સંધ્યા - 23

  • 2.8k
  • 3
  • 1.7k

સંધ્યાને કેરલ જવાનું હોય આથી પગફેરાનો રિવાજ પતાવી દીધો હતો. પંકજભાઈ અને દક્ષાબહેનએ એમને જતી વખતે શુભેચ્છા પાઠવી હતી. દીકરીના ચહેરાને જોઈને બંનેને હાશકારો થયો હતો કે, દીકરી સાસરે ખુશ છે. સૂરજ અને સંધ્યા બંને વડીલોના આશીર્વાદ લઈને કેરલની એમની સફર માટે નીકળ્યા હતા. એમની આ સફરનું પહેલું સ્થળ મુન્નાર હતું. ત્યારબાદ પેરિયાર, કુમારકોમ, એલ્લપૂઝા અને છેલ્લે કોચીન હતું. મુન્નારનું વાતાવરણ જ એટલું સુંદર હતું કે સંધ્યાને એમ થયું કે આનાથી વધુ કોઈ સુંદર સ્થળ હોઈ જ ન શકે! સંધ્યા જેટલી જગ્યાએ ફરી બધી જ જગ્યાઓ એકથી એક ચડિયાતી નીકળી હતી. ખુબ સરસ કુદરતી નજારો એમણે માણ્યો હતો. કેરલમાં ખુબ