ખજાનો - 30

“લિઝા..! માઇકલ અંકલ કે ડેવિડ અંકલની આ રાજા સાથે કોઈ ઓળખાણ છે કે નહીં..? જો રાજા સાથે કોઈ ઓળખાણ હોય તો નગરમાં પ્રવેશ કરવું અને રાજા ને મળવું થોડું સરળ થઇ જાય.” હર્ષિત બોલ્યો. “સોમાલિયાના રાજા સાથે કોઈ ઓળખાણ હોય એવું તો ડેવિડ અંકલે કંઈ કહ્યું નથી. ડેવિડ અંકલ અને મારા ડેડી સોમાલિયાના રાજાને જાસૂસ દ્વારા જ ઓળખતા થયા હશે. એવું મને લાગે છે. જાસૂસ નો સંદેશો મોકલવાનો છે કે તેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી. સાથે આપણો એક સ્વાર્થ છે કે તેઓ આપણને થોડી ઘણી મદદ કરે તો મારા ડેડીને આદિવાસીઓની ચુંગાલમાંથી બચાવવામાં સરળતા રહે." લિઝાએ કહ્યું. " ઊભાં