ઋણાનુબંધ.. - 61 - છેલ્લો ભાગ

(25)
  • 2.6k
  • 2
  • 1.3k

સૌમ્યા ડોક્ટરને મળીને અજયની શું પરિસ્થિતિ છે એ વિશે પૂછી રહી હતી. ડોક્ટરે એને સમજાવતા કહ્યું કે, "અજયને જે પછડાટ લાગી એની માથા પર ઈજા પહોંચી છે. મગજને સહેજ નુકશાન થયું છે. કેટલું નુકશાન થયું છે એનો બધો જ આધાર એ ભાનમાં આવીને કેમ વર્તે છે એના પર છે. બની શકે કે, એની યાદશક્તિ ક્ષણિક જતી રહી હોય એટલે કે શું થયું કે કેમ થયું એ એને યાદ જ નહોય અને એમ પણ બને કે બિલકુલ કઈ જ યાદ ન હોય! હા, એ સાવધાની રાખવી ખાસ જરૂરી છે કે, પેશન્ટને તકલીફ થાય એવી કોઈ જ વાત એમની સામે ઉચ્ચારવી નહીં.