Human questions in the modern age in Gujarati Moral Stories by Krishnakumarsinhji Gohil books and stories PDF | આધુનિક યુગમાં માનવીનાં પ્રશ્નો

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

Categories
Share

આધુનિક યુગમાં માનવીનાં પ્રશ્નો

લાગણીની કે જજીગની માપણી કે માત્રા હોય? મારાથી ઉમરમા મોટા ને સવાલ છે?
-મુદ્દા મગજમાં છે હ્રદયમા આવે અને પ્રશ્ન બને,સામે હ્રદયમા છે અને મગજથી જવાબ મળે?કારણ?
-આપડાથી ઉમરમા મોટાં કહે છે કે.,તમારાંથી મોટાંના અનુભવ,સમજ-સમજણો અને વાત માનો પછી ભલે એક વર્ષ મોટા હોય,તો મોટાને કોણ સમજાવશે?કારણ?
-જેનાથી ફકંપડે,જેનું માન રાખીયે અને જેની કદર કરીએ તે મૂલ્ય નથી સમજી શકતાં અને જયારે હટીજાવામા આવે તો સામે વાળા ને મૂલ્ય,કદર,માન અને ને ફર્ક પડે છે?કારણ?
-મુલ્ય શૂન્ય રાખીને સમજાવોનો પ્રયત્નો કરીયે કે જીવન જરૂરીયાતો રોટી,કપડા,મકાન,ફોરવિલ જેતે બીઝનેસ,બિઝનેસના મજૂરો બરાબર આપડુ મુલ્ય શૂન્ય રાખીને જેતે વ્યક્તિથી જ ફર્ક પડે છે તો સમજવું જોવે કે નહી? કારણ?
-જેથી ખ્યાલ આવે કે ક્યા કેટલી માત્રામાં લાગણી દેખાડવી, કેટલી હદ સુધી જજીગની માપણી કરવી.. કાંઈક નિયમો તો હશેને કે આટલી માત્રામાં કે આટલી માપણીમા લાગણી જ્જ કરવી.
-શું આવા સવાલો તમારા મગજમાં આવે છે જવાબો તમને મળે છે ? કે વિચારો કરવા પડે છે.
-આવા દરેક સવાલોના જવાબ માણસની અંદર દબાઈને રહે છે અને બહાર આવતા નથી અને માણસ અંદરને અંદર વિચારે છે અને આવા અનેક સવાલોના જવાબો માણસો પાસે છે પરંતુ તેને ખબર હોતી નથી કે જવાબ કેવી રીતે શોધવા જો માણસ ખુદ પોતાના સ્વભાવને ઓળખે તો જવાબ મળવા શક્ય છે..

જીવ સૃષ્ટિનો હાદ..

સૃષ્ટિમાં જન્મેલા દરેક જીવમા.. કિડીથી લય મનુષ્ય સુધી તમામ મા એક હાદ છુપાયેલો છે..

•હાદ શુ છે?
હાદ લાગણી,વેદના,ખુશી,દયા,દુ:ખ,સુખ,નબળાઇ, આસ્થા,પ્રેમ,ભાવ,કોઈની પરિસ્થિતિ જોઈને પોતાનો જીવ બળવો,કોઈની યાદ આવવી,એકલું લાગે ત્યારે કોઈને ફોન કરવો,પોતાના નજીકનાં વ્યક્તિનુ ધ્યાન રાખવું,અંદરથી ભરાયને નજીકના લોકોને આપવીતી કહેવી અને ચિતા અને આસવાસન કે હુફનો સમાવેશ હાદમા થાય છે..
સામાન્ય રીતે હાદને સમજીએ તો માણસમા માણસાઈ હોવી તેને હાદ કહી શકાય.. ઈશ્વર થકી સંતો-મહંનતો,યોગીઓ,મનોચિકિત્સકો,આધ્યાત્મિક લોકો,ધ્યાનકેન્દ્રો,મેડિટેશનકેન્દ્રો હાદને વધુ મહત્વ આપે છે.. ઘણી વાર તમને કોઈની યાદ આવે છે તમે તરત ફોન કરો છો,તમને હજારો લાકો સમજાવે છે પણ તમને જેની લાગણી જેની સામે હાદ છે તે વ્યક્તિથી પાસે થી સમજવા માગો છો અને સમજી પણ જાવ છો અને ઈચ્છો પણ છો કે તેજ તમને સમજાવે,ઘણા અંદરથી ભરાય ગ્યા હોય મન હળવું કરવા સહારો શોધતા હોય અને જયારે સહારો કે સમજી શકે તેવુ કોઈ વ્યક્તિ મળે એટલે પોતાના દુ:ખ રુપી રુદન થી હળવા થયજાય છો અને મગજમાં સતત વિચારો ચાલે "મને કોઈ સમજી શકતુ જ નથી"હુ અંદરથી એકલો છું..આવા વિચારો જયારે આવે ત્યારે માણસ હાદ શોધે છે.અત્યારના સમયમા કોઈ પણ હોટેલ,રિસોટ,નર્સરી,કેમ્પ,દરિયે જાવ તો આજના દિકરા દિકરીઓ સાવ એકલા આંટા મારતા હોય છે,કોઈ સાથે કાંઈ લેવા દેવા નથી એકલા જુસ,કોકાકોલા પિતા હોય,એકલા જમતા હોય,શાંતીથી એકલા દરિયે બેઠા હોય છે, હોટેલમા ચેકઈન કરતી વખતે જ્યારે પુછવામાં આવે કે સર કેટલા રુમવાળો રુમ બુક કરુ ત્યારે સામેથી જવાબ મળે કેટલા રુમવાળો રુમ છે સૌથી વધુ હોય તે બુક કરી દો આટલા રુમમા એકલોજ રહશે,ખુદ ખુશ રહેવાની મહેનત કરશે,જયારે આવા લોકો તમારી સામે આવે અજીબ લાગે તો મદદ કર્જો તેને પૈસાની અન્ય તકલીફો નથી પરંતુ પોતાનુ અંગત ભૂતકાળને કારણે માનસિક રિતે ભાંગી ગ્યા છે હાદ બહાર નથી કાઢી શકતાં અને જયારે આવા યુવાનોને, મદદ કરવામાં આવે ત્યારે એટલા રુદનથી દુઆઓ આપે છે સાતપેઢી તરી જાય છે અને અંદરથી હાશકારો અનુભવે છે દિન પ્રતિદિન આનો વ્યાપ વધતો જય રહ્યો છે માણસ બહાર બધા સાથે છે છતા અંદર એકલો છે બેસ્ટ છે કે જેને તમે તમારી અંદર રહેલા દુઃખો તકલીફૉ કહેવા માગો છો કહી દો ભલે જવાબ ના મળે તે માણસ વિશે ખબર પડશે અને આગળ વધો જવાબ જરુર મળી જશે હળવા થયજાશો..

આજકાલનાં સંબંધો કચકડાના થય ગ્યા છે.

એક સમય એવો હતો કે માણસને માણસો પ્રત્યે લાગણી,પ્રેમ,આવકારો અને માણસો જીવરા સ્વભાવ ધરાવતા હતા..ભલે ખાવાનું ઘરમાના હોય પરંતુ મહેમાન આવે એટલે બટકું રોટલા મા તાણ કરે તે માણસો હવે નથી જોવા મળતા..બીજાનું દુ:ખ માણસો ખુદનુ સમજતા..ભલે કરી કાંઈ ના શકે પણ દિલાસોતો આપતા જ..
જયારે આજનાં માણસો દેખાવામા વધુ મહત્વ આપે છે જયાં સુધી દેખાવો કરો ત્યા સુધી માણસો માણસનો રહે દેખાવો બંધ,માણસો માણસનો નહીં.હરી ફરીને જતાવુ પડે છે બાકી સબંધો તુટતા જણાય છે..આજના માણસો એટલો વ્યસ્ત છે કે અંદર છે તેવો બહાર રહી શકતા નથી મૃત્યુના અગ્ની સંસ્કાર સમયે પણ મોડું ના થાય એટલે જલ્દી જાવું પડશે એટલા વ્યસ્ત માણસોએ સારાં સંબધોને વ્યવહારનુ નવું નામ આપીને કચકડા સમાન સંબંધો બનાવી દિધા છે..