ઋણાનુબંધ.. - 51

(18)
  • 2.6k
  • 2
  • 1.4k

પરેશભાઈએ ઘરમાં બધાને રાત્રે જમતી વખતે કહ્યું કે, પ્રીતિ અને અજયના ભવિષ્ય માટે ચર્ચા કરવા આપણે ભાવનગર જવું છે, આપણે ક્યારે જવું છે? તો હસમુખભાઈને એ સમય હું આપું કે જેથી એમને ધ્યાનમાં રહે."અરે પપ્પા! તમને ખ્યાલ તો છે કે, એક મહિનો અહીં એ રોકાયા છતાં એકવાર સ્તુતિને પણ એને મળવાનું મન ન થયું, હું ભાવનગર બે વાર ગઈ ત્યારે શું એમને થયું કે એની દીકરી ગામમાં છે તો ઘરે આવવાનું કહું? મને જરાય જવાનું મન નથી.""તારી વાત સાચી છે પણ તારા પપ્પા શું કહે છે એ સમજતો ખરા!તું ખોટી અકળાય ન જા.""જો દીકરા આપણા ફક્ત અનુમાનથી હકીકત બદલી જતી