ધ સ્કોર્પિયન - પ્રકરણ-95

(63)
  • 3.5k
  • 3
  • 2.2k

માહીજા જંગલમાં આવેલાં કબીલામાં સુરક્ષીત આવી ગઇ હતી. રાવલો અને રોહીણી એની પાસે બેઠા હતાં. અચાનક આટલાં વર્ષો પછી આમ ગણપતનું ઘર છોડી રીતસર ભાગી આવી એ આશ્ચર્યનું કારણ હતું. વળી બધાને ખબર હતી કે રાવલા અને રોહીણીનું હમણાંજ વિધીવત લગ્ન થયું છે. જંગલમાં વસેલાં આ કબીલામાં ઉત્સવનું વાતાવરણ હતું..... રાવલો અને રોહીણી એમની મધુરજની.... સુહાગરાત પ્રણયરાત્રી માણી રહેલાં અને બે અગમ્ય બનાવો બની ગયા એકતો એમનાં પિતા રાજાધ્રુમન પર હુમલો અને બીજાજ દિવેસ માહીજાનું આમ ભાગીને કબીલામાં આવવું... રાવલાએ કહ્યું ‘રોહીણી માહીજાભાભી આમ આપણાં કબીલામાં શરણ શોધીને આવ્યાં છે તો એમની રક્ષા કરવી આપણી ફરજ છે... પછી કહ્યું ભાભી