માનવજાત હજીયે અજ્ઞાની

જ્ઞાની અને વિજ્ઞાનીમાં એક જ તફાવત છે જ્ઞાની હંમેશા તેને બધું જ ખબર હોવાનો દમ ભરતો હોય છે ત્યારે વૈજ્ઞાનિક તે કશું જ નહી જાણતો હોવાનાં સ્વીકાર સાથે જ નવી શોધમાં આગળ વધતો હોય છે તે નિખાલસતાથી તે જે ક્ષેત્રમાં માસ્ટર હોય તેના વિશે પણ કહેતો હોય છે કે તેને હજી ઘણું જાણવાનું બાકી છે અને તેની આ જિજ્ઞાસાને કારણે જ આપણે વિજ્ઞાનમાં પ્રગતિ કરી શક્યા છે.વિજ્ઞાનની પ્રગતિની પાછળ વૈજ્ઞાનિકોની અજ્ઞાનતા જવાબદાર છે.કારણકે જ્યારે તમે બધુ જ જાણતા હોવ ત્યારે તમારે કશું શોધવાની કે ખોળવાની જરૂરિયાત રહેતી નથી પણ જ્યારે તમને કશું જ ખબર ન હોય ત્યારે તમે એ દિશામાં