પ્રારંભ - 84

(29)
  • 4.9k
  • 3
  • 3.1k

પ્રારંભ પ્રકરણ 84બીજા દિવસે સવારે ૧૧ વાગે કેતનને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યો. ડીસ્ચાર્જ વખતે જાનકી જ હોસ્પિટલમાં હતી. ડોક્ટરે એને કહ્યું કે હમણાં એમને ત્રણ દિવસ સુધી સંપૂર્ણ આરામ કરાવજો. રિકવરી તો થઈ જશે પરંતુ ત્રણ દિવસ સુધી ગમે ત્યારે ચક્કર આવી શકે છે. એટલે વધારે મુવમેન્ટ નહીં કરવાની. ઘરે આવ્યા પછી જાનકીએ કેતનને સંપૂર્ણ આરામ અપાવ્યો. એને બિલકુલ ઉભો થવા ન દીધો અને ખડે પગે રહી. જો કે કેતન એકદમ નોર્મલ જ હતો છતાં એણે જાનકીની આજ્ઞાનું બરાબર પાલન કર્યું અને પૂરતો આરામ કર્યો. ત્રણ દિવસ પૂરા થઈ ગયા પછી એ એક ચક્કર ગોરેગાંવની સાઈટ ઉપર મારી આવ્યો. એકાદ