ઈર્ષ્યા અને અહંકાર તમારા સુખનl દુશ્મન છે ...
આ ખતરનાક લાગણીઓથી બચતા રહો..
કેટલીક લાગણીઓ દુખ આપે છે...જેમાં ઈર્ષ્યા ને અહંકાર મુખ્ય છે.
ઈર્ષા તમારા સુખની દુશ્મન છે.
માનવ સ્વભાવ સાથે આ લાગણી સાંકડાયેલી છે…
આવી જ અન્ય કેટલીક લાગણીઓ છે
જે બધી નેગેટીવ છે અને દુખ સિવાય તેમાંથી કઈ મળતું નથી
ઈર્ષ્યા અને અહંકાર , નફરત કે ક્રોધ એ બધી ખતરનાક લાગણીઓ છે...
તમારા સુખને દુર કરે છે...દુખને નુક્શાન સિવાય કઈ આપતી નથી.
મનોરભાઈ પાસે પેસા છે ....વૈભવ છે ગાડીઓ છે..સુખી પરિવાર છે.
નાતમાં ઘણl ને તેમની ઈર્ષ્યા થાય છે....
તેમની પાસે આવીને સારી સારી વાતો કરી જાય
બીજાની ટીકા કરે પણ અંદરખાને તમની ઈર્ષા કરે ...
આવું તેમના પડોશીઓ ને પણ થાય.. આમાં કઈ નવી વાત નથી..
કારણ આ બનવાકાળ છે...
સમાજમાં ને માનવમનમાં ઈર્ષા હોય એકબીજાની તે નવાઈની વાત નથી....
ઈર્ષા કરનારની ઈર્ષા તેમનેજ નુકશાન કરે છે. કોઈ ફાયદો નથી કરતી. ...
તમારું અંગત સુખ ને માનસિક શાંતિ આવી લાગણીઓથી ઓછુ થાય છે..
> પેલાની પાસે છે તેટલા પેસા મારી પાસે નથી કે મારો બંગલો તેના જેવો નથી
આવા વિચારો સુખને દુર ધકેલવાનું જ માંત્ર કામ કરતા હોય છે.
મારી પાસે મોના બેન જેવી સાડીઓ નથી કે ઘરેણા નથી તેમ વિચારવું
એટલે સુખનો નાશ કરવો અને જાતે બળ્યા કરવું…
> આવી નાની નાની ઈર્ષા પણ તમારા આનંદ અને નાના નાના સુખને પલીતો
ચાંપવાનું જ કામ માત્ર કરે છે.
>
> આવી લાગણી ઓ થવી સ્વાભાવિક છે ..મન છે, થયા કરે.
.તમે વધુ સતેજ પણ નથી આવી બાબતો માં.. પણ આ બધું સુખને દુર કરે છે.
>
> સ્પર્ધા કે સ્વસ્થ સ્પર્ધા વિકાસ કરે છે અને પ્રગતી માટે જરૂરી છે..
પણ ઈર્ષા થી મિશ્રિત સ્પર્ધા આનંદ નો નાશ કરે છે સુખને દુર ધકેલે છે..
શાંતિ ની દુશ્મન છે...
આ બધી લાગણીઓ મનમાં અશાંતિ નું કારણ બને છે ..
માનસિક રીતે આનંદને ખતમ કરે છે...
એટલે જ સુખી થવાની એક શરત છે કે કોઈની પણ ઈર્ષ્યા ન કરો....
ઈર્ષા નેગેટીવ લાગણી છે...એના પર અંકુશ મેળવો અને પોજીતીવ વિચારો...
પરિવારમાં ઈર્ષ્યા હોય ભાઈઓ ભાઈઓ વચે કે ભાઈ બહેન વચે તેમાં નવાઈ નથી
આ ઘર ઘરની વાત છે..
આપણી સોની વાત છે..
અને પરિવારો તુટે છે પણ આજ કારણે
..સબંધો નથી રહેતા ઉમર વધતા એનું પણ આજ એક કારણ છે...
> ઓફિસમાં સાથીની ઈર્ષ્યા બહુ સ્વાભાવિક છે..
સબંધોમાં આ પ્રકારની ઈર્ષ્યા થી ઓટ આવે છે..
]
ઉષ્મા નથી રહેતી...અને અવિશ્વાસ રર્હે તે અલગ.
કામને અને ઓફીસના વાતાવરણ ને અસર પણ આવા કારણે થતી હોય છે.
કહે છે કે ઈર્ષ્યા અને કજીયાખોર એક સ્વભાવ છે..
અને સ્વભાવને બદલવો બહુ મુશ્કેલ છે...
પણ સુખી થવું હોય તો સ્વભાવને કેળવવો પડે
અને સ્વભાવ પણ બદલવો પડે .....
ઈર્ષ્યા પર કાબુ મેળવવા જરૂર પડે તો મિત્રો ...સોબત બદલો..
વાતાવરણ બદલો...અને નવો શોખ રાખો…
કોઈ કાર્ય કરો કે ધ્યેય રાખો અને તેમાં મન પરોવો…
સારું વાંચન કરો કે સારા પ્રવચનો સાંભળો....
તમારા ફેમીલી કે વર્ક પ્લેસ ને ઈર્ષ્યા થી બચાવો તો જ સુખી થશો
અને માનસિક શાંતિમાં માં જીવી શકશો...
>
આપણને અહંકાર સાથે સંબધ નથી એમ કોણે કહ્યું?
સાધુ સંતો પણ અહમથી મુક્ત નથી
સતાધારી વ્યક્તિ તો અહંકાર થી ભરેલી હોય છે…
કોઈને રૂપનું, તો કોઈને ધનનું, તો કોઈને સતlનું
અભિમાન હોય છે..
કોઈ તો વડી અભિમાનના સાતમાં મl ળે જ હમેશા બેઠેલા હોય છે..
અને આવા લોકો થી તો બસ ભગવાન બચાવે..
અl વl અહંકારી લોકો નથી પોતે સુખી થઇ શક્તl ,
નથી એમની આસપાસના ને સુખેથી જીવવા દેતા..
અહંકારી વ્યક્તિ ભોતિક સુખ સગવડો થી સમ્પન્ન હોય તો પણ સુખમાં કે આનંદ માં રહી નથી શકતો.
તેનો અહમ જ તેના આનંદ અને શાંતિનો દુશ્મન બની જાય છે.
અહંકાર એ નકારાત્મક લાગણી છે.. અને કોઈ પણ નેગેટીવ લાગણી સુખને દુર રાખે છે.
અહંકાર એ મનુષ્યનો સ્વભાવ છે. અહંકારી મનુષ્ય પો તાને
અને બીજાને પણ નુકશાન કરે છે.
બધા અહંકારી માણસો થી દુર ભાગે છે. સિવાય કે એ સત્તા પર હોય..
અહંકારી વ્યકિત બિનજરૂરી વિવાદ કરે છે કે તેમાં ફસાય છે .
અહંકારી કોઈને ગમતો નથી.
અહ્કાર અને સ્વમાન વચે બહુજ પાતળી ભેદરેખા છે.
ઘ ણીવાર સ્વાભિમાની અહ્કારી માં ખપી જાય છે.
અહંકારી સ્વાર્થી અને ક્રૂર બની જાય છે.
જયારે સ્વમાની એટલો સ્વાર્થી કે ક્રૂર બની નથી શકતો.
સ્વાભિમાની માત્ર પોતાનો જ વિચાર કરતો નથી
બીજાનો પણ વિચાર કરે છે.
જયારે અહ્કારી માત્ર પોતાનોજ વી ચાર કરે છે .
મારે શું અને મારું શુ આ અહ્કારી માટે પ્રથમ વિચાર હોય છે.
મેં જોયું છે કે અહંકારી સ્ત્રી પોતાના બાળક કે પતિ
કે પરિવારનો પણ વિચાર કરતી નથી
.માત્ર પોતાનો જ વિચાર અને પોતાની
જરૂરિયાતો તેની પ્રl થમિકતા હોય છે.
તેવું જ અહ્કારી પુ રુસ નું પણ હોય છે.
એટલુજ નહિ બધા તેનો જ ખ્યાલ કરે અને તેની વાત મl ને આવો અlગ્રહ પણ અહ્કારીને હોય છે.
અહ્કારી અત્યંત સ્વાર્થી હોય તે સ્વાભાવિક છે.
પોતાનાથી કોઈ અlગળ વધે તે પણ તેને પસંદ નથી.
પોતાનાથી કોઈ વિશેષ છે તે સ્વીકારતા તેમને મુશ્કેલી પડે છે.
એટલે જો તમે અl વl અહ્કારી ના નજદીક ના વર્તુળમાં છો તો તમારી શાંતિ અને સુખ તો દુર પણ તમારો વિકાસ પણ અટકી શકે છે.
તમારે બરોબર ટક્કર જીલવી પડશે.
તમારા અસ્તિત્વની લડાઈ રીતસર આવી વ્યક્તિઓ સાથે કરવી પડતી હોય છે.
અહ્કારી ને હજૂરિયાઓ તેમજ તેમનો અહ્કાર પંપાળે તેવી વ્યક્તિઓ જ ગમે છે.
બીજાને તે પોતાના દ્દુશ્મન સમજી તેમની પ્રત્યે શંકા શીલ રહે છે.
અહ્કારીને વાતવાતમાં ખોટું લાગે છે .
નાની વાતમાં પણ તેનો અહમ ગવાય છે..
સતત તેનો અહમ બધા પપlળે તેવી અપેક્ષા રહે છે.
અહંકારી નું વર્તન અને વાણી તોછડા થઇ જાય છે.
વિવે ક ગુમાવે છે ગણીવાર.
.
જો કે ચતુર અને ઘણl શાણl માણસો અl વl અહ્કારી જો સતા
પર હોય તો તેનો સારો ફાયદો ઉઠાવી તેની આસપાસ ગોઠવાઈ જાય છે.
ખાસ કરી ને બોસ કે નેતા કે અધિકારી ઓ વિશેષ અlવl ચમચા ઓ થી
અને હજુરીયોથી ગેરાયેલા રહે છે.
કારણ તેમનો અહ્કાર છે. અને આવા લોકો જ પછી તેમના પર છવાઈ જાય છે.
તેમની ચાપલુશી કરી ખુશામત કરી તેમના અહમ ને પંપાળે છે…
નેતાઓ અને બોસ પછી આવે સાધુ સંતો.
સાધુ સંતો નો અહમ પણ ઓછો નથી હોતો.
આપણે ત્યાં જે ગુરુપ્રથા છે તે અl વl અહ્કાર માં થીજ આવી છે.
અહંકાર વિનાશ પણ કરે અને વિકાસ પણ થાય..
અહ્કાર સુખ આપે અને દુખી પણ કરે.
અહ્કાર થી ઘ ણl સંઘર્સો દુનિયામાં થયા છે..
પરિવાર માં જગડા અને વિભાજન કે પેઢીઓનું વિભાજન અહ્કાર માંથી થાય છે.
રાજકારણ અને નોકરીમાં તો કહેવાય છે કે ઉપરીનો
અહ્કાર જીતો અને પપાડો તો જ અl ગળ આવો..
અગાઉ પરિવારમાં સાસુ માટે આવું હતું હવે તો વિપરીત સ્થિતિ છે.
બાળકને પણ અહમ હોય છે. તે તો સો જાણે છે.
આ વl આ અહમ ને જેણે જીત્યો તે જિંદગી જીતી ગયો.
જીવનમાં સુખી અને સફળ થઇ જશો જો ઈર્ષ્યl અને અહંકાર ને જીતી શકશો તો…
એટલું યાદ રાખો કે તમો આ સૃષ્ટી ના સર્જક નથી .
તમારા થકી બધું ચાલતું નથી
તમારા વગર કોઈનું કઈ અટકવાનું નથી.
દુનિયા અlમ જ ચાલતી રહેશે.
સ્વનું નિરીક્ષણ કરો જેથી ઈર્ષ્યlઅને અહંકારમાં ન અવાય.