Charitya Mahima - 6 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | ચારિત્ર્ય મહિમા - 6

Featured Books
Categories
Share

ચારિત્ર્ય મહિમા - 6

(6)

૧૫ : માતૃભૂમિની ગૌરવ ગાથા

ગુલામીની જંજીરોમાં જકડાયેલ દેશને હજારોએ જાન ગુમાવી આઝાદી અપાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો તે રાષ્ટ્રને માટે કેટલા માનવ હૈયામાં પ્રેમ ઉછોળા મારે છે? ક્યાં ગઇ દેશદાઝ? કેટલા માનવ અંતરમાં દેશ ભક્તિના ગીતો ગુંજે છે? આ બધી ભાવનાઓ માનવ હૃદયમાંથી કેમ ચાલી ગઇ, તેનો કોઇ વિચાર કરે છે?

પોતાની જન્મભૂમિ, માતૃભૂમિ માટે ગૌરવ કેમ ના હોય? જે ભૂમિમાં જન્મ્યા, મોટા થયા, આધણને પાખ્યા, પોષ્યા, તેની સંસ્કારિતાએ આપણું જીવન ઘડતર કરી, જીવન વિકાસ પ્રગતિ સાધી. જીવન જીવવાની સાચી દિશા બતાવી તેના માટે આપણે કાંઇ ન કરી શકીએ? આપણું કોઇ કર્તવ્ય નથી? આપણા ગામ, નગર, જિલ્લા, રાજ્ય કે દેશની આબાદી માટે આપણે બધું જ કરી છૂટવું જોઇએ એ શિષ્ટાચાર છે. સદાચાર છે. અરે ચારીત્ર્યશીલતા છે.

સામાન્ય માનવીના ગજા પ્રમાણે સેવા તો કરી શકાય કે નહીં? ગામના હિતમાં પોતાનો યત્કિંચીત ફાળો તો આપવો એ આપણી શોભા છે. એની ઉન્નતિમાં આપણી ઉન્નતિ સમાયેલી છે. એ નિર્વિવાદ છે. નગર, રાજ્ય કે દેશનું હિત જોવાની પણ આપણી ફરજ છે. આ સર્વને માટે આપણામાં સાત્વિક અભિમાન કે પ્રેમ હોવો જ જોઇએ.

જે માટીમાંથી ઉત્પન્ન થયેલા અન્ન, જળ, હવા, પ્રકાશ વગેરેથી આપણું શરીર રચાયું પોષાયું તેને માટે તો જે કંઇ કરીએ તેટલું ઓછું છે તેનું આટલુ જાળવવા, ગૌરવ રાખવા કે આફતને પ્રસંગે તેને માટે પ્રાણાર્પણ કરવાને માટે તૈયાર રહેવું એમાં જ માનવનો સદાચાર અને ચારિત્ર્ય દર્શન સમાયેલા છે. દેશમાં ભલે ભિન્ન ભિન્ન જાતિ જ્ઞાતીના ભાઇઓ વસે છે તે સર્વે એક જ છીએ. એક જ પરમાત્માના સંતાન છીએ. સર્વમાં એ પરમાત્તવ ચૈતન્ય તત્વ રહેલું છે. પછી જૂઠાપણું પાલવે ખરું? પોતાના અર્થે બલીદાન દેવાને અચકાવવાનું હોય જ નહીં. આ તો ઉત્તમોત્તમ રાષ્ટ્રધર્મ કે સર્વોત્તમ શિષ્ટાચાર છે. રાષ્ટ્રપ્રેમને માટે દેશના ભલા માટે નિઃસ્વાર્થ ભાવે, સત્તા લાલસા છોડીને વિદેશોમાં જઇ નવા નવા ઉદ્યોગ ધંધાનો ફેલાવો થાય તેવા દૃઢતાભર્યાં પગલાં ભરીને સાચી દેશ ભક્તિ કે અંતરનું ખમીર બતાવવામાં પાછી પાની ન કરવી એ સર્વોત્તમ આચાર તેમજ સદચારિત્ર્યનું નિદર્શન છે સેવાકાર્ય કરવામાં કર્તવ્ય પાલન છે.

રાષ્ટ્રતો વિશાળ ગૃહ છે. એની સમૃદ્ધિ આબાદીમાં અડચણરૂપ થનાર તેના શત્રુ છે. કુપુત્ર છે. વેપાર ધંધામાં અવરોધ નાખનાર કે ભાવ વધારો કરનાર કે છેતરનાર પોતાના ભાઇઓનો દોહ કરનાર છે. એવાને દૂર કરવામાં આપણું માણસાઇ પૂર્વકનું કર્તવ્ય કે સદસાચિત્ર્ય વર્તન કહેવાય. એ જ સાચી સંસ્કારીતાની નીશાની છે. દેશ હિતના કાર્યમાં મદદરૂર થવું એમાં જ જીવનનું સાર્થક્ય છે. એ જ સર્વસ્વ છે. સ્વદા અને સ્વાહા છે. જે ભૂમિમાં ઋષિ મુનિઓ સાધુ સંતો, મહંતો અને અનેક વિભૂતિયો થઇ ગઇ એ પાવન ભૂમીને ભુલાય ખરી? સમસ્ત દેશના હીતને, કલ્યાણને, શોભાને, વશ આબરૂને જરાય બટો કે લાંછન ના લાગવા દેશો. આજ જીવન કર્તવ્ય છે. આજ જીવન રસાયણ છે. આજ મોક્ષપદને અપાવનાર મૃતસંજીવની દેવી શક્તિરૂપ તત્ત્વ ચિંતામણી છે. એવી એ ભારતની મહાન ભૂમિને હાજારો વંદન! એની ગૌરવ ગાથા ગાતા જ રહીએ, ગાતા જ રહીએ!!!

 

૧૬ : ઉત્સવોની ઉજવણી

ઉત્સવો તો માનવ જીવનનો ધબકાર છે. રસ, રંગ, અને આનંદોલ્લાસભર્યા અમોલો લ્હાવો છે. તેમાંથી પ્રેરણા મળે, ભાઇ ચારાની ભાવના પ્રગટે, વિખાનંદ સાથે અંતર મનને શાંતિ મળે છે. ઉત્સવોમાં ચારિત્ર્યગઠન થાય છે. શિષ્ટાચાર સેવાય છે. અને સદાચારનું પણ અનોખુ સ્થાન ઉત્સવમાં રહેલું છે. આજના ઉત્સવોમાં જૂનામાં નવીનતમ સર્જન થતું જોઇ શકીએ છીએ. ભૂલાએલા પ્રસંગે સ્મરણ પર પટ અકિંત થઇ જઇને અનેરો આનંદ તાજગી અને શક્તિ પ્રદાન કરે છે. જીવન નવરંગોની રંગોળીથી રંગાઇ જાય છે. એટલે જ ઉત્સવોમાં પરમાત્માના પરમ દર્શન થાય છે. અને આશીર્વાદ મેળવી હૈયામાં કંઇક નવું જ માધુર્ય રેલાઇ રહે છે.

માનવ જીવનમાં ઉત્સવોનું આયોજન કરવું એ માણસનું કર્તવ્ય થઇ રહે છે. શિષ્ટાચાર બની રહે છે. માનવ માનવના હૃદયનો મેળાપ થતાં સંબંધો વધુ સુદૃઢ બની રહી, વખત આવે અન્યોન્યને મદદરૂપ થઇ માનવતાનો સંદેશ જીવંત રાખી રહે છે. ઉત્સવ તો સેવાનો સહોદર છે. એ તો રસરસિયાનો માધુર્યથી છલકતો રસ ઝરો છે. સાથે ઉન્નત જીવનની પારાશીશી છે. ઉત્સવો ઉજવવાથી માનવ હેત ભાવમાં વધારો થાય છે. કર્તવ્ય પરાયણતાના પાઠ શીખવા મળે છે. સુષ્ક હૈયાઓ રસ માધુર્યથી ઉભરાઇ રહી, અનેરા ભાવની ભરતી ઉછાળા મારી રહે છે.

ઉત્સવમાં તો પરમાત્માનું વિરાટ દર્શન સમાયેલું છે. એમાં સંસ્કાર દર્શન અને ચારીત્ર્યનું આગવું સ્થાન રહેલું છે. સદ્‌ભાવના અને પુણ્યકાર્યનું વિચાર પરિશીલન પણ એ દ્વારા પ્રાપ્ત થાય છે. એ તો અનુપમ આનંદની સરવાણી સાથે નૂતનતાનો સુંદર પ્રસંગ બની રહે છે. જાગ્રતિનો અને શિષ્ટાચારનો અનોખો અવસર છે. સદાચારને દર્શાવવાનો અને આચરવાનો એમાં અમૂલો લ્હાવો છે. ઉત્સવ માનવીના અંતર મન પ્રાણને સ્પર્શી રહે છે. એનાથી ઉત્તમ પ્રકારનું ઘડતર થઇ શકે છે. સેવાભાવના, એકતાની ભાવના અને સ્વજનભાવ ઉત્પન્ન થાય છે.

ઉત્સવ પ્રસંગે નવતર વિચારો ઉદભવે છે. એકાંકીપણાની ઉદાશી હતાશા નિરાશા દૂર ભાગી આનંદની ઓકળીઓ ઉપસી આવે છે. સંકુચિત માનવીનું હૃદય દ્રષ્ટિ વિશાળ બને છે. આત્માના મનોમંથનથી ઉર્ધ્વગામી બની શકાય છે. ઉત્સવ માણસને શેષ અને કલ્યાણ તરફ જવા પ્રેરે છે. મનમાં પ્રસન્નતા છવાઇ જતા પોતાનું કર્તવ્ય ફરજનું ભાન થાય છે.આમ ઉત્સવનો ચારિત્ર્યશીલતાનો પાયો છે. સદાચારનો સાક્ષી છે. શીષ્ટાચારનો સહાયક છે. બીન અનુભવીનો તો ઉત્સવ ભોમીયો બની રહે છે. આદર્શ મિત્રની ગરજ સારે છે જીવન માર્ગદર્શક બની રહે છે. જીવનનો પરમ અને સાચા આનંદનો લ્હાવો એટલે જ ઉત્સવ ઉત્સવ એટલે બધું જ.

 

૧૭ : સદાચાર ક્યાં નથી?

માણસના રોજીંદા જીવનમાં ડગલેને પગલે સદાચારના દર્શન થાય છે. સદાચારથી તો માણસની કીંમત અંકાય છે. તેની માન પ્રતીષ્ઠા વધે છે. તેનામાં શ્રદ્ધા વિશ્વાસ મૂકે છે. સવાર ના આપણે નાસ્તા પાણી કરતા હોઇએ અને કોઇપણ વ્યક્તિ ઘર આંગણે આવી ચઢે તો આપણે તેને પણ ચા નાસ્તો આપી, આપણી એ પ્રવૃત્તિમાં તેને ભાગ લેવા પ્રેરીએ તો તે સદાચાર ગણાય. હા।, મો, નાક, આંખ, ગુપ્તેન્દ્રિય વગેરે ની સફાઇ એ સદાચારનાં અંગો છે. ગમે તેમ ન ચાલતા રસ્તાની ડાબી બાજુએ ચાલવું એ સદાચાર છે. કોઇ પણ વ્યક્તિને ખૂબ ધીમાં પણ મૃદુ અવાજે બોલાવવું, આવકારવું એ સદાચાર છે. કોઇને નિશ્ચિંત કરેલા સમયે મળવા જવું કે કામનો આરંભ કરવો તે સદાચાર અને સંસ્કાર બળનાં સૂચક ચિહ્નો છે.

જીવનની પ્રત્યેક પળે મુશ્કેલીમાં મુકાએલ, દુઃખી, રોગી, અશક્ત કે અપંભને અને જરૂરિયાતવાળાને તન મન ધનથી મદદરૂપ થઇ આશ્વાસન આપી તેના દર્દ દુઃખમાં સહાયભૂત થવું એ સર્વ સદાચાર છે. કોઇ સ્નેહીજનના કે સાગમાંથી થએલા અવસાનને અંગે સહાનુભૂતિ દર્શાવવી એ પણ સદાચાર જ છે. તેને આશ્વાસન આપવાથી તેને શાન્તિ મળે છે. અને એની ભણી લાગણીના આપણે ભોક્તા બનીએ છીએ. પ્રત્યેક કાર્યમાં સચ્ચાઇ, વિનય, વિવેક, સહન શીલતા, ખંત, વીશ્વાસ, શ્રદ્ધા, ધીરજ, હીંમત દાખવવા એ સર્વ સદાચારના જ સૂચક સ્વરૂપો છે. કોઇને અમસ્તું અમસ્તું હેરાન પરેશાન કે દુઃખ દેવું એ અનાચાર છે. કોઇ ભેટ આપે, કાર્ય થાય કે આપણા માટે સેવા કાર્યો કરે તેનો આભાર અવશ્ય માનવો. કોઇ પણ ધર્મ, પંથ કે સંપ્રદાયની કુથલી ન કરવી એ શિષ્ટાચાર છે સ્ત્રીઓ સાથેનો સંપર્ક ઓછો સાધવો એ સદાચાર છે. કોઇ પણ વાહનમાં ચડઉતર કરતી સમયે સ્ત્રીઓને જગ્યા કરી આપવી જોઇએ. ખાવાની ચીજોને સાથમાંના સર્વેને વહેંચી ખાવી, પાણી પીતાં પહેલાં મોટેરાને તે પહેલું આપવું એમાં સદાચાર છે.

રસ્તામાં પડેલી નકામી ચીજ વસ્તુઓને બીજાને અડચણરૂપ ન બને તેવી રીતે તેને એક બાજુ ખસેડવી. સત્તામાં કોઇ વડીલ સાથે થઇ જાય અને અને તેની પાસે થોડું ઘણું વજન હોય તે ભાર ઉચકવામાં મદદ કરવી રસ્તામાં કોઇ વડીલ, ગુરુ, નેતા કે એવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને વંદન કરવું. જાહેર કામમાં મદદ કરવી, ઘસાઇ છૂટવું કે સાથ પણ આપવો જોઇએ, રખડતાં પશું, ઢોર, ગાયો વગેરેને રસ્તામાંથી દૂર ખસેડવા એ સર્વ સદાચાર જ છે.

ધાર્મિક ક્ષેત્રે તન મન ધનથી સેવા કાર્ય કરવું એ શિષ્ટાચાર છે. કુથલી કરવામાં સદાચાર નથી. કોઇના સાચા ગુણની પ્રશંસા કરવામાં સદાચાર છે જ. આપણા મકાનની ભીંતે કાળો રંગ લાગાવી બ્લેકબોર્ડ બનાવી સુવિચારના લખાણ દરરોજ લખાય અને જનતા તેયો લાભ લે તે કાર્ય સદાચારનું લેખાય. કોઇની આદ્યત્તિભરી સ્થિતિનો લાભ લઇને તેની પાસેથી પૈસા કે કોઇ વસ્તુ પડાવી લેવી જોઇએ નહીં. પણ તેયે મદદ રૂપ બની રહેવું એ સદાચારની નિશાની છે.

કોઇ પણ માણસ ઉચ્ચા હોદ્દા પર હોય અને તેની પાસે કોઇ અન્ય વ્યક્તિ કામ માટે આવે તો તેની સાથે વિનય વિવેક પૂર્વક વાત કરી, તેના કામમાં મદદરૂપ બનવામાં ચારિત્ર્ય જણાઇ આવશે. પ્રત્યેક કાર્ય સંપૂર્ણપણે કરવામાં જ શિષ્ટાચાર રહેલો છે. સૌ સૌને સ્થાને સારા કહી એ સ્થાનને દીપાવવું જોઇએ. તમને જેમાં રસ હોય તેવી બાબતોનો રસ બીજાને હોવો જ એવો આગ્રહ રાખવો વ્યર્થ છે. વ્યક્તિ પરત્વે જુદા જુદા વિચાર હોય એ સ્વાભાવિક છે. તેથી મતભેદ થાય તેવું કદી આચરણ કરવું ન જોઇએ. નવા માણસને કે અજાણ્યા માણસને કદીય ઉતારી ના પાડશો. એની વાત શાંતિ પૂર્વક સાંભળ્યા પછી જવાબ આપવો. ઉતાવળે કશું કામ ન કરવું. એમાં ભય રહેલો છે. સદાચારથી એ દૂર છે. ઘરમાં પ્રત્યેક ચીજ વસ્તુઓ માટે સ્થાન નક્કી કરી રાખીને જે તે વસ્તુઓને તેની જગ્યા એ જ મુકવો લેવામાં સદાચાર છે. ગરીબોનો કે શારીરીક ખોડખાંપણવાળાનો કદીય તિરસ્કાર ના કરવો જોઇએ. એ તીરસ્કાર તો ઇશ્વરનો કર્યાં બરોબર છે. સૌની સાથે હસતે વદને વાત કરવી. કોઇની હાંસી ઉડાડવામાં શિષ્ટાચાર નથી. સૌના સુખ શાન્તી અને સ્વાસ્થ્ય માટે પરમાત્માને પ્રાર્થના કરવી એ સદાચાર છે. તમે પોતે પણ દરરોજ સવાર સાંજ પોતાના તેમજ કુટુંબની સુખાકારી માટે પ્રભુ પ્રાર્થના કરવાથી ચારિત્ર્ય ઘડાય છે. સૌનું ભલું ઇચ્છી રહેવું એ જ તો સદાચાર છે. માનવ જીવનમાં સદાચાર ક્યાં નથી? સર્વત્ર છે.

 

૧૮ : સર્વધર્મના સદાચારનો સાર

સમાજમાં અને કુટુંબમાં રહેવા માટે માટે અને પોતાના અસ્તિત્વને જાળવી રાખવા વાણી વર્તન અને વહેવારમાં ધર્મનું આચરણ કરવું એ મનુષ્યને માટે અત્યંત આવશ્યક છે. સાચું બોલવું એ ચારિત્ર્યઘડતરમાં સર્વ પ્રથમ ધર્મ બને છે. સ્વાધ્યાયનું અધ્યયન ચારિત્ર્યને વધુ પુષ્ટ કરે છે. અન્યથા સદ્‌ગુણોનું અનુકરણ, સદ્‌ગુણ અને સદાચારને પંથે મનુષ્ય ઉર્ધ્વગામી બની રહે છે. સર્વમાંથી સારું સારું શોધવાનો પ્રયત્ન કરી તેને અનુસરી સદાચારી --- રહેવું જોઇએ.

મનુષ્યે હૃદયમાં દયા, કરુણા રાખી પ્રાણી માત્ર પ્રત્યે સદ્‌ભાવના કેળવવી જોઇએ. બીજા શું કરે છે. તેની ભાંડગજમાં ન પડતાં તેમાં સારું છે. તે જૂઓ તો કોઇને કદી ખૂંચશો નહીં, કોઇની લાગણી ન દુભાય એવી વર્તણૂંક સાથે પોતાની ફરજ સમજીને સેવા કે મદદરૂપ બની રહેવું એનું પ્રદર્શન કદીય ન કરવું.

સર્વ પ્રાણીમાત્રમાં આત્મદર્શન કરી વિનમ્ર બની રહેજો આશાનો દીવડો ચારીત્ર્યનો ઉન્નત માર્ગ દર્શાવશે. આશા તો અનંત છે. તેથી તો જીવન જીવવા જેવું લાગે છે. વ્યસનોથી દૂર રહી શિષ્ટાચારી બની શારીરિક તંદૂરસ્તીની કાળજી રાખી, ઇશ્વરમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી, એની ભક્તિ કરવી એ ચારિત્ર્યતાનું અંગ છે.

વિચારબળથી તો માનવી ધારે તે ફળ પ્રાપ્ત કરી શકો, જીવન સાર્થક્ય સાધી શકે છે. તેથી વિચારબળ કેળવવું જોઇએ. સાહિત્ય સંગીત અને કલાને જીવનમાં વણી લેજો. એમાંથી તો ચારિત્ર્યના નવલા સ્ત્રોત વહી, કૃત્ય કૃત્ય થઇ રહેવાશે.

સત્કર્મ કરી, ધન પ્રાપ્તિનું એકમાત્ર ધ્યેય રાખી જરૂર કરતાં, વધુ હોય તો અન્યને આપવું એ ફરજ જ છે. આંખ કાન, અને મોંનેં પવિત્ર રાખવું. પગને પ્રભુ પાસે જવા જ કામમમાં લેજો. કોઇનો દોષ ન જોતાં સેવાપરાયણ રહી અન્યનું ન લેવાનો વિચાર રાખજો. માતા પિતા, વડીલો, સંત સાધુ પ્રત્યે પૂજ્ય ભાવ રાખી, તેમની સેવામાં રત રહી, તેમના મીઠા આશીર્વાદથી ચારિત્ર્ય સંગઠન કરી રહેવું.

ધર્મના ઝઘડામાં કદીય ન પડવું સર્વ ધર્મ પ્રત્યે સમભાવ અને ઉદારતાભર્યું વર્તન રાખવું. પરોપકાર કે સારા વસ્તુઓનું દાન કરી તેને ભૂલી જવાથી, અભિમાન ઓગળી જશે. હૃદયને વિશાળ અને પવિત્ર રાખજો. સ્ત્રીને પૂજ્ય ભાવથી નીહાળી તે તેનું સન્માન કરશો તો દેવની કૃપાથી લક્ષ્મી અને સુખ મળી રહેશે. વિશુદ્ધ પ્રેમ એ જ પ્રેમ છે. તેનાથી ઇશ્વર સ્મરણ કરી, મન ઇન્દ્રિયોને કાબૂમાં રાખી શકાશે. દુન્યવી ક્ષણિક સુખો ના વિચારો લાગણીઓને તિલાંજલિ આપજો. સર્વોત્કૃષ્ટ ધાન હોય તો ચારિત્ર્યરૂપી ધન જ છે. ધન ગયું, તંદુરસ્તી ગઇ તે તો કોઇ પણ રીતે મેળવી શકાશે. પણ ચારિત્ર્ય સદ્‌ભાવના સદાચાર ગયા તો સમજ સર્વસ્વ ગયું. પ્રત્યેક વ્યક્તિથી ભૂલ થાય છે. તો તેને ક્ષમા કરવી એ માનવનું કર્તવ્ય છે...

પવિત્રતા, સ્વચ્છતા એ સારા વિચારોની જનની છે. યમ નિયમથી સદાચારી બની, સંત સાધુ સાથે સત્સંગ કરવાથી અન્યને પણ શુદ્ધ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત છે. પરમાત્મા સર્વ શક્તિમાન છે. ગર્વનું ખંડન કરી, ભગવાનની પૂજા પ્રાર્થના કરવી વિનય, દાન નિયમિતતા, સેવા પરાયણતા એ સર્વ સત્ચરીત્રના ઘડતરના મુખ્ય અંગો છે.

આજની ક્ષણનો પૂરેપૂરો ઉપયોગ કરી કાલપર કામને મૂલતવી ન કાઢવું. લોભ ને થોભ નથી. તે સમજીને મળેલી તકનો સદઉપયોગ કરી સુખ, શાંતી પમાશે. વૈરાગ્નિને ક્ષમાના જળથી હોલવી નાખવાથી, ઘોર અનર્થ સરજાતાં બચી જવાય. મૌન ધારણ કરી, બ્રહ્મચર્યનું પાલન કરી, ચારિત્ર્યનું ઘડતર કરી, અધઃપતનમાંથી બચી શકાય. સુખ અને દુઃખ તો ક્રમાનુસાર આપ્યાં જ કરવાનાં તેથી તેનો શોક કરવો અસ્થાને છે.

જૂઠથી ચારિત્ર્યહીન થવાય. આત્મઘાત કે વિશ્વાસઘાત કોઇની સાથે કરવાથી માનવનો શિષ્ટાચાર અને આદર્શ ચાલી જાય છે. કોઇની કુથલી ન કરો કે સાંભળો, સાચે કોઇનું ઘસાતું પણ ન બોલવું. કેમ કે વિચારો સુક્ષ્મતા ઘણું બધું કરી જાય છે. વેદોનું પઠન અને આચરણ માનવમાંથી દેવ બનાવે છે.

દૈનિક જીવનમાં નિયમિતતા લાવી સમય પ્રમાણે કામ કરતાં ફરજ બજાવતાં, રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમને હૈયે રાખી પરમાત્માની એકાગ્રતાપૂર્વક ગદગદ હૈયે પ્રાર્થના કરવાથી માગેલ ફળ પ્રાપ્તિ થાય છે. જીવન એવું જીવો કે અન્યને તમારામાં શ્રદ્ધા અને પ્રેમ ઉત્પન્ન થાય આજ સાચું ચારિત્ર્ય સદાચાર અને શિષ્ટચાર છે.