ઉડાન... એક સકારાત્મક વિચારોની - 9

  • 1.1k
  • 426

પ્રભુને પત્ર નામ : મૌસમ સરનામું : સ્નેહીજનોના સ્નેહમાં, મિત્રોની મુસ્કાનમાં, પ્રકૃતિના હર પ્રહરમાં.. તારીખ : 32/15/9999 વાર : તહેવાર પ્રિય પ્રભુ..! સહૃદય વંદન... કેમ છે પ્રભુ ...? મજામાં ને..? આશા રાખું છું કે તું એકદમ મજામાં જ હોઇશ. હું પણ તારી કૃપાથી મજામાં જ છું. આમ તો આપણો વાર્તાલાપ નિયમિત રૂપે પ્રાર્થનાના માધ્યમથી થતો જ હોય છે પણ આ પ્રતિલિપિવાળા કહે છે કે તમારા સ્નેહીજનો કે મિત્રોને પત્ર લખો. પૃથ્વી પર તો ઘણા સ્નેહી જનો છે પણ મારો સાચો સ્નેહી, મારો શુભચિંતક, મારો મિત્ર તો પ્રભુ તું જ છે ને..! આથી વિચાર્યું લાવ તને જ પત્ર લખું. સૌથી પહેલાં