ભીતરમન - 23

  • 646
  • 1
  • 374

હું મારા પરિવાર સાથે મારા ઘરે આવી ગયો હતો. પણ તુલસી સત્ય જાણી મારા વિષે શું વિચારતી હશે એ વાતથી હું હજુ અજાણ હતો. મેં હવે ઘરે રહેવાનું ખુબ ઓછું કરી નાખ્યું હતું. હું અઠવાડિયે એક જ વાર ઘરે આવતો હતો. મુકતારે મને રહેવા માટે એક નાનું ભાડાનું મકાન શોધી આપ્યું હતું. હું ત્યાં જ રહેતો હતો. જમવાની ઈચ્છા થાય તો એક લોજમાં જમી આવતો હતો. મોટે ભાગે જમવાનું ટાળતો જ હતો. મારે બાપુથી દૂર રહેવું હતું પણ એની સજા માને પણ મળતી હતી આથી મારું મન માને હું અન્યાય કરતો હોઉં એવી ગ્લાનિ જન્માવી રહ્યું હતું. જેવો જમવા માટે કોળિયો