ખજાનો - 46

" આપને પણ તેઓની યાદ આવતી હશે ને..? જ્યારે પોતાના માણસો આપણાથી દૂર થઈ જાય છે ત્યારે કેવી દુઃખની લાગણી અનુભવાય છે તે મારાથી વધારે સારી રીતે કોણ જાણી શકે..? રાજાજી..! હું આપની તકલીફ.. સમસ્યાને સમજી શકુ છું. મને વિશ્વાસ છે, આપણે બધાએ આપણા પ્લાન મુજબ આ કાર્યને સફળ કરી શકીશું. આપ જરૂરથી આપના પરિવારને મળી શકશો. જરૂરથી રાજગાદી પણ પાછી મેળવી શકશો અને હું મારા ડેડની પાછા લાવી શકીશ." આટલું બોલતા લિઝાની આંખોમાં પાણી આવી ગયા." જરૂરથી...આપણે સફળ થઈશું..!" કહી જૉનીએ લિઝાના માથે હાથ ફેરવ્યો અને તેને ભેટી પડ્યો. સુશ્રુત અને હર્ષિત પણ ઈમોશનલ થઈ ગયા અને તેઓને ભેટી