દશાવતાર - પ્રકરણ 63

(74)
  • 3.2k
  • 1
  • 1.7k

          "મેં કહ્યું ને કે મને એ અજાણ્યે જ મળી ગયું હતું. હું બીજું કંઈ જાણતો નથી." રતનગુરુએ કહ્યું.           વિરાટને આશ્ચર્ય થયું કે રતનગુરુ કેવી રીતે શાંત રહી શકે છે? એ જાણતો હતો કે એ ગુરુ છે અને એ પુસ્તક દીવાલ પેલી તરફથી મોકલવામાં આવેલું છે પણ વિચિત્ર વાત એ હતી કે એના પરિવારનું મૃત્યુ પણ એને તોડી ન શક્યું. એ તસ્કરી વિશે ખુલાસો કરવા તૈયાર નહોતા.           "તું આ માટે તૈયાર છો..." નિર્ભય બોલ્યો અને એની છરી એટલી ઝડપથી આગળ વધી કે એણે શું કર્યું એ કોઈને સમજાયું નહીં. ચીસ