એટલે હું સમજી જઈશ" મારું પરિણામ શુ આવ્યું હશે...
એટલે મગન બધા વિષય માં ફેઈલ હતો ચેહરો થોડો નિરાશ હતો... મગન ના બાપા મગન કરતા પણ ચાલાક અને સમજદાર એટલે.બાપા ને ખબર પડી ગઈ હતી કે પુરા વૈષ્ણવ સમાજ ના જય શ્રી કૃષ્ણ કહેવાય ગયા હોય તો પરિણામ શુ હશે??... મગન ના ખંભે હાથ રાખી બાપા એ કહ્યું બેટા "જય શ્રી કૃષ્ણ" કરવાના છે.... એટલેેે મગન સમજી ગયો.. એટલે બાપા ને કહ્યું કે હા બાપા જય શ્રી કૃષ્ણ. ....???
પણ મિત્રો પરીક્ષા તો આવે ને જાય પરિણામ જે પણ આવે એનાથી ચિંતા ના કરતા... ક્યારેય નબળું ના વિચારતા જે પણ થશે સારું જ થશે.. એટલે તમારા બધા student માટે એક સરસ મજા ની કવિતા.....
દોસ્ત પરીક્ષા તો આવે ને જાય,
એક પેપર માટે જિંદગી થોડી ટુંકવાય,
ભાગ્યશાળી બની ને જ જિંદગી મેળવાય છે,
આ વાત તો સત્ય સાથે કહેવાય છે,
પરીક્ષા તો સાચી જીંદગી ની લેવાય છે,
પછી દોસ્ત પેપર માટે જિંદગી થોડી ટુંકવાય,
ઉગે કમળ કીચડ માં એટલે જ રાષ્ટ્રીય ફૂલ ગણાય છે,
વાત વિચારો કે કીચડ માં રહી ને પણ ક્યાં મુંજાય છે,
હીરા થવા માટે થોડુંક તો ઘસાય જવાય,
પણ એક પેપર માટે જિંદગી થોડી ટુંકવાય,
કીડી પણ દાણો લઇ દીવાલે ચડે છે,
ચડી ને પડે તો પણ ફરી પ્રયત્નો કરે,
કીડી પણ નવી કેડી કંડારતી જાય છે,
પછી એક પેપર માટે જિંદગી થોડી ટુંકવાય,
મોતી તો ઊંડા પાણી માં જ પંકાય છે,
કાંઠા પર તો માત્ર છીપલા જ દેખાય છે,
એટલે જ મોતી ઊંચી કિંમતે વેંચાય છે,
તો આપણી જિંદગી કેમ આમ ટુંકવાય...
હવે તો મેહનત ને જ મંત્ર બનાવી લેવાય,
પછી ડર ને દૂર થી જ સલામ કરાય,
પછી જો આમ દુનિયા પર વિજય મેળવાય,
દોસ્ત જિંદગી ના ટુંકવાય એ તો વટ થી જીવાય...
દોસ્ત પરીક્ષા તો આવે ને જાય,
એક પેપર માટે જિંદગી થોડી ટુંકવાય,
----અમિત વડગામા''અટલ''
........આપ સૌ વાચક મિત્રો ને જય શ્રી કૃષ્ણ........