તલાશ 3 - ભાગ 12

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. “जानामि धर्मं न च में प्रवृत्तिः।। जानाम्यधर्मं न च में निवृत्तिः" વિક્રમના મોઢામાંથી આ શબ્દો સાંભળીને રાજીવને આશ્ચર્ય થયું. મહાભારતમાં દુર્યોધન ના મોઢે બોલાયેલા આ શબ્દોના અર્થથી એ અજાણ ન હતો.  "શું થયું ભાઈ," એણે વિક્રમને ઢંઢોળતાં પૂછ્યું. વિક્રમ નુ શરીર સહેજ સળવળ્યું અને હળવેથી એણે આંખો ખોલી, અને કમરામાં નજર ઘુમાવી. પોતે પોતાના બેડરૂમમાં જ છે એ સમજતા એ રાજીવ તરફ ફર્યો અને કહ્યું. "અરે તું સવાર સવારમાં અહીં શું કરે છે." "હું તો રાતથી જ અહીં છું." પણ કેમ? તારે