Universal Men in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | યુનિવર્સલમેન

Featured Books
Categories
Share

યુનિવર્સલમેન

યુનિવર્સલ મૅન

ART IS GOOD FOR HEALTH આ થીમ પર આ વર્ષ ૨૦૨૩ માં વિશ્વ આર્ટ દિવસ મનાવવામાં આવશે.આજનો આંતરરાષ્ટ્રીય કળા દિન વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસ એવા કલાકરો અને એમની કળા જેણે આપણી કળાને જીવાડવા પોતાનું જીવન સમર્પણ કર્યું હોય.તેમણે એક અથવા બીજી રીતે ફાળો કે યોગદાન આપ્યા છે.૧૫ એપ્રિલ એટલે વિશ્વ કળા દિન સંભારણાનો દિવસ છે.વર્ષ ૨૦૧૨ થી આર્ટની આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા કળાને પ્રોત્સાહન આપવા માટે ઉજવાય છે.

જે વિશ્વ શાંતિ, અભિવ્યક્તિની સ્વતંત્રતા,સહિષ્ણુતા અને ભાઈચારાના પ્રતિક સમાન અને યુનિવર્સલ મૅન તરીકે જાણીતા લિઓનાર્ડો દ વિન્ચીના જન્મદિનને યાદ કરી મનાવાય છે.

ઇટલીના મહાન ચિત્રકાર, શિલ્પી, વાસ્તુકાર, સંગીતકાર, વૈજ્ઞાનિક, ગણિતશાસ્ત્રી, ઇજનેર, નવસર્જક, શરીરરચનાવિદ્, ભૂસ્તરશાસ્ત્રી, માનચિત્રકાર (નકશા દોરવાની વિદ્યામાં નિપુર્ણ), વનસ્પતિશાસ્ત્રી તેમજ લેખક જેવી બહુમુખી પ્રતિભા ધરાવનાર લિઓનાર્ડો દ વિન્ચીનો જન્મ ૧૫ એપ્રીલ ૧૪૫૨ ના રોજ ઇટલીના ફ્લોરેન્સ શહેરમાં થયો હતો. મોનાલિસાનું ચિત્ર બનાવનારા લિઓનાર્ડો દ વિન્ચીની ગણના વિશ્વના મહાનતમ ચિત્રકારોમાં થાય છે. ઉપરાંત ઇતીહાસમાં સૌથી મહાન બહુમુખી પ્રતિભા ધરાવનારામાં પણ તેમની ગણના થાય છે. લિયોનાર્ડોને વારંવાર પુનરુજ્જીવન માણસના મુખ્ય રૂપ તરીકે વર્ણવવામાં આવ્યાં છે, એક માણસ જેની અજાણતા જિજ્ઞાસા ફક્ત તેની શોધની શક્તિ દ્વારા જ બરાબરી કરી હતી.તેનેવ્યાપકપણે બધા સમયના મહાન ચિત્રકારોમાંના એક તરીકે ગણવામાં આવે છે અને કદાચ જીવન જીવવા માટે સૌથી વધુ વૈવિધ્યસભર પ્રતિભાશાળી વ્યક્તિ છે.

કલા ઇતિહાસકાર હેલેન ગાર્ડનર અનુસાર, તેમના હિતોનો અવકાશ અને ઊંડાણ કોઈ પૂર્વકાલીન હતા અને "તેનું મન અને વ્યક્તિત્વ અમને અતિમાનવીય લાગે છે, તે માણસ પોતે રહસ્યમય અને દૂરસ્થ". માર્કો રોસીએ નોંધ્યું છે કે, જ્યારે લિયોનાર્ડો વિશે ઘણી અટકળો છે, ત્યારે વિશ્વની તેમની દ્રષ્ટિ અનિવાર્યપણે રહસ્યમય કરતાં તાર્કિક છે, અને તે તેમના ઉપયોગ માટે પ્રયોગમૂલક પદ્ધતિઓ અસામાન્ય હતી.

ફ્લોરેન્સના પ્રદેશમાં વિન્સી ખાતે નોટરી, પિયરો દા વિન્સી અને એક ખેડૂત સ્ત્રી કેટરિનાનો ગેરકાયદેસર પુત્ર, લિયોનાર્ડો જાણીતા ફ્લોરેન્ટાઇન ચિત્રકાર વેરોક્ચિયોના સ્ટુડિયોમાં શિક્ષિત થયો હતો. તેના મોટાભાગના કાર્યકારી જીવનને મિલાનમાં લુડોવિકો ઇએલ મોરોની સેવામાં પસાર કરવામાં આવ્યો હતો. પાછળથી તેણે રોમ, બોલોગ્ના અને વેનિસમાં કામ કર્યું હતું અને ફ્રાન્સમાં તેના છેલ્લા વર્ષો ગાળ્યા હતા, ઘરે તેને ફ્રાંસિસ આઈ દ્વારા એનાયત કરાયો હતો.

લિયોનાર્ડો મુખ્યત્વે ચિત્રકાર તરીકે જાણીતા હતા. તેમના બે કૃતિઓ, મોનાલિસા અને ધ લાસ્ટ સપર, અનુક્રમે સૌથી પ્રસિદ્ધ, સૌથી વધુ પ્રજનિત અને સૌથી વધુ અનુરૂપ ચિત્ર અને ધાર્મિક ચિત્રો છે, તેમની ખ્યાતિ ફક્ત માઇકલ એન્જેલોની આદમની રચના દ્વારા જ પહોંચી હતી. લિયોનાર્ડોનું ચિત્ર વિટ્રુવીયન મેનનું ચિત્ર એક સાંસ્કૃતિક ચિહ્ન તરીકે પણ ઓળખાય છે.

ઇટાલીના ટસ્કની વિસ્તારમાં વિન્ચી ગામે કૅતેરિના નામની કુંવારી ગ્રામીણ કન્યા અને આબરૂદાર જમીનદાર તથા નૉટરી સેર પિયેરો દ વિન્ચીના પ્રેમસંબંધ રૂપે લિયોનાર્દોનો જન્મ થયેલો. લિયોનાર્દોના જન્મ પછી ટૂંક સમયમાં એક કારીગરને કૅતેરિના પરણી ગઈ હતી. કૅતેરિનાના પતિનું નામ હતું ઍક્ટેબ્રિગા દ પિયેરો દેલ વાચા દ વિન્ચી. શરૂઆતનું બાળપણ લિયોનાર્દોએ પોતાની માતા સાથે વિન્ચી ગામ પાસે વિતાવ્યું, જ્યાં પિતા પિયેરો પોતાની કાયદેસરની પત્ની સાથે રહેતો હતો. અહીં પ્રકૃતિને ખોળે લિયોનાર્દોમાં વૃક્ષો, ફૂલો, લતાઓ, પંખીઓ, ગરોળીઓ, ટેકરીઓ અને આકાશનું નિરીક્ષણ કરવાની આતુરતા અને વિસ્મય પ્રગટ્યાં. આસમાની રંગની કીકીઓ અને વાંકડિયાં સોનેરી જુલ્ફાં ધરાવતો લિયોનાર્દો રૂપાળો હતો. પિતા પિયેરોની પત્નીનો ખોળો થોડો સમય સૂનો રહેતાં તે કૅતેરિના પાસેથી આ રૂપાળા બાસ્ટર્ડને પોતાને ઘેર લઈ આવી, અને તેનું પોતાના બાળકની પેઠે જ જતન કરવું શરૂ કર્યું. અહીં પિતાના ઘરમાં લિયોનાર્દોને સામાન્ય શિક્ષણ મળ્યું. એક વાર તક મળતાં તેણે મરેલાં સડતાં પડેલાં અને ગંધાઈ ઊઠેલાં થોડાં નાનાં પ્રાણીઓ નોંધપાત્ર કુશળતાથી ચીતરેલાં.

1469ની આસપાસ લિયોનાર્દોનો પિતા તેને યુરોપના એ વખતના જાગૃતિ-કેન્દ્ર સમા નગર ફ્લૉરેન્સમાં લઈ આવ્યો. અહીં ફ્લૉરેન્સનો વિદ્વાન અને આપખુદ રાજવી લૉરેન્ઝો દ મેડિચી શ્રેષ્ઠ સાક્ષર બુદ્ધિજીવીઓને પનાહ આપી વિદ્વન્મંડળ રચી રહ્યો હતો અને બધી જ કલાઓનો આદર કરતો હતો. વિશ્વના શ્રેષ્ઠ ચિત્રકારો અને શિલ્પીઓ એ વિદ્વન્મંડળમાં હતા, જે દુનિયા કેવી હોવી જોઈએ તે નહિ પણ દુનિયા કેવી છે તે ચીતરી નવી કેડી કંડારી રહ્યા હતા. આમ કલા હવે માત્ર ધાર્મિક અભિવ્યક્તિ ન બની રહેતાં જ્ઞાનની એક શાખાનું રૂપ લઈ રહી હતી. મેડિચી કુટુંબના શાસનકાળમાં ફ્લૉરેન્સ નગરમાં ચર્ચના પાદરીઓના જ્ઞાનમાં પણ વધારો થયો હોઈ તે થોડા વિનમ્ર બન્યા હતા; છતાં ઈશ્વર કે ધર્મપ્રથામાં નહિ માનવાને કારણે થતી સજાની પરિસ્થિતિ હજી ઊભી જ હતી. રોમન કૅથલિક ચર્ચ આ બાબતમાં પોતાના મતનો વિરોધ કરનારને સજા કર્યા વિના જવા દે એટલું ઉદાર થયું નહોતું.

1467માં લિયોનાર્દો ફ્લૉરેન્સના ખ્યાતનામ શિલ્પી, ચિત્રકાર અને ઝવેરી આન્દ્રેઆ વેરોકિયો પાસે તાલીમ લેવા માટે એના વર્કશૉપમાં જોડાયો. અહીંની છ વરસની તાલીમ દરમિયાન એણે ચિત્ર અને શિલ્પના પ્રત્યેક માધ્યમ પર કુશળતા મેળવી. કુતૂહલ અને ત્વરિત ગ્રહણશક્તિથી એણે કુદરતમાં એટલું બધુ સંશોધન કર્યું કે કુદરતની એવી એકે શાખા ન રહી જ્યાં એ ન પહોંચ્યો હોય. છલકાતા આત્મવિશ્વાસ અને પ્રબળ ઉત્સાહને કારણે એને કદાચ ધાર્મિક ઘડતર અને માનવીય પ્રેમની પણ જરૂર ન રહી. ગુરુ વેરોકિયોના અન્ય શિષ્યો કરતાં પ્રત્યેક કૌશલ્યમાં લિયોનાર્દો ઝળકી ઊઠ્યો અને પીંછી ચલાવવામાં તો તે વેરોકિયો કરતાં પણ વધુ પાવરધો પુરવાર થયો. વેરોકિયોના ચિત્ર બૅપ્ટિઝમ ઑવ્ ક્રાઇસ્ટના નીચેના ડાબા ખૂણામાં લિયોનાર્દોએ ઘૂંટણિયે પડતા યુવાન દેવદૂતને એટલો તો જીવંત અને રૂપાળો ચીતર્યો કે શિષ્યની કલાનો પરચો જોઈ ગુરુએ ચિત્રકલાને કાયમ માટે તિલાંજલિ આપી. વેરોકિયોને ખાતરી થઈ ચૂકી હતી કે પોતે ક્યારેય લિયોનાર્દોની સિદ્ધિને આંબી શકશે નહિ.

એક યુનિવર્સલ મૅનકોઈ ધમાલ મચાવ્યા વગર ક્લુ ખાતે શાંતિથી મૃત્યુ પામ્યો. એમ્બૉઇસે ખાતે સેંટ ફ્લૉરેન્તિન મૉનેસ્ટ્રીમાં તેના મૃતદેહને દફન કરવામાં આવ્યું. મૃત્યુના તેર દિવસ પહેલાં જ એણે વિલ મારફતે પોતાની પાસે રહેલ પોતાનાં ચિત્રો અને પોતાની નોંધપોથીઓ અંતેવાસી પ્રિય શિષ્ય મૅલ્ત્ઝીને આપેલી. બેજવાબદાર મૅલ્ત્ઝીએ લાપરવાહીથી નોંધપોથીઓ ખોઈ નાંખી, જેમાંથી પાનાં છૂટાંછવાયાં પડી વેરવિખેર થઈ ગયાં, જેમાંથી થોડાં છેલ્લાં બસો વરસોમાં શોધી કાઢવામાં આવ્યાં છે.

જીવનનાં અનેક ક્ષેત્રોમાં મૌલિક ચિંતન કરનાર લિયોનાર્દો એના જમાનાના શ્રેષ્ઠ માનવોમાંનો એક અને પછી આવનારા જમાનાનો અગ્રયાયી છે. આજે આધુનિકોમાં આદ્ય એવા સન્માનપૂર્વક એનો ઉલ્લેખ થાય છે. સડસઠ વરસની લાંબી જિંદગીમાં રંગો વડે માત્ર વીસ ચિત્રો તેણે પૂરાં કર્યાં હોવા છતાં તે યુરોપના સમગ્ર ઇતિહાસનાં બધાં જ ચિત્રકારોમાંથી ટોચનાં ચાર-પાંચ ચિત્રકારોમાં સ્થાન પામે છે.

આવી મહાન વિભૂતિને યાદ કરી, આ દિવસે યુનેસ્કો દ્વારા વિશ્વભરમાં કાર્યશાળા, સંમેલન,સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેનું આયોજન કારી, કલાકારોને પ્રોત્સાહન આપવામાં આવે છે.

કળા ક્ષેત્રે પોતાનું આગવું પ્રદાન કરનાર યુનિવર્સલમેન સહિતના વિશ્વના તમામ કલાકારોને શુભેચ્છાઓ.