પ્રેમ - નફરત - ૧૦૧

(25)
  • 3.1k
  • 3
  • 2k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦૧રચનાને ખ્યાલ આવી ગયો કે નક્કી લખમલભાઇને અંદાજ આવી ગયો છે કે અમે એમની સામે રણજીતલાલના મોતનો બદલો લઈ રહ્યા છે એટલે આડકતરી રીતે પોતાનો ગુનો સ્વીકારી રહ્યા છે. અમે રણજીતલાલના પરિવારના છીએ એની જાણ થયા પછી એ હવે પોતાના ગુનાની કબૂલાત કરી રહ્યા છે. મીતાબેન પણ વિચારી રહ્યા કે લખમલભાઇને હવે એમના કૃત્યનો અફસોસ થઈ રહ્યો છે. એમણે નવાઈથી પૂછ્યું:‘રણજીતલાલના મૃત્યુ માટે તમે જવાબદાર કેવી રીતે?’‘મને જ એની ખબર પડતી ન હતી... જશભાઈએ જ્યારે મને મોં પર આવું કહ્યું ત્યારે હું ચમકી ગયો અને વિચારવા લાગ્યો કે રણજીતલાલ સાથે મેં એવું શું કર્યું