A mistake in Gujarati Moral Stories by Megha books and stories PDF | એક ભુલ

The Author
Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

Categories
Share

એક ભુલ

સુખ અને દુઃખ થી ભરેલીછે ,આ જીંદગી .સમજ અને સમજણ વડે આ જીવન નૌકા પાર ઉતારવાની છે. એક નાનામાં નાની ભુલ પણ માણસની જીંદગી બગાડી નાખે છે.
આ એક કહાની છે એવા પરિવાર ની જેમાં એક જ નાની એવી ભુલ કહો કે ગેરસમજણ જે આખા પરીવાર ને વેરવિખેર કરી નાખે છે. જામનગર પાસે એક નાનકડુ ગામ , જેનુ નામ છે રીબડા. આ ગામમાં આર્થિક રીતે નબળો એવો એક પરીવાર રહે. પરિવાર માં દાદા, પતિ- પત્ની ,બે દિકરીઓ અને એક દિકરો. મનુભાઈ કારખાનામાં કામ કરે અને રીટાબેન નાનુ- મોટું મજુરીકામ કરે. પતિ પત્ની બન્ને ખુબ મહેનતુ હતા. તેઓએ બાળકો ને સરકારી શાળામાં અભ્યાસ કરાવ્યો. બન્ને બહેનો વચ્ચે બે વર્ષ નો ફેર હતો. બન્ને બહેનો એકબીજા ની ખાસ સહેલી હતી. શાળાએ સાથે જાય, કામકાજ પણ સાથે મળીને કરે. કયારેય કામકાજ ને લઇ ને ઝગડતા નહીં. નાનપણથી જ બધુ ઘરનુ કામ કરે.
ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને બન્ને બહેનો મોટી થવા લાગી. બન્ને માં થોડા થોડા પરીવર્તન આવવા લાગ્યા. મમતા અને નીલા દેખાવડી અને નમણી હતી. બહુ રૂપવાન ન હતી પણ એક નજરે ગમી જાય એવી હતી. મમતા સ્વભાવે માયાળુ હતી, ઓછા બોલી હતી. તેનુ સ્વાસ્થ્ય જરાક ઋતુ પ્રમાણે નરમ ગરમ થયા કરતુ. સાદુ જીવન જીવવા માં માનનારી મમતાને કોઇ પણ પ્રકારના શોખ ન હતા. પોતાને અને પોતાના ભાઈ બહેનોને સંભાળવામાં વ્યસ્ત રહેતી.
નીલા પણ નમણી અને સાધારણ દેખાવે હતી. તે મમતાની સાવ વિરૂદ્ધ જ હતી. તે ખુબ જ શોખીન હતી .તેણે કોલેજ ની સાથે સાથે સિવણ ક્લાસ શીખ્યા . જેથી તે તેના મમ્મી પપ્પા ની મદદ કરી શકે. તેને નવી નવી ફેશન ના કપડા પહેરવાનો ખૂબ જ શોખ હતો .તેથી તે સિવણકામ ખૂબ જ જડપથી શીખી ગઈ. હવે તો આજુબાજુના વિસ્તારમાંથી લોકો તેણી પાસે કપડાં સિવડાવવા માટે આવતા. નિલા બહેનપણીઓ પણ વધારે હતી. કેમકે તેને નવા નવા કપડા પહેરવાનો શોખ હતો, બહેનપણી ઓ સાથે બહાર ફરવા જવુ, હોટેલમાં જમવા જવુ, વગેરે જેવા ઘણા શોખ હતા. તે કમાણી કરતી એટલે મનુભાઈ પણ કાંઈ ન કહેતા.
નીલા હવે સાવ બદલાઈ ગઈ હતી. મિત્રોના સંગે તેને થોડી અલ્લડ બનાવી દીધી હતી. ઘરમાં વસ્તુઓ ની જરુર પડેતો નીલા પોતાના પૈસે લઇ આવતી. જેથી મનુભાઈ તેના પૈસાના ખરચ વિષે કયારેય કશુ પુછતા નહીં. તેથી તે થોડી બગાડવા પણ માંડી હતી .પૈસા કમાતી એટલે બધા આંખ આડા કાન કરતા.
સમય ધીરે ધીરે વહી રહ્યો હતો. મમતાનુ વેવીશાળ પૈસાદાર કુંટુંબ માં થયુ. મનન પણ સ્વભાવે માયાળુ હતો. બન્ને કુંટુંબો ખુશખુશાલ હતા. મનન થી નાનો એક ભાઈ હતો જેનુ નામ હતું કેનીલ .કેનીલ બોલકણો અને સમજુ હતો .તે તેના પપ્પા ની સાથે બિઝનેસ માં હતો. તેણે ધંધામાં ઘણા ચડાવ ઉતાર જોયા હતા. તે પૈસાની કિંમત સારી રીતે જાણતો હતો. મનન અને કેનીલ વાર તહેવારે રીબડા જતા. કેનીલ મમતા અને નીલા ની સાથે મજાક મસ્તી કરતો.
બન્ને કુંટુંબ ના વડીલો એ કેનીલ અને નીલા ના સગપણ બાબતે વિચાર કર્યો. આ બાબતે કેનીલ અને નીલાને પણ પુછવામાં આવ્યું. ત્યારે કેનીલ અને નીલા એ હા માં જવાબ આપ્યો. બન્ને કુંટુંબો એ આ નિર્ણય ને વધાવી લીધો. શ્રાવણ માસ ના પ્રથમ દિવસે જ બન્ને ની ધામધૂમથી સગાઈ કરવા આવી. બન્ને પરિવાર માં ખુશીઓ પુરબહારમાં ખીલી રહી હતી.
મનન અને કેનીલ ના લગ્ન એક દિવસે કરવા એવુ નક્કી કરવામાં આવ્યું. કપડા અને દાગીનાની ખરીદી કરવા માટે મમતા અને નીલા ની બોલાવવામાં આવી .બે દિવસ માટે મિત્રો સાથે બધા એક રિસોર્ટ માં ફરવા જવાનું નક્કી કર્યું. બધા ચાંપાનેર હેરીટેજ રિસોર્ટ માં પહોંચે છે. આખો દિવસ બધા ખુબજ આનંદથી પસાર કરે છે. સાંજે નાની એવી બાબતે કેનીલ અને નીલા વચ્ચે ઝગડો થાય છે. નીલા થોડા અલ્લડ સ્વભાવ ને કારણે બાંધછોડ નથી કરતી અને કેનીલને મનફાવે તેમ ગુસ્સે થઈ ને ખખડાવવા લાગે છે. નીલા ગુસ્સામાં કેનીલ ના મમ્મી પપ્પા સુધી પહોંચી જાય છે. કેનીલ ની ધીરજ ખૂટી જાય છે અને ગુસ્સામાં નીલા ને એક થપ્પડ મારી દે છે. પછી તેને અહેસાસ થાય છે કે તેણે જે કર્યુ એ ખોટું થયું છે .એ નિલાની માફી માંગે છે અને કહે છે કે હવે કયારેય આવુ નહીં થાય. પણ નીલા ઘમંડમાં ને ઘમંડમાં કાઈ સાંભળવા તૈયાર નથી થતી ,અને આ સંબંધ ને પુણૅવિરામ લગાવી દે છે .
બધા ના ખૂબ સમજાવા છતા પણ તે સમજતી નથી. અને અંતે નીલા ની સાથે સાથે મમતા ની પણ સગાઈ ટૂટી જાય છે. સમજણ શક્તિ અને સહન શક્તિ ના અભાવને લીધે મમતા ને પણ માઠું પરીણામ ભોગવવુ પડ્યુ. જીવનમાં હંમેશાં એક વાત ચોક્કસ યાદ રાખવી કે કોઈ પણ બાબત ને એક પહેલુથી કદી પણ જજના કરી શકાય. સારા અને નરસા બન્ને પાસાં નો વિચાર કરવો જોઈએ.