ઈશ્વરીય શક્તિ - ભાગ 4

ઈશ્વરીય શક્તિ ભાગ 4 પરમાત્મા સુધી પહોંચવાના ત્રણ માર્ગ છે - સત, ચિત્ત અને આનંદ. આ ત્રણેય રસ્તેથી તમે પરમાત્મા સુધી પહોંચી શકો છો. આપણને પરમાત્માનું ખરું સ્વરુપ જોવાની ઈચ્છા થાય તો પરમાત્મા કોઈ ચતુર્ભુજ રૂપમાં પ્રગટ નહીં થાય. પરમાત્માનું પહેલું રૂપ છે સત્ય. જે દિવસે આપણી જિંદગીમાં સત્ય આવવા લાગશે, સત્યમાં વધારો થવા લાગશે, ત્યારે સમજજો કે ભગવાન આપણી નજદીક છે.   સત્ય ભગવાનનું પહેલું સ્વરુપ છે. ચિત્તની વાત કરીએ તો ચિત્ત એટલે આપણી અંદરનો પ્રકાશ. આત્મપ્રબોધને પ્રાપ્ત કરો પછી આનંદ જુઓ. સત અને ચિત્ત તો બધામાં હોય છે, પરંતુ આપણામાં જે છે તેને આપણે પ્રગટ કરવાનો છે, તે