ગુજરાત અને કોંગ્રેસ - 2

  • 416
  • 227

૧૯૭૧માં ઇંદિરા ગાંધી ગરીબી હટાવોના નારા સાથે ચૂંટણી લડયાં હતા. જેમાં તેમને જંગી બહુમતી મળી અને સરકાર પણ બનાવી. જે બાદ મે ૧૯૭૧માં ગુજરાતની હિતેન્દ્ર દેસાઇની સરકારને બરતરફ કરવામાં આવી હતી. માર્ચ ૧૯૭૧માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો. જેના ઉત્સાહ વચ્ચે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહરાત થઇ. કેન્દ્રમાં કોંગ્રેસની સરકારના પાકિસ્તાન સામેના પગલાં બાદ ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૧૬૦માંથી ૧૪૦ બેઠક પર વિજય મળ્યો. જે ટકાવારીની દ્રષ્ટીએ કોંગ્રેસનું સર્વશ્રેષ્ટ પ્રદર્શન માનવામાં આવે છે. ક્રિસ્ટોફ જેફરોલેટ અને પ્રતિનવ અનિલ લિખીત પુસ્તક ઇન્ડિયાઝ ફર્સ્ટ ડિક્ટેટરશિપમાં લખાયું છે કે, અવિભાજીત ઉત્તર પ્રદેશમાં મધ્યસત્રી ચૂંટણી યોજાવા જઇ રહી હતી. ત્યારે ગુજરાતમાંથી ચીમનભાઇ