સંઘર્ષ - પ્રકરણ 3

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી.    સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ –  ૩ કૃષ્ણદેવની છાવણીમાં   ભીમા દેવા અને ચતુરના ઘોડા કૃષ્ણદેવ રાયના શિબિરના સામે કાંઠે ઉભા રહ્યા ત્યારે સુરજ ઊગું ઊગું થઇ રહ્યો હતો. આકાશમાં એ આવી રહ્યો છે તેના સંકેતરૂપે આકાશમાં લાલીમા છવાઈ ગઈ હતી. જેઠ મહિનામાં હરણમતિ સાવ સુકીભઠ્ઠ હોય એટલે આ બંનેને સામે કાંઠે ઘોડા ઉપર જ જવાનું હતું. જોકે દર વર્ષે ફક્ત ચાર-છ મહિના માટે આવનારા પાણીની આશાએ આજીવિકા