manas no purto samay in Gujarati Moral Stories by RJ_Ravi_official books and stories PDF | માણસ નો પૂરતો સમય

Featured Books
Categories
Share

માણસ નો પૂરતો સમય

કોઈએ બહુ સારી વાત કહી છે કે સમયની બહુ સારી વાત કહી છે કે સારો સમય હોય કે ખોટો ક્યારે ટકતો નથી પણ સમય સાથે ચાલશો તો જરૂર સફળ થશો...

Tittel by... kajal umat
Writer...RJ Ravi

આજે કંઈક નવું શીખીયે.............

એક વાર એક.સમ્રાટ એ એક વજીરને ફાંસી ની સજા સંભળાવી...તો રાજાએ પોતાના સૈનિક ને કહુ કે જાઓ એ વજીરના ઘરે અને એને કહો કે સાંજે 6 વાગે ફાંસી આપવામાં આવશે... તો સૈનિકો ચારે બાજુ ઘેરાઈ જાય છે અને બે સૈનિક અંદર જાય છે અને ત્યાં જોવે તો ત્યાં વજીરના મિત્રો અને વજીર આ બધા પાર્ટી કરતા હતા...

વજીરનો જન્મદિવસ હતો પકવાન બનતા હતા મ્યુઝીક પણ વાગતું હતું..બધાને મજા આવી રહી હતી આ બધા વચ્ચે જોરથી અવાજ આપીને સૈનિકોએ કહું કે તમને સમ્રાટએ સાંજે 6 વાગ્યે ફાંસી આપવાનો આદેશ આપ્યો છે.તો આ વાત સાંભળી ત્યાં બેઠેલા બધા મિત્રો એક બીજા સામું જોવા લાગ્યા અને નિરાશ થઈ ગયા અને મ્યુઝીક પણ બંધ થઈ ગયું અને વજીર ને પોતાના મિત્રો કહે છે કે વજીર આ છું છે.? ત્યારે વજીર કહે છે કે એ ભગવાન નો આભાર કે સાંજે 6 વાગ્યા સુધીનો ટાઈમ અપાયો એ સમ્રાટ નો આભાર કે મને એટલો ટાઈમ આપો. હજુ વાર છે ને ત્યાં સુધી આપણે બધા પાર્ટી કરી કરીયે અને મજા કરીયે અને ત્યારે એના મિત્રો બોલે છે કે શું પાગલ જેવી વાત કરે છે?


તારી ફાંસી છે અને પાર્ટીની વાત કરે છે આ બધાના વચ્ચે વજીરએ એના મિત્રોને કહું કે જેટલો સમય મળ્યો એટલો સમય ખુશી માનવો અને વજીર એના મિત્રોને કન્વેસ્ટ કરે છે અને પેલા જેવો માહોલ હતો એવો કરી દે છે અને સૈનિકો ને કહું કે સમ્રાટને કેજો કે 6 વાગ્યા ના સમય હું ત્યાં હાજર થઈ જઈશ ત્યારે સૈનિકો સમ્રાટ ને ખબર પોહચાડે છે અને કહું કે સમ્રાટ અમે કહું છતાં એ વજીર પાર્ટીમાં વ્યસ્ત છે આ સાંભળી સમ્રાટ વજીરના ઘરે જાય છે અને કહે છે કે વજીર તારી ફાંસી છે છતાં તું પાર્ટી બનાવે છે.? ખુશ છે ત્યારે વજીરાએ કહું કે સમ્રાટ જ્યાં સુધી સમય મળે ત્યાં સુધી ખુશ રહી લેવું કેમ કે વીતેલો સમય ક્યારે પાછો નથી આવતો ...

આ સાંભળી સમ્રાટ બોલ્યો વજીર તારા સર પર મોત હતી તો પણ તું સમયની કિંમત આપતો રહ્યો અને કહું કે તારા જેવા માણસો ની આ દુનિયામાં જરૂર છે. .તારી ફાંસી માફ કરું છું તું ખુશીથી જન્મદિવસ ઉજવણી કર. આ સ્ટોરી દ્વારા

Rj ravi એટલું કહે છે કે સમય ચાલ્યો ગયો તો પાછો ક્યારે પણ નહીં આવે એટલે જેટલો સમય મળે છે એની સાથે ખુશ રહો...અને જિંદગીમાં એક વાત હમેશા યાદ રાખો જો સમયની કદર કરશો તો સમય તમારી કદર કરશે તો હંમેશા સમય સાથે ચાલો અને ખુશ રહો જ્યાં સમય સુરક્ષીત હોય ત્યાં માણસ પણ સુરક્ષિત જ હોય છે...આપનો સમય હંમેશા કોઈના કોઈ કામ માટે વાપરતા રહો....

આ એક નાનકડી વાત એટલુ કેવા માંગે છે કે તમે સમય સાથે ના ચાલ્યા તો ક્યારે આગળ નહીં વધી શકો તો સાચવો પોતાને અને પોતાના સમયને જય માતાજી ફરી મળીશું


યાદ રાખો કે જિંદગી માં કંઈક એવું શીખો કે દુનિયા શીખવા માંગે તમારા જેવું

હર સોમવાર એક નવી સ્ટોરી સાથે rj ravi ના પેજ પર

આજ કંઈક નવું શીખીએ...

આભાર....🙏🏻🖋️😊