કહાની રજનીશની...

(13)
  • 5k
  • 1
  • 2.8k

આચાર્ય રજનીશ પોતાના શિષ્યો અને અનુયાયીઓ માટે ફક્ત ઓશો જ હતા. પરંતુ ભારતમાં જ નહીં વિદેશમાં પણ તેમના અનુયાયી અને શિષ્યોની સંખ્યા જેમ જેમ વધવા લાગી તેમ તેમ તેમને પહેલા આચાર્ય રજનીશ અને પછી ભગવાન શ્રી રજનીશના નામથી બોલાવવામાં આવ્યા હતા. ઓશો રજનીશે અંતિમ વિદાય લીધી તે વાતને આજે ત્રણ દાયકા કરતા વધારે સમય વિતી ગયો છે. તેમ છતાં ભારત જ નહીં વિશ્વમાં આજે પણ તેમના અનુયાયીઓ અને શિષ્યોની સંખ્યા ઓછી થઇ નથી. આજે પણ લોકો તેમના સંદેશનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, એટલું જ નહીં તેમને ફોલો પણ કરે રહ્યા છે. ત્યારે રજનીશ સાથે જાેડાયેલા નામ ઓશોનો અર્થ સમજવો જરૂરી છે. ઓશોનો અર્થ એ થાય છે કે, એવી વ્યક્તિ જેને પોતાને સાગરમાં સમાવી લીધી હોય.

Full Novel

1

કહાની રજનીશની... - 1

પ્રકરણ ૧ આચાર્ય રજનીશ પોતાના શિષ્યો અને અનુયાયીઓ માટે ફક્ત ઓશો જ હતા. પરંતુ ભારતમાં જ નહીં વિદેશમાં તેમના અનુયાયી અને શિષ્યોની સંખ્યા જેમ જેમ વધવા લાગી તેમ તેમ તેમને પહેલા આચાર્ય રજનીશ અને પછી ભગવાન શ્રી રજનીશના નામથી બોલાવવામાં આવ્યા હતા. ઓશો રજનીશે અંતિમ વિદાય લીધી તે વાતને આજે ત્રણ દાયકા કરતા વધારે સમય વિતી ગયો છે. તેમ છતાં ભારત જ નહીં વિશ્વમાં આજે પણ તેમના અનુયાયીઓ અને શિષ્યોની સંખ્યા ઓછી થઇ નથી. આજે પણ લોકો તેમના સંદેશનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, એટલું જ નહીં તેમને ફોલો પણ કરે રહ્યા છે. ત્યારે રજનીશ સાથે જાેડાયેલા નામ ...Read More

2

કહાની રજનીશની... - 2

પ્રકરણ ૨ ડીએન જૈન કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ચંદ્રમોહનના કરિયરની શરૂઆત ૧૯૫૭માં રાયપુરથી થઇ હતી. રાયપુરમાં સંસ્કૃત તેઓએ નોકરી શરૂ કરી હતી. જે બાદ જબલપુર યુનિવસિર્ટીમાં ૧૯૬૦માં તેમને દર્શન શાસ્ત્રના પ્રોફેસર તરીકે નોકરી શરૂ કરી હતી. એ સમયે તેમની નામના સમગ્ર પ્રાંતમાં એક તેજસ્વી અધ્યાપક તરીકેની હતી. એક તરફ યુનિવસિર્ટીમાં વિદ્યાર્થીઓને દર્શન શાસ્ત્રનું શિક્ષણ આપવાનંુ અને બીજી તરફ આધ્યાત્મિક ગુરૂ તરીકે પ્રવચન આપવાની પણ તેમને શરૂઆત કરી હતી. જે મો તેઓ સમગ્ર ભારત દેશનો પ્રવાસ કરતા હતા. તે સમયે તેમના વ્યાખ્યાન રાજનીતિ, ધર્મ અને સેક્સ વિષય પર આધારીત હતા. જેમાં તેમને અનેક વિવાદાસ્પદ નિવેદનો પણ કર્યા હતા. ...Read More

3

કહાની રજનીશની... - 3

પ્રકરણ ૩ ઓશો તેમના દરેક અનુયાયી અને શિષ્ણને એક માળા આપતા હતા. જે માળા લાકડાની બનેલી હોય અને લોકેટ હોય. જે લોકેટમાં બન્ને તરફ ઓશોની છબી રહેતી હતી. તેઓ આશા રાખતા હતા કે તેમના દરેક અનુયાયી અને શિષ્ણ આ માળા હંમેશા પહેરી રાખે. ઓશો તેમની શરણે આવનાર દરેક શિષ્ય અને અનુયાયીને નવું નામ આપતા હતા. જેની પાછળ તેમનો ઉદ્દેશ એ હતો કે, તેમની શરણે આવનાર વ્યક્તિ પોતાનો ભૂતકાળ ભૂલી નવેસરથી જીવનની શરૂઆત કરે. તેમના શિષ્યો અને અનુયાયીઓ હંમેશા લાલ અથવા નારંગી રંગના વસ્ત્રો પહેરા હતા. જે પણ ખુબ જ ઢીલા રાખવાનો તેઓ અનુરોધ કરતા હતા. જેની પાછળ તેમનો ...Read More

4

કહાની રજનીશની... - 4

પ્રકરણ ૪ ઓશો પ્રવચન સમયે અથવા મુલાકાત સમયે હંમેશા ખુરશી કે સિંહાસન પર બેસતા હતા. જ્યારે તેમના શિષ્યોને પર બેસાડતા હતા. પૂણે આશ્રમની શરૂઆતના થોડા સમયમાં જ તેઓના અનુયાયીઓમાં ઘણો વધારો આવ્યો હતો. આશ્રમમાં તેમના પ્રવચન સાંભળવા માટે રોજના ૫૦૦૦ અનુયાયી આવવા લાગ્યા હતા. બીજી તરફ ઓશોના આશ્રમના કારણે પૂણેમાં પણ પર્યટકોની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો. એટલું જ નહીં ઓશોના આશ્રમના લીધે જ પૂણેને વિશ્વના નકશામાં એક ઓળખ મળી હતી. જેના કારણે પૂણેના અર્થતંત્રને પણ ફાયદો થવા લાગ્યો અને શહેરમાં ધન અને રોનક આવવા લાગી હતી. ઓશોના આશ્રમમાં તેમના પ્રવચન ઉપરાંત હવે, નવી નવી થેરપી આપવાની પણ ...Read More

5

કહાની રજનીશની... - 5 (છેલ્લો ભાગ)

પ્રકરણ ૫ ઓશો તેમના પ્રવચન અને વ્યાખ્યાનમાં ઘણી વખત સેક્સ રિપરેશનની વાત કરતા હતા. જેના કારણે જ તેમના મુક્ત સેક્સ જીવન જીવવા થયા હતા. જેની અસર આશ્રમમાં એવી થઇ કે અનુયાયીઓમા ચેપી ગુપ્ત રોગોના દર્દીની સંખ્યા વધવા લાગી હતી. કેટલાક અનુયાયીઓ તો એક જ મહિનામાં ૯૦થી વધુ વખત સેક્સ કરતા હોય તેવો પણ ઉલ્લેખ અનેક સ્થળે કરાયો છે. ર્માં આનંદશીલા કહે છે કે, આશ્રમમાં રહેતા અનુયાયીઓ માટે દિવસ દરમિયાન અનેક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવતું હતું. જેમાં તેઓ સતત વ્યસ્ત રહેતા હતા. તેમ છતાં તેમને સેક્સ માટે સમય કેવીરીતે મળતો હશે તેનું જ મને આશ્ચર્ય છે. એક તરફ આશ્રમમાં ...Read More