મારા કાવ્યો - ભાગ 16

  • 1.2k
  • 338

ધારાવાહિક:- મારા કાવ્યો ભાગ - 16 રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની ફરિયાદ ક્યાં જરુર છે કોઈને સ્વતંત્ર થવાની? કોઈ બંધનમાં બંધાવા તૈયારી તો જોઈએ! મંજૂર નથી કોઈને સાંભળવો કોઈનો આદેશ, રહ્યાં છે હવે એવાં સંબંધો જ ક્યાં કે કરીએ ફરિયાદ કોઈની? આવ્યો છે જમાનો એવો કે વાતો જ લાગે ફરિયાદ! એથી તો લાગે સારું રહેવું મૌન સદાય! વધતી જાય છે અકળામણ મનની, ને રુદન કરે હૈયું! કેમ કરી સમજાવવું હૈયાને, લાગણીઓ છે તને ને કિંમત ચૂકવે છે આંખો! પ્રવેશોત્સવ કરે સૌ પ્રવેશોત્સવ બાળકોનો, પા પા પગલી માંડતા એ નાનાં બાળ, આવ્યાં શાળાએ મેળવવાને જ્ઞાન! વિચાર્યું અમે કંઈક નોખું એવું, કરાવ્યો