એક પંજાબી છોકરી - 61 (છેલ્લો ભાગ)

વીર ફરીથી બેભાન થઈ ગયો.વાણીમાં સોહમ અને સોનાલીને જોઇને હિંમત આવી ગઈ તેને જલ્દીથી વીરની આંખો અને હદય ચેક કર્યું અને તેને ખબર પડી કે ત્રણ દિવસથી બેભાન હોવાથી વીરે કંઈ જ ખાધું પીધું નહોતું તેથી તેને હોંશ આવતાની સાથે જ ભૂખ ને તરસના લીધે ચક્કર આવી ગયા.વીરનો તાવ માટેનો ઈલાજ ચાલતો હતો અને ડૉકટરને વધુ પેશન્ટ હોવાથી વીરને ગ્લુકોઝનો બાટલો ચડાવવામાં આવ્યો નહોંતો.જોકે આ ડૉકટરની લાપરવાહી કહેવાય પણ હાલ વાણી જલ્દીથી નર્સ ને બોલાવી ગ્લુકોઝનો બાટલો ચડાવવાની વ્યવસ્થા કરે છે તેને હવે તેના હેડ ડૉકટર પર ભરોસો ન હોવાથી તે તેમને જાણ નથી કરતી અને ખુદ જ બધું હેન્ડલ