વિષકન્યા

(235)
  • 43.9k
  • 19
  • 21.4k

હજુ તો રોમા સાથેના વિવાહને માંડ એકાદ મહિનો જ થયો હશે, રોમા અને સમીર પતિ-પત્ની તરીકે જ રહેતાં થઈ ગયાં હતાં ‘ને રોમાના દુર્ગુણો સમીરની સામે આંખો કાઢવા માંડ્યા ..! ગમે તેવું અગત્યનું કામ કેમ ના હોય ...પણ રોમાને જ્યારે જવું હોય ત્યારે જતી રહે ..માત્ર એટલું જ નહીં , પણ એને જ્યાં જવું હોય ત્યાં જાય જ..! પાછું પૂછાય પણ નહીં કે તે ક્યાં જાય છે અને કોને મળવા જાય છે ? શું કામ છે ? જો કે એમાં રોમાનો પણ કાંઇ વાંક નહોતો જ ..! તેણે સમીર સાથે વિવાહ કરતાં પહેલાં જ આ બધી વાતની શરતો કરી લીધી હતી –કે તે વિવાહ પછી પોતાની આઝાદીમાં ડખલ કરવાનો સમીરને અધિકાર આપતી નથી –સમીરે ક્યારેય પૂછવાનું નહીં કે તે ક્યાં જાય છે ?શા માટે જાય છે ? અને કોને મળવા જાય છે ? એ બધી બાબતો રોમાની અંગત બાબતો હતી અને રોમા તેમાં સમીરનાં ઇન્ટરફીયર કે બંધનો કોઇ કાળે સ્વીકારશે નહીં –સમીરે એમાં ચંચુપાત કરવાની જરૂર નથી –અને જો સમીર તેમાં ચંચુપાત કરશે તો રોમા તરત જ તેને છોડીને ચાલતી થઈ જશે –પછી સમીરનું જે થવાનું હોય તે થાય ..!

Full Novel

1

વિષકન્યા - 1

પ્રકરણ :1 હજુ તો રોમા સાથેના વિવાહને માંડ એકાદ મહિનો જ થયો હશે, રોમા અને સમીર પતિ-પત્ની તરીકે જ થઈ ગયાં હતાં ‘ને રોમાના દુર્ગુણો સમીરની સામે આંખો કાઢવા માંડ્યા ..! ગમે તેવું અગત્યનું કામ કેમ ના હોય ...પણ રોમાને જ્યારે જવું હોય ત્યારે જતી રહે ..માત્ર એટલું જ નહીં , પણ એને જ્યાં જવું હોય ત્યાં જાય જ..! પાછું પૂછાય પણ નહીં કે તે ક્યાં જાય છે અને કોને મળવા જાય છે ? શું કામ છે ? જો કે એમાં રોમાનો પણ કાંઇ વાંક નહોતો જ ..! તેણે સમીર સાથે વિવાહ કરતાં પહેલાં જ આ બધી વાતની શરતો ...Read More

2

વિષકન્યા - 2

। પ્રકરણ : 2 । રોમા અને વિશાખા ભલે બંને બહેનો હતી , ભલે વિશાખા મોટી હતી અને રોમા હતી –પણ હતી તો એકબીજાની હમશક્કલ ..! બંનેને સામ સામે ઉભી રાખી હોય અને વચ્ચે આદમકદનો આયનો મૂકી દેવામાં આવ્યો હોય –એમ એક બીજાનું પ્રતિબિંબ..! નાકનકશો , ચહેરાના વળાંકો , આંખોના ગોળાર્ધો ... ગાલ , હોઠ ... હડપચી ..ગરદનની લંબાઇ પણ એક સરખી ..! ગરદન ઘુમાવવાની રીત પણ એક સરખી ..! તફાવત હોય તો માત્ર તેમની વિચારસરણીમાં જ હતો .વિશાખા ભારતીય સંસ્ક્રુતિનું પ્રતિક હતી , હંમેશાં સાડીમાં જ લપેટાયેલી રહેતી , જરૂર પડે ત્યાં લાજનો ઘુમટો તાણી રસ્તાની એક બાજુ ...Read More

3

વિષકન્યા - 3

। પ્રકરણ :3 । વિશાખા અને રોમાના પપ્પા બહાદુરસિંહ. વિશાખાના મ્રુત્યુથી ખરેખર દુ:ખી થઈ ગયા હતા .પોતાની પુત્રીનું આમ અવસાન ..!? અને તે પણ સ્ટેટના જ ફાર્મ હાઉસમાં ? તેમના માટે તો આ વાત જ કલ્પનાતીત હતી –અને તે પણ પાછું કોબ્રા નાગના કરડવાથી ? તેઓ તો કહેતા હતા કે આ શક્ય જ નથી .વિશાખાના શરીરની ઇમ્યુનિટી જ એવી હતી કે જો કોબ્રા નાગ વિશાખાને કરડે તો વિશાખા નહીં પણ કોબ્રા નાગ જ મરી જાય ..?! પછી વિશાખા મરી ગઈ એ વાત જ તેઓ કેવી રીતે સ્વીકારે ? છતાં જે હકીકત બની હતી એ સ્વીકારવી જ પડે એમ હતું ...Read More

4

વિષકન્યા - 4

। પ્રકરણ :4 । રાજાસાહેબ ગુમ થઈ ગયા છે , એ વાત જાણીને જ સમીરને ચક્કર આવી ગયા .તેને પપ્પા ખૂબ વહાલા હતા .માત્ર બે કલાક પણ જો સમીર રાજાસાહેબને ના જૂએ તો પણ તે રઘવાયો થઈ જતો હતો –જ્યારે આજે તો તેણે સવારથી જ પોતાના પપ્પાને જોયા નહોતા –આવા સંજોગોમાં તે નાના બાળક જેવો થઈ જતો હતો .અત્યારસુધી તો તે વિશાખાના ભૂતની ભ્રમણામાં જ વ્યસ્ત થઈ ગયો હતો , પણ મહારાજ શિકારેથી હજુ આવ્યા નથી , તે જાણીને તેના દિલની ધડકનો વધી ગઈ ..! ક્યાં ગયા હશે મહારાજ ? તેનું મન શંકા-આશંકાથી ઘેરાઇ ગયું હતું , કંઇક અનિષ્ટ ...Read More

5

વિષકન્યા - 5

| પ્રકરણ : 5 | સમીર બે દિવસે ભાનમાં આવ્યો , તે પણ બબ્બે ડોક્ટરોને ઘેર બોલાવ્યા ત્યારે , તો રાજ્વૈધે તો કહી દીધું હતું કે –રાજકુમાર કોમામાં જતાં રહ્યા છે અને હવે તેમના બચવાની શક્યતા ઓછી છે .રાજવૈધની આ વાત ઉપર તો રોમા તેમના ઉપર ગુસ્સે થઈ ગઈ હતી – તે તો બસ એક જ વાત કરતી હતી કે -ના..ના.. એ શક્ય જ નથી કે સમીર આમ અચાનક મને છોડીને ચાલ્યો જાય .સમીરને કઈજ થવાનું નથી , સમીર બધી જ કસોટીમાથી હેમખેમ પાર ઉતરવાનો છે .હજુ તેનો સમય આવ્યો નથી જવાનો –હજુ તો તેણે ઘણું બધું સહન કરવાનું ...Read More

6

વિષકન્યા - 6

--| પ્રકરણ ;6 |-- મહારાજા અજેન્દ્ર્સિંહનું અપહરણ થયું છે એ વાત તો નક્કી થઈ ગઈ –બધાને ખાસ કરીને મહારાણી સમીરને એક વાતની તો શાંતિ થઈ ગઈ કે મહારાજા સલામત છે –જ્યાં છે ત્યાં તેમને કોઈ હાનિ કે નુકશાન થયું નથી , અને કીડનેપરની બધીજ ડિમાન્ડ પૂરી કરવામાં આવશે એટલે મહારાજા સહીસલામત પાછા ફરશે પણ ... ! કીડનેપરની જે ડીમાન્ડ હતી તે વિચિત્ર હતી , આથી શંકાની સોય રોમા અને બહાદુરસિંહ તરફ જ તકાતી હતી ., કારણકે આવી ડીમાન્ડથી માત્ર અને માત્ર રોમાને જ ફાયદો થાય એમ હતો ..પછી બીજા કોઈ મહારાજાનું અપહરણ શા માટે કરે ? કવરમાં જે સંદેશો ...Read More

7

વિષકન્યા - 7

| પ્રકરણ : 7 | બીજા દિવસે સિવિલ મેરેજ માટે રજિસ્ટ્રારની ઓફિસે જવાનું નક્કી થઈ ગયું હતું , એટલે છૂટા પડ્યાં.ખાસ તો બહાદુરસિંહ પોતાના ઘેર ગયા અને મહારાણીને પણ સમીરે પોતાના ઘેર જવા સમજાવ્યાં.. પણ કોણ જાણે કેમ રોમાએ તેમને પોતાના મહેલ ના જવા દીધાં..તેણે તેમને વિનતી કરી કે મને હવે બીક લાગે છે , સમીર તો પડતાં વે’તજ ઊંઘી જશે પણ પાછળ મારી હાલત ખરાબ થઈ જશે .. ઉપરાંત તમારા મહેલમાં પણ હવે તમે એકલા જ છોને ? મહારાજા હોત તો વાત જુદી હતી –હવે તો જમી પરવારીને ઊંઘી જ જવાનું છે ને ? પછી અહી ઉંઘો કે ...Read More

8

વિષકન્યા - 8

|પ્રકરણ : 8 | મુખ્ય ગુપ્તચરે તેને સલામ કરી જે સમાચાર આપ્યા તે તો તેની ઉંઘ ઉડાડી દે તેવા .તેનું કહેવું હતું કે જ્યારથી મહારાજા ગુમ થયા છે અને મહારાજાનું અપહરણ થયું છે ત્યારથી પ્રજા ગુસ્સે થઈ ગઈ છે –જન આક્રોશ ફાટી નીકળ્યો છે –લોકો માને છે કે આ બધાની પાછળ રોમાનો હાથ છે , રોમા જ આ બધો દોરીસંચાર કરે છે અને લોકોની માગ છે કે રોમાને દેશનિકાલ કરો , રાજકુમારનો રોમા સાથેનો વિવાહ ફોક કરો , રોમાને કડકમાં કડક સજા કરો –આજે પીપલ્સ પાર્ટીએ ઉધાવડા બંધનું એલાન આપ્યું છે , તેમ છતાં જો મહારાજા પરત નહીં આવે ...Read More

9

વિષકન્યા - 9

| પ્રકરણ : 9 | સમીર , રોમા , મહારાણી અને બહાદુરસિંહ રજીસ્ટ્રાર ઓફિસે જવા નીકળી ગયાં. ત્યાંની કાર્યવાહી રોમા અને સમીર લોનાવાલા જવા ત્યાંથી જ નીકળી જવાનાં હતાં.. તેઓ ત્યાં સિવિલ મેરેજની કાર્યવાહી પૂરી કરે ત્યાં સુધીમાં તેમણે લોનાવાલા લઈ જવાનાં બધા સામાન સાથે જ સ્ટેટની ગાડી ઇનોવા ત્યાં ડ્રાઈવર સાથે તેમની સેવામાં હાજર થઈ જવાની હતી . આ બાજુ અલતાફ હાર્દિક ઉપર નજર રાખીને બેઠો હતો .તેણે પોતાની મદદ માટે બીજા ચાર સહાયકો બોલાવી લીધા હતાં .માત્ર એટલું જ નહીં પણ રાજ્યના ડી.જી.પી .ને પણ ફોન કરીને ઉધાવડામાં બનેલી બધી જ ઘટનાઓની માહિતી તેમજ મહારાજા અજેન્દ્ર્સિંહનું અપહરણ ...Read More

10

વિષકન્યા - 10 - છેલ્લો ભાગ

| પ્રકરણ :10 | આખો દરબાર હૉલ ખીચોખીચ ભરેલો છે.સિંહાસન ઉપર મહારાજા અજેન્દ્ર્સિંહ બીરાજમાન છે આરોપીઓના પાંજરામાં ભૂતપૂર્વ મહારાજા , રોમા, હાર્દિક અને બહાદુરસિંહને દોરડાથી બાંધીને બેસાડેલા છે . હકીકતમાં તો બાજી મહારાજા રાજવીરસિંહ.ના હાથમાં જ હતી .તેમના જમણા હાથના કાંડા ઉપર ટાઈમ બોમ્બની સ્વીચ હતી , તેમની પાસે જ વાયરલેસ હતો જેમાં માત્ર એક જ સંદેશો ફીડ કરેલો હતો કે- બાઇટ સમીર .. આ સંદેશો રોમા માટે જ ફીડ કરેલો હતો -તેને સેન્ડ કરે એટલી જ વાર હતી -ત્યાં લોનાવાલામાં રોમા તરત જ સમીરને બચકું ભરી લે તેમ હતી -ખરેખર કટોકટીની પરિસ્થિતી હતી .મહારાજા અજેન્દ્રસિંહ કે રાજકુમાર સમીરના ...Read More