સૌભાગ્યવતી ભવ

  • 3.8k
  • 1.2k

મધુબેન એક સુશીલ, શાંત અને પતિવ્રતા સ્ત્રી, દરરોજ મંદિરે જાય અને પોતાના પતિ માટે લાંબી ઉંમર ની પ્રાર્થના કરે.લગ્ન ના ત્રણ વર્ષ પછી મધુબેન ને ત્યાં પારણું બંધાયું, એક સરસ,દેખાવડા અને મોહી લે તેવા પુત્ર નો જન્મ થયો. સુરેશ ભાઈ એ આજુ બાજુ અને સગા સબંધી ઓને પેડા વહેચ્યા.દીકરાનું નામકરણ કરવામાં આવ્યું યશ.એક દિવસ દરરોજ ની ટેવ પ્રમાણે પ્રાર્થના કરવા મધુબેન પ્રાર્થના કરવા જાય છે...પ્રાર્થના કરી મધુબેન ઓટલે બેસે છે.ત્યાં એક અવાજ આવે મધુબેન.... મધુબેન... ઓ મધુબેન....અરે કૈલાસ શુ થયું, આમ કેમ દોડતી દોડતી આવે