Faith in Gujarati Moral Stories by DIPAK CHITNIS. DMC books and stories PDF | શ્રદ્ધા

Featured Books
Categories
Share

શ્રદ્ધા

શ્રદ્ધા

...........................................................................................................................................................

શ્રદ્ધા હોય ત્યાં પૂરાવાની ક્યાં જરૂર છે. અને પૂરાવાની જરૂર હોય ત્યાં શ્રદ્ધાનું શું કામ? શ્રદ્ધા ના કોઈ રૂપ રંગ નથી હોતા. તમારા દિલની સાચી ભાવના છે. શ્રદ્ધા હોય તો પથ્થરમાં ભગવાન છે અને શ્રદ્ધા ના હોય તો ભગવાન પણ પથ્થર જ છે. શ્રદ્ધા એ વારસામાં નથી મળતી એ તો તમારા દિલનો અહેસાસ છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદ રેખા છે. શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક સાચો ભાવ છે.

એક દિવસ એક માણસ પોતાના વાળ કપાવવા માટે વાળંદની દુકાન ગયો. તે માણસ કાયમ બનતું હોય છે તે મુજબ જ વાળ કપાવતાં કપાવતાં સમયે ઘણી વાર દેશ દુનિયાની વસ્તુઓની ચર્ચાઓ થયા કરે છે તેમ થઇ રહેલ હતી…. દેશ દુનિયાની વસ્તુઓની ચર્ચા કરતાં કરતાં અચાનક ભગવાનના અસ્તિત્વના વિષયની ચર્ચામાં ગાડી પાટા ઉપર આવી ગઇ અને ચર્ચા ભગવાનના અસ્તિત્વની બાબતમાં ચાલી રહી હતી.

દુકાનમાં વાળ કાપી રહેલ વાળંદે વાળ કપાવવા માટેઆવેલ તે વ્યકિત માણસને કહ્યું જુઓ, સાહેબ "હું આપની જેમ પરમાત્મા/ભગવાનમાં તેમના અસ્તિત્વ બાબતે કોઇ પણ પ્રકારની આસ્થા ધરાવતો નથી."

આ વાત સાંભળી તે માણસે પૂછ્યું, "તમે આમ શા માટે કહો હો તેનું કારણ શું ? "

"અરે ભાઈ, આ બાબતમાં આપને જો ખરેખર સમજવાની ઇચ્છા હોય તો તે ખૂબ સરળ છે, માત્ર તમારે આગળની ગલીમાં જઇને જુઓ તમને સમજાઇ જશે કે ભગવાન છે કે નહીં.

તમે માત્ર મને એટલું જ કહો કે જો ભગવાન/પરમાત્મા છે તો પછી ઘણા બધા લોકો બીમાર કેમ થાય છે ? ઘણા બધા બાળકો અનાથ કેમ થાય છે ? જો ખરેખર ભગવાન નું અસ્તિત્વ હોય જ તો આટલી બધી વ્યકિત બીમારીમાં કેમ સપડાય ? આટલાં બધા બાળકો અનાથ કેમ બને ? જો ખરેખર ભગવાનનું અસ્તિત્વ હોત તો આ બધુ કયારેય ન બનતું, વાળંદ ધ્વારા આ પ્રકારનું બોલવાનું ચાલુ રાખેલ હતું. આપ જબતાવો કયાં છે ભગવાન. "હું જેમ કે ભગવાન ના વિષયમાંના વિચાર્યું કરી શકુ તેમ છે કે આ બધા વસ્તુઓ પછી આપ માત્ર મને કહો કયાં છે ભગવાન કયાં છુપાઇને બેઠો છે પરમાત્મા ? ''

વાળંદની દુકાને આવેલ માણસ વાળંદની વાત સાંભળીને એક સાંજ ના માટે અટકી ગઈ, કંઈક વિચાર્યું પણ ચર્ચા મોટું ના તેથી શાંત માત્ર છું.

વાળંદ ધ્વારા તેનું કામ પુરુ કરવામાં આવ્યું અને માણસ તેને તેની કટીંગના પૈસા આપીને કેટલાક દુકાન થી બહાર આવીને થોડે દૂર જઈ ને ઉભો રહ્યો… તે વિચારવા લાગ્યો વાળંદને તેની જ ના ભાષામાં સમજાવવો પડશે.

કેટલોક સમય રાહ જોઇ શું કરવું શું ના કરવું આમ વિચારતો વિચારતો માણસ બહાર આવી ઉભો રહેલ હતો. ત્યાં તેની નજર એક લાંબી દાઢી-મૂછોં ધરાવતી આધેડ વ્યક્તિ પર પડી તે તેની બાજુ આવી રહેલ હતો. આ દ્રશ્ય જોયા પછી એમ ચોકકસ લાગે કે આ લાંબી-દાઢી મૂંછ ધરાવતી વ્યકિત કેટલાય દિવસોથી નાહી-ધોયેલ નહીં હોય.

માણસ તુરત વાળંદની દુકાનમાં પરત જઇ ચડયો, અને વાળંદને કહ્યું, " તમે જાણો છો" આ દુનિયામાં કોઇ વાળંદ જ નથી!''

''આ શું બોલી રહ્યા છો ભાઈ, વાળંદ નથી આવુ કેમ કેવી રીતે આ શક્ય છે ન ? '', વાળંદ તો છે ને હું તો છું ! "હું શાક્ષત તમારી આગળ તો ઉભો છું !''

'' ના’' માણસે કહ્યું, " તે નથી જ જો વાળંદ નાયી હોય તો પછી આ તમારી સામે જુઓ લાંબી દાી-મૂછોના કોઇ હોઇ જ ના શકે. જુઓ તમારી આગળ તે માણસની કેટલી લાંબી દાઢી-મૂછ છે!"

આ વાત સાંભળને વાળંદે કહ્યું '' અરે ના ભાઈ/સર વાળંદ તો હોય છે. પરંતુ કેટલાંક એવાં માણસો હોય છે જે લાંબી દાઢી-મૂંછ રાખતાં હોય છે તે અમારી પાસે નથી આવતાં તેનો અર્થ એવો તો ન હોઇ શકે ને કે, દુનિયામાં-ગામમાં-શહેરમાં કોઇ વાળંદ નથી.

'' ચોક્કસ બીલકુલ સત્ય તમારી વાત સાચી છે, માણસે, વાળંદને કહ્યું, “બસ આ જ વાત છે ભગવાન પણ છે પણ લોકો તેમની પાસે જતાં નથી અને તેમને શોધવાની કોશીષ કરતાં નથી. દુનિયા માં આટલું બધું દુ:ખ પીડા છે.'' આ વાત સાંભળવું મારી પાસે અડગ ભરાય છે.

ભગવાન/પરમાત્મા એવી દિવ્ય શક્તિ કોઇ આસપાસ ચોક્કસ પણે છે જે આપને પૂરા વિશ્વને કોઇ ને કોઇ રીતે સહાયરૂપ મદદગાર બનતી હોય છે. અને જેને પરિણામે આજે વિશ્વ અડિખમ ઉભું રહેલ છે. અનેકો અનેક સંકટો આવી પડે છે પરંતુ તેના ઉકેલ સમયાંતરે સામે આવી જતા હોય છે.

..........................................................................................................................................................

DIPAKCHITNIS(dchitnis3@gmail.com)