prem ni abhivaykti in Gujarati Women Focused by તમન્ના books and stories PDF | પ્રેમની અભિવ્યક્તિ

Featured Books
Categories
Share

પ્રેમની અભિવ્યક્તિ

એક નાનું પરિવાર એક નાનકડા એવા ગામમાં રહેતું હતું એકદમ પતિ પત્ની હ તા. બે બાળક હતા એક દીકરી એક દીકરો બધા સાથે મળીને રહેતા હતા દંપતીને સારું બનતું હતું પણ કોઈ કોઈ વાર કોઈક નાની વાતમાં ઝઘડા પણ થતા હતા પણ ઘર છે એ તો ચાલ્યા કરે એવું વિચારે ને ગાડુ ચાલતુ એક દિવસ તેમના ઘરની સામે એક નવું મકાન નો નો બાંધ કામ શરૂ થયું અને ત્યાં લોકોને અવરજવર થવા લાગે અને ત્યાં અનેક જાતના લોકો આવવા લાગ્યા તે દરમિયાન તે સ્ત્રીની નજર ત્યાં આવતા જતા લોકો ઉપર પડતી તે સ્ત્રીનું નામ શ્રીજીતા હતું હા અને તેના પતિનું નામ વિપુલભાઈ અને બાળકોના નામ અનુક્રમે મોન્ટી અને દિયા 

હતું તેમની ઉંમર 12 અને 8 હતી અમુક સમયે શ્રીજીતા ન સમજાય તેવું વર્તન કરતી બાળકોને મારતી પતિથી લડતી ઝઘડતી અને પોતાની મનની કડવાશ આવી રી તે વ્યક્ત કરતી તેને મોટા ઘરમાં રહેવું હતું સારું ખાવું પીવું ફરવું નવા કપડાં પહેરવા તે બધા શોખ પૂરા કરવા હતા,

           પણ વિપુલની ટૂંકી આવકમાં આ બધુ અશક્ય હતું, ઘણી વખત વિચાર આવતા કે આ બધી ઝંઝટ ને મૂકીને તે ક્યાંક ચાલી જાય અને કંઈક જિંદગીની મજા માણે પણ કોઈ રસ્તો દેખાતો નહોતો પણ જ્યારે બાંધકામ માટે આવતા લોકોમાં એક વ્યક્તિ જે કારીગર હતો અને કોન્ટ્રાક્ટર પર દેખાવમાં સારો હતો. બહુ રૂપાળો નહીં પણ કાળોએ નહીં એવો ઘઉંવર્ણ વાન નીલી દરિયાના પાણી જેવી આંખો પહોળો અને સશક્ત બાંધો શ્રીજીતાને તો જાણે જોતા જ ગમી જાય એ એવો વ્યક્તિ લાગ્યો શ્રીજીતા પણ આમ તો દેખાવમાં સરસ હતી લાંબુ કદ દુબળું પણ નહીં અને જાડી પણ નહીં તેવું મધ્યમ શરીર આકર્ષક મોટી આંખો લાંબુ નાક પાતળા હોઠ એ જાણે ગુલાબી રંગે રંગાયેલા હોય તેવા અને તેની બોલવાની ઢબ તેની ગમે તેને આકર્ષિત કરે તેવી રૂપાળું એવું તેનું નમણું શરીર આકર્ષક અને મધ્યમ ઊભારો પાતળી કમર આમ તે એક રૂપ સ્વામીની હતી.કંઈ પણ સમજવા તૈયાર ન હતી... તેના મનમાં ઊઠતી ઝંખનાઓ તેને આ રસ્તાથી પાછળ ફરવા માટે રોકતી હતી. તેને તો બસ દરેક રીતે વિહંગને પામીને મનથી એને શરીરથી એક રૂપ થવું હતું એક પુરુષ વધુ બરદાસ્ત કરે પણ તેની પત્નીની બેવફાઈ બરદાસ્ત કરી શકતો નથી... એક દિવસ કંટાળીને વિપુલે ઝેરી ટીકડા ખાઈને અને આત્મહત્યા કરી લીધી ત્યારે શ્રીજીતાને પોતાની ભૂલોનું ભાન થયું ..પણ સમય ક્યારેય પાછો આવતો નથી અને કરેલી ભૂલો ઉપર પસ્તાવા સિવાય કંઈ જ થતું નથી આજે શ્રીજીતા પોતાના બંને બાળકો સાથે પોતાનો જીવન નિર્વાહ જેમતેમ ચલાવે છે ....અને જિંદગીના દિવસો પૂરા કરે છે શું મળ્યું ?તેને તેની મુજબનું બધુ નહીં પણ જે હતું તે પણ ગુમાવી દીધું ઈચ્છાઓ નો તો પાર કદી નથી આવતો પણ મનુષ્ય પોતાની પાસે જે છે તે સારું અને શ્રેષ્ઠ છે એનાથી વધુ કંઈ નહીં એવું વિચારે અને પોતાનું જીવન વ્યતિત કરે તો ઘણી દુર્ઘટનાઓ ઘટી શકે છે. 

આવા અમાન્ય સંબંધો કદી પણ સુખ આપતા નથી અને દુઃખ આપવાનું કારણ બની જતા હોય છે જો શ્રીજી ત્યાં સમય રહેતા પરિસ્થિતિ મુજબ રહેવાનું શીખી ગઈ હોત અને સાનુકૂળ થઈને રહે તો ભવિષ્યમાં વિપુલ ને કામયાબી મળતા બંને પોતાના બાળકો સાથે એક સુખી પરિવાર બનીને રહી શકતા હતા ની ઉતાવળ અને બધું એક સાથે પામી લેવાની મહચ્છા હોય તેના ઘર પરિવારને બરબાદ કરી દીધું