ભાગવત રહસ્ય - 32

  • 324
  • 104

 ભાગવત રહસ્ય-૩૨   પરમાત્મા શ્રીકૃષ્ણને પોતાના–સર્વ વિનાશ---માં પણ આનંદ છે. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું છે. શ્રીકૃષ્ણ ગાંધારીને મળવા આવે છે. ગાંધારીએ શ્રાપ આપ્યો છે.—મારા વંશમાં તેં એકે ને ય રહેવા દીધો નહિ.-જા-તારા વંશમાં પણ કોઈ રહેશે નહિ. પણ તેથી શ્રીકૃષ્ણ ખુશ થાય છે.તેઓ કહે છે કે – મા,હું વિચાર કરતો હતો કે આ બધાનો વિનાશ કેવી રીતે કરવો ? સારું થયું –તમે શ્રાપ આપ્યો.   સર્પ ઉપર શયન કરવાનો વખત આવે તો પણ પરમાત્માને શાંતિ છે,(શાંતાકારમ ભુજગશયનમ). ત્યારે સામાન્ય લોકોને તો  પલંગ-પથારી પર શયન કરવા મળે તો પણ શાંતિ નથી. શ્રીકૃષ્ણને કેવી શાંતિ છે !! લય (સર્વનો વિનાશ) –એ પણ