ચેતન સમાધી....સાધુની પરીક્ષા.... - 2

  • 460
  • 172

ભાગ 1 એ માત્ર આ વિષય ની આછેરી ઝલક હતી.મે ભાગ-1 લખ્યો ત્યારે ઘણા વાંચકોને આ વિષય થોડો અજીબ લાગ્યો,પણ હું ય શું કરૂં એક સાધુકન્યા તરીકે આ બધુ આજુ બાજુ જ આકાર લેતુ હોય એટલે જેમ જેમ મોટા થતા જાય તેમ તેમ અમારા મનમાં એક સત્ય એ સ્થાન લઈ જ લીધુ હોય છે કે , સાધુ પરંપરા માં મૃત્યૂ પછી સમાધીઓ જ અમારા કુટુંબીજનો અમારી સાથે છે,અને અમારા સુખ દુઃખ તેેની સમાધીએ બેસીને કહેતા હોઈએ છીએ. આ સમાધીઓની એક રસપ્રદ વાત એ છે કે , જ્યારે વ્યકિત મૃત્યુ પામે ત્યારે તેની સમાધી વિધી કરતી વખતે મૃતકનુ મોં દક્ષિણ દિશા