Do a flower gardener in Gujarati Short Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | એક ફૂલ દો માલી

Featured Books
Categories
Share

એક ફૂલ દો માલી

લખનૌ પાણી પુરવઠા બોર્ડમાં કામ કરતા સંજયકપુર પોતાની પત્ની રાધીકા કપુર ને દરેક રીતે ખુશ રાખતા હતા. તેણી જે પણ માંગણી કરેલ હોય, સંજયકપુર તેને બને તેટલી વહેલી તકે પૂરી કરવાનો પ્રયાસ કરતો હતો. આમ છતાં રાધીકા તેને પહેલા જેવો પ્રેમ નહોતી કરતી હોતી. તેના પતિ પ્રત્યે તેનું વર્તન દિવસે દિવસે અનેક રીતે બદલાતું હતું. પુત્રના ભવિષ્યને જોઈને સંજયકપુર તેના ઘરમાં ઝઘડો કરવા માંગતા ન હતા, પરંતુ રાધીકા તેની વાતને ગંભીરતાથી સમજવાનો પ્રયાસ કરતી ન હતી.

સંજયકપુર કાનપુર પાસેની ગ્રીનફિલ્ડ કોલોનીનો રહેવાસી હતો. જ્યારે તે લખનૌ જેની ફરજ પુરી કરીને ઘરે પહોંચ્યો ત્યારે પરિવારના સભ્યો રાધીકા વિશે કહેતા કે તે કાનપુર ફરે છે અને તેને એકલી ક્યાં જવું તે ખબર નથી. જ્યારે સંજયે તેની પત્નીને આ અંગે પૂછ્યું તો તે ‘‘ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે” ની જેમ ઉલટું તેની સાથે ઝઘડો કરવા ચાલુ થઇ ગઈ હતી. આમ તેનો મિજાજ જોઇ સંજ પણ જેની પર ગુસ્સે થાય તો તેને માર મારતો હતો. આ રીતે તેમની વચ્ચે દરરોજ નાના-મોટા ઝઘડા થવા કોમન થઇ ગયેલ ગયું.

સંજય પોતાના સ્તરેથી એ જાણવાની કોશિશ શરૂ કરી હતી કે શું તેની પત્નીનું કોઇની સાથે લફડું છે કે શું ? પરંતુ તેને તેના આ કાર્યમાં સફળતા મળી શકી નહીં. આખરે એકાએક જાન્યુઆરીમાં જ્યારે રાધીકા તેના ઘરેથી ભાગી ગઈ ત્યારે કેવી સાચી વાસ્તવિકતા કેવી સામે આવી હતી.

જ્યારે સંજયને શંકા કેટલાક વિસ્તારના લોકો પર હતી, પરંતુ તેને શું ખબર કે તેનો સાળો તેની આ બધા કાર્યમાં સાપ બની ગયો છે. જ્યારે રાધીકા જેને ખબર પડ્યા મુજબ રોહન સાથે ભાગી ગઈ ત્યારે તે તેના પુત્રને પણ તેની સાથે લઈ ગઈ. ત્યારબાદ સંજયે લખનૌના બાહુબલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાવી હતી. આના લગભગ એક મહિના પછી રાધીકા દિલ્હીના મુગલાઇ કોટ વિસ્તારમાંથી મળી આવી હતી.

ઘરે પરત ફર્યા બાદ રાધીકાએ પોતાના કૃત્ય માટે તેના પતિની માફી માંગી હતી અને ભવિષ્યમાં તેણી રોહનને નહીં મળવાનું વચન પણ આપ્યું હતું. સંજયે તેને માફ કરી દીધી અને તેને ફરીથી સ્વીકારી લીધી. પણ કહેવાય છે કે ‘‘ચોર ભલે ચોરી છોડી દે પણ ગોટાળો છોડતો નથી.રાધીકા નું પણ કાંઇક એમજ ગયું.

રાધીકા થોડા દિવસ તો બરાબર રહી હતી, પણ જ્યારે તેને તેનો બોયફ્રેન્ડ જે પાછો તેની નણંદને પતિ એટલે કે તેનો નણદોઇ રોહન ફરી યાદ આવ્યો ત્યારે તે બેચેન થવા લાગી. બીજી તરફ રોહન પણ રાધીકાને મળવા માટે તલપાપડ હતો.

જ્યારે બંને એકબીજાને મળવા માટેની ફરી શરૂઆત કરવા લાગ્યા, તો પછી તેઓ ગુપ્ત રીતે મળવા લાગ્યા. જ્યારે આ વાતની સંજયને ખબર પડી ત્યારે તેણે તેની પત્નીને સમજાવ્યું પણ તે માનતી ન હતી.

કોઈપણ રીતે, જ્યારે સ્ત્રીનો પગ એકવાર લપસી જાય છે, ત્યારે તે રોકીને પણ અટકતી નથી. કારણ કે ગેરકાયદેસર સંબંધોનો માર્ગ ખૂબ જ ઉભો છે. એ માર્ગ પર એક વાર ખોટા કુંડાળામાં પગ પડે એટલે પછી તેને જાળવી રાખવું મુશ્કેલ છે. રાધીકાનું પણ કંઇક એવું જ થયું.

સંજયકપુર રાધિકાના આ પ્રમાણેના વર્તનથી ખૂબ નારાજ હતો. તેના કારણે માત્ર તેના સગા-સંબંધીઓની જ નહીં પરંતુ સ્થાનિકોમાં પણ તેની ખૂબજ બદનામી થઈ રહી હતી. પત્નીને સમજાવ્યા બાદ તે હારી ગયો હતો. તેને સમજાતું નહોતું કે આવી દુરાચારી પત્નીનું શું કરવું. પત્નીના કારણે તે કાયમ તણાવમાં રહેવા લાગ્યો હતો.

૨૦ માર્ચ ૨૦૧૧ના રોજ પણ સંજયને તેની પત્ની સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. તે સમયે તેનો ઉંમરલાયક ૧૭ વર્ષનો પુત્ર કમલેશતેના કાકા સાથે હતો. ઝઘડા દરમિયાન રાધીકાએ ડ્રેસિંગ ટેબલ પરથી કાતર કાઢી અને તેના પતિ પર હુમલો કર્યો. બચાવવાના પ્રયાસમાં સંજીવની નાની આંગળી (ટચલી) કપાઈ ગઈ હતી. આંગળી કપાઈ ત્યારે સંજીવના હાથમાંથી લોહી ટપકવા લાગ્યું.

આ પછી સંજય ખુબજ ગુસ્સે થઈ ગયો. તેણે તેની પત્ની પાસેથી કાતર છીનવી લીધી અને તે જ કાતરથી તેના ગળા પર હુમલો કરવા લાગ્યો. તેણી ત્યાં ને ત્યાં મરી ગઈ ત્યાં સુધી તેણે તેણીને ગળામાં કાતર ના ઘા મારવાનું ચાલુ રાખેલ હતું. આ પછી તેણે તેની ગરદન કાપી નાખી અને તેને અલગ કરી દીધી.

પત્નીની હત્યા કર્યા બાદ સંજ લોહીથી ખરડાયેલા હાથ-પગ સાફ કર્યા હતા અને કપડાં બદલ્યા બાદ ક્યાંક ભાગી જવાના ઈરાદે પોતાના કપડા એક થેલીમાં ભરી દીધા હતા. પછી તે તેના મોટા ભાઈ પાસે ગયો. જ્યારે ત્યાં હાજર પુત્રએ બેગ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તેમાં કપડાં છે જે ધોબીને આપવાના છે. પછી તે ત્યાંથી ચાલ્યો ગયો.

બપોરે પોણા એક વાગ્યે કમલેશ ઘરે પહોંચ્યો ત્યારે દરવાજો બંધ હતો. જ્યારે તેણે પાડોશીઓને તેની માતા વિશે પૂછ્યું તો કંઈ ખબર પડી નહીં. પિતાને ફોન કરતાં તે પણ સ્વીચ ઓફ હોવાનું જાણવા મળ્યું હતું. પછી ફોન કરીને કાકાને ત્યાં બોલાવ્યા.

શંકા જતાં બબીતાબેને પોલીસને જાણ કરી હતી. પોલીસ ત્યાં પહોંચી ત્યારે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. રૂમનું તાળું તોડીને પોલીસ રૂમમાં ગઈ ત્યારે બેડરૂમમાં રાધીકાની લાશ પડી હતી, જેનું માથું શરીરથી અલગ હતું. ત્યારબાદ પોલીસે જરૂરી કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

પત્નીની હત્યા કર્યા બાદ સંજયકપુર પાંચ દિવસ સુધી અહીં-તહીં નાસતો-ભાગતો રહ્યો. પછીથી તેને લાગ્યું કે તે ગમે તેટલી છુપાઈ રહ્યો હોય, પોલીસ એક યા બીજા દિવસે તેની ધરપકડ કરશે. આ વિચારીને તેણે પોતે કોર્ટમાં સરેન્ડર કરવાનો નિર્ણય લીધો અને ૨૭ માર્ચ ૨૦૧૧ રોજ ફરીદાબાદ કોર્ટમાં પહોંચીને તેણે આત્મસમર્પણ કર્યું.

કોર્ટે આ માહિતી સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને આપી હતી. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ અશોક કુમાર કોર્ટમાં પહોંચ્યા હતા. તેણે સંજયકપુરની ધરપકડ કરી પૂછપરછ કરી હતી, જેમાં સંજયે પોતાનો ગુનો કબૂલ્યો હતો અને તેની પત્નીની હત્યામાં વપરાયેલી કાતર પણ મેળવી લીધી હતી. સંજયકપુરની પૂછપરછ કર્યા બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને જેલમાં મોકલી આપ્યો હતો.

--------------------------------------------------------------------------------------------------------------------------Dipak Chitnis (DMC) dchitnis3@gmail.com