સંઘર્ષ - પ્રકરણ 8

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી.    સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૮ રાજકરણનો ભૂતકાળ ‘એમ એકલો તો તને નહીં જ જવા દઉં.’ ધૂળીચંદે રાજકરણના ખભે હાથ મૂકીને એનો ખભો દબાવ્યો. રાજકરણે તેની સામે સ્મિત સાથે જોયું ત્યાં તો ગામના બીજા બે ત્રણ યુવાનો પણ તેની તરફ ચાલતા આવતા તેણે જોયા.  આ પાંચેક જણાનું મંડળ રાજકરણના ઘર તરફ ચાલી જતું જગત અને બાકીના ગામવાળા જોઈ રહ્યા.  ‘પોતે તો મરશે પણ આ ધૂળીચંદ અને પેલા