Evening Wisdom - 5 in Gujarati Anything by Dr.Chandni Agravat books and stories PDF | સાંજનું શાણપણ - 5

Featured Books
Categories
Share

સાંજનું શાણપણ - 5

.●
● ઉમરનાં અમુક પડાવ પર પહોંચ્યા પછી સમજાઈ જાય કે

લોહી કરતા લાગણીનો રંગ ઘાટો...

. ....ચાંદની અગ્રાવત...
● એક સ્ત્રી માટે નાનાં નાનાં સપનાઓ નાની નાની ખુશી

બહું મહત્વનાં હોય છે ,

જ્યારે એક પુરુષ સફળતા માટે નાની નાની ખુશીઓ ને

સહજતાથી જતી કરી દે છે..

॰॰॰ ચાંદની અગ્રાવત ॰॰॰॰॰
એક પુરુષ ગમે તેટલું મોટું બલિદાન ચૂપચાપ કોઈ
અપેક્ષાઓ વિના કરી શકે..

જ્યારે એક સ્ત્રી ત્યાગ તો બહું સહજ રીતે કરે..પણ

ઈચ્છે

કે તેનાં નાનાં કે મોટા ત્યાગની કોઈ નોંધ લે..કદર કરે.

°°°•ચાંદની અગ્રાવત °°°°°
●●ઘણીવાર બહું માવજતથી સાચવેલાં સબંધમાં કોઈ એક

પક્ષે સપનાનો ભોગ લેવાઈ છે.

॰॰॰ચાંદની અગ્રાવત °°°•

●●
સાચા સબંધમાં બંધન રેશમની ડોર જેવું હોય ન કે

કરોળિયાની જાળ જેવું.

॰॰॰॰॰॰॰ ચાંદની અગ્રાવત ॰॰॰॰॰
●●,
એવું નથી કે ખાલી લોહી જ થીજી જાય,માવજત ન કરો

તો સબંધ પણ થીજી જાય.

॰॰॰ચાંદની અગ્રાવત ॰॰॰॰॰
●●●
સંતાનોને સુખ સંપતિ

નહી,આવડત આપો સંપતિ મેળવવાની

ખુશ રહેવાની
●ચાંદની અગ્રાવત ॰॰॰॰॰॰॰॰

સબંધમાં જ્યારે એક વ્યક્તિ લાગણીહીન હોય

ત્યારે ગમે તેટલી લાગણી રેડો બાદબાકી જ થવાની

॰॰॰●ચાંદની અગ્રાવત ॰॰॰॰॰॰●

●સબંધનો આત્મા જળવાય રહે તેનાં માટે , વ્યક્તિને


તેનાં મૂળ સ્વરૂપે અપનાવવું ,ચાહવું જરૂરી છે.
॰॰॰ચાંદની અગ્રાવત ॰॰॰
●બહું ઘવાયેલ માણસ સહજ રીતે લાગણીઓને

ખંખેરતા શીખી જાય છે.

લોકો તેને દુનિયાદારી કહે છે

॰॰॰॰॰ચાંદની અગ્રાવત ॰॰॰॰॰
●સબંધ અને સેહત જ્યાં

સુધી હાથમાંથી સરી ન જાય

..માણસને તેની કદર થતી નથી..

॰॰॰॰ચાંદની અગ્રાવત ॰॰॰॰
●બાપકમાઈનાં કરોડો રૂપિયા

કરતાં આપકમાઈનો એક રૂપિયો..

વધારે સંતોષ આપે છે..

॰॰॰॰॰ચાંદની અગ્રાવત ॰॰॰॰
●સંતાનોને સુખ સંપતિ

નહી,આવડત આપો સંપતિ મેળવવાની

ખુશ રહેવાની

॰॰॰ચાંદની અગ્રાવત ॰॰॰
●કોઈ પણ

સબંધમાં વધારે પડતી લાગણી

ઘણી વખત વ્યક્તિની પોતાની ઓળખ ભુસી નાખે છે.

°°°ચાંદની અગ્રાવત °°°°°
●બાળકોને સમજદાર બનાવવાની ,શીખવવાની ઉતાવળમાં
ક્યારેક આપણે અજાણતા જ સહજ કુતુહલ, બાળપણ

છીનવી લઇએ છીએ.

°°°°ચાંદની અગ્રાવત °°°°°°

● સંતાનો સહેજ સમજણા થાય પછી પિતાને, માતાના

પક્ષે રહી એક પતિ તરીકે જાણ્યે અજાણ્યે મુલવવા લાગે

છે..
અને પિતાનો પ્રેમ અવગણી અન્યાય કરી બેસે

છે.
●●●●ચાંદની અગ્રાવત ●●●●
જીવનમાં ઘણીવાર અજાણ્યા પ્રવાસો,અચાનક

મુલાકાતો આપણને ખૂદનો

સાચો પરિચય આપી જાય છે.

●●●●ચાંદની અગ્રાવત ●●●●●●

જિંદગીએ સતત અન્યાય કર્યો હોય તેવું લાગે તો તમારી

આસપાસ જોજો એક કારણ તો એવું મળશે

જ કે જે દરેક અન્યાયનાં વળતર જેવું લાગે.

●●●●●ચાંદની અગ્રાવત ●●●●●
ઘણી વખત કોઈને ઓળખતા બહુ સમય નથી લાગતો,

પણ તે ઓળખ સ્વીકારતાં

વર્ષો નીકળી જાય.

●●●●●● ચાંદની અગ્રાવત ●●●●●
જિંદગી બહુ સરળતાથી જીવવી હોય તો કોઈને પણ બહુ

નજદીકથી ઓળખવા પ્રયત્ન ન કરવો.

●●●●●● ચાંદની અગ્રાવત●●●●●●●●
કોઈ ને એટલો પ્રેમ ન કરવો

કે ખુદને પ્રેમ કરવાનું ભૂલાઈ

જાય.
●●●●ચાંદની અગ્રાવત●●●●●●●
ઉંમરના એક પડાવ પછી સમજાઈ જાય છે કે દરેક વાતનો

પ્રત્યુત્તર વાળવો જરૂરી નથી.

●●●●●●ચાંદની અગ્રાવત●●●●●●
ઘણીવાર પીછેહઠ ડરથી

નહીં,

પણ સબંધ સાચવવાની દરકારથી થાય છે.

●●●●● ચાંદની અગ્રાવત●●●●●●●

બહુ વધારે વિચારીને બાંધેલ સબંધમાં સહજતા નથી

હોતી,માત્ર દંભ હોય છે.
●●●●●●●●ચાંદની અગ્રાવત ●●●

દરેક વ્યક્તિનો દ્રષ્ટિકોણ અલગ અલગ હોય,એટલે હંમેશા

પોતાની નજરથી જોયેલી દુનિયા સાચી
●●●●●●ચાંદની અગ્રાવત ●●●●●●●
ઉમરનાં એક પડાવ પછી

એક એક ક્ષણનું મૂલ્ય સમજાય છે,ત્યારે જ જીવવાની ખરી

શરૂઆત થાય છે.
●●●●●●ચાંદની અગ્રાવત ●●●●●●●
પૈસા,પ્રતિષ્ઠા ,સબંધ અને લાગણી ખૂબ નજદીકથી

માણી લીધા પછી મોહભંગ સહજ છે,જીવનની નિરંતરતા

માટે જરૂરી પણ.
●●●●●ચાંદની અગ્રાવત ●●●●●
કોઈપણ સબંધમાં જ્યારે

કોઈ વ્યક્તિ બદલાઈ જાય તો જરા ભિતર ઢાંકી લેવું,

મોટાભાગે કારણ મળી જશે.
●●●ચાંદની અગ્રાવત ●●●●●●