નિલક્રિષ્ના - ભાગ 12

  • 948
  • 336

આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્યાં જવાનું હતું.પરંતુ નિલક્રિષ્નાની નાવ સાવ ખુલ્લી હોવાથી હેત્શિવા ને એની વધારે ચિંતા થતી.એને એવું લાગતું હતું કે, "ત્યાં પહોંચવામાં એને કોઈ ખતરોં નહીં આવે ને ?" 'માનું હ્દય હરવખત સંતાન છુટું પડતાં આવું જ વિચારતું હોય.' મેં એમ વિચારી નિલક્રિષ્નાની પાછળ ધ્યાન લગાવ્યું. નિલક્રિષ્નાએ નાવ આગળ તરાવી અને ફરી વિરાસત તરફ જવાનો રસ્તો પકડ્યો.નિલક્રિષ્નાની નાવ વળી ત્યાંથી હવે શાંત રસ્તો જ દેખાતો હતો.જે તૂફાન હતું એ પાછળનાં ભાગમાં જ હતું.નાવ થોડી આગળ ચાલી ત્યાં એને વિરાસત તરફ જવાનો રસ્તો ફરી મળી ગયો. એ રસ્તો પકડીને એને