ધૂપ-છાઁવ - 103

(21)
  • 3.1k
  • 2
  • 2k

અપેક્ષા પોતાના લગ્ન ધીમંત શેઠ સાથે થાય તે બાબતે હજુ અવઢવમાં હતી. પરંતુ ધીમંત શેઠ તે બાબતે સ્યોર હતા એટલું જ નહીં બલ્કે તે હવે ગમે તેમ કરીને અપેક્ષાને પોતાની બનાવીને જ રહેશે તે વાત તેમણે પોતાના દિલોદિમાગમાં નક્કી કરીને રાખી હતી. અને માટે જ અપેક્ષાના મનમાંથી પોતાના ખરાબ નસીબનો વહેમ નીકળી જાય અને તે ખુશ થઈને નિશ્ચિંતપણે ધીમંત શેઠ સાથે લગ્ન કરી શકે અને ખુશી ખુશી તેમની સાથે પોતાની જિંદગી વ્યતિત કરી શકે તે માટે ધીમંત શેઠે પોતાના અને અપેક્ષાના જન્માક્ષર મેળવવા માટે પોતાના પરિચિત શ્રી કૃષ્ણકાંત મહારાજને ઘરે બોલાવ્યા હતા. બીજે દિવસે નક્કી કર્યા મુજબ કૃષ્ણકાંત મહારાજ રાત્રે