ભૂલ એ જીવનનું અભિન્ન અંગ છે. જો ભૂલ ને સ્વીકારીને તેના પ્રત્યે સજાગ રહીએ તો દરેક ભૂલ આપણને નવો અનુભવ આપી કંઇક ને કંઇક નવું શીખવી જાય છે. એ રીતે એ પ્રગતિ માટે જરૂરી બની રહે છે. ભૂલ થયા પછી તેનું પ્રાયશ્ચિત કરી લઇ પછી ભૂલી જવી જોઈએ.