ગીતાબોઘ - 11

  • 1.5k
  • 764

અધ્યાય અગિયારમો સોમપ્રભાત અર્જુને વિનંતી કરી :હે ભગવાન ! તમે મને આત્મી વિશે જે વચનો કહ્યાં તેથી મારો મોહ ટળ્યો છે. તમે બધું જ છો, તમે જ કર્તા છો, તમે જ સંહર્તા છો, ચમે નાશરહિત છો. બની શકે એમ હોય તો તમારાં ઈશ્વરી રૂપનાં મને દર્શન કરાવો. ભગવાન બોલ્યા : મારાં રૂપ હજારો છે, અનેક રંગવાળાં છે. તેમાં આદિત્યો, વસુઓ, રુદ્રો વગેરે સમાયેલા છે. મારામાં આખું જગત - ચર અને અચર - સમાયેલું છે. આ રૂપ તું તારાં ચર્મચક્ષુથી નહીં જોઈ શકે. તેથી હું તને દિવ્યચક્ષુ આપું છું તે વડે તું જો. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું : હે રાજન ! આમ