ભૂતિયા જહાજની વાત

  • 1.2k
  • 414

વિશ્વભરમાં 112 વર્ષ પહેલા 1912માં 15મી એપ્રિલના રોજ તે સમયના વિશ્વના સૌથી મોટા જહાજે જળ સમાધિ લીધી હતી. હા તમે બરાબર સમજ્યા વાત ટાઇટેનિકની જ છે. જે ઘટનામાં હજી પણ અનેક સવાલોના જવાબો મળ્યા નથી. ત્યારે આજે વાત આવી જ એક ઘટનાની કરવાની છે. જે જુલાઈ 2011માં મુંબઈના જુહુ બીચ પર બની હતી. ઓગસ્ટ 2011માં જુહુ બીચ પર ભારતીય માલિકીનું એક ઓઇલટેન્કર તણાઈ આવ્યું હતું. તેનું નામ એમવી પાવિત હતું. હવે, તમને થશે કે આ ઘટનામાં મોટી વાત શું છે? પરંતુ મોટી વાત એ છે કે, જહાજ તણાઈ આવ્યું તેના 6 સપ્તાહ પહેલા જ તેને જળ સમાધિ લીધી હોવાની જાહેરાત