સાચવેલું સોનુ

  • 4k
  • 2
  • 978

આંસુ આ પૃથ્વી પર સાંભળી શકે એવી મનુષ્યની પરમાત્માને સૌથી સુંદરતમ પ્રાર્થના છે, હૃદયની કવિતા છે. જે રીતે વિચાર મનની ભાષા છે, એ રીતે આંસુ તો ઊંડા હૃદયમાંથી આવતી લાગણીની ભાષા છે. આંસુ શા માટે આવ્યાં એનું વિશ્લેષણ અર્થહીન છે. એનું મૂલ્ય બીજી કોઈ વ્યક્તિ સમજી ન શકે. હૃદયમાં જ્યારે લાગણીઓનું ઘોડાપૂર ઊમટે ત્યારે આંખોમાંથી આંસુઓ છલકાવા લાગે છે. વ્યક્તિનાં હૃદય જેટલાં સાફ, એટલાં આંસુ વધારે વહેવા લાગે. એટલે જ તો સ્ત્રીઓને, જલદીથી આંસુ આવી જાય છે.