પ્રેમ સમાધિ - પ્રકરણ -21

(29)
  • 3.1k
  • 4
  • 2k

કાવ્યા અને કલરવ સમાધિગસ્ત જીવન..... જીવન ? મૃત થયેલા શરીર નષ્ટ થયાં... અગ્નિશૈયામાં ભસ્મ થયાં.... ધરતીમાં સમાઇ ગયાં પરંતુ જીવ એકબીજામાં પરોવાઇ ગયાં.. પ્રેમપિપાસાની દેન ગણો કે આત્માનું ઐક્ય બંન્ને જીવ પરોવાઇ એક થયાં અને એકજ સમાધિમાં સમાધિગ્રસ્ત થયાં. મૃત્યુ પછીનું જીવન કેવું ? શરીર વિના લાગણીનું આદાનપ્રદાન કરવા માધ્યમ શું ? સ્પર્શની સંવેદના આનંદ.. નજરથી નજર મેળવી અમૃતપાન કરવું. તેમની પરાકાષ્ઠા અનુભવવા તન થી તનનું મિલન મૈથુન- સંભોગ- રતિક્રીડાનો આલ્હાદક મીઠો આનંદ એ ચરસસીમાની અનૂભૂતિ તૃપ્તિ... તૃપ્તિ પછીની હાંશ.... તન ભસ્મ થતાં બધી સંવેદના અહેસાસ ગાયબ થઇ જાય કશું અનુભવવા ના મળે. પંચતત્વની આ સૃષ્ટિ એમાંય માઁ ધરતીનાં ખોળે