Bhedi Dungar - 7 in Gujarati Horror Stories by ર્ડો. યશ પટેલ books and stories PDF | ભેંદી ડુંગર - ભાગ 7

Featured Books
Categories
Share

ભેંદી ડુંગર - ભાગ 7

આગળ ના ભાગ માં જોયું કે અઘોરી વિસ્વનાથ પોતાની મંત્રો ની શક્તિ વડે દુષ્ટ આત્મા ઓને ભગાડે છે .

બધા ગુફા માં ધીમે ધીમે આગળ વધે છે ,ત્યાં જ રુચા નીચે એક ખાડા માં પડે છે .

રુચા :આશિષ બચાવ,બચાવ ..
બધા પાછળ ફરી જોવે છે તો રુચા નીચે એક ખાડા જેવા દેખાતા એક રૂમ માં પડી હોય છે .
આશિષ :અમિત ,આ શુ આપણે પસાર થયાં ત્યારે તો કોઈ ખાડો ના હતો .
અમિત :હા ,યાર ...
આશિષ એ ખાડા માં કૂદકો મારે છે અને આજુ બાજુ ટોર્ચ નાખીને જોવે છે તો અચંબિત થઈ જાય છે .
આશિષ :આશ્ચર્ય સાથે ...વાહ ..આટલી ગંધાતી ગુફા માં આટલો સરસ રૂમ ...પલંગ ,એસી ,સોફા ...વાહ કેટલો સુંદર રૂમ છે .

અમિત :આશિષ ,અંદર શુ છે ???
આશિષ :અંદર ના રૂમ નું વર્ણન કરે છે ,તો બધા ચોકી જાય છે .

બધા એક એકે કરી એ રૂમ માં ઉતરે છે ,અઘોરી વિસ્વનાથ બહાર ઉભા રહે છે .
બધા અંદર પ્રવેશ છે ત્યાંજ ખાડા જેવો દેખાતો ભાગ બંધ થઈ જાય છે ...
ત્યાંજ દુષ્ટ આત્મા ઓનો હસવાનો અવાજ આવે છે "અઘોરી તને કહ્યું હતું ને અહીંથી જતો રે ,નહીંતર કોઈ જીવતું નહિ બચે ..."
અઘોરી વિસ્વનાથ :હે ,પાપી આત્મા ઓ તમે તમારા આ કાર્ય માં ક્યારેય સફળ નહિ થાવ ...
ત્યાંજ એક અવાજ આવે છે ..

"અઘોરી વિસ્વનાથ હવે ,તું અહીંથી જીવતો નહિ જઈ શકે "
અઘોરી વિસ્વનાથ જોવે છે ,તો એક તાંત્રિક ઉભો હોય છે ..
અઘોરી વિસ્વનાથ :તું જે પણ હોય ,અહીંથી ચાલ્યો જાજે નહીંતર જીવતો નહિ મેલું .

ત્યાંજ હાસ્ય નો અવાજ આવે છે ..
તાંત્રિક :હું ,તાંત્રિક રઘુનાથ છું ,આ ગુફા ની રક્ષા હું જ કરું છું ,આ ગુફા મારાં સિવાય કોઈ ખોલી શકતું ન હતું ,પરંતુ તે ખોલી ને મોટી મુર્ખામી કરી છે ...
આ આત્માઓ મારાજ બંધન થી આ બધું કામ કરે છે ,એમણે જ મને જણાવ્યું ....તું જીવતો રેવા માગતો હોય તો અમારા આ ધંધા માં સામેલ થઈ જા .
અઘોરી વિસ્વનાથ :હે ,નરાધમ ,પાપી તુશ્ચ ,તને ચેતવણી આપું છું તું જીવતો રેવા માગતો હોય તો આ ધંધો છોડી મારી શરણ માં આવી જા ..

રઘુનાથ:😄😄😄🤣,હે આત્મા ઓ હુમલો કરો આ અઘોરી પર અને એને મારી નાખો એનું લોહી હું પીસ ...🤣
દુષ્ટ આત્માઓ અઘોરી વિસ્વનાથ પર હુમલો કરે છે ..
અઘોરી વિસ્વનાથ મંત્રો નું ઉચ્ચારણ ચાલુ કરે છે. ત્યાંજ વીજળી જેવો કડાકો થાય છે અને દુષ્ટ આત્માઓ ચિચયારીયો પાડતા પાડતા પાછી ફરે છે ..
રઘુનાથ આ જોઈ ખુબ જ ક્રોધિત થાય છે અને પોતાની તાંત્રિક વિધા થી અઘોરી વિસ્વનાથ ને એ ગોળા માં કેદ કરી લે છે ...ત્યાંજ બધી આત્માઓ અટ્ટહાસ કરવા લાગે છે .
રઘુનાથ :અઘોરી ,તને એક મોકો આપું છું ,અમને આ ધંધા માં સાથ આપીશ તો મસ્ત મસ્ત છોકરીયો સાથે રાત વિતાવી શકીશ .

અઘોરી વિસ્વનાથ :દુષ્ટ ,નરાધમ ...મારાં જીવતે જીવ હું તને આ કામ કયારેય નહિ કરવા દવ .
આટલું બોલી અઘોરી વિસ્વનાથ મંત્રો નું ઉચ્ચારણ કરે છે અને ત્યાંજ પેલો ગોળો તૂટી જાય છે ..
આ જોઈ રઘુનાથ ગુસ્સે ભરાય છે 😡😡.
રઘુનાથ ફરી આ આ વિધા વાપરે છે ,પણ અઘોરી વિસ્વનાથ પોતાની મંત્ર શક્તિ વડે તેને રોકી દે છે ..
બન્ને વચ્ચે યુદ્ધ ચાલુ થાય છે ...બન્ને પોત પોતાની શક્તિ ઓ નો ઉપયોગ કરે છે ...અંતે અઘોરી વિસ્વનાથ તાંત્રિક રઘુનાથ ને મંત્ર શક્તિ થી કેદ કરે છે ...દુષ્ટ આત્માઓ તેને છોડાવવા પ્રયત્ન કરે છે પરંતુ અંજલિ અને બીજી પવિત્ર આત્માઓ દુષ્ટ આત્માઓ સાથે લડે છે .

અંજલિ :અઘોરી વિસ્વનાથ ,આ રઘુનાથ ને મારી નાખો તો જ આ આત્માઓ ની શક્તિ નષ્ટ થઈ જશે અને એના બંધન માંથી મુક્ત થઈ જશે .

અઘોરી વિસ્વનાથ તાંત્રિક રઘુનાથ ને મારી નાખે છે ,ત્યાંજ દુષ્ટ આત્માઓ ચિચયારીયો કરતા કરતા શાંત થઈ જાય છે ..
દુષ્ટ આત્માઓ :હે ,અઘોરી નાથ અમને માફ કરજો ,અમે આ તાંત્રિક ના બંધન મા આવી આ બધું કરતા હતા ...અમને મુક્તિ આપવો ..

અઘોરી વિસ્વનાથ :હું ,તમને મુક્તિ જરૂર અપાવીશ પરંતુ તમારે આ ધંધો બંધ કરાવવા મારી મદદ કરવી પડશે .

આત્માઓ :હે ,અઘોરી નાથ અમે અમારાથી બનતી બધી જ મદદ કરીશુ ,પરંતુ અમારી જેમ બીજી કેટલીય આત્માઓ ને બીજા એક તાંત્રિક એ કેદ કરેલ છે ..

અઘોરી વિસ્વનાથ :તમે એની ચિંતા નહિ કરો ,પેલા મારાં જોડે આવેલા પેલા છોકરાઓ ક્યાં છે તે કહો ..???
આત્માઓ :તમારી ડાબી બાજુ નીચે એક પથ્થર પડ્યો છે તેની નીચે એક રૂમ છે ,તેમાં હશે ..

અઘોરી વિસ્વનાથ :પણ ,એ રૂમ ખુલે કઈ રીતે ??
આત્માઓ :આજુ બાજુ એક કળ છે ,જેના મારફતે ખુલે છે .
અઘોરી વિસ્વનાથ એ કળ ને દબાવે છે ,ત્યાંજ તડિંગ કરતો અવાજ આવે છે .
અઘોરી વિસ્વનાથ અંદર પ્રવેશી બૂમો પાડે છે પણ કોઈ ઉત્તર મળતો નથી ..આગળ ચાલે છે પણ કોઈ દેખાતું નથી ,અઘોરી વિસ્વનાથ ચિંતા માં પડે છે .
આત્માઓ :આ રૂમ માં આ ધંધા ને જે મુખિયા છે ,તે કોઈક વખત આવે છે અને પોતાની હવસ પુરી કરી ને ચાલ્યા જાય છે ,એ વખતે અમને ઋઘુનાથ બંધિ બનાવી લેતો જેથી અમે કઈ જાણી ના શકીએ ,પરંતુ એક દિવસ રઘુનાથ હવસ ના નસા માં ભૂલી ગયો ,ત્યારે અમે અહીં આવેલા અને આ રૂમ વિશે જાણેલું ..આ રૂમ રહસ્યો થી ભરેલો છે .
અઘોરી વિસ્વનાથ ચિંતા માં પડે છે .અંજલિ પોતાને દોશી માને છે કે પોતાની મુક્તિ માટે આ લોકો ને મોતના મુખ માં નાખ્યા ..

(આગળ ના ભાગ માં જોઈસુ કે ...શુ અઘોરી વિસ્વનાથ અમિત ની ટોળી ને શોધી શકશે ???અમિત અને તેના મિત્રો કયા ગયા હશે ??મળશે ??આ રૂમ નું રહસ્ય શુ હશે ???)