વધુ પડતું વિચારવું

  • 846
  • 2
  • 318

આહાર અને વિચાર. પ્રાચીન કાળથી આપણે સાંભળતા આવ્યા છે, કે આ બે વસ્તુ મનુષ્યને બનાવે અથવા બરબાદ કરી શકે છે. આહાર તો આપણે પેટમાં નાખીએ, પરંતુ વિચાર? તેઓ આપણા સંજોગો અને અન્ય લોકો સાથેની ક્રિયાપ્રતિક્રિયા અનુસાર આપણા મગજમાં જન્મે છે. તદઉપરાંત, વિચારોનો સીધો સંબંધ આપણી ભાવનાઓ સાથે જોડી શકાય. વાસ્તવમાં કેટલીકવાર તેઓ વિનિમયક્ષમ લાગે છે.ઘણી વખત, આપણું વર્તન, વલણ અને વ્યસ્ત જીવનશૈલી આપણને વિચારોના પ્રકાર અને તેનાં પરિમાણ પર પ્રતિબિંબિત કરવાની પરવાનગી નથી આપતા, જે આપણા મન પર પ્રભુત્વ ધરાવે છે, અને આ આખરે આપણને શારીરિક, માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓ તરફ દોરી જાય છે.આ પ્રેરક લેખ આપણા વિચારોનું સંચાલન કરવા