In Jay Leerbai in Gujarati Mythological Stories by મહેશ ઠાકર books and stories PDF | જય લીરબાઈ માં

Featured Books
Categories
Share

જય લીરબાઈ માં

મહા તેજસ્વિની શ્રી આઇ લીરબાઈ માતાજી

લીરબાઈ માતાજીએ તેમના જીવન ક્રમ દરમ્યાન રામદેવ પીરના અઢાર મંડપો કરેલા છે. લીરબાઈ માતાજીના હાથે છેલ્લા બે મંડપ નવીબંદર તથા બગવદર ગામે થયેલા જે ઈતિહાસ પ્રસિદ્ધ છે.

મહા તેજસ્વિની શ્રી લીરબાઈ માતાજીના પરચાઓ ઘણા છે. જે અત્રે આપવામાં આવેલ છે. જે તમામ પરચાઓ સત્યની વેદી પર લીરબાઈ માતાજીએ આપેલ છે.

પહેલો પરચો :-
કેશવ ગામમાં કચોરીયા તળાવે આપેલો તળાવ બંધાતું હતું. તેમા મુશળધાર વરસાદ પડતાં તળાવની પાળ તુટી ગઈ. આ પાળને સાંધવા માટે માતાજીએ લોકસમુહ ભેરો કરેલો. ત્યા તેઓને જમાડવા માટે એક ત્રાબાંની નાની દેગમાં માએ ખીર બનાવી સૌને જમાડેલા. છતાં પણ ખુટેલ નહી આ દેગ અત્યારે કેશવ ગામના લીરબાઈ મંદિરમાં હયાત છે.

બીજો પરચો :-
માતાજીએ સોઢાણા ગામનાં તેમનાં ભકત વેરા ભગતને આપેલો. વેરા ભગત ઉપર કોઈ વિઘ્ન સંતોષીઓએ ખોટો આરોપ નાખતા તેને પોરબંદર પોલીસ થાણાએ બોલાવેલો અને વેરા ભગતના હાથમાં પીપળાના કુમળા પાન મુકી તેના ઉપર ધગધગતા અંગારા મુકેલા છતાં પણ વેરાભગતને કાંઈ ઈજા થયેલ નહી. આ લીરબાઈ માતાજીનો પ્રસાદ હતો.

ત્રીજો પરચો :-
પોરબંદરના મહારાજા વિકમાતજીને દમનું દર્દ મટાડવા માતાજીએ ઘીની એક તાંસરી પીવડાવી દદૅ મટાડી દીધું તથા પોરબંદર નરેશ ત્યારથી માતાજીના ભક્ત બની ગયેલા.

ચોથો પરચો :-
વેરાવળ શહેરના મુળજી શેઠ ભાટીયાને આપેલો તેઓનું વહાણ મધદરિયે તોફાની સમુદ્રમાં ફસાયેલું. અને એક જબરદસ્ત મગરમચ્છે વહાણમાં પુછડાની જાપટ મારી ગાબડું પાડી દીધેલું. અને તેમાં પાણી ભરાવા લાગેલું. ત્યારે મુળજી શેઠે તથા તેમના ખલાસીઓએ કંડોરણા ગામના લીરબાઈ માતાજીને યાદ કરીને પ્રાર્થના કરેલી કે હે માતાજી અમારા વહાણને આ તોફાનમાંથી બચાવેતો દશ ગુણી સારા ચોખા હું આપની જગ્યામાં અપૅણ કરીશ. ત્યારબાદ શેઠના મનનો વિચાર ફરતા જાડા ચોખાની દશ ગુણ મોકલેલ ત્યારે માતાજીએ કહેલ કે તમારા શેઠને કેજો જાડા ચોખા પાછા લઈ જાય તથા વહાણમાંથી મારો લીલો અછરો તથા ધોળી ધાબળી વહાણમાં જયા ગાબડું પડેલ છે ત્યાં મે આડી દીધેલ છે. તે દઈ જાય. ત્યારે શેઠે માતાજીને પગે લાગી ક્ષમા માંગેલી તથા દશ ગુણી જીણા ચોખા લઈને પોતે આવેલા તથા માતાજીએ ભાટીયા શેઠની ભુલ માફ કરેલી.

પાંચમો પરચો :-
પોરબંદરના કોઈ શેઠે પોતાને ઘેર શેર માટીની ખોટ હતી તેથી માનતા કરેલી કે લીરબાઈ માતાજી મારે ઘેર પુત્રનું પારણું બંધાવેતો એકસો આઠ નાળિયેર કંડોરણા ગામે જઈ માતાજીના માથામાં વધેરૂ. ત્યારબાદ લીરબાઈ માતાજીની અસીમ કૃપાથી પોરબંદરના શેઠને ઘેર પુત્ર જન્મ થાય છે. અને માનતાપૂર્ણ કરવા કંડોરણા ગામ જાય છે. ત્યાં માતાજી જીવીત બેઠા છે. તે શેઠને ખબર નહી તેમના મનમાંતો એમ કે લીરબાઈ માતાજીની મુતીૅ હશે. માતાજી કહેલ કે તમોએ જેમ માનતા કરેલ છે. તેમજ મારા માથામાં નાળિયેર વધારો ત્યારબાદ એકસો આઠ નાળિયેર માતાજીના માથામાં વધારવા માટે ઘા કરવામાં આવે અને નાળિયેર માતાજીના માથા પાસે આવીને કુદરતી રીતે ફુટી જતું. આ પ્રમાણે એકસો આઠ નાળિયેરની માનતા પૂર્ણ થઈ.

છઠ્ઠો પરચો :-
કોઠડી ગામના નથુભગતને આપેલો દરબીજના તહેવાર ઉપર નથુભગત કોઠડી ગામથી કંડોરણા લીરબાઈ માતાજીના દર્શને આવતા. એક વખતના સમયે અસાઢી બીજનો મહોત્સવ આવ્યો. નથુભગત કંડોરણા ગામ આવતા હતા. ત્યાં રસ્તામાં વરસાદ ચાલુ થયો અને મીણસાર નદી બે કાંઠે ગાંડી તુર થઈ ઘોડાપુર માં બેફામ વહેતી હતી. ત્યારે નથુભગત મીણસાર નદીના સામા કિનારા પર બેઠા અને થોડીવારમાં ઉંઘ આવતા સુઈ ગયા. ત્યારબાદ સવારે નથુભગત ઉઠેલા ત્યારે જોયુતો લીરબાઈ માતાજીના ઘેર સુતા છે. માતાજીએ પોતાના ભગતને આ પ્રમાણે પરચો આપેલો.

સાતમો પરચો :-
પાલખડા ગામના પરબત ભગત કુંભારને પરચો આપેલો. તેઓ પાલખડા ગામ સમાધીવસ્થ થતાં. સમાધીમાં બેસી ગયા અને લીરબાઈ માતાજી પહોંચી શકેલ નહી અને માતાજીના આશીર્વાદ વગર પરબત ભગતે સમાધી લઈ લીધેલી. ત્યારબાદ માતાજી પધારેલા અને સમાધી ઉપર સાદ કરીને માતાજી બોલ્યા કે પરબતભગત તમોએ સમાધી લઈ લીધી હવે હું તમારી સમાધી પર ત્રણ દિવસ પછી આવીશ અને તમોને હું સાદ કરીશ જો તમો સમાધીની અંદરથી સામો જવાબ આપશો તો હું જાણીસ કે પરબતભગત પરબના પીરના સાચા સંત છે. અને ત્રણ દિવસ બાદ પરબત ભગતે માતાજીને જવાબ આપેલો.

આઠમો પરચો :-
બગવદર ગામે નાગડા ભગતે રામદેવપીરનો મંડપ કરેલો તેમાં પાણીની તાણ વર્તાતા લીરબાઈ માતાજીએ બગવદર ગામમાં વેકરા કાંઠે એક નાનો વિરડો બનાવી તેમાંથી મંડપમાં આવેલ હજારો મનુષ્યોની પાણીની પ્યાસ બુઝાવેલી.

નવમો પરચો :-
ગોસા ગામના નાગજી દરબારને પુત્ર રત્ન ન હોતો તેથી માતાજીની અસીમ કૃપાથી માતાજીની વાણી પ્રમાણે સારા ચરિત્રવાળો પુત્ર રત્નનો જન્મ થયેલો.

દશમો પરચો :-
ઠોયાણા ગામમાં રણમલ ભુતીયા મેરને ઘેર તેમના વાડામાં રોજડી ગાયમાતા ખીલે બાંધેલ હતા. તે ગાયના દુધથી લીરબાઈ માતાજીએ ઠોયાણા ગામને ધુમાડા બંધ જમાડેલું તથા માતાજીના સત્ય પ્રકારથી તે રોજડી ગાયને રણમલ દોહવા બેસતો ત્યારે દુણાને દુણા ભરાતા. તથા ગરીબોને દુધની લાણી કરતો.

અગીયારમો પરચો :-
અજમલ બાપા ચાઉં રાજગોર બ્રાહ્મણને મોટાવડીયા ગામે તા:- જામજોધપુર લીરબાઈ માતાજીએ પરચો પુરેલ હતો. અજમલભગતે એક વખત લીરબાઈ માતાજીને કાને વાત નાખેલી કે માં તમે સમાધી લ્યો ત્યારે મને વાયક મોકલજો મારે પણ સમાધી લેવી છે. અજમલ ભગત ગુજરી જતા તેની અથૅ બંધાણી ન હતી. તેના તંગ તુટી જતા હતા તેથી બીજા ભકતોને યાદ આવ્યું કે અજમલ ભગતે સમાધી લેવાની પ્રતિજ્ઞા કરી હતી તેથી તેઓને સમાધી આપેલ હતી.

બારમો પરચો :-
કેશવ, કીંદરખેડા તથા પાલખડા ત્રણ ગામને સીમાડે શ્રી લીરબાઈ માતાજીએ અમીત્રી વાવ બંધાવી. તે જગ્યાએ બ્રહ્મપુરી જમાડી પાલખડા ગામના રાજગોર બ્રહ્મદેવતાનો અપીયો છોડાવેલ હતો.

તેરમો પરચો :-
મોઢવાડા ગામના એક વેપારી આદિત્યાણા ગામ વેપાર કરવા ગયેલા. સોનબાઈ માતાજી તે વેપારીને દેણુ ચુકવતા ચુકી ગયેલા તેથી લીરબાઈ માતાજીના સ્વપ્નમાં આવી ગુરૂમાતાએ જુની મઢીમાંથી એક માટલું પડેલ હતું તેમાંથી પાંચ કોરી નીકળતા લીરબાઈ માતાજી તે દેણું ચુકતે કરી આવેલા તથા પાછા વેલડામાં બેસીને વિદાય થયેલા.

ચૌદમો પરચો :-
નાગકા ગામે લીરબાઈ માતાજીના સેવક શ્રી પુંજા ભગત રહેતા હતા. તથા ગામમાં કાવડ ફેરવી નિસ્વાર્થ સેવાપુજા કરતા હતા. પુંજા ભગતે તેની મઢી પાસે એક વડલાનું ઝાડ વાવેલું. તે ખુબજ પાગયુૅ હતું. તથા અમુક સમય પછી તે લીલો કુંજાર વડલો સાવ સુકાયને સુકો ભઠ્ઠ થઈ ગયેલો. ત્યારબાદ વિઘ્ન સંતોષી માણસોએ પુંજા ભગતને મેણા મારવા ચાલું કરેલા કે તમો જો શ્રી લીરબાઈ માતાજીના સાચા ભગત હોયતો આ સુકા વડલાને સજીવન કરી લીલો છમ કરી આપો તો તમારી પીરાઈ સાચી કહેવાય. ત્યારબાદ પુંજા ભગતે ખાવા પીવાનું છોડીને બીજમંત્ર ચાલું કરેલા અને થોડા દિવસમાં સુકા ભઠ્ઠ વડલામાં કુમરીયા ફુટેલા અને લીલો છમ વડલો થયેલો. ત્યારબાદ દરેક વિઘ્ન સંતોષી સમાજના લોકો શરમના માયાૅ નીચું જોઈ ગયા હતા. પુંજા ભગતની લીરબાઈ માતાજી ઉપરની ધમૅ ભાવના.

પંદરમો પરચો :-
એરડા ગામમાં લીરબાઈ માતાજીના સત્ય સેવક શ્રી નબા ભગત મહેર રહેતા હતા. એક વખત નબાભગત એકાએક ખુબજ માંદા પડી ગયેલાં. ઘણા વૈદોની દવા કરેલી. ઓસડીયા વટાવેલા પણ બીમારી પાછો પગ કરતી નથી. ત્યારે નબાભગતે પોતાની છેલ્લી ઈચ્છા દર્શાવી કે કેશવ ગામ મારે લીરબાઈ માતાજીના દર્શન કરવા છે. બળદગાડામાં નબાભગતને કેશવ ગામ લઈ જવામાં આવ્યા. જયાં માતાજીના સાનિધ્યમાં નબાભગતન બેસી જતાં. તેના આધી વ્યાધી ઉપાધી રોગ વગેરે શરીરમાંથી ચાલ્યા ગયેલા લીરબાઈ માતાજીની દુહાઈ તથા આશીર્વાદથી નબાભગત સાજા નરવા થઈ ગયેલા.

સોળમો પરચો :-
એરડા ગામમાં રામદેવપીરના મંડપમાં શ્રી લીરબાઈ માતાજી પધારેલા ત્યારે ઉનાળાના ધોમ ધખતા તાપમાં ગામથી થોડે દૂર એક ખેતરમાં મંડપનો થંભ હતો. ત્યા પાણી સાવ ખારૂ ઉસ જેવું હતું. તેથી લોકો પાણીની યાતના ભોગવતા હતા. લીરબાઈ માતાજીએ પગલા કરી એક બુરાયેલા કુવાનો ગાર કઢાવી અને થોડીવારમાં મીઠા પાણીનો પ્રવાહ વહેવરાવીને આખા મંડપના મનુષ્યોને મીઠું પાણી પીવરાવી તરસ સીચાવેલી હતી.

સતરમો પરચો :-
છત્રાવા ગામના રામદેવપીરના મંડપમાં માતાજીનો આખો સંઘ આવેલો મંડપ ઉપર ત્રાપજ બાંધવા ચડેલા ખલાસી ભાઈઓ ને ઈજા થતાં એક આંખ ફુટી ગયેલી. લીરબાઈ માતાજીએ તે બંને ખલાસીઓને માથે હાથ ફેરવતા તે સાજા થઈ ગયેલા તેવું લોકવાણીમાં સાંભળવા મળે છે.

અઢારમો પરચો :-
કોટડા ગામની એક લીરબાઈ માતાજીની સેવીકા જે બીજ ઉજવવા કંડોરણા ગામ જતા હતા. ત્યા રસ્તામાં તેમનો નાનકડો દિકરો મૃત્યું પામ્યો. મૃત છોકરાને લઈને કોટડા ગામની સ્ત્રી કંડોરણા ગામ માતાજી પાસે આવી અને માતાજીને સત્ય દિલથી વિનવણી કરતા લોકવાણીથી કહેવાય છે કે તે કોટડાની સ્ત્રી સેવિકાના પુત્રને લીરબાઈ માતાજીએ જીવીત કરેલા.

ઓગણીસમો પરચો :-
લીરબાઈ માતાજી જુનાગઢના શિવરાત્રીના મેળામાં માનવ સમુહને જમાડવા દર વરસે જતાં. ત્યા માતાજી પાસે મોડપર ગામનો એક અબોટી બ્રાહ્મણ આવેલો બ્રાહ્મણ ગુરૂની શોધમાં હતો તેથી તેમણે માતાજીને ગુરૂ બનાવવાનો વિચાર કરેલો. પણ માતાજી મેર છે. સ્ત્રી જાતી છે. તેથી મનમાં સંચય થયેલો કે મારે આમને ગુરૂ કેમ બનાવવા? તેમ છતાં પણ બ્રાહ્મણ લીરબાઈ માતાજીને મળેલો અને માતાજીએ તેમને મોઢવાડા ગામ આવવાનું કહેલું. ત્યારબાદ બ્રહ્મદેવ મોઢવાડા જાય છે. ત્યારે માતાજીએ સામેથી કહેલ કે સારો ગુરૂ કરવો છેને જા બરડા ડુંગરમાં આભપરાની જર પાછળ એક મોટો પથ્થર ઢાંકેલ છે ભોયરૂ છે. તેમાં એક મહાન સાધુ રહે છે. તેની પાસે જા અને તેને ગુરૂ તરીકે માન. બ્રાહ્મણ ગુરૂની શોધમાં લીરબાઈ માતાજીએ બતાવેલ જગ્યા પર જયા છે. અને ભયંકર અરણ્યમાં આભપરાના જંગલમાં સાધુને મળે છે. ત્યારે સાધુ કહે છે કે મને ગુરૂ કરવા આવ્યા છો ને અરે બ્રહ્મદેવ અહીયાં શું કામ આવ્યા છો અમારા ગુરૂતો લીરબાઈ માતા હૈયે. તે મને મળો તેમને ગુરૂ કરો તેનામાં દૈવી શકિત છે. પહેલા મનમાં સંશય ન ક્યોં હોત તો ભટકવું પડત નહીં. ત્યારબાદ લીરબાઈ માતાજી પાસે મોઢવાડા જઈને પોતે માતાજીને ગુરૂ તરીકે માને છે. અને માતાજી તેના માથા પર હેતનો હાથ મુકે છે.

વિશમો પરચો :-
મુળ દ્રારકાથી ત્રણ સાધુ મહારાજના મનમાં અભીમાન જન્મેલું. આ ત્રણેક સાધુ પંખી રૂપે ઉડીને મોઢવાડા લીરબાઈ માતાજીના આશ્રમે જતા હતા. રસ્તામાં ગોવાળીયાઓ ગાયો ચરાવતા હતા. તેમા એક સાધુએ નીચે ઉડાન કરીને ગોવાળીયાને ધક્કો મારીને નીચે પછાડી દીધેલો. તે ગોવાળીયો બેભાન અવસ્થામાં નીચે પડી ગયેલો. અને ત્રણ સાધુ ઉડતા ઉડતા અભીમાનમાં મગ્ન બનીને લીરબાઈ માતાજીના આશ્રમે પહોંચ્યા. અને લીરબાઈ માતાજી પાસે માંગણી કરેલી કે માતા અમો ઉડીને તમારી મેમાની ખાવા આવ્યા છીએ. ત્યારે લીરબાઈ માતાજી બોલ્યા કે તમો ત્રણેય ઉડીને આવ્યા છો તે શી નવાઇ કરી છે. કાળા કાગડા પણ ઉડીને આવે છે. માટે તન, મનનું અભીમાન છોડીને ધરતી માતા ઉપર ચાલીને આવો. ઉડવાનું છોડો અને ગોવાળીયાને સાજા કરો. પછી તમોને ભોજન આપીશ. ત્યારબાદ ત્રણે સાધુઓ લીરબાઈ માતાજીના પગમાં પડેલા.

આ પ્રમાણે શ્રી લીરબાઈ માતાજીએ અનેક પરચાઓ આપેલા. કંડોરણા, મોઢવાડા,કેશવ, શીશલી, ગોસા, રાતડી, કોઠડી, ગામે માતાજીએ પોતાની હૈયાતીમાં સનાતન ધર્મની સ્થાપના કરીને સમાજને સત્યતા દર્શન કરાવેલ તથા સમાજમાંથી અનીષ્ઠોને સમજાવી અને સત્ય ધમૅ તરફ વાળેલા.

જય લીરબાઇ માઁ