Geetabodh - 10 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | ગીતાબોઘ - 10

Featured Books
Categories
Share

ગીતાબોઘ - 10

અધ્યાય દસમો

સોમપ્રભાત

ભગવાન કહે છે : ફરી ભક્તોના હિત સારુ કહું છું તે સાંભળ. દેવો અને મહર્ષિઓ સુધ્ધાં મારી ઉત્પત્તિ જાણતા નથી, કેમ કે મારે ઉત્પન્ન થવાપણું જ નથી. હું તેઓની, અને બીજા બધાની ઉત્પત્તિનું કારણ છું. જે જ્ઞાની મને અજન્મ અને અનાદિરૂપે ઓળખે છે તે બધાં પાપમાંથી મુક્ત થાય છે. કેમ કે પરમેશ્વરને એ રૂપે જાણ્યા પછી ને મનુષ્યની પાપવૃત્તિ રહી નથી શકતી. પાપવૃત્તિનું મૂળ જ પોતાને વિશે રહેલું અજ્ઞાન છે.

જેમ પ્રાણીઓ મારાથી ઉત્પન્ન થયાં છે તેમ તેમના જુદા જુદા ભાવો, જેવા કે ક્ષમા, સત્ય, સુખ, દુઃખ જન્મમૃત્યુ, ભય-અભય વગેરે પણ મરાથી ઉત્પન્ન થયા છે. આ બધું મારી વિભૂતિ છે એમ જાણનારમાં સહેજે સમતા ઉત્પન્ન થાય છે, કેમ કે તે અહંતાને છોડી દે છે. તેઓનું ચિત્ત મારામાં જ પરોવાયેલું રહે છે. તેઓ મને પોતાનું બધુ અર્પણ કરે છે, એકબીજાની વચ્ચે મારે વિશે જ વાર્તાલાપ કરે છે, મારું જ કીર્તન કરે છે ને સંતોષ તથા આનંદથી રહે છે. એમ જેઓ મને પ્રેમપૂર્વક ભજે છે ને મારામાં જ જેમનું મન રહે છે તેમને હું જ્ઞાન આપું છું ને તે વડે તેઓ મને પામે છે.

ત્યારે અર્જુને સ્તુતિ કરી : તમે જ પરમ બ્રહ્મ છો, પરમ ધામ છો, પવિત્ર છો, ઋષિઓ વગેરે તમને આદિદેવ, અજન્મ, ઈશ્વરરૂપે ભજે છે એમ તમે જ કહો છો. હે સ્વામી, હે પિતા ! તમારું સ્વરૂપ કોઈ જોણતા નથી. તમે જ તમને જાણો છો, હવે તમારી વિભૂતિઓ મને કહો અને તમારું ચિંતન કરતો કઈ રીતે તમને ઓળખી શકું તે કહો.

ભગવાને ઉત્તર આપ્યો : મારી વિભૂતિઓ અનંત છે તેમાંથી થોડી મુખ્ય તને કહી જાઉં. બધાં પ્રાણીઓના હૃદયમાં રહેલો હું છું. હું જ તેઓની ઉત્પત્તિ, તેઓએનું મધ્ય ને તેઓનો ્‌ત છું. આદિત્યોમાં વિષ્ણુ હું, ઉજ્જવળ વસ્તુઓમાં પ્રકાશ કરતો સૂર્ય હું, વાયુઓમાં મરીચિ હું, નક્ષત્રોમાં ચંદ્ર હું, વેદોમાં સામવેદ હું, દેવોમાં ઈન્દ્ર હું, પ્રાણીઓની ચેતનશક્તિ હું, રુદ્રોમાં શંકર હું, યક્ષરાક્ષસોમાં કુબેર હું, દૈત્યોમાં પ્રહ્‌લાદ હું, પશુઓમાં સિંહ હું, પક્ષીઓમાં ગરુડ હું, અરે, છલ કરનારનું દ્યૂત પણ મને જ જાણ. આ જગતમાં જે કંઈ તાય છે તે મારી રજા વિના થઈ જ નથી શકતું . સારુંનરસું પણ હું થવા દઉં ત્યારે જ થાય છે. આમ જાણીને મનુષ્યે અભિમાન છોડવું ઘટે ને નરસાથી બચવું ઘટે, કેમ કે સારાનરસાનું ફળ આપનાર પણ હું છું. તું એટલું જાણ કે આ જગત આખું મારી વિભૂતિના એક અંશમાત્રથી ટકી રહ્યું છે.