સંબંધની પરંપરા - 15

  • 1.6k
  • 852

મીરાં અને ગીતા ઝડપથી શિવ મંદિર તરફ જવા લાગ્યા.આજુબાજુના વાતાવરણની સુધ નથી. પણ , કહેવાય ને કે ચોરને તો હવાનો ભાસ પણ ડરાવે.લોકો પોતાના કામમાં જતાં-જતાં પણ જો એની સામે જુએ તો એ અંદરથી સંકોચ અનુભવે .રખેને ચોરી પકડાઈ જશે.આમ કરતાં કરતાં બંન્ને મંદિરે પહોંચી ગયા. બહુ ઓછા લોકો આજુબાજુ હતા.બધા દર્શન કરી જતાં રહેતા .બંન્ને સખીઓ એકબાજુ ઓટલે બેઠી.ગીતાએ વાત શરૂ કરી.ગીતા : "જો મીરું,હું આમા સત્ય શું છે કે કેમ એ જાણતી નથી.પણ મારા બા કહેતા એ સાંભળેલું તે કહું છું.પણ,એક વાત કહે કે આની તારા ને મોહનના સંબંધ પર કોઈ અસર નહીં થાય."મીરું : "જો હવે મારી