ભાવ ભીનાં હૈયાં - 43

  • 1.3k
  • 1
  • 1k

" બાળકો તેનાં જ છે. જે તેના આસારે આવ્યું તેને સહર્ષ પોતાના બનાવી દીધાં. કોઈ બાળક તેને ભીખ માંગતું મળ્યું..! કોઈ કચરાના ડબ્બામાંથી મળ્યું. કોઈ અનાથ બાળક કામની શોધમાં તેની પાસે આવ્યું. કોઈ દુનિયાની આક્રમક નજરથી બચવા આવ્યું. તો કોઈ નિઃસહાયને અભિલાષાએ સહાય અર્થે પોતાની પાસે જ રાખી લીધું.આમ, આજે અભિલાષા પાસે નાના મોટા, જુદા જુદા ધર્મના, જુદી જુદી જાતિના પાંચ બાળકો છે. પહેલાં તો પાંચેયના સ્વભાવમાં રાત દિવસનું અંતર હતું. પણ અભિલાષાએ તેઓને એવા તે કેળવ્યા છે કે આજે પાંચેય ખુબ સંપીને રહે છે. અભિલાષાએ બધા બાળકોને પોતાના જ બાળકો હોય તેમ પ્રેમ અને ઘણા ભાવથી ઉછેર્યા છે. મને