What is the importance of water in human life. in Gujarati Magazine by Bhatt ramesh books and stories PDF | મનુષ્યના જીવન માં પાણીનું મહત્વ કેટલુ ?

Featured Books
Categories
Share

મનુષ્યના જીવન માં પાણીનું મહત્વ કેટલુ ?

પાણી જે સમ્રગ પૃથ્વી વાસીઓ માટે જીવન જરુરીયાત છે જે પાંચ અમૃત પૈકી એક માનવામાં આવે છે જે માણાષ ને ઊજાૅ આપે છે જે વૃક્ષ ને ઉછેરે છે શરીર ના દદ્ર/પીળા ને દૂર કરે અને એકદમ તાજગી પ્રદાન કરે છે.મજૂરી કે નોકરી ધંધાદાર કોઈ પણ હોય તે જયારે થાકીને આવે અને પાણી પીવે ત્યારે તે ગમે તેટલો થાકેલો/હારેલો કે ગુસ્સે ભરેલ કેમ ના હોય તેને શાંત્તી ની અનૂભૂતી કરાવે છે,તેમા ઊજાૅ પાછી આવી જાય છે ટુકમા કહીએ તો તેની ગેરહાજરી એટલે સમ્રગ સૃષ્ટ્રી નો વિનાશ.
આપણે જરા અનૂભવ કરી કે બે-ત્રણ દિવસ સાવ પાણી વગર રહેવુ પડશે તો, અથવા તો એવુ બને કે પાણી નો ભાવ આજે લિટર ના ૫૦/૬૦ રુપીયા થયા તો.અસંભવ,અસત્ય માનવા મા ન આવે.સાચુ ને, આ હીસાબ કરતા દરેક વ્યકતી ને શારીરીક રીતે તદુરસ્ત રહેવા માટે ૨૪ કલાકમાં ૫ થી ૬ લીટર પાણી તો જોઇએજ તો તે હીસાબે ૧ દિવસ ના ખાલી પાણી ના ૨૫૦/૩૦૦ જોઈએ.લોકો કહેશે કે પાગલ તો નથી થય ગયા ને પાણી ના આટલા કય હોતા હશે! પણ વાત હસી કાઢી શકાય તેવી નથી.
એવી અમુક ઈન્ટરનેસનલ સંસ્થા ના રીપોટૅ પ્રમાણે ભવિષ્યમાં પૃથ્વી એટલી હદે પ્રદૂષિત થઇ ગય હશે કે માણાષ ને રહેવા યોગ્ય નહી રહે અને પાણીનું સ્તર તળીયે પહોંચી જશે.
આપણે દરરોજ સાંભળીયે છીએ કે આ વષૅમાં વરસાદ પાછળ ખેચાયો ,માવઠૂ છે,વાદળા ફાટીયા.આવુ થવાનુ કારણ શું.હોય શકે એ આપણે કયારેય વિચાયુૅ છે દરેક જગ્યાએ માણાષ પોતાના સ્વાથૅ માટે પોતાની જીવન જર્રુયાત કરતા વધારે ચીજ/વસ્તુ માંગ સતત વધારતો જ જાય છે જેના લીધે જંગલ કપાતાજ જાય છે,જેના લીધે પયાૅવરણ બગડે તાપમાન વધે છે જેને આપણે કલ્યામેન્ટ ચેંજ કહી છીએ જે આપણા દ્રારા ઉગેલો શબ્દ છે.
દરેક વ્યકતી જરુયાત કરતા વધારે પાણી મફતમાં મળતૂ હોવાથી ગટર કે અન્ય રીતે વેળફી નાખીએ છીએ.ત્રણ-ચાર પાણીની ડોલ માં નાઈ શકીએ અને એક પાણી ની ડોલમા પણ નાઈ શકી .૫૦૦/૬૦૦ લીટર પાણી ગાડી વોસિંગ ની જગ્યાએ એક ડોલ પાણી મા વોસીંગ થઈ શકે.કોઈ જાત નો માણાષ વિચાર કરતા નથી.અને આવીજ પરિસ્થીતી રહી તો ભવિષ્ય મા પીવા માટે પાણી નહી રહે,અને કદાચ બની શકે આપણે આ પૃથ્વી છોડી બીજા કોઈ ગ્રહ પર જવુ પડશે.
માણાષ એ એવી કુટેવ થી ટેવાયેલો છેકે મફત ની વસ્તુ ની કદી કદર નથી કરતો.પાણી ભલે સાવ મફતના ભાવે મળે પણ તેનૂ મુલ્ય માપી શકાય તેમ નથી.અને માણાષ આજે મૂલ્યવાન વસ્તુની કદર કરતો નથી પૈસા પાછળ એટલો આંધળો બની ગયો છે કે તે ભવિષ્યમાં આગળ ની પેઢી નો વિચાર આવતો નથી.હાલમાં પૃથ્વી કેટલીક જગ્યા એવી છે કે જયાં વરસાદ સાવ ઓછો પડે છે જયાં દુષકાળ જેવી પરીસ્થીતી છે,સહારા ના રણપ્રદેશ,ઇઝરાયલ જેવી અનેક જગ્યા ઓ છે. આપણે અહીં ઘરે પાણી નળમાં જ આવી જાય છે પાણી માટે કયાં ભટકવું પડતુ નથી કષ્ટ કયાૅ વગર પાણી મળી જાય છે,પણ જયાં પીવાના પાણી માટે કેટલાય દૂર સુધી પાણી ભરવા માટે જવુ પડે છે અને કેટલાય પૈસા ચૂકવવા પડે છે છતા જરુર કરતા ઓછુ પાણી મળે છે. ત્યા લોકોને પાણીના ટીપા-ટીપા ની કિંમત છે.આપણે ત્યાં જય ન શકીએ તો કયાં નહીં પણ તેના વિષે જાણી જ શકીએ.
અમુક લોકો કહેશે કે પાણી એ ફકત આપણા બચાવવા થી થોડુ બચવાનુ અને એમાઈ આ કામ સરકાર કે પંચાયતનું છે ,પણ કહેવાય કે ટીપે ટીપે સરોવર ભરાય અને એ આપણી પણ ફરજ છે. એ માટે આપણે બધા એ ભેગા મળી ને પાણી બચાવવુ પડશે.અને કહેવાય છેને "જલ હે તો કલ હૈ"