, રે’શું વચનમાં અનુરાગીરે ।

જેહ અર્થે મોકલ્યા છે આંઇરે, તેમાં કસર ન રાખીએ કાંઇરે ।।૧૮।।

પણ અરજી કરી તમને અમેરે, દીલ ધારજો દીનબંધુ તમેરે ।

અમે કહ્યો તે અમારો આશેરે, મારા પ્રાણપતિ તમ પાસેરે ।।૧૯।।

એમ બોલ્યા મુનિ સહુ મળિરે, લીધું સર્વે પ્રભુએ સાંભળીરે ।

પછી હસિ બોલ્યા અવિનાશરે, ધન્ય નિરમોહી મારા દાસરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવકનિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે સપ્તમઃ પ્રકારઃ ।।૭।।

દોહા - શ્રીહરિ કહે સંત સાંભળો, એવો કરવો નથી ઉપાય ।

જેણે કરીને જક્તનું, બંધન તમને થાય ।।૧।।

અ ે વ ી ર ી ત ન ે ર ા ખ શ ુ ં , જ ે હ ર હ્ય્ ા ા ન ર ે ’ શ ે ક ા ે ય ।

શાસ્ત્રમાં પણ શોધતાં, કિયાં હોય કે વળિ નો’ય ।।૨।।

જ ે મ અ લ ા ૈ િ ક ક અ વ ત ા ર છ ે , ત ે મ ક ા ઢ ુ ં અ લ ા ૈ િ ક ક ર ી ત ।

સહુ ઉપર શિરોમણિ, વળિ ઘણી પરમ પુનિત ।।૩।।

ત ે ર ી ત ક હ ુ ં ત ે હૃ દ ે ધ ર ી , સ હ ુ ર હ ા ે થ્ ા ઇ સ ા વ ધ ા ન । એમ મુનિ મંડળને આગળે, શ્રીમુખે કહે ભગવાન ।।૪।।

ચોપાઇ-રે’જો પંચ વ્રત પ્રમાણરે, ધારી વિચારી સહુ સુજાણરે ।

પંચ વ્રત છે સહુને પારરે, નથી એથી બીજું કાંય બા’રરે ।।૫।।

જોશો વિધવિધે જો વિચારીરે, ભર્યા અર્થે છે એ અતિ ભારિરે ।

તેમાં ધન ને ત્રિયાનો ત્યાગરે, ઘણો કહ્યો છે કરી વિભાગરે ।।૬।।

અ ષ્ટ પ્ર ક ા ર ે ત જ વ ી ન ા ર ી ર ે , ત ે મ ધ ન ત જ વ ુ ં િ વ ચ ા ર ી ર ે । કોઇ દેશ કાળ ક્રિયા સંગેરે, એથી અળગું રે’વું અષ્ટ અંગેરે ।।૭।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

સહુ જાણજો જન એમ પંડ્યેરે, ધન ત્રિયા બે નથી બ્રહ્માંડેરે ।

એમ નકી કરી નિરધારરે, ફરો પરહિતે પૃથવી મોઝારરે ।।૮।।

અંગે રાખજો અંબર એટલાંરે, શીત ઉષ્ણ ન પીડે તેટલાંરે ।

કંથા કૌપીન ને કટિપટરે, એટલાં તો રાખજો અમટરે ।।૯।।

તેપણ જાચિને જીરણ લેજોરે, એવી રીત્યે સહુ મુનિ રે’જોરે ।

અન્ન માગિને જમજો મધ્યાહ્નેરે, રસે રહિત સહિત જળ પાનેરે ।।૧૦।।

સર્વે મેળવી ભેળું તે કરીરે, જમજો એકવાર ભાવભરીરે ।

એમ રહી સહુ મુનિરાયરે, ફરજો દેશ પરદેશને માંયરે ।।૧૧।।

કરજો પુરુષ આગળે વાતરે, જેમ છે તેમ વળી સાક્ષાતરે ।

જ્યારે નિ’મ ધારે જાણો જનરે, કે’જો કરે પ્રગટ ભજનરે ।।૧૨।।

ધરે પ્રગટ પ્રભુનું ધ્યાનરે, જેવા ભૂમિયે છે ભગવાનરે ।

ધરતાં ધ્યાન થાશે પ્રકાશરે, તેણે મગન થાશે મને દાસરે ।।૧૩।।

અ ા પ ે દ ે ખ શ ે અ ક્ષ્ ા ર ધ ા મ ર ે , દ ે ખ ી મ ા ન શ ે પ ૂ ર ણ ક ા મ ર ે । એમ અનંત જીવ આશરીરે, જાશે અખંડ ધામે કામ કરીરે ।।૧૪।।

તેના સંગી બીજા જે જનરે, કરશે ભાવ કરીને ભજનરે ।

તેતો પામશે એ ધામ આપરે, એવો મોટો છે આજ પ્રતાપરે ।।૧૫।।

વળી અન્ન જળ તમને જે દેશેરે, આપી અંબર અક્ષર ઘર લેશેરે ।

જેહ ધામના અમે રે’નારરે, લઇ જાશું તે ધામ મોઝારરે ।।૧૬।।

નથી જોવી જીવની કરણીરે, રીત આવારની દોષ હરણીરે ।

જ્યારે ભરવું હોય મોટું વા’ણરે, વો’રે શાલ દાળ્ય લોહ પાષાણરે ૧૭

જેવો માલ મળે તેવો વો’રેરે, તોયે ઠાલું છે કહી બકોરેરે ।

એવો આજ મોટો છે અવતારરે, બહુ જીવ કરવા ભવપારરે ।।૧૮।।

તેતો સર્વે જાણો છો તમે જનરે, સમઝી રહો મનમાં મગનરે ।

નિર્ભય નિઃશંક થૈ સહુ રે’જોરે, વાતો પ્રગલ્ભ મન કરી કે’જોરે ।૧૯

એમ મુનિને કહ્યું મહારાજેરે, સુખસાગર ગરીબ નિવાજેરે ।

આવ્યા લેર્ય મેર્યમાં આ વારરે, પરમ સનેહી પ્રાણ આધારરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવકનિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટમઃ પ્રકારઃ ।।૮।।

દોહા - પછી મુક્તને આપી આગન્યા, તમે ફરો દેશ પ્રદેશ ।

જેમ કહ્યું તેમ વર્તજો, રાખજો સાધુનો વેષ ।।૧।।

પ છ ી મ ુ િ ન પ ર વ ય ાર્ , જ ે મ હ ા લ્ ય ા ં હ ુ િ ડ ય ા ં વ ા ’ ણ ।

ભારે વા’ણને ભરવા, સહુ સજ્જ થયા છે સુજાણ ।।૨।।

પ છ ી પ ા ે ત ે પ્ર ભ ુ જી અ ે , ઉ ર િ વ ચ ા િ ર ય ુ ં અ ે મ ।

બહુ જીવ જેમ ઉદ્ધરે, મારે કરવું તર્ત તેમ ।।૩।।

બ ં ધ ા વ ુ ં બ હ ુ પ ે ર ે ક ર ી , સ ુ ં દ ર સ દ ા વ ર ત ।

જે જમે અન્ન અમતણું, તે પામે પરમ ગતિ તરત ।।૪।।

ચોપાઇ-એમ કૈ’ બંધાવ્યાં અન્નક્ષેત્રરે, જમે જન અન્ન પવિત્રરે ।

ઝાઝે હેતે જનને જમાડેરે, કરી વાત આનંદ પમાડેરે ।।૫।।

સુણી વાત રળીયાત થાયરે, પછી સમજી રહે સત્સંગ માંયરે ।

એમ સદાવ્રત બાંધ્યાં બહુરે, તેહ ગામ તણાં નામ કહુંરે ।।૬।।

લોઝ માંગરોલ અગત્રાઇરે, સદાવ્રત માણાવદ્ર માંઇરે ।

મેઘપુર ધોરાજી શાંકળીરે, અન્ન આપે ભાડેરમાં વળીરે ।।૭।।

જાંમવાળી ને નવેનગરેરે, બ્રાહ્મણ ભેખ ત્યાં ભોજન કરેરે ।

ફણેણી ને જાણો જેતપરરે, જમે જન સરધાર સુંદરરે ।।૮।

કોટડું ગઢડું કારિયાણીરે, જમી બોલે જેજે જન વાણીરે ।

માણેકવાડે ને મેથાંણ માંઇરે, જેતલપુર શ્રીનગર ત્યાંઇરે ।।૯।।

એહ આદિ ગામે આપે અન્નરે, જેહ જમે તે થાય પાવનરે ।

તેણે તજે બીજું ભજે શ્યામરે, તન મુકે પામે પર્મ ધામરે ।।૧૦।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

એમ અનેક જીવ ઉદ્ધાર્યારે, ભય ટાળી ભવજળ તાર્યારે ।

તોયે ન માન્યું નાથનું મનરે, કર્યા જન તારવા જગનરે ।।૧૧।।

જાણ્યું જગ્નમાં જમશે જે અન્નરે, જાશે ધામે તે થાશે પાવનરે ।

એમ જગ્ન કર્યા બહુ જાગેરે, જમ્યા દ્વિજ અતિ અનુરાગેરે ।।૧૨।।

ક્ષત્રી વૈશ્ય ને શુદ્ર વળીરે, જમ્યા બહુ જન એઆદિ મળીરે ।

લેખું ન થાય લાખ હજારેરે, એમ જમાડ્યા જગ આધારેરે ।।૧૩।।

જેજે જમ્યા એ જગનનું અન્નરે, પામ્યા પરમ પ્રાપ્તિ પાવનરે ।

એમ વે’તી કીધી છે જો વાટરે, બ્રહ્મમોહોલ માંહિ જાવા માટરે ।।૧૪।।

જેજે જીવ પામીયા સંબંધરે, તેના છોડાવિયા ભવ બંધરે ।

આપ પ્રતાપે અક્ષરધામેરે, સહુને પો’ચાડિયા ઘનશ્યામેરે ।।૧૫।।

કેના જોયા નહિ ગુન્હા વાંકરે, એવો આજ વાળ્યો આડો આંકરે ।

આ સમામાં જેનો અવતારરે, તેના ભાગ્ય તણો નહિ પારરે ।।૧૬।।

ત્યાગે કરી તપી ખપી જાયરે, તોયે પણ એ ધામે ન જવાયરે ।

સર્વે પાર છે સુખની સીમારે, જન સે’જે સે’જે જાય તેમાંરે ।।૧૭।।

સે’જે સે’જે આપેછે આનંદરે, સમરથ સ્વામી સહજાનંદરે ।

સિંધુ પર્યંત ભૂમિના વાસીરે, સહુ થયા એ ધામના નિવાસીરે ।।૧૮।।

એવો પ્રગટાવ્યો પોતે પ્રતાપરે, તેણે ઉદ્ધારિયા જન આપરે ।

એવાં કર્યાં અલૌકિક કાજરે, તોયે રિઝયા નહિ મહારાજરે ।।૧૯।।

જાણે હજીયે કાંયે ન કીધુંરે, મને સેવીને સુખ ન લીધુંરે ।

પામે સુખ મારી પૂજા કરીરે, અશન વસન ભૂષણે ભાવ ભરીરે ૨૦

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમલ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે નવમઃ પ્રકારઃ ।।૯।।

દોહા - પ્રેમે કરીને પૂજા તણી, હરિજને ન પૂરિ હોંસ ।

સેવિ ન શક્યા સ્વામીને, અતિ રહિ ગયો અપશોષ ।।૧।।

મ ત્ સ્ ય ા િ દ ક મ ા ે ય ેર્ ધ ય ાર્ , અ સ ં ખ્ ય ા ત અ વ ત ા ર ।

કારજ નિમિત નવાં નવાં, તન ધર્યાં નિરધાર ।।૨।।

જળ સ્થળમાં જાણજો, અવતાર ધર્યા છે અનેક ।

સર્વે જીવને સુખ આપવા, હોય ન હોય એ એક ।।૩।।

સ ે વ ક ન ે સ ે વ ી સ ુ ખ લ ે વ ુ ં , ક ે વ ુ ં થ્ ા ય ા પ ુ ર ણ ક ા મ । એમ ન માન્યું જન મન, ત્યારે પ્રગટિયા ઘનશ્યામ ।।૪।।

ચોપાઇ-મહા મોટા મત્સ્ય અવતારરે, પણ રહ્યા તે જળ મોઝારરે ।

માનવીએ તેને ન મળાયરે, વણ મળે અજ્ઞાન ન જાયરે ।।૫।।

અન્ન જળ અંબર આભૂષણરે, તેલ ફુલેલ સુગંધિ પણરે ।

અત્તર ચંદન પુષ્પની માળારે, તેણે પૂજી શું થયા સુખાળારે ।।૬।।

કર્યાં કાંયેક જીવનાં કાજરે, પછી પધાર્યા ધામ મહારાજરે ।

કચ્છ પ્રભુ પણ કૃપા કરીરે, આવ્યા જન અર્થે તન ધરીરે ।।૭।।

જે અર્થે આવ્યા અવિનાશરે, કર્યો તે તને તેવો સમાસરે ।

બહુ જીવને અર્થ ન આવ્યારે, આવી દેવ દાનવ સમજાવ્યારે ।।૮।।

વ પ ુ વ ા ર ા હ વ ા લ મ ેં લ ી ધ ુ ં ર ે , પ ૃ થ્ વ ી ન ુ ં ત ે ક ા યર્ ક ી ધ ુ ં ર ે । તેને પણ બીજાં બહુ મળીરે, સુખ ન લીધું સેવિને વળીરે ।।૯।।

નૃસિંહ રૂપ નઉત્તમ તનરે, ધારી ઉધ્ધારિયા નિજજનરે ।

પણ ક્રોધે ભર્યા ભયંકારરે, કેમ સેવિ શકે નરનારરે ।।૧૦।।

વામનજીએ વપુને ધારીરે, લીધી પૃથવી પિંડ વધારીરે ।

બલી બોલે બાંધ્યો બહુપેરરે, પછી વર દઇ વસિયા ઘેરરે ।।૧૧।।

પરશુરામ રૂપે પ્રગટ થઇ રે, કરી નક્ષત્રિ પૃથવી લઇરે ।

તેમાં સહુનો ન થયો સમાસરે, સેવી સુખ ન પામિયા દાસરે ।।૧૨।।

રામરૂપ ધરી થયા રાજરે, કર્યાં મોટાં મોટાં બહુ કાજરે ।

તેતો લખાણાં લાખો ઠેકાંણેરે, દેવ દાનવ માનવ જાણેરે ।।૧૩।।

પણ દીન દાસ રહી પાસરે, પૂજી પુરી કરી નહિ આશરે ।

શું આપીને ઓશીંગલ થાયરે, રાંકે રાજાને કેમ પૂજાયરે ।।૧૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

કૃષ્ણાવતારમાં ક્રીડા કરીરે, બહુ તાર્યા એ અવતાર ધરીરે ।

તે છે વાત પુરાણે પ્રસિદ્ધરે, લખી વ્યાસજીએ બહુ વિધરે ।।૧૫।।

દિધાં સેવકને સુખ ભારીરે, સેવી સુખ પામ્યા નરનારીરે ।

પણ એમના એમ ન રહ્યારે, પછી રાજાઅધિરાજ થયારે ।।૧૬।।

ત્યારે સહુને મળ્યાનું સુખરે, ન રહ્યું થયું દાસને દુઃખરે ।

બુદ્ધ કલકિ બે અવતારરે, પ્રયોજને પૃથવી મોઝારરે ।।૧૭।।

તેતો કરીલિયે જ્યારે કામરે, પાછા પધારે પોતાને ધામરે ।

એહ આદિ બહુ અવતારરે, તેતો અવતારીના નિરધારરેે ।।૧૮।।

પણ સર્વે રીતે સુખકારીરે, તેતો પુરુષોત્તમ અવતારીરે ।

તેહ પોતે પધાર્યા છે આજરે, અક્ષરધામના ધામી મહારાજરે ।।૧૯।।

માટે સર્વે રીતે સેવ્યા જેવારે, આજ અલબેલો થયા છે એવારે ।

સહુ જનની પુરવા હામરે, આવ્યા આપે કહું ઘનશ્યામરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે દશમઃ પ્રકારઃ ।।૧૦।।

દોહા - પુરુષોત્તમ પધારિયા, સર્વે અવતારના આધાર ।

અગણિત જીવ આ જગતના, તે સહુની લેવા સાર ।।૧।।

સ્થૂળ સૂક્ષ્મ જે જળે સ્થળે, જીયાં જીયાં રહ્યા’તા જન ।

તિયાં તિયાંથી તારિયા, આવી ભૂમિપર ભગવન ।।૨।।

ક ા ે ઇ પ્ર ક ા ર ન ા ે પ્ર ા ણ ધ ા ર ી , પ ા િ મ ય ા જ ે પ્ર સ ં ગ ।

તે સહુ સુખીયા થયા, ગયા અક્ષરે થૈ શુદ્ધ અંગ ।।૩।।

જેમ અર્કને ઉગવે કરી, રહે નહિ અણુએ અંધાર ।

તેમ સહજાનંદ સૂર્યથી, જન પામિયા સુખ અપાર ।।૪।।

ચોપાઇ-બહુ અવતારના જે દાસરે, તેની પુરી કરવાને આશરે ।

ધર્યું રૂપ અલૌકિક એવુંરે, સહુને પૂજવા સેવવા જેવુંરે ।।૫।।

સહુ લોકને આવિયો લાગરે, મળ્યો મહાસુખ લેવાનો માગરે ।

મત્સ્યાદિકના રહ્યા’તા મુંઝાઇરે, સેવી સુખ લેવા મનમાંઇરે ।।૬।।

તે સહુનું ઉઘાડિયું બારરે, નાના મોટાનું એકજ વારરે ।

લિયો લાવો દાવો ભલો આવ્યોરે,આવ્યો અવસર આજ મન ભાવ્યોરે. ।।૭।।

જેવી સમૃદ્ધિ જેવી સામગરિરે, તેવે પૂજો પ્રસન્ન થાશે હરિરે ।

અશન વસન ભૂષણે ભાવ ભરીરે, પૂજો ફળ ફુલ મૂળ કંદે કરીરે ।૮।।

જળ દળ જે જે કાંઇ મળેરે, પૂજો પૂજાશે આજ સઘળેરે ।

કુંકુમ કસ્તુરી કપૂર કેસરરે, અર્ઘ્ય અગર ચંદન અત્તરરે ।।૯।।

ધન ધાન્ય વૃક્ષને વાહનેરે, ગાય ગવા મહિષી સદનેરે ।

વાડી ખેત્ર વસુંધરા વળીરે, સેજ પલંગ પાથરણાં મળીરે ।।૧૦।।

ગાદી તકીયા ઓછાડ ઓસિસેરે, જેજે આપશો તે આજ લેશેરે ।

કમળનાળ ડોડાં ડોડી પાન રે, લઇ રાજી થાશે ભગવાનરે ।।૧૧।।

દ ુ ધ મ ધ દ હ ી ં મ હ ી વ ળ ી ર ે , ઘ ી ગ ા ે ળ શ કર્ ર ા ગ ળ ી ર ે । ઇક્ષુદંડ ખાંડ ને ખારેક રે, એહ આદી વસ્તુ જે અનેકરે ।।૧૨।।

પાન બીડી લવીંગ સોપારીરે, જાયફળ એલા તજ સારીરે ।

એહ આદી જમવાનાં જેહરે, આવે ઉત્તમ પૂજવામાં તેહરે ।।૧૩।।

જેજે શુધ્ધ વસ્તુ સુખદાઇરે, તેતે આવે સર્વે સેવામાંઇ રે ।

એવો આજનોછે અવતારરે, સહુ જીવને સુખ દેનારરે ।।૧૪।।

હળી મળી પાસે રહીયેરે, પગ પૂજી સ્પર્શી સુખ લૈયેરે ।

એમ સહુને બહુ સુગમરે, થયા પોતે તે પૂરણ બ્રહ્મરે ।।૧૫।।

સર્વે અવતારનો જે સંકોચરે, ભાગ્યો ભક્તનો ન રાખી પોચરે ।

મત્સ્ય કચ્છ વરાહ નરસિંગરે, તેતો મનુષ્યથી વિજાતિ અંગરે ।।૧૬।।

સજાતિ વિના સુખ ન આવેરે, માટે નરપ્રભુ ભક્તને ભાવેરે ।

ધરે નરતન હોય નરેશરે, તોય બહુને ન હોયે ઉપદેશરે ।।૧૭।।

વિપ્ર ક્ષત્રિ ન સાંભળે વાતરે, વૈશ્ય શુદ્ર કરે વાત ઘાતરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

માટે આ જે લીધો અવતારરે, શોધી સારતણું ઘણું સારરે ।।૧૮।।

સૌને સુગમ અગમ નહિ અણુંરે, સર્વે આગમે નિગમે ઘણુંરે ।

થયા એવા પોતે પૂર્ણકામરે, પુરી સર્વે જીવની હામરે ।।૧૯।।

તોય વળતું વિચાર્યું છે એમરે, બહુ જીવ તે ઉધ્ધરે કેમરે ।

દઇ દર્શન દોષ નિવારુંરે, તેણે પામે પરમ ધામ મારુંરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકાદશઃ પ્રકારઃ ।।૧૧।।

દ ા ે હ ા - મ ા ે ટ ી મ ે ’ ર ક ર ી હ િ ર , પ ધ ા િ ર ય ા પ ૂ ર ણ ક ા મ । અનેક જીવને આપવા, પોતાનું પરમ ધામ ।।૧।।

દ ય ા િ ન િ ધ દ ય ા ક ર ી , જી વ જ ક્ ત ન ા ઉ પ ર જા ે ર ।

તાન એક જીવ તારવા, ધારિ વપુ ધર્મકિશોર ।।૨।।

અહોનિશ એ ઉપાયમાં, રહ્યા છે રાજ અધિરાજ ।

અમિતને અભય કરવા, સોંપવા સુખ સમાજ ।।૩।।

પડતું મેલ્યું પૂજા સ્પર્શનું, દરશનનું રાખ્યું દાન ।

જે જન નિરખે નાથને, તે પામે સુખ નિદાન ।।૪।।

ચોપાઇ-એહ અર્થે કરે છે ઉપાયરે, નિત્ય નવાનવા મનમાંયરે ।

જાણે સૌજન દર્શન કરેરે, ભાવે અભાવે નામ ઓચરેરે ।।૫।।

લેતાં સ્વામિનારાયણ નામરે, થાયે પ્રાણી તે પૂરણકામરે ।

લેશે નામ નિરખશે નેણેરે, પરમ પ્રાપ્તિ પામશે તેણેરે ।।૬।।

માટે મોટા ઉત્સવ સમૈયારે, કરું જાય નહિ કેણે કૈયારે ।

પછી ફુલદોલ રામનૌમીરે, પ્રબોધની એકાદશી સૌમીરે ।।૭।।

તેદિ આવે લાખોલેખે જનરે, કરે મહાપ્રભુનાં દરશનરે ।

જાુવે સભા સામું સુખકંદરે, અમૃતદ્રષ્ટિએ આપે આનંદરે ।।૮।।

સ હ ુ જ ન ત ણ ા ત ા પ હ ર ે ર ે , સ ુ ખ શ ા ં િ ત અ ં ત ર મ ા ં ક ર ે ર ે ।

સહુ સુખિયા થઇ જન મનેરે, જાય પોત પોતાને ભવનેરે ।।૯।।

રાત્યદિ સાંભરે સ્વામી સંતરે, તેણે રાજી રહેછે અત્યંતરે ।

કરતાં એ લીળાનું ચિંતવનરે, તેણે પામે પરમ ધામ જનરે ।।૧૦।।

એવા સમૈયા વરસો વરસરે, કરે એકબીજાથી સરસરે ।

તેમાં કૈક પૂજે કૈક સ્પરશે રે, સૌને આનંદના ઘન વરસેરે ।।૧૧।।

નિત્ય નવી કરે નાથ લીળારે, ત્યાગી ગૃહી કરી બહુ ભેળારે ।

સંત બટુ સન્યાસી સમોહરે, જેને કામ લોભ નહિ મોહરે ।।૧૨।।

જોઇ એવાને જક્તનાજનરે, સહુ કે’છે કરી ધન્ય ધન્યરે ।

સંત શ્રીહરિને દરશનેરે, પામે મહામોટો આનંદ મનેરે ।।૧૩।।

એવા જન જગતમાં જેહ રે, પામ્યા અક્ષરધામને તેહરે ।

એવો કર્યો મોટો ઉપકારરે, બહુ જીવ કરવા ભવપારરે ।।૧૪।।

બંધ થઇ ગયાં બીજાં બારરે, પરમપદ પામ્યા નરનારરે ।

જીવ સંયમનીએ શીદ જાયરે, પ્રગટ પ્રભુજી છે પૃથવી માંયરે ।।૧૫।।

આજ શક્કો સહજાનંદ તણોરે, બેઠો બળવંત બળિયાનો ઘણોરે ।

જ્યારે પ્રગટિયા પ્રભુ પોતે રે, જોયા નજરે આવ્યા જીવ જોતેરે ।।૧૬।।

સ્વર્ગ મર્ત્યલોક ને પાતાળરે, દિઠા તેને દુઃખિયા દયાળરે ।

તેને છોડાવ્યા બંધથી છેકરે, ગયા એ પણ ધામે અનેકરે ।।૧૭।।

બેસે રાજા ગાદિ પર કોયરે, છોડે બંધીવાનના બંધ સોયરે ।

તેમ બંધથી છોડાવ્યા બહુ જનરે, પોતે પ્રગટી શ્રીભગવનરે ।।૧૮।।

મહા મોટો પ્રતાપ પ્રગટાવીરે, રીત નૌતમ ન્યારી ચલાવીરે ।

જેને ઉપર નહિ બીજો કોયરે, તેતો જેમ કરે તેમ હોયરે ।।૧૯।।

સૌના નાથ નિયંતા સ્વામીરે, સૌ ધામતણા પણ ધામીરે ।

તેતો અઢળક આજ ઢળિયારે, થયા સુખી જન જેને મળિયારે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે દ્વાદશઃ પ્રકારઃ ।।૧૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

દોહા - દેશોદેશથી આવે દરશને, નિ’મ ધારી સહુ નરનાર ।

આવિને નિરખે નાથને, તેણે લિયે સુખ અપાર ।।૧।।

સ મ ૈ ય ે સ મ ૈ ય ે સ ુ ખ દ ે વ ા , ઉ ત્ સ વ ક ય ાર્ અ ન ે ક ।

દયા કરી દીનબંધુએ, જીવ નિર્ભય કરવા નેક ।।૨।।

ત ે હ જ અ થ્ ા ેર્ ત ા ન છ ે , જી વ મ ા ે ક લ વ ા િ ન જ ધ ા મ ।

આવ્યા કારજ એ કરવા, ઘણે હેતે કરી ઘનશ્યામ ।।૩।।

એટલા માટે અનેક રીતે, કરે ઉપાય આઠું જામ ।

જ્યાંજ્યાં ઉત્સવ સમૈયા કર્યા, કહું તેતે ગામનાં નામ ।।૪।।

ચોપાઇ-સહુથી મોર્યે ઉત્સવ માંગરોલરે, થયા જન ત્યાં ભેળા અતોલરે ।

પછી લોજે કરી બહુ લીળારે, ત્યાં પણ થયા’તા જન બહુ ભેળારે ।।૫।।

અ ગ ત્ર્ ા ા ય ે અ ા ઠ મ ઉ ત્ સ વ ર ે , ક ર ી ત ા ય ાર્ જી વ ક ૈ ભ વ ર ે । ભલી ભાડેરે આઠમ ભજાવીરે, કરી લીળા માણાવદ્ર આવીરે ।।૬।।

મ ે ઘ પ ુ ર ન ા ઉ ત્ સ વ મ ા ં ઇ ર ે , િ દ્વ જ જ મ ા ડ ી ક ર ી ભ લ ા ઇ ર ે ।

પંચાળાનો સમૈયો પ્રસિદ્ધરે, આપ્યાં સુખ સહુને બહુવિધરે ।।૭।।

જૂનેગઢ જઇ મહારાજરે, કરી ઉત્સવ કર્યાં બહુ કાજરે ।

ધોરાજીની લીળા ધન્યધન્યરે, જોઇ જન થયા છે મગનરે ।।૮।।

કરિયાણામાં ઉત્સવ કીધોરે, બહુ જનને આનંદ દીધોરે ।

ગઢડાની તો નહિ આવે ગણતિરે, યાં તો ઉત્સવ કર્યા છે અતિરે ।।૯।।

કારિયાણીના કેટલાક કહુંરે, યાં તો લીળા કરી બહુ બહુરે ।

સારંગપુર છે સારું ગામરે, કરી ઉત્સવ સાર્યું સૌનું કામરે ।।૧૦।।

બોટાદમાં લીળા બહુ બનીરે, ભલી ભજાવિ છે હુતાશનીરે ।

લોયે લીધો સહુ જને લાવરે, પુરા કર્યા છે ભક્તના ભાવરે ।।૧૧।।

નાગડકાની લીળા જન જાણેરે, સારો સમૈયો સુંદરીયાણેરે ।

કરમડની વાત શું કહુંરે, નાથ નિરખી સુખી થયા સહુરે ।।૧૨।।

કાળુતળાવ માંડવી તેરારે, કર્યા ભુજે ઉત્સવ કઇ વેરારે ।

મછિયાવ્યમાં મહારાજ આવીરે, ભલિ હુતાશની ત્યાં ભજાવીરે ।।૧૩।।

જ ે ત લ પ ુ ર મ ા ં જ ગ ન ક ી ધ ા ર ે , ક ં ઇ જ ન ન ે શ ર ણ ે લ ી ધ ા ર ે । અમદાવાદની ચોરાશી કીધીરે, કર્યું ખોખરે કામ પરસિધિરે ।।૧૪।।

આદરોજનો અન્નકૂટ કીધોરે, કર્જીસણે જને લાવો લીધોરે ।

સિદ્ધપુરનો સમૈયો સુંદરરે, કર્યો અલબેલે આનંદભરરે ।।૧૫।।

વડથલ પિપળિ તવરા કાવ્યારે, થયા સમૈયા પોતે ન આવ્યારે ।

ડભાણની લીળા કહી દાખુંરે, જિયાં જન મળ્યા હતા લાખુંરે ।।૧૬।।

વડતાલની લીળા વખાણીરે, લખે લખતાં મેં ન લખાણીરે ।

વડોદરામાં વાલ્યમ જઈરે, તાર્યા જન દરશન દઇરે ।।૧૭।।

સુરત પધારિ શ્યામ સુંદરરે, તાર્યા દરશને કઈ નારી નરરે ।

ધર્મપુરમાં ધરિયો મુગટરે, કર્યો વાંસદે ઉત્સવ અમટરે ।।૧૮।।

એહ રીત્યે બીજે ઘણે ગામરે, સંગે સંત લઇ ફર્યા શ્યામરે ।

એમ પવિત્ર કરી પૃથવીરે, તાર્યા જીવ કાઢિ રીત નવીરે ।।૧૯।।

અતિ આનંદ જનને પમાડ્યુંરે, બ્રહ્મમો’લનું બાર ઉઘાડ્યુંરે ।

સહુ જાઓ ધામમાં આ સમેરે, સ્વામી સહજાનંદને હુકમેરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રયોદશઃ પ્રકારઃ ।।૧૩।।

દોહા - એમ અનેક ઉત્સવ કર્યા, ફર્યા વળી ગામોગામ ।

આપી દરશન આપનું, જન કર્યા પૂરણકામ ।।૧।।

દ ે શ પ્ર દ ે શ ે પ ધ ા િ ર ય ા , જ ન હ ે ત ે જી વ ન પ્ર ા ણ ।

પરમારથ અર્થે કરી, પ્રગટ્યા શ્યામ સુજાણ ।।૨।।

દ ય ા ળ ે દ ય ા ક ર ી , ધ ર ી મ ૂ ર િ ત મ ં ગ ળ રૂ પ ।

જેજે પ્રસંગ જન પામિયા, તે થયા શુધ્ધ સ્વરૂપ ।।૩।।

નખશિખ રૂપ નાથનું, જાણો કલ્યાણના છે કોટ ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

જેણે નિરખ્યા નયણે ભરી, તેને ના રહી કંઇ ખોટ ।।૪।।

ચોપાઇ-જેણે જોયાં ચરણ રૂપાળાંરે, સોળે ચિહ્ન સહિત શોભાળાંરે ।।

પગ જમણા અંગુઠામાં રેખરે, જોઇ મિટે તે મેષોનમેષરે ।।૫।।

જેણે પગ આંગળી વળી પેખીરે, પામ્યા ધામ ધન્ય કમાઇ લેખીરે ।

નખ જોયા છે જેણે નિહાળીરે, જોઇ ફણાની શોભા રૂપાળીરે ।।૬।।

ઘુંટી પેની પીંડી પેખી હામેરે, તેતો પો’તા છે અક્ષર ધામેરે ।

જાનુ ઉરુ જોયા જેણે ઝાંખીરે, દુંદ ફાંદ જોઇ રૂદે રાખીરે ।।૭।।

કટિ જોઇ મોહ્યું મન જેનુંરે, થયું અક્ષરમાં ઘર તેનુંરે ।

જોઇ નાભિને નયણાં ભરીરે, વળી પેટ જોયું પ્રેમે કરીરે ।।૮।।

નળ સ્તન નિરખિયા જેણેરે, કર્યો વાસ અક્ષરમાં તેણેરે ।

છાતિ હૈયું જોયું જેણે હેરીરે, પામ્યા પ્રાપ્તિ તે ધામ કેરીરે ।।૯।।

કુખ પડખાં બે જે બગલુંરે, તે જોઇ કરી લીધું છે ભલુંરે ।

ખભા ભુજા જોઇ જેણે દ્રગેરે, તેહ પામ્યા ધામ ઉછરંગેરે ।।૧૦।।

બેઉ ડેડરિયો બહુ રૂપાળીરે, કોણી કલાઇ જેણે નિહાળીરે ।

કાંડાં કરભ જોઇ મન મોહ્યુંરે, હાથ હથેળીયે ચિત્ત પ્રોયુંરે ।।૧૧।।

જોઇ જે જને રેખા રૂપાળીરે, પામ્યા બ્રહ્મમોલ ભાગ્યશાળીરે ।

પોંચેપાંચ આંગળી પ્રવરરે, નિરખિ તસુ ટેરવાં સુંદરરે ।।૧૨।।

ન ખ િ ન ર િ ખ હ ર ખ શ ે ઉ ર ર ે , જા શ ે બ ્ર હ્મ મ ા ે ’ લ ે જ રુ ર ર ે ।

કર સુંદર જોશે બે સારરે, નિરખે પરમ સુખ દેનારરે ।।૧૩।।

કંઠ ખાડા વચ્ચે એક તિલરે, દાઢિ હોઠ દાંત જે અવલરે ।

જિહ્વાં નાસિકા કપોળ સારરે, જોયે પરમ સુખના દેનારરે ।।૧૪।।

ડાબા કાનમાં બિંદુ જે શ્યામરે, જે જાુવે તે પામે સુખધામરે ।

વાંસે તિલ મોટો જોયો જેણેરે, ખરું કર્યું ધામે જાવા તેણેરે ।।૧૫।।

આંખો પાંપણો ભ્રકુટિ ભાળીરે, ભાલ વચ્ચે રેખા જે રૂપાળીરે ।

નલવટ તાળુ છે રૂપાળું રે, જેણે જોયું મુખ મરમાળુંરે ।।૧૬।।

વળી કેશ જોયા શ્વેત શ્યામરે, તે સહુ પામીયાં પરમ ધામરે ।

જેણે નખશિખ નિરખ્યા નાથરે, તે તો સહુ જન થયાં સનાથરે ।।૧૭।।

એવા સર્વે અંગે સુખકારીરે, જેણે જોયા તેનાં ભાગ્ય ભારીરે ।

એવી મૂરતિ મંગળરૂપરે, નખશિખા લગી સુખ સ્વરૂપરે ।।૧૮।।

નથી એમાં અમંગળ અણુંરે, શું હું કહી દેખાડું ઘણુંઘણુંરે ।

મૂર્તિ મનોહર છે મરમાળીરે, બ્રહ્મ’મોલ જવાય એને ભાળીરે ।।૧૯।।

અતિ અનુપમ છે જો અકળરે, બહુ સહુથી છે જો સબળ રે ।

એ તો સર્વના કારણ આવ્યારે, જે કોઇ સ્વામી સહજાનંદ કા’વ્યારે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચતુર્દશઃ પ્રકારઃ ।।૧૪।।

દોહા - જગજીવન જગ કારણે, પોતે પ્રગટિયા પરબ્રહ્મ ।

સુખદાયક જન સહુના, પૂરણ પુરુષોત્તમ ।।૧।।

સ ુ ં દ ર મ ૂ ર્િ ત સ ા ે ય ા મ િ ણ , અ િ ત રૂ પ ા ળ ી ર ં ગ ર ે લ ।

મનભાવન મહારાજની, છબી શોભાએ ભરેલ ।।૨।।

અ ે વ ી મ ૂ ર્િ ત અ વ લ ા ે િ ક ન ે , ક હ ા ે ક ા ે ણ ન ક ર ે પ્ર ી ત ।

જન જુવે જે ઝાંખી કરી, તેનું ચોરાઇ જાય ચિત્ત ।।૩।।

જ ે જ ે િ ક્ર ય ા જ ગ દ ી શ ક ર ે , જ ન ધ ર ે ત ે ન ુ ં ધ્ ય ા ન ।

તે તે જાય હરિ ધામમાં, નકિ વાત નિદાન ।।૪।।

ચોપાઇ-જેજે રીતે જોયા જગપતિરે, તેતે પામિયા પરમ પ્રાપતિરે ।

સુતાં જાગતાં દાતણ કરતાંરે, તેલ ફુલેલ અત્તર ચોળતાંરે ।।૫।।

ના’તાં અંગે અંબર પે’રતાંરે, વળી ચાખડીપર ચડતાંરે ।

શ્વેત પછેડી અંગે ઓઢતાંરે, દીઠા જીવન જેણે જમતાંરે ।।૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

જમ્યા જે જાયગા જેને ઘેરરે, શાક પાક સુંદર સારી પેરરે ।

લેહ્ય ચોષ્ય ભક્ષ્ય ભોજનરે, દિઠા જમતા જેણે જીવનરે ।।૭।।

એવી મૂર્તિ જે જને જોઇરે, પામ્યા પરમ ધામને સોઇરે ।

જોયા જીવનને પૂજ્યા જનેરે, કુંકુમ કસ્તુરી સુગંધિ ચંદનેરે ।।૮।।

અંગે દિગંબર વાઘાંબરરે, મૃગાજિન ને દિઠા ટાટાંબરરે ।

ગોેદડી ને ચાદર ચોફાળરે, દિઠા ઓઢેલે દીનદયાળરે ।।૯।।

ધોતી ગુડકિ ગૂઢે રંગે રેટેરે, કસિ કમર દૂસાલ ફેંટેરે ।

અંગરખી સુરવાળ જામેરે, જોઇ કૈક ગયા હરિધામેરે ।।૧૦।।

ડ ગ લ ી સ ા ે ન ે ર ી રૂ પ ે િ ર ય ે ર ે , િ ક ન ખ ા પ ન ી હ ૈ ય ેં ધ ા િ ર ય ે ર ે । ડગલી જરિની બોર કસુંબા વાળીરે,ચકમો પટુ પાંમરી રૂપાળીરે ૧૧।।

બોરી ચોફાળ સાલ દુસાલેરે, ડગલી ગર્મ પોસની રૂમાલેરે ।

પાઘ કસુંબી સોનેરી સારીરે, બાંધિ બોકાની લિયે ઉર ધારીરે ।।૧૨।।

મુગટ કુંડળ મનમાં ધારેરે, ટોપી કેવડા ફુલની સંભારેરે ।

ગુંજાહાર જોયા કરી હામેરે, તેતો જન ગયા હરિધામેરે ।।૧૩।।

ત ા ે ર ા ગ જ ર ા ન ે ક ં ક ણ ર ે , હ ા ર ફ ુ લ ન ા જા ે ય ા અ ન ક ણ ર ે ।

મોતી પરવાળાં ને કપૂરરે, તેના અતિ શોભે હાર ઉરરે ।।૧૪।।

વેઢ વીંટિ ને કડાં સોનાનેરે, ખોશ્યાં ફુલ સોનાનાં બે કાનેરે ।

એહ આદિ આભૂષણ ભારીરે, ધર્યાં અંગે એવી છબી ધારીરે ।।૧૫।।

જેહ જન કરે છે ચિંતવનરે, તે થાય છે પરમ પાવનરે ।

બેઠા ખાટ પાટ ને પલંગેરે, જોયા ખુરસી ઢોલિયે ઉમંગેરે ।।૧૬।।

સાંગામાંચી ગાદી ચાકળેરે, મેડે મંચે આસન સઘળેરે ।

ગોખ વાણ વંડી દેવોલેરે, કુબા ઘર મેડી આદિ બોલેરે ।।૧૭।।

મંદિર મંડપ દલિચા ચાદરેરે, તંબુ રાવટીયે બહુ વેરેરે ।

અટારી અગાશી ઓટે આંગણેરે, દિઠા તિયાં બેઠા ભાવ ઘણેરે ।।૧૮।।

ગાડી વે’લ્ય આદિ જે વાહનરે, ગજ બાજે બેઠા જોયા જનરે ।

તે જન જાશે બ્રહ્મમો’લમાંઇરે । તેમાં સંશય કરશો માં કાંઇરે ।।૧૯।।

એમ શ્રીમુખે કહ્યું તે સંભારિરે, વાત લખીછે સારી વિચારીરે ।

તેતો જુઠી નથી જરાભારરે, સહુ નિશ્ચે જાણો નિરધારરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચદશઃ પ્રકારઃ ।।૧૫।।

દોહા - એમ કહ્યું’તું કૃપા કરી, હરિજન પર કરી હિત ।

જે જે મેં લીળા કરી, તે જન ચિંતવજો નિત ।।૧।।

જનમ કરમ જે માહેરાં, ગાયે સાંભળે સંભારે સોય ।

તે જન જરૂર જાણજો, મારા ધામના વાસી હોય ।।૨।।

એમાં કાંઇ અટપટુ નથી, જાણી લેજો જન જરુર ।

અન્ય ઉપાય અળગા કરી, ધારી લિયો એટલું ઉર ।।૩।।

ભવજળ પાર ઉતરવા, જાણો મારાં ચરિત્ર છે ઝાજ ।

માટે સૌને સંભારવાં, એમ શ્રીમુખે કહે મહારાજ ।।૪।।

ચોપાઇ-એ છે વાત ધારવા જેવીરે, ધારી વિચારી સહુને લેવીરે ।

જોવા મુક્તને મધ્યે મહારાજરે, સહુ લઇ પોતાનો સમાજરે ।।૫।।

પૂજ્યા મુનિએ બહુ પ્રકારેરે, સુંદર લઇ ષોડશ ઉપચારેરે ।

કરે સ્તુતિ મુનિ જોડી હાથરે, એવી રીત્યે સંભારે જે નાથરે ।।૬।।

એતોેે ચિંતવન છે જો એવુંરે, બ્રહ્મમો’લે લઇ જાવા જેવુંરે ।

વળી મળતા મુનિને મહારાજરે, લેતા ચરણ છાતિયે મુનિરાજરે ।।૭।।

વળી જમાડતા મુનિ જનરે, ભાત્ય ભાત્યનાં લઇ ભોજનરે ।

પ્રેમે પિરસતા પોતે નાથરે, લઇ લાડવા જલેબી હાથરે ।।૮।।

નાના કરતાં જમાડતા જોરેરે, એવી મૂર્તિ સંભારો નિશ-ભોરેરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

આપે મુખમાં લાડુ જલેબીરે, આવે સુખ સંભારે એ છબીરે ।।૯।।

દ ે ત ા દ હ ી દ ૂ ધ દ ા ે વ ટ ર ે , ઢ ા ે ળ ી મ ા થ્ ા ે હ િ સ ચ ા લ ે ચ ટ ર ે । ખાંડ સાકર દેતા પોશ ભરીરે, એવી મૂર્તિ રાખો રુદે ધરિરે ।।૧૦।।

એમ સંભારતાં ઘનશ્યામરે, નિશ્ચે પામશો પરમ ધામરે ।

વળી ચિંતવો ચટકંતી ચાલરે, જોતાં લટકાં થાશો નિહાલરે ।।૧૧।।

હસવું બોલવું રમવું સંભારીરે, ત્રોડે તાન તાળી સુખકારીરે ।

અંગ દબાવતાં અવિનાશરે, બહુ બળે દાબતા તે દાસરે ।।૧૨।।

શીત ઋતુમાંહી સંભારતાંરે, જોયા છાતિ કાઢિને તાપતાંરે ।

ચકમો ચોફાળ ને રજાયેરે, એવા સંભારી રાખો ઉરમાંયેરે ।।૧૩।।

ઉષ્ણ ઋતુમાંહિ અવિનાશીરે, સંભારતાં મૂર્તિ સુખરાશીરે ।

નાખે પંખે શું દાસ પવનરે, શીતળ છાયાયે બેસી જીવનરે ।।૧૪।।

પ ી ત ા ન ી ર િ ન મર્ ળ ન ા થ્ ા ર ે , પ ે ટ ઉ પ ર ફ ે ર વ ત ા હ ા થ્ ા ર ે ।

પીતા પયશરકરા સારીરે, એવી મૂર્તિ રાખો ઉર ધારીરે ।।૧૫।।

ચોમાસામાં ઓઢેલ કામળીરે, ધરી છતરી શિરપર વળીરે ।

એમ સંભારી શ્યામ સુખકારીરે, થાયે અક્ષરધામ અધિકારીરે ।।૧૬।।

હૈયે હાર અપાર સહિતેરે, રાખે હરિ મૂર્તિ હેતે પ્રીતેરે ।

સુંદર ચાંદલા સહિત લલાટરે, જોવું બ્રહ્મમોહોલ જાવા માટરે ।।૧૭।।

જેજે રીત્યે જોયા જન જેણેરે, કરી લીધું નિજ કાજ તેણેરે ।

જેજે એમ ચિંતવેછે જનરે, તેતે પામે અક્ષર પત્તનરે ।।૧૮।।

એવો મોટો છે આ અવતારરે, સર્વે રીતે છે સહુને પારરે ।

ઘનશ્યામ નામનો એ અર્થરે, કરવા હરિ સહુને સમર્થરે ।।૧૯।।

તેમ સહુ જનને સુખ દેવારે, પ્રભુ પ્રગટ્યા આ સમે એવારે ।

આપ્યો બહુ જનને આનંદરે, સુખદાયક શ્રીસહજાનંદરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે ષોડશઃ પ્રકારઃ ।।૧૬।।

દોહા - વળી સંભારવા શ્રીહરિ, જેવી રીતે જોયા હોય ।

સુખ થાવાની સંપત્તિ, એહ જેવી બીજી નહિ કોય ।।૧।।

અન્ન વિના જેમ ભૂખ ન ભાગે, તૃષા જાય નહિ વણ તોય ।

શીત ન વીતે વહ્નિ વિના, તેમ નાથ વિના સુખ નોય ।।૨।।

ઇચ્છે સુખ કોઇ અંતરે, તે સંભારે સુંદર શ્યામ ।

જે સંભારે સુખ ઉપજે, વળી પામિયે પરમ ધામ ।।૩।।

જેમ રવિમંડળે રજની નહિ, શશિમંડળે નહિ તલ તાપ ।

તેમ મૂર્તિ મહારાજની, હરણ સર્વે સંતાપ ।।૪।।

ચોપાઇ-એવી મૂર્તિ અતિ સુખકારીરે, સહુને રાખવી હૃદે સંભારીરે

બેઠા દિઠા દિવી અંજવાળેરે, હાંડી મેતાબ રૂડે રૂપાળેરે ।।૫।।

જા ે ય ા શ િ શ સ ૂ યર્ ન ે ત ે જ ે ર ે , અ ે હ િ વ ન ા પ્ર ક ા શ બ ી જ ે ર ે । ઝળમળતિ મૂરતિ જોવીરે, જોઈ ચિત્તમાંહિ પરોવીરે ।।૬।।

વસંત ઋતુએ વસન વસંતિરે, પે’ર્યાં હોય અનૂપમ અતિરે ।

રમતાં દિઠા હોય સખા સંગેરે, રંગભીનો ભર્યા અતિ રંગેરે ।।૭।।

નાખે પિચકારી વારી ભરીરે, નિજજન પર હેતે હરિરે ।

વળી નાખે ગુલાલ લાલ ઘણોરે, સંભારે એ સમો સોયામણોરે ।।૮।।

અ ે હ મ ૂ ર્િ ત ધ ા ર ત ા ં ઉ ર ર ે , બ ્ર હ્મ મ ા ે ’ લ ે જા વ ા ન ુ ં જ રુ ર ર ે । વળી રંગભીનો ભર્યા રંગેરે, જેવા જોયા હતા સખા સંગેરે ।।૯।।

ના’તા નદી નદ ને તલાવેરે, કુંડ કૂવા ને સાગર વાવ્યેરે ।

તેતોે થયાં સરવે તીરથરે, જેમાં ના’યા શ્રીહરિ સમરથરે ।।૧૦।।

એવી મૂર્તિ મળી છે જેનેરે, કાંઇ બીક ન રાખવી તેણેરે ।

કરી લીધું છે સર્વે કામરે, તન છુટે જાશે નિજધામરે ।।૧૧।।

વળી સંભારવા સખા સાથેરે, ચડ્યા ઘણા મૂલા ઘોડા માથેરે ।

ધરી ઢાલ અલૌકિક અસિરે, છડી લાકડી ને વળી બંસિરે ।।૧૨।।

ખેલે શાંગ્ય કમાન ને તીરેરે, બાંધ્યો કટાર તે મહાવીરેરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

છતર ચમર અબદાગરિયેરે, એવી મૂર્તિ અંતરમાં ધરિયેરે ।।૧૩।।

બેઠા આંબા આંબલી છાંયડેરે, આસોપાલવ પીપર વડેરે ।

પીપલ બકોલ ને બોરસડીયેરે, બીજાં બહુ તરુ બોરડિયેરે ।।૧૪।।

જે જે વૃક્ષે બેઠા દિઠા નાથરે, ત્યાં ત્યાં સંભારવા સખા સાથરે ।

એહ સંભારતાં અહોનિશરે, થાય બ્રહ્મમો’લે પરવેશરે ।।૧૫।।

એમ અનેક વિધે આ વારરે, ઉઘાડ્યું છે કલ્યાણનું બારરે ।

વળી બેઠા હોય જેતે જાગેરે, ફુલવાડી ઝાડી બહુ બાગેરે ।।૧૬।।

વન ઉપવન એહ આદિરે, દિઠી મૂર્તિ રૂપાળી રાયજાદિરે ।

વળી રાજા રંકને ભવનરે, શેઠ શાહુકારને સદનેરે ।।૧૭।।

જોયા લોક પટેલને ઘેરરે, વળી બ્રહ્મસભામાં બહુ વેરરે ।

એમ જ્યાં જ્યાં જોયા જગપતિરે, મહામનોહર મૂરતિરે ।।૧૮।।

ત્યાંત્યાં સંભારતાં ઘનશ્યામરે, સરે જાણજો સઘળાં કામરે ।

એમ સોંઘું કર્યું કલ્યાણરે, સહુ જાણજો જન સુજાણરે ।।૧૯।।

જેજે આ સમે પામ્યા જનમરે, નથી કોય કે’વાતું તેને સમરે ।

જેમ પારસને કોઇ પામેરે, તેનાં સર્વ સંકટ વામેરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે સપ્તદશઃ પ્રકારઃ ।।૧૭।।

દોહા - એમ અનેક રીતે વળી ઉરમાં, જે સંભારે સુંદર શ્યામ ।

તે તન છુટે પામશે, અખંડ અક્ષર ધામ ।।૧।।

મંગળકારી સારી મૂરતિ, ધરી આજ દેવા આનંદ ।

એહ મૂર્તિની સ્મૃતિયે, તર્યાં કૈક જનનાં વૃંદ ।।૨।।

સુખનિધિ આ સંસારમાં, સહુ જન જાણો જરુર ।

મૂરતિ શ્રી મહારાજની, દઢ ધારવા જેવી ઉર ।।૩।।

જેમ જેમ જોયા જગદીશને, તેમ તેમ સંભારે સંત ।

સર્વે આચરણને સંભારતાં, પામે સુખ અત્યંત ।।૪।।

ચોપાઇ-વળી સંભારવા ઘનશ્યામરે, પુરુષોત્તમ પૂરણકામરે ।

કેને દેતા ફુલડાંની માળરે, કેને દેતા પ્રસાદિના થાળરે ।।૫।।

કેને દેતા વસ્ત્ર ને ઘરેણાંરે, કેને ફળ દલ સુખ દેણાંરે ।

કેને અન્નકણ કોરી રૂપૈયારે, દિયે નાથ દેખિને દુઃખિયારે ।।૬।।

કેને આપે છે ઘોડા ઘરેણાં ભારીરે, કેને આપે છે પાઘ ઉતારીરે ।

એવા દીનબંધુ છે દયાળુરે, સંભારતાં થાયે જો સુખાળુરે ।।૭।।

કેને મળે છે બાથમાં ઘાલિરે, કેને મગન કરે ચરણ આલિરે ।

કેને મિઠી વાણ્યે બોલાવેરે, કહે એવું જેવું એને ભાવેરે ।।૮।।

કેને અમૃત દૃષ્ટે નિહાળેરે, જોઇ જનતણા તાપ ટાળેરે ।

કેને બેસારે પ્રભુજી પાસરે, કેને સાથે કરે હરિ હાસરે ।।૯।।

એવી મૂરતિ અંતર ધારીરે, સુતાં બેઠાં રાખે જે સંભારીરે ।

તે સૌ અક્ષરના અધિકારીરે, થાશે નિશ્ચે કરી નરનારીરે ।।૧૦।।

જાણો આદ્ય અંત ને મધ્યેરે, સુખી થયા શ્યામ સંબંધેરે ।

જેણે જોયા જગનો આધારરે, તેનો બેડો થયો ભવપારરે ।।૧૧।।

હસતા રમતા ભમતા ભોમેરે, દિઠા જોઇ રે’તા વાલો વ્યોમેરે ।

વળી ગાતા વાતા ને ફરતારે, કાજુ કરનાં લટકાં કરતારે ।।૧૨।।

નીર ક્ષીર સમીર પિતારે, આસન કરતા ને મૌન ગ્રહેતારે ।

એમ જેજે રીત્યે જને જોયારે, નિરખી નાથને નયણે મોયારે ।।૧૩।।

તેતો પામિયા પરમ પ્રાપતિરે, કરી અક્ષરધામમાં ગતિરે ।

આજ અનેક રીત્યે અવિનાશરે, જોઈ સુખ પામ્યા બહુ દાસરે ।।૧૪।।

એવોે મોટો મહિમા મૂર્તિનોરે, નવીન સુખ પામવા નગિનોરે ।

કહી કહીને કહ્યું જે ઘણુંરે, મોટું માહાત્મ્ય મૂર્તિ તણુંરે ।।૧૫।।

તોયે યથારથ છે જેમરે, કે’તાં કે’તાં ન કે’વાય તેમરે ।

આજ પ્રગટાવી પ્રતાપરે, તાર્યા અનેક જીવને આપરે ।।૧૬।।

સામર્થિ સહુથી છે ન્યારીરે, વાવરી છે સમર્થ સુખકારીરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

અનંત પો’ચાડ્યા અક્ષરધામેરે, સુખદાયક શ્રીઘનશ્યામેરે ।।૧૭।।

ધર્મ એકાંતિક તે સ્થાપિયોરે, નિજ આશ્રિતમાં તે વ્યાપિયોરે ।

અસુર ગુરુ નૃપનો કિધો નાશરે, નિજ સામર્થિએ અવિનાશરે ।।૧૮।।

પુરુષોત્તમ પોતે પધારિરે, લિધા અનેક જીવ ઉદ્ધારિરે ।

આપ સામર્થિ વાવરી ઘણિરે, જોઇ નહિ કરણી જીવતણિરે ।।૧૯।।

આજ બહુ જન તારવા આવ્યારે, આવી સ્વામી સહજાનંદ કા’વ્યારે

જે જન સમરશે સહજાનંદરે, તે જન પામશે પરમ આનંદરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટાદશઃ પ્રકારઃ ।।૧૮।।

દોહા - દરશનનું કહી દાખિયું, કહું સ્પરશનું જે પુનિત ।

સ્પર્શ કરી જન પામિયા, અતિ સુખ અમિત ।।૧।।

સ્ પ શર્ પ ુ રુ ષ્ ા ા ે ત્ત્ ા મ ન ા ે , ક હ ા ે જી વ ન ે થ્ ા ા શ ે ક ે મ ।

એ વાત નથી વાત સરખી, સહુ ઉર વિચારજો એમ ।।૨।।

અમાયિક માયિકનો, જાણો મોંઘો થાવો મેળાપ ।

ભાનુ રજની ભેળા મળે, એવો કર્યો નથી કેણે થાપ ।।૩।।

તે અમળતી વાત મળી, વળી સ્પર્શ્યા પુરુષોત્તમ ।

ત્રિલોકમાં વળી તેહની, શોધતાં ન મળે સમ ।।૪।।

ચોપાઇ- પુરુષોત્તમ જે પરબ્રહ્મરે, જેને નેતિ નેતિ કે’ નિગમરે ।

અતિ દુર્લભ દર્શન જેનાંરે, ભવ બ્રહ્માને ન થાય તેનાંરે ।।૫।।

જ્યારે અજ-ઇશને અગમરે, તારે મનુષ્યને ક્યાંથી સુગમરે ।

જેનાં દરશન પણ ન થાયરે, તારે તેને કેમ સ્પર્શાયરે ।।૬।।

અતિ દરશ પરશ જેનાં દૂરરે, તેતો કર્યાં હરિયે હજુરરે ।

માટે જે પ્રાણી પામિયા સ્પર્શરે, તેતો થયા સહુથી સરસરે ।।૭।।

જેને મળિયા હૈયામાં ઘાલીરે, તેને બેઠા છે અક્ષર આલિરે ।

જેની છાપિ છે ચરણે છાતિરે, તેની પ્રાપતિ નથી કે’વાતિરે ।।૮।।

જેને માથે હાથ મુક્યો નાથેરે, તેતો મળી બેઠા મુક્ત સાથેરે ।

જેને ચાંપવા આપ્યા છે ચરણરે, તેને રહ્યું નહિ જન્મ મરણરે ।।૯।।

જેણે અત્તર ચોળ્યાં છે અંગેરે, થયો સ્પર્શ એહ પ્રસંગેરે ।

જેણે ચોળ્યું છે તેલ ફુલેલરે, અતિ સારી સુગંધિ ભરેલરે ।।૧૦।।

અંગે ચોળ્યું તેલ મીણતણુંરે, એમ સ્પર્શાણું અંગ આપણુંરે ।

એહ સ્પર્શનું ફળ જે પામેરે, જાયે તે જન અક્ષર ધામેરે ।।૧૧।।

વ ળ ી ન વ ર ા વ ત ા ં ન ા થ્ ા ન ે ર ે , થ્ ા ય ા ે સ્ પ શર્ ત ે ન ા ે હ ા થ્ ા ન ે ર ે । અંગ ચોળી નવરાવ્યા નીરેરે, સ્પર્શ્યા હાથ તે નાથ શરીરેરે ।।૧૨।।

વસ્ત્ર પે’રાવતાં થયો સ્પર્શરે, તે આપનાર સુખનો સરસરે ।

ચરચ્યાં ચંદન મળીયાગરરે, સારી સુખડ્ય કાજુ કેસરરે ।।૧૩।।

કર્યો કુંકુમનો ચાંદલોરે, ભાવે કરી હરિભક્તે ભલોરે ।

માળા પે’રાવતાં સ્પર્શ થયોરે, કુંડળ ધરતાં કર અડીગયોરે ।।૧૪।।

બાજુ બેરખા બાંધતાં બાંયેરે, પૂજા કરીને લાગતાં પાયેરે ।

પૂજા કરતાં સ્પર્શાણું પંડરે, તેતો પામશે ધામ અખંડરે ।।૧૫।।

લેતાં હાથોહાથ વળી તાળીરે, સ્પર્શિ સુંદર મૂર્તિ રૂપાળીરે ।

નખશિખા સ્પર્શતાં નાથરે, ગયા સ્વધામે થઈ સનાથરે ।।૧૬।।

એવો સ્પર્શ પુરુષોત્તમ તણોરે, નથી કે’વાતો છે અતિ ઘણોરે ।

સ્પર્શ્યાં ચરણારવિંદ પાવનરે, સહુ જતને પૂજેછે જનરે ।।૧૭।।

સ્પર્શ્યાં વસ્ત્ર છે પૂજવા જેવાંરે, પૂજ્યાં ચંદન અંગ ધારી લેવાંરે ।

પૂજ્યા હાર તે પે’રવા હૈયેરે, જેથી અક્ષરધામમાં જૈયેરે ।।૧૮।।

જેજે વસ્તુ સ્પર્શી હરિ અંગરે, તેતો કલ્યાણકારી જેમ ગંગરે ।

સ્થાવર જંગમ જળ સ્થળ જેહરે, થયાં હરિસંબંધે શુદ્ધ તેહરે ।।૧૯।।

સ્પર્શી વસ્તુ એ મંગળકારીરે, ત્યારે પુરુષોત્તમની રીત્ય ન્યારીરે ।

માટે જેને સ્પર્શ્યા પરબ્રહ્મરે, તેને પરમ ધામ છે સુગમરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકોનવિંશઃ પ્રકારઃ ।।૧૯।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

દ ા ે હ ા - અ શ ન વ સ ન ભ ૂ ષ્ ા ન , વ ા હ ન વ ા સ ન જ ે હ ।

પુરુષોત્તમને સ્પર્શતાં, થયાં શુદ્ધ સહુએ તેહ ।।૧।।

માયિક તે અમાયિક થયાં, થયાં ગુણમય ગુણાતીત ।

સ્પર્શતાં પરબ્રહ્મને, સહુ થયાં પરમ પુનીત ।।૨।।

એવી રીત્યે અવિનાશીયે, કર્યો અનેક જીવનો ઉદ્ધાર ।

પરમ ધામે પો’ચાડિયા, અલબેલે આ વાર ।।૩।।

દરશ સ્પર્શ દયાળ દઇ, કર્યું કોટિ કોટિનું કલ્યાણ ।

તેમ પરમ પ્રસાદિ થકી, પમાડ્યા પદ નિર્વાણ ।।૪।।

ચોપાઇ-દિધા પરસાદિના બહુ થાળરે, દયા કરીને દીનદયાળરે ।

ભોજન બહુ ભાત્ય ભાત્યનાંરે, આપ્યાં જેને જુજવી જાત્યનાંરે ।।૫।।

મુકિ માથે નાથ હાથ દિયેરે, જન મગન મન કરી લિયેરે ।

વળી આપે મુખમાંહી પાકરે, સુંદર ભોજન ને વળી શાકરે ।।૬।।

જેજે જન પ્રસાદિ એ પામ્યારે, તેતો સર્વે સંતાપને વામ્યારે ।

થયા નિર્ભય ભય બેઠા ટાળીરે, પામ્યા બ્રહ્મમોહોલ ભાગ્યશાળીરે ।।૭।।

વ ળ ી પ ય પ ા ણ ી િ પ ધ ે લ ર ે , ત ે હ જ ે જ ન ન ે િ દ ધ ે લ ર ે ।

તેહ જન જાશે બ્રહ્મમો’લરે, તિયાં પામશે સુખ અતોલરે ।।૮।।

દહી મહી દુધ ને જે ઘૃતરે, આપ્યાં પોતાનાં જમેલ તર્તરે ।

જેજે જમેલ પ્રસાદિ આલિરે, લાગિ જમતાં પોતાને જે વા’લિરે ।।૯।।

ત ે પ્ર સ ા દ ી ન ે પ ર ત ા પ ે ર ે , જા શ ે અ ક્ષ્ ા ર ે જ મ ત લ અ ા પ ે ર ે । વળી ફળ મુળ દલ દિધાંરે, જેજે જને હાથોહાથ લિધાંરે ।।૧૦।।

ગોળ ખાંડ સાકર શેલડીરે, જમેલ નાથની જેહને જડીરે ।

ચણેચી ને વળી ચોળાફળીરે, મેથી મૂળા ને મોગરી વળીરે ।।૧૧।।

જેજે વસ્તુ પોતાની જમેલરે, અર્ધિ જમીને અરધિ આપેલરે ।

એવી પોતાની જે પરસાદીરે, અનેક રીતની જે એહ આદિરે ।।૧૨।।

જેજે પામિયા છે એહ જનરે, તેતો પો’ત્યા છે બ્રહ્મસદનરે ।

ચણા ચણોલિ મગ પરદેશીરે, રૂડાં સિંઘોડાં જમ્યા જ્યાં બેસીરે ।૧૩।

પોંક ઘઉં ચણા બાજરીનોરે, ગળી ગુંદલિ વળી મકાઈનોરે ।

પોતે જમી આપી જે જીવનેરે, તેહ લિધિ હેતે કરી જનેરે ।।૧૪।।

તેનાં ભાગ્ય નથી કે’વા લાગ્યરે, થઈ બ્રહ્મમો’લ માંઈ જાગ્યરે ।

વળી હરિ જમેલ મુખવાસરે, આપ્યો નાથે જાણી નિજદાસરે ।।૧૫।।

તે મુખવાસની વાત શી કહુંરે, જે પામિ સુખ પામિયા સહુંરે ।

એમ બહુ રીતના મુખવાસરે, પામી પામીયા બ્રહ્મમો’લે વાસરે ।।૧૬।।

પ્રીતે પોતાની પ્રસાદી દઈરે, જગે જીવ ઉદ્ધારિયા કઈરે ।

દરશ સ્પરશ ને પ્રસાદીરે, જેજે જન પામ્યા રાયજાદિરે ।।૧૭।।

તેતો થયા અક્ષરના વાસીરે, એમ ઉદ્ધારિયા આવી અવિનાશીરે ।

વે’તિ કિધિ છે અક્ષરવાટરે, જાવા જીવ સહુને એ માટરે ।।૧૮।।

એમ અનેકને જો ઉદ્ધાર્યારે, આપ પ્રતાપે પાર ઉતાર્યારે ।

છોટા મોટાને થઇ છે છુટીરે, સૌને મળેછે પ્રાપતિ મોટીરે ।।૧૯।।

એમાં કૃપાનું કામ ન રહ્યુંરે, સૌને એ ધામ સુગમ થયુંરે ।

મેલ્યા મોક્ષના છોડી વાવટારે, તાર્યા જગના જીવ સામટારે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે વિંશતિતમઃ પ્રકારઃ ।।૨૦।।

દ ા ે હ ા - અ ે હ ર ી ત ે અ ગ િ ણ ત ન ે , ત ા ય ાર્ પ ા ે ત ા ન ે પ્ર સ ં ગ । તે પો’ચાડ્યા પરમ ધામમાં, સહુને કરી શુદ્ધ અંગ ।।૧।।

જ ે જ ે જ ન ન ે જા ણ જા ે , થ્ ા ય ા ે શ્ર ી હ િ ર ન ે સ ં બ ં ધ ।

તરત તે પ્રાણી તણા, છુટિ ગયા ભવબંધ ।।૨।।

અતિશે સામર્થિ આ સમે, વાવરતાં ન કર્યો વિચાર ।

ઉદાર મને આવિયા, જન તારવા જગ આધાર ।।૩।।

સુખનિધિ સહજાનંદજી, કીધિ ઇચ્છા આણિ ઉમંગ ।

અનંત જીવ ઉદ્ધારિયા, એમ પોતાને પ્રસંગ ।।૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

ચોપાઇ-મોટો પરતાપ મૂર્તિતણોરે, કહ્યો થોડો ને રહી ગયો ઘણોરે ।

હવે પોતાને સંગાથે સંતરે, આવ્યા છે જે મુક્ત અનંતરે ।।૫।।

તેહ દ્વારે ઉદ્ધારિયા જે જનરે, તેપણ થયા પરમ પાવનરે ।

જ્યાં જ્યાં ફરી મુક્તની મંડળીરે, કરી વાત જે જને સાંભળીરે ।।૬।।

સુણિ વાત લાગી અતિ સારીરે, તેતો હેતે લીધિ હૈયે ધારિરે ।

પછી નિ’મ ધારી નકી મનેરે, રહ્યા જે જે જન વચનેરે ।।૭।।

તેતો તન તજે જેહ વારેરે, આવે નાથ તેડવાને ત્યારેરે ।

તેડિ જાયે તે પોતાને ધામરે, થાય તે જન પૂરણકામરે ।।૮।।

વળી જેણે આપ્યું અન્ન જળરે, કંદ મૂળ પાન ફુલ ફળરે ।

એહ આપનાર જેહ જનરે, જાય ધામમાં થાય પાવનરે ।।૯।।

વળી હાથ જોડી પાયે લાગેરે, શિશ નમાવીને બેસે આગેરે ।

સુણે શ્રદ્ધાયે વાત સંતનીરે, બહુપેરે સુબુદ્ધિવંતનીરે ।।૧૦।।

સુણી વાત લિયે ગુણ હૈયેરે, તેપણ ધામના નિવાસી કહિયેરે ।

વળી સંતને કોઇ સંતાપેરે, નિરમાની જાણી દુઃખ આપેરે ।।૧૧।।

તેની ભિડ્યમાંહિ પોતે ભળીરે, કરે સંત તણિ સા’ય વળીરે ।

એવી રક્ષાના કરનારરે, એવા જન ઉદ્ધાર્યા અપારરે ।।૧૨।।

વળી સંત જાણી શીલવંતરે, નાખે માથે આળ અત્યંતરે ।

ખોટા કલંક ધરે સંત શિરરે, પાપી આળ ચડાવી અચિરરે ।।૧૩।।

તેનો પક્ષ લઇ પોતા માથેરે, કરે લડાઇ લબાડ સાથેરે ।

એહ પક્ષના જે લેનારરે, જાય તે જન ધામ મોઝારરે ।।૧૪।।

વળી ખાતાં પીતાં સંત જોઇરે, લિધો ગુણ કે’ આવા ન કોઇરે ।

જોઇ વર્તવું ને વળી વેશરે, સુણી સારો લાગ્યો ઉપદેશરે ।।૧૫।।

જેને વા’લી લાગી સંત વાતરે, રાખ્યાં નિ’મ થઇ રળીયાતરે ।

તેને તન છુટે તતકાળરે, આવે તેડવા દીનદયાળરે ।।૧૬।।

તેને આપે અક્ષરમાં વાસરે, મહાસુખ પામેછે તે દાસરે ।

કર્યો સંતનો દરશ સ્પરશરે, ગાયા જીહ્વાયે સંતના જશરે ।।૧૭।।

તે પણ ધામના છે અધિકારીરે, ખરી વાત લખિ છે વિચારિરે ।

વાત શ્રીમુખથી સાંભળેલરે, નથી બીજે તે ક્યાંયે લખેલરે ।।૧૮।।

કહ્યું શ્રીમુખે શ્રીભગવાનેરે, તે મેં સાંભળ્યું છે મારે કાનેરે ।

આજ જીવ અનેક પરકારેરે, લઇ જાવા છે જો ધામ મારેરે ।।૧૯।।

એમ મને કહ્યું ’તું મહારાજેરે, રાજી થઇને રાજ અધિરાજેરે ।

તે પ્રમાણે લખ્યું છે લઈરે, નથી મારા હૈયાની મેં કઈરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકવિંશતિતમઃ પ્રકારઃ ।૨૧।

દોહા - શ્રીમુખથી સુણી સામ્રથી, નથી કે’વાતિ તે કોએ રીત ।

કહિયે હૈયે સમાય નહિ, છે એવી આજની અગણિત ।।૧।।

અ ે ક સ ૂ ર પ્ર ક ા શ ે સ હ ુ ન ે , અ ે ક શ િ શ ક ર ે શ ી ત ળ ।

એક મેઘ પલાળે પૃથવી, વરસાવી સુંદર જળ ।।૨।।

એહ એક પણ કરે એટલું, સહુને સરખો સમાસ ।

આતો અનેક રીતશું, આવ્યા ઉદ્ધારવા અવિનાશ ।।૩।।

જેમ જ્વાળા બાળે શુદ્ધાશુદ્ધને, શુદ્ધાશુદ્ધ પલાળે મેઘ ।

શુદ્ધાશુદ્ધ સમઝે નહિ, જ્યારે વાયુ વાય કરી વેગ ।।૪।।

ચોપાઇ-એમ આજ તાર્યા છે અપારરે, ગુણાગુણ ન જોયા લગારરે ।

જેમ મોટો સદાવ્રતી હોયરે, તે તો ભુખ્યાનું મુખ ન જોયરે ।।૫।।

તેમ આજ સદાવ્રત મોટુંરે, બાંધ્યું છે તારવા જીવ કોટ્યુંરે ।

પશુ પંખી પન્નગ નર નારીરે, લિધા આપ સામર્થિયે તારીરે ।।૬।।

દેવ દાનવ ભૂત ભૈરવરે, એહ આદિ ઉદ્ધારિયા સરવરે ।

કીટ પતંગ પરજંત પ્રાણિરે, તાર્યા અગણિત લિયો જાણિરે ।।૭।।

જેજે આસમે જગમાંયે જીવરે, થયા સત્સંગ સંબંધે શિવરે ।

જેમ એક હોય ચિંતામણીરે, ટાળે પીડા તે ત્રિલોક તણીરે ।।૮।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

તેમ બહુ ચિંતામણિ હોયરે, તારે દુઃખી રહે નહિ કોયરે ।

સંત સંન્યાસી સત્સંગી બટુરે, એને સંબંધે પામેછે સુખ મોટુંરે ।।૯।।

ચિંતામણિ ઘણિઘણિ હરિરે, તેની વાત જાતી નથી કરિરે ।

માટે હરિ હરિના જે દાસરે, તેથી પામ્યાં કૈ બ્રહ્મમો’લે વાસરે ।।૧૦।।

એનું આશ્ચર્ય માનો ન કોયરે, સમર્થથી શુંશું ન હોયરે ।

સમર્થ સરવ પરકારેરે, કરે તેતે જેજે મન ધારેરે ।।૧૧।।

તેની કોણ આડી કરનારરે, ના હોય ધણિનો ધણિ નિરધારરે ।

માટે સહુ માનિલેજો સઈરે, આજ એમ ઉદ્ધાર્યા છે કંઇરે ।।૧૨।।

જેમ દરશ સ્પરશ પરસાદિરે, આપિ તાર્યા નર નારી આદિરે ।

તેમ હરિજન ત્યાગી ગૃહીરે, તેથી પણ ઉદ્ધારિયાં કહીરે ।।૧૩।।

વળી આ સમે ધરિયું જે નામરે, તેને જપતાં જાયે અક્ષરધામરે ।

નીલકંઠ નામ ઘનશ્યામરે, સદા સર્વ સુખનું ધામરે ।।૧૪।।

જેહ નામે પામે સુખ સહુરે, એવું નામ અનુપમ કહુંરે ।

સહજાનંદ આનંદ સુખકારીરે, એહ નામ જપેછે નર નારીરે ।।૧૫।।

સ્વામિનારાયણ નારાયણરે, ભજી કૈ થયા ધામ પરાયણરે ।

લેતાં નારાયણ મુનિ નામરે, પામ્યા કંઈ સુખ વિશ્રામરે ।।૧૬।।

હરિ હરિકૃષ્ણ કૃષ્ણ કે’તાંરે, તર્યા અપાર એનામ લેતાંરે ।

એવા નામના નામી જે સ્વામીરે, તે છે અક્ષરધામના ધામીરે ।।૧૭।।

સહુના નિયંતા સહુના નાથરે, સહુના સ્વામી સુખની મીરાંથરે ।

એવું નામ જપે જન જેહરે, પામે પૂરણ સુખને તેહરે ।।૧૮।।

હાલે હૂકમ એ નામ તણોરે, આજ અમલ એહનો ઘણોરે ।

શક્કો સર્વે પ્રકારે છે એનોરે, નથી અમલ આજ બીજા કેનોરે ।।૧૯।।

કોઇ માં લિયો બીજાની ઓટરે, જેમાં જાયે જાણો જન ખોટરે ।

ખરાખરી એ વાત ખોટી નથીરે, વારેવારે શું કહિયે જો કથીરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવકનિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે દ્વાવિંશઃ પ્રકારઃ ।।૨૨।।

દોહા - પુરુષોત્તમ પધારિયા, બહુ જીવનાં કરવા કાજ ।

સર્વે સામર્થિ સહિત પોતે, આજ આવિયા મહારાજ ।।૧।।

અનેક ઉપાયે કરી હરિ, ખરી આદરી છે વળી ખેપ ।

આ સમે જેનો જન્મ છે, તેને આવિગયું ઘણું ઠેપ ।।૨।।

દાસના દરશન સ્પરશથી, કર્યાં છે બહુનાં કલ્યાણ ।

ત્રિલોકના જીવ તારવા, વડુ મંડાણું છે વા’ણ ।।૩।।

પાર ઉતાર્યા પરિશ્રમ વિના, બેસી નામ રૂપિયે નાવ ।

જે જને જપ્યા જીભથી, તે તરિગયા ભવદરિયાવ ।।૪।।

ચોપાઇ-એવો નામનો છે પરતાપરે, ધન્ય જે જન જપે આપરે ।

પૂર્ણ પુરુષોત્તમ સુખધામરે, તેણે ધર્યું સહજાનંદ નામરે ।।૫।।

સહજાનંદ સહજાનંદ ગાયરે, તેતો અક્ષરધામમાં જાયરે ।

સહજાનંદ નામ જેને મુખેરે, તેતો બ્રહ્મપુર જાશે સુખેરે ।।૬।।

જેહ મુખે એ નામ ઉચ્ચારરે, તેતો પામી ગયા ભવપારરે ।

સહજાનંદ નામ સમરતાંરે, નથી પરિશ્રમ પાર ઉતરતાંરે ।।૭।।

સહજાનંદ નામ જે વદનેરે, તેતો પહોત્યા બ્રહ્મસદનેરે ।

સહજાનંદ સહજાનંદ ગાતાંરે, નથી કઠણ એને ધામ જાતાંરે ।।૮।।

સહજાનંદ સહજાનંદ કહિયેરે, જાણે એથી પરમ પદ લહિયેરે ।

જેને અખંડ એ છે રટનરે, તેને ન રહે ભવ અટનરે ।।૯।।

સ્ વ ા િ મ ન ા ર ા ય ણ શ બ દ ે ર ે , પ્ર ા િ ણ વ ા સ ક ર ે છ ે બ ે હ દ ે ર ે ।

સહજાનંદ નામ સુણ્યું કાનેરે, તેને આવ્યું છે એ ધામ પાનેરે ।।૧૦।।

સહજાનંદ એ નામ સાંભળીરે, જાયે પાપ પૂરવનાં બળીરે ।

સુણિ સ્વામિનારાયણ નામરે, સર્યાં કઇક જીવનાં કામરે ।।૧૧।।

કાને એ નામની ભણક પડિરે, તેને અક્ષરપોળ ઉઘડીરે ।

સ્વામિનારાયણની કીરતિરે, સુણિ રહે નહિ પાપ રતિરે ।।૧૨।।

સ્વામિનારાયણની જે કથારે, સુણે જાયે નહિ જન્મ વૃથારે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

સ્વામિનારાયણ નામ પદરે, સાંભળતાં આવે સુખ સદરે ।।૧૩।।

છંદ અષ્ટક ને વળી શ્લોકરે, સુણે ભણે પો’ચે બ્રહ્મલોકરે ।

સાખિ શબ્દ સ્વામિનામે જેહરે, સર્વે કલ્યાણકારી છે તેહરે ।।૧૪।।

શ્વાસ ઉશ્વાસે સમરે સ્વામીરે, તેની વ્યાધિ જાયે સર્વે વામીરે ।

રહે રસનાએ રવ એનોરે, ધારા અખંડ ઉચ્ચાર તેનોરે ।।૧૫।।

તેતો પામેછે પરમ પ્રાપતિરે, નથી ફેર તેમાં એક રતિરે ।

એવો નામ તણો પરતાપરે, કહ્યો સહુથી અધિક અમાપરે ।।૧૬।।

જા ણ ે અ જા ણ ે જ પ શ ે જ ે હ ર ે , પ ર મ ધ ા મ ન ે પ ા મ શ ે ત ે હ ર ે । એવું આજ ઉઘાડ્યું છે બારરે, કરવા બહુ જીવને ભવપારરે ।।૧૭।।

સકાર કે’તાં સર્વે દુઃખ વામેરે, હકાર કે’તાં હરિધામ પામેરે ।

જકાર કે’તાં જયજય જાણોરે, નકાર કે’તાં નિર્ભય પ્રમાણોરે ।।૧૮।।

દકાર કે’તાં દદામા દઈનેરે, પામે ધામ સહજાનંદ કહિનેરે ।

સ્વામિનારાયણ નામ સારરે, જેથી જીવ તર્યા છે અપારરે ।।૧૯।।

કલિયુગમાં કર્યું છે વા’ણરે, રે’વું નારાયણ પરાયણરે ।

નથી એથી વાત કાંય મોટિરે, મર કરે ઉપાય કોઈ કોટિરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રયોવિંશતિતમઃ પ્રકારઃ ।૨૩।

દ ા ે હ ા - અ ે મ અ ા જ અ િ વ ન ા શ ી ય ે , ક ય ુર્ ં સ ા ેં ઘ ુ ં ક લ્ ય ા ણ । જે જડે નહિ મોટા જોગીને, તે વણ શ્રમે કર્યું વાણ ।।૧।।

દેહ દમ્યા વિના દાસને, આપ્યું ધામ અવિનાશ ।

તોયે મન માન્યું નહિ, થયું નહિ હૈયું હુલ્લાસ ।।૨।।

પ છ ી ઉ ત્ સ વ અ ા દ ય ાર્ , વ ર સ ા ે વ ર સ વ ડ ત ા લ ।

દેઇ દરશન દાસને, કરવા કોટિક નિહાલ ।।૩।।

ર ા મ ન વ મ ી પ્ર બ ા ે ધ ન ી , ઉ ત્ સ વ ન ા િ દ ન અ ે હ ।

અણ તેડ્યે સહુ આવજો, કહ્યું શ્રી મુખે કરી સનેહ ।।૪।।

ચોપાઇ-અમે પણ આવશું જરૂરરે, થાશે દરશ ને દુઃખ દૂરરે ।

સંત સહિત નિરખશો નેણેરે, અતિ સુખી થાશો સૌ તેણેરે ।।૫।।

એમ કહ્યું આપે અવિનાશરે, સુણિ રાજી થયા સહુ દાસરે ।

પછી ઉત્સવ ઉપર એહરે, થયા સાબદા સૌ મળી તેહરે ।।૬।।

પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણરે, ચાલ્યા ઉત્સવપર તતક્ષણરે ।

સુણ્યો સમૈયો શ્રવણે જેણેરે, કરી તરત તૈયારી તેણેરે ।।૭।।

આવ્યા વાયદે વરતાલ ગામરે, ત્યાગી ગૃહી પુરુષ ને વામરે ।

પછી વા’લમ પણ વરતાલરે, આવ્યા કરવા સહુને નિહાલરે ।।૮।।

આવ્યા હતા જે જન અપારરે, દરશન કરવાને નર નારરે ।

તે સહુને દરશન દિધાંરે, જને નેણે નિરખી સુખ લિધાંરે ।।૯।।

બેઠા મોટે મેડે મહારાજરે, સૌને દરસન દેવાને કાજરે ।

ઉભા થઇને આપે દયાળરે, લિયે સહુ જનની સંભાળરે ।।૧૦।।

પે’રી સુંદર વસ્ત્ર સોનેરીરે, જોયા જેવી શોભા જામા કેરીરે ।

પે’રી પાયે જામો જરીનોરે, નૌતમ નાડિનો રંગ નવીનોરે ।।૧૧।।

કસિ કમર સોનેરી સાલેરે, બાંધ્યો સોનેરી રેંટો વાલેરે ।

ધર્યાં છોગાં તેમાં ફુલનાંરે, લટકે તોરા મોંઘા મૂલનારે ।।૧૨।।

કંઠે કનક કુસુમના હારરે, ઓપે પરવાળાં તે અપારરે ।

બાજુ કાજુ કુંડળ કાનેરે, શોભે સારાં ઘરેણાં સોનાનેરે ।।૧૩।।

વેઢ વીંટિ કર કડાં શોભેરે, જોઈ જન તણાં મન લોભેરે ।

હૈયે હાર ને હીરા સાંકળીરે, મોતી માળા શોભે વળી વળીરે ।।૧૪।।

એવાં વસ્ત્ર ઘરેણાંને પેહેરિરે, જુવે સહુ જનને વા’લો હેરિરે ।

જન જોઇ એવી મૂરતિરે, હૈયે હેત વાધેછે જો અતિરે ।।૧૫।।

નિર્ખિ હર્ખિ અંતર ઉતારેરે, જેવા જોયા તેવા ઉર ધારેરે ।

જેણે જેણે જોયા જગદીશરે, નિર્ખિ જેણે નમાવિયાં શીષરે ।।૧૬।।

તેતો અક્ષરના અધિકારીરે, થયાં બહુ સહુ નર નારીરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

એવી મૂર્તિ ઉર જેને રહિરે, તેને સર્વે કમાણિ જો થઇરે ।।૧૭।।

ભાગે આવ્યો તેને બ્રહ્મમો’લરે, જિયાં અતિ સુખ છે અતોલરે ।

એહ સુખને આપવા કાજરે, આપે આવિયા છે જો મહારાજરે ।।૧૮।।

માટે કરેછે મોટા જો મેળારે, બહુ જન કરવાને ભેળારે ।

માટે જેણે જોયા એ સમૈયારે, તેતો બ્રહ્મમો’લવાસી થયારે ।।૧૯।।

ઘણી રીતે હેતે ઘનશ્યામરે, લઇ જાવા છે પોતાને ધામરે ।

જીવ અર્થે આવ્યા છે આપેરે, તાર્યા જીવ આપ પ્રતાપેરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચતુર્વિંશઃ પ્રકારઃ ।।૨૪।।

દોહા - વળતું વાલમે વિચારીયું, ઉત્સવ કરવા અનેક ।

સહુ જન મળે સાંમટા, સમઝાય સહુને વિવેક ।।૧।।

વરસો વરસ વેગે કરી, આવે દરશને દોય વાર ।

એવી કરું હવે આગન્યા, મારા જનને નિરધાર ।।૨।।

અખંડ રહેશે ઉત્સવ એહ, નથી એક બે વરસની વાત ।

માટે ઉપાય બીજો કરું, જેથી થાશે સહુ રળીયાત ।।૩।।

મંદિર કરાવું મોટાં અતિ, મૂર્તિયો બેસારું માંય ।

સુગમ સહુ નરનારને, પૂજે સ્પરશે લાગે પાય ।।૪।।

ચોપાઇ-જિયાંલગિ દર્શન અમે દૈયેરે, વળી સમૈયે અમે આવિયેરે ।

પણ અવાય નહિ સમૈયેરે, દરશન વિના દાઝે જન હૈયેરે ।।૫।।

માટે મૂર્તિયો અતિ સારીરે, કરી મંદિર દિયો બેસારીરે ।

તેને પૂજે પ્રેમ વધારીરે, ત્યાગી ગૃહી વળી નરનારીરે ।।૬।।

એમ વાલમે કર્યો વિચારરે, માંડ્યાં મંદિર કરવા તે વારરે ।

અમદાવાદમાં કરાવિ મંદિરરે, તિયાં બેસારિયા બેઉ વીરરે ।।૭।।

ન ર ન ા ર ા ય ણ સ ુ ખ ર ા શ ી ર ે , પ ધ ર ા વ ી ક ર ા વ ી ચ ા ે ર ા શ ી ર ે । જેજે દર્શન કરશે એનાંરે, મોટાં ભાગ્ય માનવાં જો તેનાંરે ।।૮।।

( દ ા ે હ ા - મ ં ગ લ મ ૂ ર્િ ત મ હ ા પ્ર ભ ુ , શ્ર ી સ હ જા ન ં દ શ્ ય ા મ ।

સુખસાગર સંતાપ હરન, રટુ નિરંતર નામ ।।૧।।

ગ ા ે િં વ દ ન ે ગ મ ત ુ ં સ દ ા , ગ ા મ વ ્ર ત ા લ િ વ શ ે ષ્ ા ।

જળ છાયા ફળ ફુલ કરી, ગુણવંત ગુર્જર દેશ ।।૨।।)

વ ર ત ા લ મ ં િ દ ર અ ા દ ય ુર્ ં ર ે , ત ે ત ા ે સ હ ુ થ્ ા ી સ ર સ ક ય ુર્ ં ર ે ।

નવ મંદિર સુંદર સારાંરે, કર્યાં નૌતમ તે ન્યારાં ન્યારાંરે ।।૯।।

પૂરવ દિશાનાં મંદિર ત્રણરે, માંય મૂર્તિઓ મન હરણરે ।

લક્ષ્મીનારાયણ જાણો જોડ્યરે, એતો બેસાર્યા શ્રીરણછોડરે ।।૧૦।।

ઉ ત્ત્ ા ર મ ં િ દ ર ે ધ મર્ ભ ગ િ ત ર ે , પ ા સ ે પ ા ે ત ા ન ી મ ૂ ર િ ત ર ે । દક્ષિણ દેરામાંહિ રાધાકૃષ્ણરે, જોઇ જન મન થાય પ્રશ્નરે ।।૧૧।।

વળી પોતાની મૂર્તિ બેસારીરે, તેતો સહુથી છે બહુ સારીરે ।

એહ મૂર્તિ મંગળ રૂપરે, સહુ જનને સુખ સ્વરૂપરે ।।૧૨।।

વસ્યા આવી વરતાલ ગામરે, ધર્મનંદને કર્યું નિજ ધામરે ।

તિયાં વર્ષોવરષ આવે જનરે, આવે ઉત્સવે કરે દરશનરે ।।૧૩।।

ઉત્સવ વિના પણ આડે દિનેરે, આવે અનેક જન દરશનેરે ।

જેજે દરશન કરે કોય દાસરે, તેતો પામે બ્રહ્મમો’લે વાસરે ।।૧૪।।

એવું ધાર્યું છે ધર્મનંદનેરે, તેની કોણ કરે કહો મનેરે ।

જેનો હુકમ પાછો ન ફરેરે, તેતો જેમ ધારે તેમ કરેરે ।।૧૫।।

આજ મહારાજે ધાર્યું છે એમરે, કેનું ફેરવ્યું ફરશે કેમરે ।

માટે એ વાટે કલ્યાણ જાણોરે, કહ્યું શ્રીમુખે સત્ય પ્રમાણોરે ।।૧૬।।

નથી વાત આ વડાઈ સારુંરે, સાચી લખતાં શીદ શંકા ધારુંરે ।

માટે બહુ રીતે તારવા કાજરે, આજ આવ્યા છે પોતે મહારાજરે ૧૭

તાર્યા આવીને જીવ અનેકરે, વરતાલે તો વાળ્યો વસેકરે ।

જોયા ઉત્સવ સમૈયા જેણેરે, કરી લિધું છે કારજ તેણેરે ।।૧૮।।

જેણે કરી મંદિરની સેવારે, વળી પૂજ્યા સંત મુક્ત જેવારે ।

કરી ભક્તિ અતિ ભલે ભાવેરે, તેને તુલ્ય કહો કોણ આવેરે ।।૧૯।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

એનું ફળ છે અક્ષરધામરે, પામી થાશે તે પૂરણકામરે ।

એતો વાત છે સાચી સઘળીરે, શ્રીમુખથી મેં જો સાંભળીરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચવિંશઃ પ્રકારઃ ।।૨૫।।

દ ા ે હ ા - ચ લ ઉ ત્ સ વ ચ ડ ા ે ત ર ે , વ ર ત ા લ ે વ ા ર મ વ ા ર ।

ઠીક પોતે ઠરાવિયા, જગ તારવા જીવ અપાર ।।૧।।

ર ા મ ન ા ૈ મ ી અ ે ક ા દ શ ી , પ્ર બ ા ે ધ ન ી જ ે પ ા વ ન ।

આવે અગણિત એ સમે, સહુ જન કરે દરશન ।।૨।।

સંત અનંત સૌ મળે, વળી ભેળા હોય ભગવંત ।

તેનાં દરશન કરતાં, પામે પરમ પદ અનંત ।।૩।।

વ ળ ી મ ન ા ે હ ર મ ૂ ર્િ ત ય ા ે , મ ં િ દ ર મ ા ં સ ુ ં દ ર સ ા ર ।

જે નિરખે નયણાં ભરી, તે પામી જાય ભવપાર ।।૪।।

ચોપાઇ-ધન્ય ધન્ય ધામ વરતાલરે, સારો આવ્યો છે સર્વે તાલરે ।

જેમ મંદિર સારું સુંદરરે, તેમ મૂર્તિયો મનહરરે ।।૫।।

િ ન ર્િ ખ જ ન મ ગ ન થ્ ા ા ય ર ે , હ ર્િ ખ હ ર્િ ખ હ િ ર ગ ુ ણ ગ ા ય ર ે ।

જળ અમળ નાયે ગોમતીરે, જિયાં નાહ્યા પોતે જગપતિરે ।।૬।।

કરે ઓટા દેરીનાં દર્શનરે, લિયે છાપ તે થાય પાવનરે ।

અતિ અમુલ્ય આંબલા છાયરે, બેઠા હરિ કરી જ્યાં સભાયરે ।।૭।।

સુંદર સારું શોભેછે તલાવરે, જિયાં જોયા મનોહર માવરે ।

તિયાં આંબલી એક રૂપાળીરે, બેઠા સંતપતિ પાટ ઢાળીરે ।।૮।।

આંબા ઉભે શોભેછે અતોલેરે, જિયાં હરિ બેઠા હિંડોલેરે ।

પ્રેમે પે’ર્યાતાં સોનેરી પટરે, વળી માથે ધર્યો’તો મુગટરે ।।૯।।

એવી જુવેછે જે સર્વે જાગ્યરે, તેનાં કહ્યાં ન જાયે ભાગ્યરે ।

ધન્ય કૂપ અનુપ એ બેહુરે, નાહ્યા નાથ સાથે સંત સહુરે ।।૧૦।।

ધન્ય ભૂમિકા ભાગ્ય અમિતરે, થઈ હરિચરણે અંકિતરે ।

ધન્ય ધન્ય એ શે’રી બજારરે, જિયાં હરિ ફર્યા બહુવારરે ।।૧૧।।

ધન્ય ઘર ઓસરી આંગણાંરે, જિયાં પગલાં થયાં પ્રભુ તણાંરે ।

ધન્ય રાણ્યવાડી ધર્મશાળારે, જિયાં જમ્યાછે સંત સઘળારે ।।૧૨।।

(લાડુ જલેબી સુતરફેણિરે, સેવદલ શિરો ને રોટલી ઝિણિરે ।

દુધપાક ને પુરી કંસારરે, હરિયે હાથે ફેર્યા વારં વારરે ।।૧।।

સાટા ઘેબર ને માલપુડારે, રસ દહી દુધ મોતિયા રુડારે ।

ફર્યા પંગતમાં પંચ વારરે, જમ્યા સંત થયો જેજે કારરે ।।૨।।)

એહ આદિ બીજાં બહુ સ્થાનરે, જિયાં જમ્યા રમ્યા ભગવાનરે ।

જુવે સર્વે સ્થળ એ સંભારીરે, એક એકથી કલ્યાણકારીરે ।।૧૩।।

ભારે ભાગ્ય છે એ ભૂમિતણાંરે, રમ્યા રાજ રાખી નહિ મણારે ।

જેજે જન જાયગા એ જોશેરે, તેતો અતિ મોટી ખોટ ખોશેરે ।।૧૪।।

લેશે અલભ્ય લાભ અપારરે, તેતો નિશ્ચે જાણો નિર્ધારરે ।

બ્રહ્મમો’લ જાવાને નિસરણીરે, એવી ઘનશ્યામે કરી ઘણીરે ।।૧૫।।

બહુપેરે ઉઘાડ્યાં છે બારરે, અક્ષરધામે જાવા આવારરે ।

બહુ રીત કરી બહુનામીરે, આપ્યાં સુખ રાખી નથી ખામીરે ।।૧૬।।

જે અર્થે અક્ષરથી આવ્યારે, સંગે મુગત સરવે લાવ્યારે ।

તતપર છે તેહ કરવારે, કર્યું એ ધામ બહુ જન તરવારે ।।૧૭।।

ક ૈ ક ક ર શ ે દ શર્ ન અ ા વ ી ર ે , ક ૈ ક પ ૂ જ શ ે પ ૂ જા લ ા વ ી ર ે । કૈક જોડશે આવીને હાથરે, તેતો થઈ ચુક્યા છે સનાથરે ।।૧૮।।

બેઠા માથેથી મટાડી બીકરે, ઠરી બેસશે ધામમાં ઠીકરે ।

અવશ્ય કરવાનું હતું તે થયુંરે, પામ્યા ધામ કામ સરી ગયુંરે ।।૧૯।।

તેતો પુરુષોત્તમ પ્રતાપેરે, બહુ ઉદ્ધારિયા જન આપેરે ।

હરિ ધારે તે શું શું ન થાયરે, તેનું આશ્ચર્ય ન માનો કાંયરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે ષડવિંશઃ પ્રકારઃ ।।૨૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

દોહા - વરણવી વાત વરતાલની, કોટિ ઘણિમાંથી કિંચિત ।

ગાઉં રીતિ ગઢડાતણી, જિયાં ઉદ્ધારિયા અગણિત ।।૧।।

ઘણું ઘણું ઘનશ્યામ જિયાં, રહી કર્યાં માંગલિક કાજ ।

અનંત જીવ ઉદ્ધારિયા, મહા નિજબળે મહારાજ ।।૨।।

પાપી સુરાપી પલલભક્ષી, લખી ન જાયે અવળાઇ લેશ ।

એવા જન ઉદ્ધારિયા, આપી આપે ઉપદેશ ।।૩।।

વળી ઉત્સવ સમૈયા અતિ કર્યા, તેમાં આવિયા જેજે જન ।

તે જનને પણ તારિયા, દઈ પોતે દરશન ।।૪।।

ચોપાઇ-કર્યા ઉત્સવ અતિ અપારરે, જગજીવન જગ આધારરે ।

અષ્ટમી અન્નકોટ ઉત્સવરે, કર્યા ભવજળ તારવા ભવરે ।।૫।।

વસંતપંચમી ને ફુલદોલરે, તેદિ રંગ ઉડાડ્યો અતોલરે ।

રામનૌમી એકાદશી આદિરે, તેદિ લીળા કરી રાયજાદિરે ।।૬।।

અષ્ટમી ઉત્સવે આવ્યા દાસરે, રાખ્યા ચોમાસાના ચાર માસરે ।

નિત્ય ના’વા જાતા સંત સાથરે, જન જોઈને થાતા સનાથરે ।।૭।।

ના’તા નૌતમ કરતા લીળારે, ભળી વળી પોતે સંત ભેળારે ।

ગાતા વાતા આવતા ઉતારેરે, જન જમાડતા તેહ વારેરે ।।૮।।

જમી આપે જમાડતા જનરે, ભાત્ય ભાત્યનાં અન્ન વ્યંજનરે ।

દેતા દહી દુધ તે દોવટેરે, સારા શોભતા સોનેરી પટેરે ।।૯।।

બહુવાર પંગત્યમાં ફરતારે, એમ અષ્ટમી ઉત્સવ કરતારે ।

અન્નકોટ ઉપર આવે દાસરે, તેને ઉઠી મળે અવિનાશરે ।।૧૦।।

હાર ઉતારી હૈયેથી દિયેરે, જન નમાવી મસ્તક લિયેરે ।

પછી પુછે સુખ સમાચારરે, એમ આપે સુખ અપારરે ।।૧૧।।

પછી અનેક ભાત્યનાં અન્નરે, કરી રાખ્યાં જે ભરી ભાજનરે ।

તેતો પંક્તિ કરી પિરસ્યાંરે, જમી જન મનમાં હુલસ્યાંરે ।।૧૨।।

નિજ હાથે જમાડેછે નાથરે, મૂકી જન માથે હરિ હાથરે ।

એમ આપેછે સુખ અલેખેરે, તેતો નર અમર સૌ દેખેરે ।।૧૩।।

એહ ઉત્સવમાં હતા જનરે, તેનાં ભાગ્ય માનો ધન્યધન્યરે ।

પણ એમાં તો ન હોય ભેળારે, કેડે સાંભળી જેણે એ લીળારે ।।૧૪।।

તેતો બ્રહ્મમો’લે ભલિ ભાત્યરે, જાશે બીજાને લઇ સંગાત્યરે ।

તેમાં સંશે કરશોમાં કાંઇરે, હરિએ ઇચ્છા કરી ઉરમાંઇરે ।।૧૫।।

વળી વસંત પંચમીએ વાલેરે, બહુ સખા રંગ્યા’તા ગુલાલેરે ।

પોતે ભરી ગુલાલની ઝોળીરે, નાંખી રંગ્યા હતા સંત ટોળીરે ।।૧૬।।

એહ સમો સંભારે જે જનરે, વળી સાંભળી કરે ચિંતવનરે ।

તેને અક્ષરધામનું બારરે, જાણો ઉઘડિયું છે આ વારરે ।।૧૭।।

શીદ શંકા રાખે જન મનરે, મળ્યે સહજાનંદ ભગવનરે ।

આજ બહુ જીવ તારવા સારુરે, કર્યા અલબેલે ઉપાય હજારુરે ।।૧૮।।

જીવ જોરેશું જાવા છે લઇરે, સુખી કરવા છે સુખ દઇરે ।

હશે જીવને જાવાનું બીજેરે, પણ જાવું પડશે રીઝે ખીજેરે ।।૧૯।।

એમાં નહિ પડે કેણે ફેરરે, શીદ કહેવરાવો વેરવેરરે ।

હરિ પ્રતાપે બ્રહ્મમો’લમાંરે, જાવા આવી ગયા છે તોલમાંરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે સપ્તવિંશઃ પ્રકારઃ ।।૨૭।।

દોહા - ગણિયે વળી ગઢપુરથી, જીવ ઉદ્ધારિયા અપાર ।

તે લેખે ન આવે લેખતાં, વળી થાય નહિ નિરધાર ।।૧।।

નિત્ય પ્રત્યે નવા નવા, ઉત્સવ થાયે અહોનિશ ।

જોઇ જન મગન મને, વળી ન્યૂન ન માને લેશ ।।૨।।

અનેક ભાત્યને ભોજને, જન જમાડે જીવનપ્રાણ ।

પછી જમાડે જગપતિ, જમે સંત સહુ સુજાણ ।।૩।।

સંતમંડળ વળી શ્રીહરિ, ભરી નયણે નિરખે જન ।

તેને તરત તૈયાર છે, હરિધામમાંહી સદન ।।૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

ચોપાઇ-એમ અનેક રીત્યે મહારાજરે, કર્યાં બહુ બહુ જીવનાં કાજરે

વળી કરવા બહુનાં કલ્યાણરે, શુંશું કરિયું શ્યામ સુજાણરે ।।૫।।

કર્યો હુતાશનિનો સમૈયોરે, તેતો કોઇથી ન જાય કૈ’યોરે ।

મળ્યા સંત હરિભક્ત સહુરે, આવ્યા બીજા પણ જન બહુરે ।।૬।।

પોતે પે’રી અંબર અમૂલરે, શોભે પાઘના પેચમાં ફુલરે ।

હૈયે હાર અપાર ગુલાબીરે, શોભે અતિ સુંદર અજાબીરે ।।૭।।

એવી મૂરતિ મન ભાવનરે, રમે જનને સાથે જીવનરે ।

હાથે લઇ પોતે પીચકારીરે, નાખે રંગ સોરંગનાં વારિરે ।।૮।।

વળી ઉપર નાખે ગુલાલરે, તેણે સખા થાય રંગ લાલરે ।

નાખે સખા તે રંગ સોરંગરે, તેણે રંગાય વાલાનું અંગરે ।।૯।।

લાલ ગુલાલની ભરી ઝોળીરે, નાખે જનપર રમે હોળીરે ।

એવા દીઠા જેણે દ્રગ ભરીરે, તેતો ગયા ભવજળ તરીરે ।।૧૦।।

એવી લીળા કરેછે મહારાજરે, તેતો સહુ જનના સુખ કાજરે ।

કે’શે સુણશે જે સંભારશેરે, તેણે સંસારસિંધુ તરશેરે ।।૧૧।।

એમ સહુ જનને સુખ થાવારે, ચાલ્યા રંગે રમી નાથ નાવારે ।

નાહ્યા નાથ સાથે સખા સહુરે, એહ સમાની શી વાત કહુંરે ।।૧૨।।

શોભે સખા મધ્યે ઘનશ્યામરે, જોયા જેણે તેણે કર્યું કામરે ।

શોભા બહુ પ્રકારની બનીરે, એવી રીતે રમ્યા હુતાશનીરે ।।૧૩।।

પછી આવી રામનૌમી રૂડીરે, સંભારતાં સહુને સુખમુડીરે ।

મળ્યા જન હજારો હજારરે, સતસંગી કુસંગી અપારરે ।।૧૪।।

તેતો સહુને દરશન થયાંરે, દર્શન વિના તો કોય ન રહ્યાંરે ।

જોયા જેણે જેણે નયણે નાથરે, તેતો સર્વે થયા છે સનાથરે ।।૧૫।।

તેતો ભવમાંહી નહિ ભમેરે, એમ શ્યામે ધાર્યું છે આ સમેરે ।

જન જક્તના તારવા કાજરે, એવું પણ લીધું છે મહારાજરે ।।૧૬।।

માટે દરશ સ્પરશ દઇનેરે, બ્રહ્મમો’લે જાવા છે લઇનેરે ।

વળી એકાદશી કપિલા છઠેરે, દીધાં દર્શન પોતે રૂડી પેઠેરે ।।૧૭।।

લાખો લેખે લોકે લીધો લાવરે, નિર્ખિ નયણે મનોહર માવરે ।

એહ દર્શનને પરતાપેરે, જાય અક્ષરધામમાં આપેરે ।।૧૮।।

એમ સોંઘું કીધું છે સહુનેરે, આજ તારવા જન બહુનેરે ।

નથી જોતા નરસા ને સારારે, અક્ષરમાં જાયછે એક ધારારે ।।૧૯।।

કર્યો ચાલતો મોક્ષ મારગરે, ભૂમિ થકી બ્રહ્મમો’લ લગરે ।

આવે અંતકાળે નાથ આપેરે, તેડી જાય છે નિજ પ્રતાપેરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટાવિંશઃ પ્રકારઃ ।।૨૮।।

દોહા - એમ ઉત્સવ કરી હરિ, ફરિ ફરિ દિયે દરશન ।

અનેકને સુખ આપવા, અતિ પોતે છે પરશન ।।૧।।

મ હ ા મ ન ા ે હ ર મ ૂ ર િ ત , અ િ ત સ ુ ખ દ સ હ જા ન ં દ ।

સહુ જનને સામટું, જાણે આપું મારો આનંદ ।।૨।।

લે’રી આવ્યા બહુ લે’રમાં, અતિ મે’ર કરી મે’રવાન ।

દુઃખીયા જીવ સુખીયા કર્યા, વળી પાપી કર્યા પુણ્યવાન ।।૩।।

ભાગ્ય મોટાં એ ભૂમિનાં, જિયાં હર્યા ફર્યા હરિ આપ ।

પાવન થઇ એ પૃથ્વી, હરિ ચરણને પ્રતાપ ।।૪।।

ચોપાઇ-ધન્ય ધન્ય ઉત્તમ દરબારરે, જિયાં પોતે રહ્યા કરી પ્યારરે ।

રમ્યા ભમ્યા જમ્યા જિયાં નાથરે, જમ્યો મહા મુક્તનો જ્યાં સાથરે ।।૫।।

ધન્ય ઓરડા ધન્ય ઓસરીરે, જિયાં હરિ બેઠા સભા કરીરે ।

દિયે દરશન પોતે પરબ્રહ્મરે, જેને નેતિ નેતિ કે’ નિગમરે ।।૬।।

એહ ભૂમિકાનાં મોટાં ભાગ્યરે, નથી જાણજો એ કહ્યા લાગ્યરે ।

ફળી ચોક વળી શું વખાણુંરે, શ્વેત વૈકુંઠ સમ સહુ જાણુંરે ।।૭।।

ચરણ રજે ભર્યાં ભરપૂરરે, સ્પરશે રજ કરે દુઃખ દૂરરે ।

તિયાં પાપી તજે કોઇ પ્રાણરે, તે પણ પામે પદ નિર્વાણરે ।।૮।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

સોય અગ્ર સમાન અવનીરે, નથી વણ સ્પરશ્યે પાવનીરે ।

ધન્ય શેરી બજાર ને હાટરે, ધન્ય ઉત્તમ ગંગાનો ઘાટરે ।।૯।।

ધન્ય ગઢપુરનાં ઘર ફળીરે, ચરણ અંકિત ભૂમિ છે સઘળીરે ।

ધન્ય વાડી વૃક્ષની છાંયરે, હરિ સ્પર્શ વિના નથી કાંયરે ।।૧૦।।

ધ ન્ ય ધ ન્ ય ન ા ર ા ય ણ હૃ દ ર ે , સ હ ુ પ્ર ા ણ ધ ા ર ી સ ુ ખ પ્ર દ ર ે ।

ધન્ય સીમ ક્ષેત્ર વાવ્ય ખળાંરે, કર્યાં હરિએ પવિત્ર સઘળાંરે ।।૧૧।।

ધન્ય ઘેલા નદીના ઘાટરે, કર્યા પંચ પવિત્ર ના’વા માટરે ।

તિયાં જે જે જન આવી નાશેરે, તેતો અંતર બાહ્ય શુદ્ધ થાશેરે ।।૧૨।।

ના’શે નિરમળ જળ જેહરે, પરમ ધામને પામશે તેહરે ।

જિયાં ના’યા છે જગ જીવનરે, એથી નથી નીર કોય પાવનરે ।।૧૩।।

પુરુષોત્તમ સ્પરશની જે વસ્તુરે, ન મળે જ્યાંલગિ ઉદે ને અસ્તુરે ।

બહુ દેશ બહુ ગામ ઘરરે, કર્યાં સ્પરશિ પવિત્ર સુંદરરે ।।૧૪।।

જિયાં જિયાં વિચર્યા વાલમરે, કર્યાં ઘર તે વૈકુંઠ સમરે ।

સ્પરશિ જાગ્યે ત્યાગે કોય તનરે, જાય બ્રહ્મમો’લ તેહ જનરે ।।૧૫।।

એમ ધારી આવ્યા છે અવિનાશિરે, કરવા બહુને ધામના વાસીરે ।

નિજબળને પ્રતાપે કરીરે, બહુ જીવને તારે છે હરિરે ।।૧૬।।

તેહ સારુ વિચરે વસુધાયરે, બીજો અર્થ નથી એને કાંયરે ।

અર્થ એહ ઉદ્ધારવા પ્રાણીરે, આવ્યા શ્યામ એ કામે લિયો જાણીરે૧૭

માટે જિયાં જિયાં હરિ રહ્યારે, જેજે સ્થાનકે પોતે હરિ ગયારે ।

તેતો સ્થાનક કલ્યાણકારીરે, જેજે જોયા તે રાખવા સંભારીરે ।।૧૮।।

એછે દોયલા દનની દોલત્યરે, સહુ માની લેજો વાત સત્યરે ।

હરિને આગ્રહ છે આજ અતિરે, કરાવવા પોતાની પ્રાપતિરે ।।૧૯।।

એજ અર્થ કરવો છે સિદ્ધરે, જીવ તારવા છે બહુ વિદ્ધરે ।

એહ સારુ આવ્યા છે આ વારરે, તેતો નિશ્ચે જાણો નિરધારરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકોનત્રિંશઃ પ્રકારઃ ।।૨૯।।

દોહા - વળતું વાલમે વિચારિયું, આંહિ મંદિર કરીએ એક ।

માંહિ બેસારિયે મૂરતિ, અતિ સારી સહુથી વિશેક ।।૧।।

ગઢડે મહારાજ ઘણું રહ્યા, એમ જાણે છે સહુ જન ।

માટે મંદિર કરાવિએ, મર આવી કરે દરશન ।।૨।।

મ ૂ ર િ ત દ્વ ા ર ે મ ન ુ ષ્ ય ન ુ ં , થ્ ા ા શ ે ક ા ે િ ટ ન ુ ં ક લ્ ય ા ણ । એહ ઉત્તમ ઉપાય છે, એમ બોલિયા શ્યામ સુજાણ ।।૩।।

સુણી સંત રાજી થયા, રાજી થયા સહુ હરિજન ।

પછી મોટું મંદિર કરાવવા, અતિ ઉતાવળું ભગવન ।।૪।।

ચોપાઇ-કર્યું ખાત મુહૂર્ત હરિ હાથેરે, તિયાં હું પણ હતો સંગાથેરે ।

નાખી નાથે પાયો નકિ કર્યુંરે, એમ આપે મંદિર આદર્યુંરે ।।૫।।

હાં હાં કરતાં થયું તૈયારરે, વળી ઘણી લાગી નહિ વારરે ।

કર્યું મોટું મંદિર બે માળરે, કરાવિયું હેતેશું દયાળરે ।।૬।।

થયું મંદિર પુરું જે વારરે, માંહિ મૂરતિ પધરાવી તે વારરે ।

ગુણ સાગર જે ગોપીનાથરે, તેતો પધરાવ્યા પોતાને હાથરે ।।૭।।

રાધા સહિત શોભે અતિ સારારે, જે જુવે તેને લાગે છે પ્યારારે ।

એતો વાસુદેવ ભગવાનરે, જે જુવે તે થાય ગુલતાનરે ।।૮।।

એ જે ગોપીનાથની મૂરતિરે, એતો સુંદર શોભે છે અતિરે ।

એવી મૂરતિ એમ પધરાવીરે, સુંદર મંદિર સારું બનાવીરે ।।૯।।

બાંધ્યું ધામ શ્યામે સહુ કાજરે, મે’ર કરીને પોતે મહારાજરે ।

કંક દેશનું કરવા કલ્યાણરે, કર્યું કામ એ શ્યામ સુજાણરે ।।૧૦।।

જ ે જ ે જ ન ક ર ે દ ર શ ન ર ે , મ ૂ ર િ ત જા ે ઇ થ્ ા ા ય ે મ ગ ન ર ે । કરે દંડવત પરણામરે, તેતો પો’ત્યા છે પરમ ધામરે ।।૧૧।।

વળી મન કર્મ ને વચનેરે, નિરખ્યા ગોપીનાથ જે જનેરે ।

તેતો પામશે અક્ષરધામરે, થાશે જન તે પૂરણકામરે ।।૧૨।।

એમ દયા કરીને દયાળેરે, કર્યાં કલ્યાણ બહુનાં આ કાળેરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

કોઈ ભાવ અભાવે આજ ભજેરે, આવે હરિ તેડવા તન તજેરે ।।૧૩।।

ભાવે કરી કરે જે ભગતિરે, તેતો પામે પરમ પ્રાપતિરે ।

અન્ન ધન વાહન વસનેરે, વાસણ ભૂષણાદિ પૂજ્યા જનેરે ।।૧૪।।

ફ ળ ફ ુ લ અ ા િ દ ક જ ે હ ર ે , હ ે ત ે ક ર ી અ ા પ ે જ ન ત ે હ ર ે । કુસુમ હાર તોરા ને ગજરારે, બાજુ કાજુ કુંડળ ગુછ ખરારે ।।૧૫।।

આપી નાથને જોડીયા હાથરે, તેતો થઈ ચુક્યા છે સનાથરે ।

થાય સેવા તે સર્વે જો રીતેરે, કર્યું જન હેતે પોતે પ્રીતેરે ।।૧૬।।

કર્યું કામ એ મોટું મહારાજેરે, સહુ જીવના કલ્યાણ કાજેરે ।

એમ બહુ બહુ કર્યા ઉપાયરે, જીવ લઇ જાવા ધામમાંયરે ।।૧૭।।

તેનો આગ્રહ છે આઠુ જામરે, નથી પામતા પળ વિશરામરે ।

જાણે બાંધી ધામ ઘણાં ઘણાંરે, કરું બાર અપાર મોક્ષતણાંરે ।।૧૮।।

ચાર વર્ણ ને આશ્રમ ચારરે, સહુ પામે ભવજળ પારરે ।

મારો આવવાનો અર્થ શિયોરે, જ્યારે જીવને સંકટ રિયોરે ।।૧૯।।

ગઢપુર મંદિરથી અપારરે, કૈક જીવનો કર્યો ઉદ્ધારરે ।

ખાયે પીયે રહે ખુશી રમેરે, આવે નાથ તેડવા અંત સમેરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રિંશત્તમઃ પ્રકારઃ ।।૩૦।।

દોહા - ગણ્યો ન જાયે ગઢપુરનો, માનો મા’ત્મ્ય ને મહિમાય ।

જીયાં સંત હરિજન સહુ મળી, વળી નિરખે નાથ સદાય ।।૧।।

સ ત સ ં ગ ી બ ા ઇ ભ ા ઇ ન ે , થ્ ા ય ા ં દ શર્ ન ગ ઢ ડ ે ગ ા મ ।

દર્શન વિના કોય દેશનાં, નથી રહ્યાં પુરુષ ને વામ ।।૨।।

અઢળક ઢળ્યા મળ્યા જિયાં, વળી આપ્યાં છાતીમાં ચર્ણ ।

તે ચરણ ચિત્તે ચિંતવતાં, જાણો જાય જન્મ ને મર્ણ ।।૩।।

બ હ ુ પ ે ર પ ર સ ા િ દ ય ા ે , વ િ ળ ઇ ય ા ં મ ળ ી છ ે જ રુ ર ।

તેનું ઘસાતું બોલવું, એથી બીજો કોણ અસુર ।।૪।।

ચોપાઇ-એતો ભોગવશે એનું પાપરે, તેનો આપણે શો સંતાપરે ।

વળી જેજે કર્યું જગતાતરે, કહું સાંભળજો તેની વાતરે ।।૫।।

સોરઠ દેશવાસી જન કાજેરે, કરાવિયું મંદિર મહારાજેરે ।

જોઈ જીરણગઢ માંઈ જાગ્યરે, દિઠી દેવળ કરવા લાગ્યરે ।।૬।।

જાણ્યું આ જાગ્યે મંદિર થાયરે, તેનો મોટો વધે મહિમાયરે ।

મોટું શેહર તીરથ વળી મોટુંરે, જિયાં આવે મનુષ્ય કોટાનકોટુંરે ।।૭।।

ત ે હ સ હ ુ ન ે થ્ ા ા ય દ ર શ ન ર ે , ત ે ણ ે ક ર ી ત ર ે બ હ ુ જ ન ર ે । વળી દેશમાં સારા સતસંગીરે, જેની પ્રીત પ્રભુમાં અભંગીરે ।।૮।।

સ્વામી રામાનંદજીના શિષ્યરે, હેતે હરિ ભજેછે હમેશરે ।

સહુ સિદ્ધ સમાધિ સંપન્નરે, અતિ અનઘ જાણો એ જનરે ।।૯।।

વળી આવી અમે એહ દેશરે, રહી ગયા વરણિને વેષરે ।

જોઈ પવિત્ર દેશ પાવનરે, ઘણું ઘણું માની ગયું મનરે ।।૧૦।।

પછી લોભી રહ્યા લોજ ગામરે, કરવા અનેક જીવનાં કામરે ।

કરતા બહુ બહુ અમે વાતરે, સુણી સહુ થાતા રળિયાતરે ।।૧૧।।

વળી દેખાડતા પરતાપરે, થાય સમાધિ ટળે સંતાપરે ।

સમાધિયે સુખી નર નારરે, ના’વે સમાધિથી કોઈ બા’રરે ।।૧૨।।

કોઇ સુરપુર અવલોકેરે, કોઇ રહી જાય સત્યલોકેરે ।

દેખે કૈલાશ ને બદ્રિવનરે, કોઇ દેખેછે મુક્ત નિરન્નરે ।।૧૩।।

દેખે સ્વર્ગ મૃત્યુ ને પાતાળરે, એવું દેખાડતા તતકાળરે ।

કોઇ દેખેછે ગોલોકધામરે, જોઇ માનેછે પૂરણકામરે ।।૧૪।।

કોઇ અક્ષરધામ અવલોકેરે, જોઇ મીટ થકી તે ન મૂકેરે ।

દેખે પર ને પોતાનું મનરે, દેખે ઘાટ પરસ્પર જનરે ।।૧૫।।

એવો પ્રગટ કર્યોતો પ્રતાપરે, સૌ જન કરવા નિષ્પાપરે ।

રહ્યા એ દેશમાં અમે ઘણુંરે, સહુને દર્શન થયું અમ તણુંરે ।।૧૬।।

તેહ દેશમાંહી હવે દાસરે, અમ વિના થયા છે ઉદાસરે ।

માટે મંદિર થાય એક સારુંરે, એમાં બહુ છે ગમતું અમારુંરે ।।૧૭।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

માટે જીરણગઢમાં જઇરે, કરાવું મંદિર સુંદર સઇરે ।

પછી મંદિર કરવા કાજરે, મોકલ્યા છે મોટા મુનિરાજરે ।।૧૮।।

કર્યો આદર થાવા દેવળરે, અતિ સરસ અનુપ અકળરે ।

થયું થોડાક દિનમાં તૈયારરે, ત્યાંતો પધાર્યા પ્રાણ આધારરે ।।૧૯।।

સંતો મૂર્તિયો સારી સારીરે, મારે હાથે હું દિયું બેસારીરે ।

એહ મૂર્તિનો મહિમાયરે, કે’તાં કેડ્યે કેણે ન કે’વાયરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકત્રિંશઃ પ્રકારઃ ।।૩૧।।

દોહા - પછી મંદિરમાંહી મૂરતિયો, પધરાવી કરી બહુ પ્રીત ।

સુખકારી તે મૂરતિ, અતિ સારી સુંદર શોભિત ।।૧।।

મ ધ્ ય ન ા મ ં િ દ ર મ ા ં મ ન ા ે હ ર , જા ે ય ા જ ે વ ી જ ે જા ે ડ ।

પ્રેમે કરી પધરાવિયા, ત્રિકમરાય રણછોડ ।।૨।।

પ ૂ વર્ દ ે ’ ર ે પ ધ ર ા િ વ ય ા , ર ા ધ ા ર મ ણ ક ૃ ષ્ ણ ક ૃ પ ા ળ ।

આવી બેઠા ગરુડાસન, અતિ દયા કરીને દયાળ ।।૩।।

પશ્ચિમ દે’રે પધરાવિયાં, શિવ પારવતી સુખરૂપ ।

ગણપતિ વૃષભ વળી, મળી શોભે છે અતિ અનૂપ ।।૪।।

ચોપાઇ-સુંદર મૂરતિયો સરખી સારીરે, તેતો મંદિરમાંય બેસારીરે જોય ા

જેવી મૂર્તિ જુનેગઢરે, જેજે જુવે તેને લાગે રઢરે ।।૫।।

એવી પોતે મૂર્તિ પધરાવીરે, ગઢડેથી જુનેગઢ આવીરે ।

કરવા અનેક જીવનું કલ્યાણરે, કર્યું કામ શ્યામ સુજાણરે ।।૬।।

કર્યો ઉત્સવ અતિ ત્યાં ભારીરે, આવ્યાં દર્શને સૌ નર નારીરે ।

તેને ભોજન કરાવ્યાં ભાવતાંરે, પછી નાહી નાથ જમ્યા હતારે ।।૭।।

જમી પોતે જમાડિયા જનરે, ભાવે પીરશિયું ભગવનરે ।

ફરિ ફરિ ફેરવે મોદકરે, દિયે દોય માગે કોઇ એકરે ।।૮।।

અતિ હેત છે હરિજન માથેરે, માટે જમાડેછે જન હાથેરે ।

એમ જમાડિ રહ્યા જન જ્યારેરે, મળ્યા સહુ સંતને તે વારેરે ।।૯।।

મળી વળી સંત પાયે પડ્યારે, વળતા નાથ રૈવતાચળ ચડ્યારે ।

એમ હરે ફરે કરે કાંઇરે, સહુ જનને છે સુખદાઇરે ।।૧૦।।

મંદિર કરાવ્યું જે મહારાજેરે, સહુ જીવના કલ્યાણ કાજેરે ।

કોઇ આવી દર્શન કરશેરે, તેતો અપાર સંસાર તરશેરે ।।૧૧।।

એહ મોટો કર્યો ઉપકારરે, બહુ જીવ તારવા આવારરે ।

પશ્ચિમ દેશિ કરવા પુનિતરે, કર્યું મંદિર સારું શોભિતરે ।।૧૨।।

વળી સંતને આપી આગન્યારે, રે’વું નહિ આંહિ આવ્યા વિનારે ।

વરષો વરષ એક માસરે, કરવો આ મંદિરમાંહિ વાસરે ।।૧૩।।

એવી આગન્યા આપી દયાળેરે, તેતો માની લિધિછે મરાળેરે ।

વળી કરી છે હેતની વાતરે, તેણે સહુ થયા રળિયાતરે ।।૧૪।।

કહે આ દેશ છે બહુ સારોરે, સહુ જન મનમાં વિચારોરે ।

ઈયાં રામાનંદ સ્વામી રે’તારે, જીવ બહુને અભયદાન દેતારે ।।૧૫।।

સોરઠ દેશનાં સર્વે ગામરે, તેમાં વસેછે પુરુષ ને વામરે ।

તે સહુને દરશન થયાંરે, કોઈ દરશન વિના ન રહ્યાંરે ।।૧૬।।

વળી અમે પણ જો સોરઠેરે, સરવે ફર્યા છીએ સારી પેઠેરે ।

સહુ જાણે છે અમને જનરે, વળી થયાંછે સહુને દર્શનરે ।।૧૭।।

જેજે જપેછે અમારું નામરે, તેતો પામશે પરમ ધામરે ।

વળી આ મૂરતિ જે બેસારીરે, તે નિરખશે જે નર નારીરે ।।૧૮।।

તેને શીદ રાખી જોઈએ શંકારે, જાશે બ્રહ્મમો’લે દઇ ડંકારે ।

એમ ધારીને આવ્યાછીએ અમેરે, સત્ય માનજ્યો સહુજન તમેરે૧૯

આ વારનો જે અવતારરે, એવો ન થાયે વારમ વારરે ।

નથી આવ્યા ને આવશું ક્યાંથીરે, જન જાણજ્યો સૌ મનમાંથીરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે દ્વાત્રિંશઃ પ્રકારઃ ।।૩૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

દોહા - એવી વાત વાલમે કરી, ધરી હરિ હૈયે ઘણું હેત ।

સુણિ મગન મુનિ થયા, વળી સતસંગી સમેત ।।૧।।

આશ્ચર્ય પામ્યા સહુ અંતરે, એવાં સુણી વાલાનાં વેણ ।

જાણું જીવ ઉદ્ધારવા, આવ્યા આપે શ્યામ સુખદેણ ।।૨।।

પ્ર ા ણ ધ ા ર ી જ ે પ્ર થ્ ા વ ી અ ે , ત ે સ હ ુ ન ે લ ે વ ા સ્ વ ધ ા મ ।

એહ આગ્રહ ઉરમાં, ઘણો ઘણો કરે ઘનશ્યામ ।।૩।।

જોઇ મહારાજની મરજી, હાથ જોડી કહે મુનિરાજ ।

જેમ કહો તેમ કરિયે, કે’જો કૃપા કરી હરિ આજ ।।૪।।

ચોપાઇ-તારે નાથ કહે સુણો સંતરે, આજ તારવા જીવ અનંતરે ।

માટે જેમ જેમ જીવ તરેરે, એમ કરવુંછે સહુને સરેરે ।।૫।।

માટે દેશો દેશમાં દેવળેરે, માંડો સારી મૂર્તિયો સઘળેરે ।

એહ મૂર્તિનાં દર્શન કરશેરે, તેતો અપાર પ્રાણી ઉદ્ધરશેરે ।।૬।।

જાણો એહ ઉપાય છે ભારીરે, સહુ જુવો મનમાં વિચારીરે ।

માટે કચ્છમાં મંદિર કરવુંરે, થાય પ્રાણીને પાર ઉતરવુંરે ।।૭।।

એવું સુણી સંત સજ્જ થઇરે, કર્યું ભુજમાં મંદિર જઇરે ।

માંહી બેસાર્યા નરનારાયણરે, કચ્છ દેશ તારવા કારણરે ।।૮।।

વળી ધોળકે મંદિર કરાવીરે, તેમાં મૂર્તિ સારી પધરાવીરે ।

એવો કરિયો એહ ઉપાયરે, જેણે કરી જન સુખી થાયરે ।।૯।।

(મોરલીમનોહર હરિકૃષ્ણરે, પોતે શ્રીજી થઈ અતિ પ્રશ્નરે ।

જીવ અનંત ઉદ્ધારવા કાજરે, આવ્યા ત્યાં ઘણીવાર લઈ સમાજરે૧)

કરાવિયું એ કાજ સંતરાજેરે, બહુ જીવને તારવા કાજેરે ।

વળી નાથ કે’ કહુંછું અમેરે, કરજો થાય તો મંદિર તમેરે ।।૧૦।।

પછી સંત જોઈ જોઈ જાગ્યારે, દેશો દેશ દેરાં કરવા લાગ્યારે ।

જેજે દેશમાં દેવળ થયાંરે, તેતે દેશમાં જન જે રહ્યાંરે ।।૧૧।।

તેતો ઉત્સવ સમૈયા માથેરે, આવે સહુ દરશને સાથેરે ।

કરી દર્શન પ્રસન્ન થાયરે, મુખે સ્વામિનારાયણ ગાયરે ।।૧૨।।

લેતાં સ્વામિનારાયણ નામરે, થાય શુદ્ધ સહુ નર વામરે ।

સ્વામિનારાયણ નામ જેવુંરે, નથી બીજું નામ કોઇ એવુંરે ।।૧૩।।

માટે જે જપશે એ નામરે, તેતો પામશે અક્ષરધામરે ।

એવો એ નામનો પરતાપરે, પ્રગટાવ્યો પૃથ્વીપર આપરે ।।૧૪।।

બહુ પ્રકારે કરવા કલ્યાણરે, નાથે ધારિયું છે નિરવાણરે ।

માટે જેજે ક્રિયાઓ કરેછેરે, તેમાં અનંત જીવ તરેછેરે ।।૧૫।।

એમ જીવ જગતના સહુરે, કર્યા તારવા ઉપાય બહુરે ।

એહ ઉપાયમાં જે આવી ગયારે, તે સહુ ભવપાર થયારે ।।૧૬।।

એહ અર્થે આપે આવિયારે, કરી બહુ જીવપર દયારે ।

આજ જક્તના જીવ છે જેહરે, તર્યા પ્રભુ પ્રતાપથી તેહરે ।।૧૭।।

અતિ સામર્થી વાવરી છે આજરે, આવી પુરુષોત્તમ મહારાજરે ।

સહુ પાર સહુને સરેરે, આજ એવી સામર્થી વાવરેરે ।।૧૮।।

જેજે જાણશે તેતે વખાણશેરે, બિજા જન તેહ શું જાણશેરે ।

નથી વાત જેવડી એ વાતરે, એમ જાણે છે સંત સાક્ષાતરે ।।૧૯।।

તેતો કહેછે કર વજાડીરે, ચોખા ચોખી જો વિગતિ પાડીરે ।

તેની પ્રતીતિ ન પડે જેનેરે, ના’વે અલૌકિક સુખ તેનેરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રયસ્ત્રિંશઃ પ્રકારઃ ।।૩૩।।

દોહા - વળી શ્રીહરિ કે સંત સાંભળો, મોટાં કરાવિયાં મંદિર ।

તેમાં બેસારિ મૂરતિયો, અતિ સારી સુંદિર ।।૧।।

જેજે દેશે મંદિર કર્યાં, તેતે દેશને આવ્યાં કામ ।

હવે સરવે દેશને અરથે, એક બંધાવિયે સારું ધામ ।।૨।।

દેશી પ્રદેશી દર્શન કરે, તેનાં પ્રજાળવા વળી પાપ ।

એવું મંદિર એક કરવું, એમ બોલ્યા શ્રીહરિ આપ ।।૩।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

ભાગ્ય જગાડવા ભાલનાં, ધોલેરે બાંધિએ ધામ ।

તેમાં બેસારિયે મૂરતિ, અતિ શોભિત સુંદર શ્યામ ।।૪।।

ચોપાઇ-એહ બંદર સુંદર સારુંરે, જિયાં આવેછે લોક હજારુંરે ।

તિયાં મંદિર કરવું એકરે, સારું સહુથી વળી વિશેકરે ।।૫।।

એમ નાથે કરી નિરધારરે, પૂછ્યું પુંજા ભાઇને તે વારરે ।

સુણો પુણ્યવાન પુંજાભાઇરે, કરિયે મંદિર ધોલેરા માંઇરે ।।૬।।

વળી સતસંગિને કહે શ્યામરે, કો’તો ધોલેરે બાંધિયે ધામરે ।

સહુ બોલો શુદ્ધભાવે કરીરે, એમ હરિજનને કહે હરિરે ।।૭।।

ત્યારે હરિજને જોડયા હાથરે, ધન્ય ધન્ય કહે સહુ સાથરે ।

જાગે ભાગ્ય મોટું જો અમારુંરે, કરો મંદિર તો બહુ સારુંરે ।।૮।।

મ ં િ દ ર ન ે જા ે ગ ે મ હ ા ર ા જ ર ે , ર હ ે સ ં ત ન ા ે સ હ ુ સ મ ા જ ર ે । હરતાં ફરતાં દર્શન થાયરે, અતિ મોટો એ લાભ કે’વાયરે ।।૯।।

નથી એથી બીજું કાંઇ સારુંરે, એમાં અતિ રૂડું છે અમારુંરે ।

એમ બોલ્યા સતસંગી સહુરે, સુણી નાથ રાજી થયા બહુરે ।।૧૦।।

પછી આપ્યાં છાતિમાં ચરણરે, જેહ ચરણ ભવભય હરણરે ।

કર્યા નિરભય છાપી છાતીરે, કહ્યે વાત એ નથી કે’વાતીરે ।।૧૧।।

કર્યા બ્રહ્મમો’લના નિવાસીરે, રાજી થઇ આપે અવિનાશીરે ।

પછી કહ્યું સહુ બાઇ ભાઇરે, રે’જો મંદિરની સેવા માંઇરે ।।૧૨।।

પછી પુંજોભાઇ જે પવિત્રરે, અતિ ડાહ્યા છે સહુના મિત્રરે ।

જેને જક્તસુખ લાગ્યું ઝેરરે, પંચ વિષય સાથે રાખ્યું વેરરે ।।૧૩।।

અ ન્ન્ ા ધ ન ન ે અ ા ય ુ ષ્ ા જ ે હ ર ે , ક ય ુર્ ં હ િ ર પ ર ા ય ણ ત ે હ ર ે । એવાં અતિ ઉદાર દંપતિરે, કરી હરિને અર્પણ સંપતિરે ।।૧૪।।

ધન્ય ધન્ય ભક્તિ ભાઇયોનીરે, તેથી અતિ અધિક બાઇયોનીરે ।

એવા જન જોઇ શ્રદ્ધાવાનરે, બહુ રાજી થયા ભગવાનરે ।।૧૫।।

દીઠા હરિજન ઠાઉકા ઠીકરે, એક એકથકી જો અધિકરે ।

પછી બોલ્યા શ્યામ સુખદાઇરે, કરશું મંદિર જરુર આંઇરે ।।૧૬।।

સહુ સેવામાંઇ તમે રે’જોરે, આતો મોટો પરમાર્થ છેજોરે ।

યાંથી ઉદ્ધરશે લાખું ક્રોડિરે, એતો નથી કમાણી કાંઇ થોડીરે ।।૧૭।।

બીજાં કોટિકોટિ કરે દાનરે, ના’વે જીવ ઉદ્ધાર્યા સમાનરે ।

જેથી જનમ મરણ દુઃખ જાયરે, પામે અભયપદ સુખી થાયરે ।।૧૮।।

એતો પરમારથ મોટો ભારીરે, સહુ જુવો મનમાં વિચારીરે ।

એમ પોતે બોલ્યા પરબ્રહ્મરે, પૂર્ણકામ જે પુરુષોત્તમરે ।।૧૯।।

તમે સાંભળો સૌ નર નારરે, અમે કર્યો છે જે આ વિચારરે ।

એવું સુણી હરખ્યા સહુજનરે, સુખદાયક સ્વામી ધન્ય ધન્યરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચતુસ્ત્રિંશઃ પ્રકારઃ ।।૩૪।।

દોહા - પછી અલબેલે આગન્યા કરી, મંદિર કરવા માટ ।

ઇયાં મંદિર કરવું, જિયાં અમે ઢાળી છે પાટ ।।૧।।

અતિ ઉત્તમ છે આ ભૂમિકા, મોટાં ભાગ્યવાળી ભરપુર ।

ઓછું માહાત્મ્ય આનું નથી, જન મને જાણજો જરુર ।।૨।।

જિયાં બેસી અમે જમિયા, વળી ઢાળ્યો ઢોલિયો અમૂલ્ય ।

જુવો વિચારી જીવમાં, કોણ આવે આ ભૂમિને તુલ્ય ।।૩।।

માટે મંદિર આંહિ આરંભો, અતિ ઉરે આણી આનંદ ।

થાશે સરસ સહુથી, એમ બોલિયા સહજાનંદ ।।૪।।

ચોપાઇ-પછી આદરિયું છે મંદિરરે, અતિ ઉતાવળું તે અચિરરે ।

ખાત મુહૂર્ત ખાંત્યેશું કીધુંરે, પછી મંદિરનું કામ લીધુંરે ।।૫।।

થ્ ા ા ય અ હ ા ે િ ન શ ક ા મ અ ે હ ર ે , ક ર ે જ ન ક ર ી ન ે સ ન ે હ ર ે । થયું તૈયાર વાર ન લાગીરે, ત્યાંતો પધાર્યા શ્યામ સુહાગીરે ।।૬।।

જોઇ મંદિર મગન થયારે, સારું સારું કર્યું કે’છે રહ્યારે ।

હવે બેસારિયે જો મૂરતિરે, રાધાકૃષ્ણની સારી શોભતિરે ।।૭।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

પછી સમે સિંહાસન માથેરે, મદનમોહન પધરાવ્યા હાથેરે ।

કરી પૂજા આરતી ઉતારીરે, થયો જયજય શબ્દ ભારીરે ।।૮।।

મદનમોહનની જે મૂરતિરે, તેતો સુંદર શોભેછે અતિરે ।

જેજે નિરખે નયણાં ભરીરે, તેનું મન ચિત્ત લિયે હરિરે ।।૯।।

એવી મૂરતિયો છે અતિ સારીરે, પ્રતિપક્ષીને પણ લાગે પ્યારીરે ।

મદનનું પણ મોહે મનરે, ત્યારે બીજા ન મોહે કેમ જનરે ।।૧૦।।

શોભાસાગર સુખની ખાણીરે, છબી જાતિ નથી જો વખાણીરે ।

જોઇ જોઇ જન મન લોભેરે, એવા મદનમોહન શોભેરે ।।૧૧।।

મહા મનોહર જે મૂરતિરે, તેતો બેસારી કરી હેત અતિરે ।

કર્યો મોટો ઉત્સવ એહ દનરે, સહુને કરાવ્યાં ભોજનરે ।।૧૨।।

કર્યો સમૈયો બહુ સારોરે, લાગ્યો પ્રેમી જનને પ્યારોરે ।

જમ્યા રમ્યા સંત રૂડી રીતેરે, પરિપૂરણ થયા સહુ પ્રીતેરે ।।૧૩।।

જાણો જમ્યા તે હરિને હાથેરે, સંત સર્વે સતસંગી સાથેરે ।

જે કોઇ ઉત્સવપર આવિયુંરે, તેતો જમ્યા વિના નહિ રહ્યુંરે ।।૧૪।।

જમ્યા સહુ ઉત્સવનું અન્નરે, એવો સમૈયો કર્યો ભગવનરે ।

જેજે જમિયા જન અન્ન એહરે, થયા મોક્ષભાગી સહુ તેહરે ।।૧૫।।

વ ળ ી ક ય ાર્ ં જ ે ન ે દ ર શ ન ર ે , ત ે ત ા ે થ્ ા ય ા પ ર મ પ ા વ ન ર ે । એવોે કર્યો મોટો ઉપકારરે, જગજીવ તારવા આ વારરે ।।૧૬।।

મૂરતિ બેસારી સારી સુંદરરે, અતિશોભિત મહા મનોહરરે ।

નિજભક્તની પુરવા આશરે, મૂર્તિ બેસારી ધોલેરે વાસરે ।।૧૭।।

કરવા અનેક જીવનું કલ્યાણરે, આપે ઉઘાડી મોક્ષની ખાણરે ।

આવે દેશી પરદેશી દર્શનેરે, નિરખે હરખિ હરખિ મનેરે ।।૧૮।।

જેણે જેણે જોયા નયણે નાથરે, વળી પાયે લાગ્યા જોડી હાથરે ।

તેનાં સરી ગયાં સર્વે કામરે, વળી પામશે પરમ ધામરે ।।૧૯।।

એમ ઇચ્છા કરી છે હરિ આપરે, જીવ તારવા આપ પ્રતાપરે ।

બહુ જનની કરવી છે સારરે, એવો કરી આવ્યા છે નિરધારરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચત્રિંશઃ પ્રકારઃ ।।૩૫।।

દોહા- વળી શ્રીહરિ કે’ સહુ સાંભળો, બહુ બહુ બનાવ્યાં મંદિર ।

અનેક જીવ ઉદ્ધારવા, કર્યું કામ અનામ અચિર ।।૧।।

સુંદર મંદિર સારાં થયાં, સ્થાપી મૂરતિયો મનોહર ।

પણ મદનમોહન મારા મનમાં, અતિ સારા લાગેછે સુંદર ।।૨।।

નાનો દેશ નિરસ અતિ, દેહાભિમાનિને દુઃખરૂપ ।

તિયાં ત્યાગી હોય તે ટકે, બીજાને સંકટરૂપ ।।૩।।

મ ા ટ ે મ ા ર ે અ ે મ ં િ દ ર પ ર , ઘ ણ ુ ં ઘ ણ ુ ં ર હ ે છ ે હ ે ત । ધન્ય ધન્ય એહ સંતને, જે ઇયાં રહે કરી પ્રીત ।।૪।।

ચોપાઇ-મારે વચને જે ઇયાં રહેછેરે, સુખ દુઃખ શરીરે સહેછેરે ।

એક મને કરવાને રાજીરે, નથી રાખી શરીરશું સાજીરે ।।૫।।

એહ સંત બીજા સંત જેહરે, બરોબર માનું કેમ તેહરે ।

હોય બરોબર બેહુ જ્યારેરે, ત્યારે તમ ઘણું ઘેર મારેરે ।।૬।।

પણ એમ જાણશો માં કોયરે, જેહ ત્યાગ વા’લો મને નોયરે ।

માટે સે’જે સે’જે તપ થાયરે, એવું છે જો એ મંદિર માંયરે ।।૭।।

એહ સંતને જમાડશે જેહરે, મોટા સુખને પામશે તેહરે ।

બીજા જક્તના જમાડે ક્રોડ્યરે, તોયે આવે નહિ એની જોડ્યરે ।।૮।।

એને પૂજી ઓઢાડે અંબરરે, વળી પાયે લાગે જોડી કરરે ।

તેતો જન જાયે બ્રહ્મમો’લરે, સત્ય માનજો છે મારો કોલરે ।।૯।।

જેહ જન મારા રાજીપામાંરે, રહે હાથ જોડી ઉભા સામારે ।

એથી સંત બીજા કોણ સારારે, એવા સંત લાગે મને પ્યારારે ।।૧૦।।

દેહાભિમાની તો દિઠા ન ગમેરે, જે કોઇ ભક્તિથી ભાગતા ભમેરે ।

એમ શ્રીમુખે કહે વળી વળીરે, સત્ય લખ્યું જાણજો સાંભળીરે ।।૧૧।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

જેવો સંતનો કર્યો સતકારરે, તેવો મૂરતિમાં છે ચમત્કારરે ।

જેહ દિનથી બેઠી એ મૂરતિરે, તેહ દિનથી થયું સુખ અતિરે ।।૧૨।।

શે’રમાં પણ થયો સમાસરે, દેશી પ્રદેશી વસ્યા કરી વાસરે ।

જિયાં હતાં વાંસડાનાં ઘરરે, તિયાં થઇ હવેલિયો સુંદરરે ।।૧૩।।

તેતો મદનમોહન પ્રતાપરે, સહુ સુખિયાં થયાં છે આપરે ।

તેતો જાણે છે પોતાના જનરે, બીજાને તો મનાય નહિ મનરે ।।૧૪।।

પણ જાણે અજાણે જે જનરે, કરશે મદનમોહનનાં દર્શનરે ।

તેતો આલોક પરલોક માંઇરે, મોટા સુખને પામે સદાઇરે ।।૧૫।।

જાણે અજાણે લેશે જે નામરે, તેતો જન છે પૂરણકામરે ।

ભાવ સહિત કરશે ભજનરે, તેનું બ્રહ્મમો’લે છે સદનરે ।।૧૬।।

તેહ સારુ છે ધોલેરે ધામરે, બહુ જીવનું કરવા કામરે ।

દેશી પ્રદેશી આવી ત્યાં બહુરે, કરે હરિનાં દર્શન સહુરે ।।૧૭।।

પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણરે, આવે ત્યાંથી તણાઇ તતક્ષણરે ।

સો સો જોજનથી આવે જનરે, કરે મદનમોહનનાં દર્શનરે ।।૧૮।।

તેતો અવિચળ ધામમાં આપેરે, જાશે પ્રગટ પ્રભુ પ્રતાપેરે ।

તેમાં સંશય કરશો માં કોયરે, હરિ ધારે તે શું ન હોયરે ।।૧૯।।

માટે એ મૂરતિ દ્વારે કરીરે, જાશે બહુ જીવ ભવ તરીરે ।

તેહ સારુ કર્યું છે મહારાજેરે, અમૃતપદ પમાડવા કાજેરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવકનિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે ષટ્‌ત્રિંશઃ પ્રકારઃ ।।૩૬।।

દોહા - એમ અનેક પ્રકારનાં, બહુ બહુ ઉઘાડ્યાં બાર ।

કલ્યાણ કરવા કારણે, અલબેલે જાણો આ વાર ।।૧।।

આપ સંબન્ધે સંત સંબન્ધે, વર્ણી સંન્યાસી સંબન્ધે સોય ।

સાંખ્યજોગી સત્સંગી સંબન્ધે, શ્રેય પામ્યાં સહુ કોય ।।૨।।

મ ં િ દ ર મ ૂ ર્િ ત સ ં બ ન્ ધ ે , ક ય ાર્ ક લ્ ય ા ણ ન ા ઉ પ ા ય ।

એ માંહેલો પ્રસંગ પ્રાણીને, થાય તો ભવદુઃખ જાય ।।૩।।

જેમ અન્ન ધન આપી આપણું, કરે કંગાલને કોટિધ્વજ ।

એમ સમાજ દૈ તારે જીવને, એની સઇ આશ્ચરજ ।।૪।।

ચોપાઇ-એમ બહુ બહુ પરકારેરે, વાલે જીવ તાર્યા આ વારેરે ।

બહુ હરિ કરી પરમાર્થરે, તાર્યા જીવ વાવરી સામર્થ્યરે ।।૫।।

વળતો વિચાર કર્યો છે વાલેરે, આવું આવું ઘણું કેમ ચાલેરે ।

મોટાં મોટાં કરાવ્યાં મંદિરરે, તેમાં રાખિયા સંત સુધીરરે ।।૬।।

પણ તેતો સંત છે જો ત્યાગીરે, વસી કેમ સકશે વીતરાગીરે ।

મમત વિના મંદિર કેમ રે’શેરે, વાત બંધ એ કેમ બેસશેરે ।।૭।।

જેહ ત્યાગી છે ત્રિયા ધન તણારે, દેહ સુખથી નિરાશી ઘણારે ।

તેણે નહિ જળવાય જાગ્યરે, નથી વાત એ બનવા લાગ્યરે ।।૮।।

માટે એના કરું એક ધણીરે, તો રાખે ખબર એની ઘણીરે ।

પછી સરવાર દેશથી સંબંધીરે, તેને તેડાવી જાયગા દિધિરે ।।૯।।

સ્થાપ્યા દત્તપુત્ર પોતે સ્થિરરે, અવધપ્રસાદ ને રઘુવીરરે ।

તેને આપે કર્યા આચારજરે, કરવા બહુ જીવનાં કારજરે ।।૧૦।।

આપ્યાં વે’ચી મંદિર ને દેશરે, જેમાં કોઇને ન થાય ક્લેશરે ।

સાધુ સત્સંગીના ગુરુ કીધારે, દેશ ઉત્તર દક્ષિણ વે’ચી દીધારે ।।૧૧।।

કહે સહુ સહુને દેશે રે’જોરે, સારો સહુને ઉપદેશ દેજોરે ।

તમને માનશે પૂજશે જેહરે, મોટા સુખને પામશે તેહરે ।।૧૨।।

અન્ન ધન આપશે અંબરરે, પશુ વાહન ને વળી ઘરરે ।

ફળ ફુલ દલ જળ દેશેરે, તેતો અખંડ ધામને લેશેરે ।।૧૩।।

એહ આદિ જે આપશે વસ્તરે, એવા ઘર ધારી જે ગૃહસ્થરે ।

વળી પધરાવશે પોતાને ઘેરરે, કરશે સેવા વળી સારી પેરરે ।।૧૪।।

વળી કરશે સન્માન એનુંરે, મારે કરવું છે કલ્યાણ તેનુંરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

એમ આચારજથી કલ્યાણરે, થાશે સહુ જીવનું સુજાણરે ।।૧૫।।

માનો મોક્ષનો છેલ્લો ઉપાયરે, એહ ઉપરાંત નથી કાંયરે ।

મૂર્તિ આચારજ ધર્મપાળરે, રે’શે કલ્યાણ તે બહુ કાળરે ।।૧૬।।

જેજે એને કોઇ આશરશેરે, તેતો જરુર ભવજળ તરશેરે ।

કરશે દર્શનને ગુણ લેશેરે, વળી પો’ચ્ય પ્રમાણે કાંઇ દેશેરે ।।૧૭।।

શ્રદ્ધા સહિત સેવા કરે સોઇરે, વળી રાજી થાશે એને જોઇરે ।

એવા જન જેજે જગમાંયરે, તેની કરવી મારે સહાયરે ।।૧૮।।

મારી ઇચ્છા છે હમણાં એવીરે, પરમ પ્રાપતિ સહુને દેવીરે ।

માટે મોક્ષનું મોટું દ્વારરે, અમે ઉઘાડિયું છે આ વારરે ।।૧૯।।

આચારજથી બહુ ઉદ્ધરશેરે, જાણો બ્રહ્મનગર વાસ કરશેરે ।

એમ શ્રીમુખે કહ્યું શ્રીજીયેરે, જન સૌ સત્ય માની લિજીયેરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે સપ્તત્રિંશઃ પ્રકારઃ ।।૩૭।।

દોહા - એમ મોટપ્ય આચારજની, ઘણી ઘણી કહી ઘનશ્યામ ।

એહ દ્વારે અનેકને, આપવું છે આજ નિજ ધામ ।।૧।।

ધામધણિયે એમ ધારિયું, જન ઉદ્ધારવા છે અપાર ।

પાર પમાડવા પ્રાણીને, એહ કર્યા આપે ઉપકાર ।।૨।।

આચારજથી અનેક જનનો, અવશ્ય સરશે અર્થ ।

એમ આપે આ સમે, વાવરી અતિ સામર્થ ।।૩।।

ધર્મકુળને જે અનુસરે, ત્યાગી ગૃહી નર કોઇ નાર ।

પરિશ્રમ વિના તે પામશે, અપાર ભવનો પાર ।।૪।।

ચોપાઇ-આચારજ કર્યા છે જે અમેરે, તેની રીત સુણી લિયો તમેરે ।

નથી અન્ય આચારજ જેવારે, જાય શ્રદ્ધા કરતાં સેવારે ।।૫।।

લાવો લાવો એમ વળી કરેરે, ધન લેવા ધરણિએ ફરેરે ।

લિયે ધન ને તાકે ત્રિયનેરે, તે કેમ કરે જીવનાં પ્રિયનેરે ।।૬।।

માટે એવા આચારજ આ નહિરે, એપણ વાત સમઝવી સહિરે ।

આતો ત્રિયા ધનના તાકુ નથીરે, તેની વાત કહિયે છીએ કથીરે ।।૭।।

અમે બાંધી દિધી છે જે રીતરે, તેમાં રે’છે કરી અતિ પ્રીતરે ।

શિષ્ય શ્રદ્ધાએ કરશે સેવારે, ધન ધાન્યાદિ આવશે દેવારે ।।૮।।

તેતોેે સંતોષ સહિત લેશેરે, પણ કોઇને દુઃખ ન દેશેરે ।

એમ વરતશે એહ આપરે, પણ નહિ કરે કોઇને સંતાપરે ।।૯।।

નિજ સંબંધિ વિના બાઇયો સંગેરે, કેદિ ન બોલે ન અડે અંગેરે ।

કોઇ ઉપર રોષ ન રાખેરે, વળી કોઇને કલંક નહિ નાખેરે ।।૧૦।।

કેની જમાની પણ નહિ કરેરે, જુઠી સાખ્ય પણ નહિ ભરેરે ।

પડશે આપત તો માગી ખાશેરે, કરજ કેનું ન કાઢવા જાશેરે ।।૧૧।।

નહિ રાખે કોઇની થાપણરે, નહિ વેચે ધર્માદાના કણરે ।

સહુ ઉપર રાખશે દયારે, રે’શે એ ગુણે જે ગુણ કહ્યારે ।।૧૨।।

કળ છળ કપટ દગાઇરે, તેતો રાખશે નહિ ઉર માંઇરે ।

ઈરષા અદેખાઇ ને અમર્ષરે, રાખી નહિ ખુવે પોતાનો જશરે ।।૧૩।।

નહિ રાખે કોઇપર રોષરે, એમ વર્તશે સદા અદોષરે ।

એવા શુભ ગુણ જે અપારરે, આપ્યો એવાને અમે અધિકારરે ।।૧૪।।

સહુના ગુરુ કરી સોંપી ગાદીરે, રીત રાખશે એ રાયજાદીરે ।

ધર્મવંશી ધર્મ થાપશેરે, સારો ઉપદેશ સૌને આપશેરે ।।૧૫।।

એતો કર્યું છે કલ્યાણ સારુંરે, એમાં બહુ ગમતું છે અમારુંરે ।

કાંજે કરવું છે બહુનું કારજરે, નથી રાખવો ફેર એક રજરે ।।૧૬।।

એહ આચારજથી અપારરે, બહુ જીવનો થાશે ઉદ્ધારરે ।

એમાં નહિ પડે કાંઇ ફેરરે, શીદ કે’વરાવો વેર વેરરે ।।૧૭।।

એમ જન પર હેત કરીરે, આપ ઇચ્છાએ આવ્યા છે હરિરે ।

ગમે ત્યાંથી તારશે પ્રાણીરે, તેની ગતિ લેશે કોણ જાણિરે ।।૧૮।।

ધાર્યું ધર્મસુતે ધામ દેવારે, સહુ જનને શરણે લેવારે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

અતિ અસમર્થ જીવ અંગેરે, પો’ચિ ન શકે સુરપુર લગેરે ।।૧૯।।

તેને તેડી જાવા અક્ષરધામરે, એવું ધાર્યુંછે જો ઘનશ્યામરે ।

તેહ સારુ આવ્યા છે આપેરે, જીવ તારવા નિજ પ્રતાપેરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટત્રિંશઃ પ્રકારઃ ।।૩૮।।

દોહા - એમ કહી રીત કલ્યાણની, આ સમાની અગણિત ।

તે સૌએ શ્રવણે સાંભળી, અતિ ઉત્તમ પરમ પુનિત ।।૧।।

એહ રીતમાં જે આવી ગયા, તે થયા પૂરણકામ ।

તેતો તન જ્યારે તજશે, ત્યારે પામશે પ્રભુનું ધામ ।।૨।।

જ ે હ ધ ા મ ન ે પ ા મ ી ન ે , પ ા છ ા ે ન પ ડ ે જ ન ક ા ે ય ।

એવું અખંડ એ ધામ છે, ત્યાં સુખે વસે જન સોય ।।૩।।

તે ધામને ધામીયે ધારિયું, દેવા સ્વધામનું જો સુખ ।

જીવ જગતના જોઇને, દયા આણી ટાળવા દુઃખ ।।૪।।

ચોપાઇ-મારા ધામમાં આવવા સહુરે, એવા કર્યા ઉપાય મેં બહુરે ।

સર્વે ઉપાય કિધા છે સારારે, તેમાં તરશે જીવ અપારારે ।।૫।।

પણ છેલો છે આ જે ઉપાયરે, બહુ જીવ તરશે આ માંયરે ।

ધર્મવંશી આચારજ ધાર્યારે, ગુરુ કરી ગાદીએ બેસાર્યારે ।।૬।।

કામ કર્યું છે એહ સારુંરે, મન માન્યું છે બહુ અમારુંરે ।

કાંજે એ છે ધર્મનું કુળરે, માટે એ વાતનું ઉંડું મૂળરે ।।૭।।

જેવું અમારું કુળ મનાશેરે, તેને તુલ્ય બીજું કેમ થાશેરે ।

માટે વિચારીને વાત કીધીરે, ઘણું સમજીને ગાદી દીધીરે ।।૮।।

ધર્મવંશી તે ધર્મમાં રે’શેરે, અધર્મ વાતમાં પગ ન દેશેરે ।

ધર્મ પાળશે ને પળાવશેરે, અધર્મની રીત ટળાવશેરે ।।૯।।

આપ આપણે ધર્મ રાખશેરે, નર નારીનાં નિ’મ કૈ’ દાખશેરે ।

ત્યાગી ગૃહીના ધર્મ સૂચવીરે, કે’શે જુજવા જુજવા ચવીરે ।।૧૦।।

કાંજે બેઠા છે ધર્મની ગાદીરે, કે’શે ધર્મની રીતિ જે અનાદિરે ।

તેને સૌ રહેશે ધર્મ ધારીરે, ત્યાગી ગૃહી નર ને જે નારીરે ।।૧૧।।

ધર્મ અમને છે બહુ વા’લોરે, એમ કહેછે ધર્મનો લાલોરે ।

ધર્મવાળા સાથે હેત મારેરે, એમ વાલો કહે વારે વારેરે ।।૧૨।।

અધર્મી સાથે મારે અદેખાઇરે, રે’છે રાત દિવસ મનમાંઇરે ।

અધર્મી જનની જેહ ભગતિરે, નથી ગમતિ મને જો રતિરે ।।૧૩।।

એના હાથનું અન્ન ન ભાવેરે, મર બહુ સારુ કરી લાવેરે ।

અધર્મીના હાથનું જે પાણીરે, નથી પિતા તે અશુદ્ધ જાણીરે ।।૧૪।।

એનું ચંદન પૂજા ને હારરે, નથી લેતા અમે કરી પ્યારરે ।

લાવે અઘવંત સેવા સાજરે, તેનો તર્ત કરુંછું હું ત્યાજરે ।।૧૫।।

ધર્મવાળા આપે અન્ન જળરે, બહુ સ્વાદુ લાગે એ સકળરે ।

ધર્મવાનનું ફળ દળ ફુલરે, જે દિયે તે જાણું છું અમુલરે ।।૧૬।।

માટે ધર્મવાળાની જે ભક્તિરે, તેતો મને ગમેછે જો અતિરે ।

માટે ધર્મવાળા જીવ જોઇરે, કર્યા છે મેં આચારજ દોઇરે ।।૧૭।।

એહ અધર્મ નહિ આચરશેરે, ઘણું અધર્મ સર્ગથી ડરશેરે ।

ધર્મવંશીની ગાદિયે બેશીરે, વળી કા’વશે ધર્મ ઉપદેશીરે ।।૧૮।।

માટે એથી તરશે અપારરે, નિશ્ચે જાણજો એ નિરધારરે ।

બહુ કાળ લગી કલ્યાણરે, થાશે નિશ્ચે જાણો નિરવાણરે ।।૧૯।।

એવી ઇચ્છા છે જો અમારીરે, એવું ધામથી આવ્યા અમે ધારીરે ।

એમ બોલ્યા શ્રીહરિ હરખીરે, સુણી વાત લીધી છે જો લખીરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકોનચત્વારિંશઃ પ્રકારઃ ।૩૯

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

દોહા - માટે સહુ ધર્મકુળ માનજો, સહુ કરજો એની સેવ ।

અન્ય જન જેવા એહ નહિ, એ છે જાણજો મોટા દેવ ।।૧।।

એક બ્રાહ્મણને જાણો ભક્ત અતિ, વળી કા’વે અમારું કુળ ।

એને સેવતાં સૌ જન તમો, પામશો સુખ અતુળ ।।૨।।

મનવાંછિત વાત મળશે, વળી સેવતાં એનાં ચરણ ।

એ છે અમારી આગન્યા, સર્વે કાળમાં સુખ કરણ ।।૩।।

મન કર્મ વચને માનજો, એમાં નથી સંશય લગાર ।

એહ દ્વારે મારે અનેકનો, આજ કરવો છે ઉદ્ધાર ।।૪।।

ચોપાઇ-માટે સૌ રે’જો એને વચનેરે, ત્યાગી ગૃહી સહુ એક મનેરે ।

રે’જો ધર્મવંશીને ગમતેરે, વર્તશો માં કોયે મન મતેરે ।।૫।।

એહ કહે તેમ સહુ કરજોરે, પૂછ્યા વિના તો પગ ન ભરજોરે ।

હાથ જોડીને રે’જો હજુરરે, કરી ડા’પણ પોતાનું દૂરરે ।।૬।।

વિદ્યા ગુણ બુદ્ધિને બળેરે, એને દબાવવા નહિ કોઇ પળેરે ।

ત્યાગી રાગી ને કવિ કોઇ હોયરે, તોય એને માનજો સહુ કોયરે ।।૭।।

વાદ વિવાદ કરી વદનેરે, એશું બોલશો માં કોઇ દનેરે ।

એની વાત ઉપર વાત આણીરે, કેદિ વદશો માં મુખે વાણીરે ।।૮।।

એને હોડયે હઠાવી હરવીરે, પોતાની સરસાઈ ન કરવીરે ।

પોતે સમઝી પોતાને પ્રવિણરે, એને સમઝશો માં ગુણે હીણરે ।।૯।।

જેમ એ વાળે તેમ વળજોરે, એના કામ કાજમાં ભળજોરે ।

એની માનજો સહુ આગન્યારે, વર્તશો માં કોયે વચન વિનારે ।।૧૦।।

એને રાજી રાખશો જો તમેરે, તો તમ પર રાજી છીએ અમેરે ।

એને રાજી રાખશે જે જનરે, તેણે અમને કર્યા પરસનરે ।।૧૧।।

કાંજે અમારે ઠેકાણે એ છેરે, તેતો પ્રવિણ હોય તે પ્રીછેરે ।

બીજા જન એ મર્મ ન લહેરે, ભોળા મનુષ્યને ભોળાઇ રહેરે ।।૧૨।।

પણ સમઝવી વાત સુધીરે, અતિ મતિ ન રાખવી ઉંધીરે ।

વચન દ્વારે વસ્યા અમે એમાંરે, તમે ફેર જાણશો માં તેમાંરે ।।૧૩।।

અમે એમાં એ છે અમમાંઇરે, એમ સમઝો સહુ બાઇ ભાઇરે ।

એથી અમે અળગા ન રૈ’યેરે, એમાં રહિને દર્શન દૈયેરે ।।૧૪।।

જેજે જનને થાય સમાસરે, તેતો અમે કરી રહ્યા વાસરે ।

શે’ર પાટણે સનમાન જડેરે, તેતો અમારી સામર્થી વડેરે ।।૧૫।।

દેશ પરદેશે પૂજાયે આપરે, તેતો જાણો અમારો પ્રતાપરે ।

જિયાં જાય તિયાં જય જિતરે, તેતો અમે રહ્યા રૂડી રીતરે ।।૧૬।।

એમ સમઝો સહુ સુજાણરે, અમ વિના ન હોય કલ્યાણરે ।

ધર્મવંશી આચારજ માંયરે, સદા રહ્યો છું મારી ઇચ્છાયરે ।।૧૭।।

અતિ ધર્મવાળા જોઇ જનરે, રે’વા માની ગયું મારું મનરે ।

માટે એને પૂજે હું પૂજાણોરે, તેતો જરૂર જન મન જાણોરે ।।૧૮।।

એનું જેણે કર્યું સનમાનરે, તેણે મારું કર્યું છે નિદાનરે ।

એમ જાણી લેજો સહુ જનરે, એમ બોલિયા શ્રી ભગવનરે ।।૧૯।।

સુણી જન મગન થયારે, ધન્ય ધન્ય સ્વામી કે’વા રહ્યારે ।

પછી સહુએ આચારજ સેવ્યારે, તેતો મોટા સુખને લેવારે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૦।।

દોહા - એમ આચારજનું અધિકપણું, શ્રી મુખે કહ્યું ઘનશ્યામ ।

એહ દ્વારથી અનેકને, કરવા છે પૂરણકામ ।।૧।।

ઘણા જીવ એહ ગૃહસ્થથી, ઉદ્ધારવા છે આ વાર ।

નરનારી જે જક્તમાં, તે સહુના એ તારનાર ।।૨।।

એહ વિના વળી ત્યાગીથી, આજ ઉદ્ધારવા છે અનેક ।

એમાં પણ અમે રહી, ભવપાર કરવા છે છેક ।।૩।।

ત્યાગી તે સમઝો સંતને, એમાં અમે કરી પરવેશ ।

બહુ જીવને તારશું, આપી ઉજ્જવળ ઉપદેશ ।।૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

ચોપાઇ-ધર્મકુળમાં કરી રહ્યા ધામરે, તેમ સંતમાં છઉં કહે શ્યામરે

સર્વે રીતે સંતમાં રહુછુંરે, એમાં રહી ઉપદેશ દઉંછુંરે ।।૫।।

સંત બોલે તે ભેળો હું બોલુંરે, સંત ન ભુલે હુંયે ન ભુલુંરે ।

સંત વાત ભેળી કરું વાતરે, એમ સંતમાં છઉં સાક્ષાતરે ।।૬।।

સંત જુવે તે ભેળો હું જોઉંરે, સંત સુતા પછી હું સોઉંરે ।

સંત જાગે તે ભેળો હું જાગુંરે, સંત જોઇ અતિ અનુરાગુંરે ।।૭।।

સંત જમે તે ભેળો હું જમુંરે, સંત ભમે તે કેડ્યે હું ભમુંરે ।

સંત દુઃખાણે હું દુઃખાણોરે, એહ વાત સત્ય જન જાણોરે ।।૮।।

સંત હું ને હું તે વળી સંતરે, એમ શ્રીમુખે કહે ભગવંતરે ।

સંત માનજો મારી મૂરતિરે, એમાં ફેર નથી એક રતિરે ।।૯।।

અંતરજામીપણે રહું એમાંરે, માટે નથી બંધાતા એ કેમાંરે ।

સંકલ્પ સ્વપન ઉપવાસરે, તેતો કરેછે જાણી મને પાસરે ।।૧૦।।

માટે અખંડ એમાં રહુંછુંરે, સારી સત્ય સુબુદ્ધિ દઉંછુંરે ।

વળી જે જે મેં નિ’મ રખાવ્યાંરે, તેમાં રહી એણે તન તાવ્યાંરે ।।૧૧।।

માટે સંત વા’લા મને બહુરે, ઘણિ ઘણિ વાત શું કહુંરે ।

એને અન્ન જળ અંબર આપેરે, તેતો તપશે નહિ ત્રય તાપેરે ।।૧૨।।

લાગી પાય ને જોડિયા હાથરે, તેતો સહુ થાય છે સનાથરે ।

જોઇ રીત ને રાજી થાશેરે, વળી ગુણ તે સંતના ગાશેરે ।।૧૩।।

કે’શે સંત તો એ બહુ સારારે, ખરા કલ્યાણના કરનારારે ।

એટલોજ ગુણ કોઇ ગ્રે’શેરે, તેતો બ્રહ્મમો’લે વાસ લેશેરે ।।૧૪।।

એવા સંતની કરે પ્રસંશારે, નિર્ખિ હર્ખિ હૈયામાં હુલસ્યારે ।

વળી વિનતિ વારમવારરે, કરે સ્તુતિ તેહ અપારરે ।।૧૫।।

ત ે ત ા ે પ ા મ શ ે પ ર મ ધ ા મ ર ે , વ ળ ી થ્ ા ા શ ે ત ે પ ૂ ર ણ ક ા મ ર ે । કાંજે એ સંતમાં અમે છીએરે, સાચા સંતથી દૂર ન રહીએરે ।।૧૬।।

માટે સંત એ કલ્યાણકારીરે, યાંથી બહુને લેવા છે ઉદ્ધારીરે ।

મોટો માર્ગ જે મોક્ષતણોરે, આજ કર્યો છે ચાલતો ઘણોરે ।।૧૭।।

એમ માંડ્યો છે મોટો અખાડોરે, બ્રહ્મમો’લ જાવા રાત્ય દા’ડોરે ।

એવો અભાગી કોઇ ન કે’વાયરે, જે કોઇ આસમામાં રહી જાયરે ।।૧૮।।

સ ં ત દ ે શ પ ર દ ે શ ફ ર ે છ ે ર ે , સ હ ુ જી વ ન ા ં અ ઘ હ ર ે છ ે ર ે । એનાં દર્શન સ્પર્શ જે કરશેરે, તેતો ભવજળ પાર ઉતરશેરે ।।૧૯।।

એતો વિશ વસાની છે વાતરે, સહુ સમઝજો સાક્ષાતરે ।

કહ્યું શ્રીમુખે એમ મહારાજરે, સાકટમ નોતરું છે આજરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૧।।

દોહા - વળી કહું કોય સંતને, સેવશે શ્રદ્ધાવાન ।

તેના અંતરથી ઊંચલિ, વળી જાશે જાણો અજ્ઞાન ।।૧।।

સંત સેવ્યાથી સુખ મળે, વળી ટળે તન મન તાપ ।

પરમ ધામને પામિયે, તેપણ સંત પ્રતાપ ।।૨।।

ત ે સ ં ત શ્ર ી હ િ ર ત ણ ા , પ્ર ભ ુ પ્ર ગ ટ ન ા મ ળ ે લ ।

શૂરા સત્ય ધર્મ પાળવા, પંચ વિષયથી પાછા વળેલ ।।૩।।

પરમાર્થ અર્થે આવિયા, નિજ સ્વાર્થ નહિ લવલેશ ।

એવા થકા ભમે ભૂમિમાં, આપે સહુને સારો ઉપદેશ ।।૪।।

ચોપાઇ-આપે જ્ઞાન દાન જનનેરે, કહી વા’લપનાં વચનનેરે ।

હિતકારી છે સહુના સનેહિરે, જાણો પર ઉપકારી એહિરે ।।૫।।

સાચા સંત સગા સૌ જનનારે, ઉદાર છે અપાર મનનારે ।

જેને શત્રુ મિત્ર સમતોલરે, સુખે દુઃખે દિલમાં ન ડોલેરે ।।૬।।

હાનિ વૃદ્ધિ ને સમ વિસમરે, નથી આપ અર્થે ઉદ્યમરે ।

હર્ષ શોક ને નૈ હાર્ય જીતરે, માન અપમાને સમ ચિત્તરે ।।૭।।

અહં મમત ને મારું તારુંરે, એહ નથી લાગતું જેને સારુંરે ।

જક્તદોષ નથી જેમાં જરારે, એવા સંત તે સંત મારા ખરારે ।।૮।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

એમાં રહુંછું હું રાત્ય દિનરે, સત્ય માનજો મારું વચનરે ।

અતિ પવિત્ર અંતર પેખિરે, સદા રહ્યો છું શુદ્ધ લેખિરે ।।૯।।

એવા સંતને હૃદિયે રઇરે, કરું જીવનાં કલ્યાણ કઇરે ।

એહ સંત મળે જે જનનેરે, કરે પળમાંહિ પાવન તેનેરે ।।૧૦।।

એવા સંત છે સગા સહુનારે, સુખદાયક જન બહુનારે ।

જેવી એ સંત કરેછે સા’યરે, તેવી કોઇ થકી કેમ થાયરે ।।૧૧।।

માત તાત ને સગાં સંબંધિરે, કરે હિત એહ બહુવિધિરે ।

એનું હિત રહે યાંનું યાંહિરે, ના’વે કલ્યાણનાં કામ માંહિરે ।।૧૨।।

દેવ ગુરુ કુળ ને કુટુંબરે, એહ નહિ સાચા સંત સમરે ।

સાચા સંત તેમાં અમે રૈ’યેરે, મળી જીવને અભયદાન દૈયેરે ।।૧૩।।

અભયદાન તો એવું કે’વાયરે, કાળ માયાથી નાશ ન થાયરે ।

એવું કોઇ વિઘન ન કા’વેરે, જે કોઇ નિર્ભયને ભય ઉપજાવેરે ।।૧૪।।

એવું નિર્ભય પદ નિર્વાણરે, તેના દેનારા સંત સુજાણરે ।

એવા સંતનો જેને આશરોરે, તેતો સંશે પરો પરહરોરે ।।૧૫।।

જાણો જનમ મરણ ભય ટાળીરે, જાશું ધામે વજાડતા તાળીરે ।

સંત સમાગમ પરતાપેરે, જાશું બ્રહ્મમો’લ માંહિ આપેરે ।।૧૬।।

એમ સહુને કહે શ્રીહરિરે, સત્સંગ મહિમા ભાવ ભરિરે ।

મોટું દ્વાર છે એ મોક્ષતણુંરે, આજ ઉઘાડ્યું છે અતિ ઘણુંરે ।।૧૭।।

કહ્યું બહુ પ્રકારે કલ્યાણરે, અતિ અગણિત અપ્રમાણરે ।

પણ સહુથી સરસ સંતમાંરે, રાખ્યું વાલમે એની વાતમાંરે ।।૧૮।।

એમ ઉઘાડ્યાં અનંત બારરે, વાલે કલ્યાણનાં આ વારરે ।

જેજે ધારી આવ્યા હતા વાતરે, તેતો પુરી થઇ સાક્ષાતરે ।।૧૯।।

જ્યારે થયું છે પુરુ એ કામરે, ત્યારે રાજી થયા ઘનશ્યામરે ।

કર્યો જેજેકાર જીવ તારીરે, વળતિ વાલમે વાત વિચારીરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે દ્વિચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૨।।

દોહા - વળતું વાલમે વિચારિયું, થઈ રહ્યું સર્વે કામ ।

કેડ્યે કાંયે રહ્યું નહિ, થયું સારું કહે ઘનશ્યામ ।।૧।।

જે અર્થે અહિ આવિયા, તે સારિયો સરવે અર્થ ।

અગણિત જીવ ઉદ્ધારિયા, વાવરી પોતાની સામર્થ ।।૨।।

ક ે ડ ્ય ે વ ળ ી ક લ્ ય ા ણ ન ા , બ હ ુ બ હ ુ ક ય ાર્ ઉ પ ા ય ।

કસર ન રાખી કોઇ વાતની, એમ નાથે માન્યું મનમાંય ।।૩।।

જણ જણ પ્રત્યે જુજવું, કર્યું ચાલતું મોક્ષનું કામ ।

પરિશ્રમ વિના પામવા, અખંડ અક્ષર ધામ ।।૪।।

ચોપાઇ-કર્યા કોટિ કોટિ ઉપાયરે, અમે આવી અવનિ માંયરે ।

અમારી મૂરતિને પ્રસંગેરે, કર્યું કલ્યાણ જીવનું જગેરે ।।૫।।

સંત સંબંધે કલ્યાણ કીધુંરે, તેને પણ અખંડ ધામ દીધુંરે ।

વળી બાંધ્યાં સદાવ્રત ઘણાંરે, તેપણ બારણાં કલ્યાણ તણાંરે ।।૬।।

વળી ધ્યાન ધારણા સમાધિરે, કરાવી વિસરાવી ઉપાધિરે ।

વળી પ્રગટ કરી પંચ વ્રતરે, આપ્યું પળાવી પદ અમૃતરે ।।૭।।

બહુ દેશ તીર્થ ગામ શે’રરે, તાર્યા ફરી હરિ કરી મે’રરે ।

કરી ઉત્સવ બહુ સમૈયારે, તાર્યા જીવ જાયે નહિ કહ્યારે ।।૮।।

કર્યા જગન ને બહુ જાગરે, તેપણ જીવ ઉદ્ધારવા કાજરે ।

વરષોવરષ કર્યા વળી મેળારે, કરવા જીવ બ્રહ્મમો’લે ભેળારે ।।૯।।

બાંધ્યાં કલ્યાણ સારુ બહુ ધામરે, શ્રીઠાકુરજીના ઠામોઠામરે ।

તેમાં બેસારી સારી મૂરતિરે, તે પણ જીવના કલ્યાણ વતીરે ।।૧૦।।

કર્યા આચારજ મહારાજેરે, તે પણ જીવને તારવા કાજેરે ।

બહુ બાંધી કલ્યાણની સડકરે, જાય ધામે જીવ થૈ નિધડકરે ।।૧૧।।

થઇ વાત સર્વે એ મોટીરે, તરશે જીવ કોટાન જો કોટીરે ।

એતો બહુ કહ્યું થયું સારુંરે, હવે માનિયું મન અમારુંરે ।।૧૨।।

સારા સરા કર્યા છે સમાજરે, કેડ્યે કલ્યાણ કરવા કાજરે ।

કર્યાં બંધ અમંગળ બારરે, આવી ભૂમિએ અમે આ વારરે ।।૧૩।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

કેને લેવા ન આવે કૃતાંતરે, એમ જાણજો આજ વૃતાંતરે ।

તરણિ ઉગે રહિ જાય તમરે, ત્યારે માર્તંડનું શું મા’તમરે ।।૧૪।।

તેમ અમે આવ્યે અઘ રહેરે, ત્યારે પતિતપાવન કોણ કહેરે ।

દીનબંધુ કહે છે દયાળરે, તેતો કુડુ ન પડે કોઇ કાળરે ।।૧૫।।

માટે સર્વે એ નામ સત્ય કીધાંરે, જન અપાર ઉદ્ધારી લીધાંરે ।

સારો ફેરો ફાવ્યો છે આ વારરે, બહુ જીવ કર્યા ભવ પારરે ।।૧૬।।

વળી કલ્યાણકારી જે વસ્તરે, તે પણ પૃથ્વી પર છે સમસ્તરે ।

બહુ તે વડે થાશે કલ્યાણરે, સ્પર્શિ પામશે પદ નિર્વાણરે ।।૧૭।।

અમે હૈયે ન હૈયે જો આંઇરે, નથી રાખ્યું કેડ્યે કામ કાંઇરે ।

સર્વે કરીને લીધું છે કાજરે, એમ કહે છે શ્રીમહારાજરે ।।૧૮।।

જે જે કર્યા છે અમે ઉપાયરે, જે કોઇ આવી જાશે એ માંયરે ।

તેને અંતકાળે અમે આવીરે, તેડી જાવું છે તન તજાવીરે ।।૧૯।।

અશ્વ રથ વિમાન વે’લ સારીરે, લૈ જાવા સુખપાલે બેસારીરે ।

એતો અવશ્ય બિરુદ છે હમારુંરે, ધાર્યું છે સહુ જીવને સારુરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રિચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૩।।

દોહા - વળી શ્રીહરિ હેતે કરી, મોટી કહી માહાત્મ્યની વાત ।

પવિત્ર છે સ્પર્શે કરી, આ પૃથવી સાક્ષાત ।।૧।।

જિયાં જિયાં અમે વિચર્યા, વળી રહ્યા જે જે ગામ ।

તે જરુર જન જાણજો, સરવે થયાં છે સ્વધામ ।।૨।।

તિયાં પ્રાણી કોઇ તન તજે, જાણ્યા વિના એહ જાગ્ય ।

કહ્યાં ન જાય વળી કોઇથી, એવાં ઉઘડિયાં એનાં ભાગ્ય ।।૩।।

ચરણે અંકિત જે અવની, વળી પદની સ્પર્શેલ રજ ।

તે જોતાં ન જડે જાણજો, જેને ઇચ્છેછે ઇશ્વર અજ ।।૪।।

ચોપાઇ-પદરજના સ્પર્શ પ્રતાપેરે, જન અભય થાય છે આપેરે ।

ભવભય હરણી એ રજરે, થાય નિર્ભય એમાં શું આશ્ચરજરે ।।૫।।

જન ભવનમાં જ્યાં જ્યાં ગયારે, તિયાં દિનરજની જે રહ્યારે ।

એહ ભૂમિકાનાં ભાગ્ય ભારીરે, થઇ ધામરૂપ સુખકારીરે ।।૬।।

એહ પૃથ્વી પર તજે પ્રાણરે, તેતો પામે પદ નિરવાણરે ।

વળી નદી નદ ને તલાવરે, સિંધુ કુંડ કુવા વળી વાવરે ।।૭।।

તિયાં જિયાં જિયાં અમે ના’યારે, સ્પરશ્યું પાણી જે અમારી કાયારે ।

તેહ સ્પર્શનું જેહ પાણીરે, જન ઉદ્ધારણ લિયો જાણીરે ।।૮।।

ત ે હ ત ટ ે ત જ ે ક ા ે ઇ ત ન ર ે , પ ા મ ે અ મ ૃ ત ધ ા મ ે સ દ ન ર ે । એમ કલ્યાણના જે ઉપાયરે, બહુ કર્યા છે આ જગમાંયરે ।।૯।।

બાગ બગીચા ને ફુલવાડીરે, વૃક્ષ વેલી વન વળી ઝાડીરે ।

એહ આદિ જાયગા અપારરે, જિયાં રહ્યા અમે કરી પ્યારરે ।।૧૦।।

એતોેે સ્થાનક છે તીર્થરૂપરે, અતિ પવિત્ર જાણો અનૂપરે ।

એહ સ્થાને મૂકે કોઇ દેહરે, પામે અક્ષર ધામને તેહરે ।।૧૧।।

એમ અનેક પ્રકારે આજરે, કર્યા ઉપાય કલ્યાણ કાજરે ।

સર્વે તીર્થનાં તીર્થ કહીએરે, જિયાં સંત અમે ના’યા છીએરે ।।૧૨।।

તિયાં જન કોઇ જઇ ના’શેરે, થઇ પાવન ધામમાં જાશેરે ।

એહ જળમાં જંતુ જે રે’છેરે, ધન્ય ભાગ્ય સંત તેનાં કે’છેરે ।।૧૩।।

એહ પર અંડજ ઉડી જાશેરે, તેહ પરમ પાવન થાશેરે ।

અવધિ આવ્યા સમે તન ત્યાગીરે, જાશે સ્વધામમાંઇ સુભાગીરે ।૧૪।

સર્વે ધામના ધામ એ થિયાંરે, રહ્યા સંત સહિત અમે જિયાંરે ।

બીજાં તીર્થ ધામ બહુ કા’વેરે, પણ અમે રહ્યા તે તુલ્ય નાવેરે ।।૧૫।।

કાંજે પામ્યા અમારો પ્રસંગરે, તેને તુલ્ય આવે કેમ ગંગરે ।

એને સ્પર્શ્યાતા વામન પાવેરે, તેતો હરિ અવતાર કા’વેરે ।।૧૬।।

પણ અવતારના જે અવતારીરે, વાત તેની તો જાણજો ન્યારીરે ।

જાણો પુરુષોત્તમનો સ્પરશરે, તેતો સહુ થકી જો સરસરે ।।૧૭।।

સર્વે ધામના જે કોઇ ધામીરે, તેતો અમે નારાયણ સ્વામીરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

વાત આજની છે અતિ મોટીરે, જેથી જીવ તર્યા કોટિ કોટિરે ।।૧૮।।

ચરાચર સ્થાવર ને જંગમરે, તે સહુને થયું છે સુગમરે ।

સહુ ચાલ્યા જાયછે સ્વધામરે, નથી પડતું કોઇનું કામરે ।।૧૯।।

એમ વે’તિ કરીછે અમે વાટરે, બ્રહ્મમો’લમાં જાવાને માટરે ।

શ્રીમુખે કહે એમ શ્રીહરિરે, સહુ વાત માનજો એ ખરીરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવકનિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચતુશ્ચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૪।।

દોહા - વળી વળી શું વર્ણવું, વળી આ સમાની વાત ।

જીવ જગતના ઉપરે, આજ અમે છીએ રળીઆત ।।૧।।

જા િ ણ ય ે અ ા ખ ી જ ક્ ત ન ે , લ ઇ જા ય ે અ મ ા ર ે ધ ા મ ।

કેડે ન રાખિયે કોઇને, એમ હૈયે છે ઘણી હામ ।।૨।।

તે સારુ ભૂમિ ઉપરે, કંઇ રાખ્યા સુખના સમાજ ।

અમારા અંગસંગની વસ્તુ, રાખી જીવના કલ્યાણ કાજ ।।૩।।

ફ ર ી ફ ર ી ફ ે ર ા ે પ ડ ે , અ ે વ ુ ં ક ર વ ુ ં ન થ્ ા ી અ ા વ ા ર ।

સહુ જીવનો સામટો, આજ કરવો છે ઉદ્ધાર ।।૪।।

ચોપાઇ-તેહ સારુ છાપી દીધાં ચરણરે, જે છે મોટા સુખનાં કરણરે ।

ચરણ ચિંતવે ચિહ્ને સહિતરે, વળી પૂજે કોઇ કરી પ્રીતરે ।।૫।।

પ ા ન ફ ુ લ ે પ ૂ જ શ ે જ ે જ ન ર ે , અ ે ક ા ગ ્ર ર ા ખ ી શ ુ દ્ધ મ ન ર ે । તેને અંતરે થાશે પ્રકાશરે, લેશે સુખ અલૌકિક દાસરે ।।૬।।

ત ે ણ ે મ ા ન શ ે પ ૂ ર ણ ક ા મ ર ે , વ ળ ી પ ા મ શ ે અ ખ ં ડ ધ ા મ ર ે । એવો ચરણ તણો છે પ્રતાપરે, શ્રીમુખે કહે શ્રીહરિ આપરે ।।૭।।

સત્ય માનજો સહુ તમે જનરે, આ છે અતિ હિતનાં વચનરે ।

આથી આપશું સુખ અંતરરે, રાખો ભારે ભરુંસો ભીંતરરે ।।૮।।

વળી પૂજવા પટ મૂરતિરે, આપી સહુને કરી હેતે અતિરે ।

પ્રેમે પૂજશે પ્રેમ વધારીરે, પૂજાવિધિ સુંદર લઇ સારીરે ।।૯।।

કરી પૂજા ઉતારશે આરતિરે, કરશે ધૂન્ય ને વળી વિનતિરે ।

તેહ મૂરતિમાં આપે રહીરે, સર્વે પૂજાને માનશું સહીરે ।।૧૦।।

લેશું પૂજા એની કરી પ્રીતરે, પછી દેશું સુખ રૂડી રીતરે ।

નિર્મળ અંતરવાળા જે જનરે, તેની પૂજા લેતાં હું પ્રસન્નરે ।।૧૧।।

એમ પ્રગટ પટ મૂરતિમાંરે, પૂજી પામશે સુખની સીમારે ।

બીજી મૂરતિયો બહુ જગેરે, મર સેવે પૂજે સરાલગેરે ।।૧૨।।

તોેય એવો પરિચય ન પામેરે, જેથી સરવે સંકટ વામેરે ।

બીજી મૂરતિ ને આ જે મૂરતિરે, તેમાં ફેર જાણજો છે અતિરે ।।૧૩।।

કાંજે આ મૂરતિને સ્પરશરે, થયો અમારો માટે સરસરે ।

જાણો આ મૂરતિને સેવતાંરે, દુષ્ટ સમી જાશે દુઃખ દેતાંરે ।।૧૪।।

કામ ક્રોધ લોભ ને જે મોહરે, એવો અધર્મ સર્ગનો સમોહરે ।

એહ અંતરે રહ્યો છે છાઇરે, તેણે ભીંતર રહ્યુંછે ભરાઇરે ।।૧૫।।

તેતો પટમૂરતિ પૂજવેરે, પાપ નાસે કે’ નૈ રૈ’યે હવેરે ।

એવો પટ મૂરતિ પ્રતાપરે, જાણો સહુ હરણ સંતાપરે ।।૧૬।।

એ પણ માનો મોક્ષની નિસરણીરે, કરી છે જો ધામ જાવા તણીરે ।

એહ વિના અનેક જે ઉપાયરે, કર્યા જાવા બ્રહ્મમો’લ માંયરે ।।૧૭।।

સર્વે ઉપાય થયા છે સારારે, નથી એ વિના બીજા કરનારારે ।

એતો કર્યા છે અમે વિચારીરે, સહુ કરવા અક્ષર અધિકારીરે ।।૧૮।।

એમ જાણો જન નિરધારરે, આજ તરેછે જીવ અપારરે ।

જેજે અમે કર્યા છે ઉપાયરે, નથી એકે તે અર્થ વિનાયરે ।।૧૯।।

સર્વે સમઝિ વિચારી કર્યાછેરે, એને આશરી કંઇક તર્યાછેરે ।

તેતો સહુ જાણે છે સાક્ષાતરે, નથી મુખના કહ્યાની વાતરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૫।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

દોહા - વળી એક કહું ઉપાયને, તમે સાંભળજો સહુ જન ।

કર્યો કલ્યાણને કારણે, અતિ અમે થઇ પ્રસન્ન ।।૧।।

જ ે હ ઉ પ ા ય ે અ ા જી વ ન ે , સ વ ેર્ પ્ર ક ા ર ે શ્ર ે ય થ્ ા ા ય ।

મોટા સુખને ભોગવે, આ લોક પરલોક માંય ।।૨।।

લાજ ન જાયે આ લોકમાં, પરલોકે પરમ આનંદ ।

કર્યો ઉપાય એવો અમે, સહુ જાણજો જનવૃંદ ।।૩।।

સત્ય શાસ્ત્ર સારાં કર્યાં, ભર્યાં અર્થે અતિ અનુપ ।

તેમાં બાંધી રૂડી રીતને, ત્યાગી ગૃહીને સુખરૂપ ।।૪।।

ચોપાઇ-ત્યાગી ગૃહીને તારવા અર્થરે, બાંધ્યા ઘણા સુખદાયિ ગ્રંથરે ।

તેમાં બહુ પ્રકારની વાતરે, સૂચવિ છે અમે સાક્ષાતરે ।।૫।।

કહ્યા ત્યાગી ગૃહિના વળી ધર્મરે, સહુને પાળવા સારુ પર્મરે ।

રીત જુજવી કહી જણાવીરે, વર્ણાશ્રમ ધર્મની કહી સંભળાવીરે ।।૬।।

સહુ સહુના ધર્મમાં રે’વારે, અમે ગ્રંથ કર્યા કહું એવારે ।

દ્વિજ ક્ષત્રિય વૈશ્ય ને શુદ્રરે, તેને તરવા સંસાર સમુદ્રરે ।।૭।।

વળી બટુ ગૃહી વાનપ્રસ્થરે, સંન્યાસિ આશ્રમ સુજશરે ।

દ્વિજ વર્ણના ધર્મ વિચારીરે, સર્વે અમે કહ્યા સુખકારીરે ।।૮।।

શમ દમ ક્ષમા ને સંતોષરે, અધર્મ સર્ગથી રે’વું અદોષરે ।

એહ આદિ ધર્મ અપારરે, કહ્યા વાડવના નિરધારરે ।।૯।।

ક્ષત્રી વર્ણના ધર્મ વર્ણવીરે, કહ્યા સર્વે રીતના સૂચવીરે ।

કરવી સહુજનની રખવાળરે, અતિ દિલમાં થઇ દયાળરે ।।૧૦।।

ધારી વિચારી ધરવી ધીરરે, કામ પડે થાવું શૂરવીરરે ।

એહ આદિ જે ક્ષત્રીના ધર્મરે, રાખે જરુર રાખવા શ્રમરે ।।૧૧।।

વૈશ્ય વર્ણના ધર્મ છે જેહરે, રાખે ગૌ ધન વે’પાર તેહરે ।

ખેતી વ્યાજ વોરાં પણ કરેરે, દગા કપટ પાપ પરહરેરે ।।૧૨।।

એવી રીતે વરતે વૈશ્ય વળીરે, એવી રીત લખી છે સઘળીરે ।

શૂદ્ર સેવા કરે તે સહુનીરે, ત્રણ વર્ણ કહ્યા તેહુનીરે ।।૧૩।।

એમ ચારે વર્ણની જો રીતરે, અમે લખાવી ગ્રંથ પુનિતરે ।

વર્ણિધર્મ કહ્યા જે વખાણીરે, તેપણ ગ્રંથમાં છે લિયો જાણીરે ।।૧૪।।

અષ્ટ પ્રકારે ત્રિયા ધન ત્યાગરે, વિષય સુખ સાથે છે વૈરાગરે ।

ભારે બ્રહ્મચર્ય વ્રત ધારીરે, રાખે ભાવે કરી બ્રહ્મચારીરે ।।૧૫।।

ગૃહસ્થાશ્રમના ધર્મ છે ઘણારે, તેપણ સર્વ લખ્યા તેહ તણારે ।

વાનપ્રસ્થના વિવિધ પ્રકારેરે, લખ્યા એહ આશ્રમ અનુસારેરે ।।૧૬।।

એને આસરે સંન્યાસી આશ્રમરે, તેના પણ લખાવ્યા છે ધર્મરે ।

ચારે વર્ણ ને આશ્રમ ચારરે, તેપણ લખ્યા છે કરી વિચારરે ।।૧૭।।

સહુનાં કલ્યાણ કરવા સારુંરે, અતિ તાન માનો છે અમારુંરે ।

વળી અતિ ત્યાગીના જે ધર્મરે, તેપણ લખ્યા છે કરી શ્રમરે ।।૧૮।।

તેહ શાસ્ત્રનાં સાંભળો નામરે, સહુને સુણતાં છે સુખધામરે ।

ધર્મામૃત નિષ્કામશુદ્ધિરે, વળી શિક્ષાપત્રી લખી દિધિરે ।।૧૯।।

એહ વિના બીજા છે જે ગ્રંથરે, કર્યા અમે કલ્યાણને અર્થરે ।

એમ કહ્યું શ્રીજીએ શ્રીમુખેરે, સહુ જનને તારવા સુખેરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે ષટ્‌ચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૬।।

દોહા - વળી અમારે જે આશરે, બાયું આવિયું બહુ બહુ ।

તેને કહ્યા ધર્મ તેહના, તેણે પામી પરા ગતિ સહુ ।।૧।।

સતીગીતામાં જે સૂચવ્યા, સધવા વિધવાના ધર્મ ।

તેમજ રહી ત્રિયા સહુ, પામિછે ધામ જે પર્મ ।।૨।।

જ ે ધ મર્ ન ા ે ’ ત ા ધ ર ા ઉ પ ર ે , ન ર ન ા ર ી ન ા િ ન ર ધ ા ર ।

તે અમે પ્રગટ કરી, બહુ તારિયાં નર નાર ।।૩।।

અ ે મ અ ન ે ક ર ી ત શ ુ ં , અ િ ત ક ય ા ેર્ છ ે ઉ પ ક ા ર ।

જીવ આખા જક્તના જેહ, તેહ કરવા ભવપાર ।।૪।।

ચોપાઇ-અતિ અતિ કર્યા મેં ઉપાયરે, તેતો કે’તાં કે’તાં ન કે’વાયરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

જેજે કર્યું અમે આ જગમાંરે, તેતો ચલાવા મોક્ષ મગમાંરે ।।૫।।

જેજે અમે કરાવિયા ગ્રંથરે, નર નારીને તારવા અર્થરે ।

વળી પદ છંદ કીરતનરે, અષ્ટકને સ્તુતિ જે પાવનરે ।।૬।।

તેને શીખે સુણે ભણે ગાયરે, તેતો અક્ષરધામમાં જાયરે ।

કાંજે અંકિત અમારે નામેરે, માટે પો’ચાડે એ પરમ ધામેરે ।।૭।।

જેમાં સ્વામિનારાયણ નામરે, એવી કથા સુણે નર વામરે ।

એવી કીર્તિ સાંભળતાં જનરે, થાય અતિ પરમ પાવનરે ।।૮।।

વળી પદ જે નામે અંકિતરે, તેને ગાયે સુણે કરી પ્રીતરે ।

જેમાં સહજાનંદ સ્વામી નામરે, આવે જે કાવ્યમાં ઠામો ઠામરે ।।૯।।

એવી કાવ્ય કે’તાં ને સાંભળતાંરે, વાર ન લાગે મહાસુખ મળતાંરે ।

મહામંત્રરૂપ એહ કા’વેરે, તેને તુલ્ય બીજું કેમ આવેરે ।।૧૦।।

નામ પ્રભુનાં અનંત અપારરે, સહુ ભાવે ભજે નર નારરે ।

પણ સ્વામિનારાયણ કે’તાંરે, નથી વાર ભવપાર લેતાંરે ।।૧૧।।

આજ એ નામનો છે અમલરે, તે ન વિસારવું એક પલરે ।

લેતાં નામ નારાયણ સ્વામિરે, જાણો તે બેઠા ધામને પામીરે ।।૧૨।।

જેહ મુખે એનો ઉચ્ચારરે, તેતો જાણો પામ્યા ભવપારરે ।

માટે એ નામની કાવ્ય કા’વેરે, તેને શિખવી સુણવિ ભાવેરે ।।૧૩।।

વળી અમારાં અંગનું અંબરરે, બહુ સ્પરશેલ સારું સુંદરરે ।

એહ પ્રસાદિનું જેહ પટરે, મળે ટળે સર્વે સંકટરે ।।૧૪।।

એહ વસ્ત્ર અનુપમ અતિરે, થાય પૂજતાં પરમ પ્રાપતિરે ।

અતિ માહાત્મ્ય એનું અતુલ્યેરે, કહો ક્યાંથી મળે એહ મુલ્યેરે ।।૧૫।।

જેજે અમારા સંબંધની વસ્તરે, ન મળે ગોતતાં ઉદે ને અસ્તરે ।

જણસ અમ સંબંધિની જેજેરે, છે એ કલ્યાણકારી માની લિજેરે ।।૧૬।

તેતો રાખી છે અમે અપારરે, સહુ જન અરથે આ વારરે ।

નખ શિખાલગી નિરધારરે, રાખી સ્પરશિ વસ્તુ કરી પ્યારરે ।।૧૭।।

સ્પરશી ચીજ જે બહુ પરકારેરે, અડી હોય જે અંગે અમારેરે ।

તેતો સર્વે છે કલ્યાણકારીરે, માટે રાખી છે અમે વિચારીરે ।।૧૮।।

એમ અનેક પ્રકારે આજરે, બહુ જીવનાં કરવાં છે કાજરે ।

આવ્યા છીએ અમે એમ ધારીરે, સર્વે જીવને લેવા ઉદ્ધારીરે ।।૧૯।।

એમ કહ્યું આપે અવિનાશેરે, તેતો સાંભળીયું સહુ દાસેરે ।

સુણી સહુ થયાં પરશનરે, કહે સ્વામી શ્રીજી ધન્ય ધન્યરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે સપ્તચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૭।।

દોહા - પછી જોયું વિચારી જીવને, કરી રહ્યા સર્વે કામ ।

સહુ જનને સુગમ થયું, સે’જે પામશે સ્વધામ ।।૧।।

જે અરથે અમે આવિયા, તે અરથ સરિયો આજ ।

ધારી આવ્યા’તા જે ધામથી, તે કરી લીધું છે કાજ ।।૨।।

બાંધી બળવંત પીઠિકા, કેડે તારવા કોટાન કોટ ।

કર્યું હિત અતિ આ સમે, અમે રાખી નથી કાંઇ ખોટ ।।૩।।

ફેરો અમારો સુફળ થયો, ગયા સહુ જનના સંતાપ ।

અનેક જીવ ઉદ્ધર્યા, આજ અમારે પરતાપ ।।૪।।

ચોપાઇ-કરી લીધું છે સર્વે જો કામરે, એમ વિચારિયું ઘનશ્યામરે ।

કે’વા રાખ્યું નથી કેડે કાંઇરે, જાવા મોક્ષના મારગ માંઇરે ।।૫।।

બહુવિધ ઉઘાડિયાં બારરે, કરવા કલ્યાણને આ વારરે ।

હવે પધારું હું મારે ધામરે, જે સારુ આવ્યા’તા તે થયું કામરે ।।૬।।

પછી જે જે પાસે હતા જનરે, તેને કે’છે એમ ભગવનરે ।

સહુ ધારજો અંતરે ધીરરે, હવે નહિ રહે આ શરીરરે ।।૭।।

થોડે ઘણે દિને ધામે જાશુંરે, અમ કેડ્યે ભરસોમાં આંસુંરે ।

જો રાજી કરવા હોય અમનેરે, રે’જો એમ જેમ કહ્યું તમનેરે ।।૮।।

ત્યાગી ગૃહી વળી નર નારીરે, રે’જો સહુ સહુના ધર્મ ધારીરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

ધર્મવાળાં જન મને વા’લાંરે, બિજાં જાણું છું નરસાં નમાલાંરે ।।૯।।

છેલી વાત એ છે માની લેજોરે, શિક્ષાપત્રી પ્રમાણે સહુ રે’જ્યોરે ।

શિક્ષાપત્રી માંહિ અમે રે’શુંરે, રહી એમાં સહુને સુખ દેશુંરે ।।૧૦।।

રે’શું સતસંગ માંહિ સદારે, હરવા સતસંગની આપદારે ।

પણ હમણે જેમ દેખોછોરે, દેખી જન્મ સુફળ લેખોછોરે ।।૧૧।।

એમ નહિ દેખો હવે અમનેરે, સાચી વાત કહુંછું તમનેરે ।

એવી રીત્યે કહ્યું અવિનાશેરે, તેતો સાંભળીયું સહુ દાસેરે ।।૧૨।।

આપી ભલામણ ભલિ વિધિરે, પછી કરવાની હતી તે કીધિરે ।

ગયા અક્ષરધામમાં આપેરે, જન બહુ તપ્યા એહ તાપેરે ।।૧૩।।

નવ રહી શરીરની સાધરે, પામ્યાં અંતરે દુઃખ અગાધરે ।

રહે ધારતાં કેમ કરી ધીરરે, નથી સુકતાં નયણે નીરરે ।।૧૪।।

પછી વાલાનાં વચન સંભારીરે, ઘણી વારે ધીરજ પછી ધારીરે ।

જેજે કહ્યાંછે જેને વચનરે, તેતે રીતે રહ્યાં સહુ જનરે ।।૧૫।।

પોતે પધાર્યા પોતાને ધામરે, કરી જીવ અનેકનાં કામરે ।

જેજે ધારી આવ્યાતા ધામથીરે, કર્યું કામ તે હૈયે હામથીરે ।।૧૬।।

મુનિ મંડળ સહિત આવ્યા’તારે, સંગે સમાજ સારો લાવ્યા’તારે ।

જેહ અર્થે આવ્યા’તા આંઈરે, સર્યો અર્થ ન રહ્યું કેડે કાંઇરે ।।૧૭।।

એવો અલૌકિક અવતારરે, બહુ જીવ કર્યા ભવપારરે ।

એહ મૂરતિ મળી છે જેનેરે, કાંઇ ખામી રહી નહિ તેનેરે ।।૧૮।।

એવી એ મૂરતિ મંગળકારીરે, તેહ જેહ રહ્યા છે ઉર ધારીરે ।

એવા જન મળે જેને જેનેરે, અક્ષરધામે આપે વાસ તેનેરે ।।૧૯।।

તેતો શ્રીમુખે કહ્યું’તું સો વારરે, નિશ્ચે કરાવ્યું’તું નિરધારરે ।

વળી રહ્યા છે સતસંગ માંયરે, અંત સમે કરે આપે સા’યરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે અષ્ટચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૮।।

દ ા ે હ ા - અ ે હ ર ી ત ે અ લ બ ે લ ડ ે , ક ય ાર્ ં ક ં ઇ ક ં ઇ ક ક ા મ । આપી આનંદ આશ્રિતને, વળી પુરી હૈયાની હામ ।।૧।।

અ મ ા િ ય ક સ ુ ખ અ ા િ પ ય ા ં , મ ા િ ય ક દ ે હ ન ી મ ા ં ય ।

તે પ્રસિદ્ધ જાણે છે પૃથવી, નથી છાનિ છપાડી કાંય ।।૨।।

દ ે શ દ ે શ મ ા ં ડ ં ક ા ે દ ઇ , વ ળ ી બ ે હ દ ચ લ ા વ ી વ ા ત ।

જે નાવે બુદ્ધિની બાથમાં, તે સોંઘી કરી સાક્ષાત ।।૩।।

અ ભ ર ત ે સ ભ ર ભ ય ાર્ , અ ત ર ત ા ય ાર્ ક ા ં ઇ જ ન ।

અગમ તે સુગમ કર્યાં, પ્રભુ થઇ પોતે પરસન ।।૪।।

ચોપાઇ-આવી કર્યાં અલૌકિક કામરે, પછી પધારિયા નિજ ધામરે ।

કર્યાં કારજ આશ્ચર્યકારીરે, જેવા આવ્યા’તા ધામેથી ધારીરે ।।૫।।

એવો માંડ્યો’તો આવી અખાડોરે, જીવ તારવાને રાત્ય દા’ડોરે ।

બહુ આખેપ આગ્રહ કરીરે, ભવે જીવ તાર્યા ભાવ ભરીરે ।।૬।।

કરી ગયા મોટાં મોટાં કાજરે, આવી આ ફેરે આપે મહારાજરે ।

ખુબ ખેલિ ગયા એક ખ્યાલરે, જોઈ અનંત જન થયા ન્યા’લરે ।।૭।।

ખરાખરો મચાવીને ખેલરે, રૂડી રમત રમ્યા અલબેલરે ।

એવા ખોળે ન મળે ખેલારુરે, જેને જુવે હજારે હજારુંરે ।।૮।।

બીજા બહુ વેષ બનાવ્યારે, તેતો સહુને અર્થ ન આવ્યારે ।

કોઇ રિઝ્યા ને કોઇ ન રિઝ્યારે, એહ વેષે અરથ ન સિઝ્યારે ।।૯।।

અ ા ત ા ે સ વ ેર્ વ ે ષ્ ા ન ા વ ે શ ી ર ે , જા ણ ે ન ર ા ક ૃ િ ત ન ી દ ે શ ી ર ે । ખોટ્ય ન રાખી ખેલની માંયરે, ભલો ભજાવ્યો આપ ઇચ્છાયરે ।।૧૦

રૂડી રમત્ય રમી રૂપાળીરે, લીધાં જનને નિજધામ વાળીરે ।

એવા રમ્યા ન રમશે કોયેરે, જેહ ખેલને જોઇ જન મોયેરે ।।૧૧।।

એવો અકળ ખેલને ખેલીરે, ગયા સહુને વિલખતાં મેલીરે ।

ઘણું સાંભરેછે સમાસમેરે, તેણે બીજી વાત નવ ગમેરે ।।૧૨।।

જેમ બાજીગરની બાજીરે, જોઇ જોઇ જન થાય રાજીરે ।

જાણે આવી ન દીઠી ન સાંભળીરે, તેને કેમ શકે કોયે કળીરે ।।૧૩।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

અતિ અકળ ખેલને ખેલીરે, ગયા સમેટી બાજી સંકેલીરે ।

નટરીત નાથની ન જાણીરે, જાણ્યું અમટ રાખશે દયા આણીરે ।।૧૪।।

ત્યાંતો સંકેલી ગયા સ્વધામરે, કરી જનનાં જીવિત હરામરે ।

આંખ્યો થઇગઇ અભાગણીરે, ક્યાંથી નિરખે મૂરતિ નાથતણીરે ।૧૫।

મુખ અભાગિયું થયું અતિરે, ક્યાંથી પામે પ્રસાદી એ રતિરે ।

જિહ્વા અભાગણી ને અનાથરે, ક્યાંથી બોલે હવે હરિ સાથરે ।।૧૬।।

કાન અભાગિયા લીધા જાણીરે, ક્યાંથી સુણે ગે’રે સ્વરે વાણીરે ।

હાથ રહ્યા અભાગિયા એવારે, ક્યાંથી કરે હરિની હવે સેવારે ।।૧૭।।

દરશ સ્પરશ ને જે પ્રસાદિરે, કે’વું સુણવું સંબંધ એ આદિરે ।

થયો સંબંધ પણ રહ્યો અધુરોરે, તેતો કેમ થાય હવે પૂરોરે ।।૧૮।।

ગઇ હાથથી વાત વેગળીરે, હાર્યા મહાચિંતામણી મળીરે ।

પારસ પામ્યા’તા પરિશ્રમ પખિરે, પણ પુરી ભાગ્યમાં ન લખીરે ૧૯

થયા નિરધન ધનને હારીરે, ગયું સુખ રહ્યું દુઃખ ભારીરે ।

એમ થયું સૌ જનને આ વારરે, પધારતાં તે પ્રાણ આધારરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકોનપંચાશત્તમઃ પ્રકારઃ ૪૯

દોહા - પુરુષોત્તમ પધારિયા, કરી કામ અલૌકિક આપ ।

અનેક જીવ ઉદ્ધારિયા, પ્રગટાવી પ્રબળ પ્રતાપ ।।૧।।

થોડાક દનમાં સ્થાવર જંગમ, તારિયા જીવ તતકાળ ।

કળ ન પડી કોઇને, એવું કરિયું દીન દયાળ ।।૨।।

અ ન ે ક જી વ ન ે ઉ પ ર ે , અ ઢ ળ ઢ ળ્ ય ા અ િ વ ન ા શ ।

જગ જાળ કાપી આપી પદવી, બ્રહ્મમો’લે કરાવ્યો નિવાસ ।૩

અણ ચિંતવે આવી ગયા, અતિ અચાનક અલબેલ ।

ખબર ન પડી ખટ મતને, એવો ખેલી ગયા એક ખેલ ।।૪।।

ચોપાઇ-સૌ શાણા રહ્યાછે વિચારીરે, આતો વાત થઇ વણ ધારીરે ।

એણે ઠીક કર્યુંતું ઠરાવીરે, એતો સમઝણ અર્થ ન આવીરે ।।૫।।

જોઇ રહ્યા’તા જુજવી વાટરે, તેતો વાત ન બેઠી કોઇ ઘાટરે ।

કોેઇ કે’તા હરિ થઇ ગયારે, થાશે હવે કે’છે બિજા રહ્યારે ।।૬।।

કોઇ કે’તા છે કળિનું રાજરે, પ્રભુ ન હોય પ્રગટ આજરે ।

જોગી કે’તા જોગકળા પખિરે, નથી કલ્યાણ રાખ્યું છે લખિરે ।।૭।।

જૈન કે’તા પાંચમો છે આરોરે, આજ નોય કલ્યાણનો વારોરે ।

કે’તા તપી તપ્યા વિના તનરે, ક્યાંથી કલ્યાણ જાણજો જનરે ।।૮।।

કે’તા સંન્યાસી સર્વે નાશ થાયરે, તારે જનમ મરણ તાપ જાયરે ।

કે’તા પંડિત એમ પુરાણીરે, પ્રભુ પ્રગટ હશે તો લેશું જાણીરે ।।૯।।

જંગમ કે’તા છે અગમ વાતરે, આજ નોયે પ્રભુ સાક્ષાતરે ।

શેખ કે’તા છે તેરમી સિદ્ધિરે, આજ પામે મુકામ કોણ વિદ્ધિરે ।।૧૦।।

ભક્ત કે’તા ભક્તિ કર્યા વોણુંરે, શીદ કરો કલ્યાણનું વગોણુંરે ।

કે’તા વેદાંતિ વણ જાણે બ્રહ્મરે, શાને કરોછો ઠાલો પરિશ્રમરે ।।૧૧।।

કે’તા મારગિ નકલંક થાશેરે, કુડિયા કપટિ ઘાણે ઘલાશેરે ।

કે’તા પ્રણામિ રાજ્ય સખિ પખિરે, નહિ પામે ધામ નવી સખિરે ।।૧૨।।

કે’તા ગોસ્વામિના સહુ એમરે, સમાશ્રય વિના તરે કેમરે ।

રામાનુજના કે’તા એહ રીતરે, જીવ તરશે ચકરાંકિતરે ।।૧૩।।

વામી કે’તા કલ્યાણ છે તારેરે, માનો મળવે પંચ મકારેરે ।

ભેખધારી કે’તા વણ ભેખેરે, તર્યા ના’વ્યા નજરે કોઇ દેખેરે ।।૧૪।।

તુરક કે’તા આવશે આખરીરે, તેદિ ઉદ્ધારશે કજા કરીરે ।

એમ બહુ પ્રકારે બહુ બહુરે, વાટ જોઇ રહ્યા’તા સહુરે ।।૧૫।।

પણ કોઇનું ધાર્યું ન રહ્યુંરે, વણ ધારે વચ્ચે બીજું થયુંરે ।

એવો લિધો અલૌકિક અવતારરે, સહુના ધાર્યા વિચાર્યાથી બારરે ।।૧૬।।

બહુ રહ્યા સહુ વાટ જોતારે, પીર મુરિદ ગુરુ શિષ્ય સોતારે ।

અણચિંતવી આનંદ એ’લિરે, થઇ અમૃતરસ ચાલ્યો રેલિરે ।।૧૭।।

તેમાં પડ્યા સાકરના કરારે, વરસ્યા મોતિડાંના મેઘ ખરારે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

ભાગિ સરવે ભુખ્યાની ભુખરે, કર્યું દૂર દારિદ્ર દુઃખરે ।।૧૮।।

આપે આવી ગયા અણધારરે, જન ઉદ્ધારવા આણિ વારરે ।

અકળ કળા એની ન કળાણિરે, ડાહ્યા શ્યાણાને રહી અજાણિરે ।।૧૯।।

ન પડી ગમ રહ્યા ગમ ખાઇરે, ના’વી વાત મતિના મત માંઇરે ।

અગમ અપાર કા’વે અકળરે, કહો કેને પડે એની કળરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચાશત્તમઃ પ્રકારઃ ।।૫૦।।

દોહા - અવતારી અકળ અમાપને, વંદુ હું વારમવાર ।

અજર અમર અવિનાશીનેરે, જાઉં વારણે વાર હજાર ।।૧।।

અ ગ ા ે ચ ર અ ત ા ે લ અ મ ા િ ય ક , અ ખ ં ડ અ ક્ષ્ ા ર ા ત ી ત ।

અગમ અપાર અખિલાધાર, અછેદ્ય અભેદ્ય અજીત ।।૨।।

પુરુષોત્તમ પરબ્રહ્મ પૂરણ, પરાત્પર પરમ આનંદ ।

પરમેશ્વર પરમાત્મા, પૂરણ પૂરણાનંદ ।।૩।।

સુખદ સરવેશ્વર સ્વામી, સરવાધાર સદા સુખકંદ ।

સત ચિત આનંદમય, શ્રીહરિ સહજાનંદ ।।૪।।

ચોપાઇ-એવા અનેક નામના નામીરે, વળી અનંત ધામના ધામીરે ।

એવા સ્વામી જે સહજાનંદરે, જગજીવન જે જગવંદરે ।।૫।।

તેતો આવ્યા હતા આપે આંહિરે, અતિ મે’ર આણી મન માંહિરે ।

આવી કરિયાં અલૌકિક કાજરે, ધન્ય ધન્ય હો શ્રીમહારાજરે ।।૬।।

ધન્ય ધન્ય પરમ કૃપાળુરે, ધન્ય દીનના બંધુ દયાળુરે ।

ધન્ય પ્રભુ પતિતપાવનરે, ધન્ય ભવતારણ ભગવનરે ।।૭।।

ધન્ય દાસના દોષ નિવારણરે, ધન્ય ભૂધર ભવ તારણરે ।

ધન્ય આશ્રિતના અભય કરતારે, ધન્ય સર્વેના સંતાપ હરતારે ।।૮।।

ધન્ય અખિલ બ્રહ્માંડના ઇશરે, ધન્ય કર્યા ગુના બકશિશરે ।

ધન્ય નોધારાંના આધારરે, આવી ઉદ્ધાર્યા જન અપારરે ।।૯।।

ધન્ય ભક્તવત્સલ ભગવાનરે, આવ્યા હતા દેવા અભય દાનરે ।

ધન્ય દુર્બળના દુઃખ હારીરે, ધન્ય સંતતણા સુખકારીરે ।।૧૦।।

શરણાગત જે સર્વે જનનારે, મોટા મે’રવાન જો મનનારે ।

સર્વે જીવની લેવા સંભાળરે, આવ્યા હતા જો આપે દયાળરે ।।૧૧।।

કરી બહુ જીવનાં જો કાજરે, પછી પધારિયા મહારાજરે ।

એવા પૂરણ પરમારથીરે, ધર્મ એકાંતિક સ્થાપ્યો અતિરે ।।૧૨।।

તેતો જેને થયો છે સંબંધરે, તેના છુટિયા છે ભવબંધરે ।

થઇ રહ્યાં તેનાં સર્વ કામરે, તન છુટે પામશે પર્મ ધામરે ।।૧૩।।

એવો મોટો પ્રતાપ પ્રગટાવીરે, ગયા મોક્ષનો માર્ગ ચલાવીરે ।

પૂરણ પ્રગટાવી પ્રતાપરે, પછી પધારિયા પ્રભુ આપરે ।।૧૪।।

સહુ જનની કરવા સારરે, હરિ આવ્યા હતા આણિ વારરે ।

પામર પ્રાણી પામ્યા ભવ પારરે, જન સ્પરશતાં પ્રાણ આધારરે ।।૧૫।।

ધ ન્ ય ધ ન્ ય પ્ર ભ ુ પ ર ત ા પ ર ે , જ ન મ ન હ ર ણ સ ં ત ા પ ર ે ।

દેશો દેશ રહ્યો જશ છાઇરે, પ્રબળ પ્રતાપ પૃથ્વી માંઈરે ।।૧૬।।

ધન્ય ધન્ય ધર્મના બાળરે, ધન્ય ધન્ય જન પ્રતિપાળરે ।

ધન્ય ધન્ય ધર્મ ધુરંધરરે, ધન્ય ધર્મ વર્મ દુઃખહરરે ।।૧૭।।

ધન્ય ધરણિ પર ધર્યું તનરે, ધન્ય આપ સંબંધ તાર્યા જનરે ।

ધન્ય ધન્ય ધામના ધામીરે, ધન્ય ધન્ય સહજાનંદ સ્વામીરે ।।૧૮।।

કર્યો પરિપૂરણ પરમાર્થરે, તેમાં કૈ જીવનો સર્યો અર્થરે ।

ધન્ય રાખી ગયા રૂડી રીતરે, તેમાં ઉદ્ધાર્યા જીવ અમિતરે ।।૧૯।।

ધન્ય ધન્ય સર્વેના ધણીરે, મહિમા મોટપ્ય ન જાય ગણીરે ।

ધન્ય ધન્ય બિરુદને ધારીરે, ગયા અનેક જીવ ઉદ્ધારીરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે એકપંચાશત્તમઃ પ્રકારઃ ।૫૧।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

દોહા - જય જય જગ જીવનને, જય જય જગપતિરાય ।

જય જય જગદીશને, જય જય કહી જન ગાય ।।૧।।

જ ય ક ૃ પ ા ળ ુ જ ય દ ય ા ળ ુ , જ ય દ ી ન બ ં ધ ુ દ ુ : ખ હ ર ।

જય જય સમર્થ શ્રીહરિ, જય સુખદ શ્યામ સુંદર ।।૨।।

જ ય પ્ર ત ા પ પ્ર ગ ટ પ્ર બ ળ , જ ય પ ર ા ત્ પ ર પ ર બ ્ર હ્મ ।

જય જય જગકારણ, જય જય કહે નિગમ ।।૩।।

જયકારી પ્રગટ્યા પૃથવી પર, જયકારી કિધાં કૈક કામ ।

જયકારી ધારી મૂરતિ, પુરી સહુના હૈયાની હામ ।।૪।।

ચોપાઇ- જયજય જગના જીવનરે, જયજય પ્રભુજી પાવનરે ।

જયજય જનહિતકારીરે, જય જન્મ મરણ દુઃખહારીરે ।।૫।।

જ ય જ ય જ ન ક જી વ ન ા ર ે , સ ુ ખ દ ા ય ક છ ા ે સ દ ૈ વ ન ા ર ે ।

જય જનના જનની જેવારે, જય સદા ઇચ્છોછો સુખ દેવારે ।।૬।।

જયજય જીવન જગવંદરે, જયજય સ્વામી સહજાનંદરે ।

જયજય સુખદ ઘનશ્યામરે, જયજય કર્યાં બહુ કામરે ।।૭।।

જય જે કર્યાં આવી કારજરે, જોઇ જન પામ્યા છે આચરજરે ।

અતિ અલૌકિક કામ કિધાંરે, આશ્રિતને અભયદાન દિધાંરે ।।૮।।

બહુ ઉપાય કલ્યાણ કેરારે, કર્યા આવી આ જગે ઘણેરારે ।

તેતો લખ્યા જેટલા લખાણારે, કૈક રહ્યા ને કૈક કે’વાણારે ।।૯।।

બહુ પ્રકારે ઉદ્ધાર્યા પ્રાણીરે, તેની લેશ લખી છે એધાણીરે ।

સાંગોપાંગ અથ ઇતિ કે’વારે, નથી વાલમિક વ્યાસ જેવારે ।।૧૦।।

જેજે દીઠી આવી જાણ્યા માંઇરે, તેતે લખી થોડી ઘણી કાંઇરે ।

એક દિવસની વાત વળીરે, લખતાં ન લખાય સઘળીરે ।।૧૧।।

તેવાં વરષ ઓગણપંચાસરે, તેપર એક દિન દોય માસરે ।

એટલામાં કર્યાં જેજે કાજરે, તેને કોણ લખે કવિરાજરે ।।૧૨।।

થોડામાંય લેજો ઘણું જાણીરે, સર્વે વાત કેથી ન કે’વાણીરે ।

આ છે ગ્રંથ માહાત્મ્યનો ઘણોરે, તેમાં કહ્યો પ્રતાપ પ્રભુતણોરે ।।૧૩।।

તેતો સર્વે જાણજો સત્યરે, નથી અક્ષર એકે અસત્યરે ।

પણ પૂરી પ્રતીતિ જેને નોયરે, તેને આગળ્ય કેશો માં કોયરે ।।૧૪।।

એને લખી લખાવી માં દેશોરે, જેને હોય હરિમાં અંદેશોરે ।

તેને અર્થે આ વાત નહિ આવેરે, જેનું મન માન્યું કાવે દાવેરે ।।૧૫।।

જે નો’ય પુરી પ્રતિતીવાળારે, તેતો ક્યાંથી થાય સુખાળારે ।

સુખ લેશે સાચા સતસંગીરે, સુણશે કે’શે આ ગ્રંથ ઉમંગીરે ।।૧૬।।

ગાશે કે’શે સુણશે આ ગ્રંથરે, તેના સર્વે સરશે અર્થરે ।

આ લોકમાં આનંદ રે’શેરે પરલોકે મોટું સુખ લેશેરે ।।૧૭।।

માહાત્મ્ય કહ્યું છે અતિશે મોટુંરે, ખરાખરું જાણો નથી ખોટુંરે ।

રખે અપોચિયાની લઈ ઓટરે, પરિપૂરણમાં ખોળો ખોટરે ।।૧૮।।

સમર્થથી શું શું ન થાયરે, એમ સહુ સમજો મન માંયરે ।

એમ સમઝી સરવે સુજાણરે, વાત પકી કરી છે પ્રમાણરે ।।૧૯।।

તેને તક પાકી ગઇ પુરીરે, કોઇ વાત ન રહી અધુરીરે ।

પામ્યા પૂરણ પરમાનંદરે, થયા ન્યા’લ કે’ નિષ્કુલાનંદરે ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે દ્વિપંચાશત્તમઃ પ્રકારઃ ।।૫૨।।

દોહા - ધન્ય ધન્ય આ અવતારને, ઉદ્ધાર્યા જીવ અપાર ।

દયા આણી દીનબંધુએ, સર્વેની લીધી સાર ।।૧।।

અ ક્ષ્ ા ર ધ ા મ થ્ ા ી અ ા િ વ ય ા , ક ા િ વ ય ા ધ મર્ ન ા લ ા લ ।

પ્રીતે કરીને પધારિયા, કૈકને કર્યા નિયાલ ।।૨।।

અ ક્ષ્ ા ર ા ત ી ત અ ગ મ જ ે , સ ુ ગ મ થ્ ા ય ા ઘ ન શ્ ય ા મ ।

અનંત અચ્યુત અવિનાશી, જે ધર્યું સહજાનંદ નામ ।।૩।।

અ ખ ં ડ અ ક ળ અ પ ા ર જ ે , ત ે થ્ ા ય ા મ ન ુ ષ્ ય ા ક ા ર ।

અજર અમર અમાપ જે, તેણે લીધી સૌની સાર ।।૪।।

રાગ સામેરી- અછેદ્ય અભેદ્ય અક્ષરાત્મા, અગોચર થયા ગોચર ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

અરૂપ અનુપમ અતિ ઘણા, તે થયા શ્યામ સુંદર ।।૫।।

અ ત ા ે લ અ મ ા ે લ અ ા ગ મ ે ક હ્ય્ ા ા , ત ે થ્ ા ય ા ધ મર્ ન ા બ ા ળ ।

નેતિ નેતિ નિગમ કહે, તેણે લીધી છે સંભાળ ।।૬।।

બ ા લ ા ભ િ ક્ ત જ ે પ્ર ે મ વ ત ી , ત ે ન ા થ્ ા ય ા છ ે ત ન ।

ધર્મવૃષના ધામમાં, રમ્યા જમ્યા જીવન ।।૭।।

અ લ ા ૈ િ ક ક અ ા પ ે અ ા વ ી ક ર ી , અ ા પ્ ય ા ં અ લ ા ૈ િ ક ક સ ુ ખ ।

માત તાતના મનનાં, દૂર કર્યાં છે દુઃખ ।।૮।।

સ ુ ખ ી ક ર ી જ ન સ હ ુ ન ે , પ છ ી પ ધ ા િ ર ય ા ભ ગ વ ન ।

સઘન વન વસમાં વળી, તે જોયાં સર્વે જીવન ।।૯।।

ક ૈ ક ૈ ક ા ર જ ક િ ર ય ા ં , વ ા લ ે વ ળ ી વ ન મ ા ં ય ।

ત્યાગી ગૃહી તેમાં મળ્યા, તેની કરી પોતે સા’ય ।।૧૦।।

અ ન ે ક જી વ ઉ દ્ધ ા ર વ ા , ફ િ ર ય ા દ ે શ િ વ દ ે શ ।

નિર્ભય કર્યા નારી નરને, આપી ઉત્તમ ઉપદેશ ।।૧૧।।

ધ ા મ ત ી ર થ્ ા ધ ર ા ઉ પ ર ે , જા ે ય ા જ ે જી વ ન પ્ર ા ણ ।

દૈવી આસુરી જીવનાં, કર્યાં છે કોટ કલ્યાણ ।।૧૨।।

ક િ લ ય ુ ગ ન ુ ં ર ા જ્ ય ક ા િ ઢ ય ુ ં , સ ત ય ુ ગ વ ર ત ા વ્ ય ા ે સ ા ે ય । શુદ્ધ ધર્મમાં સહુ રહે, અશુદ્ધ ન આચરે કોય ।।૧૩।।

મ ન ુ ષ્ ય પ શ ુ ધ મર્ પ ા ળ ત ા ં , ત ે શ ુ દ્ધ ક ય ાર્ ં ન ર ન ા ર ।

સત અસત ઓળખાવિયું, સમઝાવ્યું સાર અસાર ।।૧૪।।

પ ં ચ વ ્ર ત પ્ર ગ ટ ક ર ી , પ્ર વ ત ાર્ વ્ ય ા ં પ ૃ થ્ ા વ ી મ ા ં ય ।

નિ’મ ધાર્યાં નર નારીયે, કળિમળ ન રહ્યું ક્યાંય ।।૧૫।।

પ િ વ ત્ર્ ા પ્ર ા ણ ધ ા ર ી ક ય ાર્ ં , ત ે ત ા ે પ ા ે ત ા ન ે પ્ર ત ા પ ।

જે અર્થે આપે આવિયા, તે અર્થ સારિયો આપ ।।૧૬।।

ક ૈ ક ૈ ક ા ર જ ક િ ર ય ા ં , જી વ ન ા ક લ્ ય ા ણ ક ા જ ।

ધ્યાન ધારણા સમાધિયે, સુખી કર્યાં જન આજ ।।૧૭।।

ર ી ત અ લ ા ૈ િ ક ક લ ા ે ક મ ા ં , દ ે ખ ા ડ ી દ ી ન દ ય ા ળ ।

સુખી અંતરે સૌને કર્યાં, ધન્ય ધન્ય ધર્મના બાળ ।।૧૮।।

ઉ ત્ સ વ સ મ ૈ ય ે ભ ે ળ ા ક ય ાર્ , સ ત સ ં ગ ી વ ળ ી સ ં ત ।

દરશ સ્પરશ દઇ આપનું, આપિયાં સુખ અત્યંત ।।૧૯।।

જ ુ ગ ત્ ય ે જ ન જ મ ા િ ડ ય ા , પ ા ે ત ે લ ઇ પ ક વ ા ન ।

મગન કર્યા સંત સહુને, દઈને દરશન દાન ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે ત્રિપંચાશત્તમઃ પ્રકારઃ ।।૫૩।।

દોહા - આજ લે’રી આવ્યા છે લે’રમાં, મે’ર કરીછે મહારાજ ।

અઢળ ઢળયા અલબેલડો, કર્યાં કઇકનાં કાજ ।।૧।।

દુઃખ કાપ્યાં દુઃખી દાસનાં, સુખી કર્યા સહુ જન ।

બ્રહ્મમો’લે તેને મોકલ્યા, પોતે થઇ પરસન ।।૨।।

પ ૂ ર ણ બ ્ર હ્મ પ ધ ા ર ી ન ે , ભ ા ં ગ ી છ ે સ વ ેર્ ન ી ભ ૂ ખ ।

આ સમામાં જે આવિયા, ટાળિયાં તેહનાં દુઃખ ।।૩।।

ધ ન્ ય ધ ન્ ય પ ા વ ન પ ૃ થ્ ા વ ી , જ ે પ ર િ વ ચ ય ાર્ ન ા થ્ ા ।

ચરણ અંકિત જે અવની, સદા માને છે સનાથ ।।૪।।

રાગ સામેરી - ધન્ય દેશ સોઈ શે’રને, જિયાં રહ્યા અવિનાશ ।

ધન્ય ધન્ય ગામ નગરને, જિયાં કર્યો વાલે વાસ ।।૫।।

ધ ન્ ય ધ ન્ ય વ ા િ ર વ હ િ ન , ન ા ’ ય ા ત ા પ્ ય ા પ્ર ભ ુ પ ં ડ ।

ધન્ય ધન્ય શૂન્ય સમીરને, ભાગ્યશાળી આ બ્રહ્માંડ ।।૬।।

ધ ન્ ય ધ ન્ ય બ ્ર હ્મ ા ભ વ ન ે , જ ે ણ ે જા ે ય ા જી વ ન ।

ધન્ય ધન્ય મઘવા મેઘને, ભીંજ્યા ભાળ્યા ભગવન ।।૭।।

ધ ન્ ય ધ ન્ ય શ િ શ સ ૂ ર ન ે , ઉ ડ ુ પ ા િ મ ય ા અ ા ન ં દ ।

દેવ દાનવ મુનિ માનવી, સુખી કર્યા સહુ વૃંદ ।।૮।।

સ્ થ્ ા ા વ ર જ ં ગ મ ચ ર ા ચ ર , સ હ ુ ન ી લ ી ધ ી છ ે સ ા ર ।

સ્થૂળ સૂક્ષ્મ જીવ જગમાં, ઉતારિયા ભવપાર ।।૯।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

ભ ા ે ગ ી ક ય ાર્ બ ્ર હ્મ મ ા ે ’ લ ન ા , અ ા િ પ ય ુ ં અ ક્ષ્ ા ર ધ ા મ ।

આપ પ્રતાપે ઉદ્ધારિયા, કરિયા પૂરણકામ ।।૧૦।।

વ ે ર ા ે ન ક ય ા ેર્ વ ષ્ ાર્ ત ા ં , ઘ ન પ ઠ ્ય ે ઘ ન શ્ ય ા મ ।

શુદ્ધ કરી સહુ જીવને, આપિયું ધામ ઇનામ ।।૧૧।।

ક ા ે ટ ઉ ઘ ા ડ ્ય ા ક લ્ ય ા ણ ન ા , ભ ા ગ્ ય ન ા ખ ા ે લ્ ય ા ભ ં ડ ા ર ।

ભૂખ ભાંગી ભૂખ્યા જનની, જગે કર્યો જેજેકાર ।।૧૨।।

ડ ં ક ા િ દ ધ ા જ ગ ે જી ત ન ા , શ્ ય ા મ ે સ હ ુ ન ે ઉ પ ર ।

પ્રબળ પ્રતાપ જણાવિયો, દેશ ગામ ને ઘરોઘર ।।૧૩।।

બ ૃ હ દ ર ી ત અ ા િ વ શ્વ મ ા ં , વ ર ત ા વ ી છ ે બ હ ુ િ વ ધ ।

ચાલી વાતો ચારે દેશમાં, પ્રભુપણાની પ્રસિદ્ધ ।।૧૪।।

સ્ વ ા િ મ ન ા ર ા ય ણ સ હ ુ ન ે , ન િ ક લ ે વ ર ા વ્ ય ુ ં ન ા મ ।

ભજન કરાવી આ ભવમાં, આપિયું અક્ષરધામ ।।૧૫।।

સ ં ભ ળ ા વ્ ય ુ ં વ ળ ી શ્ર વ ણ ે , સ હ જા ન ં દ ન ા મ સ ા ે ય ।

કે’શે સુણશે એ નામને, તેને દુઃખ કોય નો’ય ।।૧૬।।

અ ે મ અ ન ે ક અ ભ ય ક ય ાર્ ં , પ ા ે ત ા ત ણ ે પ ર સ ં ગ ।

અખંડ ધામ તેને આપિયું, સહુ કરી શુદ્ધ અંગ ।।૧૭।।

અ ણ ત ા ે ળ્ ય ા ં સ ુ ખ અ ા િ પ ય ા ં , અ ા િ શ્ર ત ન ે અ ા વ ા ર ।

અનેક પ્રકારે અંતરે, સુખી કર્યાં નર નાર ।।૧૮।।

રૂ ડ ી મ ુ ડ ી પ ા મ્ ય ા ં ર ા ે ક ડ ી , ન િ હ ઉ ધ ા ર ા ન ી વ ા ત ।

અમલ ભર્યાં સહુ ઉચ્ચરે, પ્રભુ મળ્યા છે સાક્ષાત ।।૧૯।।

અ ા ે િ શ ય ા ળ ુ ં શ ી દ અ ા ે ચ ર ે , બ ા ે લ ે મ ગ ન થ્ ા ઈ ન ે મ ુ ખ । જન્મ મરણનું જીવમાં, રહ્યું નહિ જરા કેને દુઃખ ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચતુઃપંચાશત્તમઃ પ્રકારઃ ।।૫૪।।

દોહા - અમલ ભર્યાં સૌ અંતરે, આવે અંત્યે અવિનાશ ।

દેહ તજાવી દાસને, આપેછે અક્ષર વાસ ।।૧।।

ન ર ન ા ર ી િ ન : શ ં ક થ્ ા ય ા ં , ભ ા ગ ી બ ે ઠ ા સ હ ુ ભ ય ।

શરણ લીધું જેને સ્વામીનું, તેને કર્યાં નિરભય ।।૨।।

સ હ ુ ન ે ઉ પ ર શ્ર ી હ િ ર , શ ક ા ે બ ે સ ા ય ા ેર્ સ ુ ં દ ર ।

ભક્તિ કરાવી આ ભવમાં, તાર્યાં કંઇક નારી નર ।।૩।।

ન ા ૈ ત મ ર ી ત ન ે ન ા થ્ ા જી , પ્ર ગ ટ ા વ ી પ ૃ થ્ ા વ ી મ ા ં ય ।

સાંભળ્યું નો’તું જે શ્રવણે, એવું કર્યું આવી આંય ।।૪।।

રાગ ધોળ વધામણાનું - આનંદ આપ્યો અતિઘણોરે,

આ સમામાં અલબેલ; પુરુષોત્તમ પ્રગટીરે ।

અમૃતના સિંધુ ઉલટ્યારે, રંગડાની વાળી છે રેલ; પુરુષોત્ત૦ ।।૫।।

નિર્ભયની નોબત્યો વાગિયોરે, મળીયા મોહનરાય; પુરુષો૦ ।

વિધવિધ થયાં વધામણાંરે, કસર ન રહી કાંય; પુરુષો૦ ।।૬।।

ખોટ્ય ગઇછે ખોવાઇનેરે, જિત્યનાં જાંગિર ઢોલ; પુરુષો૦ ।

દુઃખ ગયું બહુ દનનુંરે, આવિયું સુખ અતોલ; પુરુષો૦ ।।૭।।

કળશ ચઢાવ્યો કલ્યાણનોરે, સહુના મસ્તક પર મોડ; પુરુષો૦ ।

ધન્ય ધન્ય આ અવતારનેરે, જોવા રાખી નહી જોડ; પુરુષો૦ ।।૮।।

સહુને પાર સહુ ઉપરેરે, એવી ચલાવી છે રીત; પુરુષોત્તમ૦ ।

નો’તી દિઠી નો’તી સાંભળીરે, પ્રગટાવી એવી પુનિત; પુરુષો૦ ।।૯।।

સર્વના સ્વામી જે શ્રીહરિરે, સર્વના કાવિયા શ્યામ; પુરુષો૦ ।

સર્વેના નિયંતા નાથજીરે, સર્વેનાં કરિયાં કામ; પુરુષો૦ ।।૧૦।।

સ્વામિનારાયણ નામનોરે, શક્કો બેસારિયો આપ; પુરુષો૦ ।

એ નામને જે આશર્યારે, તેના તે ટાળિયા તાપ; પુરુષો૦ ।।૧૧।।

ધામી જે અક્ષરધામનારે, તેણે આપ્યો છે આનંદ; પુરુષો૦ ।

અખંડ આનંદ આપી જીવનેરે, કાપ્યાં ભારે ભવફંદ; પુરુષો૦ ।।૧૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુરૂષોત્તમપ્રકાશ

ખાતાં વળાવ્યાં છે ખોટ્યનાંરે, ખરી કરાવી છે ખાટ્ય; પુરુષો૦ ।

બંધ કિધાં બિજાં બારણાંરે, વે’તી કિધી અક્ષર વાટ્ય; પુરુષો૦ ।।૧૩।।

તમ ટાળ્યું ત્રિલોકનુંરે, પ્રકાશી પૂરણબ્રહ્મ; પુરુષો૦ ।

અંધારુ રહ્યું તું આવરીરે, તે ગયું થયું સુગમ; પુરુષો૦ ।।૧૪।।

સૂરજ સહજાનંદજીરે, આપે થયા છે ઉદ્યોત; પુરુષો૦ ।

પૂર્વની દિશાયે પ્રગટીરે, ખોટા મોટા તે કર્યા ખદ્યોત; પુરુષો૦ ।।૧૫।।

અષાડિ મેઘે આવી કર્યાંરે, ઝાઝાં બિજાં ઝાકળ; પુરુષો૦ ।

પુર ચાલ્યાં તે પૃથવીયેરે, ધોયા ધરતીના મળ; પુરુષો૦ ।।૧૬।।

ગાજ વીજ ને વર્ષવુંરે, અગમ સુગમ કર્યું સોય; પુરુષો૦ ।

સહુ જનને સુખ આપિયાંરે, દુઃખી રહ્યું નહિ કોય; પુરુષો૦ ।।૧૭।।

શર્મનો ઢોલ સુણાવિયોરે, દેવા લાગ્યા પોતે દાત્ય; પુરુષો૦ ।

દુર્બળનાં દુઃખ કાપીયાંરે, ન જોઇ જાત કુજાત્ય; પુરુષો૦ ।।૧૮।।

ધન્ય ધન્ય મારા નાથજીરે, ધન્ય ઉદ્ધારિયા જન; પુરુષો૦ ।

ધન્ય ધન્ય આ અવતારનેરે, ભલે મળ્યા ભગવાન; પુરુષો૦ ।।૧૯।।

વારે વારે જાઉં વારણેરે, કર્યાં અમારાં કાજ; પુરુષો૦ ।

ઘણે હેતે ઘનશ્યામજીરે, મળ્યા અલબેલો આજ; પુરુષો૦ ।।૨૦।।

કહીયે મુખથી કેટલુંરે, આપિયો છે જે આનંદ; પુરુષો૦ ।

નિષ્કુલાનંદ જાય વારણેરે, સે’જે મળ્યા સહજાનંદ; પુરુષો૦ ।।૨૧।।

ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે

પુરુષોત્તમપ્રકાશ મધ્યે પંચપંચાશત્તમઃ પ્રકારઃ ।।૫૫।।

પુરૂષોત્તમપ્રકાશ સમાપ્ત

ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન

-ઃ સ્નેહગીતા :-

રાગ ધન્યાસરી - મંગળ મૂર્તિ છે શ્રીમહારાજજી, વ્રજજન વલ્લભ

શ્રીવ્રજરાજજી । મે’ર મુજ ઉપર કરો એવી આજજી, અંતર ઇચ્છેછે

ગાવા ગુણ કાજજી ।।૧।। ઢાળ - ગુણ ગાવા ગોવિંદ તમારા, ઇચ્છા તે

મુજને અતિ ઘણી । ચવું ચરિત્ર સ્નેહગીતા, જેવી મતિ ગતિ છે મુજતણી

।।૨।। સ્નેહે કથા હવે સુણો સહુ, બહુ પ્રકારે મેં પેખિયું । જપ તપ

તીરથ જોગ યજ્ઞ, સ્નેહ સમાન નવ દેખિયું ।।૩।। દાન પુણ્ય ને વ્રત

વિધિ, કરે ભક્તિ નવધા કોય । સ્નેહ વિના સરવે સૂનું, જેમ ભોજન

ઘૃત વીણ હોય ।।૪।। નીર વિના જેમ સૂકું સરોવર, સુગંધ વિના શિયાં

ફુલ । તેમ સ્નેહ વિના સૂનું હૃદય, શું થયું ચવેછે ચંડૂલ ।।૫।। પ્રેમ પખિ

છે લૂખી જો ભગતિ, કોઇ અનેક ગુણ ભાખે ભણે । ચૌદ વિદ્યાવાન

ચતુર જન, વળી કવિ કોવિદને કોણ ગણે ।।૬।। સ્નેહ વિના લૂખું લાગે,

કથતાં તે કોરૂં જો જ્ઞાન । હેત વિનાનું હૃદય એવું, જેવી વર વિનાની

જાન ।।૭।। સ્નેહ વિના શોભે નહિ, હૃદય તે હરિદાસનું । પંકજનયનની

પ્રીત વિના, અમથું શું રહેવું ઉદાસનું ।।૮।। નેહનાં નયણે નીર વરસે,

ગાતાં ગદગદ ગિરા નિસરે । કૃષ્ણ કૃષ્ણ કહેતાં મુખે, વળી વપુ વિકારને

વિસરે ।।૯।। પ્રીતે ચિત્ત ચરણે સોંપી, અને સ્નેહ સાચો જે કરે,

નિષ્કુલાનંદના નાથ સાથે, સ્નેહીને સદા સંગે ફરે ।।૧૦।। કડવું ।।૧।। સ્નેહની મૂર્તિ સુંદર શ્યામજી, પ્રેમે કરી પ્રગટ્યા ગોકુળ ગામજી ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

સ્નેહી જનનાં સારવા કામજી, નટવર નાગર સદા સુખધામજી ।।૧।।

ઢાળ - સુખના સાગર શ્રીહરિ, જેને દેખતાં દિલડું ઠરે । મૂર્તિ જોતાં

માવજીની, હેલામાં મન મુનિનું હરે ।।૨।। જેને જોઇ મોહી જનજુવતી,

અતિ પ્રીત કરી હૈયે હેતશું । સ્નેહ બાંધ્યો શ્યામ સંગે, સોંપી તન મન

ધન સમેતશું ।।૩।। વળી પશુ પંખી ને વૃક્ષ વેલી, હરિપ્રીતમાં પરવશ

થયાં । સરિતા સર ને નાગ નગ જે, સ્નેહમાં સંકુલાઇ રહ્યાં ।।૪।। ગાયો

ગોપી ને ગોવાળીએ, હરિ આત્માથી અધિક કર્યા । સ્નેહ બાંધ્યો પ્રેમ

વાધ્યો, પ્રીત રીત અતિ આચર્યા ।।૫।। મીનનું જીવન જળ જોને, જેમ

ચકોર સ્નેહી ચંદ છે । તેમ વ્રજ જુવતીનું જીવન જાણો, શ્રીનંદજીનો

નંદ છે ।।૬।। જેમ મોરનું મન મળ્યું મેઘશું, જેમ બપૈયો સ્નેહી સ્વાંતનો

। તેહ થકી અધિક અંગે, સ્નેહ જુવતી જાતનો ।।૭।। જેમ અગ્નિને સંગે

ઓગળે, મીણ માખણ ને ઘણું ઘૃત । તેમ કૃષ્ણ મળે મન ગળે, અને

ટળે તે તનશુદ્ધ તરત ।।૮।। જેહ નયણે નિરખે નાથને, તેનું હાથ હૈયું

કેમ રહે । તે લાજ તજે કૃષ્ણ ભજે, એવી સ્નેહમૂર્તિ છે સુખ મહે ।।૯।।

નટવર નાગર સુખસાગર, મનોહર મૂર્તિ મદનજી, નિષ્કુલાનંદ ગોવિંદ

છબી, સુખતણું જો સદનજી ।।૧૦।। કડવું ।।૨।।

સુખમય મૂર્તિ જોઇ જન ગોપીજી, રહી હરિ ચરણે તન મન

સોંપીજી । અંતરની વૃત્તિ હરિમાં આરોપીજી, લોક કુટુંબની લજ્જા

જેણે લોપીજી ।।૧।। ઢાળ - લોપી લજ્જા જેણે લોકની, અને સ્નેહવશ

થઇ સુંદરી । સોબત કીધી શિશ સાટે, એવી અચળ પ્રીત હરિશું કરી

।।૨।। હરતાં ફરતાં કામ કરતાં, કૃષ્ણ કૃષ્ણ કરે કામિની, પ્રીત વશ થઈ

પ્રમદા, જાતિ જાણે નહિ દિન જામની ।।૩।। ખાતાં પીતાં બોલતાં, વળી

સ્નેહમાં શુદ્ધ વિસરી । સૂતાંસૂતાં જાગે ઝબકી, ઉઠે કૃષ્ણકૃષ્ણ મુખે

કરી ।।૪।। વાટે ઘાટે વન જાતાં, મન તન મોહનશું મળ્યું । લોક લાજ

વેદવિધિ વિસરી, વળી ભાન તનનું તે ટળ્યું ।।૫।। વળી શ્રવણમાં

ભણકાર સુણે, જાણે નયણે નિરખું છું નાથજી । મુખવાંણે વળી એમ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

જાણે, વાત કરૂંછું વાલા સાથજી ।।૬।। અંગોઅંગે એમ ગોપી, પરિપૂર્ણ

થઈ પ્રીતમાં । સાધન તે હવે શું કરે, જેને કૃષ્ણ વિના ના’વે બીજું

ચિત્તમાં ।।૭।। મરજાદા મેલી થઈ ઘેલી, ઉન્મત્ત દશા આવી અંગે ।

તેણે કરી તન ત્રાસ ટળ્યો, મળ્યો પ્રાણ કૃષ્ણને સંગે ।।૮।। આપ ગળ્યું

મન મળ્યું, ટળ્યું કાયાક્લેશનું કરવું । એક સ્નેહ માંહિ સર્વે આવ્યું,

અન્ય ન રહ્યું આચરવું ।।૯।। પ્રીતની રીતને પ્રેમનું લક્ષણ, તેતો શિખવ્યું

આવે નહિ । નિષ્કુલાનંદ નાવે કહિએ, સ્નેહી જનનો સ્નેહ સહિ ।।૧૦।।

કડવું ।।૩।।

પ્રીત કરી પ્રમદા તે પરસ્પર પડીજી, જગના જીવન સંગે મોબત

જડીજી । ચિત્તે રંગ ચટકી તે ચોળની ચડીજી, નિત્યપ્રત્યે નવલો નેહ

ઘડી ઘડીજી ।।૧।। ઢાળ - ઘડિયે ઘડિયે ઘણો ઘણો, સનેહ વાધ્યો

શ્યામશું । વણ દિઠે વળી વિલપે વનિતા, રહે ઉદાસી ધન ધામશું

।।૨।। અર્ધ ક્ષણ રહી ન શકે, વણ દિઠે વદન વ્રજરાજનું । શેરિયે

શેરિયે શોધે સુંદરી, લેશ ન લાવે વળી લાજનું ।।૩।। માંહોમાંહિ

વળી પુછે, બાઇ કૃષ્ણજી તે ક્યાં હશે । કોઇ બતાવો કાન મુજને,

જોઉં મુખ કાંઇક લઇ મસે ।।૪।। વન ભવન વાટ વીથિની, વળી જુવે

જમુના તીર । અણ દિઠે અલબેલડો, કોઈ ધરી ન શકે ધીર ।।૫।।

વણ દિઠે ઘડી વીતે વસમી, જુગતુલ્ય પળ એક જાય । પ્રાણ ગતવત

થઇ પડે, એમ ગરક સ્નેહમાંય ।।૬।। એમ કરતાં આવિ અચાનક,

જો દેખે દ્રગે દયાળને । પણ નાથ નયણે નિરખ્યા વિના, સ્નેહી ન કરે

શરીર સંભાળને ।।૭।। માંસ વિના શ્વાસ રહે, જન સ્નેહીના શરીરમાં

। પ્રાણ જેના પડયા પરવશ, તેનાં નયણાં ભર્યાં રહે નીરમાં ।।૮।।

અતિ ઉદાસ નિઃશ્વાસ મુકે, અને સુકે નહિ નીર નયણે । હે સખા હે

સુખકારી, એમ વદે વળી વળી વયણે ।।૯।। પ્રીતની તો રીત એહવી,

જેનું મન મોહનશું મળ્યું । નિષ્કુલાનંદ સ્નેહી જનનું, કારણ નવ

જાયે કળ્યું ।।૧૦।। કડવું ।।૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

રાગ ગોડ મલાર - પ્રીતની રીત છે જો ન્યારીરી; પ્રી૦ । જેહની

બંધાણી તેણેરે જાણી, બિજા ન જાણે લગારીરી ; પ્રી૦ ।।૧।। ચકોર

સ્નેહી ચંદ્ર વદનનો, વણ દિઠે દુઃખ ભારી । મીન સ્નેહી જાણોરે

જળનો, પ્રાણ તજે વિન વારીરી; પ્રી૦ ।।૨।। પ્રીત પતંગ પ્રાણ

પાવકમાં, દેખત દૃગ દેત જારી । ચાતક સ્નેહી સદાયે સ્વાંતનો, મરે

પિયુપિયુ પોકારીરી; પ્રી૦ ।।૩।। પ્રીતિની રીત પ્રસિદ્ધ પ્રતીજે, કીજે તો

કીજે વિચારી । નિષ્કુલાનંદ એવા સ્નેહીની સંગે, સદાય રહે છે

મુરારીરી; પ્રી૦ ।।૪।। પદ ।।૧।।

સ્નેહને વશ સદાય છે શ્રીહરિજી, ભાવે આવે ભૂતળ ભૂધર દેહ

ધરીજી । તેતો પ્રેમિ જનને પ્રેમે કરીજી, ધન્ય ધન્ય પ્રેમે વ્રજજુવતી

ભરીજી ।।૧।। ઢાળ - ભરી પૂરણ પ્રેમમાં અંગે, અને રંગે રાતિ રાજને

। સ્નેહમાંયે ન સુઝે કાંયે, તેણે ભૂલિ ભવનના કાજને ।।૨।। ખાન પાનની

ખબર ભૂલી, વળી વસ્ત્ર પહેરવાં વિસરી । આભૂષણ અંગે ધરે અવળાં,

એમ શુદ્ધ ભૂલી નેહે કરી ।।૩।। પય જમાવે જળપાત્રમાં, અને નીર

ભરે ક્ષીર ઠામમાં । એમ સર્વે અંગે શુદ્ધ વિસરી, વળી ચિત્ત ન રહે ધન

ધામમાં ।।૪।। સુત વિત્ત ને સગાં સંબંધી, વળી એ ઉપરથી મન ઉતર્યું

। જેહ જુવે તે એમ જાણે, કહે મન ચિત્ત આનું ફર્યું ।।૫।। વળી ગોરસ

મથતાં ગોપિકા, અને જુવે વા’લાની વાટરે । હમણાં આવે મને બોલાવે,

એમ તલપે મોહન માટરે ।।૬।। કસણ તૂટે કેશ છૂટે, તેને નેક ન રહે

સંભાળવા । વત્સ છોડાવે ધેનુને ધાવે, તેને ન જાયે વાળવા ।।૭।। વળી

અગ્નિથકી અતિ ઉછળે, અને આવે ઉફાણે દુધ । પણ હરિ હેતમાં

ચિત્ત ચોરાણું, તેહની ન લહે કાંયે શુદ્ધ ।।૮।। લક્ષ લાગ્યો લાડિલાશું,

અંતર મળ્યું અલબેલશું । રહી હેતે પ્રીતે હળી મળી, જેમ વૃક્ષ વિટ્યું

વેલ્યશું ।।૯।। રાત્ય દિવસ રહે રાતિ, અને માતિ પ્રેમમાં પ્રમદા ।

નિષ્કુલાનંદ નાવે નવધા, સમતોલ સ્નેહ ને સદા ।।૧૦।। કડવું ।।૫।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

વળી વ્રજવનિતા પ્રેમે પરવશ થઈજી, રસિયાજી વિના રંચ નવ

શકે રહીજી । કૃષ્ણ ક્યાં કૃષ્ણ ક્યાં જેને તેને પુછે જઇજી, એમ સ્નેહની

સાંકળી શુદ્ધ ભૂલી ગઈજી ।।૧।। ઢાળ - શુદ્ધ ભૂલી ગઈ શરીરની,

વળી ગોવિંદને ગોતે ઘણું । આવો રસિયા આવો રૂડા, નિરખું હું મુખ

તુજતણું ।।૨।। વાટે ઘાટે પુછે વનિતા, વળી કોઇ બતાવો કૃષ્ણને । નાથ

વિના નથી રે’વાતું, ઘણું દિલ દાઝેછે દૃષ્ણને ।।૩।। ખોળતાં તે ખરી

ખબર પામી, જાણ્યું વાલો સધાવ્યા વનમાં । કાંઇક મષ લઇ જાયે કેડે,

એમ વિચાર્યું વળી મનમાં ।।૪।। ગોરસ રસની ભરી ગોળી, વળી જાય

મથુરાં મારગે, એહ મષે ચાલિ વાંસે, દયાળુને દેખવા દૃગે ।।૫।।

નાથજીને નિરખ્યા વિના, ઘણું દિવસ જાયે દોયલો । ભૂધરજીને ભેટે

જ્યારે, ત્યારેજ સુખ દિન સોયલો ।।૬।। હરિમુખ જોયે સુખ ઉપજે,

વળી શાન્તિ વળે શરીરને । અસ્થિર મન તે સ્થિર થાયે, જ્યારે જુવે

હલધર વીરને ।।૭।। એમ પ્રીત પાવકે પંડ્ય પ્રજળ્યું, વળી વિરહમાં

વિલખ્યા કરે । પ્રેમદોરિયે બાંધી પ્રમદા, વાલમને વાંસે ફરે ।।૮।। શ્યામ

વિના કાંઇ કામ ન સુઝે, વળી કળ ન પડે કોઇ । પિયુ વિના પળ પ્રેમીને,

વળી વીતે તે વસમી સોઈ ।।૯।। સ્નેહી જનને સુખ ક્યાંથી, જેના પ્રાણ

પરને સાથ છે । નિષ્કુલાનંદ પ્રેમી જનનું, જીવિતવ્ય હરિને હાથ છે

।।૧૦।। કડવું ।।૬।।

વ્રજ વનિતાના પ્રેમને જોવા વળીજી, વાલ્યમે વગાડિ વનમાંયે

વાંસળીજી । સુણી સર્વ સુંદરી મોહનને જઇ મળીજી, એક રહી આવરી

નવ શકી નિકળીજી ।।૧।। ઢાળ - નિકળી નવ શકી સુંદરી, ગોપી

ઘેરીને ઘાલી ઘરમાં । દેહ ગેહમાં ગ્રહિ ઘાલ્યું, પણ પ્રાણ કાંઇ છે તેના

કરમાં ।।૨।। તેહને વિરહ ઉપન્યો અંગમાં, વળી વિયોગ રોગ વાધ્યો

ઘણું । આ સમે હું તો રહી અમથી, અહો અભાગ્ય એવું મુજતણું

।।૩।। એમ સ્નેહમાં શોચે ઘણું, વનિતા કહે રહી વાંસળ્યે, પછી મેલ્યું

દેહ મંદિરમાંયે, પ્રાણ પો’તા પિયુને પાસળ્યે ।।૪।। એહ રીતે પો’તી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

અબળા, મોહનજી સંગે જૈ મળી । ભૌતિક દેહનું ભાન ભૂલી,

અતિવાક્ય દેહ પામી વળી ।।૫।। પ્રેમી જનનું એહ પારખું, પ્રિતમ

વિના પળમાં મરે । પિયુ વિયોગે પ્રાણ રહે, તે સ્નેહ શઠ સાને કરે ।।૬।।

પ્રીતની તો રીત એહવી, જેના પ્રીતમ સાથે પ્રાણ છે । જીવન વિના

જરૂર જેને, પંડ્ય પાડવું પ્રમાણ છે ।।૭।। ધન્ય એ નારી પ્રેમ પ્યારી,

જેણે વા’લા વિયોગે તન ત્યાગિયું । અલ્પ સુખની આશા મેલી, મન

મોહનજીશું લાગિયું ।।૮।। એવા જનથી અર્ધ ઘડી, વાલમ ન રહે વેગળા

। હેતે હળ્યા રહે મળ્યા, જો અંગે હોય કોયે અબળા ।।૯।। શું થાયે કૈયે

હેત જો હૈયે, અને પ્રેમ વિના તો સુકું સરે । નિષ્કુલાનંદ સર્વે સાધન,

સ્નેહી સમતા કોણ કરે ।।૧૦।। કડવું ।।૭।।

જેને અંગે રંગ ચડિયો સ્નેહનોજી, પ્રીતે જો પ્રીતમશું પ્રાણ મળ્યો

જેહનોજી । અંતરે અભાવ ન થાય તેને તેહનોજી, જો પ્રીત રીતે પાત

થાય આ દેહનોજી ।।૧।। ઢાળ - દેહતણે દુઃખે કરીને, દલગીર ન થાયે

દલમાં । દરદ દુઃખે દોષ હરિનો, પરઠે નહિ કોઇ પલમાં ।।૨।। ગુણ

ગ્રે’વા વળી ગોપિકાના, જેને અભાવ કોઇ આવ્યો નહિ । સર્વે અંગે

સુખકારી, શ્યામળાને સમઝી સહિ ।।૩।। જેનાં પય પિધાં મહી લીધાં,

વળી ફોડી ગોરસની ગોળીયો । વાટે ઘાટે ઘેરી ઘરમાં, જેને લાજ તજાવી

રંગે રોળીયો ।।૪।। વેણ વજાડિ વ્રેહ જગાડી, વળી વનમાં તેડી વનિતા

। તરત તિયાં તિરસ્કાર કીધો, તોય ન આવી અંતરે અસમતા ।।૫।।

કોઇ વાતે કૃષ્ણ સાથે, અવગુણ ન આવ્યો અંતરે । દિન દિન પ્રત્યે પ્રેમ

પ્રગટ્યો, નિત્ય નિત્ય નવો નિરંતરે ।।૬।। રાસ રચિ ખેલ મચિ, વળી

વિછોઈ ગયા વનમાં । રોઈ રોઈ ખોઈ રજની, તોય ક્ષોભ ન પામી

મનમાં ।।૭।। નાથ નાથ મુખ ગાથ ગાતાં, વળી વિયોગે વિલખે ઘણી ।

તોયે હરિનો દોષ ન પરઠે, એવી રીત જો પ્રીત તણી ।।૮।। પ્રીતને મગે

પગ પરઠી, વળી પાછી ન ભરી જેને પેનિયો । શિશ સાટે ચાલી વાટે,

ખરી પ્રીત પૂરણ તેનીયો ।।૯।। લાગી લગન થઇ મગન, વળી તગન

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

કર્યાં તન સુખજી । નિષ્કુલાનંદ સ્નેહી સમતોલ, કહે કવિ જન કોણ

મુખજી ।।૧૦।। કડવું ।।૮।।

પદરાગ મારૂ - સ્નેહને રે સમાન, ના’વે કોઇ સ્નેહને રે સમાન ।

રાગી ત્યાગી ને તપસ્વીરે, વળી ધરે વન જઇ ધ્યાન; ના’વે ૦ ।।૧।।

જોગ જગન બહુ જજતાંરે, તજતાં તેનું મને માન । તજી ઘરવાસ ઉદાસ

ફરે કોય, કરે તીરથ વ્રત દાન; ના’વે ૦ ।।૨।। માળા તિલક ધરે ફરે

ફકત, નખ શિખા વધારી નિદાન । કરે અટન રટન નિરંતર, વળી કરે

ગંગાજળ પાન; ના’વે ૦ ।।૩।। સ્નેહ નહિ જેને નાથશુંરે, શું થયું કરતાં

રે જ્ઞાન । નિષ્કુલાનંદ સ્નેહી જનને, વશ સદા ભગવાન; ના’વે ૦

।।૪।। પદ ।।૨।।

સ્નેહ સાંકળે પલાંણી છે પ્રમદાજી, તેહને અંતરે નહિ કોઇ

આપદાજી । સ્નેહે શ્યામળીયા સંગે ડોલી સદાજી, હળી મળી હરિશું

રહી અતિ મન મુદાજી ।।૧।। ઢાળ - મુદા સદાયે મનમાંયે, જાયે

અહરનિશ એણીપરે । રંગ રાતી મન માતી, ગાતી ગોવિંદ ગુણ ઘરે

ઘરે ।।૨।। વળી વન વાટે ઘરે ઘાટે, દિયે દયાળુ દરશન દાન । નાથ

નિરખી હૈયે હરખી, વળી રહે મને ગુલતાન ।।૩।। હરતાં ફરતાં કામ

કરતાં, હરિ અચાનક આવી મળે । મગન રે’તાં સુખ લેતાં, એમ પ્રેમ

આનંદમાં દિન પળે ।।૪।। હસતાં રમતાં જોડે જમતાં, વળી વીતે ઘડી

ઘણું સુખની । પળે પળે પ્રેમ પ્રગટે, જોતાં શોભા શ્રીહરિ મુખની ।।૫।।

હાસ વિલાસ હરિની સાથે, વળી કે’વું સુણવું તે કાનને । તાળી વળી

લેવી તેહશું, ત્રોડવું હરિશું તાનને ।।૬।। રાત દિવસ વીતે રંગે, વળી

અંગે આનંદ અતિ ઘણું । સંસાર સુખની ભૂખ ભાગી, જોતાં મુખ

જીવનતણું ।।૭।। વિયોગની વળી વાતને, કોયે સ્વપ્ને પણ સમઝે નહિ ।

એહ રીતે પ્રીત વાધી, સ્નેહની અતિશે સહિ ।।૮।। પ્રીતની રીતને

પરખવા, એક સમયને વિષે શ્રીહરિ । મથુરાં જાવાનું મન કીઘું, ઇચ્છા

એવી ઉરમાં ધરી ।।૯।। ઘણા દિવસ ગોપી સંગે, રંગે રમિયા રસબસશું ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

નિષ્કુલાનંદ સ્નેહ જોવા, વા’લો કે’ વેગળા વસશું ।।૧૦।। કડવું ।।૯।।

વેગળા ગયા વિના પ્રીત ન પ્રિછાયજી, વા’લ્યમે વિચાર્યું એવું

મનમાંયજી । અલબેલે માંડ્યો પછી એહ ઉપાયજી, અક્રુર આવિયા

તેહ સમે ત્યાંયજી ।।૧।। ઢાળ - તેહ સમે અક્રુર આવ્યા, અને રથ લઇ

રૂડા રૂપને । રામ કૃષ્ણને તેડવાને, મોકલ્યો કંસાસુર ભૂપને ।।૨।।

આવીને છોડયો આંગણે, નંદરાયને નિરધાર । ગોપી વળી ટોળે મળી,

વળી કરેછે વિચાર ।।૩।। આ દિન મોર્યે આવો કોઇ, નંદ ભવને નથી

જો આવિયો । બાઇ ગામ નામ પુછો એહનું, આ શે અર્થે રથ લાવિયો

।।૪।। બાઇ સગો નહિ એ શત્રુ છે કોઇ, નંદ યશોદા ગોપને । નિશ્ચે

કાંઇક નવું નિપજશે, તમે દેખજો દૈવના કોપને ।।૫।। જાવો બાઇ જુવો

જૈને, સુણજો વળી એની વાતડી । વા’લો થઇ કોઇ વૈરિ વસે, આવ્યો

એ કરવા ઘાતડી ।।૬।। કોરે તેડી બાઇ કૃષ્ણને, વળી વાત કરો વાલપવડે

। હેત દેખાડી રાખો સંતાડી, જે નજરે એને નવ પડે ।।૭।। વ્રજજનનું

જીવન જેહી, તેની જતન ઝાઝી કિજીયે । વિઘન માંયથી વા’લી વસ્તુ,

બાઇ બચાવિને લીજીયે ।।૮।। એમ આકુળ વ્યાકુળ થાય અબળા,

માંહોમાંહિ મનસુબો કરે । આતો આવ્યો કાળરૂપે કોય, રખે પ્રાણ

બાઇ આપણા હરે ।।૯।। પછી ગોપીયે તેની ગમ્ય કાઢી, બાઇ અક્રુર

એનું નામ છે । નિષ્કુલાનંદના નાથ સાથે, કાંઇક એને કામ છે ।।૧૦।।

કડવું ।।૧૦।।

આવ્યો અક્રુર એ ખબર પામી ખરીજી, કાંઇક કપટ ભીંતરે આવ્યો

ભરીજી । કોરે જઇ કૃષ્ણને કાંઇક વાત કરીજી, તેહ નથી કે’તા હૈયાનું

આપણને હરિજી ।।૧।। ઢાળ - હરિ હલધર હૈયા કેરી, વળી વાત નથી

વરતાવતા । પણ અક્રુર સાથે એકાંત કીધી, તેહની થાય ચિત્તમાં ચિંતા

।।૨।। કોણ જાણે બાઇ કેમ કરશે, કળ પડતી નથી કાંય । પુછો જઇ

પ્રાણ-જીવનને, શું છે એના બાઇ મનમાંય ।।૩।। એમ કરતાં અક્રુરના,

મનનો તે મર્મ જાણિયો । શ્રીકૃષ્ણજીને તેડવાને, એણે રથ આંઇ આણિયો

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

।।૪।। એવું સુણીને અબળા, અતિ અકળાણી અંતરે ઘણી । જેમ પ્રાણ

રહિત વત પુતળાં, એવી ગત્ય થઇ ગોપીતણી ।।૫।। લડથડે કોઇ પડે

પૃથ્વી, એમ શુદ્ધ ન રહી શરીરની । શ્યામ સધાવ્યાનું શ્રવણે સુણતાં,

નિંક નયણે ચાલી નીરની ।।૬।। વલવલી ટોળે મળી, વળી વનિતા કહે

કેમ કરશું । જીવન જાતાં અંતરે આપણે, ધીરજ કઇ પેરે ધરશું ।।૭।।

આવ્યો અક્રુર કાળરૂપે, હમણાં પ્રાણ લઇને હાલશે । પછી સ્નેહનું જે

સુખ સજની, તે સમે સમે ઘણુ સાલશે ।।૮।। ગયું ધન જોબન દિન જે,

તે પાછું નથી કોઇ પામતાં । એમ આપણે થાશે અબળા, હરિ હીરો

વામતાં ।।૯।। નિરધન થાશું નાથ જાતાં, પછી ઓશિયાળાં રે’શું અંગે

। નિષ્કુલાનંદના નાથ સાથે, હવે ક્યાં થકી રમશું રંગે ।।૧૦।। કડવું

।।૧૧।।

અહો કષ્ટ અચાનક આવિયોજી, જ્યારે હરિવરને કંસે બોલા-

વિયોજી । મથુરાંની નારીનો દાવો બાઇ ફાવિયોજી, આપણે તો લેખ

એવો જો લખાવિયોજી ।।૧।। ઢાળ - લેખ લખતાં ભૂલ્યો તું બ્રહ્મા,

અને અકલ ગઇ તારી ઉચળી । જોડ્ય જોડિ નાખેછે ત્રોડી, તારી અસત

મત્ય એવી વળી ।।૨।। વિવેક હોય જો વિધિ તુંમાં, તો એવું ન કરે કોઇ

દિને । જોગ મેળી દેછે ઉબેલિ, તેની મે’ર નથી તારે મને ।।૩।। મન

ગમતું સુખ મેળવીને, વળી વિછોહ પાડછ વળતો । માટે મૂરખ મોહોટો

ભાઇ, નથી કોઇ તુંજ ટળતો ।।૪।। જેમ કલ્પાંકરે કાંઇ કરિયાં, ઘણાંઘણાં

રચે ઘર ઘોલિયાં । રમતાં રમતાં રોષ ઉપનો, તારે ભાંગતાં તે કાંયે

ભુલિયાં ।।૫।। તેહ માટે તુંને બ્રહ્મા ભાઇ, ઉપમા તે એહની આપિયે ।

હરિવર તેં આપ્યો અમને, તો અસન પેઠે ન ઉથાપિયે ।।૬।। હોંસ

અમારી હૈયાં કેરી, નથી પુરી કરી નાથને । વાલાથી કેમ કરેછે વેગળાં,

એવો વેરી થયો શું વ્રજસાથને ।।૭।। નયણે નિરખતાં નાથને, જેહ મટકે

કરી પાંપણ મળે । તેહજ બ્રહ્મા ભૂલ્ય તારી, કાંરે ભાઇ તું નવ કળે

।।૮।। એટલી ખોટ તે ખરખરે, તો વેગળે મન કેમ વાળીયે । તેહ માટે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

ભાઇ કહ્યું તુંજને, દયા દલથી નવ ટાળીયે ।।૯।। કૃષ્ણ વિના કેમ કરીને,

વળી વિકટ ઘડી વામશે । નિષ્કુલાનંદનો નાથ ચાલતાં, પ્રાણ પ્રીતે દુઃખ

પામશે ।।૧૦।। કડવું ।।૧૨।।

પદરાગ મેવાડો - મથુરાં મ જાશો રે પ્રિતમ પાતળારે, નાખિ

અમને નોધારાં મારા નાથ । જરૂરને જાવું રે હોય તિયાં તમનેરે, તો

લેજો શ્યામળા અમનેરે સાથ; મથુરાં૦ ।।૧।। પ્રીત કરીને રે પિયુજી મા

પરહરોરે, રાખો પ્રિતમ અમનેરે પાસ । અળગાંને રે’તાંરે અધીર અતિ

અમનેરે, વણ દિઠે રહે અંતર ઉદાસ; મથુરાં૦ ।।૨।। જેમ મણિ વિના

ફણિરે અણ દિઠે આંધળોરે, વળી કોઇ લિયે લોભિનું ધન । વણ મૃત્યુએ

મૃત્યુ તેને માનવુંરે, જેનુ કાંઇ જાતું રહ્યું છે જીવન; મથુરાં૦ ।।૩।।

જળવાસી જીવરે જ્વાળામાં જીવે નહિરે, અમારે છે તમ વિના હરિ

તેમ । નિષ્કુલાનંદનારે સ્વામીજી સુજાણ છોરે, અજાણ જે હોય તેને

કે’વું એમ; મથુરાં૦ ।।૪।। પદ ।।૩।।

પિયુ પરિયાણિયા મથુરાં જાવા માવજી, રથે બેઠા રસિયો અંતરે

છે ઉછાવજી । આપણ ઉપરથી ઉતરિયો ભાવજી, પિયુ વિના પ્રમદા

લેશું કેશું લાવજી ।।૧।। ઢાળ - લાવો લેતાં લાડિલાશું, ઘણું આનંદે

ઘડી નિગમતાં । દિન જાતા વદન જોતાં, વળી રજની જાતી એશું રમતાં

।।૨।। એહ સુખ બાઇ ક્યાંથી સાંપડે, અક્રુર મૂલે આવિયો । પ્રાણ લેવા

પાપિયો, આ રથ જોને લાવિયો ।।૩।। જાદવકુળના વૃદ્ધ વે’લા, આને

મોર્યે બહુ મરી ગયા । આપણે ભાગ્યે અક્રુર જેવા, વેરી કેમ વાંસે રહ્યા

।।૪।। બાઇ ઘણા દિવસનો જે હોય ઘરડો, તેને મે’ર ન હોય મનમાં ।

નિર્દય હોય દગ્ધ દિલનો, બાઇ ત્રાસ ન હોય તેના તનમાં ।।૫।। હમણાં

રથને હાંકશે, બાઇ ધાઇને આડાં ફરજો । આ જો લુંટી જાયે અમને,

એમ પ્રગટ પોકારજો ।।૬।। માત તાત સુત સંબંધીની, વળી લોકની

લાજ મ લાવજો । મરજાદા મુકી રથને રોકી, વળી વા’લાને વાળી

લાવજો ।।૭।। જેહ લાજમાં બાઇ કાજ બગડે, તે લાજને શું કીજીયે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

પ્રિતમ રે’તાં જો પત્ય જાયે, તો જોકશું જાવા દીજીયે ।।૮।। પ્રેમને બાઇ

નેમ ન હોય, જેના પ્રાણ પ્રીતમશું મળ્યા । લોકલાજ વેદવિધિ કર્મ,

તેતો તેને કરવાં ટળ્યાં ।।૯।। એટલા માટે આપણે, રાખો રસિયાનો

રથ રોકીને । નિષ્કુલાનંદનો નાથ સજની, કેમ જાશે વિલખતાં મુકીને

।।૧૦।। કડવું ।।૧૩।।

આ વૃદ્ધ સઘળાની મત વામી ગઇજી, નંદ યશોદાની અકલ કાંઇ

ન રહીજી । શું એને આપણે સમઝાવિએ કહીજી, એણે કોઇ વિચાર

અંતર કર્યો નહીજી ।।૧।। ઢાળ - વિચાર ન કર્યો વ્રજવાસીએ, તેમ

વિઘ્ન પણ કોઇ નવ પડ્યું । કેમ કરી રહે કૃષ્ણ બાઇ, અપરાધ આપણું

આવી નડ્યું ।।૨।। આ સમે કોઇ મરે અચાનક, તો કૃષ્ણ રહે તેહ

કારણે । મોડાં વે’લા મરશે ખરા પણ, આજ મરે તો જાઉં વારણે ।।૩।।

અન્ય ઉપાયે અલબેલડો, વળી નથી રેે’વા કોઇ રીતડી । અહો બાઇ

અભાગ્ય આપણાં, પિયુ ત્રોડી ચાલ્યા પ્રીતડી ।।૪।। આ જો રથે બેઠા

રસિયો, વળી ખેડાવિયો પણ તે ખરો । ધ્રોડો બાઈ જાઇએ ધાઈ, વનિતા

વિલંબ જો મા કરો ।।૫।। બાઇ રોકી રાખીએ રથને, વળી વા’લાને

પાછા વાળીયે । સાન કરીને કહીયે હરિને, પિયૂ પ્રિત તો નવ ટાળિયે

।।૬।। એમ ટોળે મળો વિંટી વળો, મેલી માનિની મરજાદને । જીવન

જાતાં નથી ખમાતું, મર લોક કરે અપવાદને ।।૭।। મર જણાયે આ

જગતમાંહે, હવે શીદને શાન્તિ રાખશું । છાનું છે તે મર થાય છતું,

આજ નેક ઉઘાડું નાખશું ।।૮।।નિંદક જન મર નિંદા કરે, વળી દુરિજન

મર દાઝતાં । કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી, એમ કે’શું મુખે ઘણું ગાજતાં

।।૯।। લોક મળી વળી ચળી કે’શે, તેતો સાંભળી રે’શું શ્રવણે । પણ

નિષ્કુલાનંદના નાથની, બાઇ ખોટ્ય ન ખમાયે આપણે ।।૧૦।। કડવું

।।૧૪।।

અબળાનો આશય અલબેલે ઓળખીજી, વિયોગે વનિતા દીઠી

અતિશય દુઃખીજી । પ્રમદાના પ્રાણ નહિ રહે મુજ પખીજી, કહું એને

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

કાંઇક ધીરજ ધારે સખીજી ।।૧।। ઢાળ - ધીરજ ધારો કૃષ્ણ કહે, સહુ

દેખતાં મ કરો શોર । હેત રાખો હૈયામાંહે, બા’રે મ કરો બકોર ।।૨।।

મારે તમારે પ્રીત છે તે, છાનિ છપાડિને રાખિયે । લાજ જાય ને હાંસી

થાયે, એવું ભેદ વિના કેમ ભાખીએ ।।૩।। લોક મુજને એમ લેખે, છે

બ્રહ્મચારી ભગવાન । આજ લાજ તે ખોઈ ખરી, મારૂં મોંડિયું તમે

માન ।।૪।। તમ સાથે મેં સ્નેહ કીધો, તેતો હળવું થાવા હેસખી । પણ

સ્ત્રી હોય આપ સ્વારથી, એમ સર્વે શાસ્ત્રમાં લખી ।।૫।। પ્રીતનું આજ

ફળ પ્રગટ્યું, મને છાના ને છતો કર્યો । સ્નેહ કરતાં તમ સાથે, અંતે

અર્થ એ નિસર્યો ।।૬।। હજી કહુંછું જે કેણ માનો, અને જાઓ વળી ઘેર

જુવતી । એકવાર આપણ મળશું, હૃદે રાખજો સ્નેહ સતી ।।૭।। એમ

ધીરજ દિધી વાત કીધી, તમે પ્યારી છો મને પ્રાણથી । તમ વિના

ત્રિલોકમાંહિ, વા’લું તે મને કોઇ નથી ।।૮।। હુંતો વશ છઉં હેતને,

સાચું કહુંછું સુંદરી । હું છઉં જેને તે છે મારે, એતો વાત અંતે છે ખરી

।।૯।। પ્રેમની દોરિયે પ્રમદા, હુંતો બંધાણો બેઉ હાથજી । એમ કહિને

ચાલિયા, નિષ્કુલાનંદનો નાથજી ।।૧૦।। કડવું ।।૧૫।।

હરિવર હાલિયા મથુરાં મારગેજી, જુવે રુવે જુવતી ઉભી રહી

એક પગેજી । નયણે ન મળે પળેપળે જળ વહે દોય દ્રગેજી, રથ જાતાં

રસિયાનો દીઠોછે દૂર લગેજી ।।૧।। ઢાળ - દૂર લગી તો રથ દીઠો,

પછી ખેહ તેહ રહી જોઇ । જ્યારે નયણે ગરદ ન દીઠી, ત્યારે પડી

પૃથવીએ રોઇ ।।૨।। જેમ પ્રાણ જાતાં પંડને, અતિશય પીડા ઉપજે ।

એવી ગત્યને પામી ગોપીકા, જાણે તન તજ્યું કે તજે ।।૩।। શુદ્ધ ન રહી

શરીરની, મૂર્છા ખાઇ પડી માનિની । ઉઠી ન શકે અવનિ થકી, વળી

ભૂલી દશા દેહભાનની ।।૪।। હંસ ગયો હરિની સાથે, રહ્યું દેહ તેહ

પડી પૃથવી । જેમ દોરી તુટી દારુકની, ચાલ્ય રહિત પુતળી હવી ।।૫।।

એવી અવસ્થા પામી અબળા, વળી શ્યામળીયો સધાવતાં । વણ દરદે

દરદ વ્યાપ્યું, લાલશું લેહ લગાવતાં ।।૬।। એટલા પછિ અંગ સંભાળી,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

અને ઉઠી સર્વે અબળા । માંહોમાંહિ મળી વળી કહે જે, નાથજી પાછા

નવ વળ્યા ।।૭।। અહો આ શું થયું બાઇ, હવે ભૂધરને કૈયે ભાળશું ।

સદનમાંહી સખી આપણે, શું જોઇને મન વાળશું ।।૮।। ઘેર જાતાં ચરણ

ન ચાલે, આઘી ચાલીને પાછી વળે । પછી પગલાં જોઇને પિયુજીનાં,

વારંવાર તિયાં ટળવળે ।।૯।। રજ લઇ લઇ મસ્તક મુકે, વળી વળી કરે

બહુ વંદના । વે’લા વળજો વા’લા મારા, નાથ નિષ્કુલાનંદના ।।૧૦।।

કડવું ।।૧૬।।

પદરાગ મલાર - બાઇ પ્રીત કરતાં પ્રીતમશું, જ્યારે પીડાયે પંડ ।

ઓષડ એનું એકોઇ ન મળેરે, જો ભમિયે બ્રહ્માંડ; પ્રીત૦ ।।૧।। બાઇ

મીન જળે જ્યારે જળમાં, ત્યારે ઠરે કોણ ઠામે । ચકોર દુઃખી થયો

ચંદ્રથીરે, ત્યારે ક્યાં સુખ પામે; પ્રીત૦ ।।૨।। બાઇ ચકવો દુઃખ પામ્યો

દિનેશથી, પિયૂષથી માનવી । કોણ ઉપાય હવે કીજિયેરે, ગજ જળિયો

જાહ્નવી; પ્રીત૦ ।।૩।। એમ નિષ્કુલાનંદના નાથથી, પીડા આપણે પામી

। શું કરીયે હવે સજનીરે, આશા ઉગર્યાની વામી; પ્રીત૦ ।।૪।। પદ

।।૪।।

એમ વળી વનિતા વિલખી પાછી વળીજી, ચરણ ન ચાલે ધરણિયે

પડે ઢળીજી । અંબર આભૂષણ સંભાળવા શુદ્ધ ટળીજી, વાયદો વાલાનો

કોઇ ન શકી કળીજી ।।૧।। ઢાળ - કળી ન શકી જે કૃષ્ણે કહ્યું, તેને

વિચારવા વનિતા મળી । શું કહ્યું બાઇ શ્યામળે, ક્યારે આવશે વ્રજમાં

વળી ।।૨।। અચેત હતી સહુ આપણે, પ્રિછ પડી નહિ તેહ પળમાં ।

કાંઇક કુડું સાચું સજની, કહ્યું છબિલે છળમાં ।।૩।। એણે કહ્યું એકવાર

મળશું, એમાં કપટ કાંઇક છે સહિ । એકવાર તે કોણ જાણે કૈયે, એનો

કાંઇ નિરધાર નહિ ।।૪।। બાઇ જાતાં જાતાં જુઠું બોલ્યા, અને કોલ

બોલ કુડા કર્યા । નખશિખ લગી નાથ બાઇ, ઘણું છબિલોજી છળમાં

ભર્યા ।।૫।। હાથ ન આવે હવે હરિ, ખોઇ બેઠાં ખરી મીરાંથજી । મણિ

ચોરાણી મળે નહિ બાઇ, પિયુ ગયા પરને હાથજી ।।૬।। શુકન જુવો

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

સહુ મળીને, અલબેલોજી કૈયે આવશે । પોતે પધારશે પ્રેમશું કે,

આપણને ત્યાં તેડાવશે ।।૭।। એમ માંહોમાંહિ મળી વળી, મનસુબો

કરે મનમાં । એમ વિલખી વિલખી વનિતા, પછી ભામિની ગઇ

ભવનમાં ।।૮।। તિયાં મહી માખણ દુધ દેખી, ઘણો શોક કરી રૂવે

સુંદરી । હવે ગિરિધર વિના ઘરમાં, આ પિશે કોણ પ્રેમે કરી ।।૯।।

અંતર પ્રીતને ઉપર કે’તાં, લાજ લોકની વળી લાવતાં । નિષ્કુલાનંદના

નાથને બાઇ, કાંઇ મષ લઇને બોલાવતાં ।।૧૦।। કડવું ।।૧૭।।

વનિતાને વેદના વ્યાપી વિયોગનીજી, પણ વીતે પંડ્યને વણ રોગે

રોગનીજી । કરે અતિ જંખના શ્યામ સંયોગનીજી, ભૂલી ગઇ ભામિની

ભવવૃત્તિ વૈભોગનીજી ।।૧।। ઢાળ - ભવ વૈભવની ભૂલી વૃત્તિ, જેની

સુરતિ લાગી લાલશું । રહે ઉદાસી થઇ નિરાશી, મન મોહે નહિ ધન

માલશું ।।૨।। જેહનું પ્રીતે ચિત્ત ચોરાણું, અને ઇશક લાગી જેના અંગમાં

। તેનુું માશુક વિના મન બીજે, રાચ્યું નહિ કોઇ રંગમાં ।।૩।। બોલ્યું ન

ગમે બીજું તેહને, પ્રિતમના ગુણગાન પખી । અન્ય કથા કાને સુણતાં,

દાઝે દલ ને થાય દુઃખી ।।૪।। જેમ મીનને નેક નીર વિના, વળી ક્ષીરે

ક્ષણું સુખ નવ વળે । તેમ પ્રેમી જનને પિયુ વિના, અન્ય ઉપાયે અંતર

જળે ।।૫।। જેનું પ્રેમબાણે પ્રાણ પ્રોયું, ભાવભલકે ભિંતર ભેદિયું ।

તેહને તે જંપ ક્યાંથી હોય તનમાં, જેનું રંગ ને રૂપ છેદિયું ।।૬।। ફરે

ઉદાસ મૂકે નિશ્વાસ, પાસે નથી પિયુ જેહને । ઉન્મત્તવત ગતિ હોયે

અંગની, અન્ય જન ન જાણે તેહને ।।૭।। એવા ભાવને પામી અબળા,

હરિ વિયોગે વળી વિરહિણી । પિયુપિયુ પોકાર કરતાં, વણદીઠે પ્રિતમ

વિલખે ઘણી ।।૮।। લોહી માંસ ને લાલી મુખની, હરિ જાતાં એટલું

હરિ ગયા । અસ્થિ ત્વચા ને પ્રાણ પ્રેમીનાં, વળતાં તનમાં તે રહ્યાં ।।૯।।

પ્રાણને પિયુ વિયોગે, પ્રેમી ન રહે રાખીને । નિષ્કુલાનંદના નાથને,

જાણું જોશું ક્યારે કરી ઝાંખીને ।।૧૦।। કડવું ।।૧૮।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

એમ વિયોગ રોગ તે વનિતાને વાધિયોજી, જેનો પ્રાણ પ્રિતમશું

બાંધિયોજી । જેણે શ્યામ સાથે સ્નેહડો સાંધિયોજી, પ્રમદાના પ્રેમનો

પાર નવ લાધિયોજી ।।૧।। ઢાળ - પાર ન લાધ્યો પ્રેમ કેરો, વળી

સુંદરીના સ્નેહનો । પ્રેમવશ પરવશ થઇ, ન કર્યો સંભાળ જેણે દેહનો

।।૨।। જળ ભરવા જાયે જુવતી, સ્થળ સ્થળ પ્રત્યે થોભે ઘણું । ઇયાં

રહી મારી આળ કરતા, ઇયાં તાણ્યુંતું અંબર અંગતણું ।।૩।। ઇયાં

મુજને આડા ફરતા, ઇયાં રોકી મુજને રાખતા । હેત દેખાડી લોભ

લગાડી, ઇયાં ફંદમાં મને નાખતા ।।૪।। ઘડો ચઢાવી ઘણા હેતે, વળી

સાનમાં સમઝાવતા । કોયે ન જાણે જન બીજો, એમ મંદિર મારે આવતા

।।૫।। એવાં સુખ સંભારતાં, વળી હૃદયે ભરાય છે રોદને, એકાંત જાઇ

રુવે અબળા, કરી વિલાપ ઉચ્ચે વદને ।।૬।। રોઇ રોઇને રાતાં કરે,

લોચન લાલ ગુલાલરે । સ્નેહ સાલે શરીરમાંયે, જેને વા’લા સાથેછે

વા’લરે ।।૭।। ઘણીવાર જાણી ભરે પાણી, વળી વનિતા પાછી વળે ।

રહે આતુરતા અંતરમાંયે, જાણે મોહનજી ક્યારે મળે ।।૮।। ઘટ ગાગર

સોતી ઘેર પો’તી, વિસરતો નથી વિયોગ વળી । ભાર ન ગણે ઉભી

આંગણે, જાણિયે પ્રાણ વિનાની પુતળી ।।૯।। સ્નેહ એનો હું શું કહું,

જેને પિયુશું પૂરણ પ્રીત છે, નિષ્કુલાનંદ નથી કે’વાતું, જથારથ જેવી

એની રીત છે ।।૧૦।। કડવું ।।૧૯।।

એ દિન જાયે બહુ દિલ દાઝતાંજી, ભૂલી શુદ્ધ ભામિની હરિ સંગે

હેત બાંધતાંજી । વિયોગે વિલખે રુવે ધુમ મષે રાંધતાંજી, એમ

અહોનિશ વીતે પિયુને આરાધતાંજી ।।૧।। ઢાળ - અલબેલાને

આરાધતાં, અતિ વ્યાકુળ થાયે વનિતા । જાણે જાઉં વનમાં જીવન હશે,

એમ અંતરે થઇ આતુરતા ।।૨।। ગોરસ રસ ભરી ગોળીયે, મહી

વેચવાનો મષ લઇ । પછી કુંજકુંજમાં કામિની, જીવનને ગોતે જઇ

।।૩।। ક્યાં હશે બાઇ કૃષ્ણ કહોને, એમ માંહોમાંહિ પુછે મળી । જ્યારે

ખબર ન પામે ખોળતાં, ત્યારે વલવલે વિલખે વળી ।।૪।। કહે આજ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

વનમાં ક્રિડા કરતા, કહે આજ વનમાં રાસ રમિયા । તેહજ વનમાં

જીવન જાતાં, સર્વે સ્થળ ખાવા થયાં ।।૫।। જેમજેમ વન જુવે જુવતી,

તેમતેમ કૃષ્ણ સાંભરે । વિરહ વાધે અંગ બાધે, પછી આંખડિયે આંસુ

ઝરે ।।૬।। સજ્જન થોડા સાલે શરીરે, અંગે સાલે ઘણાં એધાંણ ।

સંયોગમાં એ નવ જણાએ, પણ વિયોગે વિલખે પ્રાણ ।।૭।। એમ વૃક્ષ

વેલી વન સરવે, ઘણું શોધતાં સંધ્યા પડે । પણ કૃષ્ણ વસે મથુરાં માંહિ,

તે વનમાં જોતાં કેમ જડે ।।૮।। એમ વન જોઇને જુવતી, વળી ભવન

આવી ભામિની । રાજ વિના કાંઇ કાજ ન સુઝે, જેને લાગી લગન

શ્યામની ।।૯।। પ્રાણ પ્યારાની પ્રિત લાગી, તેણે ત્યાગી તનની આશ જો

। નિષ્કુલાનંદ એહ સ્નેહે નારી, પડી પ્રેમને પાશ જો ।।૧૦।। કડવું

।।૨૦।।

પદરાગ આશાવરી - પ્રાણ મરે જો પ્રિતમ વિના, વળી પિયુ વિયોગે

પે’લા જાજોરે । મગન થઇને હું માગુછું મનમાં, એવું બાઇ મારે થાજોરે;

પ્રાણ૦ ।।૧।। સખીરે મણિ નિગમતાં મણિધર જીવે, તેને તે સુખ સખી

કયુંરે । ધનહારી નિર્ધન નર રે’તાંરે, તેને સુખ રતિ ક્યાં રહ્યુંરે; પ્રાણ૦

।।૨।। સખીરે જત ગયા પછી જતી મરે જો, સત ગયા પછી સતીરે ।

પત ગયા પછી કોય મરે જો, નગર ગયા પછી નગરપતિરે; પ્રાણ૦

।।૩।। સખીરે ફળ રહિત રંભા જે કોયે રહે, તેતો અર્થ શે આવેરે ।

નિષ્કુલાનંદના નાથ વિયોગે, માગ્યું મોત ક્યારે ન આવેરે; પ્રાણ૦

।।૪।। પદ ।।૫।।

એમ અબળા અકળાય અતિ ઘણુંજી, મન કરે મોહનમુખ જોવા

તણુંજી । વણ દીઠે વા’લમ અંતર સુખ નહિ અણુંજી, મેલી નિઃશ્વાસ

ધિક્કારે આપ્યું ઘણુંજી ।।૧।। ઢાળ - આપણો અવગુણ પરઠી, અબળા

મુખે એમ ઉચ્ચરે । અહો બાઇ કૃષ્ણ વિના, હેત આપણે એવું કોણ કરે

।।૨।। જેદિ અસન હતાં બાઇ આપણે, પિયુસુખને નવ પ્રિછતાં । અસત્ય

સત્યને ઓળખ્યા વિના, વળી અનેક વસ્તુને ઇચ્છતાં ।।૩।। ખબર

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

નહોતી ખોટ બુદ્ધિની, વળી ન્યાય અન્યાય નવ જાણતાં । સુખ દુઃખને

સમજ્યા વિના, વળી વિષ એ અમૃતવત માણતાં ।।૪।। એમ વિમત

હતી આપણી, બાઇ એશું અવળાં ચાલતાં । હેત કરી હરિ મંદિર

આવતા, તેને તસ્કર કરીને ઝાલતાં ।।૫।। એનો આપણે અભાવ લઇ,

જઇ કહેતાં જશોદા આગળે । તોયે હૃદયે રોષ નવ ધારતા, કરતા પ્રીત

હેતે પળેપળે ।।૬।। પરાણે એણે પ્રીત કીધી, અલબેલે આપણે સાથજી

। જાત બાઇ ભવવારિમાંહી, તેતો હરિએ રાખ્યાં ગ્રહી હાથજી ।।૭।।

સમે સમે એણે સુખ દિધાં, વળી લાડિલાએ લાડ લડાવિયાં । આપણું

ગમતું કીધું એણે, માન દઇને મન મનાવિયાં ।।૮।। વળી આપણી

અવળાઇ જુવો, એને બંધાવિયાતા આગળે । એના ગુણ અવગુણ

આપણા, કેટલાક લખીએ કાગળે ।।૯।। જેજે હેત કર્યું હરિયે, તેતો

કહ્યે કેમ આવશે । હવે નિષ્કુલાનંદના નાથ વિના, બાઇ લાડ કોણ

લડાવશે ।।૧૦।। કડવું ।।૨૧।।

વળી વા’લપ વા’લાની કહ્યે નથી આવતીજી, જેજે કાંઇ કરિયું

એણે આપણી વતીજી । અલબેલે આપિયું સુખ સમેસમે અતિજી,

આપણે ન જાણ્યું માનિની મહા મૂઢમતિજી ।।૧।। ઢાળ - મૂઢમતિ

અતિ આપણી, એને કાળો કહીને બોલાવતી । કંઇક વાતની વાતમાંયે,

એને હા કહીને હુલાવતી ।।૨।। વળી મહી મથાવ્યાં વત્સ ચરાવ્યાં,

વળી કરાવ્યાં ઘરનાં કામને । કઠણ કહેતાં મ્હેેણાં દેતાં, વળી લેતાં

ટુંકારે નામને ।।૩।। છાશ ખાટી વાટિ દેતાં, વળી માખણ દઇને નચાવતાં

। નટની પેરે નૃત્ય કરાવી, ઘેરઘેરથી જોવા આવતાં ।।૪।। વળી ડાહી

થઇ બાઇ આપણે, એને કાળો જાણીને કલાવતી । અંતરે ભાર એનો

આપણે, લેશ પણ નવ લાવતી ।।૫।। કપટી લંપટ કુડા બોલો, વળી

તસ્કર કહેતી તેહને । અનાદર બાઇ કરતાં એનોે, તોયે તે નવ તજતો

સ્નેહને ।।૬।। વળી ભલાઇ બાઇ ભૂધરજીની, જોને કહીએ મુખથી

કેટલી । નથી કહેવાતી હેત પ્રીતની રીત, જેહ એણે કરી છે એટલી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

।।૭।। આપણારે અપરાધનો, બાઇ પાર ન આવે પેખતાં । તેમ મોટપ

જોતાં મહારાજની, કાંઇ લેખું ન આવે લેખતાં ।।૮।। એમ મળી વળી

અબળા, અવગુણ પરઠે આપણા । અહો બાઇ કહીએ કેટલા, ગિરાએ

ગુણ ગોવિંદતણા ।।૯।। બાઇ સાંભળતા હશે શ્યામને, સર્વેગુણ

ગોપીજન તણા । નિષ્કુલાનંદના નાથ સાથે, રાખી નથી કોઇ રીતે મણા

।।૧૦।। કડવું ।।૨૨।।

બાઇ આપણશું એણે અતિશય હેત કર્યુંજી, ગોપી ને ગોવાળ હેતે

સ્વધામ પરહર્યુંજી । મેલી માન મોટપને મનુષ્યનું દેહ ધર્યુંજી, જોને

બાઇ એનું આપણથકી શું સર્યુંજી ।।૧।। ઢાળ - સર્યું નહિ કાંઇ શ્યામનું,

આપણ માંયથી એક રતિ । કેવળ હેત એક કર્યું એણે, આપણે ન જાણ્યું

મૂઢમતિ ।।૨।। બાઇ ભવ બ્રહ્મા જેને ભજે, વળી નેતિનેતિ નિગમ કહે

। તેહને જાણ્યા જાર જુવતી, બીજું અજ્ઞ આપણથી કોણ છહે ।।૩।।

બાઇ ઇન્દ્ર આદિ અમર સર્વે, જેની અહોનિશ આજ્ઞા કરે । વળી શશિ

સહિત સૂર્ય સદા, જેના વચનમાં ફેરા ફરે ।।૪।। સરસ્વતી કહે ઉત્તમ

કીર્તિ જેની, વળી નારદ ગુણ જેના ગાયછે । સહસ્રફણીમાં જુગલ જીભે,

શેષ સમરે જેને સદાય છે ।।૫।। સર્વે સુખનું એહ સદન સજની, અને

પ્રીતનો વળી પુંજછે । પૂરણકામ ને ઠામ ઠર્યાનું, વળી ઓછપ એહમાં

શું જ છે ।।૬।। જેમ નદી સર ને કૂપ વાપી, ભરપુર જો હોયે ભરી । પણ

વારિધિ કોય વારિવડે, સુખ ન માને સુંદરી ।।૭।। તેમ સુખ સરવે

સજની, રહ્યાં અલબેલાને આશરી । એવા જાણીને જુવતી, રતિ કૃષ્ણ

સાથે નવ કરી ।।૮।। જેમ મૂરખને કોઇ મિરાંથ મળે, પારસ કે ચિંતામણી

। શિલાસમ તેનું સુખ સમઝે, જેને બાળક બુદ્ધિ છે ઘણી ।।૯।। એમ

થયું બાઇ આપણે, ઓળખી ન શક્યાં એહને । નિષ્કુલાનંદને નાથે

સજની, તેહ સારૂં દીધોછે છેહને ।।૧૦।। કડવું ।।૨૩।।

છબીલોજી દઇ ગયા બાઇ છેહજી, જાણી જન અજ્ઞ આપણે અતિ

સેહજી । મૂઢમતિ જોઇ અબળાનો દેહજી, શિયા ગુણ જોઇ રાખે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

આપણશું નેહજી ।।૧।। ઢાળ - શિયો ગુણ જાણી શ્યામળો, અલબેલો

આપણશું આચરે । જોઇ જોઇને જોયું અંતે, સાર નવ દીઠું સરે ।।૨।।

બાઇ અસન અતિ જડમતિ, તેતો શું સમઝિયે સ્નેહને । જાડાબોલી

પાલવખોલી, તેણે કરી ન ગમી તેહને ।।૩।। વાટે ઘાટે વનમાં વિચરૂં,

વળી છુટે છેડે ફરીએ । એવા ગુણ જાણી આપણા, બાઇ હેત તોડ્યુંછે

હરિએ ।।૪।। સરવે જાતમાં જડ જંગલી, વળી તેથી જડ તેની જુવતી ।

બાઇ એવા કુળમાં ઉપન્યાં, તેહ ન સમજું સ્નેહ રતિ ।।૫।। રૂપ રંગ

અંગે નહિ આપણે, વળી પ્રિતમાંહિ પ્રીછું નહિ । એવાં કઠોર નઠોર

નગણાં જાણી, નંદલાડીલે તજ્યાં લહિ ।।૬।। બાઇ વનચરિયો નિર્લજ્જ

ફરિયો, વળી વ્યભિચાર ભાવે એને ભજી । એવા ગુણ જાણી આપણા,

બાઇ તેહ સારૂં તેણે તજી ।।૭।। ક્યાં પારસ ને ક્યાં પથરો, ક્યાં કાચ ને

ક્યાં કંચન । એહ આગળ બાઇ એમ આપણે, તેણે માન્યું નહિ એનું

મન ।।૮।। દૈવ જોગે દોયજ દહાડા, પ્રકટ્યો હતો થર સુખનો । પલટિ

પળ ને પ્રિયે પરહર્યોં, દઇ ગયા દિવસ દુઃખનો ।।૯।। વળી અવગુણ

જોયા આપણા, ના’વ્યો સંદેશો નવ લહી સારને । નિષ્કુલાનંદને નાથે

સજની, વિસારી બાઇ વ્રજનારને ।।૧૦।। કડવું ।।૨૪।।

પદરાગ આશાધોળ - ના’વ્યો સંદેશો નાથનોજીરે, જુવતી જોતાં

જો વાટ (૨) આશું થયું રે આપણે । આશું થયું રે આપણેજીરે, પ્રાણ

રહેછે શામાટ (૨) ના’વ્યો૦ ।।૧।। બાઇ મીન મરે જળ મૂકતાંજીરે,

ધન્ય એ પ્રીત પરમાણ (૨) પિયુ વિયોગે પ્રમદા । પિયુ વિયોગે

પ્રમદાજીરે, પાપી રહ્યા કેમ પ્રાણ (૨) ના’વ્યો૦ ।।૨।। કુંજતણાં બાઇ

બાળકાંજીરે, જુવે વાટ ષટ માસ (૨) અવધે ન આવે જો જનની ।

અવધે ન આવે જો જનનીજીરે, તજે તન થઇ નિરાશ (૨) ના’વ્યો૦

।।૩।। જીવન વિના જે જીવવુંજીરે, એતો અણઘટતી વાત (૨)

નિષ્કુલાનંદના નાથ વિના નિષ્કુલાનંદના નાથ વિનાજીરે, પંડડું નવ

થયું પાત (૨) ના’વ્યો૦ ।।૪।। પદ ।।૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

અંતરજામીએ અંતરની જાણીજી, ઉદ્ધવ પ્રત્યે ઉચ્ચરિયા વાણીજી

। સુણો શુભમતિ વાત ચિત્ત આણીજી, પ્રેમવશ પ્રમદા અમે ચાલ્યે

અકળાણીજી ।।૧।। ઢાળ - અકળાણી અતિ અમ કાજે, વળી પ્રાણ

ગતવત થઇ પડી । તે મુજ વિના એ માનિનીને, કેમ નિગમતી હશે ઘડી

।।૨।। એટલા માટે ઉદ્ધવજી, તમે વ્રજ જઇ કરો વાતડી । સમઝાવજો

તમે સહુ જનને, વળી રે’જો તિયાં પંચ રાતડી ।।૩।। અધ્યાત્મ એને

જ્ઞાન આપી, સમઝાવજો બહુ પેરજી । એટલો પરમારથ કરો ઉદ્ધવ,

તમે મનમાં આણી મે’રજી ।।૪।। સર્વે પેરે સુજાણ છો, વળી ઘણું કહેવાનું

કામ નથી । સમાસ કરજોે સારીપેરે, કે’જો તત્ત્વને તમે કથી ।।૫।। જેણી

રીતે વળી જુવતી, અતિ સુખ પામે સુંદરી । ઉદ્ધવજી જઇ એટલું, વળી

આવજો કારજ કરી ।।૬।। સગુણ જાણી એણે સ્નેહ કીધો, નિર્ગુણ ન

જાણ્યો નારીએ । તેણે એેેનું તન તપીયું, એને એમ સમઝાણું સખી

સારીએ ।।૭।। આવ્યા ગયા જાણ્યા અમને, એક પ્રેમના વશમાંય ।

તમો ગયે ગુણ થાશે ઘણો, વળી કસર નહિ રહે કાંય ।।૮।। અમે ગયાનો

અર્થ સરશે, પ્રતીત પડેછે તમતણી । ઉદ્ધવ એમાં વિલંબ ન કીજે,

જાઓ તમે વળી વ્રજભણી ।।૯।। એવી રીતે ઉદ્ધવજીને, હેતેશું તે કહ્યું

હરિ । નિષ્કુલાનંદના નાથની, પછી આજ્ઞા એહ શિર ધરી ।।૧૦।।કડવું

।।૨૫।।

એહ જો આજ્ઞા ઉદ્ધવેે શિર ધરીજી, જેવી શ્રીમુખે કહિ છે જો

શ્રીહરિજી । પછી વ્રજ જાવાને અર્થે રથ આણ્યો જોતરીજી, તૈયે ઉઠિયા

ઉદ્ધવજી વંદના કરીજી ।।૧।। ઢાળ - કરી વંદના ઉઠ્યા ઉદ્ધવ, કર

જોડી ઉભા વળી આગળે । કૃષ્ણે કહ્યું તે કરવું ખરૂં, પણ અળગે ગયે

અંતર જળે ।।૨।। શિશ નમાવીને શીખ માગી, જુતો રથ ઉપર બેઠા

જઇ । ત્યારે કૃષ્ણ કહે સુણો ઉદ્ધવ, એક સંદેશો કહું તે સઇ ।।૩।। નંદ

જશોદાને ઝાઝા ઝાઝા, પ્રણામ કે’જો પાયે પડી । એહના ગુણ ઓશિંગળ

અમે, થઇ ન શકિયા એક ઘડી ।।૪।। બહુપેરે એણે બેઉ જણે, ઘણું ઘણું

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

કરી જો જતનને । અર્ધ ઘડી અળગો ન મુકતાં, જેમ રંક જાળવે રતનને

।।૫।। અસનપણે અમે હતા અટારા, નિત્ય રાવ નવલી લાવતા । તોએ

અમને કાંઇ ન કહ્યું એણે, સામું સ્નેહ કરીને બોલાવતા ।।૬।। વળી

ગોળી ઢોળી મહી પીતા, ખાતા મનમાન્યું માખણજી । અચપળાઇ

અમે એવી કરતા, તોએ ન આણ્યો એણે અવગુણજી ।।૭।। એહ માત

પિતાની મોટપ, મુખે ઉદ્ધવ કહ્યે નથી આવતી । અમે ન થઇ સેવા

એહની, એતો અમને ખટકે છે અતિ ।।૮।। તેને લળી લળી તમે પાય

લાગી, વળી ચરણમાં શિશ ધરજો । પછી ગોપી જનને અમારા, ઘણા

ઘણા પ્રણામ કરજો ।।૯।। શિશ નમાવિ વળી સર્વેને, કે’જો પ્રણામ વ્રજ

સાથને । કુશળ છે ને કુશળ પુછયું નિષ્કુલાનંદના નાથને ।।૧૦।। કડવું

।।૨૬।।

શ્રીકૃષ્ણે કહ્યું તે શ્રવણે સાંભળીજી, પછી પ્રભુ પાયે ઉદ્ધવ લાગ્યા

લળીજી । ચરણ ચિંતવી ચાલ્યા વ્રજમાં વળીજી, સંધ્યા સમે આવિયા

ગોકુળની ગલીજી ।।૧।। ઢાળ - ગોકુળ ગામની ગલીએ આવી, નંદને

ભવન રથ છોડિયો । મળી લળી નંદપાયે લાગ્યા, વળી કરપુટ તે જોડિયો

।।૨।। ત્યારે નંદ કહે કૃતારથ કીધો, ઉદ્ધવજી ભલે આવિયા । આજ

ભાગ્ય જાણું અમારાં, તમે આવતાં ઉદે થયાં ।।૩।। આજ કષ્ટ મટ્યાં

અમારાં, તમે પધારિયા પ્રેમે કરી ।। રામ કૃષ્ણ બંધવ બેઉની, ખબર

અમને આપો ખરી ।।૪।। કુશળ છે બલ કૃષ્ણ બેઉ મળી, વીરા કરો

એહ વારતા । અમે દોયે રંકને વળી, કંઇએ કૃષ્ણજી સંભારતા ।।૫।।

એવું સુણીને ઉદ્ધવ પાયે, લાગ્યા તે જશોદા નંદને । અર્ધક્ષણ ગુણ

તમારા, નથી વિસરતા ગોવિંદને ।।૬।। વળી બહુ પેરે પ્રણામ કહ્યા,

કહે મારીવતી પાય લાગજો । અમારા અનુગ્રહનું વચન, કર જોડી

કૃષ્ણ કહે માગજો ।।૭।। અમે કુશળ છીએ અંગે, તેહ તો પુણ્ય તમ

તણે । અતિ સ્તુતિ કરી કહ્યું, બળ કૃષ્ણજી બેઉ જણે ।।૮।। એમ વાત

કરતાં વીતી રજની, પછી ઘેર ઘેર ગોપીજન જાગીયાં । કૃષ્ણ કૃષ્ણ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

કહેતાં કાંઇ, મહી મથવા લાગિયાં ।।૯।। ઉદ્ધવ સુણી આશ્ચર્ય પામ્યા,

આતો વશ સહુ છે સ્નેહને । નિષ્કુલાનંદને નાથે કહ્યું, તેતો કેમ કહેવાશે

એહને ।।૧૦।। કડવું ।।૨૭।।

પછી ઉગ્યો અર્ક ને જાતી રહી જામનીજી, ભવન ભવનથી ભેળી

થઇ ભામનીજી । નંદ ઘરે નવલો રથ કેનો આવ્યો કામનીજી, અલબેલો

આવ્યા જાણી ધામધામનીજી ।।૧।। ઢાળ - ધામધામથી ધાઇ ગોપી,

વળી રથ જાણીને રાજનો । ટોળે મળી વળી વનિતા, મેલ્યો ધંધો ઘર

કાજનો ।।૨।। આવી જોયું ત્યાં ઉદ્ધવ દીઠા, પછી ભેટી તેને ભાવશું ।

પછી પ્રેમે કરીને પ્રમદા, પુછે ઉદ્ધવને ઉત્સાવશું ।।૩।। શિયો સંદેશો

સુખનો, કૃષ્ણજીએ અમને કા’વિયો । તમને મુક્યા તે ન આવ્યા, એવો

શિયો અભાવ આવિયો ।।૪।। સાચું કહેજો સમ અમારા, અમે પુછુંછું

એ પ્રશ્નને । અમ ઉપરે ઉદ્ધવ એણે, કહો કેમ ધાર્યું છે કૃષ્ણને ।।૫।।

અહોનિશ ઉદ્ધવ તમે, મોહનશું રહોછો મળી । કોઇ વારે કૃષ્ણજી

કહેતા, વ્રજમાં જાશું વળી ।।૬।। ઉદ્ધવ કહેજો અમને, હોય જથારથ

જેવું સહિ । શિયે વાંકે શ્યામળો, વળી વ્રજમાં આવ્યા નહિ ।।૭।। સ્નેહ

છે એને કોણ સાથે, કેની પ્રીત કરી પિયુ વાધિયા । કેને વશ થઇ રહ્યા

વહાલો, જે અમને તજી તેના થયા ।।૮।। ઉદ્ધવ અમને અલબેલાની,

કથા તે સર્વે કહો કથી । કોણ કારણ ઉદ્ધવ અમને, મોહને ઉતાર્યાં

મનથી ।।૯।। ઉદ્ધવજી હવે ઉચ્ચરો, રખે વા’લે કહ્યું તે વિસારતા ।

નિષ્કુલાનંદના નાથજીની, કરો વિધ વિધ વારતા ।।૧૦।। કડવું ।।૨૮।।

પદરાગ સોરઠા - ઉદ્ધવજી હવે ઉચ્ચરો, કરો વા’લાની વાત ।

જેરે કરો તે જીવાડજો, અમો છીએ અબળાની જાત; ઉદ્ધવજી૦ ।।૧।।

સહુ મળી અમે સુણવા, લેવા સુખ શરીર । ઉદ્ધવ અમે છીએ અધિરિયાં,

તેને આપજો ધીર; ઉદ્ધવજી૦ ।।૨।। એક વાતે શાન્તિ ઉપજે, એકે ઉઠેછે

ઝાળ । વિવેકે કહેજો તે વીરા વળી, થઇ દિલના દયાળ; ઉદ્ધવજી૦

।।૩।। વલવલુંછું અમે વનિતા, તેતો કૃષ્ણને કાજ । નિષ્કુલાનંદનો

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

નાથજી, ક્યારે મળશે મહારાજ; ઉદ્ધવજી૦ ।।૪।। પદ ।।૭।।

ઉદ્ધવ કહે વળી સુંદરી સુણો સહુજી, તમે છો હરિને બાઇ વ્હાલી

બહુજી । નિશદિન નાથની સાથે બાઇ હું રહુંજી, કહ્યું મને શ્રીકૃષ્ણે તે

તમને કહુંજી ।।૧।। ઢાળ - કહ્યું છે બાઇ કૃષ્ણજીએ, કરજો કર જોડી

પ્રણામ । વળી વળી શું કહું કૃષ્ણ કહે, મારે સુંદરી સુખધામ ।।૨।। રાત

દિવસ રટણ રહેછે, વારંવાર વ્રજ સાથને । તમારા પ્રેમની વાત પ્રમદા,

નથી વિસરતી નાથને ।।૩।। વળી ઉઠતાં બેસતાં એમ બોલે, શું કરતી

હશે વ્રજ સુંદરી । સુતાંસુતાં જાગે જ્યારે, ત્યારે ગોપી ગોપી ઉઠે કરી

।।૪।। એમ સંભાળે છે શ્યામળો, વળીવળી વ્રજજનને । પ્રાણથકી અધિક

અબળા, જણાવોછો જીવનને ।।૫।। ભવ બ્રહ્મા ભજેછે જેને, તેતો

ભજેછે બાઇ તમને । તમારી તેની ખબર ખરી, કાંઇ પડતી નથી અમને

।।૬।। કોણ જાણે જે કેમ હશે, વળી નથી કળાતી વારતા, રાત દિવસ

હૃદયથી, હરિ તમને નથી વિસારતા ।।૭।। ઉદ્ધવ કહે હું આશ્ચર્ય પામ્યો,

શિયાં પુણ્ય તમારાં છે સજની । સુતાં બેઠાં જાગતાં, વ્હાલો વાત કરેછે

વળી વ્રજની ।।૮।। બાઇ પ્યારી છો તમે પ્રાણથી, કૃષ્ણે કહ્યું ને હું પણ

કહું । હરિ તમારા હેતનો હું, પાર કઈ પેરે લહું ।।૯।। પણ હેત કરી

હરિ હૈયાનું, હારદ કહ્યું છે અમને, નિષ્કુલાનંદના નાથનું ગમતું, તે

સાંભળોતો કહું તમને ।।૧૦।। કડવું ।।૨૯।।

ઉદ્ધવ કહે સુણો સરવે સુંદરીજી, કેવા જાણી કૃષ્ણને કહો તમે પ્રીત

કરીજી । સમઝયા વિના સુખ ના’વે જો જાયે મરીજી, જુઠું નથી જુવતી

વાત અંતે એ ખરીજી ।।૧।। ઢાળ - ખરી કહું ખોટી નથી, તમે સમઝયાં

નહિ કાંઇ સુંદરી । પરાપર જે બ્રહ્મ પૂરણ, તેને તમે જાણિયો જાર કરી

।।૨।। પૃથ્વી જળ ને તેજ વાયુ, વળી વ્યોમ ત્રિગુણ અહંકાર । એહ

મળી મહત્તત્ત્વ માયા, એક પુરૂષને આધાર ।।૩।। પુરૂષ રહે

પરબ્રહ્મમાંહિ, પરબ્રહ્મ રહે નિરાધાર । તેહ જે શ્રીકૃષ્ણ મૂરતિ, તેને

જાણિયો તમે જાર ।।૪।। વળી વિશ્વમાંહિ વ્યાપી રહ્યો, પિંડ બ્રહ્માંડમાં

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

ભરપૂર । કૃષ્ણ વિના તો કોયે નથી, તેને દેખિયો તમે દૂર ।।૫।। હવે

એકાગ્ર ચિત આણો, તમે ધરો અંતરે ધ્યાન । બાહ્ય વૃત્તિ મેલો બાઇ,

ભીતર છે ભગવાન ।।૬।। મન કૃત્ય મિથ્યા કરીને, અંતર વૃત્તિ વાળીયે

। તો સાક્ષીરૂપે સરવમાંહિ, વ્યાપક વસ્તુને ભાળિયે ।।૭।। આંખ્ય મીચી

જુવો અબળા, તો ધ્યેય ધ્યાતા ધોખો ટળે । અણછતાં શું થાઓ ઉભાં,

એક વિના અન્ય નવ મળે ।।૮।। વેદ વેદાંત ને સાંખ્યનું, સુંદરી એહ

સાર છે । એમ સમઝે થાશો સુખિયાં, અંતે તેહ નિરધાર છે ।।૯।। દેહ

બુદ્ધિ બાઇ દૂર કરી, વળી વિષય વાસના પરહરો । નિષ્કુલાનંદના

નાથે કહ્યું, તમે જોગ જુગતે શું આદરો ।।૧૦।। કડવું ।।૩૦।।

ઉદ્ધવજી તમે એશું બોલીયુંજી, અમને એ કહ્યું તમે અણતોળિયુંજી

। ભાઇ અમને ભામિનીને શીદ પાડોછો ભૂલીયુંજી, છતે કંથે છાર

કો’ને કેણે ચોળીયુંજી ।।૧।। ઢાળ - છાર ન ચોળ્યું છતે ધણીએ, એતો

વિધવા કેરો વેપાર છે । કંથ વિયોગી અંતર રોગી, તેને ભુંસવી ભલી

છાર છે ।।૨।। વળી નર કોઇ નિરભાગી, સુત વિત્ત દારાનો દુઃખિયો ।

તેહ જોગ લઇને જાય જંગલે, થાવાનો કોઇ સ્થળે સુખિયો ।।૩।। વળી

ભવવૈભવ જેને હોય વા’લા, તેતો એક બ્રહ્મ કહી ઉચ્ચરે । ભાત્ય

ઉભયભ્રષ્ટ થઇને, પછી મનમાન્યા વિષય કરે ।।૪।। વળી ધણી વિના

જે ધ્યાન ધરે, તેતો કોઇકનું ઘર ઘાલવા । જેમ આંખ્ય મિંચી બેસે

બલાઇ, તેતો ઝડપી ઉંદરને ઝાલવા ।।૫।। ડગમગ દિલ ચળ ચિત્તવાળા,

જેને પ્રતીતિ નહિ પ્રગટતણી । તેતો વણ કહ્યે વેપાર એહવો, ભાઇ

ધાઇને કરશે તેનો ધણી ।।૬।। ઉદ્ધવજી તમે કહ્યું જે અમને, તેમાં સાર

ન દીઠો કાંઇ શોધતાં । અમને કહ્યું એવું જે જ્ઞાન, તમને કેટલું થયું

પરમોદતાં ।।૭।। બહુ સાધને સાધ્યું હશે, ઉદ્ધવજી એવું જ્ઞાન । આટલા

દિવસ આવા વેષનું, કેમ અળગું ન કર્યું અજ્ઞાન ।।૮।। બીજાને તો જોગ

ધરાવો, ભાઇ તમે તે ભોગી કેમ રહ્યા । અમે કંગાલની ઉપરે, છેક ન

થઇએ નિર્દયા ।।૯।। એવા સંદેશા સાટે ઉદ્ધવ, કેમ ના’ણ્યો કૂપ વિષનો

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

ભરી । નિષ્કુલાનંદના નાથનું મોકલ્યું, ખાત અમે ખાંતે કરી ।।૧૦।।

કડવું ।।૩૧।।

ઉદ્ધવજી અમે જોગ કેમ કરીએજી, અમે કૃષ્ણકામિની કાષાયાંબર

કેમ ધરીએજી । તેથકી વીરા મર વિષ ખાઇને મરીએજી, ગજથી ઉતરી

કેમ ચડીએ ખરીએજી ।।૧।। ઢાળ - ખરીએ ન બેસાયે કરી તજી, કણ

મુકી કુકસ કોણ ગ્રહે । કંચન મુકીને કાદવ કોઇ, લોભાવે પણ નવ લહે

।।૨।। મણિરત્નની માળા મુકી, શંખલાનો શણગાર કોણ કરે । બાવના

ચંદન તજી તનમાં, ભસ્મ કોણ ભુંશી ફરે ।।૩।। અંબર અંગે ઓઢવાં

મેલી, વળી કોણ ધરે મૃગચર્મને । ઉત્તમ ક્રિયા મુકી અંગની, કોણ કરે

મલિન વળી કર્મને ।।૪।। ખીર ખાંડ ઘૃત ખાવું તજીને, ખાયે કોણ આક

ધંતુરા પાન । સેજ પલંગને પરહરીને, કોણ સુવે જઇ સ્મશાન ।।૫।।

જેહ મુખે અમે પાન ચાવ્યાં, તેહ મુખે આવળ કેમ ચાવશું । કૃષ્ણ વિના

ઉદ્ધવ અમે, બીજું અંતરે કેમ ઠેરાવશું ।।૬।। પ્રીતે પતંગ અંગ પાવકે

આપે, મૃગ મરે નિઃશંક થઇ નાદમાં । ઉદ્ધવજી સુખ એટલું, શું નહિ

જાણિયે શ્યામના સ્વાદમાં ।।૭।। આતો તન મન આપ્યું છે એહને,

એક રતિ અમે રાખ્યું નથી । શ્રીકૃષ્ણ કૃષ્ણ કે’તાં મરશું, પણ બીજું

નહિ થાય અમથી ।।૮।। આ જીહ્વા તો અન્ય ન ઉચ્ચરે, પણ મુવા પછી

પારખું કોઇ લેશે । નળી ભુંગળી વળી વાંસળી કરે કોય, તોએ કૃષ્ણ

કૃષ્ણ એમ બોલશે ।।૯।। અમો અબળાનું અંતર એવું, જેણે ઢાળે ઢળ્યું

તેણે ઢળિયું । નિષ્કુલાનંદના નાથ સાથે, મન મળિયું તેહ મળિયું ।।૧૦।।

કડવું ।।૩૨।।

પદરાગ ગોડી - શ્રી નાથ સાથે મન માનિયું, ઉદ્ધવ એ વિના અમે

ન રહેવાયેહો । વાલાને વિયોગે વીતે પળ વળી, તેતો જુગ તુલ્ય જાયેહો;

શ્રીનાથ૦ ।।૧।। સુતાં બેઠાં સાંભરેછે સલુણો, સુખકારી શ્યામ સદાયેહો

। ખાતાં પીતાં ખટકે હૃદયે, અલબેલો અંતરમાંયેહો; શ્રીનાથ૦ ।।૨।।

દર્શન વિના જે દલડું દાઝેછે, તેતો કેને ન કહેવાયેહો । અવર કોયે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

ઓષડ ઉસતાદે, શરીર સુખ નવ થાયેહો; શ્રીનાથ૦ ।।૩।। પ્રેમના

પાશમાં પાડી ઉદ્ધવ અમને, ઘેરીને માર્યું છે ઘાયેહો । નિષ્કુલાનંદના

નાથે નથી રાખ્યો, ઉગરવાનો ઉપાયેહો; શ્રીનાથ૦ ।।૪।। પદ ।।૮।।

ઉદ્ધવ અમે અંતરે થઇછું જાજરીજી, તેતો શ્યામ સલુણાને સ્નેહે

કરીજી । ધીર અંગે અબળા નથી શકતી ધરીજી, અધુરૂં પુરુ કરવા

આવિયા તમે ફરીજી ।।૧।। ઢાળ - અધુરૂં પુરુ કરવા કાજે, એ સંદેશો

કૃષ્ણે કહાવિયો । કાળજું તો કાપીને ગયા’તા, વળી મારીને પ્રાણ

મંગાવિયો ।।૨।। પ્રાણ અમારા લઇને ઉદ્ધવ, અલબેલોજી શું કરશે ।

અમો અબળાનો અંત આણે, એનું કારજ તે શું સરશે ।।૩।। માશી

મલ્લ મામાને માર્યો, એમ આવી મારે મર અમને । પણ દૂર રહીને

દગા રચેછે, તેતો ઘટતું નથી ત્રિકમને ।।૪।। સ્વારથ વિના શાને માટે,

અમ ઉપર એણે આદર્યું । અમે અબળાએ ઉદ્ધવ એનું, ભૂંડું તે ભાઇ

કહો શું કર્યું ।।૫।। અનેક અપરાધ હોય અબળાના, તોયે નર નથી કોઇ

મારતા । ભણી આવ્યા છે ભાઇ બહુ, કેમ એટલું નથી વિચારતા ।।૬।।

પારાધી બાંધી મારે પશુને, તેતો માંસ ચર્મને માટ જો । એતો અમારૂં

અર્થ નહિ આવે, શું મારીને કરશે ખાટ જો ।।૭।। નો’તું દીઠું નો’તું

સાંભળ્યું, જે પ્રીત કરીને પ્રાણ હરવા । ઉદ્ધવજી એવું અલબેલાને,

કોણે શીખવ્યું જો કરવા ।।૮।। કેને કહીએ કોણ સાંભળે, જ્યારે અલબેલે

એવું આદર્યું । ઉગરવાની અમે આશા મેલી, મરવાનું મન નિશ્ચે કર્યું

।।૯।। અધુરે સુખે મરશું અમે, રે’શે આશા અમારી એહશું ।

નિષ્કુલાનંદના નાથ સાથે, નથી પડવું નોખું સ્નેહશું ।।૧૦।। કડવું ।।૩૩।। ઉદ્ધવજી એહની વાત કહું કથીજી, કોઇ રીતે કૃષ્ણમાંહિ જો કાચું

નથીજી । અમે તો વિચાર્યું અમારા મનથીજી, અર્થ સારી ગયા એહ

આપ સ્વારથીજી ।।૧।। ઢાળ - અર્થ સારી અલબેલડો, અળગા જાઇને

એહ રહ્યા । વિયોગે અમે વિલખી વિલખી, શરીરના સુખથી ગયા

।।૨।। જેમ પુષ્પની વાસ લઇ વેગળો, અલિ ઉડીને આઘો ફરે । જેમ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

ફળ ખાઇ ખગ તજે તરુ, તેમ કૃષ્ણજી પણ એમ કરે ।।૩।। દાહક વનને

જેમ મૃગ મેલે, વિન તેજ રાજન રૈયત તજે । જેમ નિર્ધન પુરૂષ પરહરે

પુંશ્ચલી, એમ અમને તજ્યાં બાંધી ધ્વજે ।।૪।। જેમ સૂકા સરને

પરહરીને, મેલીને જાય છે મરાલ । જેમ ભીક્ષા લઇને તજે ભવન

ભીક્ષુ, એવો નેહ કરે નંદલાલ ।।૫।। વિદ્યાર્થી જેમ વિદ્યા ભણીને, વળી

તજેછે વિદ્યાવાનજી । જેમ દક્ષિણા લઇ યજમાન તજે, તેમ કરે છે

એહ કાનજી ।।૬।। એમ અમને પરહર્યાં, અલબેલે ઉદ્ધવ આજરે ।

અમારૂં સુખ રાખ્યું અધુરૂં, એણે સાર્યું એનું કાજરે ।।૭।। હવે છેટે રહી

છેદેછે છાતી, દૂર રહીને દિયેછે દુઃખજી । પ્રીત કરી પ્રાણ હરિ મેલ્યા,

પછી સાનું રહે હવે સુખજી ।।૮।। સુતાં બેઠાં સ્નેહ સાલે, પળેપળે પિંડ

ઘણું પરજળે । ઉદ્ધવજી અંતરની વાતો, તે બા’રે બીજું કોણ કળે ।।૯।।

ભરી કસી બાણ ભીંતરે, માર્યાં છે એણે મર્મનાં । નિષ્કુલાનંદના નાથે

અમને, ટાળ્યાં લોક કુળ ધર્મનાં ।।૧૦।। કડવું ।।૩૪।।

ઉદ્ધવજી એવું હતું એને મનજી, જે કલપાવી કલપાવી તજાવશું

તનજી । તો ઠોરઠોર નહોતી કરવી જતનજી, જ્યારે એને આપવોતો

અમને આવો દિનજી ।।૧।। ઢાળ - દિન દેવોતો જો દુઃખનો, વળી વણ

મોતે હતાં મારવાં । તો અનેક વિઘ્નમાંહિથી અમને, આગે નોતાં

ઉગારવાં ।।૨।। ભયાનક વ્યોમાસુર ભયથી, વળી રાખિયાં રૂડી રીતશું

। શકટાસુર તૃણાવર્ત તેથી, પહેલાં ઉગારિયાં એને પ્રિતશું ।।૩।। કેશી

વૃષભ અઘાસુરથી, અમને અલબેલે ઉગારિયાં । વત્સાસુર બગાસુર

બીજાથી, વળી વ્રજનાં વિઘ્ન નિવારિયાં ।।૪।। વિષ નિરવિષ ઘર

વરુણથી, કરી વ્રજવાસીની એણે સાર । અમારે કારણે ઉદ્ધવ એણે,

દાવાનળ પીધો દોય વાર ।।૫।। વળી ઇન્દ્ર કોપ્યો વ્રજવાસી ઉપરે,

મહાપ્રલયનો મેઘ મેલિયો । વીજ ઝભકે નીર ખળકે, વળી અંધકાર

અતિશે થયો ।।૬।। ઘોર ગર્જના સુણી થયાં ઘાંઘાં, જાણ્યું આજ કલ્પાંત

આવિયો । ત્યારે ધરી ગોવર્ધન કર ઉપરે, વ્રજસાથ એણે બચાવિયો

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

।।૭।। ઉદ્ધવ એણે અમને, અનેક વિઘ્નથી ઉગારિયાં । આવું હતું જો

મનમાં એને, તો મોર્યે કેમ ન મારિયાં ।।૮।। નથી ખમાતું ઉદ્ધવ અમે,

પીડી પીડી જે લેશે પ્રાણ । અંતરની શું કહીએ ઉદ્ધવ, તમે નથી અમારા

અજાણ ।।૯।। કૃષ્ણે કર્યું એવું કોઇ ન કરે, ઉદ્ધવજી કહું અમને ।

નિષ્કુલાનંદના નાથના સખા, છો ત્યારે કહ્યું તમને ।।૧૦।। કડવું ।।૩૫।। વીરા નથી વિસરતી ઉદ્ધવ એહ વારતાજી, દિલડું દાઝેછે એ સુખ

સંભારતાંજી । વિસરતું નથી વળી અમને વિસારતાંજી, ચાલોને

દેખાડીએ જ્યાં હરિ ગાયો ચારતાજી ।।૧।। ઢાળ - ગાયો ચારતા ગોવિંદ

જિયાં, તિયાં ઉદ્ધવને તેડી ગયાં । વનિતા વળી ટોળે મળી, સર્વે સ્થળ

વનનાં દેખાડિયાં ।।૨।। ઇયાં એણે અઘાસુર માર્યો, ઇયાં બ્રહ્માજીએ

વત્સ હરિયાં । ઇયાં બેસી અન્ન જમિયા, ઇયાં વત્સ બાળક બીજાં કરિયાં

।।૩।। આ સ્થળે એણે ગાયો ચારી, આ સ્થળે પાયા એને નીર । આ

સ્થળે એ સ્નાન કરતા, સુંદર શ્યામ સુધીર ।।૪।। આ ઠામે એણે અમને

રોક્યાં, આ ઠામે મહી લઇ લુટિયાં । આ ઠામે એણે અંબર તાણ્યું, તેણે

કરી માંટ મારાં ફુટિયાં ।।૫।। ઇયાં એણે વેણ વગાડી, ઇયાં રમાડ્યાં

એણે રાસ જો । ઇયાં તજી ભાગી ગયા ભૂધર, ત્યારે અમે થયાં ઉદાસજો

।।૬।। પછી ઇયાં જોયાં એનાં પગલાં, તિયાં લાધી અમને એની ભાળ ।

જુવતી સહિત જાતા જાણ્યા, વળી વળગાડી તેને ડાળ ।।૭।। ઇયાં વશ

કીધા અમે, ઇયાં આવ્યા હતા અલબેલ । ઇયાં રાસ ફરી રચિયો, પછી

રમાડિયાં રંગરેલ ।।૮।। ઉદ્ધવને સર્વે સ્થળ દેખાડતાં, અતિ આંખડિયે

આંસુ ઝરે । ઉદ્ધવ અમે કેમ કરીએ, એમ કહી કહીને રુદન કરે ।।૯।।

એવાં સુખ નથી દીધાં એણે, જે વિસાર્યાં પણ વિસરે । નિષ્કુલાનંદના

નાથ વિયોગે, પાપી પ્રાણ પણ નવ નિસરે ।।૧૦।। કડવું ।।૩૬।।

પદરાગ મેવાડી - વાલીડો વિજોગી ગયારે, હો ઉદ્ધવજી અમને ।

વિસામો વિજોગી ગયારે; હો ઉદ્ધવજી૦ ટેક - અમને કરી અનાથ,

નેક નાખી ગયા નાથ । હવે કેમ આવે હાથ, કુબજ્યાના નાથ થયારે;

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

હો ઉદ્ધવજી૦ ।।૧।। પિયુ સંગે પળેપળ, કોયે નવ પડિ કળ । અંતરે

આવે છે વળ, દેખો દૂર રહ્યારે; હો ઉદ્ધવજી૦ ।।૨।। કો’ને અમે કરૂં

કેમ, અલબેલે કર્યું એમ । અંતર જળેછે જેમ, ડુંગર દાઝિયારે; હો

ઉદ્ધવજી૦ ।।૩।। નિષ્કુલાનંદનો નાથ, અમારી એ મિરાંથ હાથ । વિસારી

વ્રજનો સાથ, દિલમાં નાણી દયારે; હો ઉદ્ધવજી૦ ।।૪।। પદ ।।૯।।

ઉદ્ધવનું અંતર મન આશ્ચર્ય પામિયુંજી, આપણું ડહાપણપણું દેખી

ગોપીને વામિયુંજી । જાણ્યું હરિનું હેત જુવતી ઘટ જામિયુંજી, પછી

પ્રમદાને ચરણે ઉદ્ધવે શિશ નામિયુંજી ।।૧।। ઢાળ - શિશ નમાવી

વળી વંદના કીધી, ધન્ય ધન્ય બાઇ તમે ધન્ય છો । સ્નેહપણ સાચો

તમારો, વળી તમે હરિનાં તન છો ।।૨।। તમારા પ્રેમને પાશલે, વળી

સર્વે સાધન ન્યૂન છે । મને થયું દરશન તમારૂં, તેહ મારાં મોટાં પુણ્ય

છે ।।૩।। પ્રીત તમારી પ્રમદા, તેની રીત અલૌકિક અબળા । તમારી

શ્રીકૃષ્ણ સ્વામીની, કોયે કળાતી નથી કળા ।।૪।। એટલું તો જાણું જો

અમે, તમે ગોપીછો ગોલોકની । એહ વિના તો ન હોય આવું, હોય

બીજે બુદ્ધિ તો કોકની ।।૫।। મોટાં ભાગ્ય માતાજી મારાં, જે કૃષ્ણે

મુજને મોકલ્યો । સુણી સુધાસમ વાણી તમારી, પ્રેમેશું પીતાં હું છળ્યો

।।૬।। તમારી પદ રજ માગવા, બાઇ લલચાણું મારૂં મન । તમારા

દાસનું દાસપણું, એહ આપજો જુવતી જન ।।૭।। બાઇ બાળક બુદ્ધિએ

હું બોલિયો, તેનો હૃદયે ન ધરશો રોષ । કાલું બોબડું કહ્યું મેં જેહ, તેહ

દાસનો નિવારીએ દોષ ।।૮।। સાચી તમારી પ્રીત સજની, વળી સાચો

તમારો સ્નેહ । સાચી ભક્તિ તમે કરી સુંદરી, આવોે પામી અબળાનો

દેહ ।।૯।। મે’ર કરો માતા મુજને, આપો આજ્ઞા તે શિર ધરૂં ।

નિષ્કુલાનંદના નાથ પાસે, કહો તો જાવાનું હવે કરૂં ।।૧૦।। કડવું ।।૩૭।। ઉદ્ધવ ઉચ્ચરિયા કરી અતિ વિનતિજી, માતાજી મારી છે જો થોડી

મતિજી । મૂઢ નવ જાણે ગૂઢ તમારી ગતિજી, આપો મને આજ્ઞા જાઉં

હવે જુવતિજી ।।૧।। ઢાળ - જાઉં હવે જગદીશ પાસે, એવી આજ્ઞા

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

કરો તમે । ત્યારે સુંદરી કહે સારૂં વીરા, સુખે પધારો રાજી અમે ।।૨।।

પછી ભવન ભવન ગઇ ભામીની, લાવી ભેટ ભૂધર અરથે । મહી

માખણ દુધ ઘૃત ગાડવા, વળી લાવીને બાંધ્યા રથે ।।૩।। કોઇક

કુરમલડો લાવી, કોઇક તલ બાજરી તલ સાંકળી । કોઇક ધોતી પોતી

પીતાંબર, કોઇ લાવી કાળી કાંબળી ।।૪।। ભર્યો રથ લઇ ભેટશું,

લાવી વસ્તુ બહુ પ્રકારની । અગર ચંદન માળા આપી, ઉદ્ધવ કરજો

પૂજા મોરારની ।।૫।। કોઇક કહે ચરણ હૃદે ધરજો, કોઇ કહે અંગોઅંગ

ભેટજો । કોઇક કહે હૈયે હાથ ચાંપી, કોઇ કહે ચરણમાં લોટજો ।।૬।।

કોઇ કહે જઇ બકી લેજો, કોઇ કહે ગાલ ઝાલી તાણજો । કોઇ કહે

હાથ જોડી કહેજો, હરિ અમને પોતાનાં જાણજો ।।૭।। જેને જેવું અંગ

હતું, તેણે તે તેવું કા’વિયું । હેત છુપાળ્યું નવ છુપે, હૈયાનું તે હોઠે

આવિયું ।।૮।। વળી સહુ મળી પ્રણામ કહ્યા, ઉદ્ધવ કહેજો જઇ કૃષ્ણને

। દયાનિધિ દયા કરીને, દેજો વહેલાં હરિ દૃષ્ણને ।।૯।। ઉદ્ધવજી સ્તુતિ

કરજો, કર જોડી અમારી વતી । નિષ્કુલાનંદના નાથ આગળે, વિધવિધ

કરજો વિનતિ ।।૧૦।।

કડવું ।।૩૮।।

પ્રમદાનો પ્રેમ તે કેમ કરી જાય કહ્યોજી, સુંદરીનો સ્નેહ દેખી

દિગમૂઢ થયોજી । ધન્ય ધન્ય અહો ઉદ્ધવ એમ કરે રહ્યોજી, જોયું હેત

જુવતીનું અપાર પાર નવ લહ્યોજી ।।૧।। ઢાળ - પાર ન લહ્યો પ્રેમ

કેરો, જોઇ જોઇ જોયું ઉદ્ધવે । શ્રીકૃષ્ણ વિના પ્રાણ આના, કેમ કરીને

રે’શે હવે ।।૨।। કોઇક મુખ નિશ્વાસ મૂકે, કોઇ આંખડીએ આંસુ ભરે

। કોઇક વદન કરી ઉંચું, ગાઢે સ્વરે રોદન કરે ।।૩।। ઉદ્ધવ કહે બાઇ

એમ મ કરો, તમે ધરો અંતર ધીર । તમને હરિ સુખ આપશે, લોહી

નાખો નયણનાં નીર ।।૪।। ત્યારે સુંદરી કહે અમે શું કરૂં, કેમ રહે

નયણાંનાં નીર ઝાલિયાં । તમે હતા જે કથા કે’તા, તેહ પણ વીરા તમે

ચાલિયા ।।૫।। સારૂં સધાવો સ્નેહી શ્યામના, દરશ સ્પરશ કરો

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

હરિચરણને । અમારાં આશિષ વચન, કે’જો અશરણ શરણને ।।૬।।

પછી ઉદ્ધવ ગોપીને પાયે લાગી, માગી શીખ રથ ચલાવિયો । અહો

સ્નેહ સુંદરીનો, મનન કરતાં મથુરાં આવિયો ।।૭।। ઉદ્ધવ આવિને

ભેટ્યા ભૂધરને, નયણાં તૃપ્ત ન થાયે નિરખતાં । ત્યારે કૃષ્ણ કહે ભલે

આવ્યા ઉદ્ધવ, શું કરેછે વ્રજવનિતા ।।૮।। સ્નેહ મુજશું સુંદરીને હતો,

અતિ ઘણો અતોલજો । કોઇ હવે સંભારેછે વ્રજમાં મને, તમે ઉદ્ધવજી

સાચું બોલજો ।।૯।। ઉદ્ધવ કહે સુણો શ્રીહરિ, ધન્ય ધન્ય વ્રજની

વિરહિણી । નિષ્કુલાનંદના નાથ કે’તાં, વીતે છે દિન ને રેહણી ।।૧૦।।

કડવું ।।૩૯।।

ઉદ્ધવ કહે હું શું કહું શ્રીહરિજી, તમારા સ્નેહવશ વ્રજસુંદરીજી ।

હે કૃષ્ણ કૃષ્ણજી કરેછે ભાવે ભરીજી, નાથ નથી રહી એને ખાન પાનની

ખબર ખરીજી ।।૧।। ઢાળ - ખાન પાનની ખબર નથી, ઉન્મત ગત છે

અંગની । લોકલાજ કાજ ત્યાગ કરી, રાતી છે તમારા રંગની ।।૨।।

જેમ નર કોઇ માદક પીયે, તેને તન તણી શુદ્ધ વિસરે । તેમ તમારા

સ્નેહની કેફે કરી, એને દેહ દશા નવ દિસે સરે ।।૩।। જોગ યજ્ઞ જપ

તપ તીરથ, વળી વેદ વિધિ કરી કેમ શકે । સ્નેહ માંહિ રહે સમાઇ,

બોલે નહિ બોલાવી બોલ્યે થકે ।।૪।। પ્રેમ જોઇને પ્રમદાનો, મારો ગર્વ

સર્વે ગળીયો । હુંતો ગયો તો શીખ દેવા, પણ સામું શીખ લઇને વળિયો

।।૫।। એવા નિર્મળ અંતર વિના, સ્નેહ રસ શેમાં રહે । ચારણી ચિત્તે

લટક પ્રીતે, પ્રેમ સુધારસ શું ગ્રહે ।।૬।। એવા સ્નેહ વિના શીદને, મૂરખ

કોયે મલકાય છે । હજી પશુ જેવી પણ પ્રીત નથી, તો હરિજન હોડ

કાંયે થાયછે ।।૭।। પ્રિતમ વિના પ્રેમીના પ્રાણ ન રહે, અને રહે તો પ્રીત

ન હોય । જેમ જળ વિયોગે ઝષ ન જીવે, પણ જીવે દાદુર કૂર્મ દોય

।।૮।। તેમ તમ વિના ગોપીના પ્રાણ ન રહે, પણ રહેવા છે એક રીત ।

જાણે હમણાં હરિ આવશે, એવું ચિંતવેછે ચિત્ત ।।૯।। પછી ભેટ દીધી

પૂજા કીધી, કહ્યું વા’લા આપી છે વ્રજસાથને । વળી કહ્યું અંગોઅંગ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

મળજો, નિષ્કુલાનંદના નાથને ।।૧૦।। કડવું ।।૪૦।।

પદરાગ ધોળ - અલબેલા આગળે ઉદ્ધવજીરે કહેછે, પ્રમદાના

પ્રાણ કોણ જાણે કેમ રહેછેરે; ઉદ્ધવ૦ ।।૧।। નીર વિના નયણાં મેં કેદિયે

ન દીઠાં, આંખડિયેથી આંસુ ઝરીઝરી પડેછે હેઠાંરે; ઉદ્ધવ૦ ।।૨।।

રોઇ રોઇ ખોયાછેરે દેહના રે હાલ, તમ વિના કૃપાનિધિ થઇછે કંગાલરે;

ઉદ્ધવ૦ ।।૩।। તમારા વિયોગ રોગે મણા નથી રાખી, ઝુરીઝુરી જુવતીરે

પડીછે ઝાંખીરે; ઉદ્ધવ૦ ।।૪।। પ્રાણ ગયાની પેર એનીરે મેં દીઠી, વા’લા

વધામણી મેલોરે તમે મીઠીરે; ઉદ્ધવ૦ ।।૫।। નિષ્કુલાનંદના નાથજીરે

તમને, કહ્યું કર જોડી જેવું જણાણુંરે અમનેરે; ઉદ્ધવ૦ ।।૬।। પદ ।।૧૦।।

શ્રીહરિ કહે ઉદ્ધવ એહ સત્ય છેજી, મુજ સાથે સુંદરીને અતિશે

આરત છેજી । દેહ ગેહ સુખથી એહ વનિતા વિરક્ત છેજી, અચળ

અડગ એની મુજ વિષે મત છેજી ।।૧।। ઢાળ - મત એની

મુજમાંહિછે, તેણે કરી તનસુખ ત્યાગ છે । વન જઇ શું કરે વનિતા,

એને વણ લીધો વૈરાગ્ય છે ।।૨।। કામ ક્રોધ ને લોભ મોહ, તેતો

વિરહ વહ્નિએ બળિયા । આતુરતાના અનિલે કરીને, તન વિકાર

તેહના ટળિયા ।।૩।। એકાદશ ઇંદ્રિય એની, ઉદ્ધવ આવી એહને

મનમાં । સંસાર સંકલ્પ ના’વે સ્વપને, રહે સદાયે બુડી પ્રેમમાં ।।૪।।

પ્રીત વશ છે પ્રાણ એના, જેની ચિત્તવૃત્તિ મુજમાં મળી । સ્નેહ મુજ

સાથે કરતાં, તેણે બીજી વાસના ગઇ બળી ।।૫।। ઇચ્છા નથી કોઇ

એને અંતરે, મુજ ચરણ વિના ચૌદલોકની । ચતુરધાની એણે

ચાહના મૂકી, રાખી ભક્તિ એણે રોકની ।।૬।। મુજ વિયોગે વિલખી

વિલખી, તજ્યાં સુખ સર્વે તનથી । ઉદ્ધવજી એવા જન જેવું, વા’લું

તે મુજને કોઇ નથી ।।૭।। હુંજ છઉં પ્રાણ પ્રેમીના, અને પ્રેમીજ મારૂં

તન । ઉદ્ધવજી એમાં અસત્ય નથી, સત્ય માનજે તું મન ।।૮।। મને

પ્યાર છે પ્રેમીનો, હુંતો પ્રેમીજનને પુંઠે ફરૂં । સ્નેહસાંકળે સાંકળ્યો

હું, જેજે જન કહે તેતે કરૂં ।।૯।। પ્રેમીનું પણ પાળવાને, મારૂં પણ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

મેલ્યું પ્રેમી પાસળે । નિષ્કુલાનંદનો નાથ કહેછે, એમ ઉદ્ધવની

આગળે ।।૧૦।। કડવું ।।૪૧।।

ભક્તિ મારી છે બહુ ભાતનીજી, જન મળી કરેછે જુજવી જાતનીજી

। પણ પ્રેમની ભક્તિ છે પ્રાણ ઘાતનીજી, તે કેમ કરી કરે કોયે નથી મુખ

વાતનીજી ।।૧।। ઢાળ - મુખવાત તેની નથી થાતી, એતો પ્રાણ ગયાની

પેર છે, એવી જે જન આદરે, તેહ ઉપર મારી મે’ર છે ।।૨।। સ્નેહ કરે

જે મુજ સાથે, તન મન કરી કુરબાણ । ઉદ્ધવ મારે ધન એહછે, વળી

જાણુંછું જીવનપ્રાણ ।।૩।। મને સંભારેછે સ્નેહી જન, તેમ સંભારૂં હું

સ્નેહીને । અરસ પરસ રહે એકઠાં, જેમ પ્રીત છે દેહ દેહીને ।।૪।।

અંતર પ્રીત સરળ ચિત્ત, વળી હૈયે હેત અતિ ઘણું । ઉદ્ધવ એવા જન

જેહ છે, તેહ રે’વા ઘર છે મુજતણું ।।૫।। જેનું અંતર લુખું હૃદય સૂકું,

વળી નેહ નહિ જેના નેણમાં । ઉદ્ધવજી હુંતો ત્યાં ન રહું, મર ધરે ધ્યાન

દિન રેણમાં ।।૬।। જપ તપ તીરથ જોગ યજ્ઞ, જેહમાં તે ફળની આશ

છે । એહને ધાયે ભક્ત કહેવાયે, પણ તેશું મારો કાંય દાસ છે ।।૭।।

કોય નર નિરાશી ચરણ ઉપાસી, મમતા રહિત મુજને ભજે । એવા

ભક્ત જક્ત વિરક્ત જેહ, તેહ ઉદ્ધવજી મુજને રજે ।।૮।। હુંતો વશ

છઉં પ્રેમને, કહું ગોપ્ય મારો મતછે । સ્નેહ વિના હું શિયે ન રીઝું, એહ

માનજે સત્ય સત્ય છે ।।૯।। વ્રજવનિતા પ્રેમરતા, પ્રીતે અજીત મને

જીતિયો । નિષ્કુલાનંદનો નાથ કહેછે, ઉદ્ધવ હેતે હું એનો થયો ।।૧૦।।

કડવું ।।૪૨।।

ધન્ય ધન્ય ગોપિકા સ્નેહની મૂરતિજી, જેને અલબેલો સંભારેછે

અતિ અતિજી । જેહનો અપાર સ્નેહ ને અપાર મતિજી, જેના જશ

ગાયછે નિત્યે નિત્યે શ્રુતિજી ।।૧।। ઢાળ - શ્રુતિ ગાયછે જશ જેનો,

વળી સરાયે છે જેને શ્રીહરિ । ધન્ય ધન્ય સ્નેહ એહનો । વળી સાચી

ભક્તિ એણે કરી ।।૨।। ધન્ય ધન્ય એહનો પ્રેમ કહીએ, ધન્ય ધન્ય

એહની પ્રીતને । ધન્ય ધન્ય હેત એના હૈયાનું, ધન્ય ધન્ય એહની રીતને

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

।।૩।। ધન્ય ધન્ય ભાવ ભલો એહનો, ધન્ય ધન્ય એહની મત્યને । ધન્ય

ધન્ય સમજણ એહની, ધન્ય ધન્ય એહનાં કૃત્યને ।।૪।। ધન્ય ધન્ય

અંતર એહનું, ધન્ય ધન્ય એહના મનને । ધન્ય ધન્ય બુદ્ધિ ચિત્ત સમેતને,

જે કર્યું અર્પણ કૃષ્ણને ।।૫।। શ્રવણ નયન નાસિકા, ધન્ય ત્વચા રસના

તેહને । પાદ પાણિ ધન્ય એહનાં, ધન્ય ધન્ય એહના દેહને ।।૬।। સર્વે

અંગે અતિ રંગે, કરી કૃષ્ણની જેણે ભગતિ । ત્રિલોકશું તોડી હરિશું

જોડી, કરી પ્રીત અચળ અડગ અતિ ।।૭।। ભવરોગ વામી કૃષ્ણ પામી,

સ્વામી સદા સુખકંદને । દાઝ ટળી શાંતિ વળી, મળી પરમાનંદને ।।૮।।

કરી પ્રીત પૂરણ રીતે, જીતી ગઇ જશ જુવતી । જશ જેના ઉત્તમ એના,

ગુણ ગાયછે ગૃહસ્થ ને જતિ ।।૯।। ભૂત ભવિષ્ય વર્તમાનમાં, કોઇએ

સ્નેહ તુલ્ય નથી આવતું । નિષ્કુલાનંદના નાથજીને, સ્નેહ વિના નથી

ભાવતું ।।૧૦।। કડવું ।।૪૩।।

સ્નેહગીતા જે જન ગાશેજી, સુણતાં સદ્ય આનંદ ઉપજાવશેજી ।

પ્રીતમની પ્રીતની રીત જો જણાવશેજી, સ્નેહી જનને સુધાસમ ભાવશેજી

।।૧।। ઢાળ - જણાવશે રીત પ્રીત કરી, હશે કાસલ તે કલાવશે । પછી

સ્નેહીજન સજ્જ થઇને, ચિત્ત હરિ ચરણ લાવશે ।।૨।। વળી દેહ ઇંદ્રિય

મન પ્રાણની, કોઇ રુંધવાની રીત કરે । તો સર્વે સાધન મેલી મનનાં,

પ્રીતે ચિત્ત હરિચરણે ધરે ।।૩।। અંતઃકરણ ને ઇંદ્રિની વૃત્તિ, લોલુપ

કિયાં નથી લોભતી । પ્રગટ મૂર્તિ વિના વળી, અન્ય સ્થળે પળ નથી

થોભતી ।।૪।। સર્વે વાસના ત્યારે ગળે, જ્યારે મળે મનોહર મૂરતિ ।

સાધન સર્વે થાય પુરાં, એમ ગાય સત્ય નિત્ય સુરતિ ।।૫।। પ્રભુપદની

પ્રીત વિના, વિકાર તે નવ વિસમે । વ્રેહ વિના વાસના ન બળે, અન્ય

ઉપાયે શીદ દેહ દમે ।।૬।। સ્નેહ સાચો સ્નેહી જનનો, શ્રીકૃષ્ણ સાથે

કરજો । પ્રીત રીતે જો પંડ પડે, તોયે દિલમાંહિ માં ડરજો ।।૭।। સ્નેહગીતા

ગ્રંથ ગાવા, ઇચ્છા કરી અવિનાશ । નિષ્કુલાનંદને નિમિત્ત દેઇ, કર્યો

ગ્રંથ એહ પ્રકાશ ।।૮।। એકાદશ પદને ચુંવાળીસ કડવે, કહી સ્નેહની

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

કથા કથી । પંચ દોયે કમ જે પાંચસે, છે ચરણ પુરાં ઓછાં નથી ।।૯।।

સર્વે ચરણે સ્નેહકથા, વરણવી વિવિધે કરી, હરિને મને હેતે સાંભળી,

કરજો પ્રીત હરિ સાથે ખરી ।।૧૦।। સંવત અઢાર બોતેરના, વૈશાખ

શુદ ચતુરથી । હરિજનના હેત અર્થે, સ્નેહગીતા કહી કથી ।।૧૧।।

કડવું ।।૪૪।।

પદરાગ ધોળ

ધન્ય ધન્ય સ્નેહ શિરોમણી, ના’વે સાધન કોઇ સમતોલ ।

સાંભળજો સ્નેહ સમાન તે શું કહું,

જપ તપ તીર્થ વ્રત જોગ જે । કોઇ કરે જો જજ્ઞ અતોલ; સાંભળજો. ।।૧।।

અપવાસી ઉદાસી વાસી વન, કોઇ તનમાં ન ધરે પટત; સાંભળજો. ।

કોઇ ફળ ફુલ પયપાનશું, કરી આહાર આણે તન અંત; સાંભળજો. ।।૨।।

પુણ્ય દાન પાળે કોઇ ધર્મને, રહે નિ’મધારી નરનાર; સાંભળજો. ।

સર્વે સુનું એક સ્નેહ વિના, એતો પ્રપંચનો પરિવાર; સાંભળજો. ।।૩।।

જોગી થાક્યા જોગીપણું પાળતાં, તપી થાક્યા સહી શિત તાપ; સાંભળજો. ।

ધ્યાની થાક્યા ધરતા ધ્યાનને, જપી થાક્યા જપતાં જાપ; સાંભળજો. ।।૪।।

જતિ થાક્યા જતને જાળવતાં, મુનિ થાક્યા રે’તા વળી મુન્ય; સાંભળજો.।

બીજાં અવર સાધન અનેક જે, એક સ્નેહ વિના સર્વે શૂન્ય; સાંભળજો. ૫

કોટિ કાયા ક્લેશને કરતાં, હરિ કેને ન આવ્યા હાથ; સાંભળજો. ।

પ્રેમવશ થઇ પિયુ પાતળો, સદા રમિયા વ્રજજન સાથ; સાંભળજો. ।।૬।।

હેત પ્રીતે સ્નેહીની સંગે, અલબેલો આપેછે આનંદ; સાંભળજો. ।

વા’લો નિષ્કુલાનંદનો નાથજી, સ્નેહવશ શ્રીસહજાનંદ; સાંભળજો. ।।૭।।

પદ ।।૧૧।।

ઇતિ શ્રી મદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુલાનંદ

મુનિ વિરચિતા સ્નેહગીતા.

સ્નેહગીતા સમાપ્તા

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સ્નેહગીતા

ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન

-ઃ વચનવિધિ :-

રાગ ધન્યાશ્રી - સમરો સુખદ શ્રીહરિદેવજી, જેથી પામીએ

આનંદ અભેવજી । જેહ આનંદનો નાવે કેદિ છેવજી, તેહ સુખ આપે

હરિ તતખેવજી ।।૧।। ઢાળ - હરિ હરખી સુખ આપે, જો વર્તિએ

વચનમાંય । મેલી ગમતું મનતણું, રહીએ શ્યામ ગમતે સદાય ।।૨।।

પૂરણ સુખને પામવા, રહીએ હરિઆજ્ઞા અનુસાર । તે વિના મોટપ્ય

નવ મળે, જન જોવું કરી વિચાર ।।૩।। ભવ બ્રહ્મા આ બ્રહ્માંડમાં,

મહામોટા કહે સહુ કોય । તે મોટપ્ય શ્રીમહારાજની, એહ સમજવું જન

સોય ।।૪।। શશિ સૂર્ય સમર્થ સહિ, કરે સર્વે લોકે પ્રકાશ । તે પ્રસન્ન કરી

પરબ્રહ્મને, અંગે પામ્યા એવો ઉજાસ ।।૫।। શેષ સુરેષ ને સારદા, ગણપતિ

ગુણ ભંડાર । રામ રાજીએ હનુમાન હુવા, અતિ મોટા ઉદાર ।।૬।। ભૂત

ભવિષ્ય વર્તમાનમાં, હરિ રાજીપામાં જે રહ્યા । દેવ દાનવ માનવ મુનિ,

તે સર્વે મોટા થયા ।।૭।। મોટું થવાનું હોય મનમાં, તો હરિ વચનમાં

હમેશ રૈયે । નિષ્કુલાનંદ કહે ન લોપીયે, વાલમનું વચન કૈયે ।।૮।। કડવું

।।૧।।

વચને કરી છે વર્ણાશ્રમજી, વચને કરી છે ત્યાગી ગૃહી ધર્મજી ।

વચને કરી છે કર્મ અકર્મજી, એહ જાણવો જન મને મર્મજી ।।૧।। ઢાળ -

મર્મ એમ જન જાણીને, રહેવું વચન માંહે વળગી । વચન લોપી જાણે

સુખ લેશું, એવી અવિદ્યા કરવી અળગી ।।૨।। વચને ઇંદુ અર્ક ફરે, હરે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

તમ કરે પ્રકાશ । વચને ઇંદ્ર વૃષ્ટિ કરે, માની વચનનો મને ત્રાસ ।।૩।।

શેષજી શીરે ધરી રહ્યા, ચૌદ લોક ભૂમિનો ભાર । વચને કાળ શક્તિ

કરે, ઉત્પત્તિ સ્થિતિ સંહાર ।।૪।। વચને બાંધ્યો સિંધુ રહે, પાળ વિનાનું

પાણી વળી । તેણે કરી શું તુચ્છ થયા?, એહ આદ્યે સર્વે મળી ।।૫।।

વચનમાંહિ વર્તતાં, વણ તોળી મોટપ્ય મળે । વચન વિરોધી વિમુખ નર,

તાપત્રયમાં તેહ બળે ।।૬।। વચને નિવૃત્તિ વચને પ્રવૃત્તિ, વચને બદ્ધ

મુક્ત કહીયે । તે વચન શ્રીહરિ મુખનાં, સુખદાયક સર્વે લહિયે ।।૭।।

એમ સમઝી સંત શાણા, વર્તે છે વચન પ્રમાણ । નિષ્કુલાનંદ તે ઉપરે,

સદા રાજી રહે શ્યામ સુજાણ ।।૮।। કડવું ।।૨।।

વચનમાં વર્તે જન શાણાજી, દેહ ગેહ સુખમાં જે ન લોભાણાજી ।

મન કર્મ વચને હરિબોલે બંધાણાજી, એવા જન જેહ તેહ મોટા

ગણાણાજી ।।૧।। ઢાળ - મોટા ગણાણા તે માનવું, કર્યું ગમતું જેણે

ગોવિંદતણું । તે વિના મોટપ્ય નવ મળે, ફરી ફરી શું કહીએ ઘણું ।।૨।।

રાધાજીયે રાજી કર્યા, શ્રીકૃષ્ણ કૃપાનિધાન । તેણે કરીને મોટપ મળી,

વળી પામિયાં બહુ સનમાન ।।૩।। કમળાએ કૃષ્ણને રિઝવ્યા, રિઝયા

અલબેલો અવિનાશ । તેણે કરીને તેહ પામીયાં, હરિ ઉરે અખંડ નિવાસ

।।૪।। વૃંદા વચનમાં વરતી, કર્યા પ્રભુને પ્રસન્ન । તેણે કરી હરિ અંઘ્રિમાં,

રહ્યાં કરી સુખ સદન ।।૫।। વ્રજ વનિતા વચને રહી, વળી વાલા કર્યા

વ્રજરાજ । તેણે કરીને તોલે તેને, ના’વે શિવ બ્રહ્મા સુરતાજ ।।૬।।

પંચાલિયે પ્રસન્ન કર્યા પ્રભુને, આપી ચીરી ચીથરી ચીરતણી । તેણે કરી

તને નગ્ન ન થયાં, વળી ભક્ત કા’વ્યાં શિરોમણી ।।૭।। એહ રીતે મોટપ્ય

મળે, પહેલા રાજી કરે પરબ્રહ્મ । નિષ્કુલાનંદ કહે તે વિના, ઠાલો પડે

જાણો પરિશ્રમ ।।૮।। કડવું ।।૩।।

માની વચન મોટા થયા કઇજી, જે મોટપ કહેતાં કહેવાય નઇજી

। તેહ પામ્યા વા’લાને વચને રહીજી, એ પણ મર્મ સમઝવો સહીજી

।।૧।। ઢાળ - સહિ સાબિત કરી શિરસાટે, રહ્યા વચનમાં કરી વાસ ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

ઉન્મત્તાઇ અળગી કરી, થઇ રહ્યા દાસના દાસ ।।૨।। મોટા સુખને

પામવા, વામવા કષ્ટ કલેશ । તેને વચનમાં વર્તતાં, નથી કઠણ કાંઇ

લવલેશ ।।૩।। પામર પ્રાણી પામ્યા પ્રભુતા, રહી હરિ આજ્ઞાનુસાર ।

આદ્યે અંત્યે મધ્યે મોટા થયા, તે તો વચનથી નિરધાર ।।૪।। સો વાતની

એક વાત છે, નવ કરવો આજ્ઞાલોપ । રાજી કરવાનું રહ્યું પરૂ, પણ

કરાવીયે નહિ હરિને કોપ ।।૫।। મોટપ માનવી કેમ મળે, વાઢી કાઢે

વચનનાં મૂળ । સુખ થાવાનું શાનું રહ્યું, થયું સામું સો ગણું શૂળ ।।૬।।

અલ્પ સુખસારૂં આગન્યા, લોપે છે શ્રીહરિતણી । પરમસુખ કેમ પામશે,

ભાઇ ધારજો તેના ધણી ।।૭।। વશી નગર નરેશને, વેર વાવરે નરનાથશું

। નિષ્કુલાનંદ કહે નરશું, એણે કર્યું એના હાથશું ।।૮।। કડવું ।।૪।।

પદરાગ જકડી - નહિ પામે પામર નર સુખરે, રહી હરિવચનથી

વિમુખરે. નહિ૦ ટેક. સુખ પામશે સંત સુજાણરે, જે કોય વર્તે છે વચન

પ્રમાણરે । થઇ રહી વાલાના વેચાણરે. નહિ૦ ।।૧।। કર્યું ધ્વજાપટ ઘટ

મનરે, વળે જેમ વાળે છે પવનરે । એમ માને વાલાનાં વચનરે. નહિ૦

।।૨।। જેમ નરમ તૃણ નદીતટરે, વારીવેગે વળી જાય ઝટરે । તેને શીદને

આવે સંકટરે. નહિ૦ ।।૩।। એમ વચન વશ થઇ રહેરે, તે તો મોટા

સુખને લહેરે, નિશ્ચે નિષ્કુલાનંદ એમ કહેરે. નહિ૦ ।।૪।। પદ ।।૧।।

વચનદ્રોહીનાં જો થાય વખાણજી, તો શીદને કોય વરતે વચન

પ્રમાણજી । જેમાં તન મને થાવું હેરાણજી, સુખ મુકી દુઃખ ન ઇચ્છે

અજાણજી ।।૧।। ઢાળ - અજાણ પણ ઇચ્છે નહિ, કાયાને કારસો આપવા

। વણ કારસે વારિ મળે તો, કોણ જાય કૂપ કાપવા ।।૨।। ત્યારે દમે શીદ

કોઇ દેહને, વણ દમે વિરમે વિપતિ । શીદ વરતે વચનમાં, વણ વરતે

પામે સુખ સંપતિ ।।૩।। વચનમાં વસમું ઘણું, વરતવું નર અમરને ।

મોકળ્યમાં મજા ખરી, ચોખી જાણો ચરાચરને ।।૪।। પણ મોટી મોજ

મળે નહિ, મોટાની મરજી મૂકતાં । મૂળગા મૂળમાંથી મટે, વડાના

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

વચનમાંથી ચુકતાં ।।૫।। એમ સમજી સમઝુ, વરતે છે વચનમાંય । મોટા

મોટા બીવે છે મનમાં, રખે ફેર પડતો કાંય ।।૬।। બની વાત જાય બગડી,

જો લેશ લોપાય વચન । લેખે ન આવે દાખડો, વળી થઇ જવાય નિરધન

।।૭।। એહ મત શાણા સંતનો, નવ પાડે વચનમાં ફેર । નિષ્કુલાનંદ નિશ્ચે

કરી, કહ્યું એ વેરમવેર ।।૮।। કડવું ।।૫।।

વચન વાલાનું લોપશો માં લેશજી, એટલો તો માની લેજો

ઉપદેશજી । લોપતાં વચન આવશે કલેશજી, હેરાન ગતી પછી રહેશે

હમેશજી ।।૧।। ઢાળ - હમેશ રહેશે હેરાન ગતિ, અતિ તુચ્છ કરશે

તિરસ્કાર । આજ્ઞા હરિની લોપતાં, ભવમાં નહી રહે ભાર ।।૨।। બ્રહ્માએ

ભાંગી હરિ આગન્યા, જોયું નિજ સુતાનું શરીર । જોતાં મતિ રતિ નવ

રહી, વળી ગઇ હૈયેથી ધીર ।।૩।। અણઘટિત ઘાટ ઉપજ્યો, જે મટાડતાં

મટ્યો નહિ । તે પાંચમે મુખે પ્રકાશિયો, નેક અતિ નિર્લજ્જ થઇ ।।૪।।

એવાને પણ એમ થયું, મરજાદા હરિની મેલતાં । બીજાની બકાત્ય સહી,

ખેલ અખેલ્યા ખેલતાં ।।૫।। એવી અભંગ છે આગન્યા, અખંડ હરિની

આકરી । તેને લોપતાં ત્રિલોકમાં, કહો કોણ બેઠો ઠરી ।।૬।। સુખ કરણી

છે દુઃખહરણી, આગન્યા શ્રીમહારાજની । આસુરી જનને અર્થ ન આવે,

છે દૈવી જીવના કાજની ।।૭।। આસુરી મતિને જે આસર્યા, તેને આજ્ઞાની

આડી કશી । નિષ્કુલાનંદ એ નરનું, નાક કાપવું ઘટે ઘસી ।।૮।।

વણ કાપે નાક ગયું છે કપાઇજી, તે જાણજો જરૂર જન મન

માંઇજી । તેની અપકીર્તિ ગ્રંથમાં ગવાઇજી, એથી નરસું નથી બીજું

કાંઇજી ।।૧।। ઢાળ - નથી બીજું કાંઇ નરસું, હરિ આજ્ઞામાં હાલવું નહી

। એવા નર અમર અજ ઇશ, સુખ ક્યાંથી પામે સહી ।।૨।। મહેશ મોટા

દેવતા, પણ ભોળા નામની ભોળપ્ય રઇ । મોહિની રૂપની મનમાં, જોવાને

ઇચ્છા થઇ ।।૩।। ત્યારે હરિએ વાર્યા ઘણું હરને, નથી રૂપ એ જોવા

સરખું । પણ સનો લીધો સમજ્યા વિના, હરિવચનને નવ પરખ્યું ।।૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

પછી ધરી હરિ રૂપ મોહિનીનું, આગળ આવી ઉભા રહ્યા । શિવ જોઇ

શુદ્ધ બુદ્ધ ભૂલ્યા, વિવેક વિના વ્યાકુળ થયા ।।૫।। નૈષ્ઠિક વ્રત તે નવ

રહ્યું, થયું જોગકળા માંહી જ્યાન જો । તે લખાણું છે કાગળે, સહુ જન

એ સાચું માનજો ।।૬।। વળી ભવનું વચન લોપી ભવાની, ગયાં દક્ષના

જગનમાં । ત્યાં અતિ અનાદરે તન ત્યાગી, બળી મુવાં આપે અગનમાં

।।૭।। વચન લોપતાં દુઃખ લહે, દેવ દાનવ અહિ અતિ । નિષ્કુલાનંદ ન

કીજીયે, વચન લોપ રાઇ રતિ ।।૮।। કડવું ।।૭।।

ઇચ્છે કોઇ કરવા અવળું આપણુંજી, તે જન લોપે વચન

હરિતણુંજી । જેણે કરી થાય દુઃખ ઘણું ઘણુંજી, પામી દુઃખ મુખ પછી

થાય લજામણુંજી ।।૧।। ઢાળ - લજામણું મુખ લઇને, જન જીવે જે

જગમાંઇ । ધિકધિક એ જીવીતવ્યને, કામ ન આવ્યું કાંઇ ।।૨।। સારપ્ય

એની શું રહી, આવ્યો હરિવચનના વાંકમાં । મોર્યથી નાખી કર મુછપર,

પછી છરી મંડાવી નાકમાં ।।૩।। શું થયું જપ તપ તીરથે, શું થયું વળી

જોગ જગને । શું થયું વિદ્યા ગુણ ડહાપણથી, જો ન રહ્યો હરિને વચને

।।૪।। સુરગુરુ સરીખો નહિ, વળી બીજો કોઇ બુદ્ધિમાન । વીરની વધુ

વિલોકીને ઉર આવી ગયું અજ્ઞાન ।।૫।। વિચાર વિના વચનનો, લોપ

કર્યો લજ્જા તજી । માથે મેષ બેસી ગઇ, તે હરકોઇ કે’છે હજી ।।૬।। જે

જે વચન જેને કહ્યાં, તેમાં રે’વું સહુને રાજી થઇ । આજ્ઞા અદ્રિ ઉલ્લંઘતાં,

સમઝો સહુને સારૂં નઇ ।।૭।। શીદ લૈયે સંતાપને, વચનથી વરતિ બા’ર

। નિષ્કુલાનંદ ન લોપીયે, વચન હરિનું લગાર ।।૮।। કડવું ।।૮।।

પદરાગ જકડી - વચન લોપી જાણે સુખ લેશું રે, તે તો કે’શું

કે’વાને જો રે’શું રે. વચન૦ ટેક૦ જ્યારે પશ્ચિમે પ્રગટે રવિરે, થાશે

બીજ રહિત પૃથિવીરે । તોયે નહિ થાય રીત એ નવીરે. વચન૦

।।૧।।જ્યારે શૂન્ય સુમનની સ્રજ થાશેરે, ઝાંઝુંજળ પાને જન ધાસે રે ।

તોયે એ વાત કાંઇ મનાશે રે. વચન૦ ।।૨।। સુત ષંઢથી પામશે નારીરે,

મળશે માખણ વલોવતાં વારીરે । તોયે વિમુખ સુખ રે’શે હારીરે. વચન૦

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

।।૩।। એહ વાત પ્રમાણ છે પકીરે, તે તો ખોટી ન થાય કોઇ થકીરે । કહે

નિષ્કુલાનંદ એમ નકીરે. વચન૦ ।।૪।। પદ ।।૨।।

આજ્ઞા ઉલ્લંઘી શઠ સુરપતિજી, ગૌૈતમ ઘરમાંયે કરી ગતીજી ।

તેણે દુઃખ પામ્યો અંગમાંયે અતિજી, રહ્યું નહિ સુખ શરીરમાં રતિજી

।।૧।। ઢાળ - સુખ શરીરે શાનું રહે, લોપી અવિનાશીની આગન્યા । શચી

સરખી ત્રીયા તજી, રાચ્યો અહલ્યા રૂપે વિવેક વિના ।।૨।। પુરંદરને

ઋષિ પતની, ભોગવવું એ ભલુ નહિ । પણ અમરેશના અભિમાનમાં,

ખોટ્યની ખબર નવ રહી ।।૩।। એવી અવડાઇ જોઇ ઇંદ્રની, આપ્યો

શાપ ઋષિએ રોષમાં । કહ્યું સહસ્રભગ પામી પુરંદર, રે’જે સદા સદોષમાં

।।૪।। પરણીને ઘરૂણી ઘણી રાખે, તોય ન થાય આજ્ઞા લોપ । અવર

નારી એકમાં પણ, થયો ઋષિનો કોપ ।।૫।। વળી ભૂંડાં દુઃખને ભોગવવા,

કર્યો કમળના વનમાંઇ વાસ । જ્યાં જ્યાં હતી એની કીરતી, ત્યાં ત્યાં

થવા લાગી હાસ ।।૬।। એમ વચન લોપે જો લજ્જા રહે, તો કોણ માને

વચનને । મહાપ્રભુની પરજાદ મૂકી, સહુ વર્તે ગમતે મનને ।।૭।। મનમાંને

રે’તાં મોટપ મળે, તો કોણ વેઠે વચનનું દુઃખ । નિષ્કુલાનંદ તો નર

અમર, વર્તે હરિથી સહુ વિમુખ ।।૮।। કડવું ।।૯।।

ભૂમાં એક ભૂપતિ નહૂષ રાજનજી, તે પુન્યે કરી પામ્યો

ઇન્દ્રાસનજી । ત્યારે કર્યું ઇન્દ્રાણી વરવાનું મનજી, ઉનમત્ત થઇ કહ્યું

એમ વચનજી ।।૧।। ઢાળ - વચન કહ્યું વિકટ અતિ, તું વર્ય મને વેગે કરી

। ત્યારે ઇંદ્રાણી કહે વરી હું ઇંદ્રને, હવે કેમ વરૂં નરને ફરી ।।૨।। ત્યારે

નહુષ અમલે થયો આંધળો, ખરા ખરી ખબર નવ પડી । ત્યારે જાણ્યું

ઇંદ્રાણીયે જોરે વરશે, કહ્યું આવ્ય કોરે વાહને ચડી ।।૩।। પછી વાહન

સારૂં વિલખાં કર્યાં, પણ કોરૂં વાહન નવ જડ્યું । ત્યારે શિબિકાયે ઋષિરાય

જોડ્યા, તેનું પાપ તર્ત નડ્યું ।।૪।। પછી ઇન્દ્રપણું આળશી ગયું, સર્પ

સર્પ કે’તાં સર્પ થયો । વચન દ્રોહીનું ફળ જોઇ, રખે કોઇ વચન લોપો

ભયો ।।૫।। પણ અટપટી છે એ વાર્તા, કરવું ગમતું ગોવિંદ તણું । મન

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

કર્મ વચને કરીને, મેલવું ગમતું આપણું ।।૬।। અતિ રાજી થઇ રળીયાત

રહી, જે કોઇ વર્તે છે વચનમાં । ફેર પડે તો ફડકી મરે, અતિ તાપ થાયે

તનમાં ।।૭।। એમ પાડે હરિની આગન્યા, એ માનો વચનની મૂરતિ ।

નિષ્કુલાનંદ એ નિરખતાં, રહે નહી પાપ એક રતિ ।।૮।। કડવું ।।૧૦।।

વચન આધારે વર્તે છે જેહજી, મોટા સુખને પામશે તેહજી ।

એહ વાતમાં નહિ સંદેહજી, લોકે પરલોકે પૂજ્યા જોગ્ય તેહજી ।।૧।।

ઢાળ - લોક અલોકમાં આબરૂં, રે’શે એની રૂડી રીતશું । વચન વા’લાનાં

વા’લા કરી, પ્રસન્ન મને રાખ્યાં પ્રીતશું ।।૨।। વચન પાડતાં જો વિપત્તિ

પડે, તો સહે શ્રધ્ધાએ કરી । વચન લોપતાં જો સુખ મળે, તો ઘોળ્યું પરું

મેલે પરહરી ।।૩।। અશન વસન ભૂષણ ભૂમિ, મર મળે ત્રિલોકીનું રાજ

। વચન જાતાં જાતું કરે, જાણે થાય એથી અકાજ ।।૪।। પ્રહલાદને કહ્યું

એના પિતાયે, તને આપું રાજ અધિકાર । નામ મેલીદે નરહરિનું । આજથી

માં કર્ય ઉચ્ચાર ।।૫।। પણ હળવાં સુખ સારૂં હરિજન, મુકે કેમ મોટા

સુખને । લોપી વચન મન લલચે, એવું ઘટે ઘણું વિમુખને ।।૬।। નાક

કપાવી નથ પે’રવી, એતો નારી નઠારીનું કામ છે । એથી મર રહિયે

અડવાં, એવાં ભૂષણ પે’રવા હરણ છે ।।૭।। એમ વચન ગયે વડાઇ

મળે, તેને પાપરૂપ જાણી પરહરો । નિષ્કુલાનંદ નિશ્ચે કરી, હરિવચનમાં

વાસ કરો ।।૮।। કડવું ।।૧૧।।

વચન વિરોધીની વડાઇ કશીજી, જે જન વચનમાંથી ગયા

ખશીજી । મન મુખી થઇ મુખે ભુંશી મશીજી, જુવે જે વદન તે જન દિયે

હશીજી ।।૧।। ઢાળ - હસી હસી હાંસી કરે, જોઇ એવા જનનું જાણ । કરી

કાળું મુખ માન્યું રૂપાળું, કહો કહે હવે એને કોણ ।।૨।। વિધવા નારી કરે

વડાઇ, સુત એક સારો જણી । પણ જાણતી નથી એ યોષિતા, જે શિર

ઉપર નથી ધણી ।।૩।। વળી બીજીનો પતિ પરદેશ છે, ઇયાં સુત જન્મ્યા

છે સાત । નથી ખબર એહ ખોટ્ય તણી, ધણી કેમ થાશે રળીયાત ।।૪।।

એમ વચન ઉલ્લંઘી વા’લાતણું, જે જે જન કરે છે કામ । તે લાજ જાશે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

આ લોકમાં, વળી થાશે જીવિત હરામ ।।૫।। હરામી જીવને હોય નહિ,

હૈયે ડર હરિના વચનનો । આસુરી મતિ આવી અતિ, તેણે જોરો દેખાડે

જોબનનો ।।૬।। કહો કામદુઘાનું ત્યાં કામ કશું, જ્યાં ઘણા ગધ્ધા ઘર

બારણે । એમ આજ્ઞાકારીનું શું ઉપજે, જ્યાં વિમુખ હોય કાજ કારણે

।।૭।। પણ હરિજનને હમેશ કરવો, વિચાર વારમવાર । હરિવચન વિમુખ

ન થાવું, કહે નિષ્કુલાનંદ નિરધાર ।।૮।। કડવું ।।૧૨।।

પદરાગ - ધોળ - સંતો વિમુખ થકી રહીએ વેગળા, ડરીયે

દિવસ ને રાત રે । સંતો વિશ્વાસ કરતાં વિમુખનો, વણશી જાયે જો વાત

રે. સંતો૦ ।।૧।। સંતો વિમુખ વિખ આપે વાતમાં, કરી હેત અપારરે ।

સંતો રગરગમાં તે રમી રહે, ન રહે વચનનો ભાર રે. સંતો૦ ।।૨।। સંતો

સોબત ન ગમે પછી સંતની, વા’લા લાગે વિમુખરે । સંતો નિયમ ન ગમે

નાથનાં, માને મોકળે સુખ રે. સંતો૦ ।।૩।। તારે કરવાનું છે તે ક્યાંથી

કરે, થાયે ન કર્યાનું કામ રે । કહે નિષ્કુલાનંદ નિશ્ચે નર, ન પામે સુખ

ઠામ રે. સંતો૦ ।।૪।। પદ ।।૩।।

વચન વિમુખ માં થાશો કોઇજી, નર અમર વિમુખનાં સુખ

જોઇજી । મોટા બેઠા મોટ્યપ વચન વિના ખોઇજી, માટે હરિવચને રહો

રાજી હોઇજી ।।૧।। ઢાળ - રાજી થઇ રહો વચનમાં, લોપશોમાં વચન

લગાર । વચન લોપતાં મોટા મોટા, પામ્યા દુઃખ અપાર ।।૨।। નારદ

સરીખા નહિ કોયે, બીજા મહા મોટા મુનિજન । તેણે પણ ન તપાશીયું,

લોપ્યું વા’લાનું વચન ।।૩।। ત્યાગી થઇ ત્રીયા કર જોયો, ખોયો વિચાર

વરવા કર્યું । પર્વત પણ ઇચ્છયા પરણવા, બેઉનું સિદ્ધાંત એક ઠર્યું ।।૪।।

ત્યારે કન્યા તાતે વાત કહી, સ્વયંવર રચીશ સવારમાં । ઇચ્છાવર કન્યા

વરશે, તમે બેઉ રે’જો તૈયારમાં ।।૫।। ત્યારે બેઉ ધાયા હરિપાસળે, રૂડું

માગવા રૂપ અનુપને । વળી પરસ્પર ઇચ્છયા, થાવા રૂપ કુરૂપને ।।૬।।

ત્યારે હસીને હરિ બોલીયા, થાશે અવસર પર રૂપ એમ । પછી મર્કટ

મુખ બન્યાં બેઉનાં, કહો કન્યા વરે તેને કેમ ।।૭।। લાજ ગઇ ને કાજ ન

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

સર્યું, વળી લોપાણું હરિનું વચન । નિષ્કુલાનંદ કહે એ નિપજ્યું, તે જગે

જાણે છે સહુ જન ।।૮।। કડવું ।।૧૩।।

વળી એક વચન વિરોધીની વાતજી, સતી પતિવ્રતા સીતા

સાક્ષાતજી । આપે ઇન્દિરા જગે જાનકી વિખ્યાતજી, તેણે પણ કરી

આજ્ઞાની ઘાતજી ।।૧।। ઢાળ - ઘાત થઇ તેની વાત કહું, જાનકી બોલિયાં

એમ । લક્ષમણ તમારા ભાઇની ભિડ્યે, જાઓ બેસી રહ્યા કો કેમ ?

।।૨।। ત્યારે રામાનુજ કહે રામને, નથી લોપનાર ત્રિલોકમાં । વચન

માની મગન રહો, શીદ રહો છો શોકમાં ।।૩।। ત્યારે વૈદેહીએ વચનનાં,

લછમનને લગાડ્યાં બાણ । તું જાણે રામ મરે વરે મુજને, તે ન વરૂં

તજીશ હું પ્રાણ ।।૪।। ત્યારે રામાનુજે હૃદે ધારીયું, ઇન્દિરા તોય પણ

સ્ત્રી ખરી । પછી રામની આણ્ય આપી ચાલીયા, કેડે લંકેશ વેષ આવ્યો

ધરી ।।૫।। સન્યાસી રૂપે કહ્યું સીતાને, આપ્ય ભિક્ષા મને આદર કરી ।

છુટી ભિક્ષા હું છોડીને ચાલીશ, નૈ’તો આપ્ય આણ્યથી બાર નિસરી

।।૬।। આજ્ઞા લોપી શ્રીરામની, ભિક્ષા આપવા નિસરી બા’ર । તર્ત રાવણ

તેડી ચાલીયો, પછી પામીયાં દુઃખ અપાર ।।૭।। વિપત્તિ પડી વિયોગ

થયો, રહ્યાં રામજીથી વળી દૂર । નિષ્કુલાનંદ કહે વચન લોપતાં, આવે

દુઃખ જાણજો જરૂર ।।૮।। કડવું ।।૧૪।।

પછી સીતા સારૂં શ્રીરઘુવીરજી, બાંધી પાજ ઉતર્યા સિંધુતીરજી

। લીધી લંકા છેદી રાવણનાં શિરજી, પછી સીતા તેડાવ્યાં મળવા અચિરજી

।।૧।। ઢાળ - સીતાને કહ્યું રામજીએ, જેમ હોય તેમ રાખી વેષ । આવી

મળો તમે અમને, ફેર પાળશો માં વળી લેશ ।।૨।। ત્યાં તો વિભીષણે

ભાવે કરી, સજાવ્યો સુંદર શણગાર । તેડી આવ્યા રામ પાસળે, ત્યાં તો

રામે કર્યો તિરસ્કાર ।।૩।। આજ્ઞા લોપીને આવીયાં, તેણે રાજી ન થયા

રામ । પછી અગ્નિમાં અંગ અરપ્યું, એવું કરવું પડ્યું કામ ।।૪।। ત્યારે

દશરથ આદિ દેવતા, સહુએ કર્યો સતકાર । ત્યારે રામજીએ રાખીયાં,

શુદ્ધ જાણી સીતા નાર ।।૫।। વચન લોપતાં વિપત્ય પડી, શણગારનું ન

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

રહ્યું સુખ । એમ આજ્ઞા ઉલ્લંઘીને, ન થાવું વચનથી વિમુખ ।।૬।। મોટાને

પણ માનવા, જોગ્ય આજ્ઞા શ્રી જગદીશની । છોટી મોટી જે આગન્યા,

તે સરવે છે વસાવિશની ।।૭।। આજ્ઞામાં આનંદ ઘણો, આવે નર નિર્જરને

અતિ । નિષ્કુલાનંદ કહે ન લોપવી, આજ્ઞા હરિની એક રતિ ।।૮।। કડવું

।।૧૫।।

વળી એક વારતા સાંભળો સારીજી, લીધી લંકાપુરી રાવણને

મારીજી । પછી કહ્યું રામે રામાનુજને વિચારીજી, વે’લા આવો

વિભીષણને પાટે બેસારીજી ।।૧।। ઢાળ - પાટે બેસારી વે’લા આવજો,

વિસારશોમાં એહ વચનને । વળી વારૂં છું તમને, બેસશો માં રાવણ

આસને ।।૨।। પછી જઇ જોઇ લંકા પુરી, દીઠી રાવણની રિધ્ધિ અતિ ।

ગમ વિના બેઠા ગાદિયે, તિયાં તર્ત ફરી ગઇ મતી ।।૩।। ત્યાં તો સુણ્યું

નગારૂં સેનનું, શ્રીરામનું શ્રવણે કરી । કહે કેનું નગારૂં એ કોણ છે, મારી

કાઢો એ સેના પરી ।।૪।। એમ વચન વિસારતાં, મતિ રતિ પણ નવ રઇ

। પછી આસનથી ઉતર્યા, ત્યારે ભારે અતિ ભોઠપ થઇ ।।૫।। વળી

અયોધ્યાની વાર્તા, રામે કહ્યું રામાનુજને । આવવા માં દેશો અમ પાસળે,

વળી પુછયા વિના મુજને ।।૬।। અણ પુછયે દીધી આગન્યા, દુર્વાસાને

દર્શન તણી । તે વચન લોપાણું જાણી રામજી, કહ્યું જ્યારે મુનિ સભા

બણી ।।૭।। ત્યારે ઋષિ કહે વચન દ્રોહીનું, મુખ ન જોવું પાછું ફરી ।

નિષ્કુલાનંદ પછી રામાનુજે, વાત સત્ય એ માની ખરી ।।૮।। કડવું ।।૧૬।।

પદરાગ ધોળ - સંતો વચનદ્રોહીનો ધણી નહિ, ઘણુંરે ગુનેગારરે

। સંતો જ્યાં જ્યાં જાયે ત્યાં જન મળી, વળી કરે તિરસ્કારરે. સંતો૦

।।૧।। સંતો લેશ વચન જો લોપિયે, અતિ થઇ ઉનમત્તરે । સંતો એક

એકડો જેમ ટાળતાં, ખોટું થઇ જાયે ખતરે. સંતો૦ ।।૨।। કોઇ સો કન્યા

પરણાવે સુતને, પછી મરે મોટીયારરે । રાંડ્યા વિના એમાં કોણ રહે,

રાંડે સૌ એક હારરે. સંતો૦ ।।૩।। એમ વચન વિના આ વિશ્વમાં, વરતે

છે જે વિમુખ રે । નિષ્કુલાનંદ તેને નિરખતાં, સંત ન માને સુખરે. સંતો૦

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

।।૪।। પદ ।।૪।।

વિમુખનું મુખ અતિ દુઃખદેણજી, નજરો નજર ન જુઓ એનાં

નેણજી । કાને કરી કેદી ન સુણો એનું કે’ણજી, વદને ન વદો વિમુખશું

વેણજી ।।૧।। ઢાળ - વદને ન વદવું વિમુખશું, તેમ સ્પર્શવું નહિ પંડ્યે

કરી । સર્વે પ્રકારે સમઝી, પાપીને મુકવો પરહરિ ।।૨।। કોઇ રીતે

કુપાત્રનો, ગુણ ગરી જાય જો ઘટમાં । તો પાર પોત પામતાં, તરી ભાંગ્યું

જાણો જઇ તટમાં ।।૩।। પય સાકર સુંદર ત્યાં લગી, જ્યાં લગી ન ભળી

લાળ ભોયંગની । તેમ હરિજન સારો ત્યાં લગી, જ્યાં લગી નથી સોબત

કુસંગની ।।૪।। શોભનિક શરીર ત્યાં લગી, જ્યાં લગી નથી કોઢ કપાળમાં

। તેમ સંત શિરોમણિ ત્યાં લગી, નથી ના’વ્યો વિમુખની જાળમાં ।।૫।।

વાવ્યો મોલ સારો ત્યાં લગી, જ્યાં લગી નથી ખવાણો ખડજમાં । તેમ

ભક્તની ભલાઇ ત્યાં લગી, જ્યાં લગી ના’વ્યો વિમુખની વડજમાં ।।૬।।

તેમ મુક્તની મોટપ ત્યાં લગી, જ્યાં લગી નથી પંચ વિષયનો પ્રસંગ ।

દેહ ઇંદ્રિય મન પ્રાણથી, અતિ રહે છે અસંગ ।।૭।। જેવા વિમુખ છે

બા’રના, તેવા વિમુખ છે ઉરમાંય । નિષ્કુલાનંદ કહે ન કરીયે, એનો

વિશ્વાસ કાંય ।।૮।। કડવું ।।૧૭।।

વિમુખનો સંગ તજો તતકાળજી, હૈયે જાણી હડકાયા શ્વાનની

લાળજી । વળગી અળગી કરતાં જંજાળજી, જાણજો જરૂર એમ જમ

જાળજી ।।૧।। ઢાળ - જમની જાળ જાણીને, તન મનમાં રાખવો ત્રાસ ।

ભૂલ્યે પણ હરિભક્તને, નવ બેસવું એહને પાસ ।।૨।। જેમ રાહુ સંગે

રાકેશ રવિનું, અતિ તમે થાય તેજ લીન । તેમ હરિવિમુખના સંગથી,

થાય મતિ અતિ મલિન ।।૩।। પ્રાવૃટ ઋતુઅંત પરખીયે, જ્યારે ઉગે

અગસ્ત્ય આકાશ । જળ સંકોચાયે સ્થળથી, તેમ વિમુખથી મતિ નાશ

।।૪।। જેમ વાયુના વેગે કરીને, વિખાઇ જાય વળી વાદળાં । તેમ વિમુખ

વચનના વેગથી, જાય શુભગુણ અદિ સઘળાં ।।૫।। વાંસ વિછણ્ય વિયા

જણ્યે, સુકે એક મુકે શરીરને । એમ કુસંગ અંગમાં આવતાં, મારે મોટા

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

મુનિ ધીરને ।।૬।। કહી કહીને કહીએ કેટલું, રે’જો હરિ વિમુખથી વેગળા

। પરમ પદ તો પામશો, વામશો વળી દુઃખ સઘળાં ।।૭।। નિર્વિઘ્ન થાવા

નરને, ન કરવો સંગ વિમુખનો । નિષ્કુલાનંદ નિશ્ચે કહે, એ છે ઉપાય

સુખનો ।। ૮ ।। કડવું ।।૧૮।।

શિયા સુખ સારૂં લોપે છે વચનજી, એમ મોટા વિચારે છે મનજી ।

જુઓ જડ બુધ્ધિવાળા જનજી, પોતાના સુખમાં પાડે છે વિઘનજી ।।૧।।

ઢાળ - વિઘન પાડે છે વણ સમઝે, કાપે છે ડાળ બેસવા તણી । તેને

પડ્યાનું શું પૂછવું, પડશે જરૂર એના ધણી ।।૨।। બહુ બુકી બીજ ધતુરાનાં,

જાણે ખાઇ ભાંગીશ ભૂખને । પણ ઘડીક પછી ઘાંટો ઝલાઇ, મરીશ

પામીશ બહુ દુઃખને ।।૩।। કાપે છે સર્પનો કંડિયો, માગ થાતાં મૂષો

મલકાય છે । જાણતો નથી આખુ આંધળો, જે હમણાં ખીજી નાગ ખાય

છે ।।૪।। ચાલે છે ચોરને મારગે, ખરાખરૂં માને છે ક્ષેમરે । પણ શિશ

કપાંણાં જ્યાં સોયસોયના, ત્યાં કુશળ રહીશ કેમરે ।।૫।। એમ વાઢી

વેલી વચનની, ફેર પાકેલ ફળ કેમ મળશે । ફળ એનું ફજેત થઇને,

વેઠ્યે વેકર્ય દળશે ।।૬।। કાંતો ખર ઉંટ અવતાર પામી, અણ તોળ્યો

ભાર ઉપાડશે । કસર કરશે ચાલતાં તો, ધણી એનો ધોકે તાડશે ।।૭।।

માટે જોઇ વિચારી જગદીશનાં, વિમુખ રે’જોમાં વચનથી । નિષ્કુલાનંદ

કહે નાથના, ઘરમાં અંધારૂં ઘોર નથી ।। ૮ ।। કડવું ।।૧૯।।

જો જો આ જગમાં જીવનાં સુખજી, દેહ પરજંત ભોગવે છે

દુઃખજી । અન્ન જળ તૃણ આહાર વિના વેઠે છે ભૂખજી, તે તો જન

જાણજો હતા હરિથી વિમુખજી ।।૧।। ઢાળ - હરિ વિમુખની વારતા,

સાંભળો તો સર્વે કઉં । નથી ઉધારો એહનો, નજરો નજર દેખાડી દઉં

।।૨।। જન્માંતરે જન જાણજો, હરિકથા ન સાંભળી કાન । તે તો નર

બધીર થયા, એહ દંડ દીધો ભગવાન ।।૩।। જન્માંતરે હરિ હરિજનનું,

રૂપ ન જોયું નયણે । તેણે કરી થયા આંધળાં, હવે સૂઝે નહિ દિન રેયણે

।।૪।। જીહ્વાયે નામ જગદીશનું, અજાણે પણ ઉચ્ચર્યા નઇ । તે જન માનો

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

મુંગા થયા, બોલવાની હવે બંધી થઇ ।।૫।। જે જને હરિકથા સાંભળી,

કાઢી દેશી કાલું કાલું કથી । તે જન થયા તોતળાં, હવે બોલી સમજાતી

નથી ।।૬।। લુલા પાંગળા રોગી વિયોગી, દુઃખી દીન દરિદ્રી અતિ । તે તો

પૂર્વના પાપથી, દુઃખ ભોગવે છે દુર્મતિ ।।૭।। એહ દંડ જાણો દૈવનો,

ભોગવે છે વિમુખ વળી । નિષ્કુલાનંદ ન લોપીયે, હરિવચન આવું

સાંભળી ।। ૮ ।। કડવું ।।૨૦।।

પદરાગ - સિંધુરામગ્રી - સમઝીને સમઝુરે, વા’લાં કરો હરિનાં

વચન । દેખી પેખીને દુઃખમાં, શીદ પરાણે પડિયે જન. સમઝી૦ ।।૧।।

જેને વચને વિઘન વિરમે, પામિયે પરમ આનંદ । એવાં વચન જે ઉલ્લંઘે,

તે તો કાં’વે મુરખ મતિમંદ. સમઝી૦ ।।૨।। અસમર્થની જે આગન્યા,

મનાયે ન મનાય મન । પણ સમર્થના વચનમાં, રહીયે રાજી થઇ

નિશદિન. સમઝી૦ ।।૩।। શ્રીહરિ રિઝવી સુખ લૈયે, ખિજવીને ન ખાય

ખોટ । નિષ્કુલાનંદ કહે ન કીજીયે, એવું લઇ અવરની ઓટ. સમઝી૦

।।૪।। પદ ।।૫।।

ખીજવી હરિને ખાટ્ય ન થાયજી, એ પણ જાણવું જન મન

માંયજી । જેથી થાય દુઃખ સુખ સર્વે જાયજી, એવો નવ કરવો કોઇ

ઉપાયજી ।।૧।। ઢાળ - ઉપાય એવો કરવો નહિ, જેણે કરી ખિજે જગદીશ

। રાજી કર્યાનું રહ્યું પરૂં, પણ હરિને ન કરાવો રીશ ।।૨।। હઠ કરી હરિ

ઉપરે, કોઇ સેવક કરે સેવકાઇ । તે સેવક નહિ શ્રીહરિતણો, એ છે દાસ

જાણો દુઃખદાઇ ।।૩।। મન ગમતું મુકે નહિ, કરે હરિ હઠાડવા હોડ ।

એવા ભક્ત જે ભગવાનના, તેને કહીયે કપાળના કોડ ।।૪।। ન કરે ગમતું

ગોવિંદનું, નિજ ગમતું કરાવે નાથને । જો મોડે ગમતું એના મનનું, તો

શોધે વિમુખના સાથને ।।૫।। હરકોઇ વાતે હટકી, ચટકીને ચાલી નિસરે

। હેત તોડી હરિ હરિજનશું, વિમુખશું વાલ્યપ કરે ।।૬।। એવા જાલમ

જનને, જાળવ્યા જોયે જગદીશને । રીઝે તો ન રહે રીતમાં, ખિજે તો કાપે

શીશને ।।૭।। વચન દ્રોહીથી લાગે વસમી, એવા સેવકની સેવકાઇ ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

નિષ્કુલાનંદ એવી ભગતી, ભક્તને ન કરવી ભાઇ ।।૮।। કડવું ।।૨૧।।

હઠ કરી હરિશું રાધિકા રાણીજી, શ્રીકૃષ્ણ સાથે બોલ્યાં રીશ

આણીજી । હતાં ગોલોકે પોતે પટરાણીજી, આવ્યાં અવનિપર થયાં

આહીર રાણીજી ।।૧।। ઢાળ - આહીરને ઘેર અવતર્યાં, રહ્યાં દીનબંધુથી

દૂર । એવી મોટપ મટો પરી, નથી જોઇતી જનરે જરૂર ।।૨।। એતો

ભક્ત હતાં ભગવાનનાં, રાધિકા તે રમા સમાન । એને અરથે આવિયા,

શ્રીકૃષ્ણ કૃપાનિધાન ।।૩।। પણ અતિ અવળાઇ આરંભી, શ્રીહરિથી લેવું

સુખ । એવું ભક્ત ન કરે ભગવાનના, કરે હોય હરિથી વિમુખ ।।૪।।

વળી એક સમામાં ઉમાએ, રોતા દીઠા રામજીને રાન । પિનાકી જઇ

પાયે પડયા, થયાં સતી અતિ સંશયવાન ।।૫।। તેને શિવે ઘણું સમઝાવિયાં,

પણ સમજ્યાં નહિ લવલેશ । પારખું લેવા પરબ્રહ્મનું, લિધો વૈદેહીનો

વેષ ।।૬।। ત્યારે રામ કહે દાક્ષાયણી!, એકલા કેમ છો ઇશ કિયાં । ત્યારે

પામી લજ્જા ગયાં પિનાકિ પાસળે, જેમ થયું તેમ કહેવા રહ્યાં ।।૭।।

ત્યારે જાનકી થયાં જાણી જટીએ, તર્ત ત્યાગી દીધાં તેહને । નિષ્કુલાનંદ

એવું નિપજ્યું, અવળાઇનું ફળ એહને ।।૮।। કડવું ।।૨૨।।

મનનું ગમતું મુકવું મોટાને પાસજી, વર્તવું વશ્ય થઇ દાસના

દાસજી । તો તન મને નાવે કેદિ ત્રાસજી, જો રહે એવો અખંડ અભ્યાસજી

।।૧।। ઢાળ - અભ્યાસ એવો રાખવો, મોટા આગળ મેલવું માન । જોઇ

લીયો સહુ જીવમાં, એમાં જાણો નથી કાંઇ જ્યાન ।।૨।। માન મૂકે માન

વધે, માન રાખ્યે ઘટી જાય માન । એમ સમઝી સંત શાણા, માન મૂકવા

છે અતિ તાન ।।૩।। દેહધારી દુઃખી માનથી, નિરમાની રે’ સુખી સદાઇ

। વિઘન રહે એથી વેગળાં, વળી કષ્ટ ન આવે કાંઇ ।।૪।। માને કરી મોટા

તણો, અપરાધ તે આવે બની । તે કથા સુણી શ્રવણે, તે ચિત્રકેતુ સુરેશ ને

શિવની ।।૫।। વચન દ્રોહી વિમુખથી, ખોટ્ય માનીની મોટી અતિ ।

અવગુણ લીયે હરિજન હરિનો, એવી માન ફેરવે છે મતી ।।૬।। માની

કેનું માને નહિ, મર હોય વાલપ્યનાં વેણ । આપ ડા’પણમાં દેખે નહિ,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

રહે અંધધંધ દિનરેણ ।।૭।। કામી ક્રોધી લોભીને લજ્જા, કેદિ આવી

જાયે ઉરમાંઇ । નિષ્કુલાનંદ માનીને મને, લાજ શરમ નહિ કાંઇ ।।૮।।

કડવું ।।૨૩।।

હરિના જનને જાણજો એહ ખોટ્યજી, ગુણ વિના ગણે છે મનમાં

મોટ્યજી । તેમાં તો રહ્યા છે કલેશ કોટ્યજી, દ્રગહીણા દીયે છે તે માંહી

દોટ્યજી ।।૧।। ઢાળ - દોટ્ય દીયે છે ખોટ્ય ટાળવા, પણ ખોટ્ય રજ

ખસતી નથી । ઇર્ષ્યા રહી તેને આવરી, તે અળગી ન થાયે ઉરથી ।।૨।।

ઇર્ષ્યા દેખે દોષ પરના, ભાળે નહિ પોતાની ભૂલ । અમાપને જાય માપવા,

વળી કરે અમૂલ્યનું મૂલ ।।૩।। ત્રાજું લઇ બેસે તોળવા, સહુનો કાઢવા

સમાર । બીજા થકી વળી બમણો, ભાળે પોતામાં ભાર ।।૪।। એવી

અભાગણી ઇર્ષ્યા, જેને ગુરૂ સંતની ગણતી નહિ । વિનાશ એવો નહિ

વિમુખ સંગથી, જેવો ઇર્ષ્યા કરે છે રહી ।।૫।। જે જળમાંહી મળ ટળે, તે

જળમાં મળ ભુંસે જઇ । તેને શુદ્ધ થાવા શરીરે કરી, ઉપાય એકે મળે

નઇ ।।૬।। જેવી વચન દ્રોહીની ખોટ વર્ણવી, તેવીજ માન માંહી રહી ।

તેમ ઇર્ષ્યામાંહી ઓછી નથી, છે પરિપૂર્ણ માનો સહી ।।૭।। હરિજનને

હાણ હમેશ, ઇર્ષ્યા કરે છે ઉરતણી । નિષ્કુલાનંદ કહે નિત્ય પ્રત્યે, ખાટ્ય

નથી છે ખોટ ઘણી ।।૮।। કડવું ।।૨૪।।

પદરાગ સિંધુ રામગ્રી - સંત સાચા તે કહીયેરે, કાઢે ખોટ્ય

ખોળી ખોળી બા’ર । અંતરમાં રહે ઉજળા, ડાગ લાગવા ના’પે લગાર.

સંત૦ ।।૧।। દેખે નહિ દોષ પારકા, ભાળે પોતાની ભૂલ । ગણે અવગુણ

આપણા, માને સંત હરિના અમૂલ. સંત૦ ।।૨।। સમઝે સુખદાયી સંતને,

દુઃખદાઇ પોતાનું મન । અરિ મિત્રને ઓળખી, તજે ભજે તે હરિજન.

સંત૦ ।।૩।। અંતરે ન પડે અવળી, આંટી હરિજન સાથ । નિષ્કુલાનંદ

નિશ્ચે કરી, રીઝે એવા જન પર નાથ. સંત૦ ।।૪।। પદ ।।૬।।

હરિ રાજી કરવા હોય હૈયે હામજી, તો સંત સંગે હેત રાખો

આઠું જામજી । સંત છે સર્વે સુખના ધામજી, તેહ વિના કેદિયે ન સરે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

કામજી ।।૧।। ઢાળ - કામ ન સરે સતસંગ વિના, ત્યારે તેને જ સોંપવા

પ્રાણ । મન કર્મ વચને કરી, થઇ રે’વા સંતના વેચાણ ।।૨।। આલોક

પરલોકમાં પડે, જાણો જરૂર જેનું કામ । તેને સંગાથે કેમ ત્રોડીયે, જાણી

સદાય સુખનું ધામ ।।૩।। વિવાદ કરી કેમ વદિએ, અતિ વચન અકળથી

। જેને ફળે ફુલે દળે દુઃખ ટળે, તે તરુ ન છેદીયે થડથી ।।૪।। જે બારણે

બંધ છુટીયે, તે તે બંધ ન કરીએ બારણું । જેને આધારે જીવિયે, તેને ન

કરીયે મારણું ।।૫।। જેમ કોઇ રાખે અન્ન પર રૂષણું, વળી વારિશું રાખે

વેર । તે જન એમ નથી જાણતો, જે હું જીવીશ તે કઇ પેર ।।૬।। એમ સંત

સાથે રાખી શત્રુતા, વળી કરે સુખની આશ । તે દિન થોડે દુઃખ પામશે,

કાં કરતો નથી તપાસ ।।૭।। મળવું છે મહારાજને, રાખી સંત સંગાથે

રોષ । નિષ્કુલાનંદ કહે એ નહિ બને, રખે દેતા કોઇને દોષ ।।૮।। કડવું

।।૨૫।।

સંતને સોંપિયે સર્વે આપણુંજી, એથી અંતરાય ન રાખીયે અણુંજી

। કરીયે ગમતું સાચા સંતતણુંજી, તો સંત અત્યંત રાજી થાય ઘણુંજી

।।૧।। ઢાળ - ઘણું રાજી કરી સંતને, કૈક પામીયા પરમધામ । સંત વિના

શોધી જુવો સઘળે, કહો કેનું સરીયું કામ ।।૨।। જેમ નાવ વિના

નીરનિધિમાં, નથી તરવા અન્ય ઉપાય । તેમ સંત વિના સંસાર તરવા,

શીદ ઇચ્છે કોઇ ઉરમાં ।।૩।। જેમ રવિ વિનાની રજની, જાણો નથી

જાવાની જરૂર । તેમ સંત વિના અજ્ઞાન અંધારૂં, કેદી ન થાય દૂર ।।૪।।

જેમ વરસાદ વિના વસુંધરા, સદાય સૂકી રહે । તેમ સંત વિના જીવ

જગતના, કહો સુખ ક્યાંથી લહે ।।૫।। તેવા સંત શું ત્રોડીયે, જોડીયે

પાપીશું પ્રીત । તેને સુખ થાવાનું નથી સુજતું, ચિંતવી જોયે છૈયે ચિત્ત

।।૬।। ફોડી આંખ થાય આંધળો, પછી ઇચ્છે જોવા રૂપને । રૂપ જોયાનું

રહ્યું પરું, જો ભરે નહિ ઉંડા કૂપને ।।૭।। માટે સાચા સંત સેવીને, કરીયે

રાજી રળિયાત । નિષ્કુલાનંદ તો નરને, સુધરી જાય સર્વે વાત ।।૮।।

કડવું ।।૨૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

સાચા સંત જાણો જગમાં થોડાજી, બીજા બહુ ઘરોઘર ફરે માથા

ફોડાજી । જ્યાં ત્યાં ખાય છે જગતના જોડાજી, તોય નથી લાજતા પ્રજાપતિ

ઘર ઘોડાજી ।।૧।। ઢાળ- ઘોડા પ્રજાપત ઘરના, ખાયે ખતા ખણું ખણું એ

ઘણા । એવા સાધુ કે’વાય સંસારમાં, અતિ લબાડ લજામણા ।।૨।। ખાન

પાન ને રહે ખોળતા, ત્રિયા ધનને તાકે ઘણું । માળા તિલક ને મુદ્રા

એની, ધારે છે ધીરવવા પણું ।।૩।। વેષ ઉપદેશ વારતા, કરે સાચા સંતના

સરખી । પણ ભરી ભૂંડાઇ ભિંતરે, તે તો કોણે પણ નવ્ય પરખી ।।૪।।

ફેલમાં બહુ ફશી રહ્યા, વ્યસની ને વળી વટાળ ઘણો । તીર્થ વ્રત નિયમ

ન માને, કરે દ્રોહ તે ધર્મ તણો ।।૫।। એવા સાધુ થઇ સંસારમાં, પૂજાય

છે પાપી મળી । પ્રભુની બાંધી મરજાદને, ત્રોડવા છે તૈયાર વળી ।।૬।।

એવા સાધુને સેવતાં, પૂણ્ય પૂર્વનાં પરજળે । આપે ખોટ મોટી અતિ, જે

જનને એવા મળે ।।૭।। ગદ્ધા ધોળા ઘોળ્યા પરા, સારા લાગે શ્યામળી

ગાય । નિષ્કુલાનંદ કહે ગાય પૂજીએ, પણ ખર ખરા ન પૂજાય ।।૮।।

કડવું ।।૨૭।।

સાચા શુદ્ધ સંતનો સમાગમ ક્યાંથીજી, થોડે પુન્યે કરી એ થાતો

નથીજી । જેણે કરી છુટીયે મહા દુઃખમાંથીજી, જરૂર જીવના સાચા એ

સંગાથીજી ।।૧।। ઢાળ- સાચા સંગાથી સંત છે, જાણો જીવના જગમાંય ।

ભવસાગરમાં ડુબતાં, સાચા સંત કરે છે સા’ય ।।૨।। વા’રૂ છે વસમી

વેળાતણા, જ્યારે આવે પળ વળી આકરી । તે સમે સાચા સંત સગા, કાં

તો સગા છે શ્રીહરિ ।।૩।। તેહ વિના ત્રિલોેકમાં, નથી જીવને ઠરવા ઠામ

। આદ્યે અંત્યે મધ્યે માનજો, સર્યાં સહુનાં એથી કામ ।।૪।। તે સંત શાણા

શુભગુણે, જેમાં અશુભ ગુણ નહિ એક । પર ઉપકારી સગા સહુના,

ધર્મ નિયમ વાળા વિશેક ।।૫।। કામ ક્રોધ લોભે કરી, જેને અંતરે નથી

ઉત્તાપ । નિર્માની નિઃસ્પૃહી નિઃસ્વાદી, નિર્મોહી વળી નિષ્પાપ ।।૬।।

જક્ત દોષ જેના જીવમાં, વળી અડ્યો નથી અણુભાર । એવા સંત શુદ્ધ

શિરોમણિ, ત્રિલોકના તારનાર ।।૭।। વચન ન લોપે વાલાતણું, હોય

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

પંડ્યમાં જ્યાં લગી પ્રાણ । નિષ્કુલાનંદ એવા સંતના, શ્રીહરિ કરે છે

વખાણ ।।૮।। કડવું ।।૨૮।।

પદરાગ ધોળ- સંત સાચા તે સંસારમાં, રહે હરિવચને હમેશરે ।

આપત્કાળ જો આવે આકરો, તોયે વચન લોપે નહિ લેશરે. સંત૦ ।।૧।।

અખંડ પાળે જો હરિ આગન્યા, ઇચ્છે નહિ આલોકનાં સુખરે । દેહ

અભિમાનને દૂર કરી, સદા રહે હરિ સન મુખરે. સંત૦ ।।૨।। મરજી ન

લોપે મહારાજની, આવે અંગે દુઃખ જો અતોલરે । સાબિત કીધી છે સાટે

શિશને, ખરી કરી મનમાંય ખોળરે. સંત૦ ।।૩।। એવું એક અંગ રંગ

ઉતરે નહિ, એક રે’ણિકે’ણી ટેક એક ઉરરે । નિષ્કુલાનંદ કહે એવા

સંતને, દરશને થાય દુઃખ દૂરરે. સંત૦ ।।૪।। પદ ।।૭।।

એવા સાચા સંતનો સમાગમ સારોજી, જેથી આવે જાણજો દુઃખનો

આરોજી । પ્રભુ પામવાનો ન રહે ઉધારોજી, બીજાનો સંગ છે બહુ

નઠારોજી ।।૧।। ઢાળ- નઠારો સંગ નરસા તણો, કહું છું કોઇ કરશો નહિ

। નાગ વાઘ વિષ વહનિ, એ વિમુખથી સારા સહિ ।।૨।। ગાળે હિમાળે

બાળે વિજળી, વળી કૂવે પડે નર કોય । શિશ કાપે આપે સુળિયે, તોય

વિમુખ દુઃખ સમ નોય ।।૩।। એથી મરવું એકવાર પડે, પછી પામીએ

એહનો પાર । પણ જન્મ મરણ જીવને, વિમુખથી વારમવાર ।।૪।। ઢેઢ

ઢેમર ઢોલવી, મ્લેછ પારાધિ ગઉમાર । એના સ્પર્શના પાપથી, વિમુખનું

પાપ અપાર ।।૫।। પાપી વિમુખના સ્પર્શનું, ક્યાં જઇ ધોએ કિલબિષ ।

ટાળી ન ટળે કોઇની, જેમ ગળી મળીની મષ ।।૬।। પૂરણ પાપે સ્પર્શ

એનો, પામે કોઇ પ્રાણી મળી । અનંત જન્મનું સુકૃત સર્વે, વિમુખ સ્પર્શે

જાયે બળી ।।૭।। એમ સર્વે પ્રકારે સમઝીને, તજવો તે સંગ વિમુખનો ।

નિષ્કુલાનંદ કહે તો પામશો સારો દિવસ સુખનો ।।૮।। કડવું ।।૨૯।।

વચનદ્રોહીનો વિશ્વાસ કરતાંજી, પાર ન આવે ચોરાશી ફરતાંજી ।

મહાદુઃખ પામિયે જનમતાં મરતાંજી, માટે દિલમાં રહીયે એથી સદાય

ડરતાંજી ।।૧।। ઢાળ- ડરતા રહિયે અતિ દુષ્ટથી, દ્રગે દેખી લઇએ દગાદાર

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

। સમો આવે તો શત્રુપણું, વાવરતાં ન કરે વાર ।।૨।। જેમ ચીત્ર ચાપ

આપે નમે, પણ લીયે બીજાના પ્રાણ । તેમ વિમુખ મુખ મીઠું વદે, પણ

ફેરવે ચારે ખાણ ।।૩।। જેમ ભરી બંદુક બરીયાનમાં, કપિ કળી વળી

મુકે કાનમાં । અડાડિને રહે અળગો, પણ સામાને રોળે રાનમાં ।।૪।।

સમઝી સુંવાળા સર્પને, કોઇ સુવે વળી લઇ સોડ્યમાં । માનજો મને તેને

મારશે, અવશ્ય કરડી ઓડ્યમાં ।।૫।। વિકટ અટવિ વાટમાં, વેરી લિયે

વળાવડે । તેને કહો કુશળ રે’વાની, પ્રતીતિ તે કેમ પડે ।।૬।। તેમ વચન

દ્રોહીનો વિશ્વાસ કરે, રાખે હરિ વિમુખશું હેત । તેને સુખ થાવા શીદ

પુછવું, જે વશ્યો દુઃખને નિકેત ।।૭।। માટે સર્વે પ્રકારે સમઝી, વર્જો સંગ

વચનદ્રોહીનો । નિષ્કુલાનંદ કહે નિર્ભય થાવા, રાખો સંગ સંત નિર્મોહીનો

।।૮।। કડવું ।।૩૦।।

હરિ વિમુખ થાશે હેરાણજી, મરશે ફરશે ભરશે ચારે ખાણજી ।

થાશે પરવશ પરનો વેચાણજી, ત્યારે પડશે એ પાપની પેચાણજી ।।૧।।

ઢાળ- પેચાણ પડશે પાપની, જ્યારે જડશે જોડા મુંડમાં । ત્યારે આંખ્ય

ઉઘડશે, પડશે માર જ્યારે પંડમાં ।।૨।। જાણી જોઇ જગદીશનાં, વિમુખ

લોપે છે વચનને । મર માણે આજ મોજને, પણ પડશે ખબર તજે તનને

।।૩।। ટીપ થાશે ત્રણે કાળમાં, અન્ન વસન વિના રે’શે વનમાં । રાત

દિવસ રડવડશે, ત્યારે વિચારશે મનમાં ।।૪।। શિશ ડોલાવી શોક કરશે,

કે’શે ક્યાંથી વચનદ્રોહી થયો । સંત ઘણું સમજાવતા, પણ હું તો દેહ

માની રહ્યો ।।૫।। કિયાં જાઉં હવે કેમ કરૂં, સરૂં દુઃખનું નથી આવતું ।

મોટાની મરજાદા મુકી, કર્યું મેં મન ભાવતું ।।૬।। એમ પસ્તાશે પાપીયો,

લેશે ફળ વચન લોપ્યા તણું । દુઃખના દરિયા ઉલટશે, સુખ નહિ રહે

એક અણું ।।૭।। એમ કે’છે આગમમાં, સંત વળી મોટા મુનિ । નિષ્કુલાનંદ

કે’ હરિદ્રોહી સમ, ખોળતાં વળી ન મળે ખુની ।।૮।। કડવું ।।૩૧।।

વચનદ્રોહીની વાત સાંભળીજી, વચનમાં રે’જો સહુ જન મળીજી

। નહિતો વાત બગડશે સઘળીજી, કે’શો કેમ કહ્યું નહિ વેલું તે વળીજી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

।।૧।। ઢાળ- વળી વળી વાત વર્ણવી, વિમુખની વારમવાર । તે સરવે

સાચી માનજો, જુઠી જાણશોમાં જવભાર ।।૨।। માની ઇર્ષ્યાવાનની, સંત

અસંતની વાત વર્ણવી । તે પ્રસિધ્ધ છે પુરાણમાં, નથી કહી કાંઇ એ નવી

।।૩।। જે જે ગયા જમપુરીયે, તે તે વિમુખને વચને કરી । માટે સમઝુ

સમઝી, મેલો પાપીને પરહરી ।।૪।। ભોળા મનુષ્યને ભોળવી, વળી

ફાંશિ નાખશે કોટમાં । જીવ બિચારા જીવિતવ્ય હારી, ખ્વાર થાય છે

ખરી ખોટમાં ।।૫।। એટલા માટે ઓળખાવિયું, વિમુખનું વિઘન વળી ।

સહુ જન એ સાવચેત રે’જો, શિખની વાત આવી સાંભળી ।।૬।। જેમ છે

તેમ જણાવીયું, સર્વે વાતનું સ્વરૂપ । હિતકારી છે હરિજનને, છે વિમુખને

વિષરૂપ ।।૭।। કોઇ પૂરણ સુખને પામવા, ઇચ્છા કરો કોઇ ઉર ।

નિષ્કુલાનંદ તે જનને, જોઇએ જાણવું આટલું જરૂર ।।૮।। કડવું ।।૩૨।।

પદરાગ ધોળ- જ્યાન છે જરૂર જાણજો, વસતાં તે વિમુખની પાસરે

। આળ આવી ચડે અણચિંતવી, થઇ જાય ધર્મનો નાશરે. જ્યાન૦ ।।૧।।

વિમુખ આપે છે પાંતિ પાપમાં, ભોળવીને કરે ભાગદારરે । અણ કર્યું

પડે આવી ઉપરે, ચાલતાં મારગે ચોર હારરે. જ્યાન૦ ।।૨।। ન હોય

ઘાટ એવો ઘટમાં, થાવા વળી વચનથી બા’રરે । વિમુખની વાત ઉર

ઉતરે, તો થાય પાપમાંહી પ્યારરે. જ્યાન૦ ।।૩।। પછી અટક ન રહે

આજ્ઞાતણી, રાખે જ્યાં ત્યાં ન રે’વાયરે । નિષ્કુલાનંદ કહે તે નર નિશ્ચે,

માનો ખરો મનમુખી થાયરે. જ્યાન૦ ।।૪।। પદ ।।૮।।

મનમુખી દુઃખી ભેળા થાય જ્યારેજી, પરસ્પર નર કરે વાત

ત્યારેજી । હું તો નિસર્યો વચનથી બા’રેજી, સર્વે અંગે સુખ પામ્યો તે

વારેજી ।।૧।। ઢાળ- સુખ પામ્યો સાંકડય ટળી, નિસર્યો બંધનથી બારણે

। કૈક ઉપાય કર્યા’તા કહું છું, મુજને રાખવા કારણે ।।૨।। ડાહ્યા સાધુએ

આપ ડા’પણે, વળી રાખ્યો’ તો મને રોકીને । પણ કેણ ન માન્યું મેં

કોઇનું, આવ્યો હું મંડળી મૂકીને ।।૩।। માહાત્મ્ય મહિમા મોટપ દેખાડી,

જકડી બાંધ્યો તો મારા જીવને । નિસર્યાનું નો’તું બારણું, કોણ જાણે કર્યું

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

કેમ દૈવને ।।૪।। ઠામોઠામ મારા ઠાઉકા, ઓડા બાંધ્યા’તા અતિ ઘણા ।

પાસલામાં મને પાડવા, રાખી નો’તી કોઇ મણા ।।૫।। પણ સમો જોઇ હું

સબક્યો, પાછો ખોળતાં ખોજ નવ જડ્યો । ઝાઝી જતન રાખતાં પણ,

એના પેચમાં હું નવ પડ્યો ।।૬।। અર્ધી રાતે હું ઉઠિયો, લખ્યાં હતાં તે

પુસ્તક લઇને । સુતાં મુકી હું સહુને વળી, આવ્યો છું દાંતુમાં દઇને ।।૭।।

એમ વિમુખ જન કરે બડાઇ, વિમુખ જનને આગળ્યે । નિષ્કુલાનંદ કહે

નિશ્ચે જેને, જાવું છે જમની ભાગળ્યે ।।૮।। કડવું ।।૩૩।।

વળી વદે વિમુખ મનફરજી, ઘણે દુઃખે ભર્યું મુક્યું’તું ઘરજી ।

અંગને ન મળતું અન્ન ને અંબરજી, જાણ્યું સત્સંગમાં એ છે સભરજી

।।૧।। ઢાળ- સભર છે સત્સંગમાં, ખાવા પીવા ખૂબ ખાસુ મળે । જુનું

અન્ન વસન જડે નહિ, એવું સાંભળ્યું તું સઘળે ।।૨।। ગળી રસોયો

ગામોગામમાં, ઘણી આપશે ઘેર ઘેર । જનમ ધરી જે જડી નથી, તે

પામશું બહુ પેર ।।૩।। એવું સુણી હું આવ્યો હતો, સુણી સુખ સત્સંગમાંઇ

। ઇયાંતો આણ્યો આંકસમાં, મન ગમતું ન થાય કાંઇ ।।૪।। પોષ ભરી

પાણી નાખવું, અમૃત સરિખા અન્નમાં । ભેળું કરેલ ભાવે નહિ, અતિ

મુંઝવણ થાય મનમાં ।।૫।। વળી માહાત્મ્ય દેખાડી મંદિરનું । ઉપડાવે

ઇંટ પથ્થરા ઘણું । ત્યારે સંસાર મુકીને શું કમાણા, જ્યારે રહ્યું એનું એ

કુટણું ।।૬।। જાણ્યું ખાશું પીશું ખુબી કરશું, ફરશું નિત્ય નવા ગામમાં ।

ત્યાં તો અટાંટ નાખી આજ્ઞાતણો, કંઠ દબાવી જોડ્યો કામમાં ।।૭।।

એમ બોલે અભાગીયા, હરિસેવામાં શ્રધ્ધા ખોઇ । નિષ્કુલાનંદ એવા

નરનું, મુખ રખે જોતા કોઇ ।।૮।। કડવું ।।૩૪।।

વળી વિમુખ કહે હું દેખી દુઃખ ભાગોજી, સહુ મને કે’ આજ્ઞામાં

અનુરાગોજી । તન મન મમતા સર્વે ત્યાગોજી, એવો ઉપદેશ મને લેશ

ન લાગોજી ।।૧।। ઢાળ- લાગ્યો નહિ લવલેશ એનો, ઉપદેશ તે મારે

અંગે । ભોળો નહિ જે હું ભરમું, સમજી ન રહ્યો એને સંગે ।।૨।। પછી

ગોતી કાઢ્યો મેં ગાફલ ગુરુ, જેને અતિ ખપ ચેલા કેરડો । જાણે અણ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

ચેલે રહે એકલો, જેવો ઉજડ ગામનો એરડો ।।૩।। એવો ઓશિયાળો

મેંત મળ્યો, તે તો કઠણ કેમ કહિ શકે । દા’ડી રહીયે ડરાવતા, વળી

ટોકિયે તકે તકે ।।૪।। સ્વપન શ્રાવણ માસમાં વળી, એકાદશીના જે

ઉપવાસ । થાયે ન થાયે થડકો નહિ, તેનો તલભાર ન રહ્યો ત્રાસ ।।૫।।

સર્વે નિયમ સત્સંગના, પળે ન પળે પુરા વળી । કે’નાર તેનો કોણ છે,

કળી લીધી છે વાતો સઘળી ।।૬।। બા’રે બણી ઠણી બેસીયે, સાધુ સુંદર

સારા સરખા । અંતરની અસાધુતાની, કહો કોણ કરે છે પરખા ।।૭।।

એવા કપચી કુટિલનો, સંગ તે સારો નહિ । નિષ્કુલાનંદ નકી વારતા,

કે’વાની હતી તે કહી ।।૮।। કડવું ।।૩૫।।

વચન વાલાનું લોપીને લબાડજી, પાપે વરતે છે જે પાપના પા’ડજી

। ભાંગી ભુંસાડી વચનની વાડ્યજી, પછી જિયાં તિયાં થાય હાડ્ય

હાડ્યજી ।।૧।। ઢાળ- હાડ્ય હાડ્ય થાય છે હરિવિમુખ, વર્તતા વચનથી

બારણે । જિયાં તિયાં જડે છે જુતિયાં, એવું કરે છે શિયા કારણે ।।૨।।

આલોકે પરલોકે આબરૂં, જેની જડે નહિ જરા જેટલી । ભવમાં જ ભૂંડાઇ

રહી છે, પાપી પામે છે તેટલી ।।૩।। ખાય છે ફટકાર ખડકની, મલકનો

લીયે છે મેલ જો । એમાં ખોળી કાઢી શી ખાટ્યને, વળી શું સમઝાણું

સે’લજો ।।૪।। પ્યાજ પેજારૂં ખાઇને પઇસા, અંતે જેહ આપવા પડે । તે

મો’રેથી ન જાણે જે માનવી, તે પાછળ ઘણું ઘોડા ઘડે ।।૫।। દંડ ભોગવી

ડા’પણ કરે, તેને ડાહ્યો કેદિયે ન દેખવો । પૂઠ્ય પખાળી પુરીષ તજે, તેને

મોટો મુરખ લેખવો ।।૬।।લુંટાવી સર્વે લુંગડાં, પછી નાગો થઇ ભાગ્યો

ઘણો । એવું કર્યું એ અભાગીયે, હવે ડાહ્યો કે ભેળો ગણો ।।૭।। સમો ન

શક્યો સાચવી, આવી તકમાં અવળું પડ્યું । નિષ્કુલાનંદ એ નરને, કોઇ

પાપ પૂર્વનું આવી નડ્યું ।।૮।। કડવું ।।૩૬।।

પદરાગ આસાવરી- પાપ પૂર્વનાં પ્રગટે પ્રાણીને, ત્યારે સૂઝે તે

અવળો ઉપાયરે । કરવાનું જે હોય તે ન કરે, ન કર્યાનું કામ કરાયરે.

પાપ૦ ।।૧।। સુખમાંહી તે સુખ ન સુઝે, દુઃખમાંહી દુઃખ ન દેખાયરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

ખોટાને પણ ખરૂં કરી માને, સાચામાં સાચું ન લેખાયરે. પાપ૦ ।।૨।।

એ જે વચનથી વિપત્તિ વિરમે, તે વચન વિષ સમ લાગેરે । જેહ વચનથી

જાય જમપુરમાં, તેહ વચનને અનુરાગેરે. પાપ૦ ।।૩।। એમ કુબુદ્ધિને

ઉંધું સુઝે અતિ, વળી મોટા રાખે ત્યાં ન રે’વાયરે । નિષ્કુલાનંદ એ નરનું

ઠેકાણું, આલોકે પરલોકે ન કે’વાયરે. પાપ૦ ।।૪।। પદ ।।૯।।

હરિ આજ્ઞાયે વિબુધ વસ્યા વ્યોમજી, હરિ આજ્ઞાયે રહ્યા શૂન્યે

રવિ સોમજી । હરિઆજ્ઞાયે રહ્યા ભૂચર ભોમજી, તે લોપે નહિ આજ્ઞા

થઇ બફોમજી ।।૧।। ઢાળ- બફોમ થઇ બદલે નહિ, રહે સહુ

સહુનાસ્થાનમાં । અતિ પ્રસન્ન થઇ મનમાં, રહ્યા રાખ્યા ત્યાં ગુલતાનમાં

।।૨।। બ્રહ્મા રાખ્યા સત્યલોકમાં, શિવને રાખ્યા કૈલાસ । વિષ્ણુને રાખ્યા

વૈકુંઠમાં, એમ આપ્યો જુજવો નિવાસ ।।૩।। ઇંદ્ર રાખ્યો અમરાવતી,

શેષજીને રાખ્યા પાતાળ । જ્યાં જ્યાં કરી હરિ આગન્યા, ત્યાં રહ્યા સુખે

સદાકાળ ।।૪।। બદ્રીતળે રાખ્યા ઋષિશ્વર, નિરન્નમુક્ત રાખ્યા શ્વેતદ્વીપમાં

। ગોપી ગોપ રાખ્યા ગોલોકે, રાખ્યા મુક્ત અક્ષર સમીપમાં ।।૫।। એમ

જેને રાખ્યા ઘટે, તેમ રાખ્યા કરી તપાસ । જેવો જોયે અધિકાર જેને,

તેવો આપ્યો છે અવિનાશ ।।૬।। એતો રહ્યા છે સહુ રાજી થઇ, પોત

પોતાને સ્થાન । લેશ વચન નથી લોપતા, જાણી સમર્થ શ્રીભગવાન ।।૭।।

એમ સમઝી આપણે, રહીએ આપ આપને સ્થાનકે । નિષ્કુલાનંદ કહે

નહિ તો, આવે દુઃખ અચાનકે ।।૮।। કડવું ।।૩૭।।

બહુ દુઃખ પામે સ્થાન ભ્રષ્ટજી, જિયાં જિયાં જાય ત્યાં પામે કષ્ટજી

। સ્થાન ખોઇ થાય છે ખરા નર ખષ્ટજી, એહ વાત પુરાણે સૂચવી

સુસ્પષ્ટજી ।।૧।। ઢાળ- સુસ્પષ્ટ શાસ્ત્રે સૂચવી, ખરી સ્થાનભ્રષ્ટની જે

ખોટ । ઇંદ્ર ઇંદ્રાસને નવ રહ્યો, ત્યારે ગયો કમળ વનની ઓટ ।।૨।। ભવ

બ્રહ્માનું ભાખતાં, લાગે લોકમાંય લજામણું । સ્થાન ભ્રષ્ટ ભોમ વ્યોમમાં,

થાય હેરાણ ઘણું ઘણું ।।૩।। નહુષ નરેશ નિજ રાજ્ય તજી, ઇચ્છયો

બેસવા ઇંદ્રને આસને । ઇંદ્રાસનનું સુખ આવ્યું નહિ, આવ્યું દુઃખ ભોગવી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

કાશને ।।૪।। ત્રિશંકુ તજી રાજ્ય ભૂમિનું, ઇચ્છયો અમરપુરનાં જો સુખ

। સુખ ન જડ્યું દુઃખ પડ્યું, વળી લટક્યો ઉંઘે મુખ ।।૫।। સ્થાનભ્રષ્ટનો

સર્વ ઠેકાણે, અતિ અનાદર થાય છે । દંત ને નખ કેશ નરા, ખરા નકારા

કે’વાય છે ।।૬।। એમ સમઝુ સમઝીને, રે’વું સહુ સહુના સ્થાનમાં ।

સ્થાન તજીને જે જીવવું, તે જીવિત ગયું છે જ્યાનમાં ।।૭।। જેમ પોતાનો

પિયુ પરહરી, કોઇ નારી થાય વ્યભિચારણી । નિષ્કુલાનંદ એ નાર નરસી,

પુરૂષનું પેટ બાળણી ।।૮।। કડવું ।।૩૮।।

કોઇ કે’શે એમ કેમ રૈ’યે જિયાં દુઃખજી, બીજે જો જાય તો પામીયે

સુખજી । એમ કહે છે નર હરિના વિમુખજી, તેની કહું કીયાં ભાંગશે

ભુખજી ।।૧।। ભૂખ ભાંગવા ભમે ઘણું, જાણે કિયાંક જઇ થાઉં સુખીયો

। પણ દુઃખ ચાલે દશ ડગ આગળે, તે જિયાં જાય ત્યાં દુઃખિયો ।।૨।।

ભાગ્ય એનાં ભેળાં રહે, સુખ દુઃખનાં દેનાર । તેને નથી તપાસતો, વિમુખ

વણ વિચાર ।।૩।। જેમ ચાલે કોઇક કમાણિયે, હોયે ફેલી વ્યસની વિશેષ

। તે કેદિ નહિ ભરે કોથળી, મર ફરે દેશ વિદેશ ।।૪।। જેમ ચોર ચાલ્યોે

વળી ચોરીયે, જાણે આવીશ ખરી કરી ખોટ । પણ જાણતો નથી જાશે

જીવડો, જે સૂળી લખીછે લલાટ ।।૫।। એમ નર અભાગિયો, ભાંગે છે

વચનની જો વાડ્ય । પર સુખ પોતાનાં કરવા, ધાય જેમ ગાય હરાડ્ય

।।૬।। એમ વિમુખ નર વિકળ થઇ, ભટકે છે ભવમાંહિ અતિ । મન કરે

છે સુખ મળવા, પણ મળતું નથી સુખ રતિ ।।૭।। એમ સ્થાનક ભ્રષ્ટ જે

થયા, તે તો ગયા મૂળગા મૂળથી । નિષ્કુલાનંદ નિશ્ચે જાણજો, જેમ ફળ

સુકાણું ફુલથી ।।૮।। કડવું ।।૩૯।।

હરિ આજ્ઞામાં રહ્યા જે આપજી, જાણી પ્રભુનો મોટો પ્રતાપજી ।

તેને તો મનાણું પાપીયે પાપજી, તારે સુખ થાવા શો રહ્યો જબાપજી

।।૧।। ઢાળ- જબાપ જેનો જડતો નથી, જે વર્તે છે વચનથી બા’ર । દેવ

અદેવ દોયમાં વળી, એને ગણિયે કેની હાર ।।૨।। દૈવી આસુરી જીવ

જગમાં, તે તો જાણે છે સહુ જન । દૈવી વરતે વચનમાં, આસુરી ન માને

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

વચન ।।૩।। બીજા તો બીતા બહુ રહે, લોપે નહિ વચન લગાર । જીયાં

જેને રાખિયા, તિયાં રહ્યા કરી નિરધાર ।।૪।। હેડયબેડી કોટડીયે, નથી

અવરાણા ઓરડીયે । બાંધ્યા નથી બીજે બાંધણે, બંધાણા છે વચન

દોરડીયે ।।૫।। તેને દેખવા દુઃખીયા, લેખવા સુખીયા વિમુખને । એવા

સમઝુ સહુ મરજોે, પામી પૂરણ દુઃખને ।।૬।। સાકરટેટીથી સારાં લાગે,

અતિ રૂડાં ઇંદ્રામણાં । ખાવા બેસશે ખાંત્ય કરી, ત્યારે લાગશે વિષથી

ભૂંડાં ઘણાં ।।૭।। આખુ જેમ અગ્નિ બળતી, લઇ જાય નિજ ઘેર વાટ્ય ।

નિષ્કુલાનંદ એવું નર કરે છે, માને છે તેમાં ખાટ્ય ।।૮।। કડવું ।।૪૦।।

પદરાગ આસાવરી- ખોટમાં દોટ દેવી નહિ દેખી, કરી લૈયે

ખરાખરી ખાપ્યા રે, શીદ ખાયે ખોળી ખડ ધાન્યને ખડ ધાન્યને, જ્યારે

પામ્યા રાજ્યને પાટયરે. ખોટ૦ ।।૧।। શણગાર સોનાના સજી શરીરે,

ભુંશિયે નહિ મુખે ભુંડી મશરે । મુખ દેખે લેખે તે લજામણું, એમ શીદ

ખોયે જાણી જશરે. ખોટ૦ ।।૨।। કરિથી ઉતરી ખરીપર ચડી, મોટી વાત

મુખે ન કે’વાયરે । કાઢી કટિપટ કોઇ કરે પતાકા, તેના શરીરની શોભા

જાયરે. ખોટ૦ ।।૩।।એમ પોતાનો પતિ પરહરિ પરો, કોઇ નારી કરે

વ્યભિચારરે । નિષ્કુલાનંદ કે’ જાય જશ તેનો, વળી કોય ન કરે પતિયારરે.

ખોટ૦ ।।૧૦।।

જેમ એક પુરૂષને પુત્ર બે ચારજી, તેને પરણાવી જુજવી નારજી ।

તે સહુ બાંધી બેઠા ઘરબારજી, તેમાં એક વનિતાયે કર્યો વ્યભિચારજી

।।૧।। ઢાળ- વ્યભિચાર કરી વણશી ગઇ, માંડ્યું જેઠનું જઇ ઘર । તેને

શ્યાણી ગઇ સમઝાવવા, ત્યાં તો બોલી સામું બળભર ।।૨।। કહે શું

સમજી શિખામણ દેવા, તું આવી અતિ ડાહી થઇ । ખબર વિના ખોટ

ખોળે છે, એવી અકલ કેમ ઉઠી ગઇ ।।૩।। સાસુ સસરો ગોર ગોત્રજ,

કુળદેવ બીજાં નથી કરીયાં । નણંદ નાતિ જાતિ જાણો, એતો એમજ છે

નથી ફરીયાં ।।૪।। ફેરવણીમાં ફેરવણી એટલી, પાટલો ફર્યો એક

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

પતિતણો । એને ઉપર આગ્રહ આવો, કહો કેમ કરો છો ઘણો ।।૫।।

ઇર્ષ્યાએ કરી આળ ચડાવી, વણ વાંકે નાખો છો વાંકને । ફજેતી કરવા

સૌ ફર્યા છો, નાખી કલંક કાપવા નાકને ।।૬।। મને કહું એમ કહો બીજાને,

તો તરત મળે તેનું ફળ । અમ જેવા તો અનેક છે, તેની નથી તમને કાંઇ

કળ ।।૭।। એમ અભાગણી ઉચ્ચરે, શુદ્ધ અતિ સાચી થઇ । નિષ્કુલાનંદ

કહે એવા નિર્લજને, લાજ ને શરમ શી રઇ ।।૮।। કડવું ।।૪૧।।

એમ બે મર્યાદી થઇ બગડેલીજી, ભક્તિ ન કરવી મર્યાદા મેલીજી

। એતો પરઠણ કરી છે જો પે’લીજી, ન કરવું કામ કોઇ નિયમને ઠેલીજી

।।૧।। ઢાળ- ઠેલી નિયમને કામ ન કરવું, મર હોય લાભ જો લાખનો ।

તોય લલચાવીયે નહિ લેશ મનને, જાણીયે મવાળો કાખનો ।।૨।। વારે

વારે આવી વારતા, માનજો સહુને મળતી નથી । તે સ્વપ્ન સરખા સુખ

સારૂં, હારવી નહિ કહું હાથથી ।।૩।। શરીર કપાય મર સઘળું, થાય

ટુકટુક મર તન । પણ ન દેવું કપાવા નાકને, તેની રાખવી ઝાઝી જતન

।।૪।। જેમ શૂરવીરને સંગ્રામમાંહિ, લાગે ઘટમાં ઘાવ કઇ । પણ ભાગતાં

લાગ્યું પુઠે ભલકું, જાણો એ જેવું બીજું ભુંડું નઇ ।।૫।। એમ ભક્ત થયો

ભગવાનનો, પણ રહ્યો તે દેહનો જ દાસ । કુળ લજાવ્યું છે એ કેસરીએ,

જે ખાવા લાગ્યો મુખે ઘાસ ।।૬।। ઘરની ગોલીનો ગોલો થયો, રહ્યો હાથ

જોડીને હજુર । રાત દિવસ રાજી રાખવા, અતિ આખેપ રાખે છે ઉર

।।૭।। એવો ભક્ત ભગવાનને, કહો રાજી કરી કેમ શકે । નિષ્કુલાનંદ કે’

નાદાર નર, ચડ્યો શરીરના સુખને ધકે ।।૮।। કડવું ।।૪૨।।

ધકા બહુ ખાય છે ધર્મના હીણજી, વિષય સુખ સારૂં રે’છે મન

મીણજી । તેણે કરી મતિ અતિ થઇ છે ક્ષીણજી, તોય પણ માને છે મનમાં

પ્રવીણજી ।।૧।। ઢાળ- પ્રવીણપણું એનું પ્રિછિયું, તે તો નથી જાતું કેને

કહિયું । ખાય છે ખલેલાં ખારેક તજી, એવું ટળી ગયું છે વળી હઇયું

।।૨।। કરી દિવો દિવસમાં, વળી મેલ્યું અવળું મોળીયું । તે જાણે મેં કાંયે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

કર્યું નથી, પણ કુળ સમૂળું બોળિયું ।।૩।। ઘોડું મુકી દેઇ ઘરનું, ચાલ્યો

નર ખર પર ચડી । તોયે પોતા સરિખામાં પોરશી, મરડે છે મૂરખ મુછડી

।।૪।। લુટાવી કસુંબી લુગડાં, પંડે પેર્યાં છે ગળીયલ ઘણાં । તે દેખાડે છે

દેશોદેશમાં, કે’ છે જો જો મુમાં કાંઇ છે મણા ।।૫।। એમ મેલી રીત

સત્સંગની, વળી રે’ છે કુસંગની રીતમાં । દ્વિજધામ તજી વશ્યો ઢેઢમાં,

તોય ફુલ્યો ફરે છે ચિત્તમાં ।।૬।। નકટે નકટા ભેળા થયા, વંઠેલમાં વંઠેલ

વળી । એમ વિમુખ વિમુખ ભેળા વસ્યા, કરી હેત પરસ્પર મળી ।।૭।।

તેમ મનમુખીને મોજ મનમુખીમાં, લાગે આજ્ઞાકારી અળખામણા ।

નિષ્કુલાનંદ એવા નર જેવા, નથી ત્રિલોકે કોઇ લજામણા ।।૮।। કડવું

।।૪૩।।

લજામણાને લાજ ન હોયજી, નર મુનિવર મર વળી વગોયજી ।

તિરસ્કાર તલભાર ન માને તોયજી, મર આવી કહે કોવિદ નર કોયજી

।।૧।। ઢાળ- કોઇનું કેમ માને કહ્યું, થયું જેને ગોઠણ જેટલું । રોગરાજના

રોગીને જેમ, ખુવે ખવરાવે તેટલું ।।૨।। જેમ ભાદરવે ભેંસ પુછલી,

જેમ પડ્યો ગજ અજાડિયે । જેમ લાગી ગોળી લલાટ માંયે, તેને જીવવાની

ના પાડીયે ।।૩।। તેમ આવતે જોબને આવી મળ્યો, જબરા કુસંગનો

જોગ । તેને સાધ્ય શી રહે શરીર માંહી, જેને થયો અસાધ્ય રોગ ।।૪।।

જેમ ચંદનઘોના ચાખેલની, વળી નહિ ઉગરવા આશ । તેમ કુસંગના

કરડેલનો, જાણો ના’વે વળી વિશ્વાસ ।।૫।। જેમ મમોઇગર કર માનવી,

ખેરી પડી વળી કર ખાટકી । પારાધી કર પશુ પડ્યું, તે નહિ નહિ જીવે

નકી ।।૬।। તેમ ખરા કુસંગને પડ્યો ખબેડે, તેને બુદ્ધિ ઉંધી આવી ઘણી

। તેને સવળું કેમ સુજશે, રાખશે કેમ સત્સંગ શિરોમણી ।।૭।। જેમ કોઇ

ખાય ઝાઝા ઝેરને, વળી કરડી જીભ કટકા કરે । નિષ્કુલાનંદ એ નરને,

નથી જીવવાનું જાણો સરે ।।૮।। કડવું ।।૪૪।।

પદરાગ કેદારો - સરે સાર શોધતાં તે શું મળશે, કરતાં કુસંગનો

સંગ વળી । સુખ સ્વપ્ને નહિ આવે શરીરનેરે, આવશે દુઃખ અતોલ મળી.

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

સરે૦ ।।૧।। જાણી ઝગમગ ઘણી હીરાકણી, ખાય ખાંત્યે ખૂબ પેટભરી

। એમ કુસંગનો સંગ અંગમાં ઉતર્યોરે, કેમ રહે સત્સંગ તેણે કરી. સરે૦

।।૨।। જેમ ખાય ઠગની ઠગમૂળી ઠાઉકી, તેને સાધ્ય શરીરે કેમ રહે ।

તેમ વચન વિમુખના ઉરમાં આવતાં રે, જે ન કે’વાનું તે સર્વે કહે. સરે૦

।।૩।। એણે આલોક પરલોક બેઉ બગાડીયા, ખવરાઇ ગઇ ખળે આવી

ખેતી । નિષ્કુલાનંદ કહે આવ્યે અવસરે રે, ચૂક પડી નવ શક્યો ચેતી.

સરે૦ ।।૪।। પદ ।।૧૧।।

વણ ચેતે અવસર વણસે કામજી, રાજી ન થાય ઘનશ્યામજી ।

ત્યારે કેમ પામીયે પરમ ધામજી, વણ પામે ધામ નહિ સુખ ઠામજી

।।૧।। ઢાળ- ઠામ નથી કોઇ ઠરવા, હરિઆજ્ઞા વિના અણું જેટલું । તે જડ

મતિ નથી જાણતો, કહિ કહિ કહિએ કેટલું ।।૨।। વાવે છે ઝેરના ઝાડવાં,

કરે છે અમૃત ફળની આશ । તે ખાઇને કેમ ખેમ રે’શે, તેથી નર અમર

પામ્યા નાશ ।।૩।। મારી કુંવર નરનાથનો, ટિલે બેસવા થાય છે તૈયાર ।

તેને રાજા રાજ કેમ આપશે, જાણી મોભિ સુતનો મારનાર ।।૪।। તેમ

ભક્ત થઇ ભગવાનનો, કરે વચનની વિઘાત । પછી ઇચ્છે સુખ આવવા,

એહ કેમ બનશે વાત ।।૫।। નહિ પામે ઠેકાણું નરકમાં, શીદ કરે ધાંખના

ધામની । ધામ નહિ મળે ધક્કા મળશે, ત્યારે ઉઘડશે આંખ ગુલામની

।।૬।। લાત લાયક તે વાત ન માને, મર હોય અતિશય હેતની । સમું

કે’તાં વસમું લાગે, તેને મુખ પડો પસ રેતની ।।૭।। શરીર સુખ સારૂં

સુધો વરતે, કલ્યાણમાં વરતે કાસળે । નિષ્કુલાનંદ નિરભાગી નરને,

નથી જાવું પ્રભુને પાસળે ।।૮।। કડવું ।।૪૫।।

પ્રભુ પાસ વાસ કરવા આશ જેનીજી, અતિ મતિ અવળી ન જોયે

તેનીજી । જે સુખનીયે શીખ ન લેવી કેનીજી, શી ગતિ થાશે તપાશું છું

તેનીજી ।।૧।। ઢાળ- તપાસુ છું હું તને મને, શી થાશે ગાફલ નરની ગતિ

। અવળું કરવા છે ઉતાવળે, નથી સવળું કરવા શ્રદ્ધા રતિ ।।૨।। શરીરના

સુખ કારણે, તતપર રહે છે તૈયાર । હરિ આજ્ઞામાં હાલતાં, પગ ભાંગી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

પડે છે તે વાર ।।૩।। પ્રભુ આજ્ઞામાં થયો પાંગળો, પંડ પોષવામાં પાંખો

મળી । ખરી કરી રાખી વાતો ખોટીયો, સાચી વાત સર્વે ગયો ગળી ।।૪।।

જેમ હોય કોઇ અતિ અમલી, આફુ પુરું શેર પીનાર । તેને પૈસાભાર

પચાવતાં, સહુ સમઝો છે શિયોભાર ।।૫।। તેમ અનેક શાસ્ત્ર સાંભળ્યાં,

સર્વે ગટકાવી ઉતાર્યાં ગળે । તેને અલપ સલપ ઉપદેશથી, કહો અજ્ઞાન

કેમ ટળે ।।૬।। ગમતું કરવા ગોવિંદનું, જેના જીવમાં જરાય નથી । તેને

આગે વાતો ઉપદેશની, કેટલીક કહીયે કથી ।।૭।। મનમુખી કે’છે સૌ

મુખ ઉપરે, નથી કે’તા વાત વળી વાંસળ્યે । નિષ્કુલાનંદ નિરભાગી નરને,

નથી જાવું પ્રભુને પાસળ્યે ।।૮।। કડવું ૪૬।।

પ્રભુ પાસ વાસ કરવા વિગત્યજી, વચન વાલાનાં સર્વે માનવાં

સત્યજી । સુખ દુઃખ પડ્યે ન હારવી હિમત્યજી, માન અપમાનને રાખવી

એક મત્યજી ।।૧।। ઢાળ- મતિ એક રતિ નવ ફરે, આવે કાયાયે કોટી

કલેશ, વ્યાકુલ થઇ વિપતિમાંહી, લોપે નહિ વચનને લેશ ।।૨।। જેણે

સાબિત કીધું છે શિશ સાટે, હરિમરજીમાં મરી મટવા । એવા જનને

જોઇને હરિ નહિ દીયે પાછો હઠવા ।।૩।। પણ દેહ અભિમાની દાસનો,

ના’વે વાલમને વિશ્વાસ । જાણે ખરૂં કે’તાં ખમી નહિ શકે, કાંજે નથી

વચનમાં વાસ ।।૪।। હરિવચનમાં પડે વસમું, તો લોપતાં લેશ ભૂલે

નહિ । સુખ સદા રહે શરીરમાં, એમ સાબિત કીધું છે સહિ ।।૫।। તેને

વચનમાં વરતતાં, કઠણથી કઠણ પડે ઘણું । જેને લેવું છે સુખ આલોકનું,

નથી લેવું સુખ શ્રીહરિતણું ।।૬।। જેમ પશુઘાતકી ઘરનું પશુ, નીલી ચાર્ય

પર નજર છે । પણ કાતે કરી કંઠ કાપશે, તેની તેને કાંય ખબર છે? ।।૭।।

તેમ પશુવત પામર નરને, વિષયરૂપ ચાર્ય મળી । નિષ્કુલાનંદ નિરભાગી

નરને, દુઃખમાં સુખ મનાણું વળી ।।૮।। કડવું ।।૪૭।।

વળી વચન દ્રોહી મતિમંદજી, પંચ વિષયમાંહિ માન્યો છે આનંદજી

। તે કેમ ટાળશે માથેથી ભવફંદજી, જેણે હરિવચનમાં માન્યું દુઃખ દ્વંદ્વજી

।।૧।। ઢાળ- દ્વંદ્વ દુઃખના વચનદ્રોહીને, હરિવચનમાં રે’તાં વળી । અલ્પ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

સુખને અર્થે, વાત બગાડે છે સઘળી ।।૨।। જે વચનથી મોટપ મળે, વળી

આવે વચનથી સુખ । તે સમજ્યા વિના શઠપણે, વરતે છે વચનથી વિમુખ

।।૩।। જે વચન નર અમર સુખી, અહિ અજ ઇશ અમરેશ । જે વચને

શશિ સૂર્ય સુખી, ગીરા ગજાનન મુક્ત મુનેશ ।।૪।। એવા વચનને ઉલ્લંઘી,

બીજા આગળ કહે છે વાત । હું તો આવ્યોે હતો ભારે ભીડ્યમાં, પણ

ભલી ઉગરીયો એ ઘાત ।।૫।। ખાવું પીવું ને પેરવું એહ, મુકાવ્યું હતું

મન ગમતું । એ મોટા દુઃખમાંથી નીસર્યો, હવે મનને રાખશું રમતું

।।૬।। ભલું થયું એહ આડ્ય ભાંગી, હવે મોકળે મને મા’લશું । દુઃખ

દેખશું જ્યાં દેહને, તો ત્યાંથી તરત ચાલશું ।।૭।। એવા અભાગી નર

અમરને, સુખ નહિ આવે સ્વપ્ને । નિષ્કુલાનંદ કહે જો એમ હોય તો,

શીદ કરે કોઇ તપને ।।૮।। કડવું ।।૪૮।।

પદરાગ કેદારો- તપ જેવું વાલું છે વાલમને, તેવું વા’લું નથી બીજું

કાંઇ । વચનમાં રહી જે તપ કરે રે, તે તો સુખ પામશે સદાઇ. તપ૦

।।૧।। નારાયણ વચનથી વિધિએ, આદરીયું જે તપ અનૂપ । તેણે કરી

રમાપતિ રીઝીયારે, આપ્યો વર સારો સુખરૂપ. તપ૦ ।।૨।।

શ્વેતદ્વિરમાંહી મુનિ રહે, નિરન્નમુક્ત છે જેહનું નામ । અન્ન પાન વિના

કરે તપ આકરૂંરે, રાજી કરવા ઘણું ઘનશ્યામ. તપ૦ ।।૩।। બદ્રિકાશ્રમે

બહુ મુનિ રહે, દમે છે કોઇ દેહ ઇંદ્રિય પ્રાણ । સુખ સર્વે તજી શરીરનાં,

થઇ રહ્યા વાલાના વેચાણ. તપ૦ ।।૪।। એને ન સમજો કોઇ અણ સમજું,

તજ્યા જેને શરીરનાં સુખ । પામરને પ્રવિણ ન પ્રિછવા, જે કોઇ રહ્યા

હરિથી વિમુખ. તપ૦ ।।૫।। વચન વિમુખથી જેહ સુખ મળે, તે સુખ

સર્વ જાજો સમૂળ । નિષ્કુલાનંદ એવું નવ કરો રે, જેમાં આવે દુઃખ અતૂળ.

તપ૦ ।।૫।। પદ ।।૧૨।।

અતોલ રોળ રહ્યા છે જેમાંજી, શીદને તૈયાર રહો છો તેમાંજી ।

અણું એક ભાર નથી સુખ એમાંજી, દુઃખ દુઃખ દુઃખ છે દુઃખની સીમાજી

।।૧।। ઢાળ- સીમા છે સર્વે દુઃખની, હરિ વિમુખનો વળી સંગ । મહાપ્રભુ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

મળવાને મારગે, જાણું આડો ઉતાર્યો ભોયંગ ।।૨।। જેમ આવ્યો દિન

આનંદનો, ત્યાં મુવો મોટેરો સુતરે । તેમ અવસર આવ્યો હરિભજ્યાનો,

ત્યાં મળ્યો જાણો જમદૂતરે ।।૩।। જેમ ભોજન બહુ રસે ભર્યાં, કર્યાં

જુગત્યે જમવા જેહ । તેમાં પડી મુઇ માખીયો, કહો કેમ ખવાય તેહ

।।૪।। તેમ મનુષ્ય દેહ મહા મોંઘા માંહિ, વચન પડ્યાં વિમુખનાં । સુખ

ન આવે સ્વપ્ને, એતો દેનાર છે દુઃખનાં ।।૫।। દૈત્ય દાનવ દનુજ થયા,

યક્ષ રાક્ષસ ભૂત પલિત । તે સર્વે વિમુખના સંગથી, બીજી માં જાણજો

કોઇ રીત ।।૬।। જેવી વચનદ્રોહીથી વાત વણસે, તેવી વણસે નહિ વેરી

થકી । વેરી કાપે એક કંઠને, આતો કોટી કંઠે નથી નકી ।।૭।। એને સંગ

એવાં દુઃખ મળે, ત્યારે તેનાં દુઃખ કેવાં કહિયે । નિષ્કુલાનંદ ન કહિયે

ઘણું, એતો મનમાં સમજી લહિયે ।।૮।। કડવું ।।૪૯।।

વિમુખ તે મરી થાશે વૈતાળજી, ક્ષુધા પિપાસા વધશે વિશાળજી ।

જળાશયે જાતાં રોકશે વરૂણ રખવાળજી, ત્યારે સર્વે દુઃખનો મળશે

તાળજી ।।૧।। ઢાળ- તાળ મળશે તે જાણજો, પીવું પડશે પેશાબને । તે

વિના જળ નહિ મળે, જ્યારે હરિ લેશે હિસાબને ।।૨।। ભૂત પલિતને

ભોજન કરવા, નથી વિષ્ટા વિના બીજું વળી । એવાં સુખ છે વિમુખનાં,

લિધા છે શાસ્ત્રેથી સાંભળી ।।૩।। વ્યોમ વસુંધરા વચ્ચમાં, વસવા છે

વાયુ ભૂતને । ઘાટ વાટ ઉજડ અગારે, કહ્યું રે’વાનું કપુતને ।।૪।। ઝાડ

પાન નિરજળ દેશે, વસશે વસમા સ્થાનમાં । અશુદ્ધ જળ ઉતાર અન્ને,

ખાઇ ખુશી રે’શે ખાન પાનમાં ।।૫।। એવાં દુઃખ ભોગવશે, વચનદ્રોહી

વિમુખ જન જો । ત્યાં નથી ઉધારો એહનો, તૈયાર છે મુક્તાં તન જો

।।૬।। હમણાં તો જાણે ખાટ્યા ખરા, વિમુખ થઇ રહ્યા વેગળા । પણ

ખાધી મોટી ખોટ્યને, જ્યારે પ્રજળશે પાપની પળા ।।૭।। આજ તો થયું

છે અટપટું, વર્તતા વા’લાના વચનમાં । નિષ્કુલાનંદ કહે પછી વિમુખને,

થાયે મુંઝવણ્ય મનમાં ।।૮।। કડવું ।।૫૦।।

તે સારૂ ડરતા રહે સૌ દિન રાતજી, રખે કોય વચન લોપી થાય

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

વાતજી । ત્યારે તો જાણવું ઘણી થઇ ઘાતજી, હવે કેમ રે’શે હરિ

રળીયાતજી ।।૧।। ઢાળ- રળીયાત કેમ રહેશે હરિ, ફરી ફરી વિચારે

વાતને । સુખ સર્વે પરહરે પરાં, જાણી જગજીવન કળીયાતને ।।૨।। હરિ

રાજી કરવા હૈયામાં, મનસુબો બહુ મનને । તન મન સુખ સંપત જાતાં,

રાજી કરે ભગવાનને ।।૩।। પ્રસન્ન કરવા મહાપ્રભુને, રહે તનમાં બહુ

બહુ તાન । બીજું જાય મર બગડી, તેનું જરાય ન માને જ્યાન ।।૪।। સુખ

નર નિરજરના, મર જાય સમૂળા સૌ મળી । હરિ કુરાજીયે કામ ન

આવે, એવી વિચારે વાત વળી ।।૫।। બીજા રાજી કુરાજીયે કરી, નથી

ખાટ્ય ને ખેટ્ય ખરી । માટે ગમતું કરવું ગોવિંદનું, બીજાનું મુકવું પરહરી

।।૬।। તે જ સમઝુ સંત શાણા, વળી તે જ બહુ બુદ્ધિવંત । તે જ ચતુર

પરવીણ ડાહ્યા, જેણે રાજી કર્યા ભગવંત ।।૭।। કરી લીધી એણે સર્વ

કમાણી, કેડ્યે ન રાખ્યું કરવું । નિષ્કુલાનંદ હરિ રાજીયે, ફરી ન રહ્યું

પાછું ફરવું ।।૮।। કડવું ।।૫૧।।

વચનવિધિ આ ગ્રંથ છે રૂડોજી, હરિ વિમુખને લાગશે કુડોજી ।

જેને પે’રવો છે પર નરનો ચૂડોજી, તે તો કે’શે આ કવિ કાલૂડોજી ।।૧।।

ઢાળ- કાલુડાઇમાં ગ્રંથ કર્યો, તેમાં વગોવ્યા વિમુખ અતિ । દીઠા દુઃખીયા

વિમુખને, ત્યારે સન્મુખ શી પામ્યા ગતિ ।।૨।। એમ કહી અભાગીયા,

કોઇ વિમુખપણું તજતા નથી । વચનદ્રોહીપણું દ્રઢ કરી, હરિ કોઇ ભજતા

નથી ।।૩।। હરિ ભજશે જન હરિના, માની મનમાં મોટા સુખને । સદા

રહેશે સતસંગમાં, નહિ વસે પાસ વિમુખને ।।૪।। વિમુખથી રહી વેગળા,

કરી લેશે પોતાના કામને । સાચા સંતની શીખ લઇ, પામશે પ્રભુના

ધામને ।।૫।। જે ધામને શુક સનકાદિક, વખાણે છે વારમવાર । તે ધામને

પામશે, વામશે સર્વે વિકાર ।।૬।। અવશ્ય કરવાનું એજ છે, તે કરી લેશે

કારજ । છેલ્લી શિખામણ સાંભળી, તેમાં ફેર નહિ રાખે એક રજ ।।૭।।

પૂરણ સુખને પામવા, એટલું તો ધારવું ઉર । નિષ્કુલાનંદ નિશ્ચે કરી,

જોઇએ આ વાત જાણવી જરૂર ।।૮।। કડવું ।।૫૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વચનવિધિ

પદરાગ ધોળ- જરૂર જાણજો જન જીવમાં, પામવું છે પરમ

આનંદરે । જેરે આનંદ જાય નહિ કહ્યે, સદા સર્વે સુખનું છે કંદરે. જરૂર૦

।।૧।। અચળ અખંડ એનું નામ છે, અક્ષર અનંત અનૂપરે । જે એ પામે

તે પાછો નવ પડે, એવું છે એ સત્ય સ્વરૂપરે. જરૂર૦ ।।૨।। આવે નહિ

એકે જેને ઉપમાં, જડે નહિ બીજી જેની જોડરે । શોધતાં ન મળે સંસારમાં,

ત્રિલોકે નહિ તેની તડોવડરે. જરૂર૦ ।।૩।। મહા મોટું સુખ માની મનમાં,

મોટા મોટા મુકી ચાલ્યા રાજરે । તે તો સુખ મળે છે સે’જમાં,

સતસંગમાંહી રે’તા આજરે. જરૂર૦ ।।૪।। પૂરણ સુખને જ્યારે પામીયે,

ત્યારે ઝાઝી કરવી જતનરે । સદાય રહીયે એ સાચવતા, જેમ રાંક સાચવે

રતનરે. જરૂર૦ ।।૫।। ગાફલપણે જો ઘણું ઘરમાં, જોતાં જોતાં થઇ જાય

જ્યાનરે । માટે પ્રમાદપણું પરહરિ, સદાય રે’વું જો સાવધાનરે. જરૂર૦

।।૬।। લાભ અલભ્યને લઇ કરી, બેઠા છીએ બેપરવાઇરે । સ્વામી

સહજાનંદ સેવતાં, કસર રહી નથી કાંઇરે. જરૂર૦ ।।૭।। સદા રે’વું મનમાં

મગન થઇ, કેદિયે ન માનવું કંગાલરે । નિષ્કુલાનંદ કહે નીલકંઠ મળ્યે,

થયાં છીએ નિર્ભય નિયાલરે. જરૂર૦ ।।૮।। પદ ।।૧૩।।

દોહા- આ ગ્રંથ અતિ અનુપમ છે, મુખ દેખાડવા દરપણ । પણ

હબશી મુખ જોઇ હૈયે, લિયે નહિ લગારે ગુણ ।।૧।। દેખી મુખ દુઃખીયો

થઇ, કરે ગ્રંથ મુકુરપર રોષ । જેમ છે તેમ દેખાડીયું, ગ્રંથ દર્પણનો શો

દોષ ।।૨।।

।। ઇતિ શ્રી નિષ્કુલાનંદમુનિ વિરચિતે વચનવિધિઃ સમાપ્તઃ ।।

-ઃ વચનવિધિઃ સમાપ્તઃ :-

વચનવિધિ સમાપ્ત

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન

-ઃ સારસિદ્ધિઃ :-

રાગ ધન્યાશ્રી - શ્રી પુરુષોતમ પ્રસન્ન કરવા કાજજી , શું શું

જોઈએ આ જીવને સમાજજી ા જેણે કરી રીઝે શ્રીમહારાજજી, એવું

શોધી સાર લઈ લેવું આજજી ાા૧ાા ઢાળ- શોધી સાર સર્વે તણો, લઈ

લેવો લાભ લાલચ્યે કરી ા આવ્યો અવસર ઓળખી, રાજી કરવા શ્રી

હરિ ાારાા શ્રીહરિ રાજીએ સહુ રાજી, રાજી કર્યા ક્રોડ તેતરીસ ા શેષ-

દિનેશ ને શશિ સુરેશ, વળી કર્યા રાજી અજ ઈશ ાા૩ાા જેમ રાજેન્દ્રને

રાજી કરતાં, તેની પ્રજા પણ રાજી થઈ ા તેમ પ્રભુને પ્રસન્ન કરતાં, કહો

કમી તેને શાની રઈ ાા૪ાા જેમ મહારત્નની મો’રમાં, અન્ય નાણું છે

અતિ ઘણું ા તેમ હરિ રીઝવતાં સહુ રીઝયા, ન રહ્યું કેનું કુરાજીપણું

ાાપાા જેમ અનંત ઉડુ ઉગે અંબરે, પણ અર્ક વિના રહે અંધેર ા તેમ

હરિ સેવા વિના સમઝો, છે નિરર્થક નહિ ફેર ાા૬ાા જેમ સો સો શૂન્ય

સારાં કરે, પણ એક અંક ન કરે જો આગળે ા તે સરવાળો શાનો મેલશે,

જે કરે છે કાળપ કાગળે ાા૭ાા તેમ એક હરિ ને પરહરે, બીજી કરે

ચતુરાઈ કોટ ા તે તોે માથાફર ચાલે મારગે, જેમ જેમ ચાલે તેમ ખોટ

ાા૮ાા માટે અન્ય ઉપાય અળગા કરી, રાજી કરિયે રુડે રમાપતિ ા નકી

નિશાન ન ચૂકિયે, સમઝી વિચારી શુભ મતિ ાા૯ાા નિશ્ચે એમ નિર્ણય

કરી, ખરી લઈએ વળી ખોજ । નિષ્કુલાનંદ તો પામીયે, મનમાની

મહારાજથી મોજ ।।૧૦।। કડવું ।।૧।।

પ્રભુ પ્રસન્ન કરવા કરે છે ઉપાયજી, જાુજવા જાુજવા આ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

જગમાંયજી । જેવી રુચિ જનની જેવો અભિપ્રાયજી, તે વિના બીજું કરે

નહિ કાંયજી ।।૧।। ઢાળ - કરે નહિ બીજું કોઈ દિન, કરે તેમ માન્યું

જેમ મન । મતિ ન પોતી વૈરાગ્ય વિના, વણ સમઝે આદરે સાધન ।।ર।।

કોઈ કહે જપે હરિ રીઝશે, કોઈ કહે તપે તતકાળ । કોઈ કહે તર્ત તીર્થથી,

રાજી થાશે દીનદયાળ ।।૩।। કોેઈ કહે જોગ જગ્ન કરતાં, પ્રસન્ન થાશે

પરબ્રહ્મ । કોઈ કહે વ્રત નિયમ રાખતાં, શ્રીહરિ થાશે સુગમ ।।૪।। કોઈ

કહે કરવત લીધે, સિધે કમળ પૂજાથી કામ । કોઈ કહે પા’ડ ચઢી પડતાં,

રાજી થાય શ્રીહરિ શ્યામ ।।પ।। કોઈ કહે હિમાળે હાડ ગાળે, બાળે

દાવાનળે દેહ । તો જરુર રાજી થાશે જીવન, એહ વાતમાં નથી સંદેહ

।।૬।। કોઈ કહે ધન ત્રિયા ત્યાગે, ત્યાગે ઘર કરે વનવાસ । કોઈ કહે વેષ

કેશ વધારે, કોઈ કહે ફરે ઉદાસ ।। કોઈ કહે દિગંબર અન્ન અલુણે, કોઈ

કહે ફળ દળ જળપાન । કોઈ કહે પય પવન પીતાં, કેમ રાજી ન થાય

ભગવાન ।।૮।। કોઈ કહે મુખે મુન્ય ગ્રહીએ, રહીયે અણવાણ અહોનિશ

। કોઈ કહે પંચઅગ્નિ તાપી, રાજી કરીયે જગદીશ ।।૯।। એહ વિના

અનેક ઉપાયે, રાજી કરવા ઈચ્છે છે રામ । નિષ્કુલાનંદ એ ભકત ભલા,

પણ નકી નથી નિષ્કામ ।।૧૦।। કડવું ।।ર।।

કોઈક ઈચ્છેે રાજ સાજ રિધ્ધિજી, કોઈક ઈચ્છે સુરપુર પ્રસિધ્ધિજી

। કોઈક ઈચ્છે મુકિત ચઉ વિધિજી, એમ સુખ સારું સૌએ દોટ દિધીજી

।।૧।। ઢાળ - એમ દોટ સુખસારું દીધી, કીધી મોટા સુખની આશ ।

અલ્પ સુખથી મન ઉતારી, નિત્ય દેહ દમે છે દાસ ।।ર।। સહે છે સંકટ

શરીરમાં, ફળ મળવા સાંધિ છે ફાળ । જાણ્યું રિઝવી જગદીશને, પામું

અભય વર તતકાળ ।।૩।। તેહ સારું તાવે છે તનને, રે’છે મનમાં મોટી

આશ । કૈયે રાજી કરું કૃષ્ણને, કૈયે પામું સુખ વિલાસ ।।૪।। અહોનિશ

એવો અંતરે, વરતે છે અખંડ વિચાર । તેણે સહે સમૂહ સંકટના, તોય

પામતા નથી હૈયે હાર ।।પ।। સવાસનિક નર એમ સુખ સારું, અતિ

અતિ કરે છે ઉપાય । મોટપ્ય ઈચ્છે છે મનમાં, તેહ વિના તન ન તવાય

।।૬।। અતિ આગ્રહે આદરી, કરે પ્રભુ ને પ્રસન્ન । પછી માગે સુખ શરીરનું,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

એવા પણ અજ્ઞાની જન ।।૭।। નિર્વાસનિક વિના નરને, સમુ માગતાં

સુઝે નહિ । જેમ વાંણાકરે વપુ વાંણાકરનું, માગ્યું કાશિયે કરવત લઈ

।।૮।। એમ નાના વિષય નાવ્યા નજરે, મોટા વિષય મળવા મન કર્યું ।

હતો અસાધ્ય રોગ અંગમાં, વળી વિશેષે કમળ ફર્યું ।।૯।। તેને પૂર્વ તે

પશ્ચિમ થયું, હૈયું રહ્યું નહિ વળી હાથ । નિષ્કુલાનંદ એવા નર અમર,

પામે નહિ મોટી મીરાંથ ।।૧૦।। કડવું ।।૩।।

જેમ વનજનને વા’લું વનજી, તેને વસતાં વસ્તીએ માને નહિ મનજી

। ફળ દળ ફૂલ ખાય નિશદિનજી, અતિ રસે સરસ પણ ન ભાવે

ભોજનજી ।।૧।। ઢાળ - ભોજન તેને કેમ ભાવે, જેણે ખાધાં કોઠાં કરી

ખાંત્ય । ઉપર ખાધી આંબલી, તેણે અંબાઈ ગયા છે દાંત ।।ર।। જેની

વિષય કોઠાંમાં વૃત્તિ વળગી, અહં મમતરુપ ખાધી આંબલી । તેને ગોળ

સારો કેમ લાગશે, કેમ કે’શે સાકરને ભલી ।।૩।। તેમ ભોગવ્યાં સુખ

જેણે ભૂમિનાં, તેથી અધિક સુણ્યાં અમરેશનાં । તેને પામવા પામર નર,

સહે છે દુઃખ હમેશનાં ।।૪।। જેમ અમલ પીતાં અકકલ નાસે, તોયે

અંતરે જાણે અધિકું પિઉં । આવ્યું ડૂલપણું તે નથી દેખતો, એવું અતિશે

ફૂટી ગયું હઈયું ।।પ।। થોડી ઉપાધિયે પણ નથી ઠેકાણું, ઘણી ઉપાધિ કેમ

ન ઘુંચવશે । સૂકું રણ ઉતરે સમર્થ નથી, તો કેમ ઉતરશે રણ જયારે વસે

।।૬।। જાણે પેશી ઉંડા અર્ણવમાં, તળે જળ પીને તરષા તજું । પણ બહુ

દુઃખ છે બા’ર આવતાં, તે પણ તપાસિયે ગજું ।।૭।। આઘા પગ પરઠતાં,

હૈયે કરવો નહિ હુલાસ । આગળ સુખ કે દુઃખ છે, તેનો કાઢવો તપાસ

।।૮।। તેમ વિષય સુખની વાટે ચાલતાં, વિચારી જોવી જન વાત । કૈકવાર

સુખ પામ્યા વામ્યા, લાખો લેખે લાગી લાત ।।૯।। માટે વાટ એ મૂકવી,

ન ચુકવી આવી આ પળ । નિષ્કુલાનંદ કહે નાથનાં, સેવવાં ચરણ કમળ

।।૧૦।। કડવું ।।૪।।

પદરાગ રામગરી - નિર્ભય ચરણ છે નાથનાં, સેવો શ્રદ્ધાએ સંત

। અવર ઉપાય અળગા કરી, સમઝો સાર સિદ્ધાંત; નિર્ભય૦ ।।૧।। સુણી

સુખ લોકાલોકનાં, શીદ કરો છો શોચ । એતો ઉદંબરે ફળ વળગ્યાં,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

થડથકી તે ટોચ; નિર્ભય૦ ।।ર।। એમ વળગ્યા વિષય પાંચમાં, નર સુર

અજ ઈશ । અધિક ન્યૂન એમાં નથી, રવિ શશિ સુરેશ; નિર્ભય૦ ।।૩।।

માટે ઉંડું વિચારી અંતરે, ખરી કરવી ખોળ્ય । નિષ્કુલાનંદ પ્રભુપદ પખી,

જયાં જયાં જાય ત્યાં રોળ; નિર્ભય૦ ।।૪।। પદ ।।૧।।

એતો કેને અંતરે નથી વૈરાગ્યજી, જેણે કરી થાય તન સુખ ત્યાગજી

। એક હરિચરણે હોય અનુરાગજી, એવા તો કોઈક સંત સુભાગજી

।।૧।। ઢાળ - સંત સુભાગી સરસ સહુથી, જેના અંતરમાં નિરવેદ ।

સુણી સુખ સર્વે લોકનાં, જેનું નથી પામતું મન ખેદ ।।ર।। ઉંડું વિચારી

અંતરમાં, જોઈ લીધું જીવમાં જરુર । વિષય સારું સહુ વલખાં, કરે છે

સુર અસુર ।।૩।। વૈરાગ્ય વિના વિષય સુખનો, તર્છટ ન થાયે ત્યાગ ।

ત્રોડી પાડે પીંડ બ્રહ્માંડથી, એવો તો એક વૈરાગ્ય ।।૪।। વૈરાગ્યવાન વિલસે

નહિ, માયિક સુખની માંઈ । શૂન્યસુમન સમ સમઝી, ગંધ સુગંધ ન

માને કાંઈ ।।પ।। જે નિર્વેદ નિધિ નરનું, જેવું કરી દિયે છે કામ । તેવું ન

થાય કહું કોઈથી, શું લખું ઘણાનાં નામ ।।૬।। જેમ મળે એક ચિંતામણિ,

ઘણી અગણિત વસ્તુનું ઘર । તેમ શુદ્ધ વૈરાગ્ય શિરોમણી, નથી એથી

બીજું કાંઈ પર ।।૭।। સર્વે સુખની સંપત્તિ, વસી રહી વૈરાગ્યમાંઈ । મોટે

ભાગ્યે જો આવી મળે, તો ન રહે કસર કાંઈ ।।૮।। વૈરાગ્યવાનને વિપત્ત

શાની, જે સમઝયા સાર અસાર । જેમ તુંબુ બોળે કોઈ તોયમાં, પણ

નીસરી જાયે નીર બા’ર ।।૯।। વૈરાગ્ય વિના તો વાત ન બને, શુદ્ધ સાચું

ન લેવાય સુખ । નિષ્કુલાનંદ નિરવેદ વિના, આદિ અંતે મધ્યે દુઃખ

।।૧૦।। કડવું ।।પ।।

વૈરાગ્ય વિના વિધિ લોકથી વિધિજી, સુતા સ્પર્શની ઈચ્છા ઉર

કિધીજી । વૈરાગ્ય વિના પિનાકી પરસિદ્ધિજી, મોહિનીને મીટ જોવા ૮લક

લીધીજી ।।૧।। ઢાળ - લક લીધી તક નવ તપાસી, વૈરાગ્ય વોણું વગોણું

થયું । હતા અખંડ આત્મદરશી, પણ એ સમે એવું નવ રહ્યું ।।ર।। વળી

પુરંદર વૈરાગ્ય પખી, માગ્યાં અસ્થિ ગયો ઋષિ ઘરમાં । વૈરાગ્ય વિના

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

વિબુધ વિલખે, સદા રહિ સુખના ભરમાં ।।૩।। વૈરાગ્ય વિના વિધુ વ્યાકુલ

થઈ, જઈ હરી ગુરુની પતની । વૈરાગ્ય વિના જુવો વિચારી, સારી વાત

તે શું બની ।।૪।। વૈરાગ્ય વિના અંગે અંધારું, રહિ ગયું અર્કને અપાર ।

પરણ્યા વિના પતની કરી, તેનો ઉર ન આવ્યો વિચાર ।।પ।। નારદ

પારાશર સૌભરી, ભૂલી ગયા વૈરાગ્ય વિના વાત । એકલશૃંગી અરણ્યમાં,

થઈ વણ વૈરાગ્યે ઘાત ।।૬।। પાંડવ ભકત પ્રમાણિયે, પણ વણ વૈરાગ્યે

વસાવ્યું વેર । કૌરવ કુળ નિર્મૂળ કર્યું, તેની મને આવી નહિ મે’ર ।।૭।।

વૈરાગ્ય વિના ચિત્રકેતુ, પરણ્યો પત્નિયો કોટ । આગ્નિધ્ર યયાતિ જેવે,

વણ વૈરાગ્યે ભોગવી ખોટ ।।૮।। બ્રહ્મા આદિ કીટ પર્યંત, વણ વૈરાગ્યે

વિકળ થયા । ત્યારે બીજાનું નવ બોલવું, જે પશુવત પામર રહ્યા ।।૯।।

વૈરાગ્ય વિના વિષય સુખનો, અંતરે ન થાય અભાવ । નિષ્કુલાનંદ નિરવેદ

વિના, રુઝે નહિ વિષયના ઘાવ ।।૧૦।। કડવું ।।૬।।

જો શુદ્ધ્‌ વૈરાગ્ય ઉપજે અંગજી, તેને ન ગમે વિષય સુખનો સંગજી

। અંતરે ઉદાસી રહે અભંગજી, તેને ચિત્તે ચઢે હરિનો રંગજી ।।૧।। ઢાળ

- ચિત્તે રંગ જાયે ચડી, તે ઉતાર્યો ઉતરે નહિ । એવા વૈરાગ્યવાનને, પીંડ

બ્રહ્માંડની ગણતી સહિ ।।ર।। એવા શુદ્ધ્‌ વૈરાગ્ય વાળા શુકજી, જડ ભરતને

પણ જાણિએ । કદરજમાં પણ કાચું નહિ, ખરા વૈરાગ્યવાન વખાણિએ

।।૩।। દેવ ઋષિ નરદેવની, કહી ખોટ મોટી ખોળીને । તેથી મનુષ્યની

મોટપ કે’તાં, તન મને જોવું તોળીને ।।૪।। પણ પ્રહ્લાદે પરબ્રહ્મથી, માયિક

સુખ નવ માગિયું । કુંતા ભકત કૈયે ખરાં, વિદુરે નિજ રાજય ત્યાગિયું

।।પ।। ગોપીચંદ બાજીંદ શેખ ભર્તુહરિ, સબસ્ત બરેજ મનસુર મલેચ ।

અતિ વૈરાગ્યના વેગ વડયે, પડયા નહિ માયાને પેચ ।।૬।। શુદ્ધ વૈરાગ્ય

શરીરમાં, અચાનક જેને ઉપજે । તેને બ્રહ્માથકી આ ભૂમિના, સુખ નર

અમરનાં નવ રજે ।।૭।। સાચો વૈરાગ્ય છે સુખનિધિ, જો આવી જાયે

અચાનકે । તો કસર કોઈ નવ રહે, ઠિકોઠિક પો’ચાાડે સ્થાનકે ।।૮।।

મોટે ભાગ્યે મનુષ્યને, મળે નિરવેદરુપણી નિધિ । રે’વા ન દીયે રંકપણું,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

વિષયસુખનું કોયે વિધિ ।।૯।। વણ વૈરાગ્યે એ છે વસમું, વૈરાગ્યવાનને

વસમું નથી । તન કરી રાખ્યું છે તૃણ તોલે, કહે નિષ્કુલાનંદ શું કહું કથી

।।૧૦।। કડવું ।।૭।।

વૈરાગ્યવાનને વાત નથી કઠણ કઈજી, જે કોઈ મુકતાં મુકાય નઈજી

। એવી વસ્તુ આ બ્રહ્માંડે સહીજી, જે વિના વિતરાગી ન શકે રહીજી

।।૧।। ઢાળ - રહી ન શકે એવું જે રુડું, ભર્યા બ્રહ્માંડમાં ભાળે નહિ ।

મહાસુખ મુકી મહારાજનું, બીજે સુખે મન વાળે નહિ ।।ર।। સર્વે લોકની

સંપત્તિ, પાપરુપ જાણી પેખે નહિ । મૂર્તિ મુકી મહારાજની, બીજું દુઃખ

જાણી દેખે નહિ ।।૩।। મોટા નાના માયિક સુખમાં, પડયા પરાધીન પરવશ

છે । સ્વર્ગ મૃત્યુ પાતાળ પર્યંત, તેમાં કોણ કમ કોણ સરસ છે ।।૪।। જેમ

અગ્નિ જવાળથી ઉંચા નીચા, લોહકઢામાં કણ ઉછળે । એમ પંચ

વિષયમાં પડયા પ્રાણી, નાના મોટા સહુ બળે ।।પ।। વૈરાગ્યવાન જન

એવું વિલોકી, મુકી વિષય સુખની વાટ । તને મને તપાશિને, ઘણી વાત

બેસારી છે ઘાટ ।।૬।। ખરૂં કર્યું એમ ખોળીને, વણ વૈરાગ્યે વણસાડ ।

રૂડું જાણીને ન રોપીયે, ઘર આંગણે ગરલનું ઝાડ ।।૭।। એમ એક પ્રભુને

પરહરિ, જન જે જે કરે છે ઉપાય । તેમાં સર્વે રીતે સંકટ છે, માની લેજો

જન મનમાંય ।।૮।। પણ વણ વૈરાગ્યે વરતાય નહિ, અને વર્તે તે

વૈરાગ્યવાન । માટે અસત્ય સુખથી મન ઉતારી, ભજે છે જે ભગવાન

।।૯।। શુદ્ધ વૈરાગ્યવાન સાચા, ભકત પ્રભુના ભણિયે । નિષ્કુલાનંદ કહે

તે વિના, બીજા સર્વે સ્વાર્થી ગણિયે ।।૧૦।। કડવું ।।૮।।

પદરાગ રામગરી - શુદ્ધ્‌ વૈરાગ્યે કરી સેવિયે, પ્રેમે પ્રભુના પાય ।

માયિક સુખ ન માગીયે, મોહે કરી મનમાંય; શુદ્ધ૦ ।।૧।। નિષ્કામી

જનની નાથને, સારી લાગે છે સેવ । જે મોક્ષ આદિ નથી માગતા, નથી

તજતા તે ટેવ; શુદ્ધ૦ ।।ર।। સકામ ભકતની શ્રીહરિ, પૂજા પરહરે દૂર ।

જાણે માયિક સુખ માગશે, જડબુદ્ધિ જરૂર; શુદ્ધ૦ ।।૩।। શુદ્ધ વૈરાગ્ય

વિના સમઝો, નર નો’યે નિરાશ । નિષ્કુલાનંદ નિષ્કામથી, રિઝે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

શ્રીઅવિનાશ; શુદ્ધ૦ ।।૪।। પદ ।।ર।।

વૈરાગ્યવાનનું વર્તવું વખાણુંજી, જેને માયિક સુખ સૌ સરખું

જણાણુંજી લોકાલોકે જેનું મન ન લોભાણુંજી, એક હરિચરણે ઠીક મન

ઠેરાણુંજી ।।૧।। ઢાળ - ઠેરાણું ચિત્ત હરિચરણે, તેણે કરી તન સુખ

ત્યાગ છે । સારૂં નરસું સરખું થયું । જેને ઉર અતિ વૈરાગ્ય છે ।।ર।।

ખાતાં ન થાય ખરખરો, જેવું અન્ન જડે તેવું જમે । સુકું લુખું સ્વાદુ

નિરસ્વાદુ, ખાઈને દિન નિગર્મે ।।૩।। જળ દળ ફળ ફૂલ જમી, સદાયે

મને રહે સુખી । વૈરાગ્ય જેને ઉર ઉપજે, તે સહુ વાતે રહે સુખી ।।૪।।

ફાટયાં તુટયાં વિણિ વિથીથી, ઘણા ચીરાની કંથા કરે । શીત ઉષ્ણ

નિવારવા સારૂં, એવી અંગે ઓઢી ફરે ।।પ।। સુવા ન શોધે સાથરો, સુંદર

સુંવાળી જાગ્ય । સમ વિષમ સમ સમઝે, જેને તન સુખનો છે ત્યાગ

।।૬।। રાત દિવસ હૃદયા વિષે, દઢ રે’છે હરિનું ધ્યાન । તેણે કરી નથી

આવતું, અણુભાર અંગે અભિમાન ।।૭।। કોઈક નંદે કોઈક વંદે, કોઈ

ના’પે આપે ખાવા અન્ન । કોઈ ગૃદ પથર ગોબર નાખે, તોય સદા રાજી

રહે મન ।।૮।। એવી વૈરાગ્ય વિનાની વિપત્તિ, કહો કોણ સહિ શકે શરીર

। વેષ લિધે વૈરાગ્યને જાણો, કેમ ધરાયે ધીર ।।૯।। વારિવારિ જાઉં એ

વૈરાગ્યને, જેણે જગસુખ દુઃખ જાણ્યું સહી । નિષ્કુલાનંદ નિરવેદ જેવું,

બીજું હોય તો દેખાડો કહી ।૧૦। કડવું ।૯।

વળી વૈરાગ્યવંતને જાઉં વારણેજી, તનસુખ ત્યાગ્યાં હરિ રાજી

કર્યા કારણેજી । દેહપર્યંત રહ્યા એક ધારણેજી, અહંતા મમતા કાઢી જેણે

બારણેજી ।।૧।। ઢાળ - બારણે કાઢી જેણે દેહબુદ્ધિ, સુધિ વાતને

સમઝ્‌યા સહી । આપે મનાણું આતમા, કહ્યું કલેવર હું કેદિ નહિ ।।૨।।

જડ ચૈતન્ય જાણ્યાં જુજવાં, ચૈતન્ય આપે ચોકસ કર્યું । તેહ વિના ત્રિગુણે

રચિત, તેપરથી મન ઉતર્યું ।।૩।। તેહ દેશે પ્રદેશે પરવરે, કરે ઘર પરનું

કામ । ભૂલ્યે પણ ભાખે નહિ, જે હું નહિ આતમારામ ।।૪।। જેમ

પોતપોતાની જાત્યને, જન જાણે છે મનમાંય । તે સુતાં બેઠાં જાગતાં,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

ભૂલ્યેપણ બીજાું ન મનાય ।।૫।। નારી નર નપુંસકપણું, વળી વિસરે

નહિ કોઇ વિધ । તેમ આતમા રૂપ જાણ્યું આપણું, પ્રગટપણું પ્રસિદ્ધ

।।૬।। એવી વિગતિ થૈ વૈરાગ્યથી, તે ટાળી પણ ટળે નહિ । રાત દિવસની

રીતિયે, સત્ય તે અસત્યમાં ભળે નહિ ।।૭।। સત્ય નિત્ય એક આત્મા,

અસત્ય દેહાદિક આદ । તેમાં નાનાં મોટાં કેને કહિયે, એતો સર્વે સરખી

ઉંટ લાદ ।।૮।। એમ વૈરાગ્યવાનને વરતે, અખંડ એવો વિચાર । કેને

વખાણે કેને વગોવે, દેખે માયિક સુખ એક હાર ।।૯।। વખાણે તો વખાણે

વળી, વિશેષે વૈરાગ્યવંતને । નિષ્કુળાનંદ તનસુખ તજી, જે ભજેછે

ભગવંતને ।।૧૦।। કડવું ।।૧૦।।

ભગવંતને ભજશે નર નિરમોઈજી, જેને હરિવિના વા’લું નથી

કોઈજી । અખંડ રહ્યાછે હરિને જોઈજી, એવા જન જેહ તેહ હરિના

હોઈજી ।।૧।। ઢાળ - હરિના જન તેણે જાણિયે, જે છતિ મતિયે ઉન્મત્ત

રહ્યા । વિવેકી પણ વૈરાગ્યવડ્યે, જાણતાં અજાણ થયા ।।૨।। શ્રવણ છે

પણ નથી સુણતા, દૃગ છે પણ ન દેખે રૂપ । ત્વચા છે પણ નથી જાણતા,

શીત ઉષ્ણનું તે સ્વરૂપ ।।૩।। જિહ્વા છે પણ નથી જાણતા, ષટ રસ ખાવાની

રીત । વળી વચને કરી નથી વદતા, જે જાણી વાણી અનિત્ય ।।૪।। પગ

છે પણ નથી ચાલતા, કર છે પણ ન કરે કામ । નાસા છે પણ નથી

સુંઘતા, સહુ આળસી પામ્યાં છે આરામ ।।૫।। મન બુદ્ધિ ચિત્ત અહંકાર

જે, તે અંતઃકરણ કહેવાય । અતિ થયાંછે આળસુ, અસત્ય મારગ માંય

।।૬।। વૈરાગ્યે લિધિ વર્તિયો વાળીને, સમેટીને સર્વે માંયથી । તે રાખી

હરિના રૂપમાં, તે મુકી બીજે જાતિ નથી ।।૭।। જે પરવરી ગઇતી

પદાર્થમાં, વૃત્તિ થઈ તે વિષયાકાર । તે વાળી પાછી આણી અંતરે, તેતે

નિરવેદથી નિરધાર ।।૮।। નિરવેદ વિના ખેદ પામે, અંતર ને નિરંતર

બા’ર । દેવ અદેવ ને ઋષિ રાજવી, પશુ પન્નગ ને નર નાર ।।૯।। એક

વૈરાગ્ય બીજી વજ્રમણી, તેને તપાવી ન શકે કોઈ તાપ । નિષ્કુલાનંદ

શીતળ સદા, વૈરાગ્ય વજ્રમણી આપ ।।૧૦।। કડવું ।।૧૧।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

વૈરાગ્યવંતને અત્યંત સુખજી, જેની ભાગી ગઇ સર્વે ભુખજી ।

કોઇ વાતનું રહ્યું નહી દુઃખજી, સદાયે રહ્યા છે હરિ સનમુખજી ।।૧।।

ઢાળ - હરિ સનમુખ રહે સદા, જેણે આપદા અળગી કરી । સાજી ન

રાખી શરીરશું, ગયા અહંમમતા માયા તરી ।।૨।। જેમ ચકોરની દૃષ્ટિ

ચંદ્ર મુકી, અરુપરુ પેખે નહી । તેમ વૈરાગ્યવાનની વરતિ, હરિમૂર્તિ

વિના દેખે નહિ ।।૩।। જેમ જળનું ઝષ જળમાં રહે, બા’રે નિસરતાં બળે

ઘણું । તેમ વૈરાગ્યવાનની વરતિ, હરિ વિના સુખ ન પામે અણું ।।૪।।

જેમ અનળ રહે આકાશમાં, તેને ભોમ્યે આવ્યે ભારે દુઃખ છે । શીદ

આવે તે અવનિયે, જેને શૂન્યે રે’વામાંહિ સુખ છે ।।૫।। તેમ વૈરાગ્યવાનની

વરતિ, હરિ મૂર્તિમાંઇ રહે વસી । તેને દેહમાં આવે દુઃખ ઉપજે, જે

વાલમમાં રહી વિલસી ।।૬।। જેમ ભૂપભામિની ભવન તજી, રડવડે

એકલી અરણ્ય । ભવનભવન હીંડે ભીખતી, તેને વદવી વાઘરણ્ય ।।૭।।

તેમ હરિજનની વૃત્તિને, જોઇએ પૂરણ પતિવ્રતાપણું । મહા સુખમય

મૂર્તિ મહારાજની, તે માંહિ ગરક રે’વું ઘણું ।।૮।। પણ બાંધિ અલાબુ

દિયે ડુબકી, તે નિસરે બા’રો નીરથી ।। તેમ હરિમૂર્તિમાં બૂડતાં, સ્નેહ

તોડવો શરીરથી ।।૯।। એટલા માટે જરુર જોઇએ, નરને તે નિરવેદ ।

નિષ્કુલાનંદ કહે તે વિના, મટે નહિ મનને ખેદ ।।૧૦।। કડવું ।।૧૨।।

પદરાગ રામગરી - વા’લિનિધિ તો વૈરાગ્ય છે, જન જાણો જરુર

। તે વિના સર્વે તપાસીયું, રાખે હરિથી દૂર; વા’લિ૦ ।।૧।। અનેક ગુણ

હોય જો અંગમાં, પણ એક ન હોય વૈરાગ્ય । તો તનઅભિમાન ટળે

નહિ, પાળ્યા પય પાઇ નાગ; વા’લિ૦ ।।૨।। કુરકટ ફલને જળે વળી,

મળ માંયેથી જાય । તેમ વૈરાગ્ય ઔષધિ વખાણિયે, પિતાં રોગ પળાય;

વા’લિ૦ ।।૩।। ખોળિખોળિ ખરું કરી, વખાણીયે વૈરાગ્ય । નિષ્કુલાનંદ

જેને ઉપજ્યો, તેનાં જાગીયાં ભાગ્ય; વા’લિ૦ ।।૪।। પદ ।।૩।।

તીવ્રવૈરાગ્યની ધાર છે તિખીજી, નથી કે’વાતું એ વાતને શીખીજી

। કાળજ કંપે છે દિશ એની દેખીજી, મોટપ્ય એની નથી જાતિ લેખીજી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

।।૧।। ઢાળ - લેખી ન જાયે લેશ એની, મોટપ તે માનો સહિ । વણ અંગે

એ વારતા, બરોબર કે’તાં બેસે નહિ ।।ર।। પણ જેના પંડયમાં એ પ્રગટે,

રટે નિરંતર તે રામ । અંતર ઉંડા ઉતરી, સમરે છે સુંદર શ્યામ ।।૩।।

વસ્તી વન ભવનનું, ભીતર રહ્યું નથી ભાન । વીસરી ગઈ છે વાત બીજી,

રે’તાં મૂૃર્તિમાં ગુલતાન ।।૪।। વર્ણ આશ્રમ જાતનું, નથી જાણ પણું જરાય

। નામ રૂપ રંક ભૂપ, નથી મનાતું મનમાંય ।।પ।। કવિ કોવિદ પંડિત

પણું, પરઠતાં પણ પરઠાય નહિ । તે તીવ્ર વૈરાગ્યે નાખ્યું ત્રોડી, એક

હરિમૂર્તિમાં રહી ।।૬।। હાણ વૃદ્ધિને હાર્યા જિત્યા, ખાટ્યા ખોયાનું નથી

ખરૂં । હરિ મૂર્તિમાં વૃત્તિ વળગી, તેણે વિસરી ગયું પરૂં ।।૭।। જેમ ચઢે

ઉંચે કોઇ અંબરે, તેતો ભૂમિ આકાર ભાળે નહિ । તે શુભાશુભ સહુ પર

છે, અસત્ય સત્ય કોઈ કાળે નહિ ।।૮।। જે વસ્તુતાએ વસ્તુ નથી, તે

વસ્તુ કેવી કે’વાય । એમ તીવ્ર વૈરાગ્યવાનને, એમ સે’જે વરતે છે સદાય

।।૯।। તીવ્ર વૈરાગ્ય તેણે કરીને, જગતસુખ જોયામાં નથી આવતું ।

નિષ્કુલાનંદ નાથ મૂર્તિ વિના, બીજું ભૂલ્યેપણ નથી ભાવતું ।।૧૦।। કડવું

।।૧૩।।

તીવ્ર વૈરાગ્ય છે સુખની સીમાજી, અતિ આનંદ રહ્યો છે તેમાંજી ।

અણું એક ભાર નથી દુઃખ એમાંજી, તે તો તેહ જાણે જન પ્રગટયો છે

જેમાંજી ।।૧।। ઢાળ - જેને પ્રગટયો તે જન જાણે, બીજા શું વખાણે

વાણિયે । વણ દીઠે કરે વારતા, તે પૂરી કેમ પ્રમાણિયે ।।ર।। પણ જેના

પંડયમાં પ્રગટયો, તીખો તીવ્ર વૈરાગ્ય । તેહના અંગમાંહિ અજાનો, રે’વા

તે ન દિયે ભાગ ।।૩।। જેમ કંચનને કુંદન કરતાં, તેને જાણજો જોયે તાપ

। તેમ તીવ્ર વૈરાગ્યના તાપથી, શુદ્ધ થાય અંતર આપ ।।૪।। વિશલ્યકર્ણિ

ઔષધિવડે, શલ્ય નિસરી જાયે શરીરથી । તેમ તીવ્ર વૈરાગ્ય તેણે કરી,

જાયે વિષય શલ્ય અચિરથી ।।પ।। જેમ સુરાખારને અરઘે કરી, ગોળી

ગળિને નિસરે બાર । તેમ તીવ્ર વૈરાગ્યના વેગથી, રહે નહિ વિષય વિકાર

।।૬।। સુખ દુઃખના શલ્ય શરીરે, ક્ષણુંક્ષણુંએ ખટકે ખરાં । તે તીવ્ર

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

વૈરાગ્યના વેગ વિના, પંડયમાંથી ન થાય પરાં ।।૭।। સુતાં બેઠાં ચાલતાં,

શલ્ય સૂક્ષ્મ ૦સણકા કરે । તે બૃહત વૈરાગ્ય વિના, કોયેથી પણ નવ

નિસરે ।।૮।। બા’રના દરદની ઔષધિ, કાષ્ટ ધાતુની કે’વાય છે । પણ

તીવ્ર વૈરાગ્ય ટાળી, અંતર દુઃખ કાંયે જાય છે ? ।।૯।। તીવ્ર વૈરાગ્ય તન

મનને, શોધિને કરે છે શુદ્ધ । નિષ્કુલાનંદ એ સુખનિધિ છે, એમ કે’છે

સંત સુબુદ્ધ ।।૧૦।। કડવું ।।૧૪।।

બૃહત વૈરાગ્યની વાત છે મોટીજી, તે વિના સર્વે સમઝણ ખોટીજી

। શીદને મરીયે એમાં શિર કૂટીજી, બા’ર હૈયાની આંખ્ય કેમ ફૂટીજી

।।૧।। ઢાળ - ફૂટી આંખ્ય અંતરની, તે સુખ દુઃખ સુઝે નહિ । વૈરાગ્ય

વિના વાત સુધિ, બુઝાવતાં બુઝે નહિ ।।૨।। બૃહત વૈરાગ્ય વિના કોણ,

બેઠો ઠાઉકો ઠરીને । વૈરાગ્ય જાણો વિપ્ર વિવા’માં, હાથોહાથ સોંપે હરિને

।।૩।। જેમ જુવતિને પતિ પામવા, જોયે બીજો કરતલ મેળાપ । તેમ જનને

જગદીશ મળવા, બૃહત વૈરાગ્ય મેળવે આપ ।।૪।। પ્રથમ પે’લાં કામ

પડે, હરિ વરવા બૃહત વૈરાગ્યનું । જેણે કરી પિયુ પામિયે, વામીયે મેણુ

દૂવાગનું ।।૫।। વર વર્યા વિના વનિતા, કોયે સુખ ન પામે સુંદરી । મોર્યે

કહ્યાં સુખ મોટાં મોટાં, પામે વૈરાગ્યવાન વરતાં હરિ ।।૬।। વર વરવા

ઇચ્છા કરે, તો આપે જરીનો એહ । તૈયે જરૂર વર એને વરશે, એહ

વાતમાં નથી સંદેહ ।।૭।। ચોકસ ઓઢિ જેણે એ ચુંનડી, અખંડ વરની

અંગ । એવા જન જે જગ્તમાં, તેનો રહી ગયો રૂડો રંગ ।।૮।। પ્રથમ કહ્યાં

એવાં સુખ પામવા, બૃહત વૈરાગ્યમાં છે જો વડાઇ, તેહ વિના તોળિ

તપાસું, સુખ ના દીઠું કહું ક્યાંઇ ।।૯।। વારમવાર વિચારી કરી, મોટપ્ય

વૈરાગ્યની લૈ લખી । નિષ્કુલાનંદ કહે નરને, નથી સુખ બૃહત વૈરાગ્ય

પખી ।।૧૦।। કડવું ।।૧૫।।

બૃહત વૈરાગ્ય છે વણમૂલું ઘરેણુંજી, સર્વથી સરસ સદા સુખદેણુંજી

। પે’રતાં ઉતરે માથેથી ભવ મે’ણુંજી, તે પામિયે હોય પૂરણ જો લે’ણુંજી

।।૧।। ઢાળ - પૂરણ લે’ણે એ પામિયે, અંગે એવું આભૂષણ । તે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

શોભાડે સર્વે રીતશું, પમાડે પ્રભુ તતક્ષણ ।।૨।। જેજે શોભ્યા આ

જગ્તમાં, તેતો સર્વે એ ઘરેણે ઘણું । પણ શુદ્ધ વૈરાગ્ય વિના સુર નરનું,

પાણી ન રહ્યું મુખતણું ।।૩।। વૈરાગ્ય વિના આ વિશ્વમાં, અન્ય શોભાએ

જે શોભ્યા ઘણા । વણ વૈરાગ્યે જક્ત કર્તા હર્તા, લાગ્યા અતિશે

લજામણા ।।૪।। શુદ્ધ વૈરાગ્યે શોભા ઘણી, હરિજનની જાણો જરૂર ।

વૈરાગ્ય વિના લાગે વરવું, એ પણ વિચારવું ઉર ।।૫।। વૈરાગ્યવાન

વા’લા હરિને, સામું જોઇને સરાયે અતિ । વણ વૈરાગ્યવાન વિલોકિને,

હરિ રાજી નથી થાતા રતિ ।।૬।। શુક ભરત સનકાદિક શોભ્યા, બૃહત

વૈરાગ્ય ઘરેણે ઘણું । જનક જયદેવ કદરજનું કહું, મુખ લાગ્યું સોયામણું

।।૭।। જો ધરો તો અંગે ધરજો, શુદ્ધ વૈરાગ્યરૂપ શણગાર । તો હેતે કરિ

હરિ રીઝશે, નિશ્ચે જાણો નિરધાર ।।૮।। કોઇ સો સો શણગાર સજે

શરીરે, કાછ શૃંખલા કથિરના । પણ કંચન વિના કેમ કહિયે, એ

શોભાડનારા શરીરના ।।૯।। તેમ સારામાં સારૂં ઘરેણું, સુવર્ણ કહે

શિરોમણિ । નિષ્કુલાનંદ બૃહત વૈરાગ્યની, મોટપ્ય નથી જાતિ ગણી

।।૧૦।। કડવું ।।૧૬।।

પદરાગ રામગરી - તીવ્ર વૈરાગ્ય તડોવડ્યે, ના’વે સો સો સાધન

। જપ તપ તીર્થ જોગ જે, કરે કોઇ જન જગન; તીવ્ર૦ ।।૧।। દાન પુણ્ય

પાળે કોઇ ધર્મને, ગાળે હિમાળે તન । પ્રભુ પ્રસન્ન કર્યા કારણે, જગમાં

કરેછે જન; તીવ્ર૦ ।।૨।। પણ બૃહત વૈરાગ્ય વિના વાયદા, પ્રભુ પામવા

કાજ । અવર બીજા ઉપાયથી, રાજી નો’યે મહારાજ; તીવ્ર૦ ।।૩।। બૃહત

વૈરાગ્યથી નથી વેગળા, અલબેલો અવશ્ય । નિષ્કુલાનંદ નજીક છે, બૃહત

વૈરાગ્યને વશ્ય; તીવ્ર૦ ।।૪।।

જેને ઉર ઉપજ્યો બૃહત વૈરાગ્યજી, તેનાં ઉઘડીયાં મહા મોટાં

ભાગ્યજી । નથી એવો લાભ બીજો કહ્યા લાગ્યજી, જે થકી જડેછે

મહાસુખમાં જાગ્યજી ।।૧।। ઢાળ - મોટિ જાગ્ય જડેછે જનને, તેતો

જાણજો બૃહત વૈરાગ્યવડ્યે । તે વિના તપાસિયું પણ, વાત નથી બેસતી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

ઘડ્યે ।।૨।। તીવ્ર વૈરાગ્ય તો ઉપજે, જો કૃપા કરે જગદીશ । કાંતો તેના

જન મળે, વૈરાગ્ય-વાન મુનિશ ।।૩।। હરિકૃપા વિના હોય નહિ, પામવા

બૃહત વૈરાગ્ય । કાંતો બૃહિ જન હરિના મળે, તો વાત ન રહે કહ્યા લાગ્ય

।।૪।। તેહ વિના બૃહત વૈરાગ્યની, આશા ન રાખવી ઉર । જેમ વણ વુંઠે

વરસાતને, વળી ના’વે નદીયે પૂર ।।૫।। જેમ નર નારી વિના ન નીપજે,

બાળક તે બીજી પેર । તેમ બૃહત વૈરાગ્ય તો ઉપજે, જો હરિ હરિજન

કરે મે’ર ।।૬।। જેમ પાથ પૃથ્વી બે વિના, કહું કદી ન ઉપજે અન્ન । તેમ

તીવ્ર વૈરાગ્ય તો ઉપજે, જો મળે હરિ કે હરિના જન ।।૭।। તે વિના તીવ્ર

વૈરાગ્યનો, નથી ઉપજવા ઉપાય । માટે હરિ હરિજનને, સેવીને કરવા

સા’ય ।।૮।। જેહ પામવા ઇચ્છે કોઇ પ્રાપતિ, તેને અણગર્જુ ન રે’વું અંગ

। દાસના દાસ થઇ રહી, રહિયે વૈરાગ્યવાનને સંગ ।।૯।। શુદ્ધ સંતથી એ

સંપત્તિ, બૃહત વૈરાગ્યની મળે વળી । નિષ્કુળાનંદ તો તન મનના, વિકાર

સર્વે જાયે ટળી ।।૧૦।। કડવું ।।૧૭।।

બૃહત વૈરાગ્ય છે અનુપમ અતિજી, એહ સમાન નથી કોઇ

સંપત્તિજી । તેતો સંત સા’યે થાયે પ્રાપતિજી, તો તેને કષ્ટ રહે નહિ રતિજી

।।૧।।

ઢાળ - રતિ કષ્ટ તેને કેમ રહે, જેને થાય મોટાની મે’ર । સંત

શ્રીહરિ સિંધુની જેને, ઢળી વળી આવી લે’ર ।।૨।। જેમ રતનાકારમાં

રતન મોતી, અમૂલ્ય છે અતિ ઘણાં । પણ તન મન અરપ્યા વિના, કેદિયે

ન થાય આપણાં ।।૩।। સિંધુતીરે શે’ર વસેછે, બીજાં પણ બહુ ગામ । તે

લુણ શંખલા સહુ લિયે, રત્ન મોતીનું ન પુછે નામ ।। ૪।। રત્ન મોતી મળે

મોટી મે’નતે, વણ મે’નતે મળતાં નથી । માટે સહુ કોઇએ સમઝી,

મેલ્યાં ઉતારી મનથી ।।૫।। પણ હરિ સાગર છે સુખના, નથી કોઈ વાતની

એમાં ખોટ । તેમાં નિષ્કામી માગે નિરવેદને, સકામ માગે માયાસુખ

મોટ ।।૬।। નિષ્કામ વિના નિરવેદ નિધિ, રુચતી નથી રતિભાર । સાકરથી

પણ સારો લાગ્યો, ખાવા સોમલખાર ।।૭।। તેતો હરિજનને જોવી નહિ,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

પ્રાકૃત પ્રાણીની રીત । સેવવા શ્રીભગવાનને, માગવો વૈરાગ્ય ચિત્ત ।।૮।।

વૈરાગ્ય અંતરેથી જો ઉતરે, તો, ડોકાં કાઢી રહ્યાંછે દુઃખ । આવે ધાઇ તે

ઉરમાંઈ, રે’વા ન દિયે સુખ ।।૯।। માટે વા’લો કરી વૈરાગ્યને, રાખવો

તે રુડી રીત । નિષ્કુલાનંદ એ નરની, તો જરુર જાણો થાયે જિત ।।૧૦।।

કડવું ।।૧૮।।

બૃહત વૈરાગ્ય વિના જન વારમવારજી, જુજવા જુજવા જીવ ધરે

અવતારજી । દેવ દાનવ માનવમાં બહુવારજી, નિગમે ન થાય તેનો

નિરધારજી ।।૧।। ઢાળ - નિરધાર ન થાય નિગમે, એટલા લિધા અવતાર

। વૈરાગ્ય વિના વપુ ધર્યાનો, આવ્યો નહિ વળી પાર ।।૨।। કૈકવાર સત્ય

લોક પામ્યો, કૈકવાર પામ્યો કૈલાસ । કૈકવાર ઇન્દ્રપદવી પામ્યો, તોયે ન

ટળી વિષય સુખ આશ ।।૩।। કૈકવાર સુરપુર પામ્યો, વિબુધકન્યા વિમાન

। કૈકવાર ભૂમાં ભૂપતિ થયો, કૈકવાર થયો ધનવાન ।।૪।। કૈકવાર સુર

દાતાર થયો, કૈકવાર પુરાણી પંડિત । કૈકવાર પ્રશ્ન ઉત્તરથી, કરી પોતાની

જિત ।।૫।। કૈકવાર ગુણ ગવૈયો થયો, જ્ઞાની ધ્યાની કોવિદ ને કવિ ।

કૈકવાર જાણ પ્રવીણ થયો, થયો અર્થ જાણતલ અનુભવી ।।૬।। એમ

અનેકવાર પામિયો, ભોમે વ્યોમે અવતારને । પણ એક ન પામ્યો

વૈરાગ્યને, ત્યારે શું પામ્યો જન સારને ।।૭।। જેમ મોટા શહેરના

મોટલિયા, ઉપાડે કાચ કે વળી કોયલા । ખાતાં ન ખવાયે કાળપ થાયે,

એ કાળા ધોળા જાણો નથી ભલા ।।૮।। પણ એવું ઇચ્છેછે સહુ અંતરે,

નથી ઇચ્છતા આવવા વૈરાગ્યને । તેણે કરીને જનનાં, નથી ઉઘડતાં ભારે

ભાગ્યને ।।૯।। એમ સર્વે વાતો તો ખરી કરી, પણ બૃહત વૈરાગ્ય માર્ગ

નવ જડ્યો । નિષ્કુલાનંદ કહે શું થયું તાડતળે રહ્યો કે ટોચે ચડ્યો ।।૧૦।।

કડવું ।।૧૯।।

સર્વે વાતનું શોધી લીધું સારજી, નથી કોઇ બૃહત વૈરાગ્યની હારજી

। અંતર વિચારિયું વારમવારજી, શુદ્ધ વેરાગ્ય તો સૌને પારજી ।।૧।।

ઢાળ - શુદ્ધ વૈરાગ્ય પાર સહુને, નથી એથી અધિક કોઇ એક । વાંધો ન

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

રહે કોઇ વાતનો, જો આવી ઉપજે ઠીકોઠીક ।।૨।। શાસ્ત્ર સર્વે સાંભળ્યાં,

તેમાં છે ચ્યાર પ્રકારની વાત । ધર્મ અર્થ કામનું કહ્યું, માંહી મોક્ષનું પણ

સાક્ષાત ।।૩।। પણ બૃહત વૈરાગ્ય વિસ્તાર વિના, થોડે ઠેકાણે લખ્યો

લહી । પણ તીખા તીવ્ર વૈરાગ્યની, વાત પુરી પુરાણે નવ કહી ।।૪।। ખાન

પાન વળી વિષય સુખનું, ઠામોઠામ સ્થાપન કર્યું । હરખ શોકને હાર્યા

જિત્યા, એ સાંભળતાંમાં શું સર્યું ।।૫।। આખી અવનિમાં એકનું, કહ્યું

ઉદય અસ્તલગી રાજ । સુખ દુઃખ તેનાં સુણતાં, કહો શું સરિયું કાજ

।।૬।। આખા જગતમાં એવી વાતો, ઘરોઘર ઘણી ગવાયછે । પણ નર

અમર નિશાચર, બૃહત વૈરાગ્યને કોઇ ચા’યછે ? ।।૭।। વૈરાગ્ય માગવો

વિકટ છે, જેમ નાખવો કળેજે હાથ । જીવવા ન દિયે જીવથી, રે’વા ન

દિયે કોઇનો સાથ ।।૮।। જેને મરવાનું હોય મનમાં, તે માગજો બૃહત

વૈરાગ્ય । તે અક્ષરથી આણી કોરે, રે’વા ન દિયે જાગ્ય ।।૯।। એતો

મરજીવાનો માર્ગછે, હોય મરજીવા તે માંડે પગ । નિષ્કુલાનંદ એ જેને

પ્રગટે, તેને સર્વે ચડી જાયે સગ ।।૧૦।। કડવું ।।૨૦।।

પદરાદ ગરબી - સગ્ય ચડિ જાયેરે શુદ્ધ વૈરાગ્યથીરે, શું કહું બૃહત

વૈરાગ્યની વડાઈરે । તીવ્ર વૈરાગ્યરે તેવડ્યે તનમાંરે, કસર રે’વા ન દિયે

કાંઈરે; સગ્ય૦ ।।૧।। તીવ્ર વૈરાગ્યરે તિખી તરવાર છે, અતિશે સજેલ

આકરી ધારરે । અડતામાં કરેરે સરવે વેગળુંરે, લેશ ન રે’વા દિયે

સંસારરે; સગ્ય૦ ।।૨।। એક હરિ વિનારે કરે બીજું અળગુંરે, તેની ઘણી

લાગે નહિ વળી વારરે । એવો ઉપાયરે અવર એકે નથીરે, શું કહિયે

વર્ણવી એહની હારરે; સગ્ય૦ ।।૩।। અતિમોટે ભાગ્યેરે જાગે એહ

અંતરેરે, જેને હોયે પૂરણ પુણ્યનો જોગરે । નિષ્કુલાનંદરે કહે તેના

મનમાંરે, રે’વા ન દિયે રતિયે રોગરે; સગ્ય૦ ।।૪।। પદ ।।૫।।

બૃહત વૈરાગ્ય વર્ણવ્યો બહુવિધિજી, અતિશય મોટપ્ય એહની

કિધિજી । પ્રભુ પ્રસન્ન કરવા એ છે નૌત્તમ નિધિજી, સદા સુખકારી એ

જાણો પ્રસિદ્ધિજી ।।૧।। ઢાળ - પ્રસિદ્ધ પ્રભુને પામવા, એવી નથી બીજી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

મીરાંથ । સરવે અંતરાઈ અળગી કરી, આપે હરિના હાથમાં હાથ ।।૨।।

જે હરિ સિંધુ સર્વે સુખના, સદા સર્વદા સુંદર શ્યામ । જેને પામી ન રહે

પામવું, પામી થવાયે પૂરણકામ ।।૩।। તેહ પ્રભુને પમાડવા, શુદ્ધ વૈરાગ્ય

છે વળાવો વળી । તેહ પો’ચાડે હરિ હજાુરમાં, મુખોમુખ દિયે મેળવી

।।૪।। પછી તે હરિજનને જાણજો, વિઘન સર્વે વિરમ્યાં । મળતાં

શ્રીમહારાજને, દૈહિક દુઃખ સર્વે શમ્યાં ।।૫।। કમી ન રહી કોઈ વાતની,

પામ્યા પૂરણ પુરુષોત્તમ । સુંદર સાકાર મૂરતિ, અતિ રુપાળી રુડી રમ્ય

।।૬।। તે પ્રભુની પાસે દાસ, વાસ કરીને રહે સદાય । બીજાું ન ઇચ્છે

અંતરે, ઇચ્છે ભક્તિ કરવા મનમાંય ।।૭।। ભક્તિ વિના ભાવે નહિ,

ભૂલ્યે પણ ભિંતર મોઝાર । સર્વે પ્રકારે સમઝે, ભક્તિ સારમાં સાર

।।૮।। ભક્તિએ કરી હરિ રીઝવે, રિઝે સુખદ શ્રીમહારાજ । ત્યારે ખામી

રતિ પણ નવ રહે, પામે સર્વે સુખનો સમાજ ।।૯।। ભાવે ભરી કરે ભગતિ,

અતિ આનંદ આણી ઉર । નિષ્કુલાનંદ તેની ઉપરે, હરિ રાજી થાયે જરૂર

।।૧૦।। કડવું ।।૨૧।।

જરૂર હરિ રિઝવવા માટજી, ભક્તિ કરવી તે શિશને સાટજી ।

તેહ વિના વાત તે ન બેસે ઘાટજી, સમઝી વિચારી લેવી એ વાટજી ।।૧।।

ઢાળ- સમઝી વિચારી ઘનશ્યામની, ભક્તિ કરો ભાવે ભરી । ભાવ

વિનાની ભક્તિયે, રાજી નહિ થાયે શ્રીહરિ ।।૨।। ભક્તિ કરવી

ભગવાનની, સમાપર રહી સાવધાન । સમા વિનાની જે ભગતિ, અતિ

જાણો કરેછે જ્યાન ।।૩।। સમે સેવિને સુખ લૈયે, વણ સમે સરે નહિ

કામ । તે સમો મનમાં સમઝી, રે’વું હરિ હજાુર કરભામ ।।૪।। સમે

સામું જોઇ રે’વું શ્યામને, જોવી કર નયણ નિશાન । સમાપર તતપર

થઇ, કરવી ભક્તિ તે નિદાન ।।૫।। એક પગભર ઉભાં આગળે, હાથ

જોડિને રે’વું હજાૂર । જેમ કહે તેમ કરવું, કરી ડા’પણ આપણું દૂર ।।૬।।

વળી જેમ વાળે તેમ વળવું, તજી દેવી તનમન તાણ । અન્ય ભરોંસો

અળગો કરી, થઇ રે’વું હરિના વેચાણ ।।૭।। ભક્ત તેજ જે ભક્તિ કરે,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

જોઇ મરજી જગદીશની । મરજી ન લોપે મહારાજની, એહ રીતિ સમઝો

શિષ્યની ।।૮।। મોટે ભાગ્યે ભેટે ભગતિ, પ્રગટ પ્રભુ પરમાણની । તેહ

વિનાની જે ભગતિ, તેતો મત મમતના તાણની ।।૯।। કરિયે તો કરિયે

સમઝી, પ્રગટ પ્રભુજીની ભગતિ નિષ્કુલાનંદ કહે તે વિના, નથી નરને

કોઇ પ્રાપતિ ।।૧૦।। કડવું ।।૨૨।।

ભક્તિ હરિની સહુથી અતિ સારીજી, જનને કરવી તે મનમાં

વિચારીજી । હિતની વાત હૈયામાંયે ધારીજી, તક જોઇ રે’વું તરત

તૈયારીજી ।।૧।। ઢાળ - તૈયાર રે’વું તક ઉપરે, પ્રસન્ન કરવા પ્રગટને ।

શીત ઉષ્ણ વરસાતનું, સહી શરીરે સંકટને ।।૨।। સેવા કરતાં સેવકને,

પંડ સુખ સામું પેખવું નહિ । સમે સમાજ સારે સેવવા, તે વિના સુખ

લેખવું નહિ ।।૩।। તકે દાતણ તકે નાવણ, તકે પે’રાવવાં અંબર । તકે

ભોજન વ્યંજન કરી, જમાડવા શ્યામસુંદર ।।૪।। સમે ચંદન ચરચવું,

સમો જોઇ પે’રાવવા હાર । સમે આભુષણ અંગમાં, પે’રાવવાં કરીને

પ્યાર ।।૫।। સમે ઉતારવી આરતી, સમે કરવી સ્તુતિ કરજોડ । સદા દિન

આધિન રે’વું, કે’વું બક્ષજો ગુન્હા પ્રભુ ક્રોડ ।।૬।। સમે પ્રભુને પોઢાડવા,

સમે નાખવો પંખે પવન । સમે ચરણ ચાંપવાં, એમ કરવા પ્રભુ પ્રસન્ન

।।૭।। સમો જોઇ સેવકને, તતપર રે’વું તૈયાર । મન કર્મ વચને કરી,

કરવી સેવા કરી બહુ પ્યાર ।।૮।। જે ટાણે ગમે જેમ નાથને, તેહ ટાણે

કરવું તેમ । જે ન ગમે જગદીશને, અણગમ્યું ન કરવું એમ ।।૯।। એવા

અતિ સુતર જન જે, તે કરે પ્રભુને પ્રસન્ન । નિષ્કુલાનંદ કહે નાથના, એ

કહિએ સાચા સેવક જન ।।૧૦।। કડવું ।।૨૩।।

ભક્તિમાં ભાર ભારે છે બહુજી, કેટલીક મોટપ મુખે હું કહુંજી ।

તમે વિચારી જુઓ જન સહુજી, એહ મોટપને ઉપમા શી દઉંજી ।।૧।।

ઢાળ - દઉં શી એને ઉપમા, ભક્તિ બરોબર બીજું નથી । તે ભક્તિ

પ્રભુ પ્રકટની, કહી નથી પરોક્ષની કથી ।।૨।। પામી પ્રભુ પ્રગટને, જેણે

લીધો છે મોટો લાવો । મોટો લાભ મળી ગયો, ટળી ગયો પૂરણ દાવો

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

।।૩।। તેને તોલે ત્રિલોકમાંહી, ના’વે કોઇ નિરધાર । સમે સમે સુખ

પામિયાં, પ્રભુ પ્રગટના ભજનાર ।।૪।। પ્રગટ ભક્તિ વ્રજ વાસીયે કરી,

પરોક્ષ ભક્ત અજ અમરેશ । જેવું સુખ ગોપી ગોવાળ પામિયાં, તેવું ન

પામિયા વિધિ ઇશ ।।૫।। પ્રગટ ભજી ઋષિ પતની, પરોક્ષ ભજ્યા

ઋષિરાય । ઋષિપત્નીએ હરિ રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપ માંય

।।૬।। પ્રભુ પ્રગટના પ્રસંગ વિના, રહી ગઇ એવા મોટાને ખોટ । આજ

કાલના અભાગિયા, દિશ વિના દિયે છે દોટ ।।૭।। પ્રગટ વિના છે પાંપળાં,

ભક્ત કરે છે ભવમાંય । ખરા ખાંડતાં કુસકા, કણ નહિ નિસરે તે માંય

।।૮।। હરિ લાડીલા લાડુ જમી ગયા, કેડે પડ્યાં રહ્યાં પતરાવળાં । જેથી

ભુખ ન જાય સુખ ન થાય, વણ સમજે ચાટે છે સઘળાં ।।૯।। દન્તી ગયા

દાંત રહ્યા, કેમ ભાગે કોટ કમાડ । નિષ્કુલાનંદ પરોક્ષ ભક્તિને, પ્રિછજો

એહ પાડ ।।૧૦।।કડવું।।૨૪।।

પદરાગ ગરબી - પરોક્ષ ભક્તરે પામે નહિ પ્રાપતિરે, જીવની

જરાય જંપે નહિ ઝાળરે, પૂરણ થયાનીરે પ્રતીતિ નવ પડેરે, સંશયવત

રહે સદા કાળરે; પરોક્ષ૦ ।।૧।। મુખોન્મુખરે મળ્યા નથી માવજીરે,

કેવા હરિ જાણી કરશે ધ્યાનરે । રૂપ અનુપમરે કેવું હૃદે રાખશેરે, જેને

અણ દિઠે છે અનુમાનરે; પરોક્ષ૦ ।।૨।। અણ મળ્યાનીરે અંતરે

આગન્યારે, પાળશે કઇ પેરે કરી પ્રીતરે । ધર્મને નિમરે કેમ દ્રઢ ધારશેરે,

જે નથી જાણતા હરિની રીતરે; પરોક્ષ૦ ।।૩।। વણ દીઠે વાતરે વદને શું

વદશેરે, નથીઆવ્યા દયાળુ દીઠામાંયરે । નિષ્કુલાનંદરે ન મળેલ

નાથનારે, તેણે ધર્મ નિ’મ ન રહે કાંયરે; પરોક્ષ૦ ।।૪।। પદ ।।૬।।

ધર્મ દૃઢરાખશે હરિના મળેલજી, જે જન તન મન સુખમાં ન

ભળેલજી । માયિક સુખથી પાછા વળેલજી, તેહને એ વાત સુધિ છે

સહેલજી ।।૧।। ઢાળ - સુધી સહેલ એ વાત છે, ધર્મ પાળવો દૃઢ મને ।

ધર્મ મુકીને કામકોઇ, કરવું નહિ કોઇ દને ।।૨।। ધર્મે બોલવું ધર્મે ડોલવું,

ધર્મે જોવું દૃષ્ટે કરી । સુતાં બેઠાં જાગતાં, ધર્મ નેમ રહેવું ધરી ।।૩।। ધર્મે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

હાલવું ધર્મે ચાલવું, ધર્મે લેવું ને દેવું વળી । ધર્મે રહેવું ધર્મે કહેવું, ધર્મે

લેવી વાત સાંભળી ।।૪।। ધર્મે ખાવું ધર્મે પીવું, ધર્મ વિના ન ભરવા પાવ

। કરે કરવું કામધર્મનું, ધર્મે કરવો તન નિભાવ।।૫।। સર્વે કામ ધર્મે કરવાં,

ધર્મ મુકી ન કરવું કાંઇ । સર્વે કાળે એમ સમઝી, રે’વું સદાય ધર્મ માંહી

।।૬।। ધર્મ મુકીને કારજ કોયે, કેદી ન ઇચ્છે કરવા । કરી એવી અચળ

મતિ, તે રતિ ન દિયે ફરવા ।।૭।। દેહપર્યંત ડોલવું નહિ, ધર્મ ધાર્યા છે

તેહ માંયથી । ટેક નેક ન તજવી, સદા ર’ેવું હરિ આજ્ઞાયેથી ।।૮।। ધર્મે

થાય તે ઠીક છે, રહિયે અધર્મ થકી અળગા । એવા જન થઇ હરિના,

રહિયે હરિને વળગા ।।૯।। સુખ દુઃખના સમૂહમાંહી, મુઝાઇ ધર્મ મુકવો

નહિ । નિષ્કુલાનંદ કહે નિશ્ચે કરી, ધાર્યો ધર્મ તે ચુકવો નહિ

।।૧૦।।કડવું।।૨૫।।

ધર્મ રાખે તેહ ધર્મી કા’વેજી, ધર્મ વિના જેને બીજું ન ભાવેજી ।

સુતાં બેઠાં ગુણ ધર્મના ગાવેજી, ધર્મવિના બીજું નજરે નાવેજી ।।૧।।

ઢાળ - ના’વે બીજું કાંઇ નજરે, ધર્મ વિના વળી કોઇ ધન । ધર્મ ગયે જે

ધન મળે, તે જાણો થયું વિઘન ।।૨।। ધર્મ ગયે ધરા ધામ મળે, ધર્મ ગયે

મળે સુત વામ । ધર્મ ગયે ખાન પાન મળે, તે કરવું સર્વે હરામ ।।૩।। ધર્મ

ગયે સુખ સંપત્તિ મળે, ધર્મ ગયે મળે રાજપાટ । ધર્મ ગયે મોટપ મળી,

બળી વળી સઇ થઇ ખાટ ।।૪।। ધર્મ ગયે વસ્ત્ર મળે, આસનને વાહન

વળી । ધર્મ ગયે સનમાન મળે, એહ આદિ સર્વે જાજો બળી ।।૫।। ધર્મ

ગયે જો તન રહે, તો તનને પણ ત્યાગવું । જીવવાનું જાતું કરીને, હરિ

પાસે મરવાનું માગવું ।।૬।। ધર્મ ગયે સર્વે ગયું, ગયું નીરનળી નાક તણું

। માટે મુકી નિજ ધર્મને, ન કરવું મુખ લજામણું ।।૭।। ધર્મવિના સુર

અસુર નરનાં, સર્વેનાં શાહી સમ મુખ થયાં । ધર્મવિના ધરા અંબરમાંહી,

મોટપ માન કેનાં રહ્યાં ? ।।૮।। ધર્મ વિનાનું ધિક જીવવું, જન જાણજો

જગમાંઇ । દેવ ઇચ્છિત દેહ આવીયો, પણ કામ ન આવિયો કાંઇ ।।૯।।

ધર્મ વાળા પર ધર્મના સુત, રે’છે રાજી રળીયાત । નિષ્કુલાનંદ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

ધર્મવાનની, શું કહિયે વર્ણવી વાત ।।૧૦।।કડવું।।૨૬।।

પરમ ધર્મ કહિયે સારમાં સારજી, સંત સરાયે જેને વારમવારજી

। નથી કોઇ આવતું ધર્મની હારજી, ધર્મ તે ધારી કહું નિરધારજી ।।૧।।

ઢાળ - નિરધાર સાર શોધિ કહું, ધારી લેજો ધર્મની રીત । જે ધર્મે

અધર્મે ટળે, કહું તે ધર્મ કરી પ્રીત ।।૨।। ધર્મ તે ધર્મસુતનાં વચન, તેહ

પાળવાં પ્રીતે કરી । જેને જેમ કરી આગન્યા, તે ફેરવવી નહિ ફરી ।।૩।।

આગન્યાથી અધિક બીજો, નથી આવતો ધાર્યામાંય ધર્મ । તોળી તપાસી

જોયું તને મને, એજ ધર્મ છે વળી પર્મ ।।૪।। ત્યાગી ગૃહી જન જેહને,

કરી જેને તે જેમ આગન્યા । તેને તેમ તે વર્તવું, નવ વર્તવું વચન વિના

।।૫।। વચનમાં જેહ વરતે, તેહ પરમ ધર્મ પાળનાર । વચન વિરોધી જેહ

વરતે, તે સર્વે ધર્મ ટાળનાર ।।૬।। અવિનાશીની જે આગન્યા, તે સમજવું

શુદ્ધ ધર્મને । ધારી વિચારી રાખી હૃદયે, તો પામિયે સુખ પરમને ।।૭।।

વર્ણ આશ્રમ વેદવિધિનાં, ધર્મ પાળે છેએ ધરા ઉપરે । વે’વાર અર્થે

વિવિધ ભાતે, પાળે છે તે બહુ પેરે ।।૮।। પણ પરમ ધર્મ છે વા’લાનાં

વચન, તે કહ્યાં જેને કૃપા કરી । તેહ વિના બીજાં સર્વે, પરાં મુકવાં પરહરી

।।૯।। મોટો ધર્મએ માનવો, જે કહ્યો ધર્મને બાળ । નિષ્કુલાનંદ

મુખોમુખનાં વચન, ન ઉલ્લંઘવાં કોઇ કાળ ।।૧૦।।કડવું।।૨૭।।

પરમ ધર્મે કરી હરિને ગમવુંજી, ગમતું જોઇને દેહને દમવુંજી ।

તેમાં સુખ દુઃખ આવે તે ખમવુંજી, ભૂલી બીજી વાતે કદી ન ભમવુંજી

।।૧।। ઢાળ - ભમવું નહિ ભોળાપણે, રે’વું આગન્યાને અનુસાર । સર્વે

ધર્મ તેણે સાચવ્યા, નિશ્ચે કરી નિરધાર ।।૨।। આગન્યામાં વશ્ય અહોનિશ

રહી, જેમ વાળે તેમ વળવું । તર્ક ન કરવો તને મને, શ્રદ્ધાએ સેવામાં

ભળવું ।।૩।। જેમ કહે તે જગદીશ જીભે, તેમ કરે તે કર ભામીને । કેડે ન

રહ્યું તેને કરવું, બેઠા પરમ ધર્મ પામીને ।।૪।। બેસ કે તો બેસવું, ઉઠ્ય

કહે તો ઉઠવું વળી । ચાલ્ય કહે તો ચાલવું, સુણી વચનને જાવું મળી

।।૫।। બોલ્ય કહે તો બોલવું, રહે મુન્યકહે તો રે’વું મુન્ય । આગન્યાથી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

ઉપરાંત બીજું, જાણવું નહિ પાપ પુન્ય ।।૬।। જેણે વચનમાં રે’વાનું દૃઢ

કર્યું, તેણે ધર્મ ધર્યા છે સઘળા । તેહ વિના બીજા ધર્મ તે તો, પાપની

પ્રજળી પળા ।।૭।। શુદ્ધ ધર્મ શ્રીમુખની વાણી, કહી છે જેને કરૂણા કરી

। એવી રીતે રૈ’યે તૈ’યે, જાણો શુદ્ધ ધર્મ રહ્યા ધરી ।।૮।। ધર્મ ધર્મ સહુ

કોઇ કહે, પણ ધર્મમાં બહુ મર્મ છે । પ્રગટ પ્રભુનાં વચન પાળે, એથી

મોટો કોઇ ધર્મ છે ? ।।૯।। હરિ કહે તેમ હાથ જોડી, ચોકસ કરવા છે

ચિત્તમાં । નિષ્કુલાનંદ તેમાં સમ વિષમને, ધારવું નહિ ધર્મની રીતમાં

।।૧૦।।કડવું।।૨૮।।

પદરાગ ગરબી - ધર્મ છે ધામરે સર્વે સુખનુંરે, રાખજો જન કરી

જતનરે । ધર્મ ધારીનેરે સંત સુખી થયારે, વા’લપે વરત્યા હરિને વચનરે;

ધર્મ૦ ।।૧।। વચન વિના રે ધોખે નથી ધારતારે, માનતા નથી ધર્મ માંહી

માલરે । બીજા જે ધર્મરે જેવાં બોર બગાંમણાંરે, લાગે જંબુકને મન

લાલરે; ધર્મ૦ ।।૨।। એવા ધર્મ અન્યરે જાણીને ઉરથીરે, મેલી છે મનથી

ઉતારી વાતરે । રાજા રૂષિનુંરે શ્રવણે સાંભળ્યુંરે, સુખ સારૂં દુઃખ પામ્યા

સાક્ષાતરે; ધર્મ૦ ।।૩।। શુદ્ધ સાચોે ધર્મરે શ્રીમુખે સાંભળીરે, વળગી

રહ્યા છે વચન માંઇરે । નિષ્કુલાનંદરે જ્ઞાની તેને ગણવારે, કરવું ન રહ્યું

તેને કાંઇરે; ધર્મ૦ ।।૪।।

ધર્મ રાખે તે ધર્મી કે’વાયજી, ધર્મ વિના જેણે પળ ન રે’વાયજી ।

ધર્મ જતાં સુખ સર્વે જાયજી, ધર્મ રહે છે એવા જનમાંયજી ।।૧।। ઢાળ -

એવા જનમાં ધર્મ રહે, જે માહાત્મ્ય જાણે મહારાજનું । મહા મોંઘો

મેળાપ જેનો, ક્યાંથી થાય સર્વ શિરતાજનું ।।૨।। નર અમર અમરેશને

અગમ, અગમ ઇશ અજને ઘણું । પ્રકૃતિ પુરૂષથી પર રહ્યા, ક્યાંથી

મળવું થાય તેને આપણું ।।૩।। સર્વે ધામના ધામી એ સ્વામી, વળી અનંત

બ્રહ્માન્ડના આધાર । ક્ષર અક્ષરના આતમા, પૂરણ સહુને પાર ।।૪।।

તેહ પ્રભુ પ્રગટ થઇ, નાથે ધરીયું નરતન । એવા પ્રભુનાં આપણે, કહો

ક્યાંથી મળે વચન ।।૫।। મોટા મોટા ઇચ્છે છે મનમાં, આગન્યા સારું

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

ઉરમાંય ।એવા પ્રભુની આગન્યા, મળવી મોંઘી સહુને સદાય ।।૬।। તેહ

હરિ કૃપા કરી કે’છે, વળી વા’લપનાં વચન । તે પડવા ન દેવાં પૃથવીએ,

લેવાં ઝીલી અધરથી જન ।।૭।। જેમ મોરપત્ની બીન્દુ આવતાં, રત્યે

લીયે છે રસ ભરેલડાં । તેનો મયૂર થાય તદવત, થાય પડતાં બીંદુનાં

ઢેલડાં ।।૮।। તેમ આવતાં વચન વા’લા તણાં, ગ્રહિ લિયે નર ગરજુ થઇ

। તે પૂરણ પામે પ્રાપતિ, ફરી ફેરવણી રહે નહિ ।।૯।। સર્વે કામ તેણે

સારીયું, વળી ધાર્યા સર્વે ધર્મ । નિષ્કુળાનંદ કહે નકી થયું, જેણે જાણ્યો

આટલો મર્મ ।।૧૦।।કડવું।।૨૯।।

મર્મ મોટો એ સમઝવો મનજી, તેમાં ફેર ન પાડવો કોઇ દનજી ।

જતને જાળવવાં જેમ જાળવે રતનજી, ક્યાંથી મળે પ્રગટ પ્રભુનાં વચનજી

।।૧।। ઢાળ - વચન ન મળે વા’લા તણાં, તેમ દર્શન પણ છે દોયલાં ।

તેહ મૂર્તિ મુખોન્મુખ મળી, સર્વે કામ થઇ ગયાં સોયલાં ।।૨।। અંગો

અંગ અવલોકિને, નખશિખ જોયા નાથ નિરખી । એથી પર નથી પામવું,

એમ હૈયામાં ધારવું હરખી ।।૩।। જે ધારતાં રૂપ જન જાણજો, નથી

આવતું ધ્યાનીના ધ્યાનમાં । તે પ્રભુ પ્રગટ મળ્યા, શી કસર રહી કહો

જ્ઞાનમાં ।।૪।। જ્ઞાની તેને ગણીયે, જેને હરિ મૂર્તિનું જ્ઞાન છે । તે વિના

બકવાદ બીજે, એ જાણજો મોટું જ્યાન છે ।।૫।। જેણે નથી જોયા નાથને,

નજરો નજર નયણાં ભરી । તે કેવા કહેશે શ્રીકૃષ્ણને, અટકળને અનુમાને

કરી ।।૬।। જ્ઞાન વિના જ્ઞાની નહિ, જ્ઞાન હોય તેને જ્ઞાની કહિયે । સોણે

સાધ્યા નથી હરિની, તો કેમ જાણશે જાગશે તૈયે ।।૭।। તેજ જ્ઞાની તેજ

તત્ત્વવેત્તા, જેણે પ્રગટ પ્રભુને પેખીયા । તે વિના રખે જ્ઞાની ગણો, જેણે

હરિ નયણે નથી દેખીયા ।।૮।। ભણેલે ભાળ્યા ન હોય નાથને, અણભણેલે

હોય અવલોકિયા । જાુવો વિચારી જીવમાં, એમાં જ્ઞાની અજ્ઞાની કેને

કહ્યા ।।૯।। જ્ઞાની તે જેને ગમ્ય હરિની, એમ સમજવું એહ સાર છે ।

નિષ્કુળાનંદ કહે તેહ વિના, બીજું સર્વે અસાર છે ।।૧૦।। કડવું ।।૩૦।।

સારમાં સાર હરિની મૂર્તિજી, તેમાં જેણે રાખી મન ચિત્ત વૃત્તિજી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

। હરિ વિના બીજે રાખે નહિ રતિજી, તે ખરા સંત કહિયે મહામતિજી

।।૧।। ઢાળ - મહામતિ તે સંત ખરા, મૂકે નહિ મહારાજની મૂરતિ ।

અખંડ રાખે ઉર વિષે, જાણી કમાણી મોટી અતિ ।।૨।। ચર્ણ જાુવે તો

ચર્ણ જોઇ રહે, ચિન્હ જાુવે તો જોઇ રહે ચિન્હ । નખ જાુવે તો નખ જોઇ

રહે, રહે ગર્ક મહાજળે જેમ મીન ।।૩।। ફણા ઘુંટી પેનીને પેખી, લેખે

જંઘા જોઇ તે સંત સુખ । જાનું ઉરુને જોઇ રહે, જોતાં કટી મટી જાય દુઃખ

।।૪।। ઉદર નાભીને નિરખે, પેટ છાતી જાુવે પ્રેમે કરી । કંઠ તિલક કપોળ

જોઇ, રાખે હરિ મૂર્તિ ભાવે ભરી ।।૫।। શ્રવણ નયણ નાસિકા જોઇ,

ભ્રકુટિ ભાલનેભાળી રહે । શિશે કેશ સુંદર વેષ, નિખશિખ રૂપ નિહાળી

રહે ।।૬।। એમ અખંડ એક વરતિ, મૂર્તિને મુકતી નથી । જેમ સરિતા

સાગર માંઇ, સન્મુખ ચાલતાં ચુકતી નથી ।।૭।। અંગો અંગ અવલોક્યા

વિના, અણું અજાણ્યું પણ છે નહિ । સાંગોપાંગ સર્વે સુંદર, હરિ હૈયામાં

ગયા રહી ।।૮।। તેજ જ્ઞાની તેજ ધ્યાની, જેને અખંડ રહેછે એમ ઉર । જે

જનને પ્રભુની મૂરતિ, રે’તી નથી અંતરથી દૂર ।।૯।। એથી ઉપરાંત અન્ય

બીજા, જ્ઞાની તે કેને ગણીયે । નિષ્કુળાનંદ એ ખરા જ્ઞાની, બીજા ભવે

ભળ્યા જ્ઞાની ભણીયે ।।૧૦।। કડવું ।।૩૧।।

જ્ઞાની તેહ જેને હરિની ગમજી, નથી જેને નાથની મૂર્તિ અગમજી

। નખશિખા નિરખી કરી છે સુગમજી, ના’વે કોઇ એવા સંતની સમજી

।।૧।। ઢાળ - સંત સમાન તે શું કહિયે, જેને અખંડ મૂર્તિ છે ઉર । જોઇ

જોઇ જોયું જીવમાં, એની જોડ્યે ન જડ્યું જરૂર ।।૨।। કામદુઘા કહું શી

કલ્પતરૂ, કહું નવનિધિ સિદ્ધિ સમિત । પારસ કહું કે ચિંતામણી, વજ્રમણી

ઘણી કહું સિત ।।૩।। અર્કમણી કે કહું ઇંદુમણી, ઘણી ઉપમા દઉં અમૃતની

। જે જે કહુ તે જોખે ભર્યાં, આપું ઉપમા કઇ પ્રતની ।।૪।। જેણે અંતરમાં

અખંડ રાખ્યા, અલબેલોજી અવિનાશ । રાજી થઇને હરિ રહ્યા, દોષે

રહિત દેખી નિજ દાસ ।।૫।। જેમ પંચાનની પય રે’વા પાત્ર, જોઇએ

સોળવલું સુવર્ણ । એમ હરિને રે’વાતણું, શુદ્ધ જનનું અંતઃકર્ણ ।।૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

જેમ જગજીવનના જળને, જાણો નથી રહેતું ખામા વિના ખમી । તેમ

હરિજનનું અંતર, ગયું છે હરિને ગમી ।।૭।। જે સુગંધી રહી છે

શ્રીખંડમાંય, રહ્યો ઇક્ષુમાંહિ જેમ રસ । તેમ હરિજનમાંહિ હરિ, હળિ

મળિ રહ્યા એકરસ ।।૮।। જેમ ચમક ઉત્તર મુખનો, રહે ઉત્તર દિશપર

મુખ । તેમ હરિ હરિજન સામા રહે, સદાયે આપવા સુખ ।।૯।। એમ

સાચા સંતની સન્મુખ, સદાય રહે છે શ્રીહરિ । નિષ્કુળાનંદ કહે કાચા

કોયે, ન હોયે સુખિયા એ સુખે કરી ।।૧૦।। કડવું ।।૩૨।।

પદરાગ ગરબી - સુખ અંતરે રે સંત સાચા ભોગવેરે, કાચાને

નાવે કેદિયે કામરે । જેમ સાજો જમેરે સુંદર સુખડીરે, માંદાને મગ ઉદકે

આરામરે; સુખ૦ ।।૧।। ચંદનની વાસેરે અલિ અલમસ્ત છેરે, મક્ષિકા

દેખી રહે છે દૂરરે । ગોળનું ગાડુંરે ગીંગાને ગમે નહિરે, જેને પ્રિત

૭પુરિષશું ભરપુરરે; સુખ૦ ।।૨।। કુમુદિની કેદિરે ન પામે સુખ સૂરથીરે,

ચકવાં કેદિ ચંદ્ર ન ચા’યરે । ઘણું અજવાળુંરે ઘુડને ગમે નહિરે, કોચવાઇ

ગરે તે કોતર માંયરે; સુખ૦ ।।૩।। એમ સંત અસંતનીરે જાણો રૂચી

જુજવીરે, સંત ભજે તજે તેને અસંતરે । નિષ્કુલાનંદરે નકી એ વારતારે,

સમઝી લેવું એવું સિદ્ધાંતરે; સુખ૦ ।।૪।। પદ ૮ ।।

સિદ્ધાંત વાત સંત સાચે જાણીજી, મન કર્મ વચને પૂરી પ્રમાણીજી

। સુખરૂપ સમજીને ઉરમાંયે આંણીજી, એવા સંતની કહું એંધાણીજી

।।૧।। ઢાળ - એંધાણી કહું એવા સંતની, જેને માયિક સુખ થયાં ઝેર ।

કામ ક્રોધ લોભ કડવા થયા, થયું વિષય સુખશું વેર ।।૨।। જક્તનાં સુખ

જોઇને, જેને અંતરે થયાં છે અળખામણાં । રૂડા જાણી નથી રીઝતા, છે

અવલ પણ ઇંદ્રામણાં ।।૩।। તે થોડે ખાધે થોડું દુઃખ છે, ઘણું ખાધે દુઃખ

થાય ઘણું । જેમ ચિરોડી ચુનાની ચપટીયે, ગયું ભૂખદુઃખતે કીયાતણું ?

।।૪।। જેમ શોખે રાખે કોઇ સિંહને, પાળતાં પૂરણ પાપ છે । એમ

ભવસુખને ભોગવતાં, મહા મોટો સંતાપ છે ।।૫।। એવું થયું છે

અળખામણું, હરિવિના બીજું હરામ । મુક્તિ આદિ નથી માગતા, એવા

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

સંત છે નિષ્કામ ।।૬।। વૈરાગ્યે ચિત્ત વાસીત છે, ભક્તિ ભાવે ભર્યું છે

ભીંતર । ધર્મમાં પણ દૃઢ મતિ છે, છે જ્ઞાનનું પણ ઘર ।।૭।। શુભ ગુણ

કૈ’યે જે સંતના, તે આવી વસ્યા છે ઉરમાં । તેણે કરી જન તને મને, સૂધા

વરતે છે સુરમાં ।।૮।। તેની દૃષ્ટે તન અભિમાની, ગીડર નર ગમતા નથી

। જોઇ સ્વભાવ એ જીવનો, અભાવ રહે છે ઉરથી ।।૯।। તે શું મન

મેળવતાં મળે નહિ, ભેળું ભળતાં પણ ન ભળાય । નિષ્કુલાનંદ તે નોખા

રહે, તોય તેલને ન્યાય ।।૧૦।। કડવું ।।૩૩।।

સંત અસંતની રીત જુજવીજી, ભેળાં ન ભળે જેમ રાતને રવિજી ।

એમ કહે છે સૌ અનુભવીજી, વિધે વિધે વાત તેની કહું વર્ણવીજી ।।૧।।

ઢાળ - વર્ણવી તેની વાત કહું, હરિદાસ અદાસ દોઇની । રાગી ત્યાગીની

રીત ભેળી, ભળે નહિ કોઇ કોઇની ।।૨।। એક સુખ ઇચ્છે શરીરનાં,

એક ન ઇચ્છે સુખ શરીરનું । એક ઇચ્છે નિરસ અન્નને, એક ખાવા

ઇચ્છે ખીરનું ।।૩।। એક ઇચ્છે પુરાણું પટ પે’રવા, એક ઇચ્છે અંબર

નવીન । એક ઇચ્છે અંતરે રે’વા ઉજળા, એક રહે મને મલીન ।।૪।। એક

ઇચ્છે લેવા સુખ લોકનાં, એક લોકસુખ તે લેખે નહિ । એક ઇચ્છે માયિક

મોટપ્યને, એક માયિક મોટપ્યને દેખે નહિ ।।૫।। એક ઇચ્છે જગજાણીત

થાવા, એક ઇચ્છે થાવા અછતું ઘણું । એક ઇચ્છે માન વધારવા, એક

ઇચ્છે નિરમાનીપણું ।।૬।। એક ઇચ્છે છે પદાર્થ પામવા, એક કરવા

ઇચ્છે છે ત્યાગ । એક ઇચ્છે છે અલ્પ સુખને, એકને અલ્પસુખ છે આગ

।।૭।। એક ઇચ્છે રે’વા અરણ્યમાં, એક ઇચ્છે વસ્તીમાંહિ વાસ । એક

ઇચ્છે વિષયસુખ માણવા, એક એ સુખથી છે ઉદાસ ।।૮।। એમ ભક્ત

અભક્તના ભાવને, જુદા જાણજો જરૂર । એકને ન ભળવું ભીડમાં,

એકને રે’વું હરિશું હજુર ।।૯।। એમ દાસ અદાસ દોયને, ભેળું રે’વામાં

ભારે રોળ છે । નિષ્કુલાનંદ નથી કે’વાતું, પણ તપાસે દુઃખ અતોળ છે

।।૧૦।। કડવું ।।૩૪।।

અતોળ રોળ રહ્યા દેહદર્શિને સાથજી, જે રાત દિન ગાય દેહ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

સુખની ગાથજી । તેહ વિના વાત નથી આવી બીજી હાથજી, તે કેમ

કરશે પ્રસન્ન નરનાથજી ।।૧।। ઢાળ - નાથ પ્રસન્ન કેમ કરશે, જેને સેવા

કરવી છે શરીરની । તેને ભાવે નહિ બીજું ભીંતરે, મર વાત હોય સુખ

શિરની ।।૨।। દેહને અર્થે દાખડો, રાત દિવસ કરે છે રહ્યો । જરાય ન કરે

જીવ અર્થે, તેને ઉપદેશ આપવો શિયો ।।૩।। શરીર સારૂં સાચવી રાખે,

સર્વે સુખ તણો તે સમાજ । પણ જે જે કહે જીવ અરથે, તેનો તરત કરી

દીયે તાજ ।।૪।। અન્ન અંબર સુંદર જોઇ, સારાં જાણી રાખે સાંચવી ।

કાલે આવશે કામ મારે, એમ ઇચ્છા ઉરમાં નિત્ય નવી ।।૫।। તુચ્છ વસ્તુ

પણ ત્યાગી ન શકે, ત્યારે કેમ ત્યાગશે મનવાંછિત । એ ત્યાગી નથી વેષ

છે ત્યાગીનો, તેની પડે શી પ્રતીત ।।૬।। ગોળ તજી ખાય છે ખોળને, તૂપ

તજી ખાય છે તેલ । તે પણ કોપલ કણજીતણું, ભુંડી ગંધે દુઃખનું ભરેલ

।।૭।। એવાં સુખ શરીરનાં, લેવા સારૂં વિસાર્યા નાથ । તેને સંગે વૈરાગ્યવંત

સંત, કેમ કરી રહી શકે સાથ ।।૮।। ભ્રમર ગિંગો ભેળા થયા, આશય

અન્યો અન્યનો અળગો । ભ્રમર કમળ ભાળી રહ્યો, ગિંગો ગોબરવાડે

વળગો ।।૯।। એમ સંત અસંત ભેળા રહે, પણ નોખા છે એક એકથી ।

નિષ્કુલાનંદ કહે એ નથી છાનું, કે’વરાવો છો શું કથી ।।૧૦।। કડવું

।।૩૫।।

કથી નથી કે’વાતું કડવું લગાડીજી, ચોખા ચોખું ચોકસ પાંતિયા

પાડીજી । આવે અવસરે જે વરતે છે અનાડીજી, તેને કે’તાં ડરતાં રે’વાએ

દાડીજી ।।૧।। ઢાળ - દાડી રે’વાયે ડરતાં, સાચું કે’તાં ઉપજે ક્લેશ ।

જેને આઠે અંગે તો કુસંગ છે, છે સતસંગનો તો વળી લેશ ।।૨।। જેેેેેમ

નર્તક નર નારી થયો, પણ ઘર કેનું ચલાવશે । તેને જાણે છે જે યોષિતા,

એ વાત બંધ કેમ બેસસે ।।૩।। વૈરાગ્યહીન ભક્તિહીન, અને ધર્મ તો

ધરથી નથી । તેને વાતો ત્યાગની, શીદ કહીને મરીયે મથી ।।૪।। ઝાઝું

કે’તાં જોખો ઉપજે, તેને કે’વું તે કળે કળે । સે’જે સે’જે કામ સારવું, પણ

બહુ તો ન બોલવું બળે ।।૫।। જેમ સિંહ સમિપે બકરી, તે બીતી બીતી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

બોલિ શકે । તેમ અનાડી નરને આગળે, કેમ બોલાય વણ તકે ।।૬।।

જેમ કાળા સરપના કંડિયા, તે ઢાંકી રાખવા ઢાંકણે । તેને ઉઘાડતાં દુઃખ

ઉપજે, રખે ઉઘાડતા ભોળાપણે ।।૭।। જેમ સાવજનું સાધુપણું, મર્કટ

મુખે લીધા લગે । તેમ અસાધુ સાધુ થઇ, સાધુને સેવાએ ઠગે ।।૮।। એ

પણ વાત ઓળખવી, અતિ રે’વું નહિ અજાણ । જેમ વ્યાઘ્ર લોટે ઉંટ

આગળે, પણ લઇ લેવાછે પ્રાણ ।।૯।। ખરી વાત એ ખોટી નથી, સાચી

માનજો સર્વે સહી । નિષ્કુલાનંદ કહે નથી કહ્યું, અંતરમાં ઇર્ષ્યા લઇ

।।૧૦।। કડવું ।।૩૬।।

પદરાગ ધોળ - સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત ।

દયા રહી છે જેના દલમાં, નથી ઘટમાં ઘાત; સંત૦ ।।૧।। જેમ જનનીને

હૈયે હેત છે, સદા સુતને સાથ । અરોગી કરવા અર્ભકને, પાયે કડવેરા

કવાથ; સંત૦ ।।૨।। જેમ ભમરી ભરે ભારે ચટકો, પલટવા ઇયળનું

અંગ । તેમ સંત વચન કટુ કહે, આપવા આપણો રંગ; સંત૦ ।।૩।।

જાણો સંત સગા છે સહુના, જીવ જરૂર જાણ । નિષ્કુલાનંદ નિર્ભય કરે,

આપે પદ નિર્વાણ; સંત૦ ।।૪।। પદ ।।૯।।

નિર્વાણ પદમાં પો’ચાડે સંતજી, જે કોઇ દિલના દયાળુ અત્યંતજી

। જેને એક ઉર રહ્યા ભગવંતજી, તેણે કરી સદાય છે શુભ બુદ્ધિવંતજી

।।૧।। ઢાળ - શુભ બુદ્ધિવાળા સંત જેહ, તેહ સહુના સુખદાય છે । તેથી

દુઃખ ન ઉપજે, જે સુરતરૂ સમ કે’વાય છે ।।૨।। જેમ વિટપ બહુ

પરમારથી, પરમારથી પાથ ને પૃથવી । ઘન પવન પરમારથી, તેમ

પરમારથી રાકેશ રવિ ।।૩।। જેમ તરૂ સુખદાયિ તેહથી, ફુલ ફળ દલ

શાખા મળે । વળી શીતળ કરે છાયા વડે, તેમ સર્વે સંકટ સંતથી ટળે

।।૪।। જેમ જળ હરે મળ જનના, વળી પાન કર્યે હરે પ્યાસ । તેમ સંત

સુખ સહુને કરે, વળી હરે તન મન ત્રાસ ।।૫।। જેમ ભૂમિ પરમારથી

ભણિયે, ઠામધામ ધાતુ આવે કામ ।

તેમ સંત પરમારથી સમઝો, સર્વે પ્રાણીના છે સુખધામ।।૬।। જેમ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

મેઘ જીવાડે છે મેદિની, જેમ અર્ક કરે છે ઉજાસ । જેમ શશિ કરેછે

શિતળતા, તેમ સંત સહુના સુખ નિવાસ ।।૭।। જેમ પંચભૂતના પદાર્થથી,

સર્વે સુખી રહે છે સંસાર । તેમ સંત અલૌકિક સુખના, જાણી લિયો

જરૂર આપનાર ।।૮।। સાચા સંતથી સરી ગયાં, કૈક જીવોનાં કાજ ।

એવા સંતને સેવવા, અવસર આવીયો છે આજ ।।૯।। જો મનાય તો મને

માનજો, છે અતિ અર્થની વાત । નિષ્કુલાનંદ નકી કહે, સુખ થાવાની એ

સાક્ષાત ।।૧૦।। કડવું ।।૩૭।।

સાક્ષાતકાર જેને મળિયા છે સ્વામીજી, તેણે કરી અંતરની વેદના

વામીજી । ભાગી ગઇ ખોટ રહિ નહિ ખામીજી, તે તો પ્રભુ પ્રકટ પ્રમાણને

પામીજી ।।૧।। ઢાળ - પામી પ્રભુ પ્રગટને, જેમ ઓછપ ન રહી અંગ ।

નખશિખ નિષ્પાપ છે, પ્રભુ પ્રગટને પ્રસંગ ।।૨।। શ્રીહરિના શબ્દ

સાંભળ્યા, છે એના એજ બે કાન । પ્રગટ પ્રભુનો સ્પર્શ કર્યો, છે તેની તે

ત્વચા નિદાન ।।૩।। જેણે પ્રગટ રૂપને પેખીયું, છે એનાં એ બેઉ નેત્ર ।

જેણે વાલ્યમ શું વાતો કરી, છે એની એ જીહ્વા પવિત્ર ।।૪।। પ્રગટ પ્રભુને

ચડ્યું જે ચંદન, વળી સુગંધી સુમનના હાર । તેની વાસ લીધેલ નાસિકા,

છે તેમની તેમ નિરધાર ।।૫।। જે પ્રગટ પ્રભુના પ્રેર્યા થકા, ચાલ્યા છે

જેહ ચરણ । તેના તે બેઉ પાવ છે, એવા સંત જે સુખકરણ ।।।૬।। જે કરે

કરિ હરિ સેવિયા, પાયાં પાણી જમાડ્યાં અન્ન । તેના તે બેઉ બાહુ છે,

પ્રભુ સ્પરશના જેહ પાવન ।।૭।। એમ અંગોઅંગે અવિનાશને, સ્પર્શી

કર્યાં છે પવિત્ર । તેને તોલે ત્રિલોકમાં, આવે અંગ કેમ ઇત્ર ।।૮।। એવા

સંત સંસારમાં, પછી જોતાં પણ જડશે નહિ । માટે હળિમળિ હેત કરો,

તે વિના પાર પડશે નહિ ।।૯।। બીજા ગુણવાન તો ઘણા મળશે, પણ

નહિ મળે હરિના મળેલ । નિષ્કુલાનંદ એવા સંત સંબંધે, અનંતનાં પાપ

બળેલ ।।૧૦।। કડવું।।૩૮।।

એવા શુદ્ધ સંતનો સુખદાયી સંબંધજી, જેણે કરી છૂટે ભારી ભવ

બન્ધજી । માયિક સુખનો ન રહે ગંધજી, ઉઘડે અનુભવ આંખ્ય ન રહે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

અંધજી ।।૧।। ઢાળ - આંખ્ય ઉઘડે અનુભવની, તે તો સાચા સંત જનને

સંગે । ઉતરે મેલ માયાતણો, ચિત્ત રંગાઇ જાય હરિને રંગે ।।૨।। તે સંત

મળેલ શ્રીહરિના, પ્રભુ પ્રગટના પ્રમાણ । જે અર્સ પર્સ પામી પૂરણ છે,

સહુ સમજી લેજો સુજાણ ।।૩।। જે પારસ સ્પર્શે લોેેહને, તેમાં લોહપણું

લેખવું નહિ । એ સાંગોપાંગ સુવર્ણ છે, આકારે અન્ય દેખવું નહિ ।।૪।।

તેમ જે સંતને સ્પર્શ્યા શ્રીહરિ, તે સંત એ સર્વે શુદ્ધ છે । એમાં અનન્ય

ભાવ આણવો નહિ, એજ સારી સુબુદ્ધ છે ।।૫।। જેમ ચંદન વાસે વૃક્ષ

બીજાં, ચંદન સરીખાં થાય છે । તેમ શ્રીહરિના સંબન્ધથી, સંત કલ્યાણ

કારી કે’વાય છે ।।૬।। જેમ જાહ્નવી જળ જળ ગ્રામનું, સ્પર્શીને કરેછે

પાવન । તેમ પ્રગટ પ્રભુના સ્પર્શથી, જાણો જાહ્નવીરૂપ હરિજન ।।૭।।

એવા સંતને સંબન્ધે, દોષ કલંક થાય છે દૂર । શુદ્ધ થઇ જન સર્વે અંગે,

પો’ચે હરિ સમીપે હજુર ।।૮।। સંત બહુ બીજા સંસારમાં, તેને તોલે રખે

ત્રેવડો તમે । હંસ ને બક બરોબર બેઉ, સમજવા નહિ કોઇ સમે ।।૯।।

જેમ ચક્રવર્તી ભૂપાળબાળને, ગરીબ કંગાલ ગણવો નહિ । નિષ્કુલાનંદ

એ નરેશ છે, ભૂલે બીજો એ ભણવો નહિ ।।૨૦।। કડવું ।।૩૯।।

સંત સમર્થ છે શ્રીહરિ સેવીજી, આપું એને ઉપમા નથી કોઇ

એવીજી । અનુપમને ઉપમા સમજો શી દેવીજી, એ પણ વાત છે વિચાર્યા

જેવીજી ।।૧।। ઢાળ - વિચાર્યા જેવી છે એ વારતા, જે આપવી સંતને

ઉપમા । શા સરખા સૂચવિયે, જેને જક્ત સુખની નથી તમા ।।૨।। સિંધુને

શા સરિખો કહું, અતિ ઉંડો ને ઘણો ગંભીર છે । તોલ માપ થાપ થાતો

નથી, જેનું અતિ અગાધ નીર છે ।।૩।। જો તીખો અર્ક તપે ઘણું, પણ

અણુંભાર ઉનો નવ થાય । તેને સમ સર સરિતા વાપી, કૂપ કેમ કહેવાય

।।૪।। તેમ સંત ગંભીર ગરવા ઘણું, તપે નહિ ત્રણે તાપે કરી । અતિ

પરમારથી પ્રાણધારીના, શોક સંશય સર્વે લિયે હરિ ।।૫।। જેમ મહા

અર્ણવ ઉલ્લંઘવા, નથી ઉપાય બીજો નાવ વિના । તેમ સંસાર પાર કરવા,

જાણો સંત અજર ઝાઝ બન્યા ।।૬।। જેમ ચિંતામણિમાં ચૌદ લોકની,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

રકમ સર્વે રહિ છે । તેમ સાચા સંતમાં સમઝો, કહો કમી તે સઇ છે ?

।।૭।। મોટે ભાગ્યે કરી મળ્યે માનો, સાચા સંતનો સમાગમ । તો તેણે

કરી મહા સુખ પામે, વળી વામે વેળા વિષમ ।।૮।। સર્વે વાત સુધરી, જો

થાય એવા સંતશું પ્રિત । નૂન્ય ન રહેતેહ જનને, જાણો જોરે થઇ જાય

જીત ।।૯।। પાર આવી જાય સર્વે પંથનો, વળી સરી જાય સહુ કામ ।

નિષ્કુલાનંદ શુદ્ધ સંત સેવ્યાથી, પમાયે પૂરણ પરમ ધામ ।।૧૦।। કડવું

।।૪૦।।

પદરાગ ધોળ - અનુપ સંતને આપું ઉપમા, એવું નથી જો એક ।

જોઇ જોઇ જોયું મેં જીવમાં, કરી ઉંડો વિવેક; અનુપ૦ ।।૧।। સ્વર્ગ મૃત્યુ

પાતાળમાં, શોધે ના’વે સંતને તોલ । દીઠાં સુણ્યાં તે તો દોષે ભર્યાં, સંત

અતિ અમળ અમોલ; અનુપ૦ ।।૨।। સાતે દૃષ્ટાન્તે સહુ સુચવી, કહે

કવિ જન કોય । સરે સાર તેમાં શોધતાં, સંત સમ નહિ સોય; અનુપ૦

।।૩।। જેવા સંત એ કહિયે શિરોમણિ, તેવા હરિ સહુ શિરમોડ ।

નિષ્કુલાનંદ નિહાળતાં, ન જડે એ બેની જોડ; અનુપ૦ ।।૪।। પદ ।।૧૦।।

જોડ્ય નથી જડતી જગમાંયે જોતેજી, ઘણી ઘણી રીતે ઘટમાં ગરી

ગોતેજી । બીજા અવતારના અવતારી પોતેજી, આપે આવિયા સર્વે

સામર્થી સોતેજી ।।૧।। ઢાળ - સર્વે સામર્થી સહિત આવ્યા, અલબેલોજી

આણીવાર । પોતાના પ્રતાપથી, કર્યો અનેક જીવનો ઉદ્ધાર ।।૨।। ખગ

મૃગ નર નિરજર, ભૂત ભૈરવ પામ્યા ભવપાર । સ્થાવર જંગમ જાતની,

આણે સમે લીધી છે સાર ।।૩।। દૈવી આસુરી દોયને, તાર્યા આણી સમે

અગણીત । ન જોઇ કરણી કોઇની, એવી નવી વર્તાવી રીત ।।૪।। તમોગુણી

રજોગુણી તારીયા, સત્ત્વગુણીને આપિયાં સુખ । શરણાગતને આ સમે,

રે’વા દીધું નહિ દુઃખ ।।૫।। જે જન કોઇ પ્રકારે કરીને, ઉદ્ધરવાનો આઝો

નહિ ।એવા જન ઉદ્ધારીયા, તેની મોટપ કેમ જાયે કહી ।।૬।। ધર્મ રહીત

ભક્તિ રહિત, વળી વૈરાગ્ય જેને છે વેરવી । એવા પામર નર પાર કર્યા,

એવી વર્તાવી વાત નવી ।।૭।। તૃણ કાષ્ઠ ને તુંબડાં તારે, એવાં વા’ણ તો

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

હોયે ઘણાં । પણ લોહ પાષાણને તર ઉતારે, એહ નાવમાં નહિ મણા

।।૮।। તેમ દૈવી મુમુક્ષુ જીવ તારે, તેનું આશ્ચર્ય શું જાણીયે । પણ આસુરી

પામર નર તરે, તેથી વાત બીજી શું વખાણિયે ।।૯।। આ સમાના

અવતારની, મોટપ મુખે કે’વાતી નથી । નિષ્કુલાનંદ કહે જન મને,

વિચારી જુવો વિધવિધથી ।।૧૦।। કડવું ।।૪૧।।

આ સમે સરીયાં જેવાં જનનાં કાજજી, એવાં ન સરીયાં વિચારીયું

આજજી । આ સમે સોંપિયા જે સુખના સમાજજી, અલૌકિક સુખ લોકે

આપ્યું મહારાજજી ।।૧।। ઢાળ - અલૌકિક સુખ આ લોક માંયે,

અલબેલેજીયે આપિયું । ધ્યાન ધારણા સમાધિનું સુખ, આપી માયિક

દુઃખ કાપિયું ।।૨।। અલૌકિક સુખ અવલોકીને, જન આશ્ચર્ય પામે ઉર ।

અનેક ધામ ધામી સહિત, હરિયે દેખાડ્યાં હજુર ।।૩।। પર પોતાના

ઘાટને, હરિ દેખાડે મૂર્તિમાન । મન બુદ્ધિ ચિત્ત અહંકાર જેહ, તે નજરે

નિરખે નિદાન ।।૪।। સર્વે અંગે સમેટીને, લાવે એક અંગમાં પ્રાણ । પછી

દેહ તે જડવત રહે, જેવું સુકું કાષ્ટ પાષાણ ।।૫।। પછી બાળો કાપો કોઇ

દેહને, તેને દુઃખ નહિ તલભાર । એવો અગણીત આ સમે હરિયે દેખાડ્યો

ચમત્કાર ।।૬।। ષટ્‌ ઉર્મિ ક્ષોભ નવ કરે, હરે ફરે કરે કાંઇ કામ । એવી

આશ્ચર્ય વારતા, ઘણી દેખાડી ઘનશ્યામ ।।૭।। ભૌતિક દેહ ભૂમિ

વ્યોમમાં, કરે પાણીમાં પણ પ્રવેશ, । આડ્ય રહિત અટકે નહિ, નવ રહ્યું

આવરણ લેશ ।।૮।। એવી અનંત રીત અલૌકિક આણી, જાણી નો’તી જે

જગમાંઇ, અતિ સામર્થી વાલે વાવરી, નથી કહ્યે જાતી તે કાંઇ ।।૯।।

અનેક અવતાર આગે ધર્યા, તે તો પોતાના જન કારણે । નિષ્કુલાનંદ

સહજાનંદ પ્રભુપર, વારી વારી જાયે વારણે ।।૧૦।। કડવું ।।૪૨।।

વારી વારી જાઉં વાલમજી મારાજી, આજશોભ્યા છો સૌથી

સારાજી । પ્રાણજીવન ઘનશ્યામ છો પ્યારાજી, નિજજનને મહાસુખના

દેનારાજી ।।૧।। ઢાળ - સુખ દેવાને શ્રીહરિ, પ્રભુ પ્રગટ થયા તમે આજ

। મહા સુખમય મૂર્તિ ધરી, કર્યાં અનેક જનનાં કાજ ।।૨।। આગે મત્સ્ય

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

ક્ચ્છ વરાહ વપુ, થયા નરહરિરૂપે નાથ । કર્યાં કારજ નિજજનનાં, પણ

સેવી સુખી ન થયો જનસાથ ।।૩।। વામન રૂપને ધરી હરિ, કર્યું બલિ

રાજાનું કામ । એ પણ રૂપ અનુપમ હશે, પણ સંતે સેવી ન કરી પૂરી

હામ ।।૪।। પરશુરામે ફરશી ફેરવી, કરી ભૂપ રહિત ભૂમિકા । તેને પણ

સત્વગુણી સંત, સેવી સુખ નવ લઇ શક્યા ।।૫।। રામ પ્રભુ તે રાજા

થયા, તેને ગરીબ કેમ પૂજી શકે । દુર્બળ જાયે કોઇ દર્શને, તો દ્વારપાળે

મારે ધકે ।।૬।। કૃષ્ણરૂપે અનુપ આપે થયા, કર્યાં અનેક જીવનાં કાજ ।

પણ એમનું એમ રાખ્યું નહિ, પછી થયા રાજઅધિરાજ ।।૭।। બુદ્ધ શુદ્ધ

બોધ દઇને, તાર્યા જીવ અનંત અપાર । કલકી ભાર ઉતારવાને, હરિ

હવે લેશે અવતાર ।।૮।। એવા સર્વે અવતાર સૂચવી, ભાવે પ્રભુના

ભાખીયા । પણ આજ સંતને સુખ આપતા, કોઇ રીતે ઉંણા ન રાખીયા

।।૯।। અનેક પ્રકારે આશ્રિતજનને, આપ્યો અખંડ આનંદ । નિષ્કુલાનંદ

સુખદ સહુના, સ્વામી તે સહજાનંદ ।।૧૦।। કડવું ।।૪૩।।

સ્વામી સહજાનંદ જે જને સેવ્યાજી, તેને ન રહ્યું કાંઇ કરવાનું

કે’વાજી, સૌપરી શિરોમણિ મળ્યા હરિ એવાજી, એવી નથી ઉપમા

એને બીજી દેવાજી ।।૧।। ઢાળ - ઉપમા નથી એવી આપવા, જોઇ જોઇ

જોયું જરૂર । ચૌદ લોકમાં જોયું ચિંતવી, એ સમ ન સમજાણું ઉર ।।૨।।

અનેક તન ધરી હરિ, વિચર્યા વસુંધરા માંઇ । તેના મળેલ તપાસિયા,

સુખ પામ્યા ન પામ્યા કાંઇ ।।૩।। આજની તો અલેખે વાત છે, અઢળ

ઢળ્યા છે અલબેલ । હળ્યા મળ્યા હરિ હેતે કરી, વળી વાળી રંગડાની

રેલ ।।૪।। જમ્યા રમ્યા જોડ્યે રહ્યા, દયા કરી દીનદયાળ । સમેસમે

સુખ આપિયાં, કાપિયાં દુઃખ વિશાળ ।।૫।। અરસપરસ એકમેક રહ્યા,

અંતરાય ન રહિ અણુંભાર । અનંત અવતાર આવ્યા અવનિયે, પણ

આંક વાળીયો આ વાર ।।૬।। અનેક પ્રતાપ અનેક પરચા, અનેક ઉદ્ધારીયા

જન । કોય વાતની કસર નહિ, એવા સહજાનંદ ભગવન ।।૭।। અનંત

સામર્થી અનંત ઐશ્વર્ય, અનંત પરાક્રમ અપાર । અનંત ધામના ધણી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

હરિ, વળી અનંત શક્તિ આધાર ।।૮।। સહુ ઉપર એ શ્રીહરિ, એની

ઉપર નહિ કોઇ એક । પૂરણ બ્રહ્મ પુરૂષોત્તમ પોતે,એને આધારે બીજા

અનેક ।।૯।। એવા પ્રતાપી પ્રભુ મળ્યા, તેના ટળીયા સર્વે તાપ ।

નિષ્કુલાનંદ શ્રીહરિ સંબંધે, શુદ્ધ થયા જન આપ ।।૧૦।। કડવું ।।૪૪।।

પદરાગ ધોળ - સુખી કર્યારે જન જગમાં, પ્રભુ પ્રગટી આ વાર ।

નિવાસી કર્યાં બ્રહ્મ મો’લનાં, અગણીત નરનાર; સુખી૦ ।।૧।। જે સુખ

અગમ અજ ઇશને, સુર સુરેશને સોય । તે સુખ દીધું છે દાસને, જે સુખ

ન પામે કોય; સુખી૦ ।।૨।। ધામી વિનારે એેહ ધામનું, કોણ સુખ દેનાર

। માટે આપે આવી આપિયું, અખંડ સુખ અપાર; સુખી૦ ।।૩।। એહ

સુખથી જે સુખી થયા, રહ્યાં દુઃખ તેથી દૂર । નિષ્કુલાનંદ નિર્ભય થઇ,

રહ્યા હરિને હજૂર; સુખી૦ ।।૪।। પદ ।।૧૧।।

હરિ હજૂર જે પામ્યા દાસ વાસજી, તેને કોઇ રહ્યો નહિ તન મને

ત્રાસજી । પરિપૂરણ પામ્યા સુખ વિલાસજી, જે સુખનો ન થાય કોઇ

દિન નાશજી ।।૧।। ઢાળ - નાશ ન થાય કોઇ દિને, એવું અવિનાશી

એહ સુખ છે । તેહ વિના તપાસી જોયું, જ્યાં જ્યાં જાય છે ત્યાં દુઃખ છે

।।૨।। અટળ સુખના આપનારા, નથી કોઇ સહજાનંદજી સમાન । બીજે

છે વાતોના વાયદા, એમ સમઝવું બુદ્ધિમાન ।।૩।। સત્ય શાસ્ત્ર સંત

સુધર્મને, શોધીને ગ્રે’વું સાર । જેવા તેવાથી જડતું નથી, અખંડ સુખ

અપાર ।।૪।। માયિક સુખ પણ મોંઘાં ઘણાં, ત્યારે અમાયિકનો કોણ

આપનાર । માટે સહજાનંદ સેવવા, ઉર કરી વળી વિચાર ।।૫।। જેહ

સુખ જેહને ઘરે, તે તો તેનું દિધું દેવાય । તેહ વિના તોળી તપાસિયું,

લેશ પણ આપણે ન લેખાય ।।૬।। એહ સુખને આપવા, આવ્યા અવનિયે

અલબેલ । મહામોંઘું હતું એને મળવું, પણ સહુને થયું છે એ સેલ ।।૭।।

પરમ પરમારથી પ્રગટ્યા, શ્રી સહજાનંદ સુખધામ । આવી મળ્યા જન

જેહને, તેહ થયા તે પૂરણકામ ।।૮।। ભાંગી ભૂખ ભૂખ્યા તણી, ઘણી

ઘનશ્યામે કરી મે’ર । એવો કોણ અભાગિયો, જે દુઃખી રે’શે આ વેર ?

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

।।૯।। આજે મારે આવી વારતા, કોયે પર અવર પામ્યા નથી । નિષ્કુલાનંદ

જેણે નથી દીઠા, તે કેવી રીતે કે’શે કથી ।।૧૦।। કડવું ।।૪૫।।

કથી નથી કે’વાતી વણ જાણે વાતજી, કે’શે કોઇ સંત જાણે છે

સાક્ષાતજી । બીજા બહુને છે એ વાત અખ્યાતજી, દીઠા ભેટ્યા વિના

ભાખશે કોણ ભાતજી ।।૧।। ઢાળ - કોણ ભાતે નર ભાખશે, જેને સ્વપ્ને

પણ સંબંધ નથી । અટકળ અનુમાન કરી, મોટા મોટા મરે છે મથી

।।૨।। કોઇ કહે હજાર હાથ હરિને, કોઇ કહે આઠ ચાર કર છે । કાનનું

સુણ્યું સહુ કહે, પણ ખરી કાંઇ ખબર છે ? ।।૩।। કોઇ કહે હરિ અરૂપ

છે, કોઇ કહે તોજોમય તન । કોઇ કહે વિશ્વમાંહિ વ્યાપી રહ્યા, કોઇ કહે

આ બોલે વચન ।।૪।। કોઇ કહે પ્રભુને પરછાયો નહિ, કોઇ કહે ન ધરા

ધરે પાવ । દીઠા વિના આપ ડા’પણે, અમથા કરે છે ઉઠાવ ।।૫।। પણ

જાણો હરિને બે હાથ છે, બે પાવલિયા છે પુનિત । શ્રવણ નયન નાસિકા,

મુખે બોલે છે રૂડી રીત ।।૬।। જમે રમે નિજજન ભેળા, લિયે દિયે પૂજા

જે દાસ । હસે વસે સેવક સંગે, અલબેલો આપે અવિનાશ ।।૭।। સાકાર

સુંદર મૂરતિ,સુખદાયિ સહજાનંદ । તેને જાણ્યાવિના જડમતિ, નિરાકાર

કહે નરમંદ ।।૮।। સવળું અવળું સમઝી, પાડી આંટી ઘાટી ઉરમાંય ।

ઘુંચાણા ઘણી ઘુંચવણીમાં, પડ્યું નહિ પાધરૂં કાંય ।।૯।। પૃઠ્ય દઇ

પૃથ્વીનાથને, ચોડ્યું ચિત્રામણ માયં ચિત્ત । નિષ્કુલાનંદ પ્રકટ મુકી, આળ

પંપાળશું પ્રિત ।।૧૦।। કડવું ।।૪૬।।

આળ પંપાળમાં આવરદા ન ખોવીજી, એ પણ વાત વિચારીને

જોવીજી, હીરો હાથ આવ્યે ધૂડ્યને ન ધોવીજી, દીનમાં સુઇ રહી રાત ન

ડોવીજી ।।૧।। ઢાળ - દિનમાંહી હિંડે મારગ મળે, રાતમાંય ઘણું રડવડિયે

। તેમ પ્રગટ મુકીને પરોક્ષ ભજતાં, કહો પાર એમાં કાંઇ પડિયે ? ।।૨।।

જેમ કોઇ ફુલવાડીનાં ફુલ મેલી, આકાશફુલની આશા કરે । પાર વિના

પરિશ્રમ પડે, સાર થોડુંજ મળે સરે ।।૩।। તેમ પ્રગટ પ્રભુને પરહરી,

પરોક્ષમાં કરે પ્રતીત । તેતો પીયૂષનો તરુ પરહરી, કરી છાસ પીવા ચાહે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

ચિત્ત ।।૪।। ટાણે ટેવ રાખી નહિ, કરે કટાણે કોઇ ઉદ્યમ । તેમાં નપડે

પાંસરૂં, પડે તેમાં તે પૂરણ શ્રમ ।।૫।। માટે સમો સાંચવવો, પ્રગટશું

કરવી પ્રીત । તો પૂરણ તક પાકે ખરી, વળી થાયે જગતમાહી જીત ।।૬।।

એટલું કર્યું તો સર્વે કર્યું, કેડે કરવું નરહ્યું કાંઇ । મનુષ્ય દેહનો લાભ

મળ્યો, આવી આ ભવમાંઇ ।।૭।। સર્વે સિદ્ધાંતનું સિદ્ધાંત એહજ, રે’વું

પ્રગટ પ્રભુ પરાયણ । મન વચન કર્મે કરી, ભજવા સ્વામિનારાયણ ।।૮।।

એહ ઠીક ઠેરવી વાત અંતરે, પછી રે’વું નિર્ભય નચિંત । એટલું સમઝે

સર્વે સમઝ્‌યા, સમઝાણી સનાતન રીત ।।૯।। મળ્યો મારગ મહાસુખનો,

જેમાં દુઃખ નહિ લવલેશ । નિષ્કુલાનંદ નકી એ વારતા, માનવો મોટાનો

ઉપદેશ ।।૧૦।। કડવું ।।૪૭।।

સારસિદ્ધિ સુંદર ગ્રંથ છે સારોજી, સહુ શાણા મનમાં વિચારોજી

। પ્રગટ ઉપાસીને લાગશે પ્યારોજી, દુઃખ ટળી સુખનો આવશે વારોજી

।।૧।। ઢાળ - વારો આવશે સુખનો, સાંભળતામાં સાર શિરોમણી ।

પ્રીત થાશે પ્રભુ પ્રગટમાં, ઘનશ્યામમાંઇ ઘણી ઘણી ।।૨।। અન્ય સુખથી

મન ઉતારી, પ્રગટમાં સુખ પેખશે । લોકાલોકની લાલચ્ય મેલી, સુખ

ધર્મ સુતમાં લેખશે ।।૩।। જગસુખ અભાવની જુગતી, અતિ કહી છે

જો કથી કથી । સમજ્યા સરખી સુલભ છે, વાત અતિ રતિ ઉંડી નથી

।।૪।। વૈરાગ્ય ભક્તિ ધર્મની, વાત સારી પેઠ્યે સૂચવી । જ્ઞાનની થોડી

ઘણી, ચોકસ પણે ચોખી ચવી ।।૫।। અસંત સંતની વારતા, તેહ પણ

કાંઇક કહી છે । સાંગોપાંગ સમઝવા, ઘણી ઘણી ગ્રંથોમાં રહી છે

।।૬।। સાર સાર શોધી કહ્યું, જે જે જાણ્યામાં મારે આવીયું । તેહ તેહ

તપાસી તને મને, કાંઇક કાંઇક કા’વિયું ।।૭।। મુમુક્ષુને મગન કરવા,

આંમાં વાત છે વિધવિધની । નથી છાની છે વાત છતી, પ્રભુ પ્રગટ

પ્રસિદ્ધની ।।૮।। ખરા ખપવાળાને ખોળતાં, માનો વાત આવી તે મળે

નહિ । ત્યાર તરછટ તાંદુલા, કરી દીધા છે સુંદર લઇ ।।૯।। આ ગ્રંથ

ગાશે સુણશે, રે’શે એમાં કહ્યું એવી રીત । નિષ્કુલાનંદ એ નરનાં,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સારસિદ્ધિઃ

ઉઘડશે ભાગ્ય અમીત ।।૧૦।। કડવું ।।૪૮।।

પદરાગ ધોળ - ભાગ્ય જાગ્યાં આજ જાણવાં, કોટિ થયાં ક્લ્યાણ

। ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ; ભાગ્ય૦ ।।૧।।

અનાથ પણાનું મે’ણું ઉતર્યું, સદા થયા સનાથ । ડર ન રહ્યો બીજા દેવનો,

ગ્રહ્યો હરિએ હાથ; ભાગ્ય૦ ।।૨।। કંગાલપણું કે’વા ન રહ્યું, સદા મનાણું

સુખ । મસ્તિ આવીરે અતિ અંગમાં, દૂર પલાણાં દુઃખ; ભાગ્ય૦ ।।૩।।

અણસમઝણ અળગી થઇ, સમી સમઝાણી વાત । પાંપળાં સર્વે પરાં

પળ્યાં, મળ્યા શ્રીહરિ સાક્ષાત; ભાગ્ય૦ ।।૪।। કસર ન રહી કોઇ વાતની,

પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ । ખોટ્ય મટીને ખાટ્ય થઇ, રહી ગયો છે રંગ;

ભાગ્ય૦ ।।૫।। ભૂધર મળતાં ભલું થયું, ફેરો ફાવ્યો આ વાર । સુખતણી

સીમા સી કહું, મને મોદ અપાર; ભાગ્ય૦ ।।૬।। આજ આનંદ વધામણાં,

હૈયે હરખ ન માય । અમળતી વાત તે આવી મળી, શી કહું સુખની

સીમાય; ભાગ્ય૦ ।।૭।। આજ અમૃતની એ’લી થઇ, રહિ નહિ કાંય

ખોટ । એક કલ્યાણનું ક્યાં રહ્યું, થયાં કલ્યાણ કોટ; ભાગ્ય૦ ।।૮।।

રાંકપણું તો રહ્યું નહિ, કોઇ મ કે’શો કંગાલ । નિરધનિયાં તો અમે નથી,

મહા મળ્યો છે માલ; ભાગ્ય૦ ।।૯।। કોણ જાણે આ કેમ થયું, આવ્યું

અણ ચિંતવ્યું સુખ । ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિ મુખોમુખ;

ભાગ્ય૦ ।।૧૦।। ધન્ય ધન્ય અવસર આજનો, જેમાં મળિયા મહારાજ

। નિષ્કુલાનંદ ડંકો જીતનો, વાગી ગયો છે આજ; ભાગ્ય૦ ।।૧૧।।

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુલાનંદમુનિ

વિરચિતા સારસિદ્ધિઃ

સારસિદ્ધિ સમાપ્ત

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન

-ઃ ભક્તિનિધિ :-

સોરઠા-પ્રણમું પુરુષોત્તમ, અગમ નિગમ જેને નેતિ કહે । તે

શ્રીહરિ થાઓ સુગમ, રમ્યરૂપ સાકાર સહિ ।।૧।। એવા વસો મારે ઉર,

દૂર કરવા દોષ દીનબંધુ । તે થાય ભક્તિ ભરપૂર, હજૂર રાખજો હરિ

હેત કરી ।।૨।। દોહા-ભક્તિ સરસ સહુ કહે, પણ ભક્તિ ભક્તિમાં

ભેદ । ભક્તિ પ્રભુ પ્રગટની, એમ વદેછે ચારે વેદ ।।૩।। પરોક્ષ ભક્ત

પામે નહિ, મનમાની મોટી મોજ । શાસ્ત્ર સર્વે શોધીને, ખરી કરી લ્યો

ખોજ ।।૪।।

રાગ ધન્યાસરી-શ્રી પુરૂષોત્તમ પૂરણ બ્રહ્મજી, નેતિનેતિ

કહી જેને ગાય નિગમજી । અતિ અગાધ જે સહુને અગમજી, તે પ્રભુ

થયા આજ સુગમજી ।।૧।। ઢાળ- સુગમ થયા શ્રીહરિ, ધરી નર તનને

નાથજી । જીવ બહુ કહું જક્તના જેહ, તેહને કરવા સનાથજી ।।૨।।

આપ ઇચ્છાએ આવિયા, કરવા કોટિકોટિનાં કલ્યાણ । દયા દિલમાં

આણી દયાળે, તેનાં શું હું કરું વખાણ ।।૩।। લે’રી આવ્યા આજ લે’રમાં,

અતિ મે’ર કરી મે’રબાન । અનેક જીવ આશ્રિતને, આપવા અભયદાન

।।૪।। અઢળ ઢળ્યા અલબેલડો, કહું કસર ન રાખી કાંય । કૈક જીવ

કૃતાર્થ કીધા, મહાઘોર કળિનીમાંય ।।૫।। ભાગ્યશાળી બ્રહ્મમોહોલનાં,

કર્યાં આપે આવી અગણિત । નિર્દોષ કિધાં નરનારને, રખાવી રૂડી રીત

।।૬।। નૌતમ શક્કો સંસારમાં, આવી નાથે ચલાવિયો નેક । જે સાંભળ્યો

નો’તો શ્રવણે, તે વર્તાવ્યો સહુથી વિષેક ।।૭।। પૂરણ પુરૂષોત્તમ પોતે,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

સરવેશ્વર સર્વના શ્યામ । જેની ઉપર જડે નહિ બીજો, તેહ કરે ધારે જેહ

કામ ।।૮।। પ્રબળ પ્રતાપી પધારતાં, સમઝવું શું શું ન થાય ? । સમર્થ

સહુથી શ્રીહરિ, જે પૂરણકામ કે’વાય ।।૯।। અતિ અગમ તે સુગમ થયા,

થયા સેવી સુખ લેવા લાગ્ય । નિષ્કુલાનંદ મળ્યા એહ જેહને, તેહનાં

ઉઘડિયાં ભાગ્ય ।।૧૦।। કડવું ।।૧।।

ભાગ્ય જાગ્યાં આજ જાણવાં જેને ભેટ્યા ભગવાનજી, ત્રિલોકમાં

ના’વે કોઇ તેહને સમાનજી । જેહને મળિયા પ્રભુ મૂર્તિમાનજી, જેહ

મૂર્તિનું ધરે ભવ બ્રહ્મા ધ્યાનજી ।।૧।। ઢાળ- ધ્યાન ધરે જેનું જાણજો,

અજ ઇશ સરીખા સોઇ । તોયે અતિ અકળ છે એહને, જથારથ જાણે

નહિ કોઇ ।।૨।। એવી અલૌકિક મૂરતિ, અમાયિક અનુપ અમાપ ।

આગમ નિગમ ને અગોચર અતિ, તેનો કરી શકે કોણ થાપ ।।૩।।

થાપ ન થાયે એવા આગમે, વર્ણવિયા વારમવાર । તેહ પ્રભુને કેમ

પામિએ, જેનો કોઇ ન પામિયા પાર ।।૪।। તેહ હરિ નરતન ધરી,

આપે આવે અવનિ મોઝાર । ત્યારે મળાય એ મૂર્તિને, જ્યારે નાથ

થાય નરઆકાર ।।૫।। મહારાજ થાય જ્યારે મનુષ્ય જેવા, દેવા

જીવોને અભયદાન । ત્યારે પલ પાકે સહુ પ્રાણધારીની, જ્યારે ભૂમિ

આવે ભગવાન ।।૬।। ત્યારે ભક્તને ભક્તિ કરવા, ઉઘડે દ્વાર અપાર

। થાય સેવકને સેવ્યા સરખા, જ્યારે પ્રગટે પ્રાણ આધાર ।।૭।। ત્યારે

સુગમ થાય છે સહુને, પ્રાણધારીને પરમાનંદ । ન હોય દરશ સ્પર્શનું

દોયલું, સદા સોયલા હોય સુખકંદ ।।૮।। સાકાર સુંદર મૂરતિ, જોઇ

જન મગન મન થાય । પછી સેવા કરી એવા શ્યામની, મોટું ભાગ્ય

માનવું મનમાંય ।।૯।। પણ મૂરતિ મૂકી મહારાજની, બીજાું માગવું

નહિ બાળક થઇ । નિષ્કુલાનંદ નિર્ભય થાવા, હરિભક્તિ વિના

ઇચ્છવું નહિ ।।૧૦।। કડવું ।।૨।।

જોને કોઇક કરેછે જપ તપ તીર્થજી, વ્રત દાન પુણ્ય કરે હરિ અર્થજી

। સત્ય જોગ જગને વાવરે ગર્થજી, જેવી હોય તને મને ધને સામર્થજી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

।।૧।। ઢાળ- સામર્થ પ્રમાણે સહુ કરે, વળી કસર ન રાખે કોઇ । શુદ્ધ

મન શુદ્ધ ભાવ શ્રદ્ધાએ, શુદ્ધ આદરે કરે સોઇ ।।૨।। એમ પ્રસન્ન કરી

પરબ્રહ્મને, કરે અલ્પ સુખની આશ । તે શિશુ સમઝણ સેવકની, ત્યાગી

તુપને માગી છાશ ।।૩।। જેમ રિઝવે કોઇ રાજનને, પ્રસન્ન કરીને માગે

પિયાજ । તે આપતાં અતિ અવનીશને, લાગે લોકમાં ઘણી લાજ ।।૪।।

માટે સેવા ખરી હરિની કરી, માગિયે નહિ માયિક સુખ । જે પામી પડે

પાછું પડવું , રહે જેમ હોય તેમ દુઃખ ।।૫।। તે શોધી સર્વે સમઝવું, જોઇ

લેવું જીવમાં જરૂર । અંતવત સુખ ઇચ્છતાં, કેદિ દુઃખ ન થાય દૂર ।।૬।।

જેમ કણ મૂકી કુકસને, જાચે તુષને તજી તાંદૂળ । તેમ મૂરતિ મૂકી

મહારાજની, ન માગવું સુખ નિર્મૂળ ।।૭।। ચાર પ્રકારની મુગતિ, અતિ

સુખદ કહે સુજાણ । પણ મૂર્તિ મનોહર માવની, મૂકી ઇચ્છે એહને એજ

અજાણ ।।૮।। જેમ ફોગટ ફળ ફુલ નહિ, મળે ફળ તો ફજેતીએ ભર્યાં ।

એવાં અલ્પ સુખ આવતાં, કહો કારજ સરે શું સર્યાં ? ।।૯।। માટે રાજી

કરી રંગરેલને, માગવું વિચારીને મન । નિષ્કુળાનંદ ન માગવું, જેને

માથે હોય વિઘન ।।૧૦।। કડવું ।।૩।।

વિઘને ભર્યાં સુખ સારૂં સાધનજી, કરતાં મુઝાય છે શુદ્ધ સંતનાં

મનજી । તે કેમ કરી શકે જાણો એ જનજી, જેને ઉપર છે અનંત વિઘનજી

।।૧।। ઢાળ- વિઘન વિવિધ ભાતનાં, રહ્યાં સાધન પર સમોહ । સુર

અસુર ઇચ્છે પાડવા, પ્રેરી કામ ક્રોધ લોભ મોહ ।।૨।। જપતાં જાપ બાપ

આપણે, પ્રહ્લાદજીને પીડા કરી । સત્ય રાખતાં હરિશ્ચંદ્ર શિબિ, નળ

મુદગળ ન બેઠા ઠરી ।।૩।। તપ કરી ત્રિલોકમાં, પામી પડિયા પાછા કઇ

। એમ કરી તન તાવતાં, સુખ અટળ આવ્યું નહિ ।।૪।। વ્રત રાખતાં

અંબરીષ પીડયો, દાન દેતાં પીડાયો નર ઘોષ । પુણ્ય કરતાં પાંડવ પંચાલી,

આવ્યા દુર્વાસા દેવા દોષ ।।૫।। જોગે પીડાણા શુક જડભરત, જગને

પીડાણો નહૂષ ભૂપાળ । બળી વળી દધિચિ ઋષિ, રંતિદેવ સરીખા દયાળ

।।૬।। એવી અનેક પ્રકારની આપદા, આવી સત્યવાદી પર સોઇ ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

વનવાસી ત્યાગી વૈરાગી, વણ વિપતે નહિ કહું કોઇ ।।૭।। જેજે જને

એહ આદર્યું, પરલોક પામવા કાજ । તેતે જનને જાણજો, સુખનો ન

રહ્યો સમાજ ।।૮।। વિઘન બહુ વિધવિધનાં, ભર્યાં ભવમાંહિ ભરપૂર ।

પરલોક ન દિયે પામવા, જન જાણી લેજો જરૂર ।।૯।। માટે વાટ એ તે

મૂકવી, સમઝી વિચારીને શુભમતિ । નિષ્કુળાનંદ કે’ નિર્ભય થાવા,

કરવી હરિની ભગતિ ।।૧૦।। કડવું ।।૪।।

પદરાગ આશાવરી- સંતો ભક્તિ ઉપર ભય શાનો, તેતો મન કર્મ

વચને માનોરે; સંતો૦ । ટેક-જપ તપ તીરથ જોગ જગન, દાન પુણ્ય

સમાજ શોભાનો । પામી પુન્ય ખુટે પડે પાછા, તેમાં કોણ મોટો કોણ

નાનોરે; સંતો૦ ।।૧।। ધ્યાન ધારણા સમાધિ સરવે, કુંપ અનુપ કાચનો ।

ટકે નહિ કેદિ ટોકર વાગે, તો શિયો ભરૂંસો બીજાનોરે; સંતો૦ ।।૨।।

જ્ઞાની ધ્યાનીને લાગ્યા ધક્કા ધરપર, જાણો નથી ફજેતો એ છાનો ।

નિર્ભય પ્રાપતિ ન રહિ કેની, જોઇ લીધો દાખડો ઝાઝાનોરે; સંતો૦

।।૩।। સર્વે પર વિઘન સભરભર, નિર્ભય ભક્તિ ખજાનો । નિષ્કુલાનંદ

કે’ ન ટળે ટાળતાં, ટળે તોય કળશ સોનાનોરે; સંતો૦ ।।૪।। પદ ।।૧।। નિરવિઘન છે નાથની ભક્તિજી, જેમાં વિઘન નથી એક રતિજી ।

સમઝીને કરવી સદાય શુભ મતિજી, તો આવે સુખ અલૌકિક અતિજી

।।૧।। ઢાળ- અલૌકિક સુખ આવે, જો ભાવે ભક્તિ ભગવાનની । તે

વિના ત્રિલોક સુખને, માને શોભા મીયાંનની ।।૨।। મૂરતિ મૂકી મન

બીજે, લલચાવે નહિ લગાર । અન્ય સુખ જાણ્યાં ફળ અર્કનાં, નિશ્ચે

નિરસ નિરધાર ।।૩।। એમ માની માને સુખ ભાવમાં, કરે ભક્તિ ભાવે

સહિત । ભક્તિ વિના બ્રહ્મલોક લગી, ચાહે નહિ કાંઈ ચિત્ત ।।૪।। અનન્ય

ભાવે કરે ભગતિ, મન વચન કર્મે કરી । ભાવે નહિ હરિ ભક્તિ વિના,

એવી વાત અંતરમાં આવી ઠરી ।।૫।। નિષ્કામ ભક્તિ નાથની, જેને

કરવા છે મને કોડ । બીજા સકામ ભક્ત સમૂહ હોય, તોય હોય નહિ

એની હોડ ।।૬।। એવી ભક્તિને આદરે, જેમાં લોકસુખ નહિ લેશ । તેમ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

સુખ શરીરનું, ઇચ્છે નહિ અહોનેશ ।।૭।। મેલી ગમતું નિજ મનનું,

હાથ જોડી રહે હરિ હજાુર । સેવા કરવા ઘનશ્યામની, ભાવ ભિંતરમાં

ભરપૂર ।।૮।। ભાવે જેવું ભગવાનને, સમો જોઇ કરે તેવી સેવ । પણ

વણ સમે વિચાર વિના, ત્યાર ન થાય તતખેવ ।।૯।। એવા ભક્તની

ભગતિ, વા’લી લાગે વા’લાને મન । નિષ્કુલાનંદ કહે નાથજી, તે ઉપર

થાય પ્રસન્ન ।।૧૦।। કડવું ।।૫।।

પ્રસન્ન કરવા ઘણું ઘનશ્યામજી, કરો હરિભક્તિ અતિ હૈયે કરી

હામજી । જે ભક્તિ અતિ કા’વે નિષ્કામજી, ધર્મસહિત છે સુખનું ધામજી

।।૧।। ઢાળ- ધામ સર્વે સુધર્મ સોતી, ભક્તિ અતિ ભક્ત કરે । તેને તોલે

ત્રિલોક માંહિ, સમઝી જાુવો નહિ નિસરે ।।૨।। જેણે આલોકસુખની

આશા મેલી, પરલોક સુખ પણ પરહર્યાં । એક ભક્તિ ભાવી ભગવાનની,

વિષયસુખ વિષ સમ કર્યાં ।।૩।। જેણે પંચ વિષયશું પ્રિત ત્રોડી, જોડી

પ્રીત ભક્તિ કરવા । તજી મમત તન મનની, તેને રહી કહો કેની પરવા

।।૪।। રાજી કુરાજીયે કોઇને, નવ વણસે સુધરે વાત । નથી એથી સુખ

મળવા ટળવા, જોઇએ હરિ રાજી રળીયાત ।।૫।। પરબ્રહ્મને પ્રસન્ન કરવા,

કરે ભક્તિ માહાત્મ્યે સહિત । ધરી દૃઢ ટેક એક અંતરે, તે ફરે નહિ કોઈ

રીત ।।૬।। નિષ્કપટ નાથની ભગતિ, સમઝો સુખ ભંડાર છે । એની

બરાબરી નોય કોઇ બીજાું, એતો સર્વે સારનું સાર છે ।।૭।। સાચી ભક્તિ

ભગવાનની, સર્વે શિર પર મોડ છે । બીજાં સાધન બહુ કરે, પણ જાુઓ

એની કોઇ જોડ છે? ।।૮।। જેમ ગળપણમાં શર્કરા ગળી, વળી રસમાં

સરસ તુપ । જેમ અંબરે સરસ જરકસી, તેમ ભક્તિ અતિ અનુપ ।।૯।।

એવી અનુપમ ભગતિ, ભાવી ગઇ જેને ભીંતરે । નિષ્કુલાનંદ કે’ સર્વે

સાધન, એની સમતા કોણ કરે ।।૧૦।। કડવું ।।૬।।

ભક્તિ સમાન નથી ભવમાં કાંયજી, સમઝુ સમઝો સહુ મનમાંયજી

। પ્રભુ પ્રસન્ન કરવા છે અનુપ ઉપાયજી, તેને તુલ્ય બીજાું કેમ કે’વાયજી

।।૧।। ઢાળ- કે’વાતો નથી કલ્પતરૂં, નવ નિધિને સિદ્ધિ સમેત । કામદુઘા

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

અમૃતની ઉપમા, ન ઘટે કહું કોઇ રીત ।।૨।। જેમ મંદારમાં સાર બહુ

બાવના ચંદન, પાષાણમાં સાર પારસ । સપ્ત ધાતુમાં સરસ સુવર્ણ, તેમ

ભક્તિ સાધનમાં સરસ ।।૩।। જેમ પન્નગારી પંખીયોમાં સરસ, શૈલમાં

સરસ સુમેર । તેમ ભક્તિ સરસ સર્વ સાધને, એમાં નથી કહું કાંઇ ફેર

।।૪।। જેમ તેજોમય તનમાં સરસ સૂર્ય, શીતળ તનમાં સરસ શશિ । તેમ

ભક્તિ સરસ સર્વે રીતે, આપું ઉપમા એને કશી ।।૫।। જેમ પાત્રમાં

અક્ષયપાત્ર સરસ, નાણામાં સરસ સુવર્ણમો’ર । તેમ ભક્તિ સરસ છે

ભવમાં, એમ લખ્યું છે ઠોરમઠોર ।।૬।। જેમ પંચભૂતમાં શૂન્ય સરસ,

સર્વે અમરમાં અમરેશ । તેમ ભક્તિ સરસ ભગવાનની, એમાં નથી ફેર

લવલેશ ।।૭।। જેમ કુંપે સરસ રસ કુંપકા, ભૂપે સરસ પ્રિયવ્રત । રૂપે

સરસ કામદેવ કહીયે, તેમ ભક્તિથી નૂન્ય બીજાં કૃત્ય ।।૮।। કર્તવ્ય કરીને

કાંઇક પામે, તે વામે કોઇ કાળે કરી । ભક્તિ એ ગતિ નિર્ભય અતિ,

એમ શ્રીમુખે કહેછે શ્રીહરિ ।।૯।। એમ ભક્તિ ભગવાનની, વર્ણવી

સહુથી સરસ । નિષ્કુલાનંદ કે’ તે વિના બીજાં, નિશ્ચે દેખાડ્યાં નરસ

।।૧૦।। કડવું ।।૭।।

ભક્તિ સમાન નથી સાધનજી, વારમવાર વિચારૂં છું મનજી ।

જેસારૂં જન કરેછે જતનજી, તેમાં સુખ થોડું દુઃખ રહ્યું છે સઘનજી ।।૧।।

ઢાળ- સઘન દુઃખ સાધનમાં, જેના ફળમાં બહુ ફેલ । માને સુખ તેમાં

મૂરખા, જે હોય હૈયાના ટળેલ ।।૨।। જેમ સોનરસથી સોનું કરતાં, જોયે

સવાલાખ ચડી-ચોટ । એક લાખ તૈયે ઉપજે, જાયે પા લાખની ખોટ

।।૩।। તેમ સાધન કરી શરીર દમે, વળી પામે તે માંહિથી સુખ । તે સુખ

જાય જોતાંજોતાં, પાછું રહે દુઃખનું દુઃખ ।।૪।। જેમ વટે અમટ અરુણ

ફળ, ખાવા કરે કોઇ ખાંત । રાતાં છે પણ રસ નથી, એમ સમઝી લેવો

સિદ્ધાંત ।।૫।। તેમ સુખ સર્વે લોકનાં, સુણી કરે હૈયે કોઇ હામ । જેમ

અવલ ફુલ આવળનાં, પણ નાવે પૂજામાંહિ કામ ।।૬।। જેમ ત્રોડતાં ફળ

તાડતણાં, થાય મહેનતના બહુ માલ । ખાતાં થાય બહુ ખરખરો, વળી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

વાધે શોક વિશાળ ।।૭।। અમૃત વેલી અલ્પ ભલી, વધુ તોય ભુંડી વિષવેલ

। તેમ ભક્તિ થોડી તોય ભલી, છે સર્વે સુખની ભરેલ ।।૮।। પંચ્યાણ

આપે પાંચ રોકડા, લપોડ શંખ કહે લેને લાખ । પણ ગણીને ગાંઠે

બાંધ્યાતણી, વળી કોયે ન પુરે સાંખ ।।૯।। તેમ હરિભક્તિથી સુખ મળે,

તેવું સુખ બીજાથી ન થાય । નિષ્કુલાનંદ કહે નરને, જાણી લેવું એવું

મનમાંય ।।૧૦।। કડવું ।।૮।।

પદરાગ આશાવરી - સંતો જુવો મનમાં વિચારી, સાચી ભક્તિ

સદા સુખકારીરે; સંતો૦ ટેક - જૂઠી ભક્તિ જક્તમાં કરેછે, સમઝયા

વિના સંસારી । ખોવા રોગ ખાયછે રસાયણ, દિધા વિના દરદારીરે;

સંતો૦ ।।૧।। વણ પૂછે વળી ચાલેછે વાટે, જે વાટે નહિ અન્ન વારી । નહિ

પો’ચાયે નહિ વળાયે પાછું, થાશે ખરી જો ખુવારીરે; સંતો૦ ।।૨।। આ

ભવમાં ભૂલવણી છે ભારે, તેમાં ભૂલ્યાં નરનારી । જિયાં તિયાં આ

જનમ જાણજો, હરિભક્તિ વિના બેઠાં હારીરે; સંતો૦ ।।૩।। ભક્તિ વિના

ભવપાર ન આવે, સમઝો એ વાત છે સારી । નિષ્કુલાનંદ કહે નિર્ભય

થાવા, ભક્તિનિધિ અતિ ભારીરે; સંતો૦ ।।૪।। પદ ।।૨।।

ભક્તિમાં પણ ભર્યા છે ભેદજી, કરેછે જન મન પામેછે ખેદજી ।

એક બીજાનો કરેછે ઉચ્છેદજી, તેનો નથી કેને ઉર નિર્વેદજી ।।૧।। ઢાળ-

નિર્વેદ વિના ખેદ પામી, કરેછે ખેંચાતાણ । નંદે વંદેછે એક એકને, એ

સહુ થાયછે હેરાણ ।।૨।। નવે પ્રકારે કરી નાથની, ભક્તિના કહ્યા છે

ભેદ । નિષ્કામ થઇ કોઇ નર કરે, તો શીદ પામે કોઇ ખેદ ।।૩।। પણ

અંતર ઉંડો અભાવછે, બહુ બળ દેખાડેછે બા’ર । જ્યાન થયું તે જાણતા

નથી, કથી શું કહીયે વારમવાર ।।૪।। જેમ લેખક કરમાં લેખ આવે, તે

લઇ લેખણ લીટો કરે । હતો પરવાનો પરમ પદનો, પણ કહો એમાંથી

હવે શું સરે? ।।૫।। તેમ ભક્તિ અતિ ભલી હતી, તેમાં ભેળવ્યો ભાગ

ભુંડાઇનો । ખીર બગડી ખારૂં લુણ પડયું, ટળ્યો ઉમેદ એના ઉપાઇનો

।।૬।। તેમ ભક્તિ કરતાં ભગવાનની, આવી અહં મમતની આડ । પ્રભુ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

પાસળ પો’ચતાં, આડું દીધું એ લોહ કમાડ ।।૭।। માટે નિરમમત થઇ

નાથની, ભક્તિ કરો ભરી ભાવ । નિરાશી વા’લા નારાયણને, શીદ

બાંધોછો જ્યાં ત્યાં દાવ ।।૮।। સકામ ભક્તિ સહુ કરેછે, નથી કરતા

નિષ્કામ કોય । તેમાં નવનીત નથી નિસરતું, નિત્ય વલોવતાં તોય ।।૯।।

ઘોઘે જઇ કોઇ ઘેર આવ્યો, કરી આવ્યો નહિ કોઇ કામ । નિષ્કુલાનંદ

એવી ભક્તિ, નવ કરવી નર ને વામ ।।૧૦।। કડવું ।।૯।।

ભક્તિ કરવી તે કલ્યાણ કાજજી, તેમાં મર જાઓ કે રહો લોક

લાજજી । તાન એક ઉરમાં રાજી કરવા મહારાજજી, તેમાં તન મન

થાઓ સુખ ત્યાગજી ।।૧।। ઢાળ- તનમન સુખ ત્યાગીને, કરે શુદ્ધભાવે

કરી ભગતિ । સમ વિષમમાં સરખી, રહે માન અપમાને એક મતિ

।।૨।। પ્રસંશા સુણી નવ પોરસે, નિંદા સુણીને નવ મુઝાય । ઉભય ભાતનો

અંતરે, હર્ષ શોક ન થાય કાંય ।।૩।। જેમ નટ ચડે વળી વાંસડે, જોવા

મળે સઘળું ગામ । પણ નટ ન જુવે કોઇને, જો જુવે તો બગડે કામ ।।૪।।

તેમ ભક્તિ કરતાં ભક્તને, નવ જોવા દોષ અદોષ । ગુણ અવગુણ કેના

ગોતતાં, અતિ થાય અપશોષ ।।૫।। વળી આલોકની જે આબરૂં, રહો કે

જાઓ જરૂર । ભક્તિ ન મૂકવી ભગવાનની, તે ભક્ત જાણો ભરપુર

।।૬।। જેને રીઝવવા છે રાજને, નથી રીઝવવા વળી લોક । જોઇ જય

પરાજય જક્તમાં, શીદ કરે ઉર કોઇ શોક ।।૭।। ભક્તિ કરતાં કેને ભાવે

ન ભાવે, આવે કોઇને ગુણ અવગુણ । જેની નજર પો’તી છે પરાથી પર,

તેને અધિક ન્યૂન કહો કુણ ।।૮।। જેને આવડ્યું જળ તરવું, તેને ઉંડું

છિછરું છે નહિ । મીન પંખીને મારગમાં, કહો આડ્ય આવે કહિ ।।૯।।

ખેચર ને ભૂચરની, જાણવી જુજવી ગતી । નિષ્કુલાનંદ કે’ નોખું રહી,

ભજાવી લેવી ભગતી ।।૧૦।। કડવું ।૧૦।

સાચી ભક્તિ કરતાં કો’કેને ભાવ્યુંજી, ખરી ભક્તિમાંહિ સહુએ

ખોટું ઠેરાવ્યુંજી । અણસમઝુંને એમ સમઝ્‌યામાં આવ્યુંજી, વણ અર્થી

ભક્તિશું વેર વસાવ્યુંજી ।।૧।। ઢાળ- વેર વસાવ્યું વણ સમઝે, સાચી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

ભક્તિ કરતલ સાથ । શોધી જુવો સરવાળે સહુને, મળી વળી સઇ મીરાંથ

।।૨।। પ્રહ્લાદ ભક્ત જાણી પ્રભુના, હિરણ્યકશિપુએ કર્યા હેરાણ । તેહ

પાપે કરી તેહના, ગયા પંડમાંથી પ્રાણ ।।૩।। વસુદેવ વળી દેવકીને, જાણ્યાં

જગદીશનાં જરૂર । તેને કષ્ટ કંસે આપિયું , મૂવો પાપિયો આપે અસુર

।।૪।। પંચાલી ભક્ત પરબ્રહ્મનાં, જાણી દુઃખ દીધું દુઃશાસન । તાણ્યાં

અંબર એ પાપમાં, થયું કુળ નિર્મૂળ નિકંદન ।।૫।। પાંડવ ભક્ત

પરમેશ્વરના, તેને દીધું દુર્યોધને દુઃખ । તે પાપે રાજ્ય ગયું વળી, થયું

મોત રહ્યું નહિ સુખ ।।૬।। સીતાજી ભક્ત શ્રીરામજીનાં, તેને રાવણે

પાડિયા રોળ । સત્યવાદીને સંતાપતાં, આવિયું દુઃખ અતોલ ।।૭।। તે

હરિજનને હૈયે હોય નહિ, જે દુઃખ દેતલને દુઃખ થાય । પણ જેમ કેગરના

કાષ્ટને, બાળતાં અગ્નિ ઓલાય ।।૮।। એમ ભક્તને ભય ઉપજાવતાં,

નિર્ભય ન રહ્યા કોય । આદિ અંતે મધ્યે માનજો, હરિભક્ત નિર્ભય હોય

।।૯।। પરમ પદને પામવા, હરિભક્તની ભીડ્ય તાણવી । નિષ્કુલાનંદ

નિશ્ચે કહે, વાત આટલી જરૂર જાણવી ।।૧૦।। કડવું ।।૧૧।।

હરિની ભક્તિનો કરતાં દ્વેષજી, આવે અંગે અંતરે કોટિ કલેશજી ।

તેણે કરી રહે હેરાન હમેશજી, એહમાંહી સંશય નથી લવલેશજી ।।૧।।

ઢાળ- લેશ સંશય નવ લેખવો, એનો દેખવો અસદ્ય ઉપાય । નાખતાં

રજ સૂરજ સામી, પાછી પડે આંખ્ય મુખમાંય ।।૨।। જે જળથી શીતળ

થાય, તેને લગાડે કોઇ તાપ । તેનું તે બાળે તનને, સામુનો થાય સંતાપ

।।૩।। વળી જે વહ્નિથી ટાઢ ટળે, તેમાંજ નાખીયે નીર । પછી બેસીયે

પાસળે, શું શીત વીતે શરીર ।।૪।। વળી જે ભોજને કરીને ભૂખ ભાગે, તે

ભોજનમાં ભેળિયે ઝેર । તે કહો સુખ કેમ આપશે, જેણે કર્યું સુખદશું

વેર ।।૫।। જે પટે ઘટ ઢાંકિયે, તે પટનો કરીયે ત્યાગ । પછી ઇચ્છિયે

પ્રવીણતા, તે મૂરખ નર કહ્યા લાગ ।।૬।। જે ભૂમિમાં અન્ન ઉપજે, તે

ભૂમિમાં વિષ વવાય । પછી અમરપણું ઇચ્છવું, તેતો અતિ અવળું કે’વાય

।।૭।। એમ અભાગી નરને, હરિભક્તિમાંહિ અભાવ । તે કેમ તરશે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

સિંધુતોયને, જે બેઠા પથરને નાવ ।।૮।। ડોબું ન ગમ્યું દુઝણું, ભલી

લાગી આવિયા ભેડ્ય । તજી દઇ તાંદુલને, કરી કુકશ સારૂં વઢવેડ્ય

।।૯।। અલ્પમતિને અવળું સુજે, સવળું સૂજે નહિ લવ લેશ । નિષ્કુલાનંદ

એવા નરને, આપિયે શિયો ઉપદેશ ।।૧૦।। કડવું ।।૧૨।।

પદરાગ આશાવરી - સંતો અણસમઝે એમ બને, તેતો સમઝુને

સમઝવું મનેરે; સંતો૦ । ટેક - ભક્તિ ન ભાવે વેર વસાવે, ગાવે દોષ

નિશદિને । અર્થ ન સરે કરે અપરાધ, થાય ગુન્હેગાર વણગુન્હેરે; સંતો૦

।।૧।। શ્રીખંડ સદા શિતળ સુખકારી, તેને દઝાડે કોઇ દહને । અગર પણ

થાય અંગારા, પ્રજાળે પ્રવરી વનેરે; સંતો૦ ।।૨।। કલ્પતરુ મળે માગ્યો

કુઠારો, દુર્મતિ થાવા દુઃખને । જેવું ઇચ્છે તેવું મળે એમાંથી, નો તપાસે

એ સુરતરનેરે; સંતો૦ ।।૩।। એમ શઠ સુખદથી સારૂં ન ઇચ્છે, કોઇ

પ્રગટ્યે થર પાપને । નિષ્કુલાનંદ કે’ ન જોવું એનું, પ્રકટ ભજવા આપનેરે;

સંતો૦ ।।૪।। પદ ।૩।

પ્રગટ પ્રભુની ભક્તિ અતિ સાચીજી, જેહ ભક્તિને મોટે મોટે

જાચીજી । તેહ વિના બીજી છે સર્વે કાચીજી, તેહમાં ન રે’વું કેદિયે રાચીજી

।।૧।। ઢાળ- રાચી રે’વું રસરૂપ પ્રભુમાં, જોઇ જીવન પ્રગટ પ્રમાણ ।

પછી ભક્તિ તેની ભાવશું, સમઝીને કરવી સુજાણ ।।૨।। જોઇ મરજી

જગદીશની, શિશસાટે કરવું સાબિત । સુખ દુઃખ આવે તેમાં દેહને,

પણ હારવી નહિ હીંમત ।।૩।। રામનું કામ કર્યું કપીએ, લાવી પથ્થર

બાંધી પાજ । અવર ઉપાય અળગા કર્યા, રામજી રિઝવવા કાજ ।।૪।।

એજ ધ્યાન એજ ધારણા, એજ જપ તપ ને તીરથ । એજ અષ્ટાંગ યોગ

સાધન, જે આવ્યાં પ્રગટને અર્થ ।।૫।। નર નહિ એ વાનર વળી, તેણે

રાજી કર્યા શ્રીરામ । ભક્તિ બીજા ભક્તની, તેહ કહો આવી શિયે કામ

।।૬।। નર ન આવ્યા પશુપાડમાં, પશુએ કર્યા પ્રભુ પ્રસન્ન । સમો જોઇ જે

સેવા કરે, તે સમાન નહિ સાધન ।।૭।। વણ સમાની જે ભગતિ, અતિ

કુરાજી કરવા કાજ । માટે જન સમો જોઇને, રાજી કરવા શ્રીમહારાજ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

।।૮।। જેહ સમે જેવું ગમે હરિને, તેવું કરે થઇ તૈયાર । તેમાં સમ વિષમે

ભાવ સરખો, એક ઉરમાંહી નિરધાર ।।૯।। એવા ભક્તની ભગતિ,

અતિ વા’લી વા’લાને મન । નિષ્કુલાનંદ નિશ્ચે કરી, ન હોય કોઇ એને

વિઘન ।।૧૦।। કડવું ।।૧૩।।

પ્રગટ પ્રભુની ભક્તિ અતિ ભલીજી, કરી દીયે કામ એજ એકલીજી

। એહ વિના બીજી છે ભૂલવાની ગલીજી, જગમાં જેજે કે’વાય છે

જેટલીજી ।।૧।। ઢાળ- જેટલી ભક્તિ જન કરેછે, પરહરી પ્રભુ પ્રગટને

। તેને ભક્ત કે’વો તે ભૂપની ખોટે, જેમ પાટે બેસાર્યો મર્કટને ।।૨।। તેણે

ફાળ ભરી ફળ જોઇને, કોઇને ન પૂછી વાત । એમ પરોક્ષ ભક્તિ બહુ

પેરની, લાખો લેખે ખાયછે લાત ।।૩।। જોને ૧વાડવ વાસી વ્રજના, જોરે

કરતા હતા જગન । પણ પ્રભુ પ્રગટને જમવા, અણુભાર ન આપ્યું અન્ન

।।૪।। જગનનું ફળ શું જડ્યું, પડ્યું પસ્તાવું પાછું વળી । એવી

પરોક્ષભક્તની પ્રાપતિ, શ્રવણે લીધીછે સાંભળી ।।૫।। ધન્ય ધન્ય એની

નારીને, જેણે જમાડયા જીવન પ્રાણને । પ્રગટ પ્રભુને પૂજતાં, તે પામી

પરમ કલ્યાણને ।।૬।। માટે પ્રગટથી જેવી પ્રાપ્તિ છે, તેવી નથી પરોક્ષની

માંય । એમ ભક્તિમાં બહુ ભેદ છે, સમઝુ સમઝો સદાય ।।૭।। માટે

મુખોમુખની જે વારતા, તે સમ નહિ સંદેશા તણી । કાનની સૂણી સહુ

કહેછે, નથી દીઠી નજરે આપણી ।।૮।। વાંચી કાગળ કોઇ ૨કંથનો, જેમ

નાર અપાર રાજી થઇ । પણ પ્રગટ સુખ ૨પિયુતણું, અણુ જેટલું આવ્યું

નઇ ।।૯।। માટે પ્રગટ ભક્તિ વિના પ્રાપતિ, નથી નર અમરને નિરધાર

। નિષ્કુલાનંદ કહે જુવો નિહાળી, ઉડું અંતર મોઝાર ।।૧૦।। કડવું ।।૧૪।।

પ્રગટની ભક્તિ સારમાં સારજી, એમાં સંશય મા કરશો લગારજી

। પ્રગટને ભજી પામ્યા કંઇ ભવ પારજી, ખગ મૃગ જાતિ નર ને નારજી

।।૧।। ઢાળ- નર નારી અપાર ઉદ્ધર્યાં, પ્રભુ પ્રગટને પામી વળી । તેહના

જેવી પ્રાપતિ, નથી કેની જો સાંભળી ।।૨।। જેની સાથે જમ્યા રમ્યા જીવન,

પુરૂષોત્તમ પ્રાણ આધાર । હળ્યા મળ્યા અઢળ ઢળ્યા, કહો કોણ આવે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

એની હાર ।।૩।। જે દર્શ સ્પર્શ પરબ્રહ્મનો, નિત્યપ્રત્યે પામ્યાં નરનાર ।

સદા સર્વદા સંગ રહી, આપ્યાં હરિએ સુખ અપાર ।।૪।। એવું વ્રજવાસીનું

સુખ સાંભળી, શિવજીને થયો મને શોચ । કહ્યું પામત જન્મ પશુપાળનો,

તો રે’ત નહિ કાંએ પોચ ।।૫।। એવી એ પ્રગટ ભક્તિનો, શંભુએ કર્યો

સત્કાર । બ્રહ્માને જે ભાગ ન આવી, તે પામિયા વ્રજના રે’નાર ।।૬।।

અજ અતિ દીન મીન થયો, પામવા પ્રસાદીકાજ । તે પામ્યાં ગોપી ગોવાળ

બાળ, જે સોણે ન પામ્યો સુરરાજ ।।૭।। વાલ્મિકે વખાણ્યા વાનરને,

વ્યાસે વખાણિયા પશુપાળ । તે પ્રગટ ભક્તિ પ્રતાપથી, વાધિયો જશ

વિશાળ ।।૮।। સહુ પ્રગટ સેવી સુખ પામિયા, તમે સાંભળજો સુજાણ

મળી । ડાહ્યા સાણા રહ્યા દેખતા, સુખ પામ્યા વ્રજવાસી વળી ।।૯।। એમ

પ્રગટ ભક્તિ સહુ ઉપરે, એથી ઉપરાંત નથી કાંઇ । નિષ્કુલાનંદ નિશ્ચે

વારતા, સૌને સમઝવી મનમાંઇ ।।૧૦।। કડવું ।।૧૫।।

ઉરમાંહિ કરવો એમ વિવેકજી, પ્રગટની ભક્તિ સહુથી વિષેકજી ।

એહને સમાન નહિ કોઇ એકજી, તે તકે મળે તો ન ભૂલવું નેકજી ।।૧।।

ઢાળ - તે તકે મળે તો નવ ભૂલવું, સમો જોઇ રે’વું સાવધાન । તેમાં

યોગ્ય અયોગ્ય જોવું નહિ, રાજી કરવા શ્રીભગવાન ।।૨।। ધર્મ વિચારીને

ધનંજયે, યુદ્ધ કરવું નો’તું જરૂર । પણ જાણી મરજી જગદીશની, ત્યારે

ભારત કર્યો ભરપૂર ।।૩।। તેમાં કુળ કુટુંબી સગા સંબન્ધી, સહુનો તે

કર્યો સંહાર । ન ગણ્યા વળી ગુરુ ગોત્રને, સહુને પમાડ્યા પાર ।।૪।।

એવું અણઘટતું કામ કર્યું, તેમાં ગયા કંઇકના પ્રાણ । તોય કુરાજી કૃષ્ણ

નવ થયા, સામું કર્યા પાર્થના વખાણ ।।૫।। એ સમે એમ ગમતું હતું,

તેણે પ્રભુ થયા રળિયાત । શુભાશુભનું ક્યાં રહ્યું, સહુ જુવો વિચારી

વાત ।।૬।। એમ પ્રભુ પ્રગટને, જેહ સમે ગમે જાણો જેમ । તેમ કરવું કર

જોડીને, નવ ચડવું બીજે વે’મ ।।૭।। વળી પ્રિયવ્રતે પ્રભુ પ્રસન્ન કરવા,

નિવૃત્તિ મુકીને પ્રવૃત્તિ ગ્રહિ । તેહ જેવા આ જક્તમાં, બીજા બહુ ગણાણા

નહિ ।।૮।। માટે જે ગમે પ્રભુ પ્રગટને, તેમ જનને કરવું જરૂર । તેમાં

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

હાણ્ય વૃદ્ધિ હાર જીતનો, હર્ષ શોક ન આણવો ઉર ।।૯।। નિઃસંશય ને

નિરઉત્થાને, કરવી હરિની ભગતિ । નિષ્કુલાનંદ એ વારતા, મને માનજો

છે મોટી અતિ ।।૧૦।। કડવું ।।૧૬।।

પદરાગ આશાવરી - સંતો સમે સેવી લિયો સ્વામી, જેને ભજતાં

રહે નહિ ખામીરે; સંતો૦ । ટેક-મટે ખોટ્ય મોટી માથેથી, કોટિક ટળીયે

કામી । પૂરણ બ્રહ્મ પ્રભુ મળે પોતે, ધામ અનંતના ધામીરે; સંતો૦ ।।૧।।

જે પ્રભુ અગમ નિગમે કહ્યા, રહ્યા આગે કરભામી । તે પ્રભુ આજ પ્રગટ

થયા છે, જે સર્વે નામના નામીરે; સંતો૦ ।।૨।। અણુ એક એથી નથી

અજાણ્યું, જાણો એ છે અંતરજામી । તેને તજીને જે ભજે બીજાને, તેતો

કે’વાયે લુણ હરામીરે; સંતો૦ ।।૩।। જેનાં દર્શ સ્પર્શ કરે પ્રાણી, તેનાં

પાપ જાયે વામી । નિષ્કુલાનંદ કે’ આનંદ ઉપજે, પૂરણ પુરૂષોત્તમ પામીરે;

સંતો૦ ।૪। પદ ।૪।

પૂરણ પુરૂષોત્તમ પામીયે જ્યારેજી, તન મનમાંહિ તપાસિયે

ત્યારેજી । આવો અવસર ન આવે ક્યારેજી, એમ વિચારવું વારમવારેજી

।।૧।। ઢાળ- વારમવાર વિચારવું, વણસવા ન દેવી વળી વાત । સમો

જોઇને સેવકને, હરિ કરવા રાજી રળિયાત ।।૨।। અવળાઇને અળગી

કરી, સદા સવળું વર્તવું સંત । અવળાઇયે દુઃખ ઉપજે, વળી રાજી ન

થાય ભગવંત ।।૩।। જેમ ભૂપના ભૃત્ય ભેળા થઇ, સમા વિના કરે સેવકાઇ

। જોઇ એવા જાલમ જનને, રાજા રાજી ન થાયે કાંઇ ।।૪।। જ્યાં જોઇએ

ભલુ ભાગવું, ત્યાં સામો થાય શૂરવીર । જ્યાં જોઇએ થાવું ઉતાવળું,

ત્યાં ધરી રહે ધીર ।।૫।। જ્યાં જોઇએ હારવું, ત્યાં કરે હઠાડવા હોડ ।

જ્યાં જોઇએ નમવું, ત્યાં કરે નમાડવા કોડ ।।૬।। જ્યાં જોઇએ જાગવું,

ત્યાં સૂવે સોડ તાણીને । જ્યાં જોઇએ બોલવું, ત્યાં બંધ કરેછે વાણીને

।।૭।। જ્યાં ન જોઇએ બોલવું, ત્યાં બોલેછે થઇ બેવકૂબ । જ્યાં જોઇએ

વસવું, ત્યાંથી ખશી જાયછે ખૂબ ।।૮।। એવી ભક્તિ જો આવડી, જેમાં

રાજી ન થાય રામ । કરવાનું તે કરે નહિ, કરે ન કરવાનું કામ ।।૯।। એવા

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

સેવકને શ્રીહરિ, પાસળથી પરા કરે । નિષ્કુલાનંદ એ નરને, સેવતાં સુખ

શું આવ્યું સરે ।।૧૦।। કડવું ।।૧૭।।

પ્રગટ પ્રભુની જેને ભક્તિ ન આવડીજી, તેને તોેે ભૂલ્ય આવે ઘડી

ઘડીજી । માગે જો મોળ્ય તો લાવે મોજડીજી, એવી અવળાઇની ટેવ જેને

પડીજી ।।૧।। ઢાળ- ટેવ પડી અવડાઇની, સવળું કરતાં સુઝે નહિ ।

એવા ભક્તની ભગતિ, સુખદાયક નો’યે સહિ ।।૨।। પાણી માગે તો

આપે પથરો, અન્ન માગે તો આપે અંગાર । વસ્ત્ર માગે તો આપે વાલણો,

એવી અવડાઇનો કરનાર ।।૩।। આવ્ય કહે ત્યાં આવે નહિ, જા કહે ત્યાં

ન જવાય । એવા ભક્તની ભગતિ, અતિ અવળી કે’વાય ।।૪।। બેસ્ય

કહે ત્યાં બેસે નહિ, ઉભો રહે કહે ત્યાં દિયે દોટ । એવા સેવક જે શ્યામના,

તે પામે નહિ કેદી મોટ ।।૫।। વારે ત્યાં વળગે જઇ, વળગાડે ત્યાં નવ

વળગાય । એવા ભક્ત ભગવાનથી, સુખ ન પામે કહું કાંય ।।૬।। જ્યાં

રાખે ત્યાં નવ રહી શકે, નવ રાખે ત્યાં રે’વાય । ગ્રહે કહે તો ગ્રહી નવ

શકે, મુક્ય કહે તો નવ મુકાય ।।૭।। એવા અનાડી નરને, મર મળ્યા છે

પ્રભુ પ્રગટ । પણ આઝો આવે કેમ એહનો, જે ઘેલી રાખશે ઘટે પટ

।।૮।। વળી બા’વરીને કહે બાળીશમાં, ઘણી જતન રાખજે ઘરની । તેણે

મેલી અગ્નિ મોભથી, નવ માની શીખામણ નરની ।।૯।। એવી અવળાઇ

આદરી, કોઇ ભક્ત કરે ભક્તાઇ । નિષ્કુલાનંદ એ નરને, નવ થાય

કમાણી કાંઇ ।૧૦। કડવું ।૧૮।

કમાણી કહો ક્યાં થકી થાયજી, નરે ન કર્યો કોઇ એવો ઉપાયજી ।

જેજે કર્યું તે ભર્યું દુઃખમાંયજી, તે કેમ કરી કરે સેવામાં સા’યજી ।।૧।।

ઢાળ- સા’ય ન થાય ભુંડપની ભક્તિએ, કોઇ કરે જો કોટી ઘણી ।

પરિચર્યા પામર નરની, તે સર્વે સામગ્રી સંકટતણી ।।૨।। ઉનાળે પે’રાવે

ઉનનાં અંબર, ગરમ ઓઢાડે વળી ગોદડું । સમીપે કરી લાવે સગડી,

કહો એથી અવળું શું વડું ? ।।૩।। વળી પે’રાવે ગરમ પોશાગને, જમાડે

ગરમ ભોજન । પાય પાણી ઉનું આણી, કહે પ્રભુ થાઓ પ્રસન્ન ।।૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

જાવંત્રી કસ્તુરી ગરમ લાવી, આપે ઉનાળે એવો મુખવાસ । એવી સેવા

કરે વણ સમઝે, તે શત્રુ સરિખો દાસ ।।૫।। ચોમાસે ચલાવે કીચવચ્ચે,

જેમાં સૂળ્યોના હોય સમોહ । એવા દાસ દુશ્મન જેવા, જે કરાવે ધણીને

કોહ ।।૬।। શિયાળે શીતળ જળ લઇ, નવરાવે કરીને નીરાંત । પછી

ઓઢાડે પલળેલી પાંબડી, નાખે પવન ખરી કરી ખાંત ।।૭।। વળી ચર્ચે

ચંદન મળિયાગરી, કંઠે પે’રાવે ભિંજેલ હાર । પ્રસન્ન કરે કેમ પ્રગટ

પ્રભુને, એવી સેવાના કરનાર ।।૮।। સવળી સામગ્રી શોધતાં, અવલોકે

ન મળે એક । અણ સમઝણે એવી સેવા, કરવી નહિ સેવક ।।૯।। જો

આવડે તો જોઇ સમયે, સેવા કરવી સુજાણ । નિષ્કુલાનંદ નરનાથ છે,

નથી પ્રભુમૂર્તિ પાષાણ ।।૧૦।। કડવું ।।૧૯।।

પાષાણમૂર્તિ પૂજેછે જનજી, તેપણ સમયે જોઇ કરે સેવનજી । સમય

વિના સેવા ન કરે કોઇ દનજી, જાણે એમ પ્રભુ ન થાય પ્રસન્નજી ।।૧।।

ઢાળ- પ્રસન્ન કરવા પ્રભુને, સમો જોઇને કરેછે સેવ । વણ સમાની

સામગ્રીએ, પૂજે નહિ પ્રતિમા દેવ ।।૨।। પરોક્ષને પણ પ્રીતે કરી, સમો

જોઇ પૂજેછે સેવક । ત્યારે પ્રભુ પ્રગટને પૂજતાં, જોઇયે વિધેવિધ વિવેક

।।૩।। સમે દાતણ સમે મર્દન, સમો જોઇને લાવીયે નીર । સમે ચંદન

ચરચિયે, સુંદર શ્યામને શરીર ।।૪।। સમે વસન સમે ભૂષન, સમે

સજાવવા સણગાર । સમો જોઇ પૂજા કરવી, સમે પે’રાવવા હાર ।।૫।।

સમે ભોજન સમે શયન, સમે પોઢાડિ ચાંપિયે પાય । સમા વિના સેવકને,

સેવા ન કરવી કાંય ।।૬।। સમે સામું જોઇ રહી, જોવી કર નયણની સાન

। તત્પર થઇ તેમ કરવું, રે’વું સમાપર સાવધાન ।।૭।। સમે દર્શન સમે

પરશન, પૂછવાં તે પ્રેમે કરી । સમે ઉત્તર સાંભળી, તેમ કરવું ભાવે ભરી

।।૮।। સમો જોઇ સેવકને, રે’વું હાથ જોડીને હજૂર । સમા વિનાની જે

વારતા, તેથી દાસને રે’વું દૂર ।।૯।। જે સમે જેવું ગમ્યું હરિને, તેવું કરવું

કર જોડીને । નિષ્કુલાનંદ કે’ ન ભૂલવું, કરવું કારજ મન માન મોડીને

।।૧૦।। કડવું ।।૨૦।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

પદરાગ બિહાગડો - સરલ વરતવે છે સારૂંરે મનવા સરલ, માની

એટલું વચન મારૂંરે મનવા૦ ટેક - મન કર્મ વચને માનનેરે મેલી,

કાઢ્ય અભિમાન બા’રૂં । હાથ જોડી હાજીહાજી કરતાં, કેદી ન બગડે તે

તારૂંરે; મનવા૦ ।।૧।। આકડ નર લાકડ સૂકાસમ, એને વળવા ઉધારૂં ।

તેને તાપ આપી અતિ તીખો, સમું કરેછે સુતારૂંરે; મનવા૦ ।।૨।। આંકડો

વાંકડો વિંછીના સરખો, એવો ન રાખવો વારૂં । દેખી દૃગે કોઇ દયા ન

આણે, પડે માથામાં પેજારૂંરે; મનવા૦ ।।૩।। હેતનાં વચન ધારી લૈયે

હૈયે, શું કહિયે વાતો હજારૂં । નિષ્કુલાનંદ નિજકારજ કરવા, રાખિયે

નહિ અંધારૂંરે; મનવા૦ ।।૪।। પદ ।।૫।।

નથી અંધારૂં નાથને ઘેરજી, એપણ વિચારવું વારમવારજી ।

સમઝીને સરલ વર્તવું રૂડી પેરજી, તો થાય માનજો મોટાની મે’રજી

।।૧।। ઢાળ- મે’ર કરે મોટી અતિ, જો ઘણું રહિયે ગર્જવાન । ઉન્મત્તાઇ

અળગી કરી, ધારી રહિયે નર નિર્માન ।।૨।। અવળાઇ કાંઇ અર્થ ન

આવે, માટે શુદ્ધ વર્તવું સુજાણ । અંતર ખોલી ખરૂં કરવું, પો’ત વિના ન

તરે પાષાણ ।।૩।। માટે જે કામ જેથી નિપજે, તે બીજે ન થાય મળે જો

કોટ । તેને આગળ આધિન રહેતાં, ખરી ભાંગી જાય ખોટ ।।૪।। જેમ

અન્ન અંબુ હોય એક ઘરે, બીજે જડે નહિ જગમાંઇ । એથી રાખિયે અણ

મળતું, તો સુખ ન પામિયે ક્યાંઇ ।।૫।। માટે સર્વે સુખ શ્રીહરિમાં રહ્યાં,

તે વિના નથી ત્રિલોકમાં । એમ સમુ જે નવ સમઝે, તે નર વરતે કધ્રોકમાં

।।૬।। જે ખરા ખપની ખોટવાળા, તે સુખાળા શું થાયછે ? । અતિ અનુપમ

અવસરમાં, મોટી ખોટને ખાય છે ।।૭।। અમળતી અતિ વારતા, તે મેળવી

હરિ કરી મે’ર । એહ વારતાની વિગતી કરી, નથી પ્રિછતા કોઇ પેર

।।૮।। જેમ અજાણ નરને એકછે, પથ્થર પારસ એક પાડ । બાવના ચંદન

બરોબરી, વળી જાણેછે બીજાં ઝાડ ।।૯।। પણ પુરૂષોત્તમ પ્રગટનું મળવું,

છે મોઘાં મૂલનું । નિષ્કુલાનંદ નર સમઝી, લેવું સુખ અતૂલનું ।।૧૦।।

કડવું ।।૨૧।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

સુખ અતોલ પામવા માટજી, તન મન ધન મર જાય એહ સાટજી

। તોય ન મુકીયે એહ વળી વાટજી, તો સર્વે વારતા ઘણું બેસે ઘાટજી

।।૧।। ઢાળ- ઘાટ બેસે વાત સર્વે, વળી સરે તે સર્વે કામ । કેડે ન રહે કાંઇ

કરવું, સેવતાં શ્રીઘનશ્યામ ।।૨।। સહુના સ્વામી જે શ્રીહરિ, સહુના

નિયંતા જે નાથ । સહુના આશ્રય એહ સેવતાં, સદાય થાય સનાથ ।।૩।।

દેવના દેવ જે અખંડ અભેવ, અશર્ણશર્ણ સૌના આધાર । સર્વે સુખના

વળી સુખનિધિ, સર્વે સારનું પણ સાર ।।૪।। સર્વે રસના રસરૂપ અનુપ,

સર્વે ભૂપના પણ ભૂપ । સર્વે તેજના તેજ છે એજ, સર્વે રૂપના પણ રૂપ

।।૫।। પરાપાર અપાર એવા, જેની સેવા કરે સહુ કોય । ઇશના ઇશ

પરમેશ્વર પોતે, એહ સમ અન્ય નહિ હોય ।।૬।। પુરૂષોત્તમ પરબ્રહ્મ

પૂરણ, સુખદ સર્વના શ્યામ । તેહ નરતન ધરી નાથજી, સુખ દેવા આવે

સુખધામ ।।૭।। એહ સુર સુરેશ સરિખા નહિ, નહિ ઇશ અજસમ એહ

। પ્રકૃતિ પુરૂષ સરિખા નહિ, નહિ પ્રધાન પુરૂષ સમ તેહ ।।૮।। એવા

અંતરજામી અવની મધ્યે, આપે આવેછે અલબેલ । ત્યારે સહુ નરનારને,

સેવવા જેવા થાયછે સહેલ ।।૯।। હોય મનુષ્યાકાર અપાર મોટા, જેની

સામર્થીનો નહિ પાર । નિષ્કુલાનંદ એહ નાથનો, કોણ કરી શકે નિરધાર

।।૧૦।। કડવું ।।૨૨।।

નિરધાર ન થાય અપાર છે એવાજી, કહો કોણ જાય પાર તેનો

લેવાજી । નથી કોઇ એવી ઉપમા એને દેવાજી, જેહ નાવે કહ્યામાં તો

કહિયે એને કેવાજી ।।૧।। ઢાળ- કહેવાય નહિ કોઇ સરખા, એવા

મનુષ્યાકાર મહારાજ । એને મળતે સહુને મળ્યા, એને સેવ્યે સર્યાં સહુ

કાજ ।।૨।। એને નિરખ્યે સહુ નિરખ્યા, એને પૂજ્યે પૂજ્યા સહુ દેવ ।

એને જમાડ્યે સહુ જમ્યા, થઇ સૌની એને સેવ્યે સેવ ।।૩।। એના થયે

થયાં કામ સરવે, એને ભજ્યે ભજી ગઇ વાત । એનાં દરશ સ્પર્શ કરી,

સર્વે કાજ સર્યાં સાક્ષાત ।।૪।। સહુની પાર સહુને સરે, નર અમરને

અગમ અતિ । એવી મૂર્તિ જેને મળી, તેને થઇછે પૂરણ પ્રાપતિ ।।૫।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

સર્વે કાર્ય તેનું સરિયું, રહ્યું નહિ અધુરૂં એક । તે પ્રગટ મૂર્તિ પ્રસંગે, વળી

જાય વડો વિશેક ।।૬।। પ્રગટ પ્રસન્ન પ્રગટ દર્શન, પ્રગટ કે’વું સુણવું વળી

। અતિ મોટી એહ વારતા, વણ મળ્યાની માનો મળી ।।૭।। એહ વાત

આવી હાથ જેને, તેને કમી કહો કાંઇ રઇ? । પારસ ચિંતામણી પામતાં,

સર્વે વાતની સંકોચ ગઇ ।।૮।। પામ્યા પરમ પદ પ્રાપતિ, અતિ અણતોળી

અમાપ । તે કે’વાય નહિ સુખ મુખથી, વળી થાય નહિ કેણે થાપ ।।૯।।

અખંડ આનંદ અતિ ઘણો, તેતો પ્રગટ મળે પમાયછે । નિષ્કુલાનંદ નિશ્ચે

કહે, એહ સમ અવર કોણ થાયછે? ।।૧૦।। કડવું ।।૨૩।।

એની સેવા કરવી શ્રદ્ધાયેજી, તેહમાં કસર ન રાખવી કાંયજી ।

મોટો લાભ માની મનમાંયજી, તકપર તત્પર રે’વું સદાયજી ।।૧।। ઢાળ-

તત્પર રે’વું તક ઉપરે, પ્રમાદ પણાને પરહરી । આવ્યો અવસર ઓળખી,

કારજ આપણું લેવું કરી ।।૨।। અવસરે અર્થ સરે સઘળો, વણ અવસરે

વણસે વાત । માટે સમો સાચવી, હરિને કરવા રળિયાત ।।૩।। જેમ લોહ

લુહાર લૈ કરી, ઓરેછે અગ્નિમાંઇ । પણ ટેવ ન રાખે જો તાતણી, તો

કામ ન સરે કાંઇ ।।૪।। એમ પામી પ્રભુ પ્રગટને, સમાપર રે’વું સાવધાન

। જોઇ મરજી મહારાજની, ભલી ભક્તિ કરવી નિદાન ।।૫।। જેમ તડિત

તેજે મોતી પરોવવું, તે પ્રમાદી કેમ પરોવી શકે । પરોવે કોઇ હોય પ્રવીણ

પૂરા, તેહ તરત તૈયાર રહે તકે ।।૬।। એમ અલ્પ આયુષ્ય આપણી,

તેમાં પ્રગટ પ્રભુ પ્રસન્ન કરો । જાયે પલ પાછી જડે નહિ, થાય એવાતનો

બહુ ખરખરો ।।૭।। જે ખેડુ કોઇ ખેતરમાં, વણ તકે વાવવા જાય । તે ઘેરે

ન લાવે ભરી ગાડલાં, મર કરે કોટી ઉપાય ।।૮।। તેમ પ્રગટ પ્રમાણ

પ્રભુને મૂકી, ચૂકી સમો થાય સાવધાન । તે જાણે કમાણી કરશું, પણ

સામું થયું જ્યાન ।।૯।। એહ મર્મ વિચારી માનવી, જાણી લેવી વાત

જરૂર । નિષ્કુલાનંદ નિશ્ચે કહે, રહિયે હરિ હોય ત્યાં હજૂર ।।૧૦।। કડવું

।।૨૪।।

પદરાગ બિહાગડો - હજૂર રહિયે હાથ જોડીરે હરિશું હજુર,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

બીજાં સર્વેની સાથેથી ત્રોડીરે; હરિશું૦ ટેક - લોક પરલોકનાં સુખ

સાંભળી, ધન્ય માની ન દેવું ધ્રોડી । મરિચી જળ જેવાં માની લેવાં, તેમાં

ખોવી નહિ ખરી મોડીરે; હરિશું૦ ।।૧।। હીરાની આંખ્ય સુણી હૈયે હરખી,

છતી છે તે ન નાખીએ ફોડી । તેમ પ્રભુજી પ્રગટ પખી, નથી વાત કોયે

રૂડીરે; હરિશું૦ ।।૨।। રૂડો રોકડો દોકડો દોપ્ય આવે, નાવે કામ સ્વપ્નની

ક્રોડી । તેમ પ્રગટ વિના જે પ્રતીતી, તેતો ગદ્ધું માન્યું કરી ઘોડીરે; હરિશું૦

।।૩।। પ્રગટ પ્રભુની ભક્તિ અતિ ભલી, મર જો જણાતી હોય થોડી ।

નિષ્કુલાનંદ નિશ્ચે એમ જાણો, છે ભવસિંધુ તરવા હોડીરે; હરિશું૦ ।।૪।।

પદ ।।૬।।

ભવજળ તરવા હરિ ભક્તિ કરોજી, તેહ વિના અન્ય તજો

આગરોજી । શુદ્ધ મન ચિત્તે ભક્તિ આદરોજી, તેમાં તન મન મમત

પરહરોજી ।।૧।। ઢાળ-તન મન મમતને તજી, ભજી લેવા ભાવે ભગવાન

। તેમાં વર્ણાશ્રમ વિદ્યા વાદનું, અળગું કરી અભિમાન ।।૨।। કોઇ દીન

હીનમતિ માનવી, ગરીબ ગ્રસેલ રોગનો । તેની ઉપર તિખપ્ય તજી,

કરવો ઉપાય સુખ સંજોગનો ।।૩।। સર્વે ઠેકાણે સમઝવા, છે અંતરજામી

અવિનાશ । રખે કોઇ મુજથકી પણ, તનધારીને ઉપજે ત્રાસ ।।૪।। અલ્પ

જીવની ઉપરે પણ, રાખે દયા અતિ દિલમાંઇ । પેખીપેખી ભરે પગલાં,

રખે થાય અપરાધ કાંઇ ।।૫।। સ્થાવર જંગમ જીવ જેહ, તેહ સર્વના

સુખદેણ । પશુ પંખી પ્રાણધારીપર, કરે નહિ કરડાં નેણ ।।૬।। ઇન્દ્રિયજીત

અજાતશત્રુ, સગા સહુના સુખસ્વરૂપ । દીનપણું ઘણું દાખવે, એવા અનેક

ગુણ અનૂપ ।।૭।। સાધુતા અતિ સર્વે અંગે, અસાધુતા નહિ અણુભાર ।

એવા ભક્ત ભગવાનના, તે સહુને સુખ દેનાર ।।૮।। હિતકારી સારી

સૃષ્ટિના, પરમારથી પૂરા વળી । અપાર મોટા અગાધમતિ, જેની સમઝણ

નવ જાય કળી ।।૯।। એવા ભક્ત જેહને જ મળે, ટળે તેના ત્રિવિધ તાપ

। નિષ્કુલાનંદ એહ નાથના, નક્કી ભક્ત એ નિષ્પાપ ।।૧૦।। કડવું ।।૨૫।। ભક્તિ કરે તે ભક્ત કે’વાયજી, જેથી કોયે જીવ નવ દુઃખાયજી ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

મહા પ્રભુનો જાણે મોટો મહિમાયજી, સમઝે મારા સ્વામી રહ્યાછે સહુ

માંયજી ।।૧।। ઢાળ- સ્વામી મારા રહ્યા સઘળે, સર્વે સાક્ષીરૂપે સદાય ।

એમ જાણી દિલે ડરતા રહે, રખે કોયે મુજથી દુઃખાય ।।૨।। અંતરજામી

સ્વામી સૌમાં રહી, દેખેછે મારા દિલની । શું હું સંતાડું સંકલ્પને, એ

જાણેછે પળપળની ।।૩।। એમ ભક્ત ભગવાનને, ભાળે સહુમાં ભરપૂર

। તેથી દુઃખાયે કોણ દિલમાં, જેને એવું વરતેછે ઉર ।।૪।। તે કોણ સાથે

કપટ કરે, કોણ સાથે વળી વરતે છળે । કહો કોણનો તે દ્રોહ કરે, જે

જાણેછે સ્વામી સઘળે ।।૫।। જેના ગુણ ગિરાયે ગાવા ઘટે, તેશું કેમ બોલાય

કટુ વચને । જેને પૂજવા જોઇએ પ્રેમશું, તેને દેખાડાય કેમ ત્રાસ તને

।।૬।। જેને જમાડ્યા જોઇએ જુગતે કરી, તેને કેમ અપાય નહિ અન્ન ।

જેને જોઇએ જળ આપવું, તેને ન અપાય જળ કેમ જન ।।૭।। એમ

સમઝી જન હરિના, કરે ભક્તિ અતિ ભરી ભાવ । તેહ વિનાના ભક્ત

જેહ, તેહ બાંધે જ્યાંત્યાં દાવ ।।૮।। પણ ભક્ત જે ભગવાનના, તેને મત

મમત હોય નહિ । આપાપર જેહ નવ પરઠે, તેહ સાચા ભક્ત કા’વે

સહી ।।૯।। એવી ભક્તિ આદરવી, જેમાં કસર ન રહે કોઇ જાતની ।

નિષ્કુલાનંદ ન ભૂલવું, રાખવી ખટક આ વાતની ।।૧૦।। કડવું ।।૨૬।।

ખરાખરી ભક્તિમાં ખોટ ન આવેજી, સહુ જનને મને સુખ

ઉપજાવેજી । ભગવાનને પણ એવી ભક્તિ ભાવેજી, જે ભક્તિને શિવ

બ્રહ્મા સરાવેજી ।।૧।। ઢાળ- સરાવે શિવ બ્રહ્મા ભક્તિ, ભલી ભાતે

ગુણ ગાય ઘણા । તે ભક્તિ જાણો પ્રગટની, કરતાં કાંઇ રહે નહિ મણા

।।૨।। જેહ ભક્તિમાં જાણજો, કપટ કાંઇ ચાલે નહિ । સદા પ્રભુને પેખે

પાસળે, તે મોકળે મને મા’લે નહિ ।।૩।। દૂર હરિને નહિ દેખતાં, સદા

સમીપે દેખેછે શ્યામ । તેનું ચિત્ત ચોરી કરી કેમ શકે, ન કરે ન કર્યાનું

કામ ।।૪।। જાણે પગે ભરૂંછું જે પગલાં, કરે કરૂંછું જેહ કામ । રસનાનું

જાણે રસ રવનું, જાણે શ્રવણે સૂણું તે શ્યામ ।।૫।। નયણે રૂપ જે નિરખું,

ચરમે લિયું જે સ્પર્શ રસ । નાસે જેહ વાસ લિયું, નથી એથી અજાણ્યું

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

અવશ્ય ।।૬।। એમ પેખે પ્રભુને પાસળે, તે ભવભૂલવણીમાં ભૂલે નહિ ।

સદા દેખે સમીપે શ્યામને, સાચા ભક્ત તે સમઝો સહિ ।।૭।। એવા જન

જગદીશને, માનો મળવા મોંઘા ઘણું । સર્વે શાસ્ત્રમાંહી સૂચવ્યું, માહાત્મ્ય

એવા ભક્તતણું ।।૮।। જેહ ભક્તને વા’લા ભગવાનછે, તેહ ભક્ત વા’લા

છે ભગવાનને । પણ ભક્ત નામે રખે ભૂલતા, એતો ગાયાછે ગુણવાનને

।।૯।। ભાગ્ય હોય તો એવા ભક્તની, ભેટ્ય થાય ભવમાંઇ । નિષ્કુલાનંદ

તો નરને, કરવું રહે નહિ કાંઇ ।।૧૦।। કડવું ।।૨૭।।

કરવું હતું તે કરી લીધું કામજી, ભક્તિ કરી રીઝવ્યા ઘનશ્યામજી

। જે ઘનશ્યામ ઘણા સુખના ધામજી, તેને પામવા હતી હૈયે હામજી

।।૧।। ઢાળ- હામ હતી હૈયે ઘણી, પ્રભુ પ્રગટ મળવા કાજ । આ દેહે

કરી જે દીનબંધુ, જાણું ક્યાંથી મળે મહારાજ ।।૨।। આ નેણે નિરખીયે

નાથને, મુખોમુખ કરીયે વાત । આવે અવસર એવો ક્યાંથકી, જે પ્રભુ

મળે સાક્ષાત ।।૩।। અંગોઅંગ એને મળવું, તેતો મહા મોઘોંછે મેલાપ ।

નો’તો ભરોંસો ભિંતરે, જે મળશે અલબેલો આપ ।।૪।। જમવું રમવું

જોડે બેસવું, એવો ક્યાંથકી પામીયે પ્રસંગ । મોટામોટાને મુશકેલ મળવો,

સુણી સદા રે’તા મનભંગ ।।૫।। સર્વે પ્રકારે સાક્ષાત સંબન્ધ, જેનો અતિ

અગમ અગાધ્ય । તેહ મળે કેમ મનુષ્યને, જે દેવને પણ દુરારાધ્ય ।।૬।।

તેહ પ્રભુજી પ્રસન્ન થઇ, નરતન ધરી મળ્યા નાથ । તેણે સર્વે રીતે સુખ

આપિયાં, થાપિયાં સહુથી સનાથ ।।૭।। હળી મળી અઢળ ઢળીને, આપી

ભક્તિ આપણી । તેહ ભક્તિને ભવ બ્રહ્માયે, માગી મગન થઇ ઘણી

।।૮।। ભક્તિમાં છે ભાર ભારે, તે જેને તેને જડતી નથી । પુણ્યવાન કોઇ

પામશે, વારેવારે શું કહીયે કથી ।।૯।। પ્રગટની પરિચરિયા, છે

માનવીઓને મોંઘી ઘણી । નિષ્કુલાનંદ એ નૌત્તમ નિધિ, સૌ સમઝો છે

સુખતણી ।।૧૦।। કડવું ।।૨૮।।

પદરાગ બિહાગડો - ભક્તિનિધિનો ભંડારરે સંતો ભક્તિ, તેને

શું કહું હું વારમવારરે; સંતો૦ । ટેક - ભક્તિ કરીને કંઇ સુખ પામ્યા,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

નર અમર અપાર । સુર નર મુનિજન સૌ કોઇ મનમાં, સમજ્યા

ભક્તિમાં સારરે; સંતો૦ ।।૧।। ઋષિ તપસી વનવાસી ઉદાસી, ભાળે

ભક્તિમાં ભાર । જાણે સેવા કેમ મળે હરિની, અંતરે એવો વિચારરે;

સંતો૦ ।।૨।। આદિ અંતે મધ્યે મોટપ્ય પામ્યા, તેતો ભક્તિ થકી નિરધાર

। ભક્તિ વિના ભટકણ ન ટળે, ભમવાનું ભવ મોઝારરે; સંતો૦ ।।૩।।

તેહ ભક્તિ પ્રગટની પ્રીછજો, અતિ અનુપ ઉદાર । નિષ્કુલાનંદ નકી એ

વારતા, તેમાં નહિ ફેરફારરે; સંતો૦ ।।૪।। પદ ।।૭।।

ફેર નથી રતિ ભક્તિછે રૂડીજી, દોયલા દિવસની માનજો એ મુડીજી

। એ છે સત્યવાત નથી કાંઇ કુડીજી, ભવજળ તરવા હરિભક્તિ છે હુડીજી

।।૧।। ઢાળ- હુડી છે હરિની ભગતિ, ભવજળ તરવા કાજ । અપાર

સંસાર સમુદ્રમાં, જબર જાણો એ ઝાજ ।।૨।। સોસો ઉપાય સિંધુ તરવા,

કરી જુવે જગે જન કોય । વહાણ વિનાનાં વિલખાં, સમઝી લેવાં જન

સોય ।।૩।। તેમ ભક્તિ વિના ભવદુઃખનો, આવે નહિ કેદિયે અંત । માટે

ભક્તિ ભજાવવી, સમઝી વિચારીને સંત ।।૪।। ખાધા વિના જેમ ભૂખ ન

ભાંગે, તૃષા વીતે નહિ વણ તોય । તેમ ભક્તિ વિના ભવદુઃખ જાવા,

નથી ઉપાય કહું કોય ।।૫।। જગજીવન વિના જેમ નગ ન ભીંજે, રવિ

વિના ટળે નહિ રાત । તેમ ભક્તિ વિના ભારે સુખ મળે, એવી રખે કરો

કોઇ વાત ।।૬।। જેમ પ્રાણધારીના પ્રાણને, જાણો આહારતણોછે આધાર

। તેમ ભક્તિ ભગવાનની, સર્વેને સુખ દેનાર ।।૭।। જળચરને જેમ જળ

જીવન, વનચરને જીવન વન । તેમ ભક્ત ભગવાનનાને, જાણો ભક્તિ

એજ જીવન ।।૮।। જેમ ઝષ ન રહે જળ વિના, રહે કીચે દાદુર કૂર્મ । તેમ

ભક્ત ન રહે હરિભક્તિ વિના, રહે ચિત્તે ચિંતવે જે ચર્મ ।।૯।। માટે

ભક્તને નવ ભૂલવું, કરવી હરિની ભગતિ । નિષ્કુલાનંદ કહે નિર્ભય

થાવા, આદરશું કરવી અતિ ।।૧૦।। કડવું ।।૨૯।।

અતિ આદરશું કરવી ભક્તિજી, તેમાં કાંઇ ફેર ન રાખવો રતિજી

। પામવા મોટી પરમ પ્રાપતિજી, માટે રાખવી અડગ એક મતિજી ।।૧।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

ઢાળ- મતિ અડગ એક રાખવી, પરોક્ષ ભક્તના પ્રમાણ । આસ્તિકપણું

ઘણું આણીને, જેણે ભજ્યા શ્યામ સુજાણ ।।૨।। શાસ્ત્ર થકી જેણે

સાંભળ્યા, ભક્તિતણા વળી ભેદ । તેમની તેમ તેણે કરી, ઉર આણી

અતિ નિર્વેદ ।।૩।। કેણેક કર કપાવિયા, કેણે મુકાવિયું કરવત । કોઇ

વેચાણા શ્વપચ ઘરે, કોઇ પડ્યા ચડી પરવત ।।૪।। કેણેક અસ્થિ આપિયાં,

કેણે આપ્યું આમિષ । કેણેક ઋષિરથ તાણિયો, કેણેક પીધું વળી વિષ

।।૫।। કેણેક તજી સર્વે સંપત્તિ, રાજપાટ સુખ સમાજ । અન્ન ધન ધામ

ધરણી, મેલી મોહન મળવા કાજ ।।૬।। કોઇક લટક્યા કૂપમધ્યે, કોણેક

આપી ખેંચી તનખાલ । કોઇ સૂતા જઇ શૂળિયે, મોટો જાણી

મહારાજમાંહિ માલ ।।૭।। કોણેક તપ કઠણ કર્યાં, મેલી આ તન સુખની

આશ । હિમત કરી હરિ મળવા, કહિયે ખરા એ હરિના દાસ ।।૮।।

પરોક્ષ ભક્ત એ પ્રભુતણા, ઘણા અતિ એ આગ્રહવાન । ત્યારે પ્રગટના

ભક્તને, કેમ સમે ન રે’વું સાવધાન ।।૯।। આદિ અંતે વિચારીને, કરી

લેવું કામ આપણું । નિષ્કુલાનંદ ન રાખવું, હરિભક્તને ગાફલપણું ।।૧૦।।

કડવું ।।૩૦।।

ગાફલપણામાં ગુણ રખે ગણોજી, એહમાંહિ અર્થ બગડે

આપણોજી । પછી પશ્ચાતાપ થાય ઘણો ઘણોજી, ભાગે કેમ ખરખરો

એહ ખોટ તણોજી ।।૧।। ઢાળ- ખરખરો એહ ખોટતણો, ઘણો થાશે

નર નિશ્ચે કરી । જે ગઇ વહી વાત હાથથી, તે પમાય કેમ પાછી ફરી

।।૨।। પગ ન ચાલ્યા પ્રભુ પંથમાં, કરે ન થયું હરિનું કામ । જીભે ન

જપ્યા જગદીશને, મુખે ગાયા નહિ ઘનશ્યામ ।।૩।।નયણે ન નિરખ્યા

નાથને, શ્રવણે ન સુણી હરિવાત । એ ખોટ્ય ભાગે કેમ જાુવો ખોળી,

ચિત્તે ચિંતવી ચોરાશી જાત ।।૪।। પશુ પંખી પન્નગનાં વળી, આવે તન

અનંત । તેણે ભજાય નહિ ભગવાનને, એહ સમઝી લેવો સિદ્ધાંત ।।૫।।

માટે મનુષ્ય દેહ જેવા, એવા એકે કોઇ ન કહેવાય । તેહ સારું સમઝી

શાણા, નરતનના ગુણ ગાય ।।૬।। એવા દેહને પામીને, પ્રસન્ન ન કર્યા

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

પરબ્રહ્મને । તેને થાશે ઉરે ઓરતો, સમઝી લેજોેે સહુ મર્મને ।।૭।। આવો

સમાજ આવતો નથી, જાુવો ચોરાશી દેહને ચિંતવી । તે તન ખોયું પશુ

પાડમાં, કહો વાત શું સમઝયા નવી ।।૮।। મનષ્ય હોય તેને મનમાં,

કરવો વિવેક વિચાર । માનવ દેહ મોઘોં ઘણું, નહિ અન્ય દેહને એ હાર

।।૯।। માટે ભક્તિ ભજાવવી, મન વચન કર્મે કરી । નિષ્કુલાનંદ નર

તનનું, નથી થાતું મળવું ફરી ।।૧૦।। કડવું ।।૩૧।।

ફરી ફરી દેહ નવ આવે આવોજી, તે શીદ ખોયે કરી કાવો દાવોજી

। સમઝી વિચારી હરિ ભક્તિમાં લાવોજી, અવર સુખનો કરી અભાવોજી

।।૧।। ઢાળ- અભાવ કરી અસત્ય સુખનો, સત્ય સુખને સમજી ગ્રહો ।

અમૂલ્ય આવા અવસરને, ખોઇને ખાટ્યો કોણ કહો ।।૨।। જેમ

ચિંતામણી મોંઘી ઘણી, તેણે કાગ કેમ ઉડાડિયે । શેતખાનની સાંકડે,

હરિ મંદિરને કેમ પાડિયે ।।૩।। તેમ મનુષ્ય દેહ મોંઘો ઘણો, સર્વે સુખ

સંપત્તિનો દેનાર । તે વિષય સુખમાં વાવરી, ખરી કરવી નહિ ખુવાર

।।૪।। જેમ પ્રભુ પ્રસાદિની પાંબડી, ફાડી બગાડી કરે બળોતિયું । એ

સમઝણમાં સેલિ પડી, કામધેનુ દોહી પાઇ કૂતિયું ।।૫।। તેમ મનુષ્ય

દેહે કરી દાખડો, પોખિયું કુળ કુટુંબને । દાટો પરુ એ ડા’પણને, ખરસાણી

સારૂં ખોેેયો અંબને ।।૬।। જેમ કુંભ ભરી ઘણા ઘી તણો, કોઇ રાખમાં

રેડે લઇ । એ અકલમાં ઉઠ્યો અગની, જે ન કરવાનું કર્યું જઇ ।।૭।। તેમ

દુર્લભ આ દેહ તેહ, અર્પણ કર્યું અનર્થમાં । કહો કમાણી શું કરી, ખોયો

આવો વિગ્રહ વ્યર્થમાં ।।૮।। માટે માહાત્મ્ય જાણી મનુષ્ય તનનું, કરવું

સમઝી સવળું કામ । વણ અર્થે ન વણસાડવો, આવો દેહ અતિ ઇનામ

।।૯।। જે રહી ગઇ ખોટ મનુષ્ય દેહે, તે ભાંગ્યાનો ભરુંસો તજો ।

નિષ્કુલાનંદ નકી ભગતિ, કરીને હરિને ભજો ।।૧૦।। કડવું ।।૩૨।।

પદરાગ બિહાગડો- ભજો ભક્તિ કરી ભગવાનરે સંતો ભજો૦,

માનો એટલું હિત વચનરે, સંતો૦ । ટેક- ભક્તિ વિના ભારે ભાગ્ય ન

જાગે, જાણી લેજો સહુ જન । ભક્તિ વિના ભવદુઃખ ન ભાગે, એ પણ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

માનવું મનરે; સંતો૦ ।।૧।। ભક્તિ વિના ભટકણ ન ટળે, મર કરે કોટિક

જતન । ભક્તિ વિના નિર્ભય નર નહિ, કરે સોસો જો સાધનરે; સંતો૦

।।૨।। ભક્તિ ભંડાર અપાર સુખનો, નિર્ધનિયાનું એ ધન । જે પામી ન

રહે પામવું, એવું એ સુખસદનરે; સંતો૦ ।।૩।। તે ભક્તિ તન માનવે

થાયે, નહિ અન્ય તન કરવા સંપન । નિષ્કુલાનંદ કે’ નિરાશ થઇને, કરો

હરિસેવનરે; સંતો૦ ।।૪।। પદ।। ૮।।

સેવા ન કરે તે સેવક શાનોજી, થયો હરિદાસ પણ હરામી છાનોજી

। એહને ભક્ત રખે કોઇ માનોજી, અંતર પિતળ છે બા’રે ધુસ સોનાનોજી

।।૧।।ઢાળ- સોના સરિખો શોભતો, થયો ભક્ત ભવમાંહિ ભલો । લાખો

લોક લાગ્યાં પૂજવા, દેખી આટાટોપ ઉપલો ।।૨।। ખાવા પીવાની ખોટ

ન રહી, મળે વસ્ત્ર પણ વિધવિધ શું । સારોસારોે સહુ કોઇ કહે, પામ્યો

આ લોક સુખ પ્રસિદ્ધશું ।।૩।। ભોજન વ્યંજન બહુ ભાતનાં, ઘણાં મળે

ગામોગામ । મળ્યું સુખ વણ મહેનતે, જ્યારે કરી તિલક ધરી દામ ।।૪।।

આડંબર આણી ઉપલ્યો, થયો ભક્ત તે ભરપુર, જાણ્યું કસર કોઇ

વાતની, જોતાં રહી નથી જરૂર ।।૫।। એવો બા’રે વેષ બનાવિયો, સારોેે

સાચા સંત સમાન । પણ પાછું વળી નવ પેખિયું, એવું આવી ગયું અજ્ઞાન

।।૬।। જે ભક્તપણું શું ભાળી મુજમાં, ભક્તભક્ત કહેછે ભવમાંઇ ।

ભક્તપણું નથી ભાસતું, ભાસેછે ઠાઉકી ઠગાઇ ।।૭।। જે સર્વે સુખ

શરીરનાં, લઇ લેવાં લોકની પાસથી । ભક્ત જાણી ભોળવાઇ ભોળા,

આપે હૈયે હુલાસથી ।।૮।। વળી વા’લી વસ્તુ વિલોકીને, આણી આપે

જાણી હરિદાસ । જાણે અરથ એથી સરશે, એવો આણી ઉરે વિશ્વાસ

।।૯।। તે વાત નથી તપાસતો, એવો દિલે દગાદાર છે । નિષ્કુલાનંદ નર

કળ કરેછે, પણ સરવાળે શું સારછે ? ।।૧૦।। કડવું ।।૩૩।।

ભક્તિ કરે તેહ ભક્ત કે’વાયજી, ભકિત વિના જેણે પળ ન

રે’વાયજી । શ્વાસોશ્વાસે તે હરિગુણ ગાયજી, તેહ વિના બીજાું તે ન

સુહાયજી ।।૧।। ઢાળ- સુહાય નહિ સુખ શરીરનાં, હરિભક્તિ વિના

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

ભૂલ્યે કરી । અખંડ રહે અંતરમાં, કરવા ભક્તિ ભાવે ભરી ।।૨।। હમેશ

રહે હરખ હૈયે, ભલી ભાતે ભક્તિ કરવા । ભૂલ્યે પણ હરિભક્તિ વિના,

ઠામ ન દેખે ઠરવા ।।૩।। ભક્તિ વિના બ્રહ્મલોક લગી, સુખ સ્વપ્ને પણ

સમઝે નઇ । ચૌદ લોક સુખ સુણી શ્રવણે, લોભાય નહિ લાલચુ થઇ

।।૪।। ભક્તિ વિનાનો નહિ ભરોંસો, સદા સ્થિર રે’વા કોઇ ઠામ । માટે

મૂકી ન શકે ભક્તિને, અતિ સમઝી સુખનું ધામ ।।૫।। નવે પ્રકારે નક્કી

કરીને, ભાખ્યા ભક્તિતણા જેહ ભેદ । તે અતિ આદરશું આદરે, કરી

અહંમમત ઉચ્છેદ ।।૬।। અહંમમત જાય જ્યારે ઉચલી, ત્યારે પ્રગટે

પ્રેમલક્ષણા । ત્યારે તેહ ભક્તને વળી, રહે નહિ કોઇ મણા ।।૭।। અરસ

પરસ રહે એકતા, સદા શ્રીહરિની જો સાથ । અંતરાય નહિ એકાંતિક

પણું, ઘણું રહે શ્યામની સંઘાથ ।।૮।। એવે ભક્તે ભગવાનની, ભલિભાત્યે

ભજવી ભગતિ । ભક્તિ કરી હરિ રીઝવ્યા, ફરી રહ્યું નહિ કરવું રતિ

।।૯।। કરીયે તો કરીયે એવી ભગતિ, જેમાં રહ્યો સુખનો સમાજ ।

નિષ્કુલાનંદ ન કરીયે, ભક્તિ લોક દેખાડવા કાજ ।।૧૦।। કડવું ।।૩૪।।

સાચા ભક્તની ભેટ થાય ભાગ્યેજી, જેને જગસુખ વિખસમ

લાગેજી । ચિત્ત નિત્ય હરિચરણે અનુરાગેજી, તેહ વિના બીજું સરવસ

ત્યાગેજી ।।૧।। ઢાળ- ત્યાગે સર્વે તને મને, પંચ વિષય સંબંધી વિકાર ।

ભાવે હરિની એક ભગતિ, અતિ અવર લાગે અંગાર ।।૨।। અન્ન જમી

જન અવરનું, સૂવે નહિ તાંણી વળી સોડ । નિર્દોષ થાવા નાથનું, કરે

ભજન સ્તવન કરજોડ ।।૩।। મહામે’નતે કરી મેળવ્યું, વળી અર્થે ભર્યું

એવું અન્ન । તે ખાઇને ખાટ્ય માને નહિ, જો ન થાય હરિનું ભજન ।।૪।।

વળી વસ્ત્ર વિવિધ ભાતનાં, આપ્યાં અંગે ઓઢવા માટ । તે ઓઢી અન્ય

ઉદ્યમ કર્યો, ખોળી જુવો શિ થઇ ખાટ્ય ।।૫।। એણે આપ્યું નથી અન્ન

ઉષર જાણી, હૈયે હજાર ઘણી છે લેવા હામ । એહ આપવું પડશે આપણે,

કે આપશે શ્રીઘનશ્યામ ।।૬।। ઘનશ્યામને શિર શીદ દિયે, જૈયે ન કર્યું

ભક્તિ ભજન । રહે વિચાર એહ વાતનો, હૃદિયામાંહિ રાત દન ।।૭।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

ખરૂં ન કર્યું ખાધા જેટલું, ઇચ્છયો ભક્ત થાવા એકાંત । તેતો ઘાસ કટુ

ઘેબરનાં ભાતાં, ખાવા કરેછે ખાંત ।।૮।। એહ વાત બંધ કેમ બેસશે,

હરિભક્ત તે હૈયે ધારિયે । માટે સૂતાં બેઠાં જાગતાં, અતિ હેતે હરિને

સંભારિયે ।।૯।। એમ જાણેછે જન હરિના, તે ભક્તિ કરતાં ભૂલે નહિ ।

નિષ્કુલાનંદ કહે વેષ વરાંસે, ફોગટ મને ફૂલે નહિ ।।૧૦।। કડવું ।।૩૫।। ફૂલ્યો ન ફરે ફોગટ વાતેજી, ભક્તિ હરિની કરે ભલી ભાતેજી ।

ભૂલ્યો ન ભમે ભક્તિની ભ્રાંતેજી, નક્કી વાત ન બેસે નિરાંતેજી ।।૧।।

ઢાળ- નિરાંત નહિ નક્કી વાત વિના, રહે અંતરે અતિ ઉતાપ । ઉર

વિકાર વિરમ્યા વિના, નવ મનાય આપ નિષ્પાપ ।।૨।। દાસપણામાં જે

દોષછે, તે દૃગ આગળ દેખે વળી । માટે મોટપ્ય માને નહિ, સમઝેછે

રીત એ સઘળી ।।૩।। ખોટ્ય મોટી એ ખોવા સારૂં, કરે ભક્તિ હરિની

ભાવે ભરી । જાણે ભક્તિ વિના ભાગશે નહિ, ખોટ એહ ખરાખરી

।।૪।। માટે અતિ આગ્રહ કરી, હરિભક્તિ કરે ભરપૂર । ભક્તિમાં જેથી

ભંગ પડે, તેથી રહે સદા દૂર ।।૫।। જાણે જે ઉદ્યમે જન્મોજન્મનું, દારિદ્રય

દૂર થાય । તે ઉદ્યમની આડી કરે, તેથી વેરી કોણ કે’વાય ।।૬।। તેમ

ભક્તિથકી ભવદુઃખ ભાગે, જાગે ભાગ્ય મોટું જાણવું । તે વિમુખની

વાત સાંભળી, અંગે આળસ નવ આણવું ।।૭।। જેમ સહુસહુને સ્વારથે,

સાચું રળેછે સરવે । તેમ હરિભક્તને, કસર ન રાખવી ભક્તિ કરવે

।।૮।। મોટી કમાણી જાણી જન, તન મને રે’વું તતપર । બની વાત જાય

બગડી, જો ચૂકિયે આ અવસર ।।૯।। જે તકે જે કામ નિપજે, તે વણ તકે

નવ થાય । નિષ્કુલાનંદ નિશ્ચે કહે, એ પણ સમઝવું મનમાંય ।।૧૦।।

કડવું ।।૩૬।।

પદરાગ પરજ - સંતો મનમાં સમઝવા માટરે, કેદિ મેલવી નહિ

એ વાટરે; સંતો૦ ।। ટેક - જોઇ જોઇને જોયુંછે સર્વે, વિવિધ ભાતે

વિરાટ । ભક્તિ વિના ભવ ઉદભવનો, અળગો ન થાય ઉચ્ચાટરે; સંતો૦

।।૧।। તપ કરીને ત્રિલોકીનું કોય, પામે રૂડું રાજપાટ । અવધિયે અવશ્ય

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

અખંડ ન રહે, તો શી થઇ એમાં ખાટ્યરે; સંતો૦ ।।૨।। માટે ભક્તિ

ભવભય હરણી, કરવી તે શીશને સાટ । તેહ વિના તને મને તપાસું,

વાત ન બેઠી ઘાટરે; સંતો૦ ।।૩।। ભક્તિથી કાયા જાણે છૈયે ડાહ્યા, એવું

ડાહ્યાપણું પરૂં ડાટ । નિષ્કુલાનંદ કે’ ભક્તિ કરતાં, ઉઘડે અભય પદ

હાટરે; સંતો૦ ।।૪।। પદ ।।૯।।

ભક્તિ કરી હરિનાં સેવવાં ચરણજી, મનમાં માની મોટા સુખનાં

કરણજી । તન મન ત્રિવિધ તાપનાં હરણજી, એવાં જાણી જન સદા રહે

શરણજી ।।૧।। ઢાળ- શરણે રહે સેવક થઇ, કેદિ અંતરે ન કરે અભાવ

। જેમ વાયસ વાહણતણો, તેને નહિ આધાર વિના નાવ ।।૨।। તેમ

હરિજનને હરિચરણ વિના, નથી અન્ય બીજો આધાર । તે મૂકી ન શકે

તને મને, જાણી ભારે સુખભંડાર ।।૩।। જેમ પતિવ્રતા હોય પ્રમદા, તે

પતિ વિના પુરૂષ પેખે નહિ । બીજા સોસો ગુણે કોઇ હોય સારા, તોય

દોષિત જાણી દેખે નહિ ।।૪।। તેમ ભક્ત ભગવાનના, પતિવ્રતાને પ્રમાણ

। પ્રભુ વિના બીજું ન ભજે ભૂલ્યે, તે સાચા સંત સુજાણ ।।૫।। જેમ

બપૈયો બીજું બુંદ ન બોટે, સ્વાતિ વિના સુધાસમ હોય । પિયુપિયુ કરી

પ્રાણ પરહરે, પણ પિયે નહિ અન્ય તોય ।।૬।। તેમ જન જગદીશના,

એક નેક ટેકવાળા કે’વાય । સ્વાતિ બિંદુસમ સ્વામીનાં વચન, સુણી

ઉતારી લિયે ઉરમાંય ।।૭।। જેમ ચકોરની ચક્ષુ ચંદ્ર વિના, નવ લોભાય

ક્યાંહી લગાર । તેમ હરિજન હરિ મૂર્તિ વિના, અવર જાણે અંગાર

।।૮।। એમ અનન્ય ભક્ત ભગવાનના, પ્રભુ વિના બીજે પ્રીતિ નઇ । મન

વચન કર્મે કરી, શ્રીહરિના રહ્યા થઇ ।।૯।। એવા ભક્તની ભક્તિ જાણો,

વા’લી લાગે વા’લાને મન । નિષ્કુલાનંદ કહે નાથને, એવે જને કર્યા

પ્રસન્ન ।।૧૦।। કડવું ।।૩૭।।

પ્રસન્ન કર્યા જેણે પરબ્રહ્મજી, તેને કોઇ વાત ન રહી અગમજી ।

સર્વે લોક ધામ થયાં સુગમજી, એમ કહેછે આગમ નિગમજી ।।૧।।

ઢાળ- આગમ નિગમે એમ કહ્યું, રહ્યું નહિ કરવું એને કાંઇ । સર્વે સુખની

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

સંપતિ, આવિ રહી એના ઉરમાંઇ ।।૨।। સર્વે પાર જે પ્રાપતિ, સર્વેને

સરે જેહ સુખ । તે પામેછે ભક્ત પ્રભુતણા, ઘણુંઘણું શું કહિયે મુખ

।।૩।। સર્વે ઉપર જે શિરોમણી, સર્વે મસ્તકપર જે મોડ । સહુથી એ

સરસ થયા, કોણ કહિયે જાણો એની જોડ ।।૪।। સર્વે કમાણીને સરે

કમાણી, સર્વે ખાટ્યને સરે ખાટ્ય । તેહ પામી પૂરણ થયા, તેતો ભક્તિ

કરી તેહ માટ્ય ।।૫।। સર્વે કળશ પર કળશ ચઢ્યો, સર્વે જીતપર થઇ

જીત । સર્વે સારનું સાર પામિયા, જેને થઇ પ્રભુ સાથે પ્રીત ।।૬।। જેમ

મોટારાજાની રાજનિધિ, તે લડ્યે લેશ લેવાય નહિ । પણ જનમી એ

જનક કર્યો. ત્યારે સર્વે સંપત્તિ એની થઇ ।।૭।। તેમ સેવક સુત

શ્રીહરિતણા, મણા એને કોઇ વાતની નથી । પૂરણ પદનીછે પ્રાપતિ,

અતિશય શું કહિયે કથી ।।૮।। જેમ અતિ ઉંચો અંબરે ચઢે, આકાશે વસે

જ્યાં અનળ । એથી ઉંચો તો એક શૂન્ય છે, બીજાં હેઠાં રહ્યાં સકળ ।।૯।।

તેમ ભક્તિથકી આબ્રહ્માંડમાં, નથી સરસ જોયું શોધીને, નિષ્કુલાનંદ

પદ પરમ પામ્યા, જે અગમ છે મન બુદ્ધિને ।।૧૦।। કડવું ।।૩૮।

મન બુદ્ધિના માપમાં ના’વેજી, એવું અતિ સુખ હરિભક્તિથી

આવેજી । જેહ સુખને શુકજી જેવા ગાવેજી, તે ભક્તિ પ્રભુ પ્રગટની

કા’વેજી ।।૧।। ઢાળ- ભક્તિ પ્રભુ પ્રગટની, જેજે કરીછે હરિજને । તે

તેને પળ પાકીગઇ, સહુ વિચારી જુવો મને ।।૨।। કુબજાએ કટોરો ભરી

કરી, ચરચ્યું હરિને અંગે ચંદન । તેણે કરી તન ટેડાઇ ટળી, વળી પામી

સુખસદન ।।૩।। સઇ સુદામા માળીનું, સમાપર સરીગયું કામ । તે પ્રગટ

પ્રભુને પૂજતાં, પામી ગયા હરિનું ધામ ।।૪।। વિદુર ભાજીને ભોજને,

જમાડિયા જગજીવન । તે જમી પ્રભુ પ્રસન્ન થયા, એવું પરોક્ષ શું સાધન

।।૫।। સુદામે ભક્તે શ્રીહરિને, ત્રણ મૂઠી આપિયા તાંદુલ । તેણે દારિદ્ર

દૂર ગયું, થયું અતિ સુખ અતુલ ।।૬।। પંચાલિયે પાત્રમાંથી, શોધી

જમાડીયા હરિ આપ । તેણે મટ્યું કષ્ટ મોટું અતિ, તેતો પ્રગટને પ્રતાપ

।।૭।। વળી ચીર ચીરીને ચિંથરી, આપી હરિ કરે બાંધવા કાજ । તેણે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

કરીને દ્રૌપદીની, રૂડી રાખી હરિએ લાજ ।।૮।। એમ પ્રગટના પ્રસંગથી,

જેજે સર્યાં જનનાં કામ । તેવું ન સરે તપાસિયું, મર કરે હૈયે કોઇ હામ

।।૯।। વારેવારે કહ્યો વર્ણવી, અતિ ભારે ભક્તિમાંહી ભાર । નિષ્કુલાનંદ

તે ભગતિ, પ્રભુ પ્રગટની નિરધાર ।।૧૦।। કડવું ।।૩૯।।

પ્રગટ પ્રભુની ભક્તિ વખાણીજી, અતિશય મોટપ્ય ઉરમાંયે

આણીજી । સહુથી સરસ શિરોમણી જાણીજી, એહ ભક્તિથી તર્યા કૈક

પ્રાણીજી ।।૧।। ઢાળ- પ્રાણીને પરમ પદ પામવા, ભક્તિ હરિની છે

ભલી । સર્વેથકી સરસ સારૂં, કરી દિયે કામ એ એકલી ।।૨।। જેમ તમ

ટાળવા રાત્યનું, ઉગે ઉડુ આકાશે અનેક । પણ રવિ વિનાની રજની,

કહો કાઢી શકે કોણ છેક ।।૩।। તેમ ભક્તિ ભગવાનની, સમઝો સૂરજ

સમાન । અતિ અંધારૂં અહંતાતણું, તે ભક્તિથી ટળે નિદાન ।।૪।। નમ્રતા

ને જે નમવું, દમવું દેહ મન પ્રાણને । તે ભક્તિ વિના ભાવે નહિ, ભાવે

હમેશ થાવું હેરાણને ।।૫।। દુર્બળતા ને દીન રે’વું, ગરીબને ગરજુ ઘણું ।

તે ભક્તિ વિના નવ ભાળિયે, જો જોએ પર પોતાપણું ।।૬।। ભક્તિ વિના

ભારે ભારનો, માથે રહી જાય ૧મોટલો । જાણું કમાણી કાઢશું, ત્યાંતો

ઉલટો વળ્યો ૨ઓટલો ।।૭।। જેમ ચોબો છબો થાવા ચાલિયો, દશો

ચાલ્યો વિશો થાવા વળી । તે નિસર્યો મૂળગી નાતથી, રહ્યો ભટકતો નવ

શક્યો ભળી ।।૮।। તેમ ભક્તિ હરિની ભાગ ન આવી, આવી ભેખ લઇ

ભૂંડાઇ ભાગ । અતિ ઉલટું અવળું થયું, થયો મૂળગો નર મરી નાગ

।।૯।। તેમ ભક્તિ ન કરી ભગવાનની, કરી ભૂંડાઇ તે ભરપૂર ।

નિષ્કુલાનંદ એ નરને, થયું જ્યાન જાણો જરૂર ।।૧૦।। કડવું ।।૪૦।।

પદરાગ પરજ - જ્યાન ન કરવું જોઇરે સંતો જ્યાન૦, અતિ અંગે

ઉન્મત્ત હોઇરે; સંતો૦ ।। ટેક - જો જાયે જાવે તો કરીયે કમાણી, સાચવી

લાવિયે સોઇ । નહિતો બેશી રહિયે બારણે, પણ ગાંઠની ન આવીએ

ખોઈરે; સંતો૦ ।।૧।। જો ડૂબકી દિયે દરિયામાં, મોતીસારુ મને મોહી ।

તો લાવિયે મુક્તા મહામૂલાં, પણ નાવિયે દેહ ડબોઈરે; સંતો૦ ।।૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

જો જાય જળ જાહ્નવી ના’વા, તો આવીયે કિલબિશ ધોઈ । પણ સામુ ન

લાવીયે સમઝી, પાપ પરનાં તે ઢોઈરે; સંતો૦ ।।૩।। તેમ ભક્ત થઈને

ભક્તિ કરીયે, હરિચરણે ચિત્ત પ્રોઈ । નિષ્કુલાનંદ કે’ નર ઘર મૂકી, ન

જીવીયે જનમ વગોઈરે; સંતો૦ ।।૪।। પદ ।। ૧૦ ।।

જીવત વગોઈને જીવવું એ જૂઠુંજી, એતો થયું જેમ મા’મહિને

માવઠુંજી । વિવાયે વે’ચાણી લાંણીમાં એ લઠુંજી, એહમાંહી સારું શું

કર્યું એકઠુંજી ।।૧।। ઢાળ- સારું તે એણે શું કર્યું, પાણી મળે ન ધોયો

મેલ । જેમ ગીગો ગયો ગંગાજીયે, નાકે દુર્ગંધીનો ભરેલ ।।૨।। તેમ

ભક્તિમાં કોય આવી ભળ્યો, પણ ન ટળ્યો જાતિ સ્વભાવ । પાકી

મૃતિકાના પાત્રનો, નહિ ઠામ થાવા ઠેરાવ ।।૩।। જેમ સિંધુ જોજન સો

લાખનો, તેનો પાર લેવા કરે પરિયાણ । તે સમઝુ કેમ સમઝીયે, જે

રાચ્યો રાંધવા પાષાણ ।।૪।। એમ એવાને આગળે, ભોળા કરે ભક્તિની

વાત । જેની દાઢ્યો ડાળ્યો ચાવી ગઈ, તે કેમ રે’વા દિયે પાત ।।૫।।

એવાને ઉપદેશ દેવો, એવો કરવો નહિ કેદિ કોડ । જે એ ભક્તિ અતિ

ભજાવશે, એવો દિલે ન રાખવો ડોડ ।।૬।। એમ ભાવ વિનાની ભગતિ,

નર કરી શકે નહિ કોય । ભક્તિ કરશે ભારે ભાગ્યવાળા, જે ખરા ખપવાન

હોય ।।૭।। જેના હૃદિયામાં રુચિ ઘણી, ભક્તિ કરવા ભગવાનની । તેને

ભક્તિ વિના ભાવે નહિ, ખરી અરુચિ રહે ખાનપાનની ।।૮।। ભક્તિ

વિના બ્રહ્મલોક લગી, લલચાવે નહિ ક્યાંઇ મન । રાત દિવસ રાચી રહે,

સાચા કે’વાય તે હરિજન ।।૯।। પ્રગટ પ્રભુની ભક્તિ વિના, જેને પળ

કલપસમ થાય । નિષ્કુલાનંદ એવા ભક્તને અર્થે, હરિ રહે જુગજુગમાંય

।।૧૦।। કડવું ।।૪૧।।

જુગોજુગ જીવન રહે જન હેતજી, જે જને સોંપ્યું તન મન સમેતજી

। સહુશું તોડી જેણે પ્રભુશું જોડી પ્રીતજી, એવા ભક્તની કહું હવે રીતજી

।।૧।। ઢાળ- રીત કહું હરિભક્તની હવે, જેણે પ્રભુ વિના પળ ન રે’વાય

। જેમ જળ વિના ઝષના, પળ એકમાં પ્રાણ જાય ।।૨।। અમૃત લાગે તેને

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

૧મૃત જેવું, પંચામૃત તે પંકસમાન । શય્યા લાગે શૂળી સરખી, જો ભાળે

નહિ ભગવાન ।।૩।। શ્રીખંડ લાગે પંડ્યે પાવક જેવું, માળા લાગે મણીધર

નાગ । હરિસેવા વિના હરિજનને, અન્ય સુખ થઇ ગયાં આગ ।।૪।।

વળી ભવન લાગે તેને ભાગસી, સંપત તે વિપત સરખી । કીર્તિ જાણે

કલંકે ભરી, સુણી હૈયે ન જાય હરખી ।।૫।। નિરાશી ઉદાશી નિત્યે રહે,

વહે નયણમાં જળધાર । હરિ વિનાનું હોય નહિ, હરિજનને સુખ લગાર

।।૬।। સૂતાં ન આવે નિદ્રા જેને, જમતાં ન ભાવે અન્ન । ભક્તિ વિના

હરિભક્તને, એમ વરતે રાત ને દન ।।૭।। ગાન લાગે શબ્દ સિંહ સર્પસમ,

તાન લાગે તાડન તન । પડયું વિઘન જાણી તે પરહરે, ભક્તિ વિના ભાવે

નહિ અન્ય ।।૮।। પ્રભુ વિના જેના પંડમાં, પ્રાણ પીડા પામે બહુપેર ।

એવા ભક્તને ભાળી વળી, મહાપ્રભુ કરેછે મે’ર ।।૯।। ભાખ્યા ગુણ

હરિભક્તના, જોઇએ એવા જનમાં જરૂર । નિષ્કુલાનંદ કહે નાથ એવાથી,

પળ એક રહે નહિ દૂર ।।૧૦।। કડવું ।।૪૨।।

દૂર ન રહે એવા જનથી દયાળજી, રાત દિન રાખે એની રખવાળજી

। જેમ જનની નિત્ય જાળવે બાળજી, એમ અતિ કૃપા રાખેછે કૃપાળજી

।।૧।। ઢાળ- કૃપાળ એમ કૃપા કરી, સમેસમે કરેછે સંભાળના । નિત્યે

નજીક રહી નાથજી, પળેપળે કરેછે પ્રતિપાળના ।।૨।। ખાતાં પીતાં સૂતાં

જાગતાં, ઘણી રાખેછે ખબર ખરી । ઉઠતાં બેસતાં ચાલતાં, હરેછે સંકટ

શ્રીહરિ ।।૩।। નર અમર મનુજાદથી, રક્ષા કરેછે રમાપતિ । ભૂત ભૈરવ

ભવાનીના ભયને, રાખેછે તે રોકી અતિ ।।૪।। અંતરશત્રુ ન દિયે કેદી

ઉઠવા, નિશ્ચે કરીને નિરધાર । નિજભક્ત જાણીને નાથજી, વા’લો વે’લી

કરે વળી વા’ર ।।૫।।પોતાને પીડા જો ઉપજે, તેને ગણે નહિ ઘનશ્યામ ।

પણ ભક્તની ભિડ્ય ભાંગવા, રહેછે તૈયાર આઠું જામ ।।૬।। દેખી ન

શકે દુઃખ દાસનું, અણું જેટલું પણ અવિનાશ । માને સુખ ત્યારે મનમાં,

જ્યારે ટાળે જનના ત્રાસ ।।૭।। સાચા ભક્તની શ્રીહરિ, સદા સર્વદા

કરેછે સહાય । તે લખ્યાં છે લક્ષણ ભક્તનાં, હરિયે હરિગીતામાંય ।।૮।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

એવા ભક્તના અલબેલડોેે, પૂરેછે પૂરણ કોડ । તેહ વિનાના ત્રિશંકુ જેવા,

રખે રાખો દલે કોઇ ડોડ ।।૯।। એક ભેરવજપ બીજી ભગતિ, તે

અણમણતાં ઓપે નહિ । નિષ્કુલાનંદ નક્કી વારતા, જે કે’વાની હતી તે

કહી ।।૧૦।। કડવું ।।૪૩।।

ભક્તિનિધિ આ ગ્રંથ જે ગાશેજી, ભક્તિનો ભેદ તેને જણાશેજી ।

સમઝીને પછી ભક્ત ભલો થાશેજી, ત્યારે બીજાં બંધનથી મૂકાશેજી

।।૧।। ઢાળ- મૂકાશે બીજાં બંધનથી, રહેશે રાચી સાચી ભલી ભક્તિયે

। ખરા ખોટાની ખબર ખરી, પડશે પોતાને તહિયે ।।૨।। વિધવિધે

વિચારશે, ધારશે ભક્તિ મન દૃઢ કરી । ભક્તિ વિના કોઇ ભલું કરવા,

ભાળશે નહિ ભવમાં ફરી ।।૩।। સહુથી સરસ સમઝશે, ભક્તિ અતિ

ભગવાનની । તેને તોલ તપાસતાં, નહિ જડે જોડ એ સમાનની ।।૪।।

એવાને ભક્તિ અતિ ભાવશે, ગાવશે ગુણ ભક્તિતણા । જાણશે પોતાના

જીવમાં, જે ભક્તિથી ઉદ્ધર્યા ઘણા ।।૫।। મોટેમોટે વળી મહિમા, ભાખ્યો

ભક્તિનો ભારે બહુ । તે ભક્તિ પ્રભુ પ્રગટની, સમઝુ સમઝી લિયો સહુ

।।૬।। બીજી ભક્તિ જન બહુ કરે, તેમાં રહે ગમતું મનનું । પણ પ્રગટ

પ્રભુની ભક્તિમાં, રહે ગમતું ભગવાનનું ।।૭।। માટે કોઇને એ કરતાં,

ભાવ થાતો નથી ભીંતરમાં । પછી પ્રીત બાંધી ભક્તિ પરોક્ષમાં, ઘણું

આદરી બેઠા ઘરોઘર ।।૮।। જિયાં આવ્યું જેને બેસતું, તિયાં ભળી થયા

ભગત । એવે ભક્તે આ બ્રહ્માંડ ભરિયું, એપણ જાણવી વિગત ।।૯।।

સાચી ભક્તિ શ્રીહરિ સંબંધી, વર્ણવી વારમવાર । નિષ્કુલાનંદ હવે નહિ

કહે, સહુ સમઝજો નિરધાર ।।૧૦।। કડવું ।।૪૪।।

પદરાગ પરજ - નિરધારી છે નિગમે વાતરે સંતો નિર૦ । થાયે

ભક્તિયે હરિ રળિયાતરે; સંતો૦ ।। ટેક - ભક્તિ વિના ભવ રોગ ન

નાસે, રહે દુઃખ દિન રાત । ભક્તિ વિના ભટકણ ન ભાગે, સમઝી લેવું

સાક્ષાતરે; સંતો૦ ।।૧।। ભક્તિ કરીને ભક્ત હરિના, ઘણીઘણી ઉવૈયા

ઘાત । ભક્તિ કરી ભારે ભાગ્ય જાગેછે, નથી એ વાત અખ્યાતરે; સંતો૦

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

।।૨।। ભક્તિ કરે તે ભક્ત હરિના, જોવી નહિ તેની જાત । ધન્ય ધન્ય એ

જનનું જીવન, જેણે ભક્તિ કરી ભલી ભાતરે; સંતો૦ ।।૩।। ભક્તિ કરી

ખરી મોજ જેણે લીધી, તેણે થયા ભક્ત એ એકાંત । નિષ્કુલાનંદ કે’

નાથ મળીને, દીધી ભક્તિની દાતરે; સંતો૦ ।।૪।। પદ ।।૧૧।।

પદરાગ ધોળ વધામણાનું - ભક્તિ છે ભવજળ વહાણ, સિંધુ

તરવા સુખરૂપછે એ । સમઝીને જુવો સુજાણ, પાર ઉતરવા એ અનુપ

છે એ ।।૧।। ઢાળ- એહ નાવથી જો અપાર, ઉતરિયા અર્ણવને એ । ન

થાય તેનો નિરધાર, તો શું કરું તેના વર્ણવને એ ।।૨।। ઉચ્ચ ને નીચ

અનંત, પાર સહુને ૪પોત કરે એ । એમ ભક્તિથી જાણજો જન, સુખ

કાંઇ પામ્યા સરે એ ।।૩।। ધન્ય એ ભક્તિ ઝાજ, તારી તરીયે તીર કર્યાં

એ । પામિયા સુખ સમાજ, તે ભક્તિ પ્લવે તર્યા એ ।।૪।। બેઠા એ

બેડીનેમાંયે, બુડવાની તો બીક ટળી એ । કરવું રહ્યું નહિ કાંય,

બ્રહ્મમોહોલમાં બેઠા ભળી એ ।।૫।। સંતને એ સુખરૂપ, હોડી રૂડી

હરિભગતિ એ । કોણ ભિક્ષુ કોણ ભૂપ, સહુને આપે એ શુભ ગતિ એ

।।૬।। એહ વિના નર નિરધાર, પાર તે કોઇ પામ્યા નહિ એ । શું કહિયે

વારમવાર, સહુ સમઝીને કરો સહિ એ ।।૭।। વખાણી વા’ણને તોલ,

ભક્તિ અતિ ભવ તરવા એ । ભાગે આવે બ્રહ્મમો’લ, કેડે ન રહે કાંઇ

કરવા એ ।।૮।। ભક્તિથી નર અમર, અસુર પણ ઉદ્ધર્યા કંઇ એ । સદા

સુખ થાવાનું ઘર, ભક્તિ વિના ભાળ્યું નઇ એ ।।૯।। ભક્તિ વશ્ય

ભગવાન, આવેછે અક્ષરધામથી એ । નક્કી એ વાત નિદાન, જૂઠી

જરાયભાર નથી એ ।।૧૦।। જેજે ધર્યા અવતાર, તે ભક્તની ભક્તિ

જોઇને એ । નથી થાતો નિરધાર, જે આવે જાણ્યા બીજા કોઇથી એ

।।૧૧।। જોઇ લીધું છે જરૂર, અવિનાશીનું આંહી આવવું એ । ભક્તિ

ભાળી ભરપુર, ભક્તનું દુઃખ નસાવવું એ ।।૧૨।। તે વિના કર્યો તપાસ,

અલબેલો આંહી આવે નહિ એ । ભક્તિવાળા ભક્ત પાસ, રે’વા ભાવે

બીજે ભાવે નહિ એ ।।૧૩।। બીજા ઉદ્યમ કરે છે અનેક, પણ ભક્તિવાળા

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ભક્તિનિધિ

ભાવે ઘણું એ । જેના તન મનમાં એ ટેક, જે કરવા ગમતું હરિતણું એ

।।૧૪।। એવા ભક્ત જે કોઇ ભાવિક, હરિભક્તિ વિના ભાવે નહિ એ ।

કરી અંતરમાંય વિવેક, ગુણ બીજાનો ગાવે નહિ એ ।।૧૫।। સર્વે

સાધનમાંહિ સાર, ભક્તિ કળશ કંચનનો એ । રાખવો એનો આધાર,

વિશ્વાસ વા’લાના વચનનો એ ।।૧૬।। તો પામિયે પરમ આનંદ, જિત

થાય જોયા જેવડી એ । એમ કે’છે નિષ્કુલાનંદ, સર્વે ઉપર સગ્ય ચડી એ

।।૧૭।। સંવત સુંદર ઓગણીસ, વરસ યુગલ વખાણીયે એ । ચૈત્ર સુદી

નૌમી દિનેશ, ગ્રંથ પૂરણ પરમાણિયે એ ।।૧૮।। દો સોરઠા દોહા દોય,

ચુંવાળીશ કડવાં કહીયે એ । પદ એકાદશ સોય, તેપર એક ધોળ લહીયે

એ ।।૧૯।। પંચ શૂન્ય પર આઠ, ભક્તિનિધિના ચરણ છે એ । કહે સુણે

કરે પાઠ, તેને અભયકરણ છે એ ।।૨૦।।

ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુલાનંદ મુનિ વિરચિતે

ભક્તિનિધિઃ સંપૂર્ણઃ

ભક્તિનિધિ સમાપ્ત

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન

-ઃ હરિબળગીતા :-

રાગ ધન્યાશ્રી -મંગળ મૂર્તિ શ્રીઘનશ્યામજી, શરણાગતના સદા

સુખધામજી । પતિતપાવન પૂરણકામજી, અધમ ઉદ્ધારણ નિર્ભય

નામજી ।।૧।। ઢાળ- નામ નિર્ભય નિગમ કહે, જે સમરતાં સંકટ ટળે

। દુષ્કૃત જેહ દેહ ધારીનાં, તેહ પાપના પુંજ પળે ।।ર।। પુરૂષોતમ પ્રગટનું,

નામ નિર્ભય નિશાણ । જે જન જીભે ઉચ્ચરે, તે પામે પદ નિર્વાણ ।।૩।।

જે નામે પામી ગુણિકા ગતિ, થયો અજામિલનો ઉદ્ધાર । અગણિત

એહ નામથી, પતિત પામ્યા ભવપાર ।।૪।। કરી ખરી દીનતા કરી, કરી

આર્તશું અરદાસ । અર્ધો શબ્દ ઉચ્ચારતાં, આવ્યા વા’રે અવિનાશ

।।પ।। કામુકિની કરણી કશી, અજામિલ નહિ અઘહીણ । નારાયણના

નામથી, થયા પાર પ્રિછો પ્રવિણ ।।૬।। ત્રિલોકમાં તપાસતાં, નાવે

નારાયણ નામ તુલ્ય । પતિતને પાવન કરવા, એ છે નિધિ અમુલ્ય

।।૭।। જપ તપ તીર્થ જોગ જગન, વ્રત વિધિ દીયે વળી દાન । નિષ્કુલાનંદ

નારાયણના, ના’વે નામ સમાન ।।૮।। કડવું ।।૧।।

નારાયણના નામનો મોટો મહિમાયજી, સુણ્યું મેં સર્વે શાસ્ત્રમાંયજી

। જીવ હિત અર્થે એવું નહિ કાંયજી, સમઝુ સમઝી સમરે સદાયજી

।।૧।। ઢાળ- સમઝુ સમઝી સમરે, નિશ દિન નારાયણ નામ । શ્વાસ

ઉશ્વાસે સંભારતાં, પળ પામે નહિ વિરામ ।।ર।। શેષજી મહાત્મ્ય સમઝી,

કરે અખંડ નામ ઉચ્ચાર । સહસ્રમુખમાં જુગલ જીભે, રટે છે એકતાર

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

।।૩।। પૃથુ મહિમા પ્રિછીને, માગ્યા દશ હજાર કાન । નારાયણના નામ

સુણવા, અતિશય ઉરમાં તાન ।।૪।। હિરણ્યકશિપૂ શ્રવણે સાંભળ્યો,

નારાયણ નામનો નાદ । તપ તજી ત્રિય ભજી, તેના થયા ભક્ત પ્રહ્લાદ

।।પ।। પ્રહ્લાદ પ્રગટી પ્રીતશું, ભાવે ભજ્યા શ્રી ભગવાન । અભક્ત કુળમાં

ભક્ત થયા, નામ પ્રતાપે નિદાન ।।૬।। વિભીષણને ભક્ત થાવું, નોયે

રાક્ષસકુળની રીત । પણ જે જે જપે જગદીશને, તે થાય સર્વે પુનીત

।।૭।। અસુરકુળને અઘે ભર્યા,તર્યા એવા જીવ અનંત । નિષ્કુલાનંદ

નારાયણ નામનો, મહિમા મોટો અત્યંત ।।૮।। કડવું ।।ર।।

ભવજળ તરવા ઘનશ્યામ નામ નાવજી, આવી બેસે કોેેઈ રંક કે

રાવજી । પામે ભવપાર સે’જે સ્વભાવજી, તેહ વિના તરવા અન્ય ન

ઉપાવજી ।।૧।। ઢાળ- ઉપાવ નથી આ જીવને, ભવજળ તરવા કાજ

। નારાયણના નામરૂપી, જાણો અજર એ ઝાજ ।।ર।। મશક તુંબાં

મગાવીને, કહું કટિયે બાંધે કોય । સરે ન ઉતરે સિંધુને, જે અતિ

અગાધ છે તોય ।।૩।। તેમ સાધન સર્વે કહિયે, તુંબા મશકને તુલ્ય

। તેને ભરાેંસે ન ભવ તરે, જાય જનમ અમુલ્ય ।।૪।। માટે બળ રાખી

બહુનામીનું, રહેવું નિર્ભય નરને નચિંત । પતિતપાવન બિરૂદ છે, તે

તજશે નહિ કોઈ રીત ।।પ।। એહ વિશ્વાસ અંતરે, રાખી તજે બીજું

બળ । તેહ પ્રાણી ઉતરશે, ભલી ભાતે ભવજળ ।।૬।। અચળ આશ્રય

ઉરમાં, પ્રભુ પ્રગટનો પ્રમાણ । એવા જન જે જગમાં, તે પામે પરમ

કલ્યાણ ।।૭।। (સરે એ સાચી વાત છે, બીજી ખોટી નહિ તે પણ

ખરી । નિષ્કુલાનંદ નિર્ભય રહી, હેતશું ભજવા હરિ) જ્યારે પોત ન

તારે પાષાણને, તારે કાષ્ટતરણકાં તુંબડાં । નિષ્કુલાનંદ એ નાવનાં,

વખાણ કેમ થાય બડાં ।।૮।। કડવું ।।૩।।

એહ વિના ઉપાય હોય કોઈ એકજી, કે’જો સહુ સમઝી કરી

વિવેકજી । એહ વિના સાધન બીજાં અનેકજી, અતિ મતિ ગતિયે

નક્કી કર્યું નેકજી ।।૧।। ઢાળ- નક્કી તેનો નિર્ણય કર્યો, જોઈએ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

નિશ્ચયનું નરને જોર । નાથના નિશ્ચય વિના, અતિ રહે અંધારૂં ઘોર

।।ર।। પૂરણ પુરષોત્તમ પ્રગટી, નરતન ધરે નાથ । તેહ મૂર્તિ જેહને

મળે, તે સર્વે જન સનાથ ।।૩।। મનુષ્યાકાર અપાર સામર્થી, જેહ

સમે ધરે જેહ નામ । તેહ નામ સમરતાં જન, થાયે પૂરણકામ ।।૪।।

જેમ વેજું કરે કોઈ વ્યોમનું, તેની ખાલી ન જાયે ચોટ । તેમ નામ

ઘનશ્યામને, થાય કલ્યાણ કોટ ।।પ।। જેમ ઇંદુમાં અગ્નિ નહિ, નહિ

અર્કમાંહી અંધાર । તેમ પ્રભુ પ્રગટમાં, નો’ય અમંગળ નિરધાર

।।૬।। વિદ્યુત ન તજે વહનિ, શીતળતા ન તજે શ્રીખંડ । તેમ કલ્યાણ

મહારાજમાં, રહ્યું અતિશય અખંડ ।।૭।। એહ દ્રષ્ટાંતને ઉર ધરી,

રે’વું નિઃસંશય નિર્ભય વળી । નિષ્કુલાનંદ નિશ્ચે કહે, સત્ય માનજો

સહુ મળી ।।૮।। કડવું ।।૪।।

પદરાગ સામેરી મલાર- વિશ વસા એહ વાત છે, તમે સાંભળજો

સહુ જન રે । અંતર શત્રુ અજિત છે, પળે પળે પાડે છે વિઘન રે વિશ૦

।।૧।। સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, એણે લીધી છે સહુની લાજ રે । દેવ

દાનવ માનવ મુનિ, એણે રોળિયો સુરરાજ રે; વિશ૦ ।।ર।। નિર્દોષ

જન કોઈ નજરે, નથી આવતાં નિરધાર રે । કામ ક્રોધ લોભ મોહમાં,

સહુ એ બે ભર્યાં અપાર રે; વિશ૦ ।।૩।। એવા અવગુણ અવલોકીને,

હરિ કરે કેનું કલ્યાણ રે । નિષ્કુલાનંદ તૈયે નાથને, ઠાલો ફેરો પડયો

પરમાણરે; વિશ૦ ।।૪।। પદ ।।૧।।

જ્યારે જાુવે જનના અવગુણ અવિનાશજી, ત્યારે કોઈ હોય નહિ

હરિદાસજી । પતિતપાવન નામની જે આશજી, તેથી કહું સહુ થાય

નિરાશજી ।।૧।। ઢાળ- નિરાશ થાય નરતન ધારી, જોઈ સંકલ્પનું જોર

। મન વચન કર્મે કરી, કેદિ મટે નહિ હરિના ચોર ।।ર।। કાંતો મનમાં

ભોગવે, કાંતો વચને કરે વ્યભિચાર । કાંતો કામાદિક કર્મે કરી, ધારી

રહ્યા નર ને નાર ।।૩।। શુદ્ધ અંતરે શોધતાં, જોતાં ન જડે કોઈ જીવ ।

અંતર એવાં અવલોકીને, કહો પ્રસન્ન થાય કેમ પીવ ।।૪।। માટે કલ્યાણ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

કોઈનું, માનશોમાં મનમાંય । નિષ્કલંક થયા વિના, કારજ ન સરે કાંય

।।પ।। અવિનાશીનું શું ઉપન્યું, નિરર્થક ધર્યું નરતન । નારાયણના નામનું,

ભયહરણ નહિ ભજન ।।૬।। વેદ પુરાણે વર્ણવ્યો, અનેક જીવનો ઉદ્ધાર

। એહ વાતનો અંતરે, કહો કેમ થાય નિરધાર ।।૭।। ભાગી પડયું ભવ

તરવું, વાત ઉભી ન રહી એક । નિષ્કુલાનંદ નાસ્તિકપણું, ઉરમાં તે

આવીયું નેક ।।૮।। કડવું ।।પ।।

દોષે રહિત દેહધારી ન હોયજી, ચૌદ લોકમાં ચિંતવી જોયજી ।

કલંક રહિત સુણ્યા નહિ કોયજી, નહિ અસમર્થ સમર્થ હતા સોયજી

।।૧।। ઢાળ- સમર્થ શિવ બ્રહ્મા સહી, તે જાણે સહુ જગ સોય । ડાઘ

લાગ્યો જે દોયને, તે કહે છે સહુ કોય ।।ર।। ઇંદ્ર ચંદ્ર આદ્યે કંઇ, સુર

અસુર અનેક । સહુનું શ્રવણે સાંભળ્યું, નિર્દોષ નહિ એહ નેક ।।૩।।

(ઇંદિરાયે અન્ય અવલોકિયું, જોને રાધાએ કર્યો રોષ) કૃષ્ણ કામિની

કામવશ થઇ, સુત સાંબ સન્મુખ જોઇ । અહલ્યા રેણુકા દ્રૌપદી, નિર્દોષ

ન દીઠાં કોઇ ।।૪।। પરાશર નારદ સૌભરી, સનકાદિક જે સુજાણ ।

વસિષ્ઠ વળી વિશ્વામિત્ર, એકલશૃંગી પ્રમાણ ।।પ।। કેનેક કામે રોળીયા,

કેનિક લિધી લોભે લાજ । કેનેક ક્રોધે કાયર કરી, રોળીયા રંક રાજ

।।૬।। એવી વાતો અંતરે, તોળી કરવો તપાસ । હારવી નહિ હિંમતને,

મટવું નહિ હરિદાસ ।।૭।। ચડે તેહ પડે ખરા, બેસે ઉજળે વળી ડાગ ।

નિષ્કુલાનંદ એ નવું નથી, એમ સમજો સુભાગ ।।૮।। કડવું ।।૬।।

એવી વાતો આગે બહુ થઇજી, નથી કે’વાની તોપણ કહીજી । એહ

રીતે લાજ કો’કેની રહીજી, પણ એહ સહુની મોટપ ન ગઇજી ।।૧।।

ઢાળ- મોટપ ન ગઇ મોટાતણી, તે નારાયણને નિશ્ચે કરી । અતિબળ

આશ્રયનું, તેણે સંશયને લીધો હરી ।।ર।। ભુંડી વાસના ભકતને, જો

અણુ અંતરમાં થાય । સમઝે બળ સાધનનું, તો સુખ ન રહે કાંય ।।૩।।

માટે બળ મહારાજનું, રાખવું હૃદિયામાંય । તેહ વિના અપરાધ ટાળવા,

અન્ય નથી ઉપાય ।।૪।। એવી રીતે અનેક જીવનો, આગે થયો ઉદ્ધાર ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

સાર્થક સર્વે થયા, આગમ હરિ અવતાર ।।પ।। એહ વિના અનેક રીતે,

વળી વાત ન બેસે બંધ । દૈવી આસુરી ઉદ્ધર્યા, તે શ્રીહરિને સંબંધ ।।૬।।

મૂરતિ શ્રી મહારાજની, મહાનિધિ મંગળરૂપ । જાણે અજાણે જે આશરે,

તે થાય શુદ્ધ સ્વરૂપ ।।૭।। અજાણે અમૃત પાનથી, નર અમર થાય

આપ । નિષ્કુલાનંદ નારાયણ સંબંધે, સ્પર્શે નહિ પંચ પાપ ।।૮।। કડવું

।।૭।।

સાધન સર્વે સમઝવાં સત્યજી, એહમાં એકે નથી અસત્યજી ।

રાખવાં નરને નક્કી કરી નિત્યજી, વિઘન પડે ન હારવી હિમત્યજી

।।૧।। ઢાળ-વિઘન પડે વ્યાકુળ થઇ, અતિ થાવું નહિ ઉદાસ ।

પતિતપાવન નાથનો, વડો રાખવો વિશ્વાસ ।।ર।। ભોળાઇએ કાંઇ ભૂલ્ય

પડે, થાય ન કરવાનું કામ । નર નિશ્ચેનું બળ લઇ, સમરવા ઘનશ્યામ

।।૩।। કચવાઇ કાયર થઇ, પાછા ન ભરવા પગ । હૈયે હિંમત ન હારવી,

મંડયું રે’વું મુવાલગ ।।૪।। પડતાં આખડતાં રાહજ પંથે, ચાલવું ચિત્તે

કરી ચાહ । પડી ન રે’વું પૃથ્વી, લેવો એનો એહ રાહ ।।પ।। જરૂર પો’ચશું

જાણવું, શ્રીહરિની હજૂર । પગે પગે પંથ કાપશું, એમ જાણવું જન

જરૂર ।।૬।। ભકત છીએ ભગવાનના, મન વચન કર્મે કરી । નિશ્ચે કર્યું

છે નાથનું, તે ફરશે નહિ ફેરવે ફરી ।।૭।। અચળ જાણી એ આશરો,

ન્યૂન માનવી નહિ મન । નિષ્કુલાનંદ એ વારતા, નકી નિરવિઘન ।।૮।।

કડવું ।।૮।।

પદરાગ ધોળ- ભીંતર ભરોસો ભગવાનનો રે, જોઇએ ભકતને

ભરપુર । બીજી વાત છે બાદલીરે, તમે જાણી લેજો જરૂર; ભીંતર૦

।।૧।। જેમ એક એકડો ટાળિયેરે, વળી વાળીયે સોયેક શૂન્ય । બુદ્ધિવાનને

બેરજ બાંધવીરે, તેતો સમઝણ્યમાં નૂન્ય; ભીંતર૦ ।।ર।। તેમ મેલી

બળ મહારાજનુંરે, સાધનની માનવી સા’ય । ભરી ગોળી વારિ

વલોવતાંરે, ઉતરે નહિ માંખણ કાંય; ભીંતર૦ ।।૩ ।। માટે મનમાં

મોટો માનવોરે, પ્રગટ પ્રભુનો પ્રતાપ । નિષ્કુલાનંદ તેહ નરનારે, ટળી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

જાય અંતર તાપ; ભીંતર૦ ।।૪।। પદ ।।ર।।

હરિની આજ્ઞા માનવી મનજી, નરને કરવાં સર્વે સાધનજી ।તેમાં

કાંઈ ફેર ન પાડવો જનજી, પ્રગટ પ્રભુને કરવા પ્રસન્નજી ।।૧।। ઢાળ -

પ્રસન્ન કરવા મહાપ્રભુને, રે’વું આજ્ઞાને અનુસાર । જેજે જેના ધર્મ છે,

તેતે પાળવા કરી પ્યાર ।।ર।। ધર્મે રાજી ધર્મના સુત, ધર્મ સાધુનો શણગાર

। ધર્મ ધારી સહુ રહ્યા, ચાર વર્ણ આશ્રમ ચાર ।।૩।। તેમ ધર્મ

ત્યાગીતણા, નિર્લોભી ને નિષ્કામ । નિસ્પૃહી નિર્માનિતા, નિઃસ્વાદી

એહ નામ ।।૪।। તેમાં ફેર એક તલભાર, નવ પડવા દેવો નેક । મુવા

સુધી મૂકવી નહી, ગૃહી ત્યાગી એક ટેક ।।પ।। મુખથી મોળી વારતા,

ભૂલ્યે ભાષણ કરવી નહી । બળે સહિત બોલવું, સહુસહુને ધર્મે રહી

।।૬।। કાયરની વાતે કોઈને, ના’વે શૂરાતન સોય ।નપુંસક નરથી નારને,

પુત્રની પ્રાપ્તી ન હોય ।।૭।। માટે હૈયે હિંમત ધરો, અને કરો ખરો ખેલ

। નિષ્કુલાનંદનો નાથજી, થાશે રાજી અલબેલ ।।૮।। કડવું ।।૯।।

રાજી કરવા પ્રગટ ભગવાનજી, સમાસમે સહુને રે’વું સાવધાનજી ।

મેલી જન મન તનનું માનજી, રાખવું હરિને રાજી કરવા તાનજી ।।૧।।

ઢાળ- તાન એમ તને મને, રાજી કરવાને હરિકૃષ્ણ । અહોનિશ રહે

આલોચના, જાણે કેમ પ્રભુ થાય પ્રસન્ન ।।ર।। તેને અર્થે તને કરી, કરે

જપ તપ જોગ જગન । તીરથ વ્રત કરે વળી, રાજી કરવા ભગવન ।।૩।।

તેહસારૂં તાવે તનને, સહે કાયાયે કષ્ટ કોટ । પણ હરિભક્તની રીતમાં,

આવવા ન દિયે ખોટ ।।૪।। મેલી ગમતું નિજ મનનું, કરે ગમતું તે

ગોવિંદતણું । જેમ વાળે તેમ વળે વળી, મૂકી મમત આપણું ।।પ।।

વા’લાના વચનનો, અતિ ઉર ઉંડો વિશ્વાસ । માહાત્મ્ય જાણી

મહારાજનું, તજે અન્યસુખ આશ ।।૬।। સુખ નર નિર્જરતણાં, સમઝે

સ્વપ્ન સમાન । નિર્ભય સુખ જાણી નાથનું, તેહ પર રહે ઘણું તાન ।।૭।।

એને અર્થે આપણું, ગણે નહિ તન મન । નિષ્કુલાનંદ તે નરપર, પ્રભુ

થાશે પ્રસન્ન ।।૮।। કડવું ।।૧૦।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

વળી પ્રભુ પ્રસન્ન કરવા કાજજી, બહુબહુ કર્યું મોરે ઋષિરાજજી ।

મોટેમોટે ૧મહીશે મૂકયાં રાજસાજજી, તન સુખ સર્વે કરિયાં તાજજી

।।૧।। ઢાળ- તજ્યાં સુખ સંસારનાં, ભજ્યા શ્રી ભગવન । એની રીત

સુણી શ્રવણે, થાય ત્રાહિત્રાહિ મન ।।ર।। આરૂણીને ઉપમન્યુ, ઋષિ

જાજળી તપસી જેહ । પ્રભુજીને પ્રસન્ન કરવા, ગણ્યું નહિ નિજદેહ

।।૩।। મયૂર ધ્વજ ને મીરાં વળી, ભૂપ ભર્તૃહરિ ને ગોપીચંદ । સમસ્ત

બરેજ ને ફરીદ, મનસુર ને બાજીંદ ।।૪।। એહ આદિ અનેક બીજા,

ઘણું રાજી કરવા ઘનશ્યામ । સુખ તજ્યાં શરીરનાં, અન્ન ધન ધરા

ત્રિયા ધામ ।।પ।। પંચ વિષયને પરહરી, થયા અરિ મન ઈંદ્રિતણા ।

પરલોકની પ્રતીત આણી, સહ્યાં કષ્ટ શરીરે ઘણાં ।।૬।। ખોટ ન આણી

ખપમાં, બાંધી મમત મહાસુખ માંઈ । તનસુખથી મન ઉતર્યું, ઠર્યું

નહિ ચિત્ત કયાંઈ ।।૭।। એવી રીત હરિભક્તની, પ્રભુ વિના બીજે પ્રીતિ

નહિ । નિષ્કુલાનંદ નક્કી વારતા, હરિજનની વર્ણવી કહી ।।૮।। કડવું

।।૧૧।।

વળીવળી કહું હરિજનની જે રીતજી, સહુ કોઈ સુણજો દઈ એક

ચિત્તજી । જેની બંધાણી પ્રભુ સાથે પ્રીતજી, તેને રે’વું મન ઈંદ્રિય જીતજી

।।૧।। ઢાળ- મન ઈંદ્રિયને જીતવા, કરવી જુગતિ જન જરૂર । એની

આગળ અનાથ રે’તાં, દુઃખ ન થાયે દૂર ।।ર।। આગ્નીધ્ર ને દીર્ઘતમા,

વળી ઈંદ્રાદિ સુર અસુર । અજીત ઈંદ્રિયે થયા, રહ્યા તેણે દુઃખી ભરપુર

।।૩।। વિષય સારૂં વિકળ થયા, કર્યાં ન કર્યાંનાં કાજ । મેણું માથે રહી

ગયું, કહો કિયાં રહી લાજ ।।૪।। લાજ ગઈ ને કાજ બગડયું, વળી

કલંક બેઠો શિર । આજ સુધી એ વાતને, નિંદેછે ધાર્મિક ધીર ।।પ।।

માટે સહુએ સચેત રે’વું, નવ ગ્રે’વું એવું આચરણ । નિર્વિઘન એહ

વાત છે, સદાય એહ સુખ કરણ ।।૬।। સુણી સુખ ઘનશ્યામમાં,

ચોટાળવું તેમાં જઈ ચિત્ત । અસત્ય સુખની આશ મૂકી, બાંધવી પ્રભુશું

પ્રીત ।।૭।। એવા ભક્ત ભગવાનના, અતિ વા’લા વા’લાને મન ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

નિષ્કુલાનંદ નિર્ભય થયા, જેની ઉપર પ્રભુ પ્રસન્ન ।।૮।। કડવું ।।૧ર।।

પદરાગ બિહાગડો - પ્રસન્ન થયા પરબ્રહ્મરે, જેને પ્રસન્ન૦ । તેને

નડે નહિ કોઈ કર્મરે, જેને પ્રસન્ન૦ ।। ટેક- જેમ કોઈ પારસને પામે,

તેને કરવો ન રહે ઉદ્યમ । વિના અતિ સંપત્તિ પામે, વામે વેળા વિષમરે;

જેને પ્રસન્ન૦ ।।૧।। નવનિધિ અષ્ટસિદ્ધિ આલોકે, સહુને પામવી અગમ

। તેતો દાસી થઈ રહે છે દ્વારે, સા’ય કરવા સુગમરે; જેને પ્રસન્ન૦ ।।ર।।

સે’જે સે’જે સુખ રહે સહવાસે, પડે નહિ પરિશ્રમ । વણચિંતવે આવી

મળે વસ્તુ, એમ વદે છે આગમરે; જેને પ્રસન્ન૦ ।।૩।। અચળ આસન

ઉપર બેઠા આવી, જે છે આસન અતિ રમ્ય । નિષ્કુલાનંદ નિઃશંક થયા

છે, નિશ્ચે કહે છે નિગમરે; જેને પ્રસન્ન૦ ।।૪।। પદ ।।૩।।

નિગમ કહે છે વારતા નકીજી, જુઠી ન થાય કોઈ થકીજી । સર્વે

પુરાણે પ્રમાણી પકીજી, તે છે જગ છતી નથી એહ ઢાંકીજી ।।૧।। ઢાળ-

ઢાંકી નથી એહ વારતા, છે પુરાણમાં પ્રસિદ્ધ । સાધન નરને ન મૂકવાં,

રાખવાં ભલી વિધ ।।ર।। વચન લઈ વા’લા તણું, કરવું પુરૂષપ્રયતન ।

વચન વડે વડાઈ છે, તે જાણજો તમે જન ।।।૩।। વિધિ વામ વચને કરી,

સરજે સંહારે સૃષ્ટિ સોય । શશિ સૂરમાં સમર્થપણું, તેહ વચન વિના

નો’ય ।।૪।। અહીંદ્ર ઈંદ્ર આદિ કઈ, જગમાંહી મોટા જેહ । મોટપ તેહ

મહારાજથી, પામ્યા છે સહુ કોઈ એહ ।।પ।। મહિમા જાણી મહાપ્રભુનો,

નથી લોપતા વચન લેશ । તેણે કરીને તેહની, રહી છે મોટાઈ હમેશ

।।૬।। ફેર પડયાનો ફડકો ઘણો, અતિ રહે છે ઉરમાંઈ । તેણે કરી

તત્પર રે’છે, સર્વે સમે સદાઈ ।।।૭।। એમ કરતાં અષ્ટમાં, એક બે જો

અવળાં હોય । નિષ્કુલાનંદ નચિંત રહેવું, હરિશરણાગતને સોય ।।૮।।

કડવું ।।૧૩।।

ભવ બ્રહ્માને આવી ગઈ ભૂલજી, ખરી ખોવાણી લાજ અમૂલજી ।

ત્યારે સુર અસુરનાં શિયાં શૂલજી, અંતર અરિ આગે ન રહી કેની

ફુલજી ।।૧।। ઢાળ- અંતઃશત્રુ અજીત છે, પળે પળે પાડેછે ફેર । હમેશ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

હરિભકતપણું, રે’વા ન દિયે કોયવેર ।।ર।। ક્ષણક્ષણમાં ખોટા ખરા,

ઘણા ઘણા ઘડે છે ઘાટ । તેણે કરી ત્રિલોકમાં, નાના મોટા એકવાટ

।।૩।। કામ ક્રોધ લોભે વળી, લીધી નહિ કેની લાજ ?। ઓશિયાળા સહુ

અંતરે, રહે નર અમર સુરરાજ ।।૪।। વિકટ છે એહ વારતા, હરિભકત

રે’વું હમેશ । દાઘ ન લાગે દલમાં, કામ ક્રોધ લોભનો લેશ ।।પ।। મોટા

મેશના મંદિરમાં, વસવું શ્વેત વસન । લાગે નહિ મેશ લુગડે, એવા તો

કોઈક જન ।।૬।। વેરિને વાસે વસવું, વળી રાખવી ઉગરવા આશ ।

કુશળ નર તે કેમ રહે, વે’લો મોડો થાય વણાસ ।।૭।। અદોષ રેવું

એહથી, એવી સુણી નહિ કોઈ રીત । નિષ્કુલાનંદ એ નવું નથી, સહુ

વિચારી જુવો ચિત્ત ।।૮।। કડવું ।।૧૪।।

પંચ વિષય છે સહુનું પોષણજી, જેમ જન જીવે ખાઈ અન્નકણજી ।

પલ જળ ફળ દલદાર તૃણજી, વણ પોષણે પામે પ્રાણી મરણજી ।।૧।।

ઢાળ- પોષણ વિના પ્રાણીના, પ્રાણ રે’વા નહિ કોઈ રીત । તેમ

લોભાદિક લાગી રહ્યા, કોઈ બળે ન ટળે અજીત ।।ર।। કાઢી કાઢી જાય

કાઢવા, ત્યાગી ત્યાગી કરવા ત્યાગ । મુવા સુધી મૂકે નહિ, ભીંતરમાંથી

એ ભાગ ।।૩।। બહુ બળ એહ ઉપરે, કરે કોઈક જન અતિ । પો’ચે

નહિ દન પાછળે, એમ સમઝવું શુભમતિ ।।૪।। અંડજ જેમ ઉંચા ચઢી,

ઈચ્છે અડવા વળી આકાશ । પો’ચે કઈ પેર પંખિયાં, જેનો વૃક્ષ પર છે

વાસ ।।પ।। તેમ વિષયથી વેગળાં, નવ રહે કોઈ નિરધાર । એવી ખોટ્ય

ખોળતાં, કોઈ હોય નહિ ભવપાર ।।૬।। દૈહિક દોષ દેહમાં, જે રહ્યા

છે એકતાર । તેને શોધી શુદ્ધ કરતાં, લાગે સહુને વાર ।।૭।। માટે મોટો

માનવો, મને પ્રભુજીનો પ્રતાપ । નિષ્કુલાનંદ ન કરવો, અંતરમાંહિ

ઉતાપ ।।૮।।૧પ।।

મેલી પ્રતાપ ઘનશ્યામનો ઘણોજી, લિયે આશરો સાધન તણોજી ।

માને મહિમા તેમાં આપણોજી, બીજા કોઈ ગણો કે ન ગણોજી ।।૧।।

ઢાળ- ગણો કે કોઈ નવ ગણો, પણ નિજ પ્રતાપ માને મને । જોર મૂકી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

જગદીશનું, સુખ માને કરી સાધને ।।ર।। સાધને કરી સ્વર્ગ લોકમાં,

જાતો હતો નહૂષ નરેશ । શચીપતિયે પૂછીયું, ત્યારે કહ્યું ન કહ્યું લેશ

।।૩।। ત્યારે અમરેશે એમ કહ્યું, પુછે આરતવાન કોઈ આવીને । જથારથ

તેને જણાવવું, ભાળી ભકત ભાવિકને ।।૪।। ત્યારે નહૂષ કહે અન્નકણ

ગણે, ભૂરજ ઉડુ આકાશ । વનપાત ગાતરોમાવલી, કરે કોઈ તેનો

તપાસ ।।પ।। પણ મારા પુન્યનો, ન થાય કોણે નિરધાર । એમ કે’તાં

મોટપ આપણી, પડયો પૃથ્વી મોઝાર ।।૬।। મેલી પ્રતાપ મહારાજનો,

અને ગાયો પોતાનો ગુણ । આજ પહેલાં પડયાં કંઈ, કહોને તે તર્યો કુણ

।।૭।। માટે ભરોસોં ભગવાનનો, રાખવો અતિશય ઉર । નિષ્કુલાનંદ

એહ વારતા, અચળ જાણો જરૂર ।।૮।।૧૬।।

પદરાગ રામગ્રી - ‘મનરે માન્યું નંદલાલશું, જોઈ પાગ પેચાળી’

એ ઢાળ છે -

અચળ ભરોંસો ભગવાનનો, જોઈએ જનને જાણો । એહ વિના

બીજી વારતા, પાંપળાં પ્રમાણો; અચળ૦ ।।૧।। હરિપ્રતાપ હૈયાથકી,

ન મટાડવો માનો । સમર્થ સમઝવા સ્વામીને, જોવો દોષ પોતાનો;

અચળ૦ ।।ર।। સરસ ન થાવું સંતથી, રે’વું દાસનાદાસ । દીન જાણી

દયા કરે, હરે તન મન ત્રાસ; અચળ૦ ।।૩।। એહ વારતા અનુપમ છે,

નિરવિઘન નિહાળો । નિષ્કુલાનંદ બીજી વારતા, ભરી વિઘને ભાળો;

અચળ૦ ।૪। પદ ।।૪।।

નિરવિઘન છે નાથનું શરણજી, નિજસેવકને સદા સુખકરણજી ।

જોગ અજોગ થયું હોય આચરણજી, તેહના અઘના ઓઘનું હરણજી

।।૧।। ઢાળ- હરે અઘના ઓઘને, છે એવું પરમ પાવન । જેજે જન

એને આશર્યા, તે સર્વે થયા ધન્ય ધન્ય ।।ર।। ગોપીને ગોવાળ બાળ,

ગાય ગોધા ને વત્સ વળી । અઘાસુર બકાસુર ને બકી, એહ આદ્યે

બીજાં મળી ।।૩।। કુબજ્યા વળી કંસ આદિ, શાલવ ને શિશુપાળ ।

એવાને અભય આપ્યું, બીજો એવો કોણ દયાળ ।।૪।। પાંડવ ને પાંચાલી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

વળી, કુંતાસમ નહિ કોય । સૌનું શાસ્ત્રમાંહિ સાંભળ્યું, નેક નિર્દોષ ન

હોય ।।પ।। સુણી પુરાણે પરીક્ષા કરી, જાણું યથાર્થ જરૂર । કલંક રહિત

કોઈ નહિ, કોણ ભકત અભકત અસુર ।।૬।। પણ જેને સંબંધ શ્રી

હરિતણો, તે પામ્યા પદ નિર્વાણ । એહ આદિ અનેક એવા, તેનું કેમ ન

કહીયે કલ્યાણ ।।૭।। દાસ અદાસના દોષને, જ્યારે જુવે જગજીવન ।

નિષ્કુલાનંદ હરિધામને, પામે નહિ કોઈ જન ।।૮।। કડવું ।।૧૭।।

અઘાસુર બકાસુર ને બકીજી, એહ તો અસુર ખરા ધરથકીજી ।

શાલવ ને શિશુપાળ ક્રોધકીજી, એહનું કલ્યાણ નવ જોઈએ નકીજી

।।૧।। ઢાળ- નકી ન જોઈએ કલ્યાણ એનું, જોઈએ નિશ્ચે નરકમાંહિ

વાસ । તે પણ સમાવ્યા તેજમાં, એવા છે અવિનાશ ।।ર।। જેમ ભૂંડા

ભૂંડાઈ નવ તજે, ભલા તજે નહિ ભલાઈ । તેમ દયા દયાળમાં, સહી

રહી છે સદાઈ ।।૩।। નવ જુવે જનની કરણી, જુવે નિજ મોટપ્ય

જગદીશ, આવે અઘવંત આશરે । તેના ગુન્હા કરે બક્ષીસ ।।૪।। ટળે

નહિ એહ ટેવ પડી, પાપીનાં પ્રજાળવા પાપ । એહ અર્થે નરતન ધરી,

હરી આવે અવનિયે આપ ।।પ।। મહા અઘહર મૂરતિ, જેહ જને જોઈ

ઝાંખી કરી । તે જન્મ મરણની જાળમાં, નિશ્ચે નર ના’વે ફરી ।।૬।।

એવા પભુને આશરી, રે’વું મને મગન મસ્તાન । કોઈ રીતે અકાજ

આપણું, નહિ થાય નિદાન ।।૭।। શરણ લઈ ઘનશ્યામનું, શાને કરવો

સંશય શોક । નિષ્કુલાનંદ નિશ્ચે પામશું, ગુણાતીત જે ગોલોક ।।૮।।

કડવું ।।૧૮।।

વળી કહું એક વારતા સરસજી, પતિવ્રતા જેને એક પુરૂષજી । પંચને

પત્ની એક નેક-નરસજી, એમ કહે છે પુરાણ અષ્ટાદશજી ।।૧।। ઢાળ-

અષ્ટાદશ આગમમાં, નિર્ણય કર્યો છે નેક । પતિને બહુ પતની, પત્નિને

પતી એક ।।ર।। એહ મર્યાદા પુરાણમાં, બાંધી બહુ બળવાન । સહુ

સહુને ધર્મે રહી, ભજવા શ્રીભગવાન ।।૩।। ધર્મદ્વેષી હરિધામમાં, નવ

પો’ચે નિર્વાણ । પંચાલી આદિ એ પંચનું, કેમ માનવું કલ્યાણ ।।૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

માટે એ વાત મૂકી દીયો, લિયો હરિ શરણનું જોર । ક્રિયા જોતાં કોઈની,

નથી આવતો નોર ।।પ।। પ્રજ્ઞાચક્ષુ પતિ સુણી, કરી ગંધારીએ મન ગોત

। તરત નેત્ર મિચિયાં, એવી પતિવ્રતા ૪ઉદ્યોત ।।૬।। પણ શ્રીહરિના

સંબંધ વિના, અર્થ ન સર્યો એક । સઠપણે સમજ્યા વિના, ઠાલી ઝાલી

એહ ટેક ।।૭।। એવા જીવ કાંઈ જગતમાં, ઘણું ધર્મવાળા કે’વાય ।

નિષ્કુલાનંદ કે’ કર્ણદાની, જરાસંઘ બ્રહ્મણ્ય જગમાંય ।।૮।। કડવું ।।૧૯।।

પ્રાચીનબર્હિ નૃપ પ્રસિદ્ધિજી, જેણે યજ્ઞ કર્યા બહુ વિધિજી ।

અગ્નિકુંડે કરી ભૂમિ ભરી લીધીજી, ન મળી યજ્ઞ જાગ્ય ત્યારે

અરજી કીધીજી ।।૧।। ઢાળ- અરજી કીધી અધિપતિ, સુણી આવીયા

નારદ સોય । ભલો ભલો તું ભૂપતિ, તુજ જેવો નરેશ ન કોય ।।ર।।

ભરી જગને ભૂમિકા, તેમાં હોમ્યાં પશુ હજાર । તે વાટ જુએ છે

સ્વર્ગમાંહિ, તને તેમજ કરવા ત્યાર ।।૩।। કે’છે અસમર્થ જાણી

અમને, એણે જોરે તે લીધો જીવ । અર્થ સાર્યોે આપણો, એણે કાપી

અમારી ગ્રીવ ।।૪।। એહ તું નથી તપાસતો, યજ્ઞસારૂં ગોતે છે જાગ

। એહ મોટી મૂરખાઈનો, તું કરને હવે ત્યાગ ।।પ।। એવું સુણી

નારદથી, ભૂલ્ય મુકી દીધી ભૂપાળ । યજ્ઞનું ફળ જોઈને, તેમજ કર્યું

તત્કાળ ।।૬।। માટે મેલી મદત મહારાજની, જાણે નિજ કર્તવ્યનું જોર

। જેમ લાગે લાલ માલ નહિ, જેવાં શિયાળ બગાંમણાં બોર ।।૭।।

સર્વે સિદ્ધાંતનું સિદ્ધાંત છે, હૃદે રાખવું હરિ ઉપરાળ । નિષ્કુલાનંદ

એહ વારતા, છે સુખદાયી સદાકાળ ।।૮।। કડવું ।।ર૦।।

પદરાગ સોરઠા - સુખદાયી સદા શ્યામળો, જીવ જરૂર ઉરમાં

જાણ્ય । દૃઢ ભરોંસો ધર્મનંદનો, અતિ અંતરમાંઈ આણ્ય; સુખ૦

।।૧।। પ્રથમ પો’ચ પોતાની જોઈને, પછી મનમાં ધરીયે માન । એવું

ન થાય આપણે, જેવું ભલું કરે ભગવાન; સુખ૦ ।।ર।। જેમ મેઘ

જીવાડે મેદિની, વળી અર્ક ટાળે અંધાર । એવું કામ કોયથીરે, જોને

નવ થાય નિરધાર; સુખ૦ ।।૩।। તેમ જે નિપજે જગદીશથી, તે ન

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

નિપજે જીવથી જાણ્ય । નિષ્કુલાનંદ ન કીજીયેરે, ઠાલી તપાસ્યા વિના

તાણ્ય; સુખ૦ ।।૪।। પદ ।।પ।।

જુઠી સામર્થી જીવની જાણીયેજી, પૂરણ સામર્થી પ્રભુની

પ્રમાણીયેજી । એહ ભરોંસો દૃઢ ઉરમાં આણીયેજી, વણ તપાસે વળી

શીદ તાણીયેજી ।।૧।। ઢાળ- તપાસ વિના ન તાણીયે, જોઈએ જીવ

વિચારી વાત । મોટાની મોટપ શા વડે, એમ સમઝવું સાક્ષાત ।।ર।।

પિતા પાળે જેમ પુત્રને, વળી પ્રીતે કરે પ્રતિપાળ । સુખ કરે ને દુઃખ

હરે, શોભાવે સદાય કાળ ।।૩।। ખાવા પીવા બોલવા, વળી રે’વા

શીખવે રીત । અરિ મિત્ર પર આપણાં, તેહ નકી કરાવે નિત ।।૪।।

એમ હમેશ હેત કરે, ફરે બાળકની વાંસે વળી । પ્રીતે પાળે પુત્ર

જાણી, માત તાત દોયે મળી ।।પ।। બાળપણમાં બહુ પેરે, આવે બની

અપરાધ । તોયે અવગુણ ન લીયે અર્ભનો, સમઝે સુતને અસાધ

।।૬।। એમ મોટાની મોટપનો, કોઈ પામી શકે નહિ પાર । પુત્ર

પિતાને પટંતરે, સમઝુ સમઝો સાર ।।૭।। એમ જીવને જગદીશ છે,

જનક જનની સમાન । નિષ્કુલાનંદ એહ નવ તજે, નિશ્ચે જાણો

નિદાન ।।૮।। કડવું ।।ર૧।।

પત્નીનું પાલન કરે જેમ પતિજી, પ્રજાનું પાલન કરે છે ભૂપતિજી ।

સદ્‌ગુરુ શિષ્યને આપે સદ્દમતિજી, એહ રીત જાણો યુગોયુગ છતિજી

।।૧।। ઢાળ- છતિછે એ છાની નથી, હોય જેજે જેના આશ્રિત । તે તેનું

પાલન કરે, એહ અનાદિની રીત ।।ર।। આવડત ન હોય જો એહમાં, તો

કરે વા’લપશું વાત । હૈયે હેત અતિ ઘણું, દેખાડે દિન ને રાત ।।૩।। જેમ

પડે એને પાધરૂં, એમ અખંડ કરે ઉપાય । પોતાના જાણી પીડા હરે, કરે

સેવકની સા’ય ।।૪।। તેમ ઘનશ્યામ જાણી ઘરનાં, કરે મે’ર હરે મહાકષ્ટ

। એહ વારતા વેદ પુરાણે, સૂચવે છે જો સુસ્પષ્ટ ।।પ।। પોતાના જાણી

નવ પરહરે, કરે પ્રીતે કરી પ્રતિપાળ । અવગુણ ન જુવે અર્ભના, જેમ

જનની જાળવે બાળ ।।૬।। પશુ પંખી નર નિર્જર, સહુ સુતને પાળે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

સદાય । તેમ શ્રીહરિકૃષ્ણ કરે, સેવક જનની સા’ય ।।૭।। નિરાધાર

નારાયણ વિના, નર નિપજ્યા નહિ એક । નિષ્કુલાનંદ એહ વાતને,

વિચારો કરી વિવેક ।।૮।। કડવું ।।રર।।

માતાપિતાથી પામે પ્રાણી દેહજી, તેહમાં આવી વસે જીવ જેહજી ।

ન હોય કર્તવ્ય એહનું એહજી, એહના કારણ શ્રીહરિ તેહજી ।।૧।।

ઢાળ-શ્રીહરિ વિના સમાજ એવો, કહોને કોણથી થાય । શ્રવણ નયન

નાસિકા, દંત જીહ્વા કરી મુખમાંય ।।ર।। હાથ પગ આંગળીયો, નખ

શિખા મુવાળા મોછ । કીધો સમાજ સુખનો, કોઈ રીતે ન રાખી ઓછ

।।૩।। વળી અંતઃકરણ ને ઈંદ્રિયો, પ્રાણવાયુ દશ પ્રકાર । એવું કરતાં

કોઈને, ન આવડે નિરધાર ।।૪।। કસર કોઈ વાતની, નારાયણે રાખી

નથી । જુવો વિચારી જીવમાં, વળી વળી શું કહું કથી ।।પ।। જીવ જાણે

હું જોર છઉં, જે કરૂં તે કેમ ન થાય । પણ વિચારે આવી વાતને, તો જેમ

છે તેમ જણાય ।।૬।। માટે અસમર્થ આપણે, સમર્થ શ્રીભગવાન । એવું

સમઝી અંતરે, મૂકવું કર્તવ્યનું માન ।।૭।। કર્યું શ્રીકૃષ્ણનું થાય છે, જનથી

ન થાય જરાય । નિષ્કુલાનંદ નિહાળીયે, ઉંડું અંતરમાંય ।।૮।। કડવું

।।ર૩।।

કૃષિ કરે જેમ કૃષિજનજી, વિવિધ ભાતનાં વાવે વળી અન્નજી ।

જાણે અન્ન વડે થાશે બહુ ધનજી, એમ મનસુબો કરે નિત્ય મનજી

।।૧।। ઢાળ- કરે મનસુબો મનમાં, જાણે ભરીશ કણ કોઠાર । પણ તેતો

હરિને હાથ છે, નથી જાણતો તે નિરધાર ।।ર।। અવનીથી અન્નને ઉગાડવું,

વળી મોટા કરવા મો’લ । તે તો કરી ન શકે કરષિ, તપાસી કરવો તોલ

।।૩।। જે જન અન્ન વાવે જેવું, તેવું થાય છે તદ્દરૂપ । તેહ કર્તવ્ય

ભગવાનનું, એમ સમઝવું સુખરૂપ ।।૪।। નિર્વિઘન નીપજાવવું, તેહ

જાણો છે હરિને હાથ । ખેડુ જુવે જો ખોળીને, તો નવ વિસારે નાથ ।।પ।।

કિંચિત કર્તવ્ય કૃષિતણું, ઘણું કર્તવ્ય ઘનશ્યામનું । એમ જીવનું કર્તવ્ય

જોતાં, કે’વામાત્ર છે કામનું ।।૬।। જો કોઈ નરથી નિપજે, તો કષ્ટ રાખે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

કહો કોણ । માનો નર નિર્બળ છે, જોઈ લેવું એહ જાણ ।।૭।। માટે

શ્રીહરિના શરણ વિના, કારજ કોઈ ન થાય । નિષ્કુલાનંદ એમ નરને,

માની લેવું મનમાંય ।।૮।। કડવું ।।ર૪।।

પદરાગ સામેરી - આવોેે હરિ મંદિરીએ મારે, એ ઢાળ છે.જાણો

જન સમર્થ શ્રી ભગવાન । ટેક - એ જીવનું જોર ન જાણવુંરે, અમથું

કરે અભિમાન । કર્યું ન થાય કોઈનુંરે, નર નિર્જરથી નિદાન; જાણો૦

।।૧।। એ પ્રાણી સુખને પામવારે, કરે તે સર્વસ્વ દાન । જશ વાધે આ

જગ્તમાંરે, વળી સહુ કરે સન્માન; જાણો૦ ।।ર।। જપ તપ તીરથ જોગ

જેરે, ધરે વન જઈ ધ્યાન । અર્થ ન સરે એહથીરે, જેવી વર વિનાની

જાન; જાણો૦ ।।૩।। એ મેલી બળ મહારાજનુંરે, કરે ઉપાય કોઈ આંન

। નિષ્કુલાનંદ નિષ્ફળ છેરે, જાણો જોર થયું એ જ્યાન; જાણો૦ ।।૪।।

પદ ।।૬।।

જ્યારે જોયે આ જીવનું જોરજી, ત્યારે કોઈ રીતે ન આવે ૫નોરજી

। અંતરશત્રુ અતિ મહા ઘોરજી, મટવા ન દિયે મહા પ્રભુના ચોરજી

।।૧।। ઢાળ- ચોર જેમ ચોરી કરે, અને હરે મા’જનનો માલ । તેમ

અંતર અરી ચોરી કરી, વળી કરી મૂકે કંગાલ ।।ર।। પછી મુખે દીનપણું

દાખવે, વળી મને માને નિરધન । વરતે તો પણ તેજ વિના, એમ રાંક

રહે રાતદન ।।૩।। જેમ દીપશિખા શમી ગઈ, રહી કેડે કાળી મશ ।

જ્યાં જ્યાં જાય ત્યાં સાંભળે, આપણો અપજશ ।।૪।। ઝાંખપ આવી જે

જીવમાં, તેતો કેમ કરી કરે ત્યાગ । રાતદિન ફડકો રહે, જેમ તસ્કર

ઉપર કાગ ।।પ।। આત્મા ન મનાય આપને, નહિ માથે પ્રભુ પ્રતાપ ।

એણે કરી રહે અભાગિયો, નવ મનાય નિષ્પાપ ।।૬।। એક પ્રભુને

પરહરી, જણાવે પોતાનું જોર । તેતો સોસો ઉડુ ઉગે સામટા, પણ ભાષ્કર

વિના ન હોય ભોર ।।૭।। તેમ જેજે થાય જગદીશથી, તેતે ન થાય નર

અમર થકી । નિષ્કુલાનંદ એ વાતને, સમઝવી પૂરણ પકી ।।૮।। કડવું

।।રપ।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

જાુઓ ભગવાને રચ્યું આ બ્રહ્માંડજી, તેમાં કર્યા સાત દ્વીપ નવ ખંડજી

। જેમાં વસ્યા જન જુજવે પંડજી, એહ સહુ ભજે છે હરીને અખંડજી

।।૧।। ઢાળ- અખંડ ભજે છે અવિનાશીને, વળી થઈ દીન આધીન ।

સમર્થ જાણે છે સ્વામીને, જાણી પોતાને બળહીન ।।ર।। વળી આ

બ્રહ્માંડમાં, કર્યા સમુદ્ર તે સાત । જળ તેનાં જુજવાં, બનાવિયાં બહુ

ભાત ।।૩।। વળી મરજાદના મોટા ગિરિ, આડા નાખીયા એહ । તેણે

કરી નિજનિજ સ્થાનકે, સુખે વસિયા તેહ ।।૪।। મધ્યે એક મેરૂ કર્યો,

કર્યા નવ લખ તારા લઈ । શશિ સૂર સમર્થ કર્યા, પ્રકાશવા સહુને સઈ

।।પ।। સ્થાવર જંગમ જીવ કર્યા, કર્યાં પોષણ તે બહુ પેર । આપ ઈચ્છાએ

એહ કર્યું, તેની ન લાગી વેર ।।૬।। એવા સમર્થ શ્રીહરિ, જેજે ધારે તેહ

થાય । મૂકી એવાનો આશરો, નિર્બળ નિજબળ ગાય ।।૭।। આશ્ચર્ય

વારતા એ ઘણી, ભૂચરને વસવું વ્યોમ । નિષ્કુલાનંદ એ નરનું, જાણ્યા

વિનાનું જોમ ।।૮।। કડવું ।।ર૬।।

કોઈક નર થઈ શઠ જ્ઞાનીજી, રહ્યા છે સ્વતંત્ર પોતાને માનીજી ।

નિર્લેપ આપને માને અજ્ઞાનીજી, ઓળખી ન શકયા એ અવિદ્યા

છાનીજી ।।૧।। ઢાળ- છાની અવિદ્યાએ છેતર્યા, થયા પ્રભુના પિતરાઈ

। બેઠા થઈ બરોબરિયા, માની પોતાના મનમાંઈ ।।ર।। બાંધી મરજાદ

બહુનામીયે, તેને ત્રોડવા રહે છે તૈયાર । મુષો જેમ મદિરા પીયને,

મારવા ઈચ્છે માંજાર ।।૩।। અલ્પ મતી અતિ બળ કરે, પહોંચ્ય પોતાની

નવ પરખે । પણ ખદ્યોત ને જેમ ખગ ભાનુ, તે સમઝાય કેમ સરખે

।।૪।। જેમ તાડિપી તાડે ચડે, જાણ્યું પહોચ્યો હું સહુની પાર । પણ

ભાગે તાડે હાડ ભાંગશે, એવો આવતો નથી વિચાર ।।પ।। જે એક બ્રહ્મ

આગમે કહ્યું, તેતો જાણો તાડ સમાન । તેથી પડ્યા પ્રાણી કંઈ, નર

અસુર નીદાન ।।૬।। માટે એ દિશને મૂકવી, થાવું હરિના દાસ । મન

કર્મ વચને કરી, ભાવે ભજવા અવિનાશ ।।૭।। પ્રભુ સરિખા પ્રભુજ

છે, બીજે થવાય નહી કોઈ રીત । નિષ્કુલાનંદ એહ મર્મને, જન ચિંતવી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

જુવો ચિત્ત ।।૮।। કડવું ।।ર૭।।

જીવ કરી પુન્ય જો પ્રભુ થવાયજી, તો પ્રભુ પૃથવિમાં કેમ માયજી ।

ઘર ઘર પ્રત્યે સૌ પ્રભુ કે’વાયજી, પછી ધાર્યું સહુનું સરખું ન થાયજી

।।૧।। ઢાળ- ધાર્યું ન થાય ધરા ઉપરે, વળી આકાશમાં પણ એક । એ

મત અણસમઝુ તણો, તમે સમઝુ સમઝો વિવેક ।।ર।। જોને એકજ

રીતિ ને એક જ નીતિ, વળી એકજ ક્રિયા અમૂલ । જેમ જેનો ઉદ્ભવ

કર્યો, તેમાં પડતી નથી ભૂલ ।।૩।। જેમ જેને રાખ્યાં ઘટે, તેમ રાખ્યાં

ચરઅચર । મેલે ન કોઈ મરજાદને, ભૂમિ વ્યોમે નર અમર ।।૪।।

શેષશાયી રહ્યા પૃથવિ, દશ દિશે રહ્યા દીગપાળ । સિંધુ ન મૂકે મર્યાદને,

હદ મૂકે ન માયા કાળ ।।પ।। તેહ એક પ્રભુની આગન્યા, સહુ માને છે

શ્રદ્ધાય । પોતપોતાની રીતમાં, ફેર પડવા ન દિયે કાંય ।।૬।। એ ઘણે

પ્રભુએ ઘડ્ય ન બેસે, તમે જુઓ વિચારી વાત । સ્વર્ગ મૃત્યુ પાતાળમાં,

ધણી અગણીતે ઉતપાત ।।૭।। માટે મનમાં માનવું, કર્યું એક હરિનું

થાય છે । નિષ્કુલાનંદ નીગમ તેને, નેતિનેતિ કરી ગાય છે ।।૮।। કડવું

।।ર૮।।

પદરાગ પરજ - નેતિ નેતિ કરી નિગમ જેના, ગુણ નિશદિન ગાયેરે

। એહ જેવા તો એકજ એ છે, બીજે કેમ થવાયરે ।।૧।। સૂરજ સરખા

એક સૂરજ છે, શશી સરખા શશિરે । સિંધુ સરખા એક સિંધુ છે, એને

ઉપમા કશીરે ।।ર।। શૂન્ય સરિખો એક શૂન્ય છે, સમીર સરિખો સમીરરે

। તેજ સરિખું એક તેજ છે, નીર સરિખું નીરરે ।।૩।। એમ પ્રભુ સરિખા

એક પ્રભુ છે, બીજો ન હોય બરાબરીરે । નિષ્કુલાનંદ કે’ નિશ્ચય કરીને,

માની લીયો વાત ખરીરે ।।૪।। પદ ।।૭।।

જેને દર્શને દુષ્કૃત ટળેજી, જેને સ્પર્શે મહાપાપ બળેજી । જેની કીર્તિ

સુણતાં કર્મ બળેજી, જેનું નામ લેતાં મહાસુખ મળેજી ।।૧।। ઢાળ-

મળે સુખ મોટું ઘણું, જેહને સંબંધે જરુર । મંગળકારી મૂરતી, અમંગળ

કરે દૂર ।।ર।। જેના દર્શનસારુ દેવતા, વળી ઈચ્છે છે રહી આકાશ ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

રાત દિવસ હૃદિયે રહી, નાથ નિરખવા આશ ।।૩।। સદાય સુખી સુર

રહે, ખાન પાનની નહીં ખોટ । પણ દીનબંધુના દર્શન વિના, માને

અભાગી મોટ ।।૪।। વળી કંઈક વસે છે વનમાં, તજી સર્વે સુખસમાજ

। શીત ઉષ્ણ સહન કરે, તે હરી દર્શન કાજ ।।પ।। એવું માહાત્મ્ય દર્શનનું,

તેહ એક શ્રીહરીનું હોય । બીજાના દર્શનનું, માહાત્મ્ય ન જાણે કોય

।।૬।। એવું દર્શન જેહને થયું, ગયું તેનું પ્રજળી પાપ । જીવનમુકત તેહ

સહી, છતિ દેહે એહ છાપ ।।૭।। બ્રહ્મમોહોલનું બારણું, મેલ્યું ઉઘાડી

એહને કાજ । નિષ્કુલાનંદ નિર્ભય પદ, પામશે એ ભકતરાજ ।।૮।।

કડવું ।।ર૯।।

વળી સ્પર્શ પ્રભુનો પરમ પાવનજી, જેહ જેહ પામ્યા સંત અસંતજી

। તેહ તેહ થયા સહુ ધન્ય ધન્યજી, એહની સમતા કરે શું સાધનજી

।।૧।। ઢાળ- સાધન બિચારાં શું કરે, આપે કર્યા પ્રમાણે ફળ । સ્પર્શ

કરતાં મહાપ્રભુનો, આપે સુખ અટળ ।।ર।। સ્પર્શ પામી પૂતના, હરિ

ધવાર્યા લઈ હાથ । પુરૂષોત્તમના સ્પર્શથી, શંખણી થઈ સનાથ ।।૩।।

ગોવિંદ સ્પર્શથી ગોપિકા, થઈ સર્વે શ્રુતિ સમાન । કુબજા સ્પર્શી કૃષ્ણને,

નિર્ભય થઈ નિદાન ।।૪।। એવો સ્પર્શ પાવન અતિ, પરમ પ્રાપ્તિનો

દેનાર । પાપી પ્રાણીનો સ્પર્શ જેહ, તેહ આવે કેમ એની હાર ।।પ।।

એવો સ્પર્શ જેને થયો, તે કૃતાર્થ કે’વાય છે । બીજાં કોટી સાધન કરે,

પણ તેહ તુલ્ય કયાંય થાય છે ?।।૬।। પરબ્રહ્મનો સ્પર્શ પામી, જેહ થયા

પૂરણ કામ । તન મૂકતાં તરત તેહ, પામશે પ્રભુનું ધામ ।।૭।। જેમ

પારસના પ્રતાપથી, લોહપણું ન રહે લગાર । નિષ્કુલાનંદ એમ નાથ

સ્પર્શે, પ્રાણી પામે ભવપાર ।।૮।। કડવું ।।૩૦।।

કીર્તિ પ્રભુની સુણતાં કાનજી, જાય અણસમઝણ અજ્ઞાનજી । પ્રગટ

પ્રભુશું લાગે તાનજી, એવું કાંય નથી એહની સમાનજી ।।૧।। ઢાળ-

સમાન ન દીઠું શોધતાં, હરિકીર્તિ જેવું કોય । જશ સુણતાં જગદીશના,

થયા સંસાર પાર જન સોય ।।ર।। પૃથુ ને પરીક્ષિત આદિ, વળી જનક

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

જેવા નરેશ । નારદ હનુ સનક આદિક, હરિ કથા સૂણે છે હમેશ ।।૩।।

જુવો વળી આ જગતમાં, હરિજશ સૂણે છે હેતે કરી । કષ્ટમાં એહ કામ

આવે, સંકટ સર્વે જાય તરી ।।૪।। એવી કીર્તિ કોણની, જેને સાંભળીને

તાપ ટળે । અન્ય કથાને કાને સૂણતાં, પુણ્ય સર્વે પરજળે ।।પ।। પતિતને

પાવન કરવા, જશ હરિના છે જાહ્નવી । એહ પખી પવિત્ર થાવા, નથી

ઉપાય માનો માનવી ।।૬।। એવા જશ જેણે સાંભળ્યા, તે સનાથ થયા

સહુ । ઓછું ન માનવું અંતરે, માનવી મોટપ બહુ ।।૭।। જેની કહીયે

પવિત્ર કીરતિ, એવા તો હરિ એક છે । નિષ્કુલાનંદ એ નક્કી કરવું,

એહજ સારો વિવેક છે ।।૮।। કડવું ।।૩૧।।

જેનું નામ જપ્યે આવે અઘ અંતજી, સમરતાં સુખ મળે અનંતજી ।

પામે મોટપ જપતાં જંતજી, એમ સમઝીને સમરેછે સંતજી ।।૧।। ઢાળ-

સંત માહાત્મ્યને સમઝી, નવ મૂકે નારાયણ નામ । શ્વાસો શ્વાસે તે

સમરે, ઘણે હેતે ઘનશ્યામ ।।ર।। ગજ ગુણિકા અજામિલ આદિ, ભજી

નામ થયા ભવપાર । પતિતપાવન નામ હરિનું, એથી પામ્યા અનેક

ઉદ્ધાર ।।૩।। ધ્રુવ પ્રહ્લાદને દ્રૌપદી, થયાં નામ ભજીને નિઃશંક । પાણી

ઉપર પાષાણ તર્યા, તેપણ નામને અંક ।।૪।। મોટા મુનિ માળા લઈ,

જપે છે નારાયણ નામ । રાત દિવસ રટણ કરતાં, પળ ન પામે વિરામ

।।પ।। જોગી વસે જઈ વનમાં, ખાય ફળ ફુલ વન પાન । એમ દમી નિજ

દેહને, વળી ભજે છે ભગવાન ।।૬।। મહામાલ માન્યો મને, નારાયણના

નામમાંઈ । તેણે કરી એકતાર અંતરે, સમરેછે જો સદાઈ ।।૭।। એવો

મહિમા મૂર્તિ તણો, પ્રિછવ્યો બહુ પ્રકાર । નિષ્કુલાનંદ એ વારતા,

નક્કી છે નિરધાર ।।૮।। કડવું ।।૩ર।।

પદરાગ ધોળ- જેની મૂર્તિ મંગળરૂપ છે, સ્પર્શતાં પાપ પલાયરે ।

અનેક જન્મનાં અઘ અતિ, જેનું નામ જપતાં તે જાયરે; જેની૦ ।।૧।।

જેને દર્શને સર્વે દુષ્કૃત ટળે, બળે બહુ કર્મના કોટરે । જેનું સ્મરણ

કરતાં સંકટ શમે, વળી લાગે નહિ કાળની ચોટરે; જેની૦ ।।ર।। જેની

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

કીર્તિને સુણતાં કાનમાં, થાય નર નિર્ભય નિદાનરે । જેનો મહિમા ન

કે’વાય મુખથી, એવા છે એ શ્રીભગવાનરે; જેની૦ ।।૩।। એમ સર્વે

અંગે સુખદાઈ છે, મૂર્તિ જેની મનોહરરે । નિષ્કુલાનંદ એહ નાથને,

ના’વે કોઈ બીજું સરાભરરે; જેની૦ ।।૪।। પદ ।।૮।।

એમ સમઝયા વિના જે અધુરાજી, પ્રાકૃત ગુણે કરી માને પૂરાજી ।

પરને પીડવા સુધા અતિ શૂરાજી, પળે પળે દલમાં તર્ક અતિ તુરાજી

।।૧।। ઢાળ- તુરા અતિ અંતરમાં, તેણે ગરીબની ગણતી નહિ । શિયાળ

વેષ લઈ સિંહનો, બિવરાવે બીજાં કહિ ।।ર।। પણ જંબુક મન નથી

જાણતો, આતો બળ છે અજીનનું । તેણે કરીને થાય છે, અપમાન દુર્બળ

દીનનું ।।૩।। એમ ગુણ ગોવિંદના, જરાયેક પામે છે જન । માને હું

મોટો થયો, સર્વે ગુણે સંપન્ન ।।૪।। તેણે કરી તન મનમાં , ફોગટ રહે છે

ફૂલ્ય । પણ તપાસતો નથી તેહને, જે ભારે આવી ગઈ ભૂલ્ય ।।પ।। જોને

પે’રી ઘરેણાં પરનાં, મને માનવી મોટાઈ કેમ । જ્યારે ઉતારી લેશે

અંગથી, ત્યારે રહીશ તેમનો તેમ ।।૬।। માટે મોટપ માનવી, મોટી

મહાપ્રભુ માંઈ । જોઈ પોતાના જોરને, જન જોમ ન કરવું કાંઈ ।।૭।।

નિશ્ચય નથી નિપજતું, આપણાથી અણુંભાર । નિષ્કુલાનંદ એમ નરને,

કરવો વારમવાર વિચાર ।।૮।।કડવું ।।૩૩।।

એમ વિચાર કરવો નરને ઘણોજી, શુભ ગુણ સર્વે શ્રીહરિતણોજી ।

ગુણસાગર ગોવિંદને ગણોજી, એ સમ નહિ ગુણ આપણોજી ।।૧।।

ઢાળ-આપણા ગુણને ગણતાં, અતિશય અનાદર થાય । અર્થ એકે સરે

નહિ, જાણો જરૂર લજ્જા જાય ।।ર।। પો’ચ્ય ન હોય પોતા પાસળે, વળી

કરે વડાઈની વારતા । કામ પડે કેમ કરશું, એમ નથી વિચારતા ।।૩।।

જેમ દામ વિનાની હામ હૈયે, કરે કોઈ સુખકારણે । તેતો પાંગુલું ચાલવા

પણ લીધું, વિના વાહન બારણે ।।૪।। માટે મોટપ ન માનવી, ગુણ

પરના પામીને । દીન આધીન વરતવું, સૌ સંતને શિશ નામીને ।।પ।।

અલ્પ ગુણના અભિમાનમાં, અપરાધ થાય શુદ્ધ સંતનું । પામવાનું

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

સુખ રહે પાછળે, આવે દુઃખ અત્યંતનું ।।૬।। માટે વિચારી વરતવું,

ઘણું ઘણું ગરજુ થઈ । અલમસ્તી ન દેવી આવવા, બેગરજુ થાવું નઈ

।।૭।। આવી વાતને અંતરે, રાખશે જન રૂડી રીતશું । નિષ્કુલાનંદ તે

ઉપરે, પ્રસન્ન થાશે પ્રભુ પ્રીતશું ।।૮।। કડવું ।।૩૪।।

આપણા ગુણમાં અવિદ્યા રહીજી,અતિશય ઝીણી ઓળખાય

નહિજી। સ્વભાવ સરિખી રહી છે થઈજી, તેણે મુઝવ્યા મોટા મોટા

કંઈજી ।।૧।। ઢાળ- મોટા મોટા કંઈ મુઝવ્યા, મનાવી ગુણનું માન ।

અંતરમાંઈ બેઠી અજા, તે જોરે કરે છે જ્યાન ।।ર।। કવિમાં થઈ કવિરૂપે,

ગાયકમાં ગાયક થઈ । પંડિતમાં પંડિતરૂપે, તેને કેણે કળી નઈ ।।૩।।

દીનમાં થઈ દીનરૂપે, થઈ દાતારમાંહિ દાતાર । જોગી જતિ તપસી

સંન્યાસી, વર્ણાશ્રમરૂપે અપાર ।।૪।। ભૂપમાં થઈ ભૂપરૂપે, ધનવાનમાં

ધનવાન । ઉચ્ચ નીચ નરનારમાં, જ્યાં જેવું અભિમાન ।।પ।। આપાપર

ને ચર અચર, સૌને અંતરે વસી અજા । પર પોતાનાં પરઠી, કરે છે

બેઠી કજા ।।૬।। આવ્યો ગુણ જે આપમાં, તેનું બળ લઈ બોલે ઘણું ।

એમ અવિદ્યાયે ફેરવ્યું, શિશ તે સૌ જનતણું ।।૭।। ભૂલ્યા દિશ

ભગવાનની, લીધી આપણા ગુણની ઓટ । નિષ્કુલાનંદ એ નરને, ખરા

ખરી ગઈ છે ખોટ ।।૮।। કડવું ।।૩પ।।

એહ અવિદ્યા લેવી ઓળખીજી, વણ સમઝે ન થવાય સુખીજી ।

જાણ્યા વિના જન થાય છે દુઃખીજી, શાંતિ ન વળે સમજ્યા પખીજી

।।૧।। ઢાળ- સમઝયા વિના શાંતિ સહી, રહે અંતરે અતિ ઉદ્વેગ ।

પ્રિછવા ન દિયે પાધરૂં, ભીતરમાં માયાનો ભેગ ।।ર।।દિયે ઉપદેશ દિવસ

રજની, તું દેહ દેહછો તું દેહ । તેહ વિના રૂપ તાહરૂં, નથી બીજું કહું

તેહ ।।૩।। બાળ જોબન વળી વૃદ્ધ તું, તું છો શ્યામ ગૌર શરીર । રોગી

અરોગી તું સુખી દુઃખી, કાયર તું શૂરવીર ।।૪।। તું ઉત્તમ મધ્યમ તું,

ડાહ્યો ભોળો તું દાસ અદાસ । એમ મનાવ્યું અંતરે, કરી હૈયામાંઈ

વાસ ।।પ।। અવિદ્યાયે એમ દૃઢાવ્યું, ઉરમાંઈ અનેક પ્રકાર । તેમજ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

માની તનમાં, સહુ વર્તે છે સંસાર ।।૬।। પણ ઉંડું વિચારી અંતરે, કેણે

ખરી ન કરી ખોળ । જેમ છે તેમ જાણ્યા વિના, સહુ કરે છે ડામાડોળ

।।૭।।સાચી વાત નથી સૂઝતી,નથીકરતા તેનો તપાસ । નિષ્કુલાનંદ

નિર્બળ થઈ, પડિયા માયાને પાશ।।૮।।કડવું ।।૩૬।।

પદરાગ મારૂ -સમજ્યા વિનારે સંતાપ, શમે નહિ સમજ્યા વિનારે

સંતાપ । સહુ વિચારો અંતરે આપ; શમે૦ । ટેક - આતમાને એકે

નહિરે, નાત જાત માઈ બાપ । એતો સંબંધી શરીરનાંરે, પ્રિછી પરહરિયે

પરિતાપ; શમે૦ ।।૧।। માનિનતા મેલ ઉતારિયેરે, તો ખરી છે નિર્મળ

ખાપ । આડય ન કરે આંખ્યનેરે, થાય ઠીકો ઠીક જ થાપ; શમે૦ ।।ર।।

હીરા જડાવિયે આંખ્યનેરે, પૂર્ણ વડગે એ પાપ । રંગ ચડયે પોત પલટેરે,

સહુ છેતરાય દેખી છાપ; શમે૦ ।।૩।। એમ આત્માથી અડગો રહીરે,

શરીરરૂપી પાળ્યો સાપ । નિષ્કુલાનંદ એ નરસું થયુંરે, ગયું તેજ રહ્યું

તમ વ્યાપ; શમે૦ ।।૪।। પદ ।।૯।।

એમ સમઝે છે સંત સુજાણજી, બીજા કરે છે બહુ ખેંચાતાણજી ।

આપાપરને પરઠી પ્રમાણજી, હેતુ વિના સહુ થાય હેરાણજી ।।૧।। ઢાળ-

હેરાણ થાયછે હેતુ વિના, તેતો અણસમઝણ આપણી । જેમ એરણ

લુહારની, પર તાપે તે પીડા તાપની ।।ર।। જેમ અંબર સુંદર ઓઢીયે, તે

હોય કુચ્યની કંડુવે ભરું । અળગું ન કરીએ અંગથી, તો દુઃખનું નાવે

સરૂં ।।૩।। જેમ માથે મેષનો મોટલો, કોઈ ઉપાડે કોયલા તણો । ખપ ન

આવે ખાધાતણો, લાગે ડાઘ લુગડે ઘણો ।।૪।। મેલે તો મેલાય ખરા,

ગુણ અવગુણ બેઉ બોજ । અણસમઝે ઉપાડી ફરે, ખરી કર્યા વિના

ખોજ ।।પ।। જેમ તરવું ઉંડા તોયને, માથે હીરા પથરા મોટછે । તેમ

ગુણ અવગુણ જકતના, ખરા દેનારા ખોટ છે ।।૬।। હરિભકતને

હૈયામાંઈ, વિચારવું તે વારમવાર । વો’રવાં નહિ વિષ વ્યાળ વિંછી,

એછે દુઃખના દેનાર ।।૭।। જેજે વળગે આ જીવને, થાય અટપટું કરતાં

અળગે । નિષ્કુલાનંદ આ જકતઉપાધિ, વણ વળગાડી વળગે ।।૮।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

કડવું ।।૩૭।।

કેનેક બળ અન્ન ધન રાજ્યતણુંજી, કેનેક બળ વળી વિદ્યાનું ઘણુંજી

। કેનેક બળ દેહ દેખી આપણુંજી, એહ માંયેલું બળ નથી મારે અણુંજી

।।૧।। ઢાળ- અણું નથી એહ માંહેલું, બળ બીજાનું વળી માહરે । સમર્થ

સહજાનંદજી, હું તો શરણ છઉં તાહરે ।।ર।। આકરી વેળામાં આવજો,

પ્રભુજી તમે મારી પાસ । ખરી વેળામાં ન ખસવું, હરિ જાણી પોતાનો

દાસ ।।૩।। વસમી વેળાએ વાલમાં, વળી વળી કરજો વા’રને । સંકટમાં

શ્રીહરિ સ્વામી, શ્યામળા કરજો સારને ।।૪।। અંતવેળા છે વસમી,

એમ વદેછે વેદ પુરાણ । તેહ સમે તમે તરત આવી, સાર લેજો શ્યામ

સુજાણ ।।પ।। ઉઠે દેવતા અંગના, એક દંડો ચાલે વળી શ્વાસ । તેહ સમે

તમે સંભાળજો, મારા અલબેલા અવિનાશ ।।૬।। માગું છું એહ

મહાપ્રભુ, દુઃખ ફોજ કરજો દૂર । વ્યાધિમાં વ્યાકુળ વેળા, શ્રીહરિ રે’જો

હજૂર ।।૭।। છેલ્લી ભલામણ એજ છે, કરજો વસમી વેળાએ વાર ।

વારમવાર વિનતિ કરી, કહે નિષ્કુલાનંદ નિરધાર ।।૮।। કડવું ।।૩૮।।

કઠણ વેળા અતિ અંતની કે’વાયજી, મહાશૂરવીરે પણ ન સે’વાયજી

। એહ દુઃખને ઉપમા ન દે’વાયજી, તે સમે ધીરજ કેણેક ગ્રહેવાયજી

।।૧।। ઢાળ- ગ્રહેવાય નહિ ઘણા દુઃખમાં, ધીરજ મોટા ધીરથી ।

રોમરોમે વિંછી વેદના પ્રગટે, જ્યારે ચાલવું થાય શરીરથી ।।ર।। તેહ

સમામાં કોણ કેનું, જ્યારે પરવશ પ્રાણી પડે । સ્વાર્થ લઈ સહુ સહુનો,

સગા સંબંધી સર્વે રડે ।।૩।। તેહ સમે શ્રીહરિ સ્વામી, વા’લા મ કરજો

વેલ । આધાર મારા આવજો, ઉતાવળા અલબેલ ।।૪।। મોટેમોટે એહ

માગિયું, કરજો વસમી વેળાએ વા’ર । તેહ સુણીને શ્યામળા, પ્રભુ કરૂં

છું પોકાર ।।પ।। ઘણા હેતુ છો ઘનશ્યામજી, સુખદ સાચા સનેહ । તમ

વિના ત્રિલોકમાં, નથી સા’ય કરવા એહ ।।૬।। એહ સમો જો સુધર્યો,

તો સુધર્યું સર્વે ઘણું । એહ સમો જો બગડયો, તો શું ઉપજ્યું શુભ

ગુણતણું ।।૭।। તેહ માટે તમ પાસળે, માગું છું હું મહારાજ । નિષ્કુલાનંદ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

કહે નાથજી, એહ સમે રાખજો લાજ ।।૮।। કડવું ।।૩૯।।

લાજ મારી છે હરી તમારે હાથજી, મુજ અનાથના તમે છો નાથજી

। સંકટમાંહી સ્વામી રે’જો સાથજી, એટલી સુણજો ગરીબની ગાથજી

।।૧।। ઢાળ- ગાથ સુણી ગરીબની, ગુણનિધિ ગ્રે’જો બાંય । મ જોશો

અવગુણ માહેરા, શ્રીહરી કરજો સા’ય ।।ર।। અધમ ઉદ્ધારણ

પતિતપાવન, દીનબંધુ છો દયાળ । જોઈ બિરૂદ સામું શ્યામળા,

સુખદાયિ લેજો સંભાળ ।।૩।। ઘણા ગુન્હા ઘનશ્યામજી, તમે બક્ષ્યા

આગે આશ્રિતના । તેમ ગુન્હા ગોવિંદ મારા, બક્ષજો બહુ રીતના ।।૪।।

તમારાને તમ વિના, નથી અન્ય કોઈ આધાર । તે જાણો છો જગદીશ

તમે, શું કહું હું વારમવાર ।।પ।। જેના જે આશ્રિત છે, પ્રભુ તેની છે તેને

લાજ । તેહ વિના ત્રિલોકમાં, એનું કોણ હેતુ મહારાજ ।।૬।। તેહ સારૂં

હરિ તમને, વળી વળી વિનતિ કરૂં । અવર બીજા ઉપાયથી, નથી આવતું

દુઃખનું સરૂં ।।૭।। જે કે’વાનું હતું તે મેં કહ્યું, હરિકૃષ્ણ જોડી જુગહાથ ।

દીનબંધુ દીલ ધારજો, નિષ્કુલાનંદના નાથ ।।૮।। કડવું ।।૪૦।।

પદરાગ મેવાડો- નાથજી નિવારો રે દોષ નિજ દાસનારે, જોશોમાં

અવગુણ મારા જીવન । પ્રભુજી સંભારીરે બીરુદ પોતાતણું રે, કરીયે

પતિતને રે પાવન; નાથજી૦ ।।૧।। અનેક અધમ રે આગે ઉદ્ધારિયા રે,

થાય નહિ ગણતાં તેનો રે થાપ । દીનના બંધુ છો રે દીનદયાળજી રે,

શરણાગતના હરણ સંતાપ; નાથજી૦ ।।ર।। આકરી વેળાયે રે આવો

છો ઉતાવળા રે, વા’લા નથી કરતા વેળ લગાર । સહી ન શકો રે સંકટ

સંતનાંરે, પૂર્ણ હેતુ છો પ્રાણ આધાર; નાથજી૦ ।।૩।। સંસાર તો સર્વે રે

જેને શત્રુ જ છે રે, મિત્ર એક તમે રે મહારાજ । નિષ્કુલાનંદ રે કહે

નરતન ધરીરે, આવો છો અલબેલા એહ કાજ; નાથજી૦ ।।૪।। પદ

।।૧૦।।

કાજ કરવા સંતનાં ઘનશ્યામજી, આવો છો અવનિયે મુકી નિજ

ધામજી । તેતો હરિજનનાં કરવા કામજી, તમ વિના ઠરવા નથી સંતને

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

ઠામજી ।।૧।। ઢાળ- ઠામ નથી બીજે ઠરવા, તમ વિના તમારા જનને ।

તેહ સારૂં અવનિયે આવો, નાથ ધરી નર તનને ।।ર।। હાજર છો

હરિજનના, કષ્ટ કાપવા કરૂણાનિધિ । નિમિષ એક નથી રે’તા ન્યારા,

કરો છો રક્ષા બહુ વિધિ ।।૩।। બાપ પાળે જેમ બાળને, ક્ષણુ ક્ષણુએ

લિયે ખબર । તેહથકી અધિક હેતે, જન પાળો છો બહુ પેર ।।૪।। સંતના

શત્રુ સંહારવા, તતપર રો’છો તૈયાર । અંતર બારે અરિ ભક્તના, સદ્ય

કરો છો સંહાર ।।પ।। હરિજનને હંમેશ હજારૂં, વિઘન કરે છે વિબુધ ।

તેને અર્થે તૈયાર રાખ્યાં છે, ચાર કરે ચાર આયુધ ।।૬।। ધન્ય ધન્ય

સમર્થ ધણી, ધર્મનંદન ધર્મના પાળ । સધર્મીના સ્નેહી છો, છો અધર્મીના

કાળ ।।૭।। હેતુ છો હરિજનના, સદા સર્વદા સુંદર શ્યામ । નિષ્કુલાનંદના

નાથજી, વાલમ મારા વિશ્રામ ।।૮।। કડવું ।।૪૧।।

વિશ્રામ છો વા’લા વસમે સમેજી, જ્યારે નિજજનને દુષ્ટ આવી

દમેજી । તે તમારા સંત ઘણું ઘણું ખમેજી, પણ તેનું દુઃખ તમને નવ

ગમેજી ।।૧।। ઢાળ - ગમે નહિ ગરીબ પીડતાં, તમે કરો છો ક્રોધ તેહ

કારજે । દાસનાં દુઃખ ટાળવા, રાખતા નથી આળસ રજે ।।૨।। શીઘ્ર

રહોછો સ્વામી મારા, તે સંતનાં સંકટ ટાળવા । અખંડ રે’છે બહુ અંતરે,

તાન પોતાના જન પાળવા ।।૩।। ક્ષણ એક ખમી ન શકો, પીડા જન

પોતાના તણી । એને અર્થે અલબેલડા, કરો છો જતન ઘણી ।।૪।। માટે

નિઃશંક નિજજન રે’છે, વિઘ્ન કોઇ વ્યાપતું નથી । સા’ય કરો છો જે

સંતની, તે કે’વાતું નથી કથી ।।૫।। ગુણ તમારા ગણતાં, આવતો નથી

વળી અંત । એવું વા’લું નથી અંગ આપનું, જેવા વા’લા છે સંત ।।૬।।

જણાયછે મારા જીવમાં, સંત હેતે રો’છો સાવધાન । કહી દેખાડું શું

કૃપાનિધિ, ભક્તભયહારી ભગવાન ।।૭।। સાચા સનેહી શ્યામળા, તમે

સંતના છો શ્રીહરિ । નિષ્કુલાનંદ એ વારતા, ખચિત છે ખરા ખરી

।।૮।। કડવું ।।૪૨।।

તમને વા’લા છે તમારા જે જનજી, તેહ હરિજનનું કહું વર્તનજી ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

નથી વિસારતા તમને નિશદનજી, તમ વિના બીજે નથી માનતું મનજી

।।૧।। ઢાળ- મન બીજે નથી માનતું, રે’છે તમારા ચરણમાં ચિત્ત ।

દૈહિક દુઃખે નથી દાઝતા, નથી પંચ વિષયમાં પ્રીત ।।૨।। સૂતાં બેઠાં

જાગતાં, ગાયછે જો તમારા ગુણ । મિટ થકી નથી મુકતા, સુંદર મૂર્તિ

સગુણ ।।૩।। અન્ય ભરોંસો ઉરમાં, વળી નથી કેનો નિરધાર । તમ

વિના ત્રિલોકમાં, નથી પડતો બીજાનો ભાર ।।૪।। સર્વેના કારણ સમઝી,

સમરેછે શ્વાસ ઉશ્વાસ । મોક્ષાદિ નથી માગતા, રે’છે ચતુરધાથી ઉદાસ

।।૫।। નિષ્કામી નિષ્પાપ નિર્મળ, નિર્વૈર મે’ર મને ઘણી । એવા જન

જોઇ આપણા, તમે કરો રક્ષા તેહતણી ।।૬।। તમારે તેહ તેહને તમે,

એમ અરસ પરસ છે પ્રીત । તેનાં પાળોછો લાડ તમે, શ્રીહરિ જો રુડી

રીત ।।૭।। આશ્ચર્ય એનું અમને, વળી નથી મનાતું મન । નિષ્કુલાનંદના

નાથજી, છો ભક્તવત્સલ ભગવાન ।।૮।। કડવું ।।૪૩।।

હરિબળગીતા હેતે સાંભળશેજી, તેહના સર્વે શોક સંશય ટળશેજી

। સમજી સાંભળતાં પાપ પળશેજી, નિરબળ નરને બળ મળશેજી ।।૧।।

ઢાળ- મળશે બળ નિરબળને, તે પ્રભુને પ્રતાપે કરી । સમુદ્ર જે સંકટનો,

તે તરત નર જાશે તરી ।।ર।। પુષ્ટી છે પ્રભુના દાસને, આ ગ્રંથમાં ઘણી

ઘણી । હાર્યાને હિંમત આવશે, અપો’ચ ટળશે આપણી ।।૩।। લડથડતાંને

લાકડી, કાજુ આપી છે કરમાંઈ । ભોંયે પડયાનો ભય ટળ્યો, કહું બીક

ન રહી કાંઈ ।।૪।। હિંમત સહિત હાલશે, કરી કાયરતા વળી દૂર ।

આગળ પગ આરોપશે, થઈને સાચો શૂર ।।પ।। ઘણું બળ ઘનશ્યામનું,

અતિ આવશે ઉરને વિષે । મોળપ મટશે મનની, આ ગ્રંથ જો સાંભળશે

।।૬।। એકાદશ પદ ચુંવાળીશ કડવાં, વળી ચારસે એનાં ચરણ છે ।

નિર્બળ સબળ સંતને, સદા એહ સુખ કરણ છે ।।૭।। સંવત્‌ અઢાર

અઠાણુંનો, માસ પુરૂષોત્તમ પુન્યમ દને । નિષ્કુલાનંદ જન હિત અર્થે,

કર્યો ગ્રંથ સમઝી મને ।।૮।। કડવું ।।૪૪।।

પદરાગ ધોળ -મને માનીયો મોદ અપાર, સમઝી વાત સારી ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિબળગીતા

સારી પેઠયે મેં શોધિયું સાર, મતિ જેવી હતી મારી ।।૧।। મારી જાણમાં

આવિયું જેમ, તેમનું મેં તેમ કહ્યું । કહ્યું અંતર ઉપજ્યું એમ, સમઝવા

સારૂં થયું ।।ર।। થયું નિર્ધનને ધનરૂપ, વસમી વેળા સમે । સમે અંતરતાપ

અનૂપ, દુષ્ટ કોઈ નવ દમે ।।૩।। દમે સમઝયા વિના શરીર, પ્રગટ

પ્રભુને મેલી । મેલી મહી વલોવતાં નીર, પ્રાપતિ સઈ છેલ્લી ।।૪।।

છેલ્લી સમઝણ સંતની એહ, પ્રતાપ પ્રભુનો જાણે । જાણે સમર્થ શ્રીહરિ

તેહ, ભરોંસો એ ઉર આણે ।।પ।। આંણે ટાંણે કરવો વિચાર, વિવેકે

વળી વળી । વળી નરને કરવો નિરધાર, મોટા જો સંતને મળી ।।૬।।

મળ્યો મનુષ્ય દેહ અમૂલ્ય, ફરીફરી મળતો નથી । નથી ઘટતી રાખવી

ભૂલ્ય, કહું શું હું કથી કથી ।।૭।। કથી કહ્યું મેં સર્વનું સાર, શાણા સમઝી

લેજો । લેજો નિષ્કુલાનંદનો વિચાર, સુંદર સારો છે જો ।।૮।। પદ ।।૧૧।। ઈતિ શ્રીસહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુલાનંદમુનિ વિરચિતા

હરિબળગીતા સંપૂર્ણા

હરિબળગીતા સમાપ્ત

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન

-ઃ હૃદયપ્રકાશ :-

સોરઠા- સમરૂં શ્રીઘનશ્યામ, મંગળ કરવા માહેરૂં । અમૃત પદ

એ નામ, અમંગળ અળગું કરે ।।૧।। ધૈર્ય થકી ધરીએ ધ્યાન, પ્રગટ

પુરૂષોત્તમ તણું । નિર્વિઘ્ન હોય નિદાન, વિઘ્ન સર્વે વિરમે વળી ।।૨।।

દોહા- અતિ ઝીણી છે આ કથા, કહે ન સમજે કોય । સો સંક્ષેપે સૂચવું,

મતિ દિયો એવી મોય ।। ૩ ।। વારમવાર વિનય કરી, કરૂં કથા ઉચ્ચાર ।

મતિ અતિ પોંચે નહીં, તે પો’ચાડો તમે પાર ।।૪।। સદ્ગુરુ શિષ્ય સંવાદશું,

કરૂં કથા પ્રકાશ । જે સુંણતાં શુદ્ધ શિષ્યને, હોય હૃદય તમ નાશ ।।૫।।

શિષ્ય ઉવાચ- શિષ્ય કહે સદ્ગુરુ સુણો, પુછું છું લાગી પાય । મૂર્તિ જોવા

મહારાજની, ઇચ્છુ છું હું ઉરમાંય ।।૬।। દિન બહુનો દાખડો, કરૂં છું

કૃપાનિધાન । પણ આજ સુધી અંતરમાં, ભાળ્યા નહીં ભગવાન ।। ૭ ।।

જેમ કહો તેમ કરૂં, હાથ જોડી રહું હજુર । દીનબંધુ દયા કરો, તો હરિ

દેખાય ઉર ।।૮।। અંતર મારૂં અણોસરૂં, વણ દિઠે વ્રજચંદ । જ્યારે દેખું

જગપતિ, ત્યારે સુખ આનંદ ।।૯।। એમ શિષ્ય સદ્ગુરુને કહે, અરજી

એહ મહારાજ । અંતરમાં ઇચ્છા ઘણી, નાથ નિરખવા કાજ ।।૧૦।।

સદ્ગુરુરુવાચ- સદ્ગુરુ કહે શીદ કરે, અમથો શિષ્ય ઉમંગ । સાંભળ્ય

તારાં સંબંધી, કેને છે સત્સંગ ? ।।૧૧।। મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે, તે

કહિએ કુસંગી ચાર । ત્યાં જોવા ઇચ્છે જગદીશને, તું કરી કોણ વિચાર

।।૧૨।। શ્રવણ ત્વચા દગન દોય, રસના નાસા નેક । કહિએ પંચ એ

કુસંગી, કર્ય તું હૈયે વિવેક ।।૧૩।। તેમાં જોવા ઇચ્છે જગપતિ, શું સમજી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

તું સુજાણ । મલિન મંદિરમાં હરિ, ન દરશે કેદી નિવારણ ।।૧૪।। શિષ્ય

ઉવાચ- શિષ્ય કહે સમજ્યો નહીં, કહું કુસંગી તે કોય । સમજ્યો સર્વે

સત્સંગી, એમ મનાણું મોય ।।૧૫।। વણ સમજ્યે વરત્યાં નહિં, ઘરનાં

ઘાતક એહ । અભાવ એનો નથી આવતો, સમઝું છું પરમ સનેહ

।।૧૬।। અવગુણ એના ઓળખાવીયે, કહું કૃપા નિધાન । દગો એનો હું

દેખીને, સમઝી રહું સાવધાન ।।૧૭।। મેં જાણ્યું એહ માહેરાં, હેતુ છે જો

હમેશ । સનેહીમાં શત્રુપણું, મેં લયું નહિં લવલેશ ।।૧૮।। જેમ છે તેમ

જણાવીયે, આપી શિખામણ સાર । ડહાપણમાં દીઠું નહીં, આભસમ

અંધાર ।।૧૯।। સમજી સાણો આપને, કરે બીજાની હાસ । મોટો મૂરખ

નિસર્યો, જ્યારે કર્યો તપાસ ।।૨૦।। પરને બહુ પરમોદિયા, કર્યા

સતસંગી કોટ્ય । વૃત્તિ ન વાળી અંતરે, કહો ટળે કેમ ખોટ્ય ।।૨૧।।

અરિતા અંતઃકરણની, પંચ ઇન્દ્રિય જે પૈશૂન્ય । એટલું મને

ઓળખાવીએ, એમ કહી રહ્યો શિષ્ય મૂન્ય ।।૨૨।। સદ્ગુરુરુવાચ-

દોહા- તૈયે સદ્ગુરુ કહે નથી જાણતો, તું શિષ્ય અજ્ઞાની જોર । ઓળખાવું

એકો એકને, ચોખાં છે જેહ ચોર ।।૨૩।। મનની ચોરી મોર્યથી, કહું

કાંયેક નિરધાર । પદાર્થ બહુ પ્રભુવિના, રાખ્યાં હૃદય મોઝાર ।।૨૪।।

સંકલ્પે સૃષ્ટિ સર્વે, આણી વસાવી ઉર । કહો હરિ ક્યાં રહે, ભીતર છે

ભરપૂર ।।૨૫।। સર નદી વાપી કૂવા, સિંધુ સાતે દ્વીપ । સંકલ્પે સર્વે

એહ, મન દેખાડે સમીપ ।।૨૬।। દેશ વિલાયત નગર પુર, ગામ ઘોષ

વન વાટ । આણીં ભર્યાં એહ અંતરે, ગિરિ ગહ્વર ઘર ઘાટ ।।૨૭।। જેજે

વસ્તુ જગતમાં, તે ઘાલી ગોતી ઘરમાંય । અવિનાશી રહે એટલી, નથી

જાયગા ક્યાંય ।।૨૮।। સારાસાર સમજે નહિં, લૈ લાવે છે જડી-જોટ્ય ।

સંકલ્પ સુખ દુઃખના, કરે રાત દિન કોટ્ય ।।૨૯।। જેજે વિલોકે વસ્તુને,

તેમાં થાય તદ્રુપ । રગરગમાં રમી રહે, સુખદ દુઃખદ સ્વરૂપ ।।૩૦।।

દામદામ સમરે દામને, ભામભામ સમરે ભામ । કામકામ સમરે

કામને, ધામધામ સમરે ધામ ।।૩૧।। સુખસુખ સમરે સુખને, દુઃખદુઃખ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

સમરે દુઃખને । ભુખભુખ સમરે ભુખને, એહવો જ મન વિમુખ ।।૩૨।।

નિમિષ એક નવરો નહિ, સંકલ્પ કરતાં સોય । જાગ્રત સ્વપ્ન સર્વમાં,

દીધી છે દોરી પ્રોય ।।૩૩।। જડે ન જોયે જાયગા, કહો હરિ રહે કોણ

ઠામ । શિષ્ય તું સમજ્યા વિના, હૈયે ન કરીયે હામ ।।૩૪।। સર્વે સંકલ્પ

સુખના, કરતાં આવે સ્વાદ । એક સંકલ્પ હરિ તણો, નેક થયો નિરસ્વાદ

।।૩૫।। ભુંડી વસ્તુ ભીંતરે, આણી ભરી અનેક । રુંધિ હૃદયે રાખીયો,

એવો નરસો નેક ।।૩૬।। તેને તેં ઓળખ્યો નહિ, જાણ્યો પરમ સ્નેહ ।

જો વિચારી શિષ્ય તું, અરિ કહે તું એહ ।।૩૭।। સોરઠા- સમજ્યા વિના

સુજાણ, સુખ ન હોય કોઇ દને । સો નકી વાત નિરવાણ, જાણી લહે તું

શિષ્ય સહી ।।૩૮।।

ઇતિ શ્રી હૃદયપ્રકાશ મધ્યે સદ્ગુરુ શિષ્ય સંવાદે પ્રથમઃ પ્રસંગઃ ।। ૧ ।।

શિષ્ય ઉવાચ । દોહા- ત્યારે શિષ્ય કહે સમજ્યો સહી, જેજે

કહી કૃપા કરી વાત । આજ થકી મેં ઓળખ્યાં, ઘરને કરી છે ઘાત ।।૧।।

એહ વિના એવાં કોયે, બીજાં જે દગાબાજ । કૃપા કરી કે’જો ફરી, ઓળખું

હું એને આજ ।।૨।। સદ્ગુરુરુવાચ- દોહા- તૈયે સદ્ગુરુ કહે સાંભળ્ય

વળી, બીજી બુદ્ધિ તું જાણ્ય । એહ તારા અંતરમાં, હમેશ કરે છે હાણ્ય

।।૩।। જેજે સંકલ્પ મન કરે, તેતે બુદ્ધિ કરે પ્રમાણ । નિઃશંસય નિશ્ચય

કરે, ન ફરે તે નિરવાણ ।।૪।। માત તાત સુત સંબંધી, વળી તે વર્ણાશ્રમ

। ઠીક એહ ઠેરાવીયાં, નાત્ય જાત્ય કુળ ધર્મ ।।૫।। બાળ જોબન વૃદ્ધપણું,

નામ રૂપ નિરધાર । નકી તે નિશ્ચય કર્યું, ભર્યું ભીંતર મોઝાર ।।૬।। નર

નારી ત્યાગી ગૃહી, વળી જે લીધો વેશ । તેને તેવું મનાવીયું, અંતરમાં

અહોનિશ ।।૭।। પશુ પંખી પન્નગ નગ, વન વેલી જેજે જાત । બુદ્ધિએ

બહુ નિશ્ચય કર્યા, વિદેશ દેશ વિલાત ।।૮।। એકએકમાં અનેક વિધિ,

નામ રૂપ ગુણ આકાર । એ સર્વે અંતર આણીયાં, કે’તાં ન આવે પાર

।।૯।। જેજે જાણી જગતમાં, વસ્તુ વિવિધ પ્રકાર । તેતે દ્રઢાવી અંતરે,

ભર્યો તેનો ભંડાર ।।૧૦।। અવનિ આપ વળિ તેજ જે, અનિલ ને આકાશ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

। પદાર્થ એહ પંચના, કરી ભેળી લઇ ૫ કાશ ।।૧૧।। મણમણનું

મનાવિયું, કણકણની કહું વાત, ધણધણનું દૃઢાવિયું, જણજણની જે જાત

।।૧૨।। પોત પોતાનું પારખ્યું, જોત્ય જોત્યનું જેહ । રંગરંગના રૂપને,

તરત મનાવ્યું તેહ ।।૧૩।। વાતવાતની વિગતી, જાતજાતનું જેમ ।

પાતપાતનું પારખ્યું, ધાતધાતનું એમ ।।૧૪।। વણજ વે’પાર વે’વાર

વ્યાજ, ખત કાગળની ખોંચ । બુદ્ધિમાં બેસી ગઇ, પર પોતાની પોંચ

।।૧૫।। રસરસના રૂપને, જાણે જેમ છે તેમ । ખટ રસ ખોળી ખરા કર્યા,

ત્યાં હરિ દેખાય કેમ ।।૧૬।। સૂતાં ઉઠી સુખના, કરે બુદ્ધિ બહુ વિચાર ।

આ ખાધે સુખ ઉપજે, આ ખાધે વાધે વિકાર ।।૧૭।। હોજ હવેલી મેડીયું,

મંદિર મો’લ મોલાત । ઘર કોટ બહુ બંગલા, મતિએ મનાવી એ વાત

।।૧૮।। એવાં અનેક અંતરે, ભર્યાં લઇ ભરપૂર । અશુદ્ધ એવું અવલોકીને,

હરિ રહે છે દૂર ।।૧૯।। વળી રાગરાગ હૃદે રહ્યા, છંદ પ્રબંધની રીત ।

વર્ણવર્ણ વિગતી ખરી, કાંનામાત્ર સહીત ।।૨૦।। શાસ્ત્રશાસ્ત્ર સર્વનું, શોધી

લીયે સાર । આવે મળતું અંગમાં, તે રાખે કરી બહુ પ્યાર ।।૨૧।।

જળજળનું જાણે ઘણું, ફળફળનો બહુ ફેર । ખળખળની ખોજ ખરી,

પળપળની બહુ પેર ।।૨૨।। રાળ રૂપૈયા મો’રમાં, મનાવ્યો છે માલ ।

કથીર રૂપા કનકમાં, વેરો ન પડે વાલ ।।૨૩।। માણક મોતિ મણિકણિ,

પન્ના પિરોજા હીર । લાલ પ્રવાળાં લસણીયા, થાપ્યા મતીએ થીર ।।૨૪।।

જડી બુટ્ટી જાણે ઘણી, ગરમ વાયુ વાસિત । એહ આદી બહુ અંતરે, નવે

નવાં નિતનિત ।।૨૫।। મંત્ર જંત્ર મૂઠ્ય ટોનો, નાટક ચેટક ચોટ । ભૈરવ

ભૂત ભવાની ભય, કૈ દેવ અદેવ કોટ ।।૨૬।। જેજે જાણ્યા જગતમાં,

તેને નિશ્ચે કર્યાં ઉર । કહો શિષ્ય હરિ ક્યાં રહે, ભર્યું ભીંતર ભરપુર

।।૨૭।। કહીકહી કહ્યાં ઘણાં, રહીરહી ગયાં અનેક । સહીસહી વાત

શોધી કહું, નહિનહિ ન કે’વાયે નેક ।।૨૮।। મેં કહ્યા દગા અંગઅંગના,

રહી ગયા કંઇ રોમરોમ । જથારથ એ જાણવા, છે બુદ્ધિને ફોમ ।।૨૯।।

જેણે જાણી નિશ્ચય કર્યા, ભર્યાભીંતરનેમાંઇ । ખાલી ઠેકાણું ખોળતાં,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

રે’વા દીધું નહિ ક્યાંઇ ।।૩૦।। શિષ્ય નથી તું સમઝતો, તું છું ભોળો

ભૂપ । તુંને બોળ્યો તાહેરે, તેનું ન જાણ્યું રૂપ ।।૩૧।। સોરઠા- સાચી કહું

છું એ વાત, સમઝે સુખ પામીશ સહી । નહિ તો શત્રુ સાક્ષાત, વાત

બગાડશે બહુ કહું ।।૩૨।।

ઇતિ શ્રીહૃદયપ્રકાશ મધ્યે સદ્ગુરુ શિષ્ય સંવાદે દ્વિતીય પ્રસંગઃ ।। ૨ ।।

શિષ્ય ઉવાચ । દોહા- શિષ્ય કહે સાચું સહી, રહ્યું અંધારું ઘોર

। જેને શાહા સમજતો, તેતો નિસર્યા ચોર ।।૧।। વળીવળી બતાવજો,

ઓળખાવજો અરિ એહ । કહો કપટ કપટી તણાં, હું સુણીશ કરી સ્નેહ

।।૨।। સદ્ગુરુરુવાચ- સદ્ગુરુ કહે ચિત્ત તાહરૂં, ચિંતવે બહુ આકાર ।

કહીકહી કહીએ કેટલા, કહેતાં તે નાવે પાર ।।૩।। જે મને ઉત્થાને મેલીયાં,

પ્રજ્ઞા કર્યાં પ્રમાણ । તેતે ચિત્ત નિત્ય ચિંતવે, જાગ્રત સ્વપ્ન સોહે જાણ

।।૪।। માત તાત સુત સંબંધી, દેહ ગેહ ઘરનાર । ભાઇ ભોજાઇ ભગિની,

એહ ચિંતવે વારંવાર ।।૫।। અવગુણ ગુણ અરિ મિત્રને, સંભારે ચિત્ત

સોય । સુખદ પદાર્થ સમઝી, ચિંતવે ચિત્ત નિત્ય પ્રોય ।।૬।। અન્ન ધન

ધામ ધરણી, પશુ પંખી ગામ ગરાસ । દેશ પ્રદેશ પુર નગર, ચિત્ત ચિંતવે

શ્વાસોશ્વાસ ।।૭।। પેખી પર પોતાતણાં, રાખે હેત કુહેત । એવું સમઝી

અંતરે, ચોખું મનાવે ચિત્ત ।।૮।। આ પંડિત આ મૂરખો, આ ડાહ્યા ભોળા

દોય । ચિત્ત નિત્ય એમ ચિંતવે, સહજ સ્વભાવે સોય ।।૯।।આ રોગી આ

રોગી નહિ, આ બુઢા જુવાન બાળ । આ રૂપ કુરૂપ નારી નર, ચિત્ત

ચિંતવે તત્કાળ ।।૧૦।। પંચભૂતથી પ્રગટ્યાં, જડ ચૈતન્યની જાત । અણ

ચિંતવે એકે નહિ, ચિત્ત ચિંતવે દિન ને રાત ।।૧૧।। ચિત્તે ચિંતવી ચિંતવી,

રાખ્યાં હૃદયમાં રૂપ । ત્રિલોકમાં તલે તલ, સંભારે સોય સ્વરૂપ ।।૧૨।।

સર્વે રૂપ સંભારતાં, ન રહે નવરૂં નેક । તારૂં સારૂં કેમ કરે, શિષ્ય સમજ

વિવેક ।।૧૩।। એણે કર્યું અતિ અવળું, તારૂં ટાળ્યું ઠામ । તિયાં નિરખવા

નાથને, કરૂંછું હૈયામાં હામ ।।૧૪।।આખા જગતની આપદા, ભરી ભીંતર

મોઝાર । એમાં જોવા જગદીશની, લાલચ મ કર લગાર ।।૧૫।। શિષ્ય

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

સોદો સંકટ થયો, ગયો મનુષ્યનો દેહ । અજ્ઞાન આખા વિશ્વનું, રાખી

રહ્યો તું તેહ ।।૧૬।। પળેપળે પડ્યો પેચમાં, બળેબળે બળવાન । ગળેગળે

ઝાલી ગળ્યો, કળેકળે કહું નિદાન ।।૧૭।। તારૂં ધાર્યું ક્યાં રહ્યું ?, જો

શિષ્ય વિચારી વાત । માને નહિ કોયે માંહેલાં, મળી એ જાત કુજાત

।।૧૮।। મન માને મા’લે મળી, ચાલે ડોટા ડોટ । કર્યું કારજ આપણું,

દિધી તુજને ખોટ ।।૧૯।। સોરઠા- ખોટ મોટી શીદ ખાયે, જાયે જન્મ

આ એળ્યે અતિ । વિચારી જોને ઉરમાંયે, કાંય કામ ન થયું રતિ ।।૨૦ ।।

ઇતિ શ્રી હૃદયપ્રકાશ મધ્યે સદ્ગુરુ શિષ્ય સંવાદે તૃતીય પ્રસંગઃ ।।૩।।

શિષ્ય ઉવાચ । દોહા- શિષ્ય કહે હું શઠ મતિ, રતિ ન સમજ્યો

રીત । મન બુદ્ધિ માન્યાં માહેરાં, તેમજ માન્યું ચિત્ત ।।૧।। વેરી તે વા’લાં

જાણીયાં, એહ મોટું અજ્ઞાન । ધરથકી ધૂતાપણું, ન કળ્યું મેં નિદાન

।।૨।। વળીવળી કરજો વારતા, લળીલળી લાગું પાય, મળીમળી માનીશ

મહા પ્રભુ, કળી કળી કે’જો કાંય ।।૩।। સદ્ગુરુરુવાચ- સદ્ગુરુ કહે નખ

શિખા લગી, અંગમાંહિ અહંકાર । અહં મમતકરી માનિયું, યત્કિંચિત

કૈ’યે લગાર ।।૪।। મન સંકલ્પ મો’રે કહ્યા, બુદ્ધિ નિશ્ચયના બહુ । ચિત્તે

રાખ્યા ચિંતવી, તે હું ને મારૂં સહુ ।।૫।। મારાં માત ને તાત છે, મારાં

ભગીની ભાઇ । મારી જાતને નાત છે, મારાં સગાં ને સાઇ ।।૬।। સુત

કલત્ર સંબંધી, મારૂં કુળ કુટુંબ । એને અર્થે આ તને, સહુ કષ્ટ વિષમ

।।૭।। એહ મારાં હું એહનો, તજું નહિ ત્રય કાળ । મમત એહ મેલું નહિ,

કરૂં નિત્ય પ્રતિપાળ ।।૮।। એને દુઃખે હું દુઃખીયો, એહને સુખે સુખ ।

એહને જમ્યે હું જમ્યો । એહને ભૂખ્યે ભુખ ।।૯।।એ છે મારાં આત્મા,

એહ છે મારૂં તન । એ છે મારાં પ્રાણપ્રિયે, એ છે મારાં જીવન ।।૧૦।।

મારાં મિત્ર ગોત્ર એહ, મારો વંશ વધાર । મેલું કેમ એ મમતને, મારાં

એ આધાર ।।૧૧।। અન્ન ધન માલ માહેરો, મારાં પશુ પરીવાર । કુળ

મારૂં ઉંચું અતિ, હું કુળનો શણગાર ।।૧૨।। મારે બાપ દાદે બહુ કર્યાં,

મો’રે મોટાં કામ । તે ઘરનો હું દીકરો, નહિ લજાવું નામ ।।૧૩।। હું

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

મોટો હું મોવડી, પૂછે સૌ મને વાત । દાસ દાસી માહેરે, કરે સેવા

દિનરાત ।।૧૪।। હુકમ ન ફરે માહેરો, કંપે સર્વે જન । શહેર પૂર ગઢ

ગામનો, હું છું એક રાજન ।।૧૫।। મારે તુલ્ય ત્રિલોકમાં, કોણ આવે

કહો આજ । જુઓ સર્વે જગતથી, મારી મોટી લાજ ।।૧૬।। હું જે કરૂં તે

થાય છે, હું કરૂં તે ન ફરે કામ । હું ચલવું તો ચાલે ખરૂં, હું છઉં સહુનો

શામ ।।૧૭।। મારૂં ધાર્યું થાય છે, ન ધાર્યું નવ થાય । બીજો મારી બરાબરી,

જુઓ નથી જગમાંય ।।૧૮।। હું રૂપાળો રૂડો ઘણું, હું ગોરો અંગ અપાર

। થોભા કલમાં કાતરા, મુછ મારી વળદાર ।।૧૯।। પૂર્વ પશ્ચિમ હું ફર્યો,

ઉત્તર દક્ષિણાદિ દેશ । દાઢી જટા જોઇ જાણજો, રાખ્યા છે પંચ કેશ

।।૨૦।। હું હું કરી હાલે ઘણું, અહં મમત અપાર। હું મારૂં માને સહી,

એહ જાણો અહંકાર ।।૨૧।। હું પુરાણી પંડીત છું, હું ભણ્યો છું વેદ ।

શાસ્ત્ર માત્ર સર્વનો, હું જાણું છું ભેદ ।।૨૨।। જેજે મેં નિર્ણય કર્યો, તેમાં

કાઢે કોય ખોટ્ય । જાવા ન દેઉં જીતીને, કરૂં હું કળાઓ કોટ્ય ।।૨૩।। હું

વક્તા વાચાળ હું, હું મંડળીનો મેત । મારા મુખની વારતા, સહુ સુણે

કરી હેત ।।૨૪।। હું ગુરુ હું ગરઢો, બીજાં સરવે બાળ । મારી બરોબર

એ સહુ, આવે નહિ કોઇ કાળ ।।૨૫।। હું મારૂં કરી માનીયું, જગમાં

યત્કિંચિત । એહ અહંતા રૂપની, શિષ્ય સુણી લે રીત ।।૨૬।। અહં મમતને

રાખ્યાં અતિ, ભરી ભીંતર મોઝાર । જેજે પદાર્થ જગતમાં, નામ રૂપ

ગુણ આકાર ।।૨૭।। છલોછલ શરીરમાં, ભર્યાં એહ ભરપૂર । કહો હરિ

તે ક્યાં રહે, શિષ્ય સમઝ જરૂર ।।૨૮।। દિન બહુથી દાખડો, તેં આદર્યો

છે આપ । પણ કેમ આવે હરિ તિયાં, તારા ઘરમાં પાપ ।।૨૯।। કાઢ્યાં ન

નિસરે કોયથી, એવાં ઘાલ્યાંછે મૂળ । કળે બળે જાય કાઢવા, તો સોસો

કરે એ શૂળ ।।૩૦।। હરિને દોષ દઇશમાં, શ્રી હરિ છે જો તૈયાર । આવી

વસે અંતરે, જો હોય નવરૂં નિરધાર ।।૩૧।। ગોબરવાડે ઘર ભર્યું, ઉકરડો

અતિ ગંધ્ય । એવું અંતર તાહેરૂં, કેમ રહે તેહ મધ્ય ।।૩૨।। સોરઠા-

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

અંતર અતિ અશુદ્ધ, વિવિધ ભાતે વિકારે ભર્યું । તિયાં રહે કેમ બુદ્ધ,

અતિ શુદ્ધ જે શ્રી હરિ ।।૩૩।।

ઇતિ શ્રી હૃદયપ્રકાશ મધ્યે સદ્ગુરુ શિષ્ય સંવાદે ચતુર્થં પ્રસંગઃ ।।૪।।

શિષ્ય ઉવાચ । દોહા- શિષ્ય કહે એહ સત્ય છે, તમે કહ્યું જેમ

છે તેમ । વાત ગઇ બહુ બગડી, કહો કરું હવે કેમ ।।૧।। ઉપાય એહનો

અમને, બતાવીએ વાલમ । કહો કેમ એહ નિસરે, તેહની પડાવો ગમ

।।૨।। અંતઃકરણ રહે અંતરે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર । જક્ત પદારથ

જે કહ્યાં, તે તો રહે છે બા’ર ।।૩।। કેમ આવ્યાં એહ અંતરે, ભરાઇ ગયાં

ભીંતર । નિસર્યાં નિસરે નહિ, કરી રહ્યાં એહ ઘર ।।૪।। એની મેળે એહ

આવવા, નથી નિશ્ચે સમર્થ । આવી સહુ સબળાં થયાં, આદરીયો અનર્થ

।।૫।। અણ ઇચ્છયાં એહ આવી રહ્યાં, કે લાવીયા વળી કોય । પૂછું છું

એહ પ્રશ્નને, સદ્ગુરુ કહેજો સોય ।।૬।। સદ્ગુરુરુવાચ । દોહા- સદ્ગુરુ કહે

સાચી કહું, તેં પુછી તેહની વાત । શ્રુતિ દઇ સાંભળ હવે, કહું તને સાક્ષાત

।।૭।। અંતઃકરણની આગળે, પ્રધાન રહે છે પંચ । જોઇએ જેવું જે સમે,

તેવો સોંપે છે સંચ ।।૮।। દિગ વાયુ દિનકર કહું, વરૂણ અશ્વિની કુમાર ।

જડ ચૈતન્ય જે જક્તમાં, તેહ લાવી કરે તૈયાર ।।૯।। દિગદ્વાર દોય કાન

છે, સમીર દ્વાર સોય ચર્મ । અર્ક દ્વાર દોય આંખ્ય દો, એહ સમઝી લે

મર્મ ।।૧૦।। વરુણ દ્વાર જાણો જીભને, અશ્વિની કુમાર દ્વાર નાક । વળગ્યા

પંચે વો’રવા, ન જુવે પાક નપાક ।।૧૧।। દિગ કાન દ્વારે કરી, વડો કરે

વે’પાર । શબ્દ સર્વે જક્તના, લઇલઇ ભર્યા ભંડાર ।।૧૨।। નર નારી

વૃદ્ધ બાળના, યુવાના શબ્દ જેહ । વહોરી વિવિધ ભાત શું, અંતરે ઉતર્યા

એહ ।।૧૩।। પશુ પંખી પન્નગના, જડ ચૈતન્યના જેમ । નામ રૂપ આકાર

ગુણ, વિગતે વહોર્યા એમ ।।૧૪।। સુખદુઃખદાયી શોધીને, રાખ્યા હૃદિયા

માંય । જેમ બોલે તેમ જાણી લીયે, સંશય ન રહે કાંય ।।૧૫।। શત્રુ મિત્ર

શબ્દને, સમઝે સર્વ સુજાણ । ભેળા કર્યા લઇ ભીંતરે, ઘટમાંહીં ઘમસાણ

।।૧૬।। ઢોલ નગારાં દુંદુભી, તુરી શરણાઇ શંખ । ઝાંઝ મૃદંગ મંજીરા,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

ગોમુખ શીંગી અસંખ્ય ।।૧૭।। સતાર સરોદા સારંગી, સરીમંડળ

મોરચંગ । ભેર્ય ભુંગળાં વાંસળી, દોકડ મોવાર્ય ઉપંગ ।।૧૮।। ઘડીયાળ

ઘંટા ઘુઘરા, ઝાલર જંતર જેહ । વીણા વેતાંનરવાજ ડફ, રણશીંગ તીંદ્રરી

તેહ ।।૧૯।। કરણાટકકમાચા, સ્વર અલગોજાસાર । તવલ ત્રાસાં ખંજરી,

પડઘમ આદિ અપાર ।।૨૦।। જેજે વાજાં સાંભળ્યાં, તેનો કરી નિરધાર

। લઇ ઉતર્યાં અંતરે, નામ રૂપ આકાર ।।૨૧।। ગ્રામ સ્વર તાલ મૂર્છના,

તાનતણો નહિ પાર । સુણી શીખી સાંભળી, ભયર્ાં હૃદય મોઝાર ।।૨૨।।

કવિત સવૈયા સાખી છપ્પે, જેજે છંદની જાત । દોહા ચોપાઇ સોરઠા,

શીખ્યો સહુની વાત ।।૨૩।। પૂર્વછાયા પરજીયા, પુરા અધુરા છંદ ।

શબ્દતણા સમુહનાં, વસ્યાં અંતરમાં વૃન્દ ।।૨૪।। કાવ્ય કથા પુરાણ

પદ, શાસ્ત્રવેદ બહુ વિધ । એહ ભરાણાં ભીંતરે, પેખી દેખ પ્રસીદ્ધ ।।૨૫।।

એક પશુમાં અનેક વિધ, અતિ જુદા ઉચ્ચાર । રીત જે રવરવ તણી,

કે’તાં ન આવે પાર ।।૨૬।। ગજ બાજ ગાય મહિષી, ઉંટ ખુંટ ખર જંબુ

વાઘ । શબ્દ શ્વાનના સાંભળી, ન હોય અતિ અનુરાગ ।।૨૭।। રીંછ

ભીંછ ને ભૂંડણાં, વ્યાઘ્ર વાનર નોળ । શબ્દ સુણી સમઝી, રાખ્યા હૃદયે

અતોળ ।।૨૮।। રોઝ ગેંડા સેમરાં, સાબરસીંગા સોય । રૂપ સહિત રાખ્યાં

હૃદે, રહ્યું ન બા’રૂં કોય ।।૨૯।। એહ આદિ અનંત પશુ, કહેતાં તે નાવે

પાર । રવેરવે જુદાં જાણિયે, નામ ગુણ આકાર ।।૩૦।। કહી કહી કહીયે

કેટલા, પશુ શબ્દ પ્રકાર । આવી રહ્યા સહુ અંતરે, નથી માગ લગાર

।।૩૧।। મોર બપૈયા શુક મેના, શબ્દ એના સુખદેણ । કાક કપોત ચિબરી,

ઉલુક શબ્દ દુઃખદેણ ।।૩૨।। સારસ હંસ ૩ષટપદા, રવ એહના રસાળ

। બક શિંચાણા શકરા, એહ બોલ્યે બહુ જંજાળ ।।૩૩।। એહ આદિ

અનંત ખગ, બોલે બહુ પ્રકાર । શુભાશુભ સ્વર સાંભળી, રાખ્યા હૃદય

મોઝાર ।।૩૪।। પંખી બહુ પેરપેરનાં, બોલીમાં બહુ ફેર । શબ્દ સમજે

સહુના, એહમાં નહિ અંધેર ।।૩૫।। શબ્દ આવે કાનમાં, લાવે રૂપ આકાર

। તેતે સર્વે સમઝીને, ભર્યા લઇ ભંડાર ।।૩૬।। પગ માંડ્યાની જાયગા,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

નથી નવરી નેક । ત્યાં તેડે છે નાથને, વણ કરે વિવેક ।।૩૭।। શ્રવણદ્વારે

શોધીને, આણ્યા શબ્દ અનેક । ઉતાર્યા લઇ અંતરે, સમઝે એહ બુદ્ધિવંત

।।૩૮।। એમ વસાવ્યાં અંતરે, જક્ત પદારથ જોર । તે જાણેછે તાહેરાં,

પણ એ છે ચોખાં ચોર ।।૩૯।। શિષ્ય તું સમજ્યો નહિ, ગયો એળ્યે

અવતાર । તારૂં તારા ઉપરે, ચાલ્યું નહિ લગાર ।।૪૦।। ગાફલ તું

ઘરઘરના, ઠગી ખાયછે ઠગ । કામ પડે કેનાં નહિ, સર્વે સ્વારથ લગ

।।૪૧।। કહિયે શિખામણ કેટલી, હૈયે નહિ ઉક્ેલ । આશા સહિ એ

અંબુની, ઉન્મત્ત માથે હેલ ।।૪૨।। સોરઠા- ઉન્મત નરની સંપત, અવર

જનને આવે અરથે । પોતે ભોગવે વિપત્ત, બુદ્ધિહિન જે બાવરો બહુ

।।૪૩।।

ઇતિ શ્રી હૃદયપ્રકાશ મધ્યે સદ્ગુરુ શિષ્ય સંવાદે પંચમઃ પ્રસંગઃ ।।૫।।

શિષ્ય ઉવાચ । દોહા- શિષ્ય કહે સાચું સહિ, મેં સમઝાણું નહિ

સોય । તમે કહ્યે તપાસિયું, મારૂં ન મળે કોય ।।૧।। ઠગઠગ ઠગ એ

ફાંસીયાં, શાહા જાણી કર્યો સાથ । મોટા રણમાં રોળીયો, માર્યો ગયો

અનાથ ।।૨।। એહ જેવાં હોય અંગમાં, ઓળખાવો મને આજ । નાથ

તમારા હાથમાં, મારી છે ગુરુ લાજ ।।૩।। સદ્ગુરુરુવાચ- એવું સુણી

સદ્ગુરુ બોલીયા, સુણ જે શિષ્ય સુધીર । ત્વચા દ્વારે વો’રીયા, સ્પર્શ બહુ

સમીર ।।૪।। સ્પર્શ સુખદ સંસારમાં, દીઠા સુણ્યા સોય । પિંડ અંતર

સ્પર્શ્યા વિના, મળ્યે મેલ્યા નહિ કોય ।।૫।। શીત ઉષ્ણ શરીરશું, પ્રીેતે

સ્પર્શ્યા જેહ । ચર્મ મર્મ ચોખાં કરી, રાખ્યાં હૃદયે તેહ ।।૬।। નારી નાના

બાલનો, સ્પર્શ તે સુખરૂપ । કોમળ કાયા સ્પરશી, અંતર ઉતારી અનુપ

।।૭।। ગાદિ તકિયા ગાદલાં, મશરૂકાં મખમલ । લાસાં ગાલમસૂરીયાં,

ઓશિસાં અવલ ।।૮।। રુડાં એહ સહુ રેશમી, સુંવાળાં સુખદેણ । એનો

સ્પર્શ પામતાં, કે’વા રે’ કાંયે કેણ ।।૯।। સેજ સમારી સુમને, કોમળ કળી

ફૂલ । સ્પર્શ કર્યો સૂઇને, તે કેમ જાશે ભૂલ ।।૧૦।। મંદ સુગંધ શીતળનો,

સ્પર્શ્યો પંડયે પવન । તેનું સુખ શરીરમાં, વિસરે નહિ કોય દન ।।૧૧।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

ચૂવા ચંદન ચરચી, અત્તર ચોળ્યાં અંગ । તેલ ફુલેલ તનમાં, સ્પર્શી પામે

ઉમંગ ।।૧૨।। લીસાં સુંવાળાં લુગડાં, ઝીણાં ઘાટાં જેહ । જેજે સ્પશ્યાર્ં

પિંડને, અંતર ઉતાર્યાં એહ ।।૧૩।। અતિ સુંવાળાં સાવટું, તેહ સ્પર્શ્યાં

ત્વચાય । ભર્યાં છે તેહ ભીંતરે, સર્વે હૃદિયા માંય ।।૧૪।। વનવેલી પાત

પાષાણનો, સ્પર્શ સુખ-દુઃખદાઇ । ગુણ સહિત ગ્રહણ કરી, રાખ્યાં

હૃદિયામાંઇ ।।૧૫।। વ્યાળ વિંછી વિષ વહનિ, સ્પર્શે પીડા થાય । એહ

પણ સર્વે અંતરે, રાખ્યાં સમઝી સદાય ।।૧૬।। સ્પર્શ પશુ જાતનો, શુદ્ધ

અશુદ્ધ સોય । ઓળખી ઉતાર્યો અંગમાં, નિશ્ચે સંશય ન હોય ।।૧૭।।

અનેક વિધની ઔષધી, ગુણ જાણે જન જરૂર । એક સ્પર્શે આનંદશું,

એક પરહરે દૂર ।।૧૮।। જળ ફળ જેજે જગતમાં, સ્પર્શ કર્યો પ્રમાણ ।

એક સ્પર્શે પીડા ટળે, એક સ્પર્શે પ્રાણની હાણ ।।૧૯।। એમ સ્પર્શ સર્વ

શોધીને, ઉતાર્યા છે ઉર । જડે નહિ જોતાં જાયગા, ભર્યા છે ભરપૂર

।।૨૦।। અવિનાશી રહે એટલો, નથી માગ મગન । સોઇ અગ્ર સૂનું

નહિ, સર્વે વસ્યાં સઘન ।।૨૧।। જ્યાં ઢેઢ ઢીમર ઢોલવી, ત્યાં વિપ્ર વસે

કોણ વિધ । કલાલ કસાઇ કાફરા, પાપી જ્યાં પ્રસિદ્ધ ।।૨૨।। એહવાં

તારે અંતરે,આવી વસ્યાં અઘવંત । કહી દેખાડું કેટલાં, કહિએ ન આવે

અંત ।।૨૩।। ઇયાં નિરખવા નાથને, શિષ્ય ઇચ્છું છું શું જોય । અશુદ્ધ

એવા અંતરમાં, હરિનું દર્શન નો’ય ।।૨૪।। ગંધ ગોબરવાડમાં, કાગા

કરે કલોલ । હંસ તિયાં હિસે નહિ, માને દુઃખ અતોલ ।।૨૫।। જેહ એવા

તેવો તુંજ છે, મળ્યોે સમ સ્વભાવ । અતિશે અવળું થયું, ન કર્યો તોયે

અભાવ ।।૨૬।। વણ સમજે વિનતી કરી, અમથો કરે અરદાસ । નથી

ઉધારો એહનો, પણ તું તારૂં તપાસ ।।૨૭।। સોરઠા- તપાસી ન કર્યો

તોલ, અંતરે નિરંતર અવલોકીને । ખોયો જન્મ અમૂલ્ય, વણ વિચારે

વાત ગઇ ।।૨૮।।

ઇતિ શ્રી હૃદયપ્રકાશ મધ્યે સદ્ગુરુ શિષ્ય સંવાદે ષષ્ઠઃ પ્રસંગઃ ।।૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

શિષ્ય ઉવાચ । દોહા- શિષ્ય કહે સમજ્યો સહિ, આજ થકી

એહ વાત । નેક અતિ નરસું થયું, ઘરને કરી ઉત્પાત ।।૧।। વાઘ વિંછી

વ્યાળને, પાળી કરે કોય પુષ્ટ । સુખ સ્વપ્ને આપે નહિ, દુઃખદાયી એ દુષ્ટ

।।૨।। ગમ વિના ફાંસીગરનો, વડો કર્યો વિશ્વાસ । ગરિબ થઇ રહિ

ઘરમાં, નાખી ગળા માંહી ફાંસ ।।૩।। જેજે મારાં વેરવી, પાપી પુરાં

પ્રસિદ્ધ । સદ્ગુરુ એ ઓળખાવજો, વેરી સહુ બહુવિધ ।।૪।। સદ્ગુરુરુવાચ-

સદ્ગુરુ કહે શુદ્ધ શિષ્ય તું, ઓળખ્યો મેં અભિપ્રાય । કહેતાં કસર નહિ

રહે, જો સમુ તે સમઝાય ।।૫।। અંતર ચોરી અણું જેટલી, છાની નહિ

રહે છેક । દઇશ દેખાડી તુજને, ઓળખાવી એકોેેએક ।।૬।। દિગ વાયુ

દેખાડીયાં, તેમજ સમજે સૂર । નેત્ર દ્વારે રૂપને, જોઇ લાવે છે જરૂર

।।૭।। બાળ યુવા યુવતિ, વૃદ્ધ વનિતા જાણ । શ્યામ શ્વેત શરીરશું, પેખી

રાખી પરમાણ ।।૮।। આભૂષણ અનેક વિધ, ઘણે પ્રકારે ઘાટ । કનક

રૂપાં ત્રાંબાં કલિ, પીતળ શીશાં પાટ ।।૯।। વેઢ વિંટી કુંડળ કડાં, હાંસ

હૂલર હાર । પોંચી બાજુ બેરખા, કડી વેલ તંગલાકાર ।।૧૦।। તોરા

ઉતરી સાંકળી, સુંદર મોતી શિરપેચ । કંકણ મુદ્રિકા મેખળા, નૂપુર

રૂપદલવિચ ।।૧૧।। કે’તાંપણ કહેવાય નહિ, ઘરેણાં ઘણી જાત । રૂપ

આકાર હૃદયે, રહે છે દિન ને રાત ।।૧૨।। રાળ રૂપૈયા મો’ર મમુદિ,

પૈસા બહુ પ્રકાર । એહ સર્વે અંતરે, રહ્યા રૂપ આકાર ।।૧૩।। એહ

આદિ અનેકવિધ, ધાતુ ધનનું રૂપ । આવી વસ્યું અંતરે, સમજ્યો સુખદ

સ્વરૂપ ।।૧૪।। એક લોહમાં લેખું નહિ, એટલાં રૂપ આકાર । શસ્ત્ર સર્વે

શોધી કહું, તો કહેતાં ન આવે પાર ।।૧૫।। ઠાર લુહાર કૃષીકર, સૈ

સંઘાડીયા સોનાર । ઉદ્યમ કરે આયુધ વડે, નાઇ જણસાલી કંસાર ।।૧૬।।

એનાં આયુધ અનેકવિધ, તે વડે ઘડ્યા જે ઘાટ । કહેતાં પણ કહેવાયે

નહિ, નથી કહેતા તેહ માટ ।।૧૭।। ધુબાકો ને ધાર અણી, એહ સબંધી

આયુધ । લડી મરે સહુ લોકમાં, કરે પરસ્પર યુદ્ધ ।।૧૮।। રોમરોમમાં

રમી રહ્યાં, રૂપ એ રગરગમાંય । નખશિખા ખાલી નથી, એ વિના અંતર

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

કાંય ।।૧૯।। કાષ્ટતણાં કહું કેટલા, ઘડી કર્યા જે ઘાટ । વા’ણ વેલ્ય રથ

પાલખી, પલંગ પટારા પાટ ।।૨૦।। ગાડાં ઘાણી ઘોડીયાં, જોડીયાં શાંતિ

સોય । ચિચુ ચારટ ચરખા, રેંટ રેંટીયા હોય ।।૨૧।। મેડી મોહોલ

હવેલીયો, તેમાં કર્યાં જે રૂપ । એહ ઉતાર્યાં અંતરે, સમઝી સુખદ સ્વરૂપ

।।૨૨।। પૃથ્વીઘાટ બહુ પેખીયે, કર્યાં જેહ કુંભાર । નયણે જોઇ નક્કી

કરી, રાખ્યાં હૃદય મોઝાર ।।૨૩।। ગોળા ઘડા ગાગરડીયો, હાંડી ઢંકપાત્ર

હજાર । કુંડા કુંડી તાવડી, બરણી બતક અપાર ।।૨૪।। કમંડળ કરવા

કોડિયાં, ચપણ ચરુડા ઇંટ । નાળ શરાવા મોભીયાં, રાખ્યાં ઉર જોઇ

મીટ ।।૨૫।। એમ ઠાર લુહાર સોનારનાં, કંસાર કુંભાર સલાટ । કહ્યા ન

જાય કોયથી, ઘણા ઘડ્યા જે ઘાટ ।।૨૬।। ઝાડ પા’ડ પાષાણ પૃથ્વી, પુર

શહેર નગર નદી કોટ । લઇ લઇ ભર્યાં ભીંતરે, રાખી નથી કાંય ખોટ

।।૨૭।। નોર ખરી ને ડાબલો, એહ સંબંધી પશુ જાત । રાખ્યાં રૂપ એહ

હૃદયે, કહિએ ક્યાં લગી વાત ।।૨૮।। નર નારી નપુંસક, મનુષ્ય ત્રણ

પ્રકાર । આણી ઉતાર્યાં અંતરે, નામ રૂપ આકાર ।।૨૯।। સિંગ સરાડી

પોપટો, એહ સંબંધી જે અન્ન । ઓળખી રાખ્યાં એહને । ઝાઝી કરી

જતન ।।૩૦।। ઘા વા બોલે ઘસરકે, એહ સંબંધી વાજીંત્ર । રૂપ સહિત

રૂડી રીતે, એહ રહ્યાં છે અંત્ર ।।૩૧।। પંચરંગી બહુ પેરનાં, કાપડ કહું છું

કોટ । નેત્રથી ભીંતર ભર્યાં, રાખી નહિ કાંય ખોટ ।।૩૨।। જેજે રૂપ

જગતમાં, દીઠાં સુણ્યાં સોય । એહ રહેછે અંતરે, નથી તે બારૂં કોય

।।૩૩।। વારંવાર શું વર્ણવું, ભર્યું ભુંડાયે ઘર । કહી કહી કહીયે કેટલું,

કાંઇક વિચાર તું કર ।।૩૪।। અમૂલખ આ મનુષ્યનો, જનમ જાય છે

જાણ । ગાફલપણે ઘરમાં, થાય છે મોટી હાણ ।।૩૫।। તું માને છે તારા

મનમાં, ભારે છું હુ ં ભગત । સમઝે છે સમઝુ આપને, અણ સમઝુ

જાણી જગત ।।૩૬।। સમજાવે છે તું સહુને, છે અંતરે અંધારૂં ઘોર ।

ઉઘાડી જો તું આંખ્યને, ઘેર્યું ઘર ઘણે ચોર ।।૩૭।। સમજ્યા વિના કાં

સૂઇ રહ્યો, ગયો સર્વે માલ । લીધું લુંટી લાંઠિયે, દિધા તે ભુંડા હાલ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

।।૩૮।। સોરઠા- ખરી ખાધી તેં ખોટ, શત્રુ મિત્ર સમાન સમઝી । કહી

કહીયે જો કોટ, ગાફલને ગમ ન હોય રતિ ।।૩૯।।

ઇતિ શ્રી હૃદયપ્રકાશ મધ્યે સદ્ગુરુ શિષ્ય સંવાદે સપ્તમઃ પ્રસંગઃ ।।૭।।

શિષ્ય ઉવાચ । દોહા - શિષ્ય કે’ સદ્ગુરુ સુણો, ખરી બતાવી

ખોટ । પર જાણી પોતાતણાં, બાંધી મમતની મોટ ।।૧।। દયા કરી

દેખાડીયું, અંતરનું અજ્ઞાન । શઠપણે સમજ્યો નહિ, જોર થયું જે જ્યાન

।।૨।। સદ્ગુરુરુવાચ - દોહા- ત્યારે સદ્‌ગુરુ બોલિયા, સાંભળ શ્રદ્ધાવાન

। વેરી બતાવું તાહેરાં, જે નરસાં છે નિદાન ।।૩।। દિગ વાયુ સૂર કહ્યા,

તેવોજ વરૂણ વખાણ । રસના દ્વારે રહિને, લાવે રસ નિર્વાણ ।।૪।। ખાટા

ખારા તમતમા, તિખા ગળ્યા ચિગઠ । જીહ્વાએ જૂજવા જોઇને, શોધી

લાવ્યો શઠ ।।૫।। પેંડા પતાસાં પૂરીયો, શીરો સાબુડી સોય । સકરપારા

સૂતરફેણી, સેવ-સુંવાળી જોય ।।૬।। બરફી બીરંજ કળી ગાંઠીયા, ઘેબર

ગુંદરપાક । મગદળ મુરકી માલપુડા, મેસુબ સુંદર શાક ।।૭।। ખીર

ખાજાં રોટલી, સાટા જલેબી જાણ । હલવોે લાડુ લાપસી, બાસુંદીયો

વખાણ ।।૮।। ફાફડા ફૂલવડી, ભજીયાં તે બહુભાત । પુડા પકોડી કઢી

વઢી, દૈથરાં વડાં વડી વાત ।।૯।। જાણી જીહ્વાએ જુજવી, સ્વાદ સર્વની

રીત । આણી ઉતારી અંતરે, અતિ ઘણી અગણીત ।।૧૦।। શાક બહુ

શોયામણાં, ભાજી તરકારી તેહ । વઘારી વિધવિધની, સુખદ જમતાં

જેહ ।।૧૧।। ફળ દળ મૂળ કંદનો, જાણી જુજવોે રસ । જીભે ઉતાર્યો

અંતરે, ઓળખી લે તું અવશ્ય ।।૧૨।। જેજે રસ આ જગતમાં, ભર્યા

સભર ભરપુર । તેતે રસ જીભે કરી, આણી ઉતાર્યા ઉર ।।૧૩।। એક

વાર આહાર જેજે કર્યો, ભર્યો રસે ભરપુર । તેને પાછો પામવા, કરે

જતન જરૂર ।।૧૪।। વિસાર્યા વિસરે નહિ, જે રહ્યા હૃદયમાં રસ । સૂતાં

બેઠાં સાંભરે, ખટકે રાત દિવસ ।।૧૫।। ભાણેટાંણે જો ન મળે, તો બળે

અંતર બહુ રીત । ઘાયલ થઇ ઘુમેઘણું, એવી બંધાણી પ્રીત ।।૧૬।। સાલે

ઘણા શરીરમાં, સ્વાદતણા બહુ સાલ । દિનદિન પ્રત્યે દિન રહે, કરી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

મૂક્યો કંગાલ ।।૧૭।। એમ રસ અનેકવિધ, ભરાઇ રહ્યા ભીંતર । ખસે

ન કોઇના ખેસવ્યા, કરી રહ્યાં એ ઘર ।।૧૮।। પશુ પંખી પન્નગ લગે, નર

નારી હેરાણ । દેવ દાનવ દેખીયે, સહુ રસના વેચાણ ।।૧૯।। નથી નજરે

આવતા, રસ નાના રસે રહિત । જીહ્વાએ સહુને જીતીયા, રહિ રસના

અજીત ।।૨૦।। એમ રીત છે રસની, સમજી લે જે સોય । જેને રસે ન

રોળીયોે, એવો ન દીઠો કોય ।।૨૧।। એમ તાહેરે અંતરે, સ્વાદતણું છે

સેન । તિયાં દયાળ દેખ્યા તણું, વારુ મ કર્ય તું વેન ।।૨૨।। શિષ્ય તું

સમર્થ નહિ, જે કર તું એહનો ત્યાગ । વિગતે વિગતે વસી રહ્યાં, જરાય

ન રહિ જાગ ।।૨૩।। કિયાં આવી હરિ રહે, કિયાં રહિ કરીયે વાત ।

અનાડી એહ અતિ ઘણાં, કરે મોેટોે ઉત્પાત ।।૨૪।। સોરઠા- અતિ કર્યો

ઉતપાત, વાત હાથથી વહી ગઇ । દગો દિવસ ને રાત, અતિ આદરી

બેઠાં સઇ ।।૨૫।।

ઇતિ શ્રી હૃદયપ્રકાશ મધ્યે સદ્ગુરુ શિષ્ય સંવાદે અષ્ટમઃ પ્રસંગઃ ।।૮।।

શિષ્ય ઉવાચ । દોહા- શિષ્ય કહે ખુનિખરાં, મહા દુષ્ટ દુઃખ

દેનાર । નકી કાઢ્યાં ન નિસરે, કરૂં હું કોણ વિચાર ।।૧।। જૈયે તમે

જણાવીયાં, તૈેયે કર્યો તપાસ । રૈયત તે રાજા થઇ, રાજા તે થયો દાસ

।।૨।। ભરાડી ભેળાં થયાં, તનમાંહી તસ્કર । માલ મળ્યે મુકે નકી, લુંટેરૂં

લશકર ।।૩।। એને ભરોંસે ભવ ગયો, કર્યો ન કોેેય વિચાર । હજી છે

કોય હરામના, ગુરુ કહો નિરધાર ।।૪।। સદ્ગુરુરુવાચ- દોહા- વળતા

સદ્ગુરુ બોલીયા, હજી અરી છે એક । સચેત થઇ તું સાંભળે, કહું કરી

વિવેક ।।૫।। અશ્વિની કુમાર આવીને, ઘણો લીયે છે ગંધ । તે ઉતારે

અંતરે, બહુ વિધ કરવા બંધ ।।૬।। સુગંધ દુર્ગંધ દો કહીએ, નાકે સુંઘી

સોય । ઉતારી અંતરમાં, શુભ અશુભ દોય ।।૭।। ચુવા ચંદન સુગંધી,

સુગંધી અત્તર ધૂપેલ । કર્પૂર અગર સુગંધી, સુગંધી તેલ ફૂલેલ ।।૮।।

અર્ઘવાસ નાસા લીયે, નિત્ય નિત્ય એહ અનુપ । આણી મેલી અંતરે,

સમઝી સુખદ સ્વરૂપ ।।૯।। ફુલતણી ફોર અતિ, જાણી જુજવી જેહ ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

ભરી સુગંધી ભીંતરે, તોળી તપાસી તેહ ।।૧૦।। ચંપા ચંબેલી જુઇ

જુથીકા, ગેહેરી ગુલાબી વાસ । ડોલરીયે દીસે ઘણી, પાનડી પરિમલ

પ્રકાશ ।।૧૧।। ગૂલલાલા ગૂલસોમના, ગૂલદાવદી જે ફુલ । નરમાલીની

નાસિકા, લીયે વાસ અમૂલ ।।૧૨।। કમળ કેવડા કેતકી, પારીજાતક

પિઆવાસ । મરુવા સુગંધી મોગરા, પરિમલ કરે પ્રકાશ ।।૧૩।। સુગંધી

સહુ શોધીને, ઉતારી લઇ ઉર । ભરી છે તે ભીંતરે, નથી રાખી કોય દૂર

।।૧૪।। અતિ સડેલો ઉંટિયો, કરક નરક વળી કુંડ । આવે દેખી ઉબકો,

ભાળે જ્યારે એહ ભુંડ ।।૧૫।। બહુ દુઃખદાયક દુર્ગંધી, નાકે જે ન સે’વાય

। તે પણ રહિ તનમાં, દૂરગંધી દલમાંય ।।૧૬।। પશુ પંખી પન્નગની,

નરનારીની નેક । બોલી ખોળી બહુવિધે, રાખી એકોએક ।।૧૭।। ગંધ

સુગંધ ગણતાં, કેદિયે ન આવે પાર । ઘાલી છે તે ઘટમાં, લઇલઇ

નાસાદ્વાર ।।૧૮।। એમ સભર ભરાઇ રહ્યાં, શબ્દ સ્પર્શ રૂપ રસ । ગંધ

સુગંધી ઘરમાં, રહ્યાં વસી એક રસ ।।૧૯।। કહ્યાં એહ તે કુસંગી, સતસંગી

નહિ સોય । ના’વે કેના નો’રમાં, કરે ન કબજે કોય ।।૨૦।। સહુ જાણે

સત્સંગી થયા, ન રહ્યા કુસંગી કોય । ફોગટ ફૂલ્યે ફૂલીયા, દેખિયું નહિ

દિલમાંય ।।૨૧।। કામ ક્રોધ મદ લોભનું, મોહ માન મમતા મૂળ । પંચ

વિષયથી પ્રગટે, સહુ જનને બહુ શૂળ ।।૨૨।। સત્ત્વ રજ તમ કહિયે,

એતો છે મહેમાન । આવ્યા ગયા એ રહે, ન રહે નકી નિદાન ।।૨૩।।

હરખ શોક હાણ વૃદ્ધિ, તારૂં મારૂં તેહ । પંચ વિષયથી પેખીયે, જિત્યા

હાર્યા જેહ ।।૨૪।। સુખી દુઃખી સંસારમાં, પંચ વિષયથી પ્રમાણ । પેખી

પર પોતાતણું, રહી છે ખેંચાતાણ ।।૨૫।। પ્રતિતી પરલોકની, મહા નીચને

નો’ય । સંકલ્પ સુખ થવા તણો, કરે નહિ એહ કોય ।।૨૬।। કિર્તિ સુણવા

કાનમાં, અતિ ઘણો ઉત્સાહ । સ્પર્શ લેવા શરીરમાં, ચિત્તમાં બહુ બહુ

ચાહ ।।૨૭।। રૂપ જોવા નયનને, રસ લેવા રસનાયે । સુગંધી લેવા નાકને,

નથી આળસ કાંયે ।।૨૮।। શિષ્ય જો જુગતે કરી, એહ ખળની ખળાઇ ।

નવે એ નરસાં નિસર્યાં, દેખી જોે દિલમાંઇ ।।૨૯।। એટલા સારૂં નાથને,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

આવતાં અગમ થાય । તું તો તલખે તેડવા, શિષ્ય સમજ્યા વિનાય ।।૩૦।।

સોરઠા- નાથે તિયાં ન અવાય, વરતે વિક્ષેપ જિયાં વળી । તે તપાસ્ય તું

તનમાંય, નેન રજ નવ રાખે રંચે ।।૩૧।।

ઇતિ શ્રી હૃદયપ્રકાશ મધ્યે સદ્ગુરુ શિષ્ય સંવાદે નવમઃ પ્રસંગઃ ।।૯।।

શિષ્ય ઉવાચ । દોહા - શિષ્ય નમાવી શિશને, અરજી કરે છે

એમ । એહ કુપાત્ર કાઢવા, કરૂં ઉપાય હું કેમ ।।૧।। સદ્ગુરુરુવાચ- દોહા-

સદ્ગુરુ કહે શ્રદ્ધાવાન જેહ, પામે પંચ નિદાન । વૈરાગ્ય સ્નેહ નિયમ જેહ,

સત્સંગ આત્મજ્ઞાન ।।૨।। એહ પંચને પ્રિછવી, કહું જુજવાં જાણ । જેહ

પામતાં પ્રાણીને, થાય વિષયની હાણ ।।૩।। તે તો તીવ્ર વૈરાગ્યનો, લાગે

જેને વેગ । તે પંચ વિષયનો પંડમાં, ભળવા ન દીયે ભેગ ।।૪।। કાં તો

સ્નેહ શ્યાન શું, હોય અતિઘણો અપાર । અંગે તેને આવે નહિ, પંચ

વિષય વિકાર ।।૫।। એવાં ઝાઝાં આ જક્તમાં, ન હોય નર ને નાર । પંચ

વિષયનાં સુખને, અંગે ગણે અંગાર ।।૬।। માટે નિયમ નકી કરી, રાખે

હૃદિયામાંય । પંચ વિષયનું પંડમાં, રહે ન કિલ્બિષ કાંય ।।૭।। નિર્વેદ

સ્નેહ નિયમનું, કારણ સંતનો સંગ । એથી જ્ઞાન ઉપજે, તો પણ થાય

વિષયનો ભંગ ।।૮।। પ્રથમ વાત વૈરાગ્યની, સુણી લીજે સોય । પછી કહું

હું પ્રીતિની, છેલી ની’મની તોય ।।૯।। વિષ લાડુ વિષ પાનશું, તરત

તનનો નાશ । કહો સુખ કેમ ઉપજે, નાગ વ્યાઘ્ર સંગ વાસ ।।૧૦।। જેમ

ખેરી બેરી ખાટકી, સફરી પર સિંચાણ । તેતર પર બાજ ફરે, તે લીધાં

કાં લેશે પ્રાણ ।।૧૧।। જેમ આખું અહિ આગે રહે, ખિલી બિલીને પાસ

। માંખી માંકડી આગળ્યે, નહિ ઉગર્યાની આશ ।।૧૨।। એક ચ્યે રચે

રયા, એક ખોદે છે ઘોર । બળતા ગળતા દેખીને,રહે ઉદાસ નિશભોર

।।૧૩।। મુવામુવા ખાધા ખરા, કેડે પડિયો કાળ । નાવે અમર નયણે,

સ્વર્ગ મૃત્યુ પાતાળ ।।૧૪।। એહમાં હું પણ આવીયો, છઉં ઘડીક તાળ ।

તે પંચ વિષય પેખે નહિ, દેખે નજરે કાળ ।।૧૫।। એહવું જેને અંતરે,

વરતે છે અહોેેનિશ । તેહને પંચ વિષયની, રહે નહિ ગંધ લેશ ।।૧૬।। કાં

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

તો એવા વૈરાગ્યને, પામે કોઇ પુન્યવાન । નહિતો સ્નેહ શ્યામશું, કરે

નકી નિદાન ।।૧૭।। સ્નેહમાં શુદ્ધ વિસરે, રહે નહિ તન ભાન । ઉન્મત્તવત

અંગે ફરે, ભુલે ભોજન પાન ।।૧૮।। દૃગે કરી દેખે નહિ, પર પોતાનું

પંડ । રહે ઘણું ઘનશ્યામનું, આંખ્યે રૂપ અખંડ ।।૧૯।। શ્રવણશું સુણે

નહિ, પર પોતાની વાત । શ્રોત્રે શ્રીઘનશ્યામના, રહ્યા શબ્દ સાક્ષાત

।।૨૦।। જીભેશું જાણે નહિ, બહુ બોલ્યાની રીત । બોલે તો સહુ કે’

બાવરો, જેને પ્રભુશું પ્રીત ।।૨૧।। એમ સર્વે અંગની, શુદ્ધ ભુલે સનેહ ।

કરતાં પ્રીત હરિકૃષ્ણશું, દેખે નહિ નિજ દેહ ।।૨૨।। જેમ ગોપી ગોરસ

વેંચતાં, ભૂલીગઇ તનભાન, મહી વેચવું કે’વું મૂકીયું, કહ્યું લિયો બાઇ

કોઇ કાન ।।૨૩।। એવા સ્નેહી સંતને, પીડે ન પંચ વિષય । જોતાં ન દેખે

જગતને, દેખે શ્યામ સનેહ ।।૨૪।। એ વૈરાગ્ય સ્નેહની વિગતી, નકી

કહી નિદાન । નિશ્ચે કહું હવે નિ’મને, તે પણ સાંભળ કાન ।।૨૫।। કાને

હરિ કથા વિના, બીજી ઇચ્છે સુણવા વાત । તેદિ અન્નનેત્યાગવું, એક

દિવસ એક રાત ।।૨૬।। સ્પર્શ સુખદ શ્યામનો, સંતનો સુખદેણ । ત્વચા

ઇચ્છે જો તે વિના, તો તજે અન્ન દિનરેણ ।।૨૭।। હરિ હરિની મૂરતિ,

સંતરૂપ સુખદાય, તે વિના ઇચ્છે આંખ્ય જો, તો એક દિન અન્ન ન ખાય

।।૨૮।। પ્રસાદી પ્રભુતણી, એ રસ રાખે આશ । સંત ઘટીત વિના રસના,

ઇચ્છે તો એક ઉપવાસ ।।૨૯।। હાર સુગંધી હરિ સંબંધી, સંત સંબંધી

સોય । તે વિના ચાહે નાસિકા, તો એક ઉપોષણ હોય ।।૩૦।। મન મૂકિ

હરિ મૂરતિ, અન્ય સંકલ્પ કરે ચિત્ત । તો કરે ઉપોષણ એકદિ, ત્યારે

હોય પૂનિત ।।૩૧।। મેલી પ્રભુની મૂરતિ, અન્ય નિશ્ચય કરે કોઇ બુદ્ધ ।

તો અન્ન ન ખાય એક દિન, ત્યારે થાયે શુદ્ધ ।।૩૨।। મૂરતિ મૂકી

મહારાજની, ચિત્ત કરે અન્ય ચિંતન । તો તેનો દોષ નિવારવા, ન જમે

અન્ન એક દિન ।।૩૩।। હરિ મારા હું હરિ તણોેે, અહંકાર ન કરે જો એમ

। એક દિવસ અન્નને, કહો જમે તે કેમ ।।૩૪।। વૈરાગ્ય સ્નેહ નિ’મની,

કહી સુણાવી વાત । સંત સમાગમ જ્ઞાનની, કહું હવે સાક્ષાત ।।૩૫।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

ત્રિશે લક્ષણ તનમાં, પ્રગટ પ્રભુના દાસ । એવા સંતના સંગથી, થાય

વિષયનો નાશ ।।૩૬।। આત્મા અનાત્મા ઓળખી, ચોખો કરે વિભાગ ।

એવું જ્ઞાન જો ઉપજે, તોે થાય વિષયનો ત્યાગ ।।૩૭।। નવે આવે એમ

નિ’મમાં, એમ રહે કહું રૂડી રીત । સ્નેહ ત્રોડે શરીરશું, જોડે પ્રભુશું પ્રીત

।।૩૮।। શિષ્ય જેજેે મેં કહ્યું, તેનો કરી તપાસ । નોકર ન રહીએ નવના,

થાયે હરિના દાસ ।।૩૯।। એ નવે કાપ્યાં નાકને, નર નિર્જરનાં નિદાન ।

કહો શોભા શી રહી, ગયાં નાક ને કાન ।।૪૦।। કામ ક્રોધ મદ લોભ

મોહ, તેણે ચઢાવ્યાં ચાક । એહને વશ જેજે થયાં, રહ્યાં કહોે ક્યાં નાક

।।૪૧।। નાક વિનાના નકટાં, જો જાય પ્રભુની પાસ । જોઇ મુખ એ જનનું,

હરિ થાય ઉદાસ ।।૪૨।। બૂચ્ચાં નકટાં બહુ મળી, કેનીક જાનમાં જાય ।

ખોટ મોટી એ વરને, નકટાં ને નહિ કાંય ।।૪૩।। ભવ બ્રહ્મા એ બ્રહ્માંડમાં,

એથી મોટા નહિ કોય । આવી ખોટ જે અંગમાં, તે કહે છે સહુ કોેય

।।૪૪।। પારાશર એકલશૃંગી, નારદ સૌભરી સુજાણ । આવી ખોટ જે

એહને, તે કહે છે શાસ્ત્ર પુરાણ ।।૪૫।। માટે મેં તુજને કહ્યું, જાણે શિષ્ય

જરૂર । કાઢ કસર તું એટલી, તોે નથી નારાયણ દૂર ।।૪૬।। સોરઠા-

દૂર મ જાણે દયાળ, શ્રીઘનશ્યામ સમીપે રહે । તે દેખે તું તતકાળ, અંતર

ખોટ જો અળગી કરે ।।૪૭।।

ઇતિ શ્રી હૃદયપ્રકાશ મધ્યે સદ્ગુરુ શિષ્ય સંવાદે દશમઃ પ્રસંગઃ ।।૧૦।।

શિષ્ય ઉવાચ । દોહા - શિષ્ય કહે કર જોડીને, સુણિયે મારા

નાથ । એ છે કામ માહેરું, કે કાંઇ છે હરિને હાથ ।।૧।। પડતિ રાત

પ્રભાત લગી, કોઇ ઉલેચે અંધાર । ઉગ્યા દિન વિન તમનો, કહો કેમ

આવે પાર ।।૨।। જેમ આકાશે ઉડુ અતિ, કરે જામનીયે જ્યોત, દિનમાં

એક દિશે નહિ, એ પ્રતાપ અરક ઉદ્યોત ।।૩।। નિશાચર નરસાં અતિ,

દિયે રાતમાં દુઃખ । પણ જ્યારે રવિ પ્રગટે, ત્યારે શાહાને સુખ ।।૪।।

માટે સદ્ગુરુ સુણો, જોઇએ પ્રભુનું જોર । એકલે મારે આદરે, નહિ ભાગે

એહ ચોર ।।૫।। સદ્ગુરુરુવાચ- દોહા- સદ્ગુરુ કહે એહ આગળે, નથી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

બીજાનું બળ, પ્રભુના પ્રતાપથી, સંત કાઢે કરી કળ ।।૬।। જગતમાં જે

જીવ છે, અજ્ઞાની અપાર । તે શું વાત તપાસશે, જે વિષયવશ નર નાર

।।૭।। નથી એહને અંતરે, ખોટ ખાટ્ય ખબર । પશુવત પાળે પિંડને,

એવાં ઘણાં ઘરઘર ।।૮।। પણ જેને શરણ જગદીશનું, તેને કરવો તોલ ।

જક્ત જાશે જમપુરીયે, ભક્ત જાશે બ્રહ્મમો’લ ।।૯।। એ મોટી કમાણી

માનીને, કરજો આગ્રહ કોય । દેખી તેનો દાખડો, સા’ય કરે હરિ સોય

।।૧૦।। રાત દિવસ હૃદયમાંઇ, લિયે એશું લડાઇ । સુખ દુઃખ પડે

શરીરને, કદિયે ન જાયે કાંઇ ।।૧૧।। સંકલ્પ એક સમાવતાં, ઉઠે બીજા

અનંત । જુગતિ કરી જીતિલિયે, સાચા કહીયે તે સંત ।।૧૨।। આવે અતિ

કોઇ આકરો, જીત્યો પણ નવ જાય । જોઇ તેના જોરને, કાયર કેદિ ન

થાય ।।૧૩।। હૈયામાં હિંમત ઘણી, પાછા ન ભરે પગ । પ્રમાદપણું

પરહરિ, મંડ્યો રહે તે મૂવાલગ ।।૧૪।। ન દિયે દોષ નાથને, ખોળે

પોતાની ખોેટ । સતસંગી સાધુતણી, મુખે કહે બહુ મોટ ।।૧૫।।

જગજીવન તેને જોઇને, કરે કૃપાની દૃષ્ટ । પાપી એના પંડથી, ભાગી

જાય તે ભ્રષ્ટ ।।૧૬।। જેમ સોએ તસ્કર સામટા, તાક્યા હોય તૈયાર ।

ધણી જાગ્યે ભાગે ભલા, વળી ન કરે કોય વાર ।।૧૭।। એમ પ્રભુના

પ્રતાપથી, ભાગે છે એહ ભૂર । રજનીતમ કેમ રહે, જ્યારે ઉગે સૂર

।।૧૮।। એમ સાચા સંતની, સા’ય કરે ઘનશ્યામ । મદત ન મેલે મહાપ્રભુ,

જોઇ જન નિષ્કામ ।।૧૯।। સુખ તજી શરીરનું, આદરિયું એહ કાજ ।

તેની હરિ રાખશે, જરૂર જાણો લાજ ।।૨૦।। ધ્રુવ પ્રહ્લાદ અંબરીષનો,

રાખ્યો આગે રંગ । તેમ તેનો રાખશે, સાચો જોઇ સત્સંગ ।।૨૧।। કસર

કોઇ જાતની, જ્યારે દેખે નહિ દયાળ । ત્યારે તેહ ભક્તની, પ્રભુ કરશે

પ્રતિપાળ ।।૨૨।। ખરી હિંમત કરી ખેચરી, કર્યું સિંધુ શું વેર । ત્યારે તેની

ઉપરે, થઇ મોટાની મે’ર ।।૨૩।। માટે સાચો થઇ મંડે, રાજી કરવા રામ

। તેને કેમ તરછોડશે, સુખદાયી ઘનશ્યામ ।।૨૪।। સાચા માથે શ્યામળો,

રાજી છે રણછોડ । કાને ન સુણે કપટીનું, મર કરે સ્તુતિ ક્રોડ ।।૨૫।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

બા’રે બીજું દેખાડવું, કરવું બીજું કામ । એવા કપટી ભક્તનું, નાથ ન

પુછે નામ ।।૨૬।। વેષ બનાવી સંતનો, રાખ્યો વિષયશું નેહ । ભજન

તેનું ભીંતરમાં, કહિયે જોે કપટી તેહ ।।૨૭।। પંચ વિષય વશ થઇ રહ્યો,

તેશું જ લાગ્યું તાન । કપટી તેને કારણે, ભજે છે ભગવાન ।।૨૮।। ધારી

માળા તિલકને, સાધુ કહેવાણો સોય । અંતરમાં અસાધુતા, કાઢી ન

શક્યો કોય ।।૨૯।। એવા કપટી જનની, શ્રીહરિ ન કરે સા’ય । સાચા

સંતની શ્યામળો, આવી ગ્રહે છે બાંય ।।૩૦।। સોરઠા- બાંય ગ્રહે

બળવીર, તેહ ન મુકે મહારાજ કદિ । એમ સમજી શિષ્ય સુધીર, કર

આદર આગ્રહશું અતિ ।।૩૧।।

ઇતિ શ્રીહૃદયપ્રકાશ મધ્યે સદ્ગુરુ શિષ્ય સંવાદે એકાદશઃ પ્રસંગઃ ।૧૧।

શિષ્ય ઉવાચ । દોહા - શિષ્ય કહે જે સદ્ગુરુ કહ્યું, તે સર્વે સુણ્યું

સુખધામ । પણ અંતરઘાટ શમ્યા નહિ, કેમ મનાય પૂરણકામ ।।૧।।

ભજન સ્મરણ ધ્યાનમાં, એ આવે આડાં ઉર । તેણે કરીને તનમાં, ઝાંખ્યપ

રહે જરૂર ।।૨।। કેટલાક ઘાટ કે’વાય છે, કેટલાક તો ન કે’વાય । ખર

ખરો એ ખોટનો, અંતરમાં અતિ થાય ।।૩।। ભક્ત થયા ભગવાનના,

અને લિયે સંકલ્પ લાજ । એહ વાતની ઉરમાં, મોટી ખોટ ગુરુરાજ

।।૪।। અયોગ્ય સંકલ્પ ઉપજી, વરતે જો પળવાર । સુખ રહે કેમ તે સંતને,

માને મને ધિક્કાર ।।૫।। સંકલ્પ સાચા સાધુને, અયોગ્ય થાય જો એક ।

દિલ દેહે દાઝે ઘણું, ન રહે સુખ તે નેક ।।૬।। તેને ઠેકાણું ઠરવા, બતાવીયે

ગુરુ ધીર । જેણે કરી અતિ ઉરમાં, શાંતિ રહે સુખ શિર ।।૭।। અંડજ

ઉદ્ભિજ જે કહિએ, સ્વેદજ જરાયુજ ખાણ । એમાં સહુ જનમે મરે, એમ

કે’ છે વેદ પુરાણ ।।૮।। પણ સંકલ્પના શરીરનો, ન કર્યો કોણે નિરધાર ।

ક્ષણક્ષણમાં જનમે મરે, તેનો નાવે પાર ।।૯।। જેજે સંકલ્પ ઉપજે, તેતે

ધરાવે તન । એમ સમજી સંત સહુ, અતિ કંપે છે મન ।।૧૦।। પળપળમાં

પિંડ ધારવાં, અશુભ શુભ અગણિત । તેની દાઝ તનમાં, કહો મટે કોણ

રીત ।।૧૧।। સંકલ્પના શરીરનો, કે’તાં નાવે પાર । બીજાં ચોરાશી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

બા’રની, સૌ જાણે છે નર નાર ।।૧૨।। માટે એ કેમ મટે, અંતર ઘાટ

અજોગ । સંકલ્પ સમતાં સહુ શમે, જન્મ મરણ ભવરોગ ।।૧૩।।

સદ્ગુરુરુવાચ- સદ્ગુરુ કહે સુણ શિષ્ય તું, સાચું કહું સુજાણ । ઉત્તર આપું

એહનો, પુછયું પ્રશ્ન પ્રમાણ ।।૧૪।। જેજે ઉર ઘાટ ઉપજે, જે સમે જેહ

કાજ । તે સમે સંભારવા, મન મોહન મહારાજ ।।૧૫।। જેમ સતયુગ

ત્રેતા દ્વાપરે, ફરતું સુદર્શન । દાસનાં દુઃખ ટાળવા, ભય ભંજન ભગવન

।। ૧૬।। તેમ આજ પ્રભુની મૂરતિ, સુદર્શન સમાન । અંતરશત્રુ સંતના,

નાશ કરે નિદાન ।।૧૭।। ઉઠે ઘાટ જ્યાં ઉરમાં, તિયાં સંભારે શ્યામ ।

મૂર્તિ સંકલ્પ માત્રનું, તર્ત ટાળે ઠામ ।।૧૮।। જન જાચે જન્મો જન્મ,

ભક્તિ દ્યો ભગવાન । તે જન્મ બીજો નહિ, સંકલ્પ દેહ સમાન ।।૧૯।।

હોય નહિ હરિજનને, ઉદર માને અવતાર । પણ ઘટ બંધાવા ઘાટનું,

નવ દેવું નિરધાર ।।૨૦।। શિષ્ય ઉવાચ - શિષ્ય કહે જન્મ મરણનું,

કારણ એહ કેવાય । સંકલ્પ ત્યાં સાચું કહું, સંકલ્પ સમે સમાય ।।૨૧।।

તે તો પ્રભુ પ્રતાપથી, આવે ઉદ્ભવ અંત । અવર બીજા ઉપાયથી, સુખી ન

હોયે સંત ।।૨૨।। માટે કૃપા કરી હરિ, સમાવે સંકલ્પ । સુખે ભજીયે

શ્યામને, ન પડે કોયનો ખપ ।।૨૩।। જનનું જોર કેટલું, નિર્બળ નર

કે’વાય । હરિ ધારે હૈયે એટલું, તો વાર ન લાગે કાંય ।।૨૪।।

સદ્ગુરુરુવાચ- સદ્ગુરુ કહે એ રીત નહિ, જે અંતર કરે ઉચ્છેદ । અંતર

ત્યાં એહ પણ ખરાં, ઘાટઘાટના ભેદ ।।૨૫। જ્યારે અંતર ઓગળી,

વળી ટળી જાય છેક । ત્યારે તેહ જનને, ઉત્થાન ન રહે એક ।।૨૬।।

ત્યારે તેહ જનને, ન રહે શરીર સંભાળ । દેહ ભાન ભૂલ્યા પછી, રહે ન

તન બહુ કાળ ।।૨૭।। વળી જ્યારે જેજે જનને, હરિ કરી દે એમ । ત્યારે

બીજા જનનો, કઢાય વાંક કો કે’મ ।।૨૮।। ભક્તિ તૈયે ભગવાનની,

એથી ન થઇ અણુભાર । સોંપ્યું કામ જ્યારે શ્યામને, ત્યારે નિસર્યો નર

નાદાર ।।૨૯।। ભક્ત ભક્તિ ભજાવવા, કરે ઉદ્યમ અપાર । જોઇ જનનો

દાખડો, શ્રીહરિ કરે છે સાર ।।૩૦।। ભક્તનું કામભક્ત કરે, ભગવાનનું

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

ભગવાન । અવળું સવળું સોંપવું, એહ મોટું અજ્ઞાન ।।૩૧।। માટે હરિબળ

હૈયે ધરી, કરીયે અતિ આખેપ । પ્રભુના પ્રતાપથી, આવી જાય જો ઠેપ

।।૩૨।। મોરે મુક્ત જેજે થયા, તેણે કરી તપાસ । અંતરના અરી જીતવા,

વનમાં જઇ કર્યો વાસ ।।૩૩।। શબ્દ સ્પર્શ રૂપ રસ, સારો ગંધ સુગંધ ।

દુઃખદાઇ દેખી દિલે, તજ્યો તેનો સંબંધ ।।૩૪।। એણે એમ કહ્યું નહિ,

જે કરશે મહા પ્રભુ મે’ર । અંતરશત્રુ જીતશું, સુખે બેઠાં ઘેર ।।૩૫।।

માટે કેદી દેવો નહિ, દિનબંધુને દોષ । એવું મુખે જે ઉચ્ચરે, તે પર કરે

હરિ રોષ ।।૩૬।। કે’એને અનુપ મેં આપીયો, મોંઘો મનુષ્યનો દેહ ।

તોેયે વાંક અમતણો, કાઢે કૃતઘ્ની એહ ।।૩૭।। નરતન પામી નવ કર્યો,

ઉરમાં એમ વિચાર । પૂરણ કૃપા કરી હરિ, આપ્યો અમૂલ્ય અવતાર

।।૩૮।। અંતરશત્રુ જીતવા, સારો દીધો સમાજ । ભવજળ પાર ઉતરવા,

નરતન ઉત્તમ ઝાજ ।।૩૯।। તે આપ્યું અવિનાશિયે, દયા કરીને દયાળ ।

હવે હું આળશ કરૂં, તો રહે ખોટ્ય બહુ કાળ ।।૪૦।। એમ સમઝે તે

સંત છે, હરિભક્ત કહિએ હરિદાસ । ગુણ ગણે ગોવિંદમાં, અવગુણ

પોતાપાસ ।।૪૧।। ભુલ્યે પણ ભાખે નહિ, વૈખરીયે એહ વેણ । મારૂં

દુઃખ મટ્યું નહિ, શ્યામ કાવે સુખદેણ ।।૪૨।। દાસના દુઃખ કાપવા,

ત્રિકમ રે’છે તૈયાર । મારૂં દરદ મટ્યું નહિ, કરૂં કિયાં પોકાર ।।૪૩।।

એમ બોલે અભાગીયો, દઇ હરિને દોષ । મિથ્યા વાંક મહારાજનો,

કાઢી કરે અપશોષ ।।૪૪।। એવા ભક્ત બહુ જક્તમાં, તે પર કરે હરિ

રીશ । માટે દોષ ન દેવો નાથને, સદ્ગુરુ કહે સુણ શિષ્ય ।।૪૫।। સોરઠા-

એમ ન કરે અપશોષ, રાતદિવસ રુદિયા વિષે । દૈયે હરિને દોષ, રોષ

કરી રીસે નહિ ।।૪૬।।

ઇતિ શ્રી હૃદયપ્રકાશ મધ્યે સદ્ગુરુ શિષ્ય સંવાદે દ્વાદશઃ પ્રસંગઃ ।।૧૨।।

શિષ્ય ઉવાચ । દોહા - શિષ્ય કહે સદ્ગુરુ સુણો, કહી કૃપા કરી

વાત । જે જે મેં પુછીયું, તે કહ્યું તમે બહુ ભાત ।।૧।। શત્રુ સર્વે શોધિને,

દેખાડ્યા દગાદાર । દીપક દીધો હાથમાં, અળગું કર્યું અંધાર ।।૨।। કોટી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

કોટી કૃપા કરી, ખોટ દેખાડી ખોળ્ય । અણ સમજ્યે લઇ એકઠી, ભેળી

કરીતી ભોળ્ય ।।૩।। તે જેમ છે તેમ જણાવીયું, અજાણ્યું ન રહ્યું એક ।

હવે હું ચેતું નહિ, તો એ મારો અવિવેક ।।૪।। અણ સમજુને એટલી,

આપે શિખામણ કોણ । પરમ હેતુ છો માહેરા, તે જોયું સહુ મેં જોણ

।।૫।। વળી પુછું એક વારતા, દોય હરિના દાસ । એક દેખે હૈયે હરિમૂરતિ,

અને એકને બહુ વિશ્વાસ ।।૬।। એહ બેઉ બરોબરી, પામે પ્રાપતિ એક ।

કે ફેર છે કાંઇ ફળમાં, એ સદ્ગુરુ કહો વિવેક ।।૭।। સદ્ગુરુરુવાચ- દોહા-

ત્યારે સદ્ગુુરુ બોલિયા, સાંભળ શિષ્ય સુજાણ । જેને ભરોંસો ભગવાનનો,

તેનું એ પરમ કલ્યાણ ।।૮।। જેમ પારસના સ્પર્શથી, લોહપણું ન રહે

લગાર । તેમ પ્રભુ સ્પર્શ પ્રતાપથી, વામે સર્વ વિકાર ।।૯।। જડ માંહિ

પણ જાણવો, એટલો ચમત્કાર । ચૈતન્ય-ઘનમય મૂરતિ, તે મળતાં સુખ

અપાર ।।૧૦।। માટે ન્યુન ન માનવું, રેવું આનંદમાં અભિરામ । જેને

મળ્યા પ્રગટ પ્રભુ, તે સહુ છે પુરણકામ ।।૧૧।। હવે જેને ઉર અખંડ

રહે, હરિ મૂરતિ હૈયા મોઝાર । તેની વાત વર્ણવી, કહું હૃદયમાં ધાર

।।૧૨।। જેમ પામે કોય ચિંતામણિ, તે જે ચિંતવે તે થાય । તેમ જેને ઉર

મૂરતિ રહે, તે દેખે જે જે ચા’ય ।।૧૩।। તે ઇચ્છે જો અમરાવતી, કે ઇચ્છે

જો કૈલાસ । બ્રહ્મલોક ઇચ્છે વૈકુંઠને, તો દેખે સમીપે દાસ ।।૧૪।। શ્વેતદ્વીપ

ગોલોકને, ઇચ્છે જો અક્ષરધામ । દેખી દ્રગે પોતાતણે, માને પૂરણકામ

।।૧૫।। વળી રે’વાસી એ ધામના, તેહને દેખે તેહ, અગમ નરહે એહને,

જુવે ચિંતવી જેહ ।।૧૬।। જો જોવા ઇચ્છે મુક્તને, તો દેખે મુક્ત મંડળ ।

સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, ન રહે કોય અકળ ।।૧૭।। જો ઇચ્છે જોવા

અવતારને, દશ ચોવિશ અનંત । તો નિરખે સહુને નજરે, આવે સુખ

અત્યંત ।।૧૮।। એમ એને અંતરે, વરતે સુખ અપાર । તે પ્રતાપ પ્રગટ

પ્રભુનો, જન જાણે નિરધાર ।।૧૯।। મોટો પ્રતાપ મહારાજનો, જીભે

કહ્યો ન જાય । અસામર્થી એમાં નથી, જેહ ધારે તેહ થાય ।।૨૦।। પણ

જેમ જેને રાખ્યું ઘટે, તેહને રાખે તેમ । માટે સુખદ સહુના, કહિયે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

દુઃખદ કેમ ।।૨૧।। એમ જાણી જન મનમાં, રાખે વડો વિશ્વાસ । મેલી

ગમતું મનનું, થઇ રહે હરિદાસ ।।૨૨।। વૈદ્ય જેમ બહુ વિધિએ, આપે

ઔષધ અનેક । સહુ રોગીને સરખું, ઔષધ ન હોય એક ।।૨૩।। સમાધિ

સખા સ્નેેહનું, દાસ વિશ્વાસનું અંગ । માહાત્મ્ય મિત્ર વચન વળી, ભક્તિ

ભજન અભંગ ।।૨૪।। એ સર્વે અંગ શિરોમણિ, પામે પદ નિરવાણ ।

અધિક ન્યુન એમાં નહિ, સમઝી લે તું સુજાણ ।।૨૫।। પ્રગટ પ્રભુ મળ્યા

પછી, ઓછપ ન માનવી અંગ । સહુ સરખું પામશે, અખંડ સુખ અભંગ

।।૨૬।। શિષ્ય જેજે તેં પૂછિયું, તે કહ્યું કરી વિસ્તાર । હજી હોય કાંઇ

પુછવું, તો પુછ સુખે કરી પ્યાર ।।૨૭।। સોરઠા- પુછ કરી બહુ પ્યાર,

શંકા તજીને શિષ્ય સુખે । મ કર સંકોચ લગાર, કરજે પ્રશ્ન પ્રબળ થઇ

।।૨૮।।

ઇતિ શ્રીહૃદયપ્રકાશમધ્યે સદ્ગુરુ શિષ્ય સંવાદે ત્રયોદશઃ પ્રસંગઃ ।।૧૩।।

શિષ્ય ઉવાચ । દોહા - શિષ્ય કહે સદ્ગુુરુ સુણો, જે કહ્યા આગે

ઉપાય । કઠણ છે એ કરવા, વિચારીયું ઉરમાંય ।।૧।। નિર્વેદ પણ હોય

નબળો, સ્નેહ નિયમ પણ સમાન । સતસંગ પણ સુધો નહિ, નહિ અતિ

આત્મજ્ઞાન ।।૨।। શ્રોત્ર ત્વક્‌ નેત્ર કહ્યાં, રસના ઘ્રાણ મન બુદ્ધ । ચિત્ત

અહંકાર ચોખાં નહિ, સરસ અતિશે શુદ્ધ ।।૩।। એહ સહુને નિમમાં,

રાખે બહુ બળવાન । થોડે બળે થાતાં નથી, સદ્ગુુરુ સુણો નિદાન ।।૪।।

માટે કહો કૃપા કરી, હોય નિર્બળનો નિભાવ । હિંમત આવે હરિભક્તને,

ભજે હરિ કરી ભાવ ।।૫।। સદ્ગુરુરુવાચ-દોહા- સદ્ગુુરુ કહે સુણ્ય શિષ્ય

તું, કહું વાત એની અનૂપ । જે જે ક્રિયા જન કરે, તે થાય ધ્યાન સ્વરુપ

।।૬।। જે દેખે જે સાંભળે, ત્યાં સંભારે હરિરાય । સુણ્ય શિષ્ય શ્રવણ

દઇ, કહું એવો ઉપાય ।।૭।। પ્રથમ સંભારે શ્યામને, મનસુબાથી મો’ર ।

વિસરે નહિ એહ વારતા, સર્વ કાળ સર્વ ઠોર ।।૮।। જેજે સંકલ્પ મન

કરે, ચિત્ત કરે ચિંતવન । હરિસંબંધ વિના હોય નહિ, જરૂરજાણે તું જન

।।૯।। બહુ નિશ્ચય બુદ્ધિ કરે, ધરે અહં અહંકાર । તેમાં સંબંધ લઇ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

શ્યામનો, ચિંતવે વારં વાર ।।૧૦।। જેજે શબ્દ સાંભળે, શ્રવણ ધરીને

સોય । તેતે શબ્દ હરિ સંબંધ વિન, નિશ્ચય ન કરો તોય ।।૧૧।। પશુ

પંખી નરનારના, જડ ચૈતન્યના જાણ । હરિસંબંધે સાંભળવા, શબ્દ સર્વ

સુજાણ ।।૧૨।। વાજાં છે બહુ વિધનાં, કે’તાં ન આવે અંત । વાજ્યાં છે

હરિ આગળે, એમ સમઝે છે સંત ।।૧૩।। ગાન તાન ગણતી નહિ, રાગ

રાગણી બહુ રીત । આલાપ્યાં હરિ આગળે, એમ ચિંતવે જન ચિત્ત

।।૧૪।। કવિત સવૈયા સાખી છપે, પૂર્વછાયા પરજિયા છંદ । દોહા ચોપાઇ

સોરઠા, કહ્યા હરિ આગે કવિઇંદ ।।૧૫।। કાવ્ય કથા પુરાણ પદ, શાસ્ત્ર

વેદ સુખધામ । તે સુણ્યાં શ્રીહરિ પાસળે, એમ સાંભરે ઘનશ્યામ ।।૧૬।।

સ્પર્શ સર્વે શોધિયે, સુંવાળા સુખરૂપ । હરિસંબંધે સંભારિયે, અતિ સુંદર

અનૂપ ।।૧૭।। સ્પર્શ કોમળ શય્યાતણો, પે’ર્યાનાં પટ કોમળ । હરિ સંબંધે

સંભારતાં, આવે સુખ અતોળ ।।૧૮।। કોમળ કુસુમની કળીયે, સુંદર

સમારી સેજ । સુતા દીઠા શ્રીહરિ, આવ્યો આનંદ એજ ।।૧૯।। પંખેશું

પવન કર્યા, ભર્યા હેતેશું હોજ । ઉષ્ણઋતુમાં અલબેલડો, બેઠા હરિ કરી

મોજ ।।૨૦।। સ્પર્શ સર્વ સૂચવતાં, સાંભરે શ્રીઘનશ્યામ । ધન્યધન્ય જન

એ ધ્યાનને, અખંડ આઠુંજામ ।।૨૧।। રૂપ અનુપ અતિઘણાં, અવલ

નવલ અનૂપ । હરિ સંબંધે સંભારીયે, તો સર્વે એ સુખરૂપ ।।૨૨।। સર

નદી વાપી કુવા, હરિ નાહ્યા પીધાં નીર । સાંભળે દેશ દરિયાવ નાવે,

સુંદર શ્યામ સુધિર ।।૨૩।। દેશ વિલાયત નગર પુર, તિયાં થયાં દર્શન ।

ગામ ઘોષ વનવાટ ગિરી, ગુહા ઘર ઘાટ નિર્ઝરન ।।૨૪।। પશુ પંખી

પન્નગ લઇ, જેને હોય હરિ સંબંધ । ગજ વાજ અજ ગો મહિષી, કરે ન

વૃષભ બંધ ।।૨૫।। ધાતુ સપ્ત પ્રકારની, અનેક તેના આકાર । હરિસંંબંધે

જો સાંભરે, તો સર્વે સુખ દેનાર ।।૨૬।। નંગ ભૂષણ વાસણ વળી, શસ્ત્ર

અસ્ત્ર અનેક । એહ સંબંધે હરિ સાંભરે, તો સુખદ એકોએક ।।૨૭।।

ખાટ પાટ ખુરશી પલંગપર, બેઠા દીઠા નાથ । રથ વહેલ્ય ગાડી પાલખીયે,

જોઇ જન સનાથ।।૨૮।। છત્ર ચામર અબદાગિરી, ધરી હરિને શીશ । તે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

સંભારતાં સાંભરે, જગજીવન જગદીશ ।।૨૯।। બેઠા પ્રભુ બાજોઠપર,

શ્રીહરિ ડોળ હિંડોળ । કરી અગર કપૂર આરતી, સુખ સંભાર્યે અતોલ

।।૩૦।। મેડી મંદિર માળીયે, મંચે બેઠા મહારાજ । તે સંભારતાં સાંભરે,

સુંદર શ્રીહરિરાજ ।।૩૧।। યજ્ઞ સમૈયા ઉત્સવ અતિ, જન જોઇ જોઇ

જમાડ્યાં હાથ । કો’ વાલમ કેમ વિસરે, સદા રે’તા હરિ સાથ ।।૩૨।।

શીત ઉષ્ણ પ્રાવૃટ માંહિ, સાંભરે સુખધામ । ધૂણી ધૂમ ધામે હરિ, બેઠા

જ્યાં ઘનશ્યામ ।।૩૩।। ગ્રીષ્મ પ્રાવૃટ શરદઋતુ, શિશિર શીત વસંત ।

ફુલડોળ ઉત્સવ ઉપરે, મળતા સંત અત્યંત ।।૩૪।। એમ સંબંધે સાંભરે,

શ્રીહરિ સુખદેણ । આવડત હોય જો અંગમાં, તો ન ભુલે રાજીવ નેણ

।।૩૫।। પંચભૂતથી પ્રગટ્યાં, જડ ચૈતન્ય જે જાત । તે સંબંધે હરિ સાંભરે,

શિષ્ય સુણી લે વાત ।।૩૬।। સોરઠા- શિષ્ય સુણીલે વાત, સમજાવી

સદ્ગુુરુ કહે । એમ દિવસને રાત, અખંડ ધ્યાન જો હરિનું રહે ।।૩૭।।

ઇતિ શ્રી હૃદયપ્રકાશ મધ્યે સદ્ગુરુ શિષ્ય સંવાદે ચતુર્દશઃ પ્રસંગઃ ।૧૪।

શિષ્ય ઉવાચ । દોહા - શિષ્ય કહે ધન્ય ધન્ય ગુરુ, ભલો બતાવ્યો

ભેદ । સહજે શ્રીહરિ સાંભરે, થાય વિષય ઉચ્છેદ ।।૧।। વિષયમાંહિ

વિસારી નાથને, કરતાં કામ હરામ । તે સમુ સમજાવિયું, સંભારવા

ઘનશ્યામ ।।૨।। સૂક્ષ્મ વાતો સૂચવી, કહો કોણ કે’નાર । અલ્પ પ્રશ્ન

ઉપરે, કો’છો કરી વિસ્તાર ।।૩।। વળી કે’વી હોય વારતા, તો કેજો

કૃપાનિધાન । શ્રદ્ધા છે સાંભળવા, સુણીશ કહું દઇ કાન ।।૪।। વચન

તમારાં મુખનાં, તે સર્વે સુખ દેનાર । તે હેતે ભર્યાં હોંસે કરી, સુણીશ હું

કરી પ્યાર ।।૫।। સદ્ગુરુરુવાચ- સદ્ગુુરુ કહે શિષ્ય સુણજે, રૂડી બતાવું

રીત । રાત દિવસ હૃદિયે રહે, હરિ ચિંતવન ચિત્ત ।।૬।। રસ સરસ

સંસારમાં, મળે જો મનભાય । તેમાં શ્રીહરિ સાંભરે, એવો કહું ઉપાય

।।૭।। ષટ્‌ રસ ખરા ખોળીયે, હરિ જમ્યાતા જેહ । તે સમય સંભારતાં,

સાંભરે શ્યામ સ્નેહ ।।૮।। રસોઇ રસે ભરી, કરી હરિને કાજ । તે જોતાં

જગપતિ સાંભરે, જે જમ્યા હતા મહારાજ ।।૯।। સુંદર સ્વાદુ સુખડી,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

પેરપેરના પાક । પીરસતા પંગતમાં, સુખદ કરેલાં શાક ।।૧૦।। ભોજન

વ્યંજન બહુ ભાતનાં, લેહ્ય ચોશ્ય ભક્ષ્ય ભોજ્ય । તે સંભારતાં સાંભરે,

જે હરિ જમતા કરી મોજ્ય ।।૧૧।। આંબુ લીંબુ જાંબુ જમ્યા, નાલિકેળી

રાણ્ય અનાર । જામ રામ સીતાફલ, ખારેક જમ્યા કરી પ્યાર ।।૧૨।।

બહુ ફળ મૂળ કંદનો, કે’તાં ન આવે અંત । જેજે જમ્યા જગપતિ, તે

સંબંધ સંભારે સંત ।।૧૩।। ચોળાફળી ચણેચી ચીભડાં, જમતા જે

જગદીશ । મરચાં મેથી મૂળા મોગરી, એહ સંભાર્યને તું શિષ્ય ।।૧૪।।

ફળ મૂળ પુષ્પ પાનને, જમતા જોયા નાથ । તે સંત નિત્ય ચિંતવી, સદા

રહે છે સનાથ ।।૧૫।। ઇક્ષુદંડ ખંડ ખારવો, શર્કરા સુખદેણ । એહ સંબંધે

સાંભરે, દીનબંધુ દિનરેણ ।।૧૬।। મહી માખણ ઘૃત પય લઇ, પીધાં

પાણી પવન । તે દીઠે હરિ સાંભરે, જ્યારે જુવે એહ જન ।।૧૭।। જેજે

રસ આ જક્તમાં, ગળ્યા ચીકણા ખાટા ખાર । તીખા ને વળી તમતમા,

ખોળ્યા ષટ્‌ પ્રકાર ।।૧૮।। એમ રસ અનેક જેહ, પામ્યા હરિનો જોગ ।

સબીજ એમ સંભારતાં, રહે નહિ ભવરોગ ।।૧૯।। સુગંધીમાં પણ

સાંભરે, જગજીવન જગતાત । વિધવિધે તે વર્ણવી, કહું કાંયેક તે વાત

।।૨૦।। ચૂવા ચંદન ચરચ્યાં, અત્તર ફૂલેલ તેલ । તે સંભારતાં સાંભરે,

અંતરમાં અલબેલ ।।૨૧।। કર્પૂર કેસર કસ્તુરી, અગર અર્ઘ્ય અનુપ ।

તેલ ધૂપેલ સબન્ધશું, સાંભરે હરિ સુખરૂપ ।।૨૨।। પુષ્પ બહુ પ્રકારનાં,

સુગંધ ભર્યાં અતિસાર । તે જોતાં હરિ સાંભરે, અંગે ધર્યાં અપાર ।।૨૩।।

તોરા ગજરાહાર હૈયે, પોંચી બાજુ બાંય । ગુછ ગુલાબી ફૂલના, પુષ્પ

કંકણ પાય ।।૨૪।। પંખા પછેડી ફૂલની, છડી છોગે છાયાં ફૂલ । ટોપી

ઓપી ફૂલની, સર્વે ફૂલ અમૂલ ।।૨૫।। બહૂપેરે બહેકી રહી, શુદ્ધ સુગંધી

સાર । એમ સુગંધમાં સાંભરે, પ્રિતમ પ્રાણ આધાર ।।૨૬।। એમ સુગંધી

શોધીને, લેવી કરી તપાસ । જેમાં સંબંધ નહિ શ્યામનો, એવી લેવી નહિ

વાસ ।।૨૭।। શબ્દ સ્પર્શ રૂપ રસ, કાંઇ સુગંધી સાર । હરિ સંબંધે સુખદ

સહુ, વણ સંબંધે દુઃખ વિકાર ।।૨૮।। વળી રહસ્યની વારતા, શિષ્ય

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

સુણે સાક્ષાત । પંચ ઇન્દ્રિય પાવન કરે, એવી કહું એક વાત ।।૨૯।।

શ્રોત્ર ત્વક્‌ તુંને કહું, શુદ્ધ થવાની રીત । નયન જીહ્વા નાસિકા, એ હોય

જેમ પુનિત ।।૩૦।। પ્રગટ પ્રભુ પામ્યા વિના, અનઘ ન હોય એક ।

પ્રસંગ પ્રગટનો પામતાં, હોય નિષ્પાપ એહ નેક ।।૩૧।। શ્રવણે શબ્દ

સુણ્યા હતા, અતિ અઘે ભર્યા અશુદ્ધ । તે શબ્દ સુણતાં શ્યામના, થાય

શ્રોત્ર દોય શુદ્ધ ।।૩૨।। સ્પર્શ ત્વચાએ શોધીને, કર્યો હતો કળીમળરૂપ ।

તે સ્પર્શ પ્રભુનો પામીને, થઇ ત્વચા શુદ્ધ અનુુપ ।।૩૩।। નયણે રૂપ

નિહાળીને, પેખી કર્યાં’તાં પાપ । તે રૂપ જોઇ મહારાજનું, નયણ થયાં

નિષ્પાપ ।।૩૪।। રસના લઇ બહુ રસને, અઘે રહી’તી અવરાય । તે હરિ

પ્રસાદી પામીને, નિર્દોષ થઇ જીહ્વાય ।।૩૫।। નાસે વાસ અતિ નરસી,

જગમાંય લીધી’તી જેહ । તે હાર હરિના સુંઘતાં, ટળે પાપ એહ તેહ

।।૩૬।। એમ સંબંધ શ્રીહરિતણે, પ્રજળે પંચે પાપ । પણ પ્રગટ પ્રભુ

મળ્યા વિના, સમે નહિ સંતાપ ।।૩૭।। એમ પંચ ઇન્દ્રિયનાં પાપ જે,

પ્રભુ સંબંધે પળાય । જેજે જન એમ જાણશે, તેતે શુદ્ધ સઘળાય ।।૩૮।।

એહ ધ્યાન એહ ધારણા, એહજ સહજ સમાધ, એમ સમજે શિષ્ય જે,

તે પામે સુખ અગાધ ।।૩૯।। એમ વિષય પંચમાં, મુખ્ય રાખે મહારાજ

। જેમ કરે કામ જે ગોટીકા, તે ન કરે કામ અવાજ ।।૪૦।। જેમ ધાય

લોભી ધનને, કામી સંભારે કામ । એમ શિષ્ય સંભારવા, સુંદર શ્રી

ઘનશ્યામ ।।૪૧।। એમાં કઠણ કાંઇ નથી, નથી કાયા કલેશ । એ કળ

આવે અંગમાં, તો સહુથી વાત સરેશ ।।૪૨।। શિષ્ય જેજે તેં પૂછીયું, તે

તે કહ્યું મેં તોય । સુંદર ગ્રંથ સારો થયો, સમજશે સહુ કોય ।।૪૩।। શિષ્ય

જેમ છે તેમ કહ્યું, રતિરતિનું રૂપ । નિષ્કુલાનંદને ઉર રહી, કહિ એ કથા

અનુપ ।।૪૪।। જે જન શ્રવણે સાંભળી, કરશે તને તપાસ । અંતર અરિ

ઓળખશે, થાશે હૃદય પ્રકાશ ।।૪૫।। ફાટી દ્રષ્ટિ ફેરવી, આણી વાળશે

ઉર । તેને સમુ સુઝશે, જાણો જન જરૂર ।।૪૬।। બીજા કોટી ઉપાયથી,

કેદી કાજ ન હોય । શ્રીસહજાનંદ શરણ વિના, કુશળ ન દિઠો કોય ।।૪૭।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હૃદયપ્રકાશ

દેવ દાનવ માનવ મુનિ, સહુ વિષયને વશ । શિવ અજને સુજ્યો નહિ,

જે અતિ થયો અપયશ ।।૪૮।। એટલા માટે આ કથા, વર્ણવી વિવિધ

પ્રકાર । શુદ્ધ શિષ્ય સમઝજે, સહુનું છે આ સાર ।।૪૯।। સંવત્‌ અઢાર

છનુંવો, આષાઢ શુદી એકાદશી દન । રચ્યો ગ્રંથ વરતાલમાં, રાખી હૃદે

ભગવન ।।૫૦।। સોરઠા- સહી એ કથા અનૂપ, યથાર્થ જેમ છે તેમ

કહી । સમજાવ્યું સર્વનું રૂપ, અનુપમ એહ વાત કહી ।।૫૧।।

ઇતિ શ્રી નિષ્કુલાનંદ મુનિ વિરચિતે હૃદયપ્રકાશ મધ્યે સદ્ગુરુ શિષ્ય

સંવાદે પંચદશઃ પ્રસંગઃ ।।૧૫।।

હૃદયપ્રકાશઃ સમાપ્ત

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન

-ઃ ધીરજાખ્યાનમ્‌ :-

રાગ ધન્યાશ્રી- સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન

કહીએ જગવંદજી । શરણાગતના સદા સુખકંદજી, પરમ સ્નેહી છે

પરમાનંદજી ।।૧।। ઢાળ- પરમ સ્નેહી સંત જનના, છે ઘણા હેતુ

ઘનશ્યામ । દાસના દોષ ટાળવા, રહેછે તૈયાર આઠુંજામ ।।૨।। અનેક

વિઘનથી લિયે ઉગારી, કરી પળે પળે પ્રતીપાળ । પરદુઃખ દેખી નવ

શકે, એવા છે જો દીન દયાળ ।।૩।।નિજ દાસને દુશ્મનજન, ઘડીઘડીએ

ઘાત કરે ઘણી । ક્ષણુક્ષણુએ ખબર ખરી, રાખે છે હરિ તેહતણી ।।૪।।

જેમ પડે જનને પાંશરૂં, તેમ કરેછે એ કૃપાનિધિ । સુખ દુઃખને વળી

સમ વિષમે, રાખે છે ખબર બહુવિધિ ।।૫।। જેમ પાળે જનની પુત્રને,

બહુબહુ કરી જતન । એમ જાળવે નિજજનને, બહુ ભાવે કરી

ભગવન ।।૬।। આ જગમાં જીવને વળી, હરિ સમ હેતુ નહિ કોય ।

પરમ સુખ પામે પ્રાણધારી, એમ ચિંતવે શ્રીહરિ સોય ।।૭।। જે દુઃખે

થાય સુખ જનને, તે દેછે દુઃખ દયા કરી । જેહ સુખે દુઃખ ઉપજે, તે

આપે નહિ કેદિ હરિ ।।૮।। જેમ અનેક વિધની ઔષધિ, હોય અતિ

કડવી કસાયલી । દર્દારિ દિયે દર્દિને, ટાળવા વ્યાધિ બાહેર માંયલી

।।૯।। કુપથ્ય વસ્તુ કેદી ન દિયે, ખાવા તે ખોટે મષે કરી । નિષ્કુલાનંદ

એમ નિજજનની, સા’ય કરે છે શ્રીહરિ ।।૧૦।। કડવું ।।૧।।

આગે અનેક થયા હરિજનજી, તેહને આવ્યાં બહુ બહુ વિઘનજી

। સમઝી વિચારી કર્યાં ઉલ્લંઘનજી, ભાવશું ભજ્યા શ્રીભગવનજી ।।૧।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

ઢાળ- ભજ્યા ભગવાન ભાવશું, સાબીત કરી શિરસાટ । લાલચ મેલી

આ લોકસુખની, લીધી અલૌકીક વાટ ।।૨।। તે ભક્ત પ્રહ્લાદ પ્રમાણિયે,

જાણિયે ધ્રુવ જનક જેદેવ । વિભીષણ અંબરરીષ આદિ, ભજ્યા હરિ

તજી બીજી ટેવ ।।૩।। શિબી વળી સુધનવા, ઋભુ ને રંતિદેવ કહીયે ।

નળ મૃદગલ મયૂરધ્વજ, હરિશ્ચંદ્ર હરિજન લહીયે ।।૪।। શુક નારદ ને

સનકાદિક, જડભરત જાજળિ જાણિયે । આરૂણી વળી ઉપમન્યું, ખરા

ખપવાળા એ વખાણિયે ।।૫।। ઉંડું વિચારી અંતરમાં, જાણી લીધું જેમ

છે તેમ । ખાટ્ય થોડી ને ખોટ્ય ઘણી, એહ મારગે ચલાય કેમ ।।૬।।

અલ્પ સુખ સંસારનું, તેમાં દુઃખનો નહિ પાર । જેમ ધાખે ખાયે ધંતુર

નર, તેમાં નાવે સુખ નિરધાર ।।૭।। એવું જોઇ સુખ આ જક્તનું, જેનું

માન્યું નહિ કિયાં મન । તજ્યું સુખ ત્રિય તન ધનનું, કરવા પ્રભુને પ્રસન્ન

।।૮।। મોટા દુઃખને મટાડવા, કશી કમર કરડાઇ કરી । જીતિયે કે જાય

જીવથી, પણ એ દુઃખમાં નાવિયે ફરી ।।૮।। એવો આગ્રહ જેણે આદર્યો,

કરી અંતરે ઉંડો વિચાર । નિષ્કુલાનંદ એવા જનની, શ્રીહરિ કરે છે સાર

।।૧૦।। કડવું ।।૨।।

શુભ મતિ સુણો સહુ સુખની વાતજી, હરિ ભજતાં રહેવું રાજી

રળીયાતજી । સુખ દુઃખ આવે જો તેમાં દિન રાતજી, કાંઇ કચવાઇ ન

થાય કળીયાતજી ।।૧।। ઢાળ- કળીયાત ન થાય કોઇ દિન, રહે મનમાંય

તે મગન । દુઃખ પડતાં આ દેહને, દિલગીર ન થાય કોઇ દન ।।૨।।

વણતોળી વિપતમાંહી, વળી ધરવી અંતરે ધીરને । સદાય ન હોય સરખું,

હોય સુખ દુઃખ શરીરને ।।૩।। તેમાં કાયરતા કોરે કરી, હૈયે હીંમત રૂડી

રાખવી । મોળી વાતને મુખથી, વળી ભૂલે પણ નવ ભાખવી ।।૪।। જેમ

શૂરો જુવે શરીરના, ઘણા ઘણા લાગેલ ઘાવ । તેમ તેમ મલકાય મનમાં,

વળી નાખે મૂછે તાવ ।।૫।। ઘણે દુઃખે મુખ ઉજળું, રહે શૂરવીરનું સદાય

। અલ્પ દુઃખે અણોસરો, રાત દિવસ રહે હૃદામાંય ।।૬।। મુખથી મોટી

વારતા, કષ્ટ સહ્યા વિના ન કહેવાય । ભીડય પડ્યામાં ભળ્યો નથી, ત્યાં

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

સુધી ઝાંખ્યપ નવ જાય ।।૭।। શૂરા સંતનું સરખું કહીયે, તન ઉપર એક

તાન । શૂરો મરે સંત સુખ પરહરે, કરે અળગું અંગ અભિમાન ।।૮।।

સંકટના સમૂહમાંહિ, દિલે દીનતા આણે નહિ । ચડયો રહે કેફ ચિત્તમાં,

તેને સમ વિષમ ગણતિ સહિ ।।૯।। ઇચ્છે સંકટ આવવા, જેમાં સાંભરે

શ્રી ઘનશ્યામ । નિષ્કુલાનંદ એ ભક્ત કહીયે, નારાયણના નિષ્કામ ।।૧૦।।

કડવું ।।૩।।

જેનાં કસાણાં કસોટિમાં તનજી, તે થયા નર નિરવિઘનજી ।

સુખ દુઃખ પડ્યે ન મુંઝાય મનજી, કાચું માને સાચું કસણી વનજી ।।૧।।

ઢાળ- કાચું માને કસણી વિના, શોધાણું માનેછે સાર । ફરી ન થાય

ફેરવણી, એવો ઉંડો ઉરે વિચાર ।।૨।। જેમ કુલાલ કસે મૃત્તિકા, વળી

કાષ્ટને કસે સુતાર । દરજી કસે દુકુળને, લોહને કસે છે લુહાર ।।૩।।

જેમ શલાટ શિલાને કસી કરી, રૂડું આણે વળી તેમાં રૂપ । એમ કસાય

છે જન હરિના, ત્યારે થાય છે શુદ્ધસ્વરૂપ ।।૪।। જાણો જેમ શોધાય છે

સુવર્ણ, તે કનક કુંદન થાય છે । રૂડી રીતે રૂપું શોધતાં, જાણો ચોખી

ચાંદી કહેવાયછે ।।૫।। રૂપ રંગ ને રૂડાપણું, મૂલ તોલમાં વધે વળી । તેહ

શોધ્યાથી સહુ સમઝો, વધી કીંમત સઘળી ।।૬।। વળી જેમ બીજી ધાતુને,

ગાળી બાળે મેલ માંયથી । તેને તોલે જે ભેગે ભરી, અન્ય ધાતુ આવતી

નથી ।।૭।। જેમ પરિયટ પટકે પટને, વળી દિયે મુશળનો માર । ત્યારે

મેલ માંહ્યલો, નવ રહે રતિ નિરધાર ।।૮।। જેમ મજીઠને ખાંડે ખરી,

રૂડી રીતશું રંગરેજ । ચળકે રંગ આવે ચટકી, વળી તેમાં તે આવે તેજ

।।૯।। એમ ભક્ત ભગવાનના, આવે કષ્ટે શોધાય આપ । નિષ્કુલાનંદ

એ ભક્તનો, વળી વધે અધિક પ્રતાપ ।।૧૦।। કડવું ।।૪।।

પદરાગ રામગ્રી - ભક્ત થાવું રે ભગવાનનું, છે જો કઠણ કામ

। સુખ સર્વે સંસારનાંરે, કરવાં જોઇએ હરામ; ભક્ત૦ ।।૧।। દેહ ગેહ

દારા દામનું, મેલવું મમતા ને માન । એહમાંથી સુખ આવે એવુંરે,

ભૂલ્યે ન પડે ભાન; ભક્ત૦ ।।૨।। વિપત આવે વણ વાંકથી, તેતો સહે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

જો શરીરે । ઉપહાસ કરે આવી કોયરે, તેમાં રહે દૃઢ ધીરે; ભક્ત૦ ।।૩।।

ખુની ન થાય ખમે ઘણું, એવો સહજ સ્વભાવે । નિષ્કુલાનંદ એવા

ભક્તનો, જશ જુગોજુગ કહાવે; ભક્ત૦ ।।૪।। પદ ।।૧।।

જેહને થાવું હોય હરિભક્તજી, તેહને ન થાવું આ દેહમાં

આસક્તજી । વળી વિષય સુખથી રે’વું વિરક્તજી, જેહ સુખ સારૂં આ

જળેછે જક્તજી ।।૧।। ઢાળ- જક્ત સુખમાં ન જળવું, વળીવિષય સુખને

સ્વાદ । શુદ્ધ ભક્ત શ્રી હરિતણા, થાવું જેવા જન પ્રહ્લાદ ।।૨।। પ્રહ્લાદ

ભકત પ્રમાણિયે, જાણિયે જગવિખ્યાત । હિરણ્યકશિપુ સુત હરિજન

થયા, કહું કયાધુ જેની માત ।।૩।। ગર્ભવાસ માંહિથી ગુરુ કર્યા, મુનિ

નારદને નિરધાર । નિશ્ચય કર્યું હરિ ભજશું, તજશું સુખ સંસાર ।।૪।।

પછી પ્રહ્લાદજી પ્રસવ્યા, વળી વીત્યાં વરસ સાત । ત્યારે તાતે તેડાવીને,

કહી નિજકુળ રીત ભાત ।।૫।। આસુરીવિદ્યા આપણી, તમે પઢો કરી

બહુ પ્રીત । વિબુધ વામ વિષ્ણુથકી, તો થાઓ અતિશે અજીત ।।૬।।

ત્યારે પ્રહ્લાદે પરિક્ષા કરી, આતો દિસેછે અસુર । મારે એને કેમ મળશે,

એમ વિચારિયું વળી ઉર ।।૭।। મારે ભજવા ભગવાનને, તજવી વિષય

સુખની આશ । દેહ ગેહ દારા દામથી, અતિ થાવું છે ઉદાસ ।।૮।। એહ

વાત અસુરને, વળી નહિ ગમે નિરધાર । માટે મારે એને નહિ મળે,

એવો કર્યો ઉરવિચાર ।।૯।। પણ હમણાં તો એને હા કહું, વળી ના

કે’વાયે કેમ । પછી નિષ્કુલાનંદના નાથનું, થાશે જેમ ધાર્યું હશે તેમ

।।૧૦।। કડવું ।।૫।।

ત્યારે પ્રહ્લાદ કહે પિતા એ સારૂંજી, ભણીશ જેમાં ભલું થાયે

મારૂંજી । એટલું વચન માનીશ તમારૂંજી, એવું સુણી સુતથી તેડયા

અધ્યારૂંજી ।।૧।। ઢાળ- અધ્યારૂ શંડામર્ક જે, તેને કહેછે એમ ભૂપાળ

। ભણાવો આને વિદ્યા આપણી, જાઓ તેડી બેસાડો નિશાળ ।।૨।। પ્રહ્લાદ

બેઠા પછી પઢવા, લખી આપ્યા આસુરી અંક । તેને તર્તટાળી લખ્યા,

નારાયણ થઇ નિઃશંક ।।૩।। ત્યારે શંડામર્ક કે’ સમઝિયે, ભાઇ એ નહિ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

આપણું કામ । એ છે વેરી આપણા અતિ, તેહનું ન લખવું નામ ।। ૪।।

ત્યારે પ્રહ્લાદ કહે પાપી જનના, હશે શત્રુ શ્રીભગવાન । મારે તો સદા એ

મિત્ર છે, આદ્ય અંતે મધ્યે નિદાન ।।૫।। ત્યારે શંડામર્ક એમ સમઝયા,

છે આ વાતમાં વિવાદ । એમ કહી ઉપેક્ષા કરી, ત્યારે કહેછે બાળકને

પ્રહ્લાદ ।।૬।। મરી જાવું સહુને મૂરખો, શિદ ચઢો છો બીજે નોર । ભજો

શ્રીભગવાનને, તજો બીજો સોર બકોર ।।૭।। જેને ભજ્યે જગ જીતી

જાયે, અને થાય સુખિયા સદાય । તેને તજી બીજું બોલે જેહ, તેહ કૃતઘ્ની

કે’વાય ।।૮।। અમૂલ્ય તન જેણે આપિયું, આપ્યો સર્વે સુખનો સમાજ ।

તેને ભજીયે ભાવે કરી, તો સરે તે સઘળાં કાજ ।।૯।। ત્યારે બાળક સહુ

બોલિયાં, જેમ કે’શો તેમ કરશું । નિષ્કુલાનંદનો નાથ ભજતાં, નહિ

થાય અમારૂં નરશું ।।૧૦।। કડવું ।।૬।।

એવા સુણી બાળકના બોલજી, શંડામર્કે કર્યો મને તોલજી । આતો

વાત ચઢી ચગડોલજી, ત્યારે કહ્યું રાયને મર્મ ભર્મ ખોેેલજી ।।૧।। ઢાળ-

ખોલી મર્મ ખરૂં કહ્યું, પ્રહ્લાદ તમારો જે તન । તેતો ભક્ત છે ભગવાનનો,

એ મેં જોઇ લીધું રાજન ।।૨।। આસુર વિદ્યા એની જીભે, ભુલે પણ

ભણશે નહિ । બીજા બાળકને બગાડશે, વળી અવળો ઉપદેશ દઇ ।।૩।।

માટે આડી રખાવો એની આજથી, જે ન ચઢે બીજે વેન । કુળ આપણામાં

કેણે ન કીધું, એવું આદર્યું છે એણે ફેન ।।૪।। ત્યારે હિરણ્યકશિપુ કહે

પ્રહ્લાદને, આવી અવળાઇ તું કાં કરે । નાની વયમાં નિઃશંક થઇ, કાંરે

કોઇથી નવ ડરે ।।૫।। આપું રાજ્ય તને આજથી, અન્ન ધન સર્વે સમાન

। ત્રણ લોકમાં કહું તાહરું, કોઇ મોડી શકે નહિ માન ।।૬।। પ્રહ્લાદ કહે

એહ પાપરૂપ, મને ગમતો નથી એહ ગેલ । ભજતાં શ્રીભગવાનને, મને

સમુ લાગેછે સે’લ ।।૭।। ત્યારે હિરણ્યકશિપુ બોલ્યો હાકલી, માગિ

લેછે મુખે શીદ મોત । માનતો નથી તું માહરું, મરી જાઇશ તું તારાસોત

।। ૮।। ત્યારે પ્રહ્લાદ કહે હવે બોલવું, તેનો કરવો વિચાર । તને તારે મને

મારિયો, તેથી પામ્યો છું તું હાર ।।૯।। ત્યારે હિરણ્યકશિપુ કહે કોપ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

કરી, તને હણીશ મારે હાથ । તારી રક્ષા કેમ કરશે, નિષ્કુલાનંદનો નાથ

।। ૧૦।। કડવું ।।૭।।

કહે હિરણ્યકશિપુ કોઇ છે યાં સેવકજી, મારી મુકાવો આની

તમે ટેકજી । આણે તો આદર્યું અવળું છેકજી, એવું સુણી ઉઠીયા અસુર

અનેકજી ।।૧।। ઢાળ- અસુર ઉઠી આવી કહે, રાય જેમ કહો તેમ

કરીએ । રાય કહે આને મારો જીવથી, તો આપણે સર્વે ઉગરીએ ।।૨।।

અસુરકુળ કાનનનો, કાપનાર આછે કુઠાર । જેમ મહા અરણ્યને અલ્પ

અગ્નિ, વળી બારી કરે છે છાર ।।૩।। માટે માનો એના થકી, વડો થાશે

વળી વિનાશ । જેમ ઝીણો કણિકો ઝેરનો, કરે કલેવરનો નાશ ।।૪।।

કાળ છે આપના કુળનો, તમે જાણી લેજો જરૂર । માટે એનેજો મારિયે,

તો સહુ ઉગરિયે અસુર ।।૫।। માત તાત સુત ભ્રાતનો, વેરી લિયે

વા’લાનો વેશ । એથી સુખ આવે નહિ, આવે કઠણ કષ્ટ કલેશ ।।૬।।

માટે એને તમે જરૂર મારો, માં વિચારો બીજી વાત । છેલ્લી આજ્ઞા

એજ છે, કરો એના જીવની ઘાત ।।૭।। એવું સુણી અસુર નર, સહુ

તરત થયા તૈયાર । મારોે મારો સહુ કરે, અઘે ભર્યા નર અપાર ।।૮।।

નમે’રી ને નિર્દયા, વળી પાપના પુંજ કહિયે । તેને પાને પ્રહ્લાદ પડિયા,

ખરી ક્ષમા એની લહિયે ।।૯।। ગડથલાવી ગળે ઝાલી, કર્યા મારવા સારૂં

મો’ર । નિષ્કુલાનંદ કહે કરી તિયાં, આવતો દીઠો એહ ઠોર ।।૧૦।।

કડવું ।।૮।।

પદરાગ-રામગ્રી - પદાતિ કહે પે’લવાનને, હુકમ કર્યો છે રાયે

। ચીરી નાખ્ય પ્રહ્લાદને, બાંધી હાથીને પાયે; પદાતિ૦ ।।૧।। ત્યારે માવતે

વાત માની મને,બાંધ્યા હાથીને પગે । તેમાંથી પ્રહ્લાદ ઉગર્યા, સહુએ

દીઠા છે દૃગે; પદાતિ૦ ।।૨।। ત્યાર પછી તેણે તપાસીને, આપ્યું ઝેર

અન્નમાં । તેતો અમૃતવત થયું, તર્ત ઉતરે તનમાં; પદાતિ૦ ।।૩।। શિશુ

એ સાત વર્ષના, બાંધ્યું વડાશું વેર । નિષ્કુલાનંદ કહે અસુરને, નહિ

કોઇને મે’ર; પદાતિ૦ ।।૪।। પદ ।।૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

કહો ભાઇ આપણે કરીએ કેમજી, સહુ વિચારવા લાગ્યા વળી

એમજી । કોણ જાણે કેમ રહે છ ેએ ક્ષેમજી, હવે જેમ મરે કરો સહુ

તેમજી ।।૧।। ઢાળ- તેમ તપાસી સહુ કરો, નાખો ઠાઉકો ઠાલે કૂપ ।

મરી જાશે કે ભોરંગ ખાશે, થાશે તેણે રાજી ઘણું ભૂપ ।।૨।। તેમાં નાખ્યે

પણ નવ મર્યા, ત્યારે ડર્યા અસુર અપાર । ખરો વેરી છે ખોટું નથી, એમ

થયો સહુને વિચાર ।।૩।। પછી કહે છે પછાડો પહાડથી, થાય તલ તલ

એનું તન । તેમનું તેમ તેણે કર્યું, તેમાં કરી હરિએ જતન ।।૪।। પછી

ખારા જળ ખારા કીચમાં, ઘાલિયા ઘણો દઇ ભાર । તેથી પ્રહ્લાદ ઉગર્યા,

શ્રીહરિયે કીધી સાર ।।૫।। પછી શસ્ત્ર સર્વે સજ્જ કરી, ઉઠ્યા મારવા

શૂરવીર । તેણે ત્રાસ પામ્યા નહિ, ધન્ય ધન્ય એ જનની ધીર ।।૬।। પછી

પાવકે પરજાળવા, બાળવા કર્યો વિચાર । તેહ વિનાના ઉપાય બીજા,

કર્યા હજારે હજાર ।।૭।। ભક્ત જાણી ભગવાનના, છે અસુરને વેર અતિ

। મનસુબો મને મારવાનો, કરેછે બહુ કુમતિ ।।૮।। નરનારી સહુ એમ

બોલે, કોઇ ઘાત કરો પ્રહ્લાદની । તો અસુર સહુ અભય થાયે, જય થાય

ક્રવ્યાદની ।।૯।। આશ્ચર્ય પામ્યા અમર નર, જોઇ પ્રહ્લાદની ધીર ।

નિષ્કુલાનંદના નાથની કસણી, જોઇ નયણે આવ્યાં નીર ।।૧૦।। કડવું

।।૯।।

નથી હરિજનને ધીરજ સમ ધનજી, કામ દામ આવે એ દોયલે

દનજી । જ્યારે જન કરે હરિનું ભજનજી, તેમાં બહુ આવે વિપત વિઘનજી

।।૧।। ઢાળ- વિઘન આવે વણ ચિંતવ્યાં, સુર અસુર ને નર થકી । જોખમ

ન થાય જન જેમ, તેમ વાત કરવી નકી ।।૨।। આદ્ય અંતે મધ્યેમાંય,

ભક્તે સુખ શું શું ભોગવ્યું । સહી સંકટ ભજ્યા શ્રીહરિ, એમ ચારે

જુગમાંયે ચવ્યું ।।૩।। ભક્ત થાવું ભગવાનનું, રાખી વિષય સુખની આશ

। બેઉ કામ ન બગાડીયે, થાઇએ ખરા હરિના દાસ ।।૪।। અતિ મોટું

કામ આદરી, વળતો કરિયે વિચાર । એતો અરથ આવે નહિ, વળી

ઠાલો ખોવાય કાર ।।૫।। કાર જાયે ને કામ ન થાયે, વળી જાયે ખાલી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

ખેપ । એવું કામ આદરતાં, કહો કેને આવ્યું ઠેપ ।।૬।। માટે તાવે ઘાવ

જેમ ઘાણના, ઘણા લગાડેછે લુહાર । તક ચૂકે જો તા તણી, તો સાંધો ન

થાયે નિરધાર ।।૭।। જોને મોરે જેવું એ મોંઘું હતું, એવું મોઘું નથી જો

આજ । પ્રહ્લાદની પેઠે આપણને, નથી કસતા મહારાજ ।।૮।। પેખો ભક્ત

પ્રહ્લાદને, જેજે પડીયાં એને દુઃખ । વેઠી બહુ કહું વિપત્તિ, રહ્યા હરિની

સનમુખ ।।૯।। એકા એક વિવેકે ટેક, એવું કામ એણે આદર્યું । નિષ્કુલાનંદ

કે’ નાથે તેનું, ઘણું ઘણું ગમતું કર્યું ।।૧૦ ।। કડવું ।।૧૦।।

વળી પ્રહ્લાદની કહું સુણો વાતજી, તેહપર કોપિયો તેનો તાતજી

। ઉઠ્યો લઇ ખડગ કરવા ઘાતજી, થયો કોલાહોલ મોટો ઉતપાતજી

।।૧।। ઢાળ- ઉતપાત તે અતિશે થયો, કહે પાપી પ્રહ્લાદ ક્યાં ગયો ।

દેખાડ તારા રાખનારને, કાઢી ખડગ મારવા રહ્યો ।।૨।। પ્રહ્લાદ કહે

પૂરણ છે, સરવે વિષે મારો શ્યામ । હમણાં પ્રભુ પ્રગટશે, ટાળશે તારૂં

ઠામ ।।૩।। અરેરે એવું બોલ્ય માં તું, વળી કહે ઠરાવીને ઠીક । તુંને તારા

રાખનારની જો, મારે નથી હૈયામાં બીક ।।૪।। એમ કહીને જો કાઢિયું,

તીખું ખડગ તે વાર । ઘાંઘો થાય ઘણું ઘાવ કરવા, પણ ન ડરે પ્રહ્લાદ

લગાર ।।૫।। કરડે દાંત ક્રોધે કરી કાંડાં, વળી બોલે વસમાં વેણ । રીસે

કરી રાતાં થયાં, મહાપાપીનાં બે નેણ ।।૬।। પછી પ્રહ્લાદે પ્રકાશિયું, જોઇ

અસુરનો આરંભ । કહ્યું છે આ કાષ્ટમાં, સ્થિર રહ્યા છે થઇ સ્થંભ ।।૭।।

ઠરાવ્યા જ્યારે હરિ સ્થંભમાં, ત્યારે કોપ્યો લઇ કરવાલ । ઠિકોઠિક મારી

સ્થંભમાં, ત્યાં પ્રગટ્યા પ્રભુ કોપાલ ।।૮।। પછી માગ્યું હતું જેમ મોતને,

તેમાં તે બાધ આવે નહિ । તેમજ તેને મારીયોેે, નરસિંહજી પ્રગટ થઇ

।।૯।। હાહાકાર અપાર થયો, રાખ્યું પ્રહ્લાદજીનું પણ । નિષ્કુલાનંદ કહે

તેણે કરી, સહુ સુખી છૈયે આપણ ।।૧૦।। કડવું ।।૧૧।।

પ્રગટ્યા નૃસિંહજી પ્રહ્લાદને કાજજી, બહુ રાજી થઇ બોલિયા

મહારાજજી । માગો માગો પ્રહ્લાદ મુજથકી આજજી, આપું તમને તેહ

સુખનો સમાજજી ।।૧।। ઢાળ- આપું સમાજ સુખનો, એમ બોલ્યા છે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

નરહરિ । પ્રહ્લાદ કહે તમે પ્રસન થયા, હવે શું માગું બીજું ફરી ।।૨।।

મારે તો નથી કાંઇ માગવું, પણ એવું કહેશોમાં કોઇને । પંચ વિષયમાં

પ્રીત જીવને, માગશે રહ્યાછે જેમાં મોઇને ।।૩।। થોડિક સેવા કરી તમારી,

માગેછે મોટા સુખને । એવા વે’પારીને ઓળખી, વિષયસુખ દેશોમાં

વિમુખને ।।૪।। એમ પ્રહ્લાદજી ઉચ્ચર્યા, કહ્યો અંતરનો અભિપ્રાય ।

ધીરજતાનું ધામ ધન્ય, નિષ્કામ કહ્યા ન જાય ।।૫।। પેખી ભક્તિ પ્રહ્લાદની,

એવી આપણે પણ આદરો । નકી પાયો નાખી કરી, ભય તજી ભક્તિ

કરો ।।૬।। ભક્ત કહેવાઇ આ ભવમાં, અભક્તપણું અળગું કરો । શુદ્ધ

સેવક થઇ ઘનશ્યામના, અમળ ભક્તિ આદરો ।।૭।। ભક્તિમાં ભેગ

ભૂંડાઇનો, વળી રતિપણ નવ રાખીયે । દોરી બાંધી અંગે દામની,

વિશવાસી પાસે નવ નાખીયે ।।૮।। ભક્ત છે બહુ ભાતના, દામ વામ

ખુબ ખાનપાનના । એવું ન થાવું આપણે, થાવું ભકત ખરા ભગવાનના

।।૯।। સેવક થઇ ઘનશ્યામના, ઇચ્છવાં સુખ સંસારનાં । નિષ્કુલાનંદ એ

ભક્ત નહિ, એતો લક્ષણ છે ચોર જારનાં ।।૧૦ ।। કડવું ।।૧૨।।

પદરાગ- રામગ્રી - ભક્ત સાચા ભગવાનના, ઝાઝા જડતા

નથી । લક્ષણ જોઇ લેવાં લખીરે, શું કહિયે ઘણું કથી; ભક્ત૦ ।।૧।।

અતિ દયાળુ દિલના, પડ્યે કષ્ટે ન કા’ય । પ્રાણધારીને પીડે નહિરે, પર

પીડયે પીડાય; ભક્ત૦ ।।૨।। પોતાને સુખ જો પામવા, બીજાનું ન બગાડે

। દુષ્ટ આવે કોઇ દમવા, તેને શાન્તિ પમાડે; ભક્ત૦ ।।૩।। ક્ષમા ઘણી

ક્ષોભે નહિ, સુખ દુઃખને સહે । નિષ્કુલાનંદ એવા ભક્તથી, હરિ દૂર ન

રહે; ભક્ત૦ ।।૪।। પદ ।।૩।।

વળી ધન્ય ધન્ય ધ્રુવજીને કહિયેજી, જેનો તાત ઉત્તાનપાદ

લહિયેજી । સુનીતિને ઉદર આવ્યા જહિયેજી, જનની ઉરમાં વિચારિયું

તહિયેજી ।।૧।। ઢાળ- ઉરમાં એમ વિચારીયું, થાવું મારે તે હરિદાસ ।

એવે વિચારે આવિયા, વળિ નિજ પિતાની પાસ ।।૨।। આદર ન પામ્યા

તાતથી, થઇ પુષ્ટિ એહ પરિયાણની । અપર માયે પણ એમજ કહ્યું, થઇ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

દૃઢ મતિ સુજાણની ।।૩।। જેમ શૂરો શત્રુ સેનશું, હૈયે કરે લડવાને હામ

। તેને સીધું સંભળાવતાં, ભાઇ મરી મટે એહ ઠામ ।।૪।। તેમ ધ્રુવે એમ

ધાર્યું હતું, અતિ થાવું છે સહુથી ઉદાસ । રાજ સાજ સુખ સંપત્તિ, મેલી

વન કરવો છે વાસ ।।૫।। અલ્પ સુખ સંસારનું, જે મળે ને મટી જાયરે ।

તેહ સારૂં આવું તન ખોઇ, કહો કોણ દુઃખને ચા’યરે ।।૬।। અચળ સુખ

અવિનાશીનું, જેહ પામીને પાછું નવ ટળે । એવા સુખને પરહરી, બીજા

સુખમાં કોણ બળે ।।૭।। અસત્ય સુખ સંસારનાં, તેને સત્ય માની નરનાર

। ભુલવણીમાં ભૂલાં પડયાં, કેણે ન કર્યો ઉર વિચાર ।।૮।। મરીચિ જળે

મળ ટળવા, મનસુબો કરેછે મનમાંય । પણ જાણતા નથી રીત ઝાંઝુની,

એહ અર્થ નવ આવે કાંય ।।૯।। એવું દ્રઢ ધ્રુવે કર્યું, મો’રથી મનમાંય ।

નિષ્કુલાનંદનો નાથ ભજશું, તજશું બીજી ઇચ્છાય ।।૧૦।। કડવું ।।૧૩।।

દ્રઢ વિચાર એમ કરી ધ્રુવે મનજી, વેગેશું ચાલિયા વળતા વનજી

। મારગમાં મળ્યા નારદમુનિ જનજી, તેણે કહ્યાં બહુ હેતનાં વચનજી

।।૧।। ઢાળ- વચન કહ્યાં બહુ હેતનાં, વળી આપ્યો મંત્ર અનુપ । પછી

અચળ તપને આદર્યું, જપે મંત્ર એ સુખ સ્વરૂપ ।।૨।। પાંચ વરષના એક

પગે, ઉભા અચળ અડગ થઇ । બહુ બલાઉં આવે બિવરાવવા, તેના

બિવરાવ્યા બીવે નહિ ।।૩।। શ્યાળ વ્યાળ કરી કેસરી, વાઘ વાનર વૃક

વિઝુ વળી । ભૂત પ્રેત રાક્ષસ રાક્ષસી, વૈતાલ વૈતાલી મળી ।।૪।। હોહોકાર

હુંકાર કરે, કરે કાનમાં ક્રુર ઉચ્ચાર । મારો મારો ખાઓ ખાઓ કહે,

પણ ન ડરે ધ્રુવજી લગાર ।।૫।। અન્ન જળ તજી આરંભ્યું, કઠણ તપ જે

કહેવાય । તજી લાલચ્ય તનની, આદર્યો એહ ઉપાય ।।૬।। ખરી ટેક ખટ

માસ સુધી, ઉભા રહ્યા એક પગે । અસુર સુર આશ્ચર્ય પામ્યા, દેખી તપ

ધ્રુવજીનું દ્રગે ।।૭।। પ્રભુ મળ્યા સારૂં પરહર્યું, સર્વે શરીરનું સુખ । રાજી

કરવા રમાપતિ, અતિ દિયે છે દેહને દુઃખ ।।૮।। મેલી મમત હિંમત

કરી, પરહરી ખોટા સુખની આશ । આકરૂં તપ આદર્યું, જોઇ પામ્યા

જન મન ત્રાસ ।।૯।। ધરણી લાગી ધ્રુજવા, ડરવા લાગ્યા દિગ્પાળ ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

નિષ્કુલાનંદ નાની વયમાં, દીઠા બહુ બળવાળા બાળ ।।૧૦।। કડવું ।।૧૪।।

નિર્બળથી નથી નિપજતું એ કામજી, શીદ કરે કોઇ હૈયામાંહી

હામજી । ઘણું કઠણછે પામવા ઘનશ્યામજી, જેણે પામિયે સુખ વિશ્રામજી

।। ઢાળ- સુખ વિશ્રામ પામિયે, વામિયે સર્વે વિઘન । તેમાં કસર ન

રાખીયે, રાખિયે પ્રગળ મન ।।૨।। ધારી ટેક ધ્રુવના સરખી, ઉર આંટી

પાડવી એમ । પામું હરિ કે પાડું પંડને, કરૂં ધ્રુવે કર્યુંર્ં હું તેમ ।।૩।। એમ

ઓથ્ય મોટાની લિયે, ખોટ્ય તે ખોવા કાજ । ખાલી ન જાય ખેપ તેની,

જરૂર રીઝે મહારાજ ।।૪।। પ્રહ્લાદ ધ્રુવની પેરે કરે, સમઝિ ભક્તિ સુજાણ

। તેથી અધિક કરવી નથી, કરવી એને પ્રમાણ ।।૫।। એના જેવી જે આદરે,

સહે તને કષ્ટ બહુ ટાઢ । એમ કરતાં હરિ મળે, ત્યારે પલટ્યો નથી કોઇ

પાડ ।।૬।। એના જેવી વળી આપણે, ભલિ ભાતે બાંધિયે ભેટ । ત્યારે

પ્રસન્ન જન પર પ્રભુ, ન થાય કહો કેમ નેટ ।।૭।। હિંમત જોઇ હરિજનની,

હરિ રહેછે હાજર હજુર । પણ ભાગે મને ભક્તિ કરે, તેથી શ્રીહરિ

રહેછે દૂર ।।૮।। સાચા ને સોંઘા ઘણા છે, નથી માેંઘા થયા મહારાજ ।

ખોટાને ન જડે ખોળતાં, તે દિન કે વળી આજ ।।૯।। માટે કસર મૂકી

કરી, થાઓ ખરા હરિના દાસ । નિષ્કુલાનંદ નજીક છે, તે દાસ પાસ

અવિનાશ ।।૧૦।। કડવું ।।૧૫।।

વળી કહું વર્ણવી ધ્રુવની વાતજી, શીત ઉષ્ણ સહેછે દિન ને રાતજી

। તેમાં ન થાય કોઇ કાળે કળિયાતજી, કરવા હરિને રાજી રળિયાતજી ।।

ઢાળ- રાજી કરવા મહારાજને, સુખ દુઃખ સહેછે શરીર । અડગ ઉભા

એક પગ ભર, ધારી દૃઢતા મન ધીર ।।૨।। રોઝ ગેડાં પાડા અરણા,

શશાં સેમર સુરાગાય । આવે એવાં વળી દુઃખ દેવા, પણ બીવે નહિ

મનમાંય ।।૩।। ગૃજ્ય ગીધ ચિલ ચિબરી, કાક કરૂરી સુઘરી કપોત ।

ભ્રમર તમર બોલે ટિદડાં, ઠામઠામ જમકે ખદ્યોત ।।૪।। એકએકથી

અધિક પાપી, પાડે ભજનમાં ભંગ । તોય ધ્રુવજી નથી ધ્રુજતા, ધરી

ધીરજ કરી દ્રઢ અંગ ।।૫।। ખાન પાનની ખબર નથી, નથી કરતા નિદ્રા

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

નયણે । ભજેછે ભગવાનને, વારમવાર વયણે ।।૬।। શ્વાસોચ્છવાસે

સમરે, સુખદાયિ શ્રી ઘનશ્યામ । પળ એક પામતા નથી, એહ ભજનથી

વિરામ ।।૭।। તનને રાખ્યું છે તપમાં, મન રાખ્યું છે મહાપ્રભુમાંય । તેહ

વિના તન મન બીજે, રાખ્યું નથી કહું ક્યાંય ।।૮।। જોઇ તપ એ જનનું,

બાળપણનું બહુપેર । માનવ દાનવ દેવતાને, કહો કેમ ના’વે મને મે’ર

।।૯।। વિષ્ણુ તેહને વિલોકિને, રિઝયા અતિ રમાપતિ । નિષ્કુલાનંદ કહે

નાથજી, ઇચ્છયા દેવા પૂરણ પ્રાપતિ ।।૧૦।। કડવું ।।૧૬।।

પદરાગ રામગ્રી - ઇચ્છયા અટળ પદ આપવા, અલબેલો

અવિનાશ । આવી એમ ધ્રુવને કહ્યુંરે, માગોમાગો મુજ પાસ;

ઇચ્છયા૦ ।।૧।। ધ્રુવજી કહે ધન્ય ધન્ય નાથજી, તમે પ્રસન્નજ થયા ।

એથી બીજું શું માગવું, દિન દુઃખના ગયા; ઇચ્છયા૦ ।।૨।। અખંડ

રે’જો મારે અંતરે, પ્રભુ આવાના આવા । મોટું બંધન છે માયાતણું,

તેમાં ન દેશો બંધાવા; ઇચ્છયા૦ ।।૩।। એમ ધ્રુવજી જ્યારે ઓચર્યા,

લાગ્યું સારૂં શ્યામને, નિષ્કુલાનંદ કહે નાથે પછી, આપ્યું અચળ

ધામને; ઇચ્છયા૦ ।।૪।। પદ ।।૪।।

હરિ ભજવા હરખ હોય હૈયેજી, ત્યારે ભક્ત ધ્રુવ જેવા

થઇયેજી । એથી ઓરા રતિયે ન રહિયેજી, પરમપદને પામિયે

તહિયેજી ।।૧।। ઢાળ- પરમપદને પામિયે, વામિયે સર્વે વિકાર । કાચા

સાચા સુખને, નવ પામે નિરધાર ।।૨।। અજાર ન દેવો અંગે આવવા,

દેહ દમવું ગમતું નથી । એવા ભક્ત જક્તમાં ઘણા, તેની વાત હું શું

કહું કથી ।।૩।। વાંછના વિષય સુખની, રહે અખંડ તે ઉરમાંય । ભાળી

એવા ભક્તને, કહો કેની કરે હરિ સા’ય ।।૪।। માટે ભક્ત એ ભુલા

પડયા, નથી ભૂલા પડયા ભગવાન । જેહ જેવી ભક્તિ કરે, તેવું ફળ

પામે નિદાન ।।૫।। વાવિયે બીજ વળી વિષનું, કરિયે અમૃતફળની

આશ । એહ વાત નથી નિપજવી, તેહનો તે કરવો તપાસ ।।૬।। કરી

લાડવા જો કાષ્ટના, વળી લેવું મોતિયાનું મૂલ । તે સમઝુ કેમ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

સમઝશે, કાષ્ટ પિષ્ટ મિષ્ટ સમ તૂલ ।।૭।। ભૂત ભવિષ્ય વર્તમાનમાંયે,

વળી વિચારવી એહ વાત । ભક્તિ કરી મો’રે ભગતે, તેવી કરવી

વિખ્યાત ।।૮।। છાર સારનો ભાર સરખો, તપાસી તે ઉપાડવો ।

સારમાં સહુ સુખ મળે, છાર ઢોયે પરિશ્રમ પાડવો ।।૯।। માટે સાચા

થઇ સહુ મંડો, ખોટ્ય ખંખેરી કાઢો ખરી । નિષ્કુલાનંદ કહે નાથજી,

રિઝશે તો શ્રીહરિ ।।૧૦।। કડવું ।।૧૭।।

જુવો હરિભક્ત થયા હરિશ્ચંદ્રજી, જેનું સત્ય જોઇ અકળાણો

ઇંદ્રજી । ત્યારે ગયો વિષ્ણુની પાસે પુરંદરજી, જઇ કહી વાત મારૂં ગયું

મંદરજી ।।૧।। ઢાળ- મારૂં તો ઘર ગયું, આજ કાલ લેશે અવધપતિ ।

એનું સત્યધર્મ નિ’મ જોઇને, હુંતો અકળાણો અતિ ।।૨।। એને દાને કરી

ડોલિયું, મારૂં અચળ ઇંદ્રાસન । માટે રાખો કહું મુજને, હું આવ્યો શરણે

ભગવન ।।૩।। ત્યારે વિષ્ણુ એમ બોલિયા, તું બેસ સ્થાનક તાહરે । નથી

દેવું ઇંદ્રાસન એને, એને રાખવો છે ધામ માહરે ।।૪।। પછી તેને ૫તાવવા

સારૂં, તેડાવ્યા વિશ્વામિત્રને । હરિશ્ચંદ્રને સત્યથી પાડો, પમાડો દુઃખ

નિરંત્રને ।।૫।। ત્યારે વિશ્વામિત્ર કહે વિષ્ણુને, એમાં લાગે મને અપરાધ

। ત્યારે વિષ્ણુ કહે મારે વચને, નથી તમને કાંઇ બાધ ।।૬।। જેણે

વસિષ્ઠસુત સો સંહાર્યા, એવા છે દિલના દયાળ । તેને એ કામ કઠણ

નથી, ઉઠી ચાલિયા તતકાળ ।।૭।। પરને પીડા પમાડવા, જેને અંતર

નથી અરેરાટ । સંકટ એ કેમ સહિ શકશે, એવો નથી હૈયામાંહી ઘાટ

।।૮।। મનમાં મે’ર મળે નહિ, વાણીએ વિપત્ય પાડે ઘણી । કાયાયે રૂડું તે

કેમ કરે, ધારો વિચારો તેના ધણી ।।૯।। અવધપુરિયે આવિયા, હરિશ્ચંદ્ર

રાયને ઘેર, નિષ્કુલાનંદ હરિશ્ચદ્રે પછી, પૂજા કરી બહુપેર ।।૧૦।। કડવું

।।૧૮।।

ષોડશ પ્રકારે કરી પૂજા અતિજી, ધૂપ દીપ કરી ઉતારી આરતિજી

। પછી હાથ જોડી કરી વિનતિજી, માગોમાગો મુજથી મોટા મહામતિજી

।।૧।। ઢાળ- માગો કાંઇક મુજ પાસથી, તેહ આપું તમને આજ । ત્યારે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

મુનિ બોલિયા, આપ્ય તારૂં સર્વે રાજ ।।૨।। પૂછ રાણી કુંવર તારાને,

સહુ હોય રાજી રળિયાત । તો મેં જે માગ્યું તે આપજ્યે, નહિ તો ન કર્ય

મુખથી વાત ।।૩।। રાજ્ય દઇને રાંક થાશો, નહિ મળે અંબર અન્ન આહાર

। અળતોળ્યું દુઃખ આવશે, નહિ રહે સત્ય કરો વિચાર ।।૪।। ત્યારે રાય

રાણી કુંવરે, કર્યો એમ વિચાર । આપો સહુ રાજ્ય એહને, રાખો સત્ય

નિરધાર ।।૫।। ત્યારે રાય કહેછે ઋષિને, આપ્યું રાજ્ય સાજ સર્વે સમૃદ્ધિ

। ત્યારે ઋષિ બોલિયા જોઇએ, તેહ ઉપર દક્ષિણા દીધિ ।।૬।। ત્યારે રાય

બોલિયા, દેશું સુવર્ણ ત્રણભાર । ઋષિ કહે આપ્ય હમણાં, મ કર્ય વેળ

લગાર ।।૭।। રાજ્ય સાજ સમૃદ્ધિ મારી, એથી બા’ર હોય કાંય તુજતણું

। આપ્ય તે ઉતાવળું, એમ ઘાંઘો કીધો ઘણું ।।૮।। ત્યારે રાય કહે આ

રાજ્યમાં તો, અમારૂં નથી અણુંભાર । કુંવર રાણી આ દેહ મારૂં, એછે

દીધા થકી બા’ર ।।૯।। ત્યારે રાય ઋષિને કહે, વેચી અમને ધન લઇયે ।

નિષ્કુલાનંદ ત્યારે ઋષિ કહે, ચાલો સહુ કાશીએ જઇયે ।।૧૦।। કડવું

।।૧૯।।

વિશ્વામિત્ર કહે વિતશે એકમાસજી, ત્યારે હું આવીશ તમારી

પાસજી । ત્યાં સુધી કરજો કાશીમાંહી વાસજી, પછી હું વેચીશ કરી

તપાસજી ।।૧।। ઢાળ- તપાસ કરીશ હું ત્રણનો, પછી વેચીશ વિગતે

કરી । ત્યારે ત્રણે ચાલ્યાં ત્યાં થકી, દૃઢ ધીરજ મનમાં ધરી ।।૨।। રાજા

રાણી કુંવરનાં છે, અતિ કોમળ અંગ । સોસો સેવા જેની કરતા, નથી

તેને સેવક એક સંગ ।।૩।। કાંટા કાંકરા આકરા અતિ, ખાડા ખડિયા ઠેશું

ઠબકે । ગોખરું ભ્રંઠ ડાભ શુળીયાં, લાગે પગમાં લોહી ટબકે ।।૪।। તપે

ભૂમિ તીખી અતિ, તેમાં નથી ચલાતું ચરણે । બળે તળાં બે પગનાં, તેણે

ઢળી પડેછે ધરણે ।।૫।। ઉપર તીખો પ્રલય સરિખો, ઉગ્યો અર્ક અગ્નિ

લઇ । પાણી ન મળે પ્યાસે મરે, અન્ન વિના દિન ગયા કંઇ ।।૬।। પ્યાસ

ભૂખની પીડા થકી, નકી દિલે નથી ડોલતાં । અડવડે લડથડે પડે, તોય

કાયર વાયક નથી બોલતાં ।।૭।। વાટમાં બહુ વિઘન કરવા, સત્ય મુકાવવા

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

સામા મળે । ત્રણેની એક ટેક છે, તે ચળાવ્યાં પણ નવ ચળે ।।૮।। સહ્યાં

ન જાય શરીરમાંહે, એવાં બીજાં કષ્ટ આવે બહુ । તોય દુઃખી ન માને

દિલમાં, એવાં શ્રદ્ધાવાળાં છે સહુ ।।૯।। દુઃખતણા દરિયાવમાંહી, ત્રણે

પડિયાં છે તળે । નિષ્કુલાનંદ કહે ધન્ય ધીરજ, એમ કહ્યું સંત સઘળે

।।૧૦।। કડવું ।।૨૦।।

પદરાગ સિંધુ- સત્યવાદી સંત સંકટને સહે, રહે ધીર ગંભીર

નીરનિધિ જેવા । આપે અમાપે તાપે તપે નહિ કેદી, અડગ પગ મગે

પરઠે એવા; સત્ય૦ ।।૧।। જગ ઉપહાસ ત્રાસ હરિદાસ સહે, અન્ય કાસ

તાસ નાશ કીધી જેણે । અવિનાશ પાસ વાસ આશ કરી, શ્વાસ ઉચ્છવાસ

ઉલ્લાસ રહેછે તેણે; સત્ય૦ ।।૨।।અતિ પ્રસન્નવદન નિશદિન રહે, ધન્ય

ધન્ય જન પાવન સરે । જગજીવન સ્વજન વિઘન હરે, તેહ વિના ભજન

મન નવ કરે; સત્ય૦ ।।૩।। ગ્રહી ટેક એક વિવેક કરી ખરી, છેક તેક નેક

તે નવ તજે । નિષ્કુલાનંદ જગવંદ સહજાનંદ, સુખકંદ ગોવિંદ મુકુંદ

ભજે; સત્ય૦ ।।૪।। પદ ।।૫।।

ત્યાર પછી ત્રણે ચાલી ભૂલ્યાં વાટજી, આગળ આવ્યું ઉજ્જડ

નડેડાટજી । નાવ્યું નીર નદી કોઇ વાટ ઘાટજી, તોય મને નથી કરતાં

ઉચ્ચાટજી ।।૧।। ઢાળ- ઉચ્ચાટ નથી જેને અંતરે, રહેછે આનંદ ઉરમાં

અતિ । દૃઢ ધીરજ મનમાં ધરી, કરી સઘન વન વિષે ગતિ ।।૨।। ખેર કેર

ખજુરી ખરાં, બાવળ કંટાળા બોરડી । અતિ અણિયાળાં આંકડિયાળા,

લાગે કાંટા જાયે લડથડી ।।૩।। વાઘ વરૂ વાનર વિંઝુ, શંશા સેમર શ્યાળ

છે । ચીત માતંગ નાર નોળ, એ વનમાં વિછું વ્યાળ છે ।।૪।। પરવત પર

પાવક બળે, પાડે પશુ પંખી બુંબરાણ । ઉપર ઉડે શકરા શમળા, કંક

કોશી હરવા પ્રાણ ।।૫।। ઘુડ હોલા ઘણા ઘુઘવે, બીજા શબ્દ થાયે ભયંકાર

। સહ્યા ન જાય શ્રવણે, એવા થાય બહુ ઉચ્ચાર ।।૬।। ભુંડિ કઠણ એ

ભૂમિકા, અતિ વિકટ વન સઘન । ચાલી ચરણ ચકચુર થયાં, ત્યારે થયું

એ વન ઉલ્લંઘન ।।૭।। ચાલી ન શકે ચરણે, ઢળી વળી પડી જાય ધરણે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

। પામે પીડા બહુ પેરની, તેતો વદને ન જાય વરણે ।।૮।। મૃતકવત્‌ મહી

ઉપરે, ત્રણે પડી ગયાં તે વાર । મોડીથી મૂર્ચ્છા ઉતરી, તૈયે થયાં ચાલવા

તૈયાર ।।૯।। ધીરે ધીરે પગ ધરી ચાલતાં, આવી નદી પીધું નીર ।

નિષ્કુલાનંદ ત્યાં માર્ગ મળ્યો, પછી ચાલ્યાં ત્રણે સુધીર ।।૧૦।। કડવું

।।૨૧।।

મળિયો મારગ ચાલિયાં ચોંપેજી, પડે આખડે પગ પાછા ન

રોપેજી । પો’ચિયે કાશિયે તો સારૂં છે સહુપેજી, નવ પો’ચિયે તો ઋષિ

રખે કોપેજી ।।૧।। ઢાળ- ઋષિ કોપ્યાની બીક રહે, રખે વાટે વહી જાય

માસ । આપે શાપ તો આપણે, એવો ત્રણેને મને ત્રાસ ।।૨।। અન્ન વિના

અચેત અતિ, ગતિ થોડી થોડી થાયછે । અડવડતાં ને આખડતાં, ત્રણે

ચાલ્યાં જાય છે ।।૩।। સાંજ પડે સહુ સામટાં મળી, વળી વાત કરે ધીરજની

। સ્મરણ કરતાં શ્રીહરિનું, એમ નિગમે છે રજની ।।૪।। સવારે સહુ થઇ

સાવધાં, વળી ચાલેછે ચોંપે કરી । રખે વીતી જાય વાયદો, એવી અંતરે

ખટક ખરી ।।૫।। લાંઘણે કરી લે ૨લહેરિયાં, થયાં અન્ન વિના અચેત ।

સૂકી ગયાં શરીરમાં, રાજા રાણી કુંવરસમેત ।।૬।। તોય ટેક તજતાં

નથી, કથી નથી કે’વાતી એની ધીર । ઓછપ ન આણે અંતરે, સુખ દુઃખ

ન માને શરીર ।।૭।। એમ મહાદુઃખ પામ્યા મારગે, તેહ કેતાં પણ કે’વાય

નહિ । ત્યારે તે પહોંચ્યાં કાશિયે, ઉભાં ત્રણે તે ચોકે જઇ ।।૮।। ત્યાંતો

તૈયાર ઉભા હતા, ઋષિ વિશ્વામિત્ર જેનું નામ । તૃણ કોળી તે ઉપર ધરી,

વળી વેચવાને કામ ।।૯।। સાંજ પડી ગઇ શહેરમાં, ત્યારે આવ્યાં ઘરાક

તે વેર । નિષ્કુલાનંદ કહે નાણું દઇ, લઇ ગયાં પોતપોતાને ઘેર ।।૧૦।।

કડવું ।।૨૨।।

રાણી રોહિદાસનું દ્વિજ દઇ ધનજી, તેડી ગયો તેહને નિજ

ભવનજી । હરિશ્ચંદ્ર એક રહ્યા રાજનજી, તેપણ વેચાણો શ્વપચને સદનજી

।।૧।। ઢાળ- શ્વપચ ઘેર રાજા રહ્યા, દ્વિજ ઘેર રહ્યા રોહિદાસ । તારા તે

પણ દ્વિજનું, કરે કામ કરી ઉલ્લાસ ।।૨।। તારા ખાંડી દિયે તાંદુળા, પીસી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

દિયે ગોધૂમ આદિ અન્ન । જળ ભરે વાળે ઘર આંગણું, લીંપે સદન ધુવે

વસન ।।૩।। રોહિદાસ પણ એહજ રીતે, કરે બ્રાહ્મણનું કામ । પુષ્પ પર્ણ

તૃણ ઇંધણ આણે, ચાંપે ચરણ ચારૂ જામ ।।૪।। શ્વપચે સોંપ્યું હરિશ્ચંદ્રને,

લેવો મડદે મડદે લાગ । આપે ખાંપણ પઇસો, ત્યારે મૂકવા દેવી આગ

।।૫।। ત્યારે હરિશ્ચંદ્ર ધારી હૈયે, જાય સહુથી મો’રે મશાણ । દિયે દોટું

લેવા લાગને, વળી પાડે બહુ બુંબરાણ ।।૬।। ખાંપણ પઇસો લઇશ ખરો,

ત્યારે તે આપીશ બાળવા । આપ્યા વિના રખે આગ મૂકો, આવ્યો છું હું

ખાળવા ।।૭।। મોટું શહેર મરે ઘણાં, બાળે અળગાં એકએકથી । હમેશ

ઉઠી દિયે હડિયું, નિરાંત લવલેશ નથી ।।૮।। મડદે મડદે મશાણમાં,

રડવડે રાત ને દન । જળ ટાંણે જળ ન મળે, અન્ન ટાંણે ન મળે અન્ન

।।૯।। એવા કામમાં રાજા રહ્યા, તિયાં ગયા વહીકંઇ દન । નિષ્કુલાનંદ ન

થાય બીજે, જેવું કર્યું એહ રાજન ।।૧૦।। કડવું ।।૨૩।।

વિપ્ર કહે સુણ રોહિદાસ સુભાગ્યજી, સુગંધી ફુલ લાવ્ય જઇ

બાગજી । ગયા ત્યારે ત્યાં ડશ્યા કાળે નાગજી, તેણે કરી તર્ત કર્યું તન

ત્યાગજી ।।૧।। ઢાળ- ત્યાગ્યું તન જન જોઇને, કહ્યું વિપ્રને તે વાર ।

તેહના દેહને દાહ દેવા, મોકલ્યા સેવક ચાર ।।૨।। તે શબ લાવ્યા ગંગાતટે,

ચે’રચી મૂકેછે આગ । ત્યારે હરિશ્ચંદ્ર કે’મ મૂકીશ અગ્નિ, આપ્યા વિના

મારો લાગ ।।૩।। આપી લાગ લગાડી ચિતા, થયું અર્ધ બળ્યું જ્યારે તન

। ત્યારે નાખી ચે’ ઓલવી, ઘણો ઘણો વરસી ઘન ।।૪।। ત્યારે આવીછે

તારા તિયાં, લીધું મડદું તે ખોળામાંય । ત્યાં આવ્યા ઋષિ કહે આપું

છરી, રાખો ભૂત ભય ન રહે કાંય ।।૫।। આપી છરી કહ્યું જઇ રાયને,

એક વાત કહું કાને ધરીયે । મશાણે મરકી મનુષ્યને, ખાયછે કાપી કાપી

છરીયે ।।૬।। ત્યારે ભૂપ કહે તેડી ભંગિયો, જાઓ મારો ગરદન એહને ।

ઝાલી લીધી પછી જટિયે, મારવા સારૂં તેહને ।।૭।। ઢીકા ગડદા પાટુએ

વળી, મારી કરીછે અધમુઇ । મારોમારો કહે શું વિચારો, કરો મુંડ ઘડથકી

જુઇ ।।૮।। એવાં દુઃખ આવી પડીયાં, જેહ સહ્યાં ન જાય શરીર । સુત

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

મૂવાનો અતિ શોક છે, તોય ધરી રહ્યાંછે ધીર ।।૯।। પછી હરિશ્ચંદ્રને

હુકમ કર્યો, આવ્યો મારવા ગરદન । નિષ્કુલાનંદના નાથની કસણી,

સહી શકે કહો કોણ જન ।।૧૦।। કડવું ।।૨૪।।

પદરાગ સિંધુ- રાણી વાણી જાણી તાંણી તીખી કહે, કાઢ કાઢ

કાઢ કરવાળ તારી । ગ્રહે અતિ ગાઢ ગાઢ ગાઢ મને, વાઢ વાઢ વાઢ વળી

મૂંડ મારી; રાણી૦ ।।૧।। રખે અડર નર ડરે ડરતો, થરથરથર કર કરીશ

માં જો । ધરી ધીર શરીર શૂરવીર થઇ, નાથ હાથ વાળતાં દિલે ડરીશ માં

જો; રાણી૦ ।।૨।। ત્યારે અચાનક ચાનક ચિત્તે ચડી, દડવડી ડગ ભરી

દોટ દીધી । અતિ વિકરાળ કરવાળ જવાળ જેવી કહીએ, તે ભૂપાળ

ઉતાળ તતકાળ લીધી; રાણી૦ ।।૩।। કાઢ્યું ખડગ થડક ધડક નથી, થડક

થડક તે થડક ટળી । ફડક ફડક ફડકતી નથી, ઝડક ઝડક કહે મને માર

વળી; રાણી૦ ।।૪।। તીખી તરવાર માર માર માર કરે, ધારે ધારે ધારે

ધીરજ ન રહે । તારે તારે તારે તારા ભણે, માર માર માર એમ મુખે કહે;

રાણી૦ ।।૫।। સુર નર સાથ સાથ સાથ મળ્યા, પાથ પાથ પાથ પડે રડે

રહ્યાં, । નિષ્કુલાનંદ અનાથના નાથજી, હાથેહાથ હાથ ગ્રહી લીધોછે

તિયાં; રાણી૦ ।।૬।।

માગો હરિશ્ચંદ્ર આપું તુજનેજી, તમથી વા’લું નથી બીજું મુજનેજી

। તમને પીડયા સુણી સુરેશની ગુંજનેજી, ઘટે એવું કામ કરવું અબુજનેજી

।।૧।। ઢાળ- અબુજ એવું કામ કરે, જેને ડર નહિ હરિતણો । માટે માગો

મુજ પાસથી, હું તો રાજી થયો ઘણો ।।૨।। ત્યારે હરિશ્ચંદ્ર બોલિયા,

ધન્ય તમે થયા પ્રસન્ન । એથી અધિક બીજું નથી, મને સર્વે મળ્યોે માલ

ધન ।।૩।। એમ કરતાં હોય આપવું, તો માગું છું મારા શ્યામ । અમે

અમારી રૈયત સહિત, રાખો તેડી તમારે ધામ ।।૪।। ત્યારે વિષ્ણુએ એ

વર આપ્યો, આપ્યો વૈકુંઠે તમને વાસ । એહ વાત હરિશ્ચંદ્રની કહિ,

સહુ સુણી લેજો હરિદાસ ।।૫।। એવી ભક્તિ આદરવી ખરી, જાણો જેવી

હરિશ્ચંદ્રે કરી । તેહ વિના તન મન તાને, નથી રીઝતા શ્રીહરિ ।।૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

કાલાવાલાનું કામ નથી, આતો શિશ સાટાની વાત છે । તેહ વિના કોઇ

કરે વલખાં, તેતો કાળી કામળિયે ભાત છે ।।૭।। જેમ હવાખાવાનું સુણી

હૈયાટળ, ચાલે કોઇ ચપણ લઇ । પણ પેટ ભર્યાનાં છે પાંપળાં, તે જાલમ

નર જાણે નઇ ।।૮।। જેમ કાની કોટે ઘાલી ગાળિયું, જઇ સુતી સોડ

તાણીને । મનમાં જાણે હું મરી ગઇ, એવું કામ ન કરવું જાણીને ।।૯।।

શીદ ત્રોડી સંસારથી, રહેવું હતું ઘરમાંય ગરી । નિષ્કુલાનંદ કહે મૂવા

પછી, જેજે થાત વાત તે ખરી ।।૧૦।। કડવું ।।૨૫।।

જ્યારે જાય વો’રવા વસ્તુ અમૂલ્યજી, ત્યારે જોઇએ કરવો

મનમાંય તોલજી । દેશે ત્યારે જ્યારે મુખે લેશે માગ્યું મૂલ્યજી, એહ

વાત કહી કથી નથી એમાં ભૂલ્યજી ।।૧।। ઢાળ- ભૂલ્યે કરે મનસુબો

મનમાં, તે વિના પૈસે પુરો ન થાય । તેમ શ્રદ્ધાહીનની ભક્તી, તેપણ

તેવી કે’વાય ।।૨।। નથી વિત્ત વો’રે અજિયા, કરે હાથી લેવાની હોંસ ।

તેતો પામ્યાનાં પાંપળાં, અમથો કરે અપસોસ ।।૩।। જેમ વર જાનૈયા

જાનમાં, વળી જાય જોડાજોડ । જાનૈયા તો જમે રમે, ધરે વર શિરપર

મોડ ।।૪।। માટે જોઇ અધિકાર આપણો, પછી દિલમાં કરવો દોડ ।

પ્રહ્લાદ ધ્રુવ હરિશ્ચંદ્ર જેવો, ક્યાંથી પૂરો થાય મન કોડ ।।૫।। જેમ પંચ

અસવાર પંથે જાતાં, છઠ્ઠો ભેળો થયો નર ખરે ચડી । તેની પો’ચવાની

પ્રતીત કરવી, એ પણ ભૂલ્ય મોટી પડી ।।૬।। જેમ બક હંસ બરોબરી,

વળી ઉજળા એકજ વાન । તેમ સાચા કાચા સંત સરિખા, એમ જાણવું

એજ અજ્ઞાન ।।૭।। શરીર સુખને સંભારતાં, નિશદિન નવરાં નવ રહિયે

। મહાસુખ મહારાજનું, કહો તે કઇ રીતે લઇયે ।।૮।। કાયરને કેમ ધીરજ

થાવું, એપણ અટપટી વાત છે । વેષ લેતાં શૂરવીરનો, જન જાણો ઘટની

ઘાત છે ।।૯।। પેખી ભક્ત પૂરવના, હૈયે રે’તી નથી વળી હામ ।

નિષ્કુલાનંદ આજે આદર્યું, તે કઠણ છે ઘણું કામ ।।૧૦।। કડવું ।।૨૬।।

સુણો વળી કહું રંતિદેવની રીતજી, ભક્ત પ્રભુનો પૂરો પુનિતજી

। સહ્યાં તેણે દુઃખ શરીરે અગણિતજી, કહું તેની વાત સુણો દઇ ચિત્તજી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

।।૧।। ઢાળ- કહું વાત રંતિદેવની, કરે નિજ નગરનું રાજ । પોતે પોતાની

પ્રજા પાસે, રખાવે બહુ અનાજ ।।૨।। એમ કરતાં આવી પડ્યો, બાર

વરષનો વળી કાળ । એકાદશ વરસ અન્ન પો’ચિયું, દ્વાદશનો થયો જંજાળ

।।૩।। ત્યારે રાયે અન્ન આપિયું, તે પણ પો’ત્યું દશ માસ । પછી લાગ્યા

છે પડવા, ઉપરા ઉપર ઉપવાસ ।।૪।। કળકળે જન અન્ન વિના, બહુબહુ

પાડેછે બકોર ।

તે સુણી રાય ચાલિયા, સંગે રાણી સુત વધુ ભોર ।।૫।। ઉપવાસ ચોખા

ચારેને પડયા, એક ઓછા પૂરા પંચાસ । ત્યાં અણઇચ્છાયે અન્ન મળ્યું,

બેઠાં જમવા પાસોપાસ ।।૬।। પાશેર પાશેર પાણીમાં, વળી આવ્યું હતું

જે અન્ન । ઉપવાસ ઓગણપંચાસમે, કરવા બેઠાં ભોજન ।।૭।। અભ્યાગત

અન્નારથી, તેહની વાટ જુવેછે વળી । આપીએ એને આ માંયથી, એમ

વિચારે છે ચારે મળી ।।૮।। ત્યાં અઘોરી એક આવિયો, સંગે લઇને વળી

શ્વાન । ભૂખ્યો ભૂખ્યો એમ બરકે, કોઇ આપો ભોજન પાન ।।૯।। ત્યારે

આપ્યું અન્ન જળ એહને, રાય રાણી સુત સુત ભામ । નિષ્કુલાનંદ પાણી

પી અઘોરિયે, ઠેલ દઇ ફોડયું જળ ઠામ ।।૧૦।। કડવું ।।૨૭।।

ફુટ્યું જળ ઠામ કૂપ ઉંડો અપારજી, પ્યાસાં રહ્યાં એહરાજા

સહિત ચારજી । પડયું દુઃખ એવું તોય પામ્યાં નહિ હારજી, વળતો રાયે

એમ કર્યો વિચારજી ।।૧।। ઢાળ- વિચાર કરી એમ બોલિયા, મળ્યું

અન્ન કેટલેક દન । ભલે આવ્યું અર્થ અભ્યાગતને, એમ કહી થયા પ્રસન્ન

।।૨।। ત્યારે ટળી અઘોરી તર્ત થયા, ધર્મદેવ મૂર્તિમાન । માગ્ય માગ્ય

રાજા મુજથકી, આપું તને તે વરદાન ।।૩।। ત્યારે રાય કહે ધન્ય ધન્ય

ધર્મ, માગું રાજી થયા જાણી તમને । સુખી રહે સહુ પ્રાણધારી, એની

આવે પીડા અમને ।।૪।। ત્યારે ધર્મ કહે પરની પીડા લિયે, તેને અંગે

પીડા આવે નહિ । એહ વિના વણમાગ્યે આપુંછું, અવિનાશ ધામે વસશો

જઇ ।।૫।। ધન્ય એ રાયની ધીરજને, ધન્ય સત્યવાદી દયા ઘણી । એવી

અનાદિની રીત જોઇ જન, પછી વિચારવી રીત આપણી ।।૬।। એના

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

જેવી હોય આપણી, તો ઠરી બેસવું એહ ઠીક છે । નહિ તો કસર કાઢવી,

એહજ રૂડો વિવેક છે ।।૭।। પણ ખજિને ખોટ્ય ન આણવી, જાણવી એ

પણ વાત । બીજે બગડયે શું બગડે, એહ સમજવું સાક્ષાત ।।૮।। બીજાં

કામ તો કૈક કર્યાં, કેડે રાખ્યું એક કરવું કલ્યાણ । એને સમઝું સમઝવું,

એ પણ જાણ તે અજાણ ।।૯।। આપે જમ્યા વિના આપણી, ભુખ કહો

કેમ ભાગશે । નિષ્કુલાનંદ કહે સાચું કેતાં, કોઇકને દુઃખ પણ લાગશે

।।૧૦।। કડવું ।।૨૮।।

પદરાગ સિંધુ- કઠણ કસોટી મોટી મહારાજની, સહી રહે વળી

કોઇ સંત શૂરા । જેમજેમ દુઃખ પડે આવી દેહને, તેમ તેમ તેમ પરખાય

પૂરા; કઠણ૦ ।।૧।। જેણે પાડી છે આંડી મોટી જીવમાં, મન માન્યું છે

મરી કરી મટવું । ભર અવસર પર ધર ધરી, ફરી ખરી હાક વાગ્યે નથી

જ હટવું; કઠણ૦ ।।૨।। અનેક દેહ ખોયા અણ અરથે, તેહ દેહ કાંયે

નાવ્યા કામે । હવે આદેહ હરિઅરથે કરી, રાખવું છે અચળ તે આઠું

જામે; કઠણ૦ ।।૩।। એમ દૃઢ ધીરજ ધરી કરીને, ભજેછે જેહ ભગવાન

ભાવે । નિષ્કુલાનંદ કહે એમ જાણવું, અંતે અરથ પણ એજ આવે; કઠણ૦

।।૪।।

વળી કહું વાત એક અનૂપજી, ભક્ત એક રત્નપુરીનો ભૂપજી ।

નામ મયૂરધ્વજ સદાય સુખ રૂપજી, કરે યજ્ઞ હોમે હવિષ્યાન્ન તૂપજી

।।૧।। ઢાળ- હોમે હવિષ્યાન્ન જગન કરે, ભલો ભક્ત સત્યવાદી સઇ ।

ત્યાં શ્રીકૃષ્ણ અર્જુન આવિયા, વેષ વિપ્રનો લઇ ।।૨।। કૃષ્ણ થયા કૃષ્ણ

શર્મા, અર્જુન થયા તેના શિષ્ય । યજ્ઞશાળામાં આવિયા, જ્યાં બેઠા હતા

નરેશ ।।૩।। ત્યારે રાય ઉઠી ઉભા થયા, કર્યો દંડવત પ્રણામ । ભલે

પધાર્યા પ્રભુ મારા, માગો કાંઇક મન અતિ અભિરામ ।।૪।। ત્યારે બ્રાહ્મણ

કહે ધન્ય ધન્ય રાજા, સત્યવાદી તું સાચો સહિ । પણ મારે છે જે માગવું,

તે તરત તને કે’વાય નહિ ।।૫।। ત્યારે નરેશ કહે નિઃશંક થઇ, માગો

મનવાંછિત શંકા તજી । રાજ્ય સાજ સુખ સંપત્તિ, માગો વસ્તુ જે મન

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

રજી ।।૬।। ત્યારે દ્વિજ કહે ધર્મપુરથી, હું પુત્ર પરણાવા ચાલિયો । આવ્યા

આ શહેરની સીમમાં, ત્યાં સુતને સિંહે ઝાલિયો ।।૭।। એકજ પુત્રને

એમ થયું, ગયું મારૂં કુળ સમૂળું સહિ । બુઢાપણમાં બાળક બીજો,

આવવાની આશા નહિ ।।૮।। હરખ હૈયે નવ રહ્યો, ગયો આનંદ સર્વે

ઉંચળી । મારી ને મારા સુતની, વાઘ ન જાણે પીડા વળી ।।૯।। ત્યારે મેં

કહ્યું મેલ્ય પુત્ર મારો, એને સાટે ખાઇજા મુજને । ત્યારે વાઘ કહે

નિષ્કુલાનંદનો, નાથ ભજ્ય કહું તુજને ।।૧૦।। કડવું ।।૨૯।।

તેને મેં કરી બહુ બહુ વિનતિજી, પણ વાઘે ન માની એક રતિજી

। મારે તો પડી ત્યાં વિકટ વિપત્તિજી, તે જોઇ સિંહ કહે સુણ્ય શુભમતિજી

।।૧।। ઢાળ- શુભમતિ સાંભળ્ય સહી, મૃગપતિ ન મૂકે મુખથી । બહુ

દિને મળ્યો બાળક તારો, ઘણું પીડાણો હતો ભૂખથી ।।૨।। એમ કરતાં

હોય ઉગારવો, તો તું જાચ્ય જઇ ભૂપાળને । આપે અંગ જો અરધું, તો

મેલું તારા બાળને ।।૩।। ત્યારે વિપ્ર કે’મેં કહ્યું વાઘને, એ વાત મુથી કેમ

થાય । કદાપિ માગું હું અંગ એનું, પણ રાયે કેમ દેવાય ।।૪।। અન્ન ધન

આપે અવનિ, તેતો સત્યવાદીને છે સોયલું । પણ અંગ કાપીને જે આપવું,

એથી બીજું શું દોયલું ।।૫।। વણ માગ્યાનું જે માગવું, તેનો કરવો તપાસ

। વે’રી આપે અંગ અધિપતિ, એવો આવે કેમ વિશ્વાસ ।।૬।। ત્યારે વાઘ

કહે એ વસમું નથી, અંગ આપશે જા તું અચિર । આગે અસ્થિ દધીચિયે

આપ્યાં, આપ્યું શિબિયે કાપી શરીર ।।૭।। કર્ણે કવચ આપિયું, આપ્યું

બળિયે ત્રિલોકીનું રાજ । સત્યવાદીને છે સોયલું, જઇ જાચો ન પાડે તે

ના જ ।।૮।। એમ કહી ઇયાં મોકલ્યો, તરત તમારે રાય પાસ । નથી

મંગાતું મેં મુખથી, તેમ નથી મેલાતી સુત આશ ।।૯।। ઉભય સંકટ

આવિયાં, એક એકથકી અધિક । નિષ્કુલાનંદનો જે નાથ કરશે, તેજ

થાશે અંતે ઠીક ।।૧૦।। કડવું ।।૩૦।।

ત્યારે રાય બોલિયા થઇ પ્રસન્નજી, ભલે તમે આવિયા મારે

ભવનજી । આપીશ હું તમને આ મારૂં તનજી, તે જાણજ્યો તમે જરૂર

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

મનજી ।।૧।। ઢાળ- જરૂર તમે જાણજ્યો, આપું ઉતાવળું આ દેહ ।

વિલંબ તેની નથી વળી, સાચું માનજ્યોે નથી સંદેહ ।।૨।। ત્યારે ત્યાં

મોરૂ ધ્વજને તેડાવિયો, આપી રાજગાદી એહને । પુત્ર પ્રજાને પાળજો,

મ ટાળજો હરિશું સ્નેહને ।।૩।। પછી નરેશ નાહી તિલક કરી, ધરી કંઠમાં

તુલસીદામ । મંગાવ્યું કરવત વે’રવા, ત્યારે ઉઠયું અકળાઇ ગામ ।।૪।।

હાલકલોલ શહેર સહુ થયું, રહ્યું નહિ ધારતાં ધીર । હાહાકાર હવો

ઘણો, ભર્યાં સહુએ નયનમાં નીર ।।૫।। ત્યારે મોરુધ્વજ એમ કહે, હું

સુત તમારો તમારૂં તન । આપો મને એ વિપ્રને, વળી કરો એને પ્રસન્ન

।।૬।। ત્યારે રાણી કે’ અર્ધ અંગ હું કા’વું, આપો રાય મને એ જાયે લઇ

। પામે પુત્ર એ પોતાતણો, મને વાઘના મુખમાં દઇ ।।૭।। કુંવર રાણીની

વાણી સુણી, બોલ્યો દ્વિજ સેવકને સંગ । આતો વાત વઘરે પડી, નહિ

આપે રાય અર્ધું અંગ ।।૮।। મેલી લાલચ્ય ચાલો મારગે, જાઇએ વેગે

વાઘની પાસ । અસ્થિ એનાં પરજાળિયે, જ્યારે ખાઇ જાય એનું માંસ

।।૯।। પડી વાત પંચાયતે, તે ન નિપજે નિરધાર । નિષ્કુલાનંદના નાથને,

એવું ગમિયું આ વાર ।।૧૦।। કડવું ।।૩૧।।

ત્યારે કુમુદ્વતીને કહે દ્વીજ આમજી, નારી અંગ નરનું પણ વેદે

કહ્યું વામજી । માટે અંગ તારૂં નાવે એને કામજી, એણે તો લીધું છે

દક્ષિણનું નામજી ।।૧।। ઢાળ- નામ લીધું છે દક્ષિણનું, રાણી કુંવરનું

વે’રેલ । એવું લઇને આવજ્યે, આપ્યું હોય હરખે ભરેલ ।।૨।। ત્યારે

મહીપતિ કહે મ બોલો કોઇ, સહુ રહો રાજી રળિયાત । આ અવસર

અમૂલ્યમાં, રખે કોઇ બગાડો વાત ।।૩।। માગે મોટા જે મગન થઇ,

તેવી તક આવી મારે આજ । ધન્ય ધન્ય મારા દેહને, જે આવ્યું બ્રાહ્મણને

કાજ ।।૪।। લાવો કરવત કાકરી, આકરી કરી તેની ધાર । માથું ચીરીને

માહરૂં, તરત પો’ચે જઇ પાર ।।૫।। પાછળ રે’જે તું પુત્ર મારા, સામી

રે’જે વળી તું સુંદરી । વચ્ચેથી માંડો તમે વે’રવા, અતિશય હરખ હૈયે

ભરી ।।૬।। રાજી કરો ઋષિરાયને, કોઇ દિલ મ કરો દિલગીર । મારા

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

દુઃખને દેખી કરી, રખે નયણે ભરો કોઇ નીર ।।૭।। મારે નથી એવું

મનમાં, જે અવળું થયું આ વાર । તમે શોક શીદને કરો, થાઓ વેગે

વે’રવા તૈયાર ।।૮।। એમ કહી ઉભા સ્થંભ બે મધ્યે, અતિ ઉતાવળા

થાય । તેહ જોઇને જન બીજાં, કરે છે ઉભાં ત્રાય ત્રાય ।।૯।। ૧અસ્રકની

છોળ્યું ઉડશે, રહેજ્યો છેટે સહુ નરનાર । નિષ્કુલાનંદનો નાથ જોતાં,

કર્યું કરવત તૈયાર ।।૧૦।। કડવું ।।૩૨।।

પદરાગ સિંધુ- આકરે કાકરે કરવત કાઢિયું, વાઢિયું મસ્તક

લલાટ લગે । ધડક ફડક થડક નથી મને, અચળ અકળ ઉભા એક પગે;

આકરે૦ ।।૧।। છૂટી છોળ અતોલ લાલ લોહીની, તે જોઇ જન મન ચડી

ચિત્તે ચિતરી । દેખી ભૂપતિની વિપત્તિ મતિ ચળી, ઢળી વળી પડયાં

મૂરછાયે કરી; આકરે૦ ।।૨।। કરે કરેરાટ ચરેરાટ માંડયું ચાલવા, તે

વામ અંગે એહની વાત જાણી । એહ અંગ તેહ ઉમંગભંગ થયું, વળી

આવી ગયું આંખ્યમાંય પાણી; આકરે૦ ।।૩।। તે જોઇ દ્વિજ બોલ્યો ક્રોધ

કરી, કલપિનું દાન હું ન લઉં કદી । હટકી ફટકી ચટકી ચાલિયા, તેહને

વાળિયા દીનતા વાણી વદી; આકરે૦ ।।૪।। પછી આવીને પુછિયું એહ

અંગને, કહે આંસુ આવ્યાનું કારણ સહિ । ત્યારે તે કહે અભાગ્ય શી

અર્ધા અંગની, જે બ્રાહ્મણને અર્થે આવ્યું નહિ; આકરે૦ ।।૫।। એવું સુણી

દ્વિજ પલટીને થયા, તિયાં પ્રગટ પુરૂષોત્તમરૂપરે । નિષ્કુલાનંદનો નાથ

ગાથ કહે, માગ્ય માગ્ય માગ્ય મુજપાસથી ભૂપરે; આકરે૦ ।।૬।। પદ

।।૮।।

મયૂરધ્વજ કહે માગું હું તે દેજોજી, આવું રૂપ અનુપ રુદિયામાં

રે’જોજી । વળી એક બીજું મારે માગવું છેજોજી, હવે આવી પરિક્ષા

કેનીએ મ લેજોજી ।।૧।। ઢાળ- લેશો માં આવી પરિક્ષા કેની, તમે દયાળુ

દયાને ગ્રહી । એમ મયૂરધ્વજે મોર્યે માગ્યું, સહુ જીવ સારૂં જાણો સહી

।।૨।। ભલોભલો એહ ભૂપતિ, જેની મતિ અતિ મોટી ઘણી । ભલી કરી

એણે ભગતિ, એના જેવી જોઇએ આપણી ।।૩।। સત્ય શ્રદ્ધા ધીરજપણું,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

જોઇએ એના જેવો વિવેક । ધર્મ પણ દ્રઢ ધારવો, જોઇએ એના જેવી

ગ્રહી ટેક ।।૪।। ટેક એક હરિ ભક્તને, નેક છેક સુધી છાંડવી નહિ । કરી

વિવેક અતિ ઉરમાં, વળી એક રંગે રે’વું સહિ ।।૫।। પળે પળે રંગ પલટે

ચઢે, કૈ’યે નવલ કસુંબી કૈ’યે નીલનો । એક રે’ણી કે’ણી એક રીત નહિ,

સ્વભાવ સમ સલીલનો ।।૬।। પણ જે જે ભક્ત મોરે થયા, તે સર્વેની

સુણીએ રીત । કશ્યા વિના કહો કોણ રહ્યા, સહુ ચિંતવી જુવોે તમે ચિત્ત

।।૭।। જેમ ઇક્ષુ પામે અમૂલ્યતા, તેતો પ્રથમ પોતે પીલાય છે । ત્યાર

પછી ચડે તાવડે, તેનાં ગોળ ખાંડ સાકર થાયછે ।।૮।। તેમ કસ્યા વિના

કોઇ વસ્તુ, ખરે ખપે નથી આવતી । એમ સમજી સંકટ સહો, તો ભલી

ભજી જાય ભગતિ ।।૯।। પો’ચ્ય વિના પર્વતે ચડયાની, હૈયે કરે કોઇ

હોંસ । નિષ્કુલાનંદ કહે એ નહિ બને, અમથો થાશે અપસોસ ।।૧૦।।

કડવું ।।૩૩।।

પ્રભુ ભજવા જેને કરવો ઉપાયજી, તેને એમ કરવું જેમ કર્યું

ઋભુરાયજી । પ્રભુ પ્રસન્ન કરવા ગયા વનમાંયજી, આરંભી તપ ઉભા

એક પાયજી ।।૧।। ઢાળ- એક પગે ઉભા રહ્યા, અડગ મને અચળ થઇ

। કર બેઉ ઉંચા કર્યા, શરીર પર ફેરવે નહિ ।।૨।। ઇચ્છા મેલી અન્ન

પાનની, પ્રભુ પ્રસન્ન કરવાને કાજ । તજી આશા વળી તનની, જેમ તજી

આવ્યા નિજરાજ ।।૩।। શરીર સર્વે સુકી ગયું, રહ્યું નહિ લોહી ને માંસ ।

અસ્થિ રહ્યાં એક અંગમાં, રહ્યો શ્વાસ વણ વિશ્વાસ ।।૪।। નાડી રહી

સર્વે નિસરી, ઉઘાડી અંગથી બા’ર । ગળ્યું અંગ મળ્યું પેટ પૂંઠે, તોય

કરેછે નામ ઉચ્ચાર ।।૫।। માથું ગુંઠણ મોટા થયા, રહ્યું હૈયું બા’રું નિસરી

। અજીન વળગ્યું અસ્થિએ, થઇ કૃશ કાયા તપે કરી ।।૬।। લાગે પવન

અંગ લડથડે, વળી ડોલેછે તેણે દેહ । એવું અચેત અંગ થયું તોય તપ ન

તજે તેહ ।।૭।। સૂકા કાષ્ટ સમ ઉભા રહ્યા, અરણ્યમાં એકા એક । હાલે

ચાલે નહિ ચરણે, એવી ગ્રહી આકરી ટેક ।।૮।। રાજી કરવા રમાપતિ,

અતિ આકરું તપ આદર્યું । ધરણી લાગી ધ્રુજવા, સ્વર્ગ કંપાયમાન કર્યું

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

।।૯।। એવું તપ જોઇ આકરું, સર્વે બીન્યા સુર અસુર । નિષ્કુલાનંદના

નાથને કહી, લેશે આપણાં સ્થાનક જરૂર ।।૧૦।। કડવું ।।૩૪।।

ત્યારે સુર ગયા શ્રીપતિ પાસજી, અમર સહુએ કરી અરદાસજી

। અમને રાખ્યા ત્યાં અમે કર્યો છે નિવાસજી, પણ હવે નથી હરિ એ

સ્થાનકની આશજી ।।૧।। ઢાળ- આશા નથી એહ સ્થળની, જોઇ તપ

ઋભુરાયતણું । એના તપ પ્રતાપે કરી, અમે તો તપિયા ઘણું ।।૨।। ત્યારે

શ્રીહરિ કહે સુર સાંભળો, તમે જાઓ તમારે સ્થાનકે । એમ કહીને

ઉઠિયા, અવિનાશી અચાનકે ।।૩।। આવ્યા રાય ઋભુ પાસળે, દીધાં

દયા કરી દરશન । માગો માગો રાય મુજથી, હું થયો છું પ્રસન્ન ।।૪।।

હેત કરી હાથ ફેરવે, મુખ માથે ને સરવે શરીર । જોઇ ધીરજ એ રાજનની,

આવી ગયાં નયનમાં નીર ।।૫।। અતિ દીન આધિન ઉભા, આગળ

ઓશિયાળા થઇ । જાણે આપું એ જનને હું, મારૂં સુખ સર્વે લઇ ।।૬।।

વા’લપ દેખાડે છે વળી વળી, હેત હૈયામાં નથી સામતું । અકળાઇ થયા

છે ઉતાવળા, મન ધીરજ નથી પામતું ।।૭।। ત્યારે રાય પાયે લાગ્યા

પ્રભુને, કહે ધન્ય અનાથના નાથ । નિરખી તમને નયણે, શ્રીહરિ હું થયો

સનાથ ।।૮।। માગું છું હું મહાપ્રભુ, પંચ વિષય સંબંધી જે સુખ । દેશો

માં તે દયા કરી, જેથી થાય તમથી વિમુખ ।।૯।। ત્યારે શ્રીહરિ કહેે શુદ્ધ

ભક્ત તમે, નથી માયાનો લેશ તમમાં જરા । નિષ્કુલાનંદનો નાથ કહે,

અનન્ય ભક્ત મારા ખરા ।।૧૦।। કડવું ।।૩૫।।

એમ પ્રસન્ન કર્યા પરબ્રહ્મજી, સહી શરીરે બહુ પરિશ્રમજી ।

એહ વાત સાંભળી લેવો મર્મજી, વાત છે કઠણ નથી કાંઇ નર્મજી ।।૧।।

ઢાળ- નર્મ નથી છે કઠણ ઘણી, જેવા તેવાથી થાતી નથી । સહુસહુના

મનમાં જુવો, ઉંડું વિચારી અંતરથી ।।૨।। વણ ખપવાળાને એ વારતા,

અણું એક અર્થે આવે નહિ । મહિમા માહાત્મ્ય મોટપ્ય મુખથી, કહિયે

મર કથી કથી કહિ ।।૩।। જેમ પશુજનને ચાર્ય પ્યારી, તેહ નીલી દેખીને

નવ તજે । સહે કષ્ટ બહુ એહ સારૂં, તોય ભાવે કરી એહને ભજે ।।૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

જોને મોટી આશા છે મનમાં, જેવી પામવાને પૈસાતણી ।તેવી આશા

નથી અવિનાશ પદની, વાત શું કહિયે ઘણી ઘણી ।।૫।। અન્ન વસન સારૂં

અંગ આપે, જીયાં કાપે શત્રુ વળી શીશ । એતો થાય છે ઉછરંગશું, પણ

ભજાય નહિ જગદીશ ।।૬।। અસત્ય સુખ સારૂં એવું કરે, પિંડ પાડયા

સુધી પ્રયાણ । સત્ય સુખને સાંભળી, વળી થાતી નથી એવી તાણ ।।૭।।

વિષનો કીડો વિષમાં, વસી વખાણે વિષનું સુખ । તેને રે’તાં અમૃતમાં,

થાય જરૂર જાણજો દુઃખ ।।૮।। તેમ ભક્ત આ બ્રહ્માંડમાં, ભજે હરિ ન

તજે વિકાર । જેમ કેશ કહિયે કઠેકાણા તણા, શ્વેત શ્યામ સહુ એક હાર

।।૯।। ભક્ત થાય ભગવાનના, પ્રથમના ભક્ત પ્રમાણ । નિષ્કુલાનંદ કહે

તે વિના, બીજા માનો માયાના વેચાણ ।।૧૦।। કડવું ।।૩૬।।

પદરાગ બિહાગડો- દોયલું થાવું હરિદાસરે, સંતો દોયલું૦

જોઇએ તજવી તનસુખ આશરે; સંતો૦ ટેક- શૂરો જેમ રણમાં લડવા,

ધરે હૈયામાં અતિ હુલાસ । પેટ કટારી મારી પગ પરઠે, તેને કેની રહી

ત્રાસરે; સંતો૦ ।।૧।। કાયર મનમાં કરે મનસુબા, રે’શું ઉભા આશપાશ

। એમ કરતાં જો ચડી ગયા ચોટે, તો તરત લેશું મુખે ઘાસરે; સંતો૦

।।૨।। શૂરા સંતની રીત એક સરખી, કરવો વેરીનો વિનાશ । કામ ક્રોધ

લોભ મોહ જીતી, ભાવે ભજવા અવિનાશરે; સંતો૦ ।।૩।। એવા ભક્ત

તે ભક્ત હરિના, તેહ સહે જગ ઉપહાસ । નિષ્કુલાનંદ કહે તે વિના

બીજા, તેનો નાવે કેદિ વિશ્વાસરે; સંતો૦ ।।૪ ।। પદ ।।૯।।

વળી કહું વાત અનુપમ એકજી, સુણજો સહુ ઉર આણી વિવેકજી

। કહું સત્યવાદી રાય શિબિની ટેકજી, મૂકી નહિ નૃપે મૂવાલગે છેકજી

।।૧।। ઢાળ- છેક ટેક તજી નહિ, દિયે દેદેકાર કરી દાન । જેજે માગે તેતે

આપે તેને, બહુ કરી સનમાન ।।૨।। ભૂખ્યો પ્યાસો કોઇ પ્રાણી આવે,

માગે મનવાંછિત જે વળી । આપે તેને આદરશું, આરત્યવાણી સાંભળી

।।૩।। તેણે જશ વાધ્યો આ જક્તમાં, પરલોકે પડી ફાળ । ઇંદ્ર કહે લેશે

આસન મારૂં, કરૂં કાંઇક રખવાળ ।।૪।। પે’લી વે’લી પાળ બાંધિયે, તો

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

રહે તળાવે તોય । આવ્યે જળે જે આદરવું, તે કામ ન આવે કોય ।।૫।।

લાગી આગ્યે કોઇ કૂપ ખણે, ઓલાય નહિ અંગાર । માટે મેલી ગાફલતા,

વે’લો વે’લો કરવો વિચાર ।।૬।। પછી શક્ર થયો શકરો, થયો હોલો તે

હુતાશન । આવ્યા બેઉ ઉડતા, જ્યાં બેઠા હતા રાજન ।।૭।। કપોત ગર્યો

આવી ગોદમાં, બેઠો શકરો સામો સુજાણ । આપ્ય મારા તું આહારને,

મારા ભૂખે જાય છે પ્રાણ ।।૮।। ત્યારે શિબિ કહે સુણ શકરા, શરણે

આવ્યો તે કેમ અપાય । માગ્ય બીજું હોય મનમાં, જેણે કરી તારૂં દુઃખ

જાય ।।૯।। ત્યારે બાજ કહે બીજું જોઇતું નથી, જોઇએ છીએ ખાવાનું

આ વાર । નિષ્કુલાનંદનો નાથ કરી, આપ્ય માંસ એહ હોલાભાર ।।૧૦।।

કડવું ।।૩૭।।

શિબિરાજા છે દયાનો નિવાસજી, પાપકરતાં પામે બહુ ત્રાસજી

। તેણે કેમ અપાય મારી પર માંસજી, તેનો તન મનમાં કર્યો તપાસજી

।।૧।। ઢાળ- તપાસ કરી તને મને, ત્રાજું મંગાવ્યાં તે વાર । કાતું લઇ

માંડયું કાપવા, આપવા આમિષ હોલાભાર ।।૨।। કાપી કાપી રાય

આપીયું, સર્વે શરીરનું માંસ । તોય ત્રાજુ નવ ઉપડયું, તેહ હોલો બેઠો

છે જેહ પાસ ।।૩।। ત્યારે રાયે વિચારીયું, આતો કપોત કારણરૂપરે ।

માટે આપું અંગ આખું એને, એમ કહેછે વળી ભૂપરે ।।૪।। ત્યારે બેઠા

રાય જઇ ત્રાજવે, હુવો લોકમાં હાહાકાર । ત્યારે હોલો ટળી હુતાસન

હવો, હવો શકરો શક્ર તે વાર ।।૫।। ત્યારે ઇંદ્ર કહે ધન્ય ધન્ય રાજા, તું

જેવોે નથી બીજો એક । તન અભિમાની તું નહિ, અમે જોયું કરી વિવેક

।।૬।। સત્ય ધર્મ નિમ ટેક તારી, ભારે ધારી ભલી તમે ભૂપ । તન તજી

બ્રહ્મલોેક જાશો, થાશો બ્રહ્મસ્વરૂપ ।।૭।। પેલવે’લું લિયે પારખું, પછી

દિયે છે અભયદાન । એવા સંકટને સહન કરતાં, જાણો નથી કાંઇ જ્યાન

।।૮।। વામને બાંધ્યા બળિરાય, પછી પોતે બંધાણા બહુ પેર । હજી સુધી

હેતે કરી, હરિ રહેછે એને ઘેર ।।૯।। એમ વર દઇ સુરેશ ગયા, થયો

અતિ જયજયકાર । નિષ્કુલાનંદ હરિભક્તને, ગ્રહિ લેવું એવું સાર ।।૧૦।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

કડવું ।।૩૮।।

આપ્યું કાપી તન સત્યવંત શિબિરાજજી, તેતો પરલોકના સુખને

કાજજી । એના જેવું આપણે કરવું તે આજજી, ત્યારે રીઝશે ઘનશ્યામ

મહારાજજી ।।૧।। ઢાળ- ઘનશ્યામ ઘણું રીઝે ત્યારે, જ્યારે રહે એ

રાજની રીત । ધીરજ ધર્મ સત્ય સુશીલતા, તેના જેવી કરવી જોઇએ

પ્રીત ।।૨।। અંગથી અળગું અવનિએ, વળી જેજે જણસો હોય । તેતે

આપે ત્રીલોકમાં, સુખે થકી સહુ કોય ।।૩।। પણ જ્યારે આવે અંગ ઉપરે,

સુખ દુઃખના સમૂહ મળી । ત્યારે દૃઢ ધીરજ રહે, સંત કહિયે તેને વળી

।।૪।। મોટી વાત કરતાં મુખથી, વળી સ્વાદ આવેછે સહુને । પણ જ્યારે

જોઇએ આ જીવમાં, ત્યારે ભળાયે ભૂલ્ય બહુને ।।૫।। એહ ભૂલ્યને

અળગી કરી, ખરી હરિની ભક્તિ કરીયે । મોટા ભક્ત જે મોરે થયા,

તેના મતને અનુસરિયે ।।૬।। મનગમતું મેલી કરીને, મત મોટાનો મન

ધારિયે । પ્રસન્ન કરવા છે પ્રાણપતિને, એટલું તો જરૂર વિચારિયે ।।૭।।

અંતરજામીની આગળે, નહિ ચાલે જૂઠ જરાય । એમ વિચારી આપણે,

કસર ન રાખવી કાંય ।।૮।। એહ વાત અનુપ છે, નકી સુખ થવાની

નિદાન । વણ સમઝે વિપત પડે, રણ તૃણાર્થી સંગ શ્વાન ।।૯।। માટે

મોટા સંતને મળી, વળી ટાળવી સરવે ભૂલ્ય । નિષ્કુલાનંદ કહે નવ

ખોઇએ, અવસર આવ્યો અમૂલ્ય ।।૧૦।। કડવું ।।૩૯।।

જેને ઉપાય કરવો હોય એહજી, તેને થાવું સહુથી નિઃસનેહજી ।

જેમ વરત્યા જનક જેહજી, કરતાં રાજ્ય કે’વાણા વિદેહજી ।। ઢાળ-

વિદેહ કહેવાણા તે સાંભળી, ત્યાં આવ્યા નવ ઋષિરાય । ઉઠયા જનક

ભેટવા સહુને, ઘણે હેત ઘાલી હૈયામાંય ।।૨।। પછી મળ્યા એકએકને,

તેની પુછી ઋષિએ વાત । અમે ન સમઝયા આ મર્મને, તમે સમઝાવો

સાક્ષાત ।।૩।। ત્યારે જનક કહે આ દેહનો, નથી પળ એકનો વિશ્વાસ ।

મળાય કેમ આ મુનિને, જ્યારે થઇ જાય તનનાશ ।।૪।। એમ કહિને

પૂજા કરી, ભાવે કરાવ્યાં ભોજન । પછી બેઠા સભા કરીને, પૂછયાં રૂડાં

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

પ્રશ્ન ।।૫।। ત્યાં મિથિલાપુરી પરજળી, ધાયાં સહુ સહુને ઘેર લોક ।

જનક કહે મારૂં નથી જળતું, શાને કરૂં હું મને શોક ।।૬।। રાજ સાજ

સુખ સંપત્તિ, વળી દેહ ગેહ દારા દામ । એહ કોણ કેનાં કોણ આપણે,

કોઇ કેને ન આવે કામ ।।૭।। અણ સમઝણે આપણું, સહુ માની રહ્યું

મનમાંય । જુવે વિચારી જીવમાં, તો નથી આપણું કાંય ।।૮।। એમ

રાજયમાં રહી રાગ તજ્યો, એ છે લક્ષ લેવા જેવો ઘણો । તુચ્છ પદાર્થ

સારૂં તણાવું, એવો જોઇએ નહિ મત આપણો ।।૯।। ખાવા ખટરસ નરેશ

સુતને, તોય ડોડાં દેખી ડગે દલ । નિષ્કુલાનંદ એ કંગાલ છે, નથી આવ્યો

રાજાનો અમલ ।।૧૦।। કડવું ।।૪૦।।

પદરાગ બિહાગડો- શિદને રહિયે કંગાલરે સંતો શીદ૦ । જ્યારે

મળ્યો મોટો મહા માલરે સંતો૦ ટેક - પૂરણ બ્રહ્મ પુરૂષોત્તમ પામી,

ખામી ન રહી એક વાલ । અમલ સહિત વાત ઓચરવી, માની મનમાં

નિહાલરે; સંતો૦ ।।૧।।રાજાની રાણી ભમી ભિખ માગે, હાલે કંગાલને

હાલ । ઘર લજામણી રાણી જાણી રાજા, ખીજી પાડે વળી ખાલરે; સંતો૦

।।૨।। તેમ ભક્ત ભગવાનના થઇને, રહે વિષયમાં બેહાલ । તેતો પામર

નર જાણો પૂરા, હરિભક્તિની ધરી છે ઢાલરે; સંતો૦ ।।૩।। તન મન

આશ તજી તુચ્છ જાણી, કાઢું સમઝી એ ૨સાલ । નિષ્કુલાનંદ એ ભક્ત

હરિના, બીજા બજારી બકાલરે; સંતો૦ ।।૪।। પદ ।।૧૦।।

વળી કહું વાત હરિજનની અમળજી, નલરપુરીનો રાજા એક

નળજી । રૂપ ગુણ શીલ ઉદાર નિર્મળજી, એવો વીરસેનનો સુત સબળજી

।। ઢાળ- સબળ ને સત્યવાદી સુણી, દમયંતીએ વિચારી વાત । વરવું છે

એ નળને, બીજા પુરુષ તાતને ભ્રાત ।।૨।। તેહ વાત ન જાણે તાત એહનો,

રચ્યો સ્વયંવર તેહ વાર । તેમાં રાજા તેડાવિયા, સહુ આવવા થયા તૈયાર

।।૩।। ત્યારે નારદે કહ્યું જઇ ઇંદ્રને, ધર્મ અગ્નિ સુણો વરુણ । તમ જોગ્ય

એ કન્યા ભીમની, સુણ્યા સર્વે એના મેં ગુણ ।।૪।। પણ એને વરવું છે

નળને, એવી દૃઢ ધારીછે ટેક । ટેક તજાવી તમે વરો, તો વળે વડો વશેક

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

।।૫।। નળ અંતરે નિરમળછે, જેમ કહેશો તેમ કરશે । તજી પ્રિય પોતાતણું,

તમારૂં પ્રિય અનુસરશે ।।૬।। ત્યારે ચારે મળી કહ્યું નળને, તું કરય અમારાં

વખાણ । તું તારી નિંદા કરજે, તો અમને વરશે એહ જાણ ।।૭।। ત્યારે

નળે કહ્યું જઇ દમયંતીને, ઇંદ્ર અગ્નિ ધર્મ ને વરુણ । એને વર્ય તું વેગે

કરી, તો તારે તોલે આવે કહું કોણ ।।૮।। ત્યારે દમયંતી કહે એ દેવતા,

હું તો વરી છું નળરાય । હવે ડગાવું જો દિલને, તો પતિવ્રતાપણું જાય

।।૯।। ત્યારે ઇંદ્રાદિ ચારે નળ થયા, પલટાવી પોતાનો વેષ । નિષ્કુલાનંદ

કહે નાથ સમરી, ત્યાં આવ્યા નળ નરેશ ।।૧૦।। કડવું ।।૪૧।।

પછી પાંચે થયા નળ પ્રમાણજી, પતિવ્રતા ધર્મથી પડી

ઓળખાણજી । નાખી નળકંઠે વરમાળ સુજાણજી, સુર નર થયા નિરાશી

નિરવાણજી ।।૧।। ઢાળ- નિરાશી નર અમર ગયા, ત્યારે ઇંદ્રે કર્યોે ઉપાય

। આપી કળિને આગન્યા, તું પ્રવેશ કર નળમાંય ।।૨।। ત્યારે નળ મતિ

રતિ નવ રહી, રમ્યો દ્યુતવિદ્યા ભ્રાત સાથ । રાજ સાજ સુખ સમૃદ્ધિ,

લીધી જીતી કર્યો અનાથ ।।૩।। પછી કાઢયાં દંપતી પુરથી, આપી પે’રવા

એક અંબર । મૂક્યાં કાઢી મોટા વનમાં, જ્યાં ન લિયે કોઇ ખબર ।।૪।।

જળ ટાણે જળ નવ મળે, અન્ન ટાણે ન મળે અન્ન । ભૂખ પ્યાસનાં ભેળાં

ભમે, દુઃખમાંહી નિગમે દન ।।૫।। મનુષ્ય માત્ર જયાં ન મળે, વનવાસી

વિકરાળ । ખાવા આવે ખરાં થઇ, તોય ન કરે તન સંભાળ ।।૬।। ભૂત

ભૈરવ ભયંકાર ભમે, દમે દુષ્ટ બીજાં આવી દેહને । આપે સંકટ સંતાપે

સહું, કહે નહિ કાંઇ તેહને ।।૭।। જેને સંકટ શરીરમાંય, અણું જેટલો

આવ્યો નથી । તેને સંકટ સામટો પડયો, જે કહેવાય નહિ મુખથી કથી

।।૮।। અડવાણાં ફરે અરણ્યમાં, ચરણમાં ચાલે રુધીર । તોય અકળાય

નહિ અંતરે, સમઝી મને સુધીર ।।૯।। રાત દિવસ એમ રડવડે, પડે

અન્ન વિના ઉપવાસ । નિષ્કુલાનંદ કહે એહ વનમાં, ફરે ધરે નહિ તનત્રાસ

।।૧૦।। કડવું ।।૪૨।।

વન વિષમ અતિશય વિકટજી, જ્યાં જ્યાં જાય ત્યાં પામે સંકટજી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

। રાત દિવસ રહે દુઃખ અમટજી, ઝાડ પા’ડ પૃથ્વી અતિ દૂર ઘટજી

।।૧।। ઢાળ- દૂરઘટ દેખી અટવી એહ, ચળી જાય મનુષ્યનાં ચિત્ત ।

તેમાં રાજા રાણી રડવડે, પડે દુઃખ ત્યાં અગણિત ।।૨।। ઘણા ગોખરું

કાંટા ફ્રંગટા, કૌચ કંદ્રુ કરણાં નીર । આવી સ્પર્શે એ અંગમાં, તેણે સુજી

જાયછે શરીર ।।૩।। પશુ પંખી પરસ્પર, કરે શબ્દ ભૂંડા ભયંકાર । સહ્યા

ન જાય તે શ્રવણે, એવા થાય વનમાં ઉચ્ચાર ।।૪।। નિશામાંહી નિશાચર

ફરે, હરે પશુ પંખીના પ્રાણ । એવા વનમાં દંપતી અતી, નિઃશંક ફરે

નિરવાણ ।।૫।। ખાન પાન ખોળે નવ મળે, મળે હિંસક જન હમેશ ।

તોય સંભારે નહિ સુખ રાજ્યનું, હૈયામાંહિ લવલેશ ।।૬।। જેમ જેમ

પડે વિપત્તિ વળી, તેમ તેમ મને મગન । એમ વનમાં વિચરે, રાત દિન

રાણી ને રાજન ।।૭।। એવા વનમાં ઋષિ રહે, જેને અન્નનો નહિ આહાર

। જોઇ રાજા એવા ઋષિને, ત્યાંથી ચાલી નિસરે તે વાર ।।૮।। એમ દિન

કંઇ વહી ગયા, પછી રાજાએ કર્યો વિચાર । રાણી ખાણી સર્વે દુઃખની ,

માટે તજી દઉં નિરધાર ।।૯।। પછી અર્ધું અંબર લઇ અર્ધ રાતે, ચાલી

નિસર્યા નળ વળી નરેશ । નિષ્કુલાનંદ કહે દમયંતી, પામી પૂરણ કલેશ

।।૧૦।। કડવું ૪૩ ।।

દમયંતી પોકારે કહે હે રાજનજી, મેલી તમે મુજને રડવડતી

વનજી । હું પતિવ્રતા મારૂં અબળાનું તનજી, તમ વિના મારી કોણ કરશે

જતનજી ।।૧।। ઢાળ- જતન કરતા તે જાતા રહ્યા, હવે રહીશ હું શી

રીતમાં । હે દૈવ દીધું દુઃખ તેં સામટું, તેહનું ન વિચાર્યું ચિત્તમાં ।।૨।।

રડી લડથડી પડી ગઇ, શુદ્ધ ન રહી શરીરની । નળ વિયોગે એ નારને,

નયણે નદી ચાલી નીરની ।।૩।। પછી પડતી આખડતી વળી, ચાલી એકા

એક વનમાં । લાગ્યા કાંટા કાંકરા ખરા, તેની પીડા થઇ છે તનમાં ।।૪।।

તેમજ નળરાય તનમાં, પામે છે પીડા અતિ ઘણી । પણ સત્ય ન મૂકે ધર્મ

ન ચૂકે, કહીયે ધીરજ તેહતણી ।।૫।। એમ કંઇક કષ્ટ ભોગવ્યાં, તેનો

કહેતાં ન આવે પાર । રાત દિવસ રડવડતાં, વળી વહી ગયાં વર્ષ બાર

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

।।૬।। પછી પામ્યા નિજ રાજ્યને, ભાવે ભજ્યા શ્રી ભગવાન । એટલું

કળી વળી કરી ગયો, તોય ન ચળ્યાં સત્યથી નિદાન ।।૭।। એમ સાધુને

સત્ય રાખવું, રાખવી દૃઢમતિ ધર્મમાં । સુખ દુઃખ સહી શરીરને, રહેવું

અચળ નિજ આશ્રમમાં ।।૮।। ધર્મ સમ ધન નથી, નરનારીને નિદાન ।

ધર્મ જાતાં જો ધન મળે, તો જાણવું થયું એ જ્યાન ।।૯।। એવી આંટી

પાડી અંતરે, હરિજન હિંમત રાખો હૈયે । નિષ્કુલાનંદનો નાથજી, થાશે

રાજી અતિશે તૈયે ।।૧૦।। કડવું ।।૪૪।।

પદરાગ બિહાગડો- કરિયે રાજી ઘનશ્યામરે સંતો૦ । તો સરે

સરવે કામરે સંતો૦ । ટેક - મરજી જોઇ મહારાજના મનની, એમ

રહિયે આઠું જામ । જે ન ગમે જગદીશને જાણો, તેનું ન પૂછીયે નામરે;

સંતો૦ ।।૧।। તેમાં કષ્ટ આવે જો કાંઇક, સહિયે હૈયે કરી હામ । અચળ

અડગ રહિયે એક મને, તો પામિયે સુખ વિશ્રામરે; સંતો૦ ।।૨।। જુવો

રીત આગેના જનની, પામ્યા વિપત્તિ વિરામ । જનમથકી માનો મુવા

સુધિ, ઠરી બેઠા નહિ ઠામરે; સંતો૦ ।।૩।। એતો દોયલું સોયલુંછે આજ,

તજીયે દોય દામ વામ । નિષ્કુલાનંદ નિઃશંક થઇને, પામિયે હરિનું ધામરે;

સંતો૦ ।।૪।। પદ ।।૧૧।।

વળી કહું એક રાજા અંબરીષજી, તેને ઘેર આવ્યા દુર્વાસા લઇ

શિષ્યજી । ભોજન કરાવ્ય અમને નરેશજી, ત્યારે નૃપ કહે નાહી આવો

મુનેશજી ।।૧।। ઢાળ- મુનિ વે’લા તમે આવજો, આજ છે દ્વાદશીનો દન

। નાવ્યા ટાણે જાણી નૃપે, કર્યું ઉદકપાન રાજન ।।૨।। વીતી વેળાયે મુનિ

આવિયા, રાજા કેમ કર્યું તેં ભોજન । મને જમાડ્યા વિના જમ્યો, દઉંછું

હું શાપ રાજન ।।૩।। શાપ દઇ આપે ચાલિયા, આવ્યું સુદર્શન તે વાર ।

બહુ ભાગે આવે બાળતું, પછી આવ્યા હરિને આધાર ।।૪।। કહ્યું હરિને

કષ્ટ નિવારિયે, ટાળિયે સુદર્શનનો ત્રાસ । ત્યારે શ્રીપતિ કહે ઋષિ

સાંભળો, તમે જાઓ અંબરીષ પાસ ।।૫।। ત્યારે ઋષિ આવ્યા રાય

પાસળે, રાય પાય લાગી કહ્યો અભિપ્રાય । આજ તેદિ એક ભાવ હોય

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

તો, સુદર્શન દૂર થાય ।।૬।। એમ શત્રુ મિત્ર જેને સમ છે, સમ છે સુખ

દુઃખ દેનાર । એવા ભક્ત જે જક્તમાંહી, તેની ઉપર પ્રભુનો પ્યાર ।।૭।।

પર પ્રાણીને પીડે નહિ, મર પીડાય પંડ પોતાતણું । એવો વિચાર જેને

અંતરે, ઘડીઘડીએ રહેછે ઘણું ।।૮।। હિતકારી ભારી સૌ જીવના, જેને

ભૂંડાઇ ભાગ આવી નથી । તેણે અવળું અવરનું, કેમ થાય ઉપર અંતરથી

।।૯।। સમુદ્ર શીતળ સદાય, કેને દુઃખ ન દિયે કાંય । નિષ્કુલાનંદ એ

ભક્તની, શ્રીહરિ કરેછે સા’ય ।।૧૦।। કડવું ।।૪૫।।

વળી કહું ભક્ત એક વિભીષણજી, ભજે હરિ કરી વિવેક

વિચક્ષણજી । તેહ જાણી રાવણ કોપ્યો તતક્ષણજી, તેનું કોણ કરે રાક્ષસ

રક્ષણજી ।।૧।। ઢાળ- રાક્ષસ રાવણે લાત મારી, કાઢ્યા લંકાથી બા’ર ।

આવ્યા રામના સૈન્યમાં, ના’પ્યા ગરવા તે વાર ।।૨।। ત્યારે વિભીષણ

કહે રખવાળને, જઇ કહો રામજીને વાત । ભક્ત તમારો નામ વિભીષણ,

આવ્યો છે રાવણનો ભ્રાત ।।૩।। ત્યારે સેવકે કહ્યું શ્રીરામને, સુણી રામ

કહે સુણ્ય દાસ । આવે તો આવે સમ ખાઇને, વણ સમે નહિ વિશ્વાસ

।।૪।। ત્યારે સેવકે કહ્યું વિભીષણને, ખાઇ આવ સુધા સાચા સમ । તો

તેડી જાઇએ પ્રભુ પાસળે, નહિ તો જાવાનું છે વિષમ ।।૫।। ત્યારે

વિભીષણ કહે સુત દારા સંબંધી, રાજ સાજ અમલ અન્ન ધન । આપે

રૂપ અનુપ રામજી, જો દગો હોય મારે મન ।।૬।। તે સેવકે સુણાવ્યું

શ્રીરામને, સુણી તર્ત તેડાવિયા પાસ । ભલો ભક્ત વિભીષણ તું, જગ

સુખથી છો ઉદાસ ।।૭।। સુત કલત્ર કારણે, સુર અસુર નર ઇચ્છે ઘણું ।

રાજ્ય ધનરૂપે સહુએ સુખ માન્યું છે, તેતેં બંધન જાણ્યું આપણું ।।૮।।

એમ કહી વિભીષણને, રાજી થયા શ્રીરામ । ધન્ય એવા હરિજનને, જેને

સુખ સંસારી સમને ઠામ ।।૯।। એમ નર નિર્જરનાં, જેને સુખ સ્વપ્નાને

તુલ્ય । નિષ્કુલાનંદ કહે એ ભક્ત હરિના, અતિ મોટા અમૂલ્ય ।।૧૦।।

કડવું ।।૪૬।।

હંસધ્વજ સુત સુધનવા જેહજી, તેને અતિ શ્રીહરિમાં સનેહજી ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

દૃઢ હરિભક્ત અચળ વળી એહજી, અલ્પ દોષે આવ્યા તાતના ગુન્હામાં

તેહજી ।।૧।। ઢાળ- તેને તાતે તપાસ કઢાવી, નાખ્યો તપેલ તેલની માંઇ

। શ્રીહરિના સ્મરણ થકી, વળી કાયા ન બળી કાંઇ ।।૨।। ત્યારે કહે તેલ

તપ્યું નથી, કાંતો ઔષધિ છે એહ પાસ । તેલ પણ તપેલ ખરૂં, નહિ

ઔેષધી કાઢયો તપાસ ।।૩।। ત્યારે કહે મંત્ર છે એના મુખમાં, તેનો

અખંડ કરે છે ઉચ્ચાર । તે મંત્ર તો શ્રીહરિસ્મરણ, એણે નાવ્યો અંગે

અજાર ।।૪।। સાચો ભક્ત શ્રીકૃષ્ણે જાણીને, કરી કષ્ટમાંયે એની સા’ય ।

ખરી પળે નવ ખમી શકે, દુઃખ દાસનું મનમાંય ।।૫।। પળપળની પીડા

હરવા, હરિ હરિજન પાસે રહે । વણ વિશ્વાસી એહ વાતને, લેશમાત્ર

પણ નવ લહે ।।૬।। રાત દિવસ રક્ષા કરે, નિજભક્તની ભગવાન । મિટે

થકી તે મૂકે નહિ, નિશ્ચય નાથજી નિદાન ।।૭।। જનક જનની નિજ જનના,

સાચા શ્રીહરિ કહેવાય । એહ હેત જેવું કરે જીવને, તેવું બીજે કહો કેમ

થાય ।।૮।। નકી ભક્ત સારૂં નાથજી, અવનિયે રહેછે અખંડ । દુર્મતિ તે

દેખે નહિ, જેમ પડદા આડું પંડ ।।૯।। પડદે રહીને પેખે હરિ, દેખે દાસની

દૃઢતા ધીર । નિષ્કુલાનંદ કહે કષ્ટમાંહિ, કરે સહાય હરિ અચીર ।।૧૦।।

કડવું ।।૪૭।।

એહ આદિ ભક્ત થયા બહુ ભૂપજી, સાચા સત્યવાદી અનઘ

અનૂપજી । પરપીડા હરવા શુદ્ધ સુખરૂપજી, કરી હરિ રાજી તરી ગયા

ભવકૂપજી ।।૧।। ઢાળ- ભવકૂપરૂપ તે તર્યા, આગળે ભક્ત અનેક ।

ધન્યધન્ય એની ભક્તિ, ધન્ય ધન્ય એહની ટેક ।।૨।। એવી ટેક જોઇએ

આપણી, કરવા પ્રભુને પ્રસન્ન । જ્યાં સુધી ન રિઝે શ્રીહરિ, ત્યાં સુધી

કરવી જતન ।।૩।। જેમ ધુવે કોઇ લુગડું, પણ માંય રહી જાય મેલ । ત્યાં

સુધી ન જાણવું, એહ વસ્ત્રને ધોયેલ ।।૪।। જેમ બેસે કોઇ ઝાઝમાં, હોય

ઉંડા અર્ણવમાંય । ત્યાં સુધી સુખ ભૂમિનું, શીદ માનીને મલકાય ।।૫।।

કર્યાં કેશરિયાં શૂરા સરખાં, પણ લીધી નથી લડાઇ । ત્યાં સુધી તે વેષની,

કેમ વખાણાય વડાઇ ।।૬।। શૂરા દેખી દૃગે શત્રુને, કરે દગે કરી ઘણું

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

ઘાય । હરિજનને અરિ ઝીણા અતિ, કરે તે કોણ ઉપાય ।।૭।। કામ ક્રોધ

લોભ કહીયે, એ અતિશે ઝીણા અરિ । આવતાં એને ઓળખીને, વળી

ખબર તે રાખવી ખરી ।।૮।। અખંડ આગ્રહ એહ ઉપરે, જેહ જેહ રાખે

છે જન । તેહ તેહ એ શત્રુ થકી, નર રહે નિરવિઘન ।।૯।। ગાફલને

ઘાયલ કરે, સાજુ રહેવા ન દિયે શરીર । નિષ્કુલાનંદ સચેત રહેવું, ધરી

દૃઢતા અતિ ધીર ।।૧૦।। કડવું ।।૪૮।।

પદરાગ બિહાગડો- ધીરજ સમ નહિ ધન રે સંતો૦ ધીરજ ।

આવે અર્થ દોયલે દનરે સંતો૦ । ટેક - અતોલ દુઃખ પડે જ્યારે આવી,

તેતો ન સે’વાય તન । તેમાં કાયર થઇને કેદી, ન વદે દીન વચનરે;

સંતો૦ ।।૧।। ધીરજવંતને આપે અત્યંત, દુઃખ બહુ દુરિજન । તેતો સરવે

સહે શરીરે, જાણી તે જન અજ્ઞરે; સંતો૦ ।।૨।। ધીરજ ધારી રહે નરનારી,

પામી તે સુખસદન । કષ્ટ કાપવાનો એ છે કુઠારો, વાઢે વિપત્તિનાં વનરે;

સંતો૦ ।।૩।। આગે સીતા કુંતા ને દ્રૌપદી, ધારી ધીરજ અતિ મન ।

નિષ્કુલાનંદના નાથને કર્યા, પૂરણ એણે પ્રસન્નરે; સંતો૦ ।।૪।। પદ ।।૧૨।। એવા ધીરજવાળા જાણો જડભરતજી, હતા અતિ આપે અત્યંત

સમર્થજી । સહ્યાં દુઃખ દેહે રહી ઉન્મત્તજી, કરે ઘરપર કામ તેમાં એક

મતજી ।।૧।। ઢાળ- મત રહિત મુનિ રહે, મળે અન્ન જેવું તેવું જમે ।

કોહ્યું કસાયું સડયું બગડયું, બળ્યું ઉતર્યું ખાઇ દિન નિગમે ।।૨।। ત્યારે

ભ્રાતે કહ્યું જડભરતને, રાખો ખરી ખેતની ખબર । ત્યારે જડભરતજી

જઇ રહ્યા, ઉભા રાતમાં અડર ।।૩।। અતિશે ભૂલી શુદ્ધ અંગની, વરતે

છે અંતરે વરતિ । આપાપર ભાવ નથી ભાસતો, એવી ખરી કરી છે મતિ

।।૪।। મતિમાં રતિ નવ રહ્યો, સુખ દુઃખ સંભવ વળી । એવી રીતે

જડભરતજી, સાંચવે છે ખેતર ખળી ।।૫।। ત્યાં તસ્કર નર આવીને,

ઝાલી લઇ ગયા જડભરતને । ઉભા રાખ્યા દેવી આગળ્યે, તેને મારવા

તરતને ।।૬।। ત્યારે ચોર કહે પછી ચડાવિયે, સારી પેઠે જમાડી સુખડી ।

ત્યારે જડભરત જમિયા, તરત વળી તેહ ઘડી ।।૭।। પછી તીખી તરવાર

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

લઇ કરી, હાથ ઉપાડયો હણવા કાજ । તે દેખી ન શકી દિલે દેવી, હાથ

ઝાલી લીધો વાજોવાજ ।।૮।। પછી લીધી કરવાલ કરથી, તેણે કાપ્યાં

સર્વનાં શિશ । પીધું લોહી ને ખાધું માંસને, ત્યારે ઉતરી દેવીને રીશ

।।૯।। જોડી હાથ જડભરત આગળે, કરે અતિ વિનંતિ તે વળી ।

નિષ્કુલાનંદના નાથ વા’લા, તમને પીડયા પાપીયે મળી ।।૧૦।। કડવું

।।૪૯।।

એમ કહી દેવી ગઇ છે સમાયજી, નથી હર્ષ શોક જડભરતને

કાંયજી । તેહ સમે રાજા આવ્યો એક ત્યાંયજી, નામ રહુગણ બેશી

શિબિકાયજી ।।૧।। ઢાળ- શિબિકાનો ૨બુઢારથી વાટમાં, પડયો માંદો

આવી તેની ખોટ । ઝાલી જડભરત જોડિયા, લીધા તે ઘડી દડિદોટ ।।૨।।

જડભરત જાળવે જીવજંતુ, કીડી મકોડી ન કચરાય । દિયે તલપ તે દેખીને,

તે થડક રાયે ન ખમાય ।।૩।।ત્યારે ભૂપ કહે છે ભોઇને, આવી કરોછો

અવળાઇ કેમ । ત્યારે ભોઇ કહે ભૂપાળને, આ નવો કરેછે એમ ।।૪।।

ત્યારે નવા પ્રત્યે કહે નરપતિ, અતિ વસમાં લાવી વચન । ત્યારે જડભરત

બોલિયા, સુણ્ય વચન કહું રાજન ।।૫।। અવળાઇ જે મારા અંગની, તે

કહું હું સર્વે તુજને । તેં જેજે કહ્યું તારી જીભથી, તેનું નથી દુઃખ કાંઇ

મુજને ।।૬।। તેં કહ્યું જોઇ આ તનને, તેહ નથી આત્મામાં એક । દેહદર્શી

તો એમજ દેખે, જેને નથી અંતરે વિવેક ।।૭।। ત્યારે પુછયું રાયે પિછાન

પડી, લાગ્યા પાય પ્રણિપત કરી । ક્ષમા કરજો અપરાધ મારા, એમ કહ્યું

અતિ કરગરી ।।૮।। એના જેવું થાય આપણે, ત્યારે પડે પૂરી પિછાન ।

ખરા ખોટાની ખબર ખરી, નકી જણાયે નિદાન ।।૯।। ભાદે વડ ભિંડો

તડોવડય છે, સામુ વડથી વધે છે વશેક । નિષ્કુલાનંદ નમૂળિયાંની, અંતે

ટકે નહિ ટેક ।।૧૦।। કડવું ।।૫૦।।

ટેક એક નેક શુકજીની સારીજી, મતિ અતિ મોટી સૌને

સુખકારીજી । ગજપુર આવ્યા રાય પાસે વિચારીજી, પંથમાં પીડા પામ્યા

મુનિ ભારીજી ।।૧।। ઢાળ- ભારે પીડા પામ્યા પરથી, કરી બહુબહુ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

ઉપહાસ । ઉન્મત્ત જાણી કહે કઠણ વાણી, ડરાવે દેખાડી ત્રાસ ।।૨।।

કોઇક નાખે ગોબર ઠોબર, પેશાબ ઇંટ પાણા કઇ । કોઇક સંચારે છે

સરિયા, પાપી નર પૂઠ્યમાં લઇ ।।૩।। કોઇક તાડે તાળી પાડે, પમાડે

દુઃખ વિમુખ ઘણું । શોક હરખ તેનો શુકજીને, નથી અંતરની માંય અણું

।।૪।। કે’તા નથી તેનું કોઇને, જાણી જક્તના જીવ અજાણ । એવા થકા

આવ્યા નરેશ પાસે, કર્યું રાજાનું કલ્યાણ ।।૫।। આગે વ્યાસને આપ્યો

જેણે, ઉત્તર જન વનમાં રહી । આવરણ રહિત આત્મદર્શી, એવા સમર્થ

શુકજી સહી ।।૬।। સમર્થ પણ એ સર્વે સહ્યું, અસમર્થ સહે તેનું શું કહિએ

। આજે તપાસો આપણું, એના જેવા નથી કે છઇએ ।।૭।। ભકતની રીત

જો ભક્તમાં, જન જાણો જોઇએ જરૂર । પોતાની રીત પરહરી પરી,

હરિદાસ ન કરવી દૂર ।।૮।। વેષ લેશ લેવાય નહિ, શાહુકાર નરેશનું

સુખ । બોલી દેશી તો બહુ તેમજ કરે, પણ દામ હુકમનું રહે દુઃખ ।।૯।।

ઓઢી અજીન અંગે સિંહનું, જંબુક કરે જેમ જોર । નિષ્કુલાનંદ એહ

વાતનો, અંતે નહિ આવે નોર ।।૧૦।। કડવું ।।૫૧।।

વળી કહું ઋષિ નારદ એક નકીજી, જેને પ્રતીત પ્રગટની છે

પકીજી । આપે જ્ઞાન દાન જનને વિવેકજી, પામ્યા ભવપાર અગણિત

એહ થકીજી ।।૧।। ઢાળ- અગણિત જીવ ઉદ્ધારવા, ફરે સ્વર્ગ મૃત્યું ને

પાતાળ । જ્યાં જ્યાં હોય જીવ જીજ્ઞાસુ, ત્યાં ત્યાં જાય તતકાળ ।।૨।।

એમ કરતાં આવિયા, નારદ નારાયણ સર । દીઠા સામટા સહસ્ર દશ,

દક્ષ પ્રજાપતિના કુંવર ।।૩।। તેને ઉપદેશ આપી કાપી, સંસાર સુખની

આશ । તેહ સાંભળી દક્ષ દિલે, અતિશે થયો ઉદાસ ।।૪।। ત્યાર પછી

એક સહસ્રને, ઉપજાવી મૂક્યા એહ સ્થાન । તેને પણ તેના ભાઇના

જેવું, આપ્યું છે નારદે જ્ઞાન ।।૫।। તે સુણી દક્ષ દિલગીર થયો, આપ્યો

નારદજીને શાપ । મુહૂર્ત ઉપર તમે જ્યાં રહો, ત્યાં મૃત્યું પામજો આપ

।।૬।। આપ એ શાપ ચડાવી શિર ઉપરે, આપે છે હજી ઉપદેશ । એહના

જેવો આગ્રહ, હરિજનને જોઇએ હમેશ ।।૭।। કે’વી વાત હરિકૃષ્ણની,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

હેત દેખાડી હૈયાતણું । કાઢી લેવો કાળ મુખથી, એવો ઉપકાર કરવો

ઘણું ।।૮।। ચોખે મારગે ચલાવતાં, કોઇને ગમે કે નવ ગમે । કહ્યામાં

કસર ન રાખવી, સુખ દુઃખ સમે વસમે ।।૯।। આળસી ન બેસવું આપણે,

હેતે કરવી હરિની વાત । નિષ્કુલાનંદનો નાથજી, રહે રાજી તે પર દિન

રાત ।।૧૦ ।। કડવું ।।૫૨।।

પદરાગ કડખો- સાચા સંત અનંત રાજી કર્યા શ્રીહરિ, મેલી

મમત તન મન તણી । હીમત અતિ મતિમાંય તે આણીને, રતિપતિની

લીધી લાજ ઘણી; સાચા૦ ।।૧।। દામ વામ ધામ દીઠાં પણ નવ ગમે,

કામ શ્યામ સાથે રાખ્યું છે જેણે । નામ ઠામ ન પૂછે ગામ ગ્રાસનું રે,

આઠું જામ હામ હૈયે રહેછે તેણે; સાચા૦ ।।૨।। એવા સંતનો સંગ ઉમંગશું

કરિયે, તો અભંગ રંગ રૂડો અંગ રહે । દિલ ડગમગે પગ નવ પરઠે,

ચિત્ત રહી ચંગે જગ જીતી લહે; સાચા૦ ।।૩।। સાચા સંત શૂરવીર ધીર

ગંભીર છે, નીર ક્ષીર કાંકર હીર કરે નિવેડો । નિષ્કુલાનંદ આનંદ પદ

પામીને, કેદી ન મૂકે એ વાતનો જ કેડો; સાચા૦ ।।૪।। પદ ।।૧૩।।

એવા તો સનકાદિક સુજાણજી, વિષયસુખ દુઃખરૂપ જાણી તજી

તાણજી । ભજી પ્રભુ પામિયા પદ નિર્વાણજી, એહ વાત સરવે પુરાણે

પ્રમાણજી ।।૧।। ઢાળ- પુરાણે વાત એહ પરઠી, સનકાદિક સમ નહિ

કોય । વેર કરી વિષયસુખ સાથે, ભજ્યા શ્રીહરિ સોય ।।૨।।જેહ સુખ

સારૂં શિવ બ્રહ્મા, સુર અસુર નર ભૂખ્યા ભમે । તે સુખ સનકાદિકને,

સ્વપ્નામાં પણ નવ ગમે ।।૩।। ભક્તિ કરી હરિને રિઝવ્યા, માગો માગો

કહે શ્રીઘનશ્યામ । માગિયે વય વર્ષ પાંચની, વળી રહિયે સદા નિષ્કામ

।।૪।। પછી પામી અવસ્થા વર્ષ પાંચની, સર્વે લોકમાં ફરે સુજાણ । સુણાવે

કથા શ્રીકૃષ્ણની, કરે બહુ જીવનાં કલ્યાણ ।।૫।। ઉંડી અંતરથી ઇચ્છા

ગઇ, સ્પર્શ સુખ ત્રિયા તનની । એની પેઠે કરો આપણે, મેલી દિયો

ઇચ્છા મનની ।।૬।। નિરવિષયી ગમે છે નાથને, વિષય વિકળ ગમતા

નથી । જેમ સમળ નર બેસે સભામાં, સહુ જાણે ઉઠી જાયે આંહિથી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

।।૭।। ઉપર બન્યા બહુ ઉજળા, માંયે મેલની મણા નથી । એવા જન

જોઇ જગપતિ, અભાવ કરે છે ઉરથી ।।૮।। ઇચ્છા ઓ અનેક ઉરમાં,

ખાન પાન સ્પર્શ સુખની । એવા ભક્તની ભગતિ, હરિ વદે નહિ વિમુખની

।।૯।। પંચ વિષયની પટારિયું, ઘણી ઘાટે ભરી ઘટમાંય । નિષ્કુલાનંદ

કહે નાથના, એહ ભક્ત તે ન કહેવાય ।।૧૦।। કડવું ।।૫૩।।

વળી ઋષિ એક જાણો જાજળીજી, આરંભ્યું તપ અતિ વિષમ

વળીજી । કર્યું હરિધ્યાન તેણે તન શુદ્ધ ટળીજી, આવ્યાં વનવિહંગ ઘણી

સુઘરિયો મળીજી ।।૧।। ઢાળ- સુઘરિયે મળી માળા ઘાલ્યા, વળી બેઉ

કાનની કોર । ઇંડાં મૂકીને અહોનિશ, કરે છે સોર બકોર ।।૨।। અડગ

પગે તે ઉભા રહ્યા, વળી જાય ન આવે ક્યાંય । જાણે પંખીને પીડા ઉપજશે,

એવી દયા ઘણી દિલમાંય ।।૩।। ચારે દિશે જાય ચણ્ય સારૂં, વળી આવી

રહે ત્યાં રાત । પછી ઇંડાં મટી ઇંડજ થયાં, ગયાં ઉડી પ્રભાત ।।૪।। તોય

જાજળી જોઇ રહ્યા, દિન કેટલાક સુધી વાટ । પાછાં ન આવ્યાં પંખી

જ્યારે, ત્યારે તજ્યો મન ઉચ્ચાટ ।।૫।। એના જેવી દયા દિલમાં, રાખવી

અતિ ધરી ધીર । ઝિણા મોટા જીવનું સહેવું, સુખ દુઃખ તે શરીર ।।૬।।

આપણે અંગે પીડા આવતાં, જો થાય સામાને સુખ । તો ભાવે કરી

ભોગવિયે, દિલમાં ન માનિયે દુઃખ ।।૭।। અલ્પ જીવ ઉપર વળી, રાખવો

નહિ એક રોષ રતિ । સ્થાવર જંગમ જીવ ઉપર, પરહરવી હિંસક મતિ

।।૮।। પરને પીડા કહું કરવી, એતો કામ છે કસાઇનું । સર્વેને સુખ થાવા

ઇચ્છવું, એહ કૃત્ય છે સંત સુખદાયિનું ।।૯।। એહ મત ખરો હરિભક્તનો,

નવ પીડવાં પ્રાણધારીને । નિષ્કુલાનંદનો નાથજી રિઝે, એવું કરવું

વિચારીને ।।૧૦।। કડવું ।।૫૪।।

અરુણી ઉપમન્યુ આપત્ય ધૌમ્યના શિષ્યજી, ગુરુ આગન્યામાં

વરતે અહોનિશજી । જાય અન્ન જાચવા હરખે હમેશજી, આણી આપે

ગુરુને નાપે ગુરુ તેને લેશજી ।।૧।। ઢાળ- લેશ ન આપે જ્યારે શિષ્યને,

શિષ્ય જાચે અન્ન પછી જઇ । ત્યારે ગુરુ કહે ગરીબ ગૃહસ્થને, ફરી ફરી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

પીડવા નહિ ।।૨।। ત્યારે પય પળી પીને વળી, કરે છે તેહ નિરવાહ ।

ત્યારે ગુરુએ પય વત્સફીણની, પાડીછે ચોખી નાહ ।।૩।। પછી ખાધાં

તેણે ક્ષુધામાંહિ, અર્ક પાન થયા તેહ અંધ । વનથી આવતાં વાટમાં, પડી

ગયાછે કૂપ મધ્ય ।।૪।। આવ્યાની વેળા વહી ગઇ, ત્યારે ગોતવા ગુરુ

નિસર્યા । પોકાર કરતાં પડેલ કૂવામાં, સામસામા સાદ કર્યા ।।૫।। પછી

કૂવામાંથી કાઢી કહ્યું, ઉપમન્યું તું છું મારો દાસ । મને તેં પ્રસન્ન કર્યો,

હવે માગ્ય કાંઇક મુજ પાસ ।।૬।। એમ ગુરુની આગન્યા , જે પાળે

પરમ સુજાણ । નિરવિઘન તે નર થઇ, પામે પદ નિરવાણ ।।૭।। મન

ગમતું મેલી કરી, રહે આજ્ઞાને અનુસાર । તેજ શિષ્ય સાચા ખરા, બીજા

સરવે સંતાપનાર ।।૮।। કુક્કર કાનના કીટ સરિખા, શિષ્ય ન થાવું સમઝી

। ગુરુ વાળે તેમ વળવું, અહંતા મમતા મનની તજી ।।૯।। ગુરુકૃપાએ

સુખ પામીયે, ગુરુકૃપાયે ઉપજે જ્ઞાન । નિષ્કુલાનંદ ગુરુ કૃપા કરે, તો

આપે અવિચળ દાન ।।૧૦।। કડવું ।।૫૫।।

એ કહ્યા સરવે પરોક્ષ હરિજનજી, એને કેને પ્રગટ નથી મળ્યા

ભગવનજી । તોય કોઇ મોળા ન પડિયા મનજી, કહું વાર હજાર એને

ધન્યધન્યજી ।।૧।। ઢાળ- ધન્ય ધન્ય એહ જનને, જેણે શિશ સાટે સોદો

કર્યો । તજી છે આશ તન મનની, એવો ઉદ્યમ જેણે આદર્યો ।।૨।। લીધો

સિદોરો શિશ હાથમાં, તેહ સાથ જોવા કેમ રહે । મરવાની તો બીક જ

મટી, અસિ આગ્યનો ભાગ્યો ભહે ।।૩।। આગળ ચાલતાં આનંદ અતિ,

આવે ઝટ દઇ રણઝુંપરે । એક લડી મરે એક બળી ટળે, માને બેઉ વાત

અનૂપરે ।।૪।। તેમજ સાચા સંતને, તજી જોઇએ તે તનની આશ । દેહ

રખા કાયરના, તેતો કેદિ ન હોય હરિદાસ ।।૫।। હરિદાસને હોય હિમત

ઘણી, ગણે તનને તરણા તોલ । લાલચ મેલી આ લોકસુખની, પામવા

વસ્તુ અમોલ ।।૬।। અચળ સુખમાં આવી ઘણી, પૂરણ વળી પ્રતીત ।

અસત્ય સુખ પણ ઓળખ્યું, જાણ્યું જેવી છે એની રીત ।।૭।। પડયું પોતાને

પારખું, ખરા ખોટાનું ખરાખરું । સુખ ઘણું માન્યું ઘનશ્યામમાં, મેલ્યું

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

અલ્પ સુખ અળગું પરું ।।૮।। શિદને ખાય ખાટી છાશને, મેલી પીયુષ

રસ પ્રવાહ । પટુ પાંબરી પરહરીને, કરે કોણ ચરમની ચાહ ।।૯।। તેમ

ભક્ત જક્તનાં સુખ જોઇને, લોભાય નહિ લગાર । નિષ્કુલાનંદ તેહ

ભક્ત સાચા, ફેર નહિ રતિ ભાર ।।૧૦।। કડવું ।।૫૬।।

પદરાગ કડખો- સાચા ભક્તની રીત સર્વે સાચી સહી, સાચાં

સર્વે આચરણ એનાં । ખાતાં પીતાં સુતાં જાગતાં જાણિયે, ઉપદેશ રૂપ

અનૂપ તેનાં; સાચા૦ ।।૧।। હાલતાં ચાલતાં જોતાં માંય જોવું ખરું, લેતાં

દેતાં બોલતાંમાં કળી લૈયે । જાતાં આવતાં પાસ વાસ વસતાં, કેમ ન

કળાય એહ કહો તૈયે; સાચા૦ ।।૨।। કરતાં ન કરતાં હરતાં ફરતાં,

ગાતાં વાતાં વળી હસતાં હોયે । રોતાં ધોતાં પોતાં પે’રતાં પરખિયે, છતાં

વકતાં જાણો સુખદ સોયે; સાચા૦ ।।૩।। જેજે આચરણ સાચા સંત

આચરે, તેતે સર્વે છે વળી સુખકારી । અખંડ ધામમાં એજ પોં’ચાડે,

નિષ્કુલાનંદ કહેછે વિચારી; સાચા૦ ।।૪।। પદ ।।૧૪।।

સુણો એક મૃદ્ગલ ઋષિની રીતજી, વીણે અન્ન દિન પંદરલગી

નિત્યજી । કરી પાક જમાડે અભ્યાગત ઘણે હિતજી, વધે અન્ન તેહ જમે

કરી અતિ પ્રીતજી ।।૧।। ઢાળ- કરી પ્રીત અતિ જમતો, ત્યાં દુર્વાસા

ઋષિ આવિયા । અતિ આદર દઇ બ્રાહ્મણે, જમવાને બેસારિયા ।।૨।।

જમી અન્ન જે વધ્યું હતું, તે ચોળી પોતાને તન । ચટક દઇ ચાલી નિસર્યા,

ગયા શિવને ભવન ।।૩।। પછી પંદર દિવસે વળી, ભેળું કર્યું બ્રાહ્મણે

અન્ન । તે પણ તેમનું તેમ કર્યું, તોય રહ્યા મુદ્ગલ મગન ।।૪।। એમનું એમ

કરતાં વળી, વિતી ગયા દ્વાદશ માસ । અન્ન વિનાના એટલા, પડયા

ચોખા ઉપવાસ ।।૫।। ત્યારે દુર્વાસા કહે ધન્ય દ્વિજ તું, ધન્ય ધીરજ તારી

નિદાન । તેહ સમામાં તેડવા, આવ્યાં વિબુધનાં વિમાન ।।૬।। બેસો ઋષિ

વિમાનમાં, તેડી જાયે અમરપુરમાંય । સત્ય ટેક તમારી જોઇને, અમે

આવ્યા તેડવા આંય ।।૭।। ત્યારે પુછયું સુખ દુઃખ સ્વર્ગનું, કહ્યું કંઇક

ચઢે પડે પણ ખરાં । ત્યારે મુદ્ગલ કહે નહિ આવું એ ધામે, લઇ જાઓ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

વિમાનને પરાં ।।૮।। અલ્પ સુખને ભોગવી, પુન્ય ખૂટે પાછું પડવું ।

એવાં સુખને વળી સાંભળી, ચોખું નથી એ વેને ચડવું ।।૯।। પછી અવધે

તન તજી કરી, ગયા તે અખંડ ધામમાં । નિષ્કુલાનંદ કહે સહ્યું કષ્ટ જેહ,

તેહ આવિયું કામમાં ।।૧૦।। કડવું ।।૫૭।।

વળી કહું એક શિલોન્છવૃત્તિધારીજી, વીણે એક કણકણ ધર્મ

વિચારીજી । ઋષિ ઋષિસુત ઋષિનારી સુતનારીજી, જમે દિન આઠમે

એહ મળી વળી ચારીજી ।।૧।। ઢાળ- ચારે બેઠાં જ્યારે જમવાને, હતો

સાથુ શેર જુગલ । ત્યાં ધર્મ ધરી રૂપ દ્વિજનું, તક જોઇ આવ્યા તેહ પલ

।।૨।। આવી કહ્યું આપો અન્ન મને, હું ભૂખ્યો છઉં બ્રહ્મન્ન । ત્યારે ઋષિયે

આદરે આપિયું, પોતાના ભાગનું અન્ન ।।૩।। પછી આપ્યું ઋષિપત્નિએ,

આપ્યું ઋષિસુતે કરી પ્યાર । પછી આપ્યું એની નારીએ, થયાં અન્ન

વિના એ ચાર ।।૪।। અન્ન વિન દિન આઠ ગયા, પાછી આઠે પણ નહિ

આશ । તોય ચારે રાજી રહ્યાં, વળી કોઇ ન થયાં ઉદાસ ।।૫।। આપ્યું

અન્ન અભ્યાગતને, જળ ઢળ્યું ધોયેલ કર ચર્ણનું । તેમાં આળોટ્યો આવી

નોળીયો, થયું અર્ધું અંગ સુવર્ણનું ।।૬।। એવું શુદ્ધ અન્ન એહનું, તે જમિયા

વૃષભ વળી । રાજી થયા ઋષિ ઉપરે, જાણું આપું સમૃદ્ધિ સઘળી ।।૭।।

ત્યારે દ્વિજ પલટી ધર્મ થયા, માગો માગો તમે મુજ પાસ । ત્યારે દ્વિજ

કહે ધન્ય ધર્મ તમે, આપો તમારા ધામમાં વાસ ।।૮।। એમ સમે આવી

કોઇ અન્ન જાચે, વળી હોયે ક્ષુધાએ આતુર । પો’ચ્ય પ્રમાણે આપવું,

રાજી થઇ જન જરૂર ।।૯।। અન્ન ન આપે ઉત્તર આપે, કાં તોેે સંતાપે

કઠણ કહી । નિષ્કુલાનંદ હરિજનની, એવી રીત જોઇએ નહિ ।।૧૦।।

કડવું ।।૫૮।।

વળી કહું એક જયદેવજીની વાતજી, સાંભળ્યા સરખી છે સારી

સાક્ષાતજી । જેને ઘેર પદ્માવતી વિખ્યાતજી, કરે હરિભક્તિ દોય દિવસ

ને રાતજી ।।૧।। ઢાળ- રાત દિવસમાં રાગે કરી, ગાય ગોવિંદગીત પ્રીતે

કરી । જાચી લાવે અન્ન તેહ જમે, આપે ભૂખ્યા જનને ભાવે કરી ।।૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

બ્રાહ્મણને વળી ભક્ત હરિના, જાણી શિષ્ય થયાં કંઇ જન । એમ કરતાં

ક્યારેક કાળ પડયો, જડે નહિ જાચતાં અન્ન ।।૩।। પછી જયદેવ ચાલ્યા

જાચવા, શિષ્ય પાસેથી જાચ્યું ધન । તે લઇ આવતાં વાટમાં, મળ્યા

મારગમાં દુરિજન ।।૪।। આવતાં ઓળખી એહને, જયદેવે વિચારી વાત

। આપું ધન તો તન ઉગરે, નહિ તો થાશે બેઉની ઘાત ।।૫।। કટાણે ને

કઠેકાણે, તક જોઇ આવ્યા છે તેહ । જરૂર મારશે જીવથી, એ વાતમાં

નહિ સંદેહ ।।૬।। એમ જયદેવે વિચારી જીવમાં, આપી દીધું રાજી થઇ

ધન । ત્યારે ચારે ચોરે વિચારિયું, કાંઇક કપટ છે એને મન ।।૭।। માટે

મારી નાખો એહને, તો મળે આ સઘળો માલ, ત્યારે એક કહે કાપો

હાથ પગને, એની મેળે મરશે બેહાલ ।।૮।। પછી પગ કાપી હાલિયા,

મહાપાપીને નહિ મે’ર । તિયાં આવ્યો એક નૃપતિ, વે’લ્યે બેસારી લઇ

ગયો ઘેર ।।૯।। પછી રાજાએ એને ઓળખ્યા, જાણ્યા ભક્ત આ તે જયદેવ

। નિષ્કુલાનંદના નાથના વા’લા, જાણી કરેછે બહુ સેવ ।।૧૦।। કડવું

।।૫૯।।

પછી એના શિષ્ય થયા ભૂપાળજી, એમ કરતાં પાછો પડી ગયો

કાળજી । આવ્યા એ ચોરટા સાધુ થઇ ઘાલી માળજી, તેને ઓળખ્યા

જયદેવે તતકાળજી ।।૧।। ઢાળ- તતકાળ તેને ઓળખી, બહુ બહુ કરાવેછે

સેવ । ત્યારે ચોરટે પણ જાણિયું, આ ખરો ખૂની જયદેવ ।।૨।। આવ્યા

અરિના હાથમાં, હવે ઉગર્યાની આશા સહિ । જોઇ અપરાધ આપણો,

માર્યા વિના એ મુકે નહિ ।।૩।। પાપીને પાપ પોતાતણાં, આવ્યાં નજરે તે

નિરધાર । કહો ભાઇ કેમ કરશું, એમ ચિંતવે છે ચોર ચાર ।।૪।। પછી

ચોરે ચાલવાનું કર્યું, ત્યારે અપાવ્યાં ઘઉં ગાડાં ભરી । આગળ જઇ કયાંક

ઉતર્યા, ગાડાંવાળાને વાત કરી ।।૫।। જયદેવ જાતનો ઝાંપડોે, રાજાના

ગુન્હામાં આવ્યો હતો । અમને સોંપ્યો હતો મારવાને, ત્યારે અમે મેલ્યો

એને જીવતો ।।૬।। તે ગુણે આપ્યાં ઘઉંનાં ગાડલાં, વળી બીન્યો પણ

મનમાં સહી । જાણ્યું એમ મારી જાતનું, રખે રાજાને આપે કહી ।।૭।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

એમ કહેતાં ફાટી અવનિ, પહોંચ્યા ચોર ચાર પાતાળ । ગાડાં વાળી ઘેર

લાવિયા, કહ્યું વૃત્તાંત થયું તેહ કાળ ।।૮।। ત્યારે જયદેવે ઘસ્યા કર ચરણને,

થયા સાજા તે સમયે સોય । જુવો વિચારી જન મને, એવા ક્ષમાવાન

કોણ હોય ।।૯।। સાચા જન તેને જાણિયે, ખરી ક્ષમા રાખે મનમાંયે ।

નિષ્કુલાનંદના નાથને, એથી વા’લું નથી બીજું કાંયે ।।૧૦।। કડવું ।।૬૦।।

પદરાગ કડખો- ક્ષમાવંત સંત અત્યંત સુખ ભોગવે, પામે દુઃખ

ક્ષમાની ખોટવાળા । સોનું રૂપું જેમ સહે ઘણા ઘાવનેરે, જોઇએ કાચને

વળી રખવાળા; ક્ષમાવંત૦ ।।૧।। રુપા સોનાનાં ભૂષણ સહુ પે’રી ફરે,

એતો અંગોઅંગમાં શોભા આપે । કાચ ભાંગે તો કામ આવે નહિરે,

કટકા કોઇકનું તન કાપે; ક્ષમાવંત૦ ।।૨।। સર્પ સિંહ સ્વભાવવાળા સંત

શિયા, જેની પાસે જાતાં પગ પડે પાછા । અતિ અખતર નર નરસા

ઘણારે, તેને કહેવું પડે તમે સંત સાચા; ક્ષમાવંત૦ ।।૩।। એ જેવી કે’વી

દેવી નંદવાણા તણી, રુઠે તુઠે આપે સંતાપ સરખો । નિષ્કુલાનંદ કહે ન

થાય ઓરતોરે, જો પહેલા વહેલા એના પગ પરખો; ક્ષમાવંત૦ ।।૪।।

પદ ।।૧૫।।

થોડી થોડી વાત કહી રાય ઋષિની કથીજી, જેમ છે તેમ તે

કહેવાણી નથીજી । વિસ્તારે વાત સુણજો પુરાણથીજી, એ જેવા થયા કૈ

અધિક એક એકથીજી ।।૧।। ઢાળ- એક એકથી અધિક થયા, કૈક ઋષિ

કૈક રાજન । તે પ્રસિદ્ધ છે પુરાણમાંયે, સહુ માનજો જન મન ।।૨।। કઠણ

કસણી સહી શરીરે, કાઢ્યો મેલ માંહેલો માયાતણો । ત્રણ ગુણ પંચવિષય

વાસના, કર્યો ત્યાગ તેનો તને મને ઘણો ।।૩।। અખંડ વરતે નિત્ય અંતરે,

બાહ્ય દષ્ટિને સમેટી વળી । જેમ વરસે જળ અચળ પર, પણ નીચી

ભૂમિએ આવે ઢળી ।।૪।। તેમ વૃત્તિયો સર્વે વળી, મળી આવી તે અંતર

માંયે । પછી મૂર્તિ મેલી મહારાજની, જાયે ન આવે કયાંયે ।।૫।। માલ

મળ્યો મોટો ઘણો ઘરમાં, તેના અમલના આનંદ રહે । મેલી ચંદન

મળીયાગરુ, વળી વેઠે કોયલા કોણ વહે ।।૬।। એવાં સુખ સંસારનાં,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

જાણો કુચ્ય કોયલા સમાન । કાળપ્ય આપે ખંજોળી સંતાપે, વળી ના’પે

સુખ નિદાન ।।૭।। એવા સુખને અભાગિયા, રાત દિવસ રૂવેછે રહ્યા ।

પણ વાત નથી વિચારતા, જે ઠાલે હાથે કૈક ગયા ।।૮।। મહા દુઃખે જે

સુખ મળે, તે પણ ટળી વળી જાય । એવા સુખને અજ્ઞ જન વિન, કહો

ભાઇ કોણ ચહાય ।।૯।। એમ આગળ રાય ઋષિએ, સમજીને કીધોછે

ત્યાગ । નિષ્કુલાનંદ કહે નર અભાગીને, નથી ઉપજતો વૈરાગ ।।૧૦।।

કડવું ।।૬૧।।

વૈરાગ્ય વિના તનસુખ ન તજાયજી, તનસુખ તજ્યા વિના

હરિ ન ભજાયજી । હરિ ભજ્યા વિના ભક્ત ન નિપજાયજી, લીધી

મેલી વાતે ભક્તપણું લજાયજી ।।૧।। ઢાળ- લજ્જા જાય આલોકમાં,

પરલોકે પણ પહોંચે નહિ । એવી ભક્તિ આદરતાં, કહો ભાઇ કમાણી

સહિ ।।૨।। જેમ કેશરિયાં કોઇ કરી ચાલે, ઘાલે કાખમાં કોળી

તરણની । કામ પડે કો’કેમ આવે, પ્રતીતિ એના મરણની ।।૩।। જેમ

સતી ચાલી બા’રે બળવા, ભેળાં ભરી લિયે જળ માટલાં । આગ્ય

લાગે ઉઠી ભાગશે, હોલવી તરણનાં ત્રાટલાં ।।૪।। એમ ભક્ત થઇ

ભગવાનનો, વળી કે’વાણો સહુથી ભલો । પણ શરીર સુખરૂપી

રાખિયો, મોટો મિયાંનો ગોખલો ।।૫।। જ્યારે વેચી હવેલી વિત્ત લઇ,

ત્યારે આળીયાનો શો અર્થ છે । પણ દગો છે એના દિલમાં, જે અંતે

કરવો અનર્થ છે ।।૬।। એવા ભમરાળા ભક્ત ન થાયે, થાયે ભક્ત

આગળ કહ્યા એવા । જ્યારે સાત ભાત્યની કરી સુખડી, ત્યારે ન

બગાડિયે કાચલિયે વિ’વા ।।૭।। દીધું આંઘણ જ્યારે દુધનું, તેહ માંહી

મીઠું ઓરવું નહિ । ખાતાં ન ખવાય દુધ જાય, કહો તેમાં કમાણી સહી

।।૮।। ભલી ભક્તિ આદરી, પામવા પુરૂષોત્તમ સહિ, પછી પંડ સુખને

ઇચ્છવું, એતો વાત બને નહિ ।।૯।। ખાવો ભૈરવ જપને જ્યારે, ત્યારે

ખસતું ન મેલવું અંગ । નિષ્કુલાનંદ જેમ દિવો દેખી, પાછો ન વળે

પતંગ ।।૧૦।। કડવું ।।૬૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

હરિજનને છે એક મોટું જ્યાનજી, જો આવી જાયે અંગ

અભિમાનજી । તો ન ભજાય કેદી ભગવાનજી, પંડ્ય પોષવા રહે એક

તાનજી ।।૧।। ઢાળ- તાન રહે એક પંડય પોષ્યાનું, ખાન પાનને રહે

ખોળતા । મળે તો મહાસુખ માને, ન મળે તો નાસે આંખ્યો ચોળતા

।।૨।। જેમ ભાંડ બાંડ ના’વે ભિડ્યમાં, કુલક્ષણાની જાણે કળા । સોસો

વાતે ના’વે સાંકડયે, વાદી પાદી ઉઠી જાય વેગળા ।।૩।। એમ નર

અભાગિયા, કરે કળ છળ હુન્નર હજાર । અનેક રીતે આવવા વળી, ન

દિયે અંગે અજાર ।।૪।। કર્મવશ કોટિ કષ્ટ સહે, રહે રાત દિવસ રોસિવડો

। પણ સત્સંગમાં લેશ દુઃખ સહેતાં, જાયછે એનો જીવડો ।।૫।। અણ

અર્થે અભાગિયો, દુર્મતિ અતિ દુઃખ દ્યોત । પ્રભુ ભજતાં પગ ન માંડે,

જેમ બેઠો કટિયે કપોત ।।૬।। કોટિકોટિ શાસ્ત્ર સાંભળ્યાં, વળી કોટિ

કોટિ સાંભળશે । અજ આવી ઉપદેશ દેશે, તોય ભૂલ્ય એની કાંઇ ટળશે

? ।।૭।। ગુરુ સહસ્રઘણું ઘણું, સમઝાવેછે સર્વે મળી । પણ પકડ્યું પુચ્છ

નરે ખરનું, નથી મૂકતો વણશેલ વળી ।।૮।। આંટી પડી ઉરે અવળી, તે

વાત ન સમઝે સવળી સહી । ઝાલી ટેક ખાવા ઝેરની, તે મૂવા સુધી મૂકે

નહિ ।।૯।। મૂઠી વાળી જેમ મરકટે, ચપટી ચણાને કાજ । નિષ્કુલાનંદ

ફંદ પડિયો ગળે, પરવશ થયો પશુરાજ ।।૧૦।। કડવું ।।૬૩।।

ધીરજાખ્યાન છે આનું નામજી, ધીરજવાળાનું સારશે કામજી

। ગાશે સાંભળશે કરી હૈયે હામજી, તેહ જન પામશે પ્રભુનું ધામજી

।।૧।। ઢાળ- ધામ પામશે પ્રભુ તણું, જિયાં કાળ માયાનો કલેશ નહિ

। અટળ સુખ આનંદ અતિ, તેતો કોટિ કવિ ન શકે કહી ।।૨।। દિવ્ય

ભૂમિ દિવ્ય મંદિર, દિવ્ય દેહધારી ત્યાં જન રહે । દિવ્ય પદારથ દિવ્ય

વસ્તુ, દિવ્ય સુખ તે સહુ લહે ।।૩।। દિવ્ય વસન દિવ્ય ભૂષણ, દિવ્ય

સરવે સાજ સમાજ । દિવ્ય સિંહાસન ઉપરે આપે, બેઠા શ્રીમહારાજ

।।૪।। દિવ્ય પૂજા વળી દિવ્ય પુષ્પ, દિવ્ય ચંદન દિવ્ય મણિમાળ ।

મહાસુખમય મૂરતિને, પ્રેમે પૂજેછે મરાળ ।।૫।। લઇ પૂજા નિજ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

જનજી, થઇ પ્રસન્ન પુરૂષોત્તમ । પછી અમૃતભરી આંખ્યશું, જુવે છે

સહુને પરબ્રહ્મ ।।૬।। તેહ સમાનું સુખ સરવે, કે’તાં પણ કહેવાય નહિ

। તેહ પામેછે સંત સાચા, વા’લાને વચને રહી ।।૭।। વચનમાં જેહ

વાસ કરી, રહ્યા છે રુદે રાજી થઇ । તેની નજરમાં નર અમરનાં,

સુખની ગણતિ સઇ ? ।।૮।। અનુપને ઉપમા ન આવે, અકળ તે ન

કળાય । અચળ તે ચળે નહિ, એવું એ સુખ કહેવાય ।।૯।। એહ સુખ

સહજે પામિયે, સંત વાળે તેમ જો વળીયે । નિષ્કુલાનંદ નિર્ભય

સુખથી, તુચ્છ સુખસારૂં શીદ ટળીયે ।।૧૦।। કડવું ।।૬૪।।

પદરાગ કડખો- ઘન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને, જેણે

રાજી કર્યા રાધા રમાપતિ । માન અપમાનમાં મન હટક્યું નહિરે, સમ

વિષમે રહિ એક મતિ; ધન્ય૦ ।।૧।। સુખ દુઃખ સમતોલ સમઝયા

સહી, અરિ મિત્રમાં રહી એક જ બુદ્ધિ । સંપત્તિ વિપત્તિ સરખી સમ

થઇ રે, સમઝયા સંત એમ વાત સુધી; ધન્ય૦ ।।૨।। હાર જીત ને

હાણ વૃદ્ધિ જાણો વળી, હરખ શોકમાં નવ હસે રુવે । ગાંધર્વ શહેર

સમ સુખ સંસારનાંરે, મૃગજળ જોઇ સુખરૂપ જળ ખુવે; ધન્ય૦ ।।૩।।

સ્વપ્નાની પૂજા પીડા સ્વપને રહી, તે જાગ્રતમાં એહ આવતી નથી ।

નિષ્કુલાનંદ એમ સાચા સંત સમઝેરે, વિચારો સહુ કહું હું વાત કથી;

ધન્ય૦ ।।૪।। પદ ।।૧૬।।

પદરાગ ધોળ - આજ આનંદ મારા ઉરમાં, મળી મને

મહામોંઘી વાતરે । કોટી કષ્ટ કરે હરિ નવ મળે, તે તો મને મળીયા

સાક્ષાત રે; આજ૦ ।।૧।। રમાડયા જમાડયા રૂડી રીતશું, મળ્યા વળી

વારમવારરે । હેતે પ્રીતે નિત્યે સુખ આપિયાં, તે તો કે’તાં આવે કેમ

પાર રે; આજ૦।।૨।। અન્ન જળ ફળ ફુલ પાનની, આપી એવી પ્રસાદી

અનૂપ રે । ચરણની છાપ દીધી છાતિયે, આપ્યાં સારાં વસ્ત્ર સુખરૂપ

રે; આજ૦ ।।૩।। આગળ ભગત અનેક થયા, સહ્યાં તેણે શરીરે બહુ

દુઃખ રે । તોય પ્રભુ પ્રગટ પામ્યા નહિ, પામ્યા પણ ના’વ્યાં આવાં

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ધીરજાખ્યાનમ

સુખરે; આજ૦ ।।૪।। કોઇકને આપી અમરાવતી, કોઇકને પુર કૈલાસ

રે । કોઇકને સત્યલોક સોંપિયું, કોઇકને વૈકુંઠે વાસ રે; આજ૦ ।।૫।।

જુજવાં એ ધામ આપ્યાં જનને, જોઇ નિષ્કામ સકામ રે । આજ તો

અઢળક ઢળ્યા હરિ, આપ્યું સહુને અક્ષરધામ રે; આજ૦ ।।૬।। સુખ

સુખ સુખ જ્યાં સુખ ઘણું, તે તો મુખે કે’તાં ન કહેવાય રે ।

નિષ્કુલાનંદ એ આનંદમાં, હરખી હરખી ગુણ ગાય રે; આજ૦ ।।૭।।

દોહા- ચોસઠ્ય કડવાં સાત એક સિંધુ, છે ચરણ વળી પદ

સોળ । તેની ઉપર એક છે, વધામણાનું ધોળ ।।૧।। સંવત્‌ અઢાર

નવાણુંવો, ચૈત્ર વદી દશમી દન । રચ્યો ગ્રંથ ગઢપુરમાં, સુણી સમરો

શ્રીભગવન ।।૨।।

-ઃ- ઇતિ શ્રી નિષ્કુલાનંદમુનિ વિરચિતં ધીરજાખ્યાનમ્‌ સંપૂર્ણમ્‌ -ઃ-

ધીરજાખ્યાનમ્‌ સમાપ્ત

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન

-ઃ હરિસ્મૃતિ :-

દોહા- મનોહર સુંદર મૂરતિ, સહજાનંદ સુખરૂપ ।

નખશિખ સુધી નિરખતાં, આવે આનંદ અનૂપ ।।૧।।

પ્ર થ્ ા મ પ્ર ભ ુ પ્ર ગ ટ ન ે , ર ા ખ ુ ં હૃ દ ય ા મ ા ં ય ।

અંગોઅંગ અવલોકીને, અંતર રહું ઉછાય ।।૨।।

ચોપાઇ - પુરુષોત્તમ પરમ દયાળ, નાથ નિરખ્યા છે ।

શ્રી ભક્તિધર્મના બાળ, નાથ નિરખ્યા છે ।

સુખદાયી સહજાનંદ, નાથ. સત્સંગીના સુખકંદ નાથ. ।।૩।।

અંગોઅંગમાં અવિનાશ, નાથ. તેણે હૈયે છે હુલાસ, નાથ. ।।

પ્રથમ પેખીને બે પાવ, નાથ. આવે અંતરે ઉછાવ, નાથ. ।।૪।।

અંબુજ અરુણ વર્ણ બે ચરણ, નાથ. હરિભક્તના ભય હરણ, નાથ. ।।

તેમાં શોભે ચિહ્ન સોળ, નાથ. અવલોકે સુખ અતોળ, નાથ. ।।૫।।

જમણા ચરણનાં ચિહ્ન જોઇ, ના. સ્વસ્તિક અષ્ટકોણ છે સોઇ, નાથ. ।।

વજ્ર અંકુશ ને ધ્વજ, નાથ. જવ જાંબુ કહિયે કંજ, નાથ. ।।૬।।

પગ બેહુમાં ઉર્ધ્વરેખ, નાથ. શોભે અતિશય વિશેષ, નાથ. ।।

પગ ડાબે ચિહ્ન સાત, નાથ. સદા સુખદાયી સાક્ષાત, નાથ. ।।૭।।

મત્સ ત્રિકોણ ને વ્યોમ, નાથ. કલશ ધનુષ ને સોમ, નાથ. ।।

ગોપદ સોતાં ગણિયે સાત, ના. સોળે ચિહ્ન એહ વિખ્યાત, નાથ. ।।૮।।

જમણે અંગુઠે નખમાંય, નાથ. શોભે ઉર્ધ્વરેખ એક ત્યાંય, નાથ. ।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

બેઉ પાવલિયા પૂનિત, નાથ. ચોટે આંગળિયો જોઇ ચિત્ત, નાથ. ।।૯।।

જેવી અરુણ કમળની કળી, નાથ. એવી શોભે પગ આંગળી, નાથ. ।।

નખશ્રેણી મણિસમ, નાથ. ઉપડતા ને રૂડા રમ્ય, નાથ. ।।૧૦।।

અંગુઠા આંગળિયો બહુ સારી, ના. જોઇ અંતર લિયો ઉતારી, નાથ. ।।

આંગળી અંગુઠા ઉપર, નાથ. શોભે ઝીણા રોમ સુંદર, નાથ. ।।૧૧।।

ફણા તળાં લાંક જોઇ, નાથ. શોભે ઘુંટિ ઘણું દોઇ, નાથ. ।।

ગોળ રંગચોળ બે પેની, નાથ. શું હું કહું શોભા તેની, નાથ. ।।૧૨।।

કાંડાં કોમળ બે કહિયે, નાથ. જંઘા જોઇને સુખ લઇયે, નાથ. ।।

પિંડી સરખી ને સુંવાળી, નાથ. નળિ લાગે છે રૂપાળી, નાથ. ।।૧૩।।

જોયા જેવા છે બે જાનું, નાથ. ઘુંટણ નામ ધામ શોભાનું, નાથ. ।।

ડાબા જાનુપર ચિહ્ન જોઇ, નાથ. મારું મન રહ્યું છે મોહી, નાથ. ।।૧૪।।

ઉરુ શોભે સુંદર સુંવાળા, ના. રંભાસ્થંભ સાથળ રૂપાળા, નાથ. ।।

દુંદ ફાંદ દ્રગે દેખી, નાથ. મારી ધન્ય કમાઇ લેખી, નાથ. ।।૧૫।।

કોમળ કટી કહીયે કેવી, નાથ. જોઇ અંતર ધાર્યા જેવી, નાથ. ।।

પે’રી વળ દેઇ પછેડી, નાથ. મારું મન બાંધ્યાની બેડી, નાથ. ।।૧૬।।

ઉંડી નાભિ ગોળ ગંભીર, નાથ. જોઇ જીવ ધરે છે ધીર, નાથ. ।।

પેટ રૂડું ને રૂપાળું, નાથ. પિપળપાન સમ સુંવાળું, નાથ. ।।૧૭।।

ત્રિવળી પડે છે જો તેમાં, ના. પોયણ સમ શીતળ સુખ જેમાં, નાથ. ।।

નળ નિરખિ મોહ્યું મન, નાથ. શોભે સુંદર શ્યામ સ્તન, નાથ. ।।૧૮।।

છબીદાર ઉપડતી છાતી, નાથ. પો’ળી રૂપાળી રંગરાતી, નાથ. ।।

હેતે ભર્યું અતિ હૈયું, નાથ. તે કેમ કરી જાય કહ્યું, નાથ. ।।૧૯।।

કૂખ પડખાં બે બગલું, નાથ. જોતાં સુખ આવે છે ભલું, નાથ. ।।

ખભા ખૂબ જોયા મેં ખાંતે, નાથ. શોભા શું વખાણું વાતે, નાથ. ।।૨૦।।

ભુજા ભરી બેઉ બળે, નાથ. જોઇ જનમ મરણ ભય ટળે, નાથ. ।।

અતિ આજાનું બે બાહુ, નાથ. જોઇ બલહારી હું જાઉં, નાથ. ।।૨૧।।

ગજશુંઢ સરીખી શોભે, નાથ. દેખી લોચન મારાં લોભે, નાથ. ।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

દિલ માન્યું જોઇ ડેડરિયો, ના. ગોળ અતોળ વળભરિયો, નાથ. ।।૨૨

કોણી સુંદર શ્યામ સુંવાળી, નાથ. રૂડી લાગે છે રૂપાળી, નાથ. ।।

કળાઇ કાંડાં કૈ’એ કરભ, ના. જોઇ ગળે મીનમન ગરભ, નાથ. ।।૨૩।।

હાથ હથેળી છે રાતી, નાથ. જોઇ રેખા ઠરેછે છાતી, નાથ. ।।

પાંચે પાંચ આંગળીયો સારી, નાથ. વેઢા વિરા ઉપર વારી, નાથ. ।।૨૪।।

તસુ ટેરવાં છે રાતાં, નાથ. નથી કૈ’યે મેં કે’વાતાં, નાથ. ।।

નખ લાલમણિ સમ સારા, નાથ. તેતો મને લાગે પ્યારા, નાથ. ।।૨૫।।

તીખા અગ્ર ને તેજસ્વી, નાથ. જોઇ જીવમાં ગયા વસી, નાથ. ।।

કર સુંદર સરખા બેઉ, નાથ. જોઇ દિલ ઉતારી લેઉં, નાથ. ।।૨૬।।

કંઠ કંબુ સમ અવલ, નાથ. તેના ખાડા વિચ્ચે તલ, નાથ. ।।

ગળું રૂપાળું છે ઘણું, નાથ. રૂડું સુંદર સોયામણું, નાથ. ।।૨૭।।

દાઢી દેખી દિલડું ઠરિયું, નાથ. જોઇ વિષય સુખ વિસરિયું, નાથ. ।।

એવી ચિબુકે ચિત્ત ચોટે, નાથ. મન માન્યું મનોહર કોટે, નાથ. ।।૨૮।।

અધર પરવાળાં સમ પેખી, નાથ. દિલડું રીઝ્યું તેને દેખી, નાથ. ।।

હેતે ભરી વાણી હોઠે, નાથ. સુણી બીજે મન ન ગોઠે, નાથ. ।।૨૯।।

દેખી દાંતતણી આવળિયો, ના. કહિયે કુંદકુસુમની કળિયો, નાથ. ।।

રૂડા રૂપાળા રસભરિયા, નાથ. સારા સુવર્ણે સાંકરિયા, નાથ. ।।૩૦।।

રસનાયે છે રૂડી વાણી, નાથ. સુણી ચિત્તવૃત્તિ લોભાણી, નાથ. ।।

ચોખું બોલે છે ચતુરાયે, નાથ. સુણી વાણી પર બલજાયે, નાથ. ।।૩૧।।

મુખભર્યું મનોહર હાસે, નાથ. જોઇ જનમ મરણદુઃખ નાશે, નાથ. ।।

નાસા અણિયાળી છે એવી, નાથ. શુકચંચુ દીપશગ જેવી, નાથ. ।।૩૨।।

તે પર શિળી ચિહ્ન નિહાળો, ના. જમણે ગાલે તિલ રૂપાળો, નાથ. ।।

ગૌર કપોળ છે ગોળ, નાથ. જોઇ આવે સુખ અતોલ, નાથ. ।।૩૩।।

કર્ણ હરણ દુઃખના કહિયે, નાથ. જોઇ મોટા સુખને લઇએ, નાથ. ।।

વામ કાને બિંદુ શ્યામ, નાથ. અતિ શોભે શોભાધામ, નાથ. ।।૩૪।।

કાનબૂટે ચોટે ચિત્ત, નાથ. જોઇ મન થાય ચકિત, નાથ. ।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

વાંસો લાસો વા’લો લાગે, ના. જોઇ તિલ મોટો દુઃખ ભાગે, ના. ।।૩૫।।

આંખ્યો મનગમતી મર્માળી, નાથ. રાતી રેખાયે રૂપાળી, નાથ. ।।

અતિ ભરી છે અમૃતે, નાથ. નિહાળી જોઇ છે મેં નિરાંતે, નાથ. ।।૩૬।।

પાંપણ ઉપર કરચલિયોેે, ના. સારી શોભે છે બે ભલિયો, નાથ. ।।

ભ્રકુટિ નયણે નિરખી, નાથ. દિસે કામ કમાન સરખી, નાથ. ।।૩૭।।

ભાલ વચ્ચે રેખા રૂડી, નાથ. મારી મીટ તણી છે મૂડી, નાથ. ।।

મોટે ભાગ્યે ભર્યું ભાલ, નાથ. જોઇ લમણા છઉં નિહાલ, નાથ. ।।૩૮।।

નલવટ જોઇ મન લોભાણું, ના. જાણ્યું દોયલા દિનનું નાણું, ના. ।।

કેશ કપાળ વચ્ચે કૈ’યે, નાથ. ચિહ્ન ચિંતવી સુખ લૈયે, નાથ. ।।૩૯।।

તાળુ રૂપાળું છે તેહ, નાથ. વાધે વિલોકે સનેહ, નાથ. ।।

સુંદર વાળ શ્વેત શ્યામ, નાથ. પેખી થાય પૂરણકામ, નાથ. ।।૪૦।।

શિખા સુંદર છે સારી, નાથ. નખશિખા પર બલિહારી, નાથ. ।।

એવી મૂર્તિ મિરાંથ મારી, નાથ. લેઉં અંતરે ઉતારી, નાથ. ।।૪૧।।

શોભે નખશિખા શરીર, નાથ. ચિત્તે ચિંતવી ધરું ધીર, નાથ. ।।

પુષ્ટ અંગોઅંગ સુંદર, નાથ. મૂર્તિ મરમાળી મનહર, નાથ. ।।૪૨।।

મૂર્તિ ઘણી છે ઘનશ્યામ, નાથ. શાંત સ્વભાવે સુખધામ, નાથ. ।।

મહારાજની મૂર્તિ ન્યારી, નાથ. કરચરણાદિક પર વારી, નાથ. ।।૪૩।।

અંગોઅંગે અવલોકી, નાથ. આવે આનંદ અલોકી, નાથ. ।।

નખશિખા સુખની ખાણી, નાથ. જીભે જાય નહિ વખાણી, નાથ. ।।૪૪।।

એવી મૂર્તિ મનરંજન, નાથ. ચિત્તે ચિંતવું છું નિશદિન, નાથ. ।।

પ્રથમ પોઢી જાગે જ્યારે, નાથ. જોઇ જનમગન મન ત્યારે, નાથ. ।।૪૫।।

દિયે દરશન દીનદયાળ, નાથ. નિજ ભક્તના પ્રતિપાળ, નાથ. ।।

પછી દેહક્રિયા કરી આવે, નાથ. હાથ મૃત્તિકાયે મટીયાવે, નાથ. ।।૪૬।।

ચોળી એકુકી આંગળિયો, નાથ. ધોઇ શુદ્ધ કરે સઘળિયો, નાથ. ।।

પછી દાતણ કરતા શ્યામ, ના. મુખ ધોઇ લો’તા સુખધામ, નાથ. ।।૪૭।।

વતુ કરાવતાં વળી, નાથ. નખ લેતાં દશ આંગળી, નાથ. ।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

અંગે અત્તર ચોળેલ, નાથ. તેલ સુગંધી ફુલેલ, નાથ. ।।૪૮।।

વળી નાતા ઉન્હે નીરે, નાથ. લુ’તાં લાસે પટ શરીરે, નાથ. ।।

બીજું પે’રે કોરું પટ, નાથ. ચઢતા ચાખડિયે ચટ, નાથ. ।।૪૯।।

ઓઢી પછેડી પાવન, નાથ. આવ્યા જીમવાને જીવન, નાથ. ।।

બેઠા ચાકળે અવિનાશ, નાથ. હતો નિષ્કુળાનંદ પાસ, નાથ. ।।૫૦।।

ઇતિ શ્રીહરિસ્મૃતિમધ્યે પ્રથમશ્ચિંતામણિઃ ।।૧।।

દ ા ે હ ા - ભ ા ે જ ન બ હ ુ ર સ ે ભ ય ાર્ ં , જ ુ ગ ત ે ક િ ર ય ા ં જ ે હ । આણ્યાં ચોકી ઉપરે, તાજાં જમવા તેહ ।।૧।।

પ ા ક બ હ ુ પ્ર ક ા ર ન ા , િ વ ધ િ વ ધ ન ા ં વ્ ય ં જ ન ।

પુર્યા કટોરા પ્રેમશું, જુગતે જમે જીવન ।।૨।।

ચોપાઇ ધ્રુવપદી - મોદક મગદળ ને મોતિયા, જમતાં જોયા છે ।

લાખણસાઇ ને સેવૈયા, જમતાં જોયા છે ।

તળિયા બળિયા માંય તેજાના, જ. કાજુ કળિના મનમાન્યા, જમ. ।।૩

પેંડા પતાસાં ને પુરી, જમતાં. સુતરફેણી ને સાબુડી, જમતાં. ।।

શક્કરપારા સેવસુંવાળી, જમતાં. પુરી કચોરી રૂપાળી, જમતાં. ।। ૪।।

હલવો હરિસો રસાળો, જમતાં. ઘેબર ગુંદરપાક રૂપાળો, જમતાં. ।।

ગગનગાંઠિયા ગુંદવડી, જમતાં. ગળાસાટા ગળપાપડી, જમતાં. ।।૫।।

શીરો સાથુ સાકર ચણા, જમ. મરકી મુરબો મેસુબ ઘણા, જમ. ।।

માલપુડા સાકરતણા, જમ. બરફી બીરંજ એલચીદાણા, જમતાં. ।।૬।।

બાટી બાજરા ઘઉંની, જમતાં. ઘણા ઘીમાં બોળી ઉંની, જમતાં. ।।

ખાજાં ખીર ખુરમા ગોળા, જમ. દુધપાક દહીંથરાં બો’ળાં, જમતાં. ।।૭।।

માખણ મહી દહીંવડા, જમતાં. ચૂરમું લાબસી બે રૂડાં, જમતાં. ।।

કંસાર બાસુંદિયો ભલી, જમતાં. કેરીરસ રૂડી રોટલી, જમતાં. ।।૮।।

પુડલા ને પૂરણપોળી, જમતાં. રેવડી પકોડી બોળી, જમતાં. ।।

ગુલાબ ટોપરાંના પાક, જમતાં. જલેબી ને સુંદર શાક, જમતાં. ।।૯।।

જાર બાજરી બાવટ પોળી, જમતાં. ઘીમાં ઘઉંની ઝબોળી, જમતાં. ।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

મઠ જવના રોટલા, જમતાં. ચિણા ચણાના બહુ ભલા, જમતાં. ।।૧૦।।

સુગંધી ભાત ને ખીચડી, જમતાં. કોદરી કાંગવું ને કડી, જમતાં. ।।

જાર બાજરાનું ધાન, જમતાં. સામો બંટીનું નિદાન, જમતાં. ।।૧૧।।

રોટલી ને ગળવાણું, જમતાં. અવલપાક આંબલવાણું, જમતાં. ।।

રાતાં મરચાં ને રોટલા, જમતાં. મગ ચણાના પુડલા, જમતાં. ।।૧૨।।

અડદ મગ ચણાની દાળ, જમતાં. તુવેર મેસુરની દયાળ, જમતાં. ।।

વાલ મઠ ને વટાણા, જમતાં. કાજુ કળથી ચોળા દાણા, જમતાં. ।।૧૩।।

વૃંતાક વાલોળ વળી, જમતાં. સારાં સુરણ ઘીમાં તળી, જમતાં. ।।

સારાં શક્કરિયાનાં શાક, જમતાં. વઘાર્યાં હાથેશું વૃંતાક, જમતાં. ।।૧૪।।

રૂડાં રતાળું પતાળું, જમતાં. પરવળ પાપડી દયાળું, જમતાં. ।।

કેરાં કારેલાં કંકોડાં, જમતાં. કોળાં ચીકણ ને ચીભડાં, જમતાં. ।।૧૫।।

ગલકાં ગવાર ને ઘીસોડાં, જમતાં. શાક સાંગરિયોનાં રૂડાં, જમતાં. ।।

ભીંડાફળી વળી ડોડાં, જમતાં. ચોળાફળી ને ચીચોડાં, જમતાં. ।।૧૬।।

નઇ દુધિયાં ને ટીંડોરાં, જમતાં. કાજુ કરેલ તે કોરાં, જમતાં. ।।

ભરથ ભર્યાં ઘણા ઘીનાં, જમતાં. રૂડાં રાઇતાં રાઇનાં, જમતાં. ।।૧૭।।

કોમળ કુબી ને કોચલાં, જમતાં. શાક એકએકથી ભલાં, જમતાં. ।।

તાજાં તરબુચ પંડોળાં, જમતાં. શાક સારાં સુંદર બો’ળાં, જમતાં. ।।૧૮।।

રસે ભર્યાં રૂડાં કહિયે, જમતાં. સીમા શાક તણી ન લહિયે, જમતાં. ।।

ભર્યાં હળદર હવેજે, જમતાં. વળી બહુ મસાલે બીજે, જમતાં. ।।૧૯।।

ટાંકા તાંદળિયાની ભાજી, જમતાં. સારા સુવા તલવણી તાજી, જમ. ।।

મેથી મોરણની પણ સારી, જમતાં. ભીંડા ડોડીની વઘારી, જમતાં. ।।૨૦

મૂળા કરલીની પણ કરી, જમતાં. વળી મીઠું ને મોગરી, જમતાં. ।।

લુણી ચીલ ને ચણેચી, જમતાં. જમે પોતે આપે વે’ચી, જમતાં. ।।૨૧।।

ભાજી તાજી રાઇ સારી, જમતાં. ઘણે ઘી જીરે વઘારી, જમતાં. ।।

અજમો પોઇ પત્રવેલાં, જમ. ભજીયાં અળવીનાં કરેલાં, જમતાં. ।।૨૨

કોળાં વૃંતાક ને આદુ, જમતાં. ભજીયાં રતાળુંનાં સ્વાદુ, જમતાં. ।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

ભર્યાં હવેજે ભજીયાં, જમતાં. કંઇ કહ્યાં ને કંઇ રહ્યાં, જમતાં. ।।૨૩।।

ફાફડા ને વડાં વડી, જમતાં. કળી ગાંઠીયા ફૂલવડી, જમતાં. ।।

પાપડ અડદ ને મગના, જમતાં. ઝીણા લોટની સગના, જમતાં. ।।૨૪।।

જાર બાજરાના સારા, જમતાં. જમતાં પાપડ લાગે પ્યારા, જમતાં. ।।

માસુખ મઠનાં મઠિયાં, જમ. લાગે ફરસાં ન જાય કહ્યાં, જમતાં. ।।૨૫

ચણા વાલના લીલવા, જમતાં. પય શરકરા પુંવા, જમતાં. ।।

વળી અવલ જો અથાણાં, જમતાં. ધર્યાં વાટકામાં ઘણાં, જમતાં. ।।૨૬।।

કેરી રાયતી રૂપાળી, જમતાં. બીજી બોળેલ રસાળી, જમતાં. ।।

લિબું બિલિનાં બનાવ્યાં, જ. લીલી હળદીનાં મન ભાવ્યાં, જમ. ।૨૭

કેરાં કરપટાં કર્મદાં, જમતાં. ગૃમર વાંસનાં રાઇજાદાં, જમતાં. ।।

આરિયાં આમળાં ને આદુ, જમ. ખરાં ખારેકનાં સ્વાદુ, જમતાં. ।।૨૮।।

મરચાં ગુંદાં ને સેલરાં, જમતાં. કાજુ મૂળ કંદ કેરાં, જમતાં. ।।

વૃંતાક પતાળુનાં વળી, જમતાં. બાવળ ગુવારની ફળી, જમતાં. ।।૨૯।।

કોઠીંબાની જે કાચલિયો, જમ. બીજી હળદિ તેલે ભરિયો, જમતાં. ।।

લીબું રસ રૂડા નાખી, જમતાં. સુંદર સારી આગે રાખી, જમતાં. ।।૩૦।।

આંબુવાનાં જે અથાણાં, જમતાં. બોળ્યાં સરસિયામાં ઘણાં, જમતાં. ।।

મૂળ સર્ગવાનાં સ્વાદે, જમતાં. ઉત્તમ અથાણાં એ આદે, જમતાં. ।।૩૧।।

મેથી લવિંગ ને મરિયાં, જમતાં. લિબું ખારેકમાં ભરિયાં, જમતાં. ।।

મીઠું હળદર ને ધાણા, જમતાં. ભેળાં આંથેલ અથાણાં, જમતાં. ।।૩૨।।

આથ્યાં અદ્રક ને કટેરાં, જમતાં. વળી ચટણી વેરમવેરાં, જમતાં. ।।

એવાં અથાણાં અનેક, જમતાં. વિધવિધનાં વિષેક, જમતાં. ।।૩૩।।

કુરકરમલડો કરીયાં, જમતાં. તલસાંકળી જાજરીયાં, જમતાં. ।।

ઘૃત દુધ દહીંની તર, જમતાં. શ્વેત ભાત ને સાકર, જમતાં. ।।૩૪।।

સાકર રાબ સાકર પાણી, જમતાં. મગજળ ઘી તીખાં વખાણી, જમ. ।।

લીંબુરસ મરિયાં વારિ, જમતાં. સાંઠા શેરડિયો પણ સારી, જમ. ।।૩૫।।

ઉભા દર્શન કરવા દાસ, જમ. આપ્યા મહાસુખ મુખવાસ, જમતાં. ।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

લાવ્યા લવિંગ સોપારી, જમતાં. જાયફળ એલચી સારી, જમતાં. ।।૩૬।।

કાથો ચૂનો પાકાં પાન, જમતાં. બીડી સમારી સમાન, જમતાં. ।।

સુવા સુંઠ્ય ને સંચળ, જમતાં. મરી અજમો જે અવલ, જમતાં. ।।૩૭।।

બુંદ આદુ ને વરિયાળી, જમતાં. તજ જાવંત્રી તમાલી, જમતાં. ।।

આપ્યા મુખેથી મુખવાસ, જમતાં. પામ્યા તંબોળ તે દાસ, જમતાં. ।।૩૮।।

પછી આણ્યાં સુંદર ફળ, જમતાં. અતિ સ્વાદુ ને નિર્મળ, જમતાં. ।।

લાવી દાસે પાસે ધરિયાં, જમતાં. રૂડાં રૂપાળાં રસભરિયાં, જમ. ।।૩૯।।

જાંબુ લિંબુ પાકી કેરી, જમતાં. સારાં કેળાં જે સોનેરી, જમતાં. ।।

દેખી દાડમ બેદાણે, જમતાં. સ્વાદુ સીતાફળ વખાણે, જમતાં. ।।૪૦।।

જામફળ જોયા જેવાં, જમતાં. રામફળ પણ એવાં, જમતાં. ।।

રાણ્યો સુડિયાં ને બોર, જમતાં. સારાં જમે ધર્મકિશોર, જમતાં. ।।૪૧।।

પીલું શેતું તરસાળું, જમતાં. બીલાં નારંગી દયાળુ, જમતાં. ।।

ડોડાં અંજીર અનૂપ, જમતાં. ખારેક ખજુર રસરૂપ, જમતાં. ।।૪૨।।

ટોપરાં ને કાજુકળિયા, જમતાં. દ્રાક્ષ નીલવા જે ગળિયા, જમતાં. ।।

રૂડાં બદામ સિંગોડાં, જમતાં. મગ ચારોળી જે રૂડાં, જમતાં. ।।૪૩।।

કમળનાળ કુંણા જોઇ, જમતાં. ગુલાબ ગુલસુબા ફુલ સોઇ, જમતાં. ।।

શૃંગી વિષતરુનાં પાન, જમતાં. જેઠીમધ ડોડી નિદાન, જમતાં. ।।૪૪।।

ચણેચી ચીભડાં ને ચોળા, જમતાં. રાઇ મોગરી ને મૂળા, જમતાં. ।।

મેથી મૂળાની ડાંડળિયો, જમતાં. કુણિ નર્મ કાજુ ભલિયો, જમ. ।।૪૫।।

મીઠું મરી જીરું તાજું, જમ. જમે કાકડીયો જોઇ કાજું, જમતાં. ।।

દાળ દાળિયા ને મર્મરા, જમ. ધાણી બાજરી તલ ખરા, જમ. ।।૪૬।।

પોંક બાજરા ઘઉંનો, જમતાં. ચણા ગુદલીનો ઉંનો, જમતાં. ।।

મકાઇ ને બહુ મેવા, જમતાં. પ્રદેશી મગ ચણા કેવા, જમતાં. ।।૪૭।।

કાજુ કરા ટાઢા હીમ, જમતાં. કોમળ નિર્મળ લૈલિમ, જમતાં. ।।

પાકાં ચીભડાં રસાળું, જમતાં. પાકી આંબલી દયાળું, જમતાં. ।।૪૮।।

ફણસ બીજોરાંના કળિયા, જમ. લાગે અન્નારસના ગળિયા, જમતાં. ।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

ગુંદાં કરમદાં ટીબરવાં, જમ. પીપર મધ કોઠાં ને મરવા, જમતાં. ।।૪૯।।

મીંઢીઆવળ મરચાં રાતાં, જમ. કઠળ બહુ કસ્તુરી ખાતાં, જમ. ।।

થેગ કંદ ચંદ પોળી, જમતાં. જાય નિષ્કુલાનંદ ઘોળી, જમતાં. ।।૫૦।।

ઇતિ શ્રીહરિસ્મૃતિમધ્યે દ્વિતીયશ્ચિંતામણિઃ ।।૨।।

દોહા - કર પતર થાળી થાળમાં, ત્રાંસળી કટોરા ત્રાંસ ।

પનવાડાં પડીયા વાટકા, જમ્યા કનક ઠામે અવિનાશ ।।૧।।

અબખોરા કટોરા કળશિયા, કઠારી ઝારી તુંબ કમંડળ ।

ચળુ કરી ચતુરાઇશું, પીધાં નિરમળ જળ ।।૨।।

ચોપાઇ- દાંત સુધારી બેઠા પાટે, ભૂધર ભાળ્યા છે ।

આવ્યા જન પૂજવા માટે, ભૂધર ભાળ્યા છે ।

ચરચે ચંદન મળિયાગરે, ભૂધર. કુંકુમ કસ્તુરી કેસરે, ભૂધર. ।।૩।।

સારી સુખડ શરીરે, ભૂધર. જને ચર્ચી ધીરે ધીરે, ભૂધર. ।।

કર્યા કુંકુમના ચાંદલા, ભૂધર. શોભે ચોખા ચોડ્યા ભલા, ભૂધર. ।।૪।।

હૈયે લલાટે બે હાથે, ભૂધર. કર્યાં તિલક ચંદ્ર સાથે, ભૂધર. ।।

અંગે અંબર વિના રે’તા, ભૂધર. દિગંબર દર્શન દેતા, ભૂધર. ।।૫।।

વલ્કલ વાઘાંબર સુંદરે, ભૂધર. મૃગાજીન ટાટાંબરે, ભૂધર. ।।

પછી કોપીન કટવેડે, ભૂધર. રાખી અલફી તારકેડે, ભૂધર. ।।૬।।

ગોદડી ચાદર ચોફાળે, ભૂધર. દિધાં દરશન દયાળે, ભૂધર. ।।

ખેસ ધોતી પોતી પે’રી, ભૂધર. ગુઢે રેંટે ફેંટે લે’રી, ભૂધર. ।।૭।।

સુરવાળ ગુડકી જામે, ભૂધર. જોઇ અંગરખી દુઃખ વામે, ભૂધર. ।।

પે’રી આંગીઅંગે વા’લે, ભૂધર. કશી કમર દુસાલે, ભૂધર. ।।૮।।

ડગલી સોનેરી રૂપેરી, ભૂધર. કીનખાપની જો પે’રી, ભૂધર. ।।

ડગલી ઝરીની પે’રેલ, ભૂધર. બોરકસુની બાંધેલ, ભૂધર. ।।૯।।

પટુ પાંબરી ચકમે, ભૂધર. સાલ દુસાલે દુઃખશમે, ભૂધર. ।।

બોરી ચોફાળ રૂમાલે, ભૂધર. પેર્યો રાતો રેંટો વાલે, ભૂધર. ।।૧૦।।

ડગલી ગરમ પોસની પે’રિયે, ભૂ. પાઘ કસુંબી સોનેરીયે, ભૂધર. ।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

વસ્ત્ર અત્તરમાં રસબસે, ભૂ. બોકાની પાઘડિયે ધસમસે, ભૂધર. ।।૧૧।।

મુગટ કુંડળ મોલીડે, ભૂધર. કસુંબી ફેંટે કંકોલીડે, ભૂધર. ।।

પાઘ મુગલી મરેઠીયે, ભૂધર. સુરતી કાઠીની સોરઠીયે, ભૂધર. ।।૧૨।।

ટોપી કચ્છ કેવડા ફુલની, ભૂ. ગુજા જરિયાન મહામૂલની, ભૂધર. ।।

તોરા ગજરા બાજુએ, ભૂધર. કંકણ ફુલ ને કાજુએ, ભૂધર. ।।૧૩।।

ગુંજા રતાંજળી હારે, ભૂધર. અર્ક અનકણના અપારે, ભૂધર. ।।

ગુલાબ ગુલદાવદી માલે, ભૂધર. ચંપા ચંંમેલી વિશાલે, ભૂધર. ।।૧૪।।

ગુલસુમના ગોટા હજારી, ભૂધર. ફેંટો ફુલપછેડી ધારી, ભૂધર. ।।

હીરા મોતી મણિ માળે, ભૂધર. પના પીરોજા પ્રવાળે, ભૂધર. ।।૧૫।।

ફુલ કપૂરને હારે, ભૂધર. બાજુ તોરા પવિત્રાં સારે, ભૂધર. ।।

સોના પાઘ સોના ઝરમરિયાં, ભૂ. છોગાં પણ સોનેરી ધરીયાં, ભૂ. ૧૬

તોરા શિરપેચ સોનાને, ભૂધર. ખોસ્યાં ફુલ સોનાનાં કાને, ભૂધર. ।।

સોના દોરો સોના સાંકળિયે, ભૂ. સોનામાળા સોના માદળીયે, ભૂ. ૧૭

હાર કંઠી પણ કનકને, ભૂધર. બલિહારી એ બાનકને, ભૂધર. ।।

હીરા સાંકળી ઝુમણું, ભૂધર. શોભે કાને કુંડળ ઘણું, ભૂધર. ।।૧૮।।

સોના બાજુ સોના કડે, ભૂ. પોંચી વેઢ વીંટી નંગ જડ્યે, ભૂધર. ।।

કરડા ફેરવા અંગુઠી, ભૂધર. મુદ્રિકા સોનાની દીઠી, ભૂધર. ।।૧૯।।

કટીમેખળા ને તોડો, ભૂધર. શોભે સોનાનો તે રૂડો, ભૂધર. ।।

પે’રી રૂપાની ચાખડિયે, ભૂધર. એવા દીઠા છે આંખડિયે, ભૂધર. ।।૨૦।।

ઘમકે ઘુંઘરિયો ખડાયે, ભૂધર. ચડતાં પગથિયે ચડાયે, ભૂધર. ।।

પે’રી કમળ ફુલવાળી, ભૂધર. ચમકે ચંપાની રૂપાળી, ભૂધર. ।।૨૧।।

સાગ સીસમની પણ સારી, ભૂધર. ચરણે ચાખડિયો ચમકારી, ભૂ. ।।

કિશોરી સૂતર નેવાણે, ભૂધર. મોજડી ઓખાઇ અણવાણે, ભૂ. ।।૨૨।।

ખાટ્ય પાટ્ય ને પલંગે, ભૂધર. બેઠા ઢોલિયે ઉમંગે, ભૂધર. ।।

છપરપલંગ ખાટલે, ભૂધર. ખુરશી બાજોેેઠ પાટલે, ભૂધર. ।।૨૩।।

સાંગામાંચી સિંહાસને, ભૂધર. ગાદી ચાકળે આસને, ભૂધર. ।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

મેડે મંચે ડોલે હીંડોલે, ભૂધર. ગોખ વા’ણ વંડી દેવાલે, ભૂધર. ।।૨૪।।

કૂબા ઘર મેડી હવેલી, ભૂધર. બેઠા બંગલે શંકા મેલી, ભૂધર. ।।

મંદિર મંડપ દલિચાદેરે, ભૂધર. તંબુ રાવટીએ બહુવેરે, ભૂધર. ।।૨૫।।

અટારી અગાશી જાળિયે, ભૂ. બેઠા મોહનજી માળિયે, ભૂધર. ।।

ઓટે ઓસરી પડસાળે, ભૂધર. દીધાં ત્યાં દરશન દયાળે, ભૂ. ।।૨૬।।

બેઠા ચોક ફળી ચોતરે, ભૂધર. છાંટી ભૂમિ ફુવારા ભરે, ભૂધર. ।।

સારી આસણિ સાદરીયે, ભૂ. દરશન કામળી પર કરીયે, ભૂધર. ।।૨૭।।

ગોદડી ગોદડાં ગાદલાં, ભૂ. ત્યાં દરશન થયાં છે ભલાં, ભૂધર. ।।

ઝાડ પા’ડ ને પાષાણે, ભૂધર. બેઠા ભૂમિ પર જન જાણે, ભૂધર. ।।૨૮।।

ગાડી વે’લ રથ પાલખીયે, ભૂ. મૂર્તિ મેને બેઠી લખીયે, ભૂધર. ।।

ગાડું ચારટ સુખપાલે, ભૂધર. જુવે જન વા’લાને વા’લે, ભૂધર. ।।૨૯।।

કરી કરલિએ બહુ બાજે, ભૂ. સોનેરી સખલાદિ સમાજે, ભૂધર. ।।

બેઠા નિજ સેવકને અંશે, ભૂધર. જેમ બ્રહ્મા બેઠા હંસે, ભૂધર. ।।૩૦।।

એક સમામાં મુનિ મળી, ભૂ. આવ્યા પૂજા કરવા વળી, ભૂધર. ।।

વસ્ત્ર ઘરેણાં પે’રાવી, ભૂધર. ચરચ્યાં ચંદન સુંદર લાવી, ભૂધર. ।।૩૧।।

ધૂપ દીપ પુષ્પહારે, ભૂધર. કરી પૂજા બહુ પ્રકારે, ભૂધર. ।।

પછી ઉતારી આરતી, ભૂધર. કરી ધૂન્ય સ્તુતિ અતિ, ભૂધર. ।।૩૨।।

પછી પ્રભુ થયા પ્રસન્ન, ભૂ. મળ્યા નિજજનને જીવન, ભૂધર. ।।

ચરચ્યાં ચરણ બે ચંદને, ભૂ. લીધાં ઉર વચ્ચે નિજજને, ભૂધર. ।।૩૩।।

છાપી નિજજનની એમ છાતી, ભૂ. પછી બેસારી પંગતી, ભૂ. ।।

બેઠા પંગતે મુનિરાજ, ભૂધર. આવ્યા પીરસવા મહારાજ, ભૂધર. ।।૩૪।।

પીરસે પંગતમાં હરિ પોતે, ભૂધર. જન તૃપ્ત ન થાય જોતે, ભૂ. ।।

લાડુ જલેબી લઇને, ભૂધર. જાય જોરા જોર દઇને, ભૂધર. ।।૩૫।।

બહુ પીરસે પ્રેમે કરી, ભૂધર. ફરે પંગતમાં ફરીફરી, ભૂધર. ।।

લેઇ લેઇ ભોજનનાં નામ, ભૂધર. આપે ઘણે હેતે ઘનશ્યામ, ભૂ. ।।૩૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

લીધા લટકે લાડુ હાથ, ભૂધર. નિજજન જમાડે નાથ, ભૂધર. ।।

માસુખ મુખમાં મોદક આપે, ભૂ. વળી મસ્તક ચરણે છાપે, ભૂ. ।।૩૭।।

દેતા દહીં દૂધ દોવટે, ભૂધર. આપે ખાંડ સાકર કરમોટે, ભૂધર. ।।

પે’રી પછેડી ખેસની, ભૂધર. શોભા શી કહું વેષની, ભૂધર. ।।૩૮।।

ચાલે ઉતાવળા ચટકે, ભૂધર. પે’રી ગુડકી નાડી લટકે, ભૂધર. ।।

ફરે પગંતમાં બહુ ફેરા, ભૂધર. પીરસે પાક પોતે ઘણેરા, ભૂધર. ।।૩૯।।

એમ જોરે જન જમાડે, ભૂ. પીરસી પીરસી હાર પમાડે, ભૂધર. ।।

એમ જમાડ્યા જન જ્યારે, ભૂધર. કર પગ ધોયા તે વારે, ભૂધર. ।।૪૦।।

પછી ઉતારે પધાર્યા, ભૂધર. નિજજન મન મોદ વધાર્યા, ભૂધર. ।।

ત્યાં ઢોલિયો ઢાળેલે, ભૂધર. તે પર પાથરણાં પાથરેલે, ભૂધર. ।।૪૧।।

સુંદર ગાદલાં ગોદડે, ભૂધર. ઓછાડ ઓસિસાં રૂડે, ભૂધર. ।।

મેલ્યાં ગાલમસુરિયાં ગાલે, ભૂ. ચાંપે ચરણ નિજજન વા’લે, ભૂ. ।।૪૨।।

શીત ઋતુમાંહિ સારી, ભૂધર. તાપે સુખડ્યે સુખકારી, ભૂધર. ।।

ચકમો ચોફાળ રજાઇ, ભૂધર. ઓઢી પછેડી તે માંઇ, ભૂધર. ।।૪૩।।

ઉષ્ણ ઋતુમાં અવિનાશી, ભૂ. શીતળ જળ પીતાં સુખરાશી, ભૂ. ।।

પંખા કરતાં સેવક પાસે, ભૂધર. શીતળ ચંદન ચરચ્યાં દાસે, ભૂ. ।।૪૪।।

ચોમાસામાં ચઢી ચાખડીયે, ભૂ. સુંદર સારી કર લાકડીયે, ભૂ. ।।

ઓઢી કામળી સુંવાળી, ભૂધર. ધારી છતરી રૂપાળી, ભૂધર. ।।૪૫।।

આવી બેઠા સભામાંય, ભૂધર. જન સર્વે લાગ્યા પાય, ભૂધર. ।।

ત્યાં પરિયંક પાથરણે, ભૂધર. બેઠા રસિયો રાજીપણે, ભૂધર. ।।૪૬।।

તેપર ઓછાડ સોરંગી, ભૂધર. બેઠા તકિયાને ઓઠંગી, ભૂધર. ।।

નિરખી જન મન મગન થયાં, ભૂ. સુંદર હાર પે’રાવ્યા તિયાં, ભૂ. ૪૭

પછી ત્યાગી ગૃહી દાસે, ભૂધર. પૂછ્યા પ્રશ્ન પ્રભુ પાસે, ભૂધર. ।।

તેનો ઉત્તર કરતાં આપે, ભૂધર. કર લટકાં કરી દુઃખ કાપે, ભૂધર. ।।૪૮।।

રૂડા પ્રશ્નને સાંભળી, ભૂ. ઉઠ્યા જનને મળવા વળી, ભૂધર. ।।

મળ્યા ત્યાગીને બહુ ભાતી, ભૂ. પછી છાપી ચરણે છાતી, ભૂ. ।।૪૯।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

પછી સત્સંગી સુખસીમા, ભૂ. લીધાં તેણે ચરણ છાતીમાં, ભૂ. ।।

એવાં અલૌકિક સુખ દેતાં, ભૂ. આનંદ નિષ્કુલાનંદ લેતાં, ભૂધર. ।।૫૦।।

ઇતિ શ્રીહરિસ્મૃતિમધ્યે તૃતીયશ્ચિંતામણિઃ ।।૩।।

દોહા- પછી વાજાં લઇ વિધવિધનાં, કર્યું ગવૈયે ગાન ।

તે ભેળા ભળી હરિ, ત્રોડે ત્રુગટિ તાન ।।૧।।

સ ં ત સ હ ુ ઉ ભ ા થ્ ા ઇ , ર ચ્ ય ા ે મ ન ા ે હ ર ર ા સ ।

ફરે કરે કીરતનને, તે ભેળા ફરે અવિનાશ ।।૨।।

ચોપાઇ ધ્રુવપદી- દીવો દીવીને અજવાળે, દૃગે દીઠા છે ।

હાંડી ફાનસે રૂપાળે, દૃગે દીઠા છે ।

ઝાડ મેતાબ ઉજાસે, દૃગે. શશિ સૂરજને પ્રકાશે, દૃગે. ।।૩।।

બળતી અગ્નિ બપોરિયે, દૃગે. ગમતી દેહ ઘણું ગોરિયે, દૃગે. ।।

ઉઘડી રાત્ય ઉડુગણ તેજે, દૃગે. એહ વિના ઉજાસે બીજે, દૃગે. ।।૪।।

વસંતે વસ્ત્ર પે’રી વસંતિ, દૃગે. ખાંત્યે ખેલ કરતા અતિ, દૃગે. ।।

અબીર ગુલાલ નાખતાં, દૃગે. શોભા ન જાયે કૈ’ ભાખતાં, દૃગે. ।।૫।।

કર લઇ ગુલાલ ગોટા, દૃગે. નાખે નિજજન પર જોઇ મોટા, દૃગે. ।।

વળી પિચકારી નાખતા, દૃગે. કરતા ખેલ બહુ મન ગમતા, દૃગે. ।।૬।।

રંગ તાંસળી તાંબડીયે, દૃગે. ઘણે ભરી ગાગરડીયે, દૃગે. ।।

રંગ ભીનો રમતા રંગે, દૃગે. પોતાના સખા સંગે, દૃગે. ।।૭।।

સર્વે સખા રસબસ કરતાં, દૃગે. દઇ તાળી ધૂન્ય ઓચરતાં, દૃગે. ।।

રમતાં રમતાં વસ્ત્ર અંગનાં, દૃગે. થયાં સર્વે રાતા રંગનાં, દૃગે. ।।૮।।

કર ચરણ મુખ રંગેલે, દૃગે. શોભે આંખ્યો તેજ ભરેલે, દૃગે. ।।

રમતાં કુસ્તિ મલની સાથે, દૃગે. ના’વા જાતાં સંત સંગાથે, દૃગે. ।।૯।।

ચઢ્યા ઘણે મૂલે હરિ ઘોડે, દૃગે. સર્વે સખા ચાલ્યા જોડે, દૃગે. ।।

નાહ્યા નિર્મળ જળમાં જઇ , દૃગે. ત્યાં કરી લીલા કંઇ, દૃગે. ।।૧૦।।

ના’તાં ના’તાં સખા સાથે, દૃગે. બહુ નીર ઉછાળે હાથે, દૃગે. ।।

પછી નાહી નિસર્યા બા’રે, દૃગે. પેર્યાં કોરાં વસ્ત્ર ત્યારે, દૃગે. ।।૧૧।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

કર્યો કુંકુમનો ચાંદલો, દૃગે. બહુ શોભે છે તે ભલો, દૃગે. ।।

નાહી નાથ આવ્યા ઉતારે, દૃગે. કર્યાં દાસે દરશન ત્યારે, દૃગે. ।।૧૨।।

ના’તા નદી નદ તલાવે, દૃગે. કુંડ કૂવા સાગર વાવે, દૃગે. ।।

સમૈયા ઉત્સવ કરતાં, દૃગે. મેળા માંહિ ઘોડે ફરતાં, દૃગે. ।।૧૩।।

મહારૂદ્ર અતિરૂદ્ર માંહિ, દૃગે. કરી ચોરાશી પણ તાંહિ, દૃગે. ।।

બ્રહ્મ ભોજન કરાવ્યાં ભારે, દૃગે. ખટ માસ સુધી એકવારે, દૃગે. ।।૧૪।।

કર્યો વૃંદાનો ત્યાં વિવા, દૃગે. ફર્યા ફુલેકામાં એવા, દૃગે. ।।

ધરિ ઢાલ અલૌકિક અસિ, દૃગે. છડી લાકડી વળી વંસિ, દૃગે. ।।૧૫।।

ખેલ સાંગ કમાન તીરે, દૃગે. બાંધ્યો કટાર મહાવીરે, દૃગે. ।।

પેચ કબજ કટારીયે, દૃગે. છત્ર ચામર અબદાગરીયે, દૃગે. ।।૧૬।।

વળી ચાલતા હરિ વાટે, દૃગે. સરિતા સાગરને ઘાટે, દૃગે. ।।

રસ્તે વણ રસ્તે વિચરતાં, દૃગે. વળી રાત્ય દિવસે ફરતાં, દૃગે. ।।૧૭।।

તાઢ તડકામાં સંઘ સાથે, દૃગે. ચાલે મેઘ વરસતા માથે, દૃગે. ।।

આંબા આંબલી છાંયડે, દૃગે. આસોપાલવ પીપર વડે, દૃગે. ।।૧૮।।

પીપળ બકુળ બોરસડીયે, દૃગે. બીજાં બહુ તરુ બોરડીયે, દૃગે. ।।

ઠાકોર મંદિર કરવા કાજે, દૃગે. લીધી માથે ઇંટ્ય મહારાજે, દૃગે. ।।૧૯।।

પથ્થર કેલ મૃત્તિકા માથે, દૃગે. લઇ ચાલે સખા સાથે, દૃગે. ।।

એમ હરિ મંદિર કરાવી, દૃગે. માંહી મૂર્તિયો પધરાવી, દૃગે. ।।૨૦।।

વળી હરિમંદિરને ફરતા, દૃગે. સો સો પ્રદક્ષિણા કરતા, દૃગે૦. ।।

જોતાં મૂર્તિ સુંદર સારી, દૃગે. ધાતુ પાષાણ પટ પ્યારી, દૃગે. ।।૨૧।।

તેને દંડવત જો કરતા, દૃગે. વળી સામું જોઇ બહુ રે’તા, દૃગે. ।।

જમતા પ્રસાદી બહુ પ્રીતે, દૃગે. તુલસીદળ નિર્મળ સમીતે, દૃગે. ।।૨૨।।

પીતાં દૂધ પડતો દોરો, દૃગે. પીધું ઘૃત ભરી કટોરો, દૃગે. ।।

વળી ઉત્સવ સમૈયામાંહિ, દૃગે. આવ્યા દાસ હજારો ત્યાંહિ, દૃગે. ।।૨૩।

કરે દર્શન પૂજા દાસ, દૃગે. તેનું ગ્રહણ કરે અવિનાશ, દૃગે. ।।

પૂજી સ્પર્શી લા’વો લીધો, દૃગે. તેણે જન્મ સફળ કરી લીધો, દૃગે. ।૨૪

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

જોઇ નાથ સમાધિ થઇ, દૃગે. પડ્યાં પ્રાણ નાડી વિના કંઇ, દૃગે. ।।

ના’વે સમાધિથી બા’રે, દૃગે. વણભણે વેદ ઉચ્ચારે, દૃગે. ।।૨૫।।

વળી દેખે અક્ષરધામ, દૃગે. લીયે ગોલોકનું નામ, દૃગે. ।।

શ્વેતદ્વીપ વૈકુંઠ દેખે, દૃગે. બ્રહ્મપુર કૈલાસ પેખે, દૃગે. ।।૨૬।।

વળી વિશાળાના વાસી, દૃગે. દેખે છે જન તે સુખરાશી, દૃગે. ।।

જગાડે સમાધિમાંથી જ્યારે, દૃગે. કરે વાત ધામની ત્યારે, દૃગે. ।।૨૭।।

તે સાંભળી સુખધામ, દૃગે. હસે મંદમંદ ઘનશ્યામ, દૃગે. ।।

મુમુક્ષુને સાધુ કરતાં, દૃગે. નંદપદવી નામ ધરતાં, દૃગે. ।।૨૮।।

કહે દેશ પ્રદેશ ફરજ્યો, દૃ. સ્વામિનારાયણ ઉચ્ચરજ્યો, દૃગે. ।।

કથા કીરતન જે કા’વે, દૃગે. સુંણે હરેહરે કરી ભાવે, દૃગે. ।।૨૯।।

કાવ્ય કવિની સાંભળતાં , દૃગે. માળા તુલસીની ફેરવતાં, દૃગે. ।।

સુખડ્ય સૂત્રની પણ સારી, દૃગે. ફુલમાળા પર બલહારી, દૃગે. ।।૩૦।।

શહેર પુર ગામ ઘોષે, દૃગે. ફુલવાડી વાડી નેસે, દૃગે. ।।

ખેત્ર ખળામાં મહારાજ, દૃગે. તેનાં કામ કરાવા કાજ, દૃગે. ।।૩૧।।

રાજા રાંકને ભુવને, દૃગે. શેઠ શાહુકાર સદને, દૃગે. ।।

લોક પટેલને ઘેરે, દૃગે. બ્રહ્મસભામાં બહુ વેરે, દૃગે. ।।૩૨।।

કોય રોગી જાણી, દૃગે. જાય પોતે તિયાં તાણી, દૃગે. ।।

ખરી ખબર તેની લેતાં, દૃગે. દિયે સુખ થાય તે દેતાં, દૃગે. ।।૩૩।।

ભૂખ્યો પ્યાસો હોય કોઇ પ્રાણી, દૃ. આપે અન્ન જળ દુઃખીયો જાણી, દૃ.

દિન ઉપર દયા ઘણી, દૃગે. જેનો કોઇ ન હોય ધણી, દૃગે. ।।૩૪।।

વળી મોટાના મો’બતી, દૃગે. જન સારાના સોબતી, દૃગે. ।।

જાતાં વિ’વા વરામાંહી, દૃગે. જઇ આવે પોતે ત્યાંહી, દૃગે. ।૩૫।।

કે’ને ઘેર થયા મે’માન, દૃગે. કર્યું બહુ તેણે સન્માન, દૃગે. ।।

વળી મે’માન રાખતાં, દૃગે. તેની અવળાઇ સાંખતાં, દૃગે. ।।૩૬।।

માંદાને જોવા જાતાં, દૃગે. વળી વઢતાં ને વારતાં, દૃગે. ।।

સબળ નિર્બળને સંતાપે, દૃગે. તેતો ખમી ન શકે આપે, દૃગે. ।।૩૭।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

દુઃખી ગરીબની ખબર લેવી, દૃ. હરિની સહજ પ્રકૃતિ એવી, દૃ. ।।

કે’ને પ્રસાદી આપતાં, દૃગે. દર્શન દઇ દુઃખ કાપતાં, દૃગે. ।।૩૮।।

કે’ને ફુલહાર દિયે વસ્ત્ર, દૃગે. ઘોડાં ઘરેણાં ને શસ્ત્ર, દૃગે. ।।

કે’ને ગાયો મહીષી રૂપૈયા, દૃગે. કોરી કણ ન જાય કહ્યા, દૃગે. ।।૩૯।।

જમાડે સાધુને સુખકારી, દૃગે. જમે સાંખ્યયોગી સંસારી, દૃગે. ।।

બ્રાહ્મણ બ્રહ્મચારી ભેખધારી, દૃ. જમાડ્યાં રાંક મઉ નરનારી, દૃ. ।।૪૦।।

મઉને વસ્ત્ર રૂપૈયા દીધા, દૃ. બહુ દુઃખિયા સુખિયા કીધા, દૃગે. ।।

ભાટ ચારણ ઢાઢિ લંગા, દૃગે. રાવલ રાસલિયાં જનમંગા, દૃગે. ।।૪૧।।

તેને વસ્ત્ર ઘરેણાં ઘોડાં, દૃગે. આપ્યાં ઘણાં નહિ કાંઇ થોડાં, દૃગે. ।।

વાવ્ય કુંડ કૂવા તળાવે, દૃગે. તેતો પ્રભુ પોતે ગળાવે, દૃગે. ।।૪૨।।

પર્વ સદાવ્રત બંધાવ્યાં, દૃ. આપ્યાં અનાવટે અન્ન ભાવ્યાં, દૃગે. ।।

જ્ઞાન વૈરાગ્ય ને ધર્મ, દૃગે. કે’તાં ભક્તિનો વળી મર્મ, દૃગે. ।।૪૩।।

પંચ વિષય પરાજય કરી, દૃગે. જીવને ભજાવતાં હરિ, દૃગે. ।।

કે’નેક કે’વું ઘટે તે કે’તાં, દૃગે. કોઇનું સાંભળી પણ લેતાં, દૃગે. ।।૪૪।।

હસતાં રમતાં ના’તાં ખાતાં, દૃ. ઘોડાં ખેલવી ફુદડી ફરતાં, દૃગે. ।।

ધીરા ઉતાવળા પગ ધરતાં, દૃગે. વળી કરનાં લટકાં કરતા, દૃગે. ।।૪૫।।

જાતાં વળતાં ગાતાં કે’તાં, દૃગે. નીર ખીર અમીરસ પીતાં, દૃગે. ।।

આસન કરતાં મુન્ય ગ્રહેતાં, દૃગે. ઉદાસી રહે સૂઇ જાગતાં, દૃગે. ।।૪૬।।

પ્રકરણ ફેરી ધર્મ થાપતાં, દૃ. કરતાં નિજજનને નિમરતાં, દૃગે. ।।

ગિરિ ગહ્વર વન ઉપવને, દૃગે. જોયા દેશ પ્રદેશે જીવનને, દૃગે. ।।૪૭।।

તાપસવેષે કેશ શિશે, દૃગે. એમ જીવ બહુ ઉપદેશે, દૃગે. ।।

નાસાગ્રે વૃત્તિ વણસમરતિ, દૃ. આંખ્ય મટકું પણ ન ભરતી, દૃગે. ।।૪૮।।

પ્રાણાયામ કરતાં યોગ શિખતાં, દૃ. યોગકળા દેખાડી દેતાં, દૃગે. ।।

એવી અનેક રૂડી રીતે, દૃગે. ચિંતવું છું મૂર્તિ ચિત્તે, દૃગે. ।।૪૯।।

સૂતાં બેઠાં ને જાગતાં, દૃગે. જાય દન એમ ચિંતવતાં, દૃગે. ।।

તેણે રહે છે અતિ આનંદ, દૃગે. એમ કહે નિષ્કુલાનંદ, દૃગે. ।।૫૦।।

ઇતિ શ્રીહરિસ્મૃતિમધ્યે ચતુર્થશ્ચિંતામણિઃ ।।૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

દોહા- એમ નખશિખા મૂર્તિ નાથની, સમરતાં સુખ થાય ।

અહોનિશ ઉરમાં ધારતાં, કરવું રહે ન કાંય ।।૧।।

ચ િ ર ત્ર્ ા સ વ ેર્ િં ચ ત વ ી , મ ૂ ર િ ત ધ ા ર ે મ ન ।

કાળ માયા કર્મનું, વ્યાપે નહિ વિઘન ।।૨।।

ચોપાઇ ધ્રુવપદી- મૂરતિ તમારી સુખકારી, જીવન જાણું છું ।

છો અવતારના અવતારી, જીવન જાણું છું ।

મહાસમર્થ છો મહારાજ, જી. વળી આપે રાજાધિરાજ, જીવન. ।।૩।।

પુરુષોત્તમ પૂરણબ્રહ્મ, જીવન. તમને નેતિ કહે નિગમ, જીવન. ।।

વાસુદેવ દયાળુ સ્વભાવ, જીવન. મહાપુરુષ મહાનુભાવ, જીવન. ।।૪।।

નારાયણ નિર્વિકારી, જીવન. મહાપરમ મંગળકારી, જીવન. ।।

ભક્તભયહારી ભગવાન, જી. આપ્યાં આશ્રિતને અભયદાન, જી. ૫

સચ્ચિદાનંદ દિવ્યમૂર્તિ, જી. જેને અતિ અગમ કહે શ્રુતિ, જીવન. ।।

છો પરમ કલ્યાણકારી, જીવન. એવી નૌત્તમ મૂર્તિ ન્યારી, જીવન. ।।૬।।

તમે કોટી બ્રહ્માંડાધીશ, જીવન. વળી સર્વે તણા છો ઇશ, જીવન. ।।

ધર્મધુરંધર ધન્ય ધન્ય, જીવન. ભક્તિ ધર્મના નંદન, જીવન. ।।૭।।

અલૌકિક મૂર્તિ આપે, જી. જોઇ જનમ મરણ દુઃખ કાપે, જીવન. ।।

તમે કાળમાયાના નિયંતા, જી. છો ગુણસાગર ગુણવંતા, જીવન. ।।૮।।

તમે ભવ બ્રહ્માના સ્વામી, જી. અકળ મૂર્તિ અંતરજામી, જીવન. ।।

પતિતપાવન અશરણશરણ, જી. અધમઉદ્ધારણ અઘહરણ, જી. ।।૯।।

નખશિખ મૂર્તિ મંગળરૂપ, જી. આવે જોઇ સુખ અનૂપ, જીવન. ।।

આનંદ પાદ આનંદ કર, જી. આનંદમાં મુખ મનોહર, જીવન. ।।૧૦।।

આનંદરૂપ અનુપમ એવું, જી. સૌ જનને જોયા જેવું, જીવન. ।।

આનંદ વસન ભૂષણ અંગે, જી. આનંદ આપો છો ઉછરંગે, જી. ।।૧૧।।

કૃપાસિંધુ છો ઘનશ્યામ, જી. ક્રોધ લોભ નિવારણ કામ, જીવન. ।।

પરમાત્મા પૂરણબ્રહ્મ, જીવન. નીલકંઠ કહે નિગમ, જીવન. ।।૧૨।।

જીવ ઇશ્વરના છો સ્વામી, જી. વળી સર્વે ધામના ધામી, જીવન. ।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

ક્ષર અક્ષરથી છો પર, જીવન. અક્ષર બ્રહ્મ તમારું ઘર, જીવન. ।।૧૩।।

કાળ માયા તમારી શક્તિ, જી. કરો બહુ કારજ એ વતી, જી. ।।

કોટિ બ્રહ્માંડને કરે છે, જીવન. ઉત્પત્તિ સ્થિતિ ને હરે છે, જીવન. ।।૧૪।।

તેના નિયંતા છો તમે, જી. સત્ય સ્વામી જાણ્યા અમે, જીવન. ।।

કારણના કારણ કહીયે, જીવન. કાળના પણ કાળ લહીયે, જીવન. ।।૧૫।।

આત્માના આત્મા છોજી, જી. પ્રાણના પણ પ્રાણ છોજી, જીવન. ।।

તમે ઇશ્વરના ઇશ્વર, જીવન. અંતરજામી છો અઘહર, જીવન. ।।૧૬।।

સર્વર્ેેના છો સાક્ષી સાર, જીવન. સકળ ફળના દેનાર, જીવન. ।।

સ્વયં જ્યોતિરૂપ રાજો, જી. માયા ગુણથી પર બિરાજો, જીવન. ।।૧૭।।

નિરાકાર નિરંજન કહે છે, જી. તે શું તમારી ગતિ લહે છે, જી. ।।

છો અખંડ અવિનાશી, જીવન. માયારહિત છો સુખરાશી, જી. ।।૧૮।।

તમારી મૂર્તિનું પરિમાણ, જીવન. કરી શકે શું અજાણ, જીવન. ।।

ચાર મુખે બ્રહ્મા ભાખે, જી. પાંચ મુખે શિવ કહી દાખે, જીવન. ।।૧૯।।

સહસ્ર મુખે કહે શેષ, જીવન. ષડાનન ગાય ગણેશ, જીવન. ।।

તોય કોયે ન પામે પાર, જીવન. એવી મૂર્તિ છે અપાર, જીવન. ।।૨૦।।

સર્વે શાસ્ત્ર પુરાણ માંયે, જીવન. ગુણ તમારા ગવાયે, જીવન. ।।

સર્વે દેવ વંદન કરે છે, જીવન. વેદ સ્તુતિ ઉચ્ચરે છે, જીવન. ।।૨૧।।

એવા સમર્થ સહુના સ્વામી, જી. સહુ રહે છે શિશ નામી, જી. ।।

તમારો ભય ભૂમિને ભારી, જી. તેણે રહી છે લોકને ધારી, જી. ।।૨૨।।

તમારા ભયે સમે તરુ ફળે, જી. ફુલ ફળ વન સઘળે, જીવન. ।।

તમારા ભયથી શેષ હમેશે, જી. ચૌદ લોક ધાર્યા છે શિશે, જી. ।।૨૩।।

તમારા ભયથકી સાક્ષાત, જી. વાસવ વરસાવે વરસાત, જીવન. ।।

તમારા ભયથી સૂર્ય શશિ, જી. ફરે કાળશક્તિ અહોનિશી, જી. ।।૨૪।।

તમારે ભયે બ્રહ્માંડે મૃત્યુ, જી. રહે છે સદા સર્વત્ર ફરતું, જીવન. ।।

બ્રહ્મા વિષ્ણુ શારદા શિવ, જી. રહે છે મરજીમાં તતખેવ, જીવન. ।।૨૫।।

છે એકએક બ્રહ્માંડાધીશ, જી. તે પણ નમાવે છે શિશ, જીવન. ।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

એવા છોજી એક નિયંતા, જી. સહુ રહે છે તમથી ડરંતા, જીવન. ।।૨૬।।

એવા મોટા છો મહારાજ, જી. તે મળ્યા છો મને આજ, જીવન. ।।

તેતો નાથ કરી છે દયા, જી. તે ગુણ કેમ કરી જાય કહ્યા, જીવન. ।।૨૭।।

તમે મે’ર મુજપર કીધી, જી. વળી બુડતાં બાંહ્ય ગ્રહી લીધી, જી. ।।

જે જે કર્યો તમે ગુણ, જીવન. બીજો કરે એવો કુંણ, જીવન. ।।૨૮।।

તમે બિરુદ પાળ્યું તમારું, જી. જોયું નહિ કર્તવ્ય અમારું, જી. ।।

તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યોેે, જી. એ તો આડો આંકજ વાળ્યો, જી. ૨૯

જનમતાં જતન કીધી, જી. મારી બહુનામી બહુ વિધિ, જીવન. ।।

ખાન પાન ખબર રાખી, જીવન. શું હું દેખાડું કહી દાખી, જીવન. ।।૩૦।।

આજ સુધી પણ અમારી, જી. રાખો છો ખબર સારી, જીવન. ।।

પળે પળે કરો પ્રતિપાળ, જી. એવો બીજો કોણ દયાળ, જીવન. ।।૩૧।।

વળી અંતકાળે આવો છો, જી. રથ વે’લ વિમાન લાવો છો, જી. ।।

વળી ઘણે મૂલે ચઢી ઘોડે, જી. આવો છો સખા લઇ જોડે, જીવન. ।।૩૨।।

એમ અલબેલાજી આવો, જી. દેહ દાસતણું મૂકાવો, જીવન. ।।

તેને તેડી જાઓ છો સાથે, જી. બેસારી રથ વિમાન માથે, જીવન. ।।૩૩।।

તેને આપોછો અક્ષરધામ, જી. થાય છે જન તે પૂરણકામ, જી. ।।

બીજો એવો કોણ કૃપાળુ, જી. તમ વિના દીઠા નહિ દયાળુ, જી. ।।૩૪।।

તમે દીનતણા છો બંધુ, જીવન. સુખકારી સુખના સિંધુ, જીવન. ।।

તમે નાથ અનાથ જનના, જી. તમે મહેરબાન છો મનના, જી. ।।૩૫।।

તમે નોંધારાંના આધાર, જીવન. તમે દુર્બળના દાતાર, જીવન. ।।

તમે ભક્તના ભય હરતા, જી. નિજજનને નિર્ભય કરતા, જીવન. ।।૩૬।।

તમે સંત જનના સ્નેહી, જીવન. કાપો કષ્ટ પડે જેહી, જીવન. ।।

તમે દાસતણાં દુઃખ કાપી, જી. કર્યા સુખીયા સુખ જ આપી, જી. ।૩૭

એવા ભક્તવત્સલ ભગવાન, જી. દીધાં આશ્રિતને અભયદાન, જી. ।।

તમે અશરણના છો શરણ, જી. દુઃખ ટાળી સુખના કરણ, જી. ।।૩૮।।

નિજજનના સુખ સારું, જી. ઇયાં આવવું છે તમારું, જીવન. ।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

તમે અગમ સુગમ થઇ, જી. આવી જન ઉદ્ધાર્યા કંઇ, જીવન. ।।૩૯।।

તમે નરતન ધરિયું નાથ, જી. સર્વે સામગ્રી લઇ સાથ, જીવન. ।।

દઇ દર્શ સ્પર્શનું દાન, જીવન. નિર્ભય જન કર્યા નિદાન, જીવન. ।।૪૦।।

મૂર્તિ તમારી મહારાજ, જીવન. સરે સહુનાં જોઇ કાજ, જીવન. ।।

દર્શ સ્પર્શ જે તમારો, જીવન. મહા મોટું સુખ દેનારો, જીવન. ।।૪૧।।

મળવું તમારું છે મોઘું, જી. તે તો સહુને થયું છે સોંઘું, જીવન. ।।

કિયાં અમે કિયાં આપ, જીવન. કીડી કુંજરનો મેળાપ, જીવન. ।।૪૨।।

સહુના નાથ તમે નિયંતા, જી. સર્વાધાર સર્વના કરતા, જીવન. ।।

સર્વે પર છો સર્વેશ્વર, જીવન. સહુના પ્રેરક પરમેશ્વર, જીવન. ।।૪૩।।

ક્યાં તમે ને ક્યાં અમે, જીવન. તે તો કૃપા કરીછે તમે, જીવન. ।।

તમે અઢળ ઢળ્યા છો આજ, જી. મહા મે’ર કરી મહારાજ, જી. ।।૪૪।।

દેખી દુઃખિયા અતિ દાસ, જી. તમે આવ્યા છો અવિનાશ, જી. ।।

કરવા અનેકનો ઉદ્ધાર, જીવન. સહુ જનની લેવા સાર, જીવન. ।।૪૫।।

એવી તકમાં હું પણ આવ્યો, જી. મારો ફેરો સફળ ફાવ્યો, જી. ।।

મારાં સરિયાં સર્વે કાજ, જી. તેતો તમે મળ્યે મહારાજ, જીવન. ।।૪૬।।

દુઃખ દરિયામાંથી તાર્યો, જી. વળી અધમને ઉદ્ધાર્યો, જીવન. ।।

મારા સાચા છો સનેહી, જીવન. જોઇ જોઇ જોયું તેહી, જીવન. ।।૪૭।।

ખરી વેળાનો ખજીનો, જીવન. છો દામ દોયલા દિનો, જીવન. ।।

મારા મરણ ટાંણાની મુડી, જી. વળી ભવસાગરની હુડી, જીવન. ।।૪૮।।

એહ ભરોંસો છે મોટો, જી. તેતો કે’દી ન થાય ખોટો, જીવન. ।।

બદલે નહિ બિરુદ તમારું, જી. શીદ શંકા મનમાં ધારું, જીવન. ।।૪૯।।

છે અચળ મારે આશરો, જી. ખરા દિનમાં ખરાખરો, જીવન. ।।

મૂર્તિ તમારી મીરાંથ મારી, જી. નહિ મેલું હું હવે ન્યારી, જી. ।।૫૦।।

રાખીશ જીવ સાથે હું જડી, જી. નહિ મેલું હું અળગી ઘડી, જી. ।।

તેમ નહિ મુકાય તમ થકી, જી. કહે નિષ્કુલાનંદ નક્કી, જીવન. ।।૫૧।।

ઇતિ શ્રીહરિસ્મૃતિમધ્યે પંચમશ્ચિંતામણિઃ ।।૫।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

દોહા- એહ ભરોંસો ભીંતરે, અચળ છે ઉરમાંય ।

શરણાગતની શ્યામળા, સદા કરો છો સહાય ।।૧।।

સ ુ ખ ન ા સ ા ગ ર શ્ર ી હ િ ર , સ દ ા સ વર્ દ ા શ્ ય ા મ ।

નિજજનના નિધિ નાથજી, પુરુષોત્તમ પૂરણકામ ।।૨।।

ચોપાઇ ધ્રુવપદી- મૂર્તિ તમારી મહારાજ, સુખકારીજી, ।

સૌ જનનો સુખ સમાજ, સુખકારીજી,

સાકાર મૂર્તિ સુખ ભંડાર, સુ. સ્પરશી બહુ પામ્યા ભવપાર, સુખ. ।।૩।।

પ્રગટ મૂર્તિ પ્રતાપે, સુખ. સુરાસુર ઉદ્ધાર્યા આપે, સુખ. ।।

જેજે પ્રગટ પ્રસંગ પામ્યાં, સુખ. તેનાં સર્વે સંકટ વામ્યાં, સુખ. ।।૪।।

તમથી સરિયાં સૌનાં કામ, સુખ. તમે સૌના સુખવિશ્રામ, સુખ. ।।

સ્પરશી પગ અંગુઠો હવી, સુખ. જન બહુ તારણ જાહ્નવી, સુખ. ।।૫।।

વળી પદરજ સ્પરશી શલ્યા, સુ. થઇ ગૌતમ તરુણી અહલ્યા, સુ. ।।

એવો પદરજનો પ્રતાપ, સુખ. ટળ્યો તરત તેનો સંતાપ, સુખ. ।।૬।।

વળી પદ સ્પરશતાં કાળી, સુ. થયો નિર્ભય ભવભય ટાળી, સુખ. ।।

વૃંદાવનનાં વેલી વન, સુખ. થયાં પદરજથી પાવન, સુખ. ।।૭।।

ઉદ્ધવ અક્રુરને મન પ્યારી, સુખ. એવી પદરજ છે તમારી, સુખ. ।।

પગ પાવન પ્રીતે જોઇ, સુખ. તુલસી રહી છે ત્યાં મોઇ, સુખ. ।।૮।।

એવાં ચરણ સદા સુખકારી, સુખ. ધરે ધ્યાન તેનું ત્રિપુરારિ, સુખ. ।।

શેષ સુરેશ અજ શશી, સુખ. અર્ક અગ્નિ જે તેજસ્વી, સુખ. ।।૯।।

નારદ શારદ સહસ્ર અઠ્યાશી, સુ. તે પણ હરિ પગના ઉપાસી, સુ. ।।

એવા અશરણ શરણ ચરણ, સુ. ધારે હરિજન અંતઃકરણ, સુખ. ।।૧૦।।

પૂજે જન મળી પ્રીતે, સુખ. વળી ચિંતવે છે નિત્ય ચિત્તે, સુખ. ।।

એવા પગ પાવન છે બહુ, સુખ. સુખદ જાણી સેવે સહુ, સુખ. ।।૧૧।।

સ્પર્શી પાવન છે પૃથ્વી, સુખ. તેણે રાજી રહે નિત્ય નવી, સુખ. ।।

એવા પાવલીયાને પેખી, સુખ. દિલડું રિઝે જનનું દેખી, સુખ. ।।૧૨।।

જંઘા જોઇને ઇંદિરા, સુખ. ચરણ ચાંપે ધીરાધીરા, સુખ. ।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

જાનુ જુગલ જોઇ જન, સુખ. સદા સુખી મન મગન, સુખ. ।।૧૩।।

સાથળ સુંવાળી બે સારી, સુ. મગન પીઠ ધરી પન્નગારી, સુખ. ।।

ઉદર સુંદર અતિ સારું, સુખ. જોઇ જન રહ્યાં ત્યાં હજારું, સુખ. ।।૧૪।।

નાભિ થકી અજ ઉપજી, સુખ. પામ્યા મોટપ મનરંજી, સુખ. ।।

ઉર જોઇ શોભાધામ, સુખ. કર્યો કમળાએ વિશ્રામ, સુખ. ।।૧૫।।

ગળે શોભા જોઇ ઘણી, સુ. પામી સુખ ત્યાં કૌસ્તુભમણિ, સુખ. ।।

મુખે સુખ પામી સરસ્વતી, સુ. રહી છે રાજી થઇને અતિ, સુખ. ।।૧૬।।

મુખે સુખ પામ્યા કંઇ જન, સુખ. મુખ સહુનું સુખસદન, સુખ. ।।

મુખે મોહ્યા મોટા મુનિ, સુખ. મુખ સુખ નિધિ સહુની, સુખ. ।।૧૭।।

મુખ જોઇ દુઃખ ટળે છે, સુખ. આવે સુખ શાંતિ વળે છે, સુખ. ।।

એવું મુખ સુખનું દેનાર, સુખ. જેથી સુખ પામ્યાં નરનાર, સુખ. ।।૧૮।।

ભુજા બેઉ સુખના ભરિયા, સુ. મળી તાપ તનના હરિયા, સુખ. ।।

કરને લટકે કારજ કીધાં, સુખ. જોઇ જન મને સુખ લીધાં, સુખ. ।।૧૯।।

અભય વર બે રહ્યા હાથે, સુ. એવા કર મેલો જન માથે, સુખ. ।।

કરઆંગળી સુખસદન, સુખ. જેણે ધાર્યો ગોવર્ધન, સુખ. ।।૨૦।।

રાખ્યાં ગાય ગોપી ગોવાળ, સુ. કરી વ્રજજનની પ્રતિપાળ, સુ. ।।

હાથે દાસતણાં દુઃખ હરીયાં, સુ. આપી સુખ સુખિયાં કરીયાં, સુ. ।।૨૧।।

એમ સાકાર મૂર્તિ સંબંધે, સુ. સુખિયા આદિ અંત્યે મધ્યે, સુખ. ।।

મૂર્તિ વડે મોટપ સહુની, સુખ. કોણ તપસી ઋષિ મુનિ, સુખ. ।।૨૨।।

મૂર્તિ મેલી મોટપ ઇચ્છે, સુખ. તેને વાત બની બગડી છે, સુખ. ।।

શૂન્ય સુમનની નોય દામ, સુખ. મૂર્ખ તેની કરે છે હામ, સુખ. ।।૨૩।।

તેમ મૂર્તિ તમારી મેલી, સુખ. સુખસાટે મળશે સેલી, સુખ. ।।

તમે જનના સુખને કાજ, સુખ. સદા સાકાર છો મહારાજ, સુખ. ।।૨૪।।

સાકાર વિના ન સરે કામ, સુ. માટે સાકાર છો સુખધામ, સુખ. ।।

ચાર વેદ વદે એ વાત, સુખ. પ્રભુ પ્રગટ છો સાક્ષાત, સુખ. ।।૨૫।।

ષટ્‌ શાસ્ત્ર કે’છે ખોળી, સુખ. મોટપ્ય પ્રગટની વણતોળી, સુખ. ।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

અઢાર પુરાણમાં એમ કહેછે, સુ. પ્રભુ સદા સાકાર રહેછે, સુખ. ।।૨૬।।

સ્મૃતિ શ્રુતિનું એ તાન, સુખ. સદા સાકાર રહે ભગવાન, સુખ. ।।

તેણે કરી રહેછે સમું, સુખ. નહિ તો વણસી થાય વસમું, સુખ. ।।૨૭।।

ન રહે એક સ્થિતિ એક રીતિ, સુ. સહુ કોઇ આદરે અનીતિ, સુ. ।।

ધર્મ ધરાપર ન રહે, સુખ. સહુ કોઇ અધર્મને ગ્રહે, સુખ. ।।૨૮।।

દેવ દાનવ માનવ મુનિ, સુ. માને નહિ મરજાદા કોયની, સુખ. ।।

ચાર વર્ણ આશ્રમ ચાર, સુખ. સહુ ભ્રષ્ટ થાય નરનાર, સુખ. ।।૨૯।।

માટે સહુના ધર્મ રખાવા, સુ. તમે રહો આવા ને આવા, સુખ. ।।

અધર્મ ઉથાપી ધર્મ થાપો, સુ. તમે હરિજનને સુખ આપો, સુખ. ।।૩૦।।

તમે ધર્મધુરંધર કા’વો, સુખ. ધર્મ સારું ધરાપર આવો, સુખ. ।।

તમે ધર્મ તણી છો ઢાલ, સુખ. ધર્મ વર્મ ધર્મલાલ, સુખ. ।।૩૧।।

ધર્મ પાળક ધર્મ કુમાર, સુખ. તમે સંત જનના શણગાર, સુખ. ।।

દાસ દોષ નિવારણ નાથ, સુખ. એમ કહેછે સહુજન સાથ, સુખ. ।।૩૨।

તમે ભક્તતણા ભયહારી, સુ. તમે સંતજનના સુખકારી, સુખ. ।।

કપટિ કુટિલ દગાદાર, સુખ. તેના નાશના કરનાર, સુખ. ।।૩૩।।

તમે અધર્મીના અરિ કા’વો, સુ. નમે’રી ઉપર મે’ર ન લાવો, સુ. ।।

કુકર્મી કુબુદ્ધિના છો કાળ, સુ. તમો નિજજનના પ્રતિપાળ, સુખ. ।।૩૪।।

તમારી મૂર્તિ મીરાંથ મોટી, સુ. સેવી સુખ પામ્યા કૈ કોટિ, સુખ. ।।

તમારી મૂર્તિ ચિંતામણી, સુ. સમુ ચિંતવે સુખનિધિ ઘણી, સુખ. ।।૩૫।।

સંતજન ચિંતવે છે સવળું, સુ. અસંતજન ચિંતવે છે અવળું, સુ. ।।

જેજે જન ચિંતવે છે જેવું, સુખ. તેતે ફળ પામે છે તેવું, સુખ. ।।૩૬।।

કલ્પતરુ તુલ્ય તમે, સુખ. ચિંતવે જે જનને જેવું ગમે, સુખ. ।।

કલ્પતરુ ચિંતામણી કહિયે, સુ. તમને તે ઉપમા કેમ દઇયે, સુખ. ।।૩૭।।

તેતો સુખ દુઃખના દેનાર, સુખ. તમે સદા સુખભંડાર, સુખ. ।।

જોને અસુર અભાગી અતિ, સુખ. મહા દુષ્ટમય દૂરમતિ, સુખ. ।।૩૮।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

કરતા મનસુબા મારવા, સુખ. નિત્ય પ્રત્યે નવાનવા, સુખ. ।।

તેને મારી મોક્ષ આપી, સુખ. એવી મૂર્તિ કહી પ્રતાપી, સુખ. ।।૩૯।।

માટે મૂર્તિ મંગળમૂળ, સુખ. એથી પામ્યા સુખ અતૂળ, સુખ. ।।

એથી અમંગળ નહિ કેનું, સુખ. શું શું કહિ દેખાડું તેનું, સુખ. ।।૪૦।।

મંગળ કરચરણાદિક કહિયે, સુ. મંગળ નખશિખાલગી લહિયે, સુ. ।।

મંગળ ચાલ્ય ચરિત્ર માનુું, સુખ. મંગળમાં અમંગળ શાનું, સુખ. ।।૪૧।।

મંગળ દેવું લેવું એવું, સુખ. સર્વે મંગળકારી કેવું, સુખ. ।।

મંગળકારી વાણી મુખની, સુ. મંગળ દૃષ્ટિ કરોછો સુખની, સુખ. ।।૪૨।।

સર્વે ક્રિયા મંગળકારી, સુખ. મંગળ મૂર્તિની બલીહારી, સુખ. ।।

મંગળમય મૂર્તિ જેણે જોઇ, સુખ. તેને ન્યુન ન રહી કોઇ, સુખ. ।।૪૩।।

મંગળ મૂર્તિને પ્રતાપ, સુખ. સ્પર્શ પ્રજળે પૂરણ પાપ, સુખ. ।।

મંગળ મૂર્તિને સમરતાં, સુખ. મટે સંકટ શ્રીહરિ કરતાં, સુખ.।।૪૪।।

મંગળ મૂર્તિને ચિંતવતાં, સુ. કિલ્બિષ જાય શુભ થાયે સેવતાં, સુ. ।।

મંગળ મૂર્તિનું ધ્યાન ધરતાં, સુ. થાય અંતરમાં સુખ સમતાં, સુ. ।।૪૫।।

મંગળ મૂર્તિના ગુણ ગાવતાં, સુખ. માટે મેં નથી મૂકાતાં, સુખ. ।।

મંગળ મૂર્તિ જોઇ મનરાતો, સુખ. તેણે રહું છું ફુલાતો, સુખ. ।।૪૬।।

મંગળ મૂર્તિ જોઇ મેં મને, સુખ. રાજી રહું છું રાત્યદને, સુખ. ।।

મંગળ મૂર્તિ જોતાં મારે, સુખ. સઇ ઓછપ્ય છે આ વારે, સુખ. ।।૪૭।।

પૂર્ણ કામ પ્રગટ પ્રતાપ, સુખ. એમ મને મનાણું આપ, સુખ. ।।

તેનો નથી થાપ ઉથાપ, સુખ. તે તો પ્રગટને પ્રતાપ, સુખ. ।।૪૮।।

મૂર્તિ સંભારવા સારું, સુખ. કરતું મનસુબો મન મારું, સુખ. ।।

તેતો પૂરણ થયો પ્રમાણ, સુખ. કર્યાં મૂર્તિનાં વખાણ, સુખ. ।।૪૯।।

હરિસ્મૃતિ થાય હૈયે, સુખ. માટે હરિસ્મૃતિ કહિયે, સુખ. ।।

કે’તાં સુણતાં મટે ભવફંદ, સુખ. એમ કહે નિષ્કુલાનંદ, સુખ. ।।૫૦।।

ઇતિ શ્રીહરિસ્મૃતિમધ્યે ષષ્ઠશ્ચિંતામણિઃ ।।૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

દ ા ે હ ા - અ લ ા ૈ િ ક ક મ ૂ ર્િ ત અ ા જ ન ી , ધ ર ી ધ મર્ ક ુ મ ા ર ।

જોતાં ના’વે જોડમાં, આ સમે અન્ય અવતાર ।।૧।।

સ મ થ્ ાર્ મ ૂ ર્િ ત સ ુ ખ ભ ર ી , ધ ર ી ન ધ ર શ ે ક ા ે ય ।

સર્વોપરી છે શ્રીહરિ, સહજાનંદ પ્રભુ સોય ।।૨।।

ચોપાઇ ધ્રુવપદી-

પ્રગટ પ્રબળ મૂર્તિ, આચરજકરી છે ।

જ ે ન ે ન ે િ ત ન ે િ ત ક હ ે શ્ર ુ િ ત , અ ા ચ . ।

અકળ અનુપ અમાપ, આચ. કોઇ કરી શકે નહિ થાપ, આચ. ।।૩।।

અગમ અતોલ અપાર, આચ. નિગમે ન થાય નિરધાર, આચ. ।।

શિવ બ્રહ્મા સરખા કહે છે, આ. તોય અતિ અપાર રહે છે, આ. ।।૪।।

પ્રગટ મૂર્તિનો મહિમાય, આચ. સર્વે સુખતણી સીમાય, આચ. ।।

મોટપ્ય હરિમૂર્તિની અતિ, આ. કે’તાં કહેવાય નહિ કોયવતી, આ. ।૫

જે જે હરિમૂર્તિથી થયું, આચ. તેતે મેં ન જાય કહ્યું, આચ. ।।

બહુ બહુ થાય ચમત્કાર, આચ. તેને કહેતાં ન આવે પાર, આચ. ।।૬।।

જે કોય કેદી ન સૂણ્યું કાન, આચ. તેતો દેખાડ્યું ભગવાન, આ. ।।

અલૌકિક વસ્તુ આવે લોકે, આચ. તેતો જન સહુ અવલોકે, આ. ।।૭।।

અશન વસન સુંદર માળા, આ. પ્રસાદી દાળ્ય રોટા રૂપાળા, આ. ।।

તલલાડુ તોરા હાર, આચ. ફળ ફુલ અમૂલ્ય અપાર, આચ. ।।૮।।

પામે સમાધિયે તે દાસ, આ. જાગે જ્યારે ત્યારે રહે પાસ, આચ. ।।

જે જે આપે સમાધિમાંયે, આ. તે તે લઇ આવે જન આંયે, આચ. ।।૯।।

અમાયિક માયિકમાં આવે, આ. એથી અન્ય આચરજ શું કા’વે, આ.।

વળી અનેક પરચા આપે, આચ. પામે જન પ્રગટ પ્રતાપે, આચ. ।।૧૦।।

તે તો કે’તાં ન કે’વાયે, આચ. મોટો હરિમૂર્તિ મહિમાયે, આચ. ।।

જે જે આ સમાની વાત, આચ. તે દીઠી મેં સાક્ષાત, આચ. ।।૧૧।।

સંતદાસ પ્રગટ પ્રતાપે, આચ. ગયા જળમાં ના’વા આપે, આ. ।।

દીધી જળમાં ડુબકી દાસે, આ. નિસર્યા નરનારાયણ પાસે, આ. ।।૧૨।।

તિયાં દોઢ માસ રઇ, આચ. ત્યાંની ખબર આવ્યા લઇ, આચ. ।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

તે તો આચરજ વાત કહેવાય, આ. આ દેહે એમ જવાય, આચ. ।।૧૩।।

વળી ફરી મેલ્યા મહારાજે, આ. હીમાળો ઉલ્લંઘ્યો મુનિરાજે, આ. ।

આવી પથ્થરા નદી ત્યાંયે, આ. ઉતર્યા શ્રીહરિની ઇચ્છાયે, આ. ।।૧૪।।

નાહ્યા માનસરોવર ઘાટે, આચ. કૈ’કૈ કારજ કીધાં વાટે, આચ. ।।

એહ સામર્થી સ્વામીની, આચ. બીજી કહું બહુનામીની, આચ. ।।૧૫।।

એક સચ્ચિદાનંદ સંત, આચ. મહામોટા સાધુ અત્યંત, આચ. ।।

તેને રુંધ્યા ઘરમાં ઘાલી, આચ. રાખી ચોકી તાળાં આલી, આચ. ।।૧૬।।

તેમાંથી નિસરી ગયા, આચ. તાળાં તેમનાં તેમ રહ્યાં, આચ. ।।

ભૌતિક દેહ અભૌતિક થયું, આ. એહ કારણ હરિનું કહ્યું, આ. ।।૧૭।।

વળી હરિમૂર્તિ પ્રતાપે, આચ. સુખિયા થયા સાધુ આપે, આચ. ।।

એક વ્યાપકાનંદ મુનિ, આચ. તે પર મે’ર મોટી પ્રભુની, આચ. ।।૧૮।।

સદા રહે મૂર્તિમાંઇ, આચ. હરે ફરે હરિ ઇચ્છાઇ, આચ. ।।

વળી જે જે બોલે જીહ્વાય, આચ. તેતો તેમનું તેમ થાય, આચ. ।।૧૯।।

એક મુઇ જીવાડી ઘોડી, આચ. એહ વાત નહિ કાંઇ થોડી, આ. ।।

વળી વાડવસુત જીવાડ્યો, આ. પ્રગટ પ્રતાપે ઉઠાડ્યો, આચ. ।।૨૦।।

તે સામર્થી સહજાનંદની, આ. કહિ કેમ જાય આનંદકંદની, આ. ।।

વળી વ્યાપકાનંદે એક, આચ. કાપી કષ્ટ ઉગાર્યો વણિક, આચ. ।।૨૧।।

એવાં અનેક અલૌકિક કાજ, આચ. કર્યાં સંત દ્વારે મહારાજ, આચ. ।।

વળી સંત સ્વરૂપાનંદ, આચ. જેને અંતર સદા આનંદ, આચ. ।।૨૨।।

કરી સમાધિ સંયમીની ગયા, આ. દીઠા જીવ દુઃખિયા તિયાં, આ. ।।

નરકકુંડમાં નરનાર, આચ. પાપી પીડાતા અપાર, આચ. ।।૨૩।।

તેને દેખી દયા આવી, આચ. બોલ્યા હરિમૂર્તિ બળ લાવી, આ. ।।

નિસરો નરક થકી સહુ બા’ર, આચ. પ્રગટ પ્રતાપે નરનાર, આ. ।।૨૪।।

કાઢી જીવ કીધા કુંડ ખાલી, આ. જેને જમે નાખ્યા’તા ઝાલી, આ. ।।

તે નિસર્યા હરિપ્રતાપે, આ. એ તો અતોલ વાત અમાપે, આચ. ।।૨૫।।

એક હરિજન પર્વતભાઇ, આ. સદા રહે હરિમૂર્તિમાંઇ, આચ. ।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

એક દિન વિચાર્યું એવું, આ. વારાહરૂપ હશે વળી કેવું, આચ. ।।૨૬।।

ત્યાં તો રૂપ રૂડાં ચોવિશે, આ. ઉભાં આગળ નજરે દિશે, આ. ।।

એકએકથી અનૂપ, આચ. ચિત્ત ચોર ચોવિશે રૂપ, આચ. ।।૨૭।।

વળી પ્રગટ મૂર્તિ પાસે, આચ. ઉભી દીઠી તે પણ દાસે, આચ. ।।

સર્વે રૂપ સમાણાં તેમાં, આચ. પ્રગટ મૂર્તિ સુખની સીમા, આચ. ।।૨૮।।

તેતો પર્વતભાઇ પાસ, આચ. સદા રહે છે શ્રીઅવિનાશ, આચ. ।।

એવી વાત આજ દિન પે’લી, આ. નથી શ્રવણે સાંભળેલી, આ. ।।૨૯।।

વળી એહ મૂર્તિના બળે, આચ. થયું કામ કહું એક પળે, આચ. ।।

એક ભક્ત રૂડો રત્નો, આચ. કરે ધ્યાન ધંધો ઘરનો, આચ. ।।૩૦।।

તેને ઘેર દિવ્ય સ્વરૂપે, આચ. આવ્યા નાથ રથ અનૂપે, આચ. ।।

હતો રથ હાલો હાલ્યે, આચ. વળગ્યો રથને રતનો વાલ્યે, આચ. ।।૩૧।।

પોહોત્યો પળમાં જુગ જોજને, આ. બેઠા બાંધે બાર સદને, આ. ।।

તેતો દીધું હતું દોકાન, આચ. તેમાં મૂકી ગયા ભગવાન, આચ. ।।૩૨।।

ભૌતિક ભાવ રહ્યો નહિ રતિ, આ. પામ્યા દિવ્ય દેહની ગતિ, આ. ।।

એવા અનંત ચમત્કાર, આચ. પ્રગટ મૂર્તિમાં અપાર, આચ. ।।૩૩।।

વળી એક મેઘ હલવાઇ, આચ. સદા રહે સમાધિમાંઇ, આચ. ।।

કરે કંદોઇનું કાજ, આચ. પળ ભૂલે નહિ મહારાજ, આચ. ।।૩૪।।

તપાવે તેલ અતિ તાવડે, આચ. તેમાંથી કળી કાઢે કરવડે, આ. ।।

તેમાં રતિ ન દાઝે આપે, આચ. તે તો હરિ મૂર્તિ પ્રતાપે, આચ. ।।૩૫।।

વળી એક ડોસો યવન, આચ. તેને થયું હરિનું દર્શન, આચ. ।।

રહી મૂર્તિ અંતરમાંઇ, આચ. ભૂલ્યો દેહ દિસે નહિ કાંઇ, આચ. ।।૩૬।।

તેને બાપે બાંધ્યો બંધે, આચ. રોક્યો ઘરમાં ઘાલી સંબંધે, આ. ।।

આપ્યાં કમાડ દીધાં તાળાં, આચ. બેઠાં બારણે રખવાળાં, આચ. ।।૩૭।।

તેમાંથી દેહ અદર્શ થઇ, આ. નિસર્યો બાર ગાઉ પર જઇ, આ. ।।

ત્યાં પણ બંધ કર્યો વળી બીજે, આ. ત્યાંથી નિસરી ગયો ત્રીજે, આ. ૩૮

આવરણ એક આડું નવ રહ્યું, આ. ભૌતિક દેહ અભૌતિક થયું, આ. ।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિસ્મૃતિ

તેતો જાણે છે જન મનમાં, આ. એહ સામર્થી ભગવનમાં, આ. ।।૩૯।।

એવી કેટલીક વાતો કરીયે, આ. પ્રગટ મૂર્તિની વૈખરીયે, આચ. ।।

ઘણી વાત થોડામાં કહી, આચ. બીજી ઘણી ગ્રંથોમાં રહી, આચ. ।।૪૦।।

સર્વે વાત સંભારી કહેવા, આ. નથી આ જગમાં કોઇ એવા, આ. ।।

જોયું અંતર ઉંડું ખોળી, આચ. સામર્થવા’ળામાં વણતોળી, આચ. ।।૪૧।।

આ મૂર્તિની જે મોટાઇ, આચ. નાવે નાવે કહ્યા માંઇ, આચ. ।।

આ મૂર્તિ સહુથી ન્યારી, આચ. શું હું કહું વડાઇ વિસ્તારી, આ. ।।૪૨।।

આ મૂર્તિ સહુથી નોખી, આ. ચોક્કસ વાત કહું છું ચોખ્ખી, આ. ।।

આ મૂર્તિ નહિ અન્ય જેવી, આ. હરિ ધરી ન ધરશે એવી, આ. ।।૪૩।।

આ મૂર્તિ છે અલૌકિ, આચ. માનો માન મનનું મૂકી, આચ. ।।

આ મૂર્તિ નહિ કોય સરખી, આ. જુઓ અંતર ઉંડું નિરખી, આ. ।।૪૪।।

આ મૂર્તિનો મહિમાય, આચ. કોટિ કવિયે કેમ કહેવાય, આચ. ।।

આ મૂર્તિનું પરમાણું, આચ. લખતાં કે’ણે ન લખાણું, આચ. ।।૪૫।।

કૈક કહિકહિ કે’છે ઘણું, આ. બળ બહુ દેખાડે બુદ્ધિતણું, આચ. ।।

તોય જથારથ જાણવા, આચ. નથી કોય જુના નવા, આચ. ।।૪૬।।

એવી મૂર્તિ છે આજની, આ. હરિજનના સુખ સાજની, આચ. ।।

સહુને પાર આવ્યા છે પોતે, આ. જન સુખિયા થાય સહુ જોતે, આ. ૪૭

એહ મૂર્તિને પ્રસંગે, આચ. કૈક સુખિયા થયા અંગે, આચ. ।।

એવી મૂર્તિ સુખમય સારી, આ. તે તો દ્વિજ ધર્મ ઘર ધારી, આ. ।।૪૮।।

ધન્ય ધન્ય દ્વિજ ધર્મકુમાર, આ. કર્યા બહુ જીવ ભવપાર, આ. ।।

તે ગણતાં ન ગણાય, આચ. કહ્યો મૂર્તિનો મહિમાય, આચ. ।।૪૯।।

મોટપ્ય કહેવા મૂર્તિતણી, આ. હતી હામ હૈયામાં ઘણી, આચ. ।।

પુરી થઇ પામ્યો આનંદ, આ. એમ કહે નિષ્કુલાનંદ આચ. ।।૫૦।।

ઇતિ શ્રી નિષ્કુલાનંદમુનિવિરચિતં શ્રીહરિસ્મૃતિમધ્યે સપ્તમશ્ચિંતામણિઃ

।।૭।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સોસઠપદી

ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન

-ઃ સોસઠપદી :-

૧૦

પદરાગ ધોળ- હેલી જોને આ નંદકુમાર સલુણો શોભતા. એ ઢાળ.

એક વાત અનૂપ અમૂલ્ય, કરૂં છું કહેવા તણું । પણ મનભાઇ કહે છે મ

બોલ્ય, ઘોળ્યું ન કહેવું ઘણું ।।૧।। પણ વણકહ્યે જો વિગત્ય, પડે કેમ

પરને । સંત અસંતમાં એક મત, નિશ્ચે રહે નરને ।।૨।। માટે કહ્યા વિના

ન કળાયે, સહુ તે સુંણી લૈયે । મોટા સંતનો કહ્યો મહિમાયે, તે સંત કોને

કૈયે ।।૩।। કે’ સંત સેવ્યે સરે કાજ, એમ છે આગમમાં । સુંણી નિષ્કુલાનંદ

તે આજ, સહુ છે ઉદ્યમમાં ।। પદ ।।૧।। (૧)

એવા સંતતણી ઓળખાણ, કહું સહુ સાંભળો । પછી સોંપી તેને મન

પ્રાણ, એ વાળે તેમ વળો ।।૧।। જેના અંતરમાં અવિનાશ, વાસ કરી

વસિયા । તેણે કામ ક્રોધ પામ્યા નાશ, લોભ ને મોહ ગયા ।।૨।। એવા

શત્રુતણું ટાળ્યું સાલ, લાલ જ્યાં આવી રહ્યા । તેણે સંત થયા છે નિહાલ,

પૂરણકામ થયા ।।૩।। એવા સંત જે હોય સંસાર, શોધીને સેવિજીયે ।

કહે નિષ્કુલાનંદ નિરધાર, તો લાભ તે લીજીયે ।।૪।। પદ ।।૨।। (૨)

સાચા સંત સેવ્યે સેવ્યા નાથ, સેવ્યા સુર સહુને ।

સેવ્યા મુક્ત મુનિ ઋષિસાથ, બીજા સેવ્યા બહુને ।।૧।। એવા સંત જમ્યે

જમ્યા શ્યામ, જમ્યા સહુ દેવતા । જમ્યા સર્વે લોક સર્વે ધામ, સહુ થયા

તૃપ્તતા ।।૨।। એવા સંતને પૂજીને પટ, પ્રીત્યેશું પહેરાવિયાં । તેણે ઢાંકયાં

સહુના ઘટ, ભલાં મન ભાવિયાં ।।૩।। એવા સંત મળ્યે મળ્યા સ્વામી,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સોસઠપદી

ખામી કોયે ન રહી । કહે નિષ્કુલાનંદ શિશ નામી, સાચી સહુને કહી

।।૪।। પદ ।।૩।। (૩)

નક્કી વાત છે એ નિરધાર, જુઠી જરાય નથી । સહુ અંતરે કરો

વિચાર, ઘણું શું કહું કથી ।।૧।। એક જમતાં બોલિયો શંખ, અસંખ્યથી

શું સર્યું । એક જમીને બોલ્યો નિઃશંક, જમુનાં જાવા કર્યું ।।૨।। એમ

એક પૂજ્યે પૂજ્યા સહુ, સેવ્યે સહુ સેવિયા । માટે ઘણું ઘણું શું કહું,

ભેદ ભક્તના કહ્યા ।।૩।। હવે એવા વિના જે અનેક, જગતમાં જે કહીયે

। કહે નિષ્કુલાનંદ વિવેક, સેવ્યે સુખ શું લહીયે ।।૪।। પદ ।।૪।। (૪) જેના અંતરમાં કામ ક્રોધ, લોભની લાહ્ય બળે । એવા બહુ કરતા

હોય બોધ, તે સાંભળ્યે શું વળે ।।૧।। માન મમતા મત્સર મોહ, ઇર્ષ્યા

અતિ ઘણી । એવો અધર્મ સર્ગ સમૂહ, ધારી રહ્યા જે ધણી ।।૨।। તેને

સેવતાં શું ફળ થાય, પૂજીને શું પામિયે । જે જમાડિયે તે પણ જાય,

ખાધું જે હરામિયે ।।૩।। એનાં દર્શન તે દુઃખદેણ, ન થાય તો ન કીજીયે,

સુંણી નિષ્કુલાનંદનાં વેણ, સહુ માની લીજીયે ।।૪।। પદ ।।૫।। (૫)

એવા વિકારી જનની વાત, દેનારી છે દુઃખની । જેના અંતરમાં

દિન રાત, ઇચ્છા વિષય સુખની ।।૧।। એને અર્થે કરે ઉપાય, શોધી

સારાં ગામને । પોતે પોતાનું માહાત્મ્ય ગાય, ચહાય દામ વામને ।।૨।।

કરે કથા કીર્તન કાવ્ય, અર્થ એ સારવા । ભલોે દેખાડે ભક્તિ ભાવ, પર

ઘર મારવા ।।૩।। એથી કેદી ન થાય કલ્યાણ, જીજ્ઞાસુને જાણવું । કહે

નિષ્કુલાનંદ નિરવાણ, પેખી પરમાણવું ।।૪।। પદ ।।૬।। (૬)

દેહ પોષવા સારુ જે દંભ, કરે છે જે કુબુદ્ધિ । ખોટા સુખ

અરથે આરંભ, મૂકે નહિ મૂવા સુધી ।।૧।। તેણે જનમ પશુને પાડ,

ખોયો ખોટા કારણે । મોક્ષ મારગે આપ્યાં કમાડ, કડી જડી બારણે

।।૨।। ફેરો ન ફાવ્યો થયો ફજીત, જીત ગઇ જળમાં । મેલી મુક્ત

મોટપની રીત, ખ્યાતિ કરી ખળમાં ।।૩।। આપ ડા’પણે આપ્યો

દિવસ, દુઃખે ભર્યો દોયલો । કહે નિષ્કુલાનંદ અવશ્ય, ખાટ્યો માલ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સોસઠપદી

ખોયલો ।।૪।। પદ ।।૭।। (૭)

સંત અસંતની ઓળખાણ, પાડી છે પુરાણમાં । સુણી સર્વે જન

સુજાણ, તણાશોમાં તાણમાં ।।૧।। જડભરત જનક જેદેવ, એવું થાવું

આપણે । ત્યારે કરતાં અસંતની સેવ, વાત કહો કેમ બણે ।।૨।। અતિ

આદર્યું કામ અતોલ, પરલોક પામવા । ત્યારે ખરી કરી જોઇએ ખોળ્ય,

વિઘનને વામવા ।।૩।। વણસમઝે સાર અસાર, પાર કહો કોણ થયા ।

કરી નિષ્કુલાનંદ વિચાર, સંત અસંત કહ્યા ।।૪।। પદ ।।૮।। (૮)

પદરાગ ધોળ- લટકાળા તારે લટકેરે

સાચા સંતના અંગ એધાંણરે, જોઇ લેવા જીવડિયે । જેને મળવે

માન્યું કલ્યાણરે, તેને જોવા ઘડિયે ઘડિયે ।।૧।। ખાતાં પીતાં જોતાં

જણાશેરે, આશય એના અંતરની । ઉઠે બેસે બોલે કળાશેરે, પાસે વસતાં

એ નરની ।।૨।। હશે હારદ હૈયા કેરૂં રે, વણ કહ્યે પણ વરતાશે । જેમ

જેમ છપાડશે ઘણેરૂંરે, તેમ તેમ છતું થાશે ।।૩।। ખાય ખૂણે લસણ

લકીરે, તે ગંધ કરે છુપાવાનું । કહે નિષ્કુલાનંદ વાત નકીરે, જેમ છે

તેમ જણાવાનું ।।૪।। પદ ।।૧।। (૯)

જેવો રસ ભર્યો જે ઠામેરે, તેવો તેમાંથી ઝરશે । કોઇ કાઢશે પડયે

કામેરે, નિશ્ચે તેવો નિસરશે ।।૧।। જોને આહાર કરે જન જેવોરે, તેવો

આવે ઓડકારે । અણપૂછે નિસરે એવોરે, આશય અંતરનો બા’રે ।।૨।।

જોને ચિલ ચઢે અસમાનેરે, નજર તેની નીચી છે, દેખી મારણને મન

માનેરે । અન્ય જોવા આંખ્ય મીચી છે ।।૩।। એવા લક્ષણ વાળા લાખુંરે,

દીઠા મેં દ્રગે ભરિયા । કહે નિષ્કુલાનંદ શું ભાખું રે, ઓળખો એની

જોઇ ક્રિયા ।।૪।। પદ ।।૨।। (૧૦)

કામી બોલે કામે ભરિયું રે, લોભી બોલે લોભ લઇ । ક્રોધી બોલે

ક્રોધે અનુસરિયું રે, માની બોલે માને સઇ ।।૧।। સ્વાદી બોલે સ્વાદ

વખાણી રે, દંભી બોલે દંભ ભરી । અહંકારી અહંકાર આણી રે, કપટી

બોલે કપટ કરી ।।૨।। માટે જે જનને મળે જેવારે, તેવો તેને રંગ ચડશે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સોસઠપદી

। નહિ જાય શ્રોતા સારૂં લેવારે, જેમ છે તેમ તેનું જડશે ।।૩।। ખુબ ખરા

હોય ખપવાળારે, તેને જોવું તપાસી । થાય નિષ્કુુલાનંદ સુખાળારે, ખરી

વાત કહું ખાસી ।।૪।। પદ ।।૩।। (૧૧)

વણસાધુનો વરતારોરે, આ પદ સુણતાં ઓળખાશે । પછી શોધી

સમાગમ સારોરે, તે સાથે પ્રીતિ થાશે ।।૧।। તેહ વિના મન નહિ માનેરે,

બીજે દલડું નહિ બેસે । કાયરની વાતો કાનેરે, સાંભળી પંડયમાં નહિ

પેસે ।।૨।। આંખ્ય અંતરની ઉઘડશેરે, પડશે પારખું પોતાને । ખરા

ખોટાની ગમ પડશેરે, જડશે વાતો એ જોતાને ।।૩।। પછી સંત અસંત

એક પાડેરે, નહિ દેખે તે કોઇ દને । કહિ નિષ્કુલાનંદ શું દેખાડેરે, જાણશે

જેમ છે તેમ મને ।।૪।। પદ- ।।૪।। (૧૨)

જેનું તન મન માન્યું ત્યાગેરે, ભક્તિ ધર્મ ભાવે છે । તેનાં વચન

વિંટયાં વૈરાગેરે, અંતરમાંથી આવે છે ।।૧।। શીલ સંતોષ ને વળી શાંતિરે,

એમાં રહીને બોલે છે । ધીરજતા કહી નથી જાતીરે, જ્ઞાન ધ્યાનમાં ડોલે

છે ।।૨।। એવા સંત સહુના સગારે, પરઉપકારી પૂરા છે । જેના દલમાં

નહિ કોય દગારે, સત્ય વાતમાં શૂરા છે ।।૩।। વળી હેત ઘણું હૈયેરે,

આંખ્યે અમૃત વરસે છે । કહે નિષ્કુલાનંદ શું કહિયેરે, એ જન જોઇ

હરિ હરખે છે ।।૪।। પદ ।।૫।। (૧૩)

કેને દુઃખ દેવાનો દિલમાંરે, ભૂલ્યે ભુંડો ભાવ નથી । પરઉપકારે

પળપળમાંરે, ઉપજે ઇચ્છા અંતરથી ।।૧।। પંચ વિષયને પરહરીનેરે,

વરતે છે વણ વિકારે । તેહ જણાય જોવે કરીનેરે, જન એ બોલે છે

જ્યારે ।।૨।। વણ વિચારે પણ વાતુંરે, આવે એના અંતરથી । બોલે અહં

મમતાનું ઘસાતું રે, ઉતર્યું મન તનસુખપરથી ।।૩।। એવા ક્યાંથી મળે

જન એકેરે, નિર્મળ અંતર નિષ્કામી । કહે નિષ્કુલાનંદ વિવેકેરે, બીજા

બહુ હોય હરામી ।।૪।। પદ ।।૬।। (૧૪)

વિષયી જનનાં વાયકરે, ભર્યાં ભરપૂર ભુંડાઇયે । હોયે સહુને

દુઃખદાયકરે, એથી સુખિયાં શું થાયે ।।૧।। જોને આગ્નીધ્ર દીર્ઘતમારે,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સોસઠપદી

વિષયસારુ વિલખ્યા છે । એનાં વચન શોધી શાસ્ત્રમાંરે, સરવે લૈને

લખ્યાં છે ।।૨।। વળી વસિષ્ટ ને દુરવાસારે, લોભી ક્રોધી કા’વે છે ।

એના અંતરની આશારે, સર્વે શાસ્ત્ર જણાવે છે ।।૩।। માટે જે જનમાં

ગુણ જેવોરે, એવો આપે સેવકને । કહે નિષ્કુલાનંદ લેવોરે, જાણી એવા

વિવેકને ।।૪।। પદ- ૭ (૧૫)

કહ્યાં ષટ દશ પદ આ ખોળીરે, સહુ જનને સમઝાવાને । કહ્યું તન

મનમાં મેં તોળીરે, જેમ છે તેમ જણાવાને ।।૧।। કોય પીયુષ રસને

પાઇરે, ઉછેરે નર ઉરગને । તોય નિરવિખ તે ન થાયરે, વાધે વિખ

એના અંગને ।।૨।। જોને જેવો ગુણ જે બીજે રે, તેવો તેહ જણાવે છે ।

તેની કોટિ જતન જોેે કીજેરે, તોય તે શું બદલાવેછે? ।।૩।। એવા ઝેરીલા

જન જાણીરે, તરત તેને તજી દેવા । સુંણી નિષ્કુલાનંદની વાણીરે, શુદ્ધ

સંતની કરિયે સેવા ।।૪।। પદ-૮ (૧૬)

પદરાગ ગરબી- કઠણ વચન કહુંછું રે, કડવાં કાકચ્ય રૂપ ।

દરદીને ગોળી દેઉં છું રે, સુખ થાવા અનૂપ ।।૧।। ખરે મને જે જન

ખાવશેરે, આવું જે ઔષધ । ૧જીરણ રોગ તેનો જાવશેરે, સુણી થાશે

સદ્ય ।।૨।। પણ બિક રહે છે બોલતાંરે, સાચી દેતાં શિખ । ખરાં છિદ્ર

કેનાં ખોલતાંરે, વવાઇ જાશે વિખ ।।૩।। દેહમાનીને દિલમાંરે, સુણતાં

જાશે સુખ । પ્રજળશે તેહ પળમાંરે, દાઝયે થાશે દુઃખ ।।૪।। માટે કહું ન

કહું કોઇનેરે, એમ આવે વિચાર । નિષ્કુલાનંદ વિચારી જોઇનેરે, પછી

કરું ઉચ્ચાર ।।૫।। પદ- ૧ (૧૭)

સુણો સાધુ શુકજી સરખારે, નારદ જેવા નેક । નથી ઉપમા માનો

મુરખારે, ઉર કરો વિવેક ।।૧।। જડભરત જેવા જાણિયેરે, સનકાદિક

સમાન । કદરજ જેવા વખાણિયેરે, ખરા ક્ષમાવાન ।।૨।। એવી સાધુતાને

આશરીરે, જ્યારે લીધોે જોગ । ત્યારે પ્રીત સહુ શું પરહરીરે, ભૂલવા

ભવભોગ ।।૩।। એની રીત્યે રીત્ય આપણીરે, બીજી રીત્યે બાધ । પરહરો

પરી પાપણીરે, વળગી એ વરાધ ।।૪।। ફોગટ પડતાં બીજા ફંદમાંરે,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સોસઠપદી

આવે દુઃખ અત્યંત । નિષ્કુલાનંદ આનંદમાંરે, સદા રહોને સંત ।।૫।।

પદ - ૨ (૧૮)

શુકજીએ નથી સંધર્યું રે, ધાતુ વળી ધન । નાણું નારદે ભેળું ન કર્યું

રે, કહે છે કોયે દન ।।૧।। જડભરતે ન જોડાવિયું રે, ગાડું ગાડી વે’લ ।

કદરજનું વ્યાસે કાવિયું રે, ખરી ક્ષમનો ખેલ ।।૨।। સનકાદિકે સુખ

કારણેરે, ઘોડું ન રાખ્યું ઘેર । આતો બાંધ્યા બીજાને બારણેરે, કરવા

કાળો કે’ર ।।૩।। મેલી ઉભી અસલ રીતનેરે, નકલ કીધી નેક । તેતો

ચોટી ગઇ ચિત્તનેરે, છોડી ન છુટે છેક ।।૪।। કોઇ કહે એની કોરનુંરે, તે

શું બંધાયે વેર । કહે નિષ્કુલાનંદ નોરનુંરે, મું પર રાખજો મે’ર ।।૫।।

પદ ।।૩।। (૧૯)

જરૂર જાવું છે જાણજોરે, પ્રભુજીની પાસ । એવી દેશિયે માં

આણજોરે, વણકર્યે તપાસ ।।૧।। જાણો જગ મોટાઇ જુઠ છેરે, તેની

તજો તાણ । એને ઇચ્છે તે હૈયાફૂટ છેરે, ન ઇચ્છે સુજાણ ।।૨।। મેલો

લાભ આ લોક સુખનોરે, પ્રીત કરો પરલોક । એ તો મત છે મૂરખનોરે,

ખોટે હરખ શોક ।।૩।। રૂડા સંતની રીતડીરે, જાણો જુદી જન । જેને

પ્રભુ સાથે પ્રીતડીરે, તે વિચારો મન ।।૪।। માથે કલંક ને મરશું રે, એતો

છે અકાજ । તેતો નિષ્કુલાનંદ નરસું રે, જોઇ રીઝે નહિ રાજ ।।૫।। પદ

।।૪।। (૨૦)

શોધી આવ્યો તું સત્સંગમાંરે, ભજવાને ભગવાન । આવ્યો તૈયે

તારા અંગમાંરે, નો’તાં મોટપ્ય માન ।।૧।। સહુ સંતને શિશ નામતોરે,

થૈને દાસાનુદાસ । ગુણ ગોવિંદજીના ગાવતોરે, જગથી થૈ ઉદાસ ।।૨।।

એહ ગયું તારી ગાંઠ્યનુંરે, બીજું પેઠું પાપ । લઇ લીધું લક્ષણ લાંઠનુંરે,

અવળું કર્યું આપ ।।૩।। બની વાત ગઇ બગડીરે, કવથાણું છે કામ ।

દિલે સળગે છે શઘડીરે, સહુનો થાવા શ્યામ ।।૪।। નાને ગુણે મોટપ્ય ન

મળેરે, વિચારી જોને વાત । કહે નિષ્કુલાનંદ કાં બળેરે, ઠાલો દિને રાત

।।૫।। પદ ।।૫।। (૨૧)

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સોસઠપદી

મોટા થાવાનું મનમાં રે, દલમાં ઘણો ડોડ । તેવા ગુણ નથી તનમાંરે,

કાં કરે તું કોડ ।।૧।। તું તપાસી જોને તુજનેરે, ઉતરી અંતર માંય । પછી

ઇચ્છજ્યે થાવા પૂજ્યનેરે, તેનું નથી કાંય ।।૨।। કામ ક્રોધ વળી લોભ

છેરે, લિયે છે તારી લાજ । તેણે કરી અંતરે ક્ષોભ છેરે, જો વિચારી

આજ ।।૩।। ભુંડા ઘાટ ઉઠે છે ભિંતરેરેે, જે ન કહેવાયે બા’ર । એહ

વાતનો તારે અંતરેરે, નથી નર વિચાર ।।૪।। નથી ખોળતો ખોટ્ય

માંયનીરે, દેછે બીજાને દોષ । કહે નિષ્કુલાનંદ ન્યાયથીરે, અમથો શો

અપસોષ ।।૫।। પદ ।।૬।। (૨૨)

એક ભુંસાડીને એકડોરે, વાળ્યાં મીડાં વીશ । જોતાં સરવાળો ન

જડયોરે, ત્યારે કરે છે રીશ ।।૧।। ધન વિના કરે છે ધાંખનારે, કાંયેક

મળવા કાજ । પામીશ નહિ પડિકાં રાખનાંરે, ઠાલી ખોઇશ લાજ ।।૨।।

દીવો દિનકર આગળેરે, કરવા જાયે કોય । શોભા શું લખાય કાગળેરે,

ઉલટી હાંસી હોય ।।૩।। મોટા પંડિત આગે મૂરખોરે, કરે કોય ઉચ્ચાર

। સહુ જાણે પશુ સરખોરે, ભૂલ્યે ન પડે ભાર ।।૪।। માંડી મોરકળા

સોયામણીરે, પછી દેખાડે પૂઠ । નિષ્કુલાનંદ લાગે લજામણિરે, જરાયે

નથી જૂઠ ।।૫।। પદ ।।૭।। (૨૩)

વાત હેતની હૈયે ધારજોરે, સમઝીને સુજાણ । કામ પડે એ

વિચારજોરે, તો થાશે કલ્યાણ ।।૧।। પ્રભુજીનાં પદ પામવારે, આ છે

સુંદર સાર । વડાં વિઘન વામવારે, પામવા બેડો પાર ।।૨।। કહ્યું લગાડીને

કડવું રે, લીમથી ઘણું લાખ । એમ કહીને નોતું લડવું રે, સહુ પૂરશે

સાખ ।।૩।। કોય વિંધે આવી કાનનેરે, કરીને કળ છળ । પણ સમઝો

તેના તાનનેરે, પે’રાવશે કુંડળ ।।૪।। રૂડું આપણી જે રીતશુંરે, શોધી

કહ્યું સાર । કહે નિષ્કુલાનંદ હિતનુંરે, સારૂં સુખ દેનાર ।।૫।। પદ ।।૮।। (૨૪)

પદરાગ ધોળ - માનો મળી છે મોટી વાત, હાથ આવી તે માં

હારજ્યો રે । કરી જતન દિવસ રાત, સૂતાં બેઠાં સંભાળજ્યો રે ।।૧।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સોસઠપદી

સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખજ્યોરે । રખે ચડે બીજાનો

રંગ, એવું ડહાપણ દૂર નાખજ્યોરે ।।૨।। લઈબેઠા છો મોટો લાભ,

ભેટી પૂરણ બ્રહ્મનેરે । નહિં તો દુઃખનો ઉગત ડાભ, માની લેજ્યો એ

મર્મનેરે ।।૩।। આજ પામ્યા છો આનંદ, વામ્યા દારૂણ દુઃખનેરે । એમ

કહે નિષ્કુલાનંદ, રખે મૂકતા એવા સુખનેરે ।।૪।। પદ ।।૧।। (૨૫)

ઘણા મોંઘા જે ઘનશ્યામ, નાવે નજરે ન મળે કોઇનેરે । અક્ષરવાસી

આઠું જામ, જેને રહ્યા છે અખંડ જોઇનેરે ।।૧।। અતિ થઇને દીન આધીન,

નિત્ય નમાવે છે શિશનેરે । લગની લગાડી લે’લીન, જોઇ રહ્યા છે

જગદીશનેરે ।।૨।। એવા મુક્તને મળવા કાજ, મોટા ઇચ્છેછે મનમાંરે

। શિવ બ્રહ્મા ને સુરરાજ, તેતો તલસે છે તનમાંરે ।।૩।। એવા દેવતાનાં

દરશન, થાતાં નથી થોડી વાતમાંરે । નિષ્કુલાનંદ વિચારો મન, આવો

રહસ્ય બેસી એકાંતમાંરે ।।૪।। પદ ।।૨।। (૨૬)

કિયાં જીવ કિયાં જગદીશ, જાણો જુજવી એ જાત છેરે । મર

આપિયે સોસો શિશ, તોએ વણમળ્યાની વાતછેરે ।।૧।। કિયાં કીડી

કરી મેળાપ, ભેળા થાવા ભારે ભેદ છેરે । કિયાં પૂર્ણ પુરુષોત્તમ આપ,

કિયાં જીવ જેને બહુ કેદ છેરે ।।૨।। અતિ અણમળ્યાનું એહ, મળવું

માયિક અમાયિક-નેરે । તેતો દયા કરી ધરી દેહ, આવે ઉદ્ધારવા

અનેકનેરે ।।૩।। તૈયે થાય એનો મેળાપ, જ્યારે નરતન ધરે નાથજીરે ।

કહે નિષ્કુલાનંદ આપ, ત્યારે મળાય એને સાથજીરે ।।૪।। પદ ।।૩।।

(૨૭)

એવા મળ્યા છે મહારાજ, જે કોય સર્વેના શ્યામ છેરે । વળી રાજ

એ અધિરાજ, એને આધારે સહુ ધામ છેરે ।।૧।। ધામધામના જે રહેનાર,

હજાુર રહે છે જોડી હાથરે । કરી આરત્યશું ઉચ્ચાર, શિશ નમાવે છે

નાથનેરે ।।૨।। શિવ બ્રહ્મા ને સુરેશ, દેવ અદેવ રહે છે ડરતારે । જેની

આજ્ઞામાં અહોનિશ, શશિ સૂરજ રે’છે ફરતારે ।।૩।। કંપે કાળ માયા

મનમાંય, અતિ ઘણું અંતરમાંરે । કહે નિષ્કુલાનંદ કાંય, તું પણ ડરને

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સોસઠપદી

તેના ડરમાંરે ।।૪।। પદ ૪ (૨૮)

એની આગળ જો આપણ, કોણ ગણતીમાં આવિયેરે । શીદ

ડો’ળીને ડહાપણ, સમઝુ શાણા હસાવિયેરે ।।૧।। જેણે રચ્યું આ જગત,

જોને જાુજવી જાત્યનુંરે । જોતાં મુઝાઈ જાય મત, એવું કર્યું ભાતભાત્યનુંરે

।।૨।। એણે કર્યું એવું એક, થાય નહિ જરૂર જાણિયેરે । વણકર્યે એ

વિવેક, શીદ અભિમાન આણિયેરે ।।૩।। મેલી ડા’પણ ભોળાપણ, રહિયે

દાસના દાસ થઇનેરે । કહે નિષ્કુલાનંદ આપણ, તો બેસિયે લાભ લઇનેરે

।।૪।। પદ ।।૫।। (૨૯)

જે જે હરિયે કરિયું હેત, એવું કરે કોણ આપણેરે । માત તાત

સગાં સમેત, માન્યાં સનેહી ભોળાપણેરે ।।૧।। જોને ગર્ભ વાસની ત્રાસ,

ટળે કેમ ટાળી કોયનીરે । તે પણ ટાળીને અવિનાશ, રાખે ખબર અન્ન

તોયનીરે ।।૨।। વળી સમેસમે સંભાળ, જાણો કરે હરિજનનેરે । બીજાું

એવું કોણ દયાળ, કાંરે મનાય નહિ મનનેરે ।।૩।। એમ સમઝ્‌યા વિના

જન, આવે ઉનમત્તાઇ અંગમાંરે । કહે નિષ્કુલાનંદ વચન, પછી મન

માને કુસંગમાંરે ।।૪।। પદ ।।૬।। (૩૦)

જેણે ગણ્યો પોતામાં ગુણ, જાણ્યું હું પણ છૌ કોય કામનોરે ।

ત્યારે કો’ને વધ્યો કુણ, લેતાં આશરો સુંદર શ્યામનોરે ।।૧।। જ્યારે

કરી દીનતા ત્યાગ, અંગે લીધો અહંકારનેરે । ત્યારે મળ્યો માયાને લાગ,

ખરો કરવા ખુવારનેરે ।।૨।। પછી પ્રભુ પામવા કાજ, જે જે કર્યું હતું આ

જગમાંરે । તેતો સર્વે ખોયો સાજ, પડયો ઠાઉકો જઇ ઠગમાંરે ।।૩।।

એવા મૂરખની મીરાંત, એને અર્થે નથી આવતીરે । કહે નિષ્કુલાનંદ

વાત, હરિભક્તને મન ભાવતીરે ।।૪।। પદ ।।૭।। (૩૧)

આવી અરથની જે વાત, કોય નર ઉતારે અંગમાંરે । ત્યારે સુખી

થાય સાક્ષાત, પછી સમઝી રહે સત્સંગમાંરે ।।૧।। થઇ ગરીબ ને

ગર્જવાન, શિષ્ય થઇ રહે સર્વનોરે । મેલી મમતા ને માન, ત્યાગ કરે

તન ગર્વનોરે ।।૨।। ખોળી ખોટ્ય ન રાખે કાંઇ, ભલી ભક્તિ ભજાવવારે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સોસઠપદી

। એક રહે અંતરમાંઇ, તાન પ્રભુને રિઝાવવારે ।।૩।। એવા ઉપર

શ્રીઘનશ્યામ, સદા સર્વદા રાજી રહેછેરે । સરે નિષ્કુલાનંદ કામ, એમ

સર્વે સંત કહેછેરે ।।૪।। પદ ।।૮।। (૩૨)

પદરાગ ધોળ- સખી સાંભળ્યને કહું વાત એ ઢાળ -

કહે તો વળી કહું એક વાત, સુણજ્યો સહુ મળી । છેજો સાંભળ્યા

જેવી સાક્ષાત, વાલપે કહું વળી ।।૧।। જેમ નરદેવ દઇને દંડ, વેરીને

વશ્ય કરે । લિયે ખાટી તે સર્વે ખંડ, દુષ્ટ તે સરવે ડરે ।।૨।। તેમ પ્રગટી

પૂરણ બ્રહ્મ, સંતના શત્રુ હણ્યા । કામ ક્રોધ લોભ જે વિષમ, તે તૃણ

તુલ્ય ગણ્યા ।।૩।। સ્વાદ સનેહ મમતા માન, પાપી ૩ારોઠા કીધા । કહે

નિષ્કુલાનંદ નિદાન, નિજજન તારી લીધા ।।૪।। પદ ।।૧।। (૩૩)

જેમ જીત્યા એ શત્રુ સમૂહ, કામ ક્રોધ લોભ લઇ । સ્વાદ સ્નેહ

મમતા મોહ, તેતો દેખાડું કઇ ।।૧।। કામ કારણે કઢાવી લાજ, ક્રોધે

બોલી બંધ કરી । લોભ ઉપર મહા મુનિરાજ, આવીયા ઝાડે ફરી ।।૨।।

સ્વાદે સહુ એકઠું કરી અન્ન, જળ નાખી જન જમે । સ્નેહ સંભારે નહિ

સ્વજન, માનથી દૂર રમે ।।૩।। કાઢી રીસ કરી હડકાર, બીજાં દુષ્ટ બહુ

ડર્યાં । કહે નિષ્કુલાનંદ નિરધાર, વેરી એમ વશ્ય કર્યાં ।।૪।। પદ ।।૨।। (૩૪)

સારો શક્કો બેસાર્યો સુંદર, પ્રભુજી પ્રગટ થઇ । નિષ્કલંક કર્યાં

નારી નર, ઉત્તમ ઉપદેશ દઇ ।।૧।। કોઇ કાળે સુણી નહિ કાન, એવી

રીતિ આપે આણી । લોકમાંહી અલૌકી નિદાન, આશ્ચર્ય પામ્યાં પ્રાણી

।।૨।। બહુ સામર્થી વાવરી શ્યામ, કામ તે કૈક કરી । પછી પધારિયા

નિજધામ, શ્રીઘનશ્યામ હરિ ।।૩।। વાંસે રહ્યા વેરી વિપરીત, ખરે ખરા

ખિજે ભર્યા । કહે નિષ્કુલાનંદ તેની રીત, દેખી સાચું દાઝી મર્યા ।।૪।।

પદ ।।૩।। (૩૫)

વડું વેર વાળવાને કાજ, સાબદા એ સહુ થયા । મોટા મોટાની

લેવાને લાજ, તાકેછે તેહ રહ્યા ।।૧।। ઝીણા ઝાલવામાં નહિ જશ, માટે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સોસઠપદી

મોટાને જોશે । કરશે દગો દેખજ્યો અવશ્ય, વેર વાળી વગોવશે ।।૨।।

માટે સહુ રે’જો સાવધાન, ખબડદાર થઇને ખરા । જેનું આગે કર્યું

અપમાન, તે જાળવે નહિ જરા ।।૩।। એમ છે એ અનાદિની રીત, નવી

એ નથી થઇ । કહે નિષ્કુલાનંદ ધારો ચિત્ત, સનાતન સાચી કહી ।।૪।।

પદ ।।૪।। (૩૬)

કૃષ્ણ પધાર્યા કેડયની વાત, શ્રીભાગવતે ભાખી । કર્યો અસુરે

ઉતપાત, હરિનારી ઘેર રાખી ।।૧।। અર્જુનનું ન ઉપજ્યું કાંય, ગાંડીવ

ઘર્ણુંયે હતું । તોય ન થઇ તેહની સા’ય, બુઢાપણ આવ્યું નો’તું ।।૨।।

માટે પ્રભુ ગયા પછી એમ, થાય તેના સંશય શિયા । સમા સમુ રહે

કહો કેમ, જેના રખવાળ ગયા ।।૩।। માટે સમઝી સરવે સુજાણ, વચનમાં

વળગી રહેજો । કહે નિષ્કુલાનંદ નિરવાણ, કઠણ પળ આવી છે જો

।।૪।। પદ ।।૫।। (૩૭)

નારી નજરે ન જુવો કોય, વિત્તની તો વાત ભુંડી । સ્વાદ સ્નેહ

દુઃખદાયિ દોય, ઇચ્છા એની ટાળો ઉંડી ।।૧।। માન મોટો છે અરિ

અજીત, સમઝીને સંગ તજો । ન કરો એ પંચની પ્રતીત, હેતેશું હરિને

ભજો ।।૨।। આવો અવસર જાય અમૂલ્ય, પાછો તે પમાતો નથી । તેનો

તપાસી કરવો તોલ, ઉંડો અતિ અંતરથી ।।૩।। માંડી મૂઠી જુગટાની

જેમ, જીત્યા તો જીત થઇ । કહે નિષ્કુલાનંદ તો એમ, હાર્યો તો હાર્ય

સઇ ।।૪।। પદ ।।૬।। (૩૮)

અન્ન ધન ગયે મળે અન્ન ધન, વસ્ત્ર ગયે વસ્ત્ર મળે । ગયે ભવન

મળે ભવન, દિન ગયે દિન મળે ।।૧।। રાજ ગયે આવી મળે રાજ, સાજ

સમાજ સહી । પણ ગઇ મળે નહિ લાજ, કહેવાની હતી તે કહી ।।૨।।

લાજ ખોઇને કરવું કાજ, એતો અકાજ ખરું । મર મળે ત્રિલોકનું રાજ,

ઘોળ્યું પરહરો પરૂં ।।૩।। બેઠી બદનાંમી જેને શિશ, ટળે નહિ કોય પળે

। કહે નિષ્કુલાનંદ વસા વીશ, લખાય છે તે કાગળે ।।૪।। પદ ।।૭।।

(૩૯)

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સોસઠપદી

જોને ભવ બ્રહ્માની ભૂલ્ય, જન સહુ જાણે છે । એકલશૃંગી

સૌભરીનાં શૂલ, પોથીમાં પ્રમાણે છે ।।૧।। નારદ પર્વતની નિદાન, કીર્તિ

કથામાં કહી । માટે સહુ રહેજ્યો સાવધાન, ખબડદાર ખરા થઇ ।।૨।।

જેની પાસે હોય જોખમ, જાળવો તે જતન કરી । માથે મોટા છે વેરી

વિષમ, ખોટી નહિ વાત ખરી ।।૩।। રહેવું નહિ ગાફલ ગમાર, માલ

અતોલ મળે । કહે નિષ્કુલાનંદ વિચાર, કરવો પળે પળે ।।૪।। પદ ।।૮।। (૪૦)

પદરાગ ધોળ- જેનું કામે કાપી લીધું નાક, લોભે લઇ લાજ લીધીરે

। જેની જીભે રોળી કર્યો રાંક । માને તો ફજેતી કીધીરે ।।૧।। એવા

જનનું જાણો જરૂર, નથી સુખ જોયા જેવુંરે । દોષે ભર્યું જાણી તજો દૂર,

અઘે અવરાણું એવુંરે ।।૨।। તેને પાસે વસતા વાસ, લાંછન તો લાગેજ

લાગેરે । તજો તેને આણી તનત્રાસ, જેથી કુબુદ્ધિ જાગેરે ।।૩।। એવા

પાપીનું સ્પર્શતાં અંગ, પુણ્ય જાય પોતાતણુંરે । કહે નિષ્કુલાનંદ એ

કુસંગ, તે સંગે જ્યાન ઘણુંરે ।।૪।। પદ ।।૧।। (૪૧)

એવા જન જીવતા જરૂર, મૂવાછે માની લેજોરે । દેખી દૂર્ગંધને

રહેજો દૂર, આભડછેટ એતો છેજોરે ।।૧।। કાઢ્યા વિના નહિ સૂઝે કામ,

સૂતક એ શીદ રાખોરે । બાળી જાળી ટાળો એનું ઠામ, વાંનિ વહેતે જળે

નાખોરે ।।૨।। ઘણું રાખતાં એ ઘરમાંય, સુણી કે સડિ જાશેરે । કાઢો

વેલ્ય મ કરજો કાંયે, ઘણું રાખ્યે ગંધ્ય થાશેરે ।।૩।। કેડે કરવી નહિ તેની

કાંણ, ખરખરો ખોટો ખોળીરે । કહે નિષ્કુલાનંદ સુજાણ, કહ્યું મેં તપાસી

તોળીરે ।।૪।। પદ ।।૨।। (૪૨)

કહેશો હરે ફરે નર આપ, મૂવા તેને કેમ કહિયેરે । તેતો પુંછ

હલાવે છે સાપ, ઘડીવાર જીવ ગયેરે ।।૧।। પણ પિંડમાંયે નથી પ્રાણ,

જરૂર જાણી લેજોરે । જોઇ એનાં અંગના એધાંણ, પછી ડરી દૂર રહેજોરે

।।૨।। કાપ્યું તરુ કાઢેછે કુંપળ, સરે પણ સૂકી જાશેરે । તેમ નર કરે કોટિ

કળ, અંતે તે ઉઘાડું થાશેરે ।।૩।। કહો કપટ કેટલા દિન, નર એહ રાખી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સોસઠપદી

રહેશેરે । કહે નિષ્કુલાનંદ સહુ જન, જેમ હશે તેમ કહેશેરે ।।૪।। પદ

।।૩।। (૪૩)

જેમ મહા જળમાં મઘર, સાગર સહુને રાખેરે । નાનાં મોટાં કરી

રહે ઘર, કોયને ન કાઢી નાખેરે ।।૧।। પણ જ્યાં લગી જીવ હોય, ત્યાં

લગી તેમાં રહેરે । વણ જીવે રહે નહિ કોય, લે’ર દૂર નાખી દહેરે ।।૨।।

હરિજનનું જીવન છે ધર્મ, પોતે પોતાનો પાળેરે । તજે નહિ ભજે પરબ્રહ્મ,

તો રહે તેમાં સદાકાળેરે ।।૩।। વણ જીવે હોય નહિ વાસ, સત્સંગ

સિંધુમાંઇરે । કરવો નિષ્કુલાનંદ તપાસ, કહ્યું નથી કૂડું કાંઇરે ।।૪।। પદ

।।૪।। (૪૪)

જે કોઇ ડચકાં દિવસ રાત, ખાતો નર હોય ખરાંરે । તેને જીવવાની

જૂઠી વાત, પાંપળાં મેલો પરાંરે ।।૧।। જેની નાડી છાંડી ગઇ ઘર, જીહ્વા

તો ટુંકી પડીરે । દૃગ દોય દઇ ગયાં દર, શ્વાસ આવ્યો સુધો ચડીરે ।।૨।।

તેહ સમામાંહિ સગપણ, કરે કોય કન્યાતણુંરે । તેને રોકડું છે રંડાપણ,

એવાતણ ઉધારે ઘણુંરે ।।૩।। તેમ સત્સંગમાં કોય જન, ગડબડ ગોટા

વાળેરે । કહે નિષ્કુલાનંદ કોય દન, રખે તે જીવિત બાળેરે ।।૪।। પદ

।।૫।। (૪૫)

ડોરી દેખી મ ડગાવો દિલ, સમઝીને સંગ કરોરે । સારા સંત

ઓળખી અવલ, મન કર્મ વચને વરોરે ।।૧।। દેખી ઉપરનો આટાટોપ,

મને રખે મોટા માનોરે । એતો ફોગટ ફૂલ્યો છે ફોપ, સમઝો એ સંત

શાનોરે ।।૨।। જેને જાણજો જગ મોટાઇ, જડાણી જીવ સંગેરે । તેને

મોટા માનો જગમાંઇ, ખોટા છે મોક્ષ મગેરે ।।૩।। જોને શુકજી ને

જડભરત, કો’ કેણે મોટા જાણ્યારે । હતા નિષ્કુલાનંદ એ સમર્થ, પછી

સહુએ પરમાણ્યારે ।।૪।। પદ ।।૬।। (૪૬)

એહ વિના મોટાઇ જે અન્ય, ખરી તે પણ ખોટી નથીરે । તેતો

સુણી લિયો સહુ જન, તે પણ કહું કથીરે ।।૧।। જેમ પંખીમાં મોટેરો

ઘૂડ, ઝાડમાં તાડ લૈયેરે । જેમ જળમાં મોટેરો ઝુડ, પશુમાં પાડો કૈયેરે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સોસઠપદી

।।૨।। સર્પમાં મોટેરો તક્ષક, વીછીમાં ઠાકરિયો વળીરે । એતો મોટપ્ય

દુઃખ દાયક, સમઝો સહુ મળીરે ।।૩।। એમ જાણ્યા વિના જગમાંય,

ઉપાય નથી ઉગર્યાનોરે । કહે નિષ્કુલાનંદ તે ન્યાય, માનો કે નવ માનોરે

।।૪।। પદ ।।૭।। (૪૭)

ખોટી વાત સાંભળી આવી ખોટ, દોષ જે બીજાને દેશેરે । પોતે

પેટે કપટ રાખી કોટ, બા’રતો સાધુતા ગ્રહેશેરે ।।૧।। છળે કળે છપાડી

છિદર, વાંકમાં નહિ આવે આપેરે । એમ કરતાં જાણશે કોય નર, તેને

ડરાવશે શાપેરે ।।૨।। આણી આખ્યાન તેની ઉપર, બોલવા નહિ દિયેરે

। જેને નથી મહારાજનો ડર, તે કહો કેથી બી’યેરે ।।૩।। એ પાપી જે

પાપના પૂંજ, દેખીને દૂર રૈયેરે । કહે નિષ્કુલાનંદ તે શુંજ, કહી કહી

કેટલું કૈયેરે ।।૪।। પદ ।।૮।। (૪૮)

પદરાગ ધોળ - સુંદર સારી શિખામણ મારી, માનીલે મનવા

મારારે । ધારી વિચારી મેં વાત ઉચ્ચારી, તે જોઇ સ્વભાવ તારારે ।।૧।।

પરને કહેવા પ્રવીણ છું પૂરો, પોતાનું તો તું ન પેખેરે । સામાને શીખ

દેવામાં છું શૂરો, નિજ દોષને નવ દેખેરે ।।૨।। કોય ન સમઝે કારજ

તારૂં, કહું છું કાંયે નહિ થાયરે । શીદને ઉતારૂં છું પરબારૂં, કાંરે ન

મનાય કાંયરે ।।૩।। અવળી સમઝણ અળગી એ કરી, સવળું સમઝય

તો સારૂંરે । નિષ્કુલાનંદ કહે વિચારી, એટલું માની લ્યે મારૂંરે ।।૪।।

પદ ।।૧।। (૪૯)

મન તુંને સમઝાવવા સારૂં, કહ્યું મેં વારમવારરે । તેં તો ગમતું ન

તજીયું તારૂં, ગઇ શિખામણ ગમારરે ।।૧।। જે જે વાત કરી તુજ સાથે,

તેતો તેં રતિ ન રાખીરે । ખોટ્ય આવવા ન દીધી માથે, લઇ બીજાપર

નાખીરે ।।૨।। કહો ખોટ્ય ટળે કેમ તારી, નિજ દોષને ન દેખેરે । એથી

ભૂલ્ય બીજી કઇ ભારી, સહુથી સરસ આપ લેખેરે ।।૩।। કહેનારાને

કહેવા ન રહ્યું, તેં ન ધર્યું જ્યારે કાન રે । નિષ્કુલાનંદ કહે તું ને શિયું,

તારે તો બીજું છે તાનરે ।।૪।। પદ ।।૨।। (૫૦)

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સોસઠપદી

સમુ સમઝે શોધતાં એવા, જોતાં ઝાઝા નવ જડેરે । જેને ન આવડે

અવળું લેવા, વણતોળી વિપત્ય જો પડેરે ।।૧।। માન મોટયપ ને મમતા

મૂકે, ગમતું ગોવિંદનું જાણીરે । ચોટ નિશાન ઉપરથી ન ચુકે, પરલોક

પ્રતીતિ આણીરે ।।૨।। કોય કાળે જો કામ પોતાનું, વણસાડે નહિ વળીરે

। કપટે કેદિયે ન રાખે છાનું, મોટા સંતને મળીરે ।।૩।। એવા જન

જગતમાં જાણો, ઘરઘર ઘણા ન હોયરે । નિષ્કુલાનંદ કહે પરમાણો,

સાચા સંત કા’વે સોયરે ।।૪।। પદ ।।૩।। (૫૧)

આ લોકની જેણે આશા તજીછે, પરલોકના સુખ સારૂંરે । તેણે

કરી હરિભક્તિ રજી છે, સંસાર સુખ થયું ખારૂં રે ।।૧।। ચૌદ લોક ને

ચતુરધા લગી, જગમાં જે જે કહેવાયરે । સર્વે ઠોકાણે અગનિ સળગી,

દેખે તપતાં ત્યાંયરે ।।૨।। ઠરવા ઠાઉકું ઠામ ન સુજે, કહો સુખ ક્યાં

મનાયરે । કાળ માયાથી સહુ રહ્યા ધ્રુજે, હરિના ચરણ વિનાયરે ।।૩।।

એમ અહોનિશ અંતરમાંઇ, વરતેછે વૈરાગરે । નિષ્કુલાનંદ કહે તેને

કાંઇ, કઠણ ન હોય કરવું ત્યાગરે ।।૪।। પદ ।।૪।। (૫૨)

એવા જનની ઉપર હરિ, રાજી છે રાધિકા પતિરે । જેણે ભક્તિ

ભાવેશું કરી, ફરે નહિ કેદિ મતિરે ।।૧।। શરીરનાં સુખ સર્વે ત્યાગી,

વાધી પ્રભુ સાથે પ્રીતિરે । જેની લગની લાલશું લાગી, તેતો રહ્યા જગ

જીતિરે ।।૨।। કપટ રહિત કૃષ્ણની સેવા, જાણજ્યો જે જને કરીરે ।

પ્રભુના પદને પામિયા એવા, આ ભવજળ ગયા તરીરે ।।૩।। તેમાં સંશય

લેશ મ લાવો, પૂરણ પ્રતીતિ આણોરે । નિષ્કુલાનંદ કહે નિરદાવો,

જેના જીવમાં જાણોરે ।।૪।। પદ ।।૫।। (૫૩)

એવાને સંગેથી અક્ષરધામે, જવાયછે જો જરૂરરે । બીજાને સંગે

તો સુખ ન પામે, દુઃખ રહે ભરપુરરે ।।૧।। જેને જાવું હોય જમને હાથે,

દક્ષિણ દેશની માંયરે । તેતો સુખે રહો કપટી સાથે, તેનું કહેતા નથી

કાંયરે ।।૨।। પણ જાવું જેને પ્રભુજી પાસે, તેને કરવો તપાસરે । અંતર

બીજો તજવો આશે, થઇ રહેવું હરિના દાસરે ।।૩।। આવી વાત અંતરે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સોસઠપદી

ઉતારી, કરી લેવું નિજ કામરે । નિષ્કુલાનંદ કહે વિચારી, તો પામિયે

હરિધામરે ।।૪।। પદ ।।૬।। (૫૪)

જેહ ધામને પામીને પ્રાણી, પાછું પડવાનું નથીરે । સર્વે પર છે

સુખની ખાણી, કેવું કહિયે તેને કથીરે ।।૧।। અનંત મુક્ત જ્યાં આનંદે

ભરિયા, રહેછે પ્રભુજીની પાસરે । સુખ સુખ જ્યાં સુખના દરિયા, ત્યાં

વસી રહ્યા વાસરે ।।૨।। તેજ તેજ જ્યાં તેજ અંબાર, તેજોમય તન તેનાંરે

। તેજોમય જ્યાં સર્વે આકાર, શું કહિયે સુખ એનાંરે ।।૩।। તે તેજ મધ્યે

સિંહાસન શોભે, તિયાં બેઠા બહુનામીરે । નિષ્કુલાનંદ કહે મન લોભે,

પૂરણ પુરૂષોત્તમ પામીરે ।।૪।। પદ ।।૭।। (૫૫)

એવા ધામની આગળ બીજાં, શી ગણતીમાં ગણાયરે । મા’પ્રલય

કાળના અગ્નિમાં, સીજાં હંમેશ જે હણાયરે ।।૧।। પ્રકૃતિ પુરૂષ પ્રલયમાં

આવે, ભવ બ્રહ્મા ન રહે કોયરે । ચૌદલોક ધામ રહેવા ન પાવે, સર્વે

સંહાર હોયરે ।।૨।। જેમ કઢાયામાં કણ ઉછળેછે, ઉંચા નીચા અગ્નિ

જ્વાળેરે । તેમ જો તનધારી બળેછે, સ્વર્ગ મૃત્યુ ને પાતાળેરે ।।૩।। માટે

સુખ નથી કિયાં માને, પ્રભુજીનાં પદ પખીરે । નિષ્કુલાનંદ કહે ભૂલેછે

શાને, લે વાત આવી તું લખીરે ।।૪।। પદ ।।૮।। (૫૬)

પદરાગ ધોળ - એવા ધામને પામવા કાજ, અવસર અમૂલ્ય

આવ્યો । આવ્યો સુખનો મળી સમાજ, ભલો અતિ મન ભાવ્યો ।।૧।।

ભાવ્યો એ રસ જેહને ઉર, તેણે પીવા પ્યાસ કરી । કરી દેહ બુદ્ધિ વળી

દૂર, એક ઉર રાખ્યા હરિ ।।૨।। હરિ વિના રાખ્યું નહિ કાંય, અસત્ય

જાણી આપે । આપે વિચાર્યું અંતરમાંય, તેહ તપે નહિ તાપે ।।૩।। તાપે

તપતાં જાણી ત્રિલોક, ઇચ્છા ઉરથી તજી । તજી નિષ્કુલાનંદ સંશય

શોક, ભાવે લીધા પ્રભુને ભજી ।।૪।। પદ ।।૧।। (૫૭)

ભજી ભલી ગઇછે જો વાત, પુરૂષોત્તમને પામી । પામી પ્રગટ

પ્રભુ સાક્ષાત, કહો કાંઇ રહી ખામી ? ।।૧।। ખામી ભાગી ખરી થઇ

ખાટ, ખોયા દીન ખોટ્ય ટળી । ટળી ગયા સર્વે ઉચ્ચાટ, શ્રી ઘનશ્યામ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સોસઠપદી

મળી ।।૨।। મળી મોજ અલૌકિક આજ, આવ્યું સુખ અતિ અંગે । અંગે

કરવું ન રહ્યું કાજ, મળી મહારાજ સંગે ।।૩।। સંગે રહીશ હું તો સદાય,

સુખકારી શ્યામ જાણી । જાણી નિષ્કુલાનંદ મનમાંય, રહું ઉર આનંદ

આણી ।।૪।। પદ ।।૨।। (૫૮)

આણી આંખ્યે મેં જોયા જીવન, સહજાનંદ સ્વામી । સ્વામી દોયલા

દિવસનું ધન, પામી દુઃખ ગયા વામી ।।૧।। વામી વેદના મારી આ

વાર, શરણ શ્રીજીનું લઇ । લઇ મુજ અર્થે અવતાર, આવિયા આપે

સઇ ।।૨।। સઇ કહું આ સમાની રીત, આજ આડો આંક વાળ્યો । વાળ્યો

દિવસ થઇ મારી જીત, સંશય શોક ટાળ્યો ।।૩।। ટાળ્યો કાળની ઝાળનો

ત્રાસ, પૂરણ સુખ પામ્યો । પામ્યો નિષ્કુલાનંદ ઉલ્લાસ, ફુલી ત્રિલોકે

ન શામ્યો ।।૪।। પદ ।।૩।। (૫૯)

શામ્યો અસત્ય સુખનો ઉત્સાહ, સુરતિ સાચામાં લાગી । લાગી

પ્રભુપદ જો ચાહ, બીજી ભૂખ સર્વે ભાગી ।।૧।। ભાગી આ લોકસુખની

આશ, નિરાશે નિરાંત થઇ । થઇ પરી એ સર્વે કાશ, અન્ય અભિલાષા

ગઇ ।।૨।। ગઇ સુરતિ સહુની પાર, અક્ષરધામે ધાઇ । ધાઇ ઇચ્છતા

સુખ સંસાર, તેમાં ન દીઠું કાંઇ ।।૩।। કાંઇ ન માને બીજે તેનું મન,

મહાસુખ મોટું જોઇ । જોઇ નિષ્કુલાનંદ મગન, મનમાં રહ્યો મોઇ ।।૪।।

પદ ।।૪।। (૬૦)

મોહી રહ્યા જેને મુનિરાજ, તાજ તન સુખ કરી । કરી લીધું છે

પોતાનું કાજ, ફેરો નથી રાખ્યો ફરી ।।૧।। ફરી ફસવું જે ફંદમાંય, એવું

ન રાખ્યું એણે । એણે કરવું રાખ્યું નહિ કાંઇ, તલ એકભાર તેણે ।।૨।।

તેણે નજર પો’ચાડી છે નેક, સાબાશ સમઝણ એની । એની મતિ પો’ચી

ગઇ છેક, હું બલહારી તેની ।।૩।। તેની જોડ્યે આવે કહો કોણ, વાત

વિચારી જોઇ । જોઇ નિષ્કુલાનંદ એવું જોણ, કહે ધન્ય સંત સોઇ ।।૪।।

પદ ।।૫।। (૬૧)

સોઇ સુખ મળવાને કાજ, મોટા મનમાંય ઇચ્છે । ઇચ્છે ભવ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

સોસઠપદી

બ્રહ્મા સુરરાજ, મળવા મનમાં રહે છે ।।૧।। રહે છે આશા એવી

મનમાંય, મને મહાસુખ લેવા । લેવા આનંદ ઇચ્છા સદાય, દલમાંઇ

ઇચ્છે દેવા ।।૨।। દેવા ઉપમા એહને એક, જોતાં બીજી જડતી નથી ।

નથી છાની એ વારતા છેક, કહેવાય છે કથી કથી ।।૩।। કથી કહ્યું એ

ધામનું સુખ, વરણવી વળી વળી । વળી નિષ્કુલાનંદ કે’ શ્રીમુખ, દુઃખ

જાય એને મળી ।।૪।। પદ ।।૬।। (૬૨)

મળી મહારાજને મુનિરાય, સહુ સુખ પામે સોય । સહુએ કહ્યું

દૃષ્ટાંતની માંય, જાણો કાચભૂમિ હોય ।।૧।। હોય કાચના સર્વે આકાર,

રવિ શશિ તારા વળી । વળી તેજ તેજ ત્યાં અંબાર, રહે બહુ ઝળમળી

।।૨।। મળી પૂરણ દિશે પ્રકાશ, એકરસ તેજ એવું । એવો ધામમાં છે

ઉજાસ, એ વિના કહિયે કેવું ।।૩।। કે’વું કેડે નથી હવે કાંય, સમઝો તો

સમઝો સાને । સાને નિષ્કુલાનંદ ગાય, જેને આવ્યું એવું પાને ।।૪।। પદ

।।૭।। (૬૩)

પાને લખ્યાં એ પદ ચોસઠ્ય, સુંદર સારાં શોધી । શોધી જોજ્યો

સહુ સારી પઠ્ય, જેવી હોય જેની બુદ્ધિ ।।૧।। બુદ્ધિમાંહી તે કરી વિચાર,

સવળું સાર ગ્રહેજો । ગ્રહેજો કરવાનું તે નિરધાર, ન કરવાનું મૂકી દેજો

।।૨।। દેજો માં વળી કોયને દોષ, રોષ અંતરમાં આણી । આણી હૈયામાંઇ

ઘણી હોંસ, મંડો સહુ સુખ જાણી ।।૩।। જાણી જોઇને આળસ અંગ,

રતિએ રખે રહે । રહે નિષ્કુલાનંદ તો રંગ, અલભ્ય લાભ લહે ।।૪।।

પદ ।।૮।। (૬૪)

।। ઇતિ શ્રી નિષ્કુલાનંદમુનિ વિરચિતા ચોસઠપદી સંપૂર્ણા ।।

ચોસઠપદી સંપૂર્ણા

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

મનગંજન

ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન

-ઃ મનગંજન :-

૧૧

તેંહં- સહુ પેલાં સમરિયે, આદ્ય પુરુષ અવિનાશ । સોયે વપુ ધરી

વિચરે, જેનો જકતપ્રકાશ ।।૧।। જન ઉદ્ધારણ જનમ જગ, કરણ કોટી

કલ્યાણ । સોયે સહજાનંદ મૂરતિ, પ્રગટ પ્રભુ પ્રમાણ ।।ર।। સ્વામી

સહજાનંદને, સદા રહિયે શરણ । લાભ અલભ્ય સો લીજીયે, જાયે

જનમ ને મરણ ।।૩।। સ્વામી સહજાનંદનું, નામ જપે નર કોય । વિઘન

ભવ વ્યાપે નહિ, સદાય સુખિયો હોય ।।૪।। સ્વામી સહજાનંદને, જે

શરણે સોંપે શીશ । જુવે ન અવગુણ જીવના, કરે ગુહ્ના બક્ષીસ ।।પ।।

સુંણી બિરુદ એવું સદા, આવ્યો હું શરણ અનાથ । ગ્રહો બાંહ્ય

ગુરુદેવજી, નાથ સુણો મમ ગાથ ।।૬।। દેહ નગર દિવાન દોય, નિજ

પરતક મન નામ । બને ન બંધવ બેઉને, ઠઠેરાડયનું ઠામ ।।૭।। કેાઈ

કોયના કે’ણને, માને નહી મહાવીર । બળભર બાંધે બાકરી, સળગ્યું

વેર શરીર ।।૮।। પરતક મન કે’ પરહરી, નિકળ્ય નિજમન બા’ર ।

વડાશું વાદ ન કીજીયે, આપણો જીવ ઉગાર ।।૯।। નિજમન કહે તું

નરેશ નહિ, કાલી ન કીજીયે વાત । ખરી પડે તે ખમશે, જેને માથે જાત

।।૧૦।। જાત કારણ નવ જાણીયે, માટી પણ પડયું મેદાન । એહ અંજસ

નવ આણિયે, નિજ મન નર નિદાન ।।૧૧।। નિજમન કે’ મન મેલિયે,

હાલવું પોલે હાથ । શિશસાટાની સાયબી, વેર વડાંને સાથ ।।૧૨।।

મન તેં દેહ દોરગમાં, કર્યાં અનેરાં કાજ । પ્રભુતણા પરતાપશું, રહે ન

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

મનગંજન

તોરું રાજ ।।૧૩।। કાઢું કાયા કોટથી, મનવા મુળ ઉખેડય । તસ્કર

રાયના તખતમાં, પ્રજા પામે બહુ પિડય ।।૧૪।। મોંઘો દેહ મનુષ્યનો,

મળે ન મૂલ્યને માટ । હરિભજન વિના હારિયો, દૂરમતિ વાળી ડાટ

।।૧પ।। સ્વાર્થ તારો સારીયો, હારીયો હીરો હાથ । નિકળ્ય હવે તું

નગ્રથી, સંગ લઈ તારો સાથ ।।૧૬।। કહે મન કેમ કાઢી શકે, પંચ

જોદ્ધા મુજપાસ । ટકે નહિ પગ તાહેરો, ઘાલીશ મુખમાં ઘાસ ।।૧૭।।

શબ્દ સ્પર્શ રુપ રસ, ગંધ ગણી જે પંચ । તેહ આગળ કોયે ટકવા,

રે’વા ન પાવે રંચ ।।૧૮।। જનનીએ કોય જાયો નહિ, પંચ વિષયની

પાર । શીદ વાયક વખાણિયે, હમણાં પામીશ હાર ।।૧૯।। જીત્યો ન

દીઠો જગતમાં, આગળ્ય મુજ અમીર । ખરી પડે સહુ ખળ ભળે, ધરે

નહિ કોય ધીર ।।૨૦।। નિજ મન કહે નથી મળ્યો, ખરો જો ખેધકું કોય

। ભાળ્યા સહુ તે ભાગતા, પણ જીત્ય આજ તો જોય ।।૨૧।। બાળક

નહિ જે બી’મરે, જપ્ય નામનો જાપ । ડેડક બહુ તે ડાંભિયાં, પણ

મળ્યો ન મણીધર સાપ ।।૨૨।। પડશે પરતક પારખું, મુજ તુજનું મેદાન

। રણમાં પગ રોપી રહે, નર શો શૂર નિદાન ।।૨૩।। હોય સચેત હવે

સાબધો, સજી સરવ સમાજ । લડી ભૂમી સો લીજીયે, રિઝે ન મળે

રાજ ।।૨૪।। મન કહે ફોજ માહેરી, વર્ણવી સુણાવું વીર । કામ ક્રોધ

લોભમોહ, અડગ જોધ અમીર ।।૨૫।। આશા તૃષ્ણા ઈરસા, નિંદા

અવિદ્યા નાર । કુટિલ કુમતિ કુબુદ્ધિ, એવી ફોજ અપાર ।।૨૬।। રાગ

દ્વેષ રહે સદા, હાનિ વૃદ્ધિ ને હેત । શોક હર્ષના સેનમાં, ખળ છળ ખેધુ

ખેત ।।૨૭।। સંકલ્પ વિકલ્પ સંકેત વિન, નિર્ભય ને નિરધાર । પંચ

વિષય પ્રપંચ ભડ, વણગણ્ય વિષય વિકાર ।।૨૮।। ભિન્ન ભિન્ન ચહાય

ભોગને, નાના વિધ નિરવાણ । રાત દિવસ રાચ્યો રહે, એમ હોય

જન્મ હેરાણ ।।૨૯।। હાર જીતના હેતશું, મેલે ન કદિયે મરોડ । ચાલે

ચાડે ચોગણાં, કરે ઉપાસન ક્રોડ ।।૩૦।। જેત્તાં પદારથ જકતમાં, તેત્તાં

ઉપર તાન । અનેક ઈચ્છા ઉરમાં, ઠરે નવ રતિ ઠાન ।।૩૧।। દેખ્યું

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

મનગંજન

દિલ મન દુષ્ટનું, ભયંકર ભયભીત । નિર્લજ નગારાં ગડગડે, ફરે હરે

ઘ્વજા ફજીત ।।૩૨।। ઉત્થાન અશ્વની ઉપરે, ચઢયો મન લઈ ચાપ ।

નિજમન કાયા નગ્રથી, કાઢું આજ ઉથાપ ।।૩૩।। નિજમન નિકળ્ય

બાહેરો, કાં સજ્જ હો લઢવા સંગ । આજ તું નવ ઉગરે, જીતું હું રણ

જંગ ।।૩૪।। કહે કટક તોરો કેટલો, નિજમન લે હવે નામ । સેના

તાહરી સુણવા, હૈયે તે મારે હામ ।।૩૫।। નિજમન કહે મનમાં વળી,

જોધ તું જબર જોરાણ । તુજ આગે મુજ સેનનું, કઈ પેર કરું વખાણ

।।૩૬।। દેહદર્શીના દિલમાં, ઘડયે ન બેસે ઘાટ । કહું કાંયેક તુંજ આગળે,

તે ં પૂછિયું તે માટ ।।૩૭।। શીલ સંતોષ દો સેનમાં, વળી વિવેક વિચાર

। ધીરજ ધર્મધુરંધરા, ક્ષમા દયા દો નાર ।।૩૮।। ત્યાગ વૈરાગ્ય ત્યાં

રહે, શમ દમ શ્નદ્ધા સોય । જ્ઞાનગરિબી ભગતી, દીનદાસા પણ દોય

।।૩૯।। ભાવ ભજન ભરપુર રહે, શુભ ગુણ શાંતિ સોય । જકત વિરકત

ભકત ભયે, દાસ ઉદાસી હોય ।।૪૦।। પંચવ્રત પર પ્રીત હય, નિઃષ્પૃહી

નિષ્કામ । નિર્લોભી નિર્માનિતા, નિઃસ્વાદી એહ નામ ।।૪૧।। વચન

પ્રમાણે વર્તવું, એહ હમારી ટેક । નિરવૈર રહે સહુ નગ્રમાં, છાંડી છળ

બળ છેક ।।૪૨।। માંહો માંહી મળી રહે, હૈયે ઘણેરું હેત । કરે ન કૂડ

કપટ કછું, એહ હમારી રીત ।।૪૩।। મન કહે મર્મ મેં લહયો, દેખી

તાહેરું દળ । એવા સેના સાહેબા, બહુ ન કીજે બળ ।।૪૪।। નુર વિના

શાં શૂરવાં, અણગમતાં હોય અંગ । પુછી પુછી પગ ભરે, તે જીતે

કદિયે જંગ ।।૪૫।। જોયા તારા જોધને, જીતી ન કરે જુહાર । લાલચ્ય

મેલ્ય લડવા તણી, માગ્ય હવે ધર્મ દ્વાર ।।૪૬।। હોય હજી જો હામ

હૈયે, તો વીર ન કીજે વેલ વેલ્ય । લિયો લડાઈ લીજીયે, નહિ તો નગર

તું મેલ્ય ।।૪૭।। નિજમન કહે નવ કીજીયે, મનવા મોટી વાત ।

શૂરાતણા સંગ્રામમાં, લાજ હરિ ને હાથ ।।૪૮।। આવ્ય ચડી ચોગાનમાં,

સેના લઈ સંગ શૂર । આગળ આછા પાતળા, હાજર છું હજુર ।।૪૯।।

સજ્જ થયાં દો શૂરમાં, વાઢયા કારણ ભાવ । હુવા સિંધુડા સેનમાં,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

મનગંજન

ઘાલ્યા નગારે ઘાવ ।।૫૦।। વઢવા સમે વાણી વદે, અડિખંભ મન

આકુત । પાડું પ્રભુપદ પો’ચતાં, તો માન્ય માયાનો પૂત ।।૫૧।। સુત તું

શ્ની ભગવાનનો, દલમાં હશે તુંને ડોડ । માંડી તેં જો મુજશું, તો કરીશ

પૂરો કોડ ।।૫૨।। મુજ તુજનો મામલો, કાહા કટકશું કાજ । જીત્યો

દલ જબ જાણીયે, જો જીત્યો રણરાજ ।।૫૩।। જાળવજ્યે હવે જુદ્ધમાં,

બાણ મારું બળવાન । સુણી શબ્દ સોયામણા, ધરીશ કયી પેર ધ્યાન

।।૫૪।। સ્પર્શ શીત ઉષ્ણનો, રુપ રુપાળે નેણ । ખટ રસ દેખી ખળભળે,

સુગંધ સરાયે સેણ ।।૫૫।। પંચબાણ પરતક મને, મેલ્યા નિજમન

માથ । રહ્યો આખી અણિયે એહથી, શીરપર હરિનો હાથ ।।૫૬।।

શીપેર શબ્દ ન લાગિયો, શીપેર તજ્યો સ્પર્શ । શીપેર ન રાચ્યો રુપમાં,

શી રીત જીત્યો ગંધ રસ ।।૫૭।। નિજમન ઉવાચ : શબ્દ જેત્તા

સંસારમાં, એક આકાશનો ભાગ । હરિજશ સુણી હુલશું, તે વિન

સરવે ત્યાગ ।।૫૮।। સ્પર્શ શીત ઉષ્ણનો, વાયુતણો વિકાર । ભેટું હરિ

હરિજનને, અવર લગે અંગાર ।।૫૯।। રુપ રતિતન તેજની, તાપર

તૂટે ન તાન । રુપ હ્ય્દે ધરી રામનું, ધરિયે નિત્ય પ્રત્યે ધ્યાન ।।૬૦।।

ગંધવતી જે પૃથ્વી, ચળે ન તા પર ચિત્ત । ગંધમાં હાર ગોવિંદના,

નિર્માલ્ય પરિમલ પર પ્રિત ।।૬૧।। સર્વે રસ સંસારમાં, ખટ રસ પોષણ

ખાન । દેહ નિભાવન દીજીયે, ન કરું સ્વાદ નિદાન, ।।૬૨।। એમ

પાંચ બાણ પરતકનાં, નિષ્ફળ ગયાં નિદાન । જાય ન ગંજ્યો જકતમાં,

ભીરુ જેને ભગવાન ।।૬૩।। વળતો મન વિચારી કહે, મેલું મોહનું

બાણ । અનેક પદારથ ઉપરે, જડી પ્રિત જોરાણ ।।૬૪।। કશિ બાણ

મન કામનું, સાંધુ નિજમન શિર । જેથી વાધે જલ્પના, ધરે ન અંતર

ધીર ।।૬૫।। લોભ લુંવાગ્ય લઈ કરી, તાકી હણી તૈયાર । અણી જેની

આગળે, સબ વેંધ્યો સંસાર ।।૬૬।। લથબથ હુવા લઢવા સમે, કર

ધરી ક્રોધ કરવાળ । બચે ન આયો વડજમાં, ઝબક અગનની ઝાળ

।।૬૭।। નાખી નીજ મન ઉપરે, નિદ્રા ફાંસી નેક । આળસ કટારી

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

મનગંજન

અંગમાં, છાની વાઈ છેક ।।૬૮।। લોહ એટલાં લઈ કરી, ઘાલ્યા નિજ

પર ઘાવ । ભેદ્યાં નહી કોઈ ભીંતરે, ખેલ્યો ખૂબ જ દાવ ।।૬૯।।

મોહબાણ સો મરોડિયું, પરહરિ સબસું પ્રીત । નિઃસ્પૃહી વ્રત પાળતાં,

હુઈ જગતમાં જીત ।।૭૦।। ધન દારા નિજદેહ ગેહ, પુત્ર પશુ પરિવાર

। ભાગ્ય ભુવન ગણે ભાગસી, એહ નિઃસ્નેહી ઉદાર ।।૭૧।। અશન

વસન ભૂષનસે, મોહ ન પામે મન । ચહે ન પ્રભુ વિના ચિત્તમાં, ધન્ય

નિઃષ્પૃહી જન ।।૭૨।। મર્યો નહિ મોહ બાણથી, નિજમન જન નરેશ ।

સદા ઉદાસ સંસારથી, હરિશું પ્રીત હમેશ ।।૭૩।। કામબાણ સો કાઢીયું,

નહિ નારીશું સ્નેહ । ચૌદ લોક જે ચતુરધા, ઈચ્છયા ન ઉરમાં એહ

।।૭૪।। અનંગ બાણ કરડું અતિ, જાતે બચે ન જીવ । સુરાસુર નર

નાગ મુનિ, ભાગ્યે બ્રહ્મા શિવ ।।૭૫।। કામરુપ સો કામિની, મૂર્તિમાન

એહ મેંન । તાસું ભૂલ્યે ન ભાષણ કીજીયે, ના નિરખો કોય નેન ।।૭૬।।

મન ઉવંચ- સ્પર્શામાં કાહા પાપ હે, જોયામાં કાહા જાત । ચિત્ત

સાબુત ચાહિયે, કયા વણસે કર્યે વાત ।।૭૭।। એ પણ વિચારી આતમા,

હરિ ભજવા હોય હોંસ । બીજી બાતે બાધ છે, પણ જ્ઞાનમાં કાહા દોષ

।।૭૮।। એહજ નર અધુરિયા, વળી ન સમજ્યા બાત । નર નરીસો ન

ટળી, ભલી રહી એહ ભ્રાંત ।।૭૯।। નિજમન ઉવાચ- રેરે બેસી રાંડના,

બે ખબર શું બોલ્ય, શાસ્ત્ર વિરોધી શું લવે, તું મુરખ વણતોલ્ય ।।૮૦।।

ઈંદ્ર ચંદ્ર એકલશૃંગી, સૌભરિ નારદ શિવ । અજ થકી અધિકો થયો,

જોજ્યો ભાઈયો જીવ ।।૮૧।। લાજ લઈ ત્રિલોકની, નારે કાપેલ નાક

। શુદ્ધ બુદ્ધ હરી સહુતણી, વળી ચઢાવ્યા ચાક ।।૮૨।। કાગદ-કરિણી

દેખતાં, હસ્તી મરે હજાર । મૂર્તિવંતી માનિની, કેમ પો’ચાડેપાર ।।૮૩।।

નર પ્રાણી પતંગ સમ, નારી દીપક ઝાળ । મોહ પામી મરત તેમ,

નારી નરનો કાળ ।।૮૪।। વિષ વેરીસમ વૈતરી, નાગણ વાઘણ નાર ।

ડાકણ સાકણ દુષ્ટણી, સ્વપને ન હો વ્યવહાર ।।૮૫।। દેહે કરી દૂર

રહિયે, અષ્ટ પ્રકારે આપ । તો અંતર ઈચ્છા નહી રહે, પ્રભુતણો

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

મનગંજન

પ્રતાપ ।।૮૬।। ભકત અભકત ભામિની, ના ચિંતવો કોય નાર । લેતાં

લિંબુ નામને, વદને આવે વાર ।।૮૭।। અભાવ ઉલટા અન્ન સમ,

સ્વભાવે સડેલું ઉંટ । નિરખે એવી નારને, તે ખાટે ચ્યારે ખૂંટ ।।૮૮।।

કામબાણ કટકા કરી, નિર્ભય ભયો નિજમન । લોભ લુવાંગ્ય લાગી

નહિ, કહો કેણીપેર તન ।।૮૯।। લોભ લુવાંગ્ય ઝીણી અણી, લાગી

સરવે શિર । દેવ દાનવ માનવ મુનિ, પાડે પંડીત પીર ।।૯૦।। કામ

થકી કરડી ઘણી, માને ન માસી માત । બહેન ફુઈ બેટી સંગે, લોભ

કરાવે ઘાત ।।૯૧।। એવી અતિશે આકરી, લોભતણી લુવાંગ્ય । નિજમન

કેમ લાગી નહિ, સોય શરીરે સાંગ્ય ।।૯૨।। નિજમન ઉવાચ- લોભ

મૂર્ત દ્રવ્ય લેખિયે, એહમાં અંનંત વિકાર । કૂડ કપટ છળ હિંસા, કરે

અનર્થ નરનાર ।।૯૩।। ધાતુ સપ્ત પ્રકારની, અડયે પડે ઉપવાસ । હીરા

મોતી કાછથી, હરિજન રહે ઉદાસ ।।૯૪।। મન ઉવાચ- દામ વિના

દુઃખી સર્વે, દામ કરે બહુ કામ । દોષ કાહાહે દામમેં, નિજમન લે તું

નામ ।।૯૫।। રામતણું કરી રાખીયે, અશન વસન ઘર નાર । ધણી ન

થાયે ધનના, તો બાધ નહિ લગાર ।।૯૬।। નિજમન ઉવાચ- મ બોલ્ય

એવું મનવા, વણવિચારે વાત । એવું મુખ તે ઓચરે, જેને ઘટમાં ઘાત

।।૯૭।। એહ લાવણ્યતા લોભની, પિંડમાં કર્યો પ્રવેશ । પેચે પામી

પેશિયો, રોળી દેવા રેશ ।।૯૮।। ઉપદેશ એનો ઓળખી, તરત કરીજે

ત્યાગ । લોભ સમો નહિ લોંઠીયો, જેમતેમ જુવે જાગ ।।૯૯।। પ્રસાદી

પ્રભુતણી, ધન કંચન દઈ ઘાત । ત્યાગી લેવાને તકે, તો બીજાની સઈ

વાત ।।૧૦૦।। લોભ લુવાંગ્ય લાગી નહિ, ત્યાગી ધનની ધાંખ । ઈચ્છા

ન રહી અંતરે, અસત્ય ઓળખ્યું આંખ્ય ।।૧૦૧।। તીખો ક્રોધ તરવાર

સમ, વેણ નેણમાં વાટ । નીર્માની એક નર વિના, ઘડી ન ઝાલે ઘાટ

।।૧૦૨।। પો’ચે ત્યાં પરાભવ કરે, અણપો’ચે અમાન । રુષિ ન બોલે

રાંકશું, નર સોય નિરમાન ।।૧૦૩।। ક્રોધ કરવાલ કાહા કરે, નિરમાની

નિજમન । હસી નમાવે શિશને, પિયુ હોયે પ્રસન્ન ।।૧૦૪।। નાવે નિદ્રા

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

મનગંજન

નયણે, શૂળી પર કોય સોય । મિટે દેખે મોતને, હાય મૂવો એમ હોય

।।૧૦૫।। આળસ અંગે કેમ ઉપજે, અલ્પ આયુષ્યની માંય । નિશદિન

નામ નારાયણનું, સમરે હૃદે સદાય ।।૧૦૬।। સદા સમરણ શ્યામનું,

આળસ ઉંઘ નિવાર । બોલે જકતશું બાવરું, હરિ ભજવે હુંશિયાર

।।૧૦૭।। કુશળ રહ્યો મન કોપથી, નિજમન નર નિરવાણ । લડે લેશ

ન લોપિયો, ગયા બે કામે બાણ ।।૧૦૮।। ખીજ્યો મન તબ ખેધકું,

રુતો રણની માંય । આવ્ય નિજ આઘેરડો, જેમ લખ્યું તેમ થાય

।।૧૦૯।। બેઉ જોધ બરાબરી, રોપ્યા રણમાં પાવ । લડેભડે કોય લડથડે,

દોનું ખેલે દાવ ।।૧૧૦।। વડચડ વેડ વખાણિયે, ખડભડ હુવો જે ખેદ

। દડવડ આયે દો જણા, અડવડ હુવો ઉમેદ ।।૧૧૧।। ટણણણ ટંકારવ

હવા, ચણણણ ચલે ચુક બાણ । તણણણ ત્રાંસા ત્રસ્ત્રસે, ઘણણણ બજે

ઘુંટાણ ।।૧૧૨।। હણણણ હય ઘણું હાવલે, બણણણ બોલે બાણ ।

ગણણણ ગાજે ગોળિયો, ભણણણ પડે ભંગાણ ।।૧૧૩।। ગરરર ગોળા

નાળ્યના, તરરર બોલે તૂર । અરરર કરે અધમૂવા, ભરરર ભાગે ભૂર

।।૧૧૪।। ફરરર નેજા ફર હરે, ઘરરર નગારા ઘુર । થરરર કંપે કાયરાં,

ડરરર ભાગે દૂર ।।૧૧૫।। ધણણણ ધ્રુજે ધરતી, ઝણણણ હુવા

ઝણકાર। ઠણણણ ઠમકા હો રહ્યા, રણણણ હુવા રણકાર ।।૧૧૬।।

ઝલલલ ઝબકે બરછિયો, ઢળળળ ઢળકે ઢાલ । બલલલ બર્કી બોલતો,

તે ગલલલ બોલિયો ગાળ ।।૧૧૭।। હડડડ આયો હાકલી, ફડડડ ભાગી

ફોજ । કડડડ પાડયો કારમો, મડડડ માર્યોમનોજ ।।૧૧૮।। પડતો

મન પોકારિયો, નિજમન સુણિયે નાથ । જોજે મા મારે જીવથી, આવ્યો

હું શરણે અનાથ ।।૧૧૯।। કાંયક કરુણા કીજીયે, દીજીયે જીવિત દાન

। અનાથ ઉપર એવડી, ન ઘટે નાથ નિદાન ।।૧૨૦।। ઈન્દ્રિસહિત હું

આશરે, કરીશ રાજ્યનું કાજ । દાસ દાસનો દાસ હું તું તાત મુજ

શિરતાજ ।।૧૨૧।। ભજાું ન કદિ ભોગને, રચું ન કદિયે રાડ । વાંચ્છું

ન વિષય સુખને, નિજમન મોય નિભાડ ।।૧૨૨।। નિજમન કહે આવે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

મનગંજન

નહિ, પ્રતીત તોરી પતલેલ । આજ રહે આખી આણીયે, તો કાલ્ય

અખેલાં ખેલ ।।૧૨૩।। ઝીણોય કણિકો ઝેરનો, કરે કાયાનો નાશ ।

વ્યાલ વેરી વહની, એ છોટે વડી વણાસ ।।૧૨૪।। હોય ન હેતુ કોયના,

મન ભોરંગ વિષ વાઘ । વળતાં જેથી વિચારીયે, તેહનો કીજે ત્યાગ

।।૧૨૫।। બને ન કેદિયે બેહુને, ત્યાગી રાગી થાય । એક ચહાય

અરણ્યને, દુજો શહેર સરાય ।।૧૨૬।। તુજ મુજના તાનને, વર્ણવી

કહું વિવેક । છેટું જમી અસમાનનું, કેદિ ન મડે એક ।।૧૨૭।। છંદ

મોતી દામની ચાલ - ભજે મન ભાવ સદા ભવ ભોગ, રચે નહિ રંચ

ગણે નિજ રોગ । ખૂશી મન ખૂબ ખટ રસ ખાન, તુટે ન કદી નિજતાપર

તાન ।।૧૨૮।। ઈચ્છે મન અંબર સુંદર અંગ, અજાણે એ નિજ ન કરે

ઉમંગ । ચહે મન ભૂષણ સુવર્ણ ચિત્ત, પેખે નહિ નિજ કરે પ્રિત ।।૧૨૯।।

દેખે મન દેહ રિઝે જો રુપાળ, ઝાંખી નિજ નેણ ઉઠે અંગ ઝાળ । દેખે

મન મુખ લેહિ દર્પણ, ન જુવે જો નિજ નિરાશી નર ।।૧૩૦।। નિરખે

જો મન છાયા છબિ નિત, ઈચ્છે નહિ નિજ અસત અનિત । નિહાળે

જો મન નારી નખશિખ, વદે નિજ તાયે હલા હલ વિખ ।।૧૩૧।।

શ્વાનની સાણ્યે મન જો સરાયે, નિજ મન તાયે નિકટ ન જાયે । ગમે

મન ગાન વિષે રસ ગીત, ચહે નહિ નિજ ચડે નહિ ચિત્ત ।।૧૩૨।।

સદા મન સુખ સરાયે સંસાર, ઈચ્છે નહિ નિજ ગણે જો અસાર । દેખે

મન સજ્જન દુર્જન દોય, સદા સમ ભાવ ધરે નિજ સોય ।।૧૩૩।।

ભજે નહિ મન કેદી ભગવાન, ધરે નિત્ય નિજ ધણીનું ધ્યાન । પાછે

મન પગ કરે પ્રવેશ, લોપે નહિ નિજ વચનને લેશ ।।૧૩૪।। ભજનમાં

મન પાડે જો ભંગાણ, સમરે સો નિજ સદાય સુજાણ । ઘડે મન ઘાટ

ઘણા ઘટમાંયે, કરે નહિ નિજ સંકલ્પ કાંયે ।।૧૩૫।। હિસે મન હેતે

કરવાને હાસ, અતિ નિજ રહે સદાય ઉદાસ । રહે મન રાજી બણે ઠણે

રુપ, કરે નિજ તાયે સદાયે જો કોપ ।।૧૩૬।। ચડે મન ચંચળ ચપળ

ચાલ્ય, હળવી નિજ મન દુવણ હાલ્ય । કરે નવ રંગ અંગે કાંઈ મન,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

મનગંજન

તૂટે ફૂટે પટ રહે નિજ તન ।।૧૩૭।। કરે ગુરુ આગ્યામાં જુગતી કાંઈ,

સમજે સો નિજ સદા સુખદાઈ । રખે મન ઈંદ્રિય દેહસું રત, અતિ

નિજ એહને જાણે અસત્ય ।।૧૩૮।। દેખે મન વિષય ડગી જાય દલ,

પેખે નિજ પાપ ખોળે નહિ પળ । એવા ગુણ મનતણા જો અનેક, લખતાં

તે લખ્યે ન આવે જો છેક ।।૧૩૯।। દોહા - કેત્તાક લખીયે કાગળે,

પરતક મનના પેચ । ભુંડાથી ભુંડો સરે, નીચ થકી પણ નીચ ।।૧૪૦।।

મનવા તું તો મશ્કરો, તુજ કપટ ન કળે કોય । હેતુ થઈ તું હેત કરે,

પણ કાંઈક કપટ તો હોય ।।૧૪૧।। જ્ઞાની થઈ તું જ્ઞાન કરે, ધ્યાની

થઈ ધરે ધ્યાન । ત્યાગી થઈ તું ત્યાગ કરે, તું રઝળાવે રાન ।।૧૪૨।।

તપસી થઈ તું તપ કરે, વળી રહે ઉદાસી રંચ । અન્ન પરહરે પયપાન

કરે, પણ સબ તોરો પરપંચ ।।૧૪૩।। ત્રય લોક નચાવ્યા તેં ખરા, નર

મર્કટને ન્યાય । ભેખ સરીખો ભળી રહી, ભાંડઈ કરી ભવમાંય

।।૧૪૪।। અધમ અપરાધી એક તું, ભડવો ભૂલેલ ભાંડ । કપટી કુટીલ

કુમતિ, દુર્મતિ દુષ્ટમન દાંડ ।।૧૪૫।। ચોર ઠગારો ફાંસિયો, ડુમ ઢેઢ

જારની જાત । લંપટ લોભી લાજ વિન, ઘણી રચાવણ ઘાત ।।૧૪૬।।

શ્વાન શિયાળ સર્પનો, ઘુડ ગર્દભનો ગુણ । કાગ બલાઈ કપટ મન, કરે

ભરોસો કુણ ।।૧૪૭।। ભૂત પ્રેત પિશાચનાં, એવા લક્ષણ લાખ । અવર

અશુભ ઉપમા, તે સર્વે દેવા શાખ ।।૧૪૮।। જેત્તા અવગુણ જકતમાં,

તેત્તા તુજમેં હોય । રાખ્યો ઘટે નહિ રાજમાં, માર્યો ઘટે નહિ મોય

।।૧૪૯।। કંગાલ થઈ તું કરગરે, ઘાલી મુખમાં ઘાસ । પડયો રહે મર

પિંજરે, પણ મેલું ન મોકળી રાસ ।।૧૫૦।। તન નગરમાં તસ્કરી, જો

કરશો કોય જન । ગોતું ન કદી ગોલાણને, મેલી મન રાજન ।।૧૫૧।।

જાણું હું છું જરાજરી, સર્વે તોરો સાથ । કુમાર્ગે કોય ચાલશે, તો મન

પડશે તુજ માથ ।।૧૫૨।। ઈચ્છયું નહિ મળે આજથી, ભજે નહિ મળે

ભોગ । રહે તો એવી રીતશું, સાધી શરીરે જોગ ।।૧૫૩।। દેહ દશાએ

સર્વનું, કરવાને એહ કામ । રહે પડયો હવે રાજમાં, ગાળી ગર્વ ગુલામ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

મનગંજન

।।૧૫૪।। જીત્યો નિજમન ફોજને, રાખ્યો મન એહ રીત । નિર્ભય

નોબત ગડગડી, થઈ જગતમાં જીત ।।૧૫૫।। જાચક જશ મુખ ઉચ્ચરે,

ભલ ભલો નિજભડ । તોલે ના’વે તાહરી, તેં મરડયો મન અકડ

।।૧૫૬।। મોટા મહાજન મળી કરી, પૂછે કરી અતિ પ્રેમ । જીત્યો

નિજમન જંગમાં, મહાબળિ મન કેમ ।।૧૫૭।। નિજમન કહે નહિ

અચરજ, ભીરુ જેને ભગવાન । રાઈનો સો મેરુ કરે, અને મેરુ સો

રાઈ સમાન ।।૧૫૮।। સત્સંગના પ્રતાપશું, સરે જો સઘળાં કાજ ।

અવર બીજે ઉપાય શું, રહે ન કદિયે લાજ ।।૧૫૯।। સંત સદ્દગુરુ

સહાયથી, હરિકૃપા પણ હોય । પંગુ ઉલ્લંઘે પરવત, કહે ન આશ્ચર્ય

કોય ।।૧૬૦।। જીત્યા પાર્થ રણસંગમાં, શૂર ભીષ્મ સંગ્રામ । સહાય

જેની શ્રીહરિ, તેથી કોણ ન સરે કામ ।।૧૬૧।। વાસવતણા વિરોધથી,

ધરી ગિરી બચાવ્યો વ્રજ । તે પ્રતાપે જીતીયે, એની સઈ આશ્ચર્જ

।।૧૬૨।। જે જીત્યો તે હારશે, એહ અનાદિ રીત । સરવે કારણ સદ્દગુરુ,

નહિ હાર જીત પર પ્રીત ।।૧૬૩।। સુણી વચન સહુ નિજનાં,વળતા

વદિયા વાણ । ધન્ય ધન્ય નિજ ઘટે ઘણું, પણ સુણો નાથ સુજાણ

।।૧૬૪।। નગરમાંહી નરેશ વિન, રહે ન અમથું રાજ । તખતે બિરાજો

આપ તમે, માનો વચન મહારાજ ।।૧૬૫।। સુખ હોય સહુ શહેરને,

અદલ ફરે એક આણ । પીડે નહિ કોય કોયને, રહે ન ખેંચા તાણ

।।૧૬૬।। હરિજન હરિના હેતથી, નિજમન હુવો નરેશ । કપટી કાઢયા

કોટથી, લંપટ રહ્યા ન લેશ ।।૧૬૭।। નિરવૈર રહે સહુ નગ્રમાં, પ્રજા

પામી સુખ । એક હરિજન હોયે રહ્યા, વેરી ગયા વિમુખ ।।૧૬૮।।

અખંડ રહો આ શહેરમાં, નિજ રાયનું રાજ । ચલે ન ચોરી ચોરની,

રહે નહી દગાબાજ ।।૧૬૯।। નિજમન બેઠો રાજ પર, જય જય હુવો

જયકાર । નિર્ભય નેજા રોપીયા, હરિજશ હુવા ઉચ્ચાર ।।૧૭૦।। એક

અમલ વિના અવનિ, હોયે રૈૈયત હેરાન । દોય ધણીના દેશમાં, મિટે

નહિ ખેંચા તાણ ।।૧૭૧।। ભજે કોઈ ભગવાનને, તે તજો સબે મનસંગ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

મનગંજન

। માનો નહિ શિખ મનની, જો ઈચ્છો સુખ અભંગ ।।૧૭૨।। કોટી

ઉપાય જો કરતાં, જીત્યો મન નવ જાય । જીતે તે જન જકતમાં, જેહને

સદ્દગુરુ સહાય ।।૧૭૩।। સોય સદ્દગુરુ સેવિયે, જેથી મન જીતાય ।

જીત્યા મન વિન જે કરે, તે સરવે જુઠો ઉપાય ।।૧૭૪।। સદ્દગુરુ એક

સંસારમાં, શિષ્ય હરણ સંતાપ । વિત્ત હરે જે વિશ્વનું, તે ગુરુ ગણિયે

પાપ ।।૧૭૫।। ગુરુ શબ્દ સો ગરિષ્ઠ હે, સબપર સોયે સરિષ્ઠ । સો

ગુરુ સહજાનંદજી, એક ઉર મમ ઈષ્ટ ।।૧૭૬।। ઈચ્છે જે કોય અંતરે,

કષ્ટ મિટાવવા કોય । એક અચળ એ આશરો, સહજાનંદ પ્રભુ સોય

।।૧૭૭।। દાસ જેની દયા થકી, જીત્યા મન જોરાણ । કાન સુણી કે’તો

નથી, નજર દીઠી નિર્વાણ ।।૧૭૮।। જીત્યે મન સબ જીતિયાં, જીત્યા

કામને ક્રોધ । લોભ મોહ લૈયે લોપિયા, જબર હતા જે જોધ ।।૧૭૯।।

રાજા જેનો રોળિયો, પકડી નાખ્યો પાસ । નોકર તેના નાશિયા, ઘાલી

મુખમાં ઘાસ ।।૧૮૦।। અનમી નર નમાવિયા, જે મા’લંતા મગરુર ।

તે ના’વે જોતાં નજરે, જેમ ઉડયા આકતુર ।।૧૮૧।। ભાર ઉતાર્યો

ભૂમિનો, મારી મનની ફોજ । રહ્યો ન વેરી રાજમાં, તબ પાયો નિજ

મોજ ।।૧૮૨।। સાચો સેવક શ્યામનો, નિજમન જેનું નામ । ભલો

લડયો ભારતમાં, ન કર્યો લુંણ હરામ ।।૧૮૩।। નીતિ ચલાવી નગ્રમાં,

અનીતિ કરી ઉથાપ । પાપી કાઢયા પુરથી, સબે ગયો સંતાપ ।।૧૮૪।।

પ્રભુતણા પ્રતાપથી, મનનું કાઢયું મૂળ । સહજાનંદની સહાયથી, નિજે

કર્યો નિષ્કુળ ।।૧૮૫।। મન નિજમનના રુપને, ઓળખાવા આ છંદ ।

હરિજનને હિત એહ છે, કહે નિષ્કુલાનંદ ।।૧૮૬।। સંવત અઢાર

એકોતેરો, શ્રાવણ સપ્તમી ચંદ । એકસો સત્યાશી સત્ય છે, સરવાળે

સહજાનંદ ।।૧૮૭।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુલાનંદ મુનિ વિરચિતે મન

નિજમન સંવાદે મનગંજન ગ્રંથ સંપૂર્ણઃ ।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ગુણગ્રાહક

ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન

-ઃ ગુણગ્રાહકઃ-

૧૨

દોહા- લંબોદર હું લાગું લળી, પાર્વતી તનું પાય । શુદ્ધ બુદ્ધિ

દિયો સ્યામ વીર, શંકરસુત હો સહાય ।।૧।। ગણપતિ ગણપતિ ગાઇ

એ, અવગુણ મટે અનેક । ગુણ વિન ગોવિંદ ના રિઝે, છિજે ન અવગુણ

છેક ।।૨।। ગુણ પૂજાવે સબે જક્તમાં, ગુણ બઢાવત માન । જ્યામેં જેત્તો

ગુણ રહે, તાહિ જેત્તો સન્માન ।।૩।। ગુણ અવગુણ દો ગુંથકે, કહું કથા

પ્રબંધ । ઓર ગુણમેં આવી ગયે, ગુણાતીત હે ગોવિંદ ।।૪।। અવગુણકું

આદર નહિ, શુભ ગુણકું સન્માન । દોય વિધ એહ દેખહું, જાનત હે

સબ જાન ।।૫।। દેવ દાનવ માનવ મુનિ, સબ હે ગુણકે રાજ । અવગુણકું

સુઝત નહિ, રીત રંક યહ રાજ ।।૬।। સબવિધ દેખ્યા શોધકે, તિનહું

લોકકે તાન । કહિયે અબ કહો કોનકું, ગુણગ્રાહક ભગવાન ।।૭।। એક

અવલ ગુણ આકાશકે, શૂન્ય સોઇ શબ્દ વિભાગ । શુક કોયલ મેના

સખી, ઘુડ ગર્દભ કુક્કર કાગ ।।૮।। એસી વાણી જાણી એકકી, કોય ન

સુનત કાન । એક સુનત બહુ ભાવશું, તોરત તાહીસું તાન ।।૯।। એક

શબ્દ ગુણગાન હે, એક શબ્દ સોઇ ગાર । ગાન મિલાવત મોજકું, ગાર

મિલાવત માર ।।૧૦।। એક નર અશુદ્ધ બોલહી, એક વિચારત વેદ ।

પ્રસિદ્ધ ગુણ દોઇ પેખિયે, ભયો ગિરામાંહી ભેદ ।।૧૧।। જાકી જેસી હે

બોલની, તાપર તેત્તો હેત । કોકિલા કયા દેત હે, અરૂં કાક ઉલું કયા લેત

।।૧૨।। શુભ ગુણસે સુખ ઉપજે, અવગુણ દુઃખ અનેક । દોય વિધ દેખે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ગુણગ્રાહક

દિલમેં, તો રહે ન સંશય રેખ ।।૧૩।। (વાયુગુણવર્ણન) અબ સુનોહો

રીત સમીરકી, વહત હે વિધ દોહ । એક શીતળ અંગ કરે, એક લગાવ

હે લોહ ।।૧૪।। અરુ એક ઉડાવત અભ્રકું, અરૂ એક મિલાવત મેઘ,

પવન ગુણ એહ પેખિએ, વહત દોનું હુ વેધ ।।૧૫।। એક આનંદ અંગ

આપહી, અરુ એક દેવત હૈ દુઃખ । જેસો હી ગુણ જ્યામેં રહ્યો, તેસો

કહે સબ મુખ ।।૧૬।। અરુ અગ્નિ અગ્નિ એક હે, દેખતાહિ ગુણ દોય

। એકસેં દુઃખ અતિ ઉપજે, અરુ એકસે સુખ હોય ।।૧૭।। એક અગ્નિ

પચાવત અન્નકું, અરુ એક લગાવત લા’ય । દુઃખ સુખ દોયિક દેખિયે,

એહ દોનું ગુણ સબ ગાય ।।૧૮।। એક ધુમર ધુંધવે, અરુ એક કરત

ઉજાસ । વાહિ ન ભાવત અંતરે, વાહિંસે હોત હુલાસ ।।૧૯।। શુભ ગુણ

વિના જન સુખકો, દલહિ ન કીજે દોડ । પેખી ગુણ નિજ પિંડકો, અરુ

પીછે કરના કોડ ।।૨૦ ।। નિરખો ગુણ ગુણ જન નીરકો, અરુ વાંહિમેં

દો વિધ । મીઠો ખારો માનિયે, પીને માંહિ પ્રસિદ્ધ ।।૨૧।। એક જળ

અનુપમ જાહ્નવી, અરુ એક અશુચિ કુંડ । વાં નહાવત સબ નેહશું, વાંહિ

ન પરસે પંડ ।।૨૨।। એક નીર મહીસેં નિપને, ઇક્ષુ લીમ અરુ આક ।

વાંહી ન ભખે ભાવ કર, વાહી પાવે કરી પાક ।।૨૩।। અરુ વાંહિ મિલે

વિન તોલમેં, ઓહિ તોલાવત તોલ । જામહી જેત્તો ગુન હે, તાકોહિ તેત્તો

મોલ ।।૨૪।। એક પાત પેખો આકકો, એક નિર્ખત નાગરવેલ્ય । વાંહિ

ખાવત ખાંતકર, વાકું મુખ નહિ મેલ્ય ।।૨૫।। એક ફુલ અવર આવળકો,

એક ચંપક ફુલ ગુલાબ । મિલત ઓહીતો મૂલ્યશે, હૈએહિ વિન હિસાબ

।।૨૬।। એક ફળ ઇન્દ્રામણ આકકો, એક ફળ અવલ હે આમ । આક ન

ભખે કૌ ભૂલ્યસે, હોયે આમકિ હૈયે હામ ।।૨૭।। આક ન આવત આમ

સમ, દેખુહું દિલ વિચાર । એક તોલે ક્યું આવહિ, સો ઉન્ન સોનકો તાર

।।૨૮।। સુનહિ દેખી સુખ ઓરકો, હિયે ન કીજિયે હામ । હોડ નહિ મુષ

હંસકી, સમ અજા ગજ શ્યામ ।।૨૯।। ભમરગીગા અરુ ભિન્ન હે, ભિન્ન

અરુ બક મરાળ । પક્ષી એક નહિ પેખિયે, હે વિધવિધ ગુન વિશાળ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ગુણગ્રાહક

।।૩૦।। ગુન વિનાતો ગનતી કહા, હોઇહે તાકી હલકાય । વાહિકી સોચ

ન કીજિયે, સમઝ રહેના મન માંય ।।૩૧।। એક પૃથિવી ગુન પ્રસિદ્ધ હે,

અરુ જુદી વાકી જાત । મિલે નહિ સરખે મૂલ્યસે, સમઝ એહ ધાતુ સાત

।।૩૨।। પુરટ અરૂ પિત્તલ પીત હે, મિલત ન એકહિ મૂલ્ય । શ્વેત કલિ

રજત સહિ, ભાખે ન સમ કોય મૂલ્ય ।।૩૩।। એક અવનિસે ઉપજે,

તરુવર ભાર અઢાર । સબકે ગુન સરખે નહિ, વિધવિધ કરો વિચાર

।।૩૪।। અરુ ભાજન હે સબ ભૂમિકે, કરતા એક કુલાલ । જામેંહી જેત્તો

ગુન હે, તામેહિ તેત્તો હિ માલ ।।૩૫।। એક પટમેં બો’ત પટં તરો, અરુ

વાહિમેં વિભાગ । ક્યાં ચોસાઇ ઝરવાળિયાં, કયાંહાં પટુ પાહાંમરી પાગ

।।૩૬।। અરુ જામે ગુન જેહિ જોનહિ, તાકિ કરત જતન । પથ્થર પારસ

દો પેખકે, રાખેહિ રીત રતન ।।૩૭।। એસિ વિધ અનેક ગુન, પેખેહિ

નાવત પાર । દેખીહિ ગુન અરુ દોષકું, કાહા કાઢના હે સાર ।।૩૮।।

અરુ અબ કેનેકી એતની, સુનહો સંત સુજાન જાતેહિ રીઝે જગપતિ,

ધન્ય ધન્ય ગિરા એહ ગાન ।।૩૯।। વાયુ વહત બહુ વિધકે, સપ્તદ્વીપ

અરુ નવ ખંડ । ધન્ય ધન્ય સોહી સમીરકું, જેહિ પરસે હરિ કે પંડ ।।૪૦

।। અરુ અનળ હે બહુવિધકે, મેહેતાબ મસાલાં દીપ । ધન્યધન્ય ઓહી

અનળકું, જોહિ જરત શ્યામ સમીપ ।।૪૧।। વારિ હે વિધવિધ બહુ, સર

સરિતા ભરે કૂપ । જાકું પિયે પરસે હરિ, ઓહી હે નીર અનૂપ ।।૪૨।।

અરુ પૃથવી હે બહુ પેરકી, શ્વેત શ્યામ અરુ રક્ત પીત । ધન્યધન્ય ઓહી

ધરાકું, જેહી હરિ કરી અંક્તિ ।।૪૩।। અરુ ભૂવન હે બહુ ભારકે, ત્રાટિ

માટિરુ ચિરાબંધ । ધન્યધન્ય એહિ ધામકું, જામહિ રહે ગોવિંદ ।।૪૪।।

અરુ ભોજન હે બહુભાતકે, લેહ્ય ચોક્ષ્ય ભક્ષ્ય અરુ ભોજ્ય । ધન્યધન્ય

એહિ અન્નકું, જેહિ જમત મોહન મોજ ।।૪૫।। અરુ વાસન હે બહુવિધકે,

કંચન કાંસા પિત્તળ રુપ । ભાગ્ય બડે એહ ભાજનકે, જામહિ જમે

જદુભૂપ ।।૪૬।। અબખોરા કટોરા કળસિયા, અરુ ભરે નિર્મળ નીર ।

પુન્ય બડે એહ પાત્રકે, જ્યાસે જળ પિવે બળવીર ।।૪૭।। લે લવીંગ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ગુણગ્રાહક

સોપારી એળચી, અરુ કાથા ચુના પાન । ધન્યધન્ય એહ મુખ વાસકું,

ભાવે ભખે ભગવાન ।।૪૮।। પર્યંક હે બહુ પેરકી, ખાટ પાટ અરુ પલંગ

। ધન્યધન્ય સોહી સેજકું, જ્યાં સુવતહે શ્રીરંગ ।।૪૯।। સુંદર સેજ સમારી

સુમને, બિછોનાં અવલ બિછાય । ધન્યધન્ય હે સોહી જનકું, જેહિ

તલાંસતહે પાય ।।૫૦।। સૂઇ ઉઠત જબ સેજસે, અરુ આળસ મોડી

અંગ । લઇ લોટા મુખ દ્યોવહી, સબ પે‘રે બસન સોરંગ ।।૫૧।। વસન

સુંદર બહુવિધકે, સોહે સોરંગી સુરવાળ । જામા પે’રે જરિયાનકે, ચળકત

વાકિ ચાલ ।।૫૨।। અરુ કમરે બાંધે કસિકે, દોપટે શાલ દુશાલ । શોભત

સુંદર શિર ઉપરે, શુભ સોનેરી સુફાલ ।।૫૩।। વસ્ત્ર હે બહુ વિધવિધકે,

ગિનત પરત નહિ પાર । ધન્યધન્ય પટ સોહી પેખીયે, જેહિ પે’રે પ્રાણ

આધાર ।।૫૪।। રંગ રંગહે બહુ રીતકે, નીલ પીત શ્વેત અરુ લાલ ।

કસુંબા કિયે કયા કહું, હેવાકે ભાગ્ય વિશાલ ।।૫૫।। કૈકેશર કસુંબી

રંગકે, રંગે હે વસન અમોલ ।જાકું પે’રે જગપતિ, તાહિ ન આવત તોેેલ

।।૫૬।। સુવર્ણ રુપા કોેેય સમ નહિ, ભયેહે જાકે ભૂષણ । ધન્યધન્ય સો

એ ધાતુકું, જાકું પે’રે હે પ્રાણજીવન ।।૫૭।। વેઢ વિંટી કરમુદ્રિકા, પોંચી

અંગુઠી પાણ । બાજાું કાજાું કનક કડાં, ધન્ય પે’રે શ્યામ સુજાણ

।।૫૮।।કનક કુંડળ દો કાનમેં, ત્યાંહાં તંગલ તોરા તાર । સુવર્ણ મુગટ

શિર ઉપરે, ધન્યધન્ય ધરે મોરાર ।।૫૯।। કનકકી માળા કંઠમેં, કટિદોરો

કિયે કંચન । પાયે પંજનિયાં પેખકે, જોઇ મોહિત હે જન ।।૬૦।। ધન્યધન્ય

એહિ ધાતુકું, પે’રે હે પુરુષોત્તમ । અવર ભૂષન અનેક હે, સો નાવત

વાકે સમ ।।૬૧।। વસન ભૂષણ વિધવિધકે, પે’રહે પ્રાણ આધાર । ચઢે

વાહન હરિ ચોંપશું, અશ્વ ભયે અસવાર ।।૬૨।। ગજ હુકિતો ગનતિ

નહિ, હે કદલિ વનમેં ક્રોડ । જાપર બેઠે જગપતિ, હોય ન વાકિ કોઉ હોડ

।।૬૩।। વાજ હે બહુ વિધકે, હેઉ વાકિ જાત અનેક । હરિ ચઢે જો હય

ઉપરે, વાકે સમ નહિ એક ।।૬૪।। રથ વહેલ અરૂ પાલખી, હે શકટ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ગુણગ્રાહક

સોય અનૂપ । ઓહિ વાહન ભાગ્ય વખાનિયે, જ્યાં બેઠે જદુભૂપ ।।૬૫।।

વિધવિધકે વાહન ઉપરે, ચઢેહે ચતુરા રાય । દેને આયે દરશનકું,

વનમાલી સો વનમાંય ।।૬૬।। બહુ વિધવિધ છાયા વનકિ, સો કહેતે

નાવત પાર । ધન્ય આંબા એહ આંબલી, જાંહાં બેઠત હે મોરાર ।।૬૭।।

સિંહાસન સોય સોયામને, સજે ગાદી તકિયા મેલ । બિછાયે હે

વિધવિધકે, આય બેઠે હે અલબેલ ।।૬૮।। ઓર આસન વિધ અનેક હે,

રચી બેઠત રાજા રાણ । તાકે તોલે તેહ નહિ, જ્યાં બેઠે હે શ્યામ સુજાણ

।।૬૯।। જુથજુથ મિલે બહુ જનકે, નિરખત નયણે નાથ । આનંદ આયો

અતિ અંગમેં, સબેહિ ભયે સનાથ ।।૭૦।। મનુષ્ય મુલકમેં હિ બોત હે,

વાકા વાર નહિ પાર । જેહિ નિરખત હે જગદીશકું, ધન્યધન્ય તેહિ

નરનાર ।।૭૧।। પૂજા વિધવિધ પેરકી, કરતહે કર જોડ । ધન્ય જીવત

તેહિ જનકો, કરતહે પૂરે કોડ ।।૭૨।। ચંદન ચરચી લે ચંપકો, કર કંઠ

આરોપત હાર । અગર ધૂપ અરુ આરતી, ઉતારત વારમવાર

।।૭૩।।અતિપ્રસાદી બહુ પેરકી, લાવત ભરભર થાળ । હરિજન જમાવત

જુક્તશું, જમતહે દીનદયાળ ।।૭૪।। દેત પ્રસાદિ હરિ દાસકું, હેત કરી

હરિ હાથ । જેહિ કણ પ્રસાદી કારણે, અજ શિવ ભયે અનાથ ।।૭૫।।

મિલી મુક્ત પુરૂષકી મંડળી, નિરખત ભરભર નેણ । સનમુખ દેખત શ્રી

હરિ, શ્યામ સુંદર સુખદેણ ।।૭૬।। જોગી વિયોગી હૈૈ બહુ જક્તમેં,

ઉદર ભરત અનેક । મિલે હે જાકું મહાપ્રભુ, તાહિ સમો નહિએક ।।૭૭।।

ત્યાં હેત કરી પૂછહી, પ્રશ્ન ઉત્તર પ્રસંગ । સંત સુનત હે સબ મિલી,

પળપળહિ જામત રંગ ।।૭૮।। હે સંવાદ બહુ સંસારમેં, બોલત બકબક

બોલ । સંત હરિ સંવાદ સમ, તેહિ કયું આવત તોલ ।।૭૯।। ભટ પંડિત

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ગુણગ્રાહક

ત્યાં ભેળે ભયે, કરતેહે કથા ઉચ્ચાર । સુનત જાકું શ્રીહરિ, ઓરહિ સંત

અપાર ।।૮૦।। પંડિત પાર નહિ પેખિયે, ઠરે હે ઠોરમઠોર । શ્યામ સમીપે

જો રહતહે, વાકે સમ નહિ ઓર ।।૮૧।। સુંદર ફલ સોયામણે, હેતે

કરત બહુ હાર । પૂજા કરત પગભર ખડે, જોડે કર નરનાર ।।૮૨।। દિલ

દેખી પ્રીતિ દાસકી, હેત કરી હરિ લેત । કોયક પે’રે હરિ કંઠમેં, કોઇક

વાંકું લે દેત ।।૮૩।। પુષ્પ તો હે બહુપેરકે, પિખિ જીય પચરંગ । સુમનં

સોયામને, જો અરપે હરિકે અંગ ।।૮૪।। તોરા ગજરા અરુ પોંચિયું,

હૈયે હે હાર અમૂલ । દોનું કાને કુસુમ દેખિયે, શોભત સુંદર ફુલ ।।૮૫।।

ઓરતો પોહોય અને કહે, કામી કે આવત કામ । પુન્ય બડે ઓહિ

પોહોયકે, પેરે સુંદર શ્યામ ।।૮૬।। કુસુમમાળા બહુ કઠંમેં, પે’રે શ્યામ

સવાગ । નિરખત સબ મિલી નાથકું, ગાવત ગુનિજન રાગ ।।૮૭।। ગાન

તાનકી ગનતી નહિ, તોરત બહુ વિધ તાન । ધન્યધન્ય ઓહી રાગકું,

જાહિ સુને ભગવાન ।।૮૮।। વાજીંત્ર હે બહુવિધકે, ઘા વાયે તે ઘસ બોલ

। વાજતહે વ્રજરાજ ત્યાંહાં, તાકિ નાવત કોય તોલ ।।૮૯।। જેહજેહ

ગુનહે જેહિમેં, તેહિ તેહિ આવત કામ અવગુનકી એસી, ના પૂછત કોહુ

નામ ।।૯૦।। એસા ગુન આયો નહિ, જાતે રિઝત રાજ । અબ પડે રહે

દરબારમેં, પેટ ભરનકે કાજ ।।૯૧।। અબ દેખી સુખમય ઓરકો, હૈયે

ન કીજીયે હોંસ । એસો ગુન નહિ આપમેં, તો દિજે કિનકું દોષ ।।૯૨।।

જાહી કહું જગદીશકું, તમહિ ભયે ગુણ ગ્રામ । જેહી ગુનહીન જનહે,

ઇનકિ બડી અભાગ્ય ।।૯૩।। અરુ એસી અનાદિ રીતહે, કે ભયી અબ

મેરે ભાગ । ભલા જું હોયતો કાહા ભયા, અબતો કરિયો ત્યાગ ।।૯૪।।

દીનબંધુ દરબાર સુની, મેં આયો હું મહારાજ । અધમ ઉધ્ધારન આપ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ગુણગ્રાહક

હો, નાથ ગરિબનિવાજ ।।૯૫।। મોટી નજર કરી મે’રકી, દેખોહો

દીનદયાલ । શ્રીસહજાનંદકે રાજ્યમેં, કહિક નિર્ભય કંગાલ ।।૯૬।। ઠાકુર

તમ ઠિકહી કરો, નહિ દુઃખહે સુખ શિર । મેરા મન અધિરિયા, ધરત

નહિ સોય ધીર ।।૯૭।। અબ અવગુન મેરા આપ તમે, દેખો નહિ જ્યું

દયાળ । અર્ભક કરે અપરાધકે, તૌ બાપ તજત નહિ બાળ ।।૯૮।। ઉદરમેં

અપરાધ અતિ, બહુવિધ કરહી બાળ, માત ન લાવત મનમેં, કરત પ્રીતે

પ્રતિપાળ ।।૯૯।। અબ કૃપાનિધિ એસી કરો, કહત હું કરભામ । લહિ

બડાઇ આપકી સુખ દીજીએ અબ શ્યામ ।।૧૦૦।। સુખસાગર તમ શ્યામ

હો, કૃપાળુ સુખકે કંદ । હો નાથ નિષ્કુલાનંદકે, સુખનિધિ સહજાનંદ

।।૧૦૧।।

ઈતિ શ્રીમદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુલાનંદ

મુનિવિરચિત ગુણગ્રાહ્ય ગ્રંથઃ સમાપ્ત

ગુણગ્રાહક સમાપ્ત

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન

-ઃ હરિવિચરણમ્‌ :-

૧૩

સોરઠા- મંગળરૂપ મહારાજ, રાજાધિરાજ કરુના કરી ।

નિજજન હિતકાજ, આજ રાજ મન મે’ર ધરી ।।૧।।

સબકે ઉપર જેહિ શ્યામ, ધામ અનંતકે જેહિ ધની ।

સો પ્રભુજી પૂરણકામ, જ્યાકિ મોટપ્ય નવ જાત ગની ।।૨।।

સો પૂરન પુરુષોત્તમ, પ્રગટ ભયે જનહિત હરિ ।

જ્યાકું નિગમ કહે અગમ, સુગમ સો હે નરતન ધરી ।।૩।।

અક્ષરપર અવિનાશ, જાસ પ્રકાશ આ જક્ત રયે ।

સો કરન કળિમળ નાશ, મનુષ્યાકાર મોરાર ભયે ।।૪।।

દ ા ે હ ા - અ ૈ સ ે શ્ર ી ઘ ન શ્ ય ા મ ક ુ ં , વ ં દ ુ વ ા ર મ વ ા ર । હરિવિચરન હરિકથા, કહું અબ કરી વિસ્તાર ।।૫।।

સ ુ ં દ ર દ ે શ સ ર વ ા ર મ ેં , છ િ પ ય ા છ બ ી ક ા ે ધ ા મ ।

દ્વિજ ધર્મભક્તિ ભવન, પ્રગટે શ્રીઘનશ્યામ ।।૬।।

ચોપાઈ- પ્રગટ ભયે પ્રભુ પૂરન ચંદા, નિજ જનકે ઉર દેન આનંદા ।

કપટિ કુટિલ કુકુર્મિ કુમતિ, ઈનકું સુખ રહો નહિ રતિ ।।૭।।

પ ા પ ી પ ા ખ ં ડ ી પ ર િ ત્ર્ ા ય ર ત ા , પ ર દ્ર ા ે હ ી પ ર ધ ન હ ર ત ા । ઐસે દુષ્ટ દેખિકે દયાળુ, કરી કરુના ભયે પ્રગટ કૃપાળુ ।।૮।।

સુભગ દેશ સરવારકે માંઈ, ગામ નામ હે છપિયા ત્યાંઈ ।

તામેં દ્વિજ વસે સરવરિયા, પરમ પવિત્ર ભાવકે જ્યું ભરિયા ।।૯।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

પ ા ં ડ ે હ િ ર પ્ર સ ા દ પ ૂ િ ન ત ા , િ ત ન ક ી પ ત્ ન ી બ ા લ ા પ િ ત વ ્ર ત ા । ધર્મવાન દોઉં દંપતિ દેખી, ભક્તિ વૈરાગ્ય જ્ઞાન વિશેખી ।।૧૦।।

તિનકે ભવન પ્રગટે બહુનામી, શિવ બ્રહ્માદિક સબકે સ્વામી ।

સંવત અઢાર વરષ સાડત્રિશા, ચૈત્ર શુદિ નૌમિકી નિશા ।।૧૧।।

દશ ઘટિકા જાતે જગદીશા, પ્રગટ ભયે સુર નર મુનિ ઈશા ।

અધર્મસર્ગ ઉત્થાપન કાજા, ધર્મસર્ગકો સ્થાપન રાજા ।।૧૨।।

બહુત જીવકું કરન ભવપારા, આયે આપ સબકે આધારા ।

સંત સુધર્મી શુભમતિ વારે, એહિ સબ જન ભયેહે સુખારે ।।૧૩।।

દ ં િ ભ દ ુ ષ્ટ દ ગ ા ક ે ક ર ત ા , ઈ ન ક ે ઉ ર ભ ય ે બ હ ુ બ ર ત ા । બિન બહની જરત પટપાસા, તેસેહિ જરી મરત અદાસા ।।૧૪।।

સંત સુખદ દુઃખદ દુરમતિ, ધરે ઘનશ્યામ નામ શુભ અતિ ।

કેતનેક દિવસ રહે એહ ગામા, પિછે આયે અયોધ્યા ધામા ।।૧૫।।

ત હ ા ં ર હ ે હ ે િ ક ત ન ે ક દ ન , પ ી છ ે ત્ ય ા ં સ ે ચ િ લ હ ે જી વ ન । જન્મતેં ભયે બરસ એકાદશે, તેહિ દિનસેં ભવનસેં નિકસે ।।૧૬।।

દ ા ે હ ા - ઘ ર ત જી ઘ ન શ્ ય ા મ હ િ ર , લ ૈ હ ે બ ન ક ી વ ા ટ ।

સ્નેહ તજી સંબંધીકો, ચલિહે બરનિરાટ ।।૧૭।।

ચોપાઈ- બહોત દિવસ ફીરે બનમાંઈ, દેખે શોભા સો વરની ન જાઈ ।

સર સરિતાકે નિર્મળ વારી, ગિરિ ગહ્વર અતિ સુખકારી ।।૧૮।।

પશુ પંખી બોલત બહુભાતી, કરત પરસ્પર શબ્દ સુહાતી ।

સો સબ સૂનત દીનદયાળા, ફિરત બનમેં ધર્મપ્રતિપાળા ।।૧૯।।

ફિરતા ફિરત વિતે દિન બહુ, દેખેહે બન ગિરિ શોભા સહુ ।

પિછે આયે મુક્તનાથ માંહિ, રહે ચારુ માસ આપે ત્યાંહિ ।।૨૦।।

ત્યાંસે આયેહે બુટોલ નગરે, મહાદત્ત ભગિની માયાજીકે ઘરે ।

ભગિની માયાકા કરી કલ્યાના, ત્યાંસે ચલિહું શ્યામ સુજાના ।।૨૧।।

મિલે ગોપાળયોગી બનમાંહી, વરસ એક રહે પોતે ત્યાંહી ।

યોગકળા સબ શીખવી આપે, શિખિ ગોપાળયોગિ નિષ્પાપે ।।૨૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

ઇનકો કાજ કરિકે મહારાજા, ચલે બહુત જીવ તારન કાજા ।

ત્યાંસે આદિવારાહ તીરથા, કોટિકોટિ જન હરન વિથા ।।૨૩।।

એહિ તીરથમેં જન જ્યો રહેહે, તિન સબનકું દરશન ભયેહે ।

પિછે ત્યાંસે ચલિહે સુજાના, શિરપુર આયે આપે ભગવાના ।।૨૪।।

શહેર શોભા કછુ બરની ન જાયે, સિદ્ધવલ્લભ હે તિનહીકો રાયે ।

સિદ્ધ સેવામેં અતિ અનુરાગી, ચાતુર માસ રખત દેખ ત્યાગી ।।૨૫।।

ત્યાં બસે હરિ પ્રાવૃટ્‌ ઋતુ, દેખાડ્યે સંત અસંત અનંતુ ।

ત્યાંસે ચલિહે આપ મહારાજા, નવલખા પરવત દેખન કાજા ।।૨૬।।

ત્યાંહિ નવ લખ યોગીકે વાસા, ગયેહે આપ ઉનહીકે પાસા ।

રહે તીન દિવસ હરિ ત્યાંહી, આયે બાલવા કુંડ તીર્થમાંહી ।।૨૭।।

તેહિ સ્થળમેં રહે દિન તીના, તીર્થવાસીકું દરશન દિના ।

ત્યાંસે ચલિ ગંગાસાગર આયે, ત્યાંકે રહેનાર દરશન પાયે ।।૨૮।।

અતિ ત્યાગ વૈરાગ્ય અસંધી, ત્યાંસે ચલિકે ખાડી ઉલ્લંઘી ।

કપિલાશ્રમે આયે સુખસિંધુ, પક્ષ તિન ત્યાં રહે દીનબંધુ ।।૨૯।।

ત્યાંસે આયે પુરુષોત્તમપૂરી, દેખે દુષ્ટ અતિ મતિ દૂરી ।

સોતો પરસ્પર લડીમુવા, હરિઇચ્છાસે અસુર નાશ હુવા ।।૩૦।।

મુવે અસુર અતિ અઘવંતા, તાકું દેખી ચલિ ભગવંતા ।

આદિકુરમેં આયે અવિનાશી, નિરખી નિહાલ ભયે ત્યાંકે વાસી ।।૩૧।।

ત્યાંસે ચલિ માનસપુર આયે, સત્યવ્રત નામ હે જીનકો રાયે ।

દેખી ત્યાગી વરનીકો વેષા, પરિવાર જાુત ભયો શિષ્ય નરેશા ।।૩૨।।

તાકો કરી કલ્યાન મહારાજા, પિછે ચલે રાજઅધિરાજા ।

ત્યાંસે આયે વ્યેંકટાદ્રિયે, દિયે દરશન સબકું હરિયે ।।૩૩।।

શિવકાંચિ વિષ્ણુકાંચિ જોઈ, આયે શ્રીરંગમેં નિરમોઈ ।

ઐસે ફિરત અવનિ અવિનાશી, દુષ્ટદમન સંતન સુખરાશી ।।૩૪।।

દોહા- જ્યાંજ્યાં વિચરે જગપતિ, ભૂમિપર ભગવાન ।

ત્યાંત્યાં જીવ જેહિ મિલે, તિનકો ભયો કલ્યાન ।।૩૫।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

જા ન ે અ જા ન ે જ ે િ હ જ ન , િ ન ર ખ ે ન ય ન ે ન ા થ્ ા ।

સોહિ સનાથ સબ ભયે, હોયે ન કબહું અનાથ ।।૩૬।।

ચોપાઈ - પિછે સેતુબંધ રામેશ્વરે, આયે નાથ ત્યાં આનંદભરે ।

દેખે સુંદર જાગ્ય સુહાઈ, રહે કાંયેક દિન આપે ત્યાંઈ ।।૩૭।।

િ પ છ ે ત્ ય ા ં સ ે ચ લ ે મ હ ા ર ા જા , અ ા ય ે શ્ર ી હ િ ર સ ુ ં દ ર ર ા જા । ભૂતપુરિ ત્યાંસે કુમારિકન્યાયે, પદ્મનાભમેં પ્રભુજી આયે ।।૩૮।।

જ ન ા દર્ ન અ રુ અ ા િ દ ક ે શ વ ે , ચ લ ે હ ે મ િ લ ય ા ચ લ દ ે ખ વ ે ।

પંઢરપુર જનાવાદ જગપતિ । ત્યાંસે દંડકારણ્ય કરી ગતી ।।૩૯।।

પિછે પધારે નાસકપુરમેં, અતિ ઉત્સાહ ભરે હરિ ઉરમેં ।

તાપી રેવા મહી સાભરમતિ, એહી ઉલ્લંઘી આયે પ્રાણપતિ ।।૪૦।।

ભીમનાથ આયે ભગવાના, બહુત જીવકો કરન કલ્યાના ।

ત્યાંસે ચલે હરિ ધિરેહિ ધિરે, આયે ગોપનાથ સિંધુકે તીરે ।।૪૧।।

ત્યાંસે આયે હે ગુપ્તપ્રિયાગે, અતિ કર્ષ ભયોહે તન ત્યાગે ।

પિછે આયેહે લોઢવે ગામે, તિન માસ રહે પ્રભુ તામેં ।।૪૨।।

પિછે આયે માંગરોળ્ય શહેરા, બહુત જીવપર કરી હરિ મહેરા ।

દેખી ભૂમિ પવિત્ર પુનિતા, કછુક મનોરથ મનમેં કિતા ।।૪૩।।

અન્નકો ક્ષેત્ર બંધાવ હું આંહિ, ઐસે સંકલ્પ કરે મનમાંહિ ।

ત્યાંસે પ્રભુજી લોઝ પધારે, સબહિ જનકું હરખ વધારે ।।૪૪।।

ત્યાંહિ વસતહે સ્વામિકે સંતા, ત્રિયે ધનકે ત્યાગિ અત્યંતા ।

તામેં મોટેરે મુક્તાનંદા, સબ સંતનકું દેત આનંદા ।।૪૫।।

તેહિ ગામ બાહિર વાવડી, બેઠે નાથ તિહાં દોઉ ઘડી ।

સ્વામિકે સંત એક તિયાં આયે, કરી વિનય લાયે જગો માંયે ।।૪૬।।

ત્યાંહિ આયકે બેઠે બહુનામી, સંત સબ બેઠે શિર નામી ।

પૂછન લાગે પરસ્પર બાતા, કૈહે એકએકકિ વિખ્યાતા ।।૪૭।।

સુનિહિ સંત વચન ભયે રાજી, કયેહે સંત સો મિલે મોયે આજી ।

કહે હરિ રખો તો રહું આંહિ, ઓર-ઠોર મન માનત નાંહિ ।।૪૮।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

સંત કહે બડે ભાગ્ય હમારા, જો રહના હોય નાથ તુંમારા ।

નાથ કહે હમ રયે તુમ સંગા, ઐસે હરિ કરી રયે ઉમંગા ।।૪૯।।

દ ા ે હ ા - ર ય ે લ ા ે ઝ મ ેં સ ા ધ ુ સ ં ગ ે , સ ુ ખ િં સ ધ ુ ઘ ન શ્ ય ા મ । ત્યાગ વૈરાગ્યકી વારતા, કરતહે આઠું જામ ।।૫૦।।

ઈતિ શ્રીનિષ્કુલાનંદમુનિવિરચિતે હરિવિચરણગ્રંથે પ્રથમો વિશ્રામઃ ।।૧।।

દોહા-કિતનેક દિવસ ત્યાં રહે, સંતસંગે સુખધામ ।

પિછે ચલેહે મહાપ્રભુ, દેખન ગામોગામ ।।૧।।

ચોપાઈ- સોરઠ દેશમેં ફિરે સુખકારી, કહું સો ગામકે નામ વિચારી ।

કાણક ગામ માળિયામેં આયે, જ્યાંહિ ભક્ત વસત મનભાયે ।।૨।

કાલવાનિ ગામ અગત્રાઈ, જ્યાં રહત ભક્ત પરવતભાઈ ।

કેશોદ ગામ ગામ હે મઢડા, જ્યાંહિ ભક્ત જેઠામેર બડા ।।૩।।

ગામ માંગલું અરુ આખા ગામે, આયે હરિ નરસિંહ દ્વિજ ધામે ।

પીપલાણા ગામે આયે સુખકંદા, જ્યાંહિ મિલે સ્વામી રામાનંદા ।।૪।।

નાવડા ગામ મેઘપુર આયે, જ્યાંમેં દ્વિજ બહુત જીમાયે ।

ત્યાંસે માનાવદ્ર આયે મહારાજા, જ્યાં હરિજનકો બહોત સમાજા ।।૫।।

મીતલી પાડોદર જ્યું પંચાળુ, સીલ માધવપુર ગહેયે દયાળુ ।

સમેધા સુત્રેજ ગામ વનથલી, ભક્ત કલ્યાને ભક્તિ કરી ભલી ।।૬।।

જીરનગઢ આયે જગદીશા, ભવ બ્રહ્મા સબ અમરકે ઈશા ।

તિયાં મનમેં યું ધારે મહારાજા, કરનો મંદિર કૃષ્ણકે કાજા ।।૭।।

સત્યસંકલ્પ અસત્ય ન હોઈ, બાંધેહિ ધામ જાને સબ કોઈ ।

એક દિન આપ ગયે કુંતિયાના, દેવડે ગયેહે શ્યામ સુજાના ।।૮।।

ભાડેર ગામમેં ભક્ત હે ભારી, ઝિઝરિ આયે આપે સુખકારી ।

જમુનાવડ પુરહે ધોરાજી, દેખી ભક્ત ભયે મન રાજી ।।૯।।

ફનેનિ સાંકળી પ્રબડિ ગુંદાળું, જેતલસરમેં આયે દયાળુ ।

જેતપુર અરુ ગાલોલ ગામા, ભક્ત હેત ત્યાં ગયે સુખધામા ।।૧૦।।

રબારિકું રાનપુર મોટે, ગોરવીયાળી ગયે લુંનાકોટે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

જે જેહ ગામ ગયે રયે રાતે, તે તેહ ગામ મેં કહ્યે ન જાતે ।।૧૧।।

દ ા ે હ ા - અ ે િ હ ભ ા િ ત હ િ ર િ વ ચ ર ે , ભ ૂ િ મ પ ર ભ ગ વ ા ન ।

દઈ દરશન આપકો, કર્યો બહુકો કલ્યાન ।।૧૨।।

ન ા ઘ ે ર વ સ ે વ ા લ ા ક મ ેં , ભ ક્ ત અ િ ત ભ ા િ વ ક ।

ઘનશ્યામ ફિરે ગો’લવાડમેં, સો કહું કરી વિવેક ।।૧૩।।

ચોપાઈ - ઉના સિમર ભટવદર, બારપટોળિ આયે શ્યામ સુંદર ।

ગામ રાજાુલા વસેહે વાવેરે, આયે ગામ ઘાણલે એહ ફેરે ।।૧૪।।

મેરિયાનાં ગોરડકા ગામા, ગાધકડે હોઈ ચલે સુખધામા ।

પિઠવડિમેં પધારે પ્રભુજી, એહ ભક્તકી ભક્તિ અતિ રજી ।।૧૫।।

મ વ ા પ ે થ્ ા લ પ ુ ર ત લ ા જા , ગ ય ે િ સ હ ા ે ર ર ા જ અ િ ધ ર ા જા ।

ભાવનગર ઉમરાળે આયે, રાજપીપળે ભક્ત મન ભાયે ।।૧૬।।

ગામ ગઢાળિમેં ભક્ત ભલેરે, પ્રભુ પધારે તિયાં બહુવેરે ।

ગામ વનાળિ ગુંદાળા ગામા, માલપુરામેં રહે ચઉ જામા ।।૧૭।।

આયે આસોદર ગામ રળિયાને, રહે ગઢડે સોહે જગ જાને ।

દેખી પવિત્ર અતિ હરિજન, રહે ત્યાં ભાવ કરી ભગવન ।।૧૮।।

કરે બહોત સમૈયા ત્યાં મેળે, ભયે ભક્ત સંત ત્યાં ભેળે ।

દઈ દરશ સ્પરશ દયાળે, કિને સંત બહુત સુખાળે ।।૧૯।।

આપ સામર્થી વાવરી અપારા, કિયે અનંત જીવકે ઉદ્ધારા ।

ત્યાંસે ચલિ ફિરે જેહ ગામા, સુનહો સબે કહું તિનકે નામા ।।૨૦।।

દ ા ે હ ા - ક હ ુ ં ક ા િ ઠ ય ા વ ા ડ ્ય ક ે , સ ુ ં દ ર ગ ા મ ક ે ન ા મ ।

જ્યાંજ્યાં વિચરે જગપતિ, સુખદ સુંદર શ્યામ ।।૨૧।।

ચોપાઈ- ખોપાળા લાખનકા ગામા, અડતાળા વનોઠ ગયેતે શ્યામા ।

ઉગામેડિ ગામ નિંગાળા, નિર્ખિ નાથ જન ભયેહે નિહાળા ।।૨૨।।

પીપળીયા ઇંગોરાળામેં આઈ, તાજપર સુરકે સુખદાઈ ।

સરવઈ ઝિંઝાવદર રયેહે, કેરિયે નસિતપુર ગયેહે ।।૨૩।।

ચાડા ગામ અલમપુર વળે, પચે ગામાદિ ફિરેહે સગળે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

રોઇસાળા પાટના પાનવિ, રતનપુર ગયે કહે કવિ ।।૨૪।।

ઝમરાળા ગામ કહિયે કારિયાની, તિયાં પધારે પ્રભુ સુખદાની ।

ભક્ત ભાવિકવસે જિયાં સારે, એહિ ગામ પ્રભુજીકું પ્યારે ।।૨૫।।

લ ા િ ઠ દ ડ ગ ા મ સ મ િ ઢ ય ા ળ ુ , ક ુ ં ડ ળ મ ેં પ ધ ા ર ે હ ે દ ય ા ળ ુ । શે’ર બરવાળે બહુનામી, આયે સતસંગી હિત સ્વામી ।।૨૬।।

રોઝિદ બેલા સાપર ગુંદા ગામે, ગામ ખાંભડા પધારેહે તામેં ।

સારંગપુરમેં સુંદર શ્યામે, બહુત લીળા ત્યાં કરી સુખધામે ।।૨૭।।

બગડ જાલિલા સુંદરીયાના, અનિયાલિ સાંલાસર કરે સ્નાના ।

ચંદ્ર મોરસિયા વાગડ બડભાગી, જિયાં પધારેહે શ્યામ સુવાગી ।।૨૮।।

ભેંસજાળ્ય લુયે કરી લીળા, બહુત સંત ત્યાં ભયેહે ભેળા ।

નાથ રહે નાગડકા માંઈ, ભક્ત સુરા નિરખિ હરખાઈ ।।૨૯।।

ગામ કોરડા સુદામડા સોઈ, ગામ ગાંરાભડિ પાળિયાદ જોઈ ।

કાનિયાડ બોડિ રુ રેફડા, અલાઉ બોટાદમેં ભક્તહે બડા ।।૩૦।।

નાગલપુર ભીમડાદ ગામં, સુખપુર રહે સંત સંગે શ્યામ ।

ગોરડકા સરતાંનપુર સોઇ, કંધેવારિયે ગયેહે નિરમોઈ ।।૩૧।।

પિપરડિ મોઢુંકા હાથસની, સોમનાથ ભોયરે ગયે સુખધની ।

કડુકા અર્નિયાળિ કાળાસરં, જસદન ગયેહે શ્યામસુંદરં ।।૩૨।।

કોટડા રાયપુર ગોખલાના, વાંકિયા વાસિકે કરેહે કલ્યાના ।

ગામ ખંભાળા ભડલિ કેરાળા, ત્યાંહિ પન ગયેહે દયાળા ।।૩૩।।

રામપુર અરુ માંડવધારા, વાવડિ ગયેહે પ્રાન આધારા ।

કરિયાના નિલવલા નડાળું, પિપલિયે પધારેહે દયાળું ।।૩૪।।

દેરડિ ગામ સરતાન પુરમેં, રહિ રાત ચલે હરિ ભોરમેં ।

ઐસે અવનિ અટન કરિકે, દઇ દરશ તારે જનનીકે ।।૩૫।।

દોહા- જ્યાંજ્યાં વિચરે જગપતિ, સહજાનંદ સુખખાન ।

ત્યાંત્યાં તારે જીવકું, દેઇકે દરશન દાન ।।૩૬।।

આપ અટન અવનિ કીયે, સુખસિંધુ ઘનશ્યામ ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

હરિ વિચરે હાલારમેં, કહું તેહિ ગામકે નામ ।।૩૭।।

ચોપાઈ - આટકોટ આયે અવિનાશી, સતાપુર ગયે સુખરાશી ।

ગામ બંધિયા માંડવે બહુનામી, દિયેહે દરશન દાસકું સ્વામી ।।૩૮।।

ગામ સિસાંગ મોવૈયા માંઈ, આયે ગોંડળ શ્યામ સુખદાઈ ।

ગામ ગોમટા વિરપુર ડયે, ઉમરાલિ ધોલીધારમેં ગયે ।।૩૯।।

ક ં ડ ા ે ર ડ ા દ ુ િ ધ વ દ્ર દ ય ા ળ ુ ં , ઝ ા ં ઝ મ ે ર ગ ય ે હ ે ક ૃ પ ા ળ ુ ં । ઉપલેટા જાળિયા ગણોદે, ભાયાવદ્ર આયે મન મોદે ।।૪૦।।

મ ુ લ ે લ ા ર ા જ વ ડ સ ન ા ે સ ર ા , ક ા લ વ ડ ે જ ન જા દ વ ખ ર ા ।

પિપલિયા વડા ખિરસરા, રાજકોટસેં ગયેહે ખોખરા ।।૪૧।।

પડાસૂન સરધાર સુખદાઈ, આયે હરિ ઉમરાલી માંઈ ।

કુંદનિ ભાડલા રાજપરં, ખાંભે આયેહે શ્યામસુંદરં ।।૪૨।।

ઇતિ શ્રીનિષ્કુલાનંદમુનિવિરચિતે હરિવિચરણગ્રંથે દ્વિતીયો વિશ્રામઃ ।।૨।।

દોહા - ધન્ય ધન્ય ભાગ્ય એ ભૂમિકો, ધન્ય ધન્ય જન મનજિત ।

દેખી ઐસેહિ દાસકું, હરિ ફિરતહે તેહિ હિત ।।૧।।

ચોપાઈ - પિઠડીયા ગામ વેરતિયે, ધુતારપુરમેં પ્રભુજી રિયે ।

મેડિ માતલિ મોડમેં પધારે, જનકે મનમેં આનંદ વધારે ।।૨।।

અલૈયા શેખપાટ વાડામેં, આયે વાલમ વનથળિ ગામે ।

ઝલુકે વાસ આયે અવિનાશી, તમાચિરોન ગયે સુખરાશી ।।૩।।

જાળિયા ગામ ધ્રોળમેં મહારાજા, બાંગવડિ ગયે ભક્તકે કાજા ।

હડિયાના ચાવડિ જોડિયા, ભાદરેમેં માસ એક રિયા ।।૪।।

માધાપુરસે ગયેહે આમણે, દિયે જનકું સુખ જાત ન વરણે ।

કોઠારીયા ભેલા પિપલિયે આયે, નિજજન મન અતિ હરખાયે ।।૫।।

મોરબી માથગ વેજલકે ગિયે, ખાખરેચિસેં માલિયે રિયે ।

કછ વાગડકે ફિરે હરિ ગામા, કહું પાવર અબડાસેકેનામા ।।૬।।

તુંના માથગ ચંધિયા મોઝારે, પ્રભુ પધારેહે શેહેર અંજારે ।

ગામ ખોખરા માનું માધાપરે, નાથ પધારેહે ભુજનગરે ।।૭।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

ભુજનગરમેં રહે બહુ દન, દેઈ દરસ કિયે જન મગન ।

ત્યાંસે ગયે માનકૂવા કુડકી, દેખી પ્રિત અતિ ત્યાં જનકી ।।૮।।

સાંમતરા દેશલપુર દયાળા, આપ ન જિમે જિમાયે મરાળા ।

ગામ મથોન મજલ મગવાંના, તિયાં પધારે તે આપ ભગવાના ।।૯।।

ગામ રુવા અરુ ગામ મોથાળા, જનહિત ફિરત જનપ્રતિપાળા ।

ગામ બેટા ભાંગાકિ ભલાઇ, જ્યાંહિ પધારે શ્યામ સુખદાઇ ।।૧૦।।

ધૂફિ ગામ શહેર હે તેરા, જિયાં કિયે હરિ બોહોત બસેરા ।

કાળાતલાવ નલિયા પિપરડી, કોકડાઉમેં રયે એક ઘડી ।।૧૧।।

ગામ સાંધાણ નુધાતડ માંઇ, ગયે કોટડિયે આપ ઇચ્છાઇ ।

ગામ રતડિયા કહું લાયેજા, તિયાં પધારે તે રાજ અધિરાજા ।।૧૨।।

ગામ ગોધરા ડોણ્યમેં દયાળા, દઈ દરશ જન કિને સુખાળા ।

શેહેર માંડવી ગામ સેરડી, પ્રભુ પધાર્યે માને ધન્ય ઘડી ।।૧૩।।

જરફરા ગામ ગામ સમાઘોઘા, દિને જનકું ત્યાં આનંદ અમોઘા ।

ગામ મુંદરા ગજોડ પુનડિ, તિયાં ગયે હરિ કરી બાત બડિ ।।૧૪।।

ગામ કેરા બંદરા બળધિયે, ત્યાં જઇ જનકું મગન કિયે ।

રામપુર ગોડપુર ગામા, ત્યાંસે ચાંદ્રાનિ આયે સુખધામા ।।૧૫।।

કોટડા નવાગામ દુધઇ, હરિજન હિત ફિરત હરિ મઈ ।

ધમડકા સિકરામેં સધાવે, ભચાઉમેં ભક્તકે મન ભાવે ।।૧૬।।

કંથકોટ ચોબારિ રયેતે, મનફરે ગામ મહારાજ ગયેતે ।

પાંકડસર હમિરપુરમેં, આયે પાયે જન આનંદ ઉરમેં ।।૧૭।।

આધુઇ સાપર આડ્યેસર જ્યું, ત્યાંહિ ગયે રહે આનંદભરજ્યું ।

ગામ ભીમાસર નારાયણસરિ, ઝંગી ગામમેં ગયેતે હરિ ।।૧૮।।

વાંઢિયા કંટારિયા ચિતરોડે, ત્યાં હરિ ફરી દુષ્ટ માન મોડે ।

પિપલી ગામ કિડિયા નગરં, તિયાં ગયે પ્રભુ સુખસાગરં ।।૧૯।।

સ ા ં ત લ પ ુ ર ગ ા મ ગ ા ે ત ર ક ે , મ ુ ઝ પ ુ ર ગ ય ે અ ા ન ં દ ભ ર ક ે । ઐસે અવનિમેં ફિરે અવિનાશી, સંત સુખદ શ્યામ સુખરાશી ।।૨૦।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

દ ા ે હ ા - ર ા મ પ ુ ર ર ા ત ા ે જ મ ેં , પ ધ ા ર ે ત ે ન ા થ્ ા ।

વિજાપરડે આયકે, ક્યિેહે જન સનાથ ।।૨૧।।

સ ા ૈ િ ભ ર દ ે શ ક ે સ ુ ં િ ન ય ે , સ ુ ં દ ર ગ ા મ ક ે ન ા મ ।

નિજજનકે હિત નાથજી, ફિરતહે શ્રીઘનશ્યામ ।।૨૨।।

ચોપાઈ- હરિજન હિત આયે હળવદા, નિરખી નિજજન પાયે મન મુદા।

માનસરમેં આયે નિરમોઈ, આપ એકાએક સંગ નહિ કોઈ ।।૨૩।।

ઢ વ ા ન ખ ા ર વ ા ભ દ્ર ે સ ર ી , દ ે વ ચ ર ા િ ડ પ ધ ા ર ે ત ેં હ િ ર ।

ડુમાના એક ગામકે નામા, તિયાં ગયે તે શ્રીઘનશ્યામા ।।૨૪।।

ધ્રાંગધરા અંકેવાળિયા ગાળા, મેથાન આયેહે દિનદયાળા ।

મૂળી જાયકે મનમેં યું ધારે, ઈયાં મંદિર હોય એક સારે ।।રપ।।

અ ૈ સ ે મ ન ા ે ર થ્ ા િ ક ય ે હ ે મ ન , મ ેં ન િ હ ક ર ે ં ગ ે સ ા ે જ ન ।

લીબલિ સાયલા મેનાપર રયે, સાસકા કરમડ ચૂડે ગયે ।।ર૬।।

વઢવાન રુ મેમકા સિયાની, ભલ ગામમેં આયે સુખદાની ।

પલાલિ પરનાંલા નાગનેશા, કંથારીયે આયે સુરમુનિઇશા ।।ર૭।।

અડવાળ્ય બરોલ્યે બહુનામી, ગિયે લિંબડીયે સમર્થ સ્વામી ।

ગામ સમલા લાલિયાદ બોડાના, ગામ તાવિયે રહે ભગવાના ।।ર૮।।

ગામ દેવળિયા કઠેચિ કયેહે, એહિ ગામમેં મહારાજ ગયેહે ।

કમેજલા રામગરિ કહાયે, કડુકે સારિયે ચિખલે આયે ।।ર૯।।

રાજપુર મેલાસના મછિયાવે, માનકોલપ મોડાસર વિછિયાવે ।

તિયાં પધારે તે પ્રભુજી આપે, દેઇ દરશન જન દુઃખ કાપે ।।૩૦।।

દદુકા સાપર રુ સિયાલ્યે, દિયે દરશન જન કાંનોતર દયાળે ।

હડાલા સમાનિ સરગવાળા, તિયાં ગયેહે જનપ્રતિપાળા ।।૩૧।।

વેજલકા જાખડા બોરું દોઇ, વારના વટાંમન આયે હરિસોઇ ।

રાયેપુર કઉકા કયેહે, પિસાવાડા વઉઠામેં ગયેહે ।।૩ર।।

ધોળકા કોઠય ગનેશ ધોળકે, તિયાં રહે હરિ એકાંત ખોળકે ।

ચલોડા ગામ બાવલે બહુનામી, ત્યાંસે પિછે ચલે સમરથ સ્વામી ।।૩૩।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

ગામ વડલા ઘોડે ઘનશ્યામ, રહે ત્યાંહિ હરિજી ચઉ જામા ।

ગામ કુંવાર્ય સાંનંદે સુખકારી, મનીપુરમેં આયેહે મોરારી ।।૩૪।।

તેલતલાવ રુ કહું કાસંદરા, ફિરત કરત હરિ પાવન ધરા ।

ગામ અરણેજ જાુવારદે જગપતિ, દેખતહે નિજભક્તકી ભગતિ ।।૩પ।।

દોહા - ભાખું ગામ અબ ભાલકે, જ્યાં વિચરે હરિ આપ ।

દૈ દૈ દરશન દાનકું, કિયેહે જન નિષ્પાપ ।।૩૬।।

જૈસે ભક્ત હે ભાલમેં, તૈસે નહિ હે કયાંઈ ।

સેવા કરન હરિ સંતકી, અતિ શ્રધ્ધા મનમાંઈ ।।૩૭।।

ચોપાઈ- પોલારપુર પરબડિ પુન્યવંતા, જીયાં રયે રજની ભગવંતા ।

ગામ ચોકડીમેં રાત રહેતે, સબ લોકકું દરશન દિયેતે ।।૩૮।।

સાપર સારેખ મિદાનાં ગામા, જિયાં હરિ કરેતે વિશરામા ।

નાવડા ગામકે ભક્ત હે નકિ, પ્રભુ આયે દેખિશ્રધ્ધા ઈનકી ।।૩૯।।

ગામ વાઢેલા લેકે લુનધરે, પ્રભુ પધારેહે ગામ સાંગાસરે ।

ગામ ઓતારિયે આયે અવિનાશી, ત્યાંસે આયે ધોલેરે સુખરાશી ।।૪૦।।

ઇતિ શ્રી નિષ્કુલાનંદ મુનિવિરચિતે હરિવિચરણ ગ્રંથે તૃતિયો

વિશ્રામઃ ।।૩।।

દ ા ે હ ા - ગ ા મ ધ ા ે લ ે ર ે અ ા ય ક ે , િ દ ય ે સ બ ક ુ ં દ ર શ ન । નિરખી જન નિજનાથકું, મગન ભયે હે મન ।।૧।।

ચોપાઈ - ધન્ય ધન્ય ધોલેરા ગામ, જિયાં ભક્ત રહત નિષ્કામ ।

પંચ વ્રતપર પ્રીત હે ઘની, ગ્રહી ટેક ન તજે આપની ।।ર।।

ઐસે ભક્ત દેખી ભગવંતા,ભયેહે રાજી આપે જ્યું અત્યંતા।

સતસંગી સબ દેખે શિરોમની, સંતકી સેવામેં શ્રધ્ધા ઘની।।૩।।

ઐસે ભક્ત દેખી ભયે રાજી, બોલાયે ભક્ત ભાવિક પુંજાજી ।

સુનહો પુંજાજી પરમ વિવેકા, આંહી મંદિર કરિયે કહું એકા ।।૪।।

તામેં બૈઠાયે સુંદર મૂરતિ, જો તુમકું હોય એ વાત ગમતિ ।

તબ બોલ્યા પુંજા ભાઈ હરિજન, અંતરજામી સ્વામી ધન્ય ધન્ય ।।પ।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

એહ ઘાટ હતે મેેરે હૈયે, સો તુમ કહે નાથ બિન કૈયે ।

મનોરથ એહે મેરા મનકા, કરી રાખેતે બોહોત દનકા ।।૬।।

અ ે હ દ ે શ મ ેં સ ં ત ન ઠ ે ર ે , ર િ હ ક ે ર ા ત ચ લ ત સ વ ે ર ે । જો કરો મંદિર આંહિ મહારાજા, તો રહે સબ સંતકો સમાજા ।।૭।।

યું કહિ જોરે સબે જુગપાની, તબ બોલે પ્રભુજી સુખદાની ।

સુનહું સતસંગી ભક્ત હમારે, કરિ હું મંદિર સુંદર સારે ।।૮।।

અ ૈ સ ે ક િ હ મ ં િ દ ર ક ર ા વ ા , ત ા મ ેં મ દ ન મ ા ે હ ન પ ધ ર ા વ ા ।

મદનમોહનજી બેઠાયે મંદિર મેં, કિયા એ કાજ મહારાજે અચિરમેં ।।૯।।

મદનમોહન શોભત અતિઅતિ, પાસે બેઠાઈ આપકી મૂરતિ ।

એતને કામ કરિકે મહારાજા, ચલે આપે રાજ અધિરાજા ।।૧૦।।

ગામ ગોરાસે ગયે ગિરધારી, પિને ત્યાં જઇ સુંદર વારી ।

સોઢિ આકરુ કાદિપુર ભડિયાદે, આમલિ નવાગામ ભોલાદે ।।૧૧।।

કમિતાલ કોઠડિયા સર્ગવાળા, રતનપુર ફેદરા રુપાળા ।

ઝિંઝર ગામે ગયે ગુનવંતા, સંગે સંઘ હતે બહુ સંતા ।।૧ર।।

ગામ ખરડમેં આયેહે નાથ, બોત ઘૃતે જન જમાંયે નિજ હાથ ।

ગામ ગાંફકે હે ભક્ત ઉદારા, ત્યાં તો પધારે પ્રભુ બહુવારા ।।૧૩।।

પછમ ગામ પપિલી કહતહે, ભલે ભક્ત તાહિમેં રહતહે ।

કમિયાળાકિ કહું કયા બડાઈ, વેરમવેર જયાં આયે સુખદાઈ ।।૧૪।।

ખસતા ખડોળ રોઝકે રયેહે, જસકા ગામ ધંધુકે ગયેહે ।

ઐસે ભાલમેં ફિરે ભગવંતા, દઈ દરશ બહુ ઉધ્ધારે જંતા ।।૧પ।।

દોહા- બારામે બહુ ગામહે, કહું તાહિકે નામ ।

જગજીવન જ્યાં જ્યાં ગયે, ભયે સો પુરન કામ ।।૧૬।।

ચ ડ ા ે ત ર ક ે િં ચ ત વ ી , ક હ ુ ં ગ ન ી ક ે ગ ા મ ।

સોઈ જાગ્ય સંભારિયે, જ્યાં ગયેહે સુખધામ ।।૧૭।।

ચોપાઈ - ગળિયાના વરસડે બહુવારા, ગયે દુધારિયે પ્રાન આધાર।

આડેવા બરોડામેં બહુનામી, આયે પુનાદસેં ચાંગડે સ્વામી ।।૧૮।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

દેથલી લીંબાસી ગામ સાહેલા, તિયાં આપે ગયે અલબેલા ।

ઈંદરનજ ખાનપુરમાંઈ, ગામ ગોલાને ગયેતે સુખદાઈ ।।૧૯।।

મીતલી ગુડેલ ગોરાડય ગામા, બુધેજમાં બહુ કિયે વિસરામા ।

ગામ મોરજ્ય ઉટવાળા ખંભાત્યે, બદલપુરમેં રયે હરિ રાત્યે ।।ર૦।।

ગામ દેવાણ ગયે અવિનાશી, બોચાસનમેં રયે સુખરાશી ।

સેરડી ઝિલોડ બામણગામા, તિયાં પધારે તે સુખધામા ।।ર૧।।

ગામ બોરસદ અરુ સુંદરના, વેરે પધારેહે અશરન શરના ।

દેદરડા દાવોલ ગામ ગાનાં, તિયાં ગયે રયે આપે ભગવાના ।।રર।।

વ લ ા સ ન ક ર મ સ દ ક ૈ ય ે , ગ ા મ જા ે ળ્ ય ે સ ુ ં ન ા વ સ ા ે લ ૈ ય ે । ધન્ય ધન્ય વરતાલ્યકે વાસી, જિયાં બહુત રહે સુખરાશી ।।ર૩।।

કિયે સમૈયા ઉત્સવ અનંતા, તિયાં મિલે સતસંગી બહુ સંતા ।

દિયે દરશ સ્પરસ દિન રાતી, કિયે સંત સુખી બહુભાતી ।।ર૪।।

પિછે કીયે ત્યાંહિ મંદિર તીના, તામેં બેઠાયે અતિ મૂરતિ નવીના ।

બાંધે ધામ શ્યામ સુખકારી, કરહી દરશન બહુ નરનારી ।।રપ।।

જોજો જન દરશન કરહી, સોઈ જન ભવફેરા ન ફરહી ।

સતસંગી સંતકું આપે કૈયે, ઈયાં આવના દોઉ સમૈયે ।।ર૬।।

રામનૌમી પ્રબોધની એકાદશી, વિન તેડે ત્યાં આવના હુંલસી ।

ઐસે આગન્યા કરી હરિ આપે, માની લીની સબ જન નિષ્પાપે ।।ર૭।।

પિછે પધારે પ્રભુ જેહી ગામા, સુનો સબે કહું તીનકે નામા ।

ગામ સંજાયા ચાંગા રુ વળોટે, રોન્ય આખરોલ્ય ભકત હે મોટે ।।ર૮।।

જ ેં ડ વ ે પ ર ે પ્ર ભ ુ જી પ ધ ા ર ે , ન ર સ ં ડ ા મ ેં અ ા ન ં દ વ ધ ા ર ે । કણઝરી બોરીયાવી જો કયે, સામરખામેં રાત હરિ રયે ।।ર૯।।

પણસોરા ઉમરેઠ ડાકોરકું, ગયે હરિ ત્યાં દેખેહે ઠાકોરકું ।

ગામ થામના હિરંજ ચુણેલે, તિયાં ગયેતે આપે અલબેલે ।।૩૦।।

વરતાલ્યસે વારુની દિશમેં, કહું ગામ હરિજન હે જિસમેં ।

બાંધની ગામ મેલાવ્ય પીપલાવ્યે, તિયાં શ્રીહરિ બહુવેર આવ્યે ।।૩૧।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

ગામ પાળજ આયે ત્રંબોવાડે, દેઈ દરશ હરખ પમાડે ।

તારાપુર સોજીતરા સોઈ, રોનજ કોઠાવી દેખેહે દોઈ ।।૩ર।।

ડાલી મંગરોલ્ય મયારી પરિયજે, સંજીવાડાકા જન મન રજે ।

વસુ અલંદરે ગયેતે મહારાજા, ગયે માતરમેં નિજજન કાજા ।।૩૩।।

શે’ર ખેડા રધવાનજ રયે, ગામ પલાના ડભાનમેં ગયે ।

તિયાં વસતહે બહુ હરિજન, દેખી અનઘ ત્યાં કિયેહે જગન ।।૩૪।।

અતિ સામર્થિ દેખાઈ ત્યાં શ્યામ, પિછે ચલે દેખન જન ગામ ।

ગામ હાથરોલી વનસર વાસી, ગયે બિલોદરે શ્યામ સુખરાશી ।।૩પ।।

ન િ ડ ય ા દ િ પ પ લ ગ પ ધ ા ર ે , બ ા મ ન ા ે િ લ મ ેં અ ા ન ં દ વ ધ ા ર ે ।

ગામ ટુંડાવ પિયજ દેગામે, દિયે જનકું દરશન શ્યામે ।।૩૬।।

દ ા ે હ ા - અ ૈ સ ે હ િ ર િ ફ િ ર અ વ ન ી , િ ક ન ી ચ ર ન અ ં િ ક ત ।

સો ધરાપર જન હે, વાકે ભાગ્ય અમિત ।।૩૭।।

ચોપાઈ- ગામ અરેરે ગયે સુખસિંધુ, મેમદાવાદમેં આયે દીનબંધુ ।

ગામ વડથલ સુંજ હે સારે, ડડુસરમેં પ્રભુજી પધારે ।।૩૮।।

કઠલાલ્યમેં આયેહે કૃપાળુ, ગયે તોરને જન પ્રતિપાળું ।

આંતરોલિ ઉંટડિયે મહાદેવ, તિયાં ગયે દેવાધિદેવ ।।૩૯।।

લુવાડય સલકિ ઘોડાસરમેં, રહે હાથરોલી આનંદભરમેં ।

કુનો ગામ અરુ વાંઠવારી, તિયાં પધારેહે શ્યામ સુખકારી ।।૪૦।।

ગામ માંકવા રુ કેશારા કહાઈ, હરીપુર ગયે સંત સુખદાઈ ।

ગામ ગામડી મઈજે મહારાજા, આયે વિસ ચોસર જન કાજા ।।૪૧।।

ઈતિ શ્રી નિષ્કુલાનંદ મુની વિરચિતે હરિવિચરણ ગ્રંથે ચતુર્થો વિશ્રામઃ

।।૪।।

દોહા- ધન્ય ધન્ય એ ભાગ્ય ભૂમિકે , જ્યાં વિચરે જગતાત ।

ઈનકે સમ એકે નહિ, કહું મુખસેં કયા બાત ।।૧।।

ચોપાઈ - નેસપુર અરુ નવાગામે, શ્રીહરિ આપ પધારેહે તામેં ।

જેતલપુરમેં જન પાવન, તિયાં કિયે પ્રભુયે જગન ।।ર।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

વિપ્ર જમાયે તિયાં બહુવિધિ, પ્રભુ પરચા જનાયે પ્રસિધ્ધિ ।

આપ સામર્થી જનાઈ જીવન, ભક્ત ભયભંજન ભગવન ।।૩।।

ગામ અસલાલીમેં આયેહે આપે, ગામ કમેડે જન દુઃખ કાપે ।

ગામ હાથીજન કનભા કહેજ્યું, ત્યાંહિ હરિ હેત કરિ રહેજ્યું ।।૪।।

ગામ વેલાલ્યકિ હે બડિ બાતા, જીયાં પધારે પ્રભુ સાક્ષાતા ।

ગામ દેગામ ગમિજમેં ગયેહે, વાસના માંહિ વાલ્યમજી રયેહે ।।પ।।

ખોખરા મેમદાવાદે મહારાજા, ત્યાં જઈ કરે કરનાં તાજે કાજા ।

અમદાવાદ આયે અવિનાશી, દુષ્ટદમન સંતન સુખરાશી ।।૬।।

નરનારાયણ દેવકી મૂરતી, કરી મંદિર બેઠાયે બદ્રિપતિ ।

શહેરકે બ્રાહ્મન સબકું જમાયે, કિયે સમૈયા સો કહ્યે ન જાયે ।।૭।।

જી ત ક ે ડ ં ક ા દ ઈ ક ે દ ય ા ળ ુ , ચ લ ે હ ે ન ા થ્ ા જ ન પ્ર િ ત પ ા ળ ુ । કોટેસર મોટેરે મોરારી, નાયે નાથ ત્યાં નિરમળ વારિ ।।૮।।

અડાળજમેં આયેતે અલબેલા, રહે રાત ત્યાં છેલ છબીલા ।

ઉંવારસદ્ય ગામ ઓલા નામે, ગયે હરિ રયે રજની એ ગામે ।।૯।।

ગામ વડુ વડસમેં વાલમ, આયે ખોરજ ગાય નેતિ નિગમ ।

ગામ પલિયડ ટુંડાલિ તામેં, નાથ આયે કરજીસન ગામે ।।૧૦।।

ગામ ડાંગરવા નારદીપુરમેં, આયે લાંગનોજ ઉગતે સુરમેં ।

મેઉ ગામમેં ભક્ત ભાવસાર હે, નામ હે ભુખન મન ઉદાર હે ।।૧૧।।

ત્યાંહિ પધારે પ્રભુ કરી પ્રીતિ, દેખી એહ ભગતકી રીતી ।

વસઈ ગામમેં ભક્ત હે ભારી, ના’યે ડાભલે નિર્મળ વારિ ।।૧ર।।

વિસનગરકી બરનું હું બાતા, જાંહાં પધારે તે જન સુખદાતા ।

સંત સહીત શહેરમેં પધારે, નિજજન મોદ મન વધારે ।।૧૩।।

ગામ ગુંજ્યામેં ન રયે ગોવિંદ, ગયે વડનગર સુખકંદ ।

વડનગરમેં રયે હરિ રાતી, દિયે સુખ જનકું બહુભાતી ।।૧૪।।

દ ા ે હ ા - િ વ ચ ર ત અ ૈ સ ે વ ા લ્ ય મ જી , ભ ૂ િ મ પ ર ભ ગ વ ા ન ।

દેખત દેશ અરુ ગામકું, જનહિત જીવન પ્રાન ।।૧પ।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

ચોપાઈ- ગામ ઝુલાસન ઉંઝામેં આઈ, ત્યાં હરિ સંતકી મંડળી બોલાઈ

ગામ અવઠોર હે એક સારા, ત્યાંહિ પધારેતે પ્રાણ આધારા ।।૧૬।।

સિતપુર જાઈ કિયે સમૈયા, કરે ઉત્સવ સો જાત ન કૈયા ।

કિયે ધૂન જામનીકે જુગ જામા, પિછે પ્રભુજી પોઢે સુખધામા ।।૧૭।।

પ ા ટ ન મ ા ં િ હ પ ર બ ્ર હ્મ પ ધ ા ર ે , િ ન જ જ ન મ ન મ ા ે દ વ ધ ા ર ે ।

ગામ ભકોડે ગયે ભગવાના, દિને સબકું દરશન દાના ।।૧૮।।

મેસાનામેં શ્રીમહારાજ આયે, હરિભક્તે ભાવેશું જીમાયે ।

ગામ બામનવે આયે બહુનામી, કરે રસોઈ નિજકર સ્વામી ।।૧૯।।

ગામ ગેરિતે ગયે ગિરધારી, દેખી ભક્તકો ભાવ અતિભારી ।

ગામ ગવાડા વિહાર મેવાસા, રહે રાત આપે અવિનાશા ।।ર૦।।

િ વ જા પ ુ ર મ ેં વ સ ે હ િ ર જ ન , િ ત ય ા ં ગ ય ે હ ે અ ા પ ે ભ ગ વ ન । સિધ્ધપુરમેં આયે સુજાના, ઐસે ફિરત કરત કલ્યાના ।।ર૧।।

ગામ નામ લાખરોડા સોઈ, પ્રભુ પધારે અનુડવા જોઈ ।

પ્રાંતિપુરમેં પ્રભુજી પધારે, બહુત જીવકે કાજ સુધારે ।।રર।।

ગામ માનસે આયે અવિનાશી, કીયે જન સુખી સુખરાશી ।

ગામ નાદરિમેં નાથ ગયેહે, ઘડિ દોયેક ત્યાંહિ રયેહે ।।ર૩।।

ગામ ઉનાવે આયે સતંસંગે, જન જીમાયે અતિ ઉચ્છરંગે ।

કોલવડા એક ગામકા નામા, તિયાં ગયેતે સબ સુખધામા ।।ર૪।।

ધમાસણાકા ભાગ્ય ધન્ય ધન્ય, જીયાં ગયેતે જગજીવન ।

આદરેજમેં કિયે અન્નકોટે, થાપે સદગુરુ ચારુ ત્યાં મોટે ।।રપ।।

અંબાસનમેં આયે હરિ આપે, દઈ દરશન જનદુઃખ કાપે ।

ગામ માથાસુલ ગયે મુકુંદા, નિજ્જનકું દિયેહે આનંદા ।।ર૬।।

ગામ નંદાસન ગયેહે નાથા, બહુત જીવકું કિયેહે સનાથા ।

કરુનાસિંધુ ગયેહે કુંડાલે, કડી રાજપુર દેખ્યા દયાળે ।।ર૭।।

દ ા ે હ ા - જ ે િ હ જ ે િ હ ગ ા મ ગ ય ે ર ય ે , િ ક ય ે િ ત ન ક ે ન ા મ । રસ્તાકે કૈ રહિ ગયે, સો ન કયે ગામ નામ ।।ર૮।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

વ ર ત ા લ્ ય સ ેં દ િ ક્ષ્ ા ન િ દ શ , ગ ા મ ગ ુ ન ક ે ધ ા મ ।

સો કહું સુનિયો સબે, જ્યાં ગયેહે ઘનશ્યામ ।।ર૯।।

ચોપાઈ- ગામ બાકરોલ ગયે બહુનામી, સુદર શ્યામ સંતકે સ્વામી ।

આનંદ ગામ ગયે પ્રાનપતિ, દેખી દુષ્ટ દાઝે ઉર અતિ ।।૩૦।।

સ ા ં ક ર દ ા મ ેં અ ા ય ે સ ુ ખ ક ા ર ી , ર હ ે ર ા ત ભ ક ત ભ ય હ ા ર ી । શહેર બડોદરે આયે સુખદાતા, કહું કછુંક મેં તાહિકી બાતા ।।૩૧।।

નૃપ પ્રભુ પધરાવન કાજા, આયે સામૈયે ગજબહુ બાજા ।

ગાજતે વાજતે ઘરુ પધરાયે, કરે વિનય પરે પ્રભુકે પાયે ।।૩ર।।

કિનિ પૂજા ષોડશ પ્રકારા, ધૂપ દીપ કર આરતી ઉતારા ।

કર જુગ જોડી કહત નરેશા, હમ હે તુમારે કહી નામે શીશા ।।૩૩।।

પિછે પ્રભુજી આયે હે ઉતારે, આયે દર્શને શહેર લોક સારે ।

બડેબડેકે મોડેહે માના, અતિ સામર્થી દેખાઈ ભગવાના ।।૩૪।।

તિયાં રયે હરિ દિન તીના, પિછે ચલે પ્રભુજી પ્રવીના ।

જ્યાંજ્યાં ગયે જગ આધારા, ત્યાંત્યાં કિયે જીવ ભવપારા ।।૩પ।।

દોહા- ઐસે અટન અવનિ કરી, જગજીવન જન હેત ।

જેહિ જન નિરખે નાથકું, સો જાય નહિ જમનિકેત ।।૩૬।।

ચોપાઈ - એકલબારે આયે એક દંના, હરિ ફિરી કરે પૃથવી પાવંના ।

ગામ ડભાસે આયે દયાળુ, લતીપુર પધારે કૃપાળુ ।।૩૭।।

ગામ પાદરે આયે પરબ્રહ્મ, નેતિ નેતિ જાકું કહત નિગમ ।

સરસવનીમેં આપે હરિ આયે, નાથ નિરખીકે જન સુખ પાયે ।।૩૮।।

ગામ સોખડે ગયે સુખદાઈ, રહે રાત એક હરિ ત્યાંઈ ।

ગામ દોરામેં આયેહે દયાળુ, ભક્તવત્સલ ભક્તપ્રતિપાળુ ।।૩૯।।

ગામ ટંકારિયે રયે હરિ રાતે, ત્યાંસે પ્રભુજી ચલેહે પ્રભાતે ।

ગામ સિતપર અળદર આયે, હરિજનકે મન અતિ ભાયે ।।૪૦।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

દોહા- પરમારથ હેત કારને, ફિરતહે ગામોગામ ।

દૂર નિકટ દેશવિદેશકું, ગનત નહિ ઘનશ્યામ ।।૪૧।।

ઇતિ શ્રી નિષ્કુલાનંદમુનિ વિરચિતે હરિવિચરણ ગ્રંથે પંચમો વિશ્રામઃ ।।પ।।

ચોપાઈ - પિછે પ્રભુજી ગયે ઝાડેસરે, ત્યાંસે નાથ નર્મદા ઉતરે ।

માછીપુરમેં રયેહે મહારાજા, કિયે કૃપા કરી કિરકે કાજા ।।૧।।

રયે ચોકીમેં રજની જામ ચારુ, ત્યાંસે ઉઠકે ચલેહે સવારુ ।

ત્યાંસે આયે ગામ કોસાલા, તાપી સરિતા ઉતરે દયાલા ।।ર।।

મસ્તુબાગમેં કિયે હે ઉતારા, આયે દરશને જન અપારા ।

સુરત શહેરમેં આયે સુખકારી, નિરખી નિહાલ ભયે નરનારી ।।૩।।

જે જન નિરખે નાથ નેનું ભરી, સોયે અનાથ નોયે પિછે ફરી ।

જાને અજાને જોયે અવિનાશી, સો સબ ભયે હરિધામ નિવાસી ।।૪।।

ઐસી મૂર્તિ સુરતમેં આઈ, કરી લીલા જન મન ભાઈ ।

ધન્ય ધન્ય એ ભકતકી ભકિત, જ્યાંહી પધારે આપે પ્રાનપતિ ।।પ।।

દિવસ સપ્ત તિયાં નાથ રયેહે, ત્યાંસે પ્રભુજી પિછે ગયેહે ।

હિરતે ફિરતે દેત દરશન જનકું, દેખત ગામ પુર પત્તનકું ।।૬।।

દ ા ે હ ા - ધ મર્ ક ુ ં વ ર ધ મર્ પ ુ ર ે , જા ન ન િ ક ય ે િ વ ચ ા ર । એક મુમુક્ષુ જીવ હિત, તારે બહુ નરનાર ।।૭।।

ચોપાઈ- એક દિન હરિ આયતે ઉધને, નિરખી લાવો લીયો જન મને ।

હાર અપાર પહેરાયે નાથકું, લાયે મિઠાઈ જમાયે સાથકું ।।૮।।

દિયેહે દરશન જનકું દયાળે, ત્યાંસે ચલે પ્રભુ પ્રાતઃકાળે ।

ચિખલીમેં રયે પો’ર ચારુ, ત્યાંસે શ્યામ ચલે હે સવારુ ।।૯।।

પનછ ગામમેં આયે પ્રાનનાથા, નિજસેવક સંત હે જ્યું સાથા ।

ધન્ય ધન્ય ધર્મપુર ધન, જીયાં વસત વિવેકી હરિજન ।।૧૦।।

સત્ય અસત્ય રુ સાર અસારા, તિનકું તપાસી કીયે નિરધારા ।

બોહોત મતપંથ ભેખદેખે, ધન ત્રિય ત્યાગી પુરુષ ન પેખે ।।૧૧।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

શોધત શોધત મિલે સાચા સંતા, જીનકું મિલેહે પ્રગટ ભગવંતા ।

સોઈ સંતને કરી બહુ વાતા, પ્રભુ બતાયે સહજાનંદ સાક્ષાતા ।।૧ર।।

સોહી સુંનકે અંતર આંટી પારી, સોતો ન ઉખરે કિનકી ઉખારી ।

પિછે દરશકી તરસ ભઈ ભારી, સોયે પધારે ઘેરે સુખકારી ।।૧૩।।

નિરખી નાથ ભઈ ગદગદ ગીરા, દોય નયનમેં ચલે હે નીરા ।

પિછે બોલાયે નાથ કરી હેતા, તબ તને બાઈ હોઈ સચેતા ।।૧૪।।

લાગી પાય વિનય બહુ કીના, રાજ્ય મહારાજ મેં તુમકું આ દીના ।

ઐસા સુનકે બોલે હરિ તૈયે, રાજ્ય હમારે સ્વપ્ને ન ચૈયે ।।૧પ।।

તુમહી કરો રાજ્ય તુમારા, અંતરમેં રખો પ્રભુજી પ્યારા ।

ઐસે કહી કરે ત્યાં સમૈયે, ત્યાંસે વાલ્યમ વાંસદામેં ગયે ।।૧૬।।

દોહા - વિવિધ ભાતકી વાંસદે, હરિ કરી હે લીલા ત્યાંય ।

દેઈ દરશન સબકું, પ્રભુ આયે ધર્મપુર માંય ।।૧૭।।

ચોપાઈ - એક દિન આયે અંકલેસરમેં, રયે રાત ત્યાં આનંદભરમેં ।

શેહેર ભરોચમેં આયે ભગવાના, દિને જનકું દરશન દાના ।।૧૮।।

ગામ નામ મોવા એક સારા, ત્યાંહિ પધારેતે પ્રાન આધારા ।

મોતા ગામ કોસમડિ કહેજ્યું, જીતાલીમેં જગદીશ રહેજ્યું ।।૧૯।।

ગામ સોમોર આયે અવિનાશી, જન કારન ફિરત સુખરાશી ।

ગામ વગોસને આયે સુખકંદા, કેલોદ ગામે રયેહે ગોવિંદા ।।ર૦।।

બ ુ વ ા ગ ા મ મ ે ં બ હ ુ હ િ ર જ ન , ર હ ી ર જ ન ી િ દ ય ે દ ર શ ન । શહેર આમોદ ગામ કેરવાળા, ત્યાંહિ પધારે તે દિનદયાળા ।।ર૧।।

ગામ કારેલે રજની રયેહે, ભોજ ગામમેં ભગવાન ગયેહે ।

ગામ ગજેરા વડું કાવખાંના, જ્યાંહિ રયેતે શ્યામ સુજાના ।।રર।।

ગામ ચોકારીસેં ચલે દયાળુ, મહી ઉતરે દીન પ્રતિપાળુ ।

ગામ ગાજને પ્રભુજી પધારે, નિર્ખી નાથ જનમ સુધારે ।।ર૩।।

ગામ ઉમલાવ્યમેં હરિ આયે, સબ જનકે મન અતિ ભાયે ।

ગામ રુંદાલ્યમેં રહે જેહિ જન, નિરખી નાથ સો ભયે પાવન ।।ર૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

ઐસે ફિરતેહે નાથ પૃથવી, તારન જીવ કારન કહે કવિ ।

જો જો નજરે ચડે નરનારી, સોઈ જાત નહિ જમકે દ્વારી ।।રપ।।

ગિનત ગિનત ગિને બહુ ગામ, જ્યાંહિ પધારેહે શ્રીઘનશ્યામ ।

કયે કેતે રહી ગયે ઘને, સબે સંભારી કેતે નહિ બને ।।ર૬।।

આસપાસ નહિ અનુકરમેં, કયે કછુક હરિ ફિરે જે ધરમેં ।

ભક્ત અભક્તકે ગામ સબ બરને, હરિજનકું ચિંતવન કરને ।।ર૭।।

ઐસે ફિરિ હરિ આયે ગઢડે, એહ ભૂમિકે ભાગ્ય હે જ્યું બડે ।

શ્રી ઘનશ્યામ મૂર્તિ સુખકારી, નિર્ખી સુખી ભયે નરનારી ।।ર૮।।

કંઈક જીવકું દરશન દીના, કેતનેક સુની સમરન કિના ।

પ્રભુ પ્રગટ સુની જન કાને, દેશ પ્રદેશથી આયે જન તાને ।।ર૯।।

જીવ જીજ્ઞાસુ જગતમેં જોઈ, સોતો સુનિ કે રયે નહિ કોઈ ।

જે જનકું ભનક પડી કાનું, સો સબ ધામ કે વાસી મેં માનું ।।૩૦।।

આગે બહુત ભયેહે અવતારા, દેવી જીવકા કિયાહે ઉદ્ધારા ।

દૈવી આસુરી જીવ જો જગમેં, સો સબ ચલાયે મુક્ત કે મગમેં ।।૩૧।।

આપ પ્રતાપે ઉદ્ધારે જન અતિ,વાકિ ગિનતે ન હોયે ગિનતિ ।

નરનાર ઉદ્ધારે અપારા, સો સઠ ચાયે કરન નિરધારા ।।૩ર।।

દિયેહે બહુત જીવકું અભયદાના, અતિ સામર્થી વાવરી ભગવાના ।

આપ સંબંધે અરુ મૂર્તિ કે દ્વારે, સંત વાતસે બહુ જીવ તારે ।।૩૩।।

સતસંગી બાઈ ભાઈકી બાતે, તારે જીવ સો કયે ન જાતે ।

પિછે કિયે આચાર્યજ દોઈ, તારન જીવ કારન કહું સોઈ ।।૩૪।।

એહ પંચમે કોયકો પ્રસંગા, જો મીલે તો મિલત સુખ અભંગા ।

ઐસે બહુવિધ કિન ઉદ્ધારા, વાકુ કહત ન આવત પારા ।।૩પ।।

અનંત જીવ લીયે હરિ શરને, દિને સુખ સો જાત ન વરને ।

દેશ વિદેશ વન ગિરિ જ્યાંઈ, તારે જીવ રહેતે જ્યું ત્યાંઈ ।।૩૬।।

પુર નગર ગામ અરુ ઘોષા, તિનકું મિલિ કરે જન અદોષા ।

દેઈ દરશ સ્પરશકો દાના, બહુત જીવકો કીયો કલ્યાના ।।૩૭।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

પશુ પંખી પન્નગકું તારે, સ્થાવર જંગમ બહોત ઉદ્ધારે ।

જોજો નજરુ આયે અરીધારી, સોસો સુખ પાયે અતિ ભારી ।।૩૮।।

તાકો આશ્ચર્ય માનો મત કોઈ, સબ શિર શ્યામ આયેહે સોઈ ।

તાસે જીવકો હોય કલ્યાના, નિઃસંદેહ એહ વાત નિદાના ।।૩૯।।

સબ કારનકો કારન જેહી, સબ અવતાર કે અવતારી એહી ।

સો નરતન ધરિ હરિ આપે, તારે જીવ બહુ આપ પ્રતાપે ।।૪૦।।

હરિ વિચરનકી કહી બાતી, યથારથ કહી કોયે નહી જાતિ ।

એતની સુનકે રહો આનંદા, એસે કહત હે નિષ્કુલાનંદા ।।૪૧।।

સોરઠા- હરિવિચરનકી વાત, કહી સુની મેં દેખી દગકી ।

જ્યું હે ત્યું સાક્ષાત, કેતે ન બને કવિ કોટિસે ।।૪ર।।

ઇતિ શ્રી નિષ્કુલાનંદમુનિ વિરચિતે હરિવિચરણ ગ્રંથે ષષ્ઠો વિશ્રામઃ ।।૬।।

દોહા- જોજો ગામ ગનીકે કયે, જ્યાં ગયે રયે ઘનશ્યામ ।

અબ નહાયે જ્યાં નાથજી, કહું સોયે સ્થળકે નામ ।।૧।।

ચોપાઈ - છપિયે ના’યે હરિ આનંદ ભરમેં, બગિયા ચુડિયા દોનું સરમેં

મનોરમા સરજુ સરિતા, તામેં નાહી નાથ કિન પુનિતા ।।ર।।

ઘાઘરા નદી કે ઘાટ અનૂપા, તામે ના’યે ઘનશ્યામ સુખરુપા ।

ટેડી રુડી નદી જો રાવતી, તામેં નાથ ના’યે પ્રાનપતિ ।।૩।।

બડિ રાવતી નદી વિસવિ, તામેં ના’યે હરિ કહતહે કવિ ।

બાલવાકુંડ ગંડકિમેં ઘનશ્યામ, ના’યે ઓરમેં સંત સુખધામ ।।૪।।

ગંગા યમુના જ્યું નદી ગોમતી, એહ નદીમેં નહાયે પ્રાનપતિ ।

ગંગાસાગર અરુ કપિલાશ્રમે, ના’યે નાથ તાંહિ એક સમે ।।પ।।

ર ા મ ે શ્વ ર િં સ ધ ુ ક ે ઘ ા ટ જ ુ ં , ત ા િ હ મ ેં ન ા ’ ય ે વ ર ન ી ર ા ટ જ ુ ં । શિવકાંચિ વિષ્ણુકાંચિમેં જાઈ, એહ નદીમેં ના’યે સબે સુખદાઈ ।।૬।।

પંઢરપુરમેં નિરમળ નિરા, તામેં નહાયે શ્યામ સુધીરા ।

ધર્મપુર નદી ના’યે સુખધામા, નઉતમ નીર નદી કે નામા ।।૭।।

પનછ ચિખલીકી નદી નિહાળે, નાથ ના’યે જન કીન સુખાળે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

તાપીનદીમેં ના’યે જબ નાથ, દિયે દરશન જન કીન સનાથ ।।૮।।

ચોકિમેં રહી ચતુર સુજાન, ચિની નદીમેં કિનેહે સ્નાન ।

ભરોચ શહેર ના’યે નદી રેવા, વિશ્વામિત્રી ના’યે જુગ દેવા ।।૯।।

મહી નદી ના’યે સુખસિંધુ, સાભર ના’યે દીનકે બંધુ ।

ભોગવતીમેં ના’યે ભગવાના, ભદ્રાવતીમેં કરેહે સ્નાના ।।૧૦।।

નિલકા ના’યે નદી ઉતાવળી, ઐસે નહાયે નદી નિરમલી ।

શિયોર ના’યે બ્રહ્મકુંડમાંહી, ત્યાંસે સરિત શિત્રોજી જો નાહી ।।૧૧।।

ગોપનાથે નિરનિધિમેં ના’યે, ડાંઠા મવાકિ નદી સુખદાયે ।

ચંદ્રભગા પિપાવાવ્યકે પાસે, તામેં નહાયે નાથ હુલાસે ।।૧ર।।

ધાત્રવળી બડિ નદી જન જાનો, ના’યે નાથ તામેં સબ માનો ।

ઉંને મછંદરીકે નિરમળ નિરા, તામેં ના’યે ઘનશ્યામ સુધીરા ।।૧૩।।

ગુપ્તપ્રયાગમેં ના’યે ગુનવંતા, અતિ કૃષ તન ત્યાગ અત્યંતા ।

લોઢવે ના’યે વાપી અરુ કૃપે, ભયે પવિત્ર એ તીરથરુપે ।।૧૪।।

કોડિનાલકી નદી નવીના, તામાંહિ હરિયે સ્નાન કીના ।

પાટન ના’યે હિરણ્ય સરસ્વતિ, માલિયે મેગન ના’યે મહામતિ ।।૧પ।।

નોલિ નદી ના’યેકે અવિનાશી, શહેર માંગરોળ આયે સુખરાશી ।

ત્યાં વાપિ કુપ સરોવર ના’યે, ત્યાંસે ચલિકે લોઝમેં આયે ।।૧૬।।

તાંહિ ના’યે નાથ વાવ્યકે વારિ, પિછે રહે એહ ગામમેં વિચારી ।

સ્વામી કે સંત ત્યાં રહત સમોહા, જાકું કામ ક્રોધ નહિ મોહા ।।૧૭।।

ઐસે સંત જાનીકે શીલવંતા, તાકે ભેળે રહે ભગવંતા ।

બોહોત દીન ત્યાં રહે રંગભીને, દેખાયે પ્રતાપ આપ નવીને ।।૧૮।।

સોતો બાત હે અતી અનૂપા, અબ કહું હરિ કરે તીરથ સ્વરુપા ।

કાલવાની આયે કૃપા નિધાના, ત્યાંહિ નદીમેં કિને સ્નાના ।।૧૯।।

સુંદર ગામ એક અગત્રાઈ, કિનિ પવિત્ર નાથ નદી ના’ઈ ।

રિબડી ઓઝત નદી અનૂપા, ના’યે પિપલાને કિને ગંગારુપા ।।ર૦।।

પંચાળે ના’યે સાબલી સરમેં, કિયે ઉત્સવ ત્યાં આનંદભરમેં ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

માનાવદર નદી ના’યે અનૂપા, નાથજી ના’યેહે લક્ષ્મી કૂપા ।।ર૧।।

મ ે ઘ પ ુ ર ક ી ન દ ી ન વ ી ન ા , ઉ બ ે ન મ ેં અ ા પ ે સ્ ન ા ન િ ક ન ા । ભાડેર નદી નિરમલ જાની, ભદ્રાવતીમેં ના’યે સુખદાની ।।રર।।

વિનુ મોજ્ય નદી ઉતાવળી, દુધીવદ્ર ના’યે ફોફલ નિરમળી ।

ફનેની સુંદર નદીકે નેડે, જેતપુર ના’યે નાથ દડેડે ।।ર૩।।

જીરનગઢ જો કુંડ દામામેં, ના’યે નાથ નદી કાલવામેં ।

ના’યે સિત્રોજી કાંકચ્ય ગામે, ના’યે કરિયાને કાલુભાર તામેં ।।ર૪।।

ગાલોલ્યે ગાલોલિયે સુરવે શ્યામ, ગોંડળે ગોંડળીયે ના’યે સુખધામ ।

બંધિયે નદીમેં કરમાલ કોટડે, છાપરવાડી ના’યે કંડોરડે ।।રપ।।

કાલાવડ ના’યે નદી કાલાવડી, ધુતારપુર ના’યે ફુલઝર રુડી ।

મોડે અલિયે ના’યે રુપારેલે, ભાદરે ઉંડયે ના’યે અલબેલે ।।ર૬।।

આજી નદી ના’યે રાજકોટે, સરધાર ના’યે સર સુંદર મોટે ।

મછો ના’યે વાંકાનેર મોદભરે, આટકોટ બુટાંનપુરી ભાદરે ।।ર૭।।

ગઢડે ના’યે ઘેલે ઘનશ્યામ, સતસંગી સંત સહિત સુખધામ ।

એહ નદી સબપર શિરોમનિ, નાહિ નાથ કિની પતિત પાવની ।।ર૮।।

બોટાદે કૂપે લોયે ભાદરમેં, સુખપુર ના’યે કેરી સાદરમેં ।

ઝિંઝાવદર ના’યે પાડલિયે, કારીયાની સરે કુંડળ ઉતાવલિયે ।।ર૯।।

કમિયાળે ના’યે નાથ તલાવે, શિયાલ્ય સરે સરે મછિયાવે ।

દદુકે તલાવ તલાવ મેથાના, હળવદ તલાવે ના’યે ભગવાના ।।૩૦।।

ત્યાંસે પધારે વાગડ દેશા, ના’યે લખાસરી સુર મુનિઈશા ।

કંટારિયા લાકડિયા આધોઈ, નાથ કંથકોટે સરે નિરમોઈ ।।૩૧।।

ભુજનગર ના’યે ભટકી વાડી, ગામકે કૂપ નહાતે હરિ દાડી ।

કેરે નદી નદી ગજોડે, માંડવીયે ના’યે રતનાકર રુડે ।।૩ર।।

ડોણ તલાવ માનકૂવે ગંગાયે, તેરે ના’યે હરિ તલાવમાંયે ।

લાલ તાલ તાલહે કાળું, તામહિ ના’યેહે નાથ દયાળુ ।।૩૩।।

ભચાઉ કૂપ અનુપમ સારા, કૂપ વાપી સર સાગર અપારા ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

જ્યાં જ્યાં નહાયે જગજીવન, સો સબ થયે તીરથ પાવન ।।૩૪।।

સિદ્ધપુર સરસ્વતીમેં ના’યે, ત્યાંસે વાલ્યમ ગુર્જર ધર આયે ।

સિંધપુર મોટેરે સાભરમતી, ના’યે જેતલપુર સરે શુભમતિ ।।૩પ।।

ન ા થ્ ા ન ા ’ ય ે ત ે વ ા ત્ર્ ા ક શ ે ઢ ી , સ ં ત મ ં ડ ળ સ બ સ ં ગ ત ે ડ ી । વઉઠે નાથ ના’યે ત્રિવેની, તીરથરુપ ભઈ સુખ દેની ।।૩૬।।

વરતાલે ના’યેનાથ ગોમતી, સો કિની સબસે બડી અતિ ।

ઐસે અનેક વાપી કૂપ સરમેં, ના’યે કુંડ નદી સાગરમેં ।।૩૭।।

જોજો કયે મેરી જાનમેં આયે, સબ શોધી કહ્યે કોયે ન જાયે ।

સબ નાહિ કરે તીરથરુપા, એક એકસેંઅધિક અનુપા ।।૩૮।।

એહ તીરથમેં જેહ જન ના’વે, સો બોૈરિ ભવમેં નહિ આવે ।

ગંગકું સ્પરશે વામન ચરને, તાકી મોટપ્ય જાત ન વરને ।।૩૯।।

પન જાકું સ્પરશે પુરૂષોત્તમ, કોઉ ન આવત ઉનકી સમ ।

એહી મરમ જાનત હે સંતા, જાકું મિલેહે પ્રગટ ભગવંતા ।।૪૦।।

ઈતિશ્રી નિષ્કુલાનંદ મુનિ વિરચિતે હરિવિચરણ ગ્રંથે સપ્તમો વિશ્રામઃ ।।૭।।

દ ા ે હ ા - જ્ ય ા ં જ્ ય ા ં ન ા ’ ય ે જ ગ પ િ ત , િ ક ન ે ન ી ર પ ુ ન ી ત । અબ કહું સબ સુનિયો, સુંદર ઉત્સવકી રીત ।।૧।।

ચોપાઈ - અબ કહું જાહાં કિન સમૈયા, સોયે સુનિયો ભાવસે ભૈયા ।

સંવત અઢાર એાગન સાઠમેં, મહા સુદી દીન પાવન આઠમેં ।।ર।।

તા દિન ઉત્સવ કિન માંગરોળે, દેખાયે પ્રતાપ સો જાત ન બોલે ।

સંવત અઢાર બાસઠકે વરસે, મહા વદી દિન ચઉદસે ।।૩।।

તીસ દિન સમૈયા કિના સિતપુરે, અતિ હરખ ભરી હરિ ઉરે ।

કીની ધુન્ય જામની જુગ જામા, પિછે સુખાલે ભયે ઘનશ્યામા ।।૪।।

સંવત અઢાર વરસ બાસઠે, હરિ હરિજન સંત મિલે એકઠે ।

ચૈત્ર શુદિ પુનમ દિન કહિયે, જીરનગઢમેં કિન સમૈયે ।।પ।।

સંવત અઢાર પાંસઠ કે માંઈ, આસો વદી તેરસ કહાઈ ।

તા દિન કરિયાને ઉત્સવ કીના, સબ સતસંગી સંતકું સુખ દીના ।।૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

સંવત અઢાર પાંસઠ શ્રાવને, તા વિદ અષ્ટમી સુંદર દિને ।

તા દિન ઉત્સવ કિન અગત્રાઈ, સબ હરિજનકું નાથ બોલાઈ ।।૭।।

સંવત અઢાર પાંસઠ પોષ માસે, ઉત્તરાયન ઉત્સવ કીન અવિનાસે ।

સપ્તદશ દિન લગી ઘનશ્યામે, વિપ્ર જમાયે જેતલપુર ગામે ।।૮।।

સંવત અઢાર છાસઠ પોષ શુદે, ડભાન જજ્ઞ કિન મન મોદે ।

સંવત અઢાર અડસઠ ફાગનમેં, સારંગપુરમેં હુતાસની રમે ।।૯।।

િ ક ન ા ે ઉ ત્ સ વ ક ૃ પ ા િ ન ધ ા ન ા , િ દ ન ે સ બ ક ુ ં દ શર્ ન દ ા ન ા ।

સંવત અઢાર અગનોતેરા, ફાગુન સુદી દિન પુન્યમકેરા ।।૧૦।।

તા દિન ગઢપુર કિન હુતાશની, કહિ ન જાત ઐસી શોભા બની ।

સંવત અઢાર સંતેરે સુખકારી, ફાગન વદી સાતમ આઇ સારી ।।૧૧।।

તા દિન લીલા કિન વરતાલે, બહુત સુખ લીના સંતમરાલે ।

સંવત અઢાર એકોતેર શ્રાવને, ગોકુલ અષ્ટમી કિની ક્રજીસને ।।૧ર।।

સંવત અઢાર એકોતરકે ભાદે, વદી છઠ કહે કપિલા ઉલાદે ।

તા દિન ઉત્સવ કિન ગઢડે, હરિજનકું સુખબાર ઉઘડે ।।૧૩।।

સંવત અઢાર એકોતેરે આસોમાસે, વરતાલે ઉત્સવ વદ અમાસે ।

સંવત અઢાર બોતેર ફાગુને, સુંદર સુદિ પુન્યમકે દને ।।૧૪।।

તેહિ દિન ગઢડે કિન સમૈયા, સોઈજાત નહિ મુખસે કૈયા ।

સંવત અઢાર ત્રોતેર મહા માસે, સુદિ પંચમી ધર્મપુરે હુલાસે ।।૧પ।।

કિન સમૈયા મુગટ ધારે, દેઈ દર્શન જન કિન સુખારે ।

સંવત અઢાર ત્રોતેર ફાગને, વરતાલ ઉત્સવ સુદિ પુન્યમ દને ।।૧૬।।

સંવત અઢાર ચુવોતેર માગસરમેં, સુદિ એકાદશી સુંદરમેં ।

વરતાલ ઉત્સવ કિન કૃપાળે, દિન સુખ સંતકું દયાળે ।।૧૭।।

સંવત અઢાર પંચોતેર ફાગને, સારે સુદી પૂન્યમકે દને ।

તા દિન ગઢડે કિન સમૈયા, દઈ દર્શન સંત સુખી કિયા ।।૧૮।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

સંવત અઢાર પંચોતેર પાવને, ફાગુન સુદિ પુન્યમકે દને ।

તા દિન બોટાદે લીલા બની, હરિ હરિજન ખેલે હુતાસની ।।૧૯।।

સંવત અઢાર છોતેરા વર્ષ સારા, ફાગુન સુદી પુન્યમ દન પ્યારા ।

તા દિન ઉત્સવ કિનો મછિયાવે, નાથ હાથ જમે જન ભાવે ।।ર૦।।

સંવત અઢાર સત્તોતેરા કૈયે, ફાગુન શુદી પુન્યમ દન લૈયે ।

તા દિન ઉત્સવ કીન ગઢડે, જીન નિરખે તિનકે ભાગ્ય બડે ।।ર૧।।

સંવત અઢાર અઠ્યોતેર અનુપા, ફાગુન સુદી ત્રીજ સુખરૂપા ।

તા દિન અમદાવાદકે માંઈ, નરનારાયણદેવ પધરાઈ ।।રર।।

સંવત અઢાર અગન્યાસી અતી સારી, ફાગુન વદિ અષ્ટમી સુખકારી ।

તા દિન સારંગપુર સમૈયો, કરેહે નાથ સો જાત ન કૈયા ।।ર૩।।

સંવત અઢાર અગન્યાસીકે આસુ, વદિ અમાસ વીતે ચોમાસુ ।

કિન સમૈયા કારીયાની ગામે, અન્નકુટ ઉત્સવ કિનો ઘનશ્યામે ।।ર૪।।

સંવત અઢાર વરસ અગન્યાશી, મહા સુદી પંચમી દિન સુખરાસી ।

તા દિન લીલા કિની હરિ લોયે, નિરખી નાથ મૂરતિ જન મોયે ।।રપ।।

સંવત અઢાર અગન્યાસી અનુપા, ફાગુન સુદી પુન્યમ સુખ રૂપા ।

તા દિન ઉત્સવ કિન પંચાળે, લિયે સુખ નિરખી મરાળે ।।ર૬।।

સંવત અઢાર અગન્યાસીયા કૈયે, શ્રાવન વદિ અષ્ટમી દિન લૈયે ।

તા દિન ઉત્સવ ગઢડે કીનો, સંત હરિજનકું આનંદ દીનો ।।ર૭।।

સંવત અઢાર એંશિકે વરસે, શ્રાવન વદિ અષ્ટમી સરસે ।

તા દીન ઉત્સવ ગઢપુર ગામે , કિને નવીને શ્રીઘનશ્યામે ।।ર૮।।

સંવત અઢાર વરસ કહું એંશી, કારતક શુદી સુંદર એકાદશી ।

કિને ઉત્સવ વરતાલકે માંઈ, લક્ષ્મીનારાયનકી મૂર્તિ પધરાઈ ।।ર૯।।

સંવત અઢાર વરસ એકાશી, માગશર વદી ત્રીજ સુખરાશી ।

તા દિન સુરત કિને સમૈયે, બહુત જીવકું દરશન દીયે ।।૩૦।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

સંવત અઢાર વરસ બ્યાસીમેં, ચૈત્ર સુદી નૌમી ઉજાસીમેં ।

તા દિન ઉત્સવ કિન વરતાલે, નાથ નિરખી સુખ લીન મરાલે ।।૩૧।।

સંવત અઢાર બ્યાસીમેં બહુનામી, માઘસુદી પંચમીકે દિન સ્વામી ।

તા દિન સમૈયો સુંદરિયાને, રમે નાથ સંગ સંત સયાને ।।૩ર।।

સંવત અઢાર બાસીકી બલહારી, તા દિન અમદાવાદ પધારી ।

ફુલડોલકો ઉત્સવ કિનો, અતિ આનંદ નિજ જનકું દિનો ।।૩૩।।

સંવત અઢાર બ્યાસી અતિ સારી, ચૈત્ર સુદી નૌમી સુખકારી ।

તા દિન ઉત્સવ કિને વરતાલે, હરિજનકું સુખ દિને વૃષલાલે ।।૩૪।।

સંવત અઢાર બ્યાસી કર ત્યારી, આયે વડોદરે શ્યામ સુખકારી ।

કારતક વદી ત્રીજકે દને, કિનો ઉત્સવ લીનો સુખ જને ।।૩પ।।

સંવત અઢાર ચોરાશી કે વરસે, ચૈત્ર સુદી નવમી દિવસે ।

કિનો ઉત્સવ વરતાલમેં વાલે, ધર્મધુરંધર ધર્મકે લાલે ।।૩૬।।

સંવત અઢારવરસ ચોરાશી, વૈશાખ સુદી તેરસ સુખરાશી ।

તા દિન ઉત્સવ કિન ધોલેરે, મદનમોહનપધરાયે દેરે ।।૩૭।।

ત્યાંસે ચલિકે જુનાગઢ આયે, નૌતમ મૂર્તિ મંદિરમેં પધરાયે ।

કિન સમૈયો સો કહતે ન બને, સબકું જીમાયે નાથ હાથ આપને ।।૩૮।।

ઐસે ઉત્સવ સમૈયા અનેકા, કિને અધિક એકસે એકા ।

સો તો નાવત કિનકે કૈયે, એતને કિને ઉત્સવ સમૈયે ।।૩૯।।

આગે કયે ઘને ગામકે નામ, જ્યાં જ્યાં વિચરે શ્રીઘનશ્યામ ।

કયે કછુક રહી ગયે ઘને, કાહા કિજે સબ કહેતે ન બને ।।૪૦।।

િ પ છ ે ક ય ે ન ા થ્ ા ન ા ’ ય ે જા મ ેં , િ ક ન ે ત ી ર થ્ ા રુ પ ધ ર ા મ ેં ।

સોતો કયે રહિ ગયે કે’તે, કયે ન જાત હરિ ના’યેહે જેતે ।।૪૧।।

તા પિછે કયે ઉત્સવ સમૈયે, કહ્યે કછુક ઘને રહી ગૈયે ।

સબ કેને કોઉ સમરથ નાહી, યું હી વિચારે મેં મનમાંહી ।।૪ર।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

હરિવિચરમણ્‌

પન હરિ ચરિત્રે મન લોભાયા, જથામતિ હરિકે જશ ગાયા ।

તામેં સમ વિષમ મતિવંદો, સુની ચરિત્ર ઉરમેં આનંદો ।।૪૩।।

અમૃતવત હે હરિ કે ચરિત્રં, જ્યું સુધી ટેડિ ગંગ કરત પવિત્રં ।

એસે જાનકે જાહ્લવી નાહાના, શુદ્ધાશુદ્ધ વાકું જો ન જાના ।।૪૪।।

જ્યું સુરસરિતા સબકું સુખરુપા, તૈસે હરિજશ અતિશે અનૂપા ।

સોતો લગત હરિજનકું પ્યારા, કહત સુનત સો વારમવારા ।।૪પ।।

હરિકથા વિન પળ નહિ જાવે, જાગત સુવત હરિગુન ગાવે ।

ઐસે જન સો પ્રભુજીકું પ્યારા, નિષ્કુલાનંદ કહત નિરધારા ।।૪૬।।

ઈતિશ્રી નિષ્કુલાનંદમુનિવિરચિતે હરિવિચરણગ્રંથે અષ્ટમો વિશ્રામઃ ।।૮।।

હરિવિચરણં સમાપ્તમ્‌

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

અરજીવિનય

ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન

-ઃ અરજીવિનય :-

૧૪

છપયછંદ - જયજય મંગળરૂપ અનુપ જય જગવંદ, જય

જગકારણ તારણ ભવ ભંજન દુઃખદ્વંદ્વ । જયજય મહારાજ અધિરાજ

અકળ અજીતં, જયજય કંદન કાળ દયાળ નરતન નીતં । જય જનરંજન

ભય ભંજન બુદ્ધિ દેણ મુદા, શ્રીસહજાનંદ આનંદકંદ વારમવાર વંદુ

સદા ।।૧।। જયજય વદત વેદ અભેદ વદન તે ચારે, જયજય વદત શેષ

મહેશ અજ સુર સારે । જયજય વદત નારદ શારદ નામ તમાથા, જયજય

વદત મુનીશ હમેશ જોડી જાુગ હાથા । ઇંદ્ર ચંદ્ર આદિ વંદત જોડી જુગલ

પાણિ જેહિ, સિદ્ધ સાધક વંદત સદા શ્રીસહજાનંદ સુખ મહિ ।।ર।। ધન્ય

ધન્ય તુહારો રાજ અખિલ બ્રહ્માંડમેં એકા, ધન્ય ધન્ય તુહારો તેજ તપ

રવિકોટ વિશેકા । ધન્ય ધન્ય ધન્ય પ્રતાપ થાપ ન થાયે તુહારો, ધન્ય

ધન્ય તુહારો રહેશે દેશ ન રે’શે ન્યારો ધન્ય ધન્ય જગ વર્જિત રીત

સબનસે નૈતમ ન્યારી, ધન્ય ધન્ય ધન્ય ધર્મ ધર સાહેબ સાહેબી તુહારી

।।૩।। ધન્ય તોરો દરબાર પાર પ્રજાપતિ નહિ પાવે, અદલ ચૂકે એક

ન્યાય તાયે નિગમ નેતિ ગાવે । રંક રાહોકો રીત ન્યાયે ઉતારણ, જાુગ

પ્રત્યે જાણ અદલ એક ધારણ ।ધર્મ મગ ધારણ કારણ તન સંત સમાવણ

સંકટ સદા, એહિ રીત અનાદિ રાજ્યમેં કરત નહિ અનીતિ કદા ।।૪।।

ઈંદ્ર વિજયછંદ - સદા સુખરૂપ અનુપ એ રીતિ દ્વાર આયે કોઈ

દુઃખી ન હોહૈ, જન જેહિ મનવાંચ્છિત જે ચિત ભાવત પાવત સુખહિ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

અરજીવિનય

સોહૈ । ફરી ન હોય કંગાલ કદિ નર દુષ્ટ દારિદ્ર રહે નહિ કોહૈ, હોય

નિઃશંક રહે નહિ રંક હિ સુખ અખંડ પાવે નર ઓહૈ ।।પ।। આનંદકંદ

સદા શિવ ગાવત પાવત નાંહિ સો પાર તુહારો, શેષ રટે નિત

સહસ્રફણામાંહિ જુગલ જિહ્વાએ કરે ઉચ્ચારો । વિધિ વદે મુખ ચાર

ઉચ્ચાર અપાર અપાર લહે નહી પારો, દેવ દનુજ મુનિજન નર બુદ્ધિએ

કો કરે નિરધારો ।।૬।। અગમ અગમ કહે જ્યૌ નિગમ અજ ન પાવત

પાર જયૌ આપે, અગમ અગમ ઇશ વખાનત અમર ઇંદ્ર જ્યૌ અગમ

થાપે । ચંદ્ર અહીંદ્ર કહે નિત અગમ સૂર જું દૂર અગમ આલાપે, નારદ

શારદ સો કહે અગમ નિષ્કુલાનંદ તાહેકો ન માપે ।।૭।। અપાર અપાર

પુરાણ કહેજ્યું અપાર અપાર કુરાન કાવૈ, અપાર અપાર કહે સિદ્ધ

ચારણ, અપાર અપાર ગાંધર્વ ગાવૈ । અપાર અપાર કહે સબ મુનિ

અપાર અપાર સંત સરાવૈ, અપાર અપાર કહે સબ કવિ નિષ્કુલાનંદ કો

પાર ન પાવૈ ।।૮।।

છંદ મોતીદામ -

અપાર અપાર અપાર ગોપાળ, અપાર અપાર અપાર દયાળ ।

અપાર અપાર અપાર અજીત, અપાર અપાર કો પાર ન લીત ।।૯।।

અપાર અપાર લીએ અવતાર, અપાર કીયે કંઈ સંત ઉદ્ધાર ।

અપાર અપાર ચરિત્ર અપાર, જ્યું વેદ ન પાવત પાર ।।૧૦।।

અપાર અપાર અસુર સંહાર, અપાર વિષય વિઘન નિવાર ।

અપાર ધરે ધરા તન અનંત, અપાર અપાર લહે કોન અંત ।।૧૧।।

અપાર મત્સ્ય કચ્છ કિયે ચરિત્ર, સુણી જીયે સોય સદાયે પવિત્ર ।

અપાર અપાર વારા નૃસિંગ, અપાર અપાર રખે જન રંગ ।।૧ર।।

અપાર ઉદાર વામન અકળ, અપાર ફરશિધર બળ પ્રબળ ।

અપાર અપાર રાયે રઘુવીર, અપાર અસુર ધસે રણધીર ।।૧૩।।

અપાર અપાર કૃષ્ણ અવતાર, કિયે રાસ ક્રિડા અમિત અપાર ।

અપાર બને બુદ્ધ બળ અનંત, જેણે જગઅઘ આણ્યો સબ અંત ।।૧૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

અરજીવિનય

અપાર કલંક નિવારણ નાથ, કલંકિયે રૂપ ધરે સમરાથ ।

લીયે કલિ ધર્મ સબે જબ લોપ, અપાર ધરે અવતાર અનોપ ।।૧પ।।

સોહિ જન ભંજન દુઃખ સદાય, સેવક અનેકહિ કરવા સા’ય ।

અનેક અનેક લિયે અવતાર, એક જન હેત અપાર અપાર ।।૧૬।।

જય જગજીવન જય જગદીશ, જય જગકારણ જે જગઈશ ।

જય સમરથ જય સુખરૂપ, જય સુખદાસ સદા શ્યામ અનૂપ ।।૧૭।।

જય જન ભંજન ભૂધર ભીડ, જય પ્રભુ પાવન ટાળન પીડ ।

જય દીનબંધુ જો દીનદયાળ, જય પ્રાણનાથ જનપ્રતિપાળ ।।૧૮।।

જય કરૂણાનિધિ પૂરણકામ, જય સંત સર્વે તણું સુખધામ ।

જય દુઃખ હરણ દેવ મુરાર, જય વરદેણ કરણ વા’ર ।।૧૯।।

જય દાસ તાસ નીવારણ દુઃખ, જય સદા સંતઉ પાવન સુખ ।

જય સુખસાગર શ્યામ સુજાણ, જય પ્રેમી જનના જીવનપ્રાણ ।।ર૦।।

જય રસરૂપ રસિક જો રાય, જોતાં જન મન તન તાપ જાય ।

જય રસરૂપ અનૂપ જીવન, જોઈ મન મગન રહે નિત્ય જન ।।ર૧।।

જ ય ર સ રૂ પ ર ે લ ા વ ર ર ા જ , ક ર ે ર સ રૂ પ િ ન જ્ જ ન ક ા જ ।

જય રસરૂપ મૂરતિ રસિક, ઠેરો રૂપ ઠાકુર હૃદયે ઠીક ।।રર।।

જય રસરૂપ કરો રસરેલ, આવી મુજ પાસ વસો અલબેલ ।

જય રસપાન કરાવો રાજન, મહારસમાં કરો જન મગન ।।ર૩।।

અહો રસરાય પુરો મમ આશ, અહોનિશ દરશ વિના ઉદાસ ।

કરગરું તુજ આગે કરજોડ, હરિ રંક સાથ ન કીજિયે હોડ ।।ર૪।।

આયો તુંજ શરણમેં હું અનાથ, હરિ કરી હેત ગ્રહો મમ હાથ ।

આવ્યો હું અનાથ તુંજ દરબાર, મે’ર મનઆણી જોશે જો મોરાર ।।રપ।।

પ્રભુ નહિ આવે ત્રછોડીહી પાર, શ્યામળીયા કરી જોશે હવે સાર ।

છાંડે કેમ નાથ છૂટશો જો છેક, અલબેલા મુજ આધાર તું એક ।।ર૬।।

અવગુણ એક ન જોશો અમારો, તમે ગુણ નાથ ગ્રહેજો તમારો ।

દુરબળ દાસ જોઈ દયાળ, કૃપા હવે કરી જોશે જો કૃપાળ ।।ર૭।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

અરજીવિનય

પડયો તુંજ પલ્લે હું પ્રાણ આધાર, વિશ્વંભર હરી કરો મુજ વા’ર ।

કહો કોણ મુજ સરિખો કંગાલ, દેખ્યો નહિ તુંજ સરિખો દયાળ ।।ર૮।।

રાજ મુજ ઉપર ન કીજીયે રોષ, દયાળું જો નાથ નિવારણ દોષ ।

એવી સઈ અમતણી જો અભાગ્ય, ત્રિકમ ન કરો તમે રોષેસે ત્યાગ ।ર૯

રંકપર રાય ન કીજિયે રીસ, હોય સમોવડયાશું હોડય હમેશ ।

વાદ હરિ કીજિયે જો હોય વડય, તમારી હું નાથ નહિ તડોવડય ।।૩૦।।

શ્યામળીયા આંટી અમારે જો સાથ, નરહરિ રાખી ન ઘટે જો નાથ ।

અમસંગ રાજ કરો જૈયે એમ, કહો સુખ રહે શરીર જો કેમ ।।૩૧।।

રાજ તમ વિના કરું કિયાં રાવ, માની જીયે અરજી માહેરી માવ ।

દેખી દુઃખભંજન તું દરબાર, પીડાવંત પ્રભુ કરૂં હું પોકાર ।।૩ર।।

દ ા ે હ ા - સ ૂ ણ ા ે પ ા ે ક ા ર શ્ ય ા મ ળ ા , અ મ ત ણ ી અ ર દ ા સ ।

ભવદુઃખ ભંજન ભેટતાં, દુઃખી રહે કેમ દાસ ।।૩૩।।

ત મ ે સ દ ન છ ા ે સ ુ ખ ન ુ ં , મ દ ન મ ૂ ર્િ ત મ હ ા ર ા જ ।

કષ્ટ સબ કંદન કરો, વદન દેખાડી વ્રજરાજ ।।૩૪।।

મ ન ા ે હ ર સ ુ ં દ ર મ ૂ ર િ ત , ન ખ િ શ ખ જા ે વ ા ન ા થ્ ા ।

મન ઈચ્છે છે માહેરું, શ્યામ મળવા તમ સાથ ।।૩પ।।

સ ુ ં દ ર શ ા ે ભ ા શ્ ય ા મ ળ ા , અ જ બ છ બ ી અ ન ૂ પ ।

રે’જો હૃદિયા ભીંતરે, રાજ તમારૂં રૂપ ।।૩૬।।

સ ં ભ ા ર ત ા ં સ ં ક ટ ટ ળ ે , િ ચ ત વ ત ા ં િ ચ ત્ત્ ા લ ા ે ભ ા ય ।

નયણે નિરખું નાથજી, ત્યારે તાપ સમાય ।।૩૭।।

ભ ા ગ ે ભ વ દ ુ ખ ભ ે ટ ત ા ં , િ મ ટ ે િ દ લ ન ી દ ા ઝ ।

શાંતિ વળે શરીરમાં, મુખ જોતાં મહારાજ ।।૩૮।।

મ ૂ િ તર્ ત મ ા ર ી મ ા વ જી , સ ુ ં દ ર સ ુ ખ ભ ં ડ ા ર ।

વણદિઠે વ્યાધિ વધે, અંતર જળે અપાર ।।૩૯।।

જ્ ય ા ર ે જા ે ઉં જ ગ પ િ ત , િ ન હ ા ળ ી િ ન હ ા ળ ી ન ા થ્ ા ।

અંગોઅંગ અવલોકતાં, શ્યામ થાઉં સનાથ ।।૪૦।। છંદ મોતીદામ -

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

અરજીવિનય

શોભે પગતળે સદા ચિહ્ન સોળ, આવે અવલોકતાં સુખ અતોલ ।

સ્વસ્તિ અષ્ટકોણ સોયે અતિસાર, જવ જાંબુ જોયે હોયે જયકાર ।।૪૧।।

વજર પતાક અંકુસ વિશેખ, આપે જો આનંદ અંબુજ ઉધ્વરેખ ।

દક્ષણહિ પાવ નવે ચિહ્ન દેખ, વામ પાયે સાત શોભે જો વિશેખ ।।૪ર।।

મત્સ્ય ત્રિકોણ દિયણ મહાસુખ, દેખી ગોપદ પલાય જો દુઃખ ।

કળશ ધનુષ વિલોકતાં વ્યોમ, સદા સુખ આપે ચિંતવતાં સોમ ।।૪૩।।

ચિહ્ન એહ સોળ ચિંતવતાં ચિત્ત, પળે સબ પાપ થાયે જો પુનિત ।

ભજે જન અનેક ધરીને ભાવ, અધિક નિરખવા મન ઉત્સાવ ।।૪૪।।

પેખી પગ આંગળી પ્રેમ પુનિત, ચોટે જન મન ચિંતવતાં ચિત્ત ।

ઉધ્વરેખ નખ અંગુઠે અંકિત, લલિત શોભિત ફણા જો લંકિત ।।૪પ।।

દેખી દોય ઘુંટિ દિલ સુખ દેન, પેખે પળે પાપ પાતળીસિ પેન ।

કાંડાં પિંડિ કોમળ પૂરણકામ, હેરિયે ગોઠન દોયે કરી હામ ।।૪૬।।

ડાબે પગે ચિહ્ન ચિંતવતાં દોય, જાયે જો જંજાળ જંઘા દોય જોય ।

રાજે રૂડું ઉદર સુંદર રૂપ, અતિ શોભે નાભિએ ઉંડી અનૂપ ।।૪૭।।

પડે વળ પેટે ત્રય પરમાણ, વિલોકિ જો ઉર કરું શું વખાણ ।

શોભે કંઠ સુંદર કંબુ સમાન, નવ તિલ ત્યાંયે શોભે જો નિદાન ।।૪૮।।

ભજે ગજ સૂંઢ સરિખો જો ભુજ, તિયાં મન મોયે જોવે કોણિ તુજ ।

શોભે પોંચો પાંચ આંગળી સહિત, ચિંતવતાં નખ હરાયે જો ચિત્ત ।।૪૯।।

લટકે અટકે મન નંદલાલ, નિરખી અધર થાઉં જો નિહાલ ।

ઓપે દાંત અતિ કળી જો અનાર, અમૃત વેણ જીહ્વાએ ઉચ્ચાર ।।પ૦।।

મંદમંદ હાસે હસીને મહારાજ, દયાળુ હરો હરિ દિલની દાઝ ।

નાસિકા નિરમળ નિરખી નેણ, દેખે દોયે ગાલ સોયે સુખદેણ ।।પ૧।।

દક્ષિણ કપોળ તિલ એક દેખ, વળી ત્રયે શીતળ શોભે વિશેખ ।

નયણાં રસાળ વિશાળ નિહાલ, જોતાં સમ અંબુજ જાયે જંજાલ ।।પર।।

ભાળી જીયે ભૃકુટિ ભ્રમર ભાલ, નળવટ જોયે જો હોયે નિહાલ ।

જમણીય કોર ચિહ્ન તિયાં જોય, હરિજન જોયે હૈયે સુખ હોય ।।પ૩।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

અરજીવિનય

દેખી દગ શ્રવણ સુંદર દોય, તિલ એક અવલ દેખિયે તોય ।

શિરપર કેશ સુંદર શોભિત, સોહે શ્યામવર્ણ કાંયેક સફેત ।।પ૪।।

નખશિખ શોભા કહી કેમ જાય, અપાર અપાર અપાર કે’વાય ।

મનોહર સુંદર મૂરતિ માવ, ભાળી મુજ ભિંતર આવિયો ભાવ ।।પપ।।

ચોંટયું ચિત્ત ચિંતવ્યે ચંદ ચકોર, મળ્યું મન મેઘ મળે જેમ મોર ।

જળ વિના મીન ન રહે જો જેમ, પ્રભુ તમ સાથે થયો મારે પ્રેમ ।।પ૬।।

બપૈયો ન લહે કેદિ બીજાું બુંદ, સ્વાંત વિના જો હોયે સાત સમુદ્ર ।

પકડીયે લકડી હાલર પાગ, તે તો તન જાયે ન થાયે જો ત્યાગ ।।પ૭।।

માનું રંગ ચડિયો ચોળ મજેઠ, નજરે ન દેખ્યો ઉતરતાં નેઠ ।

વા’લા વળી વળી કહીયે સહી વાત, ભાળું જેમ પડી પટોળે જો ભાત।પ૮

અંતરમાં પડી આંટિ હરિ એમ, કહો હવે નાથ કરીયેજી કેમ ।

દિનકર પ્રગટે પશ્ચિમ દિશ, મેલું કેમ તોયે હરિ ખોટે મિશ ।।પ૯।।

સુકે કોઈ કાળે સમુદ્ર તો સાત, વા’લા કેમ મેલાયે લીધી જો વાત ।

હરિ તમે ગ્રહ્યો નથી એવો હાથ, નાસતાં જે છુટાયે મારા જો નાથ ।।૬૦।।

સુખદેણ સુંદર શ્યામ સુજાણ, પ્રભુ તમે મારા છો જીવન પ્રાણ ।

બાંધી પ્રીત તુંજ સાથે બળવાન, દીજે હવે દયાળુ દર્શન દાન ।।૬૧।।

નવ રહિયે અમથી અળગા નાથ, શ્યામળિયા સદાયે રહીજે સાથ ।

વેગળે જો રહ્યે ન વામે વરાધ, ઉપજે જો અંતર દુઃખ અગાધ ।।૬ર।।

પે’લી હરિ કરી તમે બહુપ્રીત, અમપર હેત કરીયું અમિત ।

વિધવિધ વા’લા દેખાડી જો વા’લ, નેક રીતે જો કેમ નંદલાલ ।।૬૩।।

પરહરો પ્રભુ લહી કેમ પ્રાણ, શ્યામળિયા નાથ ન ઘટે સુજાણ ।

તમ વિના બુઝે કેમ તનતાપ, અમારે જો અંતર રે’છે ઉતાપ ।।૬૪।।

દિઠા વિના દીલ દાઝે જો દયાળ, જોયા વિના જીવન ન સમે ઝાળ ।

પળ એક જાય જાુગ પરિમાણ, તમારીએ રહે છે અમને તાણ ।।૬પ।।

મનોરથ કરે મળવાને મન, ઝંખે નેણ નિત્ય જોવાને જીવન ।

અંગોઅંગ ભેટું આવોને અલબેલ, રસિલાજી આવી કરો રસરેલ ।।૬૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

અરજીવિનય

લાડીલાજી લેવરાવીએ જો લાડ, ચિત્ત મારૂં જોવા કરે બહુ ચાડ ।

નિરખું હું નયણાં ભરી જો નાથ, શ્યામળિયા થાઉં ત્યારે હું સનાથ ।।૬૭।।

ભાગે મારી ભૂધર ભેટતાં ભુખ, દેખી દૂર થાયે દયાળુ જો દુઃખ ।

અણદીઠે અંતર મારૂં ઉદાસ, પ્રભુ હવે પ્રીતે રહો મમ પાસ ।।૬૮।।

અલબેલા સુણી મારી અરદાસ, દુઃખી દીન છિન દયાળુ હું દાસ ।

આણો કેમ ઉર મારો અપરાધ, અતિ તમે ગુણ ગંભીર અગાધ ।।૬૯।।

જુવો જ્યારે જીવન મારૂં જ જોણ, શોધે કેમ લાધે સારો શુભગુણ ।

બહુનામી પાળો પોતાનું બિરદ, દીનબંધુ દાસ નિવારણ દરદ ।।૭૦।।

વદી મુજ કર્મતણો વા’લા વાંક, રખે રીસ કરી રોળો રાય રાંક ।

કોઈ જન ગ્રહે કે હરિની કોર, જંબુક ન રિસ કરી શકે તિંયા જોર ।।૭૧।।

ખીજી કોઈ અમૃત જન ખાય, જુવોગુણ તેનો તોયે કાંઈ જાય ? ।

આવી કોયે અર્કશું માગે અંધાર, દીયે કયાંથી દિન નથી જો દુવાર ।।૭ર।।

ચંદશું મંદ કોયે અગનિ ચા’ય, થકે સબ રીત શીતળ સો થાય ।

કરે તેમ પ્રીત તમશું જો કોય, સદા સુખનિધિ પાવે જન સોય ।।૭૩।।

કદાચિત હોય મુજ કઠણ કર્મ, શરણે આવ્યો શ્યામ રાખીયે શર્મ ।

ભલા વસો ભૂધર જો મારાં ભાગ્ય, જીવન નથી તો કોયે મારી જાગ્ય।૭૪

ન કરશો નાથ એવી મુજમાથ, આવ્યો તુંજ શરણ હું જ અનાથ ।

રાખીયે રાખીયે શરણે હો રાજ, લક્ષ્મીવર તુજને છે જો લાજ ।।૭પ।।

કર્યાં જેમ આગે અનેકનાં કાજ, એમ હરિ અમારૂં કરીયે આજ ।

પ્રહલાદની જેમ કરી પ્રતિપાળ, દમ્યો હિરણ્યકશિપુ હાથે દયાળ ।।૭૬।।

અંબરીષ શાપ નિવાર્યો જો આપ, સ્થિર કરી ધ્રુવે અવિચળ થાપ ।

પ્રભુ સુણી ગજતણી જો પોકાર, આગે હરિ કર્યો અહલ્યા ઉદ્ધાર ।।૭૭।।

ભાવે કરી ખાયે ભીલડીના ફળ, કિયો હરિ ઉદ્ધાર ઢીમર કળ ।

ભલી વિધે ઉદ્ધાર્યો કાગભુશંડ, અનાદિ બિરુદ જન તારે અખંડ ।।૭૮।।

દઈ લઈ લંક વિભીષણ દાત, ઉદ્ધારે રીંછ ભીંછ એ અખિલાત ।

પ્રભુ કરી પક્ષ જટાયુ પ્રસિદ્ધ, ગણિકા ઉદ્ધારે ઉદ્ધારે જો ગીધ ।।૭૯।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

અરજીવિનય

દુર્બળ વિદુર સુદામો દાસ, પ્રભુ અક્રુર ઉદ્ધવ રખે પાસ ।

વિઠ્ઠલ વ્રજ્જનની કરી વા’ર, નાથ વિષ નીર અગનિ નિવાર ।।૮૦।।

કર્યો જબ વાસવ વ્રજપર કોપ, ગિરિ ધરિ કર રાખે ગાય ગોપ ।

વસુદેવ દુવકીની કરી વા’ર, સોય કંસ આદ્યે અસુર સંહાર ।।૮૧।।

કર્યું હરિ કુબજ્યા નારીનું કાજ, આપ્યું તમે ઉગ્રસેનને રાજ ।

યુદ્ધ કરી હરિ જીતે જરાસંધ, બંધ છોડે સહસ્ત્ર એકવિસ બંધ ।।૮ર।।

નરકાસુર મારી લીયે સબનાર, આપે કિયો જય દેવનાર ।

ઉદ્ધાર કર્યું પ્રતિપાળ જો પાંડવકુળ, પૂરે પ્રભુ પંચાલીને પટકુળ ।।૮૩।।

રાખે ગર્ભવાસથી પરીક્ષિત રાય, સ્વામી કરે શાપથી દ્રૌપદી સહાય ।

કર્યાં જન અનેકનાં હરિ કાજ, મહા અધવંત ઉદ્ધારે મહારાજ ।।૮૪।।

ઉદ્ધાર્યો અજામેલ કદ્રજ આપ, તમે હર્યો સ્વામી સેવકનો તાપ ।

જુગોજુગો જનમ તારણ જન, પ્રભુ હરિ પાપ કરો છો પાવન ।।૮પ।।

અવતાર લેવો કોનું એછે કાજ, એક હરિ દેખાડો અમને આજ ।

નહિ થાય રીત નવલી જો નાથ, હરિ કેમ મુકો હવે ગ્રહ્યો હાથ ।।૮૬।।

છોરું જો કછોરું હોય કોઈ છેક, નથી કોઈ તાત તરછોડતા નેક ।

ખરો કોય હોય હરિ ખાનાંજાત, ઘરનો જન જાણી ન થાય જો ઘાત ।।૮૭।।

નિભાવીયે નાથ કરિયે ન જાર, હોયે હરિ મારા ગુન્હા જો હજાર ।

સાભળોે સાંભળો શ્યામળા સુજાણ, બરકી બરકી કરું બુંબરાણ ।।૮૮।।

નાથ કેમ સાંભળો નહિ નિદાન, કેશવ બેઠા કેમ બુંદિને કાન ।

એવો શિયો અમ તણો અપરાધ, અલબેલા સાંભળો નહિ આરાધ ।।૮૯।।

અચંબો આવે છે અમને જો એક, તમારી તમે ન સાંભળો કાં ટેક ।

પ્રભુ હવે કરી રહ્યો હું પોકાર, વાલમ મન આવે તો કરજો વા’ર ।।૯૦।।

રાજ દરબાર કરી જો મેં રાવ, નજરમાં આવે તો કરજો ન્યાવ ।

અમે કરી છુટયા અમારો ઉપાય, શ્યામ હવે સુઝેતો કરજો સહાય ।।૯૧।।

પો’ચાડી પોકાર પ્રભુ તમ પાસ, અલબેલા અમતણી અરદાસ ।

અરજી એ સુણી દયા દલ આણ, શ્યામળીયા સજ થાયો જો સુજાણ ।૯ર

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

અરજીવિનય

કવિત એકવિસો- ધાયે દ્રૌપદીકે કાજ રાખી હે મારા’જ લાજ,

ગ્રહે જબ ગજરાજ કાજ હરિ ધાયે હો । ધાયે અજામેલ વા’ર આયકે

કિયો ઉધ્ધાર, પતિત ઉતારે પાર વાર નહિં લાયેહો । ગણિકા ગીધવ

જાત તારે હરિ કીરનાત । અહલ્યાકિ કહું કયા બાત, શાપ જ્યાન સહાયેહો

। એસેહી મા’રાજ રાજ અનેકકી રાખી લાજ, દુઃખી જન દેખી આજ

નાથ કેસે નાયોહો ।।૯૩।।

છંદ ભુવન મંડેલ એ ઢાળ છે -

જય જગવંદ કહે મુનિવૃંદ, જન ચકોર ચંદ સ્વે સુખકંદ ।

હરો દુઃખદ્વંદ બાલમુકુંદ, શ્રીસહજાનંદ આપો આનંદ ।।૧।।

સ ુ ખ દ ક ા ર ણ ં ભ વ ત ા ર ણ ં , જ ન ા ે દ્ધ ા ર ણ ં ભ ય િ ન વ ા ર ણ ં ।

મોહમારણં કોપતારણં, શ્રીસહજાનંદ આપો આનંદ ।।ર।।

સર્વે સુખધામ સંત વિશ્રામ, કરો મમ કામ સુંદર શ્યામ ।

પૂરો હરિ હામ કૌ’કરભામ, શ્રીસહજાનંદ આપો આનંદ ।।૩।।

ભવ ભયે ભંગ શ્રીરાયે રંગ, સદા રહો સંગ તો રહે રંગ ।

અવલોકું અંગ આવે ઉમંગ, શ્રીસહજાનંદ આપો આનંદ ।।૪।।

જે જોઉં હું મુખ તો થાયે સુખ, જાયે દિલ દુઃખ જો દેખું રુખ ।

ભાગે ભવભુખ થાયે સંતોખ, શ્રીસહજાનંદ આપો આનંદ ।।પ।।

સ્વામી કરો સા’ય મહા દુઃખમાંય, કરો વેળ્ય કાંય ગ્રહો હરિ બાંય ।

પ્રભુ લાગું પાય શ્રીરંગરાય, શ્રીસહજાનંદ આપો આનંદ ।।૬।।

સુણીજે પોકાર વારમવાર, અધમ ઉદ્ધાર બિરુદ સંભાર ।

નોધારાં ઉધાર કા’વો મોરાર, શ્રીસહજાનંદ આપો આનંદ ।।૭।।

નિષ્કુલાનંદના નાથ એ સુણી ગાથ, શ્યામ રહો સાથ તો હું સનાથ ।

ભરીધરી બાથ મળી જે નાથ, શ્રીસહજાનંદ આપો આનંદ ।।૮।।

।। ઈતિ અષ્ટકં સંપૂર્ણમ્‌ ।।

દોહા -દરદ મારે દરશનનું, દિઠે દુઃખ પલાય । દયા કરી હરિ દીજીયે,

રાજી થઈને રાય ।।૯પ।। નયણાં ભરી નિરખશું, મોહન જ્યારે મુખ ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

અરજીવિનય

ટળશે તનતાપ તયે, જ્યારે જોશું રુખ ।।૯૬।। દિલની વાતો દિલમાં,

કહીયે કેની પાસ । હશી બોલ્યા વિના હરિ, અંતર છે ઉદાસ ।।૯૭।।

માગું હું મગન થઈ, દીજે શ્યામ સુજાણ । દીઓ તો દરશન દીઓ,

લીઓ તો લીજે પ્રાણ ।।૯૮।। અરજી એમ અમતણી, સુણી હરિ હરિજન

। દીન જાણીને મુજને, ઉભય થાવો પ્રસન્ન ।।૯૯।। શુદ્ધ અશુદ્ધ સમઝું

નહિ, પદ પ્રબંધ છંદ । તમપર મારી તાન છે, કહે નિષ્કુળાનંદ ।।૧૦૦।।

શું લખી સંભળાવીયે, નથી નાથ અજાણ । અંતર બાહેર અમતણી, સબ

જાણો સુજાણ ।।૧૦૧।। તમે સદા સુખધામ છો, તમે સદા સુખકંદ । તમે

સદા સુખરૂપ છો, જય જય સહજાનંદ ।।૧૦ર।।

ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુલાનંદ મુનિ વિરચિતે

અરજીવિનયગ્રંથ સપૂર્ણઃ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન

-ઃ કલ્યાણનિર્ણય :-

૧૫

સોરઠા - સમરતાં સુખ હોય, કોઇ વિઘન ન વ્યાપે વળી ।

સુખદ મૂરતિ સોય, સહજાનંદ આનંદકંદ ।।૧।।

સ મ થ્ ાર્ શ્ર ી ઘ ન શ્ ય ા મ , હ ા મ મ દ ન મ ન ન ી હ ર ી ।

કર્યા જન નિષ્કામ, દામ વામ દોષ દૂર કરી ।।૨।।

અ વ ત ા ર ી અ ા પ ે અ ન ુ પ , રૂ પ અ ન ુ પ મ અ ા પ ે ધ ર ી ।

સો યહ સુખદ સ્વરૂપ, સહજાનંદ જગવંદ હરિ ।।૩।।

સ ર વ ા ે પ ર ી સ ુ ખ ધ ા મ , શ્ ય ા મ સ હ ુ ન ા ન ા થ્ ા સ િ હ ।

પ્રભુજી પૂરણકામ, હામ કરી હરિ રહિયે હૈયે ।।૪।।

દ ા ે હ ા - અ ે ક વ ા ત અ ન ૂ પ છ ે , સ ા ં ભ ળ જા ે સ હ ુ ક ા ે ઇ ।

સંશય ન રહે શ્રેયમાં, છે સમજ્યા સરખી સોઇ ।।૫।।

ચોપાઇ - શુદ્ધ મુમુક્ષુ જે સુજાણરે, પૂછ્‌યું થાવા પ્રથમ કલ્યાણરે ।

મહામુક્ત તમે શિરોમણિરે, સુણો વિનતી એક મુજતણીરે ।।૬।।

સહુ સહુના મનને મતેરે, માન્યું કલ્યાણ મન ગમતેરે ।

કોઇ કહે અમે મત્સ્ય ઉપાસીરે, કોઇ કહે કૂર્મ સુખરાશીરે ।।૭।।

ક ા ે ઇ ક હ ે વ ા ર ા હ ન ા દ ા સ ર ે , ક ે ન ે ન ૃ િં સ હ ન ા ે િ વ શ્વ ા સ ર ે । કોઇ વામનરૂપને ભજેરે, કેને પરશુરામ રૂપ રજેરે ।।૮।।

ક ા ે ઇ ર ા મ ભ ર ા ેં સ ે ર હ ે છ ે ર ે , ક ા ે ઇ ક ૃ ષ્ ણ ક ૃ ષ્ ણ ક હ ે છ ે ર ે । કોઇક બુદ્ધજીનું બળ લઇરે, બેઠા કંઇક કલકિ કઇરે ।।૯।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

એહઆદિ દશ અવતારરે, એતો સર્વે સુખના દાતારરે ।

તેને ભજે છે ભિન્ન ભિન્ન ભાવેરે, મને અતિ અચંબો એ આવેરે ।।૧૦।।

જ ે જ ે જ ન ન ા જ ે ઇ ષ્ટ દ ે વ ર ે , ત ે ત ે જ ન ક ર ે ત ે ન ી સ ે વ ર ે । તે વિના બીજું નથી સહેવાતુંરે, બોલે બીજા દેવનું ઘસાતુંરે ।।૧૧।।

વળી એ વિના બીજા જે અનેકરે, ઝાલી બેઠા છે જુજવી ટેકરે ।

વેષ વાત ભિન્ન ભિન્ન ભાતેરે, ઉપાસના તે જુજવી જાતેરે ।।૧૨।।

કોઇ કોઇ ભેળા નવ ભળેરે, માન્યું સત્ય પોતાનું સઘળેરે ।

કોઇ કાન ફડાવી ફરેછેરે, કોઇ કાષાંબરને કરેછેરે ।।૧૩।।

કોઇ દંડી મુંડી ડામખાઇરે, કોઇ મગન નીરમાં નાઇરે ।

કોઇ જટી કાટી ખાલ ખરીરે, કોઇ માળા તિલક રહ્યા ધરીરે ।।૧૪।।

કોઇ કંથા ગોદડી કોપીનરે, વનકળ ટાટાંબર મૃગાજીનરે ।

કોઇક થયા પંડિત પુરાણીરે, કોઇ એક બ્રહ્મ બોલે વાણીરે ।।૧૫।।

કોેેઇ રાજ મહારાજ મહારાણીરે, શૂન્ય સમીર પાવક પાણીરે ।

કોઇ કર્મ ધર્મ કબીરરે, કોઇ કંથર ભરથર પીરરે ।।૧૬।।

ક ા ે ઇ ક ક પ દ ીર્ થ્ ા ી ક લ્ ય ા ણ ર ે , મ ા ન્ ય ુ ં પ િ ર પ ૂ ર ણ પ્ર મ ા ણ ર ે । કોઇ શેષ દિનેશ ગણેશરે, કોઇ શશિ વસિ વન સુરેશરે ।।૧૭।।

કોઇ દશા વિશામાનું ભાવેરે, સદા શ્રીરંગ અભગ ગાવેરે ।

એમ કલ્યાણ અનેક રીતેરે, સહુએ માન્યું છે ચોકસ ચિત્તેરે ।।૧૮।।

તેમાં પોતાનો દોષ ન દેખેરે, અન્યથી આપ અધિક લેખેરે ।

સહુથી સમઝે પોતાનું સરસરે, આવે બીજાનું નજરે નરસરે ।।૧૯।।

નથી નકી એક નિરધારરે, મારે મને એ મોટો વિચારરે ।

વળી અવતારના જે ઉપાસીરે, તેની પણ મતિ ગઇ નાશીરે ।।૨૦।।

ન ા ે ખ ા ં ન ા ે ખ ા ં વ પ ુ ન ે વ ં દ ે છ ે ર ે , પ ર સ્ પ ર ન ે ન ં દ ે છ ે ર ે । કોઇક પૂજેછે બાળમુકુંદરે, કોઇક ભજેછે શ્રીવ્રજચંદરે ।।૨૧।।

ક ા ે ઇ ક હ ે રૂ ક મ ણ ી ર ા ય ર ે , ક ા ે ઇ ર મ ા પ િ ત ગ ુ ણ ગ ા ય ર ે । એમ ભેદ પાડીને ભજેછેરે, તેહ વિના બીજાને તજેછેરે ।।૨૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

એમ જુજવું જુજવું જનરે, મન ભાવતું કરેછે ભજનરે ।

એહ વિના બીજા ઉપાસીરે, તેપણ પુછુછું કહેજ્યો તપાસીરે ।।૨૩।।

કહું કલ્યાણ બહુ પ્રકારેરે, જાુદું જાુદું માન્યું છે સંસારેરે ।

સર્વે સરખુ કલ્યાણ છે એહરે, કે કાંઇ અધિક ન્યુન છે તેહરે ।।૨૪।।

સહુ પામશે પૂરણ પદરે, ત્યારે બાંધી જોઇએ નહિ હદરે ।

જેમ આલોકે છે ખેંચાતાણરે, તેમ કલ્યાણમાં પણ જાણરે ।।૨૫।।

જેમ આલોકમાં મારૂં તારૂંરે, તેમ કરેછે મત પંથ સારૂંરે ।

નથી અલૌકિકપણું એમાંરે, ગૃહી ત્યાગી ગુરુ કહ્યા તેમાંરે ।।૨૬।।

રહ્યું કાચું પોતાની કોરનુંરે, પુછ્‌યું છે નોર કે કનોરનુંરે ।

બુડયો બુડયાને કેમ તારશેરે, માટે મોટો એ વાતનો સંશેરે ।।૨૭।।

કહો કેને સેવ્યે કેવું સુખ પામેરે, કેને સેવ્યે કેવું દુઃખ વામેરે ।

કેને સેવ્યે કેવું ફળ થાયરે, કેને પૂજ્યે કાળથી મુકાયરે ।।૨૮।।

કોણ થકી જાય અક્ષરધામરે, કોણ થકી થાય પૂર્ણકામરે ।

એહ સંદેહ સર્વે મટાડીરે, કે’જો વિવેકે વિગતિ પાડીરે ।।૨૯।।

જોગ્ય છોજી યથાર્થ કે’વારે, પુછ્‌યા પ્રશ્નનો ઉત્તર દેવારે ।

પુછી એટલું જોડીયા પાણરે, ત્યારે બોલિયા મુક્ત સુજાણરે ।।૩૦।।

ઇતિ શ્રીકલ્યાણનિર્ણયમધ્યે મુક્ત મુમુક્ષુ સંવાદે પ્રથમો નિર્ણયઃ ।।૧।।

દોહા- મુક્ત કહે સુણ્ય મુમુક્ષુ ,સારા પુછયા તે પ્રશ્ન ।

ઉત્તર એનો આપીયે, કાપિયે સંશય ૨સઘન ।।૧।।

ક લ્ ય ા ણ છ ે ક ૈ ક ભ ા ત ન ા ં , ત ે ન ી જ ુ જ વ ી જ ુ જ વ ી જા ત ।

સર્વે કલ્યાણ સરખા નહિ, તેની સાંભળી લે હવે વાત ।।૨।।

સ ા ચ ુ ં ક ે ત ા ં સ ં ત ા પ છ ે , ખ ા ે ટ ુ ં ક હ્ય્ ા ા મ ા ં સ ઇ ખ ા ટ ્ય । બેઉ પ્રકારે બાધ છે, મને વિચારૂં છું તેહ માટ્ય ।।૩।।

પણ જ્યારે પૂછયું તેં પ્રીતશું, ત્યારે આપશું ઉત્તર અનુપ ।

કે’શું કલ્યાણની વારતા. સાચાસાચી શુદ્ધ રૂપ ।।૪।।

ચોપાઇ- ભેખ ભક્ત આ ભવમાં ઘણેરે, માન્યું કલ્યાણ પૂણ્ય આપણેરે

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

જે જે કરે છે જગમાં જનરે, વ્રત દાને માને શ્રેય મનરે ।।૫।।

ક ે ન ે ચ પ ટ ી ચ ુ ણ દ ે વ ા ય ર ે , ત ે ન ે પ ણ ક લ્ ય ા ણ ક ે ’ વ ા ય ર ે । કેને પોષ ભરી પાય પાણીરે, તેપણ કલ્યાણ થાવાનું જાણી રે ।।૬।।

કોઇ ભૂખ્યાને આપે ભોજન રે, તેપણ કલ્યાણ માનીને મનરે ।

કોઇ વસન ભૂષણ આપે ગર્થરે, તેપણ કલ્યાણ થાવાને અર્થરે ।।૭।।

સોનું રૂપું આપે ત્રાંબા દાનરે, તેપણ કલ્યાણ કાજે નિદાનરે ।

ગાય મહીષીને ગજ બાજરે, ધામ ધરાદિ કલ્યાણ કાજરે ।।૮।।

કાશિયે જઇ લિયે કરવતરે, તેપણ કલ્યાણ થાવા તરતરે ।

હિમાળે જઇ હાડને ગાળેરે, ગડે પૃથ્વીએ પીંડ પ્રજાળેરે ।।૯।।

કમળપૂજા ભૈરવ જપ ખાયરે, તેપણ કલ્યાણ સારૂં કે’વાયરે ।

કોઇ કરે તીર્થ વ્રત સ્નાનરે, કોઇ આપે છે સર્વસ્વ દાનરે ।।૧૦।।

કોઇ ધર્મ નિમ ટેક ધારેરે, જ્યારે કલ્યાણ કરવા વિચારેરે ।

કોઇ કઠણ તપ કરેછે રે, થઇ ઉદાસી વન ફરેછે રે ।।૧૧।।

ફલ દળ કરે જળ આહારરે, કરવા કલ્યાણનો નિરધારરે ।

એહ વિના ઉપાય હજારુંરે, કરેછે સહુ કલ્યાણ સારૂં રે ।।૧૨।।

પણ જેનો જેવો પરિશ્રમરે, પામે કલ્યાણ માનો એ મર્મરે ।

કોઇ પામે અન્ન ધન ધામરે, કોઇ પામે ગરાસ ને ગામરે ।।૧૩।।

કોઇ પામે રાજ્ય સાજ સુખરે, સુત કલત્ર નહિ દેહે દુઃખરે ।

એપણ કલ્યાણ એક કે’વાયરે, સુખ માની રહ્યા છે એ માંયરે ।।૧૪।।

કોઇ પામે અમરાવતીરે, તેપણ પૂર્ણ માનેછે પ્રાપતીરે ।

શિવ બ્રહ્માની પુરીને પામીરે, માન્યું પામ્યા પુરણ ભાગી ખામીરે ।।૧૫।।

એહ વિના બીજા બહુ લોકરે, પામી શમાવી બેઠા છે શોકરે ।

પણ આત્યંતિક જે કલ્યાણરે, તેની રીત ભાત જુદી જાણરે ।।૧૬।।

તેતો હરિ હરિજનથી થાયરે, સાચું કલ્યાણ જેને કે’વાયરે ।

સમઝી લેજે તું એટલું સારરે, નથી બીજો નિશ્ચે નિરધારરે ।।૧૭।।

મળે પ્રભુ પ્રગટ પ્રમાણરે, કાંતો તેના મળેલે કલ્યાણરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

તેહ વિના તો કોટી ઉપાયેરે, આત્યંતિક કલ્યાણ ન થાયરે ।।૧૮।।

જ ે મ ર િ વ િ વ ન ા ન ી ર ા ત ર ે , ન જા ય ન થ્ ા ા ય પ્ર ભ ા ત ર ે । તેમ પ્રગટ પ્રભુ મળ્યા પખીરે, નોયે કલ્યાણ લેવું એ લખીરે ।।૧૯।।

તેહ વિના જો થાય કલ્યાણરે, પડે જૂઠાં તો સર્વે પુરાણરે ।

ભવે ભેખ ભગત છે બહુરે, સાવધાન થઇ મંડયા સહુરે ।।૨૧।।

મત પોતાના પુષ્ટિને અર્થરે, નવાનવા નિપજાવ્યા ગ્રંથરે ।

સર્વે પોતાનું કર્યું છે સાચુંરે, કેણે રાખ્યું નથી વળી કાચુંરે ।।૨૧।।

પણ કલ્યાણ પ્રભુની પાસરે, તે વિના વલોવે છે છાસરે ।

એ છે સર્વે શાસ્ત્રનો મતરે, તેતો ન થાય કેદિ અસતરે ।।૨૨।।

એમ સંત શાણા કહે છે રે, શ્રેય પ્રગટ પાસળે રહે છે રે ।

એમ સર્વેનું છે સિદ્ધાંતરે, મો’રે મોટા ભાગી ગયા ભ્રાંતરે ।।૨૩।।

જેને ફરી ન પડે ફરવું રે, તેને આત્યંતિક શ્રેય કરવું રે ।

તેહ વિના તો કલ્યાણ કાચું રે, પામી પડવું પડે છે પાછું રે ।।૨૪।।

કૈક આ લોક સુખથી પડ્યા રે, કૈક પડ્યા સ્વર્ગ લોકે ચડ્યા રે ।

કૈક હરપુરિથી હણાણા રે, કૈક ચંદ્રલોકથી પછડાણા રે ।।૨૫।।

કિયાં રહ્યું થયું એ કલ્યાણરે, ભાંગ્યું વચ્ચે વારિધિયે વા’ણરે ।

એ કલ્યાણ કામ ન આવેરે, જેને કાળ માયા મળી ચાવેરે ।।૨૬।।

જેને માથે છે મોટાં વિઘનરે, એવું કલ્યાણ મ માનો મનરે ।

તન મનમાં વાત તોળીનેરે, કરવું કલ્યાણ ખરું ખોળીનેરે ।।૨૭।।

ભેખ લીધે ભલાઇ મ ભાળોરે, એહ ભૂલ્ય ભીંતરથી ટાળોરે ।

મત મમતે રહ્યા જે બંધાઇરે, તેમાં કલ્યાણ ન મળે કાંઇરે ।।૨૮।।

પ ર ઘ ર મ ા ર ી પ ે ટ ભ ર ે ર ે , પ ર સ ુ ત િ વ ત્ત્ ા દ ા ર ા હ ર ે ર ે । એમાં કેદી મ માનો કલ્યાણ રે, જેમાં ખરી ખુવારી છે જાણરે ।।૨૯।।

કહ્યું તમે જે પુછયું તું તેહરે, એહ વાતમાં નથી સંદેહરે ।

સાચું માની લેજ્યે સાક્ષાતરે, કહી કલ્યાણની તને વાતરે ।।૩૦।।

ઇતિ શ્રીકલ્યાણનિર્ણયમધ્યે મુક્ત મુમુક્ષુ સંવાદે દ્વિતીયો નિર્ણયઃ ।।૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

દોહા - મુમુક્ષુ કહે મુક્ત સાંભળો, તમે કહી કલ્યાણની રીત ।

પ્રગટ વિના છે પાંપળાં, ખરાખરું કહ્યું ખચીત ।।૧।।

પ્રગટ પ્રભુ ન હોય પૃથ્વીએ, કોઇ કરવા ઇચ્છે કલ્યાણ ।

કહું તેને કેમ કરવું, એહ પુછુંછું જોડિ પાણ ।।૨।।

હોય અવતારનો આશરો, ભાવે કરતો હોય ભજન ।

કલ્યાણ કરવા કારણે, ઝાઝી કરતો હોય જતન ।।૩।।

વળી સેવતો હોય સંતને, સાંભળતો હોય પુરાણ ।

તેણે કરીને તેહનું, કેમ ન હોય કલ્યાણ ।।૪।।

ચોપાઇ- સંત શાસ્ત્ર છે કલ્યાણ કારીરે, સહુ કહે છે એમ વિચારીરે ।

સાધુ સરવે નાના મોટારે, ગ્રંથ પણ ખરા નથી ખોટારે ।।૫।।

શાસ્ત્ર શાસ્ત્ર સરખાં છે સહુ રે, સંત સંત છે સરખા કહુંરે ।

સંત સહુ માળાના મણિકારે, એમાં કોણ ઓછા અધિકારે ।।૬।।

બાનું જોઇ નમાવિયે શિશરે, જોઇયે નહિ કરણી એની લેશરે ।

એમ સાચે મને સંતને સેવેરે, તેતો મોટા સુખને લેવેરે ।।૭।।

શ ા સ્ત્ર શ્ર દ્ધ ા ય ે ક ર ી સ ા ં ભ ળ ે ર ે , ત ે ન ા ં સ વ ેર્ સ ં ક ટ ટ ળ ે ર ે ।

સંત શાસ્ત્રથી કૈક સુધર્યારે, ભણ્યા સહુ કહે છે ભવ તર્યારે ।।૮।।

એવું સાંભળીને સંશય ટળ્યોરે, જાણું મોક્ષનો મારગ મળ્યો રે ।

સંત સેવીને કૈક સુખ પામ્યારે, શાસ્ત્ર સુણી કૈક દુઃખ વામ્યારે ।।૯।।

સંતે કૈક અધમ ઉદ્ધાર્યારે, પામર પતિતને પણ તાર્યારે ।

સંતે ઉદ્ધારિયો અજામેલરે, મહા સમલનો હતો જે શૈલરે ।।૧૦।।

સજના હસના હતા કસાઇ રે, તેને સંત મળ્યા સુખદાઇ રે ।

મહાપાપથી તેને મુકાવ્યારે, આ જક્તમાં ભક્ત તે કાવ્યારે ।।૧૧।।

ખ ગ મ ૃ ગ ન ે ખ ે વ ટ જા ત ર ે , ક ય ાર્ સ ં ત ે સ ુ ખ ી સ ા ક્ષ્ ા ા ત ર ે ।

ગજ ગીધ ગનિકા ગણિયેરે, સંતે ભવ તર્યા તે ભણિયેરે ।।૧૨।।

શ્રુતદેવ સુદામો વિદુર રે, સુખી સંતથી થયા જરૂર રે ।

દક્ષપુત્ર જે દશ હજારરે, એકવારે થયા ભવપારરે ।।૧૩।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

વળી હજાર મુકીને હાલ્યારે, ચોરાશી માર્ગમાં ન ચાલ્યારે ।

નવ જોગી જનક જેદેવરે, સંતે સુખી કર્યા તતખેવરે ।।૧૪।।

સહસ્ર અઠયાશી ઋષિ કહેવાયરે, તે પણ સંતનો મહિમા ગાયરે ।

સંત સેવે ભોળે ભાવે કરીરે, જાય સંસાર સિંધુ તો તરીરે ।।૧૫।।

સંત નાવ જેવા નિરધારરે, એથી પામ્યા કઇ ભવ પારરે ।

કૈક ઋષિ તપસી રાજનરે, પામ્યા સંતથી સુખ સદનરે ।।૧૬।।

ધ્રુવ પ્રહ્લાદ સુખી થયા આપેરે, તેપણ કે’છે સંત પ્રતાપેરે ।

રાય રુકમાંગદ અંબરીષરે, એહ જેવા બીજા જે નરેશરે ।।૧૭।।

શિબિ સુધનવા સત્યવાદીરે, રહૂગણ રંતિદેવ આદિરે ।

દ્વિજ ક્ષત્રી વૈશ્ય વળી શૂદ્રરે, પામ્યા સંતથી સુખ સમુદ્રરે ।।૧૮।।

સંત સહુના છે સુખદાયિરે, એમ કહેછે સહુ જુગમાંઇરે ।

એથી પામ્યા બહુ સુખધામરે, પડયું નહિ પ્રભુ પ્રગટનું કામરે ।।૧૯।।

કર્યો ઉદ્યમ અફળ ન જાયરે, નથી પ્રગટનું કામ કાંયરે ।

જોઇયે ભકતની ભલી ભગતિરે, પ્રભુ ન હોય તોય થાય ગતિરે ।।૨૦।।

અમને તો સમઝાય છે એવું રે, નથી સાચા વિશ્વાસ જેવુંરે ।

સેવે સંત રાખી મન સાચુંરે, તો કલ્યાણનું ન રહે કાચુંરે ।।૨૧।।

વળી શાસ્ત્રને કોઇ સાંભળેરે, તેની ભૂલ્ય કહો કેમ ન ટળેરે ।

શાસ્ત્ર સર્વર્ેે રહ્યાં ધર્મધારીરે, શાસ્ત્ર પ્રમાણે રહે નરનારીરે ।।૨૨।।

શાસ્ત્રે કરીછે વર્ણ આશ્રમરે, શાસ્ત્રે કરી છે ધર્મ અધર્મરે ।

શાસ્ત્રે કરી છે સર્વે વેવારરે, શાસ્ત્ર જણાવે સાર અસારરે ।।૨૩।।

શાસ્ત્રમાંયે કહ્યું છે કલ્યાણરે, તે પણ વાત નથી અપ્રમાણરે ।

શાસ્ત્ર સુણવે ન હોય કલ્યાણરે, એવી સાંભળી નહિ વળી વાણરે ।।૨૪।।

સતશાસ્ત્ર સહુનાં સુખદાયિરે, એમાં ફેર નથી કહું કાંઇરે ।

સતશાસ્ત્રથી શ્રેય ન થાયરે, એવું અમે મુખે ન કે’વાયરે ।।૨૫।।

સતશાસ્ત્રનો સંગ જો હોયરે, તો તર્યા વિના ન રહે કોયરે ।

એમાં પ્રગટ પ્રભુનું કામરે, નથી પડતું કહું કરભામરે ।।૨૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

તમે તો કહ્યો પ્રગટ પ્રતાપરે, તે પામ્યા વિના ન ટળે તાપરે ।

ત્યારે સંત શાસ્ત્રથી શું સર્યુંરે?, જ્યારે કલ્યાણ પ્રગટમાં ઠર્યું રે ।।૨૭।।

એહ વાતમાં વડો સંદેહરે, તમે કૃપા કરી કહો તેહરે ।

તમ વિના એ સંશય ન નાશેરે, માટે અમે પુછયું તમ પાસેરે ।।૨૮।।

શ્રદ્ધા છે જો સાંભળવા માંઇરે, કહેજ્યો કસર ન રહે કાંઇરે ।

જેણે ન હોય નકી નિરધારરે, તેહ સાંભળ્યામાં શું સારરે ।।૨૯।।

જેમાં ફરી ફેરવણી ન હોયરે, સૌને સુણવા સરખું સોયરે ।

કરિયે ઉદ્યમ ન આવે અર્થરે, ઠાલો જાય આ જનમ વ્યર્થરે ।।૩૦।।

માટે સરવે સુફળ થાયરે, એવો અનૂપમ કે’જો ઉપાયરે ।

એમ મુમુક્ષુ કહે મહાંતરે, સાચા સાચું કહેજો એ સિદ્ધાંતરે ।।૩૧।।

ઇતિ શ્રીકલ્યાણનિર્ણયમધ્યે મુક્ત મુમુક્ષુ સંવાદે તૃતીયો નિર્ણયઃ ।।૩।।

દોહા - ત્યારે મુક્ત કહે સુણ્ય મુમુક્ષુ, તમે પુછયું જે જે પ્રશ્ન ।

તેનો ઉત્તર અમે આપિયે, તમે સાંભળજો દઇ મન ।।૧।।

પ ૂ વ ેર્ ઉ ત્ત્ ા ર મ ા ં િ હ િ પ્ર છ વ્ ય ા ે , હ િ ર હ િ ર જ ન ન ા ે સ ં બ ં ધ । તેહ વિના કોઇ જીવના, વળી છુટે નહિ ભવબંધ ।।૨।।

જ ે જ ે જી વ ત ય ાર્ જ ક્ ત મ ા ં , ત ે ન ા ે ક ર ા ે િ વ ચ ા ર ી િ વ વ ે ક । હરિ હરિજન વણ મળ્યે, કોઇ ઉદ્ધરિયા નહિ એક ।।૩।।

અ ં ત ર મ ા ં અ વ ર ા ઇ ર હ્ય્ ા ુ ં , ઉ પ દ ે ષ્ટ ા ન ે અ જ્ઞ્ ા ા ન ।

તે સામાને શું સમઝાવશે, વળી નકી વાત નિદાન ।।૪।।

ચોપાઇ- માટે જેને મળ્યા મહારાજરે, એવા સંતથી સરેછે કાજરે ।

હરિ સાથે હોય હળ્યા મળ્યારે, પ્રભુ પ્રગટ પામી તાપ ટળ્યારે ।।૫।।

રહી નહિ ઉધારાની વાતરે, પામ્યા સાચા સાધુ સાક્ષાતરે ।

અટકળ અકળ ન રહ્યુંરે, જથાર્થ જે છે તે થયું રે ।।૬।।

એવા સંતનો જે સમાગમરે, તેતો ટાળવા દુઃખ વિસમરે ।

જેની સંશય રહિત વાત સાચીરે, પૂરણ પ્રાપતિમાં નથી કાચીરે ।।૭।।

એની બોલી છે રોકડી રૂડીરે, નથી વારતા એની નમુડીરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

ખાતે ચોપડે નથી ખોળવીરે, જ્યારે જોઇએ ત્યારે નિત્ય નવીરે ।।૮।।

વણદીઠી નથી વખાણતારે, કહેછે નજરો નજરની જાણતારે ।

પ્રભુ પાસળના જે રહેનારરે, જે કહે તેમાં નહિ ફેરફારરે ।।૯।।

બોલે પ્રભુ પ્રસન્નતા પ્રમાણરે, તેમાં નહિ તન મન તાણરે ।

જોઇ મહા પ્રભુની મરજીરે, ઘણું વાત કરેછે ગરજીરે ।।૧૦।।

અતિ અમલ સહિત ઉચ્ચરેછેરે, બહુ જીવનાં કાજ કરેછેરે ।

સાચા સંત એછે સુખદાઇરે, એમ કહેછે સહુ જગમાંઇરે ।।૧૧।।

એવા સંતથી સરેછે કાજરે, તેહ દિવસ કે વળી આજરે ।

તેતો કહ્યું મેં તુંને મોરેરે, ભુલી પુછયું તેં પુછયાને હોરેરે ।।૧૨।।

સાચા સંત કે શ્રીહરિ સોયરે, જીવ તારવા એ જગે દોયરે ।

તેહ વિના જે સંત કહેવાયરે, તેહ સંતથી કાજ ન થાયરે ।।૧૩।।

એતો સંત તણો લઇ વેશરે, પેટ સારૂં આપે ઉપદેશરે ।

તેને પણ સમઝશો સંતરે, થાશે જ્યાન મોટું જો અત્યંતરે ।।૧૪।।

એનો જો કરશો વિશ્વાસરે, નાખશે તો કોટે કાળપાશરે ।

પાડશે પ્રભુનો કાળ ચોખોરે, થાશે એ વાતનો બહુ ધોખોરે ।।૧૫।।

કાંતો કરશે કર્મ પ્રધાનરે, કહેશે ઘટ ઘટમાં ભગવાનરે ।

કાંતો થઇ ગયા હવે થાશેરે, એમ બંબેબંબ બહુ ગાશેરે ।।૧૬।।

નથી પ્રભુતણી દિશ લાધીરે, મૂરખાઇએ રહ્યા મત બાંધીરે ।

આપ સ્વારથ સારવા કાજરે, કરે બહુ જીવનાં અકાજરે ।।૧૭।।

એવા થકી માનશે કલ્યાણરે, તેતો બહુ દિન થાશે હેરાણરે ।

એમ સમઝીને લેવું સારરે, કલ્યાણ અકલ્યાણ કરનારરે ।।૧૮।।

સાચા સંતથી સાચું કલ્યાણરે, બીજે તો મુખસ્વાદની વાણરે ।

માટે જે જે તર્યા જગે જંતરે, તેને મળ્યા પ્રગટના સંતરે ।।૧૯।।

હવે શાસ્ત્રનું કહી સંભળાવુંરે, તારો સર્વે સંશય ટળાવુંરે ।

શાસ્ત્ર શ્રીમુખનાં જે વેણરે, સત્ય શાસ્ત્ર એ છે સુખદેણરે ।।૨૦।।

એનાં વચન તે સુખકારીરે, લેવાં સહુને અંતરે ધારીરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

એ છે વેદ શાસ્ત્ર ને પુરાણ રે, એમાં રહ્યું છે કોટી કલ્યાણરે ।।૨૧।।

કાંતો એની લીલા ને ચરિત્રરે, સુખ દાઇ એ પરમ પવિત્રરે ।

કાંતો એના માનેલ જે ગ્રંથરે, આવે એવા શ્રેયને અર્થરે ।।૨૨।।

બીજા કવિ કોવિદની કાવ્યરે, એ તો વારિ વિનાની છે વાવ્યરે ।

તેમાં રહ્યાં છે ભુત ભોયંગરે, ગરે તેનું કરે અંગ ભંગરે ।।૨૩।।

વળી મતમતના જે ગ્રંથરે, કર્યા સારવા પોતાનો અર્થરે ।

તેહ વિના બીજા ગ્રંથ વળીરે, થાય ભૂંડું એ ગ્રંથ સાંભળીરે ।।૨૪।।

રસિકપ્રિયા રસમંજરીરે, સુણતાં તરત જાય બુદ્ધિ ફરીરે ।

વળી વામી વેદાંતના ગ્રંથરે, અતિ નાસ્તિક નામ અનર્થરે ।।૨૫।।

આવે આસ્તિક મતિ જો એમાંરે, થાય દુઃખી રહે નહિ શેમાંરે ।

માટે એ સંત શાસ્ત્રનો સંગરે, સમઝી વિચારી ન કરવો અંગરે ।।૨૬।।

ન હોય ઉજળું એટલું દુધરે, તે પણ સમઝી લેવું સુબુધરે ।

જેમ શાહુકાર શહેરમાં હોયરે, તેમ ચોર વિના શહેર નો’યરે ।।૨૭।।

એક કનક-કુંદન કહેવાયરે, હોય બડવાળ બહુ બીજા માંયરે ।

માટે શાસ્ત્ર શાસ્ત્ર નહિ એકરે, સંત સંતમાં પણ વિવેકરે ।।૨૮।।

તેતો શુદ્ધ મુમુક્ષુને સુઝેરે, સહુ સરખું એમ ન બુઝેરે ।

જેને પામવું પરમ કલ્યાણરે, તેને અતિ ન રહેવું અજાણરે ।।૨૯।।

વાત સરવે સમઝી લેવીરે, ગ્રહ્યા જેવી હોય તેને ગ્રહેવીરે ।

એટલું તો જાણવું જરૂરરે, ભીંતર ભોળા પણ કરી દૂરરે ।।૩૦।।

ઇતિ શ્રીકલ્યાણનિર્ણયમધ્યે મુક્ત મુમુક્ષુ સંવાદે ચતુર્થો નિર્ણયઃ ।।૪।।

દ ા ે હ ા - મ ુ મ ુ ક્ષ્ ા ુ સ ુ જા ણ જ ે હ , ત ે હ ક હ ે છ ે જા ે ડ ી પ ા ણ ।

સર્વે સરખું સમઝતાં, તેની આજ પડી ઓળખાણ ।।૧।।

પણ એક ભક્ત આ જક્તમાં, તે ભક્તના પણ ભગત ।

તેનું કલ્યાણ કેમછે, કહું પાડો તેહની વિગત ।।૨।।

જુજવી રીતે આ જક્તમાં, થયા ભક્ત તે બહુ ભાત ।

તેના શિષ્ય સંસારમાં, નથી માનતા કેની વાત ।।૩।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

પ્રભુ થકી પરાપરું ખરું, સમઝે છે પોતાનું સિદ્ધાંત ।

માયિક કહી અવતારને, ભવ જીવને ભરાવી ભ્રાંત ।।૪।।

ચોપાઇ- સતશાસ્ત્રને પણ ન માનેરે, કહે પોંથાં થોથાં લખ્યાં પાનેરે ।

સર્વે શાસ્ત્રમાંહિ શું છે સારરે, નવરે નવરે કર્યો નિરધારરે ।।૫।।

બાંધ્યા વર્ણાશ્રમ ચાર ચારરે, વળી એ વિના વર્ણ અઢારરે ।

તેના મર્ણ પરણની વિધિરે, બહુ નોંખી નોંખી બાંધી દીધીરે ।।૬।।

એમાં સમઝો સઇ થઇ ખાટરે, જીવ ભ્રમાવી ભુલાવી વાટરે ।

એમાં આત્માનું શું સર્યું રે, સર્વે પંડનું કુટણું કર્યું રે ।।૭।।

જોજ્યો વ્યાસ વાલ્મિકીની બુદ્ધિરે, કોઇ વાત કરી નહિ શુદ્ધિરે ।

પારાશર ને શંખ લિખિતરે, ઋષિ મુનિ ન સમઝયા રીતરે ।।૮।।

પાપ પુણ્ય પુરાણે પ્રમાણીરે, બાંધ્યા બહુ જીવને તેમાં તાણીરે ।

ગુંથી ગયા છે જાળ્યો જોરાણરે, તેમાં સહુ થાય છે હેરાણરે ।।૯।।

ગ્રંથ ખોટા ને ખોટા કરનારરે, એમાં અમે તો ન દીઠું સારરે ।

એમ ખળ ખંડે સત્ય ગ્રંથરે, અભાગી કરવા અનરથરે ।।૧૦।।

વળી કહેછે અવતાર ખોટારે, ચૈતન્યમાં કોણ નાના મોટારે ।

કહે છે ચોવીશ પ્રભુનાં રૂપ રે, ત્યારે બીજાં તે કેનાં સ્વરૂપરે ।।૧૧।।

સર્વે રૂપે રમે એક રામરે, નથી દેવ દાનવ નર વામરે ।

પશુ પંખી સ્થાવર જંગમરે, તેની ગોતી કાઢો તમે ગમરે ।।૧૨।।

સર્વે પંચ ભૂતનાં પુતળાંરે, શોભે રૂપે અનુપ સઘળાંરે ।

તેમાં ચૈતન્ય ચમતકારીરે, તે તો રહ્યું છે સહુને ધારીરે ।।૧૩।।

ચૈતન્ય ચૈતન્ય નહિ ફેર વાલરે, દીવો દીવી મેંતાબ મશાલરે ।

એમ ચૈતન્ય ચૈતન્ય એકરે, પિંડ-પરઠી કહે છે અનેકરે ।।૧૪।।

એમ શાસ્ત્ર સુણી શુભ મતિરે, નથી રે’તી તે નરને રતિરે ।

એમ કહેછે કુલક્ષણા કથીરે, જેને કોઇની પ્રતિતી નથીરે ।।૧૫।।

તીર્થ વ્રત નિમ સદાચાર રે, તેના કાપનારા છે કુઠારરે ।

એવા જ્ઞાની ઘરોઘર ઘણારે, ભર્યા ભારે કળિમળ તણારે ।।૧૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

એનું કેમ સમઝવું કોનેરે, ભારે સંશય એ તમે ભાગોનેરે ।

સત્ય વાતના થોડા કહેનારરે, અસત્ય વાતના કહેનારા અપારરે ।।૧૭।।

મઠ મંદિર ને અપાસરેરે, ચોરે દ્વારે એજ વાત કરેરે ।

વાટે ઘાટે એનો જ ઉચ્ચારરે, ચૌટે હાટે એ વાત વેપારરે ।।૧૮।।

ભટ્ટ પંડિતને જે પુરાણીરે, ભેખ ભક્ત વદે છે એ વાણીરે ।

ગુરુ સંત જુઠા જગે ડોલેરે, તે પણ એમના એમ જ બોલેરે ।।૧૯।।

કહે છે ખાઓ પિઓ ખુબી કરોરે, શીદ કોઇના ડરથી ડરોરે ।

નરક સ્વર્ગ ને નથી ચોરાશીરે, ખરી વાત માની લિયો ખાશીરે ।।૨૦।।

રૂડો રહસ્ય કહ્યો હૃદે ધારોરે, એ સમઝી સંશય વિસારોરે ।

કર્મ ધર્મ કહ્યા મુનિ કથીરે, તેને આ વાતની ગમ નથીરે ।।૨૧।।

એમ કહેછે આ જક્તમાં ઝાઝારે, ધર્મહીણ અધર્મીના રાજારે ।

એતો એવાના એવાજ રહેશેરે, કે કોઇ ખબર એની લેશેરે ।।૨૨।।

અતિ અવળી મતિ છે એનીરે, નથી બીક કોઇ બીજા કેનીરે ।

થાય ઉપદેષ્ટા સહુના આપેરે, પણ વરતે છે પૂરણ પાપેરે ।।૨૩।।

યાંતો થયા છે અધર્મી આચાર્યરે, જાણે બેઠા છીએ કરી કાર્યરે ।

એમ મને માન્યું મૂરખાયેરે, કરવું રહ્યું નથી હવે કાંયરે ।।૨૪।।

પોતે માન્યું પાકું કામ થયુંરે, જાણે બીજાને ઉપદેશ દિયું રે ।

જેમ પોતે સમઝયા છે સહીરે, તેમ પરને દેખાડે છે કહીરે ।।૨૫।।

એવા ભવમાં બહુ ભાળેલરે, નજરો નજરના નિહાળેલરે ।

ખરેખરા ખુની પ્રભુજીનારે, જાણું વેરવાઇ બહુ દિનારે ।।૨૬।।

જે જે થાપ્યા છે પ્રભુએ ધર્મરે, તેને અભાગી કહે છે અધર્મરે ।

જેને તેને ધર્મમાંથી પાડેરે, પાપ પુણ્યને ખોટા દેખાડે રે ।।૨૭।।

ધર્મ દ્વેષી પાપના તો પા’ડરે, મોક્ષ માર્ગે લોહ કમાડરે ।

તેતો તન તજે ફળ પામેરે, કહેજ્યોે સર્વે સંશય શોક વામેરે ।।૨૮।।

સમઝાવજ્યો એ સારી પેરરે, મહામુનિ મોટી કરી મે’રરે ।

ભવમાં ભૂલવણી છે ઘણીરે, મને બીક લાગે છે તે તણીરે ।।૨૯।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

માટે વળી વળી પુછું છું વાતરે, કહેજ્યો રાજી થઇ રળિયાતરે ।

કહેજ્યો ખરાખરૂં વશા વિશરે, એમ કહીને નમાવ્યું શિશરે ।।૩૦।।

ઇતિ શ્રીકલ્યાણનિર્ણયમધ્યે મુક્ત મુમુક્ષુ સંવાદે પંચમો નિર્ણયઃ ।।૫।।

દોહા - મુક્ત કહે સુણો શુભમતિ, સત્ય વાત સમઝિયે સાર ।

કૃતઘ્નીનાં એ કામ છે, જે નંદે આગમ અવતાર ।।૧।।

સત્ય શાસ્ત્ર સુખદાયી છે, સમઝાવે તે સત્ય અસત્ય ।

તેને મિથ્યા કરી માનવું, એજ આવી જાણવી કુમત્ય ।।૨।।

શાસ્ત્ર કહે તે સત્ય છે, નથી અસત્ય તે અણુભાર ।

નિશ્ચય પડશે નરકમાં, એના નિંદાના કરનાર ।।૩।।

શ ા સ્ત્ર જ ે જ ે સ ૂ ચ વ ે , ત ે ક ુ ડ ુ ં ન પ ડ ે ક ા ં ઇ ।

ગ્રહણ પાંખે છે અસમાનમાં, તેહ સહુ દેખે છે આંઇ ।।૪।।

ચોપાઇ - શાસ્ત્ર જણાવે સાર અસારરે, શાસ્ત્રે કર્યો સહુ નિરધારરે ।

સંત શાસ્ત્ર કહેછે સુરસુખરે, તેહ પામ્યા સારૂં કરે મખરે ।।૫।।

શાસ્ત્ર કહેછે કૈલાશની વાતરે, સત્યલોકે સુખ કહે સાક્ષાતરે ।

શાસ્ત્ર કહેછે વૈકુંઠ વખાણીરે, તેને પામવા ઇચ્છે છે પ્રાણીરે ।।૬।।

શાસ્ત્ર કહેછે ગોલોકમાં ગુણરે, શાસ્ત્ર વિના સમઝાવે કુણરે ।

શાસ્ત્ર કહેછે અક્ષરધામરે, તે સુણી સહુ કરે છે હામરે ।।૭।।

શાસ્ત્ર કહે છે શ્રીહરિનું સુખરે, જે પામતાં રહે નહિ દુઃખરે ।

લોક અલોકમાં જે અગમરે, તેની ગ્રંથ પડાવે છે ગમરે ।।૮।।

શાસ્ત્ર કહે છે સર્વેનાં સ્થાનરે, જને દીઠાં ન સાંભળ્યાં કાનરે ।

શાસ્ત્ર કહે છે કલ્યાણની રીતરે, શાસ્ત્રે થાય છે પ્રભુમાં પ્રીતરે ।।૯।।

શાસ્ત્રથકી સંત ઓળખાણરે, શાસ્ત્રથકી સમઝણ જાણરે ।

શાસ્ત્રે કરી આવેછે સુબુદ્ધિરે, શાસ્ત્ર વિના મતિ રહે ઉંધીરે ।।૧૦।।

શાસ્ત્ર મરજાદે સહુ છે સુખીરે, નહિ તો દેહધારી રહે દુઃખીરે ।

દેવ દાનવ માનવ મુનિરે, શાસ્ત્રે બાંધી મરજાદ સહુનીરે ।।૧૧।।

એવી કેટલી વાતો કહેવાય રે, મોટો સત્શાસ્ત્રનો મહિમાયરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

તેમાં દોષ દેખાડેછે પાપીરે, તેની જોઇયે છીયે જીભ કાપીરે ।।૧૨।।

તેતો મરીને જમપુર જાશેરે, ઘણી જમદૂતની માર ખાશેરે ।

પડશે નરકના કુંડમાં તેહરે, પાછો નહિ મળે મનુષ્યનો દેહરે ।।૧૩।।

શાસ્ત્રબા’ર વરતે છે જેહરે, શાસ્ત્ર બા’ર પામે દેહ તેહરે ।

શ્વાન સૂકર ખર શિયાળરે, તન તે પામશે તતકાળરે ।।૧૪।।

ત્યારે ઓરતો થાશે જો એનેરે, કહ્યા જેવું નહિ રહે કેનેરે ।

એમ દુઃખી રહેશે રાત દનરે, સત્ય માને મુમુક્ષુ તું મનરે ।।૧૫।।

વળી પુછી તેં પ્રભુની વાતરે, તે પણ સુણી લેજ્યે સાક્ષાતરે ।

કિયાં જીવ કિયાં જગદીશરે, કિયાં ખદ્યોત કિયાં દિનેશરે ।।૧૬।।

જેજે જગજીવનથી થાયરે, તેતો જીવથી ન થાય કાંયરે ।

જોને પ્રભુતણો પ્રતાપરે, સહુ જાણે જગતમાં આપરે ।।૧૭।।

જેની આજ્ઞાને શશિ સૂરરે, નથી લોપતા જાણો જરૂરરે ।

જેની આજ્ઞામાં સુરરાજરે, મેઘ વરસાવે સહુ જન કાજરે ।।૧૮।।

જેની આજ્ઞા ઉર વિચારીરે, ધરણી રહી છે લોકને ધારીરે ।

જેની આજ્ઞામાં શેષ હમેશરે, ચૌદ લોક ધરી રહ્યા શિશરે ।।૧૯।।

જેની આજ્ઞામાં વેલી વનરે, આપે ફળ દળ સમે સુમનરે ।

જેની આજ્ઞામાં કાળ શક્તિરે, દિન રાત રહેછે ડરતીરે ।।૨૦।।

જેની આજ્ઞા માનીને મૃત્યુંરે, સદા સર્વદા રહેછે ફરતુંરે ।

જેની આજ્ઞામાં અજ ઇશરે,હરખે કરી રહેછે હમેશરે ।।૨૧।।

વળી દેહ ધરી કર્યાં કાજરે, તેતો કહેતાં ન કહેવાય આજરે ।

બહુ ધરી હરિ અવતારરે, કર્યો કંઇ જીવનો ઉદ્ધારરે ।।૨૨।।

ત ે હ પ્ર ભ ુ ત ણ ી ત ડ ા ે વ ડ ર ે , થ્ ા ા વ ા જા ય પ ા પ ી જી વ જ ડ ર ે । જેને નથી શરીરની સાધ્યરે, વળી વણતોળી વેઠેછે વ્રાધ્યરે ।।૨૩।।

પડયો પરવશ પરાધીનરે, વર્તે એકા એક આગે દીનરે ।

રહ્યો અજ્ઞાનમાં અવરાઇરે, ઘણો ઘનશ્યામનો ઘનાઇરે ।।૨૪।।

તે જાશે મરી જમપુરી માંયરે, બહુ માર ખાશે મૂઢ ત્યાંયરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

પછી નરકના કુંડમાં પડશેરે, પડયોે કૈક કાળ લગી સડશેરે ।।૨૫।।

કર્મભોગે જો નિસરશે બા’રરે, લેશે ભૂત પ્રેતના અવતારરે ।

ખાશે વિષ્ટા પેસાબને પીશેરે, એવું હરિનિંદાનું ફળ લેશેરે ।।૨૬।।

એવું સુખ સાંભળીને કાનરે, થાવું હોય તો થાજ્યો ભગવાનરે ।

એમાં જુઠું નહિ પડે જરાયરે, સહુ માની લેજ્યો મનમાંયરે ।।૨૭।।

એવા પાપીનો સંગ જેને થાયરે, તેનો પણ જન્મ એળ્યે જાયરે ।

કલ્યાણનું તો રહી જાય ક્યાંઇરે, સામું પડે મહાદુઃખ માંઇરે ।।૨૮।।

ફુટયું નિરજળમાં જળઠામરે, ટળી હૈયેથી જીવ્યાની હામરે ।

મળ્યા મારગે ૩મમોઇગરારે, પ્રાણીના પ્રાણ લેનાર ખરારે ।।૨૯।।

એમ સમઝી લેવું સિદ્ધાંતરે, સમઝયા વિના ભાગે નહિ ભ્રાંતરે ।

કહી વાત પુછયા પ્રમાણરે, હવે શું પુછવું છે સુજાણરે ।।૩૦।।

ઇતિ શ્રીકલ્યાણનિર્ણયમધ્યે મુક્ત મુમુક્ષુ સંવાદે ષષ્ઠો નિર્ણયઃ ।।૬।।

દોહા - ધન્ય ધન્ય મુક્ત શિરોમણિ, ભૂલ્ય ભ્રાંતિના ભાંગનાર ।

અજ્ઞાન તમ ટાળવા, સૂરજ સમ નિરધાર ।।૧।।

ઘ ણ ા િ દ વ સ ન ુ ં ઘ ર મ ા ં , સ ં શ ય ન ુ ં ર હ્ય્ ા ુ ં ત ુ ં શ ૂ ળ ।

તેહ તરત તમે ટાળિયું, મહામોટા મોહનું મૂળ ।।૨।।

વ ળ ી પ ુ છ ુ ં છ ુ ં પ્ર ી ત શ ુ ં , ત મ ે ક હ ે જા ે ક ૃ પ ા િ ન ધ ા ન । અનેક જીવ ઉદ્ધારવા, આવે ભૂમિપર ભગવાન ।।૩।।

કલ્યાણ કરી કોટિ કોટિનાં, પાછા પધારે પોતાને ધામ ।

કેડયે રહે તેના કુળના, તેથી સરે કે ન સરે કામ ।।૪।।

ચોપાઇ- પ્રભુ હોય પ્રગટ પ્રમાણરે, ત્યારે કરે બહુનાં કલ્યાણરે ।

જ્યાં જ્યાં હરિ ધરે અવતારરે, કહું સાંભળજો કરી પ્યારરે ।।૫।।

ખગ મૃગ જળચર માંયરે, ધરે નર દેહ આપ ઇચ્છાયેરે ।

વિપ્ર નૃપ જાણો જોગી માંયરે, થાય પ્રભુજી પ્રગટ ત્યાંયરે ।।૬।।

તેના વંશના રહેછે વાંસેરે, ભલા ગુણના ભરેલ ભાસેરે ।

દૃઢ હોય ધર્મ નિમ માંઇરે, અયોગ્ય આચરણ ન કરે કાંઇરે ।।૭।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

રૂડી રીતને પાળે પળાવેરે, સંશય શોકનાં ખાતાં વળાવેરે ।

રહે પ્રભુની મરજી પ્રમાણરે, મેલી મન મમતાની તાણરે ।।૮।।

આપ સ્વારથ સારવા સારૂંરે, કેદિ કરે નહિ મારું તારૂંરે ।

કામ ક્રોધ વળી લોભ લહીરે, મોહ વેનમાં ન જાય વહીરે ।।૯।।

સહુને આપે શુભ ઉપદેશરે, તેમાં સ્વારથ નહિ લવ લેશરે ।

સગા સહુના છે હિતકારીરે, ધર્મ ધીરજને રહ્યા ધારીરે ।।૧૦।।

શ્ર ી હ િ ર ન ા ગ મ ત ા મ ા ં ઇ ર ે , ર હ ે સ દ ા સ વર્ થ્ ા ા સ દ ા ઇ ર ે । હોય હરિના મળેલ એવારે, તેથી સહુને ઉપદેશ લેવારે ।।૧૧।।

તેને મળી પામે જીવ પારરે, તેમાં નથી જો સંશય લગારરે ।

પણ ન હોય ધર્મ નિમ માંઇરે, રહે અંતરે અધર્મ છાઇરે ।।૧૨।।

એવા પ્રભુ કેડયના રહી જાયરે, તેથી શ્રેય થાય કે ન થાયરે ।

કહ્યા મો’રે શુભ ગુણ સોયરે, તેતો હોય કે વળી ન હોયરે ।।૧૩।।

કલ્યાણકારી મોટપ્ય થોડી રે, રહ્યા જગ મોટપ્યે મન જોડીરે ।

વે’વારિક મોટપ્યને માંઇરે, વાવરેછે બુદ્ધિ બહુ ત્યાંઇરે ।।૧૪।।

સહુથી સરસ ભોગવેછે સુખરે, નથી કોઇ વાતનું વળી દુઃખરે ।

મુખે કહેછે મો’રની મોટાઇરે, તે માંયલી નથી પોતા માંઇ રે ।।૧૫।।

એવા થકા ભૂમિયે ફરેછેરે, આપી ઉપદેશ શિષ્ય કરેછે રે ।

કહેછે કલ્યાણ છે અમ પાસરે, આવો મંત્ર લઇ થાઓ દાસરે ।।૧૬।।

આપો તન મન ધન અમનેરે, ભવપાર કરિયે તમનેરે ।

નથી હરિની હદમાં હાલતારે, રહેછે મન ગમતે મા’લતારે ।।૧૭।।

ચાલે પ્રભુની મરજાદ ત્રોડીરે, રહેછે વિષય સાથે મન જોડીરે ।

એથી કલ્યાણ થાવાનું કેમ રે, એ પુછુંછું કહેજ્યો કરી પ્રેમરે ।।૧૮।।

વળી પુછુંછું એક મહારાજરે, બહુ અવતાર ધર્યાનું શું કાજરે ।

કાં હરિ ન રહે એકજ રૂપેરે, શીદ થાયછે બહુ સ્વરૂપેરે ।।૧૯।।

એક હોત તો ભજત સહુ એનેરે, ખેંચાતાણ રહત નહિ કેનેરે ।

સહુ ભાવે કરત ભજનરે, એક બીજામાં મેળવી મનરે ।।૨૦।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

હેતે હળી મળી રહત ભેળારે, દિલે ન રહત કોય દુભેલારે ।

આતો પરસ્પર પડી આંટીરે, માંહોમાંહે થઇ રહ્યા માટીરે ।।૨૧।।

એક બીજાને નિશ્ચે નંદેછેરે, સહુસહુ પોતાને વંદેછેરે ।

એક એકની ઉપાસના માંઇરે, કાઢે ખોળી ખાંચ્ય ખોટ્ય કાંઇરે ।।૨૨।।

તેતો સહુ મળી નિંદે છે નાથરે, હીણું કરેછે પોતાના હાથરે ।

તેમાં નહિ આવે સ્વપ્ને સુખરે, થાશે સહુનું શ્યામ શાહી મુખરે ।।૨૩।।

એમાં કમાણી શી કમાશેરે, ઠાલો જન્મ એળ્યે ગમાશેરે ।

એવી ભૂલવણી છે જે ભારેરે, માટે પુછુંછું હું વારેવારેરે ।।૨૪।।

કે’જો જો હોય કે’વા જેવું રે, નહિ તો ઘોળ્યું પરું નવ કેવુંરે ।

મેં તો સે’જે પુછયું સંતજનરે, નથી સંશય એનો મારે મનરે ।।૨૫।।

મેંતો સમઝી સાબિત કીધું છેરે, દૃઢ અંતરે ધારી લીધું છેરે ।

પ્રભુ પ્રગટ વિના કલ્યાણરે, નથી માનતો હું નિરવાણરે ।।૨૬।।

એની નિગઠ ગાંઠ્ય વળીછેરે, બીજી સર્વે ભ્રાંતિ ટળીછેરે ।

ખાંચ્યો પુછવામાં નથી ખાટરે, હવે એવું પુછું શિયા માટરે ।।૨૭।।

અ ે ક પ ુ ર ી ષ્ ા ન ે પ ર દ ા ે ષ્ ા ર ે , અ ે ન ે ઉ ઘ ા ડ ત ા ં અ પ શ ા ે ષ્ ા ર ે । હવે એવોેે નહિ કરૂં ઉચ્ચારરે, શોધી લીધું છે સર્વેનું સારરે ।।૨૮।।

પણ બીજાને સમઝવા સારૂંરે, પુછવું છે મહારાજ મારૂંરે ।

રખે પ્રપંચમાં કોઇ પડેરે, એમ મારું મન ઘાટ ઘડેરે ।।૨૯।।

ઇતિ શ્રીકલ્યાણનિર્ણયમધ્યે મુક્ત મુમુક્ષુ સંવાદે સપ્તમો નિર્ણયઃ ।।૭।।

દોહા - મુક્ત વચન એવાં સાંભળી, વળી બોલિયા કરી હેત ।

શુદ્ધ મુમુક્ષુ સાંભળ્યે, કહું સર્વે વિગતિ સમેત ।।૧।।

પ્ર થ્ ા મ ક હ ુ ં હ ુ ં િ પ્ર છ વ ી , પ્ર ભ ુ પ્ર ગ ટ ન ા અ વ ત ા ર ।

પછી કહું તેના કુળનું, નિશ્ચય કરી નિરધાર ।।૨।।

અ ે ક ે અ ન ે ક પ્ર ક ા ર ન ા ં , સ ર ે ન િ હ સ ે વ ક ન ા ં ક ા જ ।

તે સારૂં તન જુજવાં, ધરણિયે ધરે છે મહારાજ ।।૩।।

વારિ વસુધા વ્યોમમાં, દુષ્ટે દુઃખી કર્યા હોય દાસ ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

આરતવાનને અર્થે, આપે આવે છે અવિનાશ ।।૪।।

ચોપાઇ- એક અવતાર એકને કાજરે, મહેર કરી લિયેછે મહારાજરે।

તેનાં સર્વે સંકટ ટાળેછેરે, પ્રીતે પૂરણ લાડ પાળેછેરે ।।૫।।

હેતે હળીમળી તેહ સાથરે, નૌતમ સુખ આપે તેને નાથરે ।

તેતો થાય છે પૂરણકામરે, વળી પામેછે પ્રભુનું ધામરે ।।૬।।

એહ વિના હોય હરિ દાસરે, તેનો કષ્ટ કરવો હોય નાશરે ।

ત્યારે એ તને જતન ન થાયરે, એમ સમઝવું મનમાંયરે ।।૭।।

જળ વાસી કરે કામ જળનુંરે, સ્થળવાસી કરે કામ સ્થળનું રે ।

માટે નોખાં નોખાં તન ધરીરે, કામ કરેછે જનનું હરિરે ।।૮।।

જ્યારે ધરેછે જુજવાં ગાતરે, ત્યારે હોય જુજવી રીતભાતરે ।

પછી જેવી રીતે જાણે જનરે, તેવી રીતે કરેછે ભજનરે ।।૯।।

જ ે વ ા ે ગ ુ ણ રૂ પ ન ે અ ા ક ા ર ર ે , જા ે ઇ જ ન ક ર ે િ ન ર ધ ા ર ર ે । ધરે આકૃતિ જોઇને ધ્યાનરે, ગુણ રૂપનું કરેછે ગાનરે ।।૧૦।।

કોઇ કહેછે મુખે મત્સ્ય મત્સ્યરે, કોઇ કહે કલ્યાણકારી કચ્છરે ।

કોઇ કહેછે વારાહ વારાહારે, કોઇને નૃસિંહજી પ્યારારે ।।૧૧।।

કોઇ ભજે વામન પરશુરામરે, કોઇ લિયે રામજીનું નામરે ।

કોઇ કૃષ્ણ કૃષ્ણ કહી રહેછેરે, કોઇ બુદ્ધ કલકી કહેછેરે ।।૧૨।।

તેતો જેને મળ્યા પ્રભુ જેવારે, તેના મનમાં રહ્યા છે તેવારે ।

તે તો બીજે રૂપે નવ રાચેરે, કર્યું અતિ દૃઢ મન સાચેરે ।।૧૩।।

સહુને પોતાના ઇષ્ટ છે પ્યારા રે, તેના ગુણ આકાર લાગે સારારે ।

એમ સહુએ માન્યું મન માંઇરે, પરઇષ્ટની ન ગમે મોટાઇરે ।।૧૪।।

એમ જુજવી પડી છે વાતરે, તે તું સમઝી લ્યે સાક્ષાતરે ।

ઝાલી ટેક એક જો સઘળેરે, હવે કોઇ કેને ભેળું ન ભળેરે ।।૧૫।।

અતિ મમતે બંધાણા મતરે, કહેછે એક બીજાનું અસતરે ।

એમ નિંદેછે એક એકનેરે, હારી બેઠા હૈયે વિવેકનેરે ।।૧૬।।

હ વ ે હ િ ર વ ં શ ન ી વ ા ત ર ે , ત ે સ ા ં ભ ળ જ્ ય ા ે મ ા ર ા ભ ્ર ા ત ર ે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

દશ ચોવીશ આદિ અપારરે, જેજે ધર્યા હરિયે અવતારરે ।।૧૭।।

તેને મળ્યા જેજે જન ભાવેરે, તેતે સર્વે કલ્યાણકારી કા’વેરે ।

કેડયે રહ્યું તે કુળ કહેવાયરે, તેથી કલ્યાણ કેદિ ન થાયરે ।।૧૮।।

કહેશો ભક્ત કુળ એકોત્તરરે, તારે તેમાં નહિ કાંઇ ફેરરે ।

ત્યારે હરિકુળ કેમ ન તારેરે, તેપણ કહું સુણો સહુ પ્યારેરે ।।૧૯।।

હરિની મરજાદામાં રહે નિત્યેરે, ધર્મ નિમ પાળે રૂડી રીતેરે ।

લોપે નહિ આજ્ઞા લગારરે, ચાલે પ્રભુવચન અનુસારરે ।।૨૦।।

હોય આજ્ઞાકારી અંગરે, કેદિ ન કરે આજ્ઞાનો ભંગરે ।

એવા થકી થાય કલ્યાણરે, કહું બીજાની સાંભળ્ય સુજાણરે ।।૨૧।।

મત્સ્ય પ્રભુના મત્સ્ય જ કહિયેરે, તેથી કલ્યાણ કહો કેમ લહિયેરે ।

કૂર્મ પ્રભુ વંશ કચ્છ કહેછેરે, તે પણ કલ્યાણ કાંઇ કરેછેરે ? ।।૨૨।।

વારાહ પ્રભુ વંશનાં ભુંડણાં રે, નથી દાતા તે કલ્યાણ તણાંરે ।

નૃસિંહ પ્રભુ વંશના વાઘરે, તેતો જન જીવના ઘરાગરે ।।૨૩।।

વામન પ્રભુ વંશ બ્રહ્મચારીરે, તેપણ ક્યાં થકી કલ્યાણ કારીરે ।

પરશુરામ વંશ પણ વરણીરે, તેનો ક્રોધ જોઇ ધ્રુજે ધરણીરે ।।૨૪।।

રામવંશના સૂરજવંશીરે, તેમાં કલ્યાણની વાત કશીરે ।

કૃષ્ણવંશના જાદવ જાણોરે, તેમાં કલ્યાણ ક્યાંથી પ્રમાણોરે ।।૨૫।।

બુદ્ધ પ્રભુના બોધજ આપીરે, કહેછે કલ્યાણની જડ કાપીરે ।

કલકિ કેડે કળિમળ રહેશેરે, તેમાં કલ્યાણનું કોણ કહેશેરે ।।૨૬।।

માટે હરિ હરિજન વોણુંરે, કરશે કલ્યાણનું જો વગોણું રે ।

આપ સ્વારથ સહુ સારશેરે, હરિના થઇ પરઘર મારશેરે ।।૨૭।।

બહુ બાંધી શબ્દ બાંધણેરે, કરશે જીવને વશ આપણેરે ।

લેશે સર્વસ્વ તેહનું ઠગીરે, કરશે સ્નેહ સ્વારથ લગીરે ।।૨૮।।

એથી કદી નહિ થાય કલ્યાણરે, બાંધ્યો બુડતાં કોટે પાષાણરે ।

ચાલ્યો વાટે ચોરટાને હારરે, વા’રુ આવે કોણ શાહુકારરે ।।૨૯।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

માટે તોળી તપાસવું વે’લેરે, કલ્યાણ પ્રભુ કે પ્રભુને મળેલેરે ।

તેહ વિના કલ્યાણનું કાચુંરે, કહે નિષ્કુલાનંદ એ સાચું રે ।।૩૦।।

ઇતિ શ્રીકલ્યાણનિર્ણયમધ્યે મુક્ત મુમુક્ષુ સંવાદે અષ્ટમો નિર્ણયઃ ।।૮।।

દોહા - મહામુક્ત કહે મુમુક્ષુ તને, વણ પુછયે કહું છું વાત ।

કલ્યાણકારીના કુળની, તું સાંભળી લે સાક્ષાત ।।૧।।

અલૌકિકપણું નહિ આપમાં, લોકમાં વધારવા લાજ ।

આટાટોપ એહ કારણે, સહુ રાખી રહ્યા ગુરુરાજ ।।૨।।

જ ે ણ ે ક ર ી જા ય ન િ હ , ર હ ે ગ ુ રુ પ ણ ુ ં ઘ ર મ ા ં ઇ ।

એવી રીતને અનુસરી, બહુ ઠગ કરેછે ઠગાઇ ।।૩।।

જેમ ઉદ્યમ વર્ણ અઢારમાં, સહુ કરે થઇ સાવધાન ।

તેમ ઉદ્યમ ગુરુએ આદર્યો, મન કર્મ વચને નિદાન ।।૪।।

ચોપાઇ- ગુરુ વેષ ભજાવવા કાજરે, રાખે શોભતો સર્વે સમાજરે ।

સારાં વસ્ત્ર ઘરેણાં વાહનરે, કહું તેની રીત સુણો જનરે ।।૫।।

પો’ળાં નાળાં કૈક સુવાળાંરે, બહુ બુટ્ટા ને રંગે રૂપાળાંરે ।

ઝીણા પોતાં છાપેલ છેડાળાંરે, વાસેલ અત્તરે પાંનડિયાળાંરે ।।૬।।

એવાં વસ્ત્ર અંગોઅંગ પે’રીરે, ગુરુપણું લડાવે છે લે’રીરે ।

વળી પે’રી ઘરેણાં જો ઘણાંરે, જડેલ હીરા મોતી હેમતણાંરે ।।૭।।

વેઢ વીંટી કડાં બાંયે બાજાુરે,રૂડા ઘાટવાળાં ઘણાં કાજાુરે ।

બેસી ગજ બાજ સુખપાલેરે, ખોળે લાલ લઇ ગુરૂ મા’લેરે ।।૮।।

વળી સુંદર મંદિર રહેવારે, કાચ ઢાળેલ હાંડિયે દીવારે ।

ખાવા પીવા મળે ખુબ ખાસુરે, જેવું ચઉ ચરણને ચોમાસુરે ।।૯।।

સૌથી સરસ સુખિયા ફરે છે રે, વાત કલ્યાણની જો કરે છે રે ।

આપે પ્રસાદી ને પ્રસાદિયાંરે, એમ ચેલા કરે જિયાં તિયાંરે ।।૧૦।।

કૈક ફુંકતા ફરે છે કાનરે, ચાદર શ્રીફળ લઇ નિદાનરે ।

કોઇ દોરા બાંધે દુવા આપેરે, કોઇ તપ્તમુદ્રાએ તન છાપેરે ।।૧૧।।

કોઇ મુકેછે મસ્તક હાથરે, ઓહં સોહં જપતાં સનાથરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

કોઇ મંત્ર આપે બાંધે માળરે, કોઇ કરાવે જાતી વિટાળરે ।।૧૨।।

કોઇ આપે પાન પરમાણારે, બહુ ધન લેવાને શાણારે ।

એમ સહુ સહુના મત મળતારે, આપે ઉપદેશ રાખે ભળતારે ।।૧૩।।

એમ બાંધી બેઠા ગુરુ દોરીરે, એક બીજાથી રાખે વાત ચોરીરે ।

કહે આપણી વાત છે એવી રે, નથી કોઇ બીજાને કહ્યા જેવીરે ।।૧૪।।

આપણ સહુનું કલ્યાણ થાશે રે, બીજા બહુ ભવે ભટકાશેરે ।

એમ પોતે પોતાના મન માંઇ રે, માન્યું કલ્યાણ કસર ન કાંઇરે ।।૧૫।।

સહુએ માની છે પરમ પ્રાપતિરે, થાશે કલ્યાણ નહિ ફેર રતિરે ।

સગરા પામશે ધણીનું ધામરે, નથી નગરાનું કોઇ ઠામરે ।।૧૬।।

માટે સહુ થાઓ ગુરુ મુખીરે, શીદ ગુરુ વિના રહો દુઃખીરે ।

એમ સહુ કોઇ સગરા થયારે, ગુરુ વિના તો કોઇ ન રહ્યારે ।।૧૭।।

જેને બેસતું આવ્યું છે જેમાંરે, કરી ગુરુ મળિયા છે તેમાંરે ।

એમ કલ્યાણ ઠેરાવી ઠીકરે, બેઠા મટાડી માથેથી બીકરે ।।૧૮।।

એવા કલ્યાણકારી કઇ કા’વેરે, વિષય પંચ ભોગવે ભોગવાવેરે ।

કહે નિર્ભય નિઃશંક રે’જોરે, જમપુરી તમારે જુઠી છેજોરે ।।૧૯।।

એવી વાતો થાય ઘરોઘરરે, તેણે નિડર થયાં નારી નરરે ।

એવું ચાલ્યું કલ્યાણનું તૂતરે, કહેછે જખ મારેછે જમદૂતરે ।।૨૦।।

એવું સાંભળીને જમે જાણ્યુંરે, પડ્યું ભાંગી આપણું પ્રમાણ્યુંરે ।

કહે ચાલો રાયને જઇ કહિયેરે, અમે તેડવા તે કેને જઇએરે ।।૨૧।।

સહુ ગુરુનો આસરો લઇરે, બહુ બેઠાં છે નિર્ભય થઇરે ।

તેને અમે કેમ લાવું તેડીરે, મહામોટાની મરજાદ ફેડીરે ।।૨૨।।

લિયો કાળપાશ ને કુંતડાંરે, કરો ઉજ્જડ જમનાં ગામડાંરે ।

હુકમ હવે તમારો ન રહ્યોરે, તેતો જમરાય જાણી લિયોરે ।।૨૩।।

એવું કહ્યું છે જમદૂતે જ્યારેરે, જમરાયે વિચાર્યું છે ત્યારેરે ।

હવે આ વાતનું કેમ થાશેરે, જાઉં શ્રી હરિ શ્યામની પાસેરે ।।૨૪।।

પછી શ્રી હરિ પાસળ જઇરે, વાત મનુષ્યલોકની કહીરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

મર્ત્ય લોકે થઇ મોટી વાતરે, કરે પાપ સહુ દિનરાતરે ।।૨૫।।

તેના ભોગવ્યાનો ભય ટાળીરે, બેઠા નિર્ભય થઇ ગાંઠ્ય વાળીરે ।

કહેછે નગરાનું નરસું થાશેરે, સગરા સહુ ધામમાં જાસેરે ।।૨૬।।

માટે ગુરૂ વિના નથી તરવારે, કાલા ઘેલા પણ ગુરૂ કરવારે ।

એમ બેઠા સહુ ગુરૂ ધારિરે, ગુરૂ વિના નથી નર નારી ।।૨૭।।

હવે સંયમનીનું શું કામરે, કહોતો કરીએ ઉજ્જડ એ ધામરે ।

ગુરૂમુખીને દેવો જે દંડરે, થાય પાપ મોટું એ પ્રચંડરે ।।૨૮।।

માટે જેમ કહો તેમ કરીયેરે, થાય અપરાધ તેથી ડરિયેરે ।

જેના ગુરૂ થાય છે જમાનરે, તેને કેમ કરું બંધિવાનરે ।।૨૯।।

એટલું કહીને જમરાયરે, પાણ જોડી લાગ્યા પ્રભુ પાયરે ।

ત્યારે બોલિયા શ્રી હરિ હસીરે, ધર્મ વાત કરોછો એહ કસીરે ।।૩૦।।

ઇતિ શ્રીકલ્યાણનિર્ણયમધ્યે મુક્તમુમુક્ષુસંવાદે નવમો નિર્ણયઃ ।।૯।।

દોહા- શ્રીહરિ કહે ધર્મ સાંભળો, ગુરુ ન હોય ઘેરેઘેર ।

ગુરુ તો એક ગોવિંદ છે, બીજી માયા બની બહુપેર ।।૧।।

ક લ્ ય ા ણ ક ા ર ી ક લ્ ય ા ણ ક ર ી , સ ા ર ી જા ય ે અ ન ે ક ન ા અ થ્ ાર્ ।

પછવાડે પ્રપંચ રચી, અતિ અજા કરેછે અનર્થ ।।૨।।

જ ે મ ન તર્ ક ી ન ૃ ત્ ય ક ર ી , હ િ ર િ લ ય ે હ ે વ ા ન ન ુ ં ધ ન ।

વેષ લઇ વિધવિધના, કરે પામરને પ્રસન્ન ।।૩।।

ત ે મ મ ા ય ા ય ે મ ન ગ મ ત ા , વ ળ ી લ ી ધ ા િ વ શ્વ મ ા ં ય વ ે શ ।

એવા ગુરુ શિષ્યની, તમે બીક મ રાખજ્યો લેશ ।।૪।।

ચોપાઇ- ગુરુ કહ્યે શું થૈગયા ગુરુરે,સુણો ધર્મ તેની વાત કરુરે ।

ગુરુ આ જગમાંય છે ઘણારે, તેતો કોળીયા સહુ કાળતણારે ।।૫।।

જે ગુરુથી જમદંડ જાયરે, તેતો સાંભળો તમે ધર્મરાયરે ।

તેતો હોય પોતે ભગવાનરે, આપે આશ્રિતને અભયદાનરે ।।૬।।

સર્વે ધામતણા હોય ધામીરે, વળી અકળ અંતરજામીરે ।

જાણે સહુના મનની વાતરે, જેમ હોય તેમ સાક્ષાતરે ।।૭।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

અણું ચોરી એ આગે ન ચાલેરે, ઉપજતાં ઉત્થાનને ઝાલેરે ।

એથી ન હોય અજાણ્યું જો કાંયરે, વળી જક્ત ગુરુ એ કહેવાયરે ।।૮।।

હોય પ્રાણનાડી એને હાથરે, સર્વેશ્વર એ સર્વેના નાથરે ।

ખેંચે પ્રાણનાડી તો ખેંચાયરે, તેની વારલાગે નહિ કાંયરે ।।૯।।

તાણી ધમની દેખાડે ધામરે, જોઇ જન થાય પૂરણ કામરે ।

વળી ધામ ધામના રે’નારરે, દેખે અતિ સુખીયા અપારરે ।।૧૦।।

જન જોઇ આવે ધામ જેવુંરે, આવી મર્ત્ય લોકે કહે એવુંરે ।

એવી અલૌકિક રીત જીયાંરે, હોય હરિ ગુરુહોય તીયાંરે ।।૧૧।।

વળી અંતકાળે આપે આવેરે, રુડા રથ વિમાનને લાવેરે ।

તે પર બેસારીને તેડી જાયરે, સાચા સદ્‌ગુરુ તેને કહેવાયરે ।।૧૨।।

આવે તેડવા તેનાં એધાંણરે, જેના પ્રભુ આવે છુટે પ્રાણરે ।

હીર-ફેલ્ય સમ અંગ હોયરે, અતિ નર્મ વળે વાળે કોયરે ।।૧૩।।

એવી રીત જીયાં લગી જાણોરે, તિયાં સુધી કલ્યાણ પ્રમાણોરે ।

પછી એ વાતનો થાય નાશરે, વળતી માયા કરે તિયાં વાસરે ।।૧૪।।

આવી લિયે છે ગુરુનો વેશરે, ન હોય ગુરુપણું લવ લેશરે ।

સર્વે વિશ્વતણાં ફેલ વળીરે, માયાગુરુમાં રહ્યાં હોય મળીરે ।।૧૫।।

દારી ચોરી વળી મદ્યમાંસરે, તેતો મળે માયાગુરુ પાસરે ।

ગાંજો ભાંગ્ય હોકા બહુ પેરરે, મળે આફુ મફર ગુરુ ઘેરરે ।।૧૬।।

જેજે જગમાંય હોય ફેલરે, તેને સર્વે ગુરુએ રાખેલરે ।

હોય વિષયી ને વ્યસનીરે, ઘણા પ્રભુજીના કૃતઘનીરે ।।૧૭।।

થઈ જમપુરીના આગવારે, એવા ગુરુ ઘરોઘર હવારે ।

મળી ધર્મ નિ’મ મુકાવેેરે, વેદમર્યાદમાંથી ચુકાવેરે ।।૧૮।।

વર્ણાશ્રમનો જે વે’વારરે, નો’યે માયાગુરુને સદાચારરે ।

તર્ત કરાવે જાતિવિટાળરે, તીર્થ વ્રત નિ’મના તો કાળરે ।।૧૯।।

એવા ગુરુને ગુરુના શિષ્યરે, ઝાલી મગાવજો અહોનિશરે ।

એની શીદ શંકા મન આણોરે, સર્વ જીવ એ તમારા જાણોરે ।।૨૦।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

એવા ગુરુ ચેલા જગમાં ઘણારે, તેતો સર્વે કુળ તમતણાંરે ।

એવા ગુન્હેગાર ગુરુ શિષ્યરે, તેને હેરાન કરો હમેશરે ।।૨૧।।

એવા ગણિયે મર્ત્યલોકે ગુરુરે, સુણો ધર્મરાય નાવે સરુરે ।

જેજે ક્રિયા શિખવી જેણેરે, તેતો ગુરુ કરી માન્યા તેણેરે ।।૨૨।।

વળી વ્યસની વૃંદળ વેષરે, તેને પણ ગુરુ હોયે શિષરે ।

ભાંની તાની ત્રાગી સૂથરારે, તેને પણ ગુરુ જાણો ખરારે ।।૨૩।।

એવા ગુરુ જગમાં અપારરે , તેતો માનો માયાનો પરીવારરે ।

માટે જે થકી કલ્યાણ ન થાયરે, તેપણ તે ગુરુ જેવા કે’વાયરે ।।૨૪।।

નોે’ય ગુરુ નામે ગુરુ સમરે, તેની ગોતીને કાઢવી ગમરે ।

એવા અસત્ય ગુરુની બીક રાખીરે, શીદ દિયોછો આયુધ નાખીરે ।।૨૫।।

લાવો ઝાલી નાખી ગળે પાસરે, તેનો તલ ભાર ન રાખો ત્રાસરે ।

પાપી લિયે છે અમારી લાજરે, સત્ય માની લેજ્યો જમરાજરે ।।૨૬।।

જેજે બાંધી અમે મરજાદરે, તેને તોડે છે એ મનુજાદરે ।

માટે એને તો બહુ દંડ દેવોરે, કર્યો હરિએ હુકમ એવોરે ।।૨૭।।

એવું સાંભળીને જમરાયરે, માની આજ્ઞા લાગિયા પાયરે ।

કે’છે જે જે કૃપા કરી કહ્યુંરે, તેતો નિશ્ચય નિઃસંશય થયુંરે ।।૨૮।।

એહ વાતછે પદ્મ પુરાણેરે, સ્કંદપુરાણમાં પણ જાણેરે ।

અસત ગુરુના થાશે એ હાલરે, સંગે શિષ્ય પીડાશે કંગાલરે ।।૨૯।।

ત્યારે આંખ્ય એની ઉઘડશેરે, જ્યારે અણતોળ્યાં દુઃખ પડશેરે ।

થાશે પછી તેનો પસ્તાપરે, જ્યારે નડશે કરેલ પાપરે ।।૩૦।।

ઇતિ શ્રીકલ્યાણનિર્ણયમધ્યે મુક્તમુમુક્ષુસંવાદે દશમો નિર્ણયઃ ।।૧૦।।

દોહા- મુમુક્ષુ કહે મુક્તને, જ્યારે જમ એ પર કરે રોષ ।

ત્યારે માયાગુરુને મર મારતા, પણ શિષ્યનો શિયો દોષ ।।૧।।

ક લ્ ય ા ણ ક ર વ ા ક ા ર ણ ે , અ ા વ્ ય ા ે અ ે વ ા ગ ુ રુ ન ી પ ા સ ।

તન મન ધન દઇ તેહને, થયા દિલ સાચે એના દાસ ।।૨।।

ઓળખી ન શક્યા અસત ગુરુ, સમજ્યા વિના થયા શિષ્ય ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

અજાણ્યા ઉપર એવડી, રાખી ન ઘટે ધર્મને રીસ ।।૩।।

અ ે મ ક હ્ય્ ા ુ ં ક ર જા ે ડ ી ન ે , ત મ ે સ ા ં ભ ળ ા ે મ ા ર ા શ્ ય ા મ । એ સંશય મારો સમાવિયે, સનેહી સુખના ધામ ।।૪।।

ચોપાઇ- એવું સાંભળી મુક્ત મહાજનરે, પછી બોલીયા પરમ પાવનરે

કહે સાંભળ્ય તું જીજ્ઞાસુરે, ખરૂં પ્રશ્ન તેં પૂછિયું ખાસુંરે ।।૫।।

એનો ઉત્તર આપિયે અમેરે, સાવધાન થઇ સુણો તમેરે ।

હોય જુઠું સાચું બેઉ જોડયેરે, રાત દિવસ બે તડોવડયેરે ।।૬।।

હોય બક ત્યાં હંસ હોયરે, જ્યાં કાગ ત્યાં કોયલ શું નો’યરે ।

હોય ચોર તિયાં શાહૂકારરે, હોય રવિ ત્યાં રાકેશ ત્યારરે ।।૭।।

હોય પાપી ત્યાં પુણ્યવાનરે, હોય મૃત્યું ત્યાં અમૃતપાનરે ।

હોય સાચું ત્યાં ખોટું ખરૂંરે, તેનું કહેતાં કહેતાં નાવે સરૂંરે ।।૮।।

તેમ સત્ય અસત્ય ગુરુ છેરે, તે પણ ખોટું માં માનો ખરૂં છેરે ।

તેતો કહેછે વેદ પુરાણરે, સત્ય અસત્યની ઓળખાણરે ।।૯।।

સ ત શ ા સ્ત્ર ન ુ ં અ ે જ િ સ દ્ધ ા ં ત ર ે , ક પ ટ ી ગ ુ રુ ત ે જ ક ૃ ત ા ં ત ર ે । જમપુરીના જમાન ખરારે, જાવા ન દિયે જીવ અરાપરારે ।।૧૦।।

ઝાલી આપશે જમને હાથરે, માર્યો જાશે બિચારો અનાથરે ।

વણ ગુહ્ને ગુહ્નેગાર થાશેરે, વણવાંકે મોટો માર ખાસેરે ।।૧૧।।

પડશે દુઃખના દરિયા માંઈરે, તેની નથી ખબર એને કાંઇરે ।

એમ સાચા સંત સહુ કે’છેરે, તોય શેઠને શઠપણું રહેછેરે ।।૧૨।।

ત્યારે કે’તલનો શિયો વાંકરે, કહી કહી વાળ્યો આડો આંકરે ।

તોય માન્યું નહિ જો મૂરખેરે, ખાધું હળાહળ જઇ હરખેરે ।।૧૩।।

મેલી તરી તુંબડાં તરવારે, બાંધ્યા કોટે પાણા બુડી મરવારે ।

કરી હંસ મેના શુક ત્યાગરે, સેવ્યા ઘુડ કપોત ને કાગરે ।।૧૪।।

મેલી ગજ બાજ ગવા ગાયરે, વો’ર્યા વાઘ નાગ ને બલાયરે ।

એમ અવળો કર્યો ઉદ્યમરે, તેની ન પડી ગાફલને ગમરે ।।૧૫।।

એવી અવળી અકલવાળા રે, તેતો ક્યાં થકી થાય સુખાળારે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

મેલી સુખ લીધું દુઃખ માથેરે, પોતે પોતાનું બગાડયું હાથેરે ।।૧૬।।

નથી વાંક એમાં કેનો વળીરે, ખાધી મા’જમ મિસરી મેલીરે ।

મૃત્યુમોદક અમૃત જાણીરે, પીધું સર્પલાળપય પાણીરે ।।૧૭।।

હોરે હેડયમાં પગ દેવાણોરે, વણચોરે તે ચોર કે’વાણોરે ।

ભળ્યો ભરાડીમાં શાહૂકારરે, ધણી મળ્યે મળે વળી મારરે ।।૧૮।।

એમ અસત્ય ગુરુને આશરીરે, જીવ જાય છે તે જમપુરીરે ।

તિયાં કષ્ટ પામે છે તે કુબુદ્ધિરે, જેની અતિ સમઝણ છે ઉંધીરે ।।૧૯।।

નથી સુઝતું સાર અસારરે, તેણે કરી ખાય જમ મારરે ।

સાચી વાત સાંભળેછે કાનેરે, તોય ચઢયો છે ખોટાને તાનેરે ।।૨૦।।

ખોટા ગુરુના ખાધા છે ખતારે, નથી છાના એછે જગછતારે ।

પંચ વિષયશું પોષણ કરીરે, લીધું અન્ન ધન આયુષ હરીરે ।।૨૧।।

ખરાખરો કીધો ગુરુએ ખાલીરે, પછી આપ્યો છે જમને ઝાલીરે ।

એમ ચેલો ચાલ્યો જમસાથેરે, અણકર્યું આવી પડ્યું માથેરે ।।૨૨।।

ફાંસીગરે ફાંસી નાખી કોટેરે, લીધો જમપુરે દડી દોટેરે ।

શાહુકાર જાણી કર્યો સંગરે, ખરો નિસર્યો દોગાનો-દંગરે ।।૨૩।।

સમજ્યા વિના કર્યો સંગાથ રે, તેણે લુંટાણો જાણો અનાથરે ।

કહ્યા જેવું તે કેને ન રહ્યુંરે, એવું મંદભાગીને માથે થયુંરે ।।૨૪।।

એમ ખબર વિના ખોટ્ય ખાધીરે, વણવાંકે વળગી વરાધીરે ।

મતિહીણ તે મહાદુઃખ પામેરે, જે કોઇ ભ્રમી ચઢે ભૂર ભામેરે ।।૨૫।।

માટે મતિ પોતાની હોય થોડીરે, તો મળવું મોટાને માન મોડીરે ।

પુછી જોવી પંચને વારતારે, મેલી મત પંથની મમતારે ।।૨૬।।

સાચી વાત સાથેછે જો કામરે, જેણે કરી જાય હરિધામરે ।

ખોટી વાતમાંહિ ખોટ્ય આવેરે, તેતો ભૂર વિના કેને ભાવેરે ।।૨૭।।

માટે સાચાને શોધવું સાચુંરે, કલ્યાણમાં ન રાખવું કાચુંરે ।

સાચા સદ્‌ગુરુ સંતને સેવીરે, સર્વે વાતને સુધારી લેવીરે ।।૨૮।।

ફ ર ી ફ ર ી ન પ ડ ે ફ ર વ ુ ં ર ે , અ ે ટ લ ુ ં ત ા ે અ વ શ્ ય ક ર વ ુ ં ર ે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

એ છે પોતાના હિતની વાતરે, સહુને સમઝવું એ સાક્ષાતરે ।।૨૯।।

જેણે કરીને થાય જો જ્યાનરે, એવો સંગ ન કરવો નિદાનરે ।

એમ કહ્યું મુક્તે મુમુક્ષુનેરે, હોય સંશય તો પુછજ્યે મુનેરે ।।૩૦।।

ઇતિ શ્રીકલ્યાણનિર્ણયમધ્યે મુક્તમુમુક્ષુસંવાદે એકાદશો નિર્ણયઃ ।।૧૧।।

દોહા - મુમુક્ષુ કહે મહા મુક્તને, સંશય રહ્યો નથી રતિ ભાર ।

તમે કહ્યું તેમજ છે, એમાં નથી ફેર લગાર ।।૧।।

દ ુ ષ્ટ મ ળ્ ય ે દ ુ : ખ ઉ પ જ ે , શ ુ દ્ધ સ ં ત મ ળ્ ય ે સ ુ ખ થ્ ા ા ય । ખરા ખરૂં એ ખોટું નથી, તેને કુડું કેમ કે’વાય ।।૨।।

વળી હરિ હરિજન મળ્યા વિના, કહ્યું કેદી ન હોય કલ્યાણ ।

એપણ સર્વે સત્ય છે, નક્કા નક્કી વાત નિર્વાણ ।।૩।।

પ ણ હ િ ર ન ે હ િ ર ન ા જ ન ન ી , ક ર ી જા ે ઇ અ ે ક ે ટ લ ી સ ે વ ।

જેણે કરી શ્રેય શિષ્યનું, થાય એવો પુછુંછું ભેવ ।।૪।।

ચોપાઇ- પ્રભુ પ્રગટ મળે પોતે જ્યારેરે, ખોટ્ય ખામી રહે નહિ ત્યારેરે ।

જેનાં દર્શન દુર્લભ બહુરે, નર અમર માને છે સહુરે ।।૫।।

જોગી યતી તપસી સંન્યાસીરે, સહુ પ્રભુ દર્શનના પ્યાસીરે ।

હરિ હર અજ અમરેશરે, પ્રભુ મળવા ઇચ્છે અહોનિશરે ।।૬।।

તોય પ્રગટ નથી પામતારે, રહેછે સદાયે શીશ નામતારે ।

એવી વાત એ છે દુર્ઘટરે, તેતો પ્રભુ મળ્યા પ્રગટરે ।।૭।।

પછી પ્રભુને કરવા પ્રસન્નરે, શું શું કરે જિજ્ઞાસુ જનરે ।

કે’જ્યો એટલું કૃપા કરીનેરે, કેમ રાજી કરે એ હરિનેરે ।।૮।।

કેવી કરે પ્રભુજીની ભક્તિરે, જેણે કરીને પામે મુક્તિરે ।

કેવું માને હરિનું વચનરે, કેવું રાખે સદા શુદ્ધ મનરે ।।૯।।

કેવી શ્રદ્ધા હોય સેવામાંઇરે, સેવા વિના ન ગમે બીજું કાઇરે ।

કેવું મેલી પોતાનું માનરે, કેવી રીતે રહે સાવધાનરે ।।૧૦।।

કેવી રીતે વાળે તેમ વળેરે, કેવી રીતે ચલાવે ને ચાલેરે ।

કેવી રીતે રાખે વિશ્વાસરે, કેવી રીતે રહે પ્રભુ પાસરે ।।૧૧।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

કેવી રીતે રાખે હૈયે બીકરે, કેવી રીતે રહે ઠીકોઠીકરે ।

કેવી રીતનાં બોલે વચનરે, કેવી રીતનાં પુછે તે પ્રશ્નરે ।।૧૨।।

કેવી રીતે સુણે વાત કાનેરે, કેવી રીતે મને સત્ય માનેરે ।

કેવી રીતે થાય પ્રસન્નરે, કેવી મરજી જોઇને મગનરે ।।૧૩।।

વ ર ત ે મ ન ક મર્ ન ે વ ચ ન ર ે , ક ે વ ી ર ી ત ે પ ે ’ ર ા વ ે વ સ ન ર ે । કેવી રીતની પૂજાને કરેરે, કેવી રીતે અલંકાર ધરેરે ।।૧૪।।

કેવી રીતે ચંદન ઉતારીરે, કરે પૂજા પ્રભુજીની સારીરે ।

કેવી રીતનાં કુસુમ લાવેરે, કેવી રીતના હાર પે’રાવેરે ।।૧૫।।

કેવી રીતે ઉતારે આરતિરે, કેવી રીતે કરે ધૂન્ય અતિરે ।

કેવી રીતે કરે વળી સ્તુતિરે, કેવી રીતની કરે વિનતિરે ।।૧૬।।

સઈ ભેટ મુકે પ્રભુ આગેરે, પછી કર જોડી શું માગેરે ।

કેવી રીતે વરતવું વળીરે, મહાપ્રભુ પ્રગટને મળીરે ।।૧૭।।

જેણે કરી હરિ રાજી થાયરે, એવા કે’જ્યો એ સર્વે ઉપાયરે ।

વિધવિધે કરી એની વાતરે, કે’જ્યો રાજી થઈ રળીયાતરે ।।૧૮।।

વળી પુછુંછું પ્રશ્ન એકરે, કહેજ્યો તે પણ કરી વિવેકરે ।

જ્યારે પ્રભુજી પ્રગટ હોયરે, ત્યારે મનુષ્ય તરે કે તરે કોયરે ।।૧૯।।

હોય સ્વર્ગ મૃત્યુ ને પાતાળેરે, તેનું કલ્યાણ કેમ એહ કાળેરે ।

દેવ દાનવાદિ જે કે’વાયરે, તેનું કલ્યાણ કઇ પેર થાયરે ।।૨૦।।

ભૂત પ્રેત ને ભૈરવ ભણીયેરે, તેનું કલ્યાણ કેમ ગણીયેરે ।

વળી પશુ પંખી સરીસર્પરે, જેના દલમાંહિ બહુ દર્પરે ।।૨૧।।

વૃક્ષવેલી વિવિધ કે’વાયરે, તેનું શ્રેય થાય કે ન થાયરે ।

સ્થાવર જંગમ જડ ચૈતન્યરે, સ્થૂળ સૂક્ષ્મ ચરાચર જનરે ।।૨૨।।

પ્ર ભ ુ પ્ર ગ ટ ન ે પ્ર ત ા પ ે ર ે , અ ે હ ત ર ે ક ે ન ત ર ે અ ા પ ે ર ે । જેને હોય હરિનો સંબન્ધરે, તેના છુટ્યા જોઈએ ભવબન્ધરે ।।૨૩।।

માટે એહ દેહથી ઉદ્ધારરે, થાય કે ન થાય નિરધારરે ।

અતિ રજ તમે ભર્યા દેહરે, કેમ પામે કલ્યાણને તેહરે ।।૨૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

પણ એહ દેહે ઉદ્ધરે જો નઇરે, ત્યારે પ્રભુની પ્રભુતાઈ સઈરે ।

એહ સર્વે સમઝાવી કહેજ્યોરે, જેમ હોય તેમ દેખાડી દેજ્યોરે ।।૨૫।।

તમે દલના છોજી દયાળુરે, માટે પ્રશ્ન પુછુછું કૃપાળુરે ।

સુણવા હરખ ઘણો છે હૈયેરે, જાણું સર્વએ સાંભળી લૈયેરે ।।૨૬।।

ક્યાંથી તમ જેવા કહેનારરે, વાત ચોખી દેખાડી દેનારરે ।

જેમ છે તેમ કહો છો કથીરે, જેમાં લેશ સંશય રે’તો નથીરે ।।૨૭।।

વચન સુધાસમ સુખદાઈરે, એવાં માનું છું હું મનમાંઈરે ।

જેણે કરી પરલોકનું સુખરે, પામી વામિયે દારુણ દુઃખરે ।।૨૮।।

એમ કહીને જીજ્ઞાસુ જનરે, પછી કર જોડી કર્યું સ્તવનરે ।

એમાં સમ વિષમ જો હોયરે, કરજ્યો ક્ષમા સત્ય મુનિ સોયરે ।।૨૯।।

ઇતિ શ્રીકલ્યાણનિર્ણયમધ્યે મુક્તમુમુક્ષુસંવાદે દ્વાદશો નિર્ણયઃ ।।૧૨।।

દોહા - જિજ્ઞાસુ તુને મેં જાણિયો, ખરા ખપવાળો નિરધાર।

જે જે તેં પુછ્‌યું તે પણ, છે સર્વે સારનું સાર ।।૧।।

પ્ર ગ ટ પ્ર ભ ુ ન ે પ ા િ મ ય ા , ત ે ક ૃ ત ા થ્ ાર્ ક ે ’ વ ા ય ।

સર્વે કારજ સારિયાં, જાણજ્યો આ જગમાંય ।।૨।।

પ છ ી જ ુ વ ે પ્ર ભ ુ પ્ર ગ ટ ન ુ ં , ઘ ણ ુ ં ગ મ ત ુ ં જ ે મ હ ા ે ય ।

તેવી રીતે તત્પર થઈ, કરે સદા નિરંતર સોય ।।૩।।

મ ે લ ી ગ મ ત ુ ં િ ન જ મ ન ન ુ ં , ર હ ે હ િ ર અ ા જ્ઞ્ ા ા અ ન ુ સ ા ર ।

સાચો મુમુક્ષુ એ માનવો, નિશ્ચય કરી નિરધાર।।૪।।

ચોપાઇ- જેના હરિપરાયણ પ્રાણરે, નથી રહી જેને કોઈ તાણરે ।

ધ્વજપટ કર્યું નિજ તનરે, વાયુસમ હરિનું વચનરે।।૫।।

જેમ વાળે તેમ જન વળેરે, મેલી મમત અંગ સઘળેરે ।

રહ્યા અતિ આજ્ઞા અનુસારરે, કરી નિશ્ચય મને નિરધારરે ।।૬।।

અ ે વ ા શ ુ દ્ધ સ ે વ ક સ ુ જા ણ ર ે , પ્ર ભ ુ પ્ર ગ ટ ન ા પ્ર મ ા ણ ર ે ।

બીજા સહુથી થઈ નિરાશરે, થયા શ્રીઘનશ્યામના દાસરે ।।૭।।

સદા જોઈ રહ્યા હરિ સામુંરે, ગમતું હરિનું કરવા છે હામુંરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

એવા સંત સદા શિરોમણિરે, કહું રીત સુણો તેહ તણિરે ।।૮।।

કરે ભક્તિ સદા નિષ્કામરે, ચતુરધાનું ન પુછે નામરે ।

માને મન કર્મ વચને વચનરે, રાખે એકાગ્રે હરિમાં મનરે ।।૯।।

શુદ્ધ શ્રદ્ધા હોય સેવા માંઈરે, તેમાં દંભ કપટ નહિ કાંઈરે ।

મેલે મન તન અભિમાનરે, કરવા હરિ રાજી સાવધાનરે ।।૧૦।।

વાળે હરિ જીભ ત્યાં વળે તનરે, વિષયસુખ મળે ન ચળે મનરે ।

પૂરો છે હરિનો વિશ્વાસરે, રહે પ્રભુપાસે દાસાનુદાસરે ।।૧૧।।

અંતરજામી જાણી રાખે બીકરે, કેદિ ન કરે કામ કઠીકરે ।

બોલે દીન આધીન વચનરે, કાંઈક કે’જ્યો મુને ભગવનરે ।।૧૨।।

સુણો સાવધાન થઈ વાતરે, સત્ય વચન જાણે સાક્ષાતરે ।

મટકે રહિત જુવે હરિરૂપરે, નિર્ખી આનંદ આવે અનૂપરે ।।૧૩।।

જુવે રાજીપો હરિનો જેમરે, વર્તે મન કર્મ વચને તેમરે ।

શુદ્ધ ભોજને જમાડે શ્યામરે, હૈયે હરિ જમાડવા હામરે ।।૧૪।।

લેહ્ય ચોષ્ય ભક્ષ્ય ને ભોજનેરે, જમાડી પે’રાવે વસ્ત્ર તનેરે ।

બહુ પ્રેમ ભરી પૂજા કરેરે, ઘણામૂલાં ઘરેણાં અંગે ધરેરે ।।૧૫।।

અતિસુગંધી ચંદન ઉતારીરે, કરે સમો જોઈ પૂજા સારીરે ।

સારાં સુગંધિ ભર્યાં ફુલ લાવેરે, કરી હાર હરિને પે’રાવેરે ।।૧૬।।

અતિ હેતે ઉતારે આરતિરે, થઈ મગન કરે ધુન્ય અતિરે ।

પ્રેમે ઊભા રહી પગવતિરે, કરે દંડવત ને વિનંતિરે ।।૧૭।।

મેલે મસ્તક ભેટ્ય ચરણેરે, માગે પ્રભુ રાખજ્યો શરણેરે ।

વરતે થઈ દાસના દાસરે, એમ રહે પ્રભુજીને પાસરે ।।૧૮।।

જેજે મહાપ્રભુને નવ ગમેરે, તેતે કરે નહિ કોઈ સમેરે ।

વળી પુછ્‌યું હતું તેં પ્રશ્નરે, જ્યારે પ્રગટ હોય ભગવનરે ।।૧૯।।

ત્યારે મનુષ્ય તરે કે તરે કોયરે, તેપણ કહું સાંભળજ્યે સોયરે ।

તરે દેવ દાનવાદિ વળીરે, તેતેા પ્રગટ પ્રભુને મળીરે ।।૨૦।।

રાક્ષસ યક્ષ ભૂત ભૈરવરે, મળે પ્રગટ તો તરે એ સર્વરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

વળી પશુ પંખી સરિસાપરે, તેપણ તરે પ્રભુ પ્રતાપરે ।।૨૧।।

વૃક્ષ વેલી પામે પરમ ગતિરે, ફળ ફુલ દળ દારવતિરે ।

સ્થૂળ સુક્ષ્મ જડ ચૈતનરે, પ્રભુ પ્રગટ પ્રસંગે પાવનરે ।।૨૨।।

સ્થાવર જંગમ ચરાચર જેહરે, પ્રભુ પ્રગટ મળે તરે તેહરે ।

જોને રામકૃષ્ણાદિ અવતારરે, તેથી બહુ થયા ભવપારરે ।।૨૩।।

સ્થાવર જંગમ સ્થૂળ સૂક્ષ્મરે, ચરાચર પામ્યા ગતિ પરમરે ।

તેનો ગણતાં ન આવે પારરે, એમ થયો બહુનો ઉદ્ધારરે ।।૨૪।।

કૈક મનુષ્ય તર્યાં નર વામરે, પશુ પંખી પામ્યાં હરિધામરે ।

કૈક ભૂત પ્રેત ને ભૈરવરે, વૃક્ષ વેલી ખગ મૃગ સર્વરે ।।૨૫।।

આગે બહુ થયા અવતારરે, તેથી આજ સામર્થી અપારરે ।

જોને આ સમે ઉદ્ધાર્યા કઈરે, તેતો લખતાં લખાય નઈરે ।।૨૬।।

રામઅવતારે કૈ રહી ગયારે, તે કૃષ્ણ અવતારે પાર થયારે ।

કૃષ્ણ અવતારે ગયા’તા રહિરે, તેતોેે આજ ઉદ્ધારિયા કંઈરે ।।૨૭।।

એમ આદિ અંતે મધ્યે માનોરે, પ્રતાપ પ્રગટનો નહિ છાનોરે ।

પ્રગટ પ્રભુ કે પ્રભુના સંતરે, તેહ વિના ન ઉદ્ધરે જંતરે ।।૨૮।।

એહ બેઉ રીત વિના બીજેરે, કોઈ રીતે કલ્યાણ ન પ્રતીજેરે ।

સર્વે શાસ્ત્રનું સિદ્ધાન્ત કહ્યુંરે, કે’વા હવે કેડ્યે નથી રહ્યુંરે ।।૨૯।।

કહી રીત સનાતન તણીરે, પણ આજ છે અલેખે ઘણીરે ।

આજ અગણિત પામ્યા આનંદરે, એમ નિશ્ચે કહે નિષ્કુલાનંદરે ।। ૩૦।।

ઇતિ શ્રીકલ્યાણનિર્ણયમધ્યે મુક્તમુમુક્ષુસંવાદે ત્રયોદશો નિર્ણયઃ ।।૧૩।।

દોહા- એવું સુંણી મુમુક્ષુ કહે, તમો સાંભળો મુક્ત મહારાજ ।

પુછુછું વળી પ્રશ્નને, મારો સંશય સમાવા કાજ ।।૧।।

ક લ્ ય ા ણ ક ર વ ા ક ા ર ણ ે , ક ર ે અ િ ત ઉ ત્ત્ ા મ ઉ પ ા ય ।

શ્રુતિ પુરાણમાં સાંભળી, વળી કરે એમ સદાય ।।૨।।

પ્ર ગ ટ હ િ ર હ ા ે ય ન િ હ , હ ા ે ય ન િ હ ત ે ન ા મ ળ ે લ ।

સાજ સમાજ સરવે, રહી જાય તેનો રળેલ ।।૩।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

પ ા છ ળ પ્ર ભ ુ જી પ્ર ગ ટ ે , અ ા વ ે અ ે ન ુ ં ક ય ુર્ ં ક ા ં ઇ અ થ્ ાર્ । તે સા’ય કરે કાંઇ શ્રેયમાં, કે વણસા’યે જાય વ્યર્થ ।।૪।।

ચોપાઇ- જેજે કરે એ કલ્યાણ કાજરે, તેતે કહું સાંભળો મહારાજરે ।

મેળયાં અન્ન ધન કર્યાં ધામરે, વસન ભૂષણ આવે કેડ્યે કામરે ।।૫।।

વાસન વાહન ખાટ્ય પાટલાંરે, ગાદી તકિયા ઓછાડ ગાદલાંરે ।

વાવ્ય કુવા તળાવડી ક્ષેત્રરે, આવે અર્થ પ્રભુને એ પવિત્રરે ।।૬।।

પર્વ સદાવ્રત વૃક્ષછાંઈરે, પ્રભુ બેસે ધર્મશાળા માંઈરે ।

ગાય ગવા મહિષી ગજ બાજરે, હોય રથ પાલખી સમાજરે ।।૭।।

વાંસે આવે એ અર્થે હરિનેરે, થાય સારુ એનું તેણે કરીનેરે ।

વળી આપી હોય મહિષી ગાયરે, તેનાં દહીં દુધ ઘી જમાયરે ।।૮।।

આપનારને એ અર્થતણુંરે, શ્રેય કે’જ્યો સમઝાવી ઘણુંરે ।

વળી અસ્થિ ત્વચા ને વિષાણરે, વાલવડે તે કે’જ્યો કલ્યાણરે ।।૯।।

વળી સાર દાર દળ તૃણરે, આવે હરિ અર્થે પંખા પર્ણરે ।

ફળ ફુલ મૂળ રસ ફળીરે, ભાજી તરકારી ઔષધિ વળીરે ।।૧૦।।

પશુ પંખી ને મનુષ્ય માંયરે, એનું આવે સેવામાં જો કાંયરે ।

હીરા મોતી મણિ પરવાળાંરે, કંકર પથ્થર રત્ન રુપાળાંરે ।।૧૧।।

તે મનુષ્યનાં મેળેલ હોયરે, આવે એ માંયેલું અર્થ કોયરે ।

સ્થાવર જંગમ જે કહેવાયરે, તેહ આવે હરિસેવા માંયરે ।।૧૨।।

એવી વસ્તુ અનેક પ્રકારરે, એહ સાજ સમાજ દેનારરે ।

આવે હરિ હરિજન અર્થરે, ફળ શું મળે કહો સમર્થરે ।।૧૩।।

પ્રભુ પ્રગટ પૃથવિએ હોયરે, પણ તે સમે તે જન નો’યરે ।

વળી કાવ્ય કીર્તન ગદ્ય પદ્યરે, કર્યાં કવિએ કવિત છપય છંદરે ।।૧૪।।

અષ્ટક સ્તોત્ર ને વળી સ્તુતિરે, કરી હોય બહુવિધે વિનંતિરે ।

પણ પ્રભુ પ્રગટ ન હોયરે, ના’વે એ માંયેલું અર્થ કોયરે ।।૧૫।।

કરે વિષ્ણુયાગ જપે નામરે, તીર્થ વ્રત કરે ફરે ધામરે ।

રાખે નિમ કરી બહુ જતનરે, તપે કરી તજી દિયે તનરે ।।૧૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

કર્યું હોય તે કલ્યાણ કાજરે, પણ પ્રગટ ન હોય મહારાજરે ।

એનું આવે છે એ કાંઇ અર્થરે, કે વણમળ્યે એ છે વ્યર્થરે ।।૧૭।।

કર્યું હોય એ કલ્યાણ સારુરે, પણ પ્રભુ વિના પડ્યું ઉધારુરે ।

કરતાં કરતાં કસર ન રાખીરે, ગઈ એમાં આવરદા આખીરે ।।૧૮।।

બહુ કલ્યાણ કરવા રળ્યોરે, પણ આદેહે જોગ ન મળ્યોરે ।

આખો જન્મ એમ ગમાવ્યોરે, પણ દાખડો દોપે ન આવ્યોરે ।।૧૯।।

પ્રભુ પ્રગટ પૃથ્વીએ નહિરે, એની મે’નત કરે કોણ સહિરે ।

ઘણું રળ્યો રોકડું ન મળ્યુંરે, જન્મમરણનું દુઃખ ન ટળ્યુંરે ।।૨૦।।

કર્યું હોય તે કલ્યાણ કાજરે, પણ પ્રગટ ન મળ્યા મહારાજરે ।

કહું કેડ્યે પ્રગટે ઘનશ્યામરે, આવે એનું કર્યું કાંઇ કામરે ।।૨૧।।

કર્યું હોય એ શ્રદ્ધા સહિતરે આણી ઉરે પ્રભુની પ્રતીતરે ।

શુદ્ધ મન હોય શુદ્ધ ભાવરે, દલમાંહિ નહિ દગા દાવરે ।।૨૨।।

અતિ આસ્તિક મતિ છે ઉરરે, નાસ્તિક વાતથી રહેછે દૂરરે ।

એવા જન જગતમાં જેહરે, ન મળ્યા હરિ છુટી ગયા દેહરે ।।૨૩।।

કરી પુરુષપ્રયત્ન તન તાવ્યુંરે, પણ એ દેહે અર્થ ન આવ્યુંરે ।

પછી પ્રગટીયા ઘનશ્યામરે, આવ્યું કર્યું કેડ્યે એનું કામરે ।।૨૪।।

તેની થાય કે ન થાય મુક્તિરે, કે’જ્યો મુક્ત વિક્ત પાડી અતિરે ।

જેજે પુછીછે વાત સઘળીરે, કે’જ્યો વણપુછી પણ વળીરે ।।૨૫।।

જેજે વાત જાણ્યામાંહિ આવીરે, તેતે પુછી તમને મેં લાવીરે ।

કૈક રહિ ગઇ હોય વાંસેરે, તે પણ કે’જ્યો સુણીશ ઉલ્લાસેરે ।।૨૬।।

સર્વે વાત કે’જ્યો એ સંભારીરે, સુણી રાખીશ હૃદયે ધારીરે ।

છે એ સહુના અર્થની વાતરે, કે’તાં સુણતાં ભાગે સર્વે ભ્રાંતરે ।।૨૭।।

જેજે કર્યું હોય પ્રભુસારુંરે, કે’જ્યો તેના ફળનું દેનારુંરે ।

તમ વિના કે’શે બીજાું કોણરે, નથી કેના’ર જોયુંછે જોણરે ।।૨૮।।

માટે સહુ જોઇ રહ્યા સામુંરે, બોલી અમૃત વેણ પુરો હામુંરે ।

તમે દિલના છો દરિયાવરે, માટે પુછતાં થાયછે ઉછાવરે ।।૨૯।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

પ્રશ્ન પુછુછું હું લગારરે, તે સમઝાવો છો કરી વિસ્તારરે ।

ધન્ય ધન્ય દિલના દયાળરે, ધર્મધુરંધર ધર્મપાળરે ।।૩૦।।

ઇતિ શ્રીકલ્યાણનિર્ણયમધ્યે મુક્તમુમુક્ષુસંવાદે ચતુર્દશો નિર્ણયઃ ।।૧૪।।

દ ા ે હ ા - મ ુ મ ુ ક્ષ્ ા ુ ત ા ર ા મ ન ન ુ ં , જા ે ઈ લ ી ધ ુ ં છ ે જા ણ ।

સુખદાયક એ સહુના, એવા પ્રશ્ન તારા પ્રમાણ ।।૧।।

પ ડ ે પ્ર િ ત ત ી ભ ક્ ત પ ર ા ે ક્ષ્ ા ન ે , મ ા ે ક્ષ્ ા ન ા ે સ મ ઝ ા ય મ મર્ । એવો આશય તારા ઉરનો, પરમાર્થ અર્થનો પર્મ ।।૨।।

જ ગ િ હ ત ક ા ર ી જા ણ ી ય ા ે , િ જ જ્ઞ્ ા ા સ ુ ત ુ ન ે મ ેં જા ે ર ।

જેજે પુછયું તેં જીભથી, તે નથી કાંઈ કનોર ।।૩।।

અ ા પ ુ ં ઉ ત્ત્ ા ર હ વ ે અ ે હ ન ા , ત ેં પ ુ છ ય ુ ં મ ુ જ ન ે જ ે હ ।

શ્રુતિ દઇ હવે સુણજ્યો, કહું સર્વ સમઝાવી તેહ ।।૪।।

ચોપાઇ- તેં પુછયું પરોક્ષ ભક્તતણું રે, તે કહું કાંઇક થોડું ઘણુંરે ।

ભૂત ભવિષ્ય ને વર્તમાનરે, કહું ત્રણેની રીત નિદાનરે ।।૫।।

ભક્ત ભક્તમાંહી ભેદ ઘણારે, સર્વ ભક્ત ન હોય પ્રભુતણારે ।

નિષ્કામ સકામ બે ભક્તરે, તેની પણ જાણી જોઈએ વિક્તરે ।।૬।।

સકામ ભજે કાજ સારવારે, તાપ તન મનના નિવારવારે ।

એને અર્થે ભજે અવિનાશરે, તેતો અર્થ સર્યાસુધી દાસરે ।।૭।।

એને ભક્ત હરિના ન કૈએરે, વાત એપણ સમઝી લૈયેરે ।

સુત કલત્ર દેહ સારુંરે, ભજે છે ભાવે ભક્ત હજારુંરે ।।૮।।

એનુું આશ્ચર્ય નહિ અણુંરે, સહુ સારેછે કામ આપણુંરે ।

સાચા ભક્ત એને ન ભણિયેરે, અર્થાઅર્થી એ જન ગણિયેરે ।।૯।।

એની ભક્તિ હરિને ન ભાવેરે, એતો પ્રાકૃત ભક્ત જો કા’વેરે ।

સાચા ભક્ત તણી ઓળખાણરે, કહું સાંભળજ્યે તું સુજાણરે ।।૧૦।।

શુદ્ધ અંતર ને શુદ્ધ આશેરે, શુદ્ધ મને પ્રભુને ઉપાસેરે ।

નિષકામ કપટે રહિતરે, શુદ્ધભાવ શ્રદ્ધાયે સહિતરે ।।૧૧।।

યશ કીર્તિ વધારવા લાજરે, નહિ દંભ દેખાડવા કાજરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

નહિ ઈરષ્યા ને અમરષરે, નહિ સ્પરધા થાવા સરસરે ।।૧૨।।

એવી રીતે જીવ જગે જેહરે, તેનું કરેલ હોય કાંઇ તેહ રે ।

આવે તે હરિ હરિજન અર્થરે, તેતો કદી ન જાયે વ્યર્થરે ।।૧૩।।

જમે અન્નને પે’રે વસનરે, આવે હરિ અર્થે એનું ધનરે ।

તેણે પામે પરમ પ્રાપતિરે, તેમાં ફેર નથી રાઈ રતિરે ।।૧૪।।

ભૂષન વસન વાહન વળીરે, ખાટ્ય પાટ્યાદિ વસ્તુ સઘળીરે ।

આવે પ્રગટ પ્રભુને એ કામરે, પામે સુખનિધિ એનો શ્યામરે ।।૧૫।।

વ ા વ્ ય ક ુ વ ા ત લ ા વ ભ ુ વ ન ર ે , ત ે ન ા ક ર ા વ ન ા ર જ ે જ ન ર ે । તેહ પામે પ્રાણી પરમ ગતિરે, પ્રભુ પ્રગટ પ્રસંગે પ્રાપતિરે ।।૧૬।।

પિયે પાણી ના’યે નીરમાંયરે, બેસે એનાં કરેલ ઘર છાંયરે ।

આવ્યું એનું કરેલ હરિકામેરે, તેણે કરી એ પ્રાણી સુખ પામેરે ।।૧૭।।

ગાદી તકિયા ગાદલાં ગોદડાંરે, અવલ ઓછાડ ઓસિસાં રુડાંરે ।

તે પણ આવે જો કામ હરિનેરે, સુતાં બેઠાં જાગવે કરીને રે ।।૧૮।।

તેના કરાવનારા જીવ જેહરે, પામે પ્રભુના સુખને તેહરે ।

વાડી ખેત્ર પરમ સદાવ્રતરે, બાંધી ધર્મશાળા પામે મૃતરે ।।૧૯।।

ગાય ગવા મહિષી ગજ બાજરે, મેલી મરે એ સર્વે સમાજરે ।

પણ કેડે આવે અર્થ કાંઇરે, હરિ હરિજનની સેવા માંઇરે ।।૨૦।।

તેણે કરીને થાય કલ્યાણરે, તે પણ નિશ્ચય જાણજ્યે નિરવાણ રે ।

રથ વે’લ પાલખી ને મેનારે, કરાવેલ હોય જન જેનારે ।।૨૧।।

જીવ્યો ત્યાં સુધી યોગ ન મળ્યોેરે, પછી સર્વે મુકી પ્રાણી પળ્યોરે ।

મૂવો મેલી એ સરવે મિરાંથરે, પાછળ આવી એ પરને હાથરે ।।૨૨।।

ત ે હ વ ડ ે શ્ર ી હ િ ર સ ે વ ા ય ર ે , ત ે ન ુ ં ક લ્ ય ા ણ જ રૂ ર થ્ ા ા ય ર ે । દૂધ દહીં માખણ ઘી મિસરીરે, જમ્યા હોય પ્રગટ શ્રીહરિરે ।।૨૩।।

તેહ ગાય મહિષીની ગતિરે, થાય પ્રભુ પ્રસંગે પ્રાપતિરે ।

કેનાં અસ્થિ શ્રૃંગ રોમ ચામરે, આવે મહાપ્રભુજીને એ કામરે ।।૨૪।।

પામે પરમ ગતિ પ્રાણી એહરે, હરિ અર્થે આવ્યો એનો દેહરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

સાર દાર દલ તૃણ વળીરે, ફળફૂલ મૂળ કંદ ફળીરે ।।૨૫।।

એહઆદિ ઔષધિ જે કા’વેરે, તેજો પ્રગટ પ્રભુને અર્થે આવેરે ।

થોડે દને સ્થાવર દેહ ત્યાગીરે, થાય માનજ્યો મોક્ષનાં ભાગીરે ।।૨૬।।

વળી હીરા મોતી મણિ માળારે, કંકર પથ્થર રત્ન પ્રવાળાંરે ।

અતિ કષ્ટે કર્યાં હોય ભેળાંરે, પડ્યાં રહ્યાં એ ચાલતી વેળારે ।।૨૭।।

એહ વડ્યે પ્રભુ જો પૂજાયરે, તેના ધણીનું કલ્યાણ થાયરે ।

કાવ્ય કવિ કરી ગયા હોયરે, આવે શ્રીહરિને અર્થે સોયરે ।।૨૮।।

તે પણ પામે છે પરમ કલ્યાણરે, તેનું સમઝી લેજ્યે સુજાણરે ।

પ્રભુ પ્રગટનો પ્રસંગરે, પામે પ્રાણધારી કોઇ અંગરે ।।૨૯।।

તેતો પામે સહુ ભવપારરે, તેમાં સંશય નથી જો લગારરે ।

એમ આદ્ય અંત્ય મધ્ય માંઈરે, પ્રભુ વિના કલ્યાણ નહિ ક્યાંઇરે ।।૩૦।।

ઇતિ શ્રી કલ્યાણનિર્ણય મધ્યે ભક્તમુમુક્ષુ સંવાદે પંચદશો નિર્ણયઃ ।।૧૫।।

દોહા- મુમુક્ષુ તું મને માનજ્યે, પૂરણ આણી પ્રતીત ।

હરિ હરિજન મળ્યા વિના, નો’ય કલ્યાણ કહું કોઇ રીત ।।૧।।

અવિચળ અવશ્ય એ વાત ખરી, કરી પુરાણમાં પ્રમાણ ।

તેહ વિના ત્રણ લોકમાં, જાુવો ઝાંખી જો જડે કલ્યાણ ।।૨।।

કંઇક તર્યા કંઇક તરશે, કંઇક તરે છે વળી આજ ।

સહુનું તું સમઝજ્યે, તર્યા મળ્યા જેને મહારાજ ।।૩।।

આત્યંતિક કલ્યાણ કારણે, જાવું પ્રગટ પ્રભુને પાસ ।

મોક્ષદાયક એહ મૂરતિ, કે મોક્ષદાતા એના દાસ ।।૪।।

ચોપાઇ-તેહ વિના ત્રિલોકને માંઈરે, નથી કલ્યાણ થાવાનું ક્યાંઇરે ।

બ્રહ્મલોકલગી જાુવો ભાળીરે, શિવલોકને જાુઓ સંભાળીરે ।।૫।।

જોતાં કલ્યાણ ક્યાંયે ન મળેરે, એવું સુણ્યું પુરાણ સઘળેરે ।

યક્ષ રાક્ષસ ને રુદ્રગણરે, તેમાં પામ્યા છે કલ્યાણ કુણરે ।।૬।।

અજ ઈશથી શ્રેય ન થાયરે, ત્યારે બીજાથી કેમ કે’વાયરે ।

મર પૂજો યજો ભજો સાચુંરે, પણ કલ્યાણ થાવાનું કાચુંરે ।।૭।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

એવાથી પણ અર્થ ન સરેરે, તઇયે બીજા શ્રેય કોણ કરેરે ।

શશિ સૂરજ ને વળી શેશરે, સુર સુરપતિ ને ગણેશરે ।।૮।।

એહ મોટા દેવ જગે જાણરે, પણ કરી ન શકે કલ્યાણરે ।

ત્યારે અન્ય દેવને ઉપાસેરે, કહો કલ્યાણ તે કેમ થાશેરે ।।૯।।

માટે કલ્યાણકારી સાંભળ્યારે, એક હરિ કે હરિના મલ્યારે ।

સાચી વાત તું માનજે સહિરે, એહ બેઉ વિના મોક્ષ નહિરે ।।૧૦।।

જેજે કરેછે કલ્યાણ સારુરે, પણ એ વિના કામ ઉધારૂરે ।

શુદ્ધ મને જો પરોક્ષ સેવશેરે, તેનું કોઈ કાળે ફળ લેશેરે ।।૧૧।।

તે પણ જ્યારે પ્રગટ હશે હરિરે, એની ભકિત માનશે સાચી કરીરે ।

તેદિ પામશે પદ નિર્વાણરે, એપણ સમઝી લેજ્યે સુજાણરે ।।૧૨।।

પણ વિના પ્રભુને સંબંધરે, નહિ કલ્યાણ આદ્ય અંત્ય મધ્યરે ।

મોટા દેવથી મુકિત ન થાયરે, ત્યારે મનુષ્યથી કેમ કે’વાયરે ।।૧૩।।

જેને અજ્ઞાને લીધાછે આવરીરે, મેલ્યા પંચ વિષયે વશ કરીરે ।

કામ ક્રોધ ને લોભના ભર્યારે, એથી કહો કોણ જન તર્યારે ।।૧૪।।

પિંડ પોષવા સારુ પ્રપંચરે, સજ્જ કરી રાખ્યા સર્વે સંચરે ।

જેણે કરી આ જીવ ઝલાયરે, એવા શિખી લીધાછે ઉપાયરે ।।૧૫।।

ભણ્યા શાસ્ત્ર એ સારવા અર્થરે, ઘણું ડાહ્યા લેવા ગૌરી ગર્થરે ।

એને પામવા પ્રપંચતણારે, બાંધ્યા મત પંથ જગે ઘણારે ।।૧૬।।

એને પણ ઓળખી લેવારે, હોય કૈક ભજ્યા તજ્યા જેવારે ।

નોય સર્વે કલ્યાણકારીરે, વાત એ પણ જોવી વિચારીરે ।।૧૭।।

માટે મત પંથમાંહિ મળીરે, રખે જાતા જીયાં તિયાં ભળીરે ।

નથી કોઇ કલ્યાણ કરનારરે, પ્રભુ પ્રગટ વિના નિરધારરે ।।૧૮।।

દેવસેવામાં પણ રહ્યો સંશેરે, ત્યારે બીજે કલ્યાણ કેમ થશેરે ।

જોગી જંગમ શેખ સંન્યાસીરે, દત્ત દિગંબર વનવાસીરે ।।૧૯।।

જટા શ્વેતપટા વાળકટારે, કંથર ભરથર ને કાનફટારે ।

જંદા જૈન ટાટાંબર ખાખીરે, ભક્ત પંડિત કે’મુખે ભાખીરે ।।૨૦।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

દશા વિશા વૈરાગી ઉદાસીરે, ગોરખ ગોદડ શ્રવણ ઉપાસીરે ।

દાદુ કબીર ગુરુ ગોસાંઇરે, દંડી મુંડી ને સૂથરા સાંઈરે ।।૨૧।।

કુંડ ઢુંઢ ને ઉંડા અઘોરીરે, શુન્ય વાદી વેદાંતિ મુસોરીરે ।

એહ વિના બીજા બહુ ગુરુરે, તેમાં માન્યું છે કલ્યાણ ખરુરે ।।૨૨।।

તેને કોણ કરે આજ ખોટારે, પણ દેવથી એ નહિ મોટારે ।

કોણ સમઝે આ વાતનો મર્મરે, સૌએ સત્ય માન્યો નિજધર્મરે ।।૨૩।।

લુંટી આંધળે બે’રે બજારરે, તેનો કોયે ન કર્યો વિચારરે ।

જોજ્યો પ્રભુઘેરે તમ મોટુંરે, થયા કલ્યાણકારી ગુરુ કોટુંરે ।।૨૪।।

એહ ગુરુ ને ગુરુના શિષ્યરે, તેહ ઉપર કરે હરિ રીસરે ।

કહે જાુવો અજ્ઞાની જનરે, સહિ વાત સમઝ્‌યાછે મનરે ।।૨૫।।

જેને નથી ખબર કોય ખરીરે, થાય ગુરુ વરુ કહે હરિરે ।

વાત સર્વે માનજ્યો સાચીરે, માટે રખે રે’તા એમાં રાચીરે ।।૨૬।।

જેજે કે’વાનું હતું તે કહ્યુંરે, નથી કેડ્યે કે’વા કાંઈ રહ્યુંરે ।

સત્ય માની મુમુક્ષુ મનેરે, સુણી જાળવી રાખે જતનેરે ।।૨૭।।

ભવમાં છે ભુલવણી ભારેરે, માટે કહ્યું તુને વારે વારેરે ।

જેજે પુછયા હતા તેં પ્રશ્નરે, તેતે કહ્યા મેં જીજ્ઞાસુ જનરે ।।૨૮।।

જે કોઇ સાંભળી સમઝશે સમુંરે, તેને ટળશે વિકટ વસમુંરે ।

કહ્યું જેજે પૂછયું તેતે કથીરે, જે મેં કહ્યું તેમાં જુઠું નથીરે ।।૨૯।।

સાચી વાત છે શાસ્ત્ર પુરાણેરે, સમઝી લખ્યું છે સંત શિયાણેરે ।

સુણી અનઘ પામશે આનંદરે, નિશ્ચે કે’ એમ નિષ્કુલાનંદરે ।।૩૦।।

ઇતિ શ્રી કલ્યાણનિર્ણય મધ્યે ભક્તમુમુક્ષુ સંવાદે ષોડશો નિર્ણયઃ

।।૧૬।।

દોહા- મુમુક્ષુ કહે મન માહેરે, નથી રહી કસર કાંઈ ।

સંશય સર્વે સમીગયો, સુણી વચન તમારાં સુખદાઇ ।।૧।।

વચને વચને મેં વિચારિયું, તેમાં જોયું તમારૂં મેં તાન ।

હરિ હરિજન વણમળ્યે, નોે’ય નિર્ભયજન નિદાન ।।૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

પ્રભુ પ્રગટનું નથી પુછતોે, પુછુંછું પ્રભુના મળેલ ।

એક રહ્યા વા’લાના વચનમાં, એક વચનમાંથી ટળેલ ।।૩।।

એ બેઉનાં વચન બરોબરી, કે અધિક ન્યૂન છે એહ ।

મુમુક્ષુને કેમ માનવું, એહ મટાડિયે સંદેહ ।।૪।।

ચોપાઇ- મો’રે બેઉ હતા હરિદાસરે, રે’તા પ્રગટ પ્રભુને પાસરે ।

બેઉ સરખા માનતા વચનરે, રહેતા આજ્ઞામાં રાત દનરે ।।૫।।

તેમાં એક હતો આત્મજ્ઞાનીરે, બીજો ઉંડો અતિ અભિમાનીરે ।

આત્મજ્ઞાનીને માન ન આવેરે, દેહમાની માને સુખ પાવેરે ।।૬।।

તેતોેે માન મળે કે ન મળેરે, ત્યારે અંતરમાં રહ્યો બળેરે ।

ઘણું ઘૂઘવતો રહે ધોખેરે, પછી પ્રભુજીથી પડ્યો નોખેરે ।।૭।।

બીજે જઈ બાંધે બીજો મતરે, કહે સત્સંગને તે અસત્યરે ।

જેજે શિખ્યો તો સંતની સાથરે, તેતે હથિયાર આવ્યાં હાથરે ।।૮।।

કરે વાત વડાઈની ઘણીરે, તેમાં જણવે મોટપ્ય પોતાતણીરે ।

બહુ વાત કરે છે બનાવીરે, રુડી લાવન લલિત લાવીરે ।।૯।।

બ ા ે લ ે મ ુ ખ થ્ ા ી મ ી ઠ ા ં વ ચ ન ર ે , ક ર ે જ ન ન ા ં મ ન ર ં જ ન ર ે । બહુ દેખાડે નિશ્ચયનું જોરરે, પણ હોય પ્રભુજીના ચોરરે ।।૧૦।।

વર્તતા હોય વચન વિરોધેરે, એવા થકા બહુ જીવ બોધેરે ।

તેહ જીવ તરે કે ન તરેરે, કે’જ્યોે સમજાવી સંશયને હરેરે ।।૧૧।।

હોય હરિના મળેલ ખરારે, પણ વચન ન માને જરારે ।

વરતે પોતે વચનથી બા’રરે, તેની ખોટ્ય ન માને લગારરે ।।૧૨।।

થયો પ્રભુથી પોતે વિમુખરે, માન્યું પામ્યો પૂરણ હવે સુખરે ।

કે’છે બીજાઓને કોરે તેડીરે, હુંતો નિસર્યો છઉં ભાંગી બેડીરે ।।૧૩।।

એવી ફરી ગઈ હોય બુદ્ધિરે, તેતો ક્યાંથી કરે વાત સુધીરે ।

ઉંધી વાતે રાખ્યા જીવ રુંધીરે, રહ્યા અભાગી એમાં વળુંધીરે ।।૧૪।।

એનું કલ્યાણ થાય કે ન થાયરે, કે’જ્યો સમઝાવી સંશય જાયરે ।

કહ્યું કલ્યાણ હરિ હરિદાસેરે, માટે મેં પુછયું તમારે પાસેરે ।।૧૫।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

એવું સાંભળી બોલ્યા મુક્તરે, સુણ્ય જીજ્ઞાસુ તેની વિગતરે ।

જેજે કહ્યાં હરિયે વચનરે, તેમાં રહે જીયાંલગી જનરે ।।૧૬।।

તિયાંલગી તારે જીવ બહુરે, પામે હરિના ધામને સહુરે ।

જ્યારે નિસરે વચનથી બા’રેરે, ત્યારે પોતે ન તરે ન તારેરે ।।૧૭।।

જેમ જળબા’રે થયું ઝાજરે, તઇયે તર્યા તારવાની નાજરે ।

શક્કો તજીને ચાલે સીપાઇરે, તેનો ન ચાલે હુકમ કાંઇરે ।।૧૮।।

છડી પડી મૂકી છડીદારરે, કરે હજત તો ખાય મારરે ।

કોટબા’ર નિસરે શાહુકારરે, બહુ લુંટાય કુટાય બા’રરે ।।૧૯।।

તેમ સંત વચન જો ત્યાગેરે, તેને કાળ માયાનું લારું લાગેરે ।

બીજાને તો ક્યાંથકી તારેરે, પડ્યું પોતાનું પણ ઉધારેરે ।।૨૦।।

ખાધી ખોટ્ય મોટી થયો ખુવારરે, કરેછે બીજાને ભાગદારરે ।

હોય મૂરખ તે માને એનુંરે, નથી ઠોર ઠેકાણું જ જેનુંરે ।।૨૧।।

એવાનો તો સંગ તજી દેવોરે, એનો ઉપદેશ પણ ન લેવોરે ।

નથી મુખ એનું જોયા જેવુંરે, દર્શ સ્પર્શ એનું તજી દેવુંરે ।।૨૨।।

એની વાત જાણો લાળ વ્યાળરે, જેવી હડકાયા શ્વાનની લાળરે ।

એને પ્રસંગે પામિયે દુઃખરે, કરે વિમુખ મળી વિમુખરે ।।૨૩।।

એની વાતને ઓળખી લેવીરે, ન માનવી સાચા સંત જેવીરે ।

વચન એનાં છે વિષસમાનરે, તેને કેદિ દેવા નહિ કાનરે ।।૨૪।।

કોઇ કાયર થઇ રહે કોરેરે, બોલે પોતાનું પોતે ન જોરેરે ।

કહે સંતની મોટપ્ય ઘણીરે, પોતે કહે ખોટ્ય પોતાતણીરે ।।૨૫।।

એવો હોય કોઈ હરિજનરે, તેનાં સાધારણિક વચનરે ।

એને સુણે નહિ સાર અસારરે, વચન વિમુખનાં દુઃખ દેનારરે ।।૨૬।।

માટે સાચા સંતનાં જે વેણરે, સહુ જનને છે સુખદેણરે ।

જેજે ઉચ્ચાર એના મુખનોરે, તેતો દેનાર સૌને સુખનોરે ।।૨૭।।

મન કર્મ ને વચને કરીરે, એહ વાત માની લેજ્યો ખરીરે ।

કહ્યું કલ્યાણનિર્ણય કથીરે, ખરી વાત છે એ ખોટી નથીરે ।।૨૮।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

શુદ્ધ મુમુક્ષુ શોધશે સારરે, કરી અંતરે ઉંડો વિચારરે ।

ગાફલને તો નહિ પડે ગમરે, નિર ક્ષીર સમઝશે સમરે ।।૨૯।।

તેને ઉપર નથી આ વાતરે, સમઝુ સમઝજ્યો સાક્ષાતરે ।

સમું સમઝતાં પામશો પારરે, કહે નિષ્કુલાનંદ નિરધારરે ।।૩૦।।

ઇતિ શ્રીકલ્યાણનિર્ણય મધ્યે મુક્તમુમુક્ષુસંવાદે સપ્તદશો નિર્ણયઃ ।।૧૭।।

પદરાગ ધોળ-સાચેસાચું કહેશું, હરિ રાખે તેમ રહેશુંરે ।

ટેક-ખરા ખરું કહેશું ખોળી, શીદ કરીયે વાત મોળીરે; સા૦।

કહું કલ્યાણને માંઈ, કસર રાખશો માં કાંઈરે; સા૦।।૧।।

જાણો જેની તેની વાતે, નથી કલ્યાણ કોઈ ભાતેરે; સા૦।

સાચા મળ્યા વિના સાચું, થાવા કલ્યાણનું કાચુંરે; સા૦।।૨।।

ખ ા ે ટ ા સ ં ગ ે િ દ ન ખ ા ે ય ે , જ ે મ ર ણ મ ા ં િ હ ર ા ે ય ે ર ે ; સ ા ૦ । થયા કપટીના વેચાણ, ભાગ્યું મહાદરિયે વા’ણરે; સા૦।।૩।।

જાણી જોઇ ઝેર ખાયે, તેમાં સુખી ક્યાંથી થાયેરે; સા૦।

એમ પાપીને ઉપદેશે, પાપ પેટમાંઈ પેસેરે; સા૦।।૪।।

જા ણ ા ે ધ ં ત ુ ર ા ન ે બ ી જ ે , ખ ા ઈ સ ુ ખ શ ા ન ુ ં લ ી જ ે ર ે ; સ ા ૦ । તેમ ખોટા ગુરુ કરતાં, પાર ના’વે ભવ ફરતાં રે; સા૦।।૫।।

લ ા ડ ુ મ સ ા ણ ન ે મ ધ્ ય , ન ા ે ’ ય અ ે લ ચ ી ન ી ગ ં ધ્ ય ર ે ; સ ા ૦ । વો’રી વીછી વરુ વ્યાળા, કોઇ નો’ય જો સુખાળારે; સા૦।।૬।।

અ ે વ ા પ ા પ ી ન ે પ ર હ િ ર અ ે , સ ં ગ સ્ વ પ્ન ે ન ક ર ી ય ે ર ે ; સ ા ૦ । ખાંત્યે વિખફળ ખાવે, તેણે સુખ શાનું આવેરે; સા૦।।૭।।

ચ ા લ ે ચ ા ે ર ન ે સ ં ગ ા થ્ ા ે , મ ા ર ખ ા વ ા ન ા ે છ ે મ ા થ્ ા ે ર ે ; સ ા ૦ । એવા પ્રભુના જે ચોર, તેને મેલો ડાબી કોરરે; સા૦।।૮।।

કોટે બાંધી કાળાપા’ણા, કોઇ ન તર્યા શિયાણારે; સા૦।

દુધ ખરસાણીની ખીરે, ખાધે સુખ શું શરીરેરે; સા૦।।૯।।

અ ે વ ા ન ઠ ા ર ા ન ે સ ં ગ ે , અ ા વ ે દ ુ : ખ અ િ ત અ ં ગ ે ર ે ; સ ા ૦ ।

ગણો ગધેડાની ગાય, ધોયે ધફોયે ન થાયરે; સા૦।।૧૦।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

નપુંસક નરને પરણી, નારી નહિ પામે અઘરણીરે; સા૦।

તેમ ખોટા ગુરુ કરી, કેમ જાશે ભવ તરીરે; સા૦।।૧૧।।

ભ વ જ ળ ત ર વ ા ક ા જ , સ ા ચ ા સ ં ત ન ા ે સ મ ા જ ર ે ; સ ા ૦ ।

ખોટા સંગે ખોટ્ય આવે, બાંધ્યા પા’ણા તે બુડાવેરે; સા૦।।૧૨।।

એની અધોગતિ અતિ, નથી એની ઊર્ધ્વ ગતિરે; સા૦।

માટે ઓળખીને લેવું, જ્યાંત્યાં ઝલાઈ ન રે’વુંરે; સા૦।।૧૩।।

ચ ા ે ખ ી ચ ા ે ળ ા ફ ળ ી જા ણ ી , ખ ા ય ે ન િ હ ખ ર સ ા ણ ી ર ે ; સ ા ૦ ।

ગાય મહિષી વરોળ્યે, ક્યાંથી વલોંણુ વલોવ્યેરે; સા૦।।૧૪।।

અ ે વ ા ગ ુ રુ જ્ઞ્ ા ા ન હ ી ણ ા , ત ે ત ા ે ક ા ળ ન ા ચ િ વ ણ ા ર ે ; સ ા ૦ । જળ જાહ્નવીનું જાણી, પિયે નહિ મઉપાણીરે; સા૦।।૧૫।।

અ ા ં બ જા ણ ી અ ા ક ફ ળ , ખ ા ધ ુ ં પ ડ ી ન િ હ ક ળ ર ે ; સ ા ૦ ।

તેમ પાપી ગુરુ મળ્યે, સુખ શાંતિ ક્યાંથી વળેરે; સા૦।।૧૬।।

અઘ ગુરુનાં એ એંધાણ, તમે સાંભળો સુજાણરે; સા૦।

હોય દલમાં દગાઈ, માને મોટો મનમાંઈરે; સા૦।।૧૭।।

ધ મર્ િ ન મ ભ િ ક્ ત હ ી ણ , જા ણ ે છ ૈ ય ે પ્ર િ વ ણ ર ે ; સ ા ૦ ।

કુટિલતા ને કુડ કપટ, દગા દલમાં દોવટરે; સા૦।।૧૮।।

ઝાઝી અંતરમાં ઝાળું, વિષયસુખની વિકરાળુંરે; સા૦।

ભિંતર માંઈ તો ભડકા, વિષય સારુ નાખે વડકાંરે; સા૦।।૧૯।।

ભાયો એવાનો ભરોંસે, રહેશે તેને દુઃખ થાશેરે; સા૦।

માટે વિચારવું ઉંડું, એને થયે થાય ભુંડુંરે; સા૦।।૨૦।।

ન ા ગ વ ા ઘ બ લ ા ખ ા ર ી , ત ે ત ા ે ક ે ન ા ં િ હ ત ક ા ર ી ર ે ; સ ા ૦ । કાગ બાજ ને બલાઈ, તેથી ન થાય ભલાઈરે; સા૦।।૨૧।।

એમ દુષ્ટ ગુરુ દુઃખદાઈ, માની લેજ્યો મનમાંઈરે; સા૦।

એવા ગુરુ સંત જગે, માંડીછે ઠગાઈ ઠગેરે; સા૦।।૨૨।।

લ ઈ િ શ ષ્ ય ન ુ ં સ ર વ સ , ક ર ી લ ી ધ ા પ ા ે ત ા ન ે વ શ ર ે ; સ ા ૦ । બહુ દિલમાંહી દગા, તેતો ન હોય કેના સગારે; સા૦। ૨૩।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

કલ્યાણનિર્ણય

અ ે ન ે અ જા ણ્ ય ે અ ા શ ર ે , ત ે ન ુ ં ભ ા ર ે ભ ુ ં ડ ુ ં ક ર ે ર ે ; સ ા ૦ ।

માટે કરવો સાચો સંગ, જેથી રહી જાય રંગરે; સા૦।।૨૪।।

સાચા હરિ ગુરુ કહિયે, જેથી પરમપદ લહિયેરે; સા૦।

કૈવલ્ય પ્રાપ્તિના દાતા, નથી બીજાને કહેવાતારે; સા૦।।૨૫।।

બીજા બહુ છે બકાલી, બાંધી બેઠા ઢુંગ ઠાલીરે; સા૦।

જેમ કાખના મવાળા, સર્વે સરખા ધોળા કાળારે; સા૦।।૨૬।।

શાણા જાણી કરિયે સંગ, સુંવાળા પણ છે ભોયંગરે; સા૦।

હોય રુડી હીરાકણી, પણ ખાધે વ્યાધિ ઘણિરે; સા૦।।૨૭।।

અ ે મ બ ા ’ ર ે દ ી સ ે રુ ડ ા , પ ણ અ ં ત ર મ ા ં ક ૂ ડ ા ર ે ; સ ા ૦ । એવા જગે ઘણા ધૂતા, જીવ લેવા જમદૂતારે; સા૦।।૨૮।।

ભ ડ વ ા ક ે ન ા ભ ર થ્ ા ા ર , વ ે શ્ ય ા ક ે ન ી ક ુ ળ ન ા ર ર ે ; સ ા ૦ । એવા બગડેલ બેહાલ, કેને ન કરે નિહાલરે; સા૦।।૨૯।।

મળ્યા સો મોટલિયા થાય, પણ શેઠ ન કહેવાયરે; સા૦।

શેઠ હોય ધનવાન, ઘેરે સુખના સામાનરે; સા૦।।૩૦।।

મ ા ટ ે સ ા ચ ા શ ે ઠ હ િ ર , પ ળ મ ા ં મ ુ ક ે સ ુ ખ ી ક ર ી ર ે ; સ ા ૦ । અલૌકિક સુખ લોકે, જન ભોગવે વિલોકેરે; સા૦।।૩૧।।

છ ત ી દ ે હ ે પ ા મ ે ધ ા મ , વ ળ ી થ્ ા ા ય પ ૂ ર ણ ક ા મ ર ે ; સ ા ૦ । એવી રીત હોય જિયાં, જાણો પ્રભુ પોતે તિયાંરે; સા૦।।૩૨।।

કથા આ છે કલ્યાણકારી, સહુ લેજ્યો હૈયે ધારીરે; સા૦।

અ ે મ સ મ ઝ ય ે ટ ળ શ ે ફ ં દ , િ ન શ્ચ ે ક ે ’ િ ન ષ્ ક ુ ળ ા ન ં દ ર ે ; ।

સાચે સાચું કહેશું, હરિ રાખે તેમ રહેશુંરે ।।૩૩।।

ઇતિ શ્રીકલ્યાણનિર્ણયમધ્યે મુક્તમુમુક્ષુસંવાદે અષ્ટાદશો નિર્ણયઃ ।।૧૮।।

કલ્યાણનિર્ણયઃ સમાપ્તઃ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

અવતારચિંતામણી

સ્વામિનારાયણ ઋષભ

બુદ્ધાવતાર

૧ સ્વામિનારાયણ

૯ ધ્રુવાવતાર

કચ્છ

યજ્ઞાવતાર

ધન્વન્તરી

૨ કલ્કિ

૧૦ નૃસિંહ

વારાહ

બળભદ્ર

મોહિની

૩ કુમાર

૧૧ કૃષ્ણ

વામન

કુમારાદિ

પુરુષાવતાર

કપિલ

હયગ્રીવ

નારાયણ

૪ મોહીની

૧૨ વાસુદેવ

હરિ

નારદ

પૃશ્નિગર્ભ

૫ વારાહ

૧૩ દત્તાત્રેય

ધ્રુવાવતાર

રામાવતાર

વાસુદેવ

૬ કપિલ

૧૪ યજ્ઞાવતાર

પૃથુ

કૃષ્ણાવતાર

મન્વન્તરાવતાર

૭ નારદ

૧૫ બુદ્ધાવતાર

દત્તાત્રેય

વ્યાસાવતાર

પરશુરામ

હંસ

૮ નારાયણ

૧૬ પરશુરામ

મત્સ્યાવતાર

નૃસિંહ

।।૩૧।।

કલ્કિ

।।૧।।

૧ કચ્છ

૯ હરિ

૧ વામન

૮ હરિ

૨ હંસ

૧૦ બળભદ્ર

૨ ઋષભ

૧૦ બળભદ્ર

૩ કુમાર

૧૧ ધન્વન્તરી

૩ કુમાર

૧૧ મોહિની

૪ મોહિની

૧૨ કલ્કિ

૪ પરશુરામ

૧૨ બુદ્ધ

૫ વારાહ

૧૩ ધ્રુવાવતાર

૫ કપિલ

૧૩ ધ્રુવાવતાર

૬ નૃસિંહ

૧૪ રામ

૬ યજ્ઞાવતાર

૧૪ વ્યાસ

૭ કૃષ્ણ

૧૫ પૃશ્નિગર્ભ

૭ ધન્વન્તરી

૧૫ કલ્કિ

૮ વાસુદેવ

૧૬ મત્સ્ય

૮ મત્સ્ય

૧૬ મન્વન્તરાવતાર

।।૨।।

।।૪।।

૧ પૃથુ

૯ હંસ

૧ હયગ્રીવ

૯ રામ

૨ યજ્ઞાવતાર

૧૦ કુમાર

૨ વ્યાસ

૧૦ ધન્વન્તરી

૩ મત્સ્ય

૧૧ પૃશ્નિગર્ભ

૩ મોહિની

૧૧ પૃશ્નિગર્ભ

૪ મન્વંતરાવતાર

૧૨ કલ્કિ

૪ વાસુદેવ

૧૨ કલ્કિ

૫ દત્તાત્રેય

૧૩ પુરુષાવતાર

૫ નારાયણ

૧૩ કૃષ્ણ

૬ ઋષભ

૧૪ બળભદ્ર

૬ બુદ્ધ

૧૪ પુરુષાવતાર

૭ નારાયણ

૧૫ વાસુદેવ

૭ નારદ

૧૫ મન્વન્તરાવાર

૮ પરશુરામ

૧૬ નૃસિંહ

૮ મત્સ્ય

૧૬ પરશુરામ

।।૮।।

।।૧૬।।

૧—૩૧ ચોપાયોમાં ૩૧ અવતારો કહ્યાં છે, તેમાં જે અવતાર મનમાં ધાર્યું હોય તે પ્રથમ અંકમાં

હોય તો તે એક અંક ગણવો. અને તેજ પુષ્પ બીજા અંકમાં હોય તો એક ને બે મળીને ત્રણ અંક થાય.

અને તેજ પુષ્પ ચોથા અંકમાં હોય તો ત્રણ અને ચાર મળીને સાત અંક થાય. અને તેજ પુષ્પ આઠમા

અંકમાં હોય તો સાત અને આઠ મળીને પંદર અંક થાય. અને તેજ પુષ્પ સોળમા અંકમાં હોય તો

પંદર અને સોળ મલીને એકત્રીશ અંક થાય. તે ગ્રંથની ૩૧ મી ચોપાઇ જોવાથી બીજાએ મનમાં

ધારેલું પુષ્પ બીજા માણસ સ્વયં કહી શકેછે. એવી રીતે બીજાં પુષ્પ ધારવામાં પણ આવો સંકેત

જાણી લેવો. પુષ્પ જે ધાર્યું હોય તે જે અંકમાં ન હોય તે અંક ગણવામાં લેવો નહિ.

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

અવતારચિંતામણી

ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન

-ઃ અવતાર ચિંતામણી :-

૧૬

ચોપાઇ - મત પંથપર ડંકા દીધા, દૈવી જીવ ધામે વાળી લીધા ।

મુમુક્ષુ જન તાર્યા અનેક, એવા તો સ્વામિનારાયણ એક ।।૧।।

ચાલ્યો પાણીમાં પર્વત પોતે, દેવ દૈત્ય પામ્યા દુઃખ જોતે ।

ત્યારે કચ્છરૂપે થઇ અકળ, ધર્યો પીઠપર મંદ્રાચળ ।।૨।।

ધ ા ર ી વ ર ા હ રૂ પ દ ય ા ળ , ર ા ખ ી પ ૃ થ્ વ ી જા િ ત પ ા ત ા ળ ।

વળી માર્યો હિરણ્યાક્ષ જેહ, કર્યાં ચરિત્ર ઇત્યાદિ તેહ ।।૩।।

વ ા મ ન રૂ પ ધ ર ી મ હ ા ર ા જ , બ િ ળ છ ળ્ ય ા ે ઇં દ્ર ર ા જ ક ા જ ।

વપુ વધારીને વિશ્વ લીધું, પછી બળીને વરદાન દીધું ।।૪।।

ધર્યું કપીલ તન માત કાજ, કહ્યું સાંખ્યતત્ત્વ મુનિરાજ ।

ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ, કહ્યું માતા પ્રત્યે સાંખ્યઅતિ ।।૫।।

જ્યારે હરિ અવતાર ધાર્યો, ત્યારે ગ્રાહથી ગજ ઉગાર્યો ।

ઋષિ બેઉના શાપેથી એહ, ગજ ગ્રાહ થયા હતા તેહ ।।૬।।

વ ળ ી ધ ર ી ત ન ભ ગ વ ા ન , દ ી ધ ુ ં ધ ્ર ુ વ ન ે પ ા ે ત ે વ ર દ ા ન । એહ ધ્રુવાવતાર જાણો, થયા તપે રાજી પરમાણો ।।૭।।

વ ળ ી ક હ ુ ં અ વ ત ા ર અ ે ક , ત ે મ ા ં જા ણ વ ા ે અ િ ત િ વ વ ે ક । અતિ પૃથ્વીદોહન કર્યું, જ્યારે પોતે પૃથુતન ધર્યું ।।૮।।

થ્ ા ઇ અ ા પ ે દ ત્ત્ ા ા ત્ર્ ા ે ય ન ા થ્ ા , ક ય ાર્ ય દ ુ હ ૈ હ ય સ ન ા થ્ ા । ભજે રાત દિન જીહ્વાએ દત્ત, તેનાં વળે ચોરાશીનાં ખત ।।૯।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

અવતારચિંતામણી

થ્ ા ય ા હ િ ર હ ં સ રૂ પ જ ે વ ા , બ ્ર હ્મ ા ન ા ર દ ન ે જ્ઞ્ ા ા ન દ ે વ ા ।

પુછયું બ્રહ્માને સનકાદિકે, હંસે ઉત્તર કર્યો વિવેકે ।।૧૦।।

વળી નૃસિંહતન ધારી નાથે, હણ્યો હિરણ્યકશિપુને હાથે ।

કર્યું પ્રહ્લાદનું પ્રતિપાળ, દાસત્રાસ નિવાર્યો દયાળ ।।૧૧।।

જ્યારે ઋષભરૂપે પોતે થયા, પુત્ર બોધી પરહંસ રહ્યા ।

પરહંસની રીત દેખાડી, તેને અજ્ઞાની લિયેછે આડી ।।૧૨।।

વ ળ ી ય જ્ઞ્ ા ા વ ત ા ર ધ ા ર ી , હ િ ર િ ત્ર્ ા લ ા ે ક પ ી ડ ા િ ન વ ા ર ી । કર્યું સુખ સહુને તે અતિ, માટે કરવી પ્રભુને વિનતિ ।।૧૩।।

વ ળ ી બ ળ ભ દ્ર રૂ પ ધ ા ર ી , મ ા ય ા ેર્ િ દ્વ િ વ દ વ ા ન ર ભ ા ર ી ।

બીજાં પણ કામ કર્યાં જેહ, હસ્તિનાપુર આદિ કહિયે તેહ ।।૧૪।।

કુમારાદિક રૂપને ધારી, આત્મ તત્ત્વની વાત વિસ્તારી ।

ધર્મ પાળી ભજે જેહ જન, તે પર રાજી થાય ભગવન ।।૧૫।।

વ ળ ી હ ય ગ ્ર ી વ ત ન ન ે ધ ા ર ી , વ ે દ મ ય વ ા ણ ી ય ા ે ઉ ચ્ ચ ા ર ી ।

મધુ કૈટભાદિક અસુર, માર્યા પોતે તે મહા કરૂર ।।૧૬।।

વ ળ ી ન ા ર દ ન ુ ં ત ન લ હ્ય્ ા ુ ં , ન ૈ ષ્ ક મ્ યર્ સ ા ત્ વ ત ં ત્ર્ ા ક હ્ય્ ા ુ ં । રાજાસુત જે સાઠ હજાર, દઇ જ્ઞાન કર્યા ભવપાર ।।૧૭।।

વળી રામરૂપ થઇ રાજ, માર્યો રાવણ બાંધી સિંધુપાજ ।

એવાં અનેક ચરિત્ર કરી, આવ્યા અયોધ્યામાં પોતે હરિ ।।૧૮।।

પ ા ે ત ે ધ ર ી ક ૃ ષ્ ણ અ વ ત ા ર , મ ા ય ાર્ દ ા ન વ દ ૈ ત્ ય અ પ ા ર । નિજ શરણાગતનાં દુઃખ કાપ્યાં, થઇ રાજી અચળ સુખ આપ્યાં ।।૧૯।।

વ ળ ી ધ ર ી વ્ ય ા સ અ વ ત ા ર , ક ય ાર્ અ ે ક વ ે દ વ દ ી ચ ા ર ।

કર્યાં વળી અઢાર પુરાણ, તેને જાણે તે ડાહ્યા સુજાણ ।।૨૦।।

બુદ્ધજીએ તે બોધ જ આપી, કલ્યાણની જડ નાખી કાપી ।

છળી અસુરને તેહ વારે, કરી દેવરક્ષા એ પ્રકારે ।।૨૧।।

વળી ધનવંતરી તન ધારી, ટાળ્યો રોગ આયુષ્ય વધારી ।

દીનબંધુએ દીનદયાળુ, કર્યું સર્વે જગતને સુખાળુ ।।૨૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

અવતારચિંતામણી

ધ ય ુર્ ં મ ા ે હ ી ન ી રૂ પ અ ક ળ , જા ે ઇ અ સ ુ ર થ્ ા ય ા િ વ ક ળ ।

પાતાં અમૃત રાહુશિર છેદ્યું, વળી શિવજીનું વ્રત ભેદ્યું ।।૨૩।।

પોતે ધરી પુરૂષ અવતાર, બ્રહ્મા આદિ રચ્યો આ સંસાર ।

તેમાં દૈવી જીવ પામે સુખ, આસુરી જીવ ભોગવે દુઃખ ।।૨૪।।

વળી નારાયણ તપ કરતા, કામ ક્રોધ લોભ મદ હરતા ।

કરે તપ પોતે અતિ પ્યારૂં, નિજજનના સુખને સારૂં ।।૨૫।।

વળી પ્રશ્નિગર્ભ અવતારે, આપ્યું મા-બાપને સુખ ત્યારે ।

જો કોઇ પ્રાણી પ્રભુ શરણે થાય, તેનાં જન્મ મરણ દુઃખ જાય ।।૨૬।।

સહુના અંતરમાં રહ્યા જેહ, એને વાસુદેવ કહિયે તેહ ।

કર્મ પ્રમાણે સુખ આપે, નિજજનનાં મહાદુઃખ કાપે ।।૨૭।।

ધ ર ી મ ન્ વ ત ર અ વ ત ા ર , ક ર ે મ ન ુ ન ી ર ક્ષ્ ા ા ત ે વ ા ર ।

એવા અનંત અવતાર થાય, તોય પોતે અજન્મા કે’વાય ।।૨૮।।

ધ ર ી પ ર શ ુ ર ા મ અ વ ત ા ર , હ ણ્ ય ા ક્ષ્ ા ત્ર્ ા ી અ ે ક વ ી શ વ ા ર ।

સહસ્રાર્જુને બહુ દુઃખ દીધું, ત્યારે એમણે એ કામ કીધું ।।૨૯।।

વળી મત્સ્ય થઇને મુરારી, વેદ વાળ્યા શંખાસુર મારી ।

કહ્યું પોતે પણ પરસિદ્ધિ, રાજા સત્યવ્રતની રક્ષા કીધી ।।૩૦।।

કળિ અંતે કલ્કી જે થાશે, તેને ભજી કઇક રાજી થાશે ।

પણ વર્તમાન કાળે આજ, સ્વામિનારાયણથી થાય કાજ ।।૩૧।।

આદ્ય મધ્ય અંત્યે અવતાર, થયા અગણિત થાશે અપાર ।

પણ સર્વેના કારણ જેહ, તે તો સ્વામી સહજાનંદ એહ ।।૩૨।।

અહિં તો એકત્રીશ કહ્યાછે, ઝાઝા બીજા ગ્રંથોમાં રહ્યા છે ।

ધર્મભક્તિની રક્ષાને કાજ, આવ્યા નિષ્કુલાનંદ કે’મહારાજ ।।૩૩।।

ઇતિ શ્રીનિષ્કુલાનંદ મુનિ વિરચિતઃ અવતાર ચિંતામણિઃ સમાપ્તઃ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન

-ઃ ચિહ્નચિંતામણી :-

૧૭

દોહા - સંત સરાહત સ્વસ્તિકું, જોતે હોત કલ્યાન । દક્ષન પગ

સો દેખિયે, પ્રગટ ચિહ્નપ્રમાન ।।૧।। અષ્ટકોણ અવલોકતે, કષ્ટ મિટત

હે કોટ । અંતર આનંદ ઉપજે, લાગે ન કાળકી ચોટ ।।૨।। કેતુ હેતુ

સંતકે, રહત પવન આધાર । તેસે સંતશિરોમણિ, ચલત આજ્ઞા અનુસાર

।।૩।। જન જોવત જેહિ જવકું, તેહિ પિંડ ના પરસે પાપ । સદા મુદા મન

પાવહિ, અંતર સુખ અમાપ ।।૪।। કરત વશ અંકુશ કરિ, મન મેંગળ

મગરૂર । વારી ફેરી લેતહે, હરિ ચરણે હજુર ।।૫।। જીન જાન્યો રસ

જાંબુકો, સરવે રસમહિ સાર । અન્ય રસકી ઇચ્છા ટરિ, નિરસ ભર્યો

સંસાર ।।૬।। વજ્ર નજર વિલોકતે, નિર્ભય ભયે જન નેક । કાળ કર્મકી

કલ્પના, છુટી અંતરસે છેક ।।૭।। નીર ન લોપે કમળકું, તેસે સંત સંસાર

। પ્રભુપદ ચિહ્ન પ્રતાપશું, વ્યાપત નહિ વિકાર ।।૮।। ત્રિકોણ ચિહ્નકું

ચાહિતે, ત્રિવિધ તાપ તે જાય । બસત સદા પદ વામમેં, સંત હરન સંતાપ

।।૯।। ચંચળ મીન પ્રવીન હે, નીરસે ફરત નિદાન । જક્ત વિરક્ત રહત

હે, તેસે સંત સુજાન ।।૧૦।। સોમ સદા શીતળ કરે, યાકિ યાહે રીત ।

દાઝત નહિ તેહિ દિલમેં, જેહિ ચિંતવતહે ચિત્ત ।।૧૧।। ગોપદમેં યા

ગુન હે, જેહિ ચિંતવત હે જન । અપાર એહ સંસારકું, તુરત કરત ઉલ્લંઘન

।।૧૨।। ધનુષ જે જન ચિંતવે, તે પર રીઝે અવિનાશ । કામ ક્રોધ મદ

લોભકો, તુરત હોત વિનાશ ।।૧૩।। વેરવેર જન વ્યોમકું, દેખતહે જેહિ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

ચિહ્નચિંતામણી

દાસ । અટકત નહિ આવરનમેં, એહિ ગુન આકાશ ।।૧૪।। કળશકિ મેં

ક્યા કહું, સબપર રહત સદાય । યાકું ઉરમેં ધારતે, કરના રહે ન કાંય

।।૧૫।। દોનું પાવે દેખતે, આવત હે આનંદ । ઊર્ધ્વરેખાકે ઉપરી, વારી

નિષ્કુલાનંદ ।।૧૬।।

।। ઇતિ શ્રી નિષ્કુલાનંદ મુનિવિરચિતઃ ચિહ્નચિંતામણિઃ સમાપ્તઃ ।।

૧. સ્વસ્તિ

૫. અંકુશ

૯. ત્રિકોણ

૧૩ ધનુષ

૨. અષ્ટકોણ

૬. જાંબુ

૧૦. મીન

૧૪. વ્યોમ

૩. કેતુ

૭. વજ્ર

૧૧. સોમ

૧૫. કળશ

૪. જવ

૮. કમળ

૧૨. ગોપદ

૧૬. ઉર્ધ્વરેખા

૧ વજ્ર

૧ અષ્ટ કોણ

૧ કળશ

૧ ધનુષ

૨ સ્વસ્તિ

૨ ધ્વજ

૨ જાંબુ

૨ ગોપદ

૩ ત્રિકોણ

૩ અર્ધચન્દ્ર

૩ વ્યોમ

૩ સોમ

૪ અર્ધચન્દ્ર

૪ કળશ

૪ અંકુશ

૪ કમળ

૫ અંકુશ

૫ જાંબુ

૫ ગોપદ

૫ ત્રીકોણ

૬ ધ્વજ

૬ વજ્ર

૬ જવ

૬ કળશ

૭ ધનુષ

૭ મીન

૭ ધનુષ

૭ મીન

૮ કળશ

૮ વ્યોમ

૮ વજ્ર

૮ વ્યોમ

।।૧।।

।।૨।।

।।૩।।

।।૪।।

૧ આ સ્થળે પણ અવતાર ચિંતામણિ જેવોજ સંકેત જાણી લેવો. આ

સંકેતમાં ઉર્ધ્વરેખાનો સમાવેશ થતો નથી માટે જ્યારે કોઇ પણ

અંકમાં જે ચિહ્ન ન મળી આવે તે ઉર્ધ્વરેખા જાણવી તેને માટે દોહો

તો ૧૬ મો છે.

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુષ્પચિંતામણી

ગુલહજારી

દાડમ

કસુંબા

૧ ગુલહજારી

૯ વસંત

કેવડો

જાય

આંબામોર

૨ ગુલલાલા

૧૦ ગુલાબ

વસંત

કર્ણિકારય

ગઢૂલ

૩ ગુલદાવદી

૧૧ નિર્માળી

કેસર

મરુવો

૪ કર્ણિકાર

૧૨ દાડમ

ચંપા

જાૂઇ

ગુલલાના

નિર્માળી

કણ્યેર

૫ કેવડો

૧૩ મરુવો

કેસુડાં

ગુલસોમના

કેતકી

૬ કેસુડાં

૧૪ પિયાવાસ

ગુલાબ

કુંભી

બોરસરી

૭ કમળ

૧૫ ચંપો

પિયાવાસ

ચંબેલી

પોહોય

૮ કેસર

૧૬ જાય

ગુલદાવદી

પાડલ

ડોલરીયો

।।૧।।

કમળ

જાસુલ ।।૩૧।। નિર્વારી

૧ જાય

૯ વસંત

૧ બોરસરી

૯ કેવડો

૨ કુંભિ

૧૦ ચંબેલી

૨ ગુલદાવદી

૧૦ ગુલાબ

૩ કેવડો

૧૧ પાડલ

૩ ગુલલાલા

૧૧ ચંબેલી

૪ કેસર

૧૨ આંબામોર

૪ ડોલરીયો

૧૨ કેસર

૫ ગુલસોમના

૧૩ ગુલહજારી

૫ નિર્વારી

૧૩ વસંત

૬ પિયાવાસ

૧૪ ગુલલાલા

૬ આંબામોર

૧૪ નિર્માળી

૭ કર્ણિકાર

૧૫ નિર્વારી

૭ પોહોય

૧૫ પાડલ

૮ કસુંબો

૧૬ જાસુલ

૮ કણ્યેર

૧૬ ચંપો

।।૨।।

।।૪।।

૧ કર્ણિકાર

૯ નિર્વારી

૧ પિયાવાસ

૯ નિર્માળી

૨ કેતકી

૧૦ વસંત

૨ કર્ણિકાર

૧૦ પાડલ

૩ ગુલસોમના

૧૧ કુંભિ

૩ ગુલલાના

૧૧ કેસર

૪ ગુલહજારી

૧૨ નિર્માળી

૪ બોરસરી

૧૨ ચંબેલી

૫ કેસર

૧૩ બોરસરી

૫ દાડમ

૧૩ જાુઇ

૬ કેસુડાં

૧૪ ગુલાબ

૬ કણ્યેર

૧૪ કુંભિ

૭ મરુવો

૧૫ ડોલરીયો

૭ જાસુલ

૧૫ ચંપો

૮ પાડલ

૧૬ જાુઈ

૮ મરુવો

૧૬ ગઢૂલ

।।૮।।

।।૧૬।।

૧—૩૧ ચોપાયોમાં ૩૧ પુષ્પ કહ્યાં છે, તેમાં જે પુષ્પ મનમાં ધાર્યું હોય તે પ્રથમ અંકમાં હોય

તો તે એક અંક ગણવો. અને તેજ પુષ્પ બીજા અંકમાં હોય તો એક ને બે મળીને ત્રણ અંક થાય. અને તેજ પુષ્પ ચોથા અંકમાં હોય તો ત્રણ અને ચાર મળીને સાત અંક થાય. અને તેજ પુષ્પ આઠમા

અંકમાં હોય તો સાત અને આઠ મળીને પંદર અંક થાય. અને તેજ પુષ્પ સોળમા અંકમાં હોય તો

પંનર અને સોળ મલીને એકત્રીશ અંક થાય. તે ગ્રંથની ૩૧ મી ચોપાઇ જોવાથી બીજાએ મનમાં

ધારેલું પુષ્પ બીજા માણસ સ્વયં કહી શકેછે. એવીરીતે બીજાં પુષ્પ ધારવામાં પણ આવો સંકેત

જાણી લેવો. પુષ્પ જે ધાર્યું હોય તે જે અંકમાં ન હોય તે અંક ગણવામાં લેવો નહિ.

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુષ્પચિંતામણી

ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન

-ઃ પુષ્પચિંતામણિઃ :-

૧૮

દોહા- પિયા ચલે પરદેશકું, મહાદુઃખ દૈ ગયે મોય । અબ કબ

દેખું કમળને, તરહિ ડગરા જોય ।।૧।। મેરે મન એસી ભયી, સદા રહુંગી

સંગ । સુખમેં દુઃખ દેખ્યો નહિ, રચિ હું કસુંબો રંગ ।।૨।। મેં ફુલી મિલ

પિવકું, જેસે ફુલી જાય । મધુકર પિયા મકરંદ લેહિ, ગયે સો ફેર ન

આય ।।૩।। અબ કબ પિયા આવહિ, મેં વ્રહે વશ કરૂં પોકાર । જબ પિયા

દેખું તબ પોહોયકો, કંઠે આરોપું હાર ।।૪।। કયા કરૂં કિત જાઉં સખી,

પિયા ન આયે મુજપાસ । દેખું ફુલ ગુલદાવદી, અંતર ભયે ઉદાસ ।।૫।।

વૃંદાવનમેં મેં ગયે, દેખી આંબાકો મોર । પાઘ પિયાકિ સાંભરિ, રહ્યા ન

હૃદિયા ઠોર ।।૬।। તું મત બેહેકે કેવડા, મોહિ વ્રહ ઉપજત વાસ । દિલ

દિવાની ડોલહું, પિયા ન આયે મુજપાસ ।।૭।। કયા કહું તોય કેતકી,

તેતો રહિ જો ફુલ । પિયા મેરા પરદેશ હે, સોઇ ગઇ કયું ભુલ ।।૮।।

કેશર નહિ તું કેશરી, નાહિ ફુલ એહ નોર । મોયે એકિલી જાનકે, મારતહે

આ ઠોર ।।૯।। તે કહું ગુલસોમનાં, લેનેકું મોહિ પ્રાન । આ અવસરમેં

એકિલી, તબ મારત તું બાન ।।૧૦।। પિયા ગયે પરદેશકું, મેં એકિલી

નાર । ગુલહજારી ગુંથકે, કિન કંઠ આરોપું હાર ।।૧૧।। દેખી ફુલ

ડોલરિયો, મેં મન ભયી ઉદાસ । સેજ સમારી કયા કરૂં, પિયા નાહિ મુજ

પાસ ।।૧૨।। દેખી ફુલ ગુલાબકો, દલમેં ભયો જયું ડોડ । પિયા ન આયે

મુજ પાસળે, હવે કોણ પૂરે કોડ ।।૧૩।। ઝુરી ઝુરી ઝાંખી ભયી, પિયા ન

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

પુષ્પચિંતામણી

આયે ઘેર । નિરખી ફુલ નિરવારિકો, પડ્યો પતિ રતિકો વેર ।।૧૪।।

તિલફી તિલફી તપિકે, ખોયે હાલ હવાલ । આયે ઋતુ વસંતકિ, તોયે ન

આયે લાલ ।।૧૫।। પિયા ગયે પરદેશકું, નવલ મિલિ ત્યાં નાર । દિયો

ફુલ ગઢુંલકો, તાતે નાયે મોરાર ।।૧૬।। મિલી ઠગારી માનિની, લિને

વશ કરી લાલ । દિને ફુલ દાડમકો, તાતે ભયી નિહાલ ।।૧૭।। દેખે

ભોળે દિલકે, રહ્યા જાનું કયા કિન । દેહિ ફુલ જાસુલકો, પિયા અપના

કર લિન ।।૧૮।। પિયા પરે પરપંચમેં, તાતે ન આયે નાથ । પ્યારી

પિયાવાસકો, ફુલ દિયો લે હાથ ।।૧૯।। દેખી કણેર કામસી, ફાલી ફુલ

અપાર । કલિ મળિ અલિ રહો, કુમુદ દેઇ વિસાર ।।૨૦।। અબ પિયા

ઘર આઇ કે, વિધવિધ કરન વિહાર । ચંદન ચરચી ચંપકો, કંઠ આરોપું

હાર ।।૨૧।। સેજ સમારૂં સુમને, ચુનચુન ફુલ ચંબેલ । સજાું સુંદર

શણગારકું, આયે મિલે અલબેલ ।।૨૨।। ગજરા ગુંથી ગુલાલકે, બાંધુ

દોનું બાંય । પોંચી પોંચે બાંધકે, માળ આરોપું ગળામાંય ।।૨૩।। સુંદર

બસન સોહામને, ધરો શિરપર પાગ । જોયે ફુલ મેં જુઇ કે, તૈ હૈયે તોરા

લાગ ।।૨૪।। બોયા મેરે બારમેં, બહુ મરુવા બેહેકાય । મોહન તુમારી

મોલ્ય પર, ખોસું તોરા તેમાંય ।।૨૫।। સારે ફુલતે કુંભિકે, પિયા ધરૂં

તોય પાગ્ય । કામ કયા કહું ભયે, અતિ બડેજ્યું ભાગ્ય ।।૨૬।। વિનિ

લાવું વનસે, સુંદર ફુલ અમૂલ । કાને દોનું કર્ણિકાર, લેલે ખોશે યે ફુલ

।।૨૭।। ભલે આયે મનભાવતે, પિયા જ્યું મેરે પાસ । બહુ ફુલે બોરસરી,

લ્યો લ્યો લાલન વાસ ।।૨૮।। નૌતમ ફુલ નિર્માલિકે, ભરે સુગંધી શ્યામ

। પિયા આયે તબ પ્રેમસું, સબ આયે હે કામ ।।૨૯।। પસ ભરી પાડળકે,

લાઉં ફુલ અપાર । મેરે મિત તમ ઉપરે, વારૂં વાર હજાર ।।૩૦।। કેસર

ભીને કાનજી, ઘેર આયે ગોવિંદ । પ્યારે પ્રિતમ ઉપરે, વારી નિષ્કુલાનંદ

।।૩૧।।

।। ઇતિ શ્રી નિષ્કુલાનંદ મુનિ વિરચિતઃ પુષ્પચિંતામણિઃ સમાપ્તઃ ।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

લગ્નશકુનાવલી

ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન

-ઃ લગ્નશકુનાવલી :-

૧૯

૧ મેષ

૩ મિથુન

૫ સિંહ

૭ તુલા

૯ ધન

૧૧ કુંભ

૨ વૃષભ

૪ કર્ક

૬ કન્યા

૮ વૃશ્ચિક

૧૦ મકર

૧૨ મીન

દોહા- શ્રી સહજાનંદ આનંદકંદ, વંદુ વારં વાર । દીન દયાળુ

દુઃખહરણ, પ્રગટે યહ સંસાર ।।૧।। સુમરન કરકે કહત હું, શકુનાવલી

શુભ નામ । શુભ લગ્નમેં જો ચિંતવે, કરે ભક્તકો કામ ।।૨।। મેષ

લગન મન ચિંતવી,અજ પુછત અવિનાશ । સુખ લાભ સબ હી મિલે,

ઉત્તમ હય યહ રાશ ।।૩।। વૃષભ લગ્ન વિચારીકે, નારદ પુછત કહે

કૃષ્ણ । અર્થ લાભ સુખ સબ મિલે, જેહી પુછે તેહી પ્રશ્ન ।।૪।। મિથુન

લગ્ન મનમેં ધરી, ઉમા પુછત કહે ઈશ । સભામધ્યે સુખ નહીં મિલે,

હય ચિંતા કષ્ટ કલિશ ।।૫।। કર્ક લગ્ને કર જોરકે, જમદગ્નિ પુછત

અજ કહે । લાભે દે પુની સ્વાદ નહિ, શિવ સુમરી કેવૈ ગ્રહે ।।૬।। સિંહ

લગ્ને સહદેવ પુછે, ભીષ્મ કહે ભરી ભાવ । વિચરત સિદ્ધિ પાવહિ,

વિષ્ણુકે ગુણ ગાવ ।।૭।। કન્યા પુછે કાલીકા, સરસ્વતી કહત હે સોય ।

સુખ લાભ હોશે સહી, પુનિ કષ્ટ નહિ હોય ।।૮।। તુલા લગ્ન જાની

તેહિ, ઋષિ પુછત કહે દેવ । દ્રવ્યપ્રાપ્ત સુખ પાવહી, હેવેર નહિ તતખેવ

।।૯।। વૃશ્ચિક લગ્ને ગૌતમ પુછે, પીનાકી કહે સોય । હૈયે ચિતવે સો

હોયગે, પુનિહે વેર કહ્યું તોય ।।૧૦।।ધનલગ્ને ગાલવ પુછે, શંકર કહે

સમજાય । એ કારજ હોશે સહી, લાભ હોય યહ માંય ।।૧૧।। મકર

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

લગ્નશકુનાવલી

લગ્ન વિશ્વામિત્ર મુનિ, પુછત કહત વાલ્મિક । એહી કાજમેં ઉદ્વેગ

હય, નહિ લાભ કહત હય ઠીક ।।૧૨।। કુંભ લગ્ને દત્તાત્રેય પુછે, કૃપા

કરી કહે શ્રીકૃષ્ણ । રહી ચિંતવે કારજ ઉતાવાળું, કૈ હય કુશળ રહો

પ્રશ્ન ।।૧૩।। મીન લગ્ને ગણપતિ પુછહી, ભગવતી કહે ભરી ભાવ ।

સુખ કારજ સબ હોયગે, મનચિંતવત ફળ મિલે આવ ।।૧૪।। જો જો

દેવને પુછિયે, લગ્નશકુનકે પ્રશ્ન । તાકે મત સબ લિખકે, રાજી કિયે

પ્રભુ કૃષ્ણ ।।૧૫।। હમ નિશદિન ચિંતવતહે, પ્રગટ શ્રીસહજાનંદ ।

સબ શકુનમેં સબ લગ્નમેં, સદા હોત આનંદ ।।૧૬।। સુનત યહ

શકુનાવલી,ભક્ત ભયે સાનંદ । સંવત અઢાર ત્રાસીએ, મહી બીજ

નિષ્કુલાનંદ ।।૧૭।।

ઈતિ શ્રી નિષ્કુલાનંદમુનિવિરચિતા લગ્નશકુનાવલી સમાપ્તા ।।

લગ્નકુશાનવલી સમાપ્તા

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન

-ઃ યમદંડ :-

૨૦

સ ા ે ર ઠ ા - મ ં ગ ળ રૂ પ અ ન ૂ પ । સ મ ર ત ા ં સ દ્ય સ ુ ખ મ ળ ે ।

સો સહજાનંદ સુખરૂપ, જે ભજતાં ભવદુઃખ ટળે ।।૧।।

ક ર વ ા મ ા ં ગ િ ળ ક ક ા જ , જ ન મ ન મ ા ં જ ે ઇ ચ્ છ ા ક ર ે ।

તે સમરે શ્રીમહારાજ, તો વિઘ્ન તેનાં તર્ત હરે ।।૨।।

અ ે વ ા શ્ર ી ઘ ન શ્ ય ા મ , ન ા મ ે જ ે ન ે િ ન ર્િ વ ઘ્ ન થ્ ા ઇ ય ે ।

વળી સરે સઘળાં કામ, તેને તજી બીજું શીદ ચહિયે ।।૩।।

સ વ ેર્ સ ુ ખ ન ા સ દ ન , દ ુ : ખ હ ર ણ હ િ ર દ ી ન બ ં ધ ુ ।

તે પ્રભુ થઇ પ્રસન્ન, સા’ય કરજો સદા સુખસિંધુ ।।૪।।

દ ા ે હ ા - પ્ર થ્ ા મ પ્ર ભ ુ ન ે પ્ર ણ મ ી , ક રૂ ં ક થ્ ા ા ઉ ચ્ ચ ા ર ।

યમદંડની જે વારતા, કહું મતિ અનુસાર ।।૫।।

રાગસામેરી - મંગળ મૂર્તિ મહાપ્રભુ, બહુનામી બદ્રિકાઇશ ।

ભક્તિધર્મ સુત ભાવશું, રહ્યા હૃદયમાં હમિશ ।।૬।।

સ ુ ખ સ ા ગ ર સ ા ૈ ન ા પ િ ત , અ િ ત દ ય ા િં સ ધ ુ દ ય ા ળ ।

પૂરણકામ સુખધામ સદા, નિજ ભકતવત્સળ પ્રતિપાળ ।।૭।।

ત ે હ પ્ર ભ ુ પ ૂ વર્ પ્ર ગ ટ ્ય ા , િ દ્વ જ ક ુ ળ ધ મર્ ન ે ઘ ે ર ।

નામ ઘનશ્યામ સુંદર, હરિ કરી જનપર મે’ર ।।૮।।

ત્ ય ા ં થ્ ા ી પ્ર ભ ુ જી પ ધ ા ર ી ય ા , પ ૂ વર્ થ્ ા ી પ િ શ્વ મ દ ે શ ।

અનેક જીવ ઉદ્ધારીયા, આપી અમળ ઉપદેશ ।।૯।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

ત ે હ પ્ર ભ ુ મ ળ્ ય ા મ ુ જ ન ે , સ્ વ ા મ ી ત ે સ હ જા ન ં દ ।

જન્મ મરણ યમયાતના, જેથી છુટ્યો હું સર્વે ફંદ ।।૧૦।।

જેહ દુઃખ ન કહેવાય જીભથી, અતિ વિકટ છે વિપરીત ।

જે જન સુણે શ્રવણે, તે થાય અતિ ભયભીત ।।૧૧।।

અ ે હ દ ુ : ખ જ ે ન ે ઉ પ ર ે , ત ે સ ુ ખ ી ન િ હ િ ન ર ધ ા ર ।

અલ્પ સુખને આશરી, નથી કરતા કોઇ વિચાર ।।૧૨।।

બ ી જી વ ા ત ા ે બ હ ુ સ ા ં ભ ળ ી , જી વ થ્ ા ા ય ર ા જી ર ળ ી ય ા ત ।

જન્મ મરણ જમપુરીની, કોઇ કાને ન સુણે વાત ।।૧૩।।

મ ા ટ ે અ ા જ્ઞ્ ા ા મ ન ે ક ર ી , અ ે હ વ ા ત િ વ સ્ ત ા ર વ ા ક ા જ ।

કૃપા કરી કહ્યું હરિ, શ્રીમુખે શ્રીમહારાજ ।।૧૪।।

ક હ્ય્ ા ુ ં પ ૂ વર્ ે મ ન ે પ ૂ છ ્‌ ય ુ ં હ ત ુ ં , પ ન્ન્ ા ગ ા િ ર ય ે ક ર ી િ પ્ર ત । યથારથ યમદંડની, મેં કહીછે તેહને રીત ।।૧૫।।

ત ે હ ર ી ત હૃ દ ય ે ધ ર ી , ત ુ ં ક હ ે જ ે ક ર ી િ વ સ્ ત ા ર ।

જે સુણી સહુ પાપથી, ડરી ચાલે નર ને નાર ।।૧૬।।

અ ે મ શ્ર ી મ ુ ખ ે થ્ ા ી મ ેં સ ા ં ભ ળ ી , વ ળ ી ઉ ર ક ય ા ેર્ િ વ ચ ા ર । જેમ કહ્યું તેમ કરવું, ફેર પાડવો નહિ લગાર ।।૧૭।।

અ ે હ હ િ ર અ ા જ્ઞ્ ા ા ઉ ર ધ ર ી , ક હ ુ ં ક ષ્ટ જી વ ન ા ં જ ે હ ।

નરનારી નિજ પાપથી, સહેછે દુઃખ જે દેહ ।।૧૮।।

જ ન્ મ મ ર ણ ય મ ય ા ત ન ુ ં , ક ષ્ટ અ િ ત ઘ ણ ુ ં છ ે અ પ ા ર ।

શ્રવણ દઇ સહુ સાંભળો, કહું નિરયદુઃખ નિરધાર ।।૧૯।।

જ ે હ પ ા પ ે અ ા જી વ ન ે , ન ા ખ ે છ ે ન ર ક ન ે ક ુ ં ડ ।

પાપ તપાસી પ્રાણીનાં, જે દિયે છે દુષ્કર દંડ ।।૨૦।।

જ ે વ ી િ વ ક ટ વ ા ટ છ ે , જ ે વ ા છ ે ય મ દ ૂ ત ઘ ા ે ર ।

કહુ સંયમિની શહેરનાં, દુઃખ પામે પ્રભુના ચોર ।।૨૧।।

જ ે વ ા ં ન ર ક ન ા ક ુ ં ડ મ ા ં , છ ે જ ુ જ વ ી જા ત ન ા ં દ ુ : ખ ।

તેમાં પડીને પ્રાણીયો, પામે નહી લેશ સુખ ।।૨૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

સ હ ુ મ ળ ી હ વ ે સ ા ં ભ ળ ા ે , ક હ ુ ં સ ુ ં દ ર ક થ્ ા ા સ ા ર ।

જે સુણી આ જીવનો, નિશ્ચય હોય નિસ્તાર ।।૨૩।।

તેતો પ્રત્યક્ષ પ્રભુને પામિયે, કાંતો તેના મળેલ જન મળે ।

જન્મમરણનું દુઃખ જીવને, તેહ વારે તર્ત ટળે ।।૨૪।।

ત ે હ પ્ર ભ ુ જ ુ ગ જ ુ ગ મ ા ં િ હ , અ ખ ં ડ ર હ ે અ િ વ ન ા શ ।

નિજ આજ્ઞા દઇ જીવનાં, કરવા કિલ્બિશ નાશ ।।૨૫।।

દશ ચોવીશ આદિ અનંત, નિત્ય નિમિત્ત જે અવતાર ।

નરતન ધરી રહે નાથજી, કરે અનંત જીવ ઉદ્ધાર ।।૨૬।।

મ ન ુ ષ્ ય ા ક ા ર અ પ ા ર મ ા ે ટ ા , વ ળ ી ક ળ ી ન શ ક ે ક ા ે ય ।

મહાસમર્થ થઇ મનુષ્ય જેવા, શ્રીહરિ વર્તે સોય ।।૨૭।।

અ ન ં ત બ ્ર હ્મ ા ં ડ જ ે ર ા ે મ મ ા ં , ઉ ડ ે છ ે અ ણ ુ ં ન ે ઠ ા મ ।

કોણ લિયે તેના પારને, મન વાણી પામે છે વિરામ ।।૨૮।।

સ ા મ થ્ યર્ જા ે ત ા ં સ હ ુ ન ે સ ર ે , પ ા ર જા ે ત ા ં સ હ ુ થ્ ા ી પ ા ર ।

મોટાપણે મોટા અતિ, તેહ હરિ ધરે અવતાર ।।૨૯।।

દ ુ લર્ ભ ત ે સ ુ લ ભ થ્ ા ઇ , થ્ ા ઇ અ ગ મ સ ુ ગ મ સ્ વ રૂ પ ।

અગોચર તે ગોચર થઇ, કરે જીવને કૃપા અનુપ ।।૩૦।।

વ ળ ી િ વ શ ે ષ્ ા ે દ ય ા ક ર ી , વ ચ ન થ્ ા ી બ ા ં ધ ે છ ે પ ા જ ।

મંદ વૈરાગ્યે ત્યાગે માનવી, તારવા તેહને કાજ ।।૩૧।।

વ ચ ન મ ા ન ે જ ે મ હ ા ર ા જ ન ુ ં , િ ન શ્ચ ય ક ર ી ન ર ન ા ર ।

તે જાય હરિના ધામમાં, પામે તે સુખ અપાર ।।૩૨।।

સ ુ ખ સ ુ ખ સ ુ ખ અ િ ત , ન િ હ દ ુ : ખ ન ા ે લ વ લ ે શ ।

જે ધામમાં જાણજો, નહિ કાળ માયાનો કલેશ ।।૩૩।।

અખંડ આનંદ અતિ ઘણો, જે કહેતાં પણ કહેવાય નહિ ।

તે ભોગવેછે ભક્ત હરિના, વા’લાને વચને રહિ ।।૩૪।।

વ ચ ન વ ડ ે સ ુ ખ ી સ હ ુ , ત ે હ ન ા ં ત ે ક હ ુ ં અ ે ં ધ ા ણ ।

ભવ બ્રહ્મા વિષ્ણુ વળી, જે વડે આ સૃષ્ટિ મંડાણ ।।૩૫।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

અજ ઉપજાવે વિષ્ણુ પાળે વળી, અને શિવ કરે તે સંહાર ।

તાન વચન પર તેહનું, નહિ ઉર બીજો વિચાર ।।૩૬।।

સ ુ ર શ િ શ િં સ ધ ુ શ ે ષ્ ા જ ે , સ ુ ણ ી વ ચ ન ન ે અ ે ક વ ા ર ।

સદા રહે મન ડરતા, નવ પાડે ફેર લગાર ।।૩૭।।

ક ા ળ ક ં પ ે જ ે ન ી બ ી ક થ્ ા ી , ઇ ન્ દ્ર ા િ દ સ વ ેર્ અ મ ર ।

લોપતાં લેશ વચનને, સહુ કંપેછે થર થર ।।૩૮।।

મ ા ે ટ ા અ ે મ મ ન મ ા ં ડ ર ી , સ દ ા વ ત ેર્ છ ે વ ચ ન મ ા ં ઇ ।

સમર્થ જાણી શ્રીહરિ, ફેર પાડવા ન દીયે કાંઇ ।।૩૯।।

મ ં દ ન જા ણ ે અ ે મ મર્ ન ે , લ ા ે પ ે છ ે વ ચ ન લ બ ા ડ ।

કૃતઘ્ની નર કુબુદ્ધિ,પાપી જે પાપનો પા’ડ ।।૪૦।।

પ્ર ભ ુ િ વ મ ુ ખ જ ે પ ા પ ી ય ા , ન વ મ ા ન ે ન ા થ્ ા વ ચ ન ।

તેહ જાય યમપુરીએ, કહું રીત સુણો સહુ જન ।।૪૧।।

અ લ્ પ બ ુ િ દ્ધ ત ે પ ણ ઉં ધ ી , સ ુ ધ ી વ ા ત સ મ ઝ ે ન િ હ ।

સદા હિતકારી શ્રીહરિ, અરિ તેને સમઝ્‌યો સહિ ।।૪૨।।

અ િ ત અ ક ા ે ણ ા ે લ જ્ જા વ ા ે ણ ા ે , ઘ ર વ ગ ા ે ણ ા ે ગ િ ણ ય ે ।

પરમ હેતુ પ્રભુ પરહરી, વરત્યો મતિ આપણિયે ।।૪૩।।

જા ે ન ે હ િ ર દ ય ા ળ ુ દ લ ન ા , ક ય ાર્ અ ન ે ક અ ે ન ે ગ ુ ણ ।

તે જીવે એકે જાણ્યો નહિ, અતિ હોઇ હરામી લુણ ।।૪૪।।

જોને ઘણું દુઃખ ગર્ભવાસમાં, ત્યાં કરી હરિએ એની સા’ય ।

પળપળની પીડા હરી, તેનો પાડ ન માન્યો કાંય ।।૪૫।।

ઉ દ ર મ ા ં દ ુ : ખ અ િ ત ઘ ણ ુ ં , ક ે ’ ત ા ં ત ે ન ા ે ન અ ા વ ે પ ા ર । વેદનામાં વ્યાકુળ થઇ, કરતો પ્રભુને જે પોકાર ।।૪૬।।

અતિ દિન દુઃખીયો હતો, પીડા પામ્યો ત્યાં બહુ પેર ।

એહ દુઃખમાંથી કાઢીયો,હરિ કરી મોટી મે’ર ।।૪૭।।

ત ે વ ે ળ ા ત ન ે િ વ સ ર ી , જ્ ય ા ર ે અ ા વ્ ય ા ે ઉ દ ર થ્ ા ી બ ા ’ ર ।

સત્ય કહું સહુ સાંભળો, ઉદરદુઃખ અપાર ।।૪૮।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

સ વ ેર્ સ ં ક ટ સ ા ં ભ ળ્ ય ા ં , જી વ ે ભ ા ે ગ વ્ ય ા ં છ ે જ ે હ ।

ઉદરનાં દુઃખ આગળે , વળી નથી ગણાતાં તેહ ।।૪૯।।

દ ુ : ખ દ ુ : ખ દ ુ : ખ જી ય ા ં , ન િ હ સ ુ ખ ન ા ે લ વ લ ે શ ।

માસ નવ સુધી જીવને, હેરાન ગતિ હમેશ ।।૫૦।।

ત ે ક હ્ય્ ા ુ ં ક િ પ લ જી અ ે મ ા ત ન ે , ગ ભર્ વ ા સ ન ુ ં દ ુ : ખ દ્વ ં દ્વ । તે સંભળાવું સહુને, એમ કહે નિષ્કુલાનંદ ।।૫૧।। કડવું ।।૧।।

પ ૂ વર્ છ ા ય ા ે - જ ે ર ી ત ે અ ા જી વ ન ે , વ ી ત ે છ ે વ સ મ ી વ ા ર ।

ગહન ગતિ ગર્ભવાસની, તે કહું કરી વિસ્તાર ।।૧।।

મ ા ે ટ ા મ ુ િ ન અ ે મ ળ ી ક ય ા ેર્ , સ વર્ ે ન ર ક ન ા ે િ ન ર ધ ા ર । તેથી અધિક દુઃખ ઉદરે, જેનો કહેતાં તે નાવે પાર ।।૨।।

જા ે ગ ી જ િ ત ત પ સ ી ઋ િ ષ્ ા , જ ે જ ે મ ા ે ટ ા ક હ ે વ ા ય ।

એહ દુઃખને સાંભળી, સહુ કંપેછે મનમાંય ।।૩।।

દ ે વ દ ા ન વ મ ુ િ ન મ ા ન વ ી , સ ુ ખ ે બ ે ઠ ા ક ર ે છ ે િ વ લ ા સ । જન્મમરણ દુઃખ જ્યાં લગી, નથી સાંભરતો ગર્ભવાસ ।।૪।।

ભ ૂ પ અ ન ૂ પ મ ર ા જ્ ય ન ે , વ ળ ી ભ ા ે ગ વ ે છ ે ભ લ ી ભ ા ત ।

તે પણ કંપેછે તનમાં, સુંણી ગર્ભવાસની વાત ।।૫।।

ભ ા ેં ણ ક ા ે ટ ડ ી ભ ા ગ શ ી , ત ે મ ા ં રૂ ં ધ ી ર ા ખ ે િ દ ન ર ે ણ ।

પણ ઉદર સમ એકે નહિ, સહુ સમઝજ્યો પરવેણ ।।૬।।

ચોપાઇ- ઉદરમાં જે અતિ ઘણું દુઃખ, નવ માસ સુધી નહિ સુખ ।

ઉંધે શિશે લટકાવે લઇ, તિયાં દુઃખ તણો તે પાર નહિ ।।૭।।

ત પ ે જ ઠ ર ા ત ા પ અ પ ા ર , બ ળ ે દ ે હ ન ે ક ર ે પ ા ે ક ા ર ।

દાઝે દેહ અતિ અકળાય, કોમળ તને તે કેમ સે’વાય ।।૮।।

તેહ તાપે તરફડે પ્રાણી, જાણ્યું થાશે આ દેહની હાણી ।

નરકખાડથી નરશું ઠેકાણું, એથી બીજું શું હું ભુંડું વખાણું ।।૯।।

શુભ અશુભ આહારનો રસ, એહ મુખમાં આવે અવશ ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

પરૂ પાચ ને રૂધિર પીવું, મળ મૂત્ર મધ્યે તે રહેવું ।।૧૦।।

ઉનું ટાઢું કોયલું કસાયું, જે જે અન્ન જનનીએ ખાયું ।

તેને સ્પર્શે પીડાયછે તન, એહ દુઃખે દુઃખી રાત દન ।।૧૧।।

ખારૂં ખાટું કડવું બળેલ, સડ્યું બગડ્યું અન્ન ઉતરેલ ।

એવું જમે જનની જે વાર, લાગે ગર્ભને અંગે અંગાર ।।૧૨।।

મરચું મરી અજમો ને રાઇ, સુંઠ સંચળ કરિયાતું કે’વાઇ ।

એવું એવું માતા જ્યારે જમે, તેનું દુઃખ બાળકને દમે ।।૧૩।।

ક ા ચ ુ ં ક ા ે રૂ લ ુ ખ ુ ં દ ુ : ખ ક ા ર ી , ખ ા ય પ ે ટ ભ ર ી ન ે મ ેં ત ા ર ી । ઉનું ટાઢું પિયે પાણી જ્યારે, અતિ પીડાય છે બાળક ત્યારે ।।૧૪।।

કોઇક ખાય છે લસણ ડુંગળી, ન ખાધાનું ખાય છે તે વળી ।

તેનો રસ પડે તન પર, તેને સુખ નથી પલભર ।।૧૫।।

ર મ ે ભ મ ે મ ા ત ા લ ડ થ્ ા ડ ે , ઘ ણ ુ ં દ ુ : ખ ત ે ગ ભર્ ન ે ન ડ ે । અતિ અશુચિનું જે અગાર, જીવ પડીયો તેહ મોઝાર ।।૧૬।।

મહા દુર્ગંધ મધ્યે ઘર રહેવા, ઘડી એક નહિ સુખ લેવા ।

ધાતુ સપ્તનો ભર્યો ભંડાર, રાત દિવસ કરે એ આહાર ।।૧૭।।

જી વ જ ં ત ુ િ ત ય ા ં વ સ ે જા ે ઇ , ડ સ ે દ ે હ ન ે િ પ ય ે છ ે લ ા ે ઇ ।

મોટાં જંતુ ફાડી રહ્યાં મુખ, રાત દિવસ દિયે બહુ દુઃખ ।।૧૮।।

તેને દુઃખે નાસવાને જાય, નાસી ભાગી તે કિયાં જવાય ।

જેમ લટકે વડે વાગોલ્યું, એથી દુઃખ સહે અણતોલ્યું ।।૧૯।।

વાયુ વડે બહુ ડોલે ડાળ, પામે દુઃખ વાગોલ્ય તેમ બાળ ।

ઉઠે બેસે ને ચાલેછે માતા, ત્યારે કેમ રહે સુખશાતા ।।૨૦।।

ચડે જેમ કોઇ નર ચગડોળ, રાતદિવસ રહે એમ રોળ ।

પેરેપેરે પીડે એમ દુઃખ, તેતો કહેતાં આવે નહિ મુખ ।।૨૧।।

ન દિશે દિશ અતિ અંધકાર, બા’રે નિસરવા ન સુઝેદ્વાર ।

રાતદિવસની ન પડે ગમ, સહ્યું ન જાય દુઃખ વિષમ ।।૨૨।।

ક ઠ ણ ક ષ્ટ ન ે ક ા ય ા ક ા ે મ ળ , જ ુ ગ જ ે વ ડ ી િ વ ત ે છ ે પ ળ ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

ત્રાહી ત્રાહી કરે ત્યાં પોકાર, સ્વામી કરજ્યો મારી સાર ।।૨૩।।

આ દુઃખથી જો અળગો થાવું, તો તેણે ગુણ તમારા ગાવું ।

સર્વે રીતે તમારે શરણ, રહું હરિ દુઃખના હરણ ।।૨૪।।

શ્રવણે સુણું તમારી કથા, બીજું ન બોલું મુખથી વૃથા ।

નયણે નિરખું તમારૂં રૂપ, ત્વચાયે તમને ભેટું ભૂપ ।।૨૫।।

ક ર ે ક રુ ં ત મ ા ર ી જ સ ે વ , હૃ દ ય ે સ્ મ રુ ં શ્ર ી હ િ ર દ ે વ ।

રસનાએ રાખું તમારું નામ, શ્વાસ ઉચ્છવાસે સંભારું શ્યામ ।।૨૬।।

ચરણે શરણે તમારે હું આવું, નખશિખ અંગ એમ વર્તાવું ।

કોલ બોલ કરું હું કરાર, બહુનામી કાઢો મુને બા’ર ।।૨૭।।

એમ થયું ઉદરમાં જ્ઞાન, તે જ્ઞાનના દેનાર ભગવાન ।

તૈયે જીવે કરી અરદાસ, કહ્યું છોડાવો પ્રભુ ગર્ભવાસ ।।૨૮।।

દ ય ા ક ર ા ે ન ે દ ી ન દ ય ા ળ , બ દ્ર ી પ િ ત ત મ ા ર ા ે હ ુ ં બ ા ળ । એમ અરજ ઉદરમાં કરી, ત્યારે હુકમ કીધો છે હરિ ।।૨૯।।

અતિ દયાળુ દિનપ્રતિપાળ, આરતવાનની લીધી સંભાળ ।

શ્રવણે જેને દયાનો વાસ, સુણ્યાં વચન જે કહ્યાં દાસ ।।૩૦।।

જ ે ન ી દ િ ષ્ટ અ મ ૃ ત ે ભ ર ી , ન જા ે ય ા દ ા ે ષ્ ા ન ે દ ય ા ક ર ી ।

પ્રસૂતિના વાયુને પ્રેરી, ટાળી પીડા ગર્ભવાસ કેરી ।।૩૧।।

કર્યો હુકમ ને ખોલ્યું દ્વાર, આપી આજ્ઞા ઉઘડીયું બાર ।

જન્મસમે કરિ હરિએ જતન, સુધુ સમું રાખ્યું એનું તન ।।૩૨।।

અતિ કષ્ટમાં કરી એની સા’ય, જે કષ્ટ મુખથી કહ્યું નજાય ।

જન્મતણું છે દુઃખ વિકટ, જોર કઠોર છે યોનિસંકટ ।।૩૩।।

કનકતણો જેમ તાણે તાર, તેથી વસમો લેવો અવતાર ।

જેમ પિલે ચિચુમાં શેરડી, તેથી કઠણ ઘણી એહ ઘડી ।।૩૪।।

જેમ ભીડે સકંચે કપાસ, એથી કઠણ તજવો ગર્ભવાસ ।

અંગભીંસાણું ચંપાણું ભારે, જ્યારે કાઢયો ઉદરથી બા’રે ।।૩૫।।

તાણી પરાણે કાઢિયો બા’ર, એવે દુઃખે થયો અવતાર ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

શ્વાસ ઉશ્વાસે ભરાણી છાતી, પામ્યો પીડા કહી નથી જાતી ।।૩૬।।

અતિ અસોયો થયો અચેત, આવ્યો વીંટ્યો મળ મૂત્રે સમેત ।

ખરડયો નરકે સર્વે ખાટલો, તેમાં નાખ્યો જરાક જેટલો ।।૩૭।।

પામ્યો શાંતિને થયું છે સુખ, વિસરી ગયું ગર્ભનું દુઃખ ।

આવ્યો બા’ર થયું અજ્ઞાન, ઉદરમાંહિ જે હતું જ્ઞાન ।।૩૮।।

ઉદરમાંહિ જે હતી અસાધ્ય, આવ્યો બા’રને વિસરી વ્યાધ ।

જેમ ભૂલ્યો ગોવિંદના ગુણ, તેમ સારી શિખ આપે કુણ ।।૩૯।।

જીયાં એણે લીધો અવતાર, તેતો સ્વારથી સહુ નરનાર ।

પુત્ર આવ્યો જાણી પામ્યા આનંદ, હર્ષ વધાઇ કરે કુળ વૃંદ ।।૪૦।।

વ ા જ ે વ ધ ા ઇ અ ા ન ં દ ે ભ ર ી , મ ા ે ટ ી મ ે ’ ર ક ુ ળ દ ે વ ે ક ર ી ।

માતા કહે મુને પાળશે, પિતા કહે ચિંતા ટાળશે ।।૪૧।।

ભાઇ કહે થઇ બીજી બાં’ય, કહે કુટુંબી કરશે સહાય ।

બેન કહે કરશે કંચવો, ફુઇ કરે મનોરથ નિત્ય નવો ।।૪૨।।

આપ સ્વાર્થે બાંધી એમ આશ, જેમ રચ્યો પારાધિએ પાશ ।

સહુ સહુને આશા જુજવી, તન જતન કરે નિત્ય નવી ।।૪૩।।

ખાનપાને કરી પોષે દેહ, થાય મોટો આપે સુખ એહ ।

એમ કરતાં થયાં વર્ષ પંચ, રમવા કારણ આપ્યો સંચ ।।૪૪।।

અનેક વિધિ શિખવી અન્ય, ન શિખવ્યું હરિનું ભજન ।

જેણે કરી ભૂલે ભગવાન, એવું સમજાવ્યું સર્વે જ્ઞાન ।।૪૫।।

ક ૂ ડ ક પ ટ ન ે ઘ ણ ી ઘ ા ત ા ે , ત ે ન ી ક હ ી સ મ ઝ ા વ ી વ ા ત ા ે । છળ છેતર દગા દયાહીણ, એમાં કર્યો પુરો પરવીણ ।।૪૬।।

પ ે ચ પ ા ખ ં ડ પ ર ધ ન લ ે વ ુ ં , અ ન ે ક ર ી ત ે િ શ ખ વ્ ય ુ ં અ ે વ ુ ં ।

ચોરી હિંસા કરવી હમેશ, આપ્યો સહુએ એવો ઉપદેશ ।।૪૭।।

તીર્થ વ્રત સાચા સાધુનો સંગ, તે સહુમાંથી કર્યો મન ભંગ ।

દાન પુણ્ય કરિયે નહિ કેદી, મળે ધન તો લૈયે માથું છેદી ।।૪૮।।

એવી શિખામણ સહુએ દીધી, મૂઢ મતિએ માની તેે લીધી ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

થયો મોટો દીયે બહુ દોટું, ક્ષણ ક્ષણમાં હસે રૂવે ખોટું ।।૪૯।।

કૂંદે ફાંદે ભરે મોટી ફાળ, બિયે બિવરાવે બીજા બાળ ।

ખાધા પીધાનો નિયમ ન મળે, વણઅર્થે વિચરે સઘળે ।।૫૦।।

લાભ વિનાની કરે છે ૧લવાંની, થયો કુળમાં મોટો કવાંની ।

વિના સ્વારથે વસાવે વેર, મારે ઝીણા જીવ નહિ મે’ર ।।૫૧।।

આલ્યે આલ્યે કરે છે અનર્થ, એમ જાયછે જનમ વ્યર્થ ।

એમ કરતાં આવે યૌવન, ત્યારે પ્રિય લાગે પ્રમદા ને ધન ।।૫૨।।

એ વિના બીજું વા’લું નહિ કાંઇ, રાત દિવસ રચ્યો એહ માંહિ ।

એને અર્થે અનરથ કરે, ઉંધું અવળું કરતાં ન ડરે ।।૫૩।।

મન રહે દામ વામે મોઇ, એમ બેસે આવરદાને ખોઇ ।

યમપુરીએ જાવાને કાજ, સજે એવા સર્વે સમાજ ।।૫૪।।

જેમ જેમ અધિકું થાય પાપ, તેમ તેમ રાજી રહે આપ ।

જોબનમાં જોર જુલમે, કરે તેમ જેમ મનને ગમે ।।૫૫।।

ન ર ત ન ે ન ક ર વ ા જ ે વ ુ ં , પ ા પ ી પ ા પ ક ર ે િ ન ત્ ય અ ે વ ુ ં ।

પામી જોબન કરે છે જેહ, કહે નિષ્કુલાનંદ કહું તેહ ।।૫૬।। કડવું ।।૨।।

પૂર્વછાયો- જોબનમાં જે જે કર્યું, તેની કહું હવે વાત ।

દામ વામને કારણે, ઘણી ઘણી શીખ્યો ઘાત ।।૧।।

પ્ર ી ત બ ા ં ધ ી પ ત ન ી સ ં ગ ે , અ ન ે અ ં ગ ે ક ર ે અ ધ મર્ ।

સાચા સંતની શિખ ન માને, અને કરે તે ખોટાં કર્મ ।।૨।।

ચોપાઇ- કરે કર્મ અતિ ઘણાં ખોટાં, જેણે થાશેે તે બંધન મોટાં ।

ચોરે ધનને હરેછે નારી, થયો મદ્યમાંસનો આહારી ।।૩।।

મારે જીવ આવે નહિ મે’ર, બાંધી અધર્મધ્વજા તે ઘેર ।

બોલે ખોટું ને નાખેછે આળ, નિરબળ કંગાલનો કાળ ।।૪।।

વાઢે વનને મૂકેછે આગ્ય, કીધો ધર્મ સુધર્મનો ત્યાગ ।

શીખ્યો છળબળ કળ ભુંડી,અતિ અંતરે મમતા છે ઉંડી ।।૫।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

સહુથી સરસ થવાનું છે સઇ, તેને અર્થે કરે પાપ કંઇ ।

રાત દિવસ ઘડે બહુ ઘાટ, મનસુબો મોટું થાવા માટ ।।૬।।

ઇચ્છે વસ્ત્ર આભૂષણ અંગે, રાચી રહ્યો તનસુખ રંગે ।

મરડે મૂછને પાઘ સંભાળે, લઇ દર્પણ મુખ નિહાળે ।।૭।।

ચ ા લ ે જા ે બ ન મ ા ં મ દ મ ા ત ા ે , દ ે ખ ી ધ ન ક ુ ટ ુ ં બ ફ ુ લ ા ત ા ે । જોઇ છબી છોગલાંની છાંય, તેણે મગન રહે મનમાંય ।।૮।।

બ ર ા ે બ ર બ ે સ ત ા ં બ ન ા વ ી , પ ે ’ ર ે લ ૂ ગ ડ ા ં લ જી ત લ ા વ ી ।

પાઘે પેચ પોતિયે પાટલી, પાડે ભાવે કરી અતિ ભલી ।।૯।।

બ ણ ી ઠ ણ ી બ ે સ ે ચ ા ે ર ે ચ ા ે ક ે , જા ણ ે લ ા ે ક મ ન ે અ વ લ ા ે ક ે ।

ચાલે છકમાં દેખાડે છાતી, બીજી ભુંડાઇ કહી નથી જાતી ।।૧૦।।

જુવે પનઘટે જઇ પરનારી, અતિ હિણો હલકાઇ ભારી ।

નાખે નજર પરનારીપર, પાપીને નહિ પ્રભુનો ડર ।।૧૧।।

સુંઘે કાખ શીખ્યો સનકારા, થાય વિકળ દેખી પરદારા ।

કામી હરામીશું હેત રાખે, ભૂલ્યે નામ હરિનું ન ભાખે ।।૧૨।।

મ ર ડ ઠ ર ડ મ ા ં ર હ ે મ લ ક ા ત ા ે , ઘ ણ ુ ં જા ે બ ન ન ે મ દ મ ા ત ા ે । રાત દિવસ રહે રડવડતો, દામ વામ અરથે આથડતો ।।૧૩।।

જેમ હડકાયું શ્વાન દિયે દોટું, તેમ રઝળે કરવા કામ ખોટું ।

જેમ આથડે ઓખરિયું ઢોર, તેમ આથડે દૈવનો ચોર ।।૧૪।।

ભાંડ ભવાઇ પાતર્યો જોવા, થાય તૈયાર ત્યાં ધન ખોવા ।

હોકા ભાંગ્ય ગાંજા ને અફીણ, થયો બંધાણી બુદ્ધિનો હીણ ।।૧૫।।

હરિજન સાથે નહિ હિત, ચોરી અવેરીમાં ચોટ્યું ચિત્ત ।

ફાટી નજરે ફરતો ફરે, પગ પાપ મારગમાં ભરે ।।૧૬।।

ચાલે ઠાઉકો થઇ ઠીકાઠીક, જેને નથી બગડ્યાની બીક ।

લોકમાંઇ કાંઇક ગણાણો, મૂરખ મનુષ્યમાંય મનાણો ।।૧૭।।

લ ઇ લ ા ે ક ક ુ ટ ુ ં બ ન ા ે ભ ા ર , ક ર ે પ ા પ ન ક ર ે િ વ ચ ા ર । અઘ મગનો થયો અધ્યારું, જાણે પાપની રીતિ હજારૂં ।।૧૮।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

દ ં ભ પ ા ખ ં ડ મ ા ં ન ર પ ુ ર ા ે , સ વ ેર્ ક મર્ િ વ ક મર્ મ ા ં શ ૂ ર ા ે । કરે કર્મ ન જુવે તપાશી, શિખ્યો ઠગ ઠગાઇ ને હાંશી ।।૧૯।।

નિત્ય પાપ કરે નર નવાં, રાચ્યો આપને સુખ પોખવા ।

એમ કરતાં તે મળી છે નારી, ત્યારે સર્વેને મેલ્યાં વિસારી ।।૨૦।।

કેનાં મા-બાપ ભગિની ભાઇ, નહિ સુંદરી સમ સુખદાઇ ।

કેનો કાકો મામો માસી ફોઇ, થયાં વેરી નારીમુખ જોઇ ।।૨૧।।

કેનું કુળ કુટુંબ ગોત્ર ગામ, મળી નારી સૌ થયાં નકામ ।

રાત દિવસ રચ્યો રામારંગે, ગયું જોબન જુવતિ સંગે ।।૨૨।।

ધ ર ે િ ન ત્ ય ન ા ર ી ન ુ ં ત ે ધ્ ય ા ન , જ ે મ ક ર ક ે સ ર ા ય શ્વ ા ન ।

નખશિખા ચિંતવે છે નારી, પામ્યો ભામા ઉપાસના ભારી ।।૨૩।।

એશું હળી મળી રહ્યો હેવાન, લાગ્યું તરુણી સંઘાથે તાન ।

અરસ પરસ રહે એકમેક, ગયો ઉપરથી ઉઠી વિવેક ।।૨૪।।

ન ર ન ા ર ી ક ર ે અ ે મ િ ક્ર ડ ા , જ ે મ ક ક ેર્ ક ા ગ થ્ ા ા ય ભ ે ળ ા । કરે મોજ મલકાય વળી, જેમ વિષ્ટા ગિંગાને તે મળી ।।૨૫।।

રાત દિવસ રામારંગે રાચ્યો, જેમ માદળે મહિષો માચ્યો ।

કરે અંગના કાજે કુકર્મ, લોપી વેદવિધિના તે ધર્મ ।।૨૬।।

જાણે કેમ રાજી રહે રમણી, રાખે સૌથી તે બરદાશ બમણી ।

હાજી હાજી કરે જોડીહાથ, વર્તે વનિતા આગે અનાથ ।।૨૭।।

ર ા જી દ ે ખ ે ર મ ણ ી ન ુ ં મ ુ ખ , ત્ ય ા ર ે વ ત ેર્ શ ા ં િ ત ન ે સ ુ ખ । એને અર્થે કરે કંઇ કર્મ, તેમાં ન જુવે ધર્મ અધર્મ ।।૨૮।।

અ ા પ સ્ વ ા ર થ્ ા સ ર ે લ ગ ા ર , ત ે મ ા ં પ ર ન ે પ ી ડ ે અ પ ા ર ।

કરે પાપ ન જુવે વિચારી, એમ ગયો તે જોબન હારી ।।૨૯।।

એમ કરતાં અર્ભકાં આવ્યાં, મંદ મૂરખને મન ભાવ્યાં ।

બાંધી બાળ સંગે નર પ્રીતિ, એહ કારણે કરે અનીતિ ।।૩૦।।

લાગે પ્રાણ થકી અતિ પ્યારાં, નર ન મેલે નિમિષ ન્યારાં ।

બોલે તોતળું તેહની સાથે, તેડે ભિડે ને ચડાવે માથે ।।૩૧।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

એમ કરતાં સુખી દુઃખી થાયે, ત્યારે ભુવાને પુછવા જાયે ।

ભુવો કહે વળગીછે ભૂતડી, આપું આખ્યા તું રાખ્ય આખડી ।।૩૨।

ખાજ્યે ખપ્પરમાં ઉભો અન્ન, તો નથી તારા સુતને વિઘન ।

માની મૂરખે સાબિત કીધું, મેલી થાળી ને ઠીકરૂં લીધું ।।૩૩।।

વણ ગુને ગુનેગાર થયો, ખાવા ટાણે પણ ઉભો રહ્યો ।

એવો બહુ થાય છે બેહાલ, તોય મનમાં માને નિહાલ ।।૩૪।।

ઝ ા ઝ ી જ ત ન ે જા ળ વ ે બ ા ળ , પ ળ ે પ ળ ે ક ર ે પ્ર િ ત પ ા ળ ।

ન મેલે નજરથકી ન્યારાં, લાગે પ્રાણ થકી અતિ પ્યારાં ।।૩૫।।

અર્ધ ઘડી જો અળગાં જાય, કરે કલ્પના બહુ મનમાંય ।

નાનાં બાળને બહુ વિઘન, તેની કરવી જોઇએ જતન ।।૩૬।।

એમ નરનારી કરે વાત, થયો મોટો માંડ્યો ઉતપાત ।

ફોડે ગોળા ને ભાંગેછે ઘડા, સામો રહી મારે છાતિમાં દડા ।।૩૭।।

કરે નિત્ય નવી અતિ આળ્યો, વળી ઘણી ઘણી દિયે ગાળ્યો ।

તેતો સરવે સાંખીને રહે, પણ એનો અભાવ ન લહે ।।૩૮।।

તાણે મૂછ ને પાડે પાઘડી, તોય માને મને ધન્ય ઘડી ।

કરે સનો જેજે સુણે દેખે, મળ્યા અમળ્યાનું નવ પેખે ।।૩૯।।

અ ે મ સ ા ર ા ે િ દ ક ર ે સ ં ત ા પ , ત ા ે ય ર ા ખ ે હ ે ત મ ા ઇ બ ા પ । એવાં થયાં પાંચ છો છોકરાં, વીત્યા જનમનાં વેરી તે ખરાં ।।૪૦।।

પાળી પોષીને તે પરણાવે, એમ કરતાં બુઢાપણ આવે ।

બુઢાપણમાં બગડી વાત, થયાં નેણ વેણ ક્ષીણ ગાત ।।૪૧।।

ખ શ ી ડ ગ ળ ી ન ે થ્ ા ય ા ં ડ ુ લ , ત ા ે ય ન મ ે લ ે મ ન થ્ ા ી ફ ુ લ । જાણે મારૂં કહ્યું માને સહુ, એવો દલમાં ડોડછે બહુ ।।૪૨।।

ન મ ા ન ે ઘ ર પ ર ન ા ં ર િ ત , ત ા ે ય હ િ ર ન ભ જ ે ક ુ મ િ ત । જાણે આપું શિખામણ સાર, ચાલે એના ઘરનો વ્યવહાર ।।૪૩।।

સર્વે અંગ તો શિથિલ થયાં, કરવા જેવાં તો કોઇ ન રહ્યાં ।

ત્યારે વાધી લવરી લોલતાં, લવલવ કરેછે બોલતાં ।।૪૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

આ જો અલોધ સરખું છૈયું, તેતો મારૂં માને નહિ કૈયું ।

દૈયે નહિ ભિક્ષુકને દાણો, એતો સર્વે ધુતારા છે જાણો ।।૪૫।।

કો’ને ધર્મ કીધે તે શું હોઇ, સુખ દુઃખ આવ્યું કોણ જોઇ ।

જાણો જુઠું છે પુણ્ય ને પાપ, સર્વે જાણો વાણીનો વિલાપ ।।૪૬।।

આ જો ગાયનો ગોધો સમારો, તો થાય બળધિયો સારો ।

દુઃખ દિયે ઉંદરડા દાડી, કહીયે કેટલું પાળો બિલાડી ।।૪૭।।

ખાટ ગોદડે ચાંચડ ખાય, મારો માંકડ તો સુખ થાય ।

જુવા બગાં ને જુ જે કે’વાય, તેને મારતાં પાપ ન થાય ।।૪૮।।

જન્મ ધરી કર્યું પોતે જેહ, પાપી આપે શિખામણ એહ ।

નિત્ય શિખવે પાપની વાત, આપે કરે કરાવે છે ઘાત ।।૪૯।।

પણ ન જોયું મને વિચારી, અંતે શી ગતિ થાશે મારી ।

એમ ખોઇ ખુની અવતાર, જાવા તૈયાર થયો જમદ્વાર ।।૫૦।।

જે જે ભેળું લીધું એણે ભાતું, તેતે મુખે કહ્યું નથી જાતું ।

એવા પાપી સુખ ક્યાંથી લહે, સત્ય નિષ્કુલાનંદ એમ કહે ।।૫૧।।

કડવું ।।૩।।

પૂર્વછાયો- પ્રભુવિમુખ જે પાપીઓ, પામે પરલોકમાં દુઃખ ।

કૃતઘ્ની જે કુબુદ્ધિ, તેને ક્યાંયે ન હોયે સુખ ।।૧।।

પ ર લ ા ે ક ે પ ી ડ ા પ ા મ શ ે , અ ા લ ા ે ક ે દ ુ : ખ અ પ ા ર ।

સુખ શાંતિ ક્યાંથી લહે,એવા પાપના કરનાર ।।૨।।

બ ા ળ જા ે બ ન વ ૃ દ્ધ મ ા ં ય ે , ક ય ાર્ ં ક મર્ અ પ ા ર ।

માન ઘટ્યું મમતા વધી,પછી સૌએ કર્યો તિરસ્કાર ।।૩।।

હ ે ત ુ જ ે ન ે જા ણ ત ા ે , ર ા ખ ત ા ે અ િ ત ઘ ણ ુ ં હ ે ત ।

તેજ લાગ્યાં તિરસ્કારવા, કહે પરો રહે પાપી પ્રેત ।।૪।।

ધોળ- બાળ ત્રિયા બીજાં બહુ મળી, વચન કહે કરી રોસાજી ।

અમે અમારૂં ઉકેલશું, બેશીરે’ને દુર્મતિ ડોસાજી ।।૫।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

લવલવ કરતાં લાજ ન આવે, કહી કહીને શું કહીયેજી ।

બોલતાં બંધ ન બેસે તારે, જીહ્વા ઝાલીને રહિયેજી ।।૬।।

ઊં ન ુ ં ટ ા ઢ ુ ં હ ા જ ર હ શ ે , અ ે વ ુ ં અ ન્ન્ ા અ ા ણ ી દ ે શ ુ ં જી । ટંક ટાણાની ટેવ નહિ રહે, જ્યારે નવરાં થાશુંજી ।।૭।।

ત ુ ં જ ે વ ા ં ન ક ા મ ા ં ન થ્ ા ી , અ મ ા ર ે છ ે ક ા મ જી ।

ન થાવાનાં નખરાં મુકી, બેશી રહે એક ઠામજી ।।૮।।

ન બ ા ે લ્ ય ા ન ુ ં બ ા ે લ છ બ ૂ ઢ ા , જી હ્વ ા મ ુ ક ી છ ુ ટ ી જી ।

બા’રની બુંદાણી આંખ્યો, હૈયાની પણ ફુટીજી ।।૯।।

સ મ ઝ ય ા િ વ ન ા શ ા ન ે મ ા ટ ે , લ વ ર ી ક ર છ લ ા ં બ ી જી ।

મેલ્ય મનસુબો મહાસુખ લેવા, કરી કમાણી આવીજી ।।૧૦।।

ત ા ર ા ં ક તર્ વ્ ય ન િ ડ ય ા ં ત ુ ં ન ે , દ ે મ ા ં ક ે ન ે દ ા ે ષ્ ા જી । ભાવે કરીને ભોગવ્ય હવે, મેલી મન અપસોષજી ।।૧૧।

ખ ા ધ ા ટ ા ણ ે ખ ા ં ચ્ ય ા ે ક ા ઢ ી , ખ ા રૂ ં મ ા ે ળ ુ ં ક હ ે ત ા ે જી । એતો દિન વીતી ગયા આગે, પળમાં રિસાઈ રહેતોજી ।।૧૨।।

એવાં વચન શ્રવણે સુણતાં, ચિત્તમાં લાગ્યો ચટકોજી ।

લઇ કર લાઠી ચૌટે ચાલ્યો, બાંધી ફાટો પટકોજી ।।૧૩।।

પો’ર બેપો’ર ત્યાં બેસી રહ્યો, પણ કેણે ન પૂછી પેરજી ।

લાગી ભૂખ ને પ્યાસે પીડ્યો, અણતેડ્યો આવ્યો ઘેરજી ।।૧૪।।

અ ા ે િ શ ય ા ળ ા ે અ ા ં ગ િ ણ ય ે ઉ ભ ા ે , ટ ા ં પ ા ટ ૈ ય ા ં ક ર વ ા જી । કાલાવાલા ક્રોડ કરે પણ, ઘરમાં ન દિયે ગરવાજી ।।૧૫।।

અ ા ે સ િ ર ય ે ઉ ભ ા ે અ ન્ન્ ા િ વ ન ા , ક ં પ ે થ્ ા ર થ્ ા ર ક ા ય ા જી । છોરૂં સહુ છણકાવા લાગ્યાં, ન જાુવે સામું જાયાજી ।।૧૬।।

પ છ ી ક હ ે ઘ ડ ી બ ે પ છ ી , અ ા પ ા ે અ ે ન ે અ ન્ન્ ા જી ।

આજ પછી એ આવું વળી, ન કરે કોઇ દનજી ।।૧૭।।

અ ા દ ર િ વ ન ા અ ા પ્ ય ુ ં ખ ા વ ા , અ ન્ન્ ા અ િ ત ઉ ત ર ે લ જી ।

માંખી મચ્છર માંહે પડ્યાં’તાં, હતું વણ ઢાંકેલજી ।।૧૮।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

શ્વ ા ન ન ી પ ે ઠ ે સ્ વ ા દ જ મ ુ ક ી , ખ ા ધ ુ ં દ ી ધ ુ ં જ ે વ ુ ં અ ન્ન્ ા જી । હુવા હાલ હવાલ જ એવા, તોય ન વિચાર્યું મનજી ।।૧૯।।

ક ા ં ય ન ચ ા લ ે સ ુ ખ ડ ા ં સ ા લ ે , મ ા ે યર્ ન ા ં મ ન મ ા ં ઈ જી । ખટ રસ ભોજન ખાવા ભાવે, કહ્યું ન જાયે કાંઇજી ।।૨૦।।

ન ય ણ ે ન સ ુ જ ે થ્ ા ર થ્ ા ર ધ ્ર ુ જ ે , અ ં ગ ન ી શ ા ે ભ ા સ ુ ક ી જી । દંત ગયા તનત્વચા લટકી, કેશે કાળપ્ય મુકીજી ।।૨૧।।

ચ લ ણ ચ ુ ક્ ય ુ ં મ ા ન ન મ ુ ક્ ય ુ ં , થ્ ા ઇ જ ર જ ર ી ક ા ય ા જી ।

હરિ ન ભજ્યો મોહ ન તજ્યો, મનમાં ઇચ્છયો માયાજી ।।૨૨।।

અ ં ત ર બ ળ ે ભ ા ે ગ ન મ ળ ે , મ ન ે ક લ્ પ ન ા થ્ ા ા ય જી ।

ઇછ્‌યું ન આવે મુખે ન ભાવે, ખાટ્યે સૂતો ખાયજી ।।૨૩।।

મળ મૂત્ર માંય તેે લોટે, ભુંડી ગંધ્ય ઉઠે જ્યાં ભારીજી ।

તેને અભાવે અળગાં રહી, અન્ન આપે નર નારીજી ।।૨૪।।

પ ા સ ુ ં ન ફ ર ે પ્ ય ા સ ે મ ર ે , ક ા ે ઇ ન િ લ ય ે સ ા ર જી ।

લોક સગામાં લજ્જા ખોવા, પાપી કરે પોકારજી ।।૨૫।।

જા ે જ્ ય ા ે ર ે મ ા ર ી અ ા સ મ ા મ ા ં , ક ા ે ઇ ન ક ર ે સ ે વ ા જી । તરશ્યો ભૂખ્યો હું તલપું છું, નાવે ખબર લેવાજી ।।૨૬।।

સ હ ુ મ ળ ી સ મ ઝ ા વ ી ક હ ા ે ન ે , ક ર ે ચ ા ક ર ી મ ા ર ી જી ।

નહિતો મરીશ કુવે પડીને, જાશે લાજ તમારીજી ।।૨૭।।

અ ે મ ક ર ી ન ે ઉ ચ્ ચ ે સ ા દ ે , બ ા ે લ્ ય ા ે બ ર ક ી બ હ ુ જી ।

નર નારી જે નાનાં મોટાં, આવ્યાં સુણી સહુજી ।।૨૮।।

ઘ ર ન ા ં ક હ ે અ ક ા ર ા ં ક ર વ ા , પ ા ે ક ા ર ે છ ે પ ા પ ી જી ।

સંબંધી સૌ સામટાં મળી, કહેછે ઠપકો આપીજી ।।૨૯।।

મળ્યાં પાપ અમારાં મોટાં, જે તારો અંત ન આવેજી ।

શું ભાખ્યું છે ભૂંડા તારૂં, કાંરે કુળ લજાવેજી ।।૩૦।।

શ ુ ં ક હ ી અ ે સ મ ઝ ા િ વ ય ે ત ુ ં ન ે , બ ા ે લ છ ક ા ળ ા ે ક ે ’ ર જી । દાટ્યો રહેને દુર્મતિ ડોસા, લાગછ કડવો ઝેરજી ।।૩૧।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

લ ા જ્ ય ુ ં ઘ ર લ ા ખ ે ણ ુ ં અ મ ા રૂ ં , ક ય ાર્ ં હ ા ં સ ુ ન ે હ ે ર ા ણ જી । ખપવાળાં ખપ્યાં છે સર્વે, તારા ન ગયા પ્રાણજી ।।૩૨।।

જ ે ન ા ે ખ પ ઇ ય ા ં પ ણ ન થ્ ા ી , ત ે ન ા ે ત્ ય ા ં પ ણ ન થ્ ા ી જી ।

માગ્યાં મોત મહાપાપીને, કહોને આવે ક્યાંથીજી ।।૩૩।।

સ હ ુ જા ણ ે જ ે સ ે વ ા ત ા ર ી , ન િ હ ક ર ત ા ં હ ા ે ય ક ા ે ઇ જી । એમ અમને અકારાં કીધાં, વણઠેલ તેં વગોઇજી ।।૩૪।।

મરજ્યે મરજ્યે મરજ્યે મૂરખ, એવી આશિષ દીધીજી ।

શા સુખસારૂં જીવછ પાપી, લાજ અમારી લીધીજી ।।૩૫।।

અ ે મ ક હ ી ન ે ઉ ભ ા ં અ ા ગ ે , પ્ ય ા સ ભ ુ ખ ન ુ ં ન પ ુ છ ે જી ।

એવું કહ્યું ન જાયે સહ્યું, કહ્યું સુખદુઃખનું તારે શું છેજી ।।૩૬।।

અ ે મ ક હ ી ન ે સ ં બ ં ધ ી સ વ ેર્ , ઉ ઠ ી ચ ા લ્ ય ા ં અ ળ ગ ા ં જી ।

સર્વે દુઃખ સજીને આવ્યાં, વળતાં તેને વળગ્યાંજી ।।૩૭।।

અ ા િ ધ વ્ ય ા િ ધ ન ે અ ં ગ ક ે ડ ્ય ે , ક હ ી ન જા ય ક ે ણ ે જી ।

બાળ જોબન વૃદ્ધપણામાં, સહુ કોઇ પીડાય તેણેજી ।।૩૮।।

ન ખ વ ે ઢ ા ે ન ે ન ય ુ ં પ ા ક્ ય ુ ં , ઝ ા મ ર ા ે ન ે ઝ ા ં મ ર ી જી ।

સાતપડો ને સોજા ચઢિયા, તેની પીડા ખરીજી ।।૩૯।।

ર ા ફ ા ે ર ીં ગ ણ ી ર ત વ ા , પ ત્ ય ે પ ગ ખ વ ા ણ ા જી ।

કીડિયારાં પડિયાં ઘારાં, ઝાઝું રૂવે ઝલાંણાજી ।।૪૦।।

ક ા ળ ા ે ક ા ે ઢ ક ળ ત ર બ ળ ત ર , ત ે ણ ે ત ન ત વ ા ય જી ।

જાંનવે બે ગોઠણ ઝાલ્યા, શલ્ય ન સહેવાયજી ।।૪૧।।

સ ા થ્ ા ળ મ ૂ ળ ે વ ે ળ્ ય વ સ મ ી , ફ ા ે ડ ા ન ી ફ જ ે ત ી જી ।

સારણ્ય ને સંઘરણી વાયુ, ભગંદર ભૂંડો અતિજી ।।૪૨।।

ત ણ િ ખ ય ા ે પ્ર મ ે હ પ ા ણ વ ી , મ ૂ ત્ર્ ા ક ચ્ છ બ ં ધ ા ણ ી જી ।

અર્શ રોગને હાથ ધોણે, પામે પીડા પ્રાણીજી ।।૪૩।।

બ દ બ ર ા ે લ્ ય બ ા ં બ લ ા ઇ , પ ી ડ ્ય ે પ ે ટ ે પ ા ં સ ા શ ૂ ળ જી ।

મુઝારો ને મૂર્છિ માનો, મોટા દુઃખનાં મૂળજી ।।૪૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

ન ળ મ ળ પ ડ ી પ ે ચ ુ ટ ી , ચ ા લ ી પ ે ટ ે ચ ુ ં ક જી ।

આંતર ગાંઠ્ય ને ચડિયો ગોળો, ગળે ન ઉતરે થુંકજી ।।૪૫।।

ગ ડ ગ ુ ં બ ડ ન ે ગ ળ ે ગ ા ં ઠ ્ય ા ે , ભ ર િં ન ગ ળ ભ ા ર ી જી ।

હેડકી ને હિક હૈયામાં, મુક્યો અરધો મારીજી ।।૪૬।।

ઉ ધ ર સ ન ે ઉ બ ક ા ે અ ા વ ે , ખ ા લ ી અ ા વ ે ખ ા ં સ ી જી ।

મુખ પાક્યું ને જીભ ઝલાણી, ન થયો તોય ઉદાસીજી ।।૪૭।।

અ ં ત ર ગ ળ ન ે અ ં ડ ન ી વ ૃ િ દ્ધ , અ ા ે ક ા ર ી બ હ ુ અ ા વ ે જી ।

ક્ષયરોગ ને ખીલી ખટકે, કોશ રસોળી કા’વેજી ।।૪૮।।

હ લ દ ર વ ા ે ન ે હ ૈ ય ા હ ા ે ડ ી , મ સ ખ ી લ મ ુ ટ ા ણ ા ે જી ।

કંઠમાળ ને ક્રણક કાને, જોરકફ જડાણોજી ।।૪૯।।

ધ ા ત ુ જા ય ે ધ ન ુ ર ધ ા ય ે , થ્ ા ા ય ે સ ન ે પ ા ત જી ।

ઉદર ક્ષુદ્ર રોગ અતિશે, નથી કે’વાતી વાતજી ।।૫૦।।

ન ા ક ે ન ા ક સ ુ ર અ િ ત , અ ા ં ખ્ ય ે ર ા ે ગ અ પ ા ર જી ।

મસ્તક રોગ કહું કપાળી, કે’તાં ના’વે પારજી ।।૫૧।।

ક ુ ં ભ ક મ ળ ા ે ક મ ળ ી ક િ હ ય ે , ક ા ળ જ્ ય મ ા ં ય થ્ ા ી ક ા પ ે જી । ઔદરી ને ઊર્ધ્વ વાયુ, આફરો દુઃખ આપેજી ।।૫૨।।

ઘ ે ન ઘ ણ ુ ં ન ે ઘ ા ં ટ ા ે ઝ ા લ્ ય ા ે , ચ ા લ્ ય ા ે શ્વ ા સ અ ે ક દ ં ડ જી । છાતીબંધ છપે નહિ છાનું, પીડા તેની પંડજી ।।૫૩।।

દ ં મ ભ ્ર મ વ ા િ વ સ ફ ટ ક , ઉ દ ર દ ર દ ઉ પ દ ં શ જી ।

મેદ ને પરમેદ પેખો, કરે કાયાનો ભં્રશજી ।।૫૪।।

ર ક્ ત િ પ ત ન ે ર જા ે અ ા િ દ , ત ા વ ત ા વ લ ી અ ા વ ે જી ।

તાવ તરિયો એકાંતરિયો, ટાઢો ઉનો કા’વેજી ।।૫૫।।

પ ડ ી પ ડ ી ન ે પ ા સ ા ં સ િ ડ ય ા ં , પ િ ડ ય ા ં ભ ા ઠ ા ં ભ ા ર ે જી । તૃષ્ણા મદનો રોગ ન મટ્યો, પીયો થયો ત્યારેજી ।।૫૬।।

ગ ં ડ ુ શ ન ે ગ ા લ પ ચ ા ે ળ ા ં , ક ા ન ે પ ડ ી ધ ા ક જી ।

મંદાગ્નિ અજીરણ માનો, આષ્ટીલ અપાકજી ।।૫૭।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

વાળા દુઃખના માળા કહિયે, ચળીયો કૃમિનો ગોટોજી ।

આમવાયુ ગ્લાનિ ગણિયે, મરડો રોગ મોટોજી ।।૫૮।।

અ ે વ ા ં અ ે વ ા ં દ ુ : ખ અ ન ં ત , પ િ ડ ય ા ં ક ા ય ા ક ે ડ ે જી ।

બાળ જોબન વૃદ્ધપણામાં, પૂરણ પાપે પીડેજી ।।૫૯।।

ક ા ય ા ક ં પ ે અ િ ત અ જ ં પ ે , અ ા ં ખ્ ય ા ે પ િ ડ ય ા ે ઉં ડ ી જી ।

નાક નમ્યું કટિકોટ નમી, થઇ છે ગતિ ભૂંડીજી ।।૬૦।।

ઝ ા મ ર વ ા ય ે ઝ ા ં ઝ ા ં મ ુ ઝ ા ં , અ ા ં ખ્ ય ા ે અ ા વ ી ઉં ઠ ી જી । ફૂલડિયા ને ક્રુવા પડિયા, બેઉ આંખ્યો ફૂટીજી ।।૬૧।।

ઉ પ ર સ સ ે શ્વ ા સ ન બ ે સ ે , હ ૈ ય ે હ ા લ ક લ ા ે લ જી ।

એ આદિ દૈ અનંત વ્યાધિ, આવી છે અતોલજી ।।૬૨।।

અ ે મ અ ા િ ધ વ્ ય ા િ ધ અ ા વ્ ય ા ં , પ ે ર ે પ ે ર ે પ ી ડ ે જી ।

કહી ન શકે રહી ન શકે, કરકું ખાધું કીડેજી ।।૬૩।।

શ્વ ા સ ન મ ા ય ે સ ુ ખ ન થ્ ા ા ય ે , ક ં ઠ ે ચ િ ઢ ય ુ ં જા ળ ુ ં જી ।

અન્ન ને પાણી તજીયું ત્યારે, ભૂખે ઉઠે ઝાળુંજી ।।૬૪।।

સ ુ ખ સ વ ેર્ સ્ વ પ્ન સ મ થ્ ા ય ા ં , દ ુ : ખ દ િ ર ય ા ઉ લ ટ ્ય ા જી ।

પાપી પર હવે શું થાશે, જે શ્રીહરિ ન રટ્યાજી ।।૬૫।।

અ ે અ ા િ દ અ ન ં ત વ્ ય ા િ ધ મ ા ં , પ ા પ ી બ હ ુ પ ી ડ ા ય જી ।

કહે નિષ્કુલાનંદ નિશ્ચય, જમ વિન જીવ ન જાયજી ।।૬૬।।

કડવું ।।૪।।

પૂર્વછાયો- શું થાશે હવે સાંભળો, જે આવ્યાં દુઃખ અનેક ।

અતિ વેદના વીંછી તણી, રોમરોમમાંય વિશેક ।।૧।।

ત્ ય ા ર ે જ ા ણ થ્ ા ય ુ ં જ મ ર ા જ ન ે , િં ક ક ર મ ે લ્ ય ા ક ા ે ટ ।

એહ પાપીને પીડતાં, લઇ આવજ્યો ચડિ ચોટ ।।૨।।

ચોપાઇ- આપી આગન્યા થયું નગારૂં, હુવો હુકમ ઉઠ્યા હજારૂં ।

સંગ લઇ નેજા ને નિશાણ, જમરૂપે દીસે છેજોરાણ ।।૩।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

અતિ કાળા ને બોલે છેક્રુર, નયણાં દીસે ઉગમતો સૂર ।

ક્રોધે ભર્યાં અતિ વિકરાળ, તેતો સજ્જ થયા તતકાળ ।।૪।।

ધ ય ાર્ ં રૂ પ ભ ય ા ન ક ભ ૂ ં ડ ા ં , અ િ ત લ ા ે ચ ન દ ી સ ે છ ે ઉં ડ ા ં । દિસે નાસિકા ગુફા સમાન, કીધા કપાટ જેવડા કાન ।।૫।।

ફાડયાં મુખ ફાટ્યો જાણ્યું આભ, તેમાં રાક્ષસિયો બેબે વાંભ ।

અતિ દાંત દેખાડે છે બા’ર, જોતાં જીભા ન પામીયે પાર ।।૬।।

તિખા ત્રાક સરિખા છે રોમ, પિંડ પહોત્યાં પૃથ્વી ને વ્યોમ ।

પિંડ એવાં ને અવળાં મુખ, જેને જોતાંમાં જાયછે સુખ ।।૭।।

ખ ર મ ુ ખ ા ન ે લ ા ં બ ા છ ે ક ા ન , અ િ ત િ દ સ ે છ ે વ ર વ ે વ ા ન । કેનાં શ્વાનના જેવાં છે મુખ, ધર્યાં તન દેવા અતિ દુઃખ ।।૮।।

ક ે ન ા પ ગ ફ ણ ા બ ે છ ે પ ુ ઠ ્ય ે , ગ જ ેર્ મ ે ઘ સ મ ઘ ા ે ર ઉ ઠ ે । કેનાં સિંહના સરિખાંછે મુખ, વ્યાઘ્રમુખા દિયે અતિ દુઃખ ।।૯।।

ગજમુખા ઘોડામુખા ઘણા, નોળ નારમુખા બિયામણા ।

ઝરખ ઝુડ મઘર મુખા કહિયે, ભુખ્યા લોહિ ને માંસના લહિયે ।।૧૦।।

પાડામુખા વિઝુમુખા વળી, અજગરમુખા લિયેછે ગળી ।

ગર્જ્ય ગીધમુખા કૈં ગણાય, કવા ઘુડમુખા છે ઘણાય ।।૧૧।।

શિયાળ વ્યાળમુખા ભુખ્યા ભમે, તેતો પાપી પ્રાણી દેખી દમે ।

મેંશ શાહી થકી પણ કાળા, સૂળ સરખા છે અંગે મવાળા ।।૧૨।।

રાતા દાંત રૂધિરના ભર્યા, બહુ લાંબા તે બા’ર નિસર્યા ।

કેશ અવળા ને દિસે છે કાળા, ફેરે લોચન નિસરે જવાળા ।।૧૩।।

ક ૈં ક િ શ શ િ વ ન ા ધ ડ ધ ્ર ા ે ડ ે , ક ૈં ક િ ન જ દ ં ત ે ત ન ત ા ે ડ ે । કેનાં મુખ સુવરના જેવાં, કર્યાં રૂપ ભયાનક એવાં ।।૧૪।।

ક ા ે ય ગ ા ેં દ મ ા ં મ ુ ખ દ ે ખ ા ડ ે , ધ ય ાર્ ં ત ન અ ે ક િ વ શ ત ા ડ ે । કર આંગળી લાંબા છે નોર, દિસે વજ્રથકી તે કઠોર ।।૧૫।।

તેણે ટાળે છે પાપીનું ઠામ, નથી પડતું આયુધનું કામ ।

ઢિકા ધોલ ને ગડદા ઘણા, મેલે માથામાં ન રહે મણા ।।૧૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

હાથે લીધાં છે બહુ હથિયાર, થયા કિંકર સહુ તૈયાર ।

લઇ ગદા ગૃજય સ્વેલ સાથે, મુદગર મોગરીયો છે હાથે ।।૧૭।।

પ ર શ ુ િ ત્ર્ ા શ ૂ ળ ન ે ત ર વ ા ર , ધ ય ાર્ ધ ા ે ક ા છ ર ા ન ે ક ટ ા ર ।

ચક્ર ચિપિયા ચાપ ને બાણ, કાળપાશ ને કુંતડા પાણ ।।૧૮।।

સુયા સાંણસિયો સૂડી સુળી, એથી પીડા થાયે અણતુળી ।

મોટા ભાલા હાથમાં મૂશળ, પેખી પાપી ન માને કુશળ ।।૧૯।।

આરા પનારા હાથે હથોડા, મારે માથામાં લોઢાના જોડા ।

એવાં આયુધ અતિ અપાર, તેનો કે‘તાં તે ન આવે પાર ।।૨૦।।

ચ ડ ય ા ઉં ટ ખ ર ે ત ે અ પ ા ર , થ્ ા ય ા ઝ ર ખ પ ા ડ ે અ સ વ ા ર ।

રીંછ ભિંછ ભુંડણાં ને રોઝ, થઇ ત્યાર ચાલી જમફોજ ।।૨૧।।

ક ૈ ક ચ ડ ય ા ન ે ક ૈ ક પ ા ળ ા , ક ૈ ક બ ા ે િ ડ ય ા ક ૈ ક િં શ ગ ા ળ ા । કૈક પૌઢ પરવત જેવા, આવે પાપીને તેડવા એવા ।।૨૨।।

કૈક રૂઠા રિસાળા છે અંગે, કટ્ટા કાંણિયા ચાલ્યા છે સંગે ।

કાળિયો ને કૈ’યે દકાળિયો, અકાળિયો અચિરકાળિયોેે ।।૨૩।।

લ ટ પ િ ટ ય ા ે ન ે ઝ ટ પ િ ટ ય ા ે , અ ટ પ િ ટ ય ા ે ન ે ક ુ ટ પ િ ટ ય ા ે । બળબળતો ને કળકળતો, વળવળતો ને ગળગળતો ।।૨૪।।

હ ડ હ ડ ત ા ે ન ે ફ ડ ફ ડ ત ા ે , ક ડ ક ડ ત ા ે ન ે ભ ડ ભ ડ ત ા ે ।

એવાં જાણજ્યો જમનાં નામ, જેને મળે તેનું ટાળે ઠામ ।।૨૫।।

મ ર િ ડ ય ા ે ન ે ક ૈ ’ ય ે ઠ ર િ ડ ય ા ે , ઘ સ ર િ ડ ય ા ે ન ે ક ર િ ડ ય ા ે । કાણિયો ને કૈ’યે જોબાણિયો, તાણિયો ને વળી હેરાણિયો ।।૨૬।।

જટો જમ ને કટો જો કહિયે, ઝટો ને વળી ઝપટો લહિયે ।

ત્રાડિયો ફાડિયો તિખા ઘણા, રાડિયો હાડિયો બિયામણા ।।૨૭।।

દ ં િ ત ય ા ે અ ં િ ત ય ા ે બ ે અ ા ક ર ા , હ ં િ ત ય ા ે દ ુ મર્ િ ત ય ા ે ખ ર ા । ત્રાંશિયો ફાંશિયો તીખા આગ, માંસિયો કાંસિયો કાળા નાગ ।।૨૮।।

કહિયે કર્મિયો ને અધર્મિયો, વિકર્મિયો વળી કુકર્મિયો ।

ઝેરિયો વેરિયો નમે’રિયો, મહા કોપનો ભર્યો કેરિયો ।।૨૯।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

અ ે ક અ ડ બ ં ગ ા ે હ ુ ડ ધ ં ગ ા ે , ક િ હ ય ે ક ુ ઢ ં ગ ા ે ન ે િ શ ર ભ ં ગ ા ે । રોળિયો ને ડોળિયો રીસાળા, ત્રસુળિયો બોળિયો બે કાળા ।।૩૦।।

એવાં નામ જાણો જમતણાં, લખું કેટલાં છે અતિ ઘણાં ।

જેવાં નામ રૂપ પણ એવાં, તેનાં પ્રાક્રમ પણ જાણો તેવાં ।।૩૧।।

હોઠ લાંબા દાંત મુખબા’રા, પેટ જાણિયે પાટ પટારા ।

મોટા ગોળા જેવડા બે ગાલ, ખરડયા રૂધિરે દિશે બેહાલ ।।૩૨।।

ફાટ્યાં મુખને ફરશિયો હાથે, ઘણા ઘુંચાણા મવાળા માથે ।

વાંકા કાંધ ને વસમા ઘણા, ભૂંડા ભયંકર બિયામણા ।।૩૩।।

અ ે વ ા ચ ા ૈ દ ક્ર ા ે ડ જ મ જ ે હ , થ્ ા ઇ ભ ે ળ ા િ ન ર દ ય ી ત ે હ ।

ચાલ્યા કિંકર સર્વે સજી, જેમ મેઘ આવે ઘોર ગરજી ।।૩૪।।

ધ ા ય ા િં ક ક ર ક ુ ટ ુ ં બ લ ઇ , જ ે મ ઉ લ ટ ે સ મ ુ દ્ર સ ઇ ।

કરે હોહો કતોહલ ભારી, જેમ ગરજે વારિધિએ વારી ।।૩૫।।

માર્ય માર્ય કરતા તે આવ્યા, સંગે સેન સઘળું તે લાવ્યા ।

એમ આવી ઘેર્યો પાપી પ્રાણી, મારો મારો કહે મુખ વાણી ।।૩૬।।

દ ઇ દ ં ડ ન ે ક ા ઢ જ્ ય ા ે બ ા ’ ર , ર ખ ે ક ર ત ા વ ે ળ્ ય લ ગ ા ર । રુંધી દ્વાર દિયો બહુ દુઃખ, પામે પીડા પ્રભુનો વિમુખ ।।૩૭।।

ત્યારે બેઠા આવી કાન દ્વારે, કીધું બંધ સુંણવાનું ત્યારે ।

કહેછે કાનમાં સહુ પોકારી, સગાં સંબંધી ને સુત નારી ।।૩૮।।

નાખી નોંધારાં અમને આજ, મૂવો કટાંણે કર્યું અકાજ ।

એમ કહેછે સુત નારી આવી, સાંત્યું સંઘર્યું જાજ્યે બતાવી ।।૩૯।।

પ ણ ક ય ા ં થ્ ા ી સ ુ ં ણ ે અ ે હ સ મ ે , ય મ દ ૂ ત દ ુ : ખ દ ઇ દ મ ે । વળી આંખ્યે બેઠા છે અપાર, ટાળી ઓળખાણ તેહ વાર ।।૪૦।।

ઝાલી જીહ્વા ન બોલાય વાણી, રોક્યો કંઠ ન ઉતરે પાણી ।

કીધાં બંધ દશે એમ દ્વાર, પછી દિયે છે દંડ અપાર ।।૪૧।।

ક ે ન ે ક દ ા ે ય ન ે ક ે ન ે ક ચ ા ર , ક ે ન ે ક અ ષ્ટ ક ે ન ે ક હ જા ર । અતિ પાપી હોય પાપવંત, તેને આવે તેડવા અનંત ।।૪૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

દિયે દંડ નાવે દિલ દયા, પામે દુઃખ ન જાય મુખ કહ્યાં ।

તોય ન કર્યો એમ વિચાર, જે મેં ખોયો એળ્યે અવતાર ।।૪૩।।

મુકી ન્યાય મેં કીધો અન્યાય, પીડયાં રાંકને વાંક વિનાય ।

સાચા સદ્‌ગુરુ સંત ન સેવ્યા, સેવ્યા તે નિસર્યા મુજજેવા ।।૪૪।।

જેના પંચ વિષયે હર્યા પ્રાણ, ધન ત્રિયા તણા જે વેચાણ ।

ફાંશિયા ને ફોગટિયા ફેલી, ચાલે ધર્મ મર્યાદાને મેલી ।।૪૫।।

તેને જાણ્યા મેં સદ્‌ગુરુ સંત, તેનું લાગ્યું આ પાપ અત્યંત ।

ભૂલ્યો ભોળાયે એને ભરોંસે, હવે સુખ થાવા સઇ આશે ।।૪૬।।

આજે કેણે કીધી નહિ સા’ય, તેની ખોટ્ય ન સમજ્યો કયાંય ।

હવે શિયો કરે એ ઉપાય, પુર આવ્યે ન પાળ બંધાય ।।૪૭।।

ખોટા ગુરુનાં ખાસડાં ખાઇ, ચાલ્યો જીવ જમપુરી માંઇ ।

સાચી વાત છે શાસ્ત્ર પુરાણે, ખોટી નહિ થાય અંતને ટાળે ।।૪૮।।

કહ્યું બાળ યુવા વૃદ્ધ આદે, પણ રહેશો માં એવે વાયદે ।

નથી મરણતણો નિરધાર, બાળ જોબન મરે અપાર ।।૪૯।।

સઉ પડયાં છે કાળને પાશ, ત્યારે વૃદ્ધનો શિયો વિશ્વાસ ।

આજ કાલ્યમાં જાવુંછે ઉઠી, ઇયાં રહ્યાની વાત છે જુઠી ।।૫૦।।

એક જન્મે ને એક મરેછે, એમ અહોનિશ કાળ કરેછે ।

નથી રહેતું કોઇ નિરધાર, ચાલ્યો જાય છે સહુ સંસાર ।।૫૧।।

ક ા ે ઇ ચ ે ત ી શ ક ા ે ત ા ે ચ ે ત વ ુ ં , સ ુ ં ણ ી શ્ર વ ણ ે સ ં ક ટ અ ે વ ુ ં ।

ચેતવું ચિત્તે ચાનક લાવી, હાંહાં કરતાં વાત નડે આવી ।।૫૨।।

જ મ અ ા વ ી ન ે ઝ ા લ શ ે ગ ળ ે , ત્ ય ા ર ે ક ા ે ણ ક ે ન ુ ં ત ે હ પ ળ ે । જેને માથે છે જમની ફોજ, તેને શિયાં સુખ સઇ મોંજ ।।૫૩।।

મોટાનું વેર માથેછે મોટું, હરિ ન ભજે ન થાય ખોટું ।

મટે વેર તો પામિયે સુખ, ફરી આવે નહિ એહ દુઃખ ।।૫૪।।

જ ે ણ ે ક ર ી જા ય જ મ સ ા થ્ ા ે , અ ે વ ુ ં ન ક ર ી અ ે િ ન જ હ ા થ્ ા ે । જેણે કરી મટે જમફંદ, કરીયે એવું કે’ નિષ્કુલાનંદ ।।૫૫।।કડવું ।।૫।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

પૂર્વછાયો- પછી પાપીજીવને, ઘેરી રહ્યા હતા ઘટમાંય ।

કાયામાંથી કાઢવા, કર્યો યમકિંકરે ઉપાય ।।૧।।

સ ઉં િં ક ક ર થ્ ા ઇ સ ા બ દ ા , વ ીં ટ ી વ ળ્ ય ા ત ે વ ા ર ।

ક્રોધ કરી કઠણ અતિ, દિયે મૂઢમતિને માર ।।૨।।

જા ે ઇ ભ ુ ં ડ ા ઇ જી વ ન ી , ન થ્ ા ી અ ા વ ત ી ય મ ન ે મ ે ’ ર ।

રૂંધ્યો ભૂંડી રીતશું, પીડવા બહુ પેર ।।૩।।

જ ન્ મ ધ ર ી જ ે જ ે ક ય ાર્ ં , પ ા પ ી જી વ ે જ ે પ ા પ ।

તેતે સંભારી સરવે, કર્યો યમદૂતે સંતાપ ।।૪।।

ધન્યાસરી - બાળ જોબનમાં જેજે કર્યાં’તાં, વૃદ્ધપણામાં વળીજી ।

કર્યાં કરાવ્યાં પાપ જે પોતે, તે આવ્યાં છે મળીજી ।।૫।।

સ ા ર ી ઉ ં મ ર મ ા ં સ ુ ખ ન ે અ થ્ ા ેર્ , ક મર્ િ વ ક મર્ જ ે ક ી ધ ુ ં જી ।

સર્વે મળીને અઘ તે આવ્યું, અંત્યે દુઃખ જ દીધુંજી ।।૬।।

ક ય ાર્ ં ક મર્ ક ા ળ ા ં ક ં ઇ , ક ુ ળ ક ુ ટ ુ ં બ ન ે ક ા જ ે જી ।

ભવ આખાની ભૂંડાઇ લીધી, લોકડિયાંની લાજેજી ।।૭।।

ક ઠ ણ વ ે ળ ા અ ે ક ા મ ન અ ા વ ી , પ ડ ી પ ા ે ત ા ન ે મ ા થ્ ા ે જી ।

પાપમાં પાંતી કેણે ન લીધી, જે કર્યાં’તાં નિજ હાથેજી ।।૮।।

બ ે ખ બ ર ન ે ખ બ ર ત ે ન ી , પ ડ ી ન િ હ લ ગ ા ર જી ।

ભુંડે હાલે ભોંયે સુવાર્યો, તોયે નાવ્યો વિચારજી ।।૯।।

ત્ ય ા ર પ છ ી જ ે પ ા સ ળ હ ત ા ં , જ મ ન ા ં જ ુ થ્ ા અ પ ા ર જી ।

સર્વે આવી અંગે વળગ્યાં, કે’તાં ન આવે પારજી ।।૧૦।।

ઘ ે ર ી લ ી ધ ા ે ઘ ા ં ઘ ા ે ક ી ધ ા ે , દ ી ધ ા ે બ હ ુ મ ા ર જી ।

અચાનક આવી વીંટયો, ગાફલ નર ગમારજી ।।૧૧।।

મ ા ર ા ે મ ા ર ા ે શ ુ ં િ વ ચ ા ર ા ે , ખ ૂ ન ી અ ા વ્ ય ા ે હ ા થ્ ા જી । દયા રખે આણો દલમાં, એમ બોલે જમસાથજી ।।૧૨।।

ક ઠ ણ વ ા ણ ી બ ા ે લ ે ત ા ણ ી , અ ા ણ ી વ ચ ન વ ા ં ક ા ં જી ।

કાનપડિયા થયા ઉજડિયા, ફુટી પડીયાં ફાંકાંજી ।।૧૩।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

ક ા ે ઇ ક ક્ર ુ ર બ ા ે લ ે મ ુ ખ થ્ ા ી , જા ણ્ ય ુ ં ગ જ ય ા ેર્ મ ે ઘ જી ।

પડી અંગ જાય ને થયું અંધારું, તાંણિ કરમાં તેગજી ।।૧૪।।

ક ૈ ક અ ા ં ખ્ ય દ ે ખ ા ડ ે અ ા વ ી , જ ે વ ી પ ડ ત ી િ વ જ જી ।

કરડે દાંત ને થાય કડાકા, તીખા લાગે તેજજી ।।૧૫।।

ક ા ઢ ી જી ભ દ ે ખ ા ડ ે ડ ર ા વ ે , સ ા મ ુ ં જા ે ય ુ ં ન જા ય જી ।

રોક્યાં દ્વાર દશે જમે જ્યારે, ભાગી કેમ જવાયજી ।।૧૬।।

અ ા ક ુ ળ વ્ ય ા ક ુ ળ થ્ ા ઇ અ ા ક ળ ા ે , િ દ ય ે અ ં ગ મ ા ં દ ા ે ટ ુ ં જી । જીયાં જુવે ત્યાં જમને દેખે, પામે મહાદુઃખ મોટુંજી ।।૧૭।।

ઘ ણ ે વ ા ઘ ે વ ા ન ર ઘ ે ય ા ેર્ , ક ર ે જ ે મ િ ક લ ક ા ર જી ।

હાકા-બાકા ચડયો હિલોળે, કરે બહુ પોકારજી ।।૧૮।।

દ ુ : ખ ન ા ે દ િ ર ય ા ે સ ભ ર ભ િ ર ય ા ે , પ ડ ્ય ા ે ત ે મ ા ં પ્ર ા ણ ી જી ।

પેટ ભરી જે પાપ કર્યાં’તાં, જમદુઃખ જુઠાં જાણીજી ।।૧૯।।

ત ે ત ા ે સ વ ેર્ સ ા ચ ુ ં થ્ ા ય ુ ં , ગ ય ુ ં સ ુ ખ સ મ ૂ ળ ુ ં જી ।

હાંહાં કરતાં જનમ હાર્યો, આવ્યું દુઃખ અણતોળ્યુંજી ।।૨૦।।

જ મ ન ે દ ૂ ત ે ઝ ા લ્ ય ા ે ગ ળ ે , ત ે ણ ે ડ ચ ક ા ં ભ ર ે જી ।

મે’ર ન આવે મારે ઘણું, કાઢો કાઢો કરેજી ।।૨૧।।

ર ગ મ ા ર ગ ર ા ે ક ી ત ે વ ા ર ે , બ ં ધ પ વ ન લ ઇ ક ી ધ ા ે જી ।

સૂક્ષમ રૂપ ધરી શોધીને, પળમાં પકડી લીધોજી ।।૨૨।।

મ ા ર ી મ ુ દ ગ ર ગ ા ઢ ા ગ ર જી , બ ા ં ધ્ ય ા ે બ ે ઉ હ ા થ્ ા ે જી ।

પાયે ઝંજિરા સાંકળ સારી, મારી લીધો સાથેજી ।।૨૩।।

મ ૂ ષ્ ા ા ે જ ે મ મ ા જાર્ ર ે ઝ ા લ્ ય ા ે , મ છ લ ી ઝ ા લ ી બ ક ે જી ।

તેતરને જેમ બાજે ઝાલ્યો, એમ ઝાલ્યો અચાનકેજી ।।૨૪।।

મ ન ા ે ર થ્ ા ર હ્ય્ ા ા મ ન મ ા ં , અ ધ ુ ર ા અ ા દ ર ી ય ા જી ।

જમને દૂતે લીધો જોરે, રહ્યા મનસુબા ધરીયાજી ।।૨૫।।

બ હ ુ બ ફ ા ે ય ા ે અ િ ત અ સ ા ે ય ા ે , ક ી ધ ા ે ભ ુ ં ડ ે હ ા લ ે જી । કાયામાંથી કાઢ્યા સારૂં, એવાં દુઃખ આલેજી ।।૨૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

પ ૂ ં ઠ ્ય દ્વ ા ર ે થ્ ા ી ક ા ઢ ય ા ે પ છ ી , અ ં ગ થ્ ા ી અ ળ ગ ા ે ક ી ધ ા ે જી । જીવ કાયા ને થયો જુવારો, મારી મો’રે લીધોજી ।।૨૭।।

જ ે મ દ ડ ે પ ડ ે બ હ ુ ડ ા ં ગ ુ , ચ ા ેં ક ે ચ ા ર ે ક ા ે ર જી ।

એમ મારતા મહાપાપીને, ચાલ્યા જમરા ઘોરજી ।।૨૮।।

જ મ પ ુ ર ી મ ા ં જ ઇ પ ા ે ’ ચ ા ડ ય ા ે , મ ા ન ા ે મ ૂ હ ૂ તર્ મ ા ં ઇ જી ।

પાપ પુણ્ય પુછી પ્રાણીનાં, વળતા લાવ્યા આંઇજી ।।૨૯।।

ક મર્ િ વ ક મર્ ક ય ાર્ ં જ ે સ ા રુ ં , ત ે ન ુ ં જા ે વ ા હ ે ત જી ।

દ્વાદશ દિન સુધી દેખવા, પાપી થયો પ્રેતજી ।।૩૦।।

પ્ર ે ત ન ા દ ે હ ન ે પ ા મ ી હ ર ા મ ી , દ ે ખ ે છ ે દ ુ મર્ િ ત જી ।

કમાણી તો કામ ન આવી, થઇછે ભુંડી ગતિજી ।।૩૧।।

ત્ ય ા ર પ છ ી જ ે ત ન પ ડ ય ુ ં ’ ત ુ ં , દ ી ઠ ુ ં ખ ા લ ી જા ે ત ા ં જી । કુટુંબ મળી કુતોહલ કીધો, રહે નહિ છાનાં રોતાંજી ।।૩૨।।

મ ા ત ત ા ત ભ ા ઇ ન ે ભ િ ગ ન ી , રુ વ ે સ ુ ત ન ે ન ા ર ી જી ।

ઉઠે દાઝય એને અંતરમાં, સ્વારથ આપ સંભારીજી ।।૩૩।।

ક ુ ળ ક ુ ટ ુ ં બ ક ુ ડ ુ ક ુ ડ ુ , રુ વ ે મ ા ન ે ન્ ય ા ’ લ જી ।

ઘર ખેતર શેઢા સીમે, મોટું મટ્યું સાલજી ।।૩૪।।

ઘ ર ન ી ન ા ર ી ઘ ર સ ં ભ ા ર ી , રુ વ ે અ ા ઠ ુ ં જા મ જી ।

ગોલાની પેઠે આ ઘરનું, કોણ કરશે કામજી ।।૩૫।।

સ ં સ ા ર ન ુ ં સ ુ ખ ડ ુ ં સ વર્ ે , જા ે ત ા ં ક ર ી ગ ય ા ે ઝ ે ર જી । ઓઢ્યા પેર્યાનું ઉતરિયું, કરીયે કઇ પેરજી ।।૩૬।।

લ ટ ત્ર્ ા ટ ત્ર્ ા ા ે િ ડ ક ં ક ણ ફ ા ે ડ ી , જા ે ડ ી અ ા જ િ વ ખ ં ડ ી જી । એવાતણ ઉતરિયું મારૂં, હું સુવાગણ્ય રંડીજી ।।૩૭।।

ભ ૂ પ ર લ ા ે ટ ે હ ૈ ય ુ ં ક ુ ટ ે , છ ૂ ટ ે ક ે શ ે ન ા ર ી જી ।

રહી ભૂખ અંતરમાં મોટી, ભોગતણી તે ભારીજી ।।૩૮।।

ક ા ગ ા ર ા ે ળ ક ા ન ે સ ુ ં ણ ી , અ ા વ ી બ ી જી બ ા ઇ ય ુ ં જી ।

વિવાહથી વા’લેરૂં લાગે, પારકું ત્રઘાયુંજી ।।૩૯।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

ઘ ે ર ઘ ે ર થ્ ા ી ઘ ે ર ે વ ળ ી ન ે , મ ળ ી મ ં ડ ળ ી બ ા ં ધ ી જી ।

ગાણા સરખું રોણું રુવે, સર્વે રાગજ સાંધીજી ।।૪૦।।

ચ લ ત ી ચ ા લ્ ય ચ ા ેં ક ા ર ા ે લ ઇ ન ે , ત્ર્ ા ા ે ડ ે સ ર ખ ુ ં ત ા ન જી ।

લડાવી લટકાં શું કરે, રોયામાંઇ ગાનજી ।।૪૧।।

અ ે ક ન ા ર ી ક હ ે છ ે અ ે ન ે , ય મ ન ા ં ત ે ડ ા ં ન ા ે ય જી ।

બીજી કહે મ બોલ્ય બાઇ, હોયે હોયે હોયેજી ।।૪૨।।

ક ુ ટ ી પ ી ટ ી ક ા ઢ ય ા ે બ ા ’ ર ા ે , ઠ ા ે ક ી ઠ ા લ ે હ ા થ્ ા ે જી ।

પાપ પુણ્ય જે કીધાં પ્રાણી, તેતો ચાલ્યાં સાથેજી ।।૪૩।।

લ ઇ ક ા ષ્ટ લ ગ ા ડ ી િ દ ધ ા ે , ક ા ત ા ે ભ ૂ મ ા ં દ ા ટ ય ા ે જી ।

જોજ્યોરે જે પાસળ હોતે, સરવાળે શું ખાટ્યોજી ।।૪૪।।

ગ ા મ ગ ર ા સ ઘ ર હ વ ે લ ી , પ ડ ય ા ં ર હ્ય્ ા ા ં પ છ વ ા ડ ે જી ।

માલ ખજીના ખાવા જાણ્યું, નો’તું કોઇ દા’ડેજી ।।૪૫।।

બ ા ળ ી ઝ ા ળ ી ટ ા ળ ી ક ા ય ા , સ ા ૈ ક ા ે ઇ અ ા વ્ ય ા ં ઘ ે ર જી । ઉતારીને મેલ્યો મનથી, કોઇ ન પુછે પેરજી ।।૪૬।।

ઠ ા લ ા ે અ ા વ્ ય ા ે ન ે ભ ુ લ ા ે ગ ય ા ે , વ ા ય ા ે ન ે વ ગ ુ ત ા ે જી । જોજ્યોરે કમાણી કીધી, જમને ગાડે જુતોજી ।।૪૭।।

બ ા ર િ દ વ સ અ ે બ ે ઠ ા ં જા ે ય ુ ં , જ ે જ ે ક ી ધ ુ ં ક ે ડ ે જી ।

લાળ મવાળે થુંકે બળખે, મુખ ભરાણું સેડેજી ।।૪૮।।

ઘ ર ચ ા ૈ ટ ા મ સ ા ણ મ ા ં હ ી , િ દ ન દ્વ ા દ શ ર હ્ય્ ા ા ે જી ।

તર્ત તિયાંથી દન તેરમે, જમની સાથે ગયોજી ।।૪૯।।

ચ ડ ી ચ ા ે ટ ે લ ી ધ ા ે દ ા ે ટ ે , જ મ ન ે દ ૂ ત ે જા ે ર ે જી ।

ત્યારે પાડે રાડયો કાળી, બહુ દુઃખે બકોરેજી ।।૫૦।।

ક ા ય ર ર ા ે દ ન ક ર ે ક ુ બ ુ િ દ્ધ , ક ા ે ઇ ન સ ુ ં ણ ે ક ા ન ે જી ।

સગાં સંબંધી સૌનો ટળિયો, પડિયો જમને પાનેજી ।।૫૧।।

િં ક ક ર ક ર ે પ ડ ્ય ા ે પ ા પ ી , ક ર ે ક ા ે ણ સ હ ા ય જી ।

નિષ્કુલાનંદ કહે નાથ ભજ્યા વિના, નહિ અવર ઉપાયજી ।।૫૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

પૂર્વછાયો- ઉપાય નથી આ જીવને, પ્રભુ ભજ્યા વિના કોેઇ પે’ર ।

જન્મ મર્ણનું જોખમ માથેથી, મટે નહિ જમવેર ।।૫૩।।

ઘ િ ડ ઘ િ ડ ય ે ઘ ટ ે અ ા વ ર દ ા , અ ા ય ુ ષ્ ય અ ા ે છ ુ ં થ્ ા ા ય ।

એહ દુઃખને મટાડવા, કરવો સહુને ઉપાય ।।૫૪।।

અ ે વ ુ ં દ ુ : ખ જ ે ત ે અ ા વ વ ા , વ ળ ી ન થ્ ા ી ક ા ં ય ે વ ા ર ।

નથી ઉધારો એહનો, તન મુકતાં છે તૈયાર ।।૫૫।।

મ ળ્ ય ુ ં સ ુ ખ જા શ ે મ ટ ી , અ ા વ શ ે ઉ લ ટ ી દ ુ : ખ ।

માટે ગાફલતા મેલીને, શ્રીહરિ સમરવા મુખ ।।૫૬।।

જા વ ુ ં જા ે ઇ શ ે જ મ પ ુ ર ી અ ે , જી વ જા ણ ી લ ે જ્ ય ા ે જ રૂ ર ।

નિમિષ નિમિષે નિકટ આવે, દેખી લેજ્યો નથી એહ દૂર ।।૫૭।।

કડવું ।।૬।।

પૂર્વછાયો- આવું સાંભળી શ્રવણે, રખે ઉર વિચારતા એમ ।

જીવ વસ્તુએ જડે નહિ, તો દુઃખ ભોગવશે કેમ ।।૧।।

વ ળ ી ક ા ે ઇ ક ે ’ શ ા ે જી વ ઝ ી ણ ા ે , વ્ ય ા ે મ થ્ ા ી અ િ ત િ વ શ ે ષ્ ા । અછેદ્ય અભેદ્ય અખંડ એહ, બળે સડે સૂકે નહિ લેશ ।।૨।।

વ ળ ી ક ા ે ઈ ક અ ે મ ક હ ે શ ા ે , ક હ્ય્ ા ા ે જી વ ત ે બ ્ર હ્મ સ્ વ રૂ પ । કર્મ માયા કલ્પિત છે, કહ્યો આતમા એક અનૂપ ।।૩।।

અ ે મ જ ણ જ ણ પ્ર ત્ ય ે જ ુ જ વ ુ ં , જા ે પ ર ઠ ી ક ર શ ા ે પ્ર મ ા ણ ।

તેહ ઉપર કહું સાંભળો, તમે સર્વે જન સુજાણ ।।૪।।

િ વ િ વ ધ ભ ા ત ે વ ણર્ વ ી , ક હ ુ ં જી વ ન ી સ વ ેર્ વ ા ત ।

શાસ્ત્ર સહુએ સત્ય કહ્યો, જીવ જાુઠો નહિ કોઈ ભાત ।।૫।।

જી વ જા ે ત ા ં જા ે ન વ જ ડ ે , ત ા ે સ ા ધ ન સ વ ેર્ વ્ ય થ્ ાર્ છ ે । વંધ્યાસુતને વખાણે વગોવે, એમાં શિયો અર્થ છે ? ।।૬।।

શ ૂ ન્ ય સ ુ મ ન ન ી સ ્ર જ સ ા રુ ં , અ િ ત અ ા ગ ્ર હ ક ા ે ણ ક ર ે ।

શશશૃંગની શિબીકાયે, બેઠે ન બેઠે શું સરે ? ।।૭।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

જ પ ત પ ત ી ર થ્ ા જા ે ગ ય જ્ઞ્ ા , દ ા ન પ ુ ણ્ ય વ ્ર ત િ વ િ ધ મ ળ ી । કેને અરથે કરવું, પામનારો ન મળે વળી ।।૮।।

પ ુ ણ્ ય પ ા પ પ ર પ ા ે ત ા ન ા ં , સ મ ઝ ્‌ ય ા મ ા ં શ ુ ં સ ા ર છ ે ? । ન્યાયે અન્યાયે ન કરવું, એપણ જુઠો નિરધાર છે ।।૯।।

એમ આગમ અસત્ય થયાં, વળી વક્તા ન સમઝયા વાત ।

એતો મત છે મૂરખનો, જીવ સાચો છે સાક્ષાત ।।૧૦।।

વ ે દ ા ન્ ત ી વ ણ સ મ ઝ ય ે ક હ ે , બ ્ર હ્મ હ ત ા ે ત ે જી વ થ્ ા ય ા ે । એપણ મોટો બાધ આવ્યો, તે પણ મર્મ નવ લહ્યો ।।૧૧।।

અ છ ે દ્ય અ ભ ે દ્ય અ ખ ં ડ અ ે હ , અ ક્ષ્ ા ર બ ્ર હ્મ ક ે ’ વ ા ય છ ે ।

તેમાંથી આ જીવ ક્ષર્યો, એ કહેવાનો કાંઈ ન્યાય છે ? ।।૧૨।।

વળી ભળશે જીવ જ્યારે બ્રહ્મમાં, ત્યારે કોઈક દિન ખરશે ખરો ।

ક્ષરણ સ્વભાવ બ્રહ્મમાં ખચિત, ત્યારે હર્ષ શોક શાને કરો ।।૧૩।।

વળી ઉચ્ચ નીચમાં અવતર્યો, જ્યાં સુખ નહિ દુઃખ અતિ ।

ખર સૂકર શ્વાન સૃજવા, એવી કેમ આવી મતિ ।।૧૪।।

સુખ તજીને દુઃખ લેવું, એવું અજ્ઞાની પણ ઇચ્છે નહિ ।

એપણ વાત અસત્ય છે, જીવ સત્ય છે માનો સહિ ।।૧૫।।

વ ળ ી પ ર સ્ પ ર પ ં ચ ભ ૂ ત ન ે , ન થ્ ા ી વ ૈ ર બ ુ િ દ્ધ વ પ ુ ધ ા ર ી ન ે । આત્મા આત્મા એક છે, ત્યારે નાખેછે કેમ કેને મારીને ।।૧૬।।

અરિ મિત્ર તો અસત્ય છે, જ્યારે આત્મા તો છે એક ।

એતો વાણીનો વિલાસ છે, કહું હવે તેનો વિવેક ।।૧૭।।

જ ે મ ન ર અ ા ક ા શ મ ા ં , અ િ ત ઉં ચ ા ે ક ર ે પ્ર વ ે શ ।

તેને આકાર અવનિતણા, નજરે ન આવે લેશ ।।૧૮।।

પણ અવનિપર એ છે ખરા, નથી અસત્ય આકાર એક ।

નોખે નોખા નજરે, આવેછે એહ અનેક ।।૧૯।।

તેમ નિરવિકલ્પ સમાધિમાં, નથી આવતાં નજરે જોય ।

પણ જીવ ઈશ્વર માયા વળી, એ સાચાં છે સહુ કોય ।।૨૦।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

મ ા ય ા ઈ શ્વ ર સ ત્ ય છ ે , જા ણ ા ે સ ત્ ય છ ે જી વ જ ે હ ।

અછેદ્ય અભેદ્ય અજનમા, નિત્ય નિરંશ કે’વાય તેહ ।।૨૧।।

તેને ત્રણ શરીર ત્રણ અવસ્થા, અને ત્રણ ધરે અભિમાન ।

ત્રણ ગ્રંથિયો ગુંથિયો, તેહ જાણો જીવ નિદાન ।।૨૨।।

હ ર ખ શ ા ે ક ન ે ત ે ભ ા ે ગ વ ે , વ ા સ ન ા ય ે જા ુ ક્ ત અ ે જી વ ।

જન્મમરણ સુખ દુઃખમાં, રહે સંસૃતિ માંય સદૈવ ।।૨૩।।

શ બ્ દ સ્ પ શર્ રૂ પ ર સ ગ ં ધ , મ ન બ ુ િ દ્ધ િ ચ ત્ત્ ા અ હ ં ક ા ર ।

એહ શરીર નવ તત્ત્વનું, જાણો જીવનું નિરધાર ।।૨૪।।

સ્ વ પ્ન મ ા ં જ ે જા ય અ ા વ ે , મ ૂ ર િ ત મ ા ન શ ર ી ર ।

સુખદુઃખને તે ભોગવે, મને માનજ્યો મહાધીર ।।૨૫।।

જ ે મ વ હ િ ન વ્ ય ા પ ે લ ા ે હ મ ા ં , જા ુ દ ા પ ણ જ ણ ા ય ે ન િ હ ।

તેમ જીવ અવસ્થા શરીરમાં, તદાત્મક રહ્યો થહિ ।।૨૬।।

ઘ ણ અ ે ર ણ્ ય ન ે વ ચ્ ચ ે અ ા વ ી , લ ા ે હ જ ે મ ઘ ડ ા ય છ ે ।

તેમ જીવ શરીર સંબંધે, માનો માર બહુ ખાયછે ।।૨૭।।

અ ન ે ક ત ન અ ા વ્ ય ા ં ગ ય ા ં , વ ળ ી જ શ ે અ ા વ શ ે અ ન ે ક ।

દેહી નહિ દેહ વિના, એમ સમઝી લેજ્યો વિવેક ।।૨૮।।

જ ે મ ભ ા ે ય ં ગ અ ં ગ થ્ ા ી ઉ ત ર ે , ક ા ં ચ િ ળ ય ા ે ક હ ુ ં ક ા ે ટ । તોય અહિ તને આવે નહિ, જોને ખાલ્ય ઉતારતાં ખોટ ।।૨૯।।

અ ે મ જી વ ન ે જા ણ જ્ ય ા ે , જા ે ત જ ે ત ન અ ન ં ત ।

તોટો તોય આવે નહિ, મને માનજ્યો બુદ્ધિવંત ।।૩૦।।

અ ે વ ી ર ી ત ે અ ા ગ મ મ ા ં , જા ે ઈ ક હ્ય્ ા ા ે જી વ અ ખ ં ડ ।

તેને ઝાલી જાયછે, દિયેછે દુષ્કર દંડ ।।૩૧।।

અ ા ત ન ત જ ત ે અ ં ગ ુ ષ્ઠ મ ા ત્ર્ ા , થ્ ા ા ય ત્ર્ ા ણ ત ત્ત્ વ ન ુ ં ત ન ।

આકાશ વાયુ ને અગનિ, તેનું રૂપ બંધાયછે જન ।।૩૨।।

પ છ ી ત ે ન ે પ ં ડ દ ે ત ા ં , વ ળ ી વ ી ત ે છ ે દ શ દ ન ।

તેણે કરીને થાય છે, એક-મુડા હાથનું તન ।।૩૩।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

પ છ ી િ દ ન સ ુ ધ ી અ િ ગ ય ા ર મ ે , ષ્ ા ટ ઉ ર્િ મ વ્ ય ા પ ે શ ર ી ર । દ્વાદશ દિન રહિને, ચાલે તેરમે દિન અચીર ।।૩૪।।

સ ગ ા ં સ ં બ ં ધ ી સ વ ેર્ મ ે લ ી , ચ ા લ્ ય ા ે અ ે ક ી લ ા ે અ ા પ ।

સંગ ન ચાલી સંપત્તિ, ચાલ્યાં ભેળાં પુણ્ય ને પાપ ।।૩૫।।

આદર્યું તે અધવચ રહ્યું, થયું વચમાં વિવા’નું બારમું ।

મનસુબો મનમાં રહ્યો, થયું ચાલવાનું કારમું ।।૩૬।।

હાથ ઠાલે ને ભુંડે હાલે, જીવ ચાલ્યો જમપુર મારગે ।

અણતોળ્યાં દુઃખ આવિયાં, કહી કહી કહિયે ક્યાં લગે ।।૩૭।।

મ ન ુ ષ્ ય લ ા ે ક થ્ ા ી છ ય ા શ ી સ હ સ ્ર , જા ે જ ન ત્ર્ ા ણ સ ા ે ત્ર્ ા ણ ।

દક્ષિણ દેશમાં સંયમિની પુરી, વારિ વસુધા વચ્ચે ધરણ ।।૩૮।।

તિયાં જાવાનું થયું જીવને, ભેળું ભલું ભુડું ભાતું લહિ ।

ખાવા લીધી સંગે ખરચી, જેમાં સુખનો લવલેશ નહી ।।૩૯।।

વાટ વસમી વિકટ વળી, જિયાં ઓળખાણ નહિ આપણી ।

પ્યાસ ભુખનું કોણ પુછે, દિયે માર બહુ સહુ ઘણી ।।૪૦।।

અ ે હ મ ા ર ગ મ ા ં જ ે ગ ા મ છ ે , ત ે ન ા ં ત ે ક હ ુ ં હ વ ે ન ા મ ।

સોળ પુર છે દંડનાં, અને બીજાં તે અનેક ગામ ।।૪૧।।

પ્ર થ્ ા મ ય મ પ ુ ર ન ા મ છ ે , પ ુ ર સ ા ૈ ર ી બ ી જા ુ ં જા ણ ।

વરિંદ્રપુર ત્રીજાું કહિએ, ગાંધર્વ ચોથું વખાણ ।।૪૨।।

શ ૈ લ ા ગ મ પ ુ ર પ ા ં ચ મ ુ ં , ક્ર ૂ ર પ ુ ર જા ણ ા ે અ ે ષ્ ા ષ્ટ ।

ક્રૌંચપુર એ સપ્તમું, વિચિત્ર પુર એ અષ્ટ ।।૪૩।।

ન વ મ ુ ં પ ુ ર બ ા હ્વ ા પ દ , દ સ મ ુ ં દ ુ : ખ દ જ ે ન ા મ ।

નાનાક્રંદ દશ એક છે, સુતપ્ત દ્વાદશ ઠામ ।।૪૪।।

ર ા ૈ દ્ર પ ુ ર અ ે ત ે ર મ ુ ં , પ ય ા ે વ ષ્ ાર્ ણ દ શ ન ે ચ ા ર ।

શીતાઢયપુર એ પંદરમું, બહુભીતિ ષોડશ વિચાર ।।૪૫।।

અ ે સ ા ે ળ પ ુ ર છ ે દ ં ડ ન ા ં , અ ે ક અ ે ક થ્ ા ક ી ક ઠ ા ે ર ।

મંદભાગી એ મારગે ચાલ્ચો, જેણે કીધાં કર્મ અતિ ઘોર ।।૪૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

હ વ ે જ ે જ ે દ ુ : ખ ભ ા ે ગ વ શ ે , સ હ ે શ ે શ ર ી ર ે મ ા ર ।

શ્રવણ દઇ સૌ સાંભળો, કહું કરી વિસ્તાર ।।૪૭।।

પાછો ન ફર્યો પાપ કરતાં, કર્યાં અઘ અતિ અગણિત ।

તે જીવ ચાલ્યો જમપુરીએ, ભુખ પ્યાસે ભુંડી રીત ।।૪૮।।

જ મ દ ૂ ત ે જા ે ર ે ઝ ા લ ી ન ે , ન ા ખ ી ક ં ઠ મ ા ં ક ા ળ પ ા શ ।

આયુધ ઉગામે મારવા, બહુબહુ દેખાડે ત્રાસ ।।૪૯।।

ઉં ધ ે ત ે મ ા થ્ ા ે ત ા ણ ી ય ા ે , ત ે ણ ે પ્ર ા ણ ી ક ર ે છ ે પ ા ે ક ા ર । અઘવંતની એ સમે, કહો કરે કોણ વા’ર ।।૫૦।।

ક ર ત ા ં બ હ ુ ક ુ ક મર્ ન ે , પ ા છ ુ ં વ ા ળ ી પ ે ખ્ ય ુ ં ન િ હ ।

ભલું ભુડું પડશે ભોગવવું, એવું આંખ્યે તો દેખ્યું નહિ ।।૫૧।।

અ ં ધ ધ ં ધ ે અ ા ય ુ ષ્ ય ખ ા ે ઇ , ક ર ી ક મ ા ણ ી જા ે પ ા પ ન ી ।

અભાગીને એ મારગે, સર્વે થઇ છે સંતાપની ।।૫૨।।

જ ે હ અ થ્ ા ેર્ અ ા મ ન ુ ષ્ ય દ ે હ , ત ે હ ક ા ર જ ક ી ધ ુ ં ન િ હ । અવળાં આચરણ આચર્યો, તેહ ફળ લેતાં ફજેતી થહિ ।।૫૩।।

અ લ્ પ સ ુ ખ ન ે અ ા શ ર ી , ક ર ી ઘ ણ ી ઘ ણ ી ઘ ા ત ।

એવો પાપી પ્રાણીયો, તે ચાલિયો જમ સંઘાત ।।૫૪।।

પ ૂ ર ણ દ ુ : ખ મ ા ં જ ૈ પ ડ ય ા ે , જ ે ન ા ે ક ે ’ ત ા ં ન અ ા વ ે પ ા ર । નિષ્કુલાનંદ નિશ્ચય કહે, સત્ય માનજ્યો નરનાર ।।૫૫।।

કડવું ।।૭।।

પૂર્વછાયો- ઝંઝીર બંધે બાંધિયો, મારીને લીધો મો’ર ।

ડગલે ડગલે દુઃખ ઘણું, નહિ લેવા સુખ કોઈ ઠોર ।।૧।।

બ સ ેં ન ે સ ડ ત ા ળ ી શ જા ે જ ન , જ મ ચ લ ા વ ે છ ે ન ી ત ।

જેવાં જેનાં કર્મ છે, તેવી તે દંડની રીત ।।૨।।

મ મર્ સ્ થ્ ા ળ ે મ ા ર ે ઘ ણ ુ ં , ત ે ણ ે પ ા પ ી ક ર ે પ ા ે ક ા ર ।

પુણ્યહીણા પ્રાણીતણી, એ સમે કરે કોણ સાર ।।૩।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

શ ા ે ધ ી સ ા ં ધ્ ય શ ર ી ર ન ી , િ ત ય ા ં મ ા ર િ દ ય ે મ ન ગ મ ત ી । દંડ દેવાની રીતને, જાણેછે જમદૂત અતિ ।।૪।।

ત ા ળ વ ે ક પ ા ળ ે ક ા ેં િ ણ ય ે , ગ ા ે ઠ ણ ે મ ા ર િ દ ય ે ઘ ણ ી ।

છાતી નખ છેદે તેની, થાય પીડા અતિ તેતણી ।।૫।।

ન ા શ ી ભ ા ગ ી ન વ શ ક ે , પ િ ડ ય ા ે જ મ ન ે હ ા થ્ ા ।

કષ્ટ સહેવાય કેટલું, અતિ પામે પીડા અનાથ ।।૬।।

જ ે મ ન ર વ ા ન ર ન ે , બ ળ ે ગ ળ ે બ ા ં ધ ે છ ે બ ં દ ।

તેમ જાય ક્યાં જીવ પાપી, પડિયો જમને ફંદ ।।૭।।

જ ે ન ે દ ી ઠ ે દ ુ : ખ ઉ પ જ ે , વ ળ ી સ્ પ શ ેર્ જા ય પ્ર ા ણ ।

વજ્ર જેવી વાણી વદે, એવા ભુંડા જમરાણ ।।૮।।

ચોપાઇ- તેને સાથે ચાલિયો અનાથરે, ઘણુંઘણું ઘસંતો હાથરે ।

કરે ઓરતો મનમાં બહુરે, મારો મારો કરે જમ સહુરે ।।૯।।

પડે માથે મુદગર મારરે, કરે હાયહાય ત્યાં પોકારરે ।

દઈદઈ પાપનાં એધાંણરે, દિયે દુઃખ ઘણું જમરાણરે ।।૧૦।।

જેહ સમે કર્યાં પાપ જેવાંરે, કહે એધાંણ સહિત એવાંરે ।

ત્યારે સાંભરે સર્વે વાતરે, એમ જાય જમને સંઘાતરે ।।૧૧।।

ચાલતાં ચાલતાં પો’ર ચારરે, પ્રાણી પામેછે પીડા અપારરે ।

હારી થાકી થયોછે હેરાણરે, અતિ પીડાને પામ્યોછે પ્રાણરે ।।૧૨।।

પડી રાત્ય આવ્યું ત્યાં ગામરે, જાણે જીવ કરીશ આરામરે ।

ત્યાંતો આવે છે ગામનાં વાસીરે, ખાય માંસ રુધિરનાં પ્યાસીરે ।।૧૩।।

હાથે કાતાં છરા ને કુઠારરે, કાપી પાપીનો કરે આહારરે ।

ખાઇકાઇ ધરાય જમ જ્યારેરે, બહુ વખાણ કરેછે ત્યારેરે ।।૧૪।।

અમે ખાધું માંસ બહુતણુંરે, પણ સૌથી સ્વાદુ તારું ઘણુંરે ।

ખારું ખાટું તીખું તમતમુરે, જમતો તું બહુ મનગમ્યુંરે ।।૧૫।।

ગળ્યું ચીકણું તળેલ તાવ્યુંરે, વઘાર્યું ધુંગાર્યું મન ભાવ્યુંરે ।

શુદ્ધાશુદ્ધ ખાધા ખટ રસરે, તેણે કરી તારું માંસ સરસરે ।।૧૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

એમ કહી કાપીકાપી ખાયરે, તેને દુઃખે કરે હાય હાયરે ।

કરી પોકાર પડે અચેતરે, નથી ખમાતો માર મેં નિત્યરે ।।૧૭।।

ત્યારે કિંકર કહે સુણ્ય પ્રાણીરે, તેં આ વાટને કેમ ન જાણીરે ।

યાંતો કોઇ કોઇનું જ નથીરે, અમે કહિયે તુંને શું કથીરે ।।૧૮।।

એમ કહીને આપેછે મારરે, તેને દુઃખે કરેછે પોકારરે ।

પછી સાંભરે પાપ પોતાનાંરે, જે કાંઇ કર્યાં છે પ્રગટ છાનાંરે ।।૧૯।।

કહેછે મનુષ્ય દેહને પામીરે, મારી શુભ મતિ સર્વે વામીરે ।

પાળ્યો નહિ મેં પવિત્ર ધર્મરે, કર્યાં વિકળ થઇ વિકર્મરે ।।૨૦।।

મૂરખાઇ મુકી સદાચારરે, મેંતો કોઇ ન કર્યો વિચારરે ।

બા’ર ભિંતર અપવિત્ર રહ્યોરે, સત્ય પુરુષનો ગુણ ન ગ્રહ્યોરે ।।૨૧।।

અન્ન ધન જે આયુષ્ય મારુંરે, ખોયું સત્યમાર્ગથી મેં બા’રુરે ।

ભજ્યા નહિ ભાવે ભગવંતરે, સેવ્યા નહિ સાચા સદગુરુ સંતરે ।।૨૨।।

આવી એવી મુજને કુબુદ્ધિરે,ભુલ્યો જન્મથી મરણ સુધિરે ।

આજ કોણ કરે મારી સા’યરે, એમ કહી કરે હાયહાયરે ।।૨૩।।

ત્યારે કિંકર કહેછે પ્રાણીરે, તેં આ વાટને નહોતી શું જાણીરે ।

જાવું જોશે જમપુરી માંયરે, જીયાં નથી સગાં કોઇ સા’યરે ।।૨૪।।

નહિ મળે ત્યાં ઉછી ઉધારૂંરે, નહિ કરે કોઇ દંડમાં વારૂંરે ।

યાંતો કર્મ કર્યું જેણે જેવુંરે, ભોગવવું પડેછે જો તેવુંરે ।।૨૫।।

જે જે ભેળું લાવ્યો તું ભાતું રે, તેનું વાંચી દેખાડિયે ખાતુંરે ।

પોષ્યો અન્યાયે અસત્ય દેહરે, કર્યો અસત્ય સગાંશું નેહરે ।।૨૬।।

તેતો રહ્યાં છે તિયાંનાં તિયાંરે, કોણ સગું થાય તારૂં ઇયાંરે ।

સત્યપુરૂષ ન સેવ્યા કદાપિરે, માટે આ વાટે આવ્યો છું પાપીરે ।।૨૭।।

કરતો પાપ ન ડરતો લગારરે, ચાલ્યો મન ગમતે ગમારરે ।

નો’તી બીક શંકા મનમાંય રે, કરતો પાપ આપ ઇચ્છાયરે ।।૨૮।।

તેંતો જમપુરીને ન જાણીરે, તેમ સુણીને બીક ન આણીરે ।

જો તું અમથી બિ’ત અભાગીરે, તો તું પાપબુદ્ધિ દેત ત્યાગીરે ।।૨૯।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

માટે અમને ન ગણ્યા ગમારરે, એમ કહી દિયે બહુ મારરે ।

દિયે માર અપાર તે સહેરે, વળી મુખે કિંકર એમ કહેરે ।।૩૦।।

થયા ભૂખ્યા ને તરસ્યા ભારેરે, આપ્ય ખાવા ને પીવા આ વારેરે ।

તેતો જોઇશે અમારે જરૂરરે, લાગી ભુખને જાવું છે દુરરે ।।૩૧।।

આપ્ય ખાવા નહિ તો તુંને ખાશુંરે, ત્યારે મુકશું સૌ જ્યારે ધરાશુંરે ।

પછી કેડે દિધું હોય કાંયરે, ભાગ ત્રણ વહેંચે છે ત્યાંયરે ।।૩૨।।

એક ભાગ જમદૂત લિયેરે, બીજો પ્રેતના ગણને દિયેરે ।

ત્રીજો ભાગ તે પોતે જમેરે, એમ દિન અઢાર નિગમેરે ।।૩૩।।

દ્વાદશ મો’રના એહ અઢારરે, મળી માસ થાય નિરધારરે ।

રાત દિવસ ચાલે દડિદોટેરે, ચડયો જમના દૂતની ચોટેરે ।।૩૪।।

ભૂખ પ્યાસે પીડાણો છે અતિરે, મહાદુઃખે મુંઝાણી છે મતિરે ।

થયો બફોયો ફોમ ન રહીરે, નિત્ય માર શકે કેમ સહિરે ।।૩૫।।

ત્રાહીતોભાં કરી ત્રીસ દનરે, અતિ કષ્ટે કર્યા ઉલ્લંઘનરે ।

તૈયે આવ્યું યમપુર જેહરે, તિયાં પહોંચ્યો છે પ્રાણિયો એહરે ।।૩૬।।

તેમાં પ્રેત વસેછે જો ઘણારે, બહુ ભયંકર બિયામણારે ।

તિયાં પુષ્પભદ્રા નદી તટરે, એક અતિ વિસ્તારે છે વટરે ।।૩૭।।

તિયાં બેઠાં છે પ્રેતનાં બાળ રે, દેખી જીવ આવે તતકાળ રે ।

કાપી કાપી કલેવર ખાય રે, વળગ્યાં અંગે અળગાં ન થાય રે ।।૩૮।।

કાઢી લઇયે એનું કલેજું રે, પછી મારે તીર કરી વેજું રે ।

દિયે દુઃખ દયા નહીં દલ રે, પામે દુઃખ સુખ નહીં પલ રે ।।૩૯।।

તને તપે છે તાપ વિષમ રે, પ્રલય કાળના સૂરજ સમ રે ।

જીવ જોઇ એ વટનું વૃક્ષ રે, છાયેં બેસવા કર્યો ’તો હર્ષ રે ।।૪૦।।

ત્યાંતો પ્રેત બાળ બીજાં મળી રે, ખાવા લાગ્યાં છે પાપીને વળી રે ।

ત્યાંથી આવ્યો પુરદ્વારે પ્રાણી રે, ઉઠ્યા લાગ લેવા દરવાણી રે ।।૪૧।।

લીધું માંસ પીધું છે રુધીર રે, તેને દુઃખે રુવેછે અધિરરે ।

પછી જાયછે જમપુર માંયરે, દિયે લાગ ભાગ માગી ત્યાંયરે ।।૪૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

લીધું માંસ રુધીર પીવાનેરે, રાજા પ્રધાન વજીર દિવાનેરે ।

કહે લઇ જાઓ જમ યાંથીરે, ઉતાવળો આ પુર માંયથીરે ।।૪૩।।

આપી લાગ ને નિસર્યો બા’રરે, ઉત્તર દ્વારેથી દક્ષિણ દ્વારરે ।

મેલ્યું શહેર એક સોળમાંરે, એમાં રાતદિ જાય રોળમાંરે ।।૪૪।।

કંપે કાળજ દેખી દુતનેરે, અતિ થરથર ધ્રુજે છે તનેરે ।

કેમ આવશે આ દુઃખ અંતરે, એમ કરે ઓરતો અત્યંતરે ।।૪૫।।

તેને જોઇને જમના દૂતરે, દુઃખ દિયેછે તેને અદ્‌ભુતરે ।

મો’રે કરેછે કિંકર મારીરે, જીવ ભોગવેછે દુઃખ ભારીરે ।।૪૬।।

નિત્ય આવેછે જમનાં ગામરે, તિયાં નથી સુખ લેવા ઠામરે ।

સાંઝ પડે ને થાય સવારરે, દિયે નાનાં મોટાં સહુ મારરે ।।૪૭।।

નરનારીને ન મળે મે’રરે, જાણે ગોળનું ગાડું આવ્યું ઘેરરે ।

ખાય ધરાય થાય રળિયાતરે, વળી કરે પરસ્પર વાતરે ।।૪૮।।

આનું માંસ લાગેછે મીઠું રે, આવું બીજા કોયનું ન દીઠુંરે ।

ઘણે દને મળ્યું આજ ગળ્યુંરે, આજ દિનમો’ર આવું ન મળ્યુંરે ।।૪૯।।

એમ પામેછે દુઃખ અપારરે, કષ્ટ પામે પાપ કરનારરે ।

પામે દુઃખ જાય નહિ સહ્યુંરે, સત્ય નિષ્કુલાનંદે એમ કહ્યુંરે ।।૫૦।।

કડવું ।।૮।।

પૂર્વછાયો- મારે કરી આવે મૂરછા, પડે પ્રાણી પૃથ્વી મોઝાર ।

સંકટમાં સંબન્ધી સંભારી, પાપી કરે પોકાર ।।૧।।

િ ક ય ા ં ગ ય ા ં મ ા ર ા ં ક ુ ટ ુ ં બ ી , િ ક ય ા ં ગ ઇ મ ૃ ગ ા ન ે ણ ી ન ા ર । કિયાં ગયાં ભાઇ ભગિની, કિયાં ગયો પુત્ર પરિવાર ।।૨।।

િ ક ય ા ં ગ ય ુ ં ધ ા મ ધ ર ત ી , િ ક્ ય ા ં ગ ય ા ં અ ન્ન્ ા ધ ન મ ા લ । આ સમે કામ કોયે નાવે, મારા જોઇ આવા હાલ ।।૩।।

અ ે મ ક હ ી ક હ ી ક ર ઘ સ ે , રુ વ ે ભ ુ ખ્ ય ા ે ત ર સ્ ય ા ે ત ે હ ।

માથે ભય જમરાણનો, તેણે થરથર ધ્રુજે દેહ ।।૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

જ ે ન ે અ થ્ ા ેર્ અ િ ત ઘ ણ ા ે , ક ર ત ા ે અ ધ મર્ અ ા ઠ ુ ં જા મ ।

તેતો ત્યાંનાં ત્યાં રહ્યાં, મારે કોઇ ન આવ્યાં કામ ।।૫।।

મ ા ત ત ા ત ભ ા ઇ ભ િ ગ ન ી , સ ુ ત ક લ ત્ર્ ા ન ે ક ા જ ।

કર્યાં કર્મ વિકર્મ કંઇ, તે ભોગવવાં પડ્યાં આજ ।।૬।।

અ ે ન ે અ થ્ ા ેર્ અ ા ય ુ ષ્ ય ખ ા ે ઇ , જા ે ઇ ન િ હ િ વ ચ ા ર ી વ ા ત ।

સંબંધીના સુખ કારણે, કર્યાં કપટ દગા ઘાત ।।૭।।

ન ી ચ મ ા ણ સ ન ી સ ં ગ ત્ ય ે , ક ય ાર્ ં અ ઘ અ મ ા ે ઘ અ પ ા ર ।

કુશળ રહેવાનું ક્યાંથકી, ખરી ખાવા રહી માર ।।૮।।

ચોપાઇ- તેને કિંકર કહેછે ભાઈ, એને સંભારે શું થાય આંઇ ।

કર્યાં કર્મ તેં ધર્મને ત્યાગી, મેલી સુખ દુઃખ લીધું માગી ।।૯।।

આવ્યું સર્વે મળી તારે સાથે, જેજે કર્યું છે તેં તારે હાથે ।

તેતો વેઠવું પડશે આ વાટે, કોઇ ભોગવે નહિ કેને સાટે ।।૧૦।।

તું જાણતો નહોતો મન તારે, જાવું થાશે આ મારગે મારે ।

તિયાં ખરચી ખાવાને કાજ, સજ્યો એવો તેં કેમ સમાજ ।।૧૧।।

હ સ ી હ સ ી ક ી ધ ા ં જ ે પ ા પ , ર ા ે ઇ ર ા ે ઇ ભ ા ે ગ વ ા ે ત ે અ ા પ । એમ કહીેને આપેછે માર, તેણે પ્રાણી કરેછે પોકાર ।।૧૨।।

દુઃખ દરિયાસમ ઉલટ્યાં, સુખશાંતિ તો સરવે મટ્યાં ।

કરે કિંકર બહુ કંકાસ, નાખી કોટમાંહિ કાળપાસ ।।૧૩।।

દિયે ફાંસી ફડફડે પ્રાણી, બોલી ન શકે મુખથી વાણી ।

થંભી આંખ્ય રહે તિયાં થીજી, એમ માર દિયે જમ ખીજી ।।૧૪।।

એમ કરતાં દોઢ માસ થાય, ત્યારે સૌરીપુરે પ્રાણી જાય ।

તેનો રાજા છે નામે સૌવરી, ગમે તેવું રૂપ લિયે ધરી ।।૧૫।।

મહાવક્ર ને અતિ અટારો, દેખી પ્રાણીને આવે કંપારો ।

ભુંડું મુખ અતિ ભયંકાર, ખાય માંસ લોહીનો પીનાર ।।૧૬।।

એની વાણી શ્રવણે સાંભળતાં, બંધ છુટી જાય જો વળતાં ।

થાય પેસાબ ને પેટ છુટે, તીખી નજરે મારવા તુટે ।।૧૭।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

કહે લાગ અમારો તું આપી, પુરબા’ર તું નિસર પાપી ।

લાગ લેશું દેશું ત્યારે જાવા, ખુબ લેશું તું પાશેથી ખાવા ।।૧૮।।

પછી શ્રાદ્ધ ત્રણ પક્ષતણું, આપ્યું હોય કેડે થોડું ઘણું ।

કરે તેના પછી ત્રણ ભાગ, આપે તેમાંથી તેહને લાગ ।।૧૯।।

બીજાં બહુ આવી ભરે બચકાં, તેણે કરી દિયે છે ડચકાં ।

મુવો મુવો ગયો જાણ્યું શ્વાસ, ન રહી ઉગરવાની આશ ।।૨૦।।

એવો અચેત થયો અપાર, નિત્ય નવો ન સે’વાય માર ।

બેશુદ્ધમાંય બોલી ન શકે, એમ કાઢે છે એ પુર થકે ।।૨૧।।

પછી ત્યાંથી ચાલે નિરધાર, દક્ષિણ દ્વારથી નિસરે બા’ર ।

સંગે કિંકર કરે સંતાપ, તપે ઉપર અત્યંત તાપ ।।૨૨।।

વ ા ટ ે અ ા વ ે છ ે િ વ ક ટ વ ન , ત ે ન ે ક ા ં ટ ે ક ર ી ફ ા ટ ે ત ન । અસિપત્ર વન એનું નામ, તેણે વીટ્યું છે વરિંદ્ર ગામ ।।૨૩।।

િ ત ય ા ં જ મ ન ા દ ૂ ત પ ર ા ણ ે , અ ે હ ક ા ં ટ ા પ ર ન ા ખ ી ન ે ત ા ણ ે । આંકડિયાળા ને અતિ અણી, તેણે ફાટે ત્વચા તનતણી ।।૨૪।।

તેમાં નિસરે રુધિરધારુ, દેખી આવે ત્યાં પંખી હજારૂં ।

લોહ ચાંચવાળાં પંખી લાખું, તેતો તોડી ખાય તન આખું ।।૨૫।।

સંગે કિંકર તેને ખાયે કાપી, તેની પીડામાં પીડાય પાપી ।

ભેળા ચાલનારનું એ ભાતું, પામે કષ્ટ કહ્યું નથી જાતું ।।૨૬।।

એને કાપી ખાય જમ સાથ, પાછો સાજો કરે ફેરી હાથ ।

એમ ન કરે જો જમરાણ, તો ન પોં’ચે પંડ નિરવાણ ।।૨૭।।

એમ ભોગવેછે દુઃખ ભારી, પડી જાય છે પૃથવીએ હારી ।

એમ હમેશ થાય હેરાણ, પેરેપેરે પીડે જમરાણ ।।૨૮।।

બીજે માસે આવેછે એ શે’ર, જેના રાજા પ્રજાને નહિ મે’ર ।

સોસો શ્વાન સામટાં લઇ સંગે, વળગાડેછે પ્રાણીને અંગે ।।૨૯।।

ફ ા ડ ી ખ ા ય છ ે પ ા પ ી ન ુ ં ત ન , ત ે ન ે દ ુ : ખ ે ક ર ે છ ે ર ા ે દ ન । તેને કહેછે જમના કિંકર, પાપી નો’તો તુંને કેનો ડર ।।૩૦।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

કર્યું પાપ પેટ ભરી પુરૂં, કોઇ રીતે રાખ્યું નહિ અધુરૂં ।

એમ કહી દિયે ફટકાર, વળી આપેછે બહુબહુ માર ।।૩૧।।

લ ઇ લ ા ગ ન ે ક ા ઢ ે છ ે બ ા ’ ર , દ ૂ ત લ ઇ ચ ા લ ે છ ે ત ે વ ા ર । તેતો દૂત સદા રહે સાથે, જેણે બાંધી લીધોછે બે હાથે ।।૩૨।।

કહે દૂત ભૂખ્યા થયા બહુ, આપ્ય ખાવા તો ખાઇએ સહુ ।

ત્યારે જીવ કહે ક્યાંથકી દિયું, આપ્યું હોય તો આ વાટે લિયું ।।૩૩।।

નથી જમાડયા મેં વિપ્રજન, નથી આપ્યું મેં સંતને અન્ન ।

સારૂં ખાધું મેં ખુણે સંતાઇ, હવે ક્યાંથી મળે અન્ન આંઇ ।।૩૪।।

પછી જમદૂત તેને જોઇ, ખાય માંસ ને પિયે છે લોઇ ।

ખાઇ ધરાઇ ચકચૂર થઇ, બહુ ચલાવે છે માર દઇ ।।૩૫।।

ચાલતાં ચાલતાં દિન રાત, પામે દુઃખ ન કે’વાય વાત ।

સંગે કિંકર તે કાળાકેર, જેને નહિ દયા મન મે’ર ।।૩૬।।

આલ્યે આલ્યે ઉગામે આયુધ, બહુ ધ્રુજી થાય છે બેશુદ્ધ ।

ત્યારે જીવ કહે જમદૂત, શાને ઠાલું કરો તમે તૂત ।।૩૭।।

કેદિ પાપ કર્યું તું મેં આવું, જેણે કરી નિત્ય માર ખાવું ।

ત્યારે જમદૂત કહે જીવ જાણે, કહિયે પાપ કર્યાં જે જે ટાંણે ।।૩૮।।

હ ત ા પ ા સ ળ ે પ ં ચ દ ે વ ત ા , ત ે ત ા ે સ ર વ ે અ ા વ ી ન ે ક હ ે ત ા । તેની લખી રાખી છે એધાંણી, શીદ કે’વરાવેછે તું પ્રાણી ।।૩૯।।

તારા પાપ પ્રમાણે પાપી, નથી શકતા દંડ અમે આપી ।

બહુ રીશ ચઢેછે તુંપર, પણ મારી મારી થાક્યા કર ।।૪૦।।

એમ કહીને ઝાલ્યો છે ગળે, મારી કુટીને કર્યો આગળે ।

એમ ચલાવેછે ચોંપે કરી, પડે લડથડે બહુ મારે કરી ।।૪૧।।

એમ કરતાં અઢી માસ થાય, ત્યારે ગાંધર્વ પુરમાં જાય ।

તેના દરવાણીને લાગ દઇ, પછી જાય રાજા પાસે લઇ ।।૪૨।।

મ ન ગ મ ત ા ે દ ઇ ર ા જા દ ં ડ , પ છ ી ક ા પ ે છ ે પ ા પ ી ન ુ ં પ ં ડ । રાજા ને રાજાના શૂરવીર, ખાય માંસ ને પીયે રુધિર ।।૪૩।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

તેમાં ના’વે કેને મને મે’ર, એવું અતિ નિર્દય એ શે’ર ।

તેનો લાગ ભાગ સર્વે આપી, વળી પંથસર થાય પાપી ।।૪૪।।

સંગે કિંકર બહુ સંતાપે, નિત્ય પ્રત્યે નવાં દુઃખ આપે ।

અતિ ચલાવે છે ઉતાવળો, આપી માર ને કરે આકળો ।।૪૫।।

ચાલી ચાલી ત્રણ માસ જાવે, ત્યારે શૈલાગમપુર આવે ।

તિયાં થાયછે પાણાની ઝડી, પડે પાપી ઉપર તડાતડી ।।૪૬।।

તેણે ભાંગેછે હાડ મુંડ હૈયું, પામે દુઃખ તે ન જાય કૈયું ।

અંગોઅંગ ભાંગી ભૂકો થાય, કરે કોણ એ કષ્ટમાં સા’ય ।।૪૭।।

આપ્યું હોય છત્ર ઘર છાંય, તો થાય એ દુઃખમાંહિ સા’ય ।

વળી કેડે શ્રાદ્ધ કીધું હોય, ખાઇ ચાલેછે મારગે સોય ।।૪૮।।

થાય ચોથો માસ પુરો જ્યારે, ક્રુરપુરે પો’ચે પ્રાણી ત્યારે ।

ક્રુરપુરનાં કષ્ટ કઠણ, લિયે લોહી માંસ એક મણ ।।૪૯।।

તેમાં ઓછું ન લિયે લગાર, આપ્યા વિના ન જવાય બા’ર ।

શ્રાદ્ધ કરી આપ્યું હોય અન્ન, ભાવે જમાડયા હોય બ્રહ્મન ।।૫૦।।

તેહ પુણ્ય તણા ત્રણ ભાગ, કરી આપેછે જુજવા લાગ ।

કેડે રહે તેહ પોતે ખાઇ, પછી ચાલેછે ત્યાંથકી ભાઇ ।।૫૧।।

ચ ા લ ી ચ ા લ ી થ્ ા ા ય ચ ક ચ ૂ ર , ત ૈ ય ે પ્ર ા ણ ી પ ા ે ’ ચ ે ક્ર ા ૈ ં ચ પ ુ ર । તિયાં દંડ દિયેછે અપાર, જીયાં જાય તિયાં મારોમાર ।।૫૨।।

માગે ખાવા પીવા લોહી માંસ, તળે તનને કરી તપાસ ।

મારો મારો ખાઓ સહુ મળી, લાવો અજગર જાય એને ગળી ।।૫૨।।

એમ કહે માંહોમાંહી સહુ, તેણે કરી પ્રાણી કંપે બહુ ।

અતિ અતિશે વસમું લાગે, જેજે આવે તે ખાવાને માગે ।।૫૪।।

તેતો આપ્યું હોય કાંઇ વાંસે, ખાવા દેવાનું એટલું પાસે ।

એવી વિપત્ત છે એહ વાટે, કહે નિષ્કુલાનંદ તે માટે ।।૫૫।।

કડવું ।।૯।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

પૂર્વછાયો- સુણો કથા સહુ શુભમતિ, જીવ નહિ નર ને નાર ।

જે જેવાં કર્તવ્ય કરે, તે ભોગવે આવે પાર ।।૧।।

અ ે મ દ ુ : ખ ભ ા ે ગ વ ત ા ં , સ ા ડ ા પ ા ં ચ મ ા સ થ્ ા ા ય ।

વિચિત્ર નામે પુર છે, તેમાં તે પ્રાણી જાય ।।૨।।

િ વ િ ચ ત્ર્ ા પ ે ર ે વ ળ ી વ ળ ી , પ ુ છ ે પ ુ ર ન ા ં ર હ ે ન ા ર ।

મનુષ્ય દેહ પામી હરામી, તું ને નર ફટકાર ।।૩।।

દ ે વ ઇ ચ્ છ ે જ ે દ ે હ ન ે , ત ે પ ા મ્ ય ા ે હ ત ા ે ત ુ ં પ ા પ ી ય ા । એહ દેહે ધર્મ ઉથાપી, અધર્મ અતિશે થાપીયા ।।૪।।

ન્ ય ા ય મ ુ ક ી અ ન્ ય ા ય ક ી ધ ા ે , ચ ા લ્ ય ા ે મ હ ા અ ઘ મ ા ગ ેર્ । દુર્મતિ અતિ અંધ થઇ, દીઠું નહિ કાંઇ દૃગે ।।૫।।

હ દ મ ે લ ી ન ે હ ા િ લ ય ા ે , મ ુ ક ી મ ય ાર્ દ મ હ ા ર ા જ ન ી ।

પરલોકનાં સુખ પરહરી, કરી ખરચી દુઃખ સમાજની ।।૬।।

ખ ા ે ટ ્ય મ ા ે ટ ી ખ ા ધ ી ખ ર ી , ક હ ી અ ે ત ુ ં ન ે ક ય ા ં લ ગ ે ।

મોટા દુઃખમાંહિ પડયો, આવો જાઇયે આ મારગે ।।૭।।

લ ા ગ અ ા પ ી લ જ્ જા વ ા ે ણ ા , િ ન સ ર પ ુ ર થ્ ા ી બ ા ’ ર ।

આજ પછી અભાગિયા, આવું કરીશમાં કોઇ વાર ।।૮।।

ચોપાઇ- લઇલાગ લોહી માંસ તણો, કરેછે અતિ હેરાણ ઘણો ।

જીયાં તિયાંથી ઉઠેછે ખાવા, ખાઇ ધરાઇ પછી દીધો જાવા ।।૯।।

કાઢ્યો બા’રે પડે શિર માર, જેમ લોહને ઘડે લુહાર ।

આવી મૂરછા પડિયો ભોમ, થયો બેશુદ્ધ ન રહી ફોમ ।।૧૦।।

પ છ ી ઘ સ ર ડ ી ઘ ા ં ઘ ા ે ક ર ી , ઉ ઠ ા ડ ી ન ે અ ા પ ે મ ા ર ફ ર ી ।

લડથડે ને પડતો જાય , નિત્ય માર કેટલો ખમાય ।।૧૧।।

મારી કુટીને મો’રેજ કીધો, જેમ ચોર મારવાને લીધો ।

ઘડી એકમાં હિંડાડે ઘણું, નહિ પ્રમાણ ચાલવા તણું ।।૧૨।।

અ ે મ દ ુ : ખ ે િ વ ત ે ષ્ ા ટ મ ા સ , અ ા વ ે બ હ્વ ા પ દ પ ુ ર પ ા સ । તેને પાદર છે વૈતરણી, દુઃખદાયી તે ન જાય વરણી ।।૧૩।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

શ ત જા ે જ ન મ ા ં પ િ ર વ ા હ , પ રુ પ ા ચ ે પ ૂ ર ણ ન િ હ થ્ ા ા હ ।

તેમાં સર્પ વિંછિ જંતુ ઘણા, સર્વે આહારી લોહી માંસતણા ।।૧૪।।

વળી ઉપર ઉડે માંસા’રી, લોહ ચાંચવાળાં પંખી ભારી ।

ભયંકાર ત્યાં ભમરા વળે, તપે વેળું તેમાં પગ બળે ।।૧૫।।

ત પ ે સ ૂ ર જ ઉ પ ર ત ી ખ ા ે , જા ણ ે પ્ર લ ય ન ા ક ા ળ સ ર ી ખ ા ે ।

એવો દેખી સર્વે સામાન, જીવ કરે ત્રાહિ ત્રાહિ માન ।।૧૬।।

ત્યારે કહે છે ઉતારનાર, ગાય આપી હોય તો સંભાર ।

આવે ગાય તો ઉતારે સુખે, નહિતો ઉતરીશ ઘણે દુઃખે ।।૧૭।।

તેતો ક્યાંથી આપી હોય આણે, પછી તેમાં તાણેછે પરાણે ।

બૂડે મુંડ ને નિસરે બા’ર, વળગે અંગમાં જંતુ અપાર ।।૧૮।।

મ ા થ્ ા ે લ ા ે હ ચ ા ં ચ ે ભ ય ા ન ક , અ ા વ ી પ ડ ે પ ં ખ ી અ ચ ા ન ક । ભાંગી ભેચો માથાનો લિયેછે, એવી ચોટ એ પંખી દિયેછે ।।૧૯।।

કૈક લિયે કાન નાક તોડી, કૈક નાખેછે આંખ્યોને ફોડી ।

એમ તન ખાય કાપી કાપી, તિયાં દુઃખ પામે બહુ પાપી ।।૨૦।।

જ ળ સ મ ળ ટ ા ઢ ુ ં છ ે અ િ ત , ત ે મ ા ં ક ર ા વ ે છ ે અ ે ન ે ગ િ ત । ટાઢ્યે ધ્રુજી થાય તન શૂન્ય, માટે તે સારૂં કરવું પુણ્ય ।।૨૧।।

સહિ દુઃખ ચાલે સાત માસ, ત્યારે આવે દુઃખદપુર પાસ ।

તેનું દુઃખ જાયે નહિ કહ્યું, તેતો સર્વે એ પ્રાણીયે સહ્યું ।।૨૨।।

મોટા મોટા વાઘ વરુ વ્યાળ, તેતો લાવ્યા તિયાં તતકાળ ।

લાવી વળગાડયા એને શરીર, ખાય માંસ ને પિયે રુધિર ।।૨૩।।

મોટા દાંત ને ફાડેલ મુખ, ખાય તન તોડી દિયે દુઃખ ।

તિયાં પ્રાણીયો પાડે પોકાર, ભા’યો કોય કરો મારી વા’ર ।।૨૪।।

નથી ખમાતું નિત્યનું દુઃખ, કહો કેમ પામું હવે સુખ ।

ત્યારે કિંકર કહે છે તેવાર, માં કર્ય સુખ લાલચ્ય લગાર ।।૨૫।।

પાપકરતાં પાછું નવ જોયું, ખોટા સુખમાં જીવિત ખોયું ।

હવે સુખની લાલચ ત્યાગી, કર્યાં કર્મ ભોગવ્ય અભાગી ।।૨૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

એમ દુઃખ દઇ જો અપાર, પછી કાઢે છે પુરથી બા‘ર ।

ત્યાંથી નાનાક્રંદ પુર કાવે, તેતો આઠ માસ વિતે આવે ।।૨૭।।

તેના દંડ છે જુજવી જાતે, જીવ ભોગવે છે બહુ ભાતે ।

કાપે તન તળી તળી ખાય, વળી મુખે કહેછે વાહવાય ।।૨૮।।

આવું માંસ કોઇનું ન દીઠું, જમ કે’છે લાગે છે જો મીઠું ।

માંસ પાપીનું ક્યાંથકી મળે, એમ વખાણ્યું જમ સઘળે ।।૨૯।।

એમ જીવને દુઃખ દિયે છે, લાગ લોહી માંસનો લિયેછે ।

નાના પ્રકારના દંડ દઇ, જમ કિંકર ચાલે છે લઇ ।।૩૦।।

ત ે ન ા ે ત ે જ મ ા ગર્ ક હ ે વ ા ય , સ ુ ક ૃ િ ત ન ે સ ુ ખ રૂ પ થ્ ા ા ય । દાન પુણ્ય પાળ્યો સતધર્મ, કર્યાં હોય અહિંસાદિ કર્મ ।।૩૧।।

તેને એ વાટમાં નહિ દુઃખ, દુઃખ પામે પ્રભુના વિમુખ ।

એમ જમપુરીની વાટ જાણો, કહીછે પુરાણે તે પ્રમાણો ।।૩૨।।

પછી નવ માસે નિરધાર, પો’ચે સુતપ્ત શહેર મોઝાર ।

સુતપ્તમાં તપાવીને લોઢું, બાળે હાથ પગ અંગમોઢું ।।૩૩।।

એમ સર્વે અંગ એમાં બાળે, પુણ્યવિના શાંતિ કોણ વાળે ।

છત્ર વસ્ત્ર જોડા પાણી ઠામ, પંખા ચંદન ઘર વિશ્રામ ।।૩૪।।

ચંદ્રવા આદિ આપે જો દાન, તેણે સુખ પામે એ નિદાન ।

તેતો ન આપ્યું ને ન અપાવ્યું, માટે એ દુઃખ સૌ ભોગવાવ્યું ।।૩૫।।

દઇ દુઃખ કાઢ્યો પુર બા’ર, માથે પડેછે મુદગર માર ।

ત્યાંથી દશમે માસે જરૂર, આવે છે એ પ્રાણી રૌદ્રપુર ।।૩૬।।

તેતો અતિશય ભયંકાર, આવી જાચેછે ત્યાંના રહેનાર ।

આપ્ય અમને ખાવું કાંઇ ખાવા, તો તુંને અમે આપિયે જાવા ।।૩૭।।

ક્યાંથી આપે આપ્યું નહિ કેડે, ભુખ્યા દૂત પછી આવી પીડે ।

ખાઇ ધરાઇને કાઢે બા’ર, નથી વાટમાં સુખ લગાર ।।૩૮।।

સેવ્યા હોય ખોટા ગુરુ જેવા, જમરૂપ ધરી આવે એવા ।

દેખે દૂરથી આવતા એને, જીવ જોઇ રાજી થાય તેને ।।૩૯।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

જ મ દ ૂ ત ન ે ક હ ે છ ે પ્ર ા ણ ી , અ ા વ્ ય ા વ ા ’ ર ે ગ ુ રુ ગ ુ ર વ ા ણ ી । જોને ભેળી છે ભેખની ઝુંડી, કરશે તમારી ગતી જો ભૂંડી ।।૪૦।।

એમ મનમાં આનંદ આણી, અતિ પ્રફુલ્લિત થાય પ્રાણી ।

જાણે હમણાં મુકાવશે મુને, ત્યાંતો આવી ખાય છે વપુને ।।૪૧।।

તેને દુઃખે દુઃખી જીવ થાય, કહે ભરમાણો હું ભેખમાંય ।

ત્યારે જમગુરુ કહેછે પ્રાણી, અસદ્‌ગુરુની એધાંણી ન જાણી ।।૪૨।।

આખી વિશ્વનાં રાખ્યાં’તાં ફેલ, વળી વ્યભિચારી ને વટલેલ ।

કરતા ખોટો પ્રભુનો આકાર, નિંદતા ધર્મ નિ’મ સદાચાર ।।૪૩।।

હતાં એવાં પ્રસિદ્ધ એંધાણ, તેની પડી તુંને ઓળખાણ ।

ખોયો જન્મ તેં ખોટાને સંગે, એમ કહી ચલાવે છે મગે ।।૪૪।।

અ ે મ િ વ ત ે મ ા સ અ િ ગ ય ા ર , અ ા વ ે પ્ર ય ા ે વ ૃ ષ્ ા ણ મ ા ે ઝ ા ર । તિયાં જીવને આવતો જોઇ, થાય રાજી જમ સહુ કોઇ ।।૪૫।।

ભલે આવ્યો તું ભાંગવા ભૂખ, તુંને જોઇ ટળવળેછે મુખ ।

જાણું હમણાં જાયે તુંને ચાવી, પણ ખાશું તુંને નવરાવી ।।૪૬।।

તિયાં ટાઢાં જળ હિમસરખાં, તેનો વરસાવેછે માથે વરષા ।

તેણે ભીંજી ધ્રુજે જીવ વળી, ઉડે ટાઢ આપી હોય કામળી ।।૪૭।।

પછી ત્યાંથી ચલાવે છે મગે, માસ સાડા અગિયાર લગે ।

દેખેછે દૂરથી શહેર સારૂં, પણ માંહીછે જમ હજારૂં ।।૪૮।।

જોઇ રહ્યા છે જીવની વાટ, ખાવા માંસ પીવા લોહી માટ ।

આવે છે સહુ ઉઠીને સામા, કે’છે અમે તારા કાકા મામા ।।૪૯।।

અવળે મારગે ચલાવ્યો તુંને, તેતો ખાવા સારૂં આ સહુને ।

આપ્ય ખાવા જાવા દૈયે જાણ, એમ કહેછે સહુ જમરાણ ।।૫૦।।

પછી અંગે ચોળી મરચું મરી, મીઠું ભુંશી ખાય ખાંતે કરી ।

એનું નામ શીતાઢય નગર, વ્યાપે શીત ધ્રુજે થરથર ।।૫૧।।

ગોદડાં ગાદલાં સજ્યા સોય, ઓછાડ ઓશિકાં આપ્યાં હોય ।

તેણે સુખ પામે એહ પ્રાણી, માટે દાન દેવું એવું જાણી ।।૫૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

તે જો ના’પ્યું હોય નિજ હાથે, ત્યારે સંભારેછે સગાંસાથે ।

તેતો ક્યાંથી આપે એહ કેડયે, પછી રુવે પ્રાણી એહ પીડયે ।।૫૩।।

ત્ ય ા ં થ્ ા ી જ મ દ ૂ ત દ ઇ મ ા ર , ચ લ ા વ ે છ ે પ્ર ા ણ ી ન ે અ પ ા ર । બહુ દુઃખે વીતે માસ બાર, આવે બહુભીતી પુર તે વાર ।।૫૪।।

તિયાં જમના દંડને જોઇ, ભય પામી પ્રાણી દિયે રોઇ ।

કહેછે આ રાતાં ઝાડ છે શાનાં, નથી કેશું કેસર ચંપાનાં ।।૫૫।।

ઉં ચ ા ં ન ી ચ ા ં ઉ ડ ે છ ે પ વ ન ે , જા ણ ુ ં હ મ ણ ા ં અ ડ શ ે ગ ગ ન ે । તેને જમકિંકર એમ કહેછે, નથી ઝાડ એ લોહી ઉડેછે ।।૫૬।।

ત ુ ં જ ે વ ા ન ા ે ક ર ે છ ે ત પ ા સ , મ ા ય ેર્ લ ા ે હ ી ઉ ડ ે છ ે અ ા ક ા શ । તે સાંભળી જીવ ફડકેછે, કંપે કાળજ છાતી થડકેછે ।।૫૭।।

એવા પ્રેતના પ્રહાર સાંભળી, તેવા માનેછે પોતાને વળી ।

કહે કિયાં જાઉં કેમ કરૂં, આ મારથી હું કેમ ઉગરૂં ।।૫૮।।

ન કર્યું દાન પુણ્ય સંત સેવા, સેવ્યા તેં જમકિંકર જેવા ।

આપી પાપીએ અવળી મતિ, કરાવી આ મારગમાં ગતિ ।।૫૯।।

ક ય ુર્ ં મ ા ે ટ ા ક સ ા ઇ ન ુ ં ક ા મ , મ ા ે ક લ્ ય ા ે મ ુ ન ે જ મ ન ે ધ ા મ । એમ શોચે પ્રાણી સુંણો સહુ, કહે નિષ્કુલાનંદ શું કહું ।।૬૦।।

કડવું ।।૧૦।।

પૂર્વછાયો- સંકટ કહ્યાં સોળે શહેરનાં, સંક્ષેપે કરી મેં મુખ ।

પણ લખ્યાથી છે લાખ ઘણું, ભાઇ દંડ તણું ત્યાં દુઃખ ।।૧।।

સ ા ચ ા સ દ ્‌ ગ ુ રુ સ ં ત ન ા ે , અ ં ગ ે લ ા ગ્ ય ા ે ન િ હ ઉ પ દ ે શ ।

પાપે પૂરણ પાપીયો, લિયે સુખ ક્યાંથી લવલેશ ।।૨।।

અ ે મ જ મ દ ૂ ત ે જા ે ર ે ક ર ી , પ ં થ્ ા ક ર ા િ વ ય ા ે બ હ ુ પ ે ર । વર્ષ વિત્યું એક વાટમાં, ત્યારે પો’ચ્યો સંયમિની શહેર ।।૩।।

શોભા સંયમિની શહેરની, વળી અતિ ઘણું છે અનૂપ ।

તેહજ પાપી પ્રાણીને, દેખતાં થાયે દુઃખરૂપ ।।૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

ચોપાઇ- પુણ્યવાન હોય કોઇ પ્રાણી, દેખે સંયમિની શોભાખાણી ।

તેહ પુરતણું પરિમાણ, કહું સુણજો સહુ સુજાણ ।।૫।।

શતજોજન લંબાઇ લૈયે, પહોળી પણ સો જોજન કૈ’યે ।

કિલ્લો કનકનો તિયાં રાજે, શોભે ચાર સુંદર દરવાજે ।।૬।।

એક સોનાનો બીજો રૂપાનો, ત્રીજો દ્વાર તાંબાનો છે માનો ।

ચોથો લોઢાનો દરવાજો લૈયે, દ્વાર ચાર એ પુરીનાં કૈ‘યે ।।૭।।

તિયાં જેનાં જેવાં કર્મ હોય, તેવે દ્વારે જાય જીવ સોય ।

ઉત્તર દ્વાર અનુપમ અતિ, તિયાં પુણ્યવાન કરે ગતિ ।।૮।।

જીયાં રાજ માર્ગ ચૌટા શેરી, બહુ શોભાએ શોભે ઘણેરી ।

મેડી મો’લ હવેલીઓ શોભે, જોઇ પુષ્પઝાડ મન લોભે ।।૯।।

મીઠી વાણીએ કરે પંખી રવ, શોભે ભૂમિ ત્યાં બહુ વૈભવ ।

ધ્વજા પતાકા ત્યાં બહુ પેર, તેતો બાંધ્યાં ઘણાં ઘેરોઘેર ।।૧૦।।

રાજ દુર્ગદ્વાર સ્ફાટિક મણિ, કનક કમાડે શોભેછે ઘણી ।

વળી બ્રહ્માના પુત્ર જે બાર, શ્રવણ દેવતા બેઠાછે દ્વાર ।।૧૧।।

પિતૃગણ જે અગ્નિષ્વાતાદિ, તેના ગોત્રપુરૂષ સત્યવાદી ।

તેણે આપી આશીષો જે ઇયાં, તેને ભાવે લઇ વસ્યા તિયાં ।।૧૨।।

િ ત ય ા ં પ ુ ણ્ ય વ ા ળ ા ે જી વ જા ય , દ ે ખ ે િ વ ષ્ ણ ુ સ મ ધ મર્ ર ા ય । હવે કહું અધર્મીની રીત, દેખે એ પુરી મહા ભયભીત ।।૧૩।।

અ ે ન ે લ ઇ અ ા વ ે લ ા ે હ દ્વ ા ર , મ ા ર ે ક ર ે ક ા ય ર પ ા ે ક ા ર । ભર્યો લોહ ગોખરૂએ મારગ, તેહ ઉપર મંડાવે પગ ।।૧૪।।

મોટા શ્વાન સર્પ સિંહ ઘણા, મળે સામા એવા બિયામણા ।

ગીધ ગજર્ય કવા ચિલ ચાર, કરે ઉલૂ શબ્દ ભયંકાર ।।૧૫।।

એવા શબ્દ સાંભળતાં કાને, ચાલ્યો જાયછે પાસે રાજાને ।

રાજદ્વારે લોઢાનાં કમાડ, અતિ તિખા ખિલા અંગફાડ ।।૧૬।।

તેમાં તાણી જાય જમ જોરે, ફાટે તન ત્યાં પ્રાણી બકોરે ।

પછી આવેછે રાજાને પાસ, દેખી રૂપ પામે પ્રાણી ત્રાસ ।।૧૭।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

રોષે ભર્યા અતિશે રીસાળ, દેખે ધર્મને મહાવિકરાળ ।

સામું જોયું પણ નવ જાય, જોઇ જીવ કરે ત્રાય ત્રાય ।।૧૮।।

લીધો લોહતણો દંડ હાથે, જાણ્યું કોપી રહ્યા પાપી માથે ।

અતિ આંખ્યો દેખે ભરી રીસે, લાંબા દાંત મુખબા’ર દિસે ।।૧૯।।

મોટી દાઢી લોઢા જેવું દેહ, દેખે પાપી રૂપ એવું તેહ ।

એવા સૂર્યસુત ધર્મરાય, તેને પૂછયું દૂતે લાગી પાય ।।૨૦।।

અમે આવ્યા પ્રાણી એક લઇ, તેની આપોછો આગન્યા સઇ ।

ત્યારે રાયે તે કરી વિચાર, પૂછયું ચિત્રગુપ્તને તે વાર ।।૨૧।।

કહો આ પ્રાણીનાં પુણ્ય પાપ, જોઇ ખાતું ને દિયો જબાપ ।

ત્યારે પ્રધાન કે’છે સુણો રાય, એનાં પાપ કહ્યાં નવ જાય ।।૨૨।।

કો’તો સંક્ષેપે સૂચવું સ્વામી, એણે કર્યું જે નરતન પાપી ।

સુણ્યું શ્રવણે વિષયી ગાન, હરિકથામાં ન દીધા કાન ।।૨૩।।

રસિકપ્રિયા રસમંજરી, એવાં બહુ સાંભળ્યાં ભાવ ભરી ।

નયણે નિરખી નારીનું રૂપ, કર્યાં નેત્ર તેમાં તદરૂપ ।।૨૪।।

કર્યો ત્વચાએ નારીનો સ્પર્શ, ગાયા જીહ્વાએ નારીના જશ ।

નાસે નિત્ય કુવાસના લેતો, મુખે શ્રીકૃષ્ણભૂલ્યે ન કહેતો ।।૨૫।।

ક ર ે પ ૂ ર ણ િ વ ક મર્ ક ય ાર્ ં , પ ગ ે પ ગ લ ા ં પ ા પ મ ા ં ભ ય ાર્ ં । જે જે વડયે થાય શુભકર્મ, તેતે વડયે કર્યું છે અધર્મ ।।૨૬।।

એવું સુણી બોલ્યા ધર્મરાય, સુણ્ય પાપી તેં કર્યો અન્યાય ।

કર્યા ગુણ ન જાણ્યા તેં કેમ, કાંરે કૃતઘ્ની તું થયો એમ ।।૨૭।।

જ ે ણ ે ઉ દ ર મ ા ં ક ર ી સ ા ર , અ ા પ્ ય ા ે મ ન ુ ષ્ ય ન ા ે અ વ ત ા ર ।

માગે દેવ મનુષ્યનો દેહ, પામ્યો અભાગિયા તન તેહ ।।૨૮।।

ભ ર ત ખ ં ડ જ ં બ ુ દ્વ ી પ મ ા ં ય ે , ર હ ે પ્ર ગ ટ શ્ર ી હ િ ર જ્ ય ા ં ય ે । એવી ભૂમીમાં નરતન પામી, જ્યારે થયો તું લુણહરામી ।।૨૯।।

કરી આવ્યો તું અતિ અનર્થ, બક્ષુ ગુન્હા અમે નહિ સમર્થ ।

બોલ્યા રાય કરી અતિ કોપ, પાપી કરી તેં આગન્યા લોપ ।।૩૦।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

શ ે ષ્ ા ગ ણ ે શ શ િ શ સ ૂ ર જ , ઇ શ અ મ ર ે શ વ ળ ી અ જ ।

તેતો ન લોપે આગન્યા લેશ, તેથી પણ તું થયો સરેશ ।।૩૧।।

જે તેં ન ગણ્યા હુકમી હરિને, આવ્યો એવું તું કામ કરીને ।

નથી જોયા જેવું તારૂં મુખ, જાજા પરો પ્રભુના વિમુખ ।।૩૨।।

લઇ જાઓ કિંકર યાંથી બા’ર, દિયો દંડ પ્રચંડ અપાર ।

એવું સુણ્યું કિંકર સઘળે, ચાલ્યા જીવને ઝાલીને ગળે ।।૩૩।।

કર્યો માર અખાડામાં ઉભો, જાણી અતિશે પાપી અશુભો ।

પછી અનેક આયુધ લાવ્યા, તર્ત અગ્નિ માંયે તપાવ્યાં ।।૩૪।।

તેણે બાળેછે પાપીનું તન, જેણે લોપ્યાં હરિનાં વચન ।

દઇદઇ પાપના એંધાણ, કિંકર કરેછે બહુ હેરાણ ।।૩૫।।

પ છ ી ત ન ત ળ ે ત ે લ મ ા ં ય , ત ે ન ે દ ુ : ખ ે ક ર ે હ ા ય હ ા ય । હાથ હથેળીમાં ખિલા ખોડે, પગ ઘુંટીએ ઘણેશું તોડે ।।૩૬।।

આંખ્યમાં ગજ ઘાલે લોઢાના, ભુંડા હાલ કરેછે મોંઢાના ।

તોડે જીભ સાંણશિયે તાણી, જે કોય બોલ્યો’તો અસત્ય વાણી ।।૩૭।।

બાળે કાન શિશાં ઉનાં ઘાલી, જેને વિષયવાત લાગી વા’લી ।

પછી દંડનો બીજો ઉપાય, કરેછે વિચાર મનમાંય ।।૩૮।।

ક ર ે લ ા ે હ ત ણ ી ન ર ન ા ર , ત ે ન ુ ં ત ન ત પ ા વ ે અ પ ા ર ।

પછી કિંકર કહે વ્યભિચારો, ભરો બાથ શું મને વિચારો ।।૩૯।।

જ ે ણ ે બ ા થ્ ા ભ ર ી અ ે ક વ ા ર , ત ે ન ી ભ ર ા વ ે વ ા ર હ જા ર ।

પરપુરૂષ ને પરનારી, પામે વિષય સુખે દુઃખ ભારી ।।૪૦।।

એમ દુઃખ દિયે છે અનંત, કહેતાં મુખે નાવે તેનો અંત ।

શિયું થયું હજી શિયું થાશે, જીવ નરકના કુંડમાં જાશે ।।૪૧।।

ત્યાં તો તપાશી તપાશી પાપ, કરશે જમના દૂત સંતાપ ।

રતિરતિ તણું લેખું લેશે, તે પ્રમાણે તેવો દંડ દેશે ।।૪૨।।

પ ળ પ ળ ન ા ં પ ા પ સ ં ભ ા ર ી , ક ા ’ સ ે િં ક ક ર ત ે મ ા ર ી મ ા ર ી । થાકી જાશે જમદૂત જ્યારે, પછી પૂછશે પાપીને ત્યારે ।।૪૩।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

ભાઇ અમે કા’યા તું ન કા’યો, ભલો માર અપાર તેં ખાયો ।

એમ કહિ વિચારે છે જમ, હવે કરિયે કોઇક ઉદ્યમ ।।૪૪।।

થોડે મારે દુઃખ ઘણું થાય, એવો ગોતી કાઢિયે ઉપાય ।

તૈયે બોલ્યો એક જુનો જમ, સર્વે મારની મુને છે ગમ ।।૪૫।।

તાળુ લલાટે તાડન કરો, મુખ આંખ્યુંમાં મરચાં ભરો ।

લમણામાં મારો લોહ લાંઠયે, એમ ભાંગો અંગ ગાંઠો ગાંઠ્યે ।।૪૬।।

ગ ળ ુ દ બ ા વ ા ે ન ે ઘ ડ ી વ ા ર , ત ે ણ ે પ ા મ શ ે દ ુ : ખ અ પ ા ર । છાતીમાંય મારો મોટા ઘણ, ભાંગી કચરી નાખો વૃષણ ।।૪૭।।

કોણી કાંડાં ગોંઠણમાં ઘાવ, એહ કહ્યા મરમના દાવ ।

દુંટી ઘુંટી નળી વળી વાઢો, નખ વિશ વળી તાણી કાઢો ।।૪૮।।

એમ દિયો દાવ ગોતી દુઃખ, તો હમણાં એ કા’સે વિમુખ ।

પછી તેમજ કિંકર કીધું, થોડે ંમારે દુઃખ બહુ દીધું ।।૪૯।।

ત્ ય ા ર ે ક ઠ ણ પ્ર ા ણ ી ન ે પ ડ ્ય ુ ં , ક ય ાર્ ક મર્ ત ણ ુ ં ફ ળ જ ડ ્ય ુ ં । જેવો ઇયાં મા’લ્યો મગરૂર, તેવો તિયાં મારી કર્યો ચુર ।।૫૦।।

માટે સહુ વિચારજ્યો વાત, પોત પોતાની કરશોમાં ઘાત ।

સહુ સારૂં પોતાનું કરજ્યો, સુંણી જમના દંડને ડરજ્યો ।।૫૧।।

ખરૂં છે એ ખોટું નહિ થાય, પછી વિચારશો મનમાંય ।

કહે નિષ્કુલાનંદ શું કથી, પ્રભુ ભજ્યા વિના સુખ નથી ।।૫૨।।

કડવું ।।૧૧।।

પૂર્વછાયો- પછી પ્રાણી પોકારીને, કહે સુણો ધર્મ નિદાન ।

અધર્મ આવો કાં કરો, કાંરે કોયે ન સાંભળો કાન ।।૧।।

જ ે િ દ થ્ ા ી ત ન મ ેં ત્ ય ા િ ગ ય ુ ં , ત ે િ દ થ્ ા ી મ ા ર ા ે જ મ ા ર । અંગોઅંગ ભાંગી ગયાં, હજી તોય ન આવ્યો પાર ।।૨।।

ઘ મર્ ન ા મ શ ી દ ધ ા ય ુર્ ં , જ્ ય ા ર ે દ ય ા ન િ હ િ દ લ મ ા ં ય ।

મુજ જેવા કંગાલપર, નથી કરૂણા જો કાંય ।।૩।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

મ ેં જા ણ્ ય ુ ં મ ન મ ા હ ર ે , ગ ુ ન્ હ ા બ ક્ષ્ ા સ ે ધ મર્ ર ા ય ।

ત્યાંતો સામું કોપ કરી, મુને નાખ્યો મહાદુઃખમાંય ।।૪।।

અ ે વ ુ ં સ ુ ણ ી ર ા ય બ ા ે િ લ ય ા , ત ુ ં સ ા ં ભ ળ્ ય પ ા પ ી વ ા ત । જમદંડને તેં જુઠા જાણી, ઘણીઘણી કરતો ઘાત ।।૫।।

ક હ્ય્ ા ુ ં શ ા સ્ત્ર સ ં ત ે મ ળ ી , સ ુ ણ ી ત ેં ન મ ા ન્ ય ુ ં મ ન ।

આજ મનાવે છે અમને, જેને છે હરિનું વચન ।।૬।।

સ ા ચ ા સ ં ત થ્ ા ી સ ુ ણ્ ય ુ ં ન િ હ , સ ત્ ય શ ા સ્ત્ર ન ુ ં ત ેં સ ા ર । નિજ દોષ નથી દેખતો, કરેછે બીજાને ગુનેગાર ।।૭।।

હવે લઇ જાઓ જમદૂત એને, આપું છું આગન્યા એહ ।

અઠ્ઠાવિશ જે નરક છે, હવે ભોગવે મર તેહ ।।૮।।

અ ે મ ર ા ય ે અ ા જ્ઞ્ ા ા ક ર ી , ત ે ધ ર ી જ મ દ ૂ ત િ ચ ત્ત્ ા ।

કઠણ છે કૂપ નરકના, મહા ભયંકાર ભયભીત ।।૯।।

ત ે જ ુ ક્ ત ે ક ર ી ક હ ુ ં જ ુ જ વ ા ં , ક હ ુ ં ન ર ક ન ા ં જ ે ન ા મ । જેહ પાપે પડે નરકમાં, પાપી પુરૂષ ને વામ ।।૧૦।।

પ ં ચ મ સ્ ક ં ધ ે પ ર ી િ ક્ષ્ ા ત પ્ર ત્ ય ે , શ ુ ક ે ક હ્ય્ ા ા ં ન ર ક સ ા ે ય । વિધવિધે તે વર્ણવું, તમે સાંભળજ્યો સહુ કોય ।।૧૧।।

ત ા િ મ સ ્ર અ ં ધ ત ા િ મ સ ્ર , ર ા ૈ ર વ મ હ ા ર ા ૈ ર વ જ ે ।

કુંભિપાક ને કાળસૂત્ર, અસિપત્રવન દુઃખદવ જે ।।૧૨।।

સ ૂ ક ર મ ુ ખ અ ં ધ ક ૂ પ ક િ હ ય ે , ક ૃ િ મ ભ ા ે જ ન ન ે સ ં દ શ ।

તપ્તસૂર્મિ વજ્રકંટક, શાલ્મલી જાણો ત્રયોદશ ।।૧૩।।

વ ૈ ત ર ણ ી પ ુ ય ા ે દ પ્ર ા ણ ર ા ે ધ , વ ૈ શ ા સ ન ન ર ક દ ુ : ખ વ ળ ી ।

લાલભક્ષ સારમેયાદન, અવિચિ અયઃ પાન મળી ।।૧૪।।

અ ે ક વ ી શ ન ર ક અ ે ક હ્ય્ ા ા ં , ક્ષ્ ા ા ર ક દર્ મ ર ક્ષ્ ા ા ે ગ ણ ભ ા ે જ ન । શૂલપ્રોત દંદશૂક, વળી અવટરોધન ।।૧૫।।

પ ય ાર્ વ તર્ ન સ ૂ િ ચ મ ુ ખ , અ ે સ વ ેર્ દ ુ : ખ ન ા ં સ્ થ્ ા ળ છ ે ।

નરક અઠ્ઠાવીશ નામ કહ્યાં, એ પાપીને પાપનું ફળ છે ।।૧૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

જ ે ણ ે જ ે વ ા ં ક મર્ ક ય ાર્ ં , ત ે હ ન ે ત ે હ વ ા ે દ ં ડ ।

પાપી જીવને પીડવા, કર્યા અટ્ઠાવીશ કુંડ ।।૧૭।।

જ ે વ ે પ ા પ ે અ ે જી વ પ ડ ે , ન ર ક મ ા ં ન ર ન ા ર ।

શ્રવણ દઇ હવે સાંભળો, કહું નરક તે નિરધાર ।।૧૮।।

પ ર ધ ન પ ર દ ા ર ા પ ા પ ી , હ ર ે પ ર ન ા ં વ ળ ી બ ા ળ ।

એહ પાપે એહ જીવને, નાખે તામિસ્રમાં તતકાળ ।।૧૮।।

અ િ ત ભ ય ા ન ક ભ ૂ ં ડ ા ે ઉં ડ ા ે , જ ે મ ા ં જ ં ત ુ અ િ ત અ ં ધ ા ર । જમદૂતે ગળે બળે બાંધી, નાખ્યો તેહની મોઝાર ।।૨૦।।

ખાવું પીવું ન દેવું કે’વું, હવે જોજ્યે પાપી તારા હાલ ।

એમ કહીને તાડે પછાડે, પાડે રાડોરાડ્ય કંગાલ ।।૨૧।।

ક હ ે િ ક ય ા ં જા ઉં ક ે મ ક રૂ ં , ક ે મ પ ા મ ી શ દ ુ : ખ ન ા ે પ ા ર ।

પીડા માંહી પ્રાણીયો કરે કાયર સાદે પોકાર ।।૨૨।।

પ છ ી ક ઇ ક ક લ્ પ ે ક ા િ ઢ ય ા ે , અ ે હ ન ર ક થ્ ા ી બ ા ’ ર ।

પાપ તપાસીને પાપીનાં, નાખે અંધતામિસ્ર મોઝાર ।।૨૩।।

ક પ ટ િ વ ક ટ ક ર ત ા ે ભ ર ત ા ે , પ ા પ ી પ ા પ મ ા ં પ ગ ।

ભોળા પુરૂષને છળી વળી, લેતો ધન ત્રિયા તેનું ઠગ ।।૨૪।।

અ ે હ પ ા પ ે ન ા િ ખ ય ા ે , ત ે હ અ ં ધ ત ા િ મ સ ્ર મ ા ં ઇ ।

યમદૂતના મારથી, જેની મતિ ગઇ છે મુંઝાઇ ।।૨૫।।

મ હ ા અ ં ધ ા રૂ ં જ ે મ ા ં મ ા ે ટ ા , જ ં ત ુ અ િ ત શ ે અ ન ં ત ।

રોમેરોમે તન તોડી ખાય, તેનો ન આવે અંત ।।૨૬।।

થ્ ા ડ થ્ ા ક ી જ ે મ ક ા પ ત ા ં , વ ળ ી ઢ ળ ી પ ડ ે ત રુ જ ે મ ।

તેમ પડે એ પ્રાણિયો, પૃથવી ઉપર એમ ।।૨૭।।

િ ન ર ા ધ ા ર િ ન ર ા શ થ્ ા ઇ , બ ા ે લ ી ન શ ક ે મ ુ ખ ।

નિત્ય ઉઠી નવાનવું, કેટલુંક ખમાય દુઃખ ।।૨૮।।

મ ે ’ ર ન અ ા વ ે મ ા ર ત ા ં , ય મ ન ે િ ન ર દ ય ા જા ે ર ।

તેને હાથે પડયો પાપીયો, પાડે બહુ દુઃખે બકોર ।।૨૯।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

પ ૂ ર ણ દ ુ : ખ દ ઇ લ ઇ , ક ા િ ઢ ય ા ે ક ા ે ઇ ક ક ા ળ ।

કર્મ તપાસી તેહનાં, નાખ્યો રૌરવે તતકાળ ।।૩૦।।

અ ધ મ ેર્ ઇ ય ા ં ધ ન મ ે ળ વ ી , પ ા ે ષ્ ય ુ ં િ ન જ ક ુ ળ િ ન જ દ ે હ । આપ સ્વારથ સારૂં મારી, જાત્ય જંતુની જેહ ।।૩૧।।

પ છ ી િ ન જ ક ુ ળ િ ન જ દ ે હ ન ે , ત જી જા ય ે જ મ પ ુ ર ે જ ં ત ।

તેહ પડે રૌરવમાં, જેમાં દુઃખનો નહિ અંત ।।૩૨।।

િ વ ક ટ વ્ ય ા ળ ે ભ ય ા ેર્ ભ ય ા ન ક , ત ે મ ા ં જ મ દ ૂ ત ે ક ર ી જા ે ર ।

નાખ્યો પરાણે એ નરકમાં, ભૂખે દુઃખે પાડે બકોર ।।૩૩।।

ર ા ત િ દ વ સ દ ુ : ખ ી ર હ ે , ન િ હ સ ુ ખ ન ા ે લ વ લ ે શ ।

જાય ઘડી જુગ જેવડી, હેરાણ ગતિ છે હમેશ ।।૩૪।।

ક ં ઇ ક ક ા ળ ે બ ા ’ ર ક ા ઢ ે , જ મ દ ૂ ત ત ે અ ે હ જ ન ।

પાપી પડે મહારૌરવે, જેમાં જંતુઓ તોડે તન ।।૩૫।।

અ ા લ ા ે ક મ ા ં અ ભ ા િ ગ ય ે , મ ા ય ાર્ હ ત ા જી વ ન ે જ ે મ ।

તે જીવ મરી રુરુ થઇ, મારે છે અધર્મીને એમ ।।૩૬।।

િ જ હ્વ ા સ્ વ ા દ ે જી વ ન ા ં , મ ા ર ી ન ે ખ ા ત ા ે ત ા ે મ ા ં સ ।

એમ જ ખાધું એહનું, તેમ જ કરીને તપાસ ।।૩૭।।

અ લ્ પ પ ા પ અ ણ ુ ં જ ે ટ લ ુ ં , વ ળ ી ક ય ુર્ ં હ ા ે ય ક ા ે ઇ સ્ થ્ ા ળ । તે તે સંભારી સરવે, દિયે દુઃખ તેહ પળ ।।૩૮।।

અ ે વ ી ર ી ત ે રુ રુ ત ણ ી , ર ા ય ર ં ક ન ા ે અ ે ક ન્ ય ા ય ।

અધિક ન્યૂન એને નહિ, એમ જાણજ્યો મનમાંય ।।૩૯।।

રુ રુ ન ા મ ે ક્ર વ્ ય ા દ ક ૈ ’ ય ે , ત ે મ ા ં સ ત ા ે ડ ી ત ા ે ડ ી ખ ા ય । જે જીવે નિજ દેહ સારૂં, કર્યા અસત્ય ઉપાય ।।૪૦।।

અ ે મ દ ુ : ખ ન ે ભ ા ે ગ વ ી , જ્ ય ા ર ે િ ન સ ર ે ન ર ક થ્ ા ી બ ા ’ ર ।

પાપી પડે કુંભીપાકમાં, જિયાં દુઃખનો નહિ પાર ।।૪૧।।

પ શ ુ પ ં ખ ી જી વ ત ા ં , ર ા ં ધ ી ન ે ખ ા ત ા ે ત ા ે મ ા ં સ ।

તેને તેલમાં રાંધિયો, કર્યો તેમજ તનનો નાશ ।।૪૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

દ ી ધ ા ં દ ુ : ખ બ હ ુ જી વ ન ે , મ ે ’ ર મ ન મ ા ં ન ા વ ી વ ળ ી ।

તે પાપે પડ્યો નરકમાં, કરી કમાણી આવી મળી ।।૪૩।।

ઉ ગ ્ર સ્ વ ભ ા વ ી અ ભ ા િ ગ ય ા ે , જ ે ન ે ન િ હ ક રૂ ણ ા લ ે શ ।

કોઇ ન કરે કર્મ એવાં, તેવાં કરે છે અહોનિશ ।।૪૪।।

અ ા પ સ્ વ ા થ્ ા ેર્ અ ન થ્ ાર્ ન ા ે , ક ર ત ા ં ન ક ર ે િ વ ચ ા ર ।

જુલમ સર્વે જક્તનાં, રાખ્યાં હૃદયા મોઝાર ।।૪૫।।

પ્ર પ ં ચ ન ુ ં ન વ પ ુ છ વ ુ ં , ક િ હ ય ે ક પ ટ ન ા ે વ ળ ી ક ા ે ટ ।

એહ આદિ અઘે ભર્યો, કોઇ વાતની નહિ ખોટ ।।૪૬।।

ત ે હ પ ા પ ે પ ા પ ી ક ર ે , ક ુ ં ભ ી પ ા ક મ ા ં પ્ર વ ે શ ।

જમદૂત દુઃખ દે ઘણું, જિયાં સુખનો નહિ લેશ ।।૪૭।।

દ ુ : ખ ન ા દ િ ર ય ા ઉ લ ટ ્ય ા , વ ળ ી મ ે લ ી દ ી ધ ી મ ર જા દ ।

આવ્યાં મળી અઘ આપણાં, કરે કિયાં તે ફરિયાદ ।।૪૮।।

હ દ્ય મ ે લ ી ન ે હ ા િ લ ય ા ે , બ ા ં ધ ી વ ૃ ષ્ ા ભ સ ા થ્ ા ે વ ે ર ।

એવા અધર્મીને જોઇને, કહો કેને આવે મે’ર ।।૪૯।।

અ ે વ ી ર ી ત ન ર ક ન ી ક હ ી , પ ં ચ મ સ્ ક ં ધ મ ા ં ય જ ે હ ।

તેમની તેમ મેં લખી, કહે નિષ્કુલાનંદ એહ ।।૫૦।।

કડવું ।।૧૨।।

પૂર્વછાયો- હરિજન દ્રોહી વિપ્ર વિરોધી, ગુરુદેવનો ગુન્હેગાર ।

એવો જે અભાગિયો, તે પડ્યો નરક મોઝાર ।।૧।।

જ ે જ ે વ ા ં ક મર્ ક ર ે , ભ ા ઇ ત ે ન ે જ ત ે વ ા ે દ ં ડ ।

પછી પાપ તપાસી નાખિયો, કાળસૂત્ર નરકને કુંડ ।।૨।।

િ પ ત ા િ વ પ્ર વ ે દ દ્ર ા ે હ ી , પ શ ુ વ ેં ધ ી ક ર ે જ ે પ ા પ ।

તેહ પાપે કાળસૂત્રમાં, પાપી પામે છે સંતાપ ।।૩।।

ત ે ક ુ ં ડ ઉં ડ ા ે ભ ુ ં ડ ા ે ઘ ણ ા ે , અ ે ન ે ઉ પ મ ા ક ે ન ી દ ઇ ય ે ।

પાપી પ્રાણીને પીડવા, સર્વે દુઃખનો સિંધુ કહિયે ।।૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

દ શ હ જા ર જા ે જ ન ફ ર ત ા ે , ત ા ં બ ા વ ર ણ ા ે છ ે ત ે હ ।

ઉપર હેઠે અગ્નિ અર્કે, અતિશય તપાવ્યો એહ ।।૫।।

ચોપાઇ- ભુખ પ્યાસ પીડે ત્યાં અપાર, બળે દેહ અંતર ને બા’ર ।

માર્યાં પશુ શરીરના વાળ, તેને લેખે કિંકર તતકાળ ।।૬।।

અ ે ટ લ ા ં હ જા ર વ ષ્ ાર્ સ ુ ધ ી , મ ા ર ે છ ે અ ે ન ર ક મ ા ં રુ ં ધ ી ।

સુવે બેસે લોટે ઉભો થાય, ધોડે પડે ગોટિકલાં ખાય ।।૭।।

ત ડ ફ ડ ે ફ ડ ફ ડ ે ઘ ણ ુ ં , અ ા વ્ ય ુ ં પ ા પ ક ર ે લ અ ા પ ણ ુ ં ।

લીધો ઘેરી વેરી વશ થયો, મારો મારો કહે દુઃખ દિયો ।।૮।।

શું વિચારી રહ્યા છો મનમાં, કરો પ્રહાર અતિ એના તનમાં ।

પછી તેમજ દિયેછે દુઃખ, પામે પીડા પ્રભુનો વિમુખ ।।૯।।

એવી રીતે વીતે કંઇ દન, પછી નાખ્યો અસિપત્ર વન ।

અસિ જેવી બેઉ કોરે ધાર, એવાં તાડનાં પત્ર અપાર ।।૧૦।।

િ ન જ ધ મર્ વ ે દ ે ક હ્ય્ ા ા ે જ ે હ , અ ા પ ત્ ક ા ળ િ વ ન ા ત જ ે ત ે હ ।

પરનો જે પાખંડ મારગ, ભરે અવશે તે માંહી પગ ।।૧૧।।

ન ી ચ ધ મર્ મ ા ં િ હ બ ા ં ધ ી ન ે હ , ત ે મ ા ં વ ટ લ ા વ ે િ ન જ દ ે હ । કરે અશુભ આહાર અભાગી, કુળધર્મ પોતાનો ત્યાગી ।।૧૨।।

અ ે હ પ ા પ ે અ િ સ પ ત્ર્ ા વ ન ે , પ ડ ે પ્ર ા ણ ી સ હ ે દ ુ : ખ ત ન ે । ધોડે ધાયે કપાયછે પંડ, દિયે દૂત ઉપરથી દંડ ।।૧૩।।

ત ે ણ ે ક ર ી ક ર ે હ ા ય હ ા ય , મ ુ વ ા ે મ ુ વ ા ે અ ા વ ી મ ૂ ર છ ા ય । ફળ પાખંડ ધર્મનું એહ, ભોગવી નર નિસરે તેહ ।।૧૪।।

એવા નરકના કુંડનાં દુઃખ, તેતો કહ્યાં જાય કેમ મુખ ।

કે’તાં કે’તાં નાવે જેનો અંત, એવાં અહોનિશ દુઃખ અત્યંત ।।૧૫।।

વળી આ લોકમાંહી અભાગી, કરે અન્યાય ન્યાય ને ત્યાગી ।

રાજા રાજાના ચાકર જેહ, લુંટે વણવાંકે લોક તેહ ।।૧૬।।

િ દ ય ે સ ં ત િ વ પ્ર િ શ ર દ ં ડ , લ ુ ં ટ ે ઘ ર ગ ા મ શ ે ’ ર ખ ં ડ । વણવાંકે કરે અનરત્ય, પછી નૃપને નૃપના ભૃત્ય ।।૧૭।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

પ ડ ે સ ૂ ક ર મ ુ ખ ત ે ઘ ડ ી , પ ી લ ે જ ે મ ચ ી ચ ુ ં મ ા ં શ ે લ ડ ી । એમ પીલેછે પાપીનું તન, તેણે કરે કાયર રોદન ।।૧૮।।

વ ણ વ ા ં ક ે ર ૈ ય ત ન ે રુ ં ધ ી , લ ી ધ ા ે દ ં ડ મ ા ર ી મ ુ વ ા સ ુ ધ ી ।

ના’વી મે’ર તેની મનમાંય, પરપીડાને ન જાણી કાંય ।।૧૯।।

અ િ ત દ ુ ષ્ટ દ ય ા ન િ હ લ ે શ , અ ે વ ા પ ૃ થ્ ા વ ી પ ર ન ર ે શ ।

એવા રાજા ને રાજાના ભૃત્ય, પડે સૂકરમુખે પામી મૃત્ય ।।૨૦।।

સહે દુઃખ કાળ કઇ જાય, ત્યારે એ દુઃખમાંથી મુકાય ।

સૂકરમુખનું દુર્ઘટ દુઃખ, તે ભોગવે હરિના વિમુખ ।।૨૧।।

ક ય ુર્ ં ન ર શ ુ ં િ ન : શ ં ક થ્ ા ઇ , અ ે વ ા પ્ર ા ણ ી ન ી અ ે ગ ત ી ક ઇ । વળી આલોકમાં જે વિમુખ, દિયે અલ્પ જીવને દુઃખ ।।૨૨।।

ચાંચડ માંકડ જુ જુવા જેહ, બગા માંખી કીડી આદિ તેહ ।

પશુ પંખી વ્યાળાદિક વળી, એવા માર્યા જંતુ બહુ મળી ।।૨૩।।

અ ે હ પ ા પ ે પ ડ ે અ ં ધ ક ૂ પ , જ ે મ ા ં અ િ ત ત મ દ ુ : ખ રૂ પ ।

વળી ઝેરવાળા જંતુ બહુ, આવી વળગે અંગમાં સહુ ।।૨૪।।

ન ા વ ે િ ન દ્ર ા ન િ હ સ ુ ખ ઘ ડ ી , ધ ા ે ડ ે અ ક ળ ા ય ે જા ય પ ડ ી । શ્વાસ વિના જણાય શરીર, ચાલે આંખ્યુંમાં ચોધારાં નિર ।।૨૫।।

હાય મુવો મુવો કહે મુખ, ભાઇયો નથી ખમાતું આ દુઃખ ।

એમ ભોગવે દુઃખ અપાર, કૈક કલ્પ વીતે કાઢે બા’ર ।।૨૬।।

પ છ ી ક ય ાર્ ં ક મર્ ત ે હ વ ડ ે , પ ા પ ી ક ૃ િ મ ભ ા ે જ ન મ ા ં પ ડ ે । જેણે ખાધું નહિ વે’ચી અન્ન, વળી ન કર્યાં પંચ જગન ।।૨૭।।

નાપ્યું અતિથિને અન્ન કાંઇ, ખાધું એકલાં ખુણે સંતાઇ ।

એ પાપે નાખે જમ પરાણે, કૃમિભોજન નરકની ખાણે ।।૨૮।।

શત સહસ્ર જોજન જેમાં જંત, ભર્યા કૃમિયા જેમાં અત્યંત ।

તેમાં નાખી કીટ ખવરાવે, દઇ માર મુખે ચવરાવે ।।૨૯।।

ક હ ે પ ા પ ક ર ત ા ે ત ુ ં પ્ર ા ણ ી , જ મ ન ા દ ં ડ ન ે જ ુ ઠ ા જા ણ ી । તેતો સાચાં થયાં પુણ્ય પાપ, હવે સુખે ભોગવ્ય તું આપ ।।૩૦।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

સ ુ ખ સ ર વ ે ગ ય ુ ં છ ે મ ટ ી , અ ા વ્ ય ુ ં અ ે ક લ ુ ં દ ુ : ખ ઉ લ ટ ી । રાત દિવસ રોતાં ને રોતાં, દિન જાશે બહુ દુઃખ ડોતાં ।।૩૧।।

અ ે મ દ ઇ દ ૂ ત દ ુ : ખ ભ ા ર ે , ક ૈ ક વ ષ્ ાર્ વ ી ત ે ક ા ઢ ે બ ા ’ ર ે । ત્યાંથી નાખે સંદશ મોઝાર, જેમાં દુઃખતણો નહિ પાર ।।૩૨।।

જ ે હ પ ા પ ે પ ડ ે અ ે મ ા ં જી વ , ત ે હ વ ા ત ક હ ુ ં ત ત ખ ે વ ।

નરે ન કર્યાનાં કામ કીધાં, જેને તેને દુઃખ બહુ દીધાં ।।૩૩।।

જ ે ણ ે અ ા લ ા ે ક ે િ વ પ્ર ન ા ં ધ ન , ચ ા ે ય ાર્ ં સ ુ વ ણ ાર્ િ દ ક ર ત ન । વળી વણપડયે આપતકાળ, ચોરે હેમ બીજાનું ચંડાળ ।।૩૪।।

જ ે ન ુ ં ત ે ન ુ ં લ ે વ ુ ં ઝ ડ ી ઝ ા ે ટ ી , ખ ર ા ે ત સ્ ક ર ન જ ર ખ ા ે ટ ી ।

પાપી પોતાના સુખને કાજ, કરે દગા બહુ દગાબાજ ।।૩૫।।

તેને નાખે છે સંદશ નરકે, જેના દંડ દુઃખે પ્રાણી થરકે ।

લાવે લોહસાણસિયો તાતી, તેણે તોડે ત્વચા કર છાતી ।।૩૬।।

કાઢે તનતણી રગો તાણી, રખે ચોરતા જુઠું એ જાણી ।

સર્વે ઋષિ મુનિનો એ મત, તેતો કેદી ન થાય અસત ।।૩૭।।

મોટા મોટા ગયા એમ કથી, ખરાખરી છ ે ખોટી એ નથી ।

એમ ભોગવી દુઃખ વિકર્મી, ત્યાંથી કાઢી નાખે તપ્તસૂર્મી ।।૩૮।।

જ ે પ ા પ ે અ ે ન ર ક મ ા ં પ ડ ે , ક ય ાર્ ં ક મર્ ત ે ક ે મ ન ન ડ ે । કામવશ થઇને કુકર્મી, કરે અનર્થ નર અધર્મી ।।૩૯।।

આ લોકે અગમ્ય એવી દાર, પાપી તેશું કરે વ્યભિચાર ।

અથવા અગમ્ય એવો પુરુષ, કરે નારી સંગ કામવશ ।।૪૦।।

ત ે હ પ ુ રુ ષ્ ા ન ે ત ે હ ન ા ર , પ ા મ ે ન ર ક મ ા ં દ ુ : ખ અ પ ા ર । તિયાં ત્રિયા કરે લોઢાતણી, અતિ તપાવેછે તેહ ઘણી ।।૪૧।।

ત ે શ ુ ં બ થ્ ા લ ે વ ા ર ે બ હ ુ વ ા ર , અ ે ક વ ા ર ન ી વ ા ર હ જા ર । તેમ લોઢાનો પુરૂષ તપાવી, બથ ભરાવે નારીને લાવી ।।૪૨।।

નારી નિરખે ચિંતવે ને સ્પરશે, તે નર મરી જન્મ જ્યાં ધરશે ।

તિયાં પામશે તેહનું ફળ, ખરો ખ્વાર થાશે નર ખળ ।।૪૩।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

જ ે ણ ે જા ે ઇ ન ય ણ ે પ ર ન ા ર ી , થ્ ા ઇ ક ા મ ા ત ુ ર ભ ુ ર ભ ા ર ી । તે નર જન્મોજન્મ આંધળો, થાય જાય જનમ સઘળો ।।૪૪।।

વળી જે જન ચિંતવે નારી, વિષયસુખે ન મેલે વિસારી ।

તે નર ક્ષયરોગમાં ખવાય, એવું ચિંતવ્યાનું ફળ થાય ।।૪૫।।

જેહ નર સ્પર્શે પર નારી અંગ, થાય કોઢિયો તેને પ્રસંગ ।

એમ જન્મોજન્મ દુઃખ પામી, ખોશે આવરદાને હરામી ।।૪૬।।

એ પ્રમાણે યોષિતાનું જાણો, મળે ફળ સમ પરમાણો ।

ભાંગી મર્યાદા મહાપ્રભુ કેેરી, તેને કયાંથી મલે સુખ ફેરી ।।૪૭।।

ભેળાં લીધાંછે પૂરણ ભાતાં, તેતો ખુટશે નહિ ખાતાં ખાતાં ।

કરી આવ્યો છે પુરી કમાણી, જમપુરનું દુઃખ જુઠું જાણી ।।૪૮।।

એમ નર નારી થાય હેરાણ, જેના વિષય સાથે બાંધ્યા પ્રાણ ।

એમ દુઃખ પામે દોય આપ, જેણે કર્યાં છે પૂરણ પાપ ।।૪૯।।

ત ે ન ી વ ા ત ક હ ી બ હ ુ િ વ ધ , છ ે જા ે અ ે મ પ ુ ર ા ણ ે પ્ર િ સ દ્ધ । કહી નિષ્કુલાનંદે એ કથી, સત્ય માનજ્યો જુઠી એ નથી ।।૫૦ ।।

કડવું ।।૧૩।।

પૂર્વછાયો- એહ નરકથી નિસર્યો, બહુ વરસ રહી બા’ર ।

ત્યાર પછી દુઃખ પામશે, તે કહું કરી વિસ્તાર ।।૧।।

વ જ્ર ક ં ટ ક શ ા લ્ મ લ ી , ન ા મ ે ન ર ક િ ન દ ા ન ।

જેહ પાપે પાપી પડે, કહું સૌ સુણો દઇ કાન ।।૨।।

પ ા પ ી પ ર િ ત્ર્ ા ય પ શ ુ અ ા િ દ , ક ર ે ક ા મ વ શ પ્ર સ ં ગ ।

એહ પાપે પરલોકમાં, પામે તે દુઃખ અભંગ ।।૩।।

સ્ પ શર્ ન ા જા ે સ ુ ખ સ ા રૂ ં , ક ય ા ેર્ ધ મર્ ન ા ે ત ે લ ા ે પ ।

તેની ઉપર દૂત જમના, કરેછે અતિશય કોપ ।।૪।।

સ મ ુ ં ક હ ે ત ા ં વ સ મ ુ ં , સ મ ઝ ત ા ે ન ર સ ા ે ય ।

વજ્ર કંટકે વસિયો, જ્યાં સા’ય ન કરે કોય ।।૫।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

વ જ્ર સ િ ર ખ ે ક ા ં ટ ે ક િ હ ય ે , શ ા લ્ મ લ ી ન ા ં ઝ ા ડ ।

તેહ ઉપર નાખી તાણે, પાડે ત્યાં રાડોરાડ ।।૬।।

દ ે ત ા ં દ ં ડ જ મ દ ૂ ત હ ા ર ે , ત્ ય ા ર ે જ અ ા વ ે અ ં ત ।

ચાલતો વહીવટ વિપત્તિનો, સત્ય માનજ્યો બુદ્ધિવંત ।।૭।।

અ ે મ પ્ર ા ણ ી ભ ા ે ગ વ ે , િ ન ત્ ય પ્ર ત્ ય ે દ ુ : ખ અ ન ં ત ।

ત્યાંથી પડે વૈતરણીએ, ભાઇ કહું તેનું વરતંત ।।૮।।

ચોપાઇ- આલોકે નૃપ નૃપના જનરે, સતકુળમાં થયા ઉત્પન્નરે ।

પણ ધર્મ મર્યાદાને ભાંગીરે, વર્તે અધર્મે નર અભાગીરે ।।૯।।

એવા રાજા ને રાજાના ભૃત્યરે, પડે વૈતરણીએ પામી મૃત્યરે ।

જેમાં વિષ્ટા મૂત્ર પરુ લોહીરે, કેશ નખ અસ્થિ મેદ સોઇરે ।।૧૦।।

માંસ વસાએ ભરી વૈતરણીરે, દુઃખદાય કૈ’યે શું વરણીરે ।

નરક ખાઇરૂપ છે એ નદીરે, જેમાં જળ જંતુ રહ્યા મદીરે ।।૧૧।।

જીયાં તિયાંથી તોડીને ખાયરે, તેને દુઃખે કરે હાયહાયરે ।

કર્યાં કર્મ સંભારેછે આપરે, કે’છે કયાંથી કર્યાં આવાં પાપરે ।।૧૨।।

પામે પીડા પ્રાણ ન નિસરેરે, હાય મુવોમુવો એમ કરેરે ।

એમ રાજા રાજાના પદાતિરે, પામે પાપે દુઃખ દિન રાતિરે ।।૧૩।।

એવી વૈતરણી મહાવિકટરે, જેમાં દુઃખ અતિ દુરઘટરે ।

સહ્યું ન જાય શરીરે સોયરે, તમે સાંભળજો સહુ કોયરે ।।૧૪।।

વળી કહું કુંડની રીતરે, જેમાં દુઃખ અતિ અગણિતરે ।

નર્કનર્ક પ્રત્યે દુઃખ નોખાંરે, એક એકથકી અતિ ઓખાંરે ।।૧૫।।

જેણે જેવાં કર્યાં હોય પાપરે, તેવો તે પ્રાણી પામે સંતાપરે ।

કર્યું કર્મ પોતાનું તે સે’વુંરે, જેણે જેવું કર્યું હોય તેવુંરે ।।૧૬।।

વળી આલોકે શૂદ્રીના સંગીરે, શૌચાચાર નિયમ ઉલ્લંઘીરે ।

નર પશુપેઠે લજ્જા ત્યાગીરે, મનવશ વર્તેછે અભાગીરે ।।૧૭।।

તેતો મરી પરલોકે જાયરે, પડે પુયોદ નરકની માંયરે ।

પરુ મૂત્ર વિષ્ટા લીંટ લાળરે, તેનો ભર્યો સમુદ્ર કરાળરે ।।૧૮।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

તેમાં પડે પિયે ખાય તેહરે, નર વૃષલીપતિ થયા જેહરે ।

એમ વિચારી વિકળ ન થાવુંરે, પડશે જરૂર જમપુર જાવુંરે ।।૧૯।।

તિયાં રંગીલાપણું નહિ રહેરે, સત્ય ધર્મવાળા સહુ કહેરે ।

મરડ ઠરડ મટાડશે મારીરે, કરજ્યો કર્મ વિચારી નરનારીરે ।।૨૦।।

વળી પાપીનાં પાપ પ્રમાણેરે, નાખે પ્રાણરોધ નરક ખાણેરે ।

પ્રાણરોધમાં પડેછે પાપીરે, સુણો વાત સહુ કાન આપીરે ।।૨૧।।

આલોકે બ્રાહ્મણાદિક કૈ’યેરે, ખરા ખર સરિખા તે લૈયેરે ।

મારે મૃગને કરે અકાજરે, જેની સત્યશાસ્ત્રે પાડી નાજરે ।।૨૨।।

ત ે હ મ ર ી જ મ પ ુ ર જા ય ર ે , પ ડ ે પ્ર ા ણ ર ા ે ધ ન ર ક મ ા ં ય ર ે । તેનું કિંકર કરી નિશાણરે, રોમરોમ વેંધે મારી બાણરે ।।૨૩।।

છેદી નાખેછે પાપીની છાતીરે, પામે પીડા કહી નથી જાતીરે ।

જોઇજોઇ શરીરના હાલરે, પછી રુવે કૃપણ કંગાલરે ।।૨૪।।

વળી આલોકે પુરૂષ દંભેરે, દંભમય જગન આરંભેરે ।

મારે પશુ એ જગન માંયરે, તે મરી વૈશાસન જાયરે ।।૨૫।।

ઝાલે જમદૂત ગળે જોરેરે, માર્યા પશુપેઠે તે બકોેરેરે ।

પાડે કાળીરાડ્ય તે કુકર્મીરે, જે કોઇ ઈયાં થયાતા અધર્મીરે ।।૨૬।।

થોડા સુખ સારૂં દુઃખ મોટુંરે, બાંધી લીધી ભેળી પાપ પોટુંરે ।

તેતો ભોગવે આવશે પારરે, સહુ નિશ્ચે જાણો નિરધારરે ।।૨૭।।

વળી પોતાના પાપ પ્રતાપેરે, પડે લાલાભક્ષ માંય આપેરે ।

લાલાભક્ષનું દુઃખ અપારરે, કહું કાંઇક તે નિરધારરે ।।૨૮।।

આ લોકે ત્રણે વર્ણના પુરૂષરે, આપે પાપી થઇ કામવશરે ।

પોતાના વર્ણની જે નારરે, પાપી તે શું કરે વ્યભિચારરે ।।૨૯।।

તેહ પાપે જમદૂત ત્યાંઇરે, નાખે છે વીર્યની નદી માંઇરે ।

મારી મુદગર મસ્તક માંયરે, પાપી જીવને વીર્ય ત્યાં પાયરે ।।૩૦।।

આવે ઉબકા અતિ ઓકારીરે, તોય પિવરાવે મારીમારીરે ।

દિયે દંડ એમ દિનરાતરે, પામે પીડા પ્રાણી બહુભાતરે ।।૩૧।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

વળી આપ પાપે પાપી જનરે, પડેછે તે સારમેયાદનરે ।

સારમેયાદનનું જે દુઃખરે, તેતો કહ્યું જાય નહિ મુખરે ।।૩૨।।

જેહ પાપે પડે એહ માંઇરે, તેહ સાંભળજ્યો કહું ભાઇરે ।

કરે ચોરી મુકે વળી આગ્યરે, બાળે ગામ પુર વન જાગ્યરે ।।૩૩।।

દિયે ઝેર લુંટે ગામ સાર્થરે, એવો કરેછે પાપી અનર્થરે ।

એવા કુકર્મના કરનારરે, હોય રાજા કે રાજાના ચાકરરે ।।૩૪।।

તે મરી જમપુરીમાં જાયરે, તેને જમના દૂત તોડી ખાયરે ।

શ્વાન સાતસો ને વિશ વળીરે, ચુંથી ખાયછે પાપીને મળીરે ।।૩૫।।

વજ્રસરીખી છે જેની દાઢ્યોરે, તોડે તન પાડે તેણે રાડ્યોરે ।

કોણ મુકાવે મહાદુઃખમાંથીરે, જેણે સાચી વાત માની નથીરે ।।૩૬।।

હોય સાચી વાતના કે’નારારે, તેતો એને લાગ્યા નહિ સારારે ।

વળી પાપીનો કરી તપાસરે, નાખે અવિચી નરકમાં તાસરે ।।૩૭।।

અવિચીનું દુઃખ છે અલેખેરે, તેતો ભોગવશે રાઈ રેખેરે ।

તેમાં કરશે નહિ કોઇ માપરે, દેશે દુઃખ જોઇ જેવાં પાપરે ।।૩૮।।

જેહ પુરે જુઠી સાખ્ય જનરે, બોલે અસત્ય લેતાં દેતાં ધનરે ।

આપી દામ ને બોલે અસત્યરે, એવી પાપમય જેની મત્યરે ।।૩૯।।

પછી એને અવિચીથી નાખેરે, પાપીને કોણ પડતો રાખેરે ।

અવિચી નામે પર્વત જાણોરે, એવો નરક પૌઢ પ્રમાણોરે ।।૪૦।।

તેમાં ઉચા પગ નીચું શીશરે, એમ નાખે કિંકર કરી રીશરે ।

શત જોજન ઉંચો છે એહરે, તેને માથેથી નાખેછે તેહરે ।।૪૧।।

દિસે તરંગ નહિ જળ જેમાંરે, ભર્યા એકરસ પાણા તેમાંરે ।

થાય તલતલ કટકા તનરે, તોય મરે નહિ પાપી જનરે ।।૪૨।।

એમ અસત્યના બોલનારરે, સહે દુઃખ અપરમ પારરે ।

વળી વિપ્ર વિપ્રની જે ઘરુણીરે, કરે પ્રમાદે પાન વારુણીરે ।।૪૩।।

વળી વિપ્ર વિના વર્ણ અન્યરે, કરે વ્રતદિને સુરાપાનરે ।

ક્ષત્રી વૈશ્યાદિ પ્રમાદે વળીરે, જે પિયેછે સોમવલ્લિ મળીરે ।।૪૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

તે પાપે એ જીવ નિદાનરે, પડે નરક નામે અયઃપાનરે ।

જ્યારે વિપ્ર આદિ ત્રણે વર્ણરે, જાય જમપુરી પામી મર્ણરે ।।૪૫।।

તેની જમદૂત છાતી દબાવીરે, પાય લોહરસ તેને લાવીરે ।

તેહ દુઃખે કરે હાયહાયરે, ભુખ પ્યાસે કરી પ્રાણ જાયરે ।।૪૬।।

વળી ઈયાં અધમ નર છોટોરે, માનેકરી માનેછે હું મોટોરે ।

જે કોઇ જન્મ તપ વિદ્યા વર્ણરે, મોટા આશ્રમ ચાર આચર્ણરે ।।૪૭।।

તેની ગણતી નહિ કહું કાંઇરે, એવો અભિમાની મનમાંઇરે ।

સહુથી જાણે પોતાને સરસરે, બીજાને તો જાણેછે નરસરે ।।૪૮।।

ત ે ન ુ ં ક ર ે અ પ મ ા ન અ િ ત ર ે , ત ે ક ર ે ક્ષ્ ા ા ર ક દર્ મ ે ગ િ ત ર ે । હેઠું માથું ને ઉંચા છે પગરે, નાવે થાહ પડ્યો તેમાં ઠગરે ।।૪૯।।

એવાં જમપુરીનાં જે દુઃખરે, પામે પ્રાણી પ્રભુથી વિમુખરે ।

સાચા સંતની શીખ ન માનીરે, થયો અસંત સંગે અભિમાનીરે ।।૫૦।।

એવી અભાગી નરની રીતરે, ખોટા માંય છે ખરી પ્રતીતરે ।

જેવું જુઠું અંતરમાં પેસેરે, તેવું સાચામાં મન ન બેસેરે ।।૫૧।।

કહો કેમ થાય એહ સુખીરે, સાચી વાત ન માને મનમુખીરે ।

જે જીવના પરમ સનેહીરે, જાણ્યા શત્રુ સરિખા તેહીરે ।।૫૨।।

તેહ પાપે પડે નરક માંયરે, ન મળે ઉપાય એનો હવે કાંયરે ।

હોય સમઝુ તો સમઝે સમુંરે, લાગે અણસમઝુને વસમુંરે ।।૫૩।।

વાત હેતની છે રાખો હૈયેરે, વારેવારે કેટલુંક કૈ’યેરે ।

કહે નિષ્કુલાનંદ કેટલુંરે, આવું સુણિ ચેતો તો છે ભલુંરે ।।૫૪।।

કડવું ।।૧૪।।

પૂર્વ છાયો- વળી અભાગી જીવને, સુઝેજ અવળાં કામ ।

અઘમગમાં ચાલતાં, ક્યાંથી સુખ ને વિશ્રામ ।।૧।।

ડ ા ે ડ ા ભ ુ ં ડ ા ખ ા ધ ા ખ ર ા , ધ ા ં ખ ે ક ર ી ધ ં ત ુ ર ા ત ણ ા ।

ચડ્યો કેફ તેનો ચિત્તને, કહો કાંઇ રહે મણા ? ।।૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

સ ુ ણ ા ે સ હ ુ અ ા લ ા ે ક મ ા ં , ક ર ે ન ર ન ા ર ી મ ળ ી પ ા પ । કાળી ભૈરવ દેવ તામસી, જેજે નર પશુ મારી આપ ।।૩।।

મ ા ં સ ખ ા ઇ પ શ ુ મ ન ુ ષ્ ય ન ુ ં , થ્ ા ા ય ન ર ન ા ર ી પ્ર સ ન્ન્ ા ।

તેહ જાય જમપુરીએ, પડે રક્ષોગણ ભોજન ।।૪।।

મ ા ય ાર્ ન ર પ શ ુ અ વ ત ર ી , ત્ ય ા ં ર ા ક્ષ્ ા સ ન ા ગ ણ થ્ ા ા ય ।

જેમ ખાધુંતું માંસ એહનું, તેમ તેનું એહજ ખાય ।।૫।।

જ ે મ અ ે ન ર ન ા ર ી અ ે , ક ય ુર્ ં હ ત ુ ં ન ૃ ત્ ય ન ે ગ ા ન ।

તેમનું તેમ રાક્ષસ કરે, ખાઇ માંસ કરી લોહીપાન ।।૬।।

ચોપાઇ- વળી આલોકમાં અપરાધીરે, કરે પાપ ન કરે પારાધીરે ।

આવે શરણ જીવવાને જનરે, આણી અતિ વિશ્વાસ મનરે ।।૭।।

એવા વન ગામના જીવ જેહરે, આવે જીવવા આશરે તેહરે ।

તેને શૂળ કે શૂત્રની ફાંશીરે, તેણે કરીને માર્યા વિશ્વાસીરે ।।૮।।

પછી મરી જમપુર જાયરે, તેને જમદૂત પ્રોવિને ખાયરે ।

આપે દુઃખ નાપે અન્ન પાણીરે, આવે મૂરછા બંધાય વાણીરે ।।૯।।

પડે પૃથિવી ઉપર આપરે, ત્યારે સંભારે પોતાનાં પાપરે ।

ભાયો ક્યાંથી કર્મ આવાં કીધાંરે, ક્યાંથી જેને તેને દુઃખ દીધાંરે ।।૧૦।।

એમ કહી પોકારેછે પ્રેતરે, પછી પડે ભૂમીએ અચેતરે ।

પડયો જાણી આવે પંખી ઝટરે, લોહ ચાંચવાળાં કંક બટરે ।।૧૧।।

તેતો તોડી તોડી તન ખાયરે, પાપી પીડાય પ્રાણ ન જાયરે ।

એમ બહુ ભાતે દુઃખ ભોગવેરે, નોખા કષ્ટ કુંડ નવા નવેરે ।।૧૨।।

નાવે અંત અત્યંત દુઃખનોરે, નહિ લવલેશ ત્યાં સુખનોરે ।

વળી આલોકે નર જે તીખારે, સ્વભાવ છે સર્પના સરિખારે ।।૧૩।।

જેને તેને દિયે બહુ દુઃખરે, જેથી ન હોય કોઇને સુખરે ।

પછી મરી જમપુર જાયરે, પડે દંદશૂક નરક માંયરે ।।૧૪।।

સુણો ભાઇ એ નરકની વાતરે, મુખ જંતુનાં પાંચ વા સાતરે ।

અતિ કરડકણાં કરાળરે, જાણું પાપી પ્રાણી તણો કાળરે ।।૧૫।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

ખાઉં ખાઉં ખાઉં એમ કરેરે, વણ વપુએ વડચકાં ભરેરે ।

તીખી દાઢો દિસે દુઃખદાઇરે, એવા જંતુ એ નરકની માંઇરે ।।૧૬।।

ઉગ્ર સ્વભાવવાળાને એહરે, તર્ત ગળી જાય જંતુ તેહરે ।

પામે પીડા અતિ તિયાં ભારીરે, માટે કરવાં કર્મ વિચારીરે ।।૧૭।।

વળી આલોકમાં જે અભાગીરે, દિયે પરને દુઃખ દયા ત્યાગીરે ।

ખાડા કોઠલા ગુફા અંધારીરે, બીલ ભોમ જેમાં તમ ભારીરે ।।૧૮।।

ઘર દરમાંહિ જીવ રુંધીરે, મુકે આગ્ય ધૂમ ત્યાં કુબુદ્ધિરે ।

પછી તે પાપી પરલોક પામીરે, પડે અવટરોધને હરામીરે ।।૧૯।।

ઝેર સહિત અગ્નિ ધૂમાડેરે, રોકી એવે સ્થળે રોળ પાડેરે ।

ઇયાં જીવે કર્યાં પાપ જેમરે, દિયે દંડ ત્યાં તેમનો તેમરે ।।૨૦।।

નથી અધિક ઓછું કરતારે, રહેછે પ્રભુના ડરથી ડરતારે ।

નથી ડરતો એ નર અભાગીરે, દુઃખ લિયેછે મુખથી જો માગીરે ।।૨૧।।

વળી આલોકે અભાગી નરરે, બાંધી બેઠા છે આશ્રમ ઘરરે ।

આવે આંગણે અતિથિ રાજરે, અભ્યાગત અન્ન જળ કાજરે ।।૨૨।।

ત ે શ ુ ં ક્ર ા ે ધ ક ર ી ત ત ક ા ળ ર ે , ક ર ે ક ર ડ ી દૃ િ ષ્ટ ક ર ા ળ ર ે । અન્ન જળ જરાય ન આપેરે, સામું ક્રોધ કરીને સંતાપેરે ।।૨૩।।

પછી જ્યારે પામે પાપી મૃત્યરે, પડે નરકે નામ પર્યાવ્રતરે ।

તિયાં વજ્ર જેવાં ચાંચવાળાંરે, ગીધ કંક બટ જે રીસાળાંરે ।।૨૪।।

ઝાલી બળે મારી ચાંચો પાંખોરે, કાઢી લિયેછે પાપીની આંખ્યોરે ।

ડોળા કાઢી લિયે દિયે મારરે, તેણે ચાલેછે રૂધિરધારરે ।।૨૫।।

તેણે ભિંજાય મુખ શરીરરે, એવે દુઃખે રહે કેમ ધીરરે ।

એમ દિયેછે દંડ અપારરે, સહે એવાં પાપ કરનારરે ।।૨૬।।

સારૂં સુંદર નરતન પામીરે, કર્યાં પાપ રાખી નહિ ખામીરે ।

આવ્યા સમૂહ તેના સામટારે, જેમ આવે ઘન ચડી ઘટારે ।।૨૭।।

વળી આલોકે કરી અનર્થરે, બહુ પાપે કરી મેળ્યું ગર્થરે ।

પામે ધન વાધે અભિમાનરે, જાણે નહિ કોઇ મુજ સમાનરે ।।૨૮।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

ધનમદે બોલે વાંકાં વેણરે, થયો દુર્બળ ને દુઃખ દેણરે ।

ધન ખરચતાં ખરખરો ઘણોરે, રાખે ભય રાજા ચોરતણોરે ।।૨૯।।

મેળ્યું ધન યક્ષના સમાનરે, ના’પ્યું તેમાંથી કોડી દાનરે ।

અભ્યાગત વિપ્રને કલોઈરે, તેને અર્થે ના’વ્યો દામ કોઇરે ।।૩૦।।

મેળ્યું ધન કેવળ કરી પાપરે, તે ન ખરચ્યું ન ખાધું આપરે ।

પછી ધન તન તજી તેહરે, જાય જમપુરીમાંહિ તેહરે ।।૩૧।।

તેને નાખે સૂચિમુખ નરકેરે, પામે દુઃખ પાપી બહુ બરકેરે ।

જમદૂત દરજીની પેઠ્યેરે, એનું તન શીવી બહુ ગંઠ્યેરે ।।૩૨।।

ચીરી ચામડી સોએ શીવેછેરે, મુવા સરિખો થઇ જીવેછેરે ।

સર્વે લોભનો લાભ દેખાડીરે, એક શીવે બીજો નાખે ફાડીરે ।।૩૩।।

એમ બહુ વિધ આપેછે દુઃખરે, તેહ ન કહેવાય ભાઇ મુખરે ।

સુણી સર્વે પુરાણે અશેષરે, કહ્યા નરક એમ અઠ્ઠાવિશરે ।।૩૪।।

એહ વિના બીજા છે અપારરે, સોએસો ને હજારે હજારરે ।

પાપી જીવને પીડવા કાજેરે, ધર્મરાયને રાખ્યા મહારાજેરે ।।૩૫।।

જેણે જેવી કરીછે કમાણીરે, તેને ભોગવાવે તેવી જાણીરે ।

સંયમિનીને દક્ષિણ દ્વારરે, નરક અગણિત છે અપારરે ।।૩૬।।

જેણે જેવાં કર્યાં હોય પાપરે, તેવે નરક પડે પ્રાણી આપરે ।

પડે સર્વે નરકે અધર્મીરે, હોય નર વા નારી વિકર્મીરે ।।૩૭।।

નથી વાત જુઠી એહ જાણોરે, સર્વે સાચી પુરાણે પ્રમાણોરે ।

તેને અર્થે કરેછે ઉપાયરે, દાન પુણ્યવ્રત કહેવાયરે ।।૩૮।।

એહ દુઃખને ટાળવા કાજરે, કરે ઉપાય રંક ને રાજરે ।

પણ પાપીનો સંગ નડેછેરે, તેણે કરી નરકમાં પડેછેરે ।।૩૯।।

ખોટી દિશના દેખાડનારરે, છે આ જગમાંઈ અપારરે ।

તેના સંગને નથી તજતારે, શુદ્ધ થઇ નથી હરિ ભજતારે ।।૪૦।।

આપ પાપે કરી નરક એહરે, ભોગવેછે અનુક્રમે તેહરે ।

તેમ ધર્મ અનુક્રમે જીવરે, જાય સ્વર્ગાદિ લોકે સદૈવરે ।।૪૧।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

ક ે ટ લ ા ક ન ર ક ે થ્ ા ી િ ન સ ર ે ર ે , ક ે ટ લ ા ક ન ર ક મ ા ં ય ગ ર ે ર ે । એમ કૈક સ્વર્ગથી પડેછેરે, કૈક સ્વર્ગાદિ લોકે ચડેછેરે ।।૪૨।।

એમ કરતાં વધે પુણ્ય પાપરે, તેણે ફરે ચોરાશીમાં આપરે ।

એમ રચી રહ્યો છે અખાડોરે, પ્રભુ ભજ્યા વિના છે પવાડોરે ।।૪૩।।

ભજો હરિ તજી બીજી વાતરે, તો ટળે માથેથી જમઘાતરે ।

પ્રભુ ભજ્યા વિના એનો પારરે, નથી આવતો જાણો નિરધારરે ।।૪૪।।

સાચા સંતનો સંગ કરીનેરે, ભજો ભાવે કરીને હરિનેરે ।

જો કોઇ ઇચ્છો એ ટાળવા દુઃખરે, રહો શ્રીહરિને સનમુખરે ।।૪૫।।

જે એ દુઃખ કહ્યાં કથી કથીરે, તેતો હરિજન પર નથીરે ।

માટે હરિજન સહુ થાઓરે, શીદ જમપુરીમાંહિ જાઓરે ।।૪૬।।

મો’રે મોટા મોટા જો વિચારીરે, થયા ભક્ત પ્રભુજીના ભારીરે ।

રાજ સાજ સુખ ને સંપત્તિરે, તજી ભજ્યા પ્રભુ પ્રાણપતિરે ।।૪૭।।

તેતો એ દુઃખ ટાળવા કાજરે, મેલ્યો સર્વ સુખનો સમાજરે ।

સુખ મુકીને દુઃખને લેવુંરે, તેતો ન ગમે કોઇને એવુંરે ।।૪૮।।

પણ જમપુરીનાં દુઃખ જાણીરે, ખરી પ્રતીત મનમાં આણીરે ।

તૈયે મેલી દીધો એ મારગરે, પછી સુખમારગે ભર્યા પગરે ।।૪૯।।

માટે સહુને જોવું તપાશીરે, નથી આગળ ખેલ ને હાંશીરે ।

કહે નિષ્કુલાનંદ નિરધારરે, કરવો સહુને એનો વિચારરે ।।૫૦।।

કડવું ।।૧૫।।

પૂર્વછાયો- હવે સુણો સહુ શુભમતિ, કહું કથા સુંદર સાર ।

પ્રગટ પ્રભુ ભજ્યા વિના, પામે પ્રાણી દુઃખ અપાર ।।૧।।

સ હ ે દ ુ : ખ સ ા ે ળ ે શ હ ે ર ન ા ં , ભ ા ે ગ વ ે ન ર ક અ ગ િ ણ ત ।

પછી ચાલે ચોરાશિયે, સુણો સહુ કહું તેની રીત ।।૨।।

ચ ા ે ર ા શ ી ર ા શ ી દ ુ : ખ ન ી , છ ે અ િ ત અ ત ા ે લ અ મ ા પ ।

જેમાં જીવ જુજવા, પામેછે પરિતાપ ।।૩।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

જ ે ન ે મ ા થ્ ા ે અ ે હ દ ુ : ખ છ ે , ત ે ન થ્ ા ી સ ુ ખ ી લ ગ ા ર । કોેણ ડાહ્યા ભોળા કહિયે, કોણ ગુણવંત ને ગમાર ।।૪।।

ક ા ે ણ ર ં ક ર ા જા ક િ હ ય ે , ક ા ે ણ શ્ર ી મ ં ત ન ે શ ા હ ુ ક ા ર । જેને માથે જન્મ મરણ છે, તેતો સર્વે એકજ હાર ।।૫।।

ક ા ે ણ જા ે ગ ી જ િ ત ક િ હ ય ે , ક ા ે ણ ત્ ય ા ગ ી ત પ સ ી ત ે હ ।

ચોરાશીનું નવ ચુકિયું, તો અમથો ક્લેશ એહ ।।૬।।

હ ા ય ા ેર્ જી ત્ ય ા ે ક ા ે ણ જા ણ ી અ ે , ક ા ે ણ સ ત ી ન ે શ ૂ ર વ ી ર । દાતા દીન કેને કહિયે, જેને એહ દુઃખ છે શિર ।।૭।।

જ ે હ ક ષ્ટ ક હ ે વ ા ય ન િ હ , િ જ હ્વ ા ય ે થ્ ા ી જ રૂ ર ।

ચવું ચારે ખાણ્યનાં, ભારે દુઃખ ભરપુર ।।૮।।

અ ં ડ જ ઉ િ દ્ભ જ સ્ વ ે દ જ જ ર ા ય ુ જ , ખ ર ી અ ે ચ ા ર ે ખ ા ણ ।

એકવીશ લાખ એક એકમાં, તેહ પિંડ ધરે પરિમાણ ।।૯।।

િ ક ય ા ં ક સ ુ ખ ી િ ક ય ા ં ક દ ુ : ખ ી , ત ન સ હ ે િ ત્ર્ ા િ વ ધ ત ા પ । શરીરધારી સુખી નહિ, સદા રહે શિર સંતાપ ।।૧૦।।

ચોપાઇ- શુભાશુભ કર્મ અનુસાર, પામે જીવ બહુ અવતાર ।

લખ ચોરાશી ખાણો છે ચાર, ધરે તેમાં જુજવા અવતાર ।।૧૧।।

અંડજ ખાણ્યના જે અવતાર, તેનો કહેતાં તે ન આપે પાર ।

સુખ થોડું ને દુઃખ અત્યંત, એવાં ધરવાં તન અનંત ।।૧૨।।

જ ળ જ ં ત ુ અ ં ડ જ ક હ ે વ ા ય , ત ે ન ા દ ુ : ખ ન ા ે થ્ ા ા હ ન થ્ ા ા ય ।

મત્સ્ય કચ્છ ક્રચલા કાતરણી, બીજી બહુ જાતી ન જાય વરણી ।।૧૩।।

કીડી મકોડી ક્રોળાં ગરોળાં, માખી મણિધર ટિંડડાં બો’ળાં ।

ભમર તમર આદિ ભણિયે, એ પણ અંડજમાંય ગણિયે ।।૧૪।।

એહ આદિ જે જંતુ અપાર, મરે ધરે ત્યાં લે અવતાર ।

સુખ નહિ નહિ દુઃખ સરૂં, નિત્યે કષ્ટ પામે તિયાં નરૂં ।।૧૫।।

શીત ઉષ્ણ વળી તનત્રાસ, હર્ષ શોક સહે ભૂખ પ્યાસ ।

આપથી સબળો દુઃખ આપે, પોતે પણ નિર્બળને સંતાપે ।।૧૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

એમ સુખ દુઃખ સહેતાં અપાર, જાય જન્મ લાખ અગિયાર ।

ત્યારે જળજંતુ જન્મ ટળે, સત્ય કહ્યું છે સંત સઘળે ।।૧૭।।

વ ળ ી ક મર્ અ ન ુ સ ા ર ે અ ે હ , પ્ર ા ણ ી પ ા મ ે છ ે પ ં ખ ી ન ા દ ે હ ।

સહે ત્રણ કાળનાં તે દુઃખ, પળ એક પામે નહિ સુખ ।।૧૮।।

સ હ ે અ મ ા ે ઘ મ ે ઘ ન ી ધ ા ર , શ ી ત ઉ ષ્ ણ ન ુ ં દ ુ : ખ અ પ ા ર । ભુખ પ્યાસમાં પીડાય બહુ, હર્ષ શોકમાં આતુર સહુ ।।૧૯।।

એમ દશ લાખ ધરે દેહ, ત્યારે અંડજથી મુકાય એહ ।

અગિયાર દશ એહ કહ્યા, મળી એકવીશ લાખ થયા ।।૨૦।।

એક અંડજ ખાણ્યના જાણો, સત્ય વાત સહુ પરમાણો ।

ઉદ્ભિજમાં ધરે અવતાર, કહું સાંભળો તે નિરધાર ।।૨૧।।

ખરાં ખાંણ્ય ચારેનાં જે દુઃખ, પામે પ્રભુથી છે જે વિમુખ ।

પ્રાણી આપ પાપ પ્રતાપે, પામે સ્થાવરના દેહ આપે ।।૨૨।।

ઝ ા ડ પ ા ’ ડ મ ા ં ધ ર ે શ ર ી ર , ક ૈ ક ક લ્ પ લ ગ ી ર હ ે િ સ્ થ્ ા ર । બળે સળે કુઠારે કપાય, સિંચ્યા વિના સમૂળાં સુકાય ।।૨૩।।

શીત ઉષ્ણ સુખ દુઃખ સહે, આવે જાય નહિ સ્થિર રહે ।

વન વેલી ગુચ્છ ગિરિ તૃણ, થાય અગ્નિથી અચિર મરણ ।।૨૪।।

અ ે મ અ ે ક વ ી શ લ ા ખ વ ા ર , પ ા મ ે ઉ િ દ્ભ જ મ ા ં અ વ ત ા ર ।

એમ લેતાં જન્મ પૂરા થાય, ત્યારે સ્થાવર દેહથી મુકાય ।।૨૫।।

પછી સ્વેદજ ખાણ્યે શરીર, ધરે અભાગી જીવ અચિર ।

કર્યાં કર્મ થઇ તેને વશ, ધરે તન કૃમિ કીટ અવશ ।।૨૬।।

ચાંચડ માંકડ જુ જુવા સવા, ગિંગોડી ઈતડિ ને કંથવા ।

મો’લો મચ્છર ધનાંમાટલિયાં, એળ્યો શાળ્યો પુરાદિ માંમલિયાં ।।૨૭।।

એહ દેહમાંહિ નહિ સુખ, પામે પીડા પ્રભુના વિમુખ ।

મુવા પછી શું નરકે જાય, એતો જીવતાં છે નરકમાંય ।।૨૮।।

એમ સહેતાં સુખ દુઃખ શિશ, વિતે જન્મ લાખ એકવીશ ।

ત્યાં સુધી રહે દુઃખી અપાર, પછી સ્વેદજથી કાઢે બા’ર ।।૨૯।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

વળી જરાયુજ ખાણ્યમાં જેહ, જીવ ધરેછે જુજવા દેહ ।

નિજકર્મ બંધે બંધાણો, ધરે પશુના જન્મને જાણો ।।૩૦।।

સુખ નહિ ને સંકટ ઘણો, કહ્યો ન જાય મુખથી તે તણો ।

પડે પરવશ ને પરહાથ, બળે ગળે બાંધી ઘાલે નાથ ।।૩૧।।

જોડે છોડે વાળે તેમ વળે, મગાવે લગાવે પાય સઘળે ।

આપે ખાવા પીવાને તો ખાય, નહિતો બાંધ્યો બાંધ્યો તે સુકાય ।।૩૨।।

પરભયથી ભાગતો તે ફરે, પાણી ન પિયે ચારો નવ ચરે ।

કૈક ખીલે રહ્યાં છે બંધાઇ, અહોનિશ કીચવિચ્ચમાંઈ ।।૩૩।।

એમ નાનાં મોટાં પશુ પ્રાણી, સહે દુઃખ ભૂખ લિયો જાણી ।

સતર લાખ વાર તન ધારે, છૂટે પશુના જન્મથી ત્યારે ।।૩૪।।

એહ દુઃખ જરાયુજનાં કહ્યાં, કહું બીજાં જે કહેવાનાં રહ્યાં ।

ચારે ખાણ્યનાં દુઃખ કહું ચવી, જેજે જીવ આવ્યો છે ભોગવી ।।૩૫।।

પછી કર્મઅનુસારે એહ, પામે ચૌદ લાખ મનુષ્યના દેહ ।

તેમાં પણ અષ્ટ પ્રકાર, સુણો સહુ કહું નિરધાર ।।૩૬।।

કપિ નોળ ખિસકોલાં કહિયે, રીંછ ને જળમાણસાં લહિયે ।

એકલટંગાં ઘુડમુખાં ગણું, અષ્ટમું તન તે મનુષ્યતણું ।।૩૭।।

ત ે મ ા ં પ ણ છ ે બ હ ુ પ્ર ક ા ર , સ વ ેર્ સ ર ખ ા ન િ હ અ વ ત ા ર । ભાઉ ભીલ કસાઇ કલાર, પારાધિ ફાંશિયા મચ્છીમાર ।।૩૮।।

મ હ ા મ્ લ ે ચ્ છ ન ી ચ ન ા જ ે દ ે હ , અ િ ત પ ા પ મ ય ત ન ત ે હ ।

એહ માંયલું આવે એક તન, તેણે ન થાય મોક્ષનું જતન ।।૩૯।।

કપિ આદિ કહ્યાં તન સાત, તેમાં તો નહિ મોક્ષની વાત ।

અષ્ટમું દેહ મનુષ્યનું કા’વે, તેહ પણ જો પાપીનું આવે ।।૪૦।।

ન સરે અર્થ ન થાય કલ્યાણ, પાછી ચોરાશી ને ચાર ખાણ ।

અથવા આવે જો ઉત્તમ તન, મળે કુસંગ તો મૂળગાદન ।।૪૧।।

દેશ કાળ ક્રિયા ધ્યાન જેહ, શાસ્ત્ર દીક્ષા મંત્ર સંગ તેહ ।

એહ અવળાં હોય જો અષ્ટ, આપે આલોકે પરલોકે કષ્ટ ।।૪૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

હોેય સવળાં તો સરે કામ, પ્રાણી પામે શ્રીહરિનું ધામ ।

એહ સવળાં તે સતસંગ, એહ અવળાં તે કહિયે કુસંગ ।।૪૩।।

સ ત સ ં ગ ે ક ર ી સ ર ે ક ા જ , ક ુ સ ં ગ ે ક ર ી ન ર ક સ મ ા જ ।

જેજે દુઃખ થયાં થાશે અંગે, હમણાં દુઃખી તે પણ કુસંગે ।।૪૪।।

જેજે દુઃખ કહ્યાં સર્વે કથી, તેતો સહુ પામેછે કુસંગથી ।

કુસંગ છે કારણ દુઃખનું, સતસંગ છે કારણ સુખનું ।।૪૫।।

કુસંગનો સંગ સહુ ત્યાગી, સર્વે હરિને ભજો સુભાગી ।

કુસંગ તો કરશો માં કોઇ, જમપુરીનાં દુઃખને જોઇ ।।૪૬।।

ક ુ સ ં ગ ન ા ડ ર થ્ ા ી ત ા ે ડ ર વ ુ ં , ત ા ે મ ટ ે જ ન મ વ ુ ં ન ે મ ર વ ુ ં । જન્મ મરણનાં દુઃખ છે જેહ, તેતો કહી સુણાવ્યાં મેં તેહ ।।૪૭।।

તેહ સાંભળ્યું સૌએ સંકટ, વેઠ્યું જાય નહિ છે વિકટ ।

તે સમામાં વીતેછે પ્રાણીને, તેતો મનમાં રહેછે જાણીને ।।૪૮।।

કહેવા જેવો નથી એહ સમો, ગમે તેવાં દુઃખ આવી દમો ।

તેતો જાણે છે પોતાનો જીવ, કાં જાણેછે પરમ હેતુ પીવ ।।૪૯।।

એહ સમો છે અતિ આકરો, ખમ્યો ન જાય છે ખરાખરો ।

એહ દુઃખ ટાળવા ઉપાય, કરવો સમઝી સહુને સદાય ।।૫૦।।

તજી કુસંગ સત્સંગ કરિયે, તો ફરી ભવફેરા ન ફરિયે ।

કહિયે વારેવારે શું કેટલું, કરવું સહુને પોતાનું ભલું ।।૫૧।।

સહુ જને આ કથા સાંભળી, કરવો સત્સંગ સર્વેને મળી ।

કહે નિષ્કુલાનંદ નિરધાર, કહ્યું સર્વે વાતનું આ સાર ।।૫૨।।

કડવું ।।૧૬।।

પૂર્વછાયો- વિવિધ ભાતે વર્ણવી, કહ્યાં કષ્ટ જીવનાં જેહ ।

તેહ સાંભળતાં શ્રવણે, સહુનાં તે કંપે દેહ ।।૧।।

અલ્પ આયુષ્યમાં એવડી, પીડા પામેછે પ્રાણી અપાર ।

એહ દુઃખની આગળે, સુખ સ્વપ્ના જેવો સંસાર ।।૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

મ ન ુ ષ્ ય દ ે હ ન ે મ ુ ક ત ા ં , દ ુ : ખ ત ર ત છ ે અ ે ત ૈ ય ા ર ।

તેનો ઉપાય અભાગિયા, કાંરે કરો નહિ નર નાર ।।૩।।

મ ા થ્ ા ે ન ગ ા ર ા ં મ ા ે ત ન ા ં , વ ા જ ે છ ે બ હ ુ િ વ ધ ।

પળેપળે રીત પલટે, પેખી જુવોને પ્રસિદ્ધ ।।૪।।

બ ા ળ જ ુ વ ા પ ણ બ ે ગ ય ા ં , વ ૃ દ્ધ પ ણ વ ણ સ ત ુ ં જા ય ।

આજ કાલ્યમાં ઉઠી ચાલવું, સહુ વિચારો મનમાંય ।।૫।।

ય ા ં થ્ ા ી અ ચ ા ન ક ચ ા લ ત ા ં , સ ઈ વ સ્ ત ુ અ ા વ શ ે સ ા થ્ ા ।

વણ સમઝયે વિપત્તિની, શીદ ભરી રહ્યા છો બાથ ।।૬।।

સ ા ચ ા ે સ મ ા ગ મ શ ા ે ધ ી ન ે , ટ ા ળ ા ે મ ા થ્ ા ે થ્ ા ી અ ે ત્ર્ ા ા સ ।

નરસે સંગે નહિ મટે, મરણ ને ગર્ભવાસ ।।૭।।

મ ેં ક હ્ય્ ા ુ ં અ ા જી વ ન ે , ક ુ સ ં ગ છ ે દ ુ : ખ રૂ પ ।

કુસંગ કહિયે જેહને, કહું તેહનું હવે સ્વરૂપ ।।૮।।

ચોપાઇ- મોટો કુસંગ તે નિજદેહ, જેમાં જીવે બાંધ્યો છે સનેહ ।

એહ અર્થે કરતાં અનર્થ, જીવ ખુવેછે જનમ વ્યર્થ ।।૯।।

ક ુ ડ ક પ ટ દ ગ ા ન ે ઘ ા ત , થ્ ા ા ય દ ે હ સ ા રૂ ં સ વ ેર્ વ ા ત । છળ ચોરી હિંસા કરી હણે, આપ સ્વારથે પાપ ન ગણે ।।૧૦।।

એવું પાપ નથી જગમાંય, જે કોઇ શરીર સારૂં ન થાય ।

જ્યારે પીંડ સુખ સામું પેખે, ત્યારે દોષ માત્રને ન દેખે ।।૧૧।।

પ ર િ ત્ર્ ા ય પ ર ધ ન લ ે વ ુ ં , ત ન સ ુ ખ સ ા રૂ ં ક ર ે અ ે વ ુ ં ।

દેહ સાથે સનેહ છે જેને, નહિ ધર્મ નિયમ લાજ તેને ।।૧૨।।

દ ે હ અ િ ભ મ ા ન ી ન ર ન ા ર ી , થ્ ા ા ય અ ે થ્ ા ી અ ન ર થ્ ા ભ ા ર ી । જેને દેહમાંહિ સુખ માન્યાં, કરે પાપ કૈ પ્રગટ છાનાં ।।૧૩।।

પ ા ે ત ા ન ા િં પ ડ ન ા સ ુ ખ સ ા રૂ ં , ક ર ે પ ા પ હ જા ર ે હ જા રૂ ં ।

જેણે કરી જમપુર જવાય, તેનો ન કરે વિચાર કાંય ।।૧૪।।

ન ખાધા સરિખું તેહ ખાય, ન પીધા સરિખું પીયે પાય ।

તેતો દેહના સુખને અર્થ, થાય અતિ ઘણા તે અનર્થ ।।૧૫।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

જે અનર્થે જમપુરી જવાય, માટે મોટો કુસંગ એ કહેવાય ।

તેહસારૂં તજવો સનેહ, જાણી કુસંગરૂપ આ દેહ ।।૧૬।।

દેહ માન્યે માને માઈ બાપ, દેહ માન્યે માને પર આપ ।

દેહ માન્યે માને ભગિની ભ્રાત, દેહ માન્યે માને નાત જાત ।।૧૭।।

દેહ માન્યે માને મૃદ મેરી, દેહ માન્યે માને વા’લા વેરી ।

દેહ માન્યે માને મારૂં તારૂં, દેહ માન્યે મમત હજારૂં ।।૧૮।।

દેહ સારૂં શુભાશુભ થાય, તેનો દોષ દેખે નહિ કાંય ।

અંધ ધંધ થઇ કરે પાપ, તેતો દેહ સારૂં સહુ આપ ।।૧૯।।

સ વ ેર્ ન ર ક ે જા વ ા ન ા ે સ ા મ ા ન , ક ર ે જ ે ન ે દ ે હ અ િ ભ મ ા ન ।

માટે મોટો કુસંગ આ દેહ, તેશું તજવો જોયે સનેહ ।।૨૦।।

તેહ વિના કુસંગ છે અન્ય, કહું તે પણ સાંભળો જન ।

કુસંગ તે ક્રવ્યાદની પેર, સદા વાવરે પ્રભુશું વેર ।।૨૧।।

હ િ ર ન ે હ િ ર ન ા અ વ ત ા ર , પ ા પ ી ત ે ન ે ઘ સ ા ર ા ે દ ે ન ા ર ।

શ્રીકૃષ્ણ જે ગોલોકપતિ, જનસુખ દાયક મૂરતિ ।।૨૨।।

ધરે જુગો જુગમાં અવતાર, કૈક જીવનો કરવા ઉદ્ધાર ।

વારાહાદિક વપુને ધારી, રહે ભૂભાર હરવા મુરારી ।।૨૩।।

દ ઈ દ ર શ પ ર શ ન ુ ં દ ા ન , હ ર ે ક ૈ ક જી વ ન ુ ં અ જ્ઞ્ ા ા ન ।

તેને તજીને અભાગી જન, કરે અન્ય દેવનું ભજન ।।૨૪।।

કાળી ભૈરવ ભૂત ને વીર, પાપી માને પાવલિયા પીર ।

તેને બલિદાન દેવા બહુપેર, મારી જીવને કરે ઝમેર ।।૨૫।।

એવા પાપીની પ્રતીતિ આવે, તોય પણ જમપુરીમાં જાવે ।

જેણે મનુષ્ય દેહ આવી આપી, તેનો પાળ માને નહિ પાપી ।।૨૬।।

ક ા ે ઈ ક ક મર્ ક ર ી પ્ર ધ ા ન , મ ા ન ે મ ા ે ક્ષ્ ા ે જા વ ા ન ુ ં હ ે વ ા ન । કર્મે કરી સરવે થાયછે, એમ કર્મના ગુણ ગાયછે ।।૨૭।।

પરમેશ્વરનો બેઠા પાડી કાળ, નાસ્તિક એવા નર છે ચંડાળ ।

એનો સંગ તે કુસંગ કહેવાય, તેને સંગે જમપુર જવાય ।।૨૮।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

ક ા ે ઇ ક અ દ્વ ૈ ત ન ી અ ા ે ટ ્ય લ ઈ , ક ર ે ક ુ ક મર્ બ ે શ મર્ થ્ ા ઇ ।

મેલી શરણ શ્રીકૃષ્ણ તણું, કરે મન જેમ માને આપણું ।।૨૯।।

એક બ્રહ્મ કહી ભમાવે લોક, કહે કર્મ ધર્મ સર્વે ફોક ।

કરે પાપ પુણ્ય થકી પાડે, તેમાં નિર્દોષપણું દેખાડે ।।૩૦।।

એવા નર હોય જે અભાગી, જાણી કુસંગ મુકવા ત્યાગી ।

એનો સંગ ન દેવો લાગવા, એ છે જમપુરીના આગવા ।।૩૧।।

કળિમાંય છે કુસંગ ઘણું, સુણો જન આચરણ તેહ તણું ।

સત્ય શાસ્ત્ર મર્યાદાને મેલી, મન મતે વરતેછે ફેલી ।।૩૨।।

પ ા પ ી ત જી િ ન જ ક ુ ળ ધ મર્ , િ વ ષ્ ા ય સ ા રૂ ં ક ર ે છ ે િ વ ક મર્ । વળી પેટ ભરવા પાખંડી, કરે અધર્મ ધર્મને છંડી ।।૩૩।।

થ્ ા ઈ અ ભ ા ગ ી ન ર ચ ં ડ ા લ , ક ર ે ક ર ા વ ે જા ત ી િ વ ટ ા ળ ।

કોઇક નિજ માતા સુતા સંગ, કરે ભગિની સાથે વ્રતભંગ ।।૩૪।।

એવા પંથ કળીમાં છે બહુ, તેમાં માની બેઠા મોક્ષ સહુ ।

તેતો સત્યશાસ્ત્ર જુઠાં થાશે, ત્યારે એમાં કલ્યાણ કે’વાશે ।।૩૫।।

માટે એવો સંગ તે કુસંગ, તેનો ન દેવો લાગવા રંગ ।

હોય પૂર્વ જન્મનાં પાપ, મળે એવો સંગ તે પ્રતાપ ।।૩૬।।

મળે વાઘ નાગ વિષ ખારુ, પણ કુસંગ થકી સહુ સારૂં ।

એથી એક જનમ જાય જાણ્ય, કુસંગથી કોટી કોટી હાણ્ય ।।૩૭।।

મ ા ટ ે ક ુ સ ં ગ ક ે ન ે ન ક ર વ ા ે , પ ા પ રૂ પ જા ણ ી પ ર હ ર વ ા ે । એવા કુસંગને સંગે રહ્યા, તેતો લખ ચોરાશીમાં ગયા ।।૩૮।।

વિધ વિધ સહ્યા જમદંડ, વળી ધરશે ચૌ ખાણ્યમાં પંડ ।

વર્ષા શીત સે’શે તને તાપ, તેતો કુસંગને પ્રતાપ ।।૩૯।।

ફરશે ભરશે ચારે એ ખાણ્ય, ધરશે સ્થાવર જંગમ તન જાણ્ય ।

મહા કુસંગની ખોટ્ય મોટી, જેણે જન્મ લેવા કોટિ કોટિ ।।૪૦।।

તેહ સારૂં તે જોવું તપાસી, નથી આગળ ખેલ ને હાંસી ।

ત્યાં તો સરે સાચાથી જો કાજ, નહિ રહે કપટીની લાજ ।।૪૧।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

દ ે હ પ ા ળ ક ઇં િ દ્ર ન ા દ ા સ , ત ે ન ા ે ર ા ખ વ ા ે ન િ હ િ વ શ્વ ા સ । એને સંગે ખોટ્ય નવ ખાયે, સાચા સંત હોય તિયાં જાયે ।।૪૨।।

પશુ પેઠે ન રહેવું બંધાઇ, સત્ય અસત્ય ઓળખવું ભાઇ ।

એહ કહી કુસંગની રીત, તેશું કેદી ન કરવી પ્રીત ।।૪૩।।

માત તાત ભગિની જે ભાઇ, સુત દારા કુળ સગાં સાઈ ।

હરિ ભજતાં પાડે જે ભંગ, તેતો કહિયે સર્વે કુસંગ ।।૪૪।।

દ ે વ ગ ુ રુ અ ધ્ ય ા રુ પ્ર વ ે ણ , અ ન્ન્ ા દ ા ત ા િ મ ત્ર્ ા સ ુ ખ દ ે ણ ।

એહ હરિ ભજતાં જો વારે, સમઝી શત્રુ તજી દેવા ત્યારે ।।૪૫।।

મતિયાં પંથિયાં પરપંચી, બેઠા અભક્ત ભાગશી રચી ।

પીરા કબીરા પ્રભુના દ્રોહી, એહ આદ્યે એવા બીજા કોહી ।।૪૬।।

તેનો રાખવો નહિ વિશ્વાસ, જેથી ટળી જાય હરિદાસ ।

પૃથ્વીપતિ પ્રધાન પટેલ, તેપણ હોય કુસંગે ભરેલ ।।૪૭।।

દઈ ડારો ને દબાવી રાખે, હરિ ભજતાં વિઘન નાખે ।

તેનો દેશ ગામ તજી દેવું, જાણી આસુર મનમાં એવું ।।૪૮।।

જ ે મ ત ે મ ક ર વ ા ે િ ન ભ ા વ , પ ણ અ ે ન ા ે ક ર વ ા ે અ ભ ા વ ।

એવો કુસંગ ક્યાં લગી કહું, કે’તાં કે’તાં તે પાર ન લહું ।।૪૯।।

એવાં કહ્યાં કુસંગ ઠેકાણાં, રહ્યાં ઘણાં ને થોડાં લખાણાં ।

જમપુરે લઇ જાવા જમાન, એહ સહુ રહેછે સાવધાન ।।૫૦।।

માટે સચેત રહેવું સદાય, નહિતો પોં’ચાડે જમપુરી માંય ।

હરિભક્તિમાં કરાવે ભંગ, કહે નિષ્કુલાનંદ એ કુસંગ ।।૫૧।।

કડવું ।।૧૭।।

પૂર્વછાયો- સદમતિ સહુ સાંભળો, મેં કહ્યું કુસંગનું રૂપ ।

અસત્ય નથી એમાં અણું, છે તેમજ તે તદરૂપ ।।૧।।

િ વ ષ્ ા વ્ ય ા ળ વ ે ર ી થ્ ા ક ી , ક હ ા ે સ ુ ખ પ ા મ ે ક ુ ણ ।

અનેક જુગ વિત્યા વિતશે, તોય તેમાં તેના તે ગુણ ।।૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

ત ે મ ક ૃ ત ઘ ન ી ન ર થ્ ા ી , પ્ર ા ણ ી પ ા મ ે દ ુ : ખ અ પ ા ર ।

તેનું આશ્ચર્ય નહિ કશું, નિશ્ચય જાણો નિરધાર ।।૩।।

વ ળ ી ક હ્ય્ ા ુ ં મ ેં સ ત સ ં ગ થ્ ા ી , મ ટ ી જા ય છ ે મ હ ા દ ુ : ખ । કહું રૂપ હવે તેહનું, જેથી જીવને થાય છે સુખ ।।૪।।

ચોપાઇ- સુણો સર્વે હવે નર નાર, કહું સત્સંગનું રૂપ સાર ।

અતિ મહિમા જેનો છે અપાર, કહેતાં કોઇ પામે નહિ પાર ।।૫।।

શ ે ષ્ ા મ હ ે શ ન ે સ ર સ્ વ ત ી , ગ ુ ણ ગ ા ય જ ે ન ા ગ ણ પ ત ી ।

વળી શ્રીહરિ શ્રીમુખે કરી, ગાય સંતના જશ શ્રીહરિ ।।૬।।

શોધી જોતાં સંતની સમાન, નથી ત્રિલોકે વસ્તુ નિદાન ।

કલ્પતરુ કામધેનુ જેહ, શુદ્ધ પારસ ચિંતામણી તેહ ।।૭।।

નવ નિધિ સિદ્ધિ સર્વે મળી, એહ આદિ સમૃદ્ધિ સઘળી ।

શોધી જોતાં એ સર્વેનું સાર, સુખ અલ્પ ને દુઃખ અપાર ।।૮।।

તેતો સંત સમ તોલ ના’વે, જેના જશ નિગમ નિત્ય ગાવે ।

એવા સંત સહુના સુખકારી, જેના હૃદયમાં રહ્યા મુરારિ ।।૯।।

શુભ ગુણના સદન સંત, તેનો મહિમા મોટો છે અત્યંત ।

પરમારથી પુણ્ય પવિત્ર, નહિ શત્રુતા સહુના મિત્ર ।।૧૦।।

કહિયે દિલના દયાળુ એને, ક્ષમા કરવાનો સ્વભાવ જેને ।

સર્વે જીવના છે હિતકારી, શીત ઉષ્ણ સહે દુઃખ ભારી ।।૧૧।।

કેના ગુણમાં અવગુણ ન ગોતે, શાંત સ્વભાવવાળા છે પોતે ।

નથી શત્રુ જેને જગમાંય, વળી વર્તેછે વણ ઈરષાય ।।૧૨।।

નથી કેને ઉપર જેને વેર, માને રહિત મને અતિ મે’ર ।

મત્સર નહિ સહુનું સહેવું, ઘટે બીજાને તેમ માન દેવું ।।૧૩।।

સત્યરૂપ સહુને લાગે પ્યારી, એવી વાણી બોલેછે વિચારી ।

કામ ક્રોધ લોભ મોહ જીતિ, નથી કોય મદપર પ્રીતિ ।।૧૪।।

વ ળ ી દ ે હ મ ા ં િ હ અ હ ં બ ુ િ દ્ધ , પ દ ા ર થ્ ા જ ે દ ે હ ન ા સ ં બ ં ધ ી । તેમાંથી અહંમમતનો ત્યાગ, સ્વધર્મમાં દૃઢ અનુરાગ ।।૧૫।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

દંભે રહિત દયાના ભંડાર, સદા પવિત્ર ભિંતર ને બા’ર ।

વળી દેહ ઇંદ્રિયો દમનાર, સરલ સ્વભાવ અતિ ઉદાર ।।૧૬।।

જીતીછે ઇંદ્રિયો સર્વે જાણો, વળી પ્રમાદ રહિત પ્રમાણો ।

સુખ દુઃખ માન અપમાન, હર્ષ શોક લાભ વળી જ્યાન ।।૧૭।।

તેણે કરી પરાભવ પામી, ધીરજતામાં ન આવે ખામી ।

કર્મ ઇંદ્રિયોનું ચપળપણું, ટાળ્યું છે જ્ઞાનઇંદ્રિયો તણું ।।૧૮।।

િ ન જ ધ મર્ અ ન ુ સ ા ર ે અ ા વ ે , ત ે ણ ે ક ર ી ન ે દ ે હ િ ન ભ ા વ ે । તે વિના અધિક પદારથ, ન સંગ્રહે જાણી અનરથ ।।૧૯।।

વ ળ ી બ ી જા ન ે બ ા ે ધ ક ર વ ા , અ િ ત ચ ત ુ ર અ જ્ઞ્ ા ા ન હ ર વ ા ।

માને પોતાને આતમારૂપ, તેમાં નિષ્ઠા અતિશે અનુપ ।।૨૦।।

ય થ્ ા ા ય ા ે ગ્ ય જી વ ન ી ઉ પ ર , ક ર ે ઉ પ ક ા ર બ હ ુ પ ે ર ।

કોય પ્રકારનો ભય નથી, નથી ડરતા કોઇના ડરથી ।।૨૧।।

અ પ ે ક્ષ્ ા ા પ દ ા ર થ્ ા ક ા ે ય ન ી , ન થ્ ા ી ઇ ચ્ છ ા સ ુ ખ દ સ ા ે ય ન ી । દ્યુતાદિક વ્યસને રહિત, સદા વર્તે છે શ્રદ્ધા સહિત ।।૨૨।।

અતિ ઉદાર સ્વભાવે યુક્ત, તપ કરવા નિષ્ઠા એવા મુક્ત ।

ન કરે કોઇ પ્રકારનું પાપ, ત્યાગે વાત ગ્રામ્ય કથા આપ ।।૨૩।।

પંચ વિષયની આસક્તિ ટળી, આસ્તિક મતિવાળા છે વળી ।

સત્યાસત્યના વિવેક યુક્તે, મદ્ય માંસાદિ કેદિ ન ભુંક્તે ।।૨૪।।

સ ત શ ા સ્ત્ર સ ુ ણ વ ા ં વ્ ય સ ન , દૃ ઢ વ ્ર ત ધ ા ય ાર્ ં જ ે ણ ે મ ન ।

ચાડી ચોરી કેદિયે ન કરે, હેરુપણું પરું પરહરે ।।૨૫।।

છાની વાત કોઇની જો હોય, બીજા આગળ ન કરે સોય ।

જીતી નિંદ્રા ને જીત્યો આહાર, એવા સંત સદાય ઉદાર ।।૨૬।।

જ ે વ ુ ં મ ળ ે પ દ ા ર થ્ ા જ્ ય ા ર ે , સ દ ા સ ં ત ા ે ષ્ ા ર હ ે છ ે ત્ ય ા ર ે । નિજધર્મવિષે બુદ્ધિ ઠેરી, હિંસા રહિત વૃત્તિ જેહ કેરી ।।૨૭।।

પદારથની તૃષ્ણાને ટાળી, થાય પોતાને સુખ દુઃખ વળી ।

તેમ પારકું સુખ દુઃખ જાણે, પોતાને થાય તે પરમાણે ।।૨૮।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

સતશાસ્ત્ર પાડે જેની નાજ, તે ન થાય આવે અતિ લાજ ।

ન કરે પોતે પોતાના વખાણ, ન કરે બીજાની નિંદા સુજાણ ।।૨૯।।

સ ત્ ય શ ા સ્ ત્ર્ ા ે ક હ્ય્ ા ા િ ન ષ્ ક ા મ , બ ્ર હ્મ ચ યર્ વ ્ર ત ધ ા ર ી ન ા મ । અષ્ટ પ્રકારે પાળેછે એહ, જથારથ જાણી લિયો તેહ ।।૩૦।।

યમ નિયમ યુક્ત છે એ જન, જેણે જીત્યાં છે સર્વે આસન ।

પ્રાણવાયુને જીત્યો છે જેણે, પ્રીત શ્રીહરિમાંય છે તેણે ।।૩૧।।

શ્ર ી હ િ ર ન ા જ ે ચ ર ણ ક મ ળ , ત ે ન ા ે દૃ ઢ અ ા શ્ર ય અ ચ ળ ।

શ્રીકૃષ્ણની ભક્તિ પરાયણ, સદા રહેછે દિવસ રયણ ।।૩૨।।

કરે કૃષ્ણ અર્થે ક્રિયા સર્વ, તજી માન મોટાઇ ને ગર્વ ।

શ્રીકૃષ્ણ અવતાર ચરિત્ર, હરખે સુણે શ્રવણે પવિત્ર ।।૩૩।।

અ વ ત ા ર ચ િ ર ત્ર્ ા ન ુ ં ગ ા ન , ક ર ે ક ી તર્ ન ન ે ત ે િ ન દ ા ન । કૃષ્ણમૂર્તિનું કરે છે ધ્યાન, તે પરાયણ છે જેનું તાન ।।૩૪।।

હરિભક્તિ વિના કોઇ કાળ, નથી ખોતા એવા છે દયાળ ।

નિત્ય નારાયણને ભજેછે, અન્ય વાસના સર્વે તજેછે ।।૩૫।।

અ ે વ ા ં લ ક્ષ્ ા ણ ે ય ુ ક્ ત જ ે સ ં ત , સ ત પ ુ રૂ ષ્ ા ક ે ’ વ ા ય મ હ ં ત । એહ આદિ શુભ ગુણ જેહ, હોય સાચા સંતમાંહિ તેહ ।।૩૬।।

અ ે વ ા સ દ ગ ુ ણ ે જ ે સ ં પ ન્ન્ ા , ત ે ન ે ક િ હ ય ે સ ા ચ ા સ ં ત જ ન । એવા સાચા સંત હોય તિયાં, હોય પ્રગટ શ્રીહરિ જિયાં ।।૩૭।।

હ િ ર હ ા ે ય િ ત ય ા ં હ િ ર જ ન , સ ત સ ં ગ ન ી ર ી ત પ ા વ ન ।

કાંતો મળે હરિ ધરી તન, કાંતો મળે તેના મળ્યા જન ।।૩૮।।

સતસંગ એ ઉભય કહિયે, તેહ વિના કલ્યાણ ન લહિયે ।

કહી રીત એ સતસંગ તણી, જથારથ જાતી નથી ભણી ।।૩૯।।

સ ં ત સ દ ા િ ન ભર્ ય િ ન િં શ્ચ ત , જ ે ન ે પ્ર ગ ટ પ્ર ભ ુ શ ુ ં પ્ર ી ત ।

સાક્ષાત હરિના સુખમાંય, રહ્યા અચળ પર્વતપ્રાય ।।૪૦।।

હ િ ર અ મ લ મ ા ં હ ર ે ફ ર ે , ક ા ે િ ટ જી વ ન ા ં ક લ્ ય ા ણ ક ર ે । કૃષ્ણચરણમાં માન્યું ચિત્ત, બીજે રહી નહિ જેની પ્રીત ।।૪૧।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

શ્યામ સુખમાં રહ્યા સમાઈ, તેણે મગન ઘણું મનમાંઇ ।

અનુભવે અમલમાં બોલે, જાણે પિંડ બ્રહ્માંડ તૃણતોલે ।।૪૨।।

સુખ સંસારી જે જે કે’વાય, તેને સ્વપ્ને પણ ન ચહાય ।

નર નિર્જરના સુખ જે છે, ઈશ અજનાં સુખને ન ઇચ્છે ।।૪૩।।

એક રાધિકાપતિ શ્રીકૃષ્ણ, તેને પામીને રહ્યા છે પ્રષ્ણ ।

એવા સંત સુખીયા છે સરે, મળે જેને તેનાં કાજ કરે ।।૪૪।।

એહ સતસંગ સુણો ભાઇ, તે હોય જુગોજુગની માંઇ ।

એહ મળે ટળે જમત્રાસ, પાછો આવે નહિ ગર્ભવાસ ।।૪૫।।

મળે એવો સમાગમ જ્યારે, જીવ નિર્ભય થાય છે ત્યારે ।

સુખી થાવા સંત સમાગમ, નિશ્ચે કહેછે એમ નિગમ ।।૪૬।।

એવા હોય સાચા જીયાં સંત, તિયાં હોય પોતે ભગવંત ।

તેહ વિના ન હોય એવી રીત, સર્વે લોક થકી પુનિત ।।૪૭।।

એમ સમજી સમાગમ કરીયે, તો જન્મ મરણથી તરીયે ।

મટે માથેથી જમનો માર, આવે સર્વે દુઃખનો તે પાર ।।૪૮।।

એહ વિના નથી જો ઉપાય, જેણે જન્મ મરણ દુઃખ જાય ।

સાર માંહિ વાત એ છે સાર, તેતો કહી દેખાડી કઇવાર ।।૪૯।।

ક હ ે િ ન ષ્ ક ુ લ ા ન ં દ અ ે મ સ ત્ ય , ક હ ી સ ત સ ં ગ ન ી િ વ ગ ત્ ય ।

સુખી થાવા જીવને એઠામ, તેહ વિના નથી વિશ્રામ ।।૫૦।।

પૂર્વછાયો- કુંસગ ને સતસંગનું, કહ્યું રૂડી રીતે કરી રૂપ ।

સર્વે જન હવે સાંભળો, કહું એક વાત અનૂપ ।।૧।।

જ ે સ ુ ણ ી અ ા જી વ ન ે , ઉ ઘ ડ ે અ ં ત ર ન ી અ ા ં ખ્ ય ।

સતસંગ સમઝી કરે, તજે કુસંગ કરવા ધાંખ ।।૨।।

જ ે મ સ વ ેર્ સ ં ત ત ણ ી , અ ે ક ર ે ’ ણ ી ન ે અ ે ક ર ી ત ।

તેમ હરિની હોય નહિ, કહું તેહ સુણો દઇ ચિત્ત ।।૩।।

જી વ ન ા ક લ્ ય ા ણ ક ા ર ણ ે , ધ ર ે જ ુ જ વ ી જા ત ન ા ં ત ન ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

જીયાં જેવું કામ પડે, તિયાં તેવા થાય ભગવન ।।૪।।

ચોપાઇ- હવે સાંભળો સહુ સુજાણરે, કહું વાત શાસ્ત્ર પ્રમાણરે ।

જેથી પ્રભુપણું પ્રિછાયરે, પ્રભુપ્રટમાં સંશય ન થાયરે ।।૫।।

દ શ ચ ા ે િ વ શ અ ા િ દ અ ન ં ત ર ે , ધ ર ે ત ન ઉ ધ ા ર વ ા સ ં ત ર ે ।

મત્સ્ય કચ્છ ને વારાહ નામરે, નૃસિંહ વામન પરશુરામરે ।।૬।।

રામ કૃષ્ણ બુદ્ધ ને કલકિરે, એહ આદિ જે તન અલોકિરે ।

મત્સ્ય કચ્છ વારિમાં વિચર્યારે, વારાહ નૃસિંહ વનમાં ફર્યારે ।।૭।।

વામન પરશુરામ કહું વર્ણીરે, રામ કૃષ્ણની અલૌકિક કર્ણીરે ।

બુદ્ધ શુદ્ધ બોધના દાતારરે, કલ્કી ભૂમિહરણ ભારરે ।।૮।।

ક્રિયા એકએકની ન મળેરે, એમ લખ્યું પુરાણ સઘળેરે ।

પણ કરવું જીવોનું કલ્યાણરે, ધર્મ થાપી પાપી લેવા પ્રાણરે ।।૯।।

જ ુ ગ ા ે જ ુ ગ પ્ર ગ ટ ે પ ા પ ી ર ે , ક ર ે અ ધ મર્ ધ મર્ ઉ થ્ ા ા પ ી ર ે । દ્વિજ રાજ વળી વેષ ધારીરે, જેને કહ્યે વર્તે વર્ણ ચારીરે ।।૧૦।।

એમાં આવી રહેછે અધર્મરે, તેહ કરાવે સૌને કુકર્મરે ।

સંત ભક્ત તપસી ને ત્યાગીરે, પીડે રંકઋષિને અભાગીરે ।।૧૧।।

સતશાસ્ત્ર શ્રવણે ન સુણેરે, ખોટાંશાસ્ત્ર વાંચે બેસી ખુણેરે ।

જેમાં મદ્ય માંસ વ્યભિચારરે, જાતિ વિટાળ ને અનાચારરે ।।૧૨।।

એવાં શાસ્ત્ર સહુને સુણાવેરે, પાપીને તેની પ્રતીત આવેરે ।

પછી મનને ગમે તે વરતેરે, બિયે નહિ અશુભ આચરતેરે ।।૧૩।।

બાંધી મહાપ્રભુએ મરજાદરે, તેને ભાખે કુકર્મિ ક્રવ્યાદરે ।

તેને દેખી ન શકે દયાળરે, આવે એને અર્થે તતકાળરે ।।૧૪।।

ધ મર્ ર ક્ષ્ ા ા ક ર વ ા ન ે ક ા જ ર ે , જ ુ ગ ા ે જ ુ ગ પ્ર ગ ટ ે મ હ ા ર ા જ ર ે । તેમાં હરિજનનાં દુઃખ હરેરે, જેવું ઘટે તેવું તન ધરેરે ।।૧૫।।

તાત્પર્ય એ સર્વેનું એકરે, કહ્યું વિચારી કરી વિવેકરે ।

જેમ સાધુ સાધુતાયે અતિરે, તેમ કૃષ્ણ કલ્યાણમૂરતિરે ।।૧૬।।

પણ એથી ન હોય અકાજરે, છે એ કલ્યાણ મૂર્તિ મહારાજરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

જોને કામભાવે ભજી ગોપીરે, કુળ વેદ મર્યાદાને લોપીરે ।।૧૭।।

ભયે ભજ્યા કંસ ભૂપાળરે, ક્રોધભાવે ભજ્યા શિશુપાળરે ।

સ્નેહે વસુદેવને દેવકીરે, દુષ્ટભાવે કરી ભજી બકીરે ।।૧૮।।

સ ખ ા ભ ા વ ે પ ા ં ડ વ પ્ર મ ા ણ ર ે , દ ા સ ભ ા વ ે ઉ દ્ધ વ સ ુ જા ણ ર ે ।

એહ આદિ સુખી થયા બહુરે, પ્રગટ પ્રભુને સ્પર્શી સહુરે ।।૧૯।।

માનો ન ફરે એહ એંધાણરે, પ્રભુ મળ્યે કોટિ કલ્યાણરે ।

વળી અજીત એવું આ મનરે, તેને જીતવે એ ભગવનરે ।।૨૦।।

એહ એધાંણે લેવા ઓળખીરે, પણ ક્રિયા તો ન હોય સરખીરે ।

એહ મર્મ મેં કહ્યો અનૂપરે, સત્ય એમ છે એનું સ્વરૂપરે ।।૨૧।।

કૃપાસિંધુ જે કૃષ્ણ મુરારીરે, તેતો અવતારના અવતારીરે ।

જેજે અવતાર કહ્યા મેં કથીરે, તેતો સર્વે શ્રીકૃષ્ણ માંયથીરે ।।૨૨।।

સર્વેનું છે શ્રીકૃષ્ણ કારણરે, ભવભયહારી ભક્તતારણરે ।

આપ ઇચ્છાએ પ્રગટે મહારાજરે, નિજજનની રક્ષાને કાજરે ।।૨૩।।

જ્યારે કરવું હોય જેવું કામરે, તન તેવું ધરે ઘનશ્યામરે ।

પણ સહુનું કારણ કૃષ્ણરે, તેનું દુર્લભ સર્વને દૃષ્ણરે ।।૨૪।।

તેતોેે સ્વયંપ્રભુ શ્રીહરિદેવરે, તેનો જાણ્યો છે વિરલે ભેવરે ।

જે કોઇ મન વાણી ને અગમરે, તેતો થયા છે સહુને સુગમરે ।।૨૫।।

કરવા કોટિ જીવનાં કલ્યાણરે, આજ આપે પ્રગટ પ્રમાણરે ।

દેવા દર્શ સ્પર્શ અભયદાનરે, ઢળ્યા અઢળક ભગવાનરે ।।૨૬।।

ત ે ન ે અ ા વ ી મ ળ ે જ ન જ ે હ ર ે , જ મ દ ં ડ થ્ ા ી મ ૂ ક ા ય ત ે હ ર ે । ટળે સર્વે સંકટ ત્યારેરે, મળે સંત કે શ્રીહરિ જ્યારેરે ।।૨૭।।

સુખકારી દુઃખહારી દોયરે, સાચા સંત કે શ્રીકૃષ્ણ સોયરે ।

જેને કહુંછું શ્રીકૃષ્ણ અમેરે, તેજ શ્રીહરિ સમજો તમેરે ।।૨૮।।

એહ સર્વે સુખનું છે ધામરે, સુખદાયી શ્રીઘનશ્યામરે ।

જન ઇચ્છે સુખી થાવા જેહરે, અચળ એક ઠેકાણું છે એહરે ।।૨૯।।

તેહ વિના નથી સુખ થાવારે, જન્મ મરણ મહાદુઃખ જાવારે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

કાંતો તે પ્રભુ કાં તેના જનરે, સુખી થવા ઠામ માનો મનરે ।।૩૦।।

નથી એહ વિના બીજો ઉપાયરે, સત્ય માની લેજ્યો મનમાંયરે ।

જેહ સમે જેનું હોય રાજરે, તેહ સમે સરે તેથી કાજરે ।।૩૧।।

માટે આ સમે એહ ભગવાનરે, નિશ્ચે માની લેજ્યો સહુ જનરે ।

તે મળ્યા છે જેને મહારાજરે, તેનાં સર્યા છે સર્વે કાજરે ।।૩૨।।

નથી રહ્યું તેને કાંય કરવુંરે, જન્મ મરણ ભવફેરા ફરવુંરે ।

છેલ્લો જન્મછે આ જાણી લેજ્યોરે, એમ જાણી આનંદમાં રે’જોરે ।।૩૩।।

જ્યારે આવશે આ તન અંતરે, તેનું સહુ જાણો છો વરતંતરે ।

નિશ્ચય આવેછે તેડવા નાથરે, નિજસંત સખા લઈ સાથરે ।।૩૪।।

અશ્વ રથ વહેલ્ય વિમાનરે, ગજ ગરૂડ ગાડિયો નિદાનરે ।

આવે એક બે ત્રણ દિન આગેરે, દેઇ દર્શનને દુઃખ ભાગેરે ।।૩૫।।

તેને આવી કહે એમ નાથરે, તુંને તેડી જાશું અમ સાથરે ।

થાજ્યે સાબદો કહી સહુનેરે, કહેજ્યે આવ્યા છે તેડવા મુનેરે ।।૩૬।।

કરજ્યે વાયદો વિશ્વાસ લાવીરે, તેડી જાશું તે સમે અમે આવીરે ।

નહિ પડે તેમાં ફેર કાંઇરે, નિર્ભય રે’જ્યે તું મનમાંઇરે ।।૩૭।।

એમ આગેથી કહે અવિનાશરે, તેણે મન મગન રહે દાસરે ।

તેહ સમે તેડવાને આવેરે, સંગે સાજ અલૌકિક લાવેરે ।।૩૮।।

સર્વે સુખમય તે સમાજરે, એમ આવે તેડવા મહારાજરે ।

વળી તે વિના બીજી છે રીતરે, સહુ સાંભળી લેજો દઇ ચિત્તરે ।।૩૯।।

જ્યારે ત્યાગવું હોય તનનેરે, ત્યારે મો’રે જણાય જનનેરે ।

પછી બીજા જનને એમ કહેરે, મારો દેહ હવે નહિ રહેરે ।।૪૦।।

આજ થકી પાંચ દશ દનરે, વિશ ત્રીશમાં ત્યાગીશ તનરે ।

જેને આવવું હોય મારે સંગેરે, તેને તેડી જાઉં હું ઉમંગેરે ।।૪૧।।

કરવું હોય જો સાબીત કેનેરે, હરિધામમાં પો’ચાડું તેનેરે ।

જે ધામમાં સદા છે સુખરે, નથી કોઇ વાતનું જીયાં દુઃખરે ।।૪૨।।

તે ધામ ગોલોક કે’વાયરે, જેને મોટા મોટા મને ચા’યરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

તે મધ્યે કરી રહો વાસરે, જીયાં કાળ માયાનો નહિ ત્રાસરે ।।૪૩।।

એવી હિંમત સોત હરિજનરે, એમ કરીને ત્યાગેછે તનરે ।

એવી રીત સતસંગ માંયરે, તેહ વિના બીજે નથી ક્યાંયરે ।।૪૪।।

એહ મોટા પ્રતાપને માનોરે, નથી એ પ્રતાપ કાંઇ છાનોરે ।

સર્વે ધામતણા જેહ ધામીરે, તે આવ્યા છે સહજાનંદ સ્વામીરે ।।૪૫।।

આવી શક્કો બેસાર્યો નવલરે, અતિ અનુપમ જે અવલરે ।

સર્વે જીવતણા સુખ કાજેરે, રૂડી રીત ચલવી મહારાજેરે ।।૪૬।।

સુણી હરિજન રે’જ્યો મગનરે, મને માની લેજ્યો ધન્ય ધન્યરે ।

કહ્યાં જમપુરીનાં જે દુઃખરે, તેના ભોગવનાર વિમુખરે ।।૪૭।।

જેણે પ્રગટ પ્રભુને ત્યાગીરે, બીજી વાતે વળગ્યા અભાગીરે ।

તેતોેે જમપુરીમાંઇ જાશેરે, તિયાં મન ગમતો માર ખાશેરે ।।૪૮।।

કહી વિસ્તારી સર્વે વાતરે, સુખ દુઃખ કહ્યાં સાક્ષાતરે ।

નથી કે’વા કેડયે કાંઇ રાખ્યુંરે, ભલી રીતે એ સર્વે ભાખ્યુંરે ।।૪૯।।

જેવુ કહ્યું તું મહારાજે મુનેરે, તેવું કહી સમઝાવ્યું સહુનેરે ।

એહ મોટો થયો ઉપકારરે, સુણી તરશે સહુ નરનારરે ।।૫૦।।

પાપી બીસે કરતાં તે પાપરે, સુણી આ ગ્રંથ શ્રવણે આપરે ।

માટે રૂડું થયું જાણો જનરે, સુણી સહુ થાશે પાવનરે ।।૫૧।।

કહ્યું સરવે સૂચવી સહુનેરે, જેવું હરિએ ઉપજાવ્યું મુનેરે ।

આજે જમદંડ ગ્રંથ ગાશેરે, સુણી જમદંડથી મુકાશેરે ।।૫૨।।

દેશે સાંભળી વિપ્રને દાનરે, અન્ન ધન વસ્ત્રાદિ સન્માનરે ।

તેતો સુખી થાશે નરનારરે, વળી સહજે તરશે સંસારરે ।।૫૩।।

કહી સુખ દુઃખની મેં વિધિરે, જેવી મહારાજે આજ્ઞા કીધીરે ।

કહ્યું મેં તો મતિ પ્રમાણેરે, જથાર્થ તો મહાપ્રભુ જાણેરે ।।૫૪।।

ઓછું અધિકું કહ્યું હોય કાંઇરે, તેતો ના’વ્યું હોય જાણ્યા માંઇરે ।

કહે નિષ્કુલાનંદ વિચારીરે, સહુ જન લેજ્યો હૈયે ધારીરે ।।૫૫।।

કડવું ।।૧૯।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

પૂર્વછાયો- જુજવી રીતે જીવને, કહ્યાં જમપુરીનાં દુઃખ ।

હરિજન મગન રહેજ્યો, એતો ભોગવશે વિમુખ ।।૧।।

પ્ર ભ ુ િ વ મ ુ ખ પ્ર ા િ ણ ય ા ે , જા ે ક ર ે ક ા ે િ ટ ઉ પ ા ય ।

દુઃખ માથેથી મટે નહિ, જરૂર જમપુર જાય ।।૨।।

ભ ૂ લ ી િ દ શ ભ ગ વ ા ન ન ી , અ ન ે લ ી ધ ી બ ી જી વ ા ટ ્ય ।

તેમાં જેટલું ચાંપે ચાલશે, તેટલી ખોટ નહિ ખાટ્ય ।।૩।।

સ મ થ્ ાર્ ન ા શ ર ણ િ વ ન ા , ક ુ શ ળ ક્ ય ા ં થ્ ા ક ી હ ા ે ય ।

આપબળે નવ ઉગરે, જેમ સિંધુ તરવો સોય ।।૪।।

જ ે જ ન્ મ મ ર ણ જી વ ન ે , દ ુ : ખ ન ા ે ભ ય ા ેર્ દ િ ર ય ા વ ।

લે’રી પેઠે લય ઉત્પત્તિ, ઉપજે સહજ સ્વભાવ ।।૫।।

જ ન મ મ ર ણ જ્ ય ા ં લ ગ ી , ત્ ય ા ં લ ગ ી જ મ ન ુ ં જા ે ર ।

જમ આવે તિયાં જાણજ્યો, કહ્યાં દુઃખ જે કેડામો’ર ।।૬।।

જ ે ન ે મ ા થ્ ા ે છ ે મ ર વ ુ ં , ત ા ે ય ન ડ ર વ ુ ં િ ન ર ધ ા ર ।

તેહજ મૂરખ મંદમતિ, અતિ ગાફલ કહિયે ગમાર ।।૭।।

શ ુ ં થ્ ા ય ુ ં િ શ ય ા ણ ા ે થ્ ા ય ે , શ ુ ં થ્ ા ય ુ ં થ્ ા ય ા ે ચ ત ુ ર । ડાહ્યા સમઝુએ શું થયું, જો હરિ ન રાખ્યા ઉર ।।૮।।

પ્ર ભ ુ િ વ મ ુ ખ ન ર પ ર ા ક્ર મ ે , જા ે હ ા ે ય જ ગ જા િ ણ ત ।

અનેક ગુણને આશરે, પણ જમપુરે જાવા રીત ।।૯।।

જ મ અ ા વ ે જ ે ન ે ત ે ડ વ ા , ક હ ુ ં ત ે ન ા ત ન ન ી ર ી ત ।

અચેત મરે અસાધ્યમાં, જેને પ્રભુ સાથે નહિ પ્રીત ।।૧૦।।

ચોપાઇ- જેને આવે લેવા જમરાણરે, તેનાં ઓળખાવું હું એધાણરે ।

જમ જોરે કાઢે એનો પ્રાણિરે, સર્વે નાડી અનાડીની તાણીરે ।।૧૧।।

ત્યારે સજડ થાય શરીરરે, લોહ લાક્ય સરખું અચીરરે ।

જેમ ન વળે સૂકું લક્કડરે, એમ અંગ થાયછે અક્કડરે ।।૧૨।।

તેતો જમદૂત જોરે કરીરે, લિયે પાપીતણા પ્રાણ હરીરે ।

પછી હાથ પગ જેમ હોયરે, વાળ્યા વળે નહિ વળી સોયરે ।।૧૩।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

આંખ્ય મુખ ફાટ્યું રહિ જાયરે, પાછું બીડતાં તે ન બીડાયરે ।

નાડી તણાઇ સરવે ત્રુટેરે, ગુદા શિષ્ણુતણા બંધ છુટેરે ।।૧૪।।

થ્ ા ા ય મ ળ મ ૂ ત્ર્ ા ન ે મ ગ ન ર ે , ત ે ણ ે ખ ર ડ ્ય ે બ ગ ડ ે ત ન ર ે । હાયવોય કરતો તે મરેરે, થઇ વ્યાકુળ વલખાં કરેરે ।।૧૫।।

સુત દારા મારાં શું કરશેરે, મુજ વિના દુઃખી થઇ મરશેરે ।

એમ આળપંપાળમાં મરેરે, જેના જમ જોરે પ્રાણ હરેરે ।।૧૬।।

અ ા વ ે જ મ ત ે ડ વ ા જ ે ન ે ર ે , થ્ ા ા ય જ ે મ ક હ્ય્ ા ુ ં ત ે મ ત ે ન ે ર ે । વળી હોય કોઇ વાસનાવાનરે, નાવે જમને હાથ નિદાનરે ।।૧૭।।

તર્ત ભૂત પ્રેત તન ધરેરે, તે પણ નરકથી નરસું સરેરે ।

નદી કૂવા વાવ્ય તલાવેરે, તિયાં જળ પિવાને જો જાવેરે ।।૧૮।।

ન દિયે પીવા વરુણની ચોકીરે, મરે પ્યાસે રાખ્યા ઘાટ રોકીરે ।

પછી અશુદ્ધ જળને ગોતેરે, તેહ વિના ન પીવાય ભૂતેરે ।।૧૯।।

પીએ ગુદાનું ધોયાનું પાણીરે, અતિશય અશુદ્ધ એ જાણીરે।

કાંતો લીંગ ભગ ધોયું તોયરે, ભૂત પ્રેતને પીવાનું સોયરે ।।૨૦।।

નરક થકી નરસુ છે જેમાંરે, જાણી જમ મૂકી દીયે તેમાંરે ।

એમ હરિ વિમુખને દુઃખરે, જીયાં જાય તિયાં નહિ સુખરે ।।૨૧।।

એમ ભૂત પ્રેત નર નાગરે, પ્રભુ વિમુખનાં ભૂંડાં ભાગ્યરે ।

કાંતો અતિ પાપી તન પામીરે, કરે પાપ રાખે નહિ ખામીરે ।।૨૨।।

ભાવું ભીલ કસાઇ કલાલરે, પારાધી ફાંસિયા મચ્છીમારરે ।

મહા મ્લેચ્છ છે પાપનું મૂળરે, મારે જીવ અહોનીશ અતુળરે ।।૨૩।।

તેતો મરી જમપુર જાયરે, પછી સદા રહે નરક માંયરે ।

કોઇ કાળે ન નીસરે બા’રરે, જેણે કર્યાં છે પાપ અપારરે ।।૨૪।।

આવે અભાગ્યે મનુષ્યનો વારોરે, ના’વે જીવતો ગર્ભથી બા’રોરે ।

કાંતો ગળી જાય ગર્ભમાંયરે, કાંતો સંકટમાં સ્રવી જાયરે ।।૨૫।।

કાંતો કાઢે ઉદરથી કાપીરે, નાવે ગર્ભથી જીવતો પાપીરે ।

એમ જન્મો જન્મ વેરે વેરેરે, ખુવે મનુષ્ય આયુષ્ય એ પેરેરે ।।૨૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

પણ મનુષ્ય દેહનું જે સુખરે, પામે નહિ પ્રભુના વિમુખરે ।

એવી અતિ અધર્મની રીતરે, કહું બીજી સુણો દઇ ચિત્તરે ।।૨૭।।

નાના મોટા હોય નામ ધારીરે, જેની નવ ખંડે નામના ભારીરે ।

મર આ જગે હોય જાણીતરે, પણ સર્વે તણી એક રીતરે ।।૨૮।।

વિદ્યા ગુણ પેચ પરાક્રમરે, નો’ય બીજો કોઇ એહ સમરે ।

સર્વ વાતનું કહી દેખાડેરે, પણ જમ આગે એક પાડેરે ।।૨૯।।

એમ સાંભળ્યું શાસ્ત્ર સઘળેરે, એવે ગુણે જમત્રાસ ન ટળેરે ।

હરિ વિના મૃત્યુંને ન તરેરે, સાચી વાત માનજો એ સરેરે ।।૩૦।।

ક ા ે ઇ પ ઢ ે સ વ ેર્ પ ુ ર ા ણ ર ે , ક ા ’ વ ે સ વ ેર્ લ ા ે ક મ ા ં સ ુ જા ણ ર ે । કરી વાતે ડોલાવે બ્રહ્માંડરે, પણ ટળે નહિ જમદંડરે ।।૩૧।।

કોઇ કરે જગન ને જાગરે, આપે સર્વે અમર ને ભાગરે ।

હોમે નર પશુ કરી પંડરે, પણ ટળે નહિ જમદંડરે ।।૩૨।।

કોઇ પર્વત પરથી પડેરે, જ્યારે એવે વેગે મન ચડેરે ।

મળે સુત વિત્ત રાજ્ય રંડરે, પણ ટળે નહિ જમદંડરે ।।૩૩।।

કોઇ ફરે તીરથ સઘળેરે, રહે નિત્ય નવે વળી સ્થળેરે ।

જઇ જળમાં પખાડે પંડરે, પણ ટળે નહિ જમદંડરે ।।૩૪।।

ક ા ે ઇ ક ર ે વ ્ર ત ઉ પ વ ા સ ર ે , જા ય ઉ ત્ત્ ા ર ે થ્ ા ઇ ઉ દ ા સ ર ે । જઇ ગાળે હિમાળામાં હંડરે, પણ ટળે નહિ જમદંડરે ।।૩૫।।

કોઇ ચારે કોરે અગ્નિ બાળીરે, બેસે વચ્ચમાં આસન વાળીરે ।

માથે તપાવે જો માર્તંડરે, પણ ટળે નહિ જમદંડરે ।।૩૬।।

કોઇ અષ્ટાંગ યોગને સાધેરે, એક આત્મારૂપ આરાધેરે ।

રોકે પ્રાણ અપાન પ્રચંડરે, પણ ટળે નહિ જમદંડરે ।।૩૭।।

કોઇ ભણે વેદાંત અનૂપરે, જાણે જીવેશ્વર માયાનું રૂપરે ।

જીતી સામો રોપે જઇ ઝંડરે, પણ ટળે નહિ જમદંડરે ।।૩૮।।

કોઇ વદેછે વ્યાકરણ વાણરે, સુણી સહુ કરે પ્રમાણરે ।

બોલે મુખથી શુદ્ધ અખંડરે, પણ ટળે નહિ જમદંડરે ।।૩૯।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

ક ા ે ઇ ક િ વ થ્ ા ઇ ક ા વ્ ય જા ે ડ ે ર ે , ક ા ે ઇ ક ર ે જ્ઞ્ ા ા ન ગ પ ા ે ડ ે ર ે । જાણું ભેદી જાશે આ બ્રહ્માંડરે, પણ ટળે નહિ જમદંડરે ।।૪૦।।

કોઇ સહુથી થઇ ઉદાસીરે, લિયે કરવત જઇ કાશીરે ।

મરે જળે બુડી ભરી ભંડરે, પણ ટળે નહિ જમદંડરે ।।૪૧।।

કોઇ સતી પતિ કેડે થાયરે, કોઇ જીવતાં ભૂમાં સમાયરે ।

એમ પરાણે કરે પ્રાણ છંડરે, પણ ટળે નહિ જમદંડરે ।।૪૨।।

કોેઇ ત્યાગી થઇ વશે વનરે, ફરે નગ્ન ન ખાયે અન્નરે ।

સહે શીત ઉષ્ણ પીડા પંડરે, પણ ટળે નહિ જમદંડરે ।।૪૩।।

કોઇ સા’ય કરે સિદ્ધિ અષ્ટરે, પામે નિધિ કરી બહુ કષ્ટરે ।

જાય ઇચ્છે તે લોકમાં ઉંડરે, પણ ટળે નહિ જમદંડરે ।।૪૪।।

ક ા ે ઇ જ ં ત્ર્ ા મ ં ત્ર્ ા ન ે વ ખ ા ણ ે ર ે , બ હ ુ ન ા ટ ક ચ ે ત ક જા ણ ે ર ે , જાણે બહુ પ્રપંચ પાખંડરે, પણ ટળે નહિ જમદંડરે ।।૪૫।।

ક ા ે ઇ અ ા પ ે સ વર્ સ્ વ દ ા ન ર ે , વ ા ધ ે િ ક ત ીર્ ક ણર્ સ મ ા ન ર ે ।

પડે ખબર સર્વે ખંડરે, પણ ટળે નહિ જમદંડરે ।।૪૬।।

કોઇ શૂરા પુરા સંગ્રામેરે, વડા વેરીથી હાર ન પામેરે,

કરે શત્રુ સેનાને વિખંડરે, પણ ટળે નહિ જમદંડરે ।।૪૭।।

સ્વર્ગ મૃત્યુ પાતાળમાં જશેરે, વ્યાપી રહ્યો સહુથી સરસરે ।

હોય નરનારી વા ષંડરે, પણ ટળે નહિ જમદંડરે ।।૪૮।।

એવી રીત કિયાં લગી કહુંરે, કે’તાં કેતાં તે પાર ન લહુંરે ।

અંતે પડે તે નરકને કુંડરે, પણ ટળે નહિ જમદંડરે ।।૪૯।।

એમ કહેછે સર્વે પુરાણરે, સુણી સમજી લેજો સુજાણરે ।

નથી મુખની વાત મેં લખીરે, નો’ય કલ્યાણ પ્રભુજી પખીરે ।।૫૦।।

જો આપબળે સિંધુ તરાયરે, નાવ શોધવાતો શીદ જાયરે ।

હોય પોત પાર થાય સુખીરેે, નો’ય કલ્યાણ પ્રભુજી પખીરે ।।૫૧।।

જેમ અર્ક વિના અંધારૂંરે, કરે ટાળવા ઉપાય હજારૂંરે ।

ઉલેચતાં તમ થાય દુઃખીરેે, નો’ય કલ્યાણ પ્રભુજી પખીરે ।।૫૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

સર સરિતા સાગર સોયરે, ઘન વિના સુક્યાં સહુ સોયરે ।

એહ એંધાણ લેવું ઓળખીરેે, નો’ય કલ્યાણ પ્રભુજી પખીરે ।।૫૩।।

એમ સો વાતની વાત એકરે, સમઝુ હોય સમઝો વિવેકરે ।

મમતે ન થાવું મન મુખીરેે, નો’ય કલ્યાણ પ્રભુજી પખીરે ।।૫૪।।

યમદંડ નામે છે આ ગ્રંથરે, તેમાં ચરણે ચરણે એ અર્થરે ।

લેવું પ્રકટ પ્રભુનું શરણરે, ત્યારે ટળે જન્મ ને મરણરે ।।૫૫।।

જન્મ મરણ તિયાં જમ જાણોરે, જમ આવે એ દુઃખ પ્રમાણોરે ।

જાણો દુઃખ ટળી સુખ થાવુંરે, ત્યારે પ્રગટ પ્રભુ પાસે જાવુંરે ।।૫૬।।

કહ્યો છેલ્લો મેં એહ ઉપાયરે, હોય હરિ જુગો જુગ માંયરે ।

તેને મળ્યે ટળ્યે મહાદુઃખરે, થાય શાંતિ પામે જીવ સુખરે ।।૫૭।।

આદ્યે અંત્યે મધ્યે એહ વાતરે, સૌ સમઝી લ્યો સાક્ષાતરે ।

પ્રભુ મળ્યા વિના છે પાંપળાંરે, તજો તેને જાણીને ટાંપળાંરે ।।૫૮।।

કરો પ્રગટ પ્રભુ સાથે પ્રીતિરે, તો જાઓ જગમાંહિ જીતીરે ।

નથી કઠણ વાત એ કાંઇરે, સહુ સમઝો એવી સુખદાઇરે ।।૫૯।।

સાચા ખોટામાં સરખો શ્રમરે, શીદ નથી જાણતા એ મર્મરે ।

જેમાં દિશ મુવાડે મારગેરે, ચાલે સાંજથી સવાર લગેરે ।।૬૦।।

જેમ જેમ ચાંપેશું ચલાયરે, તેમ તેમ છેટું થાતું જાયરે ।

તેમ પ્રભુજીને પુઠ્ય દઇરે, જીવ કરેછે ભગતિ કઇરે ।।૬૧।।

તેતો નથી આવતી જો અર્થરે, ઠાલો જન્મ ખુવેછે વ્યર્થરે ।

વણ સમઝે વેઠે છે દુઃખરે, જે કોઇ હરિ થકી છે વિમુખરે ।।૬૨।।

મટી વિમુખ સન્મુખ થાઓરે, જાણી જોઇ કાં જમપુરે જાઓરે ।

પોતે પોતાનું કરવું કાજરે, સ્મરિ શ્રી ઘનશ્યામ મહારાજરે ।।૬૩।।

અચળ એક આશરો એહરે, એહ વાતમાં નહિ સંદેહરે ।

તેહ વિના ન હોય ભવપારરે, કહે નિષ્કુલાનંદ નિરધારરે ।।૬૪।।

કડવું ।।૨૦।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

પદરાગ ધોળ - પામ્યા પામ્યારે ભવ જળ પાર, શ્રીહરિ સંત મળી,

વામ્યાં વામ્યાં રે દુઃખ અપાર; શ્રીહરિ સંત મળી. ।।૧।।

નામ્યાં નામ્યાંરે શીશ પ્રભુપાય; શ્રી. । જામ્યાં જામ્યાંરે સુખ ઉરમાંય; શ્રી. ૨

સર્યાં સર્યાંરે સર્વે કાજ; શ્રી. । ભર્યાં ભર્યાંરે અભરે આજ; શ્રી. ।।૩।।

ઠર્યાં ઠર્યાંરે પામી સુખ ઠામ; શ્રી. । કર્યાં કર્યાંરે પૂરણકામ; શ્રી. ।।૪।।

ભાગ્યો ભાગ્યોરે ભવનો ભય; શ્રી. । જાગો જાગોરે થઇ જીત જય; શ્રી. ।।૫।

ત્યાગો ત્યાગોરે મનની તાણ; શ્રી. । માગો માગોરે પદ નિરવાણ; શ્રી. ।।૬।

લીધો લીધોરે પૂરણ લાવ; શ્રી. । દીધો દીધોરે જમ શિરપાવ; શ્રી. ।।૭।।

કીધો કીધોરે જન્મ સફળ; શ્રી. । પીધો પીધોરે રસ અમળ; શ્રી. ।।૮।।

થઇ થઇરે જગમાંય જીત; શ્રી. । ગઇ ગઇરે અન્યની પ્રતીત; શ્રી. ।।૯।।

રહી રહીરે લાખેણી લાજ; શ્રી. । સઇ સઇરે વાત કહું આજ; શ્રી. ।।૧૦।।

આવ્યો આવ્યોરે આજ આનંદ; શ્રી. । ફાવ્યો ફાવ્યોરે ફેરો ફાટ્યા ફંદ; શ્રી. ।૧૧

ભાવ્યો ભાવ્યોરે સાચો સતસંગ; શ્રી. । ના’વ્યો ના’વ્યોરે અભાવ અંગ; શ્રી. ।।૧૨

હર્યો હર્યોરે સર્વે સંતાપ; શ્રી. । તર્યો તર્યોરે ભવજળ આપ; શ્રી. ।।૧૩।।

કર્યો કર્યોરે સર્વેનો ત્યાગ; શ્રી. । ઠર્યો ઠર્યોરે ઉર વૈરાગ; શ્રી. ।।૧૪।।

જોયું જોયુંરે જગમાં જરૂર; શ્રી. । ખોયું ખોયુંરે દુઃખડું દૂર; શ્રી. ।।૧૫।।

મોહ્યું મોહ્યુંરે મન જોઇ નાથ; શ્રી. । પ્રોયું પ્રોયુંરે ચિત્ત એહ સાથ; શ્રી૦ ।।૧૬

દીધું દીધુંરે દર્શન દાન; શ્રી. । કીધું કીધુંરે અમૃતપાન; શ્રી૦ ।।૧૭।।

લીધું લીધુંરે સુખ અપાર; શ્રી. ।સીધ્યું સીધ્યુંરે કારજ આવાર; શ્રી૦ ।।૧૮।।

લાગ્યો લાગ્યોરે એ સંગે રંગ; શ્રી. । ભાગ્યો ભાગ્યોરે અન્યથી ઉમંગ; શ્રી૦ ।૧૯

વાગ્યો વાગ્યોરે જીતનો ડંક; શ્રી. । ત્યાગો ત્યાગોરે જુઠી જગ શંક; શ્રી૦ ।૨૦

લીધી લીધીરે શ્યામળે મારીસાર; શ્રી. ।। કીધી કીધીરે વાલેમારી વા’ર; શ્રી૦ ।૨૧

દીધી દીધીરે મોજ અનૂપ; શ્રી. । સીધી સીધીરે વાતસુખરૂપ; શ્રી. ।।૨૨।।

મળી મળીરે મહાસુખ મોજ; શ્રી. । દળી દળીરે જમદૂત ફોજ; શ્રી. ।।૨૩।।

ટળી ટળીરે સર્વે ત્રાસ; શ્રી. । બળી બળીરે અન્ય બીજી આશ; શ્રી. ।।૨૪।।

વળી વળીરે રંગડાની રેલ્ય; શ્રી. । ફળી ફળીરે સુફળ વેલ્ય; શ્રી. ।।૨૫।।

ઢળી ઢળીરે ઢળી ગયો ઢાળ; શ્રી. । પડી પડીરે ગયાં પંપાળ; શ્રી. ।।૨૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

યમદંડ

ટળ્યો ટળ્યોરે જમનોત્રાસ; શ્રી. । પળ્યો પળ્યોરે પરો ગર્ભવાસ; શ્રી. ।।૨૭।।

મળ્યો મળ્યોરે સાચો સતસંગ; શ્રી. । વળ્યો વળ્યોરે દિન રહ્યો રંગ; શ્રી.।।૨૮।।

હુવો હુવોરે જયજયકાર; શ્રી. । જુવો જુવોરે સુખ અપાર; શ્રી. ।।૨૯।।

સુવો સુવોરે સુખની સજ્જાય; શ્રી. । દુવો દુવોરે કામદુઘાય; શ્રી. ।।૩૦।।

આજ આજરે વરત્યો આનંદ; શ્રી. ।કાજ કાજરે સર્યાં ફાટ્યો ફંદ; શ્રી. ।।૩૧।।

લાજ લાજરે રહી મારી આજ; શ્રી. । નાજ નાજરે ન કરૂં અકાજ; શ્રી. ।।૩૨।।

રહે રહેરે સુખ અપાર; શ્રી. । વહે વહેરે કોણ ભવપાર; શ્રી. ।।૩૩।।

સહે સહેરે કોણ દુઃખદ્વંદ; શ્રી. । કહે કહેરે નિષ્કુલાનંદ; શ્રી. ।।૩૪।।

સોરઠો- અગિયારસો ચૌ અગિયાર, ચરણ ગણી ચોકસ કર્યાં ।

યમદંડનો વિસ્તાર, કહ્યો એટલામાંયે કથી ।।૧।।

ઇતિ શ્રીનિષ્કુલાનંદમુનિવિરચિતે યમદંડઃ સમાપ્તઃ ।

યમદંડ સમાપ્તઃ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વૃત્તિવિવાહ

ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન

-ઃ વૃત્તિવિવાહઃ :-

૨૧

રાગ ધોળ- કુંદનપુર વિવા’રચ્યો એ ઢાળ છે- પદ- ૧

લાગું પાયે પરબ્રહ્મને, સોયે સદ્‌ગુરુ શ્યામ । સંતવેષે શ્રીહરિ,

એક રૂપ ને ત્રય નામ ।।૧।। મંગળ ઇચ્છે જો મનમાં, તો સોંપે શરણે

શિશ । અખંડ સુખને પામવા, ગાઉં ગુણ હરિના હમિશ ।।૨।। વિવા’

તે નામે વધામણું, માંહિ વર કન્યાની વાત । વૃત્તિ તે નામ વનિતા, વર

શ્રીહરિ સાક્ષાત ।।૩।। વરે વર્યાની ઇચ્છા કરી, સોપ્યું શ્રીફળ બૃહદ

વૈરાગ્ય । ઓઢીછે અવલ ઘાટડી, મારા સ્વામી તણો જે સુવાગ ।।૪।।

સ્વાગણ થઇછે સુંદરી, પામી અખંડ એવાતણ । આવો સખી સરવે

મળી, ગાઇએ ગોવિંદજીના ગુણ ।।૫।। ધન્ય ધન્ય જન્મ માહેરો, થયું

સગપણ શ્યામને સાથ । ઇચ્છા તે વર મુજને મળ્યો, નિષ્કુલાનંદનો

નાથ ।।૬।।

રાગ ધોળ- પદ- ૨

ઇચ્છયા અલબેલો વર મળિયારે, ભય તો ભવસાગરના ટળિયારે ।

અતિ એક અમૂલ્ય ઘાટડીરે, તેતો અમને અલબેલે જો ઓઢાડી રે ।।૧।।

ઘાટડીતો ઘણી મુલી કે’વાયરે, તેતો અબળા વિના નવ ઓઢાયરે ।

ઘાટડી તો શુકદેવે શોભાડીરે, ઓઢીને ઋષભદેવે દેખાડીરે ।।૨।।

ઘાટડી તો ઓઢીછે પ્રહ્લાદેરે,ઓઢી બીજે અનેક જને આદેરે ।

ઘાટડી તો ઓઢી છે ગોપીચંદેરે, ઘાટડી તો ઓઢીછે શાહા બાજંદેરે ।।૩।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વૃત્તિવિવાહ

ઘાટડી તો ભરથરિને ઘણી ભાવીરે, ઘાટડી તો કદરજે શોભાવીરે ।

કંઇક તો વણ ઓઢયે ફરે ફુલ્યારે, નિષ્કુલાનંદ કહે તેતો ભુલ્યારે ।।૪।।

રાગ ધોળ- પદ- ૩

શોભેછે સારી શ્યામ સલુણા વરની ચુંદડીરે, ચુંદડી રંગે દિસેછે રૂપાળી શો.

ચુંદડી રંગે તે મોહ્યા મોટા મુનિરે, દેખી અંક અલૌકિક અનુપરે; શો. ।

ચુંદડી ભવ બ્રહ્માને ભાવી ઘણુંરે, ચુંદડી સરાયે સૂર નર ભૂપરે; શો. ।૧।

ચુંદડી નયણાં ભરીને નિરખી નારદેરે, સનકાદિકે કર્યો સતકારરે શો. ।

ચુંદડી વલ્લભ ઘણી છે વ્યાસનેરે, વાલમિકે વખાણી વારમવારરે; શો. ।૨।

ચુંદડી શેષ વખાણે શારદારે, નવ પામે તે પોતનો પારરે; શો. ।

ચુંદડી અંતર પ્રીતે જે ઓઢશેરે, તેને સ્વપ્ને નહિ ગમે સંસારરે; શો. ।૩।

ચુંદડી સારી સોયામણીરે, કર્યાં અનેક જનનાં જો કાજરે; શો. ।

મળ્યા નિષ્કુલાનંદનો નાથજીરે, દયા કરીને આપી અમને આજરે; શો. ।૪।

રાગ ધોળ- પદ- ૪

ધન્ય ધન્ય દિન રળિયામણો, ધન્ય અવસર આજરે । લગન

લાડીલી મોકલે, વે’લા આવો મહારાજરે ।।૧।। વા’લાજી વિલંબ ન

કિજીયેરે, દિજે દરશન દાનરે । ભૂધર તમને ભેટતાં, વળે અમારા વાનરે

।।૨।। મનરે ઇચ્છે છે મળવા, નયણાં જોવાને નાથરે । શ્રવણ ઇચ્છે છે

સુંણવા, વા’લા મુખની વાતરે ।।૩।। સર્વે અંગે સ્વામી તમને, સ્પરશિ

પાવન કરૂંરે । પિયુજી વે’લેરા પધારજ્યો, આવો અંક જ ભરૂંરે ।।૪।।

અવગુણ મારા અનેક છે, રખે તે સામું જોતારે । અધમ ઉદ્ધારણ બિરૂદ

છે, રખે તે તમે ખોતારે ।।૫।। બિરુદ સામું જોઇ શ્યામળા, કરજ્યો

અમારાં કાજરે । શું કહીને સંભળાવીએ, સર્વે જાણો મહારાજરે ।।૬।।

થોડે લખ્યે ઘણું જાણજ્યો, દયા કરજ્યો દયાળુરે । જેમ જાણો તેમ

જાણજ્યો, છૈયે તમારાં પાળુરે ।।૭।। છોડતાં છેક છુટો નહિ, તે કેમ

છાંડો મહારાજરે । નિષ્કુલાનંદના નાથજી, બાંય ગ્રહ્યાની લાજરે ।।૮।।

રાગ ધોળ - પીઠી ચોળો પીઠી ચોળો પિતરાણી, એ ઢાળ છે પદ- ૫

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વૃત્તિવિવાહ

શુદ્ધ વિચારથી સાબદા થાઓરે, ચલી ચાલીને ચિદાકાશમાં જાઓરે ।

જીયાંરે વસે છે જદુપતિ નાથરે, કે’જ્યો જઇ વિનતિ જોડી બેઉ હાથરે ।૧

વે’લા પધારે હો વિશ્વાધારરે, વાટ કોઇ જુવે છે વિરહવતી નારરે ।

સર્વે સખાને તે તેડજ્યો સાથરે, ઓપે આંગણીયું અમારૂં હો નાથરે ।।૨।।

મારા કુટુંબી બો’ળાં છે બહુરે, હાંસી જો કરવા આવશે સહુરે ।

તેતો તમ થકી પામશે હારરે, લવલવ કરતાં રહેશે નરનારરે ।।૩।।

એક અમે તમે અંક જ ભરશુંરે, મનના મનોરથ પુરા કરશુંરે ।

સુખનો સમાજ સંગે લાવજ્યોરે, નિષ્કુલાનંદના સ્વામી આવજ્યોરે ।।૪।।

પદ- ૬

જઇ કહી વિનતિ વિચારેરે, સુંણી સર્વે સુંદર વર તે વારેરે ।

કીધું છે કાંઇ જાદવ કુળમાં જાણરે, વાજે છે અનહદ નાદ નિશાણરે ।।૧।।

માનિની તે મળીને મંગળ ગાયરે, ઉછરંગ આનંદ અંગે ન માયરે ।

આવી સર્વે મળ્યો સખાનો જો સાથરે, આજ્ઞા તેને આપે અનાથનો નાથરે ।૨

સજ્જ સર્વે થાઓ તે સખા સહિતરે, જાવું છે જાનમાં કરવી છે જીતરે ।

કોઇ જો મ આવશો કાયર કાચારે, દુઃખિયા દુર્બળ વળજ્યો પાછારે ।।૩।।

બુઢા ને બાળક રહેજ્યો બેસીરે, દુર્મતિ દેખીને કરશે હાંસીરે ।

જન બીજા અનેક મળીને જોશેરે, દુરમતિ વણવાંકે વગોશેરે ।।૪।।

આપણ સહુ આનંદ માંહિ રહેજ્યોરે, વચન તે કોઇને કટુ મ કે’જ્યોરે ।

આવજ્યો અજીત સર્વે અંગેરે, નિષ્કુલાનંદના સ્વામીને સંગેરે ।।૫।।

રાગ ધોળ- મારી સાર લેજ્યો અવિનાશીરે, ઢાળ- પદ- ૭

સુંણી સજ્જ થયો વૈરાગ્ય, જેને તન મન ધનનો છે ત્યાગ ।

આવ્યો સંતોષ મહા શુરવીર, જેથી ધરે મુનિવર ધીર ।।૧।।

આવ્યો શીલ મહા જો સુભટ, જેથી પળાય કામના કોટ ।

સજ્જ થઇ ક્ષમા અડિખંભ, જેથી ક્રોધ ન કરે આરંભ ।।૨।।

દયા દિસે છે દલની દયાળ, સર્વે જીવતણી પ્રતિપાળ ।

ભક્તિ અદીનતા ધરી ધીર, માંહી જ્ઞાન વિજ્ઞાન ગંભીર ।।૩।।

સમદૃષ્ટિ સદા સુખકારી, એક આત્મા રહે ભાવ ધારી ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વૃત્તિવિવાહ

શુભ ગુણ વિવેક વિચાર, એવાં કે’તાં તે ના’વે પાર ।।૪।।

એક એક થકી છે અનૂપ, સર્વે સંતને છે સુખરૂપ ।

સર્વે મળીને શોભે છે જાન, માંહિ વર દિસે કોડિલો કાન ।।૫।।

પછી આવ્યા છે પુરને પાસ, દેખી દુર્મતિ પામ્યા છે ત્રાસ ।

એક કહે છે બુઢાને બાર, વર આવ્યા છે પુર મોઝાર ।।૬।।

ત્યારે કુબુદ્ધિ કરે છે વિચાર, નાશી નિસરો પુરની બા’ર ।

હરિએ આવી કર્યો છે મુકામ, સર્વે ટાળ્યાં અવિદ્યાનાં ઠામ ।।૭।।

હાર્યો અહંકાર થઇ છે હાર, ત્યારે વરે સજ્યો શણગાર ।

વર સુંદર વર વનમાળી, કહે નિષ્કુલાનંદ નિહાળી ।।૮।।

રાગ ધોળ- પદ- ૮

વર નિર્ગુણ રે થયા સગુણ રૂપ, ઓપે છે અનુપ ભૂપો શિર ભૂપ

। જોઇ જન રૂપ કે નિરખે નાથને રે ।। વર દિસેછે દિલના દયાળ, દીન

પ્રતિપાળ ભૂપના ભૂપાળ । કાળશિર કાળ સુખદાઇ સાથમેરે ।।૧।। વરે

પે’ર્યો છે સુંદર સુરવાળ, ઝગે જામા ચાળ, કંઠે મોતી માળ । દિસે છે

વિશાળ કે ભલેરા ભાવનીરે ।। વરે પેર્યો છે જામો જરકસી, કમર લઇ

કસી મુખે રહ્યા હસી । જનમન વસી કે મૂરતિ માવનીરે ।।૨।।વરને કરે

શોભે વેઢ વીંટી; પોચી પે’રી દીઠી કરે જોત્ય કોટી । લીધી શોભા લુંટી કે

લોક ત્રણનીરે ।। સોના સાંકળાં શોભે સુચંગ, બાંયે બાજુબંધ કુંડળ ઉત્તંગ

। અતિ શોભા અંગ કે અશરણ શરણનીરે ।।૩।। વરને શિરપર સોનેરી

પાગ, શું કહે શેષનાગ કે’વા નહિ લાગ । અમારાં જો ભાગ્ય કે હેતે

મળ્યા હરિરે । કેશર તિલક ભાલને વચ્ચ, પાઘડીને પેચ શોભે શિરપેચ

। લાગી છે લાલચ કે કલંગિ કેવી ધરિરે ।।૪।। નખશિખ શોભા તે કહી ન

જાય, કવિ કંઇ ગાય તે થાપ ન થાય । મોટો છે મહિમાય કે અકળ એ

નાથછેરે ।। વરે કરમાં લીધી લાલ છડી, પાયે મોજડી મોતીએ તે જડી ।

વર ઘોડે ચડી કે સંગે સખા સાથ છેરે ।।૫।। પરમહંસ બ્રહ્મરસના ભોગી,

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વૃત્તિવિવાહ

સંગે સાંખ્યયોગી અંતરે અરોગી । જે સંત સંયોગી કે સહજાનંદનેરે ।।

નિષ્કુલાનંદના સ્વામીને જોઇ, મન રહ્યું મોઇ હૈયે સુખ હોઇ । ભવદુઃખ

ખોઇ કે પામ્યા આનંદનેરે ।।૬।।

રાગ ધોળ- “પીઠી ચોળો પીઠી ચોળો” પદ- ૯

સુંદર વર તોરણે પધાર્યારે, જનમન નવલા નેહ વધાર્યારે ।

વાજીંત્ર વાજેછે બહુ વિધરે, પિયુ મારો પધારિયા પ્રસિદ્ધરે ।।૧।।

પોંખણું લઇને આવે પનોતિરે, વર પોંખી વળી વધાવેછે મોતીરે ।

સાંપટિયાં સુખ દુઃખનાં ભાંગ્યાંરે, પિડલિયા તે પાપ પુન્યનાં ત્યાગ્યાંરે૨

અંતર પટ પરૂ લઇ લીધું રે, દયા કરી દયાળે દર્શન દીધુંરે ।

પછી પિયુ પ્રેમે પધાર્યા છે પાટેરે, મહાસુખ મુજને આપવા માટેરે ।।૩।।

ધન્ય ધન્ય અવસર આવ્યો છે આજરે, મે’ર ઘણી કરી પધાર્યા મહારાજરે ।

અમ ઉપર આજ અઢળ હરિ ઢળિયારે, નિષ્કુલાનંદનો સ્વામીજી મળિયારે૪

પદ- ૧૦

માયરે બેઠાછે દેવ મોરારરે, સુંદરીએ સજ્યો છે શણગારરે ।

પહેર્યા છે આનંદના અણવટરે, અજીત અડગ ને અમટરે ।।૧।।

ઝાંઝર પ્રેમનાં નેમનાં કા’વેરે, ઉત્તરી ઉર હરિ એક ભાવેરે ।

માળા માદળિયા સાંકળી હારરે, શમ દમ આદિ વિવેક વિચારરે ।।૨।।

પે’ર્યો છે અખંડ વરનો ચુડોરે, સુંદરી સુંદર વર પામી રૂડોરે ।

નાકે તે પેર્યાં નિર્મળાં મોતીરે, સજ્જ થઇ પિયુને મળવા પનોતીરે ।।૩।।

ચાંદલિયો અવિચળ વરનો ચોડયોરે, સંશય તે સર્વે અવર બીજો તોડયોરે

મેલ્યો છે નિઃશંકનો શિર મોડરે, દેખી વાલો રાજી થયા રણછોડરે ।।૪।।

ઘાટડી વૈરાગ્યની ઘણી સારીરે, સખી એવે શણગારે સણગારીરે ।

પધરાવ્યા પછી પિયુને પાસરે, ટાળી છે લોકલાજ તનત્રાસરે ।।૫।।

બની છે સુંદર સરખી જોડીરે, બાંધી છે ગાંઠ્ય ન છુટે છોડીરે ।

વર કંઠે આરોપી વરમાળરે, પ્રભુ અમે દીન તમે પ્રતિપાળરે ।।૬।।

તન મન સોંપ્યું છે હરિ તમનેરે, તમ સંગે શોભા આવી છે અમનેરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વૃત્તિવિવાહ

ત્યારે હરિએ હેત કરી સાયો હાથરે, સખી તારે થશેજો સનાથરે ।।૭।।

નિઃશંક નિર્ભય થઇ સર્વે અંગેરે, સુંદર શ્યામળિયા વરસંગેરે ।

સુંદરી સર્વે અંગે સુખ પામીરે, મળિયા છે નિષ્કુલાનંદનો સ્વામીરે ।।૮।।

રાગ ધોળ- “મારી સાર લેજ્યો અવીનાશીરે” પદ- ૧૧

ચોરી સ્થંભ રચ્યા ત્યિાં ચારરે, રહે વ્રતમાને નર નારરે ।

પિયુ સ્પરશી પ્રદક્ષિણા કરેરે, તેતો ભવમાં ફેરા ન ફરેરે ।।૧।।

ધન્ય સખી સુંદર વર પરણેરે, તન મન સોંપી હરિશરણેરે ।

કામ ક્રોધના જવ તલ બાળ્યારે, સંશય શોક સર્વે તિયાં ટાળ્યારે ।।૨।।

પિયુ પરણીને પાવન થયાંરે, સુખ મુખે ન જાય તે કહ્યાંરે ।

હરિહાથે જમ્યા જે કંસારરે, તેને સ્વપને ન ગમે સંસારરે ।।૩।।

ફેરા ફરીને આજ ઉતર્યાંરે, સર્વે કાજ અમારાં તે સર્યાંરે ।

પ્રેમ નેમ ને ભક્તિ ભાવેરે, સખી ચારમળીને વધાવેરે ।।૪।।

વર વધાવી વારણે જાયરે, નાથ નિરખતાં તૃપ્ત ન થાયરે ।

નાથ નિરખીને લોભ્યાં છે નેણરે, મુખ જોઇ મન થયાં મેણરે ।।૫।।

મુખ જોઇ મેલ્યું નવ જાયરે, રહેજ્યો અખંડ અંતર માંયરે ।

વા’લા વા’લપ્ય આવે છે હૈયેરે, જાણું અંગે આલિંગન લૈયેરે ।।૬।।

પુરૂં મનોરથ મારા મનના રે, ખંગ વાળું ખોયલા દનનારે ।

સખી પુરણ પુણ્યે હું પામીરે, વર નિષ્કુલાનંદનો સ્વામીરે ।।૭।।

રાગ ધોળ- “કેશરના ભિના રાય વર મોલે પધારો” પદ- ૧૨

છબિલા વાલા છોડો દેવાધિદેવ દોરડોરે, દિસે દોરડીયે દશ ગાંઠરે; છબિ.

ગાંઠ અનેક જનમની આવરીરે, તેને લાગશે લગારેક વારરે; છબિ.

કળે કળે કરીને છોડજ્યોરે, નહિ તો તુટિ જાશે નિરધારરે; છબિ. ૧

અહં દેહ અભિમાન દોરડોરે, મહા વિકટ છે વિપરિતરે; છબિ.

તમે તોડવાને તો તૈયાર છોરે, કાંઇ રાખજ્યો છોડવાની રીતરે; છબિ. ૨

પડી ગાંઠ્ય ઘુંચાઇ ઘણા દિનનીરે, માંહિ અનેક રહ્યાં છે ઉત્થાનરે; છબિ.

નથી કાળિનાગ જે નાથશોરે, નથી દાવાનળ જે કરો પાનરે; છબિ. ૩

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વૃત્તિવિવાહ

વા’લા આકળે અરથ સરે નહિરે, ધરી ધીરજ કરો વિચારરે; છબિ.

વા’લા ગાંઠ્ય છોડ્યે તમે છુટશોરે, આંટી કાઢી જોઇશે આણી વારરે; છ. ૪

તેતો તમારે હાથે હરિ છુટશેરે, એમાં નથી અમારો કાંઇ દોષરે; છબિ.

દયા કરીને છોડજ્યો દોરડોરે, રખે રાંક જાણી કરો રોષરે; છબિ. ૫

તમે અનેક જાુગતી આદરીરે, વિધ્યે વિધ્યે કરો છો વિચારરે; છબિ.

સ્વામી નિષ્કુલાનંદના સમર્થ છોરે, જો છોડો તો સઇ છે વારરે; છબિ. ૬

રાગ ધોળ પદ - ૧૩

અહો આજ અમારાં હો ભાગ્ય, અમરવર વરિયારે ।

વર સુંદર શ્યામ સુજાણ, નિરખીને નયણાં ઠરિયાંરે ।।૧।।

વ ર િ ન ર ગ ુ ણ ન ે િ ન ર લ ે પ , સ ગ ુ ણ થ્ ા ય ા સ્ વ ા મ ી ર ે ।

વર અખંડ ને અવિનાશ, અકળ અંતરજામીરે ।।૨।।

વ ર અ ત ા ે લ ન ે ર ે અ મ ા પ , થ્ ા ા ય ન થ્ ા ા ય ર િ ત ર ે ।

વર હરિહર અજના આધાર, પ્રકૃતિ પુરૂષના પતિરે ।।૩।।

વર પંડ્યે બ્રહ્માંડને પાર, અકળ ન જાય કળ્યારે ।

નેતિ નેતિ કહે જેને વેદ, તેતો આજ અઢળ ઢળ્યારે ।।૪।।

વ ર ગ ુ રૂ વ ા ગ ુ ણ ન ે પ ા ર , ત ે ત ા ે ક ે મ જા ય ક હ્ય્ ા ા ર ે ।

વર અજર છે જો અજીત, પ્રીતે પ્રગટ થયારે ।।૫।।

વ ા લ ે ધ ય ુર્ ં મ ન ુ ષ્ ય શ ર ી ર , જ ન હ ે ત ક ા ર ણ ે ર ે ।

જેને દરશે સ્પરશે પાપ જાય, વારી જાઉં વારણેરે ।।૬।।

મારા પુણ્યતણો નહિ પાર, ભેટ્યા આજ ભાવે હરિરે ।

મળ્યા નિષ્કુલાનંદનો નાથ, મુને સનાથ કરીરે ।।૭।।

રાગ ધોળ પદ - ૧૪

ત્યારે બોલી સખીની સાહેલીરે, મુખથી મરજાદ પરિમેલીરે ।

મારે કે’વું છે કાંઇ કેણરે, બોલીશ વાંકાં વસમાં વેણરે ।।૧।।

આ જો આશ્ચર્ય સરખી વાતરે, દિસે નાનડીઓ ઘણી ઘાતરે ।

એને જગમાં કોઇ ન જાણેરે, એતો પોતે પોતાને વખાણેરે ।।૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વૃત્તિવિવાહ

એતો આજ કાલ્યનો નહિ કાળોરે, જાણું છું જાત્ય નંદજીનો લાલોરે ।

શિખ્યો કામણ ટુમણ કાંઇરે, મંત્ર મોરલીમાં નિત્ય ગાઇરે ।।૩।।

એતો ફોગટ ફુલ્યો ફરેરે, એતો અબળાતણાં મન હરેરે ।

એતો ધરનો છે ધુતારોરે, એને કોણ કહેછે સારોરે ।।૪।।

સહુ કોઇ રહ્યું છે સામું જોઇરે, મુખપર કહી નથી શકતું કોઇરે ।

કામણ મોરલીમાં કાંઇ કર્યુંરે, તેણે અબળાનું મન હર્યુંરે ।।૫।।

તેણે લાગ્યો હરિજીશું હેડોરે, વળી તેનોે કા’ન ન મુકે કેડોરે ।

ગોપી ભુલી ઘરનાં કાજરે, મેલી લોક કુટુંબની લાજરે ।।૬।।

આપ ઇચ્છાએ હરિવર વરીરે, હવે બેઠી ઠેકાણે ઠરીરે ।

એને મનમાન્યો વર મળ્યોરે, હશે હેત તે પ્રીતે મળ્યોરે ।।૭।।

એમાં અમારૂં શિયું ગયુંરે, ભલે સુખ જો સખીને થયું રે ।

એને અભાવ થયો છે અમારો રે, નિષ્કુલાનંદનો સ્વામી એને સારોરે ૮

રાગ ધોળ- પદ- ૧૫

એવું સુંણીને બોલી સુંદરી, સખી સાંભળ તો કહું વાત;

હો બેની, એમ ન કહ્યે એહને,

વળિ વિચાર વિના જે બોલવું । તેતો જીવ જણાવે જાત્ય; હો. ।।૧।।

સખી બોલીને કેમ બગાડીએ, બોલ્યું અણબોલ્યું કેમ થાય; હો. ।

જે કોઇ વચન નિસરે મુખથી, તેતો પાછુંકેમ સમાય; હો. ।।૨।।

તું ન જાણીશ નંદજીનો લાડીલો, એ છે અખિલ ભુવનનો આધાર; હો.

સખી શેષ મહેશ ને શારદા એને કોઇ ન પામે પાર; હો. ।।૩।।

એનો બ્રહ્મા તે ભેદ જાણે નહિ, વળી વેદ ન પામે પાર; હો. ।

સખી અનેક જનને ઉદ્ધારવા, આવી લીધો છે આ અવતાર; હો. ।।૪।।

તમે જાણો છો એમ તો એ નથી, એ છે પંચ વિષયને પાર; હો. ।

જેને વચને તે વિકાર વામીએ, તેને કેમ વળગે વિકાર; હો. ।।૫।।

એતો ચૈતન્ય ઘનમય મૂરતિ, એને સ્પરશે નહિ પંચભૂત; હો. ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વૃત્તિવિવાહ

એનું પુરણકામ જો નામ છે, વળી કા’વે અખંડ અચ્યુત; હો. ।।૬।।

દીન જાણી દયાળે દયા કરી, થયા નિર્ગુણ સગુણ સ્વરૂપ; હો. ।

એ છે કોેટી કલ્યાણની મૂરતિ, એ છે કોટી કૃપાનું રૂપ; હો. ।।૭।।

હાથ જોડીને હરિ આગળે, રહીએ દીન આધીન એમ; હો. ।

સખી નિષ્કુલાનંદના નાથને, કટુ વચન જો કૈ’યે કેમ; હો. ।।૮।।

રાગ ધોળ- પદ- ૧૬

મારા બોલ્યા સામું જોઇ શ્યામરે, રોષ રખે ધરતા તે રામરે ।

કોઇ નવ સરે જો કામકે; આવીને આ ભવમાં રે ।। મોટા મન ધરજ્યો

ધીરરે, ગુણવંત ગુણના ગંભીરરે । ઉનું ટાઢું થાય થોડું નીરકે; તવાઇને

તવ્યમાંરે ।।૧।। અમારા છે અવગુણીયા અનેકરે, હરિ હૈયે આણશોમાં

એકરે । અધમ ઉદ્ધારણ જે ટેકકે; પાળજ્યો તે પ્રીતશુંરે ।। વડાને નવ

લાગે વિકારરે, જેની મતિ અપરમ પારરે । નવ થાય કેણે નિરધારકે;

આદેશ અજીતશુંરે ।।૨।। વજ્રને જેમ વિંધ્યું નવ જાયરે, વેધતલ સામું

વિધાયરે । અનેક જો કરીએ ઉપાયકે; નિશ્ચે નિષ્ફળ છેરે ।। શશી જેમ

શીતળ આપરે, તેને તન લાગે નહિ તાપરે । સ્પરશે નહિ પુણ્ય ને પાપ

કે; નાથ નિરમળ છેરે ।।૩।। દિસો છો કાંઇ દિલના દયાળરે, દીનબંધુ

દીનપ્રતિપાળરે । નટવર નંદ ગોવાળકે; નિરખી નયણાં ઠર્યાંરે ।।

નિષ્કુલાનંદના સ્વામીરે, અલબેલા અંતરજામીરે । તમને નિરખી સુખ

પામી કે; સર્વે કારજ સર્યાંરે ।।૪।।

રાગ ધોળ- પદ- ૧૭

જીરે સજ્જ થાઓને સુંદરી, મુકી પરી આવ્યાનીરે આશકે, સુંદર સુંદરી

જીરે પ્રીત તજોરે પ્યારની, ચાલો ચાલો પિયુજીને પાસકે; સુંદર. ૧

જીરે પંનર-નવને પરહરી, તજો પંચ વિષયનીરે પ્રીતકે, સુંદર.

જીરે અલ્પ સુખ આ સંસારનાં, તેની પશુ કરે પ્રતીતકે; સુંદર. ૨

જીરે ભર્યો ભવ ભંડાર કલેશનો, અંધઅંધ કે’વાય જે કૂપકે; સુંદર.

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વૃત્તિવિવાહ

જીરે જડ દુઃખ મિથ્યાને મેલી કરી, રહો સતચિત આનંદ રૂપકે; સું. ૩

જીરે મોટાં ભાગ્ય કરી માનજ્યે, પામી અખંડ વર અવિનાશ કે; સુંદર.

જીરે નિષ્કુલાનંદના નાથનાં, રહ્યે ચરણ કમળનાં જો દાસકે; સુંદર. ।।૪

રાગ ધોળ- પદ- ૧૮ “ગોપીનાથ આવો મારે આંગણે એ ઢાળ.”

સખી આજ આનંદ વધામણાં, મારે હૈડેરે સખી હરખ ન માયકે ।

દીન દયાળે દયા કરી, બળવંતેરે મારી ગ્રહીછેરે બાંયકે, આજ.

સખી નેહ જણાવ્યો નયણમાં, જાણી વાલપ્યરે સુણી મુખનાં વેણ કે,આજ.

સખી કરુણા રસમય મૂરતિ, નાથ નિરખીરે કાંઇ ઠરિયાં છે નેણકે, આજ.

સખી છબી છબિલાની જોઇને, મન મોહ્યુંરે જોઇ વાલાનું મુખકે, આજ.

ચિત્ત ચોરી લીધું લાલ લટકે, વણ દિઠેરે નવ થાય જો સુખકે, આજ.

સખી નટવર કુંવર નિરખી, ઘણું હરખીરે મારા હૈડામાંયકે, આજ.

સખી પૂરણ પુણ્યે તે પામીએ, ભાગ્ય મોટાંરે મુખ કહ્યાં ન જાયકે, આજ.

સખી ધન્યધન્ય અવસર આજનો, આજ પ્રગટ્યોરે અતિ નવો આનંદકે, આજ.

મારૂંજીવિત સફળ કરી જાણિયું, રાજી થયારે સ્વામી સહજાનંદકે, આજ.

મુને વિસારી નહિ મારે વાલમે, સહજાનંદેરે મારી કરીછે સારકે, આજ.

સખી નિષ્કુલાનંદના નાથને, જાઉં વારણેરે હું તો વારમવારકે, આજ.

રાગ ધોળ- પદ- ૧૯

જેનાં પુણ્ય હશે તે વર પામશેરે, તેતો વામશે તનડાંના તાપરે;

અખંડવર એક છેરે.

મનવાંછિત મહાસુખ માણશેરે, વળી જાણશે જે પિયુના પ્રતાપરે; અ. ૧

સખી વરીએ તો અમર એ વરનેરે, જેનું ૩એવાતણ અખંડ અભંગરે; અ.

સખી સુખ અલ્પ આ સંસારનાંરે, તેનો સમઝુ ન કરે કેદી સંગરે; અ. ૨

સખી મૂર્ખ મનુષ્યની મંડળીરે, તેતો સંસારનાં સુખ સરાયેરે; અ.

સખી વિવેકી રહેછે તેથી વેગળારે, તેનો સ્વપ્નામાં સંગ ન ચા’યરે; અ. ૩

સખી સનકાદિકે શુકે શું કર્યુંરે, દત્ત ભરત રહ્યા છે જેથી દૂરરે; અ.

સખી નિષ્કુલાનંદના સ્વામી વિનારે, બીજું અન્યભજે જાણો ભૂરરે; અ. ૪

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

વૃત્તિવિવાહ

અહો ધન્ય ધન્ય ભાગ્ય આ ભૂમિનાંરે, અહો ધન્ય ધન્ય વૃક્ષ વેલી વનરે;

અલોકિ રીત આજનીરે ।

અહો ધન્ય ધન્ય સર સરિતા સિંધુરે, સ્પરશિ હરિ પદ થયાં છે પાવનરે; અ.

અહો ધન્ય ધન્ય ખગ મૃગ જાતનેરે, જેનો આરે સમામાં અવતારરે; અ.

અહો ધન્ય ધન્ય અશ્વ તે એહનેરે, જેને ઉપર છે હરિ અશવારરે; અ. ૨

અહો ધન્ય ધન્ય સતસંગી સંતનેરે, જે કોઇ સદાય રહેછે હરિ સાથરે; અ.

જેને અરસ પરસ રહે એકતારે, હરિ હેતે જમે છે જેને હાથરે; અ. ૩

અહો ધન્ય ધન્ય સુર નર નાગનેરે, જે કોઇ વસીયા આ બ્રહ્માંડે વાસરે; અ.

તેતો અંતરે ઇચ્છેછે તન ધારવારે, થાવા ચરણ કમળના દાસરે; અ. ૪

તેતો કોણ જાણે જે કેમે હશેરે, તેનો મર્મ જાણે છે મહારાજરે; અ.

શમ દમ આદિ જે આગ્યે કહ્યાંરે, તેતો તન ધરી રહ્યાં આજરે; અ. ૫

સર્વે સમાજ સહિત પધારિયારે, સંત જનને તે આપવા સુખરે; અ.

અહો ધન્ય ધન્ય સર્વે એ જનનેરે, મોટાં ભાગ્ય ન જાય કહ્યાં મુખરે; અ. ૬

કહ્યું નથી જાતુંરે સુખ મુખથીરે, જેવું આપ્યું છે અલબેલે આજરે; અ.

મારા અંતરમાં બેસીને બોલિયારે, હતું કે’વાનું જેટલું કાજરે; અ. ।।૭।।

વિવા વરણવ્યો પદ છંદ વિશમાંરે, કહ્યું સંક્ષેપે સર્વેનું રૂપરે; અ. ।

વર નર તો એક નારાયણ છેરે, બિજા સર્વે છે સખીને સ્વરૂપરે; અ. ।।૮।।

એવું નિશ્ચે જાણીરે જન સર્વેનેરે, રે’વું સખી સ્વરૂપે સર્વે અંગરે; અ. ।

વર નિષ્કુલાનંદનો નાથ છેરે, રાખો હેત પ્રીત સ્વામીને સંગરે, અલોકિ. ।।૯

।। ઇતિ શ્રી નિષ્કુલાનંદમુનિ વિરચિતે વૃત્તિવિવાહઃ સંપૂર્ણઃ ।।

વૃત્તિવિવાહઃ સંપૂર્ણ

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

શિક્ષાપત્રી ભાષા

ત્નત્ન ઊંક્રટ્ટ જીક્રબ્ૠક્રઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રક્રશ્વ બ્રુક્રસ્ર્ભશ્વભથ્ક્રૠક્ર ત્નત્ન

-ઃ શિક્ષાપત્રી ભાષા :-

૨૨

દ ા ે હ ા - મ ં ગ ળ ક ા ર ી મ ૂ ર િ ત , શ્ર ી સ હ જા ન ં દ સ ુ ખ ધ ા મ ।

ભક્તિધર્મસુત ભાવશું, રહ્યા અંતરમાં ઘનશ્યામ ।।૧।।

એવા ઇષ્ટ એહ માહેરા, તેના ઇષ્ટ તે શ્રીકૃષ્ણ ।

જેને વામ રાધા ઉર રમા, વૃન્દાવનરમણ મન પ્રસન્ન ।।૨।।

અ ે વ ા ઇ ષ્ટ ન ે ઉ ર ધ ર ી , બ ા ે લ્ ય ા ત ે સ હ જા ન ં દ ।

મુજ આશ્રિત ત્યાગી ગૃહી, સુણો નર ત્રિયવૃન્દ ।।૩।।

શિક્ષાપત્રી સુંદર અતિ, તમે સાંભળજ્યો મુજ જન ।

લખું વસી વરતાલમાં, આ છે છેલાં વચન ।।૪।।

ચોપાઇ- બહુ બહુ કરી મેં વાતરે, તે સાંભળી તમે સાક્ષાતરે ।

હવે છેલી વાત છે આ મારીરે, તમે સહુ લેજ્યો હૈયે ધારીરે ।।૫।।

દેશ પ્રદેશમાં જે રહેનારરે, મારા આશ્રિત જે નર નારરે ।

તમ પ્રત્યે શીખામણ મારીરે, સુખદાયક છે અતિ સારીરે ।।૬।।

ધર્મપુત્ર પવિત્ર બે ભાઇરે, મારા વીર જન સુખદાઇરે ।

મોટા ભાઇ છે રામપ્રતાપરે, નાના ભાઇ ઇચ્છારામ આપરે ।।૭।।

તેના પુત્ર બે ગુણ ગંભીરરે, અવધપ્રસાદ ને રઘુવીરરે ।

તેને દત્તપુત્ર કરી સ્થાપ્યારે, મંદિર દેશ વહેંચીને આપ્યારે ।।૮।।

કર્યા સાધુ સત્સંગી અમેરે, તેના આચાર્ય છોજી તમેરે ।

હવે સાંભળો મુજ આશ્રિતરે, મારા વચનમાં દઇ ચિત્તરે ।।૯।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

શિક્ષાપત્રી ભાષા

વર્ણી મુકુન્દ આદિ સમસ્તરે, ભટ્ટ મયારામ આદિ ગૃહસ્થરે ।

સધવા વિધવા નારી સુભાગીરે, સુંણો મુક્તાનંદ આદિ ત્યાગીરે ।।૧૦।।

એવા સતસંગી મુનિરાજરે, તમારી ધર્મરક્ષાને કાજરે ।

શાસ્ત્રપ્રમાણ જનસુખ કરણરે, જેમાં શ્રીનારાયણ સ્મરણરે ।।૧૧।।

એવાં આશિષનાં જે વચનરે, સહુ અંતરે ધારજો જનરે ।

શિક્ષાપત્રી લખ્યાનું કારણરે, કરજ્યો એકાગ્ર મને ધારણરે ।।૧૨।।

સર્વ જીવને છે સુખકારીરે, એવી શિક્ષાની પત્રી અમારીરે ।

શ્રીમદ્‌ભાગવતાદિ જે ગ્રંથરે, સતશાસ્ત્ર કહ્યા મોક્ષપંથરે ।।૧૩।।

તેણે પ્રતિપાદન કર્યા જેહરે, સર્વ જીવ હિતકારી તેહરે ।

એવા અહિંસાદિ સદાચારરે, પાળે પળાવે જે નરનારરે ।।૧૪।।

તે આલોક પરલોકમાંયરે, મોટા સુખને પામે સદાયરે ।

સદાચાર ઉલ્લંઘી જે વર્તેરે, મેલી મર્યાદ મનને મતેરે ।।૧૫।।

તેતો કુબુદ્ધિવાળા કહેવાયરે, લોક પરલોક તે દુઃખી થાયરે ।

માટે મારા શિષ્ય સહુ પ્રીતેરે, વર્તો આ શિક્ષાપત્રીની રીતેરે ।।૧૬।।

હવે વર્ત્યાની રીત છે જેહરે, સર્વે સત્સંગી સુણજ્યો તેહરે ।

નાના મોટા જેહ જીવ પ્રાણીરે, તેને મારવા નહિ ક્યારે જાણીરે ।।૧૭।।

ચાંચડ માંકડ જુ જંતુ લહિરે, તેની હિંસા તે કરવી નહિરે ।

દેવ પિતૃયજ્ઞ કર્મ સારૂંરે, મૃગ મીન શશ ને બાકરૂંરે ।।૧૮।।

એહ આદિ ન મારવા પ્રાણીરે, અહિંસાદિ ધર્મ મોટો જાણીરે ।

એમ સચ્છાસ્ત્રમાંહિ કહેછેરે, મારી પણ શિક્ષા તમને એ છેરે ।।૧૯।।

દામ વામ મળે માલ મહીરે, તોયે મનુષ્ય મારવો નહિરે ।

તેમ તીર્થમાં જઇ કોઇ જનરે, આત્મઘાત ન કરો કોઇ દનરે ।।૨૦।।

ક્રોધ કરી ન તજવું તનરે, એહ માનો શિક્ષાનાં વચનરે ।

અયુક્ત કર્મ થાય જો કાંઇરે, તોયે મરવું નહિ મુંઝાઇરે ।।૨૧।।

વિષ ફાંશી કુવે પડી તનરે, નહિ મરવું ભેરવજંફે જનરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

શિક્ષાપત્રી ભાષા

યજ્ઞશેષ પ્રસાદિ જે માંસરે, તે ન ખાવું કેદી મારા દાસરે ।।૨૨।।

મ દ્ય ક ી ધ ુ ં િ વ ધ અ િ ગ ય ા ર ર ે , સ ુ ર ા ત ે પ ણ ત્ર્ ા ણ પ્ર ક ા ર ર ે । દેવ નૈવેદ્યનું ભલે હોયરે, મારા જનોએ ન લેવું તોયરે ।।૨૩।।

આપો આપથી આચરણ અયોગ્યરે, થઇ જાય કોઇ કર્મ ભોગરે ।

તોયે શસ્ત્રાદિકે કરી તનરે, આપો આપનું ન કરવું છેદનરે ।।૨૪।।

ક્રોધે કરી ન કરવો દાસરે, નિજ પરના પીંડનો નાશરે ।

સુણો સર્વ શિષ્ય વાત મોરીરે, ધર્મ સારૂંયે ન કરો ચોરીરે ।।૨૫।।

કાષ્ટ આદિક ફળ ફુલ પાતીરે, જે કોઇ વસ્તુ હોય ધણિયાતીરે ।

તેતો ધણી આપે તોજ લેવીરે, અમારી તો આજ્ઞા છે એવીરે ।।૨૬।।

વળી મારા આશ્રિત નરનારરે, તેણે કરવો નહિ વ્યભિચારરે ।

દ્યુતાદિક વ્યસનને મેલીરે, ત્યાગો કેફ થાવું નહિ ફેલીરે ।।૨૭।।

ગાંજા ભાંગ્ય મફર મા’જમનેરે, ચડે કેફ તે તજો કહું તમનેરે ।

જેનાં અન્ન જળે હોય વટાળરે, તે ન ખાવું પીવું કોઇ કાળરે ।।૨૮।।

હરિપ્રસાદિ ને ચરણામૃતરે, જાતી વટાળે તજવું તર્તરે ।

જગન્નાથપુરીને માંહિરે, હરિપ્રસાદનો દોષ નહિરે ।।૨૯।।

આપ સ્વાર્થને સિદ્ધ કરવારે, ખોટા કલંક કોઇને ન ધરવારે ।

જેમ ન નાખવી જુઠી આળરે, તેમ ન દેવી કોઇને ગાળરે ।।૩૦।।

દેવ તીર્થ સતી સંત જાણોરે, વિપ્ર વેદવચન પ્રમાણોરે ।

તેની નિંદા કેદિયે ન કરવીરે, કોઇ કરે તો કાને ન ધરવીરે ।।૩૧।।

જગમાં જે દેવતા આગળેરે, પૂજે માંસ મદિરા ને જળેરે ।

વળી પશુહિંસા થતી હોયરે, તેની પ્રસાદી ન લેશો કોયરે ।।૩૨।।

વાટે જતાં શિવાલય આવેરે, બીજાં દેવનાં સ્થાનક કહાવેરે ।

તેને નમસ્કાર કરી જનરે, કરવું આદર સહિત દર્શનરે ।।૩૩।।

પોતાનો જે વર્ણ આશ્રમ રે, તેનો તજવો નહી કેદી ધર્મ રે ।

પર ધર્મમાં પગ ન ભરવો રે, પાખંડી કલ્પિત પરહરવોરે ।।૩૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

શિક્ષાપત્રી ભાષા

કૃષ્ણભક્તિ જે પોતાનો ધર્મ રે, તેમાં મોળા પાડે જે બેશર્મ રે ।

તેના મુખથી હરિકથા જ્ઞાનરે, કેદિ ન સાંભળો દઇ કાનરે ।।૩૫।।

એહ સાંભળ્યામાં નહિ સારૂંરે, માટે કરૂંછું તમને વારૂંરે ।

જેણે હોય નિજ પારકો નાશરે, એવું સત્ય ન બોલીએ દાસરે ।।૩૬।।

કૃતઘ્નીનો સંગ નવ કીજેરે, કેની લાંચ ભાડ્ય નવ લીજેરે ।

પાપી પાખંડી વ્યસની ચોરરે, પરત્રિયલંપટ જે નિઠોરરે ।।૩૭।।

વળી ધુતારા એ ષટ ખળરે, તેનો ન કરો સંગ કોઇ પળરે ।

ભક્તિ જ્ઞાનતણી ઓથ લઇરે, ત્રિય ધન રસ વશ રહ્યા થઇરે ।।૩૮।।

એને અર્થે પાપ કરનારારે, તેનો સંગ તજો શિષ્ય મારારે ।

કૃષ્ણ કૃષ્ણઅવતાર કહીએરે, તેનું ખંડન કરે જે યુક્તિએરે ।।૩૯।।

એવાં શાસ્ત્ર ન સુંણવા કાનેરે, હોય નાસ્તિક તે એને માનેરે ।

ઘૃત દુધ પાણી ગળી પીવુંરે, ઝીણા જંતુ જળે ન ન્હાવુંરે ।।૪૦।।

મદ્ય માંસ જે ઔષધે ભળેરે, તે ન ખાવું પીવું કોઇ પળેરે ।

આપે ઔષધ વૈદ્ય અજાણ્યોરે, તે ન લેવું સમઝીને સુજાણોરે ।।૪૧।।

મળ મૂત્ર ત્યાગ કર્યા સારૂંરે, કર્યું લોક શાસ્ત્રે જ્યાં વારૂંરે ।

તેતો જીર્ણ દેવાલય જાણોરે, નદી તળાવ તટ પ્રમાણોરે ।।૪૨।।

વાવ્યું ક્ષેત્ર વાટી વૃક્ષ છાંયરે, ફુલબાગ બગીચાદી માંયરે ।

ત્યાં મળમૂત્ર ત્યાગ ન કરીએરે, થુંકવું નહિ મનમાં ડરીએરે ।।૪૩।।

ચોર માર્ગે ન આવીએ જાઇયેરે, જો સદા કુશળને ચાહીયેરે ।

જે ધણિયાતી જાયગા હોયરે, પુછ્‌યા વિના ન ઉતરો કોયરે ।।૪૪।।

જ્ઞાનવારતા નારીવદનરે, મારા જન ન સુણો કોઇ દનરે ।

નારી નૃપ નૃપજન આદેરે, તેશું બોલવું નહિ વિવાદેરે ।।૪૫।।

ગુરુ વળી જે મોટા મનુષ્યરે, લોકે માન્યા એવા જે પુરૂષરે ।

શસ્ત્રધારી વળી વિદ્યાવાનરે, એનું કરવું નહિ અપમાનરે ।।૪૬।।

કરવું કાર્ય કરીને વિચારરે, ધર્મ કાર્યમાં કરવી ન વારરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

શિક્ષાપત્રી ભાષા

ભણી વિદ્યા ભણાવવી વળીરે, કરવો સંતસમાગમ મળીરે ।।૪૭।।

દેવ ગુરુ નરેશની પાસરે, ઠાલે હાથે જવું નહિ દાસરે ।

વિશ્વાસઘાત તજી તે દેવોરે, પોતે પોતાનો યશ ન કે’વોરે ।।૪૮।।

ઝીણું પાંખું વસ્ત્ર જે કુઢંગરે, તે ન પે’રવું દેખાય જેણે અંગરે ।

ધર્મરહિત હરિની ભક્તિરે, તે કેદિ ન કરવી સુમતિરે ।।૪૯।।

મૂર્ખ મનુષ્યની નિંદા સાંભળીરે, કૃષ્ણ સેવા ન તજવી વળીરે ।

સર્વે વચન એ સંભારી રાખોરે, માંહોમાંહિ પ્રેમભાવ ભાખોરે ।।૫૦।।

દોહા - ઉત્સવ અથવા નિત્ય પ્રતિ, આવે કૃષ્ણ મંદિર નરનાર ।

પરસ્પર અડવું નહિ, મારા જનને નિરધાર ।।૫૧।।

મંદિરમાંથી નિસરી, રહેવું પોતે પોતાની રીત ।

વળી કહું એક વારતા, સહુ સાંભળો દઇ ચિત્ત ।।૫૨।।

ધ મર્ વ ં શ ી ગ ુ રુ થ્ ા ક ી , શ્ર ી ક ૃ ષ્ ણ ન ી દ ી ક્ષ્ ા ા લ ઇ ।

દ્વિજ ક્ષત્રિય વૈશ્ય ત્રણેની, રીત દેખાડું હું કહી ।।૫૩।।

કંઠે તુલસીમાળા બેવડી, લલાટ હૃદય બે હાથ ।

ઉર્ધ્વપુંડ્ર તિલક કરીને, સદા રહેવું સનાથ ।।૫૪।।

ચોપાઇ- સુંદર તિલક ગોપીચંદનેરે, કરવું અમારા આશ્રિત જનેરે ।

અથવા હોય હરિની પ્રસાદીરે, કુંકુમ કેસર ચંદન આદિરે ।।૫૫।।

સુંદર તિલક કરવું તેનુંરે, મધ્યે બિંદુપણ કરવું એનુંરે ।

કાંતો કરો ચાંદલો કુંકુમેરે, એમ કરો તિલક જન તમેરે ।।૫૬।।

ત ે ક ુ ં ક ુ મ પ્ર સ ા દ ી ક ર ે લ ર ે , ર ા ધ ા લ ક્ષ્ મ ી જી ન ુ ં ધ ર ે લ ર ે । વળી પોતાના ધર્મમાં રહ્યારે, શુદ્ધ શ્રીકૃષ્ણના ભક્ત થયારે ।।૫૭।।

એવા સતશુદ્ર જે સઘળારે, કંઠે રાખો તુલસીની માળારે ।

ઉર્ધ્વપુંડ્ર તિલક કરો એવુંરે, પ્રથમ ત્રિવર્ણને કહ્યું તેવુંરે ।।૫૮।।

તેથી ઉતરતા જાતે જનરે, રાખો માળા કાષ્ટ જે ચંદનરે ।

બાંધો બેવડી કંઠમાં સારીરે, હરિપ્રસાદિની સુખકારીરે ।।૫૯।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

શિક્ષાપત્રી ભાષા

કેવળ ચાંદલો કરવો લલાટરે, તિલક કરવા મુકવો ઘાટરે ।

દ્વિજ આદિ સુંણો સહુ ચિત્તેરે, રાખવું ત્રિપુણ્ડ્ર રુદ્રાક્ષ પ્રીતેરે ।।૬૦।।

નિજ કુળતણી રીત હોયરે, મારા આશ્રિત ન તજો કોયરે ।

નારાયણ અને શિવજી એકરે, એમ સમઝવો સૌને વિવેકરે ।।૬૧।।

હરિ હર બે બ્રહ્મસ્વરૂપરે, તેનાં કહ્યાં છે વેદમાં રૂપરે ।

કહ્યો શાસ્ત્રમાંહી આપદ્ધર્મરે, તેને સાંભળી સમઝવો મર્મરે ।।૬૨।।

થોડા દુઃખમાંહી પણ એનેરે, કહું મુખ્ય ન કરવો કેનેરે ।

અર્ક ઉદય પે’લાં સહુ જાગીરે, હરિ સમરો સહુ સુભાગીરે ।।૬૩।।

હરિકૃષ્ણ કૃષ્ણ મુખે ગાવુંરે, પછી દેહક્રિયા કરવા જાવુંરે ।

દાતણ કરવું બેસી એક સ્થળેરે, પછી નહાવું નિર્મળ જળેરે ।।૬૪।।

ધોયાં વસ્ત્ર સુંદર બે સાથેરે, એક પહેરો ઓઢો એક માથેરે ।

શુદ્ધ આસન ને શુદ્ધ જાગરે, બેસવું જોઇ મોકળે માગરે ।।૬૫।।

પ ૂ વર્ ક ે ઉ ત્ત્ ા ર મ ુ ખ ે ર ે , બ ે સ ી ક ર વ ુ ં અ ા ચ મ ન સ ુ ખ ે ર ે ।

પુરૂષમાત્રતણી એહ રીતરે, કરો તિલક ચાંદલા સહિતરે ।।૬૬।।

સુવાસિની નારી સુણી લીજેરે, કુંકુમ ચાંદલો કપાળે કીજેરે ।

ચાંદલો અથવા જે તિલકરે, વિધવાને ન કરવું એકરે ।।૬૭।।

કરો સતસંગી માનસી સેવરે, ચંદન પુષ્પે પૂજો કૃષ્ણદેવરે ।

પછી ચિત્રની મૂર્તિ સારીરે, રાધાકૃષ્ણતણી સુખકારીરે ।।૬૮।।

તેનું આદરે દર્શન કરીરે, કરવો નમસ્કાર ભાવ ભરીરે ।

જપો આપણી શક્તિ પ્રમાણરે, અષ્ટાક્ષર મંત્ર સુજાણરે ।।૬૯।।

કૃષ્ણમંત્ર જપી નરનારરે, પછી કરવો પોતાનો વ્યવહારરે ।

આત્મનિવેદી જે મારા જનરે, રાજા અંબરીષ જેવા પાવનરે ।।૭૦।।

પ્રથમ કહ્યું અનુક્રમે જેવુંરે, કરો માનસીપૂજા લગી તેવુંરે ।

પછી કૃષ્ણની પ્રતિમા જેહરે, હોય ધાતુ પાષાણની તેહરે ।।૭૧।।

અથવા શાલગ્રામ સુખકારીરે, તેને પૂજવા પ્રેમ વધારીરે ।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

શિક્ષાપત્રી ભાષા

નિત્ય જોઇ દેશ કાળ જેવોરે, શક્તિ પ્રમાણે પૂજાપો લેવોરે ।।૭૨।।

ચંદન પુષ્પ ફળ જળ આદિરે, પૂજો પ્રભુને તજી ઉપાધિરે ।

પછી કૃષ્ણમંત્ર અષ્ટાક્ષરરે, તેને જપવો આનંદભરરે ।।૭૩।।

પછી કૃષ્ણસ્તોત્ર પાઠ કરવારે, કાંતો ગ્રંથ વાંચી વિચારવારે ।

જે ભણ્યા ન હોય ગીર્વાણરેે, તે જપો હરિનામ સુજાણરે ।।૭૪।।

કરી હરિનું નૈવેદ્ય નિત્યરે, લેવી પ્રસાદી તે જન પ્રીત્યરે ।

આત્મનિવેદીએ સદાકાળરે, પ્રીતે સેવવા કૃષ્ણ દયાળરે ।।૭૫।।

માયિક ગુણ રહિત કૃષ્ણરે, તેના સંબન્ધી એવા તમે જનરે ।

આત્મનિવેદી ભક્ત જે તમેરે, ક્રિયા સહિત નિર્ગુણ જાણું અમેરે ।।૭૬।।

મળે જળ ફળાદિ જમ્યા જેવુંરે, કૃષ્ણ પ્રસાદિ વિના ન લેવુંરે ।

આવે અંગે રોગ વૃદ્ધપણુંરે, આપત્કાળ તણું દુઃખ ઘણુંરે ।।૭૭।।

તેમાં ન શકો મૂરતિ સેવીરે, ત્યારે બીજા તે ભક્તને દેવીરે ।

એમ સમઝી સર્વે સુજાણરે, વર્તો પોતાની પહોંચ પ્રમાણરે ।।૭૮।।

કૃષ્ણમૂર્તિ આચાર્યે જે આપીરે, અથવા તેણે હસ્તે કરી સ્થાપીરે ।

કરો એ બે સ્વરૂપની સેવારે, બીજે નમસ્કાર કરી લેવારે ।।૭૯।।

સંધ્યાકાળે સહુ જન મળીરે, જવું હરિમંદિરમાં વળીરે ।

ઉચ્ચ સ્વરે કરો ત્યાં કીર્તનરે, હેતે હરિના નામનું ભજનરે ।।૮૦।।

કથા વાર્તા ત્યાં કૃષ્ણની નિત્યરે, કહેવી સુંણવી આદર સહિતરે ।

તાલ મૃદંગે કૃષ્ણકીર્તનરે, ગાવાં જન ઉત્સવને દનરે ।।૮૧।।

મારા જન કહ્યું જે મેં આગેરે, એવી રીતે રાખો અનુરાગેરે ।

ભાષા ગીર્વાણના ગ્રંથો દાસરે, કરો બુદ્ધિ પ્રમાણે અભ્યાસરે ।।૮૨।।

જે જનથી થાય કામ જેવુંરે, તેને કામ બતાવવું તેવુંરે ।

તેપણ પ્રથમ વિચારી લેવુંરે, પછી કામ કરવા સોંપી દેવુંરે ।।૮૩।।

જે જે જનના જે હોય દાસરે, તેની રખાવવી બરદાસરે ।

અન્ન વસ્ત્ર શક્તિ પ્રમાણરે, આપી સુખી રાખવા સુજાણરે ।।૮૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

શિક્ષાપત્રી ભાષા

જેવા ગુણવાળો જન જેહરે, તેવે વચને બોલાવવો તેહરે ।

દેશ કાળ અનુસારે એનેરે, અયોગ્ય રીતે ન બોલાવવો તેનેરે ।।૮૫।।

ગુરુ ભૂપ વૃદ્ધ ત્યાગી હોયરે, વિદ્યાવાન તપસ્વી એ છોયરે ।

એને આવતાં આદર કીજેરે, ઉઠી મીઠું બોલી માન દીજેરે ।।૮૬।।

ગુરુ દેવ સભા જ્યાં ભૂપતિરે, ત્યાં બેસવું મર્યાદાએ અતિરે ।

પગપર પગ ન ચઢાવવોરે, પગ પટે કરી ન બાંધવોરે ।।૮૭।।

નિજ આચાર્યને અનુસરવુંરે, તેની સાથે વિવાદ ન કરવુંરે ।

સર્વે પોતાની શક્તિ પ્રમાણરે, પૂજવા અન્ન ધન વસ્ત્રે સુજાણરે ।।૮૮।।

આચાર્યને આવતા સાંભળીરે, જવું સન્મુખ ઉતાવળું વળીરે ।

ચાલે આપણા ગામથી જ્યારેરે, જવું વળાવવા ગામ બા’રેરે ।।૮૯।।

બહુ ફળવાળું હોય કર્મરે, પણ ન હોય જો તેમાં ધર્મરે ।

એવું કર્મ તેને તજી દેવુંરે, ધર્મ રાખતાં સુખને લેવુંરે ।।૯૦।।

માટે ફળલોભે કરી જનરે, ધર્મ ત્યાગવો નહિ કોઇ દનરે ।

પૂર્વે મોટા ઋષિ મુનિ માંઇરે, થયો હોય અધરમ જો કાંઇરે ।।૯૧।।

તે અધર્મની ઓટ્ય ન લહીયેરે, તેણે ધર્મ કર્યો તે ગ્રહીયેરે ।

છાની વાત જો કોઇની હોયરે, તેની છતી કરશો માં કોયરે ।।૯૨।।

જગમાંહી હોય જીવ જેવોરે, તેને તેવો સનમાન દેવોરે ।

સર્વમાં સમદૃષ્ટિ ન આરોપવીરે, મોટાની મર્યાદા ન લોપવીરે ।।૯૩।।

નિ’મ અધિક ચોમાસામાં ધારીરે, સમરો શ્રીકૃષ્ણ દેવ મોરારીરે ।

શક્તિ ન હોય તો એક માસરે, રાખો નિયમ શ્રાવણમાં દાસરે ।।૯૪।।

નિયમ અધિક તે સુણી લઇયેરે, કૃષ્ણ કથા સાંભળવી કહીયેરે ।

કીર્તન મહાપૂજા કરીયેરે, જપી મંત્ર ને સ્તોત્ર ઉચ્ચરીયેરે ।।૯૫।।

પ્રેમે કરી પ્રદક્ષિણા દીજેરે, તેમ સાષ્ટાંગ દંડવત કીજેરે ।

એહ આઠ નિયમમાંથી એકરે, રાખો જન હૃદય ધારી ટેકરે ।।૯૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

શિક્ષાપત્રી ભાષા

સર્વ એકાદશી સુખકારીરે, કરવું વ્રત પ્રીતે નરનારીરે ।

કૃષ્ણ જન્મદિન શિવરાતેરે, કરો ઉપવાસ ઉત્સવ ખાંતેરે ।।૯૭।।

કરી વ્રત સુવું નહિ દિવસરે, સુવે તો વ્રત પામે તર્ત નાશરે ।

ભાંગે વ્રત કરે નારીસંગરે, તેમ દિવસે સુતે વ્રતભંગરે ।।૯૮।।

વૈષ્ણવરાજ વલ્લભાચારજરે, તેના સુત વિઠ્ઠલજી મહારાજરે ।

વ્રત ઉત્સવ કહ્યા એણે જેમરે, તમે કરજ્યો જન સહુ તેમરે ।।૯૯।।

વ્રત ઉત્સવ કરવા એવારે, એની રીતે કરો કૃષ્ણ સેવારે ।

તીર્થ દ્વારિકા આદિ સુજાણરે, કરવાં વિધિએ શક્તિ પ્રમાણરે ।।૧૦૦।।

પોત પોતાતણી શક્તિભરરે, રાખો દયા દીનની ઉપરરે ।

વળી વિષ્ણુ શિવ પાર્વતીરે, સૂર્ય દેવ તથા ગણપતિરે ।।૧૦૧।।

એહ પંચ દેવ પ્રમાણરે, પૂજો મારા આશ્રિત સુજાણરે ।

ઉપદ્રવ આવે કોઇ અંગેરે, ભૂત પ્રેત આદિ પ્રસંગેરે ।।૧૦૨।।

તેને ઇચ્છો જો ટાળવા આપરે, કરો નારાયણકવચ જાપરે ।

કાંતો હનુમાન મંત્ર જપ જપિજેરે, ક્ષુદ્ર દેવમંત્ર ન પ્રતીજેરે ।।૧૦૩।।

થાય શશિ સૂર્ય ગ્રહણ જ્યારેરે, ક્રિયા તજી દેવી સર્વ ત્યારેરે ।

થઇ શુદ્ધ સહુ જન આપરે, કરો શ્રીકૃષ્ણમંત્રનો જાપરે ।।૧૦૪।।

મટે ગ્રહણ ત્યારે જઇ ન્હાવુંરે, વસ્ત્રે સહિત નાહી શુદ્ધ થાવુંરે ।

ગૃહસ્થે દાન દેવું શક્તિ જેવીરે, ત્યાગીએ સુખ લેવું કૃષ્ણ સેવીરે ।।૧૦૫।।

ચારે વર્ણના મનુષ્ય જે કા’વેરે, જન્મ મરણ સુતક તેને આવેરે ।

તેતો સંબન્ધી સહુનું પાળોરે, શાસ્ત્ર મર્યાદા કોઇ માં ટાળોરે ।।૧૦૬।।

શમ દમ ક્ષમાદિ સુંદરરે, રહો સંતોષી સહુ વિપ્ર વરરે ।

ક્ષત્રિય વર્ણે રે’વું અતિ ધીરરે, કામ પડ્યે થવું શૂરવીરરે ।।૧૦૭।।

ગાયો ધન વેપાર ખેતી વ્યાજરે, વર્તો વૈશ્ય કરી એવું કાજરે ।

વિપ્ર આદિ ત્રણ વર્ણ એવારે, વર્તો શૂદ્ર કરી તેની સેવારે ।।૧૦૮।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

શિક્ષાપત્રી ભાષા

ગર્ભાધાન આદિ સંસ્કારરે, નિત્ય કર્મ શ્રાદ્ધ નિરધારરે ।

પોતાના ગૃહ્યસૂત્ર પ્રમાણરે, કરો દ્વિજજન તે સુજાણરે ।।૧૦૯।।

જેવો અવસર ને જેવું ધનરે, કરો શક્તિ પ્રમાણે એ જનરે ।

જાણે અજાણે કરીને આપરે, થાય નાનું મોટું કોઇ પાપરે ।।૧૧૦।।

દોહા- તેનો દોષ નિવારીએ, પોતાની શક્તિ પ્રમાણ ।

ત્યાર પછીની વાર્તા, કહું સુણો સર્વ સુજાણ ।।૧૧૧।।

વ્ ય ા સ સ ૂ ત્ર્ ા વ ે દ વ ળ ી , શ્ર ી મ દ ્‌ ભ ા ગ વ ત સ ુ ખ રૂ પ ।

વિષ્ણુસહસ્ત્ર નામ ભારતે, શ્રી ભગવદ્‌ગીતા જે અનુપ ।।૧૧૨।।

િ વ દ ુ ર ન ી િ ત ન ે સ્ ક ં દ પ ુ ર ા ણ ે , વ ૈ ષ્ ણ વ ખ ં ડ મ ા ં સ ા ર ।

વાસુદેવ મહાત્મ્ય કહ્યું, અતિ સુંદર જ્ઞાન ઉદાર ।।૧૧૩।।

ય ા જ્ઞ્ ા વ લ્ ક્ ય ઋ િ ષ્ ા સ્ મ ૃ િ ત , ધ મર્ શ ા સ્ત્ર મ ા ં હ ી જ ે હ ।

સચ્છાસ્ત્ર આઠ એ કહ્યાં, અમારે ઇષ્ટ છે અતિ એહ ।।૧૧૪।।

ચોપાઇ- મારા શિષ્ય સુંણો દઇ ચિત્તરે, તમે ઇચ્છો તમારૂં જો હીતરે ।

સતશાસ્ત્ર આઠ એ અનૂપરે, સહુએ સાંભળવાં સુખરૂપરે ।।૧૧૫।।

મારા આશ્રિત વિપ્ર એને ભણીરે, કરો કથા તે શાસ્ત્ર તણીરે ।

એ આઠમાં કહ્યો જે સદાચારરે, દોષ નિવારણ ને વ્યવહારરે ।।૧૧૬।।

એનો નિર્ણય કરવા હીતરે, મિતાક્ષરા ટીકાએ સહિતરે ।

એવી યાજ્ઞવલ્ક્યની જે સ્મૃતિરે, તેનું ગ્રહણ કરો મહામતિરે ।।૧૧૭।।

વળી શ્રીમદ્‌ભાગવત મધ્યરે, દશમ પંચમ જે બે સ્કંધરે ।

કૃષ્ણ માહાત્મ્ય જાણવા એનેરે, સૌથી અધિક માનવા તેનેરે ।।૧૧૮।।

દશમ પંચમ જે દુઃખહરણરે, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એ ત્રણરે ।

એછે શાસ્ત્ર ભક્તિ યોગ ધર્મરે, તેનો કરી સમઝાવું મર્મરે ।।૧૧૯।।

દશમસ્કંધ ભક્તિશાસ્ત્ર કહીયેરે, પંચમસ્કંધ યોગશાસ્ત્ર લઇયેરે ।

યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ છે જેહરે, ધર્મશાસ્ત્ર એ જાણજો તેહરે ।।૧૨૦।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

શિક્ષાપત્રી ભાષા

શારીરકસૂત્ર સુણો દાસરે, જેનું કર્યું રામાનુજે ભાષ્યરે ।

વળી ભગવદગીતા જે પુનિતરે, રામાનુજના ભાષ્ય સહિતરે ।।૧૨૧।।

એ બે શાસ્ત્ર જાણવાં સારાંરે, અધ્યાત્મશાસ્ત્ર છે એ અમારાંરે ।

સતશાસ્ત્ર એ સર્વ અનુપરે, તેમાં વચન જે છે સુખરૂપરે ।।૧૨૨।।

કૃષ્ણસ્વરૂપને ધર્મ વળીરે, ભક્તિ વૈરાગ્ય એ ચાર મળીરે ।

એની મોટપ કહીછે જેહરે, સૌ કરતાં મુખ્ય માનો તેહરે ।।૧૨૩।।

કૃષ્ણભક્તિ કરો ધર્મે સહિતરે, એછે શાસ્ત્રનું સાર પુનિતરે ।

શ્રુતિ સ્મૃતિએ કહ્યો સદાચારરે, તેતો ધર્મ જાણો નિરધારરે ।।૧૨૪।।

માહાત્મ્યજ્ઞાન સહિત હેત અતિરે, એનું નામ જાણવી ભક્તિરે ।

કૃષ્ણ વિના બીજું જેને આગ્યરે, એનું નામ જાણજો વૈરાગ્યરે ।।૧૨૫।।

જીવ માયા ઇશ્વરનું રૂપરે, શુદ્ધ જાણો એ જ્ઞાન અનુપરે ।

હૃદય વસ્યો સૂક્ષ્મ અણુ જેવોરે, જ્ઞાતા ચૈતન્યરૂપ છે એવોરે ।।૧૨૬।।

જ્ઞાનશક્તિએ કરી નિજ દેહરે, નખશિખા વ્યાપ્યો છે તેહરે ।

અજર અમર ને ન ભેદાયરે, ઇત્યાદિક ગુણે જીવ કે’વાયરે ।।૧૨૭।।

ત્રીગુણાત્મક તમરૂપ જાણોરે, પ્રભુની શક્તિ માયા પ્રમાણોરે ।

જીવ દેહ ને દેહના સંબન્ધીરે, જેણે અહંમમતે રાખ્યા બંધીરે ।।૧૨૮।।

એહ જાણજો માયાનુંરૂપરે, હવે કહું ઇશ્વરનું સ્વરૂપરે ।

જેમ હૃદયમાં જીવ રહ્યારે, તેમ જીવમાં ઇશ્વર રહ્યારે ।।૧૨૯।।

અંતરયામી સ્વતંત્ર આધારરે, જીવના કર્મફળ દેનારરે ।

તેને ઇશ્વર શ્રીકૃષ્ણ પ્રમાણોરે, પરબ્રહ્મ પુરુષોત્તમ જાણોરે ।।૧૩૦।।

તે શ્રીકૃષ્ણ છે આપના ઇષ્ટરે, સદા ઉપાસના યોગ્ય અભીષ્ટરે ।

સુંદરમૂરતિ અતિ સારીરે, સર્વે અવતારના અવતારીરે ।।૧૩૧।।

જ્યારે રાધા સહિત એ રહેરે, ત્યારે “રાધકૃષ્ણ” એને કહેરે ।

રક્મિણી સહિત સોહાવેરે, ત્યારે “લક્ષ્મીનારાયણ” કા’વેરે ।।૧૩૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

શિક્ષાપત્રી ભાષા

જ્યારે અર્જુન સહિત રહે શ્યામરે, ત્યારે “નરનારાયણ” નામરે ।

જ્યારે રહે બળભદ્રાદિ સંગેરે, નામ કે’વાય તે તે પ્રસંગેરે ।।૧૩૩।।

ક્યારેક રાધા આદિક હરિજનરે, ડાબે પડખે હોય પાવનરે ।

ક્યારેક રાધાદિ શ્રીકૃષ્ણ માંઇરે, અતિ સ્નેહે રહેછે સમાઇરે ।।૧૩૪।।

ત્યારે કૃષ્ણ કે’વાયછે એકરે, એમ સમઝી લેવો વિવેકરે ।

માટે કૃષ્ણનાં સ્વરૂપ માંયરે, ભેદ સમઝવો નહિ સદાયરે ।।૧૩૫।।

ચાર ભુજ અષ્ટ ભુજ જેહરે, સહસ્રાદિ ભુજ કા’વે તેહરે ।

તેતો દ્વિ ભુજ મૂર્તિ જે શ્રીકૃષ્ણરે, તેહની ઇચ્છાએ જાણજો જનરે ।।૧૩૬।।

એવા કૃષ્ણદેવ જે મુરારીરે, તેની ભક્તિ સદા સુખકારીરે ।

પૃથવીમાં રહ્યાં જે મનુષ્યરે, તે સર્વર્ેેએ કરવી અવશ્યરે ।।૧૩૭।।

ભક્તિથી બીજું કલ્યાણકારીરે, નથી સાધન લેવું વિચારીરે ।

વિદ્યાવાન ગુણીજન જેહરે, તેના ગુણનું શુભફળ એહરે ।।૧૩૮।।

કરવી કૃષ્ણની ભક્તિ અભંગરે, નિત્ય રાખવો સંતનો સંગરે ।

ન હોય સત્સંગ ન હોય ભક્તિરે, એવો પંડિત તોય અધોગતીરે ।।૧૩૯।।

ક ૃ ષ્ ણ ન ે ક ૃ ષ્ ણ અ વ ત ા ર ર ે , અ થ્ ા વ ા ક ૃ ષ્ ણ પ્ર િ ત મ ા સ ા ર ર ે । ધ્યાન કરવા યોગ્ય છે એહરે, ધરો ધ્યાન કરી તેમાં સ્નેહરે ।।૧૪૦।।

તે વિના મનુષ્યાદિ દેવતારે, કૃષ્ણભક્ત હોય બ્રહ્મવેત્તારે ।

તોય ન કરવું તેનું ધ્યાનરે, એમ સમઝવું બુદ્ધિવાનરે ।।૧૪૧।।

સ્થૂલ સૂક્ષ્મ કારણ દેહરે, તેથીપર નિજ આત્મા જેહરે ।

તેમાં બ્રહ્મભાવ આણી અતિરે, કરો અહર્નિશ કૃષ્ણભક્તિરે ।।૧૪૨।।

દશમસ્કંધ ભાગવત માંયરે, તેનું કરો શ્રવણ સદાયરે ।

કાંતો વર્ષો વર્ષ વાર એકરે, સાંભળો સહુ સહિત વિવેકરે ।।૧૪૩।।

પંડિતે વાંચવો નિત્ય પ્યારરે, નહિતો વર્ષમાં એકવારરે ।

વાંચો સાંભળો પૂરણ પ્રીતેરે, મારા આશ્રિત આદર સહિતેરે ।।૧૪૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

શિક્ષાપત્રી ભાષા

દશમનો પાઠ શુભ સ્થળેરે, કરવો નિજ સામર્થિ બળેરે ।

વિષ્ણુસહસ્રનામ આદિ જપીજેરે, અથવા જપ કરાવી ફળ લીજેરે ।।૧૪૫

મનુષ્ય દેવથી આપત્તિ આવેરે, અથવા રોગાદિ પીડા કહાવેરે ।

તેમાં પર પોતાનું રક્ષણરે, શક્તિભર કરો તતક્ષણરે ।।૧૪૬।।

એમાં જતન થાય તે કીજેરે, પણ વર્તો નહિ રીત બીજેરે ।

એક આચાર બીજો વ્યવહારરે, ત્રીજો પાપ ટાળવા વિચારરે ।।૧૪૭।।

તેતો દેશ કાળ વય દેખીરે, સામર્થિ દ્રવ્ય જાતિને પેખીરે ।

એટલાને જાણી અનુસરવુંરે, જેને જેમ ઘટે તેમ કરવુંરે ।।૧૪૮।।

મત અમારો વિશિષ્ટાદ્વૈતરે, ધામ ગોલોક પ્યારૂં પુનિતરે ।

કૃષ્ણ સેવો બ્રહ્મરૂપ થઇરે, મુક્તિ એજ માની બીજી નઇરે ।।૧૪૯।।

પ્રથમ ધર્મ કહ્યા અમે જેહરે, સહુ જનને સાધારણ તેહરે ।

મારા આશ્રિત ત્યાગી ને ગૃહસ્થરે, બાઇ ભાઇ સત્સંગી સમસ્તરે ।।૧૫૦

કહ્યા ધર્મ સહુના સામાન્યરે, પાળો સરખા થઇ સાવધાનરે ।

હવે વિશેષધર્મ છે જેહરે, કહું જુદા જુદા કરી તેહરે ।।૧૫૧।।

ધર્મવંશી આચાર્ય પુનિતારે, તેની પત્નિયો બન્ને પતિવ્રતારે ।

તેના ધર્મ કહુંછું વિશેષરે, અથ ઇતિ પર્યંત અશેષરે ।।૧૫૨।।

મોટા નાના બે ભાઇ અમારારે, તેના સુત સુંદર બેઉ સારારે ।

અવધપ્રસાદ ને રઘુવીરરે, તમે સાંભળો બેઉ સુધીરરે ।।૧૫૩।।

નિજ સંબન્ધ વિના બાઇયો તેનેરે, મંત્ર ઉપદેશ ન દેવો કેનેરે ।

વળી ન અડવું કોઇ દનરે, તેશું બોલવું નહિ વદનરે ।।૧૫૪।।

ક ા ે ઇ ઉ પ ર ન ર હ ે વ ુ ં ક્ર ુ ર ર ે , ન ર ા ખ વ ી થ્ ા ા પ ણ જ રૂ ર ર ે । કોઇના વ્યવહારમાં જમાનરે, ન થવું સાંભળો બુદ્ધિવાનરે ।।૧૫૫।।

પડે આપત્કાળ જો તમારેરે, ભિક્ષા માગી ખાવું તે વારરે ।

એમ આપત્કાળ ઉતરવુંરે, પણ કોઇનું કરજ ન કરવુંરે ।।૧૫૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

શિક્ષાપત્રી ભાષા

શિષ્યે આપ્યું ધર્મ અર્થ અન્નરે, તેને વેચવું નહિ કોઇ દનરે ।

થાય જીર્ણ તો દઇ નવું લેવુંરે, તેતો અન્ન વેચ્યું ન કે’વુંરે ।।૧૫૭।।

ભાદ્રશુદિ તિથી ચતુરથીરે, તેદિ ગણપતિ પૂજો પ્રેમથીરે ।

આસો વદિ ચૌદશ આવેરે, તેદિ પૂજો હનુમાન ભાવેરે ।।૧૫૮।।

વળી સત્સંગી મારા આશ્રિતરે, તેના ધર્મ રખાવવા હિતરે ।

તેના ગુરુપદે સ્થાપ્યા બેહુનેરે, આપો કૃષ્ણની દીક્ષા તેહુનેરે ।।૧૫૯।।

તે મારા આશ્રિત જે કે’વાયરે, રાખો આપ આપણા ધર્મમાંયરે ।

માનો સંતને કરી શું ઉલ્લાસરે, કરો સત શાસ્ત્રનો અભ્યાસરે ।।૧૬૦।।

દોહા- મોટાં મંદિર કરી મેં સ્થાપ્યા, લક્ષ્મીનારાયણ આદિ દેવ ।

તેહ કૃષ્ણ સ્વરૂપની, યથાવિધિયે કરજ્યો સેવ ।।૧૬૧।।

કૃષ્ણમંદિર માંહિ આવે, ભુખ્યો જો કોઇ જન ।

આપી સનમાન આદરે, દેવું શક્તિ પ્રમાણે અન્ન ।।૧૬૨।।

વિદ્યાર્થી સારૂં વિદ્યાશાળા, કરી રાખો પંડિત દ્વિજ સાર ।

સદ્વિદ્યા ભૂમિપર વિસ્તરે, એ છે પુણ્ય અતિ અપાર ।।૧૬૩।।

અવધપ્રસાદ રઘુવીરની, પત્નિયો તે ગુણનિધાન ।

નિજપતિની આજ્ઞા થકી, કહે કૃષ્ણમંત્ર ત્રિય કાન ।।૧૬૪।।

ચોપાઇ - એમ વર્તે એહ અહોનિશરે, નરને ન કરવો ઉપદેશરે ।

સમીપ સંબન્ધી વિના નર સંગરે, કેદિ ન બોલો ન અડો અંગરે ।।૧૬૫।।

ન િ હ દ ે ખ ા ડ વ ુ ં વ દ ન ર ે , અ ે વ ી ર ી ત ે ર હ ે િ ન શ દ ન ર ે । અવધપ્રસાદ ને રઘુવીરરે, તેની પત્નિયો પરમ સુધીરરે ।।૧૬૬।।

કહ્યા વિશેષ ધર્મ એમ રહેજ્યોરે, મારી આજ્ઞા માની એહ લેજ્યોરે ।

ગૃહસ્થ નર અમારા આશ્રિતરે, સુંણો વિશેષધર્મની રીતરે ।।૧૬૭।।

સમીપ સંબન્ધ વિના જે વિધવારે, નથી આજ્ઞા તેને અડવારે ।

માતા સુતા ભગિની યુવાનરે, તેને સંગે ન રહેવું બુદ્ધિમાનરે ।।૧૬૮।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

શિક્ષાપત્રી ભાષા

આપત્કાળ વિના એકાંતરે, ન રે’વું નરને એ સંઘાતરે ।

તેમ પોતાની નારીનું દાનરે, ન કરવું કોઇને નિદાનરે ।।૧૬૯।।

વળી જે નારીનો કોઇ રીતરે, હોય નૃપશું વ્યવહાર નિત્યરે ।

તે નારીનો પ્રસંગ ન કરીયેરે, સર્વ પ્રકારે મનમાંહી ડરીયેરે ।।૧૭૦।।

આવે અતિથી કોઇ આંગણેરે, પૂજો અન્નાદિકે શક્તિ પ્રમાણેરે ।

દેવકર્મ હોમાદિક જેહરે, પિતૃકર્મ શ્રાદ્ધાદિક તેહરે ।।૧૭૧।।

શક્તિ પ્રમાણે વિધિ સહિતેરે, જેમ ઘટે તેમ કરો પ્રીતેરે ।

વળી માત પિતા ગુરુ હોયરે, અથવા રોગાતુર જન કોયરે ।।૧૭૨।।

તેની સેવા સદાય સુજાણરે, કરો પોતાની શક્તિ પ્રમાણરે ।

નિજ વર્ણાશ્રમ ઘટિત સોઇરે, કરો ઉદ્યમ આપ શક્તિ જોઇરે ।।૧૭૩।।

ખેડુ ગાય ધણવાળા હોયરે, રખે બળદ સમારતા કોયરે ।

સામર્થિ ને સમય જોઇ લેવુંરે, નર પશુનું ખર્ચ હોય જેવુંરે ।।૧૭૪।।

તે પ્રમાણે અન્ન ધન ચારોરે, મારા જન સંગ્રહ કરો સારોરે ।

રાખો એટલાં પશુ આંગણેરે, પાળી શકો સુખે જળ તૃણેરે ।।૧૭૫।।

ગાય બળદ ઘોડા આદિ પ્રાણીરે, ઝાઝાં રાખી દુઃખી ન કરો જાણીરે ।

પુત્ર મિત્રાદિ સાથે વ્યવહારરે, ધરા ધનનો કરો જે વ્યાપારરે ।।૧૭૬।।

સાક્ષી સહિત લખાવી તે લીજેરે, એમ સમઝીને વ્યવહાર કીજેરે ।

પોતાના અને પારકા વિવાહનારે, પરઠ્યા હોય જે દામ દેવાનારે ।।૧૭૭।।

કરો લેખ સાક્ષીએ સહિતરે, કેવળ વાતની નહિ પ્રતિતરે ।

પોતાની ઉપજ પ્રમાણરે, કરવું ખરચ સહુએ સુજાણરે ।।૧૭૮।।

થોડી ઉપજે ખરચ બહુરે, જે કરે તે દુઃખી થાય સહુરે ।

ઉત્પન્ન ને ખરચ થાય જેહરે, શુદ્ધ અક્ષરે લખવું નિત્ય તેહરે ।।૧૭૯।।

ધન ધાન્યાદિક જે કમાઇરે, પોતાની વૃત્તિ ઉદ્યમ માંઇરે ।

તેમાંથી દશમો ભાગ કાઢવોરે, તે શ્રીકૃષ્ણને અર્પણ કરવોરે ।।૧૮૦।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

શિક્ષાપત્રી ભાષા

હોય દુર્બળ દાસ જો કોયરે, આપે ભાગ તે વિશમો સોયરે ।

એકાદશી આદિ વ્રત જેહરે, જેને શાસ્ત્ર પ્રમાણ છે તેહરે ।।૧૮૧।।

તેને ઉજવવા શક્તિ પ્રમાણેરે, જેમ કહ્યું છે શાસ્ત્ર પુરાણેરે ।

એને ઉજવ્યાનું ફળ અતિરે, થાય મનવાંછિત પ્રાપતિરે ।।૧૮૨।।

શ્રાવણ માસમાં શિવપૂજનરે, બિલીપત્રાદિકે કરો જનરે ।

કરવું પોતે અતિ ઉલ્લાસેરે, નહિતો કરાવવું કોઇ પાસેરે ।।૧૮૩।।

આચાર્ય ને શ્રીકૃષ્ણ મંદિરથીરે, ન લેવું કરજ કહું કથીરે ।

આચાર્ય ને કૃષ્ણભવનરે, ત્યાંથી વસ્ત્ર ઘરેણાં વાસનરે ।।૧૮૪।।

એ આદિ પોતાના કામ સારૂંરે, ન માગવું એ વચન અમારૂંરે ।

શ્રીકૃષ્ણ ગુરુ સાધુની પાસરે, જ્યારે જાઓ દર્શને દાસરે ।।૧૮૫।।

ત્યારે કોઇનું અન્ન ન ખાવુંરે, એહ રીતે દર્શને જાવુંરે ।

હરિ ગુરુ સંત ને સદનરે, ત્યાં ન લેવું જે પારકું અન્નરે ।।૧૮૬।।

હરે પુણ્યને પારકું અન્નરે, માટે ગાંઠનું ખાવું ત્યાં જનરે ।

મજુરની મજુરી નિદાનરે, દેવા કહ્યું હોય ધન ધાન્યરે ।।૧૮૭।।

કહ્યા પ્રમાણે આપવું પુરૂંરે, આપીયે નહિ કેને અધુરૂંરે ।

આપ્યું કરજ ને વંશ આપણોરે, તેમ ત્રીજું કન્યાદાન ગણોરે ।।૧૮૮।।

તેને પંચમાં કરવું પ્રસિદ્ધરે, છાનું રાખવું નહિ કોઇ વિધરે ।

દુષ્ટસંગે વ્યવહાર ન કીજેરે, મારા દાસ સહુ સુંણી લીજેરે ।।૧૮૯।।

હોય પોતાને રહેવાનું સ્થળરે, ત્યાં આવે કઠણ કોઇ પળરે ।

શત્રુ રાજાથી ઉપદ્રવ થાયરે, લાજ ધન કાંતો પ્રાણ જાયરે ।।૧૯૦।।

એવા ગામ ગરાસને ત્યાગીરે, બીજા દેશમાં રહેવું સુભાગીરે ।

તજી તર્ત જવું બીજે દેશરે, સુખે હરિ ભજવા હમેશરે ।।૧૯૧।।

ધનવાન સુંણો દઇ ચિત્તરે, ધર્માર્થે ધન વાવર્યાની રીતરે ।

હિંસા રહિત વિષ્ણુ સંબન્ધીરે, કરો યજ્ઞ યાગ રૂડી વિધિરે ।।૧૯૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

શિક્ષાપત્રી ભાષા

વળી તીર્થ કે દ્વાદશી આદિરે, હોય પર્વણી દિન ઇત્યાદિરે ।

તેમાં જમાડો બ્રાહ્મણ સંતરે, એમ પુણ્ય કરો બુદ્ધિવંતરે ।।૧૯૩।।

વ ળ ી ધ ન વ ા ન જ ન સ વર્ ર ે , ક ર ા ે ક ૃ ષ્ ણ મ ં િ દ ર ે ઉ ત્ સ વ ર ે । કાંતો સુપાત્ર બ્રાહ્મણ જોઇરે, આપો બહુવિધિ દાન સોઇરે ।।૧૯૪।।

મારા આશ્રિત રાજા સુજાણરે, વર્તો ધર્મશાસ્ત્ર પ્રમાણરે ।

નિજપુત્રસમ પ્રજા પાળોરે, સ્થાપો ધર્મ ધરામાં પાપ ટાળોરે ।।૧૯૫।।

વળી રાજા ને અંગ રાજ્યનાંરે, સાત છે સમઝવા કાજનાંરે ।

ચાર ઉપાય છ ગુણ જેહરે, જાણવા યથાર્થપણે તેહરે ।।૧૯૬।।

ચાર મુક્યાનાં જે કોઇ સ્થાનરે, તેને જાણવાં જોઇ નિદાનરે ।

વળી વ્યવહારના જાણનારરે, જોઇયે સભાસદ નિરધારરે ।।૧૯૭।।

જોવું મનુષ્ય દંડવા જેવુંરે, જાણો મનુષ્ય ન દંડાય એવુંરે ।

એહ સર્વ લક્ષણે જાણવુંરે, યથાર્થપણે પ્રમાણવુંરે ।।૧૯૮।।

એ છે સર્વ રાજાઓની રીતરે, રાખો રાજા જે મારા આશ્રિતરે ।

રહો સુવાસિની નારી સૌ પ્રીતેરે, નિજ વિશેષધર્મની રીતેરે ।।૧૯૯।।

જાણી પતિ ઇશ્વર સમાનરે, તેનું કરવું નહિ અપમાનરે ।

અન્ધ રોગી દરિદ્ર હોય અતિરે, હોય નપુંસક નિજપતિરે ।।૨૦૦।।

તેને ઇશ્વર જાણી સેવવુંરે, કેદિ કઠણ વચન ન કે’વુંરે ।

બીજો પુરૂષ રૂપાળો યુવાનરે, સારા ગુણવાળો ને સુજાણરે ।।૨૦૧।।

તેનો પ્રસંગ સહજ સ્વભાવેરે, ન કરે પતિવ્રતા જે કા’વેરે ।

પરપુરૂષને ન દેખાડોરે, ઉર નાભિ સાથળ સંતાડોરે ।।૨૦૨।।

ઓઢ્યા વિના ઉઘાડું ન રહેવુંરે, ભાંડ ભવાઇ નહિ જોવા જવુંરે ।

નિર્લજ્જ નારીનો સંગ ન કરીયેરે, નીચ નારીના સંગથી ડરીયેરે ।।૨૦૩।।

સ્વૈરિણી કામિની ને પુંશ્ચલીરે, તેનો સંગ ન કરવો વળીરે ।

નિજપતિ જાય પરદેશેરે, વસ્ત્ર ઘરેણાં ન ધરવો વેશરે ।।૨૦૪।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

શિક્ષાપત્રી ભાષા

પ ર ઘ ે ર જ ઇ ન બ ે સ વ ુ ં ર ે , િ વ ન ા ે દ િ વ લ ા સ ે ન હ સ વ ુ ં ર ે ।

સુણો વિશેષધર્મ વિધવારે, પતિભાવે કૃષ્ણને સેવવારે ।।૨૦૫।।

પિતા પુત્રાદિ સગાં સુમતિરે, એની આજ્ઞામાં રહેવું અતિરે ।

કેદિ ન રહેવું પોતાને વશ્યરે, એમ વર્તવું અહોનિશરે ।।૨૦૬।।

વળી સંબન્ધી વિના જે પુરૂષરે, તેનો ન કરવો કેદિ સ્પર્શરે ।

હોય પોતે અંગે યુવાવતીરે, વળી યુવાન પુરૂષ સંગતીરે ।।૨૦૭।।

અવશ્ય કાર્ય વિના તેહશુંરે, ન બોલવું બીજા નર નેહશુંરે ।

ખોળે ધાવતો બાળક નાનોરે, તેને અડ્યાનો દોષ ન માનોરે ।।૨૦૮।।

જેવો પશુનો સ્પર્શ પ્રમાણોરે, તેવો નાના બાળકનો જાણોરે ।

અવશ્ય કાર્યમાં વૃદ્ધ નર સાથેરે, નથી દોષ બોલ્યે અડે હાથેરે ।।૨૦૯।।

નિકટ સંબન્ધી વિના નર પાસરે, ન કરવો વિદ્યાનો અભ્યાસરે ।

વ્રત ઉપવાસ કરી નિજ તનરે, કરવું વારમવાર દમનરે ।।૨૧૦।।

દોહા- ધન જો તન નિર્વાહથી, હોય અધિક પોતાની પાસ ।

શક્તિ પ્રમાણે વાવરો, ધર્મમાં કરી ઉલ્લાસ ।।૨૧૧।।

એહ વચન માની વિધવા, વળી આહાર કરવો એકવાર ।

સદાયે સુવું ભૂમિયે, કરી મનમાંહિ વિચાર ।।૨૧૨।।

મૈથુન યુક્ત શશ મૃગાદિ, જોવાં નહિ પ્રાણીજન ।

સંન્યાસિની વેરાગિની સુવાસિની, તેનો વેષ ન ધરવો તન ।।૨૧૩।।

જેવો ન હોય નિજ કુળમાં, વળી દેશમાં પણ વેશ ।

તેવો ન ધરવો વેશ વિધવા, માની મારો ઉપદેશ ।।૨૧૪।।

ચોપાઇ- ગર્ભઘાતકી પાતકી નારીરે, તેનો સ્પર્શ ન કરવો વિચારીરે ।

નર રસ શૃંગારની વાણીરે, ન કહેવી ન સુંણવી સયાણીરે ।।૨૧૫।।

હોય વિધવા યુવાન તનરે, હોય નર નિજ સંબન્ધી જોબનરે ।

આપત્તિ વિના એકાંત સ્થળરે, ન રહેવું વિધવાએ કોય પળરે ।।૨૧૬।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

શિક્ષાપત્રી ભાષા

આપત્કાળમાં દોષ ન જાણોરે, એમ વિધવા સહુ પ્રમાણોરે ।

હોળી ખેલ ખુબી નહિ કરોરે, અંગે આભૂષણ નહિ ધરોરે ।।૨૧૭।।

ઝીણાં જરિયાની જે વસનરે, વિધવાએ ન પહેરવાં તનરે ।

સધવા વિધવા સુંણી લેવુંરે, વસ્ત્ર પહેર્યા વિના ન ન્હાવુંરે ।।૨૧૮।।

ન સંતાડો નિજ રજ કોઇરે, ધરે ગર્ભશંકા જન જોઇરે ।

સધવા વિધવા રજસ્વળારે, સુંણો રીત સર્વે અબળારે ।।૨૧૯।।

ન કરો મનુષ્યને વસ્ત્રનો સ્પર્શરે, રહો અણઅડે ત્રણ દિવસરે ।

ચોથે દિવસ નાહી શુદ્ધ થઇરે, વર્તો સહુ સહુની રીતમાંઇરે ।।૨૨૦।।

નારી નર આશ્રિત અમારારે, કહ્યા વિશેષધર્મ તમારારે ।

કહું આચાર્ય ને તેની પત્નિરે, એમ જાણજો રીત આપનીરે ।।૨૨૧।।

કાંજે ગૃહસ્થ છો માટે તમેરે, રહેજ્યો એમ જેમ કહ્યું અમેરે ।

હવે મારા આશ્રિત બ્રહ્મચારીરે, ધર્મ વિશેષ રીત તમારીરે ।।૨૨૨।।

તજો નારીને અષ્ટ પ્રકારેરે, ન અડો ન બોલો એશું ક્યારેરે ।

જાણી નારી ન જોવી ન કળવીરે, એની વાત ન કહેવી સાંભળવીરે ।।૨૨૩

જે સ્થળે નારીનો પગફેરરે, વર્ણી ન જાવું ત્યાં કોઇ વેરરે ।

દેવ પ્રતિમા વિના પુતળીરે, ચિત્ર કાષ્ટ પાષાણાદિની વળીરે ।।૨૨૪।।

સ્પર્શ દર્શને તેને પરહરવીરે, નારી પ્રતિમા વર્ણીએ ન કરવીરે ।

નારી પહેરેલ વસ્ત્ર ન છોવુંરે, મૈથુનયુક્ત પ્રાણીને ન જોવુંરે ।।૨૨૫।।

નારીવેષધારી નર હોયરે, તેને ન જુવો ન અડો કોયરે ।

નારીને સંભળાવવા જાણીરે, કથા કીર્તન ન કહેવી વાણીરે ।।૨૨૬।।

થાય બ્રહ્મચર્ય વ્રતનો પાતરે, એવી ગુરુની પણ ન માનો વાતરે ।

રહેવું વર્ણીએ ધીરજવાનરે, રાખો સંતોષ ને નિરમાનરે ।।૨૨૭।।

નારી આવે સમીપ કોઇ જોરરે, કરી તિરસ્કાર કરવી દૂરરે ।

કોઇ એવો આપત્કાળ આવેરે, ત્રિયના વા પોતાના પ્રાણ જાવેરે ।।૨૨૮।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

શિક્ષાપત્રી ભાષા

ત્યારે અડે બોલે જો ઉગરોરે, થાય જીવની રક્ષા એમ કરોરે ।

વળી તેલ મર્દન ન કરવુંરે, વર્ણીને આયુધ ન ધરવુંરે ।।૨૨૯।।

ન ધરવો ભયંકર વેષરે, જિહ્વા ઇંદ્રિય જીતવી હમેશરે ।

જો દ્વિજ ઘરે પીરસે નારીરે, ત્યાં ન જમવું જઇ બ્રહ્મચારીરે ।।૨૩૦।।

જ્યાં પુરૂષ હોય પીરસનારરે, ત્યાં ભિક્ષા લેવી બ્રહ્મચારરે ।

વેદ શાસ્ત્ર ભણવા અભ્યાસેરે, ગુરુસેવા કરવી ઉલ્લાસેરે ।।૨૩૧।।

વળી નારી ને નારીના યારરે, તેશું રાખવો નહિ વ્યવહારરે ।

ચર્મવારી વિપ્રને ન પીવુંરે, લસણ ડુંગળી તે તજી દેવુંરે ।।૨૩૨।।

સન્ધ્યા સ્નાન ગાયત્રી જપીયેરે, પ્રીતિ સહિત વિષ્ણુને પૂજીયેરે ।

વૈશ્વદેવ કર્યા વિના જનરે, વિપ્ર વર્ણીને ન લેવું અન્નરે ।।૨૩૩।।

એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીરે, રહો વિશેષધર્મને ધારીરે ।

હવે સાધુના જે વિશેષ ધર્મરે, એનો કહી સમઝાવું મર્મરે ।।૨૩૪।।

મારા આશ્રિત સંત સુજાણરે, રહો નૈષ્ઠિકવર્ણી પ્રમાણરે ।

નારી નારીના સંગિને તજીરે, અંતઃશત્રુ જીતો હરિ ભજીરે ।।૨૩૫।।

સર્વે ઇંદ્રિયનું કારણ એકરે, જિહ્વા જીતવી કરી વિવેકરે ।

ધન ન રાખો ને ન રખાવોરે, એમ રહો તો અમને ભાવોરે ।।૨૩૬।।

ન રાખવી કોઇની થાપણરે, ન મેલવી ધીરજતા પણરે ।

જે જગા રહેતાહો તમે જનરે, નારી નાવે ત્યાં કોઇક દનરે ।।૨૩૭।।

સંગ વિના ન ચાલવું રાતરે, આપત્કાળ તણી નહિ વાતરે ।

એકાએક ન ચાલવું સંતરે, આપત્‌ પડ્યા વિના બુદ્ધિવંતરે ।।૨૩૮।।

વસ્ત્ર બહુમૂલાં વિચિત્ર ભાતરે, કસુંબી દુશાલ બહુ જાતરે ।

આવે અણઇચ્છયાં તોય ન લેવુંરે, લેવું તો તર્ત વિપ્રને દેવુંરે ।।૨૩૯।।

ભિક્ષા કે સભા વિના સંતરે, કેને ઘેરે ન જવું બુદ્ધિવંતરે ।

હરિની ભક્તિ નવધા અવલરે, તે કર્યા વિના ન ખોઇયે પલરે ।।૨૪૦।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

શિક્ષાપત્રી ભાષા

રાંધેલ અન્ન પીરસે નરરે, નારીમાત્ર ન આવે નજરરે ।

એવું ગૃહસ્થતણું ઘર હોયરે, ત્યાં જવું સંત સહુ કોયરે ।।૨૪૧।।

નહિ તો માગી લેવું કાચું અન્નરે, કરો પાક હાથે મારા જનરે ।

કરી હરિને નૈવેદ્ય જમોરે, હરિ ભક્તિમાં દિન નિગમોરે ।।૨૪૨।।

મોરે ઋષભસુત જે ભરતરે, ભૂમે જડવિપ્ર જે સુવ્રતરે ।

જેવી રીત્યે એ વર્ત્યા વળીરે, તેમ વર્તો સંત મારા મળીરે ।।૨૪૩।।

મારા આશ્રિત વર્ણી જે સંતરે, ત્યાગો વ્યસનાદિક અત્યંતરે ।

ભાંગ્ય તાંબુળ તમાલ જેહરે, ત્યાગો અફીણ આદિક તેહરે ।।૨૪૪।।

સુંણો બ્રહ્મચારી સંત જનરે, ક્યારે ન ખાવું દુષિત અન્નરે ।

ગર્ભાધાન આદિક સંસ્કારરે, તેનું અન્ન ન જમો નિરધારરે ।।૨૪૫।।

અ ે ક ા દ શ દ્વ ા દ શ ન ુ ં અ ન્ન્ ા ર ે , પ્ર ે ત શ્ર ા દ્ધ ક હ ે સ હ ુ જ ન ર ે । તે ન ખાવું વર્ણી સંત કોયેરે, આપત વિના દિવસે ન સુયેરે ।।૨૪૬।।

ગ્રામ્યવાર્તા કેદી ન કરીયેરે, કોઇ કરે કાને ન ધરીયેરે ।

ત્યાગીએ વણરોગે ન સુવું માંચેરે, સાધુ આગળ વર્તો મન સાચેરે ।।૨૪૭

વળી મારે કોય ગાળ ભાંખેરે, કોય કુમતિ અપવાદ નાખેરે ।

તેતો ત્યાગીએ સર્વ સહીજેરે, તેનું સારૂં થાય તેમ કીજેરે ।।૨૪૮।।

દૂતકર્મ કેનું ન કરીયેરે, હેરુ ચાડીયાપણું પરહરિયેરે ।

નિજ દેહમાં અહંતા ન ધારોરે, કુટુંબ નિમિત્ત મમત વિસારોરે ।।૨૪૯।।

એમ સંક્ષેપે સર્વેના ધર્મરે, કહ્યા ત્યાગી ગૃહસ્થના પર્મરે ।

ઇચ્છો ધર્મ સુંણવા વિસ્તારેરે, તો છે સંપ્રદાય ગ્રંથે અમારેરે ।।૨૫૦।।

સતશાસ્ત્ર સહુને છે આ સારરે, બુદ્ધિમાંહી મેં કરી વિચારરે ।

પછી શિક્ષાપત્રી લખી સારીરે, મનવાંછિત ફળ દેનારીરે ।।૨૫૧।।

રહો એ રીતે સહુ મારા જનરે, મનગમતું ન કરો કોઇ દનરે ।

એમ રહો પુરૂષ ને વામરે, પામો ધર્મ અર્થ મોક્ષ કામરે ।।૨૫૨।।

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

શિક્ષાપત્રી ભાષા

ચારે પુરૂષાર્થની થાય સિદ્ધિરે, ત્યાગી ગૃહસ્થ રહો એહ વિધિરે ।

એમ ન રહે જે નરનારરે, તેતો અમારા સંપ્રદાય બા’રરે ।।૨૫૩।।

એમ સમઝી મારા આશ્રિતરે, કરો શિક્ષાપત્રી પાઠ નિત્યરે ।

ભણ્યા ન હો તો ભાવે સુંણજોરે, વાંચનાર ન હોય તો પૂજજોરે ।।૨૫૪।।

મારી વાણી તે મારૂં સ્વરૂપરે, માનો આદરે સહુ અનૂપરે ।

દૈવી સંપત્તિવાળા જે નરરે, તેને દેજો આ પત્રી સુંદરરે ।।૨૫૫।।

આસુરી સંપત્તિવાળા જે જનરે, તેને દેવી નહિ કોઇ દનરે ।

સંવત અઢાર વર્ષ બ્યાસીરે, મહા શુદિ પંચમી સુખરાશીરે ।।૨૫૬।।

તેદી પત્રી લખી પ્રમાણરે, જેથી થાય સહુનું કલ્યાણરે ।

આશ્રિતની પીડા ટાળનારરે, ધર્મસહિત ભક્તિ પાળનારરે ।।૨૫૭।।

નિજભક્તવાંછિત સુખદેણરે, એવા શ્રીકૃષ્ણ કમળ નેણરે ।

કરો સર્વે અમારાં તે કાજરે, મંગળ મૂર્તિ શ્રી મહારાજરે ।।૨૫૮।।

સહજાનંદ ગુરુએ એ વિધિરે, શિક્ષાપત્રી અનુપમ કીધીરે ।

પત્રી ગીર્વાણ એ કહેવાતીરે, તેપર ભાષા કરી ગુજરાતીરે ।।૨૫૯।।

પત્રી ચોપાઇ બસેં ને સાઠરે, કહે રહે સુંણે કરે પાઠરે ।

તેહ પામે અખંડ આનંદરે, ઘણું શું કહે નિષ્કુલાનંદરે ।।૨૬૦।।

ઇતિ શ્રી નિષ્કુલાનંદ સ્વામી વિરચિતા શિક્ષાપત્રીભાષા સમાપ્તા

શ્રી નિષ્કુલાનંદ કાવ્ય

શ્રી સ્વામિનારાયણ મંદિર, કાલુપુર, અમદાવાદ થી પ્રકાશિત પુસ્તકો

•વચનામૃત (ગુજરાતી, હિન્દી)

•શ્રી સ્વામિનારાયણ ચરિત્ર રત્નાકર

•વચનામૃત ગુટકો

•શ્રી પ્રશ્નોતરી પ્રદિપક

•વચનામૃત હિન્દી

•શ્રી હરિકૃષ્ણ લીલામૃત

•શિક્ષાપત્રી

•૧૦૮ બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો

•(ગુજરાતી, હિન્દી, અંગ્રેજી)

•શ્રી હરિચરિત્ર ચિંતામણી

•શિક્ષાપત્રી પંચરત્ન

•શ્રી નરનારાયણદેવ પુસ્તક

•શિક્ષાપત્રી ભાષ્ય વિવેચન

•વાસુદેવ માહાત્મય (અંગ્રેજી)

•(ગુજરાતી, હિન્દી, અંગ્રેજી)

•સ્વાભાવિક ચેષ્ટા (સચિત્ર)

•શિક્ષાપત્રી ભાષ્ય અર્થદિપિકા

•ઘનશ્યામ બાલ ચરિત્ર (સચિત્ર)

•(ટીકા)

•સત્સંગીની દિન ચર્યા

•સત્સંગિજીવન સંક્ષિપ્ત

•શ્રી સ્વામિનારાયણ મંદિર પરિચય

•સત્સંગિજીવન (સંસ્કૃત-ગુજરાતી) •

•વચનામૃતની આજ્ઞાઓ

•ભાગ-૧ થી ૫

•શ્રી સ્વામિનારાયણ ચિત્રકલા

•સત્સંગિભૂષણ કથાસાર

•શ્રી સ્વામિનારાયણ શિલ્પ સ્થાપત્ય કલા

•સત્સંગિભૂષણ (સંસ્કૃત-ગુજરાતી) •

•કાર્વેડ વુડન પીલર્સ અંગ્રેજી) (સભા

•ભાગ-૧ થી ૫

•મંડપના શિલ્પસ્થાપત્ય વિષે)

•હજારી કીર્તનાવલિ

•સત્સંગ પરિચય / કિશોર પરિચય

•કીર્તન ભક્તિ

•વચનામૃતના સૂત્રો

•ભક્ત ચિંતામણી

•શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજશ્રી

•ભગવાન શ્રી સ્વામિનારાયણ

•શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજનું

•(ગુજરાતી, હિન્દી, અંગ્રેજી)

•જીવન ચરિત્ર

•ભગવાન શ્રી સ્વામિનારાયણ

•ઠાકોરજી સેવા રીતિ

•(અં. સચિત્ર)

•નિર્ણય

•નિત્યનિયમ

•શ્રી નરનારાયણદેવ

•જનમંગલ સ્ત્રોત (નાની)

•વચનામૃતમાં શ્રી નરનારાયણદેવ

•હનુમાન ચાલીસા

•શ્રી સત્સંગ સેતુ

•હરિગીતા

•શ્રી શાંતિ પાઠ

•ધર્મવંશી આચાર્ય પદ

•શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર

•(ગુજરાતી, અંગ્રેજી)

•મુક્તાનંદ કાવ્ય

•ભૂમાનંદ સ્વામીના કીર્તનો

•નિષ્કુળાનંદ કાવ્ય

•શ્રી સ્વામિનારાયણ કથા

•અમદાવાદમાં શ્રીહરિ

•(ગુજરાતી, અંગ્રેજી)

•શ્રી નિષ્કુલાનંદ કાવ્ય